CIA ALERT

વાયરલ Archives - Page 42 of 80 - CIA Live

April 27, 2021
madras-high-court.jpg
1min450

કોવિડ-૧૯ની બીજી લહેર માટે એકમાત્ર ચૂંટણીપંચ જવાબદાર છે તેવું અવલોકન મદ્રાસ હાઈ કોર્ટે સોમવારે કર્યું હતું.

મદ્રાસ હાઈ કોર્ટે ચૂંટણીપંચને કહ્યું હતું કે, ‘કોવિડ-૧૯ની બીજી લહેર માટે એકમાત્ર તમારી સંસ્થા જવાબદાર છે. સંભવત: તમારા અધિકારીઓ સામે હત્યાના આરોપસર ફરિયાદ નોંધાવી જોઈએ, જયારે ચૂંટણી રેલીઓ યોજાઈ રહી હતી ત્યારે શું તમે બીજા ગ્રહ પર હતા?’

ચૂંટણી પ્રચાર દરમિયાન માસ્ક, સેનિટાઈઝર્સ અને સામાજિક અંતર જેવી તકેદારીઓ જાળવવામાં ચૂંટણીપંચ નિષ્ફળ ગયું છે તેવું હાઈ કોર્ટે કહ્યું હતું.

ચૂંટણી પરિણામ બીજી મેના દિવસે જાહેર થવાનું છે તે દિવસે કોવિડના નિયમોનું પાલન કરવાની યોજના રજૂ કરવાનું હાઈ કોર્ટે કહ્યું હતું. નક્કર યોજના નહીં તૈયાર કરાય તો મત ગણતરી પણ બંધ કરી શકાય છે તેવું અદાલતે કહ્યું હતું.

‘પ્રજાનું સ્વાસ્થ્ય સૌથી મહત્ત્વનું છે. બંધારણીય સત્તાને યાદ અપાવવું પડે છે તે દુ:ખની બાબત છે. નાગરિક જીવશે તો જ તે ચૂંટાયેલું પ્રજાસત્તાકના હક્કો ભોગવી શકશે.’

તમિળનાડુએ પુડ્ડુચેરીમાં કોવિડ-૧૯ મહામારી પર નિયંત્રણ મેળવવા સરકારના પ્રયત્નો પર ધ્યાન રાખવા કોર્ટ દ્વારા ‘સુઓ મોટો’ (આપ મેળે) કેસ નોંધવામાં આવ્યો તે છે. તેની સુનાવણી દરમિયાન કોર્ટને આ મૌખિક અવલોકન હતું.

‘નાગરિકો રઘવાયા બનીને હૉસ્પિટલમાં દોડી જાય તેવી પરિસ્થિતિ ઊભી નહીં થવી જોઈએ અને તેમને માર્ગદર્શન આપવા તમિળનાડુ રાજય અને કેન્દ્રશાસિત પ્રદેશે ૮-૧૦ બુલેટ પોઈન્ટ ધરાવતી નોંધ તમામ મીડિયા પર પ્રકાશિત અથવા પ્રસારણ કરવી જોઈએ.’

April 26, 2021
karnataka.jpg
1min379

કોરોનાથી સૌથી પ્રભાવી રાજ્ય, કર્ણાટકમાં આવતીકાલે 27/4/21 સાંજે છ વાગ્યાથી 14 દિવસનું જડબેસલાક લોકડાઉન લાગુ પડી જશે. કોરોનાના સતત વધતા કેસો વચ્ચે ચેઈનને બ્રેક કરવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ તાજેતરમાં જ રાજ્યોને લોકડાઉનને અંતિમ વિકલ્પ તરીકે અજમાવવા સલાહ આપી હતી.

આજે ત્રણ કલાક સુધી ચાલેલી કેબિનેટ મિટિંગ બાદ રાજ્યના સીએમ યેદિયુરપ્પાએ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એક્સપર્ટ્સ કમિટિ સાથે સલાહ-મસલત કર્યા બાદ રાજ્ય સરકારે લોકડાઉનનો નિર્ણય લીધો છે.

દિલ્હીમાં લોકડાઉનની જાહેરાત થતાં જ દારુની દુકાનો પર લાંબી લાઈનો લગાવી હતી. જોકે, કર્ણાટકમાં આવી સ્થિતિ ના સર્જાય તે માટે સરકારે દારુની હોમ ડિલિવરી માટે છૂટ આપી છે. સરકારે 1લી મેથી 18 વર્ષથી વધુ વય ધરાવતા તમામ નાગરિકોને ફ્રીમાં વેક્સિન આપવાની પણ જાહેરાત કરી છે.

કર્ણાટકમાં લોકડાઉન દરમિયાન જીવનજરુરિયાતની ચીજવસ્તુઓની દુકાનો પણ સવારે છથી 10 વાગ્યા સુધી જ ખૂલ્લી રહેશે. સીએમ બી.એસ. યેદિયુરપ્પાના જણાવ્યા અનુસાર, લોકડાઉન દરમિયાન કૃષિ તેમજ મેન્યુફેક્ચરિંગ સેક્ટર ચાલુ રાખી શકાશે. સરકારે રાજ્યના ચૂંટણીપંચને આગામી સમયમાં આવી રહેલી પેટાચૂંટણીને ત્રણ મહિના પાછી ઠેલવા પણ વિનંતી કરી છે.

લોકડાઉન દરમિયાન રાજ્યની અંદર કે રાજ્યની બહાર ઈમરજન્સી સિવાય પ્રવાસ કરવા પર સખ્ત નિયંત્રણ મૂકાયા છે.

April 26, 2021
weather-forecast.jpg
1min374

રવિવાર તા.૨૫મી એપ્રિલ ૨૦૨૧ના રોજ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો હતો. કેટલાક સ્થળે કમોસમી વરસાદ વરસ્યો હતો. જામનગરના જામજોધપુર, કાલાવડ અને ગ્રામ્ય પંથકમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. આ માવઠાથી તલ, મગ, અડદ, કેરી જેવા ઉનાળું પાકોને નુકસાન થવાની ભીંતી પ્રવર્તી રહી છે.

ખાંભા પંથકમાં સતત બીજા દિવસે તડકામાંથી વાતાવરણ બદલાઈને વાદળછાયું થઈ ગયુ હતું. તેમજ ખાંભા તેમજ ગ્રામ્ય પંથકમાં માવઠું વરસ્યું હતુ. ખાંભાના ઈંગોરાલા, ભાડ, કોટડા, અનીડા, નાના વિસાવદર સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડયો હતો. અહીંયા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ઉનાળામાં માવઠું પડતા તલ, બાજરી તેમજ કેરીના પાકને નુકસાન જવાની ભીતિ ઉભી થઈ છે.

રાજકોટ શહેરમાં બપોર પછી ધાબળછાયું વાતાવરણ થઈ ગયું હતું. સાંજે પાંચ વાગ્યાના સુમારે આકાશમાંથી ગાજવીજ શરૂ થઈ હતી. અચાનક ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો અને શહેરમાં કેટલાક સ્થળે હળવા વરસાદી છાંટા પડયા હતા.

ગોંડલમાં સાંજે આકાશ વાદળોથી ગોરંભાયા બાદ ગાજવીજ સાથે વરસાદ થતા રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ઉનાળામાં ચોમાસા જેવા વાતાવરણ વચ્ચે ડબલ ઋતુથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તાલુકાના નવા ગામમાં’ અડધા ઈંચ જેટલો કમોસમી વરસાદ પડયો હતો.

જામજોધપુર પંથકમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો હતો. જસદણમાં સાંજે પાંચ વાગ્યે વાતાવરણ પલટાયા બાદ વરસાદી છાંટા પડયા હતા.

જામનગર:’ જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉનમાં આજે સાંજે આકાશમાંથી કરા વરસ્યા હતા. આ ઉપરાંત જામજોધપુર ગ્રામ્ય વિસ્તારમાં પણ આવું વાતાવરણ જોવા મળ્યું હતું. જેને લઇને ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. જામજોધપુર ઉપરાંત કાલાવડ પંથકના અનેક ગામોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.

કાલાવડ તાલુકાના ખાનકોટડામાં સૌ પ્રથમ કરા પડયા હતા. ત્યાર પછી કાલાવડ તાલુકાના ખંઢેરા, રણુજા, બેરાજા, મોટી માટલી, ભંગડા, બાંગા સહિતના અનેક ગામોમાં કરા સાથે વરસાદ પડયો હતો. આ ઉપરાંત જામનગર તાલુકાના મતવા, ધુતારપર, સુમરી વગેરે ગામોમાં પણ વરસાદી ઝાપટા અને ક્યાંક કરા પડયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જેને લઇને ખેડૂતોના ઉભા પાકને નુકસાની થઇ છે.

જેતપુર: જેતપુર તાલુકાના વિરપુર, થોરાળા, સેલુકા, મેવાસા, રબારીકા, પ્રેમગઢ, કેરાળી, જાંબુડી, હરિપર, મોટાભાદરા, લુણાગરા, નાનાભાદરા, દુધીવદર જેવા અનેક ગામોમાં આજે સાંજે અડધાથી એક ઇંચ કમોસમી વરસાદ કરા સાથે વરસ્યો હતો. જ્યારે આકાશમાં વીજળીના કડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો.

જામકંડોરણા: જામકંડોરણા સાંજના 7-30 કલાકે ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. આ કમોસમી વરસાદથી ઉનાળુ ખેતીના પાકો તલ, મગ, અડદને નુકસાનીની ખેડૂતોમાં ભીતી સેવાઇ રહી છે.

વિરપુર (જલારામ): વિરપુર પંથકમાં બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે વિરપુર તેમજ પંથકના આજુબાજુ વિસ્તારમાં ભારે પવન તેમજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી પડયો હતો.

ભેસાણ પંથકમાં માવઠું થતા ઉનાળુ પાકને નુકસાન: સર્વે કરવા કોંગ્રેસની માગણી
ભેસાણ : ભેસાણ પંથકમાં અઠવાડીયા અગાઉ ભારે પવન સાથે વરસાદ પડતા આઠથી દસ ગામમાં ઉનાળુ તલના પાકને નુકસાન પહોંચ્યું છે, જેનો સર્વે કરીને વળતર ચૂકવવા માંગ ઉઠી છે.

ભેસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વજુભાઇ મોવલીયાએ મુખ્ય મંત્રીને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે ભેસાણ પંથકમાં પડેલ કમોસમી વરસાદને લીધે માંડવા, બામણગઢ, ખંભાળીયા, રાણપુર, ખારચીયા, સુખપુર, ભાટગામ અને વિશળ હડમતીયા, મેંદપરા સહીતના ગામોમાં ખેડૂતોના તલના પાકને ભારે નુકસાન થયું છે, જેનો સર્વે કરીને વળતર ચુકવવા માગણી કરી છે.

April 24, 2021
zydus.jpg
1min357
Covid treatment: Zydus gets emergency use approval for Virafin

દેશભરમાં કોરોનાની દવાઓની અછતના ગંભીર પ્રશ્ન વચ્ચે ઝાયડસની વિરાફિનને કોરોનાના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ચુકી છે. આ દવાથી શ્વાસ સંબંધિત પરેશાની કાબુ કરવામાં પણ મદદ મળી રહેશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

ફાર્મા કંપની ઝાયડસે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે વિરાફિનને ભારતીય ડ્રગ નિયામક સંસ્થા ડીસીજીઆઈમાંથી ઈમર્જન્સી ઉપયોગને લઈને મંજૂરી મળી ગઈ છે. જેનાથી વયસ્કોમાં કોરોનાના હળવા સંક્રમણનો ઈલાજ કરી શકાય છે. ઝાયડસે કહ્યું હતું કે, તેની વિરાફિન દવાને કોરોના દર્દીના પરિક્ષણમાં 91.15 દર્દી સાતમા દિવસ સુધી આરટી પીસીઆરમાં નેગેટિવ મળી આવ્યા હતા. કંપનીએ એમ પણ કહ્યું હતું કે, આ દવાના ઉપયોગથી કોરોના દર્દીમાં ઓક્સિજનની સપ્લાઈની જરૂરીયાતને પણ ઘણા અંશે ઘટાડી શકાય છે.’ આ દવાનો ઉપયોગ હેપેટાઈટીસ સી માટે કરવામાં આવતો હતો.

કંપનીએ કહ્યું હતું કે વિરાફિન એક એન્ટી વાયરલ દવા છે. જે કોરોનાના હળવા સંક્રમણ ધરાવતા દર્દીઓના ઉપચારમાં ઉપયોગમાં લઈ શાશે. આ દવાના સિંગલ ડોઝથી જ દર્દીઓના ઈલાજમાં’ ઘણી મદદ મળી શકે છે. કંપનીએ કહ્યું હતું કે, શરૂઆતી સ્ટેજમાં દવા લેવાથી દર્દી ઝડપથી સ્વસ્થ થઈ શકે છે અને શરીરમાં કોઈપણ અન્ય કોમ્પ્લિકેશનથી પણ બચી શકાશે.

વિરાફિન પ્રિક્રિસ્પશન સાથે મળશે અને હોસ્પિટલ તેમજ મેડિકલ સેટઅપમાં મેડિકલ ઉપયોગમાં લઈ શકાશે. મહત્વની વાત એ છે કે દવાથી ઓક્સિજનની સપ્લાયની જરૂરિયાતને ઘટાડવાની વાત કરવામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે વિરાફિને પ્રમાણીત કર્યું છે કે તેના લેવાથી દર્દીને સપ્લીમેન્ટ ઓક્સિજનની જરૂર ઘટી શકે છે. એટલે કે દર્દીમાં શ્વાસ સંબંધિત પરેશાની ઘટાડી શકાય છે.

April 23, 2021
cashless-treatment.jpg
2min521

જયેશ બ્રહ્મભટ્ટ ૯૮૨૫૩ ૪૪૯૪૪

એક તરફ ભારતમાં કોરોનાના દર્દીઓ વિક્રમી સંખ્યામાં વધી રહ્યા છે, હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા અને બીજી તરફ ભારતની કેટલીક હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવારમાં કેશલેશ મેડીક્લેમ પોલીશી ધારકોને તેનો લાભ આપવાનો ઇન્કાર કરી રહી છે, ખુદ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમને આ ટ્વીટ કરવું પડ્યું છે. નાણામંત્રીના ટ્વીટ બાદ હરકતમાં આવેલા ઇરડાના સંચાલકોએ હોસ્પિટલોને ચીમકી આપી છે કે કોરોનાના દર્દીઓને કેશલેશ મેડીક્લેમ વીમાની સુવિધા આપવી જ પડશે. જો કોઇ આ સુવિધા આપવાનો ઇન્કાર કરશે તો તેની સામે કડક પગલાં ભરવામાં આવશે.

નાણામંત્રીએ તો ત્યાં સુધી કહ્યું કે કોરોના કાળમાં સાવ હંગામી રીતે ઉભી કરવામાં આવી હોય તેવી કોવીડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોએ પણ કેશલેશ મેડીક્લેમની સુવિધા આપવી પડે.

ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી બોડી ઇરડાએ કેશલેશ વીમાની સુવિધા નહીં આપતી હોસ્પિટલોને ચીમકી આપી

હોસ્પિટલો કેશલેશ મેડીક્લેમ ન સ્વીકારે તો અહીં કમ્પ્લેન કરો

કેશલેશ મેડીક્લેમ નહીં આપતી હોસ્પિટલ સામે ફરીયાદ કરવા નીચેની લિંક પર ક્લીક કરો

https://www.irdai.gov.in/ADMINCMS/cms/NormalData_Layout.aspx?page=PageNo225&mid=14.2

April 23, 2021
covid-19-vaccine.jpg
1min333

૧૮ વર્ષથી મોટાના રસીકરણ માટે ૨૮મીથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કોવિન પ્લૅટફોર્મ અને આરોગ્યસેતુ ઍપ પર શરૂ કરવામાં આવશે.

સત્તાવાર સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે રસીકરણની પ્રક્રિયા અને દસ્તાવેજ સંબંધી બાકીની બધી જ પ્રક્રિયા અગાઉ પ્રમાણેની જ રહેશે.

કેન્દ્ર સરકારે ગત સપ્તાહ દરમિયાન રસીકરણના ત્રીજા તબક્કામાં પહેલી મેથી ૧૮ વર્ષથી વધુ વયની વ્યક્તિઓ માટે રસીના ડોઝ આપવાની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી.

ખાનગી રસીકરણ કેન્દ્રમાં રૂ. ૨૫૦ આપીને કોવિડ-૧૯ની રસી માટેની રસી લેવાનો નિયમ પહેલી મેથી રદ કરાશે કારણ કે કેન્દ્ર સરકાર તરફથી એમને રસીના ડોઝ નહીં અપાય અને એમણે એ ઉત્પાદકો પાસેથી જાતે જ ખરીદવાના રહેશે.

અત્યારે ખાનગી રસીકરણ કેન્દ્રોને સરકાર તરફથી રસીના ડોઝ આપવામાં આવે છે અને એ માટે તેઓ લોકો પાસેથી રૂ. ૨૫૦નો ચાર્જ લે છે, પણ પહેલી મેથી તેઓ રસીના ડોઝ સીધા ઉત્પાદકો પાસેથી ખરીદશે.

કેન્દ્ર સરકારે સોમવારે જણાવ્યું હતું કે સરકારે રસીકરણની પ્રક્રિયામાં વધુ ઉદારતા લાવીને હવે બધાં જ રાજ્યો, ખાનગી હૉસ્પિટલો અને ઔદ્યોગિક એકમોને ઉત્પાદકો પાસેથી જાતે જ રસીના ડોઝ મેળવવા માટે મંજૂરી આપી છે.

આ નિતિ પહેલી મેથી અમલમાં આવશે અને સમયાંતરે એની સમીક્ષા કરવામાં આવશે.

ભારત સરકારના રસીકરણ કેન્દ્રોમાં અગાઉની જેમ જ સ્વાસ્થ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઇન કર્મચારીઓ અને ૪૫ વર્ષથી વધુ વયની બધી જ વ્યક્તિ માટે નિશુલ્ક રસીકરણ ચાલુ રાખવામાં આવશે. આ જૂથની બધી વ્યક્તિ માટે રસીનો બીજો ડોઝ લેવા માટે ખાસ પ્રાથમિકતા આપવામાં આવશે. આ માટે સંબંધિતોને ખાસ પ્રકારના અને ચોક્કસ આયોજન માટે જણાવવામાં આવશે.

પહેલી મેથી શરૂ થતા રસીકરણના ત્રીજા તબક્કા માટે રસીના ઉત્પાદકો પોતાના માસિક ઉત્પાદનના પચાસ ટકા ડોઝ કેન્દ્ર સરકારને આપશે અને બાકીનો પચાસ ટકા સ્ટૉક રાજ્ય સરકારને તથા બજારમાં વેચી શકશે.

સરકારે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને અન્યોને વેચવાની રસીના ડોઝનો ભાવ ઉત્પાદકોએ ૧ મે ૨૦૨૧ અગાઉ જાહેર કરવો પડશે.

આ ભાવને આધારે રાજ્ય સરકાર, ખાનગી હૉસ્પિટલો અને ઔદ્યોગિક એકમો વગેરે ઉત્પાદકો પાસેથી રસીના ડોઝ મગાવી શકશે.

ખાનગી હૉસ્પિટલોએ કેન્દ્ર સરકારની ચૅનલ મારફત આવતી રસી ઉપરાંતના ડોઝ જાહેર વેચાણ માટેના પચાસ ટકામાંથી ખરીદવાની રહેશે.

ખાનગી ધોરણે રસી આપનારાએ પોતાના રસી આપવાના ભાવ પારદર્શી રીતે જાહેર કરવાના રહેશે.

જોકે, વપરાશ માટે વિદેશથી મગાવવામાં આવેલી તૈયાર રસીના ડોઝનો વપરાશ ભારત સરકાર સિવાયની ચૅનલ માટે વાપરી શકાશે.

સરકારી તેમ જ બિન-સરકારી રસીકરણ કેન્દ્રોમાં કરવામાં આવતા રસીકરણની નોંધ સ્ટૉક અને પ્રતિ ડોઝના ભાવ સહિત કોવિન પ્લૅટફોર્મ પર થશે, ડિજિટલ રસીકરણનું સર્ટિફિકેટ વગેરે અન્ય બધી જ પ્રક્રિયા હાલ પ્રમાણે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ જ રહેશે.

April 22, 2021
CIA_Live_Logo_New2.jpg
1min343
Symbolic photo

રાજ્ય સરકારે કોરોનાની સારવાર માટેના પ્રોટોકોલમાં બે નવી દવા ફેવીપિરાવીર કે જેને સામાન્ય રીતે ફેબી ફ્લૂ તરીકે ઓળખાય છે તે અને આઈવરમેક્ટિનને સામેલ કરી છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ આ માહિતી આપી હતી.

રાજ્ય સરકારની કોરોના સામે લડવા માટે બનાવેયાલી તજજ્ઞ ડોક્ટરોની ટાસ્ક ફોર્સના સીનિયર સભ્યોએ આજે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ કહ્યું કે, દેશભરમાં જે પરિસ્થિતિ છે, તે મુજબ ગુજરાતમાં સતત કેસ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે, નિષ્ણાંતોનું માર્ગદર્શન લઈને ગાઈડલાઈનમાં ફેરફારો અને સુધારાઓ કરવામાં આવ્યા છે.

ડો. રાઘવેન્દ્ર દિક્ષીતે કહ્યું કે, ‘આપણે એક વર્ષ કરતા વધુ સમયથી કોરોના સામે ઝઝુમી રહ્યાં છીએ. અનુભવના આધારે ક્લીનિકલ પ્રોટોકોલમાં સુધારો આવે છે. મહારાષ્ટ્ર અને કેરળમાં કેસ વધારે છે. એ રાજ્યોની ગાઇડલાઇન અને પદ્ધતિનો અભ્યાસ કર્યો છે. ફેબી ફ્લૂ દવાને પ્રોટોકોલમાં સામેલ કરવામાં આવી છે. આ સાથે અન્ય એક દવાને પણ ક્લીનિકલ પ્રોટોકોલમાં સામેલ કરવામાં આવી છે.’

April 22, 2021
vaccine-1.jpg
2min820

Jayesh Brahmbhatt 98253 44944

કેન્દ્ર સરકારે બુધવાર તા.૨૧મી એપ્રિલ ૨૦૨૧ના રોજ જારી કરેલા આંકડાઓ પ્રમાણે જે વ્યક્તિએ વેક્સીનનો એક ડોઝ લીધો હોય તેને કોરોના સંક્રમણ થવાની શક્યતાઓ બિલકુલ નહીવત્ત છે. કેન્દ્રના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે વેક્સીનનો એક ડોઝ લેનાર દર ૧૦૦૦૦ (દસ હજાર) વ્યક્તિઓએ ફક્ત ૨ કે ૪ લોકોને કોરોના સંક્રમણ થયું છે. આ સંક્રમણ બિલકુલ નહીવત કહી શકાય. આનો મતલબ એ થાય કે વેક્સીન કોરોના સામે ઉચ્ચ દરજ્જાનુંં રક્ષણ આપે છે.

કોરોના વેક્સીનનો એક કે બન્ને ડોઝ લીધા પછી કોરોના થાય તો તેને બ્રેક થ્રુ ઇન્ફેકશન કહેવાય છે. આ બ્રેક થ્રુ ઇન્ફેકશનના આંકડાઓ જોયા પછી ભારતીય વૈજ્ઞાનિકો છાતી ઠોકીને કહી રહ્યા છે કે વેક્સીનેશન જ કોરોનાને અસરકારક રીતે કન્ટ્રોલ કરી શકશે.

રસી લીધા પછી જે લોકોને કોરોના સંક્રમણ થયું છે એવા બ્રેક થ્રુ ઇન્ફેકશનના કેસોમાં પણ મોટા ભાગે ફ્રન્ટલાઇન કોરોના વર્કરનો સમાવેશ થાય છે.

Getting infection after vaccination is known as breakthrough infection. 2-4 per 10,000 breakthrough infections have occurred, which is a very small number,” Dr Balram Bhargava, secretary, department of health research and director-general of ICMR, told reporters on Wednesday 21st April 2021

કોરોના વેક્સીન લેનારને ચેપની શક્યતા અત્યંત ઓછી

દેશમાં રસીકરણની રફ્તાર મંદ રહેવાનું કારણ રસીની અછત ઉપરાંત તેનાં પ્રત્યે જનતામાં ગેરસમજ અને શંકાકુશંકાઓ પણ છે. જો કે હવે આવા તમામ સંશય દૂર થઈ જાય તેવા આંકડા સરકાર તરફથી જારી કરવામાં આવ્યાં છે. જે મુજબ અત્યાર સુધીમાં રસી લેનાર લોકોમાંથી કુલ મળીને 0.02થી 0.04 ટકા જેટલા લોકો જ કોરોનાથી સંક્રમિત થયા છે. એટલે કે 10 હજાર લોકોમાંથી વધીને બેથી ચાર લોકોને જ રસી લીધા પછી કોરોનાનો ચેપ લાગે છે.

સરકારી આંકડા અનુસાર 20 એપ્રિલ 2021 સુધીમાં દેશમાં કોવિશીલ્ડ 11.6 કરોડ લોકોને આપવામાં આવી હતી. જેમાં પહેલો ડોઝ લેનાર 10.03 કરોડ લોકોમાંથી ફક્ત 1174પ લોકો જ કોરોનાગ્રસ્ત બન્યા હતાં. જે કુલ સંખ્યાનાં માત્ર 0.02 ટકા જ છે. કોવિશીલ્ડનો બીજો ડોઝ લેનાર 1.પ7 કરોડ લોકોમાંથી પ04 લોકોને રસી લીધા પછી સંક્રમણ લાગ્યું હતું. જે કુલ સંખ્યાનાં માત્ર 0.03 ટકા છે.

એ જ રીતે કોવેક્સિન અત્યાર સુધીમાં કુલ 1.10 કરોડ લોકોને આપવામાં આવી છે. પહેલો ડોઝ લેનારા 93,56,436 લોકોમાંથી 4,208 લોકો સંક્રમિત થયા હતા, જે કુલ સંખ્યાના 0.04 ટકા છે અને બીજો ડોઝ લેનારા 17,37,178માંથી માત્ર 695 લોકોને કોરોના થયો હતો, જે કુલ સંખ્યાના 0.04 ટકા છે.

The vaccine prevents you from getting the disease in the form of severe illness

The vaccine prevents you from getting the disease in the form of severe illness. It may not prevent you from getting the infection. It’s important to understand that even after the vaccine, we may have a positive report. That is why it is important to wear a mask even after getting the vaccine,” said Dr Randeep Guleria, director at All India Institute of Medical Sciences.

April 21, 2021
banking.jpg
1min566

આજ 21/4/21 થી બેંકોમાં કામના કલાકોમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે. રાજ્યના નાણાં વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર મુજબ, ગ્રાહકોની સેવા માટેનો સમય સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે.

મહાગુજરાત બેંક એમ્લોયી અસોસિએશન (MGBEA) દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવ્યાના એક દિવસ બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો. વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણયનો અમલ 30/4/21 સુધી ચાલુ રહેશે.

ગુજરાતમાં કોવિડ-19ના કેસ વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને જાહેર અને ખાનગી ક્ષેત્રની મોટી બેંકોના હેડ, અમદાવાદ RBIના રિજનલ ડિરેક્ટર અને ગુજરાત SLBCના કન્વીનરે આ અંગે બેઠક યોજી હતી અને બેંકિંગ પ્રવૃતિઓ અંગે ચર્ચા કરી હતી.

આ સમયગાળા દરમિયાન, બેંકની શાખાઓ અને તેની ઓફિસો ગ્રાહકોને માત્ર જરૂરી સેવાઓ આપશે, જેમાં કેશ ડિપોઝિટ, કેશ વિડ્રોઅલ, RTGS, રિમિટન્સ અને ક્લીયરન્સનો સમાવેશ થાય છે. બેંકિંગ સેવાઓનો લાભ લેવા માટે વરિષ્ઠ નાગરિકોને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવશે.

‘કોરોના વાયરસના ફેલાવાનો ઓછો કરવા માટે શાખાઓમાં કર્મચારીઓની સંખ્યા 50 ટકા જેટલી ઘટાડવામાં આવશે, બાકીના કર્મચારીઓ ઘરેથી કામ કરશે’, તેમ પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું.

વિભાગે બેંકોને ATMમાં પૂરતી રોકડની ખાતરી કરવા અને ગ્રાહકોને ડિજિટલ પેમેન્ટ મોડનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનું પણ જણાવ્યું છે.

‘કેન્દ્ર, રાજજ્ય સરકાર અને અન્ય સ્થાનિક અધિકારીઓ દ્વારા લાગુ કરવામાં આવેલી કોવિડ-19ની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે’, તેમ પરિપત્રમાં વધુમાં લખ્યું હતું.

April 21, 2021
jharkhand-lockdown-again_21575293.jpg
1min397

કોરોના સંક્રમણ બેકાબૂ બનતાં દેશનાં વધુ એક રાજ્ય દ્વારા આજે પૂર્ણ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ઝારખંડમાં વધી રહેલા કેસને ધ્યાને લેતા આજે મુખ્યમંત્રી હેમંત સોરેને એક ઉચ્ચસ્તરીય બેઠકમાં આ વિશે ફેંસલો કર્યો હતો. ઝારખંડમાં 22 એપ્રિલથી 29 એપ્રિલ સુધી એક સપ્તાનું લોકડાઉન રહેશે. આ દરમિયાન માત્ર આવશ્યક સેવાઓને જ છૂટછાટ મળશે. મુખ્યમંત્રી હેમંત સોરેને 22 એપ્રિલે સવારે 6 વાગ્યાથી 29 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધીનાં લોકડાઉનને સ્વાસ્થ્ય સુરક્ષા સપ્તાહ નામ આપ્યું છે.

મુખ્યમંત્રી હેમંત સોરેને રાજ્યમાં 1 અઠવાડિયાની લોકડાઉનની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવી અત્યંત જરુરી છે. આ સાથે જ તેમણે રાજ્યની જનતાને નિયમોનું કડકાઈથી પાલન કરવાનો અનુરોધ પણ કર્યો હતો.ઝારખંડ સરકારે લોકડાઉનમાં કેટલાક છૂટછાટો પણ આપી છે. જરુરી વસ્તુઓને બાદ કરતા બાકીના તમામ દુકાનો બંધ રહેશે. કારણ વગર લોકો ઘરની બહાર નહીં જઈ શકે. ધાર્મિક સ્થળો ખુલ્લા રહેશે પરંતુ શ્રદ્ધાળુઓ પર પ્રતિબંધ ચાલુ રહેશે. ભારત સરકાર અને રાજ્ય સરકારના મહત્ત્વના કાર્યાલયોને બાદ કરતા બાકીના તમામ કાર્યાલયો બંધ રહેશે.’