CIA ALERT

વાયરલ Archives - Page 51 of 80 - CIA Live

September 29, 2020
kisan.jpg
1min5170

નવા કૃષિ કાયદાનો દેશમાં ઠેર ઠેર વિરોધ: તાજેતરમાં સરકાર દ્વારા નવા જ અમલમાં મુકાયેલા કૃષિ કાયદાનો દેશમાં ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો. પંજાબના અમૃતસરસ્થિત દેવીદાસ પૂરા ગામ ખાતે ખેડૂતોએ રેલરોકો આંદોલન કર્યું હતું. દિલ્હીના ઈન્ડિયા-ગેટ ખાતે કૉંગ્રેસના કાર્યકર્તાઓએ ટ્રેકટર સળગાવ્યું હતું.

નવા પસાર કરાયેલા કૃષિ કાયદા સામે દેશના અનેક રાજ્યમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને સામે પક્ષે કેન્દ્રમાં સત્તાધારી ભાજપ વિપક્ષ પર ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો આરોપ કરી રહી છે.

વિરોધ પક્ષના કૉંગ્રેસ સહિત અનેક પક્ષો કૃષિના નવા કાયદા રદ કરવાની માગણી સાથે દેશનાં વિવિધ રાજ્યોમાં આંદોલન કરી રહ્યા છે. પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદરસિંહે જણાવ્યું હતું કે આ કાયદો રદ કરાવવા માટે પંજાબ સરકાર સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરશે.

વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હીમાં આવેલા ઇન્ડિયા ગેટ સામે ટ્રેક્ટર બાળવાના મુદ્દે ભાજપે કૉંગ્રેસની સખત શબ્દોમાં ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે કૉંગ્રેસે આ શરમજનક કૃત્ય પબ્લિસિટિ મેળવવા કર્યું હોવાનું અને ખેડૂતોને તેઓ ગેરમાર્ગે દોરી રહ્યા છે.

આ મામલે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે કૉંગ્રેસે આ કૃત્ય કરીને દેશ માટે નીચાજોણું કર્યું છે. ટ્રકમાં ટ્રેક્ટર લાવીને ઇન્ડિયા ગેટ સામે બાળવાની ઘટનાનું નાટકીય રૂપાંતર કરીને કૉંગ્રેસ પ્રસિદ્ધિ મેળવવા માગે છે. તેઓ ખેડૂતોના નામે રાજનીતિ રમી રહ્યા છે અને અમે એમના કૃત્યને વખોડીએ છીએ. આજે એમની પોલ ખૂલી ગઇ છે.

અંદાજે ૧૫-૨૦ જણે ઇન્ડિયા ગેટ પાસે સોમવારે સવારે એક ટ્રેક્ટરને આગ ચાંપી હતી. એમાંથી પાંચ વ્યક્તિએ પોતે પંજાબ યુથ કૉંગ્રેસની હોવાની વાત કબૂલી હતી.

ભાજપના મહામંત્રી ભૂપેન્દર યાદવે કૉંગ્રેસને ખેડૂત વિરોધી ગણાવી હતી.

સિંહે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમે આ મામલો આગળ વધારીશું. રાષ્ટ્રપતિએ ખરડા પર સહી કરી દીધી છે અને માટે હવે અમે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવીશું. અમારી સરકાર ખેડૂતોના હિતનું રક્ષણ કરવા જરૂરી બધાં જ પગલાં લેશે.

પોતાની વાત ખરી હોવા વિશે એમણે વધુમાં જણાવ્યું હતું કે અમને વિરોધ કરવાનો હક છે. તમે એમની આજીવિકા છિનવી રહ્યા છો.

ગેઝેટ નોટિફિકેશન પ્રમાણે કૃષિ લક્ષી ત્રણ ખરડાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી છે.

તેલંગણામાં કૉંગ્રેસે કૃષિ ખરડાના વિરોધમાં આંદોલન કર્યું હતું અને રાષ્ટ્રપતિને ઠરાવ રદ કરવાની વિનંતી કરી હતી. કૉંગ્રેસના નેતા મનિકમ ટાગોર રાજ્યપાલ તમિલસાઇ સૌંમદરરાજનને રાજભવનમાં આવેદન આપવા માગતા હતા, પણ રાજ્યપાલ સાથે એમણે મુલાકાત માટે સમય ન મેળવ્યો હોવાને કારણે એમની અટક કરીને ગોશામહાલ પોલીસ સ્ટેશનમાં લઇ જવાયા હતા. જોકે, ત્યાર બાદ એમને છોડી દેવામાં આવ્યા હતા.

અટક અગાઉ કૉંગ્રેસના કાર્યકર્તાએ રાજયની ટીઆરએસ સરકાર અને કેન્દ્રની એનડીએ સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

September 28, 2020
corona-gujarat.jpg
1min4250

છેલ્લા 45 દિવસથી ગુજરાતમાં સૌથી વધુ કોરોના કેસીસ સુરતમાં મળી આવતા હતા. પરંતુ, તા.27મી સપ્ટેમ્બર 2020ના રોજ સુરત કરતા વધુ કેસો અમદાવાદમાંથી મળી આવ્યા છે.

તા.28મી જુલાઇએ સવારે 8 વાગ્યે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં 178 નવા કેસ નોંધાયા છે. જ્યારે 175 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ જિલ્લામાં 19 કેસ નોંધાયા છે અને 27 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કારણે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે.

સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 160 કેસ નોંધાયા છે પરંતુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા થોડી વધારે છે. સુરતમાં 183 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરત જિલ્લામાં પણ 109 કેસ નોંધાયા છે અને 100 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

રાજકોટ શહેરમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા 100થી વધારે નોંધાઈ રહી છે. જોકે, જામનગરમાં છેલ્લા બે દિવસમાં કેસમાં થોડો ઘટાડો થયો છે. રાજકોટમાં 112 નવા કેસ નોંધાયા છે અને 110 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજકોટ જિલ્લામાં 59 કેસ નોંધાયા છે અને 111 દર્દીઓ સાજા થયા છે. જામનગરમાં 81 નવા કેસ નોંધાયા છે અને 52 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જામનગર જિલ્લામાં 18 કેસ નોંધાયા છે અને 9 દર્દીઓ સાજા થયા છે. રાજકોટ શહેરમાં કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

વડોદરા શહેરમાં પણ કોરોનાની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. છેલ્લા ઘણા સમયથી 90થી ઉપર કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં વડોદરામાં કોરોનાના 92 નવા કેસ સામે આવ્યા છે અને 92 દર્દીઓ સાજા થયા છે. વડોદરા જિલ્લામાં 41 કેસ નોંધાયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોવિડ-19ના કારણે એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

September 28, 2020
rr_ipl-1280x853.jpg
1min6270

રાજસ્થાન રૉયલ્સે ઈતિહાસ રચતા IPLમાં અત્યાર સુધીનો સૌથી મોટો રનચેઝ કરી જીત મેળવી. IPL 2020ની 9મી મેચમાં રાજસ્થાને કિંગ્સ ઈલેવને પંજાબને 4 વિકેટે હરાવી દીધું. 224 રનના ટાર્ગેટને રાજસ્થાને 3 બાકી રહેતા 6 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો. રૉયલ્સ માટે સંજુ સેમસને 85 જ્યારે રાહુલ તેવટિયાએ 55 અને સ્મિથે 50 રનની ઈનિંગ રમી.

224 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનને ટીમને શરૂઆતમાં જ મોટો ઝટકો લાગ્યો જ્યારે જોસ બટલર (4) ત્રીજી જ ઓવરમાં આઉટ થઈ ગયો. જોકે, તેના પછી ગત મેચના હીરો સંજુ સેમસન અને કેપ્ટન સ્ટીવ સ્મિથે મળીને બીજી વિકેટ માટે માત્ર 6.4 ઓવરમાં 90 રનની તાબડતોબ પાર્ટનરશિપ કરતા ટીમને પાછી મેચમાં લઈ આવ્યા. સ્મિથના આઉટ થયા બાદ રાજસ્થાને આશ્ચર્યજનક રીતે રાહુલ તેવટિયાને ચોથા ક્રમે બેટિંગમાં ઉતાર્યો હતો. અહીં લાગ્યું હતું કે, ટીમથી મોટી ભૂલ થઈ ગઈ છે.

તેવટિયા રન બનાવી શકતો નહોતો અને રનરેટ સતત વધી રહ્યો હતો. આવા સંજુ પર પ્રેશર વધતું જતું હતું. જોકે, સંજુએ જોરદાર ફટકાબાજી કરીને સ્કોરબોર્ડ ફરતું રાખ્યું હતું. પરંતુ 161 રનના સ્કોરે તેની વિકેટ પડતા રાજસ્થાન હારના મ્હોંમાં ધકેલાઈ જતું દેખાયું. સેમસને 42 બોલમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 85 રનની ઈનિંગ રમી.

સેમસનના આઉટ થતા જ રાજસ્થાનની જીતની આશા પૂરી થઈ ગઈ હોવાનું માનવામાં આવતું હતું. આવામાં જ રાહુલ તેવટિયાએ અકલ્પનિય ફટકાબાજી કરતા શેલ્ડન કૉટરેલની એક જ ઓવરમાં 5 છગ્ગા ફટકારી રાજસ્થાનને મેચમાં પાછું લાવી દીધું હતું. તેવટિયાએ 31 બોલમાં સાત છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા. જોફ્રા આર્ચરે પણ 3 બોલમાં 13* રનની ઉપોયગી ઈનિંગ રમી. રૉયલ્સે 3 બોલ બાકી રહેતા મેચ જીતીને ઈતિહાસ રચી દીધો હતો.

અગાઉ રાજસ્થાનના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટૉસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી જેનું તેની ટીમને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું. રાહુલ અને અગ્રવાલે રાજસ્થાનના બોલર્સ પર શરૂઆતથી જ આક્રમણ શરૂ કરી દીધું. મયંક અગ્રવાલે તાબડતોબ બેટિંગ કરતા માત્ર 50 બોલમાં 10 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 106 રનની ઈનિંગ રમી. IPL2020માં પોતાની જ ટીમના કે એલ રાહુલ બાદ સદી નોંધાવનારો તે બીજો બેટ્સમેન બન્યો. બીજા છેડે કેપ્ટન રાહુલે અગ્રવાલને પૂરતો સાથ આપ્યો. તેણે 54 બોલમાં 69 રન બનાવ્યા. રાહુલની આ ઈનિંગમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતા.

બંનેના આઉટ થયા બાદ ગ્લેન મેક્સવેલ (13) અને નિકોલસ પૂરન (25)એ બાકી રહેલી કસર પૂરી કરી દીધી. બંનેએ છેલ્લી બે ઓવરમાં 29 રન લીધા અને ટીમનો સ્કોર 223 રન પર પહોંચાડી દીધો. નિકોલસ પૂરને 3 શાનદાર સિક્સ ફટકારી. રાજસ્થાનની બોલિંગમાં તમામ બોલર્સના બુરા હાલ રહ્યા. અંકિત રાજપૂક અને ટૉમ કરનને એક-એક વિકેટ મળી પણ તેમણે લગભગ 10 એવરેજથી રન ખર્ચ્યા. પંજાબે 6 બોલર્સ અજમાવ્યા પણ કોઈ ખાસ અસરકારક સાબિત ન થઈ શક્યું. રાહુલ અને અગ્રવાલે બધા બોલર્સને ચારેબાજુ ફટકાર્યા અને તમામનો ઈકોનૉમી રેટ 10ની નજીક અથવા તેનાથી ઉપર રહ્યો.

રાહુલ અને મયંકની જોડીએ પ્રથમ વિકેટ માટે 183 રનની પાર્ટનરશિપ નોંધાવીને ઘણા રેકોર્ડ રચી દીધા. પંજાબ માટે IPLના ઈતિહાસમાં આ સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે. જ્યારે ઓવરઑલ આ બીજું સૌથી મોટું ઓપનિંગ સ્ટેન્ડ છે. અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનર ક્રિસ લિન અને ગૌતમ ગંભીરે 2017માં ગુજરાત લાયન્સ વિરુદ્ધ પ્રથમ વિકેટ માટે 184 રનની સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી.

September 17, 2020
babri.jpg
1min5520

લખનઊની ખાસ સીબીઆઇની અદાલત ૩૦મી સપ્ટેમ્બરે બાબરી મસ્જિદ કેસનો ચુકાદો જાહેર કરવાની છે.

આ કેસમાં ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી અને કલ્યાણસિંહ સહિત ૩૨ આરોપીને ચુકાદાના દિવસે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કેસના આરોપીઓ દ્વારા ટ્રાયલ કોર્ટને જણાવાયું છે કે પોતે આ કેસમાં નિર્દોષ હોવાના દસ્તાવેજી પુરાવા તેઓ કોર્ટમાં રજૂ કરશે.

સીબીઆઇની ખાસ અદાલતે ગત સપ્તાહ દરમિયાન ૩૨માંથી ૩૧ આરોપીના નિવેદન નોંધ્યા હતા. બાબરી મસ્જિદ તોડવાનું ષડ્યંત્ર ભાજપના પીઢ નેતાઓ દ્વારા રચાયું હોવાના કેસની સીબીઆઇની અદાલતમાં સુનાવણી ચાલી રહી છે.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ કેસનો ચુકાદો ૩૧મી ઑગસ્ટ પહેલા જાહેર કરવાનો આદેશ ટ્રાયલ કોર્ટને આપ્યો હતો.

ભાજપ અને સંઘ પરિવારના લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી અને કલ્યાણસિંહ જેવા પ્રમુખ નેતાના નામ આરોપી તરીકે દાખલ કરવામાં આવ્યા હતા.

અયોધ્યામાં આવેલી ૧૬મી સદીની બાબરી મસ્જિદને ૬ ડિસેમ્બર, ૧૯૯૨ના દિવસે કરસેવકોએ તોડી પાડી હતી. સીબીઆઇના એસ. કે. યાદવે લખેલા પત્રની નોંધ લઇને જસ્ટિસ રોહિન્ટન એફ. નરીમાનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે વીડિયો કોન્ફરન્સ દ્વારા જણાવ્યું હતું કે અમે એ વાતની નોંધ લીધી છે કે શ્રીમાન યાદવ આ કેસનો ઝડપથી નિકાલ થાય એ માટે ઘટતું કરી રહ્યા છે, પણ અગાઉ આપેલો સમય અને ત્યાર બાદ આપવામાં આવેલા વધારાના સમયગાળાને ધ્યાનમાં લેતા હવે આ કેસની પૂર્ણાહૂતિ કરવાની અને ૩૧મી ઑગસ્ટ ૨૦૨૦ સુધીમાં કેસનો ચુકાદો આપવો જરૂરી છે.

ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે યાદવે વીડિયો કોન્ફરન્સની સુવિધાનો લાભ લઇને પુરાવા મેળવવાની પ્રક્રિયા પૂરી કરવી જોઇએ અને કેસનો ચુકાદો આપવામાં આવેલા સમયગાળામાં જાહેર કરવો જોઇએ.

ગયા વર્ષે જુલાઇમાં સુપ્રીમ કોર્ટે જજ યાદવના કાર્યકાળને લંબાવવાનો આદેશ ઉત્તર પ્રદેશની સરકારને આપ્યો હતો, જેથી ૨૫ વર્ષ જૂના કેસની પૂર્ણાહૂતિ લાવી શકાય. ૩૦મી સપ્ટેમ્બરે યાદવ નિવૃત્ત થવાના હતા.

ટ્રાયલ જજને આપવામાં આવેલી બે વર્ષની ડૅડલાઇન પણ સુપ્રીમ કોર્ટે લંબાવી હતી.

રાયબરેલીની મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહેલા કેસને સુપ્રીમ કોર્ટે ૨૦૧૭માં સીબીઆઇની લખનઊની ખાસ અદાલતમાં સંયુક્ત ટ્રાયલ માટે ટ્રાંસફર કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે સીબીઆઇના જજને રોજેરોજ સુનાવણી કરીને બે વર્ષની અંદર આ કેસનો ચુકાદો જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જજની બદલી અને કેસની સુનાવણીમાં તારીખ પાડવા પર મનાઇ ફરમાવી હતી.

આ મામલે કોઇ ફરિયાદ હોય તો એ સુપ્રીમ કોર્ટને જણાવવાની હતી. આ સાથે આ આદેશનું સખતાઇથી પાલન કરવાની તાકિદ કરવામાં આવી હતી.

રાયબરેલીના કેસમાં ભાજપના નેતાઓ પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે એમણે આપેલા ભડકાવનારા ભાષણને લીધે રાષ્ટ્રની એકતા પર ખતરો ઊભો થયો અને લોકોમાં દુશ્મનાવટ થઇ.

લખનઊ કેસમાં સીબીઆઇ લાખો અજ્ઞાત કરસેવકો, મસ્જિદ તોડવાના કૃત્ય અને હિંસાની તપાસ કરી રહી છે.

આ બંને કેસ સંયુક્ત કરવાથી અને ષડ્યંત્રના આરોપ દાખલ કરવાથી આરોપી નેતાઓ સામે સીબીઆઇએ ૫ ઑક્ટોબર, ૧૯૯૩માં દાખલ કરેલા કેસ પ્રમાણે કામ ચલાવવામાં આવશે.

September 14, 2020
follow-the-guidelines.jpg
1min4770

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે 13/9/2020 જણાવ્યું કે કોરોનામાંથી સાજા થઈ ગયા પછી પણ કેટલાંક દર્દીઓમાં નબળાઈ, શરીર તૂટવુ, ઉધરસ અને શ્વાસ લેવામાં સમસ્યા જેવા લક્ષણ જોવા મળી રહ્યા છે. આવા દર્દીઓની સંખ્યા સીમિત છે પણ તે સંબંધિત રિસર્ચ શરૂ કરવામાં આવ્યું છે કે જેથી જરૂરી પગલા લઈ શકાય. દેશમાં છેલ્લા 24 કલાકમાં 78,399 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના કુલ 3,702,595 દર્દીઓ સાજા થયા છે. રિકવરી રેટ 77.88% થઈ ગયો છે.

કોરોનાને હરાવીને સાજા થયેલા દર્દીઓને નિયમિત કસરત કરવાની સાથે-સાથે સવાર-સાંજ બહાર આંટો મારવા જવું, તાજા ફળ ખાવા અને ધીરે-ધીરે ઘરનું તેમજ ઓફિસનું કામ શરૂ કરવું, પૂરતી ઊંઘ લેવી અને આરામ કરવો, સિગારેટ-દારૂથી દૂર રહેવું, બ્લડ પ્રેશર ચેક કરતા રહેવાની સલાહ આપવામાં આવી છે. જાગૃતિ વધારવા માટે કોરોનાને હરાવીને સાજા થયેલા દર્દીઓ પોતાના મિત્રો, સંબંધી સાથે તેમનો અનુભવ શેર કરી શકે છે. આ માટે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની મદદ પણ લઈ શકે છે.

કેન્દ્રિય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે નવા પ્રોટોકોલમાં કોરોનામાંથી સાજા થયેલા લોકોને ચ્યવનપ્રાશ ખાવાની, હળદરવાળુ દૂધ પીવાની અને યોગ કરવા માટેની સલાહ આપી છે. આ સિવાય તે લોકોને માસ્ક પહેરવા સહિત સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું જણાવવામાં આવ્યું છે. મંત્રાલયે આ દર્દીઓને ગરમ પાણી પીવાનું અને રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવાઓનું સેવન કરવાનું જણાવ્યું છે.

September 12, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5830

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

અમરેલી જિલ્લા પોલીસ વડાએ અમરેલીમાં ફેલાઇ રહેલી એક અફવા અંગે ટ્વીટ કરીને ચીમકી આપવી પડી છે.

અમરેલી જિલ્લા પોલીસવડાનું ટ્વીટ

WHO દ્વારા આરોગ્ય વિભાગને કોરોનાના દર્દી દીઠ રૂ. ૧.૫ લાખ અપાય છે એ વાત તદ્દન ખોટી છે. આવી અફવા ફેલાવનાર વિરૂદ્ધ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટ અને IPC એકટની કલમ – ૫૦૫ મુજબ ગુન્હો દાખલ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોના પેશન્ટ દીઠ દોઢ લાખ રૂપિયા આરોગ્ય વિભાગને અપાય છે એવી અફવા સમગ્ર રાજ્યમાં ફેલાયેલી છે

એવું નથી કે ફક્ત સૌરાષ્ટ્રમાં એવી અફવા ફેલાયેલી સંભળાય રહી છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આરોગ્ય વિભાગને દોઢ લાખ રૂપિયાનું ફંડ પેશન્ટ દીઠ આપવામાં આવી રહ્યું છે. લોકો પોતાના વ્હોટ્સએપ મારફતે આ પ્રકારની અફવાઓ જુદા જુદા ગ્રુપોમાં ફેલાવી રહ્યા છે અને આજે સામાન્ય લોકોમાં એ છાપ ઘર કરી ચૂકી છે.

અમરેલી એસ.પી.એ. આ અફવાનું ખંડન કર્યું છે અને તેને ફેલાવનારાઓ સામે પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારી છે.

September 12, 2020
neet.jpg
6min18610

સુરતમાં અંબાણી સ્કુલની જગ્યાએ રેડીયન્ટ પીપલોદ ખાતે પરીક્ષા લેવાશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત શહેર જિલ્લા કે દક્ષિણ ગુજરાતમાંથી નીટ 2020 પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સુધી એ વાત પહોંચાડવી જરૂરી છે કે જે બાળકોની હોલ ટિકિટમાં પરીક્ષાનું કેન્દ્ર સુરત શહેરમાં યુનિવર્સિટી રોડ પર આવેલી જે.એચ. અંબાણી સ્કુલનું કેન્દ્ર દર્શાવવામાં આવ્યું છે એ પરીક્ષા કેન્દ્ર છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યું છે. હવે જે.એચ.અંબાણી સ્કુલની જગ્યાએ પરીક્ષા કેન્દ્ર રેડીયન્ટ ઇંગ્લિશ એકેડેમી, રાજહંસ સિનેમા સામે, પીપલોદ, સુરત ખાતે બદલવામાં આવ્યું છે.

જે વિદ્યાર્થીઓની હોલટિકીટમાં જે.એચ. અંબાણી સ્કુલનો પરીક્ષાકેન્દ્ર તરીકે ઉલ્લેખ છે તેમણે પરીક્ષા આપવા માટે રેડીયન્ટ ઇંગ્લિશ એકેડેમી, રાજહંસ સિનેમા સામે, પીપલોદ, સુરત ખાતે જવાનું હોવાની જાહેરાત અખબારોમાં પણ આપવામાં આવી છે.

ઉપરોક્ત જાહેરાત તા.12મી સપ્ટેમ્બર 2020ના દિવ્યભાસ્કર દૈનિક, સુરત આવૃતિના પાના નં.9 પર પ્રકાશિત કરવામાં આવી છે

સૂચના મુજબના કપડા નહીં પહેરીને જશો તો કાઢી પણ મૂકી શકે, નીટ કેન્દ્રો પર ખૂબ કડકાઇ હોય છે, સહેજેય ઓવરકોન્ફીડન્સમાં ન રહેતા

ઉપરોક્ત સૂચનાઓ સત્તાવાર રીતે ગુજરાતીમાં જાહેર કરવામાં આવેલા નીટ-2020 પરીક્ષાના નોટિફિકેશનના પેજ નં.29 પર ઉપલબ્ધ છે. એ પેજની જેપીજી ઇમેજ અહીં રજૂ કરવામાં આવી છે.

નીટ પરીક્ષા 2020નું ગુજરાતી ભાષામાં સત્તાવાર નોટિફિકેશન પીડીએફ ફાઇલમાં જોઇતું હોય તો 98253 44944 પર નીટ શબ્દ વ્હોટસએપ કરવો

The candidates should to follow the following dress code while appearing for NEET (UG) – 2020

a) Light clothes with long sleeves are not permitted. However in case, candidates come in cultural/customary dress at the Examination Centre, they should report at least an hour before the last reporting time i.e. 12.30 pm so that there is enough time for proper frisking without any inconvenience to the candidate while maintaining the sanctity of the examination.

b) Slippers, sandals with low heels are permitted. Shoes are not permitted.

c) In case of any deviation required due to unavoidable (medical, etc.) circumstances, specific approval of NTA must be taken before the Admit Cards are issued.

It is desired that the candidates follow instructions issued by the NTA strictly. This will help NTA in the fair conduct of examination.

NEET 2020 in Brief

The National Testing Agency (NTA) is all set to conduct the National Eligibility Cum Entrance Test Undergraduate (NEET-UG), 2020 on Sunday, September 13, 2020.

Apart from following the Standard Operating Procedure (SOP) for the examination, candidates are required to follow the dress code on the examination day.
NEET (UG) – 2020 is a Pen & Paper-based test, to be answered on the specially designed machine gradable sheet using Ball Point Pen.

An All India Merit List of the qualified candidates shall be prepared on the basis of All India Rank in the Merit List of the NEET (UG) – 2020 and candidates shall be admitted to Undergraduate Medical Courses from the said list only, with existing reservation policy.

NTA will only provide All India Rank to candidates, while Admitting Authorities will invite applications for Counselling and merit list shall be drawn based on All India Rank by the Admitting Authorities. Admission to Undergraduate Medical Courses within the respective categories shall be based solely on All India Rank as per merit list of NEET (UG) – 2020.

Admission to AIIMS/JIPMER/Deemed Universities/Central Universities/ESIC including Delhi University (DU), BHU & AMU will be conducted by DGHS/MoA/AACCC and reservation policy will be as per rules and regulations of the concerned University or Institutions.

Candidates should register on MCC website for admission to Deemed /Central University/ ESIC and AFMC for MBBS/BDS courses and AACCC website for admission to Deemed Universities/Central Universities/National Institutes for Undergraduate Medical Courses.

Admission to AFMC, Pune shall be subject to the norms prescribed by the Directorate General of Armed Forces Medical Services, Ministry of Defence, Government of India. Candidates who apply for NEET (UG) – 2020 and/or for seeking admission in AFMC also need to apply to AFMC on www.afmc.nic.in/www.afmcdg1d.gov.in.

September 10, 2020
maratha.jpg
1min5060

મરાઠા આરક્ષણને મામલે સુપ્રીમ કૉર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી બાદ મહત્ત્વનો નિર્ણય લેતા અદાલતે નોકરી તેમ જ શૈક્ષણિક પ્રવેશ માટે મરાઠા આરક્ષણનો હાલ અમલ નહીં થાય એમ જણાવ્યું હતું.

મરાઠા આરક્ષણની અમલબજાવણી હાલ તુંરત નહીં થાય એમ જણાવી અદાલતે તેના પર સ્ટે આપ્યો હતો.

આ અરજીની સુનાવણી મોટી ખંડપીઠને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાને કારણે હવે મોટી ખંડપીઠ સમક્ષ તેની સુનાવણી થશે, એમ તેમણે કહ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા મરાઠા આરક્ષણને સુપ્રીમ કૉર્ટમાં પડકારવામાં આવ્યું હતું.

મરાઠા આરક્ષણને પડકારતી અરજીની સાથેસાથે દાખલ કરવામાં આવેલી અન્ય અરજીઓની સુનાવણી પણ સુપ્રીમ કૉર્ટમાં ચાલી રહી છે.

ન્યાયાધીશ હેમંત ગુપ્તા, ન્યાયાધીશ એલ. નાગેશ્ર્વર અને ન્યાયાધીશ એસ. રવીન્દ્ર ભટની ત્રણ સભ્યની બનેલી ખંડપીઠ સમક્ષ કરવામાં આવેલી અરજીની સુનાવણી મોટી ખંડપીઠ સમક્ષ કરવાની તેમ જ આરક્ષણ પર સ્ટે આપવાની માગણી કરવામાં આવી હતી જેને પગલે કૉર્ટે આ અરજીની સુનાવણી મોટી ખંડપીઠ સમક્ષ કરવાનો નિર્ણય લીધો હતો.

માત્ર, અગાઉ આપેલા ઍડમિશનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ન કરવાનો મહત્ત્વનો આદેશ અદાલતે આપ્યો હતો.

૧ ડિસેમ્બર ૨૦૧૮થી રાજ્યમાં મરાઠા આરક્ષણ કાયદો અમલમાં આવ્યો હતો. તત્કાલિન દેવેન્દ્ર ફડણવીસ સરકારે મરાઠા સમાજને શિક્ષણ તેમ જ નોકરીમાં ૧૬ ટકા આરક્ષણ આપવાની મરાઠા આરક્ષણ કાયદામાં વ્યવસ્થા કરી હતી.

મરાઠાઓ માટે આ એક કાળો દિવસ છે, સુપ્રિમ કોર્ટે શિક્ષણ અને નોકરીમાં મરાઠા સમુદાયને આરક્ષણ આપવાના ૨૦૧૮ કાયદાના અમલીકરણ પર સ્ટે મુક્યા પછી બુધવારે મહારાષ્ટ્ર ભાજપે રાજ્યની મહાવિકાસ આઘાડી સરકારની જોરદાર ઝાટકણી કાઢી હતી.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે દાવો કર્યો હતો કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની બનેલા મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકાર સુપ્રીમ કોર્ટ સમક્ષ આરક્ષણની આવશ્યકતા સુનિશ્ચિત કરવામાં ગંભીર વલણ દર્શાવતી નથી.

તેમણે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને એનસીપી અધ્યક્ષ શરદ પવાર ઉપર પણ આ મામલે ધ્યાન ન આપવાનો આરોપ લગાવ્યો હતો.

September 7, 2020
dead-afp.jpg
1min5930

સમગ્ર ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં કોરોનાગ્રસ્ત મૃતદેહની પેથોલોજીકલ ઓટોપ્સીનો પ્રારંભ થયો છે. આ રિસર્ચ દ્વારા કોરોના વાયરસ માનવ શરીરમાં કેટલા પ્રમાણમાં અને ક્યા-ક્યાં આંતરીક અવયવો ઉપર કેવા પ્રકારની અસર કરે છે ? તે જાણી શકાશે. જેના આધારે કોરોના સંક્રમિત વ્યક્તિને કેવા પ્રકારની સારવાર જરૂરી છે તે મુજબ તેની સારવાર પધ્ધતિમાં ફેરફાર કરીને કોરોના સામેની લડાઈમાં વિજ્ય હાંસલ કરી શકાશે.

કોરોના સંક્રમણ અટકાવવા ભારત અને ગુજરાતમાં સંશોધનને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેવા સમયે રાજકોટને મળેલી પેથોલોજીકલ ઓટોપ્સી રિસર્ચની મંજુરીની’ વિગતો આપતાં પી.ડી.યુ. મેડીકલ કોલેજના ફોરેન્સિક મેડીસીન ડિપાર્ટમેન્ટના હેડ તથા કોવિડ હોસ્પિટલના એડી. સુપ્રીટેન્ડન્ટ ડો. હેતલ ક્યાડા જણાવે છે કે, કોવિડ- 19 એક નવા પ્રકારની બિમારી છે. જેની માનવ શરીર પર શું અસર થાય છે ? તેના વિસ્તૃત જ્ઞાન અને તેના સંશોધનના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારની સુચના અને માર્ગદર્શન હેઠળ ફોરેન્સિક મેડીસિન વિભાગ દ્વારા આ ચેપીરોગના વાયરસ દ્વારા જેનું મૃત્યુ થાય છે, તેનું શબ પરીક્ષણ (પોસ્ટમોર્ટમ) કરવામાં આવશે.

જેના દ્વારા માનવ શરીર પર થતી અસરો તથા તેને અટકાવવાના ઉપાયો જાણી શકાશે. આ ઉપાયો વડે અન્ય દર્દીની સારવાર માટેના પગલાં વધુ સુદૃઢ બનાવી શકાશે. કોરોના મહામારીને રોકવાના જે પ્રયાસો થઈ રહ્યા છે, તેના માટે આ મંજુરી માઈલસ્ટોન સાબિત થશે.

કોવિડ – 19 મહામારીના કારણે જેનું મૃત્યુ થયુ છે, તેના સગા સબંધીઓની સંમતી વિના આ કાર્ય શક્ય નથી તેમ જણાવતાં ડો. હેતલ ક્યાડા ઉમેરે છે કે, જે પરિવાર આ માટે આગળ આવશે તેમના સ્વજનના કોરોનાગ્રસ્ત મૃતદેહમાંથી જરૂરી સેમ્પલ લઈ તેના પરિક્ષણ બાદ તે મૃતકના સગા તથા બીજા કોઈને ચેપ ફેલાય નહી તે માટે સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર તેની અંતિમવિધિ સંસ્થાની ડેડ બોડી મેનેજમેન્ટ કમિટી દ્વારા કરવામાં આવશે. આ માટે મૃતકના સગાની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

September 7, 2020
corona_india.jpg
1min4940

વૈશ્વિક મહામારી કોરોના વાયરસે ભારતમાં પોતાનો પ્રકોપ વધાર્યો હોય એમ દેશમાં એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 90,632 લોકો કોવિડ-19માં સપડાતાં કુલ કેસની સંખ્યા પણ 41 લાખને પાર ગઈ હતી. આ દરમ્યાન 1065 દર્દીનાં મોત સાથે મૃત્યુઆંક વધીને 70,626 થઈ હતી. જોકે કોવિડ-19 વેબસાઈટ અનુસાર ભારત 41.31 લાખ કેસ સાથે વિશ્વમાં બ્રાઝિલ (41,23,000 કેસ)ને પાછળ રાખીને બીજો સૌથી વધુ સંક્રમિત દેશ બન્યો છે. દરમ્યાન, એક દિવસમાં 73,642 દર્દી આ ખતરનાક વાયરસના સંક્રમણની બહાર આવી ચૂક્યા છે. આ એક દિવસમાં સાજા થયેલાઓની સૌથી વધુ સંખ્યા છે. આ સાથે જ રિકવરી રેટ વધીને 77.32 ટકા પહોંચ્યો હતો.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી આંકડાઓ અનુસાર દેશમાં કુલ સંક્રમિતોનો આંક 41 લાખના ચિંતાજનક આંકને પાર કરીને 4131811 પહોંચ્યો હતો. કોવિડ-19 વેબસાઈટના આંક અનુસાર ભારત 41,31,690 કેસ સાથે બ્રાઝિલને પાછળ રાખી વિશ્વનો બીજો સૌથી વધુ સંક્રમિત દેશ બની ચૂક્યો છે. અમેરિકા 64,32,290 કેસ સાથે પહેલા ક્રમે છે.

મંત્રાલય અનુસાર વીતેલા 24 કલાકમાં વિક્રમી 73,642 દર્દી કોરોનાને મહાત આપવામાં સફળ રહેતાં હજુ સુધી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધીને 32 લાખ નજીક પહોંચતાં રિકવરી રેટ 77.32 ટકાએ પહોંચ્યો હતો. દેશમાં હાલમાં 8,62,320 એક્ટિવ કેસ છે. છેલ્લા બે દિવસથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કુલ કેસના 20.96 ટકા દર્દી એક્ટિવ છે જ્યારે મૃત્યુદર પણ વિશ્વમાં સૌથી ઓછો 1.72 ટકા છે, જે રાહતના સમાચાર છે.

દેશમાં ઓગસ્ટ મહિનાથી મહામારીના સંક્રમણમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો હતો. દેશમાં સાતમી ઓગસ્ટે કોવિડ-19ના દર્દીઓનો આંક 20 લાખને પાર થયો હતો જ્યારે 23 ઓગસ્ટના આ આંક 30 લાખ અને પાંચમી સપ્ટેમ્બરે 40 લાખને પાર થઈ ગયો હતો.
આઈસીએમઆર અનુસાર પાંચમી સપ્ટેમ્બર સુધી દેશમાં કુલ 4,88,31,145 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જ્યારે ગઈકાલે 10,92,654 સેમ્પલ ટેસ્ટ થયા હતા.

રાજ્યમાં ક્વોરન્ટાઈન દરદીના આંકમાં 1 દી’માં અધધ 1.67 લાખનો વધારો

વિશ્વમાં કોવિડ પોઝિટિવ કેસમાં ભારત બીજા ક્રમાંકે પહોચ્યું છે. આવી જ વિકટ પરિસ્થિતિ ગુજરાતમાં પ્રવર્તી રહી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 7,35,952 વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે જે ગત રોજના ક્વોરન્ટાઈન દર્દીઓમાં સૌથી વધુ 1,67,952નો ઉછાળો આવ્યો છે. 7,35,952 વ્યક્તિઓના ક્વોરન્ટાઈનમાંથી 7,33,790 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન જ્યારે 2162 ફેસીલીટી ક્વોરોન્ટાઈન હેઠળ છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 1335 કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 1,04,331 પર પહોંચ્યો છે. બીજીબાજુ ગુજરાતમાં વધુ 14 કોરોના દર્દીના મૃત્યુ થતાં મૃત્યુઆંક 3100 વટાવીને 3108 થયો છે. બીજીબાજુ સૌથી વધુ સારી વાત એ છે કે, આજે ગુજરાતમાં 1212 દર્દીઓ કોરોનાને મહાત આપવામાં સફળ થતા ડિસ્ચાર્જ દર્દીનો આંક 84758 પર પહોંચ્યો છે. જેને લઈને ગુજરાતમાં સાજા થવાનો દર 81.23% પર પહોંચ્યો છે. ગુજરાતમાં ડાંગ જિલ્લા સિવાય 32 જિલ્લામાં નોંધાયેલા કુલ 1335 કેસમાં સૌથી વધુ સુરતમાં 295, અમદાવાદમાં 173, રાજકોટમાં 151, જામનગરમાં 114 જ્યારે અન્ય 28 જિલ્લામાં 50થી ઓછા કેસ નોંધાયા હતા.

જ્યારે સુરતમાં 5, અમદાવાદમાં 3, જ્યારે ગાંધીનગર, ગીર સોમનાથ, કચ્છ, મોરબી, રાજકોટ અને વડોદરામાં 1-1 મૃત્યુ નોંધાવા પામ્યા છે.’ગુજરાતમાં આજે 72,561 લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે જેને લઈને ગુજરાતમાં કુલ થયેલા લેબોરેટરી ટેસ્ટનો આંક 27,80,861 પર પહોંચ્યો છે. ગુજરાતમાં હાલ 16,475 એક્ટિવ કેસ છે. જેમાં 92 વેન્ટિલેટર પર અને 16383 સ્ટેબલ છે.