CIA ALERT

વાયરલ Archives - Page 34 of 80 - CIA Live

August 23, 2021
gseb-1280x720.jpg
1min440

2021માં કોરોના પેન્ડેમિકના કારણે સમગ્ર દેશમાં તમામ બોર્ડસની ધો.10 અને ધો.12ની પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી હતી અને જુદી જુદી ફોર્મ્યુલાઓ ઘડીને ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને પાસ કરી દેવાયા છે. આ જોઇને ધો.12 સાયન્સ, કોમર્સ, આર્ટસના ગુજરાત બોર્ડના રિપીટર્સ વિદ્યાર્થીઓએ (2020ની પરીક્ષામાં નાપાસ થયેલા) પણ માગણી કરી હતી કે તેમને પણ ધો.12માં માસ પ્રમોશન આપીને પાસ કરી દેવામાં આવે.

ગુજરાત સરકાર અને ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12ના રિપીટર્સ વિદ્યાર્થીઓની માસ પ્રમોશન આપીને પાસ જાહેર કરવાની માગણી નહીં સ્વીકારવામાં આવતા આ વિદ્યાર્થીઓ પોતાને માસ પ્રમોશન મળે એ માટે છેક ગુજરાત હાઇકોર્ટ સુધી લડત આપી હતી. ગુજરાત હાઇકોર્ટે પરીક્ષાના પાંચ દિવસ અગાઉ સૂચના આપી હતી કે રિપીટર્સ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં મળે તેમણે પરીક્ષા આપીને પાસ થવું પડશે.

2020માં નાપાસ થયેલા ધો.12 કોમર્સના વિદ્યાર્થીઓની જુલાઇ 2021માં ગુજરાત બોર્ડે પરીક્ષા લીધી હતી

1,14,193 વિદ્યાર્થીઓએ આખા ગુજરાતમાંથી પરીક્ષા આપી હતી જેમાંથી ફક્ત 31,785 વિદ્યાર્થીઓ જ પાસ થયા. ટકાવારી પરીણામ 27.85 છે.

એ પછી જુલાઇ 2021માં ગુજરાત બોર્ડે ધો.12 કોમર્સના રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી હતી, જેનું આજે જાહેર થયેલું પરીણામ ફક્ત 27 ટકા જેટલું જ આવ્યું છે.

આ રહ્યું ધો.12 સામાન્ય પ્રવાહ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓનું પરીણામ

August 23, 2021
cia_edu-1280x925.jpg
1min441

રાજ્યની સરકારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓમાં કાર્યરત શિક્ષકોના નોલેજ અપગ્રેડેશન અંગે આગામી તા.24મી ઓગસ્ટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી સ્તરનું શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ યોજવામાં આવ્યું છે. સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 3800થી વધુ શિક્ષકોમાં પૈકી મોટા ભાગના શિક્ષકો આ સર્વેક્ષણનો બહિષ્કાર કરશે એમ પ્રાથમિક શૈક્ષિક સંઘ, સુરતના પ્રમુખ મહેશ પટેલે www.cialive.in (98253 44944) સુરતને જણાવ્યું હતું. અગાઉ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કરવા માટે એલાન આપી દીધું હતું.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણના પ્રશ્ર્ને હવે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ પણ મેદાનમાં આવ્યું છે. એક તરફ જ્યારે પરીક્ષા યોજવાને લઇને સરકાર દ્વારા તૈયારી કરાઇ છે ત્યારે રાજ્યના બે શિક્ષક સંઘો આમને-સામને આ મુદ્દે આવી ગયા છે.

Hall Ticket -Shikshak Sajjata Survey 2021 All Details STUDY MATERIALS -  શિક્ષક સજ્જતા સર્વેક્ષણ 2021

સર્વેક્ષણના પરીણામોને પગાર સાથે જોડવાનો ભય

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પ્રાથમિક શૈક્ષિક સંઘના પ્રમુખ મહેશભાઇ પટેલે કહ્યું કે શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો એક એવો પણ ભય શિક્ષકોમાં પ્રવર્તી રહ્યો છે કે સરકાર સર્વેક્ષણના તારણો કે પરીણામને પગાર, ઇન્ક્રીમેન્ટ વગેરે સાથે જોડી દેશે તો શિક્ષકોએ સમગ્ર નોકરી દરમિયાન એ વેઠવાનું આવશે. અગાઉ ત્રિપલ સીની પરીક્ષા બાબતે પણ આવું જ થયું હતું પરીણામે સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જ નહીં બલ્કે રાજ્યની દરેકે દરેક સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો પણ શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કરશે.

સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના, પ્રાથમિક શૈક્ષિક સંઘના પ્રમુખ મહેશ પટેલે જણાવ્યું હતું કે સુરતના 3800 પૈકી મોટા ભાગના શિક્ષકો રાજ્ય સરકારના તા.24મીના શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કરશે. તેમણે કહ્યું કે લાખો રૂપિયાના ખોટા ખર્ચે આ સર્વેક્ષણ યોજાઇ રહ્યું છે. હકીકતમાં 8થી 9 એજન્સીઓ નિયમિત રીતે શિક્ષણ સમિતિના શિક્ષકોનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરતા જ હોય છે. એથી વિશેષ નિયમિત રીતે શિક્ષકોની ટ્રેનિંગ થાય છે, ટ્રેનિંગ પૂરી થયા પછી એ શિક્ષક કેટલું શીખ્યા તેની પણ ટેસ્ટ આપે છે, આ રીતે વર્ષે 40 જેટલી પરીક્ષાઓ તો શિક્ષક આપતા જ હોય છે, પછી હવે વધારાના શિક્ષક સજ્જતા સર્વેક્ષણની કોઇ જરુરીયાત જણાતી નથી અને સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો આ સર્વેક્ષણની આડમાં લેવાનારી પરીક્ષાનો બહિષ્કાર કરશે.

બીજી તરફ, ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ પરીક્ષાથી અળગા રહેવાનો નિર્ણય કરાયાનું રાજ્યના પ્રમુખ ચંદ્રકાન્ત ખાખરીયા અને મહામંત્રી મનોજ પટેલે જાહેર કર્યુ છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આગામી તા.24 ઓગસ્ટના રોજ યોજાનારી શિક્ષક સજ્જતા સર્વેક્ષણ માં રાજ્યભરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતીઓના પ્રાથમિક શિક્ષકો અળગા રહેવાની ચીમકી રાજ્યના પ્રમુખ ચંદ્રકાન્ત ખાખરીયાએ આપી છે.

August 18, 2021
women_military_police.jpg
1min792

સુપ્રીમ કોર્ટે આજરોજ તા.18મી ઓગસ્ટે આપેલા એક મહત્વના ચુકાદામાં મહિલાઓને નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ની પરીક્ષામાં બેસવાની મંજૂરી આપી દીધી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, મહિલાઓ નેશનલ ડિફેન્સ એકેડમીની પ્રવેશ પરીક્ષામાં સામેલ થઈ શકે છે. આ આદેશ ૫ સપ્ટેમ્બરે યોજાનારી એનડીએની પરીક્ષાથી જ લાગુ થશે. 

આ મામલે સુનાવણી દરમિયાન સેનાએ કહ્યું કે, એનડીએ પરીક્ષામાં મહિલાઓને સામેલ ન કરવી પોલિસી નિર્ણય છે. આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો આ પોલિસી નિર્ણય છે તો તે ભેદભાવપૂર્ણ છે. જો કે, ૫ સપ્ટેમ્બરે પરીક્ષામાં બેસવાનો આદેશ સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણયને આધીન રહેશે.

અગાઉ, આ મામલે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે મહિલાઓને એનડીએની પરીક્ષામાં સામેલ કરવામાં આવે. સાથે અરજીમાં એવો ઉલ્લેખ પણ કરાયો હતો કે, લિંગના આધાર પર મહિલાઓને એનડીએમાં સામેલ કરવામાં આવતી નથી, જેથી તે સમાનતાના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કહી શકાય. 

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ૧૨ પાસ કરનારી મહિલા ઉમેદવારોને તેમના લિંગના આધારે NDA અને નૌસેની એકેડમી પરીક્ષા આપવાના અવસરથી વંચિત કરી દેવામાં આવે છે. જેના લીધે યોગ્ય પાત્રતા ધરાવતી મહિલા ઉમેદવારોને પ્રવેશ મેળવવાનો કોઈ માર્ગ નથી. જ્યારે સમાન શિક્ષણ પ્રાપ્ત કરનાર પુરુષ ઉમેદવારોને પરીક્ષા આપવાનો અવસર મળે છે. 

August 14, 2021
Self-Help-Groups-in-india.jpg
1min478

મહિલાઓનું સૅલ્ફ-હૅલ્પ ગ્રુપ ગામડાંઓને સમૃદ્ધિ સાથે જોડી શકે તે માટેનું વાતાવરણ સરકાર સતત ઊભું કરી રહી હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તા.12 ઓગસ્ટ 2021ને ગુરુવારે કહ્યું હતું. મહિલાઓનાં આવાં ચાર લાખ કરતાં પણ વધુ સૅલ્ફ-હૅલ્પ ગ્રુપને આર્થિક ટેકો આપવા વડા પ્રધાને રૂ. ૧૬૨૫ કરોડ ફાળવ્યા હતા. 

‘આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’ શીર્ષક હેઠળ  મહિલાઓનાં સૅલ્ફ-હૅલ્પ ગ્રૂપ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે વાતચીત કરતા મોદીએ કહ્યું હતું કે બદલાતા ભારતમાં મહિલાઓ માટે આગળ આવવાની તક વધી રહી છે. 

છેલ્લાં છ-સાત વર્ષમાં મહિલાઓનાં સૅલ્ફ-હૅલ્પ ગ્રૂપની ગતિવિધિઓ વધી છે અને આ ગ્રૂપની ૭૦ લાખ કરતા પણ વધુ મહિલાઓ દેશભરમાં કામ કરી રહી છે. આ આંકડો અગાઉ કરતા ત્રણગણો હોવાનું તેમણે કહ્યું હતું. 

આ ગ્રૂપ સાથે દેશની આઠ કરોડ કરતા પણ વધુ મહિલાઓ સંકળાયેલી છે, એમ તેમણે કહ્યું હતું. 
મિનિસ્ટ્રી ઑફ ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝની પ્રાઈમ મિનિસ્ટર ફૉર્માલાઈઝેશન ઑફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ ઍન્ટરપ્રાઈસિસ (પીએમએફએમઈ) યોજના હેઠળ એસએચજીના ૭૫૦૦ સભ્ય માટે રોકાણ માટે મોદીએ પચીસ કરોડ અને ૭૫ એફપીઓ (ફાર્મર પ્રોડ્યૂસર ઑર્ગેનાઈઝેશન) માટે ૪.૧૩ કરોડ રૂપિયા ફાળવ્યા હતા. 

દીનદયાલ અંત્યોદય યોજના-નેશનલ રુરલ લાઈવલીહૂડ મિશન હેઠળ એસએચજી ગ્રૂપને વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

August 11, 2021
mansukh-mandaviya.jpg
1min470
Useless statements': States knew about vaccine availability in advance,  says Mansukh Mandaviya on shortage - Coronavirus Outbreak News

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન મનસુખ માંડવિયાએ મંગળવારે 10/8/21 ટવીટરના મધ્યમે જાહેરાત કરી છે કે ગુજરાતના અંકલેશ્વરમાં ભારતબાયોટેકની કોવેક્સિનની ઉત્પાદન સુવિધાને સરકારની મંજૂરી આપી છે.

માંડવિયાએ 6 ઓગસ્ટના રોજ રાજ્યસભાને માહિતી આપી હતી કે ભારત બાયોટેક અને ત્રણ જાહેર ક્ષેત્રની કંપનીઓ હાફકીન બાયોફાર્માસ્યુટિકલ કોર્પોરેશન લિમિટેડ, ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ લિમિટેડ (IIL) અને ભારત ઇમ્યુનોલોજિકલ બાયોલોજિકલ કોર્પોરેશન લિમિટેડ હાલ કોવેક્સિનનું ઉત્પાદન કરી રહી છે અને ઉત્પાદન વધારવા માટે સુવિધા વધારવામાં આવી રહી છે.

અહેવાલો અનુસાર અંકલેશ્વર સ્થિત કંપનીની સબસિડરી Chiron Behring Vaccinesમાં કોવેક્સિનના ઉત્પાદનને મંજૂરી આપવામાં આવી છે. અંકલેશ્વરમાં ટૂંક સમયમાં કોરોનાની રસી બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે. આ સુવિધામાં વાર્ષિક 20 કરોડ ડોઝનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. ભારત બાયોટેક કેન્દ્ર સરકારને પોતાની રસીના 50 કરોડ ડોઝ આપવા માટે પ્રતિબદ્ધ છે. હાલમાં ભારત બાયોટેકની રસીનું ઉત્પાદન હૈદરાબાદ, બેંગલુરૂ, પુણે અને અંકલેશ્વર થઈ રહ્યું છે.  

ઉલ્લેખનીય છે કે ભારત બાયોટેકે ગુજરાતના અંકલેશ્વરમાં કોવેક્સિન માટે ઉત્પાદન ક્ષમતાઓને વધારવાની જાહેરાત કરી છે. ભારત બાયોટેક તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કંપની પોતાના ગુજરાત પ્લાન્ટમાં ૧ વર્ષમાં કોવેક્સિનના 20 કરોડ ડોઝ બનાવશે.

અગાઉ નીતિ આયોગના સભ્ય ડૉ. વી કે પોલે 3 ઓગસ્ટના રોજ પત્રકારોને જણાવ્યું હતું કે IILએ ગુજરાતના અંકલેશ્વર ખાતે વધારાની સુવિધા શરૂ કરી છે જ્યાં રસીના 60 લાખ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે.

August 9, 2021
icmr.jpg
1min422

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ એક નિવેદનમાં કહ્યું કે કોવેક્સિન અને કોવિશિલ્ડ કોરોના રસીના મિશ્રિત ડોઝ વધારે કારગર સાબિત થઈ શકે છે.

કોરોના મહામારી સામે લડવા સમગ્ર દુનિયા સંપૂર્ણ રીતે પ્રયાસો કરી રહી છે. દેશ-વિદેશના વૈજ્ઞાનિકો આ મામલે કોઈ કસર નથી છોડી રહ્યા, કોરોનાની રસીને લઈ પણ કેટ કેટલી મથામણો કરવામાં આવી રહી છે. કોરોના રસીનો પ્રથમ અને બીજા ડોઝ માટે અલગ-અલગ વેક્સિનના વપરાશને લઈને વિશ્વભરમાં ઘણા ટ્રાયલ ચાલી રહ્યા છે. આ વચ્ચે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ એક સારી માહિતી જાહેર કરી છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ એક નિવેદનમાં કહ્યું કે કોવેક્સિન અને કોવિશિલ્ડ કોરોના રસીના મિશ્રિત ડોઝ વધારે કારગર સાબિત થઈ શકે છે. તેમણે કહ્યું કે બંને વેકિસનના ડોઝ અપાયેલાના અભ્યાસમાં પોઝિટીવ રિઝલ્ટ સામે આવ્યું છે. 

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ દાવો કર્યો છે કે કોવેક્સીન અને કોવિશિલ્ડના કોકટેલ પરના અભ્યાસમાં વધુ સારા પરિણામો જોવા મળ્યા છે.  આ ઉપરાંત અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રસી માત્ર સુપરક્ષિત હોવાનુ જ નહીં, પરંતુ એડેનોવાયરસ વેક્ટર પ્લેટફોર્મ આધારિત રસીના મિશ્રણ વધુ સારી રોગપ્રતિકારક શક્તિ  વધારવામાં પણ કારગર નીવડે છે. 

ભારતની ડ્રગ રેગ્યુલેટર DCGIની નિષ્ણાત પેનલે કોવિશિલ્ડ અને કોવેક્સિન કોરોના રસીના મિશ્રિત ડોઝ પર અભ્યાસ કરવા માટે ભલામણ કરી હતી. વેલ્લોરમાં ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ (સીએમસી) દ્વારા આ રીતના અભ્યાસ માટેની પરવાનગી માંગવામાં આવી હતી અને પછી આ ભલામણ સામે આવી છે. 

આ અંગે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ જણાવ્યું કે આ અધ્યયનનો ઉદેશ્ય એ જાણવાનો છે કે એક જ વ્યક્તિને બે અલગ અલગ રસી ડોઝ આપી શકાય છે કે નહીં, તે માટે રસીકરણનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવ્યો. જો કોઈને કોવિશિલ્ડનો એક ડોઝ અને કોવોક્સિનનો એક ડોઝ આપવામાં આવે તો શું થાય અને તેની કેવી અસર થાય ?  તે અંગે અભ્યાસ કરવામાં આવ્યો. જો કે, અભ્યાસમાં જાહેર થયેલા પરિણામોથી સાબિત થયુ છે કે કોવિશિલ્ડ-કોવેક્સિનના મિશ્ર ડોઝ અસરકારક નીવડે છે.

જુલાઈમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના ચીફ વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને ચેતવણી આપી હતી કે કોઈએ પણ રસીને મિક્સ કરીને ડોઝ ના લેવા, જેના કારણે જોખમ ઉભુ થઈ શકે છે. 

August 7, 2021
Neeraj-Chopra-july-afp_d.jpg
1min717
Neeraj Chopra, Shivpal Singh aim to set Indian javelin record straight at  Tokyo Olympics | Other News – India TV

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો

ભારતના સ્ટાર ભાલાફેંક એથ્લેટ નીરજ ચોપરાએ ઈતિહાસ રચી દીધો છે. નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક્સમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ તેણે ટ્રેક એન્ડ ફિલ્ડમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનારો ભારતનો પ્રથમ એથ્લેટ બન્યો છે. જ્યારે ઓલિમ્પિક્સમાં વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારો ભારતનો બીજો એથ્લેટ છે. નીજર અગાઉ શૂટર અભિનવ બિન્દ્રાએ 2008 બેઈજિંગ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ફાઈનલમાં નીજર ચોપરાએ પ્રથમ પ્રયાસમાં જ 87.03 મીટર સાથે અદ્દભુત શરૂઆત કરી હતી. જ્યારે જર્મનીના સ્ટાર જોહાનીસ વેટ્ટરે 82.52 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. પ્રથમ પ્રયાસના અંતે ચોપરા પ્રથમ સ્થાને રહ્યો હતો. જ્યારે જર્મનીનો જૂલિયન વેબર 85.30 મીટર સાથે બીજા ક્રમે રહ્યો હતો. પાકિસ્તાનનો અર્શદ નદીમ 82.05 મીટર સાથે પાંચમાં ક્રમે રહ્યો હતો.

બીજા થ્રોમાં તો નીરજે વધારે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે 87.58 મીટરનો થ્રો કરીને પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું હતું. જ્યારે જર્મન સ્ટાર વેટ્ટર બીજા પ્રયાસમાં ફાઉલ થયો હતો. તે મેદાન પર પડી ગયો હતો અને તેને પીડા પણ થઈ રહી હતી. બીજા રાઉન્ડના અંતે પણ નીરજ ટોચ પર રહ્યો હતો. વેબર બીજા અને ચેક રિપબ્લિકનો જાકુબ વેડલેચ 83.98 મીટર સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો.

ત્રીજા પ્રયાસમાં નીરજ 80 મીટરનો આંક પણ પાર કરી શક્યો ન હતો. ત્રીજા પ્રયાસમાં તેણે 76.79 મીટર થ્રો કર્યો હતો. જોકે, પોતાના શ્રેષ્ઠ 87.58 મીટરના થ્રો સાથે તેણે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું હતું. જોકે, ચેક રિપબ્લિકનો વેસેલી વિટેઝસ્લાવ ત્રીજા પ્રયાસમાં 85.44 મીટરના થ્રો સાથે બીજા ક્રમે આવી ગયો હતો. નીરજનો ચોથો અને પાંચમો પ્રયાસ ફાઉલ રહ્યો હતો તેમ છતાં તે ટોચના સ્થાને રહ્યો હતો.

August 7, 2021
cottonseed_oil.jpg
1min415

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દોઢ વર્ષ પહેલા ભારતમાં પહેલી વખત એવું બન્યું હતું કે પેટ્રોલ કરતા ડીઝલનો ભાવ વધી ગયો હતો. આવું ઇતિહાસમાં પહેલી વખત બનતા તમામને નવાઇ લાગી હતી કેમકે ડિઝલ પેટ્રોલથી સસ્તું મળી રહ્યું હતું. એવું જ કંઇક ખાદ્યતેલોના ભાવમાં બન્યું છે. લોકોએ સ્વપનેય વિચાર્યું ન હતું કે કપાસીયા તેલનો ભાવ સિંગતેલ કરતા વધી જશે અને એવું જ બન્યું છે. સિંગતેલ કરતા કપાસીયા તેલનો ભાવ વધી જતા લોકોમાં ભારે અચરજ ફેલાયું છે. કપાસીયા તેલ સિંગતેલથી બહું જ સસ્તુ મળી રહ્યું હતું.

ઇતિહાસમાં પહેલીવાર કપાસિયા તેલના ભાવે સિંગતેલના ભાવને ટપી ગયા છે અને રાજકોટમાં સિંગતેલના ડબ્બે રુ.10 ઉંચા ભાવે સોદા થયા હતા. અત્યાર સુધી એવું જ જોવા મળ્યું છે કે સિંગતેલના ભાવ ઉંચા હોય કરકસર માટે લોકો કપાસિયા તેલ તરફ વળ્યા હતા પરંતુ, પ્રથમવાર બજારમાં ઉલ્ટુ ચિત્ર સર્જાતા ભારે અચરજ ફેલાયું છે.

રાજકોટમાં તા.4 ઓગસ્ટ 2021ના રોજ જથ્થાબજારમાં 15 કિલો સિંગતેલ નવા ડબ્બાના સોદા રુ.2435થી મહત્તમ રુ. 2485ના ભાવે પડ્યા હતા. તા.5 ઓગસ્ટે પણ તેના ભાવ આટલા જ રહ્યા હતા. જ્યારે તા.4 ઓગસ્ટે રુ. 2435થી 2465 વચ્ચે વેચાયેલ કપાસિયા તેલમાં તા.5મી ઓગસ્ટે રુ.10નો વધારો થતાં તા.5મી ઓગસ્ટે કપાસિયા તેલના ડબ્બાના રુ. 2455-2485ના ભાવે સોદા થયા હતા.

ગુજરાત એડીબલ ઓઈલ એન્ડ ઓઈલ સીડ્ઝ એસો. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં કપાસિયા તેલના ભાવમાં આવી ઉથલપાથલ થઈ નથી. તેમણે આ સાથે ઉમેર્યું કે એવું લાગી રહ્યું છે કે સિંગતેલના ભાવ માંગ અને પૂરવઠા મૂજબ છે ત્યારે કપાસિયા તેલમાં સટ્ટાખોરીથી ભાવ વધ્યા છે.

પામોલીન તેલમાં સરકારે આયાત માટે છૂટછાટ આપી છે, 30 સપ્ટેમ્બર સુધી ડયુટીમાં પણ ઘટાડો કર્યો છે છતાં પામોલીન તેલના ભાવ ઘટવાને બદલે વધી રહ્યા છે.

રાજકોટ માર્કેટયાર્ડમાં તા.6 ઓગસ્ટે કપાસિયાનો સૌથી ઉંચો રુ. 1790 સુધીના ભાવ મળ્યા હતા. યાર્ડમાં 250 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. માત્ર એક સપ્તાહમાં જ કપાસના પ્રતિ મણ દીઠ ભાવમાં રુ.57નો વધારો થયો છે. આ ઉપરાંત સોયાબીન, સન ફ્લાવર અને પામોલિન સહિતના તેલો કરતાં કપાસિયા તેલ સસ્તુ હોવાથી તેનો વધુ વપરાશ અને સામી બાજુ કપાસિયા તેલની શોર્ટેજ આ કારણો પણ ભાવ વધારા માટે જવાબદાર છે.

August 3, 2021
cia_windo-1-1280x793.jpg
1min836

જેની શાળાઓ આખા ભારત દેશ ઉપરાંત વિદેશોમાં પણ પથરાયેલી છે એ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE દ્વારા આજરોજ તા.3 ઓગસ્ટ 2021ના રોજ ધો.10નું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. કોરોના પેન્ડેમિકને કારણે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE સમેત કોઇપણ રાજ્ય બોર્ડ દ્વારા ફિઝિકલ ઓફલાઇન પરીક્ષાઓ થઈ શકી નથી તેવા સંજોગોમાં આંતરીક મૂલ્યાંકન અને અગાઉના વર્ષોના પરીણામોને આધારે સીબીએસઇએ આજે ઔપચારિક પરીણામ જાહેર કર્યું છે.

સુરતની જાણિતી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE એફિલિયેટેડ સ્કુલના સંચાલકે જણાવ્યું કે આજના પરીણામનું મહત્વ દસ્તાવેજી રીતે છે, વિદ્યાર્થીઓને માર્કશીટ આજે નહીં પણ ભવિષ્યમાં જરૂર પડશે એટલે પરીણામ તો જરૂરી હતું પછી ભલે એ ઔપચારિક જ બનીને ભલે ને રહી ગયું હોય. તેમણે કહ્યું કે ધો.11 સાયન્સ, કોમર્સ અને હ્યુમેનિટીઝમાં 25 ટકા જેટલો સિલેબસ પૂરો થઇ ચૂક્યો છે અને કોચિંગ ક્લાસીસોએ તો 40 ટકા સુધી ભણાવી દીધું છે ત્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE પરીણામોની શૈક્ષણિક મહત્વતા રહી નથી.

ધો.10 પછી ડિપ્લોમા ઇજનેરીનું રજિસ્ટ્રેશન 14 ઓગસ્ટ સુધી લંબાવાયું

ધો.10 પછી ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ કાર્યવાહી ગુજરાતમાં એક મહિના અગાઉ શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ, દેશના સૌથી મોટા બોર્ડ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSEનું ધો.10નું પરીણામ અત્યંત વિલંબથી એટલે કે તા.3 ઓગસ્ટે જાહેર થતાં ગુજરાતમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સ http://www.acpdc.co.in ની પ્રવેશ કાર્યવાહી તા.14મી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.

August 2, 2021
unsc.jpg
1min656

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં નવો ઈતિહાસ રચાયો છે. દુનિયાની સૌથી શક્તિશાળી સંસ્થાનું સુકાન 1 ઓગષ્ટને રવિવારથી ભારતે એક મહિના માટે સંભાળી લીધુ છે અને તેની બેઠકની અધ્યક્ષતા કરવાનું ગૌરવ પહેલીવાર ભારતીય વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને મળશે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પુર્વ સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરૂદીને કહ્યુ કે નરેન્દ્ર મોદી પહેલા ભારતીય વડાપ્રધાન હશે જે યુએનએસસીની બેઠકની અધ્યક્ષતા કરશે. સંયુક્ત રાષ્ટ્રમાં આ આપણો 8મો કાર્યકાળ છે. 7પ વર્ષમાં પહેલીવાર એવુ બન્યુ છે જ્યારે આપણાં રાજકીય નેતૃત્વએ યુએનએસસીના કોઈ કાર્યક્રમની અધ્યક્ષતા કરવામાં રસ દાખવ્યો છે. જે દર્શાવે છે કે આપણાં નેતાઓ સામે ચાલીને નેતૃત્વ કરવા ઈચ્છે છે. જે વિદેશ નીતિના ઉપક્રમોમાં ભારતની મજબૂત કામગીરી દર્શાવે છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સુકાન ભારતના હાથમાં આવતાં જ ચીન અને પાકિસ્તાનની ચિંતા વધી છે કારણ કે ભારતના સુકાન પદે તેમનો વાસ્તવિક ચહેરો દુનિયા સમક્ષ ઉજાગર થવાનો ભય છે.

અધ્યક્ષ તરીકે ભારત વિશ્વ સમુદાય સમક્ષ સમુદ્રી સુરક્ષા, આતંકવાદ અને શાંતિરક્ષણ જેવા મુદ્દાઓ ઉઠાવશે. દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ટ્વિટ કર્યુ કે આશા છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત પોતાના કાર્યકાળ દરમિયાન નિષ્પક્ષ થઈને કામ કરશે અને યોગ્ય નિર્ણયો લેશે. ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યુ કે અમે સદસ્ય દેશો સાથે સહયોગાત્મક રીતે કામ કરવા તત્પર છીએ.