કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 9 ઓગસ્ટના રોજ તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યા કેસની મંગળવારે (17 સપ્ટેમ્બર) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. જેમાં સુપ્રીમ કોર્ટે મહિલા ડોકટરોની નાઈટ ડ્યુટી નાબૂદ કરવાના નિર્ણય પર બંગાળ સરકારીની ઝાટકણી કાઢી હતી.
તમે કેવી રીતે કહી શકો કે મહિલાઓ રાત્રે કામ ન કરી શકે?
CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે કહ્યું કે, “તમે કેવી રીતે કહી શકો કે મહિલાઓ રાત્રે કામ ન કરી શકે? તેઓ કોઈ છૂટ ઈચ્છતા નથી. સરકારનું કામ તેમને સુરક્ષા આપવાનું છે. પાઈલટ, આર્મી જેવા તમામ વ્યવસાયોમાં મહિલાઓ રાત્રે કામ કરે છે.”
સરકાર નાઈટ ડ્યૂટી પર પ્રતિબંધ પાછો ખેંચશે
કોર્ટની ઝાટકણી પર બંગાળ સરકારના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, “સરકાર મહિલા ડૉક્ટરોની ડ્યૂટીને 12 કલાક સુધી મર્યાદિત કરવા અને નાઈટ ડ્યૂટી પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને પાછો ખેંચી લેશે.”
‘બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર ન કરવી જોઈએ’
આ ઉપરાંત કોર્ટે વિકિપીડિયાને મૃતક તાલીમાર્થી ડોક્ટરનું નામ અને ફોટો હટાવવાનો આદેશ આપ્યો કર્યો છે. કોર્ટે કહ્યું કે “બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર ન કરવી જોઈએ.” અને આ અંગે સુપ્રીમ કોર્ટ આગામી સુનાવણી 24 સપ્ટેમ્બરે હાથ ધરશે.
કોલકાતા ડોક્ટર રેપ મર્ડર કેસને કારણે પશ્ચિમ બંગાળ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ મામલાને લઈને દિલ્હી સહિત દેશના વિવિધ ભાગોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. આવો આજે અમે તમને આ કડીમાં એવી મહિલાઓ અને છોકરીઓ વિશે જણાવીએ જે દરરોજ આપણી વચ્ચેથી ગાયબ થઈ જાય છે અથવા ગાયબ કરવામાં આવે છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ૨૦૨૨ના રિપોર્ટ અનુસાર ભારતમાં દરરોજ ૩૪૫ છોકરીઓ ગુમ થાય છે, જેમાંથી ૧૭૦ છોકરીનું અપહરણ થાય છે, ૧૭૨ છોકરીઓ ગુમ થાય છે અને લગભગ 3 છોકરીઓની તસ્કરી થાય છે. આમાંથી કેટલીક છોકરીઓ મળી આવે છે, પરંતુ મોટી સંખ્યામાં છોકરીઓનો કોઈ પત્તો નથી લાગતો. મહિલાઓની વધતી અસલામતી દેશ માટે ગંભીર બાબત છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
2019થી 2021 વચ્ચે 13.13 લાખથી વધુ ગુમ
જુલાઈ 2023માં ભારતીય ગૃહ મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં ગુમ થયેલી છોકરીઓ અને મહિલાઓના આંકડાઓએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. રિપોર્ટ મુજબ 2019 અને 2021 વચ્ચે દેશમાં 13.13 લાખથી વધુ છોકરીઓ અને મહિલાઓ ગુમ થઈ છે. સરકારે આ આંકડા નેશનલ ક્રાઈમ બ્યુરો પાસેથી એકત્રિત કર્યા છે. આ રિપોર્ટ અનુસાર આમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરની ૧૦,૬૧,૬૪૮ મહિલાઓ અને ૧૮ વર્ષથી ઓછી ઉંમરની ૨,૫૧,૪૩૦ છોકરીઓનો સમાવેશ થાય છે.
મધ્ય પ્રદેશમાંથી સૌથી વધુ ગુમ
જો આપણે રાજ્યોની વાત કરીએ તો ગુમ થનારી મહિલાઓ અને છોકરીઓની સૌથી વધુ સંખ્યા મધ્ય પ્રદેશમાંથી છે. અહીં ૨૦૧૯થી ૨૦૨૧ વચ્ચે ૧,૬૦,૧૮૦ મહિલાઓ અને ૩૮,૨૩૪ છોકરીઓ ગુમ થઈ હતી. પશ્ચિમ બંગાળ બીજા સ્થાને છે. અહીં ૧,૫૬,૯૦૫ મહિલાઓ અને ૩૬,૬૦૬ છોકરીઓ ગુમ થઈ હતી. જ્યારે ત્રીજા નંબરે મહારાષ્ટ્ર છે. અહીં ૨૦૧૯ થી ૨૦૨૧ વચ્ચે ૧,૭૮,૪૦૦ મહિલાઓ અને ૧૩,૦૩૩ છોકરીઓ ગુમ થઈ હતી.
માનવ તસ્કરીના કેસ કેટલા?
એનસીઆરબીના ડેટા દર્શાવે છે કે વર્ષ ૨૦૨૨માં સમગ્ર દેશમાં માનવ તસ્કરીના કુલ ૨૨૫૦ કેસ નોંધાયા હતા. આ કેસોમાં પીડિતોની સંખ્યા ૬,૦૩૬ હતી. જેમાં છોકરીઓની સંખ્યા ૧,૦૫૯ હતી અને ૨૦૨૨માં જ છોકરીના અપહરણના ૬૨,૦૯૯ કેસ નોંધાયા હતા. તે જ વર્ષે ૬૨,૯૪૬ છોકરીઓ ગુમ થવાના કેસ નોંધાયા હતા. આમાંથી ઘણી છોકરીઓને બચાવી લેવામાં આવી હતી. જો કે, મોટી સંખ્યામાં આવી છોકરીઓનું ઠેકાણું આજ સુધી જાણી શકાયું નથી.
દરેક મહિલાને આભૂષણ ખૂબ જ પસંદ હોય છે અને એમાં પણ ખાસ કરીને ભારતીય મહિલાઓને સોનાના ઘરેણાં ખૂબ જ પસંદ હોય છે. અહીં લગ્ન હોય કે કોઈ પણ પ્રસંગ હોય મહિલાઓ સોના-ચાંદી કે ડાયમંડના ઘરેણાં પહેરવાનું પસંદ કરે છે. ગરીબમાં ગરીબ પરિવારની મહિલા પાસે પણ થોડું તો થોડું સોનું ચોક્કસ હોય જ છે. ધાર્મિક તહેવાર પર પણ સોનું પહેરવાનું શુભ માનવામાં આવ્યું છે.
ભારતીય મહિલા પાસે કેટલું સોનું છે?
દુનિયામાં કયા દેશની મહિલાઓ પાસે વધારે સોનું છે?
ભારતીયો મહિલાઓનો આ યાદીમાં કયો નંબર આવે છે?
વાત કરીએ ભારત પાસે રહેલાં સોનાની તો અન્ય દેશોની સરખામણીએ અહીં સોનું મોટા પ્રમાણમાં પહેરવામાં આવે છે. મહિલાઓથી લઈને પુરુષોમાં પણ સોનું પહેરવાનો ક્રેઝ વધી રહ્યો છે. મહિલાઓ તો અહીં મોટા પ્રમાણમાં સોનું પહેરે જ છે, પરંતુ પુરુષો પણ સોનું પહેરવાનું પસંદ કરે છે. ભારતના અનેક રાજ્યમાં ધાર્મિક કાર્યક્રમોમાં પણ સોનું પહેરવાનું આગવું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલા એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય મહિલાઓ પાસે આશરે 24,000 ટન સોનું છે અને આ સોનાને દુનિયાનું સૌથી મોટું ખજાનો માની શકાય છે. આ રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ભારતીય મહિલાઓ દુનિયાના કુલ સોનાના ભંડારા 11 ટકા સોનું તો ઘરેણાં બનાવીને પહેરે છે, જે દુનિયાના ટોપ ફાઈવ દેશના કુલ સોનાના ભંડારથી વધારે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના દક્ષિણી રાજ્યોમાં સોનાનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં જ દેશના કુલ સોનાનું 40 ટકા સોનુ છે. જ્યારે તમિળનાડુમાં 28 ટકા સોનું છે. સરળ શબ્દોમાં સજમાવવાનું થાય તો ભારતા આ ભાગમાં મહિલાઓ પાસે સૌથી વધુ પ્રમાણમાં સોનું છે.
વાત કરીએ દુનિયાના અન્ય દેશો વિશે તો અમેરિકા પાસે 8000 ટન સોનું છે જ્યારે જર્મની પાસે 3,300 ટન સોનુ છે. ઈટલી પાસે 2450 ટન, ફ્રાન્સ પાસે 2400 ટન અને રશિયા પાસે 1900 ટન સોનુ છે. 2023-24માં ભારતે બ્રિટનમાં રહેલા પોતાનું 100 ટન પાછું મંગાવી લીધું હતું. 1991 બાદ અત્યાર સુધી આ થયેલું સૌથી મોટું ટ્રાન્સફર હતું.
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર પૃથ્વીથી લગભગ 320 કિલોમીટર દૂર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં ફસાયેલા છે. જૂનની શરૂઆતમાં અવકાશમાં મોકલવામાં આવેલા બે અમેરિકન અવકાશયાત્રીઓ માત્ર આઠ દિવસ વિતાવીને પાછા ફરવાના હતા, પરંતુ બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનમાં હિલીયમ લીક થવાના કારણે તેમને આઠ મહિના ત્યાં રહેવું પડશે. નાસાએ કહ્યું છે કે બંનેને ફેબ્રુઆરી 2025માં લાવવામાં આવી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે સુનીતા વિલિયમ્સ અને બેરી વિલ્મોરને પૃથ્વીથી દૂર સ્થિત સ્પેસ સ્ટેશન પર કેવી પરિસ્થિતિઓમાં રહેવું પડે છે? સ્પેસ સ્ટેશન પર રહેતા લોકો માટે જીવન કેવું છે?
અવકાશયાત્રીઓ રિસાયકલ કરેલો પેશાબ પીવે છે
બ્રિટિશ અવકાશયાત્રી મેગન ક્રિશ્ચિયન યુકે સ્પેસ એજન્સીની સ્પેસ-ગોઇંગ રિઝર્વ ટીમનો ભાગ છે. તેમણે ધ સનને જણાવ્યું હતું કે સુનીતા અને બેરી સ્પેસ સ્ટેશન પર તેમના લાંબા રોકાણ દરમિયાન સ્નાન કરશે નહીં. 36 વર્ષીય મેગને જણાવ્યું હતું કે અવકાશયાત્રીઓએ તેમના યુરીનને રિસાયકલ કરીને પીવું પડે છે. આ સાથે રેડિયેશનનો પણ સામનો કરવો પડે છે. તેણે કહ્યું કે ‘સુનીતા અને વિલ્મોર આવા લાંબા ગાળાના મિશન માટે તૈયાર હતા. અવકાશ એક જટિલ જગ્યા છે. ત્યાં રહેવું અને સરવાઈવ કરવું સરળ હોતું નથી.
સ્પેસ સ્ટેશનમાં રહેવું સરળ નથી
હાલમાં સ્પેસ સ્ટેશન પર નવ લોકો સવાર છે, તેના બે બાથરૂમ અને છ બેડરૂમ શેર કરી રહ્યાં છે. સ્ટેશનને પૃથ્વી પરથી ખોરાક અને પાણી પૂરું પાડવામાં આવે છે, જેનો ઉપયોગ ખૂબ જ કાળજીપૂર્વક કરવો પડે છે. જેમા યુરિનને રિસાયકલ કરીને પીવું પડે છે. ત્યાં રિફ્રેશ થવા માટે અવકાશયાત્રીઓ એક પ્રકારનો ભીનો ટુવાલ વાપરે છે. એટલું જ નહીં તેમની સામે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની બહાર હોવાને કારણે રેડિયેશનનું જોખમ પણ રહેલું છે. ઓછા ગુરુત્વાકર્ષણને કારણે, સ્નાયુઓને એટલું કામ કરવું પડતું નથી, જે શરીરને નુકસાન પહોંચાડે છે.
ખાસ શૌચાલયનો ઉપયોગ
મેગને કહ્યું કે તમારે શક્ય તેટલી વસ્તુઓ રિસાયકલ કરવી પડશે. શૌચાલય માટે એક ખાસ પ્રકારનું સક્શન શૌચાલય છે જે શરીરના પ્રવાહીને એકત્રિત કરે છે. પૃથ્વીની જેમ અવકાશમાં શૌચાલયનો ઉપયોગ કરી શકાતો નથી. માઈક્રોગ્રેવિટીને કારણે સામગ્રી અવકાશમાં તરતી રહે છે. અવકાશયાત્રીઓ આગળના ભાગમાં જોડાયેલ કન્ટેનર સાથે ટ્યુબમાં પેશાબ કરે છે. મળત્યાગ માટે દરેક કન્ટેનર પર એક નાની શીટ હોય છે. જેની સાથે એક રબરવાળી બેગ પણ જોડાયેલી હોય છે.
નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ તેના પાર્ટનર બૂચ વિલ્મોર સાથે અવકાશમાં છે. તે બોઈંગ સ્ટારલાઈનર મારફતે અવકાશમાં ગઈ હતી, પરંતુ અવકાશયાનમાં ખામીને કારણે તે પરત ફરી શકી ન હતી. હવે તેણે વધુ 6 મહિના અંતરિક્ષમાં રહેવું પડશે. તો ચાલો આપણે જાણીએ આ સમય દરમિયાન અવકાશયાત્રીઓ શું કરશે?
નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોર જૂનની શરૂઆતમાં અવકાશમાં ગયા હતા. જ્યારે બંને સ્પેસમાં ગયા ત્યારે તેમને ખ્યાલ નહોતો કે તેમને 2025 સુધી અહીં જ રહેવું પડશે. જોકે તે અહીં અલગ-અલગ પ્રવૃતિઓમાં ભાગ લઈ રહ્યા છે. તે અન્ય અવકાશયાત્રીઓ સાથે રમતો રમ્યા હતા. તે બોઇંગ સ્ટારલાઇનર કેપ્સ્યુલની પહેલી હ્યુમન સ્પેસ ટ્રાવેલની ઉડાન માટે અવકાશમાં ગયા હતા. તેમનું પ્રારંભિક મિશન સ્પેસ સ્ટેશન સાથે જોડાણ અને પરત ફરવાનું હતું. મિશન નાનું હોવાથી તેણે તેની સુવિધાઓ સંબંધિત કોઈ સાધન લીધું ન હતું. સ્પેસક્રાફ્ટમાં ખામીને કારણે તે છેલ્લા 11 અઠવાડિયાથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હાજર છે. નાસાએ શનિવારે જણાવ્યું હતું કે તેમની વાપસી હવે એલોન મસ્કની કંપની સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલમાંથી થશે.
હવે સવાલ એ થાય છે કે 2025 સુધીમાં બંને અવકાશયાત્રીઓ અવકાશમાં શું કરશે?
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર હાલમાં સ્પેસ સ્ટેશનના સત્તાવાર કર્મચારી નથી પરંતુ અહીં મહેમાન તરીકે છે. નાસાએ કહ્યું છે કે બંને અવકાશયાત્રીઓ અન્ય અવકાશયાત્રીઓ સાથે સ્પેસ સ્ટેશનના દૈનિક કાર્યોને પૂર્ણ કરી રહ્યા છે. પરંતુ વિલિયમ્સ અને વિલ્મોરને હવે પૂર્ણ-સમયના અભિયાનના સભ્યો બનાવવામાં આવે તેવી અપેક્ષા છે. સ્પેસએક્સનું ક્રૂ-9 24 સપ્ટેમ્બરે લોન્ચ થશે, જેમાં બે અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશન પર પહોંચશે.
વિલિયમ્સ અને વિલ્મોર ક્રૂ -9 અને ઔપચારિક અભિયાનનો ભાગ બનશે. આ પછી, તે તે જ કામ કરશે જે અન્ય ક્રૂ મેમ્બર્સ કરે છે, જેમ કે સ્પેસ સ્ટેશનની બહાર સ્પેસવોક કરવું, ISSની જાળવણી કરવી અને વૈજ્ઞાનિક પ્રયોગો કરવા. નાસાએ પહેલા જ કહ્યું હતું કે બંને અવકાશયાત્રીઓ આવા પરિવર્તન માટે તૈયાર છે. સ્પેસએક્સની ક્રૂ-9 એક નિયમિત સફર છે. મિશન હેઠળ પ્રથમ ચાર અવકાશયાત્રીઓ અવકાશમાં જવાના હતા. પરંતુ હવે માત્ર બે અવકાશયાત્રીઓ બે ખાલી બેઠકો સાથે અવકાશમાં જશે. કારણ કે સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર આના દ્વારા વાપસી કરશે.
સ્પેસ સ્ટેશન પર કામ શરૂ કર્યુંસુનીતા વિલિયમ્સ અને વિલ્મોરે હવે અંતરિક્ષમાં વધુ 6 મહિના પસાર કરવા પડશે. પરંતુ બંને પહેલેથી જ કોઈ ને કોઈ કામમાં મદદ કરી રહ્યા છે. નાસાએ તાજેતરના અપડેટમાં જણાવ્યું હતું કે વિલિયમ્સ અને વિલ્મોરે સ્પેસ સ્ટેશનની જાળવણી, હાર્ડવેરનું નિરીક્ષણ કરવા અને કાર્ગો ગોઠવવા માટે અત્યાર સુધી તેમના સમયનો ઉપયોગ કર્યો છે. શુક્રવારે, ઉદાહરણ તરીકે વિલ્મોરે અમેરિકન કંપની નેનોરેક્સ દ્વારા બનાવવામાં આવેલા નવા એરલોકને ગોઠવવામાં મદદ કરી જે ઉપગ્રહો, પ્રયોગો અને અન્ય સાધનોને સ્ટેબલ કરવામાં મદદ કરશે. બંને અવકાશયાત્રીઓ અહીં અલગ-અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તાજેતરમાં તેણે અવકાશમાં ઓલિમ્પિક ગેમ્સનું અનુકરણ કર્યું હતું. ઉપરાંત, તે સ્પેસ સ્ટેશનના જિમનો ઉપયોગ કરીને પોતાના શરીરને ફિટ રાખી રહ્યો છે.
ભારતના દક્ષિણ ભાગમાં હિંદમહાસાગરમાં આવેલા ટાપુ દેશ થાઇલેન્ડની સંસદે ૩૮ વર્ષની પટોંગટાર્ન શિનાવાત્રાને વડાપ્રધાન પદ માટે પસંદગી કરી છે. આ સાથે જ શિનાવાત્રા નાની વયે પીએમ પદની મોટી જવાબદારી સંભાળનાર નેતા બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર તે થાઇલેન્ડના પૂર્વ વડાપ્રધાન થાકસિન શિનાવાત્રાની સૌથી નાની પુત્રી છે.
આ સાથે જતે શિનાવાત્રા પરિવારમાંથી થાઇલેન્ડની બાગડોર સંભાળનાર ૩ જી નેતા બની છે. અગાઉ પિતા થાકસિન અને ચાચી યિંગલૂક શિનાવાત્રા વડાપ્રધાન પદ સંભાળ્યું હતું. યિંગલૂક પછી પટોંગટાર્ન થાઇલેન્ડનું પીએમ પદ સંભાળનારી બીજી મહિલા છે. તે થાઇલેન્ડની સતારુઢ પાર્ટી ફેઉ થાઇની નેતા છે. જો કે તે સાંસદ તરીકે ચુંટાયેલી નથી પરંતુ થાઇલેન્ડના બંધારણ મુજબ સાંસદ હોવું જરુરી નથી.
સંસદમાં તેના સમર્થનમાં ૩૧૦ મત પડયા હતા જયારે ૧૪૫ સદસ્યોએ વિરુધમાં મત આપ્યા હતા. ૨૭ સાંસદોએ મતદાનમાં ભાગ લેવાનું ટાળ્યું હતું. ગત બુધવારે થાઇલેન્ડની સંવૈધાનિક અદાલતે પીએમ શ્રેથા થાવિસિનને કેબિનેટ સદસ્યોની નિમણુંકમાં નૈતિકતાનું પાલન નહી કરવા બદલ પદથી હટાવી દીધા હતા. આવી પરિસ્થિતિમાં ૩૮ વર્ષની પૈટોંગર્ટાન શિનાવાત્રા માટે વડાપ્રધાન બનવાનો માર્ગ મોકળો બન્યો હતો.
થાઇલેન્ડના જાણીતા એસેટ કોર્પોરેશનમાં સૌથી વધુ શેર ધરાવે છે.
સિનાવાત્રા થાઈ રાજકારણી અને ઉદ્યોગપતિ છે. તેનો જન્મ 21 ઓગસ્ટ 1986ના રોજ બેંગકોકમાં થયો હતો. તેણીએ સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલ અને હાઈ સ્કૂલ માટે મેટર દેઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 2008 માં ચૂલાલોંગકોર્ન યુનિવર્સિટીના રાજકીય વિજ્ઞાન ફેકલ્ટીમાંથી રાજકીય વિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.
યુનિવર્સિટી ઓફ સરેમાંથી ઇન્ટરનેશનલ હોટેલ મેનેજમેન્ટમાં એમએસસીની ડિગ્રી મેળવી હતી. વધુ અભ્યાસ માટે બ્રિટન પણ ગઇ હતી.20 માર્ચ 2022 ના રોજ ફેઉ થાઈ પાર્ટીની મીટિંગમાં, પટોંગટાર્નને “ફેઉ થાઈ પરિવારના વડા” તરીકે વરણી કરવામાં આવી હતી.
2023ની સામાન્ય ચુંટણી દરમિયાન થયેલા ઓપિનિયન પોલમાં વડાપ્રધાન પદ માટે સૌથી પસંદગીની ઉમેદવાર હતી. જો કે એપ્રિલ 2023માં ચુંટણી પછી શ્રીથા થવીસિનને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. થાઇલેન્ડના જાણીતા એસેટ કોર્પોરેશનમાં સૌથી વધુ શેર ધરાવે છે. તે થાઇકોમ ફાઉન્ડેશનની ડિરેકટર પણ છે. તે નાની મોટી 21 જેટલી કંપનીઓમાં મોટા હોદ્દા પર છે.
પેરિસ ઓલિમ્પિક 2024 બાદ વિનેશ ફોગાટને ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાં ગેરલાયક ઠર્યા બાદ સિલ્વર મેડલ આપવાની અરજી ફગાવી દીધી છે. વિનેશ ફોગાટે ઓલિમ્પિકમાં ગેરલાયક ઠર્યા બાદ CAS માં કેસ દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણી પહેલાં જ થઇ ગઇ હતી. જો કે, ચુકાદો આપવાની તારીખ વારંવાર લંબાવવામાં આવી રહી હતી, જે કારણે સતત સસ્પેન્સ વધી રહ્યો હતો. સમગ્ર દેશની નજર આ કેસ પર હતી. જો કે, હવે સીએએસે વિનેશની અપીલને ફગાવતા હવે તેને સિલ્વર મેડલ મળશે નહી. IOA અધ્યક્ષ પીટી ઉષાએ હતાશા વ્યક્ત કરી
CASએ વિનેશ ફોગાટની અરજી ફગાવતાં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના અધ્યક્ષ પીટી ઉષાએ આ મામલે હતાશા વ્યક્ત કરતાં જણાવ્યું કે, કોર્ટનો આ ચુકાદો સાંભળી તેમને ઘણો આશ્ચર્ય થયો છે. અગાઉ પીટી ઉષાએ વિનેશ ફોગાટને ગેરલાયક ઠરાવવા બદલ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે વિરોધ પણ નોંધાવ્યો હતો. CAS દ્વારા અગાઉ ચુકાદો આપવા માટેની તારીખ 16 ઓગસ્ટ સુધી લંબાવી હતી, જો કે 14 ઓગસ્ટે જ ચુકાદો આપી વિનેશની અરજી ફગાવતાં પીટી ઉષાએ આશ્ચર્ય વ્યક્ત કર્યો હતો.
વિનેશ તરફથી સુનાવણી દરમિયાન કરાયેલી દલીલો
વિનેશે દલીલ કરી હતી કે તેણે કોઈ છેતરપિંડી કરી નથી.
તેનું વજન શરીરની કુદરતી રિકવરી પ્રક્રિયાને કારણે વધ્યું હતું.
વિનેશ વતી દલીલ કરવામાં આવી હતી કે પોતાના શરીરની કાળજી લેવી એ એથ્લિટનો મૂળભૂત અધિકાર છે.
વિનેશ વતી એવી પણ દલીલ કરવામાં આવી હતી કે સ્પર્ધાના પહેલા દિવસે તેના શરીરનું વજન નિર્ધારિત મર્યાદા કરતા ઓછું હતું. માત્ર રિકવરીને કારણે વજન વધ્યું છે. સ્વસ્થ રહેવા માટે તેના શરીરને જરૂરી પોષક તત્ત્વો પૂરા પાડવા એ તેનો મૂળભૂત અધિકાર છે.
શું છે CAS?
વર્ષ 1896માં પહેલી વખત ઓલિમ્પિક્સનું આયોજન ગ્રીસમાં કરવામાં આવ્યું હતું. પરંતુ આ પછી કેટલાક વિવાદો ઊભા થવા લાગ્યા. કેટલાક ખેલાડીઓએ નિયમોને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે આ બધા વિવાદોને ધ્યાનમાં રાખીને તેમને ઉકેલવા માટે વર્ષ 1984માં ‘કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ’ની રચના કરવામાં આવી હતી. તેનું મુખ્ય કાર્યાલય સ્વિત્ઝર્લેન્ડમાં છે. આ એક સ્વતંત્ર સંસ્થા છે, જે રમતગમતને લગતા વિવાદોનું નિરાકરણ લાવે છે.
શું છે ઓલિમ્પિકમાં રેસલિંગના નિયમ?
ઓલિમ્પિકમાં દરેક પહેલવાનનું મેચ પહેલાં વજન કરાય છે. જે દિવસે મેચ હોય, એ જ દિવસે સવારે વજન કરાય છે.
દરેક વેઇટ કેટેગરીમાં ટુર્નામેન્ટ બે દિવસના ગાળામાં લડાય છે. એટલે જે પહેલવાન ફાઇનલમાં પહોંચે, તેમનું સળંગ બે દિવસ વજન કરાય છે.
પહેલી વાર વજન કરાય ત્યારે પહેલવાનો પાસે વજન યોગ્ય કરવા 30 મિનિટનો સમય હોય છે. 30 મિનિટમાં કોઈ પણ પહેલવાન ઇચ્છે તેટલી વાર વજન કરી શકે છે.
બીજી વાર વજન કરે ત્યારે વજન યોગ્ય કરવાનો સમય ફક્ત 15 મિનિટ મળે છે.
વજન કરતી વખતે દરેક પહેલવાને ફક્ત રેસલિંગ કોસ્ચ્યુમ પહેરેલો હોવો જોઈએ.
વજન કર્યા પછી દરેક પહેલવાનના આરોગ્યની તપાસ થાય છે. ત્યારે નખ પણ કાપેલા હોવા જરૂરી છે.
આમ, વિનેશ ફોગાટના કેસમાં સમજીએ તો તેનું વજન એક જ દિવસમાં 100 ગ્રામ વધ્યું, જેના કારણે તેને અયોગ્ય જાહેર કરાઈ હતી.
સેમિફાઇનલમાં શાનદાર વિજય થયો હતો
વિનેશ ફોગાટ મંગળવારે (07 ઑગસ્ટ) રમાયેલી મેચમાં પ્રથમ રાઉન્ડ સુધી 1-0થી આગળ હતી. પછી છેલ્લી ત્રણ મિનિટમાં ક્યુબાની રેસલર પર ડબલ લેગ એટેક કર્યો અને 4 પોઇન્ટ મેળવ્યા હતા. તેણે આ લીડને અંત સુધી જાળવી રાખી હતી અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ ઓલિમ્પિકમાં વિનેશની સફર શાનદાર રહી છે. સેમિફાઇનલ પહેલા, વિનેશે ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની લિવાચ ઉક્સાનાને 7-5થી હરાવી હતી.
પૅરિસ 2024 ઑલિમ્પિક્સના (Paris Olympics 2024) ઉદ્ઘાટન સમારોહ પહેલા, ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટી (IOC) એ બુધવાર, 24 જુલાઈએ જાહેરાત કરી હતી કે ભારતના રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક નીતા મુકેશ અંબાણીને ભારત વતી IOC પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પૅરિસમાં 142માં IOC સત્રમાં નીતા અંબાણી100 ટકા મત સાથે સર્વસંમતિથી ફરી ચૂંટાયા બાદ નીતા અંબાણીએ કહ્યું, “આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિના સભ્ય તરીકે ફરીથી ચૂંટાઈને હું ખૂબ જ ગૌરવ અનુભવું છું.
નીતા અંબાણીએ કહ્યું “હું રાષ્ટ્રપતિ બાક અને IOC ખાતેના મારા તમામ સાથીદારોનો મારા પ્રત્યે વિશ્વાસ દાખવવા બદલ આભાર માનું છું. આ પુનઃચૂંટણી માત્ર એક વ્યક્તિગત સીમાચિહ્નરૂપ નથી પણ વૈશ્વિક રમતગમતના ક્ષેત્રમાં ભારતના વધતા પ્રભાવની માન્યતા પણ છે. હું દરેક ભારતીય સાથે આનંદ અને ગર્વની આ ક્ષણ શૅર કરું છું અને ભારત અને સમગ્ર વિશ્વમાં ઑલિમ્પિક ચળવળને મજબૂત કરવાના અમારા પ્રયાસો ચાલુ રાખવા માટે ઉત્સુક છું.” નીતા અંબાણીનો (Paris Olympics 2024) પ્રથમ વખત 2016માં રિયો ડી જાનેરો ઑલિમ્પિક ગેમ્સમાં પરિચય થયો હતો. ત્યારથી તેઓ IOC માં જોડાનાર ભારતના પ્રથમ મહિલા બન્યા હતા અને તેમણે પહેલેથી જ આ એસોસિએશન માટે ખૂબ જ પ્રયત્નો કર્યા છે, તેમજ ભારતની રમતગમતની મહત્વાકાંક્ષાઓ અને ઑલિમ્પિક વિઝનની હિમાયત કરી છે.
તાજેતરમાં ઓક્ટોબર 2023 માં જ મુંબઈમાં 40 કરતાં વધુ વર્ષો બાદ પહેલું IOC સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની વિશ્વ સામે એક નવા, મહત્વાકાંક્ષી ભારતનું પ્રદર્શન (Paris Olympics 2024) કરવા માટે પ્રશંસા કરવામાં આવી હતી. રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન તરીકે નીતા અંબાણી લાખો ભારતીયોને સંસાધનો અને તકોથી સશક્ત કરવા માંગે છે. નીતા અંબાણીએ રમતગમત, શિક્ષણ, આરોગ્ય, કળા અને સંસ્કૃતિમાં વિવિધ પહેલોનું નેતૃત્વ કરે છે – આ તમામનો હેતુ સમગ્ર દેશમાં લોકોના જીવનને સુધારવાનો છે. રિલાયન્સ ફાઉન્ડેશન ભારતના રમતગમતના વિકાસને આગળ વધારવામાં મોખરે છે, તેના કાર્યક્રમો ભારતના 22.9 મિલિયનથી વધુ બાળકો અને યુવાનો સુધી પાયાના સ્તરથી લઈને ઉચ્ચ સ્તર સુધી પહોંચે છે.
સમગ્ર ભારતમાં વિવિધ પ્રકારની રમતોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં જ્યાં રમતગમત અને સાધનોની કોઈ પહોંચ્યા નથી. ભારતીય ઑલિમ્પિક એસોસિએશન (Paris Olympics 2024) (IOA) સાથે લાંબા ગાળાની ભાગીદારીના ભાગરૂપે, રિલાયન્સ ફાઉન્ડેશન આ ઉનાળામાં પૅરિસ ઓલિમ્પિક્સ 2024માં પ્રથમ ઈન્ડિયા હાઉસ ખોલી રહ્યું છે. ઈન્ડિયા હાઉસ એથ્લેટ્સ માટે `ઘરથી દૂર ઘર` હશે, જે જીતની ઉજવણી કરવાનું અને વિશ્વ સાથે ભારતની ઑલિમ્પિક સફર શૅર કરવાનું સ્થળ હશે. તે વૈશ્વિક રમતોમાં મોટી શક્તિ બનવાની, ઑલિમ્પિક્સમાં વધુ સફળતા મેળવવા અને ભવિષ્યમાં ગેમ્સની યજમાની તરફનો માર્ગ મોકળો કરવાની ભારતની મહત્વાકાંક્ષાઓને દર્શાવે છે.
મહિલા એશિયા કપ ટી20 મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે પરાજય આપ્યો છે. સુકાની હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયાએ સાત વિકેટે જીત મેળવી છે. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. આ દરમિયાન પાકિસ્તાનની ટીમ 108 રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતે સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની મજબૂત બેટિંગના કારણે જીત નોંધાવી હતી. ભારત તરફથી સૌથી વધુ દીપ્તિ શર્માએ ત્રણ વિકેટ લીધી હતી. ભારતે આ ટાર્ગેટ માત્ર 14.1 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. મહિલા એશિયા કપ 2024માં ભારતીય ટીમની આ પ્રથમ મેચ હતી.
શેફાલી-મંધાનાનું દમદાર પ્રદર્શન
પાકિસ્તાને આપેલા લક્ષ્યનો પીછો કરી રહેલી ભારતીય ટીમ તરફથી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા ઓપનિંગ કરવા આવ્યા હતા. બંનેએ ભારતે સારી શરૂઆત અપાવી હતી. મંધાનાએ 31 બોલમાં નવ ફોર સાથે 45 રન અને શેફાલીએ 29 બોલમાં છ ફોર અને એક સિક્સ સાથે 40 રન નોંધાવ્યા હતા. દયાલન હેમલતા 14 રન બનાવીને આઉટ થઈ હતી. ત્યારબાદ હરમનપ્રીત કૌર પાંચ રન અને જેમિમા ત્રણ રન બનાવ્યા બાદ અણનમ રહી હતી.
ભારતે પાકિસ્તાનને 108 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. પાકિસ્તાન તરફથી અમીને સૌથી વધુ 35 બોલમાં 25 રન બનાવ્યા હતા. ફાતિમા સનાએ 16 બોલમાં એક પોર અને બે સિક્સની મદદથી અણનમ 22 રનની ઇનિંગ રમી હતી. હસને 19 બોલમાં ત્રણ ફોર સાથે 22 રન નોંધાવ્યા હતા. બાકીની તમામ ખેલાડીઓ નબળું પ્રદર્શન કર્યું હતું.
દીપ્તિની ત્રણ વિકેટ
આજની મેચમાં ભારતીય બોલર દીપ્તી શર્માએ દમદાર બોલિંગ કરી હતી. તેણે ચાર ઓવરમાં 20 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. દીપ્તિએ પાકિસ્તાનની કેપ્ટન નિદાનને માત્ર આઠ રને પેવેલીયન ભેગી કરી દીધી હતી, જ્યારે હસનને 22 રને આઉટ કરી હતી. ભારત તરફથી રેણુકા સિંહ, શ્રેયંકા પાટીલ અને પૂજાએ 2-2 વિકેટ ખેરવી હતી.
સુરતઃ દેશવ્યાપી એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે સર્વેક્ષણ હાથ ધરીને મ્યુચ્યુઅલ ફંડના 1 કરોડથી વધુ વર્તમાન ગ્રાહકોના ડેટાનું એનાલિસીસ કર્યું હતું તેના આધારે “વુમન ઇન્વેસ્ટમેન્ટ બિહેવિયર રિપોર્ટ 2024” શીર્ષક હેઠળ એક રસપ્રદ અભ્યાસ જારી કરવામાં આવ્યો છે.
છેલ્લા પાંચ વર્ષમાં (31 માર્ચ 2019થી 31 ડિસેમ્બર 2023) ગુજરાત જ નહીં બલ્કે સમગ્ર વિશ્વના ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ બિઝનેસ સિટી સુરતમાં મહિલા રોકાણકારોની સંખ્યા 2.3 ગણી વધી છે. આ જ સમયગાળામાં સુરતમાં મહિલા રોકાણકારોની AUM (એસેટ અન્ડર મેનેજમેન્ટ) 3.7 ગણી વધી છે. ગુજરાત રાજ્યમાં આ જ સમયગાળામાં મહિલા રોકાણકારોની AUMમાં 3.1 ગણો વધારો જોવા મળ્યો છે.
આ અભ્યાસના તારણો દર્શાવે છે કે લગભગ 72 ટકા મહિલા રોકાણકારો હવે સ્વતંત્ર રોકાણના નિર્ણયો લે છે. મહિલા રોકાણકારો લાંબા ગાળાના રોકાણના મજબૂત સમર્થકો તરીકે ઉભરી રહ્યા છે. મહિલાઓ પાંચ વર્ષના સમયગાળા માટે તેમના મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં 22 ટકા વધુ દ્રઢતા દર્શાવે છે.
ડિજિટલ ક્રાંતિ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં પરિવર્તન લાવી રહી છેઅને આ પરિવર્તનમાં મહિલાઓ મોખરે છે. પેસિવ વિમેન ઇન્વેસ્ટરના જૂનાપુરાણા ખ્યાલોને દૂર કરીને, અભ્યાસ દર્શાવે છે કે નોંધપાત્ર એવી 71.9 ટકા મહિલાઓ સ્વતંત્ર રોકાણના નિર્ણયો લે છે. યુવા પેઢીઓમાં આ વલણ વધુ સ્પષ્ટ છે, જેમાં 25-34 વર્ષની વયની 75 ટકા મહિલાઓ અને 35-44 વર્ષની વયની 70 ટકા મહિલાઓ તેમની પોતાની રોકાણ પસંદગીઓ કરીને તેમના નાણાંકીય ભવિષ્ય પર કાબૂ ધરાવે છે.
70.4 ટકા મહિલાઓ પ્રોફેશનલ્સ, મિત્રો અને પરિવારજનો પાસેથી સલાહ લે છે જ્યારે 72 ટકા મહિલાઓ જાતે જ તેમની રોકાણ સફર અંગે નિર્ણય કરે છે. પ્રત્યેક મહિલા રોકાણકાર દીઠ 25 ટકા વધુ રકમનું રોકાણ થયું જેમાં સરેરાશ ઇન્વેસ્ટમેન્ટ કોર્પસ 37 ટકા હતું જે પુરુષો કરતા ઊંચું હતું.
Sushmita Sen | બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન તેના રિલેશનને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે પોતાની શરતો પર જીવન જીવે છે. સુષ્મિતા જેટલી અદભૂત અભિનેત્રી છે એટલી જ સુંદર વ્યક્તિ પણ છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન તે પોતાના અંગત જીવન સાથે જોડાયેલા ઘણા સવાલોના જવાબ આપતી જોવા મળી હતી. તેણે એ પણ ખુલાસો કર્યો છે કે તે ક્યારે લગ્ન કરવા જઈ રહી છે.
સુષ્મિતા તેના અંગત જીવન પ્રત્યે કૂલ વલણ ધરાવે છે. પછી તે તેની ડેટિંગ લાઈફ વિશે હોય કે લગ્ન વિશે, તે દરેક પ્રશ્નનો ખુલ્લેઆમ જવાબ આપે છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેણે કહ્યું હતું કે, જુઓ, મેં ક્યારેય લગ્ન કરવાની ના પાડી નથી. હું લગ્ન કરવા તૈયાર છું, પરંતુ સામાજિક દબાણ કે અન્ય કોઈ કારણોસર નહીં, હું ત્યારે જ લગ્ન કરીશ જ્યારે મને તે વ્યક્તિ યોગ્ય લાગશે અને તે મારા લગ્ન માટે તમામ બાબતોમાં ફિટ થઈ જશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.