CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 32 of 41 - CIA Live

March 1, 2019
swine-flu_.jpg
1min5830

ગુજરાતમાં ઉતરતા શિયાળે સ્વાઈન ફલૂ બેકાબૂ બનતા કાળો કેર વર્તાવતા છેલ્લા 24 કલાકમાં નવા 96 પોઝિટીવ કેસ નોંધાતા અને તેમાં વધુ બે દર્દીઓના મોત થતા આ આંકડો વર્ષ 2019થી અત્યાર સુધીમાં કુલ 100ને પાર થયો હતો. રાજ્યના આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે હજુ સુધીમાં કોઈ નક્કર પગલાં ન ભરાતા રોગમાં દિનપ્રતિદિન લોકોના મૃત્યુની સંખ્યામાં ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે.

અગાઉ ગુજરાત હાઈ કોર્ટ રાજ્યના આરોગ્ય વિભાગ પાસે સ્વાઈન ફલૂના રોગની સારવાર અને તેને અટકાવવાના પગલાંઓ તેમ જ રાગમાં ગરીબ દર્દીઓને મળવાપાત્ર સારવાને લઈને તંત્રનો ઉધડો લેતા સરકારે અનેક હૉસ્પિટલમાં ચેકિંગ હાથ ધરીને રીપોર્ટ તૈયાર કર્યા હતા અને તાકિદે હૉસ્પિટલોમાં અલાયદા વોર્ડ અને લેબટકનિસુયનો તેમ જ દવાઓનો વધારો કરી સ્વાઈન ફલૂને અટકાવવા તાકીદ કરીઈ હતી. રાજ્યના મોટા ભાગના જિલ્લા તાલુકાઓ ગામડાઓના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્વાઈન ફલૂ લેબની કે ટેસ્ટિંગની કોઈ સવલત નથી. રોજે-રોજ લોકો આ રોગના ભોગથી ટપોટપ મોતને ભેટી રહ્યા છે. સરકારી મૃત્યુ આંકડો ભલે 100 બનાવાતો હોય પરંતુ ખરેખર આ આંક મોટો છે. ગુજરાતમાં જે નવા 96 સ્વાઈન ફલૂના કેસ નોંધાયા હતા જેમાં અમદાવાદ શહેરમાં 21, સુરત શહેરમાં 19, આણંદ ખાતે 9, વડોદરા શહેર અને મહેસાણા ખાતે 8-8, ભાવનગર શહેર 5, પાટણ ખાતે ત્રણ, સાબરકાઠાં, રાજકોટ, ભાવનગર, અમદાવાદ બનાસકાંઠા, બોડાદ, અરવલ્લી અને વલસાડ ખાતે બે-બે, રાજકોટ શહેર, ગાંધીનગર, અમરેલી, ભરૂચ, ગાંધીનગર શહેર પંચમહાલ અને મહીસાગર ખાતે એક એક કેસ નોંધાયો હતો. સરકારી ચોપડે તા.1 જાન્યુઆરી 2019થી અત્યાર સુધીમાં 2054 જેટલા દર્દીઓ આ રોગમાં સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા અને હાલમાં સરકારી આંકડા પ્રમાણે 767 દર્દી સારવાર અર્થે હોસ્પિટલમાં નોંધાયેલા છે.

February 28, 2019
air_logo.jpg
1min6520

વિમાની મુસાફરોના રાઇટ્સ ચાર્ટરને આખરે મંજૂરી

કેન્દ્ર સરકારે ગત મે 2018માં ડ્રાફ્ટ કરેલા હવાઇ મુસાફરી કરી રહેલા પેસેન્જર્સ માટેના રાઇટ્સ ચાર્ટરને તા.27મી ફેબ્રુઆરી 2019ના રોજ કેન્દ્રના સિવિલ એવિએશન મંત્રાલયે મંજૂરીની મહોર મારતા જારી કર્યા છે. હવે હવાઇ મુસાફરોને કયા કયા અધિકારો મળ્યા છે એ અંગે સી.આઇ.એ. લાઇવની ટીમે કેટલીક વિગતો મેળવી છે જે અત્રે પ્રસ્તુત છે.

જો તમારી ડોમેસ્ટિક ફ્લાઇટ 6 કલાક કે તેનાથી વધુ સમય માટે વિલંબ (ડિલે) થાય તેમ હશે તો જે તે એરલાઇન કંપનીએ તમને એક દિવસ એડવાન્સમાં જાણ કરવી પડશે અને એ જ કંપનીએ તમને વૈકલ્પિક ફ્લાઇટ વ્યવસ્થા અગર તો ફુલ ટિકીટ  રિફંડ પણ ઓફર કરવું પડશે.

: If your domestic flight is delayed by six hours or more, then the airline should inform you a day in advance and offer you an alternative alternate flight or a full ticket refund.

જો એરલાઇન તમારી ડોમેસ્ટિક ફ્લાઇટને કેન્સલ (રદ) કરશે અને તમને તેની જાણ કરવામાં ચૂક કરશે, અગર તમે એ કારણથી તમારી બીજી કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી જાવ કે ચૂકી જશો એમ હોવ તો એરલાઇન કંપનીએ તમને રૂ.5 હજારથી રૂ.10 હજારનું વળતર આપવું પડશે, આ વળતર મુસાફરીના સમય પર આધારીત હશે અથવા તો તમારી મુસાફરીનું એક તરફી ભાડું વત્તા ફ્યુઅલ ચાર્જ એ બેમાંથી જે ઓછું હશે એ રકમ એરલાઇન કંપનીએ તમને ચૂકવવી પડશે.

If the airline has cancelled your flight and has failed to inform you or you have missed a connecting flight because the airline’s earlier flight wasn’t on time, then you could get a compensation of Rs 5,000 to Rs 10,000 depending on travel time or oneway base fare plus fuel charge, whichever is less.

જો તમે એરપોર્ટ પર પહોંચી ગયા છો અને તમારી ફ્લાઇટ 2થી 6 કલાક મોડી પડે તેમ છે, એવા સંજોગોમાં એરલાઇન કંપનીએ તમને વિનામૂલ્યે ભોજન તેમજ અન્ય રિફ્રેશમેન્ટસની વ્યવસ્થા કરી આપવી પડશે.

If you’re at the airport and the flight is delayed by 2-6 hours (depending on the travel time), the airline needs to offer you free meals and refreshments.

રાત્રે 8 વાગ્યાથી સવારે 3 વાગ્યા દરમિયાનના સમયગાળામાં 6 કલાકથી વધુ સમયના ફ્લાઇટ વિલંબના કેસમાં એરલાઇન કંપનીએ પેસેન્જરને હોટેલ એકોમોડેશન બિલકુલ ફ્રી માં આપવું પડશે.

For delays more than six hours for flights scheduled between 8pm and 3am and a delay of over 24 hours for other flights, airlines should inform passengers a day in advance and also offer them free hotel accommodation, the charter said.

આ પ્રકારની અનેક જોગવાઇઓ સિવિલ એવિએશનના પેસેન્જર ચાર્ટરમાં સામેલ કરવામાં આવી છે.

સી.આઇ.એ. લાઇવ પેસેન્જર ચાર્ટરની ફુલ કોપી મેળવવાના પ્રયાસો કરી રહ્યું છે અને જેવી અમને ફાઇલ મળશે અમે અમારી ન્યુઝ પોર્ટલ પર એ કાયમ માટે અપલોડ રાખીશું.

February 28, 2019
bse.jpg
1min6390

રોકાણકારને ગયા બજેટથી આ બજેટ સુધીમાં શેર્સમાં કમાણી થઈ હોય તો તેણે પોતાને નસીબદાર ગણવો જોઈએ. સૂચિત ગાળામાં BSE પર લિસ્ટેડ 86 ટકા શેર્સના ભાવમાં 1 ફેબ્રુઆરી 2018થી 30 જાન્યુઆરી 2019 સુધીના ગાળામાં 97 ટકા સુધી ધોવાણ થયું છે. સમાન ગાળામાં સેન્સેક્સ 315 પોઇન્ટ (0.88 ટકા) ઘટ્યો છે. જોકે, કેટલાક શેર્સે કરેક્શનના આ તબક્કામાં પણ માતબર વળતર આપ્યું છે.

  • વિકાસ પ્રોપેન્ટ એન્ડ ગ્રેનાઇટ  708 ટકા
  • દાર્જિલિંગ રોપવેએ 572 ટકા
  • દોલત ઇન્વેસ્ટમેન્ટે 515 ટકા
  • ઓરિએન્ટ ટ્રેડલિંકે 376 ટકા
  • બુલિશ બોન્ડ્સ એન્ડ હોલ્ડિંગ્સે 349 ટકા
  • ટિયાન આયુર્વેદિક એન્ડ હર્બ્સે 302 ટકા
  • ગયા બજેટથી આ બજેટ સુધીમાં 31 સ્મોલ-કેપ શેર્સે રોકાણકારોની સંપત્તિમાં બમણાથી વધુ ઉમેરો કર્યો છે. જેમ કે, વિકાસ પ્રોપેન્ટ એન્ડ ગ્રેનાઇટના શેરે આ ગાળામાં 708 ટકા, દાર્જિલિંગ રોપવેએ 572 ટકા, દોલત ઇન્વેસ્ટમેન્ટે 515 ટકા, ઓરિએન્ટ ટ્રેડલિંકે 376 ટકા, બુલિશ બોન્ડ્સ એન્ડ હોલ્ડિંગ્સે 349 ટકા અને ટિયાન આયુર્વેદિક એન્ડ હર્બ્સે 302 ટકા સુધીનું વળતર આપ્યું છે. અન્ય કેટલાક શેર્સ બાયો ગ્રીન પેપર્સ, રિસ્પોન્સિવ ઇન્ડસ્ટ્રીઝ, પંજાબ આલ્કલીઝ, મર્ક, સુકામા એક્સ્પોર્ટ્સ, કિલિચ ડ્રગ્સ, IOL કેમિકલ્સ, સ્કેન સ્ટીલ્સ, બિરલા કેબલ, દલાલ સ્ટ્રીટ ઇન્વેસ્ટમેન્ટ્સ અને સાધના નાઇટ્રો કેમના ભાવ 100થી 225 ટકા સુધી ઊછળ્યા છે.

બાયો ગ્રીન પેપર્સ, રિસ્પોન્સિવ ઇન્ડસ્ટ્રીઝ, પંજાબ આલ્કલીઝ, મર્ક, સુકામા એક્સ્પોર્ટ્સ, કિલિચ ડ્રગ્સ, IOL કેમિકલ્સ, સ્કેન સ્ટીલ્સ, બિરલા કેબલ, દલાલ સ્ટ્રીટ ઇન્વેસ્ટમેન્ટ્સ અને સાધના નાઇટ્રો કેમના ભાવ 100થી 225 ટકા સુધી ઊછળ્યા

વૈશ્વિક ટ્રેડ વોર, ક્રૂડના ભાવમાં મોટી વધઘટ, રૂપિયાના મૂલ્યમાં ઘટાડો સહિતનાં પરિબળોને કારણે ભારતીય શેરબજાર માટે છેલ્લા 12 મહિના બહુ વોલેટાઇલ રહ્યા છે. ખાસ કરીને સ્મોલ અને મિડ-કેપ શેર્સના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.

ગયા બજેટથી અત્યાર સુધીમાં BSE મિડ-કેપ ઇન્ડેક્સ 16 ટકા અને સ્મોલ-કેપ ઇન્ડેક્સ 26 ટકા ઘટ્યા છે. તેની સામે સેન્સેક્સના 30માંથી 11 શેર્સે 1 ફેબ્રુઆરી 2018થી રોકાણકારોને પોઝિટિવ વળતર આપ્યું છે. સૂચિત ગાળામાં બજાજ ફાઇનાન્સ 50 ટકા ઊછળ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HUL, TCS, એશિયન પેઇન્ટ્સ, એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, ICICI બેન્ક, HCL ટેક અને HDFC બેન્કમાં આ ગાળામાં 2 ટકાથી 27 ટકાની વૃદ્ધિ થઈ છે. સેન્સેક્સ શેરોમાં ટાટા મોટર્સ 56 ટકા સાથે સૌથી વધુ ઘટ્યો છે. ઘટનારા અન્ય શેર્સમાં યસ બેન્ક, વેદાંત, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, મારુતિ સુઝુકી, હીરો મોટોકોર્પ, ONGC અને બજાજ ઓટોનો સમાવેશ થાય છે. જેમાં ૨૫ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. નિફ્ટી 1 ફેબ્રુઆરી 2018થી અત્યાર સુધીમાં 3.3 ટકા ઘટ્યો છે.

છેલ્લા 12 મહિનામાં સ્થાનિક રોકાણકારોના ઇન્વેસ્ટમેન્ટને કારણે ઘટાડો મર્યાદિત રહ્યો છે. ગયા બજેટથી અત્યાર સુધીમાં BSE ટેલિકોમ ઇન્ડેક્સ સૌથી વધુ 34 ટકા ઘટ્યો છે. BSE રિયલ્ટી, મેટલ્સ, ઓટો, પાવર, કેપિટલ ગૂડ્ઝ અને ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં અનુક્રમે 32 ટકા, 30 ટકા, 30 ટકા, 20 ટકા, 17 ટકા અને 17 ટકા ઘટાડો નોંધાયો છે. તેની સામે BSE IT, ટેક, અને FMCG ઇન્ડેક્સ અનુક્રમે 19 ટકા, 8.28 ટકા અને 6.27 ટકા વધ્યા છે.

February 27, 2019
bharat_k_veer1-1280x720.jpg
3min14510

ભારતની રક્ષા કાજે પોતાના જીવ ન્યોછાવર કરી દેતા શહીદ સૈનિકોના પરિવારજનોને આર્થિક સહાય કરવાની બાબતમાં ભારતીયો હરહંમેશ ઉદારતા દાખવતા હોય છે. 14મી ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામા ખાતે આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 44 વીર સૈનિકોના પરિવારજનોને જ્યારે મદદની વાત આવી ત્યારે પણ ભારતીયોએ એટલા ઉત્સાહ અને તત્પરતાથી દરેક શહીદોના બેંક અકાઉન્ટ છલકાવી દીધા કે ખુદ શહીદોના પરિવારજનો માટે ફંડિંગ મેનેજમેન્ટ કરતી ભારત કે વીર વેબસાઇટના સંચાલકોએ લખવું પડ્યું કે શહીદોના પરિવારજનોના બેંક અકાઉન્ટમાં મેક્સીમમ લિમીટની રકમ પહોંચી ચૂકી છે હવે જે દાન ભારત કે વીર વેબસાઇટ મારફતે મળી રહ્યું છે તે ભારત કે વીર કોર્પસ ફંડસમાંં જશે અને આ રકમ પણ શહીદોના પરિવારજનોના કલ્યાણાર્થે જ ઉપયોગમાં લેવાશે.

ભારતીયો દ્વારા આપવામાં આવતું દાન ભારતની રક્ષા કાજે પોતાનો જીવ ગુમાવી દેનારા વીર શહીદ સૈનિકોના પરિવારજનોના સીધા જ બેંક અકાઉન્ટમાં જમા થાય તેવું વ્યવસ્થા તંત્ર ભારત કે વીર નામની વેબસાઇટ તેમજ એપ્લિકેશન દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. કોઇપણ ભારતીય વિશ્વના કોઇપણ છેડેથી ઓનલાઇન આર્થિક સહાય સીધી જ જે તે શહીદના પરિવારજનોને https://bharatkeveer.gov.in મારફતે કે તેની એપ્લિકેશન મારફતે જમા કરાવી શકતા હતા.

પરંતુ, ભારત કે વીર https://bharatkeveer.gov.in વેબસાઇટ પર હવે સીધા જ શહીદ પરિવારોના બેંક અકાઉન્ટમાં આર્થિક સહાયની રકમ જમા કરવાની સિસ્ટમ બંધ કરવામાં આવી છે. વેબસાઇટ સંચાલકોએ વેબસાઇટ પર લખ્યું છે કે શહીદોના પરિવારજનો સુધી દાનની મહત્તમ લિમીટ સુધીની રકમ જમા થઇ ચૂકી છે. હવે ભારતીયો જે દાન આપી રહ્યા છે તે ભારત કે વીર કોર્પસ ફંડ Bharat Ke Veer Corpus Fund માં જમા થશે.

ભારત કે વીર https://bharatkeveer.gov.in  વેબસાઇટ આ પ્રકારનું લખાણ લખવામાં આવ્યું છે.

એવી જ રીતે ભારત કે વીર મોબાઇલ એપ્લિકેશન પર પણ આ પ્રકારે સૂચના પ્રકાશિત કરવામાં આવી છે.

ભારત કે વીર વેબસાઇટ પર ભારતીયો દ્વારા કરવામાં આવતા દાનને આ મુજબના ફોર્સીસના શહીદ સૈનિકોના પરિવારજનોમાં વિતરીત કરવામાં આવે છે.

The CAPFs are armed forces under the Ministry of Home Affairs and comprise of the following forces :

  1. Assam Rifles (AR) engaged in border guarding along Indo-Myanmar border, as well as in counter insurgency operations in the North East.
  2. Border Security Force (BSF) guards Indias borders with Pakistan and Bangladesh, and are also deployed for anti insurgency operations.
  3. Central Industrial Security Force (CISF)provides security to the key sectors including Airports, Metro systems, important industries in the public and private Sector, heritage monuments, Government buildings and security to protected persons.
  4. Central Reserve Police Force (CRPF) is the primary force for internal secruity including anti naxal operations, counter insurgency duties in J&K and North East, and Law & Order problems.
  5. Indo-Tibetan Border Police (ITBP) guards Indias borders with China. Specially trained to operate in high altitude mountainous terrain, it is also engaged in internal security duties from time to time.
  6. National Disaster Response Force (NDRF) is for specialized response to natural and man-made disasters, saving lives and livelihood and prepares communities in disaster resilience and disaster risk reduction.
  7. National Security Guard (NSG)is a Special Force mandated to conduct counter-terrorist, counter-hijack, and hostage-rescue operations as well as provide `mobile security to designated protectees.
  8. Sashastra Seema Bal (SSB)with the motto of “Service Security Brotherhood” is primarily mandated to guard Indias borders with Nepal and Bhutan. The force is also performing internal security duties and is deployed to deal with LWE / Counter-insurgency in many states.
February 25, 2019
tapi1-1280x720.jpg
1min17790
  • તાપી પાસેથી અત્યાર સુધી લીધે રાખ્યું, હવે તાપી નદીના ખરા અર્થમાં જતનનું કામ શરૂ થશે
  • ખુદ નરેન્દ્ર મોદી તાપી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે સુરત આવે તેવી સંભાવના
  • લોકસભાની ચૂંટણી પહેલા તાપી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરી દેવાય તેવી વકી
  • મોટી સંખ્યામાં કોલેજીયન, યંગસ્ટર્સને તાપી ડેવલપમેન્ટમાં કારસેવા કરવા માટે જોડવામાં આવશે
  • ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ મળીને અંદાજે 13 કરોડ લોકો તાપી નદીના પાણી પર નિર્ભર

(Map of Tapi)

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તેમજ જેના મૂળીયા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી વિસ્તરેલા છે એ સૂર્યપૂત્રી તાપી નદીના ડેવલપમેન્ટ માટે ગુજરાતના સ્થાનિક વહીવટીતંત્રોએ તૈયાર કરેલા રૂ.952 કરોડના ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં રૂ.21 કરોડ વધારાની ગ્રાન્ટ ઉમેરીને કુલ રૂ.973 કરોડના પ્રોજેક્ટને આજે કેન્દ્ર સરકારના પર્યાવરણ વિભાગ તેમજ રાજ્ય સરકારે એક પણ સવાલ ઉઠાવ્યા વગર, એક પણ સૂચન કર્યા વગર લીલીઝંડી આપી દીધી હોવાની વિગતો જાણવા મળી છે.

સુરત ભાજપના કદાવર નેતા અને નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલએ તાપી શુદ્ધિકરણના આ પ્રોજેક્ટને સત્વરે મંજૂરી મળે તે માટે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારમાં આક્રમક લોબિંગ કર્યું હતું. તેઓ સતત આ કામનો ફોલોઅપ કરતા રહ્યા અને આખરે ઝડપભેર પ્રોજેક્ટ સાકાર થઇ શકે અને સુરતની જીવાદોરી સમાન આ પ્રોજેક્ટનું કામ શરૂ થાય તેવા તેમના પ્રયાસો હતા.

તાપી નદી પાસેથી અત્યાર સુધી સુરત હોય કે દક્ષિણ ગુજરાતની પ્રજા અને વહીવટીતંત્રોએ બધું લીધું જ છે, તાપી નદીના જતન માટે કોઇ નક્કર યોજના ભૂતકાળથી લઇને અત્યાર સુધી ક્યારેય બની ન હતી. પરંતુ, સુરત પર વસતિનું ભારણ વધતા તેમજ દક્ષિણ ગુજરાતમાં તાપી નદીમાંથી વિતરીત સિંચાઇ પુરવઠાની ખેંચ પડવા માંડતા તાપી નદીને હવે મેઇન્ટેન કરવા, શુધ્ધ કરવા તેમજ અન્ય આનુષંગિક કામો કરીને દક્ષિણ ગુજરાતની લોકમાતા કહો કે જીવાદોરી સમાન તાપી ડેવલપમેન્ટ પ્રોજેક્ટને આખરે કેન્દ્ર સરકારે પણ લીલીઝંડી આપી દીધી છે. અને લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પહેલા તાપી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ થઇ જાય તે માટે હવે સ્થાનિક વહીવટીતંત્રોથી લઇને ભાજપાએ પણ કાર્યક્રમો ગોઠવવા માંડ્યા છે.

આગામી દિવસોમાં તાપી મૈયા ડેવલપમેન્ટ પ્રોજેક્ટના શુભારંભમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ખુદ સુરત આવે તેમજ સ્થાનિક યુવાપેઢી, કોલેજિયન તાપી કાર સેવામાં મોટી સંખ્યામાં જોતરાય તેવા પ્રોજેક્ટને આકાર આપવામાં આવી રહ્યો છે.

આગામી દિવસોમાં સ્થાનિક વહીવટીતંત્રોના સથવારે ભાજપા તાપી ડેવલપમેન્ટ પ્રોજેક્ટને એક ચૂંટણી મુદ્દા તરીકે એન્કેશ કરે તેવા કાર્યક્રમો જોવા મળશે. એ ભલે કંઇપણ કરે પરંતુ, તાપી નદીનો વિકાસ થશે એ બહું આવકારદાયક પગલું બની રહેશે.

February 19, 2019
suratairport1.jpg
2min17720

સુરત એરપોર્ટ પરથી હવે દેશના અન્ય ભાગોને જોડતી એટલી બધી ફ્લાઇટ્સ આવવા માંડી છે કે કઇ ફ્લાઇટ્સ ક્યારે આવે છે અને ક્યારે ઉપડે છે તે અંગે પણ મુલાકાતીઓ, સુરતના લોકોને ગૂંચવાડો થવા માંડ્યો છે. સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ હવે નિયમિત રીતે સુરત એરપોર્ટની ફ્લાઇટ્સના શિડ્યુલની સત્તાવાર માહિતી રજૂ કરશે. અહીં અમે સુરત એરપોર્ટરથી ઉપડી અને આવતી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ તેમજ એકમાત્ર ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ સુરત શારજાહની ફ્લાઇટના સત્તાવાર ટાઇમ ટેબલ રજૂ કર્યા છે.

સુરત એરપોર્ટ પરથી ઉપડતી ડોમેસ્ટીક ફ્લાઇટ્સનું સમયપત્રક

Domestic Departures

Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

Updated on 1st February,2019
Flight Schedule - Domestic Departures

Surat International Airport – Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

સુરત એરપોર્ટ પર દેશના વિવિધ એરપોર્ટસ પરથી આવતી ફ્લાઇટ્સનું સમયપત્રક

Domestic Arrivals

Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

Updated on 1st February, 2019

Flight Schedule - Domestic Arrivals
Surat International Airport – Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

International Departures

Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

Updated on 1st February,2019

Surat International Airport - International Departure Schedule

Surat International Airport [STV] – Direct & Connecting International Departures

NOTE:

The above Time Table has been compiled based on Flight Schedules published by the Airlines, as required of a Scheduled Operator.

Please note despite of a detailed schedule announced weeks in advance, intermittent changes are very likely to happen & it is subject to changes as per the Airlines and approvals by the Regulatory Authority

February 17, 2019
b1.jpg
2min7400
  • માર્ગ સલામતી અને અકસ્માતો નિવારવાના ધ્યેય સાથે હાફ મેરેથોનમાં હજારો બારડોલીવાસીઓ મેરેથોન દોડમાં ઉમટી પડ્યા
  • સુરત ગ્રામ્ય પોલિસ દ્વારા આયોજિત હાફ મેરેથોન દોડમાં ટ્રાફિક નિયમ જાગૃત્તિ અને રોડ અકસ્માતો અટકાવવા અંગે લોકોને જાગૃત્ત કરાયા
  • હજારો પ્રેક્ષકોએ ડી.જે. સંગીતના તાલે દોડવીરોને ચિયરઅપ કર્યું
  • બોલીવુડ અભિનેત્રી અમિષા પટેલ અને અભિનેતા ચંકી પાંડે તેમજ ગ્રાન્ડમાસ્ટર શિફૂજીએ ઉપસ્થિત રહી દોડવીરોને પ્રોત્સાહિત કર્યા

લોખંડી પુરૂષ સરદાર પટેલની કર્મભૂમિ એવું બારડોલી શહેર વહેલી સવારે ‘રન ફોર સેફ લાઈફ’ની થીમ પર આયોજિત હાફ મેરેથોનના રંગે રંગાયું હતું. સુરત ગ્રામ્ય પોલિસ દ્વારા આયોજિત હાફ મેરેથોન દોડને સ્વરાજ આશ્રમથી મેરેથોનને ફલેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવાયું હતું.

માર્ગ સલામતી અને અકસ્માતો નિવારવાના ઉમદા ઉદ્દેશ સાથે યોજાયેલી હાફ મેરેથોનમાં હજારો બારડોલીવાસીઓ દોડવા માટે ઉમટી પડ્યા હતા. મેરેથોનમાં બોલીવુડ અભિનેત્રી અમિષા પટેલ અને અભિનેતા ચંકી પાંડે તેમજ ગ્રાન્ડમાસ્ટર શિફૂજીએ વિશેષ ઉપસ્થિત રહી દોડવીરોને પ્રોત્સાહિત કર્યા હતા. હજારો પ્રેક્ષકોએ ડી.જે. સંગીતના તાલે દોડવીરોને ચિયરઅપ કરી મેરેથોનનો નજારો માણ્યો હતો.

૦૫ કિ.મી., ૧૦ કી. કિ.મી, અને ૨૧ કિ.મી.એમ કુલ ત્રણ કેટેગરીમાં વિભાજીત હાફ મેરેથોન દોડના રૂટમાં બારડોલી ટાઉન અને બારડોલી સીટીની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારનો પણ સમાવેશ કરાયો હતો.

સુરત ગ્રામ્ય પોલિસ દ્વારા ટ્રાફિક નિયમ જાગૃત્તિ અને રોડ અકસ્માતો અંગે પ્રજાજનોમાં જાગૃતિ ફેલાય તે હેતુસર સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એ.એમ.મુનિયા દ્વારા પોલીસ મહાનિરીક્ષક, (સુરત વિભાગ) ડૉ.રાજકુમાર પાંડીયનના માર્ગદર્શનમાં ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ ટ્રાફિક અવેરનેસ ડ્રાઈવ પણ યોજવામાં આવી હતી. રનર્સને આવકારવા માટે મેરેથોન રૂટને સુંદર સુશોભિત વેલકેમ ગેટથી સુસજ્જ કરવામાં આવ્યો હતો. 

આ પ્રસંગ પૂર્વે કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોના બલિદાનનું સ્મરણ કરી બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. મંત્રીશ્રીએ ઉપસ્થિત તમામ દોડવીરો અને નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને માર્ગ સલામતી માટે શપથ લેવડાવ્યા હતા.

February 11, 2019
tv_reviews.jpg
1min5420
  • 17 કરોડમાંથી 9 કરોડ કેબલ ટીવી અને ડીટીએચ ગ્રાહક પોતાને ગમતી ચેનલ પસંદ કરી
  • 6.5 કરોડ કેબલ ટીવી અને 2.5 કરોડ ડીટીએચ ગ્રાહકો નવી વ્યવસ્થામાં જોડાયા
Widescreen high definition TV screen with video gallery.

 

દૂરસંચાર નિયામક ટ્રાઈના કહેવા પ્રમાણે 17 કરોડમાંથી 9 કરોડ કેબલ ટીવી અને ડીટીએચ ગ્રાહક પોતાને ગમતી ચેનલ પસંદ કરીને નવી વ્યવસ્થામાં જોડાઈ ગયા છે. જેમાં’ 6.5 કરોડ કેબલ ટીવી ગ્રાહક અને 2.5 કરોડ ડીટીએચ ગ્રાહકનો સમાવેશ થાય છે. ઉપભોક્તાઓને કોઈપણ જાતની પરેશાની ન પડે તે માટે ટ્રાઈ સતત પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે.

ટ્રાઈના ચેરમેન આર.એસ. શર્માના કહેવા પ્રમાણે સામે આવી રહેલા આંકડા પ્રમાણે’ નવી વ્યવસ્થામાં જોડાનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે અને આશા છે કે બાકી રહેલા લોકો પણ પોતાની પસંદગીની ચેનલ મેળવી લેશે. શર્માના કહેવા પ્રમાણે જે 9 કરોડ લોકોએ મનગમતી ચેનલ પસંદ કરી છે. તેમાં 6.5 કરોડ કેબલ ટીવી ગ્રાહક અને 2.5 કરોડ ડીટીએચ ગ્રાહકનો સમાવેશ થાય છે. શર્માએ ઉમેર્યું હતું કે, કુલ 17 કરોડ ગ્રાહકોમાંથી 9 કરોડે ઓપરેટર પાસે પસંદગીની ચેનલ માટે નોંધણી કરાવી છે. જે મોટી સંખ્યા છે.

શર્માએ ભાર દેતાં કહ્યું હતું કે, જ્યાં પણ જરૂર પડે ત્યાં ઓપરેટરોની મદદ કરવામાં આવી રહી છે અને દિશાનિર્દેશ થઈ રહ્યા છે. આટલું જ નહી મુશ્કેલીઓના નિરાકરણ માટે નિયમિત રૂપે બેઠકો પણ થઈ રહી છે. આગામી સમયમાં નિયમકની ગ્રાહકો સુધીની પહોંચ વધારવા માટે જાગૃતતા અભિયાન ચલાવવાની પણ યોજના છે. જેમાં સોશિયલ મિડિયા, પ્રિન્ટ મિડિયા, વિજ્ઞાપન અને અન્ય કાર્યક્રમો થકી અભિયાન ચલાવવામાં આવશે.’

February 9, 2019
mba-1280x725.png
1min5640

ભારતની અગ્રણી બિઝનેસ સ્કૂલ્સમાંથી સ્નાતકની ડિગ્રી મેળવનારને સીધો ₹20 લાખનો વાર્ષિક પગાર મળવાનું સામાન્ય થઈ ગયું છે. અગાઉ માત્ર ટોપ-3 બિઝનેસ સ્કૂલ્સના ગ્રેજ્યુએટ્સને જ ઊંચો પગાર મળતો હતો.

  • મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (MDI) ગુડગાંવ,
  • IIM કોઝિકોડ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (દિલ્હી)
  • ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (TISS), મુંબઈ

આ વખતની પ્લેસમેન્ટ સીઝનમાં ઓછામાં ઓછી ચાર બિઝનેસ સ્કૂલ્સના વિદ્યાર્થીઓએ પહેલી વખત સરેરાશ વાર્ષિક ₹20 લાખના પગારનો આંકડો વટાવ્યો છે. જેમાં મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (MDI) ગુડગાંવ, IIM કોઝિકોડ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (દિલ્હી) અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (TISS), મુંબઈનો સમાવેશ થાય છે.

પ્લેસમેન્ટના આંકડા જણાવે છે કે, કંપનીઓ ટોપ ટેલેન્ટ માટે મંદ બજારમાં પણ મોટો ખર્ચ કરવા તૈયાર છે. ઓનલાઇન એસેસમેન્ટ પ્લેટફોર્મ Mettlના કેમ્પસ સેલરી હાયરિંગ એન્ડ એમ્પ્લોયમેન્ટ 2018ના અહેવાલ મુજબ ભારતમાં મેનેજમેન્ટ સ્નાતકોને સરેરાશ વાર્ષિક ₹9.3 લાખનો પગાર મળે છે.

ભારતમાં મેનેજમેન્ટ સ્નાતકોને સરેરાશ વાર્ષિક ₹9.3 લાખનો પગાર મળે

શહેરોની કોલેજોનો સરેરાશ પગાર ₹15.38 લાખ અને બીજી હરોળનાં શહેરોનો પગાર ₹5.34 લાખ

ડેટામાં પ્રથમ હરોળનાં શહેરોની 31 અને બીજી હરોળનાં શહેરોની 49 બિઝનેસ સ્કૂલ્સનો સમાવેશ કરાયો છે. પ્રથમ હરોળનાં શહેરોની કોલેજોનો સરેરાશ પગાર ₹15.38 લાખ અને બીજી હરોળનાં શહેરોનો પગાર ₹5.34 લાખ રહ્યો છે.

સ્ટાર્ટ-અપ્સથી માંડી ટોપ કન્સલ્ટન્ટ્સ અને મલ્ટિનેશનલ્સ ઉત્કૃષ્ટ ટેલેન્ટની પાછળ દોડે છે. દરેક કંપની સમાન ટેલેન્ટની આશા રાખે છે અને અમુક લાયકાતવાળી ટેલેન્ટ માટે ઇન્સ્ટિટ્યૂટ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એટલે જ અગ્રણી ઇન્સ્ટિટ્યૂટ્સના સ્નાતકોને હંમેશા પ્રીમિયમ સેલરી મળે છે.

અમદાવાદ, બેંગલુરુ અને કલકાતા IIMના મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સને 2018માં સરેરાશ ₹22.7-24.4 લાખનો પગાર

અમદાવાદ, બેંગલુરુ અને કલકાતા IIMના મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સને 2018માં સરેરાશ ₹22.7-24.4 લાખનો પગાર મળ્યો હતો. જોબ માર્કેટની સ્થિતિ બહુ સારી ન હોય ત્યારે પણ ટોચની બિઝનેસ સ્કૂલ્સના સ્નાતકોને ખાસ અસર થતી નથી અથવા ઓછી અસર થાય છે.

ચાલુ વર્ષે જે ઇન્સ્ટિટ્યૂટ્સે સરેરાશ ₹20 લાખના પગારનો આંકડો વટાવ્યો છે તેમાં આ રકમના પેકેજ ચૂકવતી કંપનીઓમાં 20-25 ટકા વધારો નોંધાયો છે. જેમ કે, MDI ગુડગાંવ ખાતે ચાલુ વર્ષે 55 કંપનીએ ₹20 લાખ કે વધુનો પગાર ચૂકવ્યો છે, જે આંકડો ગયા વર્ષે 46 હતો.

TISS મુંબઈમાં આવી કંપનીઓની સંખ્યા ગયા વર્ષની તુલનામાં 25 ટકા વધી છે. IIFT દિલ્હીમાં વાર્ષિક ₹20 લાખથી ઊંચો પગાર આપનારી કંપનીઓની સંખ્યા આ વખતે વધીને 48 થઈ છે, જે ગયા વર્ષે 27 હતી. IIFTના કોર્પોરેટ અને પ્લેસમેન્ટ એડ્વાઇઝર હરકિરત સિંઘે જણાવ્યું હતું કે, “આ બ્રેકેટમાં ઓફર્સની સંખ્યા 2016-’18ના 87થી 54 ટકા ઊછળી 134 થઈ છે. ઇન્સ્ટિટ્યૂટમાં ચાલુ વર્ષે સરેરાશ પગારનો આંકડો ₹20.07 લાખે પહોંચ્યો છે.

કેમ્પસ સૂત્રોના જણાવ્યા અનુસાર ₹20 લાખથી વધુનો વાર્ષિક પગાર ચૂકવતી કંપનીઓમાં એરટેલ, એમેઝોન, એશિયન પેઇન્ટ્સ, એવેન્ડસ, બજાજ ઓટો, સિટીબેન્ક, કોલગેટ પામોલિવ, ડેલ EMC, ડેલોઇટ ઇન્ડિયા, ફ્લિપકાર્ટ, ITC, લોઢા ગ્રૂપ, લો’રિયાલ, M&M, મેરિકો, નેસ્લે, રેકિટ બેન્કાઇઝર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સેમસંગ R&D, ઓયો રૂમ્સ, રિવિગો, સ્વિગી, TAS અને ઉબર જેવી કંપનીઓ સામેલ છે.

February 5, 2019
a2-1280x853.jpg
1min12790

અમરોલી કોલેજના યંગસ્ટર્સે દ્વારા અભિનીત અને ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી પ્રાયોજિત નાટક મેં ગનદેવીનો ગલો નો પ્રયોગ ગઇ તા.3જી ફેબ્રુઆરીને રવિવારે સુરતના ગાંધી સ્મૃતિ ભવન ખાતે ભજવવામાં આવ્યો હતો. શ્રોતાઓને આ નાટક એટલું ગમ્યું હતું કે આજકાલ સુરતના સોશ્યલ મિડીયા નેટવર્કમાં આ નાટકની ભારે ચર્ચાઓ થઇ રહી છે. દક્ષિણ ગુજરાતની સ્થાનિક તળપદી ભાષા પ્રયોગ સાથે લખાયેલા આ નાટકના પાત્રોના અભિનયને પણ લોકો વખાણી રહ્યા છે.

(સુરતના ગાંધી સ્મૃતિ ભવન ખાતે ગઇ તા.3 ફેબ્રુઆરી 2019ના રોજ મેં ગનદેવીનો ગલો નાટ્ય પ્રયોગ પૂર્વે સમારોહનું દિપ પ્રાગટ્ય કરી રહેલા ડો. ધવલ પટેલ, સુરત કલેક્ટર તેમજ અમરોલી જીવન જ્યોત ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળના સભ્યો)

આ નાટક પ્રાદેશિક ભાષા, દક્ષિણ ગુજરાતની તળપદી ભાષાનું સંવર્ધન થાય તે માટે પ્રાયોજિત કરવામાં આવ્યું છે. શ્રી સતીષ વ્યાસ દ્વારા લિખીત અને અમરોલી કોલેજના અધ્યાપિકા સોનલ વૈદ્ય કુલકર્ણી દ્વારા દિર્ગદર્શિત આ નાટ્યને ખુદ સુરત કલેક્ટર શ્રી ધવલ પટેલ, સુરતના નાટ્ય આગેવાનો સર્વશ્રી યઝદી કરંજીયા, શ્રી કપિલ દેવ શુક્લ સમેત અગ્રણીઓ વખાણી ચૂક્યા છે.

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી -ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને જે.જેડ.શાહ આર્ટસ એન્ડ એચ. પી.દેસાઈ કોમર્સ કોલેજ દ્વારા પ્રસ્તુત “મેં ગંદેવીનો ગલો” (લેખક:સતીશ વ્યાસ, દિગ્દર્શક: સોનલ વૈદ્ય કુલકર્ણી) નાટક તારીખ 3/2/2019 ગાંધી સ્મૃતિ ભવન ખાતે ભજવવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ધવલભાઈ પટેલ (આદરણીય કલેકટર શ્રી સુરત), શ્રી સતિષભાઈ વ્યાસ, શ્રી યઝદી ભાઈ કરંજીયા, શ્રી ભરતભાઈ શાહ (પ્રમુખશ્રી જીવન જ્યોત ટ્રસ્ટ,અમરોલી) તથા જીવન જ્યોત ટ્રસ્ટ ના અન્ય ટ્રસ્ટીશ્રીઓ હાજર રહ્યા હતા. વિશાળ સંખ્યામાં પ્રેક્ષકોએ હાજરી આપી આ નાટકને માણ્યું હતું.

કાર્યક્રમનું સફળ સંચાલન પ્રિ.ડૉ.કે.એન. ચાવડા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ હતું. જીવન જ્યોત ટ્રસ્ટ પરિવાર શ્રી સતિષભાઈ વ્યાસ , પ્રા. સોનલ વૈદ્ય કુલકર્ણી,નાટકના પાત્ર ભજવનાર તમામ વિદ્યાર્થીઓનો તથા કાર્યક્રમ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલ તમામ વ્યક્તિઓ નો ખુબ ખુબ આભાર માને છે.

  • ગુજરાતી આદિવાસી પ્રજા ઘેરૈયા લોકો અને એમની વિસરતી જતી સંસ્કૃતિ દર્શાવતું નાટક છે મેં ગનદેવીનો ગલો
  • ગુજરાતી ભાષા પ્રમોટ કરવા માટે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા વારસાગત જાળવણી સ્કિમ અંતર્ગત નાટકના શોનું આયોજન
  • સ્પર્ધા માટે અમદાવાદ, બરોડા, રાજકોટ, વડોદરા અને સુરત ની કોલેજ મળીને કુલ 250 જેટલી એન્ટ્રીઓ આવી હતી
  • હવે આ નાટક ગુજરાતમાં સુરત, વલસાડ, બારડોલી, વડોદરા, અમદાવાદ, દમણ વગેરે વિસ્તારોમાં ભજવવામાં આવશે

ગુજરાતી ભાષા પ્રમોટ કરવા માટે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા વારસાગત જાળવણી સ્કિમ અંતર્ગત નાટકના શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના નાટક ની પસંદગી કરવામાં આવી છે. સુરતમાંથી પસંદ થયેલા નાટક સુરત સહિત અલગ અલગ શહેરોમાં ભજવાશે. ગુજરાતમાંથી 250 એન્ટ્રી આવી હતી સ્પર્ધા માટે અમદાવાદ, બરોડા, રાજકોટ, વડોદરા અને સુરત ની કોલેજ મળીને કુલ 250 જેટલી એન્ટ્રીઓ આવી હતી. જેમાં સુરતના નાટકો પણ હતાં. ભજવણી માટે સુરતના બેસ્ટ નાટકનું સિલેક્શન કરવામાં આવ્યું. દ.ગુજરાતની બોલી દર્શાવતુ નાટક છે અમરોલી કોલેજના પ્રોફેસર સોનલ વૈદ્ય કુલકર્ણીએ કહ્યું હતું કે, “અમરોલી કોલેજ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું. સુરતી તળપદી ભાષા અને દક્ષિણ ગુજરાતની બોલી અને ગુજરાતી માધ્યમને પુષ્ટિ આપતું હોવાથી પસંદ કરવામાં આવ્યું છે.

અમરોલી કોલેજનું નાટક “મેં ગંદેવીનો ગલો” નાટક સિલેક્ટ કરવામાં આવ્યું છે. આ નાટક ગુજરાતી આદિવાસી પ્રજા ઘેરૈયા લોકો અને એમની વિસરતી જતી સંસ્કૃતિ દર્શાવતું નાટક છે.સુરતના નાટકો ભજવાશે સિલેકશન સ્પર્ધાના તજજ્ઞ કહે છે કે “વારસાગત જાળવણી સ્કિમમાં સુરતની અનેક કોલેજોએ નાટકની એન્ટ્રી મોકલી હતી. જેમાં નાટક સિલેક્ટ થયા છે. હવે આ નાટક ગુજરાતમાં સુરત, વલસાડ, બારડોલી, વડોદરા, અમદાવાદ, દમણ વગેરે વિસ્તારોમાં ભજવવામાં આવશે.