CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 36 of 41 - CIA Live

December 17, 2018
SDCA_logo.jpg
1min12020

લાલભાઇ સ્ટેડીયમ ખાતે વોલીબોલ, બાસ્કેટબોલ અને ફુટબોલ માટે અત્યાધુનિક સિન્થેટિક કોર્ટ

(પત્રકાર પરીષદને સંબોધતા સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના શ્રી કનૈયાભાઇ કોન્ટ્રકાટર, શ્રી હેમંત કોન્ટ્રાક્ટર, શ્રી હિતેષભાઇ પટેલ, શ્રી નરેન્દ્રભાઇ ગાંધી દ્રશ્યમાન છે)

સુરત શહેરની સૌથી પ્રીમિયર સ્પોર્ટસ ક્લબ તરીકે ગણના પામતા લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીસરમાં ધ સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશન દ્વારા તેમના મેમ્બર્સ માટે વધુને વધુ અત્યાધુનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પ્રસ્થાપિત કરવામાં આવી રહી છે. તાજેતરમાં ધ સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન દ્વારા બાસ્કેટબોલ, ફુટબોલ અને વોલીબોલની ગેમ્સ માટે સિન્થેટિક્સ કોર્ટ તૈયાર કરાવડાવી તેનું લોકાપર્ણ કર્યું હતું.

(લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીરસમાં વોલીબોલ માટે અત્યાધુનિક સિન્થેટિક કોર્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો, એ સમયે રમાયેલી પહેલી મેચની તસ્વીર)

આ પ્રસંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વધુ વિગતો આપતા શ્રી કનૈયાલાલ કોન્ટ્રાક્ટર, હેમંતભાઇ કોન્ટ્રાક્ટર, શ્રી હિતેશભાઇ  ડી. પટેલ, શ્રીએસ.એ. રાવલ, શ્રી મયંક દેસાઇ, ડો. નૈમેષ દેસાઇ, નિલેશ પટેલ, વિપુલ મુન્સી, યશેષ સ્વામી, નરેન્દ્ર ગાંધી, સાયમનભાઇ કોરેથ વગેરેએ જણાવ્યું હતું કે સિન્થેટિક્સ કોર્ટ એ રમનારાઓ માટે સુવિધા સંપન્ન હોવા સાથે ફિટનેસ માટે પણ ઉપયોગી છે. આંતર રાષ્ટ્રીય સ્તરે હવે સિન્થેટિક્સ કોર્ટ સર્વસ્વીકૃત બન્યા છે.

(લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીસરમાં ફુટબોલની રમત માટે તૈયાર કરવામાં આવેલા અત્યાધુનિક સિન્થેટિક કોર્ટ પર રમાયેલી પહેલી મેચની યાદગાત તસ્વીર)

આગેવાનોએ જણાવ્યું કે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોશીએશન માટે એવી છાપ હતી કે ફક્ત ક્રિકેટની રમતને જ પ્રોત્સાહન મળે છે પરંતુ, અહીં હવે તમામ પ્રકારની રમતો સ્પર્ધાત્મક રીતે રમી શકાય તેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસીત કરવામાં આવી રહ્યું છે. હાલના જીમ્નેશિયનને તોડીને નવું અત્યાધુનિક જીમ્નેશિયમ આકાર પામી રહ્યું છે. સ્વીમીંગ પુલ પણ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનો બનાવવામાં આવી રહ્યો છે.

વધુમાં લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીસરમાં જ ટૂંક સમયમાં ઇન્ડોર લોન ટેનિસ તેમજ બેડમિગ્ટન કોર્ટનું નિર્માણ કરીને તેને સભ્યો માટે ખુલ્લા મૂકવામાં આવશે.

ક્રિકેટની રમત અંગે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના આગેવાનોએ જણાવ્યું કે સુરતને આઇ.પી.એલ. કે અન્ય ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ મળે તે માટે જરુરી માળખાગત સુવિધા વિકસાવવામાં આવી રહી છે. જેમકે આંતર રાષ્ટ્રીય સ્તરની મેચ માટે મિડીયા સેન્ટર હોવું જરૂરી હોઇ, કુલ 6000ની ક્ષમતા ધરાવતું મિડીયા સેન્ટર ઉભું કરવામાં આવી રહ્યું છે.

December 15, 2018
shpoin.jpg
1min7680

દુનિયાનું સૌથી મોટું અને સર્વ સ્વીકૃત સર્ચ એન્જિન ગુગલ કરાવશે હવે તમને શોપિંગ. ગૂગલે ભારતમાં પોતાની ઓનલાઈન શોપિંગ વેબસાઈટ ગૂગલ શોપિંગ લોન્ચ કરી દીધી છે. ગૂગલના ઈ-કોમર્સ સેક્ટરમાં આવતાની સાથે જ તે ભારતમાં પહેલેથી  જ લોકપ્રિય ઓનલાઈન વેબસાઈટ્સ ફ્લિપકાર્ટ, એમેઝોનને જબરદસ્ત ટક્કર આપશે એવું માનવામાં આવી રહ્યું છે.

આજે દુનિયાભરમાં કોઇપણ પ્રકારની માહિતી મેળવવા માટે ગુગલ કરો એવી છાપ ઉભી થઇ છે. ગુગલ દરેક દેશના દરેક લોકો માટે અત્યંત ઉપયોગી અને લોકપ્રિય બન્યું છે એટલે જ ગુગલના નામથી નવા શોપિંગ સર્ચ એક્સપિરિયન્સને ભારતીય ગ્રાહકો માટે લાવવામાં આવ્યું છે. ગુગલ ઓનલાઇન શોપિંગ દ્વારા ગ્રાહકો સરળતાથી કોઈ પણ પ્રોડક્ટ પર મળી રહેલી ઓફરને શોર્ટલિસ્ટ કરી શકશે અને પોતાના માટે યોગ્ય પ્રોડક્ટ પસંદ કરી શકશે.

ગૂગલ શોપિંગની મદદથી ગ્રાહકો મલ્ટીપલ ઈ-કોમર્સ સાઈટ્સ પર મળી રહેલી બેસ્ટ ઓફર્સને એક સાથે જોઈ શકશે, જેમાં રિટેઇલર્સ પણ સામેલ હશે. ગૂગલ શોપિંગ યૂઝર્સ માટે સરળ અને યૂઝર ફ્રેન્ડલી શોપિંગનો અનુભવ કરાવશે. ગૂગલના આ પ્લેટફોર્મ પર ડેડિકેટેડ સેક્શન્સ જોડવામાં આવ્યા છે. જેમા પ્રાઈઝ ડ્રોપ્સ, ટોપ ડીલ અને ગૂગલની પ્રાઈઝ એક સાથે જોઈ શકાશે.  આ સિવાય મોબાઈલ ફોન, સ્પીકર્સ, વૂમન ક્લોધિંગ, બુક્સ, ઘડિયાળ, હોમ ડેકોર ,પર્સનલ કેર  વગેરે જેવી કેટેગરી જોવા મળશે.

આ પ્લેટફોર્મ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ પાવર્ડ શોપિંગનો અનુભવ મળશે. ગૂગલ લેન્સની મદદથી તમે કોઈપણ વસ્તુને સ્કેન કરીને સર્ચ કરી શકશો અને તે માટે ફોનના કેમેરાનો ઉપયોગ પણ કરી શકાશે. ગૂગલ ખાસ કરીને રિટેલર્સ માટે ઉપયોગી બનશે કેમકે અહીં કોઈ પણ રિટેલર રજીસ્ટર થઈ શકે છે.  આ માટે ગૂગલ મર્ચંટ સેન્ટરનો ઉપયોગ કરવાનો રહેશે. મર્ચંટ સેન્ટર  અંગ્રેજી સિવાય હિન્દી ભાષાને પણ સપોર્ટ કરશે.

December 12, 2018
sonakshi1.jpg
1min22970

સોનાક્ષી સિંહા સાથે ઑનલાઇન શૉપિંગ સાઇટ ઍમેઝૉન દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરીયાદ ખુદ સોનાક્ષીએ ટ્વીટર પર શેર છે.

સોનાક્ષીએ ૧૮,૦૦૦ના બોઝ કંપનીના હેડફોન ઑર્ડર કર્યા હતા, પરંતુ બદલામાં તેને લોખંડનો એક ટુકડો મોકલવામાં આવ્યો છે.

સોનાક્ષીએ ટ્વિટર પર તેણે કરેલા ઑર્ડરના બદલામાં મળેલા લોખંડના ટુકડાનો ફોટો શૅર કરતાં ટ્વીટ કર્યું હતું કે ‘મેં કરેલા બોઝના હેડફોનના ઑર્ડરની જગ્યાએ મને શું મળ્યું છે એ જુઓ ઍમેઝૉન. એકદમ બરાબર બંધ થયેલું અને ક્યારેય ઓપન ન કર્યું હોય એવું બૉક્સ દેખાઈ રહ્યું હતું, પરંતુ ફક્ત બહારથી જ. આના કરતાં પણ સૌથી ખરાબ બાબત એ છે કે તમારી કસ્ટમર કૅર સર્વિસ કોઈ મદદ કરવા નથી માગતી. શું કોઈ ૧૮,૦૦૦માં આ ભંગાર ખરીદવા માગે છે? ડરવાની જરૂર નથી, આ ભંગાર હું વેચી રહી છું; ઍમેઝૉન નહીં. એથી તમે જે ઑર્ડર કર્યો હશે એ જ તમને મળશે.’

December 10, 2018
CIA_Live_Logo_New2.jpg
1min14970

લોકરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરવી પડી હતી, હજુ આ ઘટનાના મૂળ સુધી પોલીસ પહોંચી શકી નથી ત્યાં આજે તા.10મીએ મોડી સાંજે રાજ્ય સરકારના વહીવટ અને આઇ.ટી. વિભાગના અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે રવિવારે તા.23મી ડિસેમ્બર 2018ના રોજ રાજ્યવ્યાપી ધોરણે યોજાનારી વન રક્ષક વર્ગ-3ની કુલ 334 જગ્યા માટેની ભરતી પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખ અને સમયપત્રક હવે પછી જાહેર કરવામાં આવશે.

વન રક્ષક વર્ગ-3ની આ પરીક્ષા માટે પણ રાજ્યભરમાંથી અંદાજે 6 લાખ ઉપરાંત ઉમેદવારોએ તૈયારી કરી હતી અને પરીક્ષાના કોલ લેટરની રાહ જોઇ રહ્યા હતા. આજે મોડી સાંજે પરીક્ષા રદ કરવાની જાહેરાતને પગલે લાખો ઉમેદવારો નિરાશ થયા હતા. આ સાથે જ ગુજરાત સરકારની આબરૂનું પણ લિલામ થવા પામ્યું છે. ભરતી પ્રક્રિયાઓ કે જેમાં એક સાથે લાખો ઉમેદવારો તૈયારી કરતા હોય છે એ છેલ્લી ઘડીએ રદ કરી દેવાથી ઉમેદવારોને માનસિક, શારીરીક, આર્થિક અને ભવિષ્યનું કેટલું મોટું નુકસાન વેઠવું પડે છે તેનો અંદાજો પણ સરકાર જાણતી ન હશે.

December 10, 2018
hukka.jpg
1min13090
  • મુંબઈ હાઈ કોર્ટમાં તા.26મી નવેમ્બર 2018ના રોજ આવો સવાલ કરતી એક પિટિશન દાખલ કરવામાં આવી હતી
  • ૧૭ ડિસેમ્બર સુધીમાં જવાબ ફાઇલ કરવા મહારાષ્ટ્ર સરકારને આદેશ કરાયો છે

મહારાષ્ટ્રમાં નવા જે કાયદા કાનૂન લાગુ થાય છે ગુજરાતમાં એ થોડા વખતમાં લાગૂ પડી જાય છે. જેમકે મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિક પર બેન મૂકાયા બાદ ગુજરાતમાં પણ તેનો અમલ શરૂ કરાયો હતો. એવા અનેક નિયમો, કાયદાઓ બન્યા છે જેનો ટ્રેન્ડ મહારાષ્ટ્રે સેટ કર્યો છે. હવે હુક્કા બારની બાબતમાં પણ આવું બની શકે એમ છે. મહારાષ્ટ્રમાં હુક્કાબાર પર પ્રતિબંધ મૂકાયો છે જેની સામે મહારાષ્ટ્ર હાઇકોર્ટમાં પીટીશન ફાઇલ કરવામાં આવી છે જેમાં સવાલ ઉપસ્થિત કરવામાં આવ્યો છે કે હુક્કા બાર પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો છે. હકીકતમાં તો હુક્કાબારમાં સિગારેટ કે બીડી કરતા પણ ઓછું નિકોટિન હોય છે, મોટા મોલ્સ, એરપોર્ટ જેવા જાહેર સ્થળો પર ધુમ્રપાન માટે સ્પેશયલ એરિયા હોય છે ત્યારે હુક્કા બાર પણ સ્પેશિયલ જગ્યા હોવા છતાં તેને કેમ ગેરકાચદે ગણવામાં આવે છે.

મહારાષ્ટ્રમાં થયેલી આ રીટના અનુસંધાનમાં મહારાષ્ટ્ર સરકારને તા.17મી ડિસેમ્બર 2018 સુધીમાં જવાબ ફાઇલ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ નથી તો પછી હુક્કા પર કેમ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે એવો સવાલ પુણેની કાર્નિવલ રેસ્ટોરન્ટના દિનેશ ગાયકવાડે ગઇ તા.26મી નવેમ્બર 2018ના રોજ મુંબઈ હાઈ કોર્ટમાં કરવામાં આવેલી પિટિશનમાં પૂછ્યો છે. આ પિટિશનમાં રાજ્યમાં હુક્કા પાર્લર પર લાદવામાં આવેલા પ્રતિબંધને ઉઠાવી લેવાની માગણી કરવામાં આવી છે. આ પિટિશનની અંતિમ સુનાવણી કરવામાં આવી ત્યારે સરકારને પોતાનો જવાબ નોંધાવવાનો આદેશ આપીને સુનાવણી ૧૭ ડિસેમ્બર પર મોકૂફ રાખવામાં આવી હતી.

પિટિશનરે એવો દાવો કર્યો છે કે હુક્કામાં બીડી અને સિગારેટની સરખામણીમાં ઓછા નિકોટિનનું સેવન થાય છે. આમ છતાં બીડી અને સિગારેટના વેચાણને પરવાનગી છે અને થિયેટર્સ, મૉલ, કૉર્પોરેટ ઑફિસ, ઍરપોર્ટ વગેરે સ્થળે ખાસ સ્મોકિંગ ઝોન બનાવીને આપવામાં આવે છે ત્યારે હુક્કા વિક્રેતા સાથે જ કેમ અન્યાય કરવામાં આવે છે?

December 10, 2018
taj.jpg
1min6210

વિશ્વની અજાયબીઓમાંથી એક તાજમહેલમાં ભીડને કાબૂમાં કરવા માટે નવી વ્યવસ્થા લાગૂ પાડવામાં આવી છે. મુખ્ય મકબરા સુધી જવા માટે હવે પર્યટકોએ કુલ 250 રૂપિયા ચુકવવા પડશે. તાજ મહેલની મુલાકાતે આવા પર્યટકોની સંખ્યા સતત વધી કહી છે. વીકેંડમાં 50 હજારથી વધુ સહેલાણીઓ તાજની મુલાકાતે પહોંચે છે. એવામાં મુખ્ય મકબરા પર ભીડ વધ્યા બાદ શાહજહાં અને મુમતાઝની કબર જોવા વાળાઓની ભીડ વધી જાય છે. લોકોને કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે. જેને જોતા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે મુખ્ય મકબરા પર ભીડને ઓછી કરવા માટે ટિકિટના જક વધારવાનું સૂચન આપ્યું હતું જેને સરકારે મંજૂરી આપી છે.

જૂના દર મુજબની 50 રૂપિયાની ટિકિટ લેનાર પર્યટકોને રેડ પ્લેટફોર્મ(ચમેલી ફર્શ) સુધી જવાની અનુમતિ મળશે. આ પર્યટકો મુખ્ય મકબરા સિવાય તાજમહેલના દીદાર કરી શકશે.

  • સ્થાનિક પર્યટકો માટે 50 અને 250 રૂપિયા
  • વિદેશી પર્યટકોએ 1100 અને 1300 રૂપિયા
  • સાર્ક દેશો માટે 540 અને 740 રૂપિયા

તાજમહેલના પૂર્વીય અને પશ્ચિમી ગેટ પર બનેલી ટિકિટ વિંડો પરથી પર્યટકો ટિકિટ લઈ શકશે. અહીં સ્થાનિક પર્યટકો માટે 50 અને 250 રૂપિયાની ટિકિટ આપવામાં આવશે જ્યારે વિદેશી પર્યટકોએ 1100 અને 1300 રૂપિયા ચુકવવા પડશે. જ્યારે સાર્ક દેશો માટે 540 અને 740 રૂપિયાની ટિકિટ રહેશે. મુલાકાતીઓ પોતાની સુવિધા અનુસાર ટિકિટની પસંદગી કરી શકશે.

પ્રવાસન વિભાગે ઑગસ્ટમાં પણ તાજની ટિકિટમાં વધારો કર્યો હતો. સ્થાનિક અને સાર્ક દેશોના પર્યટકો માટે ટિકિટમાં 10 રૂપિયા અને વિદેશી પર્યટકો માટે 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલા એપ્રિલ 2016માં ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો હતો.

200 રૂપિયાની વધારાની ટિકિટ લઈને મુલાકાતીઓ તાજના મુખ્ય મકબરાના મુગલકાળના નકશીકામનો આકર્ષક નજારો જોઈ શકશે. સંગેમરમર પર કરવામાં આવેલું આ નકશીકામ પર્યટકોમાં આકર્ષણનું કેંદ્ર છે. મુમતાજની કબર પાસે પણ પથ્થરો પર શાનદાર કામ કરવામાં આવ્યું છે. જે ખુબ જ મનમોહક છે.

 

December 7, 2018
patidar_paas_logo.jpg
1min6740

અલ્પેશ કથિરીયાની મુક્તિ સાથે શરૂ થનારી સંકલ્પ યાત્રાને સુરતથી

ખોડલધામ અને ખોડલધામથી ઉંઝા ઉમિયા ધામ ખાતે લઇ જવાનું આયોજન

ઉપર જોઇ રહ્યા છો એ ઇમેજ મુજબ આગામી તા.9મી ડિસેમ્બર 2018ના રોજ પાસના સુરતના જ નહીં બલ્કે ગુજરાતના ટોચના નેતા ગણાતા અલ્પેશ કથિરીયા ઉર્ફે અલ્પેશ ગબ્બરની સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાંથી મુક્તિ થવા સાથે જ પાસ દ્વારા ત્રણ દિવસની સંકલ્પ યાત્રાનો આરંભ કરવાની જાહેરાત જોરશોરથી કરવામાં આવી છે.

અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિને વધાવવા માટે શક્ય એટલા પાટીદારોને લાજપોર મધ્યસ્થ જેલ ખાતે ઉપસ્થિત રહી ત્યાંથી રેલી આકારે વાયા ભેસ્તાન વરાછા સુધી જોડાવા માટે આહવાન કરવામાં આવી રહ્યા છે. સુરતના વરાછા, પૂણા, કતારગામ, અમરોલી, વેડ, ડભોલી વગેરે વિસ્તારોમાં રાત્રી સભાઓ તેમજ ઓટલા બેઠકો કરીને વધુને વધુ પાટીદારો અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિ સમયે યોજાનારી યાત્રામાં જોડાય તેવા પ્રયાસો કરવામા આવ્યા છે.

દરમિયાન પાસ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવેલી જાહેરાત અનુસાર ત્રણ દિવસની સંકલ્પ યાત્રા સુરતથી નીકળીને પહેલા ખોડલધામ જશે, ત્યાં રાત્રી રોકાણ કર્યા બાદ ઉંઝા ઉમિયા માતાના ધામ ખાતે સંકલ્પ યાત્રાને વિરામ આપવામાં આવશે.

અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિ સાથે જ ત્રણ દિવસની સંકલ્પ યાત્રા યોજવા અંગે પાસ દ્વારા કરવામાં આવેલી જાહેરાતને પગલે સુરત પોલીસ હરકતમાં આવી ગઇ છે અને પાસની સંકલ્પ યાત્રાના રૂટ તેમજ પાટીદારની બહુલ વસતિ ધરાવતા વરાછા, પૂણાના વિસ્તારોમાં પોલીસની હાજરી અને બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હોવાનું પ્રથમદર્શી નજરે જણાય આવે છે.

December 3, 2018
onion.jpg
1min5280

કાંદાના ઉત્પાદન માટે જાણીતા નાશિકમાં કિલો કાંદાનો ભાવ એક રૂપિયા ઉપજતા તેના વિરોધમાં તેની રકમ વડા પ્રધાનને મોકલી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

નાશિકમાં કાંદાની ખેતી કરતા ખેડૂતને ૭૫૦ કિલોના કાંદાના ઉત્પાદન માટે પ્રતિ કિલો કાંદાના ફ્કત રૂ. ૧.૪૦ મળ્યા હતા. દેશમાં ખેડૂતોની કથળતી હાલતને જોતા સરકારનો વિરોધ પ્રદર્શન કરવા માટે આ ખેડૂતે તેણે કમાવેલા રૂ. ૧,૦૬૪ વડા પ્રધાનને મોકલ્યા હતા.

નિફાડ તહેસીલના સંજય સાઠેએ આ વર્ષે ૭૫૦ કિલો કાંદા ઉગાડ્યા હતા, પણ તેને નિફાડ હોલસેલ માર્કેટમાં ફક્ત એક રૂપિયા પ્રતિ કિલોના ભાવે કાંદા વેચવાની ઓફર મળી હતી. વાટાઘાટ કરતાં હોલસેલ માર્કેટના વેપારીઓ પ્રતિકિલો કાંદાના રૂ. ૧.૪૦ આપવા તૈયાર થયા હતા. ૭૫૦ કિલો કાંદાના સાઠેને ફક્ત રૂ. ૧,૦૬૪ મળ્યા હતા. ચાર મહિના કપરી મહેનત કર્યા બાદ ફ્કત રૂ. ૧,૦૬૪ની કમાણી થઇ હતી. સાઠેએ આ રકમ વડા પ્રધાનના ડિઝાસ્ટર રિલિફ ફંડ માટે દાનમાં આપ્યા હતા. તનતોડ મહેનત કરીને દેશના નાગરિકોનું પેટ ભરતા ખેડૂતોને કષ્ટમાંથી ઉગારવા માટે સરકારે પગલાં ભરવા જોઇએ.

November 30, 2018
statue-of-unity.jpg
1min4380

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક મહિનો થઈ ચૂક્યો છે. માત્ર એક મહિનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આવક 5.91 કરોડ નોંધાઈ છે. દરરોજ સરેરાશ 10 હજાર જેટલા લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે

182 મીટરની આ પ્રતિમા નવું પ્રવાસન સ્થળ બની ચૂકી છે.  એક અંદાજ પ્રમાણે એક મહિનામાં 2.65 લાખ જેટલા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે.  ટેન્ટ સિટી પણ લોકોને આકર્ષી રહી છે. પ્રવાસીઓની સુવિધા માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે બનાવવામાં આવેલા ટેન્ટ સિટીમાં પણ મહિના દરમિયાન પાંચ હજાર જેટલા પ્રવાસીઓ નોંધાયો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીને એક મહિનો પૂરો થવા પર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી એક સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.

November 30, 2018
maratha1.png
1min10650

સામાન્ય રીતે બહુ સમૃદ્ધ માનવામાં આવતા મરાઠા સમાજના 93 ટકા પરિવારની વાર્ષિક આવક એક લાખ કરતા ઓછી હોવાનું કમિશનના અહેવાલમાં સામે આવ્યું છે. લગભગ 37.28 ટકા મરાઠા સમાજ ગરીબી રેખા નીચે જીવે છે.

સ્ટેટ ઑબીસી કમિશન દ્વારા કરવામાં આવેલા સર્વેમાં મરાઠા સમાજને શૈક્ષણિક, સમાજિક અને આર્થિક રીતે પછાત જણાવવામાં આવ્યો છે. રાજ્યમાં 30 ટકા મરાઠા વસતિ છે, જેમાંથી 76.86 ટકા લોકો ખેતી અને ખેતમજૂરી પર નભે છે. સરકારી નોકરીઓમાં તેમનું માત્ર છ ટકા પ્રતિનિધિત્વ છે અને તેમાં પણ ડી ક્લાસની નોકરીઓમાં વધારે જોવા મળે છે. જે મરાઠાઓ શહેર તરફ વળ્યા છે, તેમાંથી મોટા ભાગના માથાડી કામદાર કે ઘરકામમાં જોડાયેલા જોવા મળે છે. કમિશને 21 સ્થળે જાહેર સુનાવણી રાખી હતી.

 

  • રાજ્યમાં 30 ટકા મરાઠા વસતિ
  • 37.28 ટકા મરાઠા સમાજ ગરીબી રેખા નીચે
  • 76.86 ટકા લોકો ખેતી અને ખેતમજૂરી પર
  • સરકારી નોકરીઓમાં માત્ર છ ટકા પ્રતિનિધિત્વ
  • ડી ક્લાસની નોકરીઓમાં વધારે
  • 1,93,651 વ્યક્તિગત નિવેદન
  • 814 અલગ અલગ સંસ્થાઓના નિવેદન
  • 784 ગ્રામ પંચાયતે સાથે મળી 282 ઠરાવ
  • 84 નિવેદન એવા પણ હતા જે ઑબીસી કેટેગરીમાં અનામત આપવાના વિરોધમાં
  • આઈએએસ જેવા પદ પર માત્ર 6.92 ટકા મરાઠા
  • 40,962 પરિવારને સર્વેક્ષણમાં સાંકડવામાં આવ્યા
  • 2013થી 2018 દરમિયાન 13,368 ખેડૂતે આત્મહત્યા કરી હતી, જેમાંથી 2,152 એટલે કે 23.56 ટકા મરાઠા સમાજના

1,93,651 વ્યક્તિગત નિવેદન, 814 અલગ અલગ સંસ્થાઓના નિવેદન, 784 ગ્રામ પંચાયતે સાથે મળી 282 ઠરાવ કમિશનને આપવામાં આવ્યા હતા. મોટા ભાગના નિવેદનોએ મરાઠા સમાજને સ્વતંત્ર વર્ગમાં અનામત આપવા જણાવ્યું હતું જ્યારે 84 નિવેદન એવા પણ હતા જે ઑબીસી કેટેગરીમાં અનામત આપવાના વિરોધમાં હતા. આઈએએસ જેવા પદ પર માત્ર 6.92 ટકા મરાઠા છે, જેમાંથી સીધી ભરતી દ્વારા માત્ર આ પદ સુધી પહોંચેલા 0.27 ટકા જ છે. 40,962 પરિવારને સર્વેક્ષણમાં સાંકડવામાં આવ્યા હતા.

અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે 2013થી 2018 દરમિયાન 13,368 ખેડૂતે આત્મહત્યા કરી હતી, જેમાંથી 2,152 એટલે કે 23.56 ટકા મરાઠા સમાજના હતા.

 

સૌથી અગત્યનો મુદ્દો મહારાષ્ટ્રના પોલિટીક્સમાં મરાઠાઓનું પ્રભુત્વ

વિધાનમંડળમાં મરાઠા અનામતનો કાયદો કોઈ પણ જાતની દલીલ વિના એક મિનિટમાં પસાર થઈ ગયો

18 મુખ્ય પ્રધાનમાંથી દસ મુખ્ય પ્રધાનો મરાઠા સમાજના

1960થી અત્યાર સુધી 30 વર્ષ સુધી મરાઠા મુખ્ય પ્રધાન પાસે રાજ્યની સત્તા

288 વિધાનસભા મતવિસ્તારમાંથી 200 વિસ્તાર પર મરાઠા સમાજના મત

વિધાનમંડળમાં મરાઠા અનામતનો કાયદો કોઈ પણ જાતની દલીલ વિના એક મિનિટમાં પસાર થઈ ગયો તે જણાવે છે કે રાજ્યમાં આ સમાજ કેટલો વગદાર છે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કાયદો પસાર કરી દરેક પક્ષે તેનો શ્રેય લેવાનો પ્રયત્ન કર્યો છે. મરાઠા સમાજે પણ આને વધાવ્યો છે ત્યારે સ્વાભાવિક રીતે સૌથી ઊંચો હાથ સત્તાધારી પક્ષ તરીકે ભાજપનો જ રહેશે. રાજ્યની 13 કરોડ જનતામાંથી 30 ટકા મરાઠા સમાજ છે અને અત્યાર સુધીના 18 મુખ્ય પ્રધાનમાંથી દસ મુખ્ય પ્રધાનો આ સમાજે આપ્યા છે. 1960થી અત્યાર સુધી 30 વર્ષ સુધી મરાઠા મુખ્ય પ્રધાન પાસે રાજ્યની સત્તા રહી છે. રાજ્યના 288 વિધાનસભા મતવિસ્તારમાંથી 200 વિસ્તાર પર મરાઠા સમાજના મત બાજી ફેરવી શકે છે. જોકે જેઓ મરાઠા ક્વૉટાની માગ કરતા હતા તેમનું કહેવાનું હતું કે મરાઠા સમાજનો બહુ નાનો વર્ગ છે જે વર્ચસ્વ અને સમૃદ્ધિ ધરાવે છે. મોટા ભાગનો સમાજ આર્થિક અને સામાજિક રીતે પછાત છે.

મરાઠા સમાજના લગભગ 40 જેટલા યુવાને આત્મહત્યા કરી હતી.

સરકારે હાલમાં જાહેર કરેલા અનામતને પણ ઘણાં ચૂંટણી નજીક આવતા કરવામાં આવેલા નિર્ણય તરીકે લેખાવે છે. જો કાયદાને કોઈ પડકારશે અને તે કોર્ટમાં ઊભો રહી શકશે ત્યારે જ ખરેખર શ્રેય લઈ શકાય છે કે કેમ તે નક્કી થશે.

હાલમાં રાજકારણીઓ શ્રેય મેળવવા માટે પડાપડી કરે છે. કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અશોક ચવ્હાણે જણાવ્યું હતું કે સૌથી પહેલા કૉંગ્રેસે સમાજ માટે અનામતનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે આ નિર્ણય માટે મરાઠા સમાજે કરેલા આંદોલનને પણ શ્રેય આપ્યો હતો. તેમના લાંબા સંઘર્ષના પરિણામસ્વરૂપે આ અનામત કરાવમાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આઝાદ મેદાન ખાતે આંદોલનકારીઓની ભૂખ હડતાળ તોડાવી હતી. આ સાથે જેમના પર ખોટા ગુના દાખલ કરવામાં આવ્યા છે, તેમના ગુના પરત લેવામાં આવશે, તેવી ખાતરી પણ આપી હતી. એનસીપી નેતા ધનંજય મુંડેએ આજના દિવસને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો અને મરાઠા સમાજની એકતા અને સંઘર્ષને લીધે સરકારે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. રાજ્ય પ્રધાનમંડળે મુખ્ય પ્રધાનનો આભાર માન્યો હતો. ભાજપે તમામ પદાધિકારીઓને સરકારના આ નિર્ણયને વધાવવાનો આદેશ આપ્યો હતો.

દરમિયાન ઑબીસી સંઘર્ષ સમન્વય સમિતિએ મરાઠા અનામતના નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવશે, તેવી જાહેરાત કરી હતી. સરકારે ખાતરી આપી છે કે મરાઠા સમાજને આરક્ષણ આપતા અન્ય આરક્ષણને કોઈ નુકસાન નહીં પહોંચે, પરંતુ સમિતિનું માનવાનું છે કે આ શક્ય નથી અને સરકારનો આ નિર્ણય તેમના આરક્ષણને નુકસાન પહોંચાડશે. આ સાથે ભાજપે આવનારી ચૂંટણીમાં આની મોટી કિંમત ચૂકવવી પડશે, તેમ પણ સમિતિના પ્રમુખ જે ડી તાંડેલે જણાવ્યું હતું. અન્ય એક ઑબીસી નેતાએ જણાવ્યું હતુ કે સરકારે જાતિ પ્રમાણે કોઈ ગણતરી કરી નથી, આથી મરાઠા સમાજ 30 ટકા છે, તે માનવું યોગ્ય કહેવાશે નહીં.