જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રમોશન કાઉન્સિલના ચેરમેન અને દેશના જાણીતા ઉદ્યોગપતિ શ્રી દિનેશભાઇ નાવડીયાએ સમગ્ર જીજેઇપીસી ટીમ વતી તમામને દિપાવલી અને નૂતન વર્ષની અનેકાનેક શુભકામનાઓ પાઠવી છે.

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રમોશન કાઉન્સિલના ચેરમેન અને દેશના જાણીતા ઉદ્યોગપતિ શ્રી દિનેશભાઇ નાવડીયાએ સમગ્ર જીજેઇપીસી ટીમ વતી તમામને દિપાવલી અને નૂતન વર્ષની અનેકાનેક શુભકામનાઓ પાઠવી છે.


દિવાળી અને નવા વર્ષે ખાસ કરીને નવા વસ્ત્રો તેમજ આકર્ષક અને ફેન્સી વસ્ત્રો પહેરવાની પરંપરા છે, આ વખતે યંગસ્ટર્સમાં વેસ્ટર્ન કે કેઝ્યુઅલ નહીં બલ્કે મોદી જેકેટ્સ, મોદી કુર્તા તેમજ મોદી સ્ટાઇલ પાઇપિંગ બોટમ લહેંગાનો જબરદસ્ત ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. 500 રૂપિયાથી શરૂ કરીને 25 હજારના મોદી સ્યુટ્સ યંગસ્ટર્સ ખરીદી રહ્યા છે. આ વખતે દિવાળીમાં મોદી કુર્તા, મોદી જેકેટ્સની ભારે બૂમ સંભળાય રહી છે.
મોદી જેકેટ્સની ડિમાંડને જોતા ખુદ ખાદી ઇન્ડિયાએ પણ મોદી સ્ટાઇલ જેકેટ્સની આખી રેન્જ ભારતીય બજારોમાં મૂકી છે. સુરતમાં પણ ઠેકઠેકાણે ખાદીથી લઇને લીનન ફેબ્રિક્સમાંથી તૈયાર થયેલા મોદી જેકેટ્સ ધૂમ વેચાય રહ્યા છે. નાના બાળકોથી લઇને યંગસ્ટર્સ તેમજ સિનિયર સિટીઝન્સ, બિઝનેસમેન, નોકરીયાત કોઇપણ વર્ગમાં આ દિવાળીમાં ટ્રેડિશનલ વેયર્સ કરતા પણ વધુ મોદી જેકેટ્સ ચાલી રહ્યા છે.

ઇન્ટરનેશનલ લેવલ પર પણ મોદી જેકેટ્સની ધૂમ
ઇન્ટરનેશનલ લેવલ પર પણ હાલમાં ભારતના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પહેરે છે એવા મોદી જેકેટ્સની ધૂમ જોવા મળી રહી છે. દક્ષિણ કારીયોના પ્રેસિડેન્ટએ મોદી જેકેટ્સ પહેરવાનો શરૂ કર્યું ત્યારથી તો વિશ્વનો એવો કોઇ દેશ નથી કે જ્યાંથી મોદી જેકેટ્સની ડિમાન્ડ ન આવતી હોય.
ખાદી ઇન્ડિયાની કુલ સાત દુકાનોમાંથી રોજની લગભગ ૧૪૦૦ જોડી કુર્તા-જૅકેટનો ઉપાડ થાય છે. ખાદી ઇન્ડિયાએ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ૧૭ સપ્ટેમ્બરે કનૉટ પ્લેસના એના સ્ટોરમાં મોદી જૅકેટ્સ અને મોદી કુર્તાની સિરીઝ લૉન્ચ કરી હતી. ખાદી ઍન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશનના ચૅરમૅન વી. કે. સક્સેનાએ મોદી કુર્તા-જૅકેટની શ્રેણીને દેશભરની તમામ દુકાનોમાં વેચવાની યોજના હોવાનું જણાવ્યું હતું.

કનૉટ પ્લેસના સ્ટોરમાં ઑક્ટોબર મહિનામાં કુલ ૧૪.૭૬ કરોડ રૂપિયાનું વિક્રમી વેચાણ નોંધાયું છે જે ગયા વર્ષના સમાન મહિનાના વેચાણની તુલનાએ ૩૪.૭૧ ટકા વધુ છે.
દેશનાં સાત મોટા શહેરો દિલ્હી, કલકત્તા, જયપુર, જોધપુર, ભોપાલ, મુંબઈ અને અર્નાકુલમના સ્ટોર્સમાંથી રોજના ૨૦૦ના હિસાબે કુલ ૧૪૦૦ કુર્તા-જૅકેટ્સનું વેચાણ થાય છે. એ આંકડાના આધારે મોદી સિરીઝને મળેલા પ્રતિસાદનો ખ્યાલ આવી શકે છે.

દિવાળીના આગમન આડે 3-4 દિવસ બાકી છે, હાલ દરમિયાન કંદીલ, રંગોળી, ગૃહ સુશોભનની વસ્તુઓ, ફટાકડા, નવા કપડાં, મીઠાઇ વગેરેની ખરીદી માટે શહેરની બજારોમાં લોકોનો ધસારો, ગીર્દી વધતી જોવા મળી રહી છે. આજે તા.4 નવેમ્બર 2018ને રવિવારે તો સવારથી જ ઘોડદોડ, વરાછા રોડ, રાજમાર્ગ, ડુમસ રોડના મોલ્સ, ચૌટા બજાર, એલ.પી. સવાણી રોડ, આનંદ મહલ રોડ, ભાગળ, કતારગામ, ઉધના મેઇન રોડ વગેરેમાં ખરીદદારનો ધસારો જોવા મળી રહ્યો છે. મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે પણ લોકો ખરીદી કરવામાં પાછીપાની કરતા નથી. જોકે, તેમ છતાં બજેટ ધ્યાનમાં રાખીને જ સામાનની ખરીદી કરી રહ્યા છે.
બીજી બાજુ ચૌટા બજાર માર્કેટના એક વેપારીના જણાવ્યા અનુસાર ગયા વર્ષની તુલનામાં આ વર્ષે વસ્તુઓના ભાવ વધ્યા હોવાથી મોંઘવારીને ધ્યાનમાં લઇને તેઓ મર્યાદિત માત્રામાં ખરીદી કરે છે. તે સિવાય ઓનલાઇન શોપિંગનો ટ્રેન્ડ વધ્યો હોવાથી પણ બિઝનેસને તેનો ફટકો પડે છે.
બજારમાં રેડિમેડ રંગોળી સહિત વિવિધ પ્રકારની રંગોળી ઉપલબ્ધ છે. આ રંગોળીઓ લેવા માટે મહિલાઓની ગીર્દી જોવા મળે છે. હૉલસેલ માર્કેટમાં રંગોળીના ભાવ 20 રૂપિયા કિલોના ભાવથી શરૂ થાય છે, જ્યારે રંગોળીના રંગના નાના પાકીટ દસ-દસ રૂપિયામાં બજારમાં ઉપલબ્ધ છે. જોકે, અમુક રીટેલરની દુકાનમાં તે 15 રૂપિયાના ભાવે પણ વેચાઇ છે.

કંદીલની વાત કરીએ તો બજારમાં ચાઇનીઝ, કાગળ, કાપડ અને બાંબુથી બનાવેલા ઇકોફ્રેન્ડલી કંદીલ બજારમાં ઉપલબ્ધ છે. જોકે, સૌથી વધુ બોલબાલા કાગળના કંદીલની છે. અન્ય બનાવટની તુલનામાં લોકો કાગળના કંદીલ લેવાનું પસંદ કરી રહ્યા છે. નાના નાના કંદીલ 120 રૂપિયા ડઝનથી લઇને સાઇઝ અને મટીરિયલના હિસાબે રૂ.100થી લઇને રૂ.5000ની રેન્જમાં રંગબેરંગી કંદીલ બજારમાં છે.
દીવાની ખરીદી વગર દિવાળીની ઉજવણી અધૂરી છે. હાલમાં માર્કેટમાં માટીના બનાવેલા સાદા અને પારંપારિક દીવડાઓથી લઇને કાચના, મેટલના, પીઓપીના અને એલઇડી લાઇટવાળા ફેન્સી દીવડાઓ માર્કેટમાં ઉપલબ્ધ છે, જેની કિંમત 10થી લઇને 300 રૂપિયા સુધીમાં છે. અન્ય સજાવટની વસ્તુ જેમ કે લાઇટિંગ, તોરણ, શરણગારેલી પૂજાની થાળી વગેરે સહિત મીઠાઇ, નવા કપડાં વગેરેનું બજારમાં ધૂમ વેચાણ થઇ રહ્યું છે.

દિવાળીને ધૂમધામથી ઉજવવા ફટાકડાની ખરીદી કરવાનું પણ લોકો ચૂકતા નથી. હાલમાં માર્કેટમાં અનાર, ચકરી, રોકેટ, ફૂલઝડી, લક્ષ્મી બૉમ્બથી લઇને કલરફુલ ફટાકડા અને આકાશ તારા સુધીના ફટાકડા માર્કેટમાં ઉપલબ્ધ છે, જે 100 રૂપિયાથી લઇને પાંચથી છ હજારની રેન્જમાં ઉપલબ્ધ છે. જોકે, માત્ર બે કલાક માટે જ ફટાકડા ફોડવાની મંજૂરી મળી હોવાથી લોકો ફટાકડાની ખરીદી ઓછા પ્રમાણમાં કરી રહ્યા હોવાનું બજારમાં ચિત્ર છે.
રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટના એક વેપારીના જણાવ્યા અનુસાર દિવાળીને દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. એક ભારતીય માટે આ એક મહત્ત્વપૂર્ણ પર્વ હોવાથી લોકો દિવાળીની ખરીદી ધામધૂમથી કરી રહ્યા છે. અહીં થતી લોકોની ભીડને જોતા મંદીનો માહોલ હોય તેવું લાગતું નથી.
ટૂંકમાં કહીએ તો સીઆઇએ લાઇવની ટીમ જ્યાં જ્યાં ફરી છે પાછલા દિવસોમાં ત્યાંં વેપારી હોય કે ગ્રાહક વર્ગ હોય એક સૂર એ જ સાંભળવા મળ્યો કે દિવાળી ખરી પણ પહેલા જેવી નહીં.

મધ્યપ્રદેશના દેવાસમાં એક ગોલ્ડ મેનને બે કિલોથી વધારે સોનું પહેરીને બહાર નીકળવું ભારે પડી ગયું હતું. લુઈસ પોલ નામનો શખસ પોતાની કારમાં ઝાંસીથી મુંબઈ જઈ રહ્યો હતો અને ગળામાં સોનાના બે મોટા ચેન, બ્રેસલેટ, ઘડિયાળ, વીંટી જેવા ઘરેણા પહેર્યા હતા. જેની કિંમત 70 લાખ જેવી થતી હતી.’ આ દરમિયાન ફ્લાઈંગ સ્કોડે આચારસંહિતા ભંગનો દાષિત ગણીને કાર્યવાહી કરી હતી અને તેની અટકાયત કરીને આવકવેરા વિભાગને સોંપવામાં આવ્યો હતો. હકીકતમાં આચાર સંહિતા દરમિયાન મહિલાઓ 500 ગ્રામ અને પુરુષો 250 ગ્રામ સોનાના આભૂષણ પહેરી શકે છે. પરંતુ અટકાયત થયેલો લુઈલ બે કિલોથી પણ વધારે ઘરેણા પહેરીને ફરી રહ્યો હતો.

Jayesh Brahmbhatt 98253 44944
દિવાળીના તહેવારોના ઉપલક્ષમાં આજે સુપ્રીમ કોર્ટે ગ્રીન ક્રેકર્સ એટલે કે લૉ કાર્બન અને ઓછું પ્રદૂષણ ફેલાવતા ફટાકડાનું ઉત્પાદન, વેચાણ અને ફોડવાની બાબત પર કોઇપણ પ્રકારની રોક લગાડવાનો ઇન્કાર કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ આજે ભારતમાં દિવાળીના તહેવારો કે અન્ય પ્રસંગોએ ફટાકડાનું ઉત્પાદન કરવા, વેચાણ કરવા કે ફોડવા પર પ્રતિબંધ (બ્લેંકેટ બેન) મૂકવાની દરખાસ્ત ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ધોરણસરના ફટાકડાનું ઉત્પાદન કરી શકાશે, નિર્ધારિત સમયે તેને ફોડી પણ શકાશે. ફટાકડાનું વેચાણ ચોક્કસ માર્કેટમાંથી જ કરી શકાશે, લારીઓ કે ફૂટપાથ પર બિલકુલ પણ ફટાકડા વેચી શકાશે નહીં. સુપ્રીમ કોર્ટે એ પણ નિશ્ચિત કર્યું છે કે જો કોઇ પોલીસ મથક વિસ્તારમાં નિર્ધારિત ધારાધોરણોનો ભંગ કરતા ફટાકડાનું વેચાણ થતું ઝડપાશે, અગર તો નિર્ધારિત સમય ઉપરાંત ફટાકડા ફૂટતાં જોવા મળશે તો જે તે પોલીસ મથકની જવાબદારી નિશ્ચિત કરીને શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.
Ahead of Diwali, the SC permitted the sale and manufacture of “green” crackers which have low emission across the country.
Jayesh Brahmbhatt 98253 44944
સુરત કલેક્ટર અને ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા ડો. ધવલ પટેલે આજે તેમના સહકર્મચારીઓ તેમજ સહ અધિકારીઓને એક છેલ્લો મેસેજ (સોશ્યલ મિડીયા પર) આપીને અચરજમાં મૂકી દીધા હતા. ડો. ધવલ પટેલે કરેલા મેસેજનો સાર એ હતો કે તેઓ હવેથી સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાને કાયમ માટે તિલાંજલી આપી રહ્યા છે. તેઓ મોબાઇલ ફોન યુઝ કરશે, તેના પર ફોન કોલ કરીને, મેસેજ કરીને અગર તો ઇમેલ થકી તેમને (ડો. ધવલ પટેલનો) સંપર્ક કરી શકાશે.

સોશ્યલ મિડીયાથી દૂર રહેવા માટે કોઇ પહેલની જ જાણે રાહ જોવાતી હોય એમ
સુરત કલેક્ટર ડો. ધવલ પટેલની પહેલ સમાજના અનેક લોકોને પ્રભાવિત કરશે
પોતાના સહકર્મચારીઓ અને સહઅધિકારીઓને સુરત કલેક્ટર ડો.ધવલ પટેલે પાઠવેલો આ મેસેજ જોતજોતામાં એટલો વાઇરલ થયો કે ન પૂછો વાત. બુદ્ધિજીવીઓથી લઇને સરકારી અધિકારીઓમાં આજે તા.19મી ઓક્ટોબર 2018ની સાંજથી આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. મોટા ભાગના અધિકારીઓનું કહેવું હતું કે આઇ.એ.એસ. ડો. ધવલ પટેલે શરૂ કરેલો ટ્રેન્ડ લાંબો સમય ચાલશે. સોશ્યલ મિડીયા અને સ્માર્ટ ફોન સામાજિક સમસ્યાઓના સૌથી મોટા પરીબળ તરીકે ઉપસી રહ્યા છે.

(આ હતો સુરત કલેક્ટરનો તેમના સહકર્મચારીઓ, અધિકારીઓને અંતિમ સ્માર્ટ ફોન મેસેજ)
સનદી અધિકારી ડો.ધવલ પટેલએ સ્માર્ટ ફોન કે સોશ્યલ મિડીયા પર એક્ટીવ નહીં રહેવા પાછળ તેમનું અંગત કારણ હોવાનું જણાવ્યું છે. ભલે તેઓ અંગત કારણથી સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાથી પરહેઝ રાખશે. પણ હવે પછી તેમણે શરૂ કરેલો આ ટ્રેન્ડ સેંકડો નહીં પણ હજારો લોકો અપનાવતા થશે અને એટલે જ સી.આઇ.એ. લાઇવ વેબ પણ કહે છે કે ડો.ધવલ પટેલ શરૂ કરેલો આ ટ્રેન્ડ દૂર તક જાયેગા.
અનેક બુદ્ધિજીવીઓ સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાથી દૂર થઇ રહ્યા છે. સમાજના અનેક લોકો પ્રભાવશાળી વ્યક્તિઓનો ફોલો કરતા હોય છે. કોઇ સનદી અધિકારી, આઇ.એ.એસ. ઓફિસર જ્યારે સ્માર્ટ ફોને સોશ્યલ મિડીયા વગર સરળતાથી જીવી જાણતો હોય તો પછી સામાન્ય વ્યક્તિઓ તો સરળતાથી તેના વગર રહી શક્શે. અને એટલે જ સ્માર્ટ ફોન કે સોશ્યલ મિડીયાથી દૂર રહેવા માટે કોઇ પહેલની જ જાણે રાહ જોવાતી હોય એમ સુરત કલેક્ટર ડો. ધવલ પટેલની પહેલ સમાજના અનેક લોકોને પ્રભાવિત કરશે એમાં બે મત નથી.

દશેરા પર્વે મનોરંજન માટે ખાસ કરીને બાળકોના મનોરંજન માટે રાવણદહનનો કાર્યક્રમો યોજાય છે. પણ આ વખતે રાવણને પણ જીએસટી અને મોંઘવારી એવા નડ્યા કે વિરાટ કદના રાવણને વામન કદના કરી દેવા પડ્યા છે. બજારમાં દશેરાએ રાવણ દહન માટેના રાવણો તૈયાર કરી આપનારાઓએ રાવણોના ભાવમાં 35 ટકા જેટલો જંગી વધારો કર્યો હોવાથી આ વખતે ગુજરાતના અનેક શહેરોમાં રાવણોના કદ પાછલા વર્ષોની તુલનામાં નાના થઇ ગયા છે.
રાવણોને પણ ગુજરાતમાં આ વર્ષે મોંઘવારી અસર કરી રહી છે. ગુજરાતમાં દશેરાના દિવસે રાવણદહન માટે તૈયાર કરી આપવામાં આવતા રાવણનાં પૂતળાં મોંઘવારીને કારણે ઓછાં વેચાયાં છે તો જ્યાં રાવણદહન થાય છે ત્યાં રાવણનાં નાના કદના પૂતળાંના ઓર્ડર અપાયા હોવાનું જાણવા મળે છે.
દક્ષિણ ગુજરાતનાં અલગ-અલગ શહેરોમાં વાપી, અમદાવાદ અને મુંબઇથી દર વર્ષે રાવણ તૈયાર કરીને મોકલવામાં આવે છે અને એ માટે ખાસ ઉત્તર પ્રદેશથી કારીગરો એક મહિના પહેલાંથી રાવણ દહન સ્થળે ડેરા તંબુ તાણીને રાવણનાં પૂતળાં બનાવે છે.
સુરતમાં રહીને રાવણદહન માટે રાવણ તૈયાર કરી આપતા અબ્બાસ અલી કહે છે કે 25થી 50 ફૂટ જેટલાં ઊંચાં રાવણનાં પૂતળાંનો અૉર્ડર અત્યાર સુધી મળતા હતા. આ વર્ષે ભાવતાલની વાતચીતમાં જ ઓર્ડર પર 30 ટકા કાપ આવી ગયો છે. જીએસટી અને રાવણ માટે ઉપયોગી મટીરીયલ અને ફટાકડાના ભાવ વધારાને કારણે રાવણના ભાવ 35 ટકા જેટલા વધાર્યા છે. આમ આ વર્ષે રાવણ દહન કરનારાઓએ પોતાનું બજેટ વધાર્યું નથી એટલે આ વર્ષે દશેરામાં મોંઘવારીને કારણે રાવણની માગણી ઓછી થઈ ગઈ છે.
રાવણ બનાવવા માટેના વાંસ, કાગળ અને ફટાકડાના ભાવમાં લગભગ 28 ટકા વધારો થયો છે રાવણ દહન કરાવનારા આયોજકોએ ભાવ વધારાને પગલે ઓછા ફટાકડા નાખવાનું કહેવા ઉપરાંત નાના કદના તૈયાર કરાવ્યા છે.
દેશના 11.91 લાખ કર્મચારીને આનંદો : રેલવે પર પડશે બે હજાર કરોડનો બોજ
નવરાત્રી આરંભ થતાં જ સરકારી, અર્ધસરકારી કચેરીઓ હોય કે પ્રાઇવેટ બિઝનેસ, ફર્મ્સ હોય, એમાં કામ કરતા તમામ કર્મચારીઓ એક સમાચાર સત્વરે મળે તેવી અપેક્ષા રાખતા હોય છે અને એ સમાચાર હોય છે બોનસના. આ વખતે દિવાળી પહેલા બોનસના સમાચાર ભારતીય રેલ દ્વારા આપવામાં આવ્યા છે. ઇન્ડિયન રેલવેએ તેના કર્મચારીઓને 78 દિવસનો પગાર અંદાજે (અઢી મહિનાનો પગાર) બોનસ તરીકે આપવાનો અને એ પણ દશેરા પહેલા એ ચૂકવાય જશે એવો નિર્ણય કરીને રેલવેને અંદાજે 12 લાખ કર્મચારીઓના દિલ જીતી લીધા છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના લાખો કર્મચારીઓ બોનસના સમાચાર મળે તેની રાહ જોઇને બેઠા છે.
રેલવે કર્મીઓ માટે આનંદના સમાચારમાં આ વરસે રેલવે તંત્ર તેના કર્મચારીઓને 78 દિવસના પગાર જેટલી રકમ બોનસના રૂપમાં આપવા જઇ રહ્યું છે.

કેન્દ્રીય પ્રધાન મંડળે રેલવેના આ અંગેના પ્રસ્તાવને તા.10મી ઓક્ટોબર 2018ના રોજ મંજૂરી આપી દીધી હતી. દુર્ગાપૂજાથી પહેલાં જ બોનસ તમામ કર્મચારીને ચૂકવી દેવાશે, તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે. આ બોનસ રેલવે બિનરાજ પત્રિત કર્મચારીઓને આપે છે. દેશમાં આવા 11.91 લાખ કર્મચારી છે. આ બોનસ આપવાથી રેલવે પર ચાલુ વર્ષ દરમ્યાન લગભગ બે હજાર કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.
દર વરસે દશેરાથી પહેલાં બોનસ ચૂકવી દેવાની પરંપરા છે. જોકે, તેમાં રેલવે સુરક્ષાદળ અને રેલવે સુરક્ષા વિશેષ દળના કર્મચારીઓનો સમાવેશ કરાતો નથી. રેલવે સૂત્રોના જણાવ્યાનુસાર આ બોનસ હેઠળ એક કર્મચારીનાં ખાતામાં 18 હજાર રૂપિયા સુધીની રકમ આવી શકે છે. નોંધનીય છે કે લગાતાર સાતમાં વરસે આ વખતે રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ ચૂકવવામાં આવી રહ્યું છે.
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
સુરત એરપોર્ટ દિન પ્રતિદિન નવી ઉંચાઇઓ સર કરી રહ્યું છે. એક તરફ સુરત એરપોર્ટ પર પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટની આતૂરતાપૂર્વક રાહ જોવાય રહી છે અને આ ન્યુઝ આવે એ પહેલા આજે તા.8મી ઓક્ટોબર 2018ના રોજ એવા અહેવાલ આવ્યા કે કોઇ એક મહિનામાં એક લાખથી વધુ મુસાફરો અવર-જવર કરતા હોય તેવા દેશના ચુનંદા એરપોર્ટસની યાદીમાં સુરત સામેલ થઇ ગયું છે.
સુરત એરપોર્ટ પર ગત સપ્ટેમ્બર 2018 દરમિયાન કુલ 1 લાખ 10 હજાર 189 મુસાફરોએ અવર-જવર કરી હોવાનો સત્તાવાર રિપોર્ટ એરપોર્ટ ઓથોરિટીએ જારી કર્યો છે. 2018-19ના હિસાબી વર્ષમાં સુરતમાં 4,71,108 મુસાફરોની અવર-જવર થઇ એ પણ એક વિક્રમ છે. હિસાબી વર્ષના પહેલા 6 માસમાં પોણા પાંચ લાખ જેટલા મુસાફરોની સંખ્યા દર્શાવે છે કે સુરતમાં એરપોર્ટ ફેસેલિટીની કેટલી અનિવાર્યતા હતી અને છે.

અગાઉ ઓગસ્ટ 2018 માસમાં કુલ 88,653 મુસાફરોની અવરજવર નોંધાઇ હતી ત્યારે જ એ વાત નક્કી થઇ ગઇ હતી કે સપ્ટેમ્બર 2018 મહિનામાં સુરત એરપોર્ટ પરથી અવરજવર કરતા મુસાફરોની સંખ્યા એક લાખને અાંબી જશે.
અત્રે એ પણ વિગતા પ્રકાશિત કરવામાં આવી છે કે સુરત એરપોર્ટ પરથી સપ્ટેમ્બર 2018 માસ દરમિયાન કેટલી એર પ્લેન મુવમેન્ટ થઇ હતી.

કુલ 1380ની સંખ્યામાં ઉડ્ડયન થયા હતા જે પૈકી 1056 શિડ્યુલ્ડ અને 324 નોનશેડ્યુલ્ડ ફ્લાિઇટ્સ હોવાનું જાણવા મળે છે. ગત મહિને ફ્લાઇટ્સનો કુલ આંકડો 1169 નો હતો.
બેંક કૌભાંડોમાં જેમના પતિ તેમજ તેમની પોતાની સંડોવણીના થયેલા આક્ષેપો, ફરીયાદો, તપાસ વગેરેને પગલે ભારતની પ્રાઇવેટ સેક્ટર બેંક, આઇસીઆઇસીઆઇના ચીફ એક્ઝિક્યુટિવ ચંદા કોચરએ બેંકની કાર્યવાહીમાંથી તેમને મુક્ત કરવા અંગે, તેમજ નિયત સમયમર્યાદા કરતા વહેલા નિવૃત કરવાની કરેલી અરજીને ત્વરિત પ્રત્યાઘાત આપતા આઇ.સી.આઇ.સી.આઇ. બેંકની બોર્ડ મિટિંગમાં ચંદા કોચરના તાત્કાલિક અસરથી કામગીરી મુક્ત કરી દેવાયા છે. ચંદા કોચરની જગ્યાએ હવે આઇ.સી.આઇ.સી.આઇ. બેંકના નવા સી.ઇ.ઓ. તરીકે સંદીપ બક્ષીની નિમણૂંક કરવામાં આવી છે. સંદીપ બક્ષીની પાંચ વર્ષ માટે નિયુક્તિ કરવામાં આવી છે.

ચંદા કોચર અને તેમની સાથે નવા વરાયેલા સી.ઇ.ઓ. સંદીપ બક્ષી
ચંદા કોચર અને તેમના પતિ સામે અનેક ઇન્કવાયરીઓ ચાલી રહી છે. ચંદા કોચર આઇ.સી.આઇ.સી.આઇ. બેંકની અન્ય શાખાઓ અને કન્સર્ન પેઢીઓમાંથી પણ કાર્યમુક્ત થઇ જશે.