CIA ALERT

યંગિસ્તાન Archives - Page 8 of 37 - CIA Live

November 1, 2021
cia_multi-1280x1045.jpg
1min803

સુરતના અઠવાલાઇન્સ સ્થિત સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી માટે આ એક ગર્વની ક્ષણ છે જેમાં SCET ના કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓ અને માર્ગદર્શકની ટીમને 10મી કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઈન્ડિયા – ઇનએપ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોજેક્ટ એવોર્ડ્સ 2021 માં “પ્રથમ પુરસ્કાર” એનાયત કરવામાં આવ્યો છે.

ઇનએપ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોજેક્ટ એવોર્ડ્સ 2021ની સ્થાપના નવીન સોફ્ટવેર એપ્લિકેશનો વિકસાવવામાં અસાધારણ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓને ઓળખવા અને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે.કરવામાં આવી હતી. આ એવોર્ડની પસંદગી પ્રક્રિયા 6 મહિનાની લાંબી પ્રક્રિયા હતી જેમાં વિશ્વભરના 2000 થી વધુ પ્રતિસ્પર્ધીઓ દ્વારા સબમિટ કરાયેલા 600+ પ્રોજેક્ટ્સમાંથી શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં એલિમિનેશનના 3 રાઉન્ડ હતા જે થકી ક્વોલિફાઇ થઇને પ્રથમ પુરસ્કાર મેળવવું એ કોમ્પ્યુટર ઇન્જીન્યરીંગ ડિપાર્ટમેન્ટ- સ્કેટ ના વિદ્યાર્થીઓની મોટી સિદ્ધિ છે.

શરૂઆતમાં સ્પર્ધા કરતી 600+ ટીમોમાંથી, પસંદગીના 2 રાઉન્ડ હતા. 20મી ઓક્ટોબર 2021ના રોજ રાજભવન, ત્રિવેન્દ્રમ ખાતે આયોજિત એવોર્ડ સમારોહમાં અંતિમ રાઉન્ડના પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી અને કેરળના માનનીય રાજ્યપાલ શ્રી આરિફ મોહમ્મદ ખાને વિજેતાઓને ઈનામો એનાયત કર્યા હતા.

SCET ના કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થી ટીમના સભ્યો છે:

  • નિનાદ અંકલેસરિયા,
  • ધ્યેય નિકલવાલા,
  • યશવી માલુ,
  • ઉર્મિ પાઠક અને
  • જીનલ પટેલ.

આ વિદ્યાર્થીઓને SCET ખાતે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના ડો. નિરાલી નાણાવટી અને સુશ્રી પ્રીતિ શ્રીનિવાસન (IIT મંડીમાં માસ્ટર્સ રિસર્ચ સ્કોલર) દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુપરસ્કેન સુરત સાથે સંકળાયેલા રેડિયોલોજિસ્ટ એવા ડૉ. નિપુન જિંદલ દ્વારા અભ્યાસ હેતુ માટે MRI ડેટા પ્રદાન કરવામાં આવ્યો હતો.

SCET ના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ આ પ્રથમ પુરસ્કાર વિજેતા પ્રોજેક્ટનું નામ- “મેડિકલ ઇમેજ ટ્રાન્સલેશન” છે. આ પ્રોજેક્ટમાં MRI ઇમેજને એક પ્રકારની ઇમેજમાંથી બીજી પ્રકારની ઇમેજમાં અનુવાદિત કરવા માટે ડીપ લર્નિંગ ફ્રેમવર્કનો ઉપયોગ કરાય છે.

આ પ્રોજેક્ટ નો ફાયદો છે કે – આનાથી રેડિયોલોજિસ્ટના  સંસાધનો અને સમય બચશે , દર્દીઓ માટે ખર્ચ ઓછો થશે , રેડિએશનની શરીર પરની અસર ઘટાડવામાં મદદ મળશે. આ પ્રોજેક્ટ ના કારણે -એમઆરઆઈ સ્કેનનો સમય ઓછો થશે અને જેથી ખર્ચો પણ ઓછો થશે, તદુપરાંત થોડા રીસોર્સીસ-સમયમાં – વધુ એમઆરઆઈ પરીક્ષણ  થઇ શકશે. આ પ્રોજેક્ટ બાળકો માટે પણ ખુબ જ ફાયદાકારક રહેશે કારણ કે તે તેમના એમઆરઆઈ માટે જરૂરી રેડિએશન નો સમય ઘટાડશે.

October 30, 2021
cia_multi-1280x1045.jpg
1min570

Jayesh Brahmbhatt 98253 44944

ભારતની પ્રતિષ્ઠિત ગણાતી દિલ્હી યુનિવર્સિટીના કોમર્સ બેઝ અભ્યાસક્રમો માટે લેવાયેલી નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટના જાહેર થયેલા પરીણામમાં સુરતનો વિદ્યાર્થી ક્રિશિવ રાહુલ અગ્રવાલે ઓલ ઇન્ડીયા ફર્સ્ટ રેન્ક મેળવીને સુરતનું નામ ફરી વખત શિક્ષણમાં રાષ્ટ્રીય સ્તરે ગૂંજતુ કરી દીધું છે.

દેશની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી દિલ્હી યુનિવર્સિટી પોતાના અભ્યાસક્રમો માટે અલગથી પ્રવેશ પરીક્ષા લે છે અને તેનું ઓલ ઇન્ડિયા મેરીટ તૈયાર કરે છે તેમાં સુરતનો વિદ્યાર્થી Krishiv Rahul Agarwal ઓલ ઇન્ડીયા સ્તરે પહેલા ક્રમે આવ્યો. CiA Live News Portal

મળતી માહિતી મુજબ દિલ્હી યુનિવર્સિટી દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહ પછીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે દિલ્હી યુનિવર્સિટી જોઇન્ટ એડમિશન ટેસ્ટ રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવે છે. આ પરીક્ષાનું મેરીટથી મેનેજમેન્ટ સ્ટડીઝ, બિઝનેસ મેનેજમેન્ટ, બીબીએ ફાઇનાન્સ, બી.એ. ઓનર્સ વગેરે જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ ફાળવવામાં આવે છે. સુરત સમેત સમગ્ર દેશમાંથી અંદાજે સાડાચાર લાખ જેટલા વિદ્યાર્થીઓએ ડીયુ-જેટ (દિલ્હી યુનિવર્સિટી જોઇન્ટ એડમિશન ટેસ્ટ) પરીક્ષા આપી હતી. જેનું પરીણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું.

સૌના આશ્ચર્ય વચ્ચે ડીયુ-જેટ પરીક્ષામાં સુરતનો વિદ્યાર્થી ક્રિશીવ રાહુલ અગ્રવાલને ઓલ ઇન્ડીયા ફર્સ્ટ મેરીટ રેન્ક એલોટ થતાં સમગ્ર ભારતનું ધ્યાન સુરત પર કેન્દ્રીત થયું હતું. ક્રિશીવ રાહુલ અગ્રવાલ સુરતની દિલ્હી પબ્લિક સ્કુલમાંથી ધો.12 કોમર્સ પાસ કર્યું છે. અગાઉ સુરત કે ગુજરાતમાંથી કોઇ પણ વિદ્યાર્થીએ દિલ્હી યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત મનાતી ડીયુ-જેટ પરીક્ષામાં આ પ્રકારનો દેખાવ કર્યો નથી. સુરતમાંથી તો સૌથી પહેલી વખત કોઇ વિદ્યાર્થીએ દિલ્હી યુનિવર્સિટીમાં ઓલ ઇન્ડીયા ફર્સ્ટ રેન્ક મેળવ્યો હોય તેવી આજે પહેલી ઘટના બની છે.

First time a Surat student Tops Delhi University Joint Admission Test

Krishiv Rahul Agrawal an Alumni of Delhi Public School Surat batch 2020-21 has secured All India Rank 1 (AIR 1) 1 in Delhi University Joint Admission Test f( DU- JAT 2021). DU-JAT is  a national level entrance exam conducted every year for admission to courses like BMS, BBE, BBA (FIA) courses and BA (Hons) in Business Economics programmes. 

October 22, 2021
KN_chavda-copy.jpg
1min1275

ગુજરાત રાજ્યની 31 સરકારી યુનિવર્સિટીઓ હવે અધિકારમંડળોની મિટીંગો યોજીને નેશનલ એજ્યુકેશન પોલિસીના અમલ માટે ઠરાવો કરાવશે, આ પ્રોસિજર વીર નર્મદ યુનિવર્સિટીએ પૂર્ણ કરી દીધી છે અને તેનો અમલ પણ શરૂ કરી દેવાયો છે. આમ વીર નર્મદ યુનિ.ની એડવાન્સ કામગીરીનો એડવાન્ટેજ વિદ્યાર્થીઓને મળવાનો શરૂ થઇ ગયો છે

વીર નર્મદ યુનિવર્સિટીનો રેફરન્સ સરકાર કક્ષાએ સકારાત્મક લેવાયો છે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં dated 21/10/21 ગાંધીનગર ખાતે મળેલી રાજ્યની 32 સ્ટેટ યુનિવર્સિટીઓના કુલપતિઓની બેઠકમાં દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટીની એ બાબતે તમામે નોંધ લીધી કે નેશનલ એજ્યુકેશન પોલિસીના અમલ માટેની તમામ પૂર્વતૈયારીઓ જેમાં જેતે અધિકારમંડળોમાં ઠરાવો કરાવવાથી લઇને તેનો અમલ કરવા બાબતની તમામ પ્રોસિઝર પૂર્ણ કરનાર રાજ્યની જો કોઇ યુનિવર્સિટી હોય તો એ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે.

રાજ્ય સરકારે આજે એન.ઇ.પી.ના અમલ માટે જે લેસન સોંપ્યુ છે તે પૈકી 80 ટકા લેસન વીર નર્મદ યુનિવર્સિટીએ પૂર્ણ કરી દીધું છે.ગુજરાતમાં ચાલુ વર્ષથી નેશનલ એજ્યુકેશન પોલિસીનો અમલ જોરશોરથી શરૂ થઇ શકે તે માટે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી જીતુ વાગાણી અને શિક્ષણ રાજ્યમંત્રી ડો.ડિંડોરની ઉપસ્થિતિમાં રાજ્યની 32 સરકારી યુનિવર્સિટીઓના કુલપતિઓની એક મિટીંગ ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ આ મિટીંગનો ઉદ્દેશ યુનિવર્સિટીઓને નેશનલ એજ્યુકેશન પોલિસી (એન.ઇ.પી.)ના અમલ માટે શોર્ટ ટર્મ, મિડીયમ ટર્મ અને લોંગ ટર્મના કયા કયા કામો કરવા તે અંગેની જાણકારી આપવાનો અને યુનિવર્સિટીઓએ કરેલી કામગીરીનો રિપોર્ટ લેવાનો આશય હતો.સમગ્ર રાજ્યમાં વીર નર્મદ યુનિવર્સિટી એકમાત્ર છે જેણે નેશનલ એજ્યુકેશન પોલિસીના અમલ માટે એડવાન્સમાં તમામ કામગીરીઓ પૂર્ણ કરી દીધી છે. એ બાબતની નોંધ મિટીંગમાં લેવામાં આવી કે વીર નર્મદ યુનિવર્સિટીએ એન.ઇ.પી.ના અમલીકરણ માટે સર્વોચ્ચ અધિકારમંડળ ખાસ સેનેટની અસાધારણ સભા યોજી હતી અને તેમાં ઠરાવો પાસ કરાવ્યા હતા. જેની ફળશ્રુતિ રૂપે સરકારે જે કામગીરી સોંપી છે તેનો અમલ વીર નર્મદ યુનિવર્સિટીએ એડવાન્સમાં કરાવી દીધો છે.

વીર નર્મદ યુનિ.એ આ કામગીરી શરૂ પણ કરી દીધી

  • ડિગ્રી કોર્સમાં મલ્ટી લેવલ એક્ઝિટ પોલિસ-
  • દરેક અભ્યાસક્રમમાં ક્રેડિટ ટ્રાન્સફર પોલિસી-
  • કોઇપણ અભ્યાસક્રમમાં મલ્ટી લેવલ એન્ટ્રી-
  • 4 વર્ષના ઓનર્સ ગ્રેજ્યુએશન કોર્સનો અમલ-
  • એકેડેમિક બેંક ઓફ ક્રેડિટનો અમલ શરૂ-
  • ઓન ડિમાંડ એકઝામ પોલીસી-
  • મલ્ટિ ડિસીપ્લિનરી સર્ટિફિકેશન અને ડિપ્લોમા-
  • મલ્ટિ ડિસીપ્લિનરી રેગ્યુલેટરી ઓથોરિટી-
  • ડ્યુઅલ ડિગ્રી, ડ્યુઅલ સર્ટિફિકેશન ફેસેલિટી-
  • ઓનલાઇન કોર્સ ડેવલપમેન્ટ સ્ટુડીયો

દરેકના સહયોગથી NEPનો અમલ શક્ય

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક પૂર્ણ કર્યા બાદ વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે આજે વીર નર્મદ યુનિવર્સિટી નેશનલ એજ્યુકેશન પોલિસીના અમલ કરી શકી છે તેનું કારણ યુનિવર્સિટીના અધ્યાપકો, આચાર્યો, વિવિધ અધિકારમંડળોના સભ્યો, સેનેટ, સિન્ડીકેટ, યુનિવર્સિટીના અધિકારીઓ, કર્મચારીઓ વગેરેએ ભારે મહેનત કરીને તમામ ઠરાવોનું ડ્રાફિટ્ંગથી લઇને તેમાં સુધારા વધારાઓ કરીને આખરે સેનેટની ખાસ સભામાં પસાર કરાવ્યા ત્યારે આજે વીર નર્મદ યુનિવર્સિટી શ્રેય લઇ શકી છે કે એન.ઇ.પી.નો અમલ શરૂ કરી દેનાર રાજ્યની એક માત્ર યુનિવર્સિટી બની છે વીર નર્મદ યુનિવર્સિટી.  

October 21, 2021
upsc1.jpg
1min335

આર્થિક રીતે નબળા અને પછાત વર્ગના સરકારી નોકરી ઇચ્છતા લોકો માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)એ ટૉલ ફ્રી હૅલ્પલાઇન શરૂ કરી છે.

હૅલ્પલાઇનનો નંબર ૧૮૦૦૧૧૮૭૧૧

દેશના બ્યુરોક્રેટ્સ, ડિપ્લોમેટ્સ અને પોલીસ અધિકારીઓ અને અન્ય પદો માટે યુપીએસસી દ્વારા સિવિલ સર્વિસ માટેની તથા અન્ય સરકારી અધિકારીઓની નિમણૂક માટે પરીક્ષાઓ લેવામાં આવે છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ હૅલ્પલાઇન સપ્તાહના બધા જ દિવસો દરમિયાન ઑફિસ અવર્સ દરમિયાન કાર્યરત રહેશે. ભારતને સ્વાતંત્ર્ય મળ્યાના ૭૫મા વર્ષની ઉજવણી નિમિત્તે સરકાર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરી રહી છે અને આ હૅલ્પલાઇન ઉજવણીના ભાગરૂપે શરૂ કરવામાં આવી છે. આ હૅલ્પલાઇનનો નંબર ૧૮૦૦૧૧૮૭૧૧ છે.

October 19, 2021
cia_edu-1280x925.jpg
1min709

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતમાં આવેલી બેચલર ઓફ આર્કિટેક્ચર અભ્યાસક્રમ ચલાવતી 2 કોલેજોને પ્રવેશાર્થીઓ સંપૂર્ણ પણે રિજેક્ટ કરી દીધી છે ત્યાં સુધી કે એકેય વિદ્યાર્થી સુરતની આ બે કોલેજોમાં પ્રવેશ લેવા તૈયાર નથી.

ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજમાં પ્રવેશ માટે એક પણ વિદ્યાર્થીએ પસંદગી આપી નહીં, 100 ટકા સીટો ખાલી

ગુજરાત સરકારે બેચલર ઓફ આર્કિટેક્ચર અભ્યાસક્રમમાં પ્રવેશ કાર્યવાહી કરવા માટે રચેલી એડમિશન કમિટીએ પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા બાદ ખાલી પડેલી બેઠકોનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં (1) સુરતની પ્રાઇવેટ યુનિવર્સિટી, ભગવાન મહાવીર યુનિવર્સિટી હસ્તકની ભગવાન મહાવીર કોલેજ ઓફ આર્કિટેક્ચરમાં ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટેની સ્ટેટ ક્વોટાની કુલ 90 સીટો પ્રવેશ માટે મૂકવામાં આવી હતી. આ કોલેજમાં પ્રવેશ માટે ગુજરાત કે ગુજરાતની અધર બોર્ડની સ્કુલોના એક પણ વિદ્યાર્થીએ ચોઇશ ફિલિંગ કર્યું ન હતું. પરીણામે ભગવાન મહાવીર કોલેજ ઓફ આર્કિટેક્ચરની સો એ સો ટકા 90માંથી 90 સીટો ખાલી પડી રહી છે.

વેસુની વિદ્યામંદિર આર્કિટેક્ચર કોલેજમાં પણ તમામ બેઠકો ખાલી, એકપણ વિદ્યાર્થી પ્રવેશ માટે રાજી નથી

એવી જ રીતે સુરતના વેસુ વિસ્તારમાં આવેલી વિદ્યામંદિર કોલેજ ઓફ આર્કિટેક્ચર સાથે પણ આવું જ બન્યું છે. આ કોલેજ પહેલા ફક્ત કન્યાઓ માટે જ શરૂ કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ નહીં મળતા પછી તેને સામાન્ય કોલેજ બનાવી દેવામાં આવી એ પછી પણ કોઇ પ્રવેશાર્થી આ કોલેજમાં પ્રવેશ લેવા માટે રાજી નથી. હાલ ચાલી રહેલી બી.આર્ક.ની પ્રવેશ પ્રક્રિયામાં પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પછી વિદ્યામંદિર કોલેજ ઓફ આર્કિટેક્ચરની બધી જ બેઠકો ખાલી પડી છે. વિદ્યામંદિર કોલેજ ઓફ આર્કિટેક્ચરમાં ગુજરાત બોર્ડ માટે કુલ 22 સીટો અને અધર બોર્ડ માટે 1 સીટો એસીપીસીમાં મૂકવામાં આવી હતી. જેમાં એક પણ પ્રવેશાર્થીએ ચોઇશ ફિલિંગ કર્યું ન હતું.

ગુજરાતમાં બી.આર્ક.માં પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા બાદ ખાલી પડેલી બેઠકોની માહિતી

સુરતમાં બિલાડીની ટોપની જેમ પ્રાઇવેટ યુનિવર્સિટીઓની હાટડીઓ શરૂ થઇ ગઇ છે ત્યારે કોલેજોની પસંદગી ખૂબ વિચારણા કર્યા બાદ જ કરવી

October 15, 2021
cbse.jpg
1min444

સીબીએસઇના ૧૦મા અને ૧૨મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓની પહેલા સત્રની ઓફલાઇન પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં યોજવામાં આવશે એવી બૉર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પરીક્ષાનું ટાઇમ ટેબલ ૧૮ ઑક્ટોબરે જાહેર કરવામાં આવશે. 

સીબીએસઇ બોર્ડે વધુમાં જણાવ્યું હતું કે આ પરીક્ષાઓ ઑબ્જેક્ટિવ ટાઇપની હશે અને તેનો સમયગાળો ૯૦ મિનિટનો રહેશે. શિયાળાનો સમય ધ્યાનમાં રાખતા પરીક્ષાઓ સવારે ૧૦.૩૦ને બદલે ૧૧.૩૦થી શરૂ  થશે. 

‘પ્રથમ સત્રની પરીક્ષા બાદ જાહેર કરવામાં આવશે. કોઇ પણ વિધાર્થીને પાસ, કમ્પાર્ટમેન્ટ કે એસેન્શિયલ રીપિટ કેટેગરીમાં મૂકવામાં નહીં આવે. 

ફાઇનલ પરિણામ પ્રથમ અને દ્વિતિય સત્રના અંતે જાહેર કરાશે તેમ સીબીએસઇ એક્ઝામ કંટ્રોલર સન્યામ ભારદ્વાજે જણાવ્યું હતું. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે બીજા સત્રની પરીક્ષા માર્ચ-એપ્રિલ, ૨૦૨૨ દરમ્યાન લેવામાં આવશે. એ ઑબ્જેક્ટિવ કે સબ્જેક્ટિવ પ્રકારની હશે કે કેમ એ તે સમયની કોવિડ-૧૯ની પરિસ્થિતિ પર આધાર રાખશે.

October 13, 2021
ICSI-875.jpg
1min506


ચાર્ટર્ડ અકાઉન્ટન્સી બાદ કંપની સેક્રેટરી સર્ટિફિકેશનમાં પણ સુરતના વિદ્યાર્થીઓ કાઠું કાઢી રહ્યા છે

સીએસ એક્ઝિક્યુટિવની પરીક્ષામાં નિકીતા ચંદવાણી અને ફાઉન્ડેશમાં અનિકેત પંચાલે દેશમાં 9મો નંબર હાંસલ કરીને સુરતનું નામ ગૂંજતુ કરી દીધું

રેગ્યુલર ડિગ્રી અભ્યાસક્રમની સાથે સી.એ., સી.એસ., સી.એમ.એ. જેવા સર્ટિફિકેશનમાં સુરતના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે કાઠું કાઢી રહ્યા છે. સી.એ.માં તો સુરતના વિદ્યાર્થીઓ દેશભરમાં લીડ કરી રહ્યા છે. પરંતુ, હવે કંપની સેક્રેટરી સર્ટિફિકેશનમાં પણ સુરતના વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા ટોપ ટેનમાં રેન્ક હાંસલ કરી રહ્યા છે.

ઇન્સ્ટીટ્યુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા દ્વારા આજે ફાઉન્ડેશન અને એક્ઝિક્યુટિવ સ્ટેજની પરીક્ષાના પરીણામો જાહેર કરવામાં આવ્યા હતા. સુરત ચેપ્ટર માટે આજે ખુશીનો દિવસ એટલા માટે રહ્યો હતો કે એક્ઝિક્યુટિવ અને ફાઉન્ડેશન બન્ને સ્ટેજમાં સુરત ચેપ્ટરમાંથી પરીક્ષા આપનારા બે વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા રેન્ક મળ્યા છે.

કંપની સેક્રેટરીના ફર્સ્ટ સ્ટેજ ગણાતા ફાઉન્ડેશનમાં સુરતનો વિદ્યાર્થી અનિકેત પંચાલ ઓલ ઇન્ડિયા સ્તરે નવમા રેન્ક સાથે દેશના ટોપ ટેનમાં રેન્ક મેળવીને સમગ્ર ભારતમાં સુરત ચેપ્ટરનું નામ ગૂંજતું કરી દીધું છે. એવી જ રીતે કંપની સેક્રેટરીના એક્ઝિક્યુટિવ સ્ટેજની પરીક્ષામાં સુરત ચેપ્ટરમાંથી પરીક્ષા આપનાર વિદ્યાર્થિની નિકીતા ચંદવાણીએ પણ ઓલ ઇન્ડિયા સ્તરે 9મો રેન્ક હાંસલ કરીને સુરતનું નામ રાષ્ટ્રીય સ્તરે ગૂંજતું કરી દીધું છે.

October 12, 2021
cia_edu-1280x925.jpg
4min1308

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં પાસ થયેલા અને જેઇઇ મેઇન્સ તેમજ જેઇઇ એડવાન્સમાં સારો સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓ માટે જોઇન્ટ સીટ એલોકેશન ઓથોરિટી (JoSAA) એ આઇ.આઇ.ટી., એન.આઇ.ટી., ત્રિપલ આઇ.ટી. વગેરે જેવી નેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતી એન્જિનિયરિંગ કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ કાર્યવાહીનું શિડ્યુલ જાહેર કર્યું છે, જે નીચે મુજબ છે.

આગામી તા.16મી ઓક્ટોબર 2021થી IIT, NIT, IIITમાં પ્રવેશ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Joint Seat Allocation Authority has released the complete schedule for admissions to IITs, NITs, IIEST, IIITs and other GFTIs for the academic year 2021-22.

As per the schedule, the candidate registration/choice filling for academic programmes under JoSAA will begin from October 16, 2021 however the candidates who qualify AAT can fill their AAT-specific choices starting from October 22, 2021 after declaration of AAT result.

Candidate registration and choice filling for academic programmes under JoSAA 2021 (Auto/System Locking of Choices) will end on October 25, 2021. The first mock seat allocation will be released at 10 AM on October 22, 2021 and the second list will be released at the same time on October 24, 2021.

It is mandatory for the candidates to register through the official JoSAA 2021 online portal to be able to obtain seats to be allocated through JoSAA 2021 in any of the IITs, NITs, IIEST, IIITs (Triple-I-Ts) and Other-GFTIs. The academic programmes, along with the category-wise intake capacity, will be announced on the online portal https://josaa.nic.in.

A candidate chooses and applies to a series of academic programs in a certain order of preference.

Indian Institutes of Technology (IITs) offer several academic programmes for which admission is done on the basis of JEE (Advanced) 2021. National Institutes of Technology (NITs), Indian Institute of Engineering Science and Technology, Shibpur (IIEST), Indian Institutes of Information Technology (IIITs or Triple-I-Ts) and a few other technical Institutes funded fully or partially by Central or a State government [Other-GFTIs] (referred to as NIT+) offer academic programmes for which admission is done on the basis of JEE (Main) 2021.

The Joint Seat Allocation Authority (JoSAA) 2021 has been set up by the Ministry of Human Resources Development (MHRD).

September 10, 2021
neet_2021.png
2min2121

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આગામી રવિવાર તા.12મી સપ્ટેમ્બર 2021 છેલ્લા અઢી વર્ષથી જે વિદ્યાર્થીઓ ડોક્ટર બનવા માટે સખત મહેનત કરી રહ્યા હતા તેમના માટે નિર્ણાયક દિવસ, નીટ-2021 પરીક્ષા રવિવારે બપોરે 2થી 5 દરમિયાન ભારતભરમાં તેમજ વિદેશોના પરીક્ષા કેન્દ્રો પરથી લેવામાં આવશે. ગુજરાતમાં અંદાજે 5500 મેડીકલ બેઠકો તેમજ 1200 જેટલી ડેન્ટલ કોલેજોમાં તદુપરાંત હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજોમાં પ્રવેશ માટે નીટ-2021નો સ્કોર ગણતરીમાં લેવામાં આવશે.

ગુજરાતના અંદાજે 75000 જેટલા વિદ્યાર્થીઓ નીટ-2021 પરીક્ષા આપશે. પરીક્ષા પૂર્વે શિક્ષણ સર્વદા વિદ્યાર્થીઓનું અખબાર તેમજ સી.આઇ.એ. લાઇવ દ્વારા આપને નીટ પરીક્ષાની ઓ.એમ.આર. સીટ કેવી રીતે ભરવાની તેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ પ્રેઝન્ટેશન ખુદ નીટ પરીક્ષાના સંચાલકોએ તૈયાર કર્યું છે. વિદ્યાર્થીઓ નીટ પરીક્ષાની ઓ.એમ.આર.શીટ ભરવામાં ગફલત નહીં કરે તે માટે આ ઉપયોગી માહિતી બની રહેશે.

નીટ પરીક્ષાના પ્રશ્નોના ઉત્તરો જેમાં લખવાના હોય છે તેને OMR શીટ કહેવામાં આવે છે, આ શીટમાં વિદ્યાર્થીઓ પોતાની બેઝિક ઇન્ફર્મેશન ભરવામાં ગફલત કરે તો તેની મોટી કિંમત ચૂકવવી પડી શકે

August 25, 2021
backtoschool.png
1min474

શિક્ષણમંત્રીએ આજે તા.25મી ઓગસ્ટ 2021ના રોજ જાહેરાત કરી છે કે આગામી ગુરુવાર તા.2 સપ્ટેમ્બરથી રાજ્યભરની શાળામાં ધોરણ 6થી 8ના વર્ગો પણ શરુ થઈ જશે. હાલ 9થી 12ના વર્ગો ચાલુ જ છે, જેમાં 50 ટકા જેટલી હાજરી જોવા મળી રહી છે.

આજે થયેલી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, શાળામાં હાજર રહેનારા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે માસ્ક ફરજિયાત રહેશે, તેમજ 50 ટકા હાજરી સાથે ક્લાસ ચલાવાશે, જેમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવું પણ જાળવવાનું રહેશે. ધોરણ છથી આઠમાં 32 લાખ જેટલા વિદ્યાર્થીઓ આગામી ગુરુવારથી સ્કૂલે આવવાનું શરુ કરશે. જોકે, શાળાએ આવવું વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નથી, અને ઓનલાઈન એજ્યુકેશન પણ ચાલુ જ રહેશે.

સ્કૂલે જવું ફરજિયાત નહીં, ઓનલાઈન એજ્યુકેશન પણ ચાલુ જ રહેશે, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત