CIA ALERT

વાયરલ Archives - Page 2 of 77 - CIA Live

August 30, 2025
image-44.png
1min76

ભારતીય ક્રિકેટના વહીવટમાં સર્વોચ્ચ સ્તરે મોટો ફેરફાર થયો છે જેમાં રોજર બિન્ની (ROGER BINNY)એ બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઈ)નું પ્રમુખપદ છોડી દીધું છે અને ઉપ-પ્રમુખ રાજીવ શુક્લા (RAJIV SHUKLA) તેમના સ્થાને કાર્યવાહક પ્રમુખ (PRESIDENT) બની ગયા છે.

1983માં ભારતને વન-ડે વર્લ્ડ કપની ઐતિહાસિક ટ્રોફી અપાવનાર કપિલ દેવની ટીમના મહત્વના ખેલાડી રોજર બિન્નીએ ઑક્ટોબર 2022માં સૌરવ ગાંગુલીના સ્થાને બીસીસીઆઈ (BCCI)નું પ્રમુખપદ સંભાળ્યું હતું.

19મી જુલાઈએ રોજર બિન્ની 70 વર્ષના થયા અને બીસીસીઆઈના બંધારણ મુજબ કોઈ પણ હોદ્દેદાર 70 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે તેઓ બોર્ડમાં કોઈપણ પ્રકારના હોદ્દા પર રહી ન શકે એ નિયમને બિન્ની અનુસર્યા હોવાનું મનાય છે. દરમ્યાન, ટીમ ઇન્ડિયા માટે બીસીસીઆઈ નવા મુખ્ય સ્પોન્સરની શોધમાં પણ છે.

65 વર્ષના રાજીવ શુક્લા 2020ના વર્ષથી બીસીસીઆઈના ઉપ-પ્રમુખપદે છે. અગાઉ તેઓ આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલમાં હતા. તેઓ આગામી વાર્ષિક સભા સુધી ક્રિકેટ બોર્ડનો રોજબરોજનો કારભાર સંભાળશે.

બીસીસીઆઈની ઍન્યુઅલ જનરલ મીટિંગ (એજીએમ) સપ્ટેમ્બરમાં યોજાવાની સંભાવના છે અને એ મીટિંગમાં તમામ રાજ્યોના ક્રિકેટ અસોસિયેશનોના મત જાણ્યા પછી નવા ફુલ-ટાઈમ પ્રમુખ નક્કી કરવામાં આવશે.

અગાઉ પીટીઆઈના એક અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું હતું કે બીસીસીઆઈ હવે નવા રાષ્ટ્રીય ખેલફૂદ ખરડા હેઠળ આવી ગયું હોવાથી એના એક નિયમ મુજબ કોઈપણ સ્પોર્ટ્સ ફેડરેશનના હોદ્દેદાર 75 વર્ષની ઉંમર સુધી હોદ્દા પર રહી શકે.

જોકે બીસીસીઆઈના વર્તમાન બંધારણમાં હોદ્દા પર રહેવા 70 વર્ષની વયમર્યાદા છે અને કહેવાય છે કે રોજર બિન્નીએ આ નિયમને અનુસરીને હોદ્દો છોડી દીધો છે. બીસીસીઆઈ કેન્દ્ર સરકારના નવા ખરડાનો હજી ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યું છે.

રોજર બિન્નીએ 1983ના વર્લ્ડ કપમાં કુલ ૧૮ વિકેટ લીધી હતી અને એ ટૂર્નામેન્ટના તમામ બોલર્સમાં તેમની 18 વિકેટ હાઈએસ્ટ હતી.

2000ની સાલમાં બિન્નીના કોચિંગમાં ભારતની અન્ડર-19 ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની હતી. ત્યારે મોહમ્મદ કૈફ ટીમનો કેપ્ટન હતો અને એ ટીમમાં યુવરાજ સિંહ પણ હતો. બિન્ની પછીથી સિલેકટર પણ બન્યા હતા.

August 29, 2025
image-41-1280x768.png
1min42

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિખર સંમેલનમાં ભાગ લેવા માટે જાપાન પહોંચી ગયા છે. ટોક્યોના હાનેડા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને 28 ઓગસ્ટે જાપાન અને ચીનના પ્રવાસ માટે રવાના થયા હતા. જાપાન માટે રવાના થતા પહેલા, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ પ્રવાસ ભારતના હિતોને આગળ વધારવામાં મદદ કરશે. તે પ્રાદેશિક, વૈશ્વિક શાંતિ અને પરસ્પર સહયોગને મજબૂત બનાવવામાં પણ મદદરૂપ થશે.

મુલાકાતના પહેલા તબક્કામાં, વડાપ્રધાન મોદી 29 અને 30 ઓગસ્ટે જાપાનમાં રહેશે. ત્યારબાદ, તેમણે ચીન જશે, જ્યાં તેઓ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. મુલાકાત માટે રવાના થતા પહેલા વડાપ્રધાને કહ્યું હતું કે, તેઓ તિયાનજિનમાં યોજાનારી શિખર સંમેલન દરમિયાન ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળવા માટે ઉત્સુક છે.

જાપાનમાં, વડાપ્રધાન મોદી તેમના જાપાની સમકક્ષ શિગેરુ ઇશિબા સાથે શિખર સંમેલન કરશે. જાપાન મુલાકાત અંગે, વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ સમય દરમિયાન ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને આગલા સ્તર પર લઈ જવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેણે છેલ્લા 11 વર્ષમાં સતત નોંધપાત્ર પ્રગતિ કરી છે. જાપાન મુલાકાતનો હેતુ પરસ્પર સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો, આર્થિક અને રોકાણ સંબંધોનો વ્યાપ વધારવાનો અને AI તેમજ સેમિકન્ડક્ટર જેવી નવી ટેક્નોલોજીમાં ભાગીદારીને આગળ વધારવાનો રહેશે. આ મુલાકાત ભારત અને જાપાન વચ્ચે સભ્યતા અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની તક બનશે.

બીજા તબક્કામાં, વડાપ્રધાન મોદી 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે ચીનના તિયાનજિનની મુલાકાત લેશે. ત્યાં તેઓ SCO સમિટમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત SCO દેશો સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે જેથી સામાન્ય પડકારોનો ઉકેલ શોધી શકાય અને પ્રાદેશિક સહયોગ વધુ ગાઢ બને. જાપાનની મુલાકાત પછી, હું ચીનના પ્રમુખ શી જિનપિંગના આમંત્રણ પર તિયાનજિનમાં યોજાનારી SCO સમિટમાં હાજરી આપીશ. ભારત SCOનું સક્રિય અને રચનાત્મક સભ્ય છે અને તેના કાર્યકાળ દરમિયાન, ભારતે ઇનોવેટિવ, હેલ્થ અને સાંસ્કૃતિક આદાનપ્રદાન જેવા ક્ષેત્રોમાં નવી પહેલ કરી છે.

August 20, 2025
image-29.png
1min44

બિહારની ૧૪ વર્ષની આરાધ્યા સિંહ નામની ટીનેજરે સનાતન ધર્મની ભાવનાને સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશથી કુલ ૨૩૪ ભાષામાં હનુમાન ચાલીસાનો અનુવાદ કર્યો છે. આરાધ્યાએ મૈથિલી, ભોજપુરી, સંસ્કૃત, અંગ્રેજી, કોરિયન, જૅપનીઝ, લૅટિન સહિત અનેક વિદેશી ભાષાઓમાં હનુમાન ચાલીસાનું ટ્રાન્સલેશન કર્યું છે. તેને બધી જ ભાષા આવડે છે એવું નથી, પરંતુ તેણે ગૂગલ ટ્રાન્સલેટર અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આ કામ કર્યું છે. ગયા વર્ષે છઠપૂજા પર્વમાં તેણે હનુમાન ચાલીસાના અનુવાદનું કામ હાથ ધરેલું. દરેક ભાષા અને એના શબ્દોના ભાવાર્થને સમજીને સાવધાનીપૂર્વક આ કામ કરતાં તેને ૬ મહિનાનો સમય લાગ્યો હતો. આરાધ્યાનું કહેવું છે કે વિદેશોમાં રહેતા યુવાનો પણ સનાતન ધર્મ સાથે જોડાય અને ધર્મભાવના બીજી ભાષાના લોકો સુધી પહોંચાડવા માટે તેણે આ કામ કર્યું છે. આરાધ્યાની મા રાની દેવીનું કહેવું છે કે માત્ર અનુવાદ જ નહીં, હનુમાન ચાલીસાની લઢણમાં તે દરેક ભાષાની ચાલીસા ગાઈ પણ સંભળાવે છે. તેને નાનપણથી જ ધર્મ અને અધ્યાત્મમાં બહુ રુચિ છે. 

August 20, 2025
asia-cup-team.png
1min48

એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવ યથાવત્ રહ્યો છે. જ્યારે વાઇસ કેપ્ટન તરીકે શુભમન ગિલની વરણી કરવામાં આવી છે. શ્રેયસ ઐયરની ટીમમાં સ્થાન મળ્યું નથી. વિકેટકિપર તરીકે સંજુ સેમસન અને જીતેશ શર્માની પસંદગી કરાઇ છે. જસપ્રીત બુમરાહ પણ ટીમમાં છે.

એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની પસંદગી કરવા માટે અજિત અગરકરની આગેવાની હેઠળની સિનિયર મેન્સ સિલેક્શન કમિટીની મંગળવારે (19 ઓગસ્ટ) મુંબઇમાં બીસીસીઆઇના મુખ્યાલયમાં બેઠક યોજાઇ હતી.

2025નો એશિયા કપ 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન દુબઈ અને અબુધાબીમાં યોજાશે. ટી-20 ફોર્મેટમાં યોજાનારા એશિયા કપ 2025માં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, સંયુક્ત આરબ અમીરાત, હોંગકોંગ અને ઓમાન એમ કુલ આઠ ટીમો ભાગ લેશે.

એશિયા કપ માટે ભારતની ટીમ
સૂર્ય કુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, રિકુ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, હર્ષિત રાણા.

ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 માટે ટીમ ઈન્ડિયા

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રેણુકા સિંહ ઠાકુર, અરુંધતિ રેડ્ડી, ઋચા ઘોષ (વિકેટકીપર), ક્રાંતિ ગૌડ, અમનજોત કૌર, રાધા યાદવ, શ્રી ચરણી, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), સ્નેહ રાણા.

ઓસ્ટ્રેલિયા સામે ODI શ્રેણી માટે ભારતીય મહિલા ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રેણુકા સિંહ ઠાકુર, અરુંધતિ રેડ્ડી, ઋચા ઘોષ (વિકેટકીપર), ક્રાંતિ ગૌડ, સયાલી સતઘરે, રાધા યાદવ, શ્રી ચરણી, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), સ્નેહ રાણા.

Asia Cup 2025 Team India live: સ્ટેન્ડબાય પ્લેયર્સ

સ્ટેન્ડબાય પ્લેયર તરીકે પ્રસિદ્ધ ક્રિષ્ના, વોશિંગ્ટન સુંદર, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ અને ધ્રુવ જુરેલને સામેલ કરાયા છે.

એશિયા કપ 2025 ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત
સૂર્ય કુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, રિકુ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, હર્ષિત રાણા.

August 20, 2025
image-26.png
1min56

NCERT ના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પહેલું મોડ્યુલ, ‘ઓપરેશન સિંદૂર – એ સાગા ઓફ વેલર’ ધોરણ ત્રણ થી આઠમાં શીખવવામાં આવશે. બીજું મોડ્યુલ, ‘ઓપરેશન સિંદૂર – એ મિશન ઓફ ઓનર એન્ડ બ્રેવરી’ ધોરણ 9 થી 12માં શીખવવામાં આવશે.

એનસીઈઆરટી એ ઓપરેશન સિંદૂર પર એક ખાસ મોડ્યુલ બહાર પાડ્યું છે. હવે તેને NCERT ના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે. તે ધોરણ ત્રણ થી 12 સુધીના પુસ્તકોમાં શીખવવામાં આવશે. આ મોડ્યુલમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશન સિંદૂર ફક્ત લશ્કરી કાર્યવાહી નહોતી. પરંતુ તે શાંતિ લાવવા માટે લેવામાં આવેલું એક પગલું પણ હતું. આ સાથે આ ઓપરેશન પોતાના જીવ ગુમાવનારા લોકોના સન્માનને પરત કરવાનો પ્રયાસ પણ હતો. ઓપરેશન સિંદૂરના લગભગ ત્રણ મહિના પછી તેને અભ્યાસક્રમમાં પૂરક સામગ્રી તરીકે સમાવવામાં આવ્યું છે.

ભારતીય સેનાની કાર્યવાહીની વિગતો

આ મોડ્યુલમાં જણાવાયું છે કે આમ તો પાકિસ્તાન પહેલગામ હુમલામાં સીધી સંડોવણીનો ઇનકાર કરે છે. પરંતુ તે પાકિસ્તાની લશ્કરી અને રાજકીય નેતૃત્વના સીધા આદેશ પર કરવામાં આવ્યું હતું. આ મોડ્યુલમાં જણાવાયું છે કે પાકિસ્તાન પહેલગામ હુમલામાં સીધી સંડોવણીનો ઇનકાર કરે છે. પરંતુ તે પાકિસ્તાની લશ્કરી અને રાજકીય નેતૃત્વના સીધા આદેશ પર કરવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદૂરની વિગતો પણ એક મોડ્યુલમાં આપવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે ભારતે પાકિસ્તાન અને PoK માં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવા માટે મિસાઇલો ચલાવી હતી. આ ઉપરાંત હવાઈ હુમલા પણ કરવામાં આવ્યા હતા.

આતંકવાદી ઠેકાણાઓનો નાશ

આગળ લખેલું છે કે ભારતીય સેના દ્વારા આ નવ આતંકવાદી ઠેકાણાઓમાંથી સાતનો નાશ કરવામાં આવ્યો હતો. ભારતીય વાયુસેનાએ મુરીદકે અને બહાવલપુરમાં સ્થિત આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આ બધા લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હતા. NCERT ના અભ્યાસક્રમમાં ભારત સરકારનું વલણ મજબૂત રીતે રજૂ કરવામાં આવ્યું છે કે આ સમય દરમિયાન કોઈ પણ નાગરિકને નુકસાન થયું નથી. એવું કહેવાય છે કે દરેક લક્ષ્યને બે વાર તપાસવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન ફક્ત આતંકવાદીઓ પર જ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઓપરેશનથી દર્શાવવામાં આવ્યું છે કે ભારત કોઈપણ કિંમતે આતંકવાદીઓના માસ્ટરને છોડશે નહીં.

વિદ્યાર્થીઓને સેનાની તાકાત વિશે જણાવવામાં આવશે

NCERT ના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પહેલું મોડ્યુલ, ‘ઓપરેશન સિંદૂર – એ સાગા ઓફ વેલર’ ધોરણ ત્રણ થી આઠમાં શીખવવામાં આવશે. બીજું મોડ્યુલ, ‘ઓપરેશન સિંદૂર – એ મિશન ઓફ ઓનર એન્ડ બ્રેવરી’ ધોરણ 9 થી 12માં શીખવવામાં આવશે. શાળાના અભ્યાસક્રમમાં આ મોડ્યુલનો સમાવેશ કરવાનો હેતુ વિદ્યાર્થીઓને ભારતીય સેનાની તાકાતથી વાકેફ કરવાનો છે.

August 16, 2025
image-18.png
1min76

બૅન્કમાં ચેક જમા કરાવ્યા પછી સ્કૅન કરવાની, રજૂ કરવાની અને પાસ કરવાની તમામ પ્રક્રિયા એ જ દિવસે કલાકોમાં પૂરી થઈ જશે

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ જાહેરાત કરી છે કે ચોથી ઑક્ટોબરથી ચેક-ક્લિયરિંગની પ્રોસેસ વધુ ઝડપી બનશે. બૅન્કમાં ચેક જમા કરાવ્યાના કલાકોમાં ક્લિયર કરી આપવામાં આવશે. અત્યારે ચેક ક્લિયર કરવા માટે બે દિવસ સુધીનો સમય લાગે છે.

બૅન્કમાં ચેક જમા કરાવ્યા પછી સ્કૅન કરવાની, રજૂ કરવાની અને પાસ કરવાની તમામ પ્રક્રિયા એ જ દિવસે કલાકોમાં પૂરી થઈ જશે. આ પ્રક્રિયા બૅન્ક ચાલુ હશે એ કલાકો દરમ્યાન સતત ચાલુ રહશે. ચેક પાસ કરવાની અત્યારની પ્રક્રિયામાં ચેકનું બૅચ-ક્લિયરિંગ થાય છે એટલે કે ચેક જથ્થામાં પાસ કરવામાં આવે છે. એના સ્થાને RBIએ સર્ક્યુલર જાહેર કરીને તમામ બૅન્કોને એવું જણાવ્યું છે કે ચેક પાસ કરવા માટે બૅચ-ક્લિયરિંગને બદલે એ પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવે. સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી ચેક પ્રોસેસ કરીને ક્લિયરિંગ હાઉસમાં મોકલી આપવામાં આવશે. આ પરિવર્તનને બે તબક્કામાં લાગુ કરવામાં આવશે. પહેલો તબક્કો ૪ ઑક્ટોબરથી અને બીજો તબક્કો ૩ જાન્યુઆરી ૨૦૨૬થી શરૂ થશે.

August 16, 2025
image-16-1280x1280.png
2min31

શ્રાવણ વદ આઠમ-શનિવારે છે ત્યારે ભગવાન કૃષ્ણનો 5252મો જન્મોત્સવ ગુજરાતભરમાં આસ્થા અને ઉલ્લાસપૂર્વક ઉજવાશે. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા માટે શુક્રવારથી જ દ્વારકા, ડાકોર, શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યા હતા. રાત્રે 12 વાગ્યે ભગવાન કૃષ્ણના જન્મનો શંખનાદ થતાં જ મંદિરો ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી, હાથી ઘોડા-પાલખી જય કનૈયાલાલ કી’ ના જયઘોષ સાથે ગૂંજી ઉઠ્યા હતા.

કનૈયો, કાનુડો, કાનજી, નંદલાલ, અચ્યુત, મુરલીધર, મોહન, શ્યામ, જગન્નાથ, માધવ, દ્વારકાધીશ, કેશવ, રણછોડ, લાલજી જેવા અનેક નામથી ભક્ત જેને ભક્તિભાવથી-વ્હાલથી સંબોધે છે તેવા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ અનેરો થનગનાટ છે. મહાભારતના અનુશાસન પર્વમાં ઋષિ દુર્વાસા પ્રસન્ન થઈને ભગવાન કૃષ્ણને આશીર્વાદ આપતા કહે છે કે, ‘જ્યાં સુધી મનુષ્યનો અન્નનો ભાવ રહેશે ત્યાં સુધી માનવજાતને તારા પ્રત્યે પણ ભાવ રહેશે જ.’

જન્માષ્ટમી : ડાકોરમાં ઉજવણી

સવારે 6:30ના નીજ મંદિર ખુલશે, સવારે 6:45ના મંગળા ડાકોર આરતી. બપોરે 1 વાગ્યે દર્શન બંધ, સાંજે 4:45ના નીજ મંદિર ફરી ખુલશે. સાંજે 5 વાગ્યે ઉત્થાપન આરતી. રાત્રિના 12 વાગ્યે જન્મોત્સવ અને પંચામૃત સ્નાન થશે. 17 ઓગસ્ટના સવારે 8 વાગ્યે નીજ મંદિર ખુલશે, 8:15ના મંગળાઆરતી ત્યારબાદ નંદ મહોત્સવ. 16 થી 18 ઓગસ્ટ બહારના રાજભોગ બંધ રહેશે.

સોમનાથ, અંબાજીમાં ભક્તો ઉમટ્યા

શુક્રવારે સ્વતંત્રતા દિવસ, શનિવારે જન્માષ્ટમી અને ત્યારબાદ રવિવાર એમ ત્રણ દિવસની રજા હોવાથી સોમનાથ, અંબાજી, ચોટીલા, પાવાગઢમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડેલા. સોમનાથ, દ્વારકામાં નાની ધર્મશાળાથી માંડીને મોટી હોટેલોમાં તમામ રૂમ બૂક થઇ ગયા હતા.

દ્વારકા, ડાકોર, શામળાજીમાં દર્શનના સમય

દ્વારકા : સવારે 6 વાગ્યે મંગળા આરતી, સવારે 6 થી 8 મંગળા દર્શન, 8 થી 9 ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક, સવારે 9 વાગ્યે શણગાર, 9:30 વાગ્યે શણગાર દર્શન, 10:30 વાગ્યે ઠાકોરજીની શ્રુંગાર આરતી, બપોરના 12 વાગ્યે પ્રભુને રાજભોગ ધરાવાશે. બપોરના 1 થી 5 મંદિર બંધ. વાગ્યે ઉત્થાપન દર્શન, સાંજે 7 વાગ્યે સંધ્યા દર્શન, 7:30 વાગ્યે સંધ્યા આરતી, સાંજે 8:30 વાગ્યે શયન આરતી, રાત્રિના 9 વાગ્યે પ્રભુને શયન, રાતે 10 વાગ્યે પ્રભુને ભક્તિ ભાવે જગાડી બંધ પડદે મંગલા આરતી તેમજ જન્મ સ્નાનની પૂજા બરાબર રાતે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી.

શામળાજી : સવારે 6 વાગ્યે મંદિર ખુલશે, સવારે 6:45ના મંગળા આરતી, સવારે 9:15ના શણગાર આરતી, સવારે 11:30ના રાજભોગ ધરાવાશે-મંદિર બંધ, બપોરે 12:15ના રાજભોગ આરતી-મંદિર બંધ, બપોરે 2:15ના મંદિર ખુલશે, સાંજે 7ના સંધ્યા આરતી, રાત્રે 12ના જન્મોત્સવ, રાત્રે 12:45ના શયન આરતી. મંદિર પરિસરમાં કૃષ્ણ જન્મ, ગોવર્ધન પર્વત, નાગ દમનની ઝાંખીના દર્શન તેમજ ડાયરાનું પણ આયોજન.

જન્માષ્ટમી પર દહીં હાંડીનું પણ અનેરું મહત્ત્વ

કૃષ્ણ જન્મ વખતે દહીં હાંડીનું પણ અનેરું મહત્ત્વ છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં શનિવારે મટકી ફોડનું પણ આયોજન કરવામાં આવશે. અમદાવાદના ઈસ્કોન મંદિરમાં દર વર્ષની જેમ આ વખતે વિધિવત્ રીતે જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવાશે. ભગવાનના ગર્ભગૃહને દેશ-વિદેશના વિવિધ ફૂલોથી શણગારાશે. થાઇલેન્ડથી પાંચ અલગ-અલગ કલરના ઓર્ચિડ ફૂલ 3 વિવિધ પ્રકારના સાઉથ આફ્રિકાથી એન્થોરિયમ ફૂલ, કાર્નેશન, ડચ રોઝ, જિપ્સી, સેવંતી, રજનીગંધા, ડેઝી થઈને 900 કિલો ફૂલોનો ઉપયોગ કરાશે. આ ફૂલ દ્વારા ભગવાનના ગર્ભગૃહમાં મોર, શંખ, કમળ, ધનુષ વગેરે તૈયાર કરાશે. આ ઉપરાંત ભગવાનને 600થી વધુ વાનગી ધરાવાશે.જન્માષ્ટમીના બીજા દિવસે નંદ મહોત્સવના 10 હજાર લોકોના ભંડારા-પ્રસાદનું આયોજન કરાયું છે.

આજે જન્માષ્ટમી, ભગવાન કૃષ્ણનો 5252મો જન્મોત્સવ ઉજવાશે

Janmashtami 2025: શ્રાવણ વદ આઠમ-શનિવારે છે ત્યારે ભગવાન કૃષ્ણનો 5252મો જન્મોત્સવ ગુજરાતભરમાં આસ્થા અને ઉલ્લાસપૂર્વક ઉજવાશે. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા માટે શુક્રવારથી જ દ્વારકા, ડાકોર, શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યા હતા. રાત્રે 12 વાગ્યે ભગવાન કૃષ્ણના જન્મનો શંખનાદ થતાં જ મંદિરો ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી, હાથી ઘોડા-પાલખી જય કનૈયાલાલ કી’ ના જયઘોષ સાથે ગૂંજી ઉઠ્યા હતા.

કનૈયો, કાનુડો, કાનજી, નંદલાલ, અચ્યુત, મુરલીધર, મોહન, શ્યામ, જગન્નાથ, માધવ, દ્વારકાધીશ, કેશવ, રણછોડ, લાલજી જેવા અનેક નામથી ભક્ત જેને ભક્તિભાવથી-વ્હાલથી સંબોધે છે તેવા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ અનેરો થનગનાટ છે. મહાભારતના અનુશાસન પર્વમાં ઋષિ દુર્વાસા પ્રસન્ન થઈને ભગવાન કૃષ્ણને આશીર્વાદ આપતા કહે છે કે, ‘જ્યાં સુધી મનુષ્યનો અન્નનો ભાવ રહેશે ત્યાં સુધી માનવજાતને તારા પ્રત્યે પણ ભાવ રહેશે જ.’

જન્માષ્ટમી : ડાકોરમાં ઉજવણી

સવારે 6:30ના નીજ મંદિર ખુલશે, સવારે 6:45ના મંગળા ડાકોર આરતી. બપોરે 1 વાગ્યે દર્શન બંધ, સાંજે 4:45ના નીજ મંદિર ફરી ખુલશે. સાંજે 5 વાગ્યે ઉત્થાપન આરતી. રાત્રિના 12 વાગ્યે જન્મોત્સવ અને પંચામૃત સ્નાન થશે. 17 ઓગસ્ટના સવારે 8 વાગ્યે નીજ મંદિર ખુલશે, 8:15ના મંગળાઆરતી ત્યારબાદ નંદ મહોત્સવ. 16 થી 18 ઓગસ્ટ બહારના રાજભોગ બંધ રહેશે.

સોમનાથ, અંબાજીમાં ભક્તો ઉમટ્યા

શુક્રવારે સ્વતંત્રતા દિવસ, શનિવારે જન્માષ્ટમી અને ત્યારબાદ રવિવાર એમ ત્રણ દિવસની રજા હોવાથી સોમનાથ, અંબાજી, ચોટીલા, પાવાગઢમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડેલા. સોમનાથ, દ્વારકામાં નાની ધર્મશાળાથી માંડીને મોટી હોટેલોમાં તમામ રૂમ બૂક થઇ ગયા હતા.

દ્વારકા, ડાકોર, શામળાજીમાં દર્શનના સમય

દ્વારકા : સવારે 6 વાગ્યે મંગળા આરતી, સવારે 6 થી 8 મંગળા દર્શન, 8 થી 9 ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક, સવારે 9 વાગ્યે શણગાર, 9:30 વાગ્યે શણગાર દર્શન, 10:30 વાગ્યે ઠાકોરજીની શ્રુંગાર આરતી, બપોરના 12 વાગ્યે પ્રભુને રાજભોગ ધરાવાશે. બપોરના 1 થી 5 મંદિર બંધ. વાગ્યે ઉત્થાપન દર્શન, સાંજે 7 વાગ્યે સંધ્યા દર્શન, 7:30 વાગ્યે સંધ્યા આરતી, સાંજે 8:30 વાગ્યે શયન આરતી, રાત્રિના 9 વાગ્યે પ્રભુને શયન, રાતે 10 વાગ્યે પ્રભુને ભક્તિ ભાવે જગાડી બંધ પડદે મંગલા આરતી તેમજ જન્મ સ્નાનની પૂજા બરાબર રાતે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી.

શામળાજી : સવારે 6 વાગ્યે મંદિર ખુલશે, સવારે 6:45ના મંગળા આરતી, સવારે 9:15ના શણગાર આરતી, સવારે 11:30ના રાજભોગ ધરાવાશે-મંદિર બંધ, બપોરે 12:15ના રાજભોગ આરતી-મંદિર બંધ, બપોરે 2:15ના મંદિર ખુલશે, સાંજે 7ના સંધ્યા આરતી, રાત્રે 12ના જન્મોત્સવ, રાત્રે 12:45ના શયન આરતી. મંદિર પરિસરમાં કૃષ્ણ જન્મ, ગોવર્ધન પર્વત, નાગ દમનની ઝાંખીના દર્શન તેમજ ડાયરાનું પણ આયોજન.

જન્માષ્ટમી પર દહીં હાંડીનું પણ અનેરું મહત્ત્વ

કૃષ્ણ જન્મ વખતે દહીં હાંડીનું પણ અનેરું મહત્ત્વ છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં શનિવારે મટકી ફોડનું પણ આયોજન કરવામાં આવશે. અમદાવાદના ઈસ્કોન મંદિરમાં દર વર્ષની જેમ આ વખતે વિધિવત્ રીતે જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવાશે. ભગવાનના ગર્ભગૃહને દેશ-વિદેશના વિવિધ ફૂલોથી શણગારાશે. થાઇલેન્ડથી પાંચ અલગ-અલગ કલરના ઓર્ચિડ ફૂલ 3 વિવિધ પ્રકારના સાઉથ આફ્રિકાથી એન્થોરિયમ ફૂલ, કાર્નેશન, ડચ રોઝ, જિપ્સી, સેવંતી, રજનીગંધા, ડેઝી થઈને 900 કિલો ફૂલોનો ઉપયોગ કરાશે. આ ફૂલ દ્વારા ભગવાનના ગર્ભગૃહમાં મોર, શંખ, કમળ, ધનુષ વગેરે તૈયાર કરાશે. આ ઉપરાંત ભગવાનને 600થી વધુ વાનગી ધરાવાશે.જન્માષ્ટમીના બીજા દિવસે નંદ મહોત્સવના 10 હજાર લોકોના ભંડારા-પ્રસાદનું આયોજન કરાયું છે.

August 16, 2025
image-15-1280x853.png
1min77

ભારત સહિત વિશ્વભરના દેશોની અલાસ્કાના એન્કોરેજમાં યોજાયેલી બેઠક પર નજર રહી. આ બેઠક અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે યોજાઈ હતી. આ બેઠકનો હેતુ સ્પષ્ટ હતો, રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે કામ કરવું.

બેઠક પછી પત્રકાર પરિષદ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા બંને નેતાઓએ બેઠકને સકારાત્મક ગણાવી. જોકે, યુદ્ધવિરામ થઈ શક્યો ન હતો. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ કહે છે કે ઘણા મુદ્દાઓ પર સહમતિ થઈછે, પરંતુ કેટલાક મુદ્દાઓ પર કોઈ નિર્ણય ન લઈ શકાયો.

બંને દેશોના નેતાઓ વચ્ચેની આ બેઠક શાંતિનો માર્ગ ખોલી શકે છે. જો આ મુદ્દા પર બીજી બેઠક યોજાશે તો યુક્રેન-રશિયા યુદ્ધનો અંત લાવવો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જોકે, હજુ સુધી ઔપચારિક રીતે સ્પષ્ટ નથી કે આગામી બેઠક થશે કે નહીં. પરંતુ, પ્રેસ કોન્ફરન્સના અંતે, પુતિને ટ્રમ્પને કહ્યું કે આગામી બેઠક મોસ્કોમાં યોજાવી જોઈએ. જેના પર ટ્રમ્પે કહ્યું કે હવે ભવિષ્યમાં જોઈશું.

પ્રેસને સંબોધતા પુતિને કહ્યું કે જો 2022 માં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખહોત, તો યુક્રેન સાથે યુદ્ધ ક્યારેય ન થયું હોત. છેલ્લા કેટલાક વર્ષોથી, અમેરિકા અને રશિયા વચ્ચે ખૂબ સારા સંપર્ક નહોતા. પરંતુ હવે ખૂબ સારા સીધા સંપર્ક સ્થાપિત થયા છે, જે અગાઉના ‘ખૂબ જ મુશ્કેલ સમયગાળા’ પછી જરૂરી હતા.

તેમણે કહ્યું કે યુક્રેન સાથે શાંતિ પુનઃસ્થાપિત કરવાની ઇચ્છા અને નિષ્ઠાવાન રસ બદલ હું ટ્રમ્પનો આભાર માનું છું. આ યુદ્ધનો અંત લાવવા માટે, બધા મૂળ કારણોને દૂર કરવા અને રશિયાની ચિંતાઓને ધ્યાનમાં લેવી જરૂરી છે. હું ટ્રમ્પ સાથે સહમત છું કે યુક્રેનની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. મને આશા છે કે પરસ્પર સમજણ યુક્રેનમાં શાંતિ લાવશે.

ટ્રમ્પ અને પુતિનની અલાસ્કા બેઠકમાં શું-શું થયું?

  1. યુદ્ધવિરામ પર કોઈ કરાર નહીં: ટ્રમ્પ અને પુતિન વચ્ચેની વાતચીત લગભગ ત્રણ કલાક સુધી ચાલી. જોકે, યુદ્ધવિરામ પર કોઈ કરાર થઈ શક્યો નહીં.
  2. વાતચીત સકારાત્મક અને રચનાત્મક હતી: પુતિને બેઠકને રચનાત્મક અને પરસ્પર આદરપૂર્ણ ગણાવી. ટ્રમ્પે કહ્યું કે સારી પ્રગતિ થઈ છે. પરંતુ વધુ ચર્ચા પણ જરૂરી છે.
  3. મોસ્કોમાં આગામી બેઠક માટે પ્રસ્તાવ: પુતિને આગામી બેઠક મોસ્કોમાં યોજવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ટ્રમ્પે વાતચીતને આગળ ચાલુ રાખવાનો પણ સંકેત આપ્યો.
  4. યુક્રેનને સુરક્ષા ગેરંટી આપવાનો મામલો ખુલ્લો છોડ્યો: ટ્રમ્પે યુક્રેનને સુરક્ષા ગેરંટી આપવાનો મામલો ખુલ્લો છોડી દીધો છે. તેમણે કહ્યું, કદાચ અમેરિકા, યુરોપ અને અન્ય દેશો સાથે મળીને યુક્રેનને સુરક્ષા ગેરંટી આપી શકે છે.
August 14, 2025
image-13.png
1min63

દિગ્ગજ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરના ક્રિકેટર દીકરા અર્જુન તેંડુલકરે બુધવારે મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી સાનિયા ચંડોક સગાઈ કરી હતી.

અર્જુન અને સાનિયાની સગાઈ એક ખાનગી પ્રસંગ હતો, જેમાં બંને પક્ષના નજીકના મિત્રો અને પરિવારજનો હાજર રહ્યા હતા. ઘાઈ પરિવાર હૉસ્પિટાલિટી અને રેસ્ટૉરાં ઉદ્યોગમાં અગ્રણી છે. ઘાઈ પરિવાર પાસે ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ અને આઈસ્ક્રીમ બ્રાન્ડ બ્રુકલિન ક્રીમરીની માલિકી છે.

અર્જુન તેંડુલકરે જન્મ 24 સપ્ટેમ્બર 1999ના રોજ થયો હતો. પિતા સચિન તેંડુલકર અને સવિતા તેંડુલકરનું તે બીજું સંતાન છે. બહેન સારા તેંડુલકરનો તે નાનો ભાઈ છે.

પચીસ વર્ષીય અર્જુન ડાબોડી ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે, જે ઘરેલુ ક્રિકેટમાં ગોવાનું પ્રતિનિધિત્વ કરે છે અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે પણ રમી ચૂક્યો છે. તેણે 2020/21 સીઝનમાં મુંબઈ સાથે પોતાની ઘરેલુ કારકિર્દીની શરૂઆત કરી હતી, હરિયાણા સામેની ટી20 મેચમાં તેણે ડેબ્યુ કર્યું હતું.

અર્જુન તેંડુલકરે જુનિયર સ્તરે મુંબઈનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ભારત અન્ડર19 ટીમમાં સ્થાન મેળવ્યું હતું. અર્જુને IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે અત્યાર સુધી 5 મેચ રમી છે, જેમાં તેના નામે 3 વિકેટ અને 13 રન છે. ટી20 ક્રિકેટમાં અર્જુન તેંડુલકરે 25.07 ની સરેરાશથી 27 વિકેટ લીધી છે. સાથોસાથ તેણે 13.22 ની સરેરાશથી 119 રન બનાવ્યા છે.

August 9, 2025
image-8.png
1min69

શ્રાવણ સુદ પૂનમ (નવમી ઓગસ્ટ, 2025)ના દિવસે એટલે કે આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવાશે. આ વર્ષે પૂનમ તિથિ બપોરે 1: 24 વાગ્યા સુધી છે અને આ દિવસે રાખડી બાંધવા માટે કોઈ પણ પ્રકારનું ‘વિષ્ટિ બાધ્ય’ નથી, જે એક શુભ સંકેત છે. ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને રક્ષાના વચનને વ્યક્ત કરવા માટે આ દિવસ ખૂબ જ શુભ છે.

જ્યોતિષીઓના જણાવ્યાનુસાર, શનિવારે (નવમી ઓગસ્ટ) રાખડી બાંધવા માટેના અનેક શુભ મુહૂર્ત છે, જેથી દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા મુજબ આ પર્વની ઉજવણી કરી શકે છે.

રક્ષાબંધનના દિવસે શુભ મુહૂર્ત

સવારનો સમય: 07:50થી 09:20
બપોરનો સમય: 12:50થી 05:40
સાંજનો સમય: 07:20થી 08:40
રાત્રિનો સમય: 10:05 થી 02:05 (મધ્યરાત્રિ પછી પણ)

આ સમય દરમિયાન બહેનો પોતાના ભાઈના કાંડા પર પ્રેમ અને રક્ષાનું પ્રતીક એવી રાખડી બાંધી શકે છે. ભાઈ પણ બહેનની રક્ષાનું વચન આપીને આ પવિત્ર સંબંધને વધુ મજબૂત બનાવશે. આ શુભ મુહૂર્તોનો લાભ લઈને દરેક ભાઈ-બહેન આ તહેવારને આનંદ અને ઉત્સાહથી ઉજવી શકે છે.

રક્ષાબંધન એટલે ફક્ત ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક જ નહીં, પરંતુ રક્ષા, વિશ્વાસ અને આશીર્વાદનું એક પ્રાચીન પર્વ. ગ્રંથો અને વિદ્વાનો દ્વારા મળતી માહિતી દર્શાવે છે કે આ તહેવારનું મૂળ ખૂબ ઊંડું છે. જ્યોતિષાચાર્ય ડો. હેમિલ પી. લાઠિયાના જણાવ્યા મુજબ, રક્ષાબંધન માત્ર બહેન દ્વારા ભાઈને જ નહીં, પરંતુ પત્ની, સખી કે પુરોહિત દ્વારા રાજાને પણ બાંધવામાં આવતું હતું. આ પર્વ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ ઘટનાઓ અને લોકવાયકાઓ જોઈએ.

દેવો અને દાનવો વચ્ચેના યુદ્ધમાં જ્યારે દેવોની સ્થિતિ નબળી પડી રહી હતી, ત્યારે દેવરાજ ઇન્દ્રએ દેવગુરુ બૃહસ્પતિ પાસે મદદ માંગી. ગુરુએ શ્રાવણ સુદ પૂનમના દિવસે એક રક્ષા સૂત્ર તૈયાર કરી આપ્યું. આ દિવસે, ઇન્દ્રની પત્ની શચીએ આ રક્ષા સૂત્ર ઇન્દ્રના કાંડા પર બાંધ્યું. આ રક્ષા સૂત્રના પ્રભાવથી યુદ્ધમાં દેવોની સ્થિતિ સુધરી અને તેઓ વિજયી થયા.

ત્રેતાયુગમાં પણ આ પરંપરા ચાલુ રહી. તે સમયે રાજાના પુરોહિત રાજાને રક્ષા સૂત્ર બાંધતા અને પ્રજા પણ પોતાના ગુરુ પાસે આશીર્વાદ રૂપે રક્ષા બંધાવતી હતી. દ્વાપરયુગમાં એક પ્રસંગ ખૂબ પ્રખ્યાત છે. એકવાર ભગવાન શ્રીકૃષ્ણને હાથમાં ઈજા થઈ હતી. ત્યારે દ્રૌપદીએ પોતાની સાડીનો પાલવ ફાડીને તેમના હાથ પર બાંધ્યો હતો. આ બંધનનો બદલો ચૂકવવા માટે શ્રીકૃષ્ણે ચીરહરણ સમયે દ્રૌપદીની રક્ષા કરી હતી.

ઇતિહાસ અને કળિયુગની પરંપરા:

ઇતિહાસમાં પણ એક પ્રસંગ નોંધાયેલો છે. મેવાડની રાણીએ પોતાના રાજ્ય પર થયેલા આક્રમણ સમયે મુઘલ બાદશાહ હુમાયુ પાસે મદદ માંગી અને રક્ષા સૂત્ર મોકલીને તેમને ભાઈ બનાવ્યા હતા. હુમાયુએ પણ બહેનની રક્ષા કરવા માટે સૈન્ય મોકલી મદદ કરી હતી.

આધુનિક કળિયુગમાં આ પ્રથા ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને વિશ્વાસના પ્રતીક તરીકે ઓળખાય છે. બહેન પોતાના ભાઈની રક્ષા માટે રક્ષા સૂત્ર બાંધે છે અને ભાઈ આજીવન પોતાની બહેનની રક્ષા, સુખ અને સુવિધાનું ધ્યાન રાખવાની જવાબદારી નિભાવે છે. આમ, રક્ષાબંધન એ માત્ર એક દોરો નથી, પરંતુ સ્નેહ, શક્તિ અને સુરક્ષાના વચનનું પ્રતીક છે.