CIA ALERT

વાયરલ Archives - Page 49 of 80 - CIA Live

November 23, 2020
MindRead.jpg
1min473

મૈસાચુસૈટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી)થી ગ્રેજ્યુએટ થયેલા દિલ્હીના રહેવાસી અર્નવ કપૂરે ડિઝાઇન કરેલા એઆઈ-માઇન્ડ-રીડિંગ હેડસેટને ટાઇમ ર0ર0ના 100 સર્વશ્રેષ્ઠ આવિષ્કારોમાં સામેલ કરાયું છે.

આ ડિવાઇસને ચહેરા પર પહેરવામાં આવે છે. ત્યાર બાદ તે શરીરમાં હાડકાઓનાં કંપનની મદદથી મગજમાં ચાલી રહેલી ગતિવિધિઓની જાણકારી મેળવે છે.
કોમ્યુકેશનમાં મુશ્કેલી અનુભવતા લોકો માટે હેડફોનની જેમ પહેરાતું આ ડિવાઇસ વરદાન રૂપ સાબિત થઈ શકે છે. સેરિબલ પાલ્સીના દર્દીઓ તેનાં માધ્યમથી કોઈ શબ્દ વિના જ કોમ્પ્યુટર સાથે સંવાદ કરી શકે છે. એવો દાવો કરાયો છે કે આ ડિવાઇસની મદદથી મગજમાં ચાલી રહેલી બાબતોને વાંચી-સાંભળી શકાય છે અને તેને કોમ્પ્યુટર કે મોબાઇલ ફોનનાં માધ્યમથી બતાવી શકાય છે. આ ડિવાઇસ લોકોને સમજવામાં 9ર ટકા કારગર હોવાનું કહેવાય છે.

એમઆઇટીની વેબસાઇટ પર લખવામાં આવેલા આ સંશોધનનો હેતુ બોલી ન શકતા લોકોને સંચારમાં મદદરૂપ થવાનો છે. તેમાં માનવ અને કોમ્પ્યુટરને સાંકળવાની ક્ષમતા છે. ડિવાઇસની મદદથી ચેસ રમી તેના નિષ્ણાત બની શકાય છે. મશીનમાં માનવ નિર્ણય લેવામાં વધારો કરવાની ક્ષમતા છે.

અર્નવ તેનો ભાઈ શ્રેયસ અને એમઆઇટી મીડિયા લેબના સાથી સંશોધકો દ્વારા ડિઝાઇન કરાયેલા હેડસેટ ઓલ્ટરએગોએ પ્રેકિટલ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.

November 23, 2020
covid_cia.jpg
1min499

દિવાળીના તહેવારોમાં બજારોમાં થયેલા ફિઝિકલ ડિસ્ટન્સિંગના ભંગને કારણે ગુજરાતમાં વકરી રહેલી કોરોનાની પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ શહેરમાં ખાનગી હોસ્પિટલ્સ દ્વારા બેડની કુત્રિમ અછત ઉભી કરવાના થયેલા પ્રયાસ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલઆંખ કરીને આવી હોસ્પિટલ્સ સામે પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદ કોર્પોરેશને ખાનગી ક્ષેત્રની ડેઝિગ્નેટેડ કોવિડ 19 હોસ્પિટલ્સને પથારીની કૃત્રિમ અછત ઉભી નહીં કરવા તાકીદ કરી છે.

આ રીતે કુત્રિમ અછત ઉભી થાય છે

છેલ્લા કેટલાક દિવસો દરમિયાન એવું જોવા જાણવા મળ્યું કે અમદાવાદની કેટલીક હોસ્પિટલો કોરોનાના દર્દીઓને હોસ્પિટલાઈઝેશનની જરૂર ના હોવા છતા તેમને એડમિટ કરી દીધા છે, જ્યારે ખરેખર જરૂરીયાતવાળા દર્દીના સગાઓ પૂછપરછ કરે ત્યારે પહેલા બેડ નથી એમ કહી દેવામાં આવે. જે સગાઓ હોસ્પિટલ્સ પર પહોંચે તેમને ખૂબ મુશ્કેલીથી બેડ મળે તેમ છે, એનો રેટ પણ ઉંચો જણાવે છે અને ગરજવાન સગાઓ છેવટે પ્રાઇવેટ હોસ્પિટલ્સની ચુંગાલમાં ફસાય જાય છે અને આ રીતે બેડની કૃત્રિમ અછત સર્જાય છે.

કપરી સ્થિતિ વચ્ચે નફાખોરી પર ઉતરી આવેલી હોસ્પિટલ્સને ચેતવણી

ગયા અઠવાડીયે અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાના નેતૃત્વમાં હાથ ધરાયેલી રીવ્યૂ બેઠકમાં ખાનગી હોસ્પિટલોને ચેતવણી આપતા આ પ્રકારની ગેરકાયદે પ્રવૃતિને બંધ કરવા અને બેડની કૃત્રિમ અછતને ટાળવા સ્પષ્ટપણે જણઆવી દીધું છે. અમદાવાદમાં કોરોનાની સ્થિતિ પર દેખરેખ રાખવા અને યોગ્ય પગલાં લેવા માટે ડો. રાજીવ ગુપ્તાની સ્પેશ્યલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. એએમસીની બેઠક બાદ અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસોસિએશનને આ અંગે જાણ  પણ કરવામાં આવી છે.

November 22, 2020
breaking_CIA-1280x831.jpg
2min587
MCI: Ayurveda Doctors Can't Do Surgeries!

હાલમાં જ્યારે દેશભરમાં મેડીકલ અને પેરામેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશની કામગીરી ચાલી રહી છે ત્યારે આવેલા એક મહત્વના સમાચાર એ છે કે આયુર્વેદના ડોકટરોને પણ જનરલ અને ઓર્થોપેડિક સર્જરી સાથે આંખ, કાન અને ગળાની સર્જરી કરવા માટેની સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી છે.

કેન્દ્ર સરકાર રચિત સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસિન દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે અનુસ્નાતક (પીજી) વિદ્યાર્થીઓને વિવિધ સર્જરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે.

આયુર્વેદિક તબીબો જનરલ સર્જિકલ, ઇ.એન.ટી., ઓપ્થેલમોલોજી, ઓર્થો અને ડેન્ટલ પ્રોસિજર અન્વયે આવતી સર્જરી આયુર્વેદિક હોસ્પિટલ્સના ઓપરેશન થિયેટરોમાં હાથ ધરી શકશે. એમ સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડીસીન દ્વારા જણાવવામાં આવ્યું છે.

The notification dated November 19 listed the procedures that will be included in the PG training of Ayurveda doctors by amending the Indian Medicine Central Council (Post Graduate Ayurveda Education) Regulations, 2016. It stated that the amendments were being made with the sanction of the central government.

During the period of study, post-graduate scholars of Shalya tantra (general surgery) and Shalakya tantra (surgeries of the ear, nose, throat, head and eye) will be practically trained to perform various surgical procedures independently. General surgical procedures include amputation of gangrene, skin grafting, laparotomy (opening up of the abdomen), many advanced gastro-intestinal surgeries. Under Shalakya tantra they will be trained to do fairly advanced ophthalmic surgeries such as iris prolapse surgery, squint surgery, cataract surgeries of all kinds.

November 13, 2020
breaking_CIA-1280x831.jpg
2min16910

દસ લાખથી વધુની વસતિને ભાજપા સરકાર તરફથી આનાથી મોટી દિવાળી ભેંટ શું હોઇ શકે?

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે તા.12 નવેમ્બર 2020ના રોજ એક મહત્વનો પરિપત્ર જારી કરીને એવો નિર્દેશ કર્યો છે કે 20 હિન્દુ પેટાજ્ઞાતિઓ અને 12 મુસ્લિમ પેટાજ્ઞાતિઓ મળીને કુલ 32 જ્ઞાતિઓને બિન અનામત વર્ગમાં સામેલ કરવામાં આવી છે. હવે આ નવી ઉમેરાયેલી જ્ઞાતિઓના યુવક-યુવતિઓને ગુજરાત સરકારના બિન અનામત આયોગ સંચાલિત જુદી જુદી અભ્યાસ તેમજ અર્થોપાર્જન યોજનાઓનો લાભ મળતો થશે.

આ પહેલા ગુજરાત સરકારે જ્યારે બિનઅનામત જ્ઞાતિ આયોગની રચના કરી હતી ત્યારે કુલ 69 જ્ઞાતિઓને સમાવવામાં આવી હતી. બાદમાં જુદી જુદી જ્ઞાતિઓના અરજદારો તરફથી મળેલી રજૂઆતો બાદ ફરી વખત તેમાં તા.12મી નવેમ્બર 2020ના રોજ વધુ 32 જ્ઞાતિઓ ઉમેરવામાં આવી છે. હવે કુલ 101 જ્ઞાતિઓ બિનઅનામત જ્ઞાતિ આયોગની જુદી જુદી યોજનાઓનો લાભ મેળવી શકશે.

બિન અનામત વર્ગમાં સમાવિષ્ટ હિન્દુ પેટા જ્ઞાતિઓ

  • હિંદુ વાલમ બ્રાહ્મણ
  • ખંડેલવાલ
  • મોઢવણિક
  • મોઢ વાણિયા
  • ખેડાવાળ બ્રાહ્મણ
  • બાજ ખેડાવાળ બ્રાહ્મણ
  • સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ
  • જેઠી મલ્લ , જેષ્ઠિ મલ્લ , જયેષ્ઠિ મલ્લ
  • પુરબીયા રાજપુત ક્ષત્રિય
  • હિંદુ આરેઠિયા
  • વાવિયા
  • હિંદુ મહેતા
  • મોરબીયા
  • જોબનપુત્રા
  • પુરોહિત, રાજપુરોહિત
  • મારુ રાજપુત
  • અમદાવાદ રાવત (રાજપુત)

મુસ્લિમ જ્ઞાતિઓ

  • કુરેશી મુસ્લિમ
  • સુન્ની મુસલમાન
  • વ્હોરા પટેલ
  • સુન્ની મુસલમાન
  • ખેડવાયા મુસલિમ
  • મુસ્લિમ ખત્રી
  • બુખારી
  • મોમીન સુથાર
  • મોમીન
  • સુથાર મુમન
  • મુસ્લિમ રાઉમા મુસ્લિમ રાયમા
  • મુસ્લિમ વેપારી

બિન અનામત વર્ગ માટે ગુજરાત સરકાર આટલી યોજનાઓ ચલાવી રહી છે

Gujarat Unreserved Educational & Economical Development corporation Various  Scheme for 2019 Apply Online - Whatsfreebuy

દસ લાખ ઉપરાંતની વસતિને આનાથી મોટી દિવાળી ગીફ્ટ શું હોઇ શકે

ગુજરાત સરકારે 32 જ્ઞાતિઓને બિન અનામત વર્ગમાં મૂકી છે. આ જ્ઞાતિઓની કુલ વસતિ અંદાજે 10 લાખથી વધુની થવા જાય છે. આ જ્ઞાતિઓ માટે દિવાળીથી મોટી ગીફ્ટ શું હોઇ શકે. બીજી તરફ એ પણ બાબત નોંધપાત્ર છે કે ભાજપા મુસ્લિમ વિરોધી પાર્ટી તરીકે જે બદનામી તેના વિરોધીઓ દ્વારા કરવામાં આવી છે તેનાથી વિપરીત ગુજરાતમાં ભાજપા સરકારે નવી 12 મુસ્લિમ પેટાજ્ઞાતિઓને બિન અનામત વર્ગ કેટેગરીમાં સમાવેશ કર્યો છે અને એ પણ તેની કોઇ ગાઇ વગાડીને જાહેરાત કર્યા વગર.

પેટા ચૂંટણી પછી અને જોરશોર વગર ચૂપકેથી આ નિર્ણય જાહેર કરી દેવાયો

સવાલ એ પણ ઉઠે છે કે ગુજરાતની ભાજપા સરકાર માટે આ પ્રક્રિયા એક ક્રેડિટ કેસ તરીકે માઇલેજ અપાવી શકે તેવી છે. આમ છતાં ગુજરાત સરકારે પેટાચૂંટણીઓ પછી જાહેરાત કરી છે અને એ પણ કોઇપણ પ્રકારની જોરશોરથી જાહેરાત કર્યા વગર ચૂપકેથી.

અમારા તરફથી સી.આઇ.એ. લાઇના એક્ઝીક્યુટિવ એડિટર જયેશ બ્રહ્મભટ્ટે આ અંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારને સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે મારી પાસે બધી ડિટેઇલ આવે એટલે તમને કહું છું પરંતુ, તેમનો કોલ આવ્યો નથી.

November 4, 2020
CIA_Live_Logo_New2.jpg
3min9920

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

એકના એક સમાચારો આપતા મિડીયાથી વિપરીત સી.આઇ.એ. લાઇવ આપને એવા સમાચાર આપે છે જે ખરેખર આપની જાણમાં હોવા જરૂરી છે. આપને ઉપયોગી સમાચાર, માહિતી કે ઘટનાઓની જાણકારી માટે www.cialive.in સતત જોતા રહો.

બગડી રહી છે સુરતની હવા (વાતાવરણ)ની ગુણવત્તા

હવાની ગુણવત્તાના માપદંડને અંગ્રેજીમાં AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે. જુદા જુદા પેરામિટર્સથી હવા કેટલી પ્રદુષિત થાય છે તે અંગે સતત મોનિટરીંગ કરવામાં આવે છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતની હવાનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અમારા ધ્યાન પર આ દરમિયાન એ વાત આવી છે કે આજરોજ તા.5મી નવેમ્બર 2020ની સવારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લિંબાયત અને વરાછા ખાતે લગાડવામાં આવેલા એર ક્વોલિટી મેઝર મશીન પર સુરતની હવાનો એર ક્વોલિટી ઇન્ડેક્ષ 372 પ્લસ નોંધાયો હતો. વાતાવરણના પેરામિટર્સમાં આટલો ઉંચો એક્યુઆઇ અત્યંત દુષિત હવાની પ્રતીતિ કરાવે છે.

આજે તા.5મી નવેમ્બરે સુરતમાં નોંધાયેલા એર ક્વોલિટી ઇન્ડેક્ષ

તા.5મી નવેમ્બરે સુરતના વરાછા વિસ્તારમાં નોંધાયેલો એક્યુઆઇ

એવું નથી કે આજે તા.5મી નવેમ્બરે જ આ રીતે હવા પ્રદુષિત નોંધાઇ છે. છેલ્લા ઘણા દિવસોથી અમે મોનિટરિંગ કરી રહ્યા છીએ.

ગઇ તા.3જી નવેમ્બર 2020ના રોજ સુરતમાં એર ક્વોલિટી ઇન્ડેક્ષ 318 જેટલો થઇ ગયો છે. AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ 300ની ઉપર પહોંચે તો એ હેઝાર્ડસ ગણાય એટલે કે હવા પ્રદુષિત બની ગઇ હોવાનું તેના પરથી કહી શકાય.

નિષ્ણાંતો કહે છે કે 300 પ્લસ AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ પહોંચે એટલે માસ્ક પહેરીને જ જાહેર માર્ગો પર જવું જોઇએ. સુરતમાં AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ 318 પહોંચ્યો છે એ બાબત સૂચક છે કે સુરતમાં કોરોનાથી બચવા ઉપરાંત માસ્ક પહેરવાનું બીજું કારણ હવે પ્રદુષિત હવા પણ બની ચૂકી છે.

તા.3 નવેમ્બરે વરાછા અને લિંબાયતમાં AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ 318 પર પહોંચી ચૂક્યો છે

માસ્ક પહેરવા માટે બીજું અનિવાર્ય કારણ સુરતની પ્રદુષિત હવા

જે રીતે સુરતમાં અનલૉક બાદ સામાજિક, વ્યાપારીક ગતિવિધિઓ તેજ બની ચૂકી છે એ ઉપરાંત આગામી દિવસોમાં દિવાળીના પર્વને અનુલક્ષીને સુરતનો AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ વધુ કથળે તો નવાઇ નહીં.

5મી નવેમ્બરે સવારે અમે આ સ્ટોરી રજૂ કરી હતી, બપોરે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ ટ્વીટ કર્યુ

October 29, 2020
kesubhai.jpg
1min5160

ગુજરાતના માજી મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્રના ખેડૂત નેતા, ભાજપાના વરિષ્ઠ નેતા તેમજ ગુજરાતમાં ભાજપના પહેલા સીએમ બનવાનું શ્રેય જેના ફાળે છે એ કેશુભાઈ પટેલે આજે તા.29મી ઓક્ટોબર 2020ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. 92 વર્ષની વયે તેમનું નિધન થતાં ભાજપ સમેત સમગ્ર સૌરાષ્ટ્રમાં શોક પ્રસરી ગયો છે. તબિયત નાદુરસ્ત થતાં શ્રી કેશુબાપાને સ્ટર્લિંગ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમના અવસાનની હોસ્પિટલ દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે.

PM Modi

કેશુબાપાના પુત્ર ભરત પટેલના જણાવ્યા અનુસાર, કોરોનામાંથી રિવકર થયા બાદ કેશુભાઈનું સ્વાસ્થ્ય કથળી રહ્યું હતું. તેમને ઓક્સિજન લેવામાં તકલીફ પડી રહી હતી. જેથી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

CM વિજય રૂપાણીએ કેશુભાઈ પટેલના અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરતા તેમને ગુજરાતમાં જનસંઘથી લઈને ભાજપ સુધી વટવૃક્ષ ઉભું કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વકર્તા ગણાવ્યા હતા.

રુપાણીએ જણાવ્યું હતું કે, કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું, એટલું જ નહિ ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યોથી ભાજપને અપ્રતિમ લોક ચાહના અપાવી. તેમના અવસાનથી આપણને સૌને મોટી ખોટ પડી છે અને આ ખોટ આપણને સદાય સાલશે.

કેશુબાપા જનસંઘના વખતથી ભાજપ સાથે જોડાયેલા હતા. ગુજરાતમાં તેઓ ભાજપના પહેલા મુખ્યમંત્રી પણ હતા. જોકે, 14 માર્ચે સીએમ બનેલા કેશુભાઈને સરકાર સામે બળવો થતાં 21 ઓક્ટોબર 1995માં રાજીનામું આપવું પડ્યું હતું.

1998માં કેશુભાઈ ફરી પૂર્ણ બહુમતી સાથે સીએમ બન્યા હતા. જોકે, આ વખતે પણ તેઓ પોતાની ટર્મ પૂરી નહોતા કરી શક્યા. 26 જાન્યુઆરી 2001ના રોજ રાજ્યમાં આવેલા ગોઝારા ભૂકંપમાં સરકારની કામગીરી સામે અનેક સવાલો ઉભા થતાં આખરે તેમને 6 ઓક્ટોબર 2001ના રોજ રાજીનામું આપવું પડ્યું હતું.

October 24, 2020
Data-Protection-Bill-of-India-2018.jpg
1min4890

ઍમેઝોન, ગૂગલ, પૅટીએમ, ફેસબુકના ઉચ્ચ અધિકારીઓને ડેટા પ્રૉટેક્શન બિલને લગતી જૉઇન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી) સમક્ષ હાજર થવાનો આદેશ અપાયા બાદ ઍમેઝોને ૨૮મી ઑક્ટોબરે હાજર થવાનો ઇનકાર કર્યો હતો.

ગૂગલ અને પૅટીએમના ઉચ્ચ અધિકારીઓને ૨૯મી ઑક્ટોબરે તેમ જ ટ્વિટરના અધિકારીઓને ૨૮મીએ બોલાવાયા છે, જ્યારે ફેસબુકના અધિકારી શુક્રવારે આ સમિતિ સમક્ષ હાજર થયા હતા. ઇ-કૉમર્સ ક્ષેત્રની માતબર કંપની ઍમેઝોને સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ હાજર થવાની ના પાડીને વિશેષાધિકારનો ભંગ કર્યો હોવાનું પૅનલનાં અધ્યક્ષા અને ભાજપનાં સંસદસભ્ય મિનાક્ષી લેખીએ શુક્રવારે કહ્યું હતું.

તેમણે પીટીઆઇને કહ્યું હતું કે ‘ઍમેઝોન વિરુદ્ધ સખત પગલાં ભરવા સરકારને સૂચન થઈ શકે એવું કમિટીનો સર્વાનુમત અભિપ્રાય છે.’

દરમિયાન, ફેસબુકના પૉલિસી-હેડ અંખી દાસ શુક્રવારે ડેટા સિક્યૉરિટીના મુદ્દે કમિટી સમક્ષ હાજર થયા હતા. તેમને પૅનલના મેમ્બરો દ્વારા ડેટા સુરક્ષાના મુદ્દે કેટલાક આકરા અને તપાસમાં કડીરૂપ સાબિત થઈ શકે એવા સવાલો પૂછવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અંખી દાસની લગભગ બે કલાક સુધી પૂછપરછ કરાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ તેમને એવું પણ પૂછાયું હતું કે તેમની કંપની કેટલો હિસ્સો યુઝર્સના ડેટા પ્રૉટેક્શન માટે ખર્ચ કરે છે અને કેટલો કરવેરો ભરે છે?

મિટિંગ દરમિયાન એક મેમ્બરે ફેસબુકના મુદ્દે સૂચવ્યું હતું કે ‘સોશિયલ મીડિયાની આ માતબર કંપની પોતાના ઍડવર્ટાઇઝરોના વ્યાપારલક્ષી ફાયદા માટે પોતાના વપરાશકારોના ડેટામાંથી અનુમાનો મેળવી ન શકે.

પૅનલે માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરના ઉચ્ચ અધિકારીઓને ૨૮મી ઑક્ટોબરે બોલાવ્યા છે, જ્યારે ગૂગલ તથા પૅટીએમના અધિકારીઓએ ૨૯મી ઑક્ટોબરે આવવાનું રહેશે.

દરમિયાન, વૉશિંગ્ટનથી મળતા એપીના અહેવાલ મુજબ અમેરિકામાં રિપબ્લિકન સેનેટરોના અંકુશ હેઠળની સેનેટ જ્યુડિશિયરી કમિટીએ ફેસબુક તથા ટ્વિટરના સીઇઓને જીઓપી (ગ્રૅન્ડ ઑલ્ડ પાર્ટી) સમક્ષ આક્ષેપો ખોટા હોવાના પુરાવા આપવા બોલાવ્યા છે.

October 20, 2020
schoolgirlsoldiers.jpg
2min16960

જામનગરના બાલાચડી સ્થિત સૈનિક સ્કુલ છોકરીઓને ધો.6માં પ્રવેશ આપશે : આજ 20/10 થી એપ્લિકેશન શરૂ

જામનગરના બાલાચડીમાં આવેલી સૈનિક સ્કૂલ 2021થી કન્યાઓને પણ એડમિશન : પ્રથમ 10 દિકરીઓને ધો.6માં પ્રવેશથી શરૂઆત

ગુજરાતના જામનગરથી 32 કિમી સ્થિત બાલાચડી ખાતે કાર્યરત ગુજરાતની એક માત્ર સૈનિક સ્કુલમાં આગામી શૈક્ષણિક વર્ષથી કન્યાઓને પ્રવેશ આપવામાં આવશે. ધો.12 પછી આર્મી, નેવી, એરફોર્સમાં ઉચ્ચઅભ્યાસ અને નોકરીની તક માટે નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ની તૈયારી કરી શકે એ માટે બાલાચડી ખાતે સૈનિક સ્કુલની સ્થાપના કરવામાં આવી હતી. જ્યાં અત્યાર સુધી ફક્ત બોયઝ (છોકરાઓ)ને પ્રવેશ અપાતો હતો. પંરતુ, હવે આગામી વર્ષથી 10 છોકરીઓને પ્રવેશ સાથે કન્યાઓ માટે સૈનિક સ્કુલના દ્વાર ખોલવામાં આવ્યા છે. કન્યાઓ તરફથી કેવો રિસ્પોન્સ મળે છે તેના આધારે ભવિષ્યના વર્ષોમાં કન્યાઓની સંખ્યા વધારવામાં આવશે.

જામનગરના બાલાચડી સ્થિત સૈનિક સ્કુલમાં કન્યાઓ માટેની કુલ બેઠકો પૈકી 67% બેઠકો ગુજરાતની શાળાઓની છોકરીઓ માટે રિઝર્વ રાખવામાં આવશે.

છોકરાઓ અને છોકરીઓએ સૈનિક સ્કુલમાં પ્રવેશ મેળવવા શું કરવું

ગુજરાતના જામનગર અને દેશભરમાં આવેલી 33 સૈનિક સ્કુલોમાં ધો.6 અને ધો9માં પ્રવેશ ફાળવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા એક પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે જેનું નામ All India Sainik Schools Entrance Examination (AISSEE) 2021 છે. આ પરીક્ષામાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તા.20મી ઓક્ટોબરથી શરૂ થઇ છે. જે 19 નવેમ્બર સુધી ચાલશે.

આાગમી શૈક્ષણિક સત્ર માટેની ઓનલાઈન એડમિશન પ્રક્રિયા આજ તા.20 ઓક્ટોબર 2020થી શરુ થશે અને 19 નવેમ્બર સુધી રહેશે. 10 જાન્યુઆરી, 2021ના રોજ પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે.

ધો.6 અને ધો.9 માં પ્રવેશ માટે 10 જાન્યુઆરી 2021ના રોજ પરીક્ષા લેવાશે

2018માં ભારતના સંરક્ષણ મંત્રાલયે દેશની 33 સૈનિક સ્કૂલોમાંથી કેટલીક સ્કુલોમાં કન્યાઓને પ્રવેશ આપવાનો સૈદ્ધાંતિક નીતિ વિષયક નિર્ણય લેવાયો હતો જેના ભાગરૂપે ગુજરાતના બાલાચડી સ્થિત સૈનિક સ્કુલમાં કન્યાઓના પ્રવેશને મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

સૈનિક સ્કૂલ બાલાચડીના પ્રિન્સિપાલ ગ્રુપ કેપ્ટન રવિન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ‘નિયમ પ્રમાણે, કુલ ખાલી જગ્યાના 10 ટકા અથવા ઓછામાં ઓછા 10, બંનેમાંથી જે વધારે હશે તે છોકરીઓ માટે અનામત રહેશે. અમારે ત્યાં દર વર્ષે 60 જેટલી ખાલી જગ્યા રહે છે તેથી આગામી શૈક્ષણિક વર્ષથી 10 છોકરીઓને એડમિશન આપવામાં આવશે. ગુજરાત માટે 67 ટકા અનામત રહેશે અને SC, ST, OBC માટે અનામત નિયમો મુજબ લાગુ કરવામાં આવશે’.

October 17, 2020
kkr.jpg
1min5240

દિનેશ કાર્તિકે કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)ની કેપ્ટનશિપ છોવાનો નિર્ણય કરી લીધો છે. તેણે ટીમ મેનેજમેન્ટને પોતાનો નિર્ણય જાહેર કર્યો છે. કાર્તિકે ઈંગ્લેન્ડની લિમિટેડ ઓવરના કેપ્ટન ઈયોન મોર્ગનને કેપ્ટનશિપ સોંપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે શુક્રવારે રમાયેલી મેચમાં મોર્ગને કેકેઆર ટીમનું નેતૃત્વ કર્યું હતું. અત્યાર સુધી કેકેઆરમાં મોર્ગન ઉપસુકાની તરીકે ફરજ બજાવતો હતો.

કેકેઆરના કથળેલા પ્રદર્શનને કારણે દિનેશ કાર્તિકની કેપ્ટનશિપની ભારે ટીકા થઈ રહી છે. કાર્તિકે કેકેઆર મેનેજમેન્ટને જાણ કરી દીધી છે કે તે બેટિંગ પર ધ્યાન આપવા માંગે છે અને ટીમના ઉદ્દેશ માટે વધુ યોગદાન આપવા તે ટીમનું નેતૃત્વ ઈયોન મોર્ગનને સોંપવા માંગે છે.

October 16, 2020
shahid.jpeg
1min5320

કોરોના લૉકડાઉન દરમિયાન જે વસ્તુમાં તેજી આવી છે, એ છે દેશના ઓટીટી પ્લેટફોર્મના યુઝર્સ. સિનેમાઘરો બંધ થવાથી ઓટીટી પ્લેટફોર્મ્સને ચાંદી જ થઇ ગઇ. અને એટલે જ જે કલાકારો પોતાને વૅબસીરિઝ થી દૂર રાખી રહ્યા હતા એ બધા હવે વૅબસીરિઝ અને ડિજિટલ પ્લેટફોર્મ તરફ વળવા માંડ્યા છે. એમ જાણવા મળ્યું છે કે ટૂંક સમયમાં શાહિદ કપૂર પણ એક વૅબસીરિઝમાં નજરે પડશે.

આ વૅબસીરિઝ શાહિદનો ડિજિટલ ડૅબ્યુ હશે. આ એક થ્રિલર સીરિઝ છે, જેની વાર્તા સાંભળીને જ શાહિદે હા કહી દીધી. આ સીરિઝને રાજ નિદિમોરુ અને કૃષ્ણા ડીકેની જોડી ડિરેક્ટ કરશે. બંનેની જોડીએ સીરિઝ ‘ધ ફેમિલી મેન’થી લોકપ્રિયતા હાંસલ કરી છે.

‘ધ ફેમિલી મેન’ની સફળતા પછી આ ડિરેક્ટરની જોડીને ઘણી ડિજિટલ ચેનલોએ વૅબસીરિઝ બનાવવાની ઓફર આપી હતી. હવે બંનેએ એક મોટા પ્લેટફોર્મ સાથે હાથ મેળવ્યો છે. ડિરેક્ટરની આ જોડીએ એક પ્રોજેક્ટ માટે હા પાડી છે. આ એક થ્રિલર વૅબ સીરીઝ છે, જેમાં હિન્દી ફિલ્મનો બધો જ મસાલો હશે.

બંને ડિરેક્ટરે આ સીરિઝ માટે શાહિદ સાથે વાત કરી અને શાહિદને પણ સ્ક્રિપ્ટ પસંદ આવી અને એણે હા પાડી દીધી. આ વૅબસીરિઝથી શાહિદ ડૅબ્યુ કરશે. જોકે, આ વૅબસીરિઝનું શૂટિંગ ક્યારે શરૂ થશે એ અંગે હાલમાં કંઇ કહેવું મુશ્કેલ છે. શાહિદે તેની ફિલ્મ ‘જર્સી’નું શૂટિંગ પૂરું કરશે અને પછી આ વૅબસીરિઝનું શૂટિંગ ચાલુ કરી દેશે.

શાહિદ કપૂરની પહેલા મનોજ બાજપાઇ, ઇમરાન હાશમી, પંકજ ત્રિપાઠી, નવાઝુદ્દીન સિદ્દીકી, અભિષેક બચ્ચન જેવા નામી કલાકારો વૅબસીરિઝમાં કામ કરી ચૂક્યા છે.

તાજેતરના ખબર મુજબ કોરોના લૉકડાઉનને કારણે ફિલ્મ ‘જર્સી’ના સર્જકો પર થયેલી અસરને ધ્યાનમાં લઇને શાહિદ કપૂરે વિશાળ દિલ રાખી પોતાની ફીસ ૩૩ કરોડ રૂપિયાથી ઘટાડી ૨૫ કરોડ રૂપિયા કરી નાખી છે. હાલમાં શાહિદ ‘જર્સી’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ સાલ ૨૦૧૯માં આવેલી તેલુગુ ફિલ્મ ‘જર્સી’ની રીમેક છે.