CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 24 of 41 - CIA Live

July 14, 2019
CIA_Live_Logo_New2.jpg
1min13890

જયેશ બ્રહ્મભટ્ટ

ચંદ્રયાન-૨, ભારતનું ચંદ્રયાન-૧ પછીનું બીજું ચંદ્ર યાન છે. આ યાન ઇસરો દ્વારા નિર્મિત કરાયું છે અને GSLV Mk III રોકેટ વડે પ્રક્ષેપણ કરાશે. તેમાં ચંદ્રની ભ્રમણકક્ષામાં ફરતા યાન, ચંદ્ર પર ઉતરનાર યાન અને વાહન (રોવર) નો સમાવેશ થાય છે, આ ત્રણેય સંપૂર્ણપણે સ્વદેશી ટેકનિકથી અને ભારતીય વૈજ્ઞાનિકો વડે જ નિર્મિત છે. ભારતના સ્પેશ મિશનનું આ સૌથી મહત્વાકાંક્ષી કદમ માનવામાં આવી રહ્યું છે અને એટલે જ તા.15મીની મધરાત્રે ખુદ ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આ વિરલ ઘટનાના સાક્ષી બનવા માટે શ્રીહરીકોટા લોંચ સ્ટેશન ખાતે ખાસ ઉપસ્થિત રહેશે.

chandrayaan 2 માટે છબી પરિણામ

આ યાન તા.15મી જુલાઇએ મધરાત્રે લોંચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જિઓસિંક્રોન સેટેલાઇટ લોંચ વેહિકલ માર્ક III (જીએસએલવી એમકે 3) કે જેને “બાહુબાલી”ના હુલામણા નામથી પણ ઓળખવામાં આવે છે કેમકે તે અત્યાર સુધીના ભારતના સ્પેશ મિશનનું સૌથી વજનદાર રોકેટ છે. 640 ટન રોકેટ 15 માળની ઇમારત જેટલું ઊંચું છે અને તે ચંદ્રની મુસાફરી દરમિયાન 3.8 ટન સેટેલાઇટ તેમજ રોવરનું વહન કરીને ત્યાં લઇ જશે.

chandrayaan 2 માટે છબી પરિણામ

ચંન્દ્રયાન -2માં પણ સુરતના હિમસન સિરેમિકમાં ઉત્પાદિત થયેલા પાર્ટસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સુરત શહેર માટે ગૌરવવંતી બાબત એટલા માટે છે કેમકે સુરતના હિમસન સિરેમિક કે જેઓ છેલ્લા 25 વર્ષથી ઇસરોને જરૂરી સ્પેરપાર્ટસ સિરેમિકમાંથી ઉત્પાદિત કરી આપીને તેમને સપ્લાય કરે છે.

(Nimeshbhai Bachkaniwala, Director of Himson Ceremic)

સુરત સ્થિત હિમસન સિરેમિકના ડાયરેક્ટર શ્રી નિમેષભાઇ બચકાણીવાલાએ જણાવ્યું હતું કે તેઓ તેમનું સદભાગ્ય માને છે કે આજથી 25 વર્ષ પહેલા પહેલી વખત તેમણે ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનને તેના જુદા જુદા સ્પેશ મિશન માટે જરૂરી સિરેમિકના પાર્ટસ બનાવી આપવાનો આરંભ કર્યો હતો. છેલ્લા 25 વર્ષથી ઇસરોના દરેક અવકાશી અભિયાનમાં સુરતમાં બનેલા પાર્ટસનો ઉપયોગ કરાયો છે.

આમ, સુરત માટે પણ આ ગૌરવવંતી બાબત છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સુરતનું પણ ભારતના સ્પેશ મિશનમાં ફુલ નહીં તો ફુલની પાંખડી સમાન યોગદાન રહ્યું છે. છેલ્લા 25 વર્ષથી ઇસરોના અવકાશ મિશન માટે, રોકેટ્સ, સેટેલાઇટ્સ વગેરે માટે સિરેમિક પાર્ટસ બનાવી આપતા સુરતની હિમસન સિરેમિકના ડાયરેક્ટર શ્રી નિમેષભાઇ બચકાણીવાલાએ અંતમાં કહ્યું કે તેઓ ઇસરોના આભારી છે કે છેલ્લા 25 વર્ષથી અવિરત પણે તેમને ભારતના સ્પેશ મિશનમાં યોગદાન આપવા માટે સંસ્થા પર અને અમારા પર વિશ્વાસ જગાડ્યો. તેમણે ઉમેર્યું કે સૌથી મોટી ખુશી એ છે કે ભારતને ગૌરવ અપાવતા સ્પેશ મિશનમાં સુરતના એક અદની સંસ્થાના પ્રતિનિધિ તરીકે યોગદાન કરવાની તક મળી છે એ અમારા માટે પણ ગૌરવવંતી બાબત છે.

 

July 13, 2019
sgcci_dia1-1280x853.jpg
1min7270

ચેમ્બર દ્વારા હીરા ઉદ્યોગની વર્તમાન પરિસ્થિતિઅંગે વિચાર વિમર્શ કાર્યક્રમ યોજાયો

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના મૂળમાં શહેરના ઉદ્યોગ-ધંધા-રોજગારના મૂળભૂત હેતુઓનું જતન-સંવર્ધન કરવાનો સમાવેશ કરાયો છે, એને અનુરૂપ એક સમયસરનો આવકારદાયક કાર્યક્રમ તા.12મી જુલાઇ 2019ના રોજ જીવનભારતી ઓડિટોરીયમ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં હીરા ઉદ્યોગમાં પ્રવર્તમાન મંદીની સ્થિતિ દરમિયાન કેવી રીતે વર્તવું, કેવી રીતે કામ કરવું એ અંગે શહેરના ટોચના ઉદ્યોગપતિઓ શ્રી સેવંતીભાઇ અને શ્રી ગોવિંદ ધોળકીયાનું માર્ગદર્શન નાના, મધ્યમ હિરા કારખાનેદારોને મળ્યું હતું.

કાર્યક્રમમાં વિનસ જવેલ્સના ફાઉન્ડર અને ચેરમેન શ્રી સેવંતિભાઇ શાહ અને શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ્‌સના શ્રી ગોવિંદભાઇ ધોળકીયા દ્વારા હીરા ઉદ્યોગની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હીરાના કારખાનેદારોને ધીરજ રાખી અને શિસ્તબદ્ધ રહીને વિકટ સમયમાંથી પસાર થવાની દિશામાં મહત્વનું માર્ગદર્શન આપ્યુ હતુ.

આ કાર્યક્રમમાં સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શ્રી બાબુભાઇ ગુજરાતી અને હીરા ઉદ્યોગના અગ્રણીઓ અને કારખાનેદારો ખૂબ જ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ સર્વેને આવકાર્યા હતા અને પ્રારંભિક ઉદ્‌બોધનમાં જણાવ્યુ હતુ કે, દેશના અર્થતંત્રમાં હીરા ઉદ્યોગનો મોટો ફાળો રહયો છે. રોજગાર માટે પણ આ ઈન્ડસ્ટ્રીનું મોટું યોગદાન છે. હાલ આ ઇન્ડસ્ટ્રી કપરા સમયમાંથી પસાર થઇ રહી છે ત્યારે આ સમયે શું કાળજી રાખવી તે વિશે આજના મહાનુભાવો આપણને માર્ગદર્શન આપશે.

માનવસર્જિત મંદી છે હિરા ઉદ્યોગમાં કહે છે સેવંતીભાઇ શાહ

શ્રી સેવંતીભાઇ શાહે હીરાના કારખાનેદારોને સંબોધતા જણાવ્યુ હતુ કે, વર્ષ ર૦૦૮–૦૯ની મંદીમાંથી હીરા ઉદ્યોગ પસાર થઇ ચૂકયો છે. એવો સમય ફરીથી નહીં આવે તે માટે વિચાર વિમર્શ જરૂરી છે. વર્ષ ૧૯૬પમાં હું જયારે આ ધંધામાં આવ્યો ત્યારે ધંધામાં શિસ્ત હતી. બેંકોની ફેસિલિટી મળતી હતી અને ધંધો પણ મર્યાદામાં ચાલતો હતો. હવે કારખાનેદારો ખૂબ જ ઝડપથી પસાર થઇ રહયા છે. પાઇપલાઇનમાં પુષ્કળ સ્ટોક હોય એવું આજે ધંધાનું મોડલ બનાવી દીધું છે. તેમણે જણાવ્યુ હતુ કે કારખાનેદારને માલ બનાવવાનો છે, આપણું કામ ફાયનાન્સનું નથી. ફાયનાન્સનું કામ બેંકોનું છે. ધંધામાં શિસ્તના અભાવને કારણે આ માનવસર્જીત મંદી છે. આપણે શિસ્તમાં આવીશું તો આ વિકટ પરિસ્થિતિમાંથી વહેલામાં વહેલા બહાર આવી શકીશું.

તેમણે કારખાનેદારોને ટકોર કરતા જણાવ્યુ હતુ કે, કારીગરો આપણો પરિવાર જ છે. એટલે તેઓની જવાબદારી પણ આપણી બને છે. બેંકરપ્ટ થયેલા લોકો મુળમાં ખોટા ન હતા પણ જે રીતે ધિરાણ મળ્યુ. એના કારણે ગજા કરતા મોટો ધંધો થયો અને પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી. બેંકરપ્સી પાછળ તેમણે બેંકોના વ્યાજને પહેલું કારણ ગણાવ્યુ હતુ. તેમણે કહયુ કે હાલની પરિસ્થિતિ પહેલા કરતા જુદી છે. મેન્યુફેકચરીંગ નહીં પણ મુડી ઘટતી જાય છે. એટલે બધાએ પરિસ્થિતિનો સ્વીકાર કરવો પડશે અને આ સ્થિતિમાંથી પસાર થવુ પડશે.

થોડી કાળજી રાખીશું તો હિરા ઉદ્યોગ ફરી ઝળહળતો થશે

શ્રી સેવંતીભાઇ શાહે કહયુ કે, મંદીના કારણમાં સિન્થેટીક ડાયમંડની અસર ગણાવી શકાય છે. નેચરલ અને સિન્થેટીક ડાયમંડની ભેળસેળને કારણે પણ લોકોએ ડાયમંડ ખરીદવાનું ઓછું કરી દીધું છે. લોકોની હીરા ખરીદવાની ઇચ્છા તુટી ગઇ છે એ પણ વાસ્તવિકતા છે. પણ નિરાશાવાદી થવાનું કામ નથી. અઠવાડીયામાં ચાર – પાંચ દિવસ કારખાનું ચલાવો અને કારીગરોનો પણ વિચાર કરો. ધંધો ફરીથી પહેલાની જેમ ચાલી જશે. થોડી કાળજી રાખીશું તો હીરા ઉદ્યોગને ફરીથી ઝળહળતો કરી દઇશું.

જીવનમાં કોઇ પરિસ્થિતિ કાયમી નથી, મંદી આવી છે ને જવાની છે એ નક્કી છે કહે છે ગોવિંદ ધોળકીયા

શ્રી ગોવિંદભાઇ ધોળકીયાએ પોતાના વકતવ્યમાં જણાવ્યુ હતુ કે, આપણે સમયની સાથે ચાલવું પડશે. જે સમય આવ્યો છે તે જવાનો છે. મંદી હોય કે તેજી કોઇવાર કાયમી રહેતી નથી. આ ચક્ર ફરતુ રહેવાનું છે. મંદીનું પુર બધાને જ આવ્યુ છે. મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે પોતાના પ્રત્યે તેમજ આપણી કંપની કયાં છે તે અંગે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. હીરાનો ધંધો ખૂબ જ સારો છે અને એનો હું પપ વર્ષનો સાક્ષી છું. હીરો એ કલ્પવૃક્ષ અને ચિંતામણી છે. આ વિકટ પરિસ્થિતિ કાયમી રહેવાની નથી. ધીરજ રાખીને આગળ વધવું અને આવેગ કે આવેશમાં આવીને કોઇ નિર્ણય લેવો નહીં.

આ કાર્યક્રમમાં ચેમ્બરના ઇવેન્ટ્‌સ એન્ડ પ્રોગ્રામ્સ સેલના હેડ શ્રી મૃણાલ શુકલ અને ચેમ્બરની ડાયમંડ ઇન્ડસ્ટ્રી કમિટીના ચેરમેન શ્રી કીર્તિકુમાર શાહે પ્રાસંગિક વિધી કરી હતી.

હીરા ઉદ્યોગના બંને અગ્રણીઓએ કારખાનેદારોના સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા.

અંતે ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી દિનેશ નાવડીયાએ સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયુ હતુ.

July 10, 2019
fastag.png
1min12490
દેશભરના તમામ રાજ્યોમાંથી પસાર થતા તમામે તમામ નેશનલ હાઇ-વેઝ પર સ્થાપિત ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ લેન્સમાં વધારો કરવામાં આવી રહ્યો છે અને રોકડથી વ્યવહાર કરતી ટોલ ટેક્સની લેનમાં ઘટાડો કરાશે. જે વાહનો ફાસ્ટેગ વગરના હોય તેમના માટે અલગથી ટોલ ચાર્જ પર પણ વાહનવ્યવહાર મંત્રાલય વિચારણા કરી રહ્યું છે. આવું કરવા પાછળ અનેક હેતુઓ રહેલા છે, કેશલેશ થવા સાથે ટોલ પ્લાઝા પર બિનજરૂરી સમયનો થઇ રહેલો બગાડ પણ કારણભૂત છે.
હાલ દેશના તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર આવેલ પ્રતિ ટોલ પ્લાઝમાં બે અલાયદી ફાસ્ટેગ એક્સપ્રેસ લેન છે. તેમજ વધુને વધુ લોકો આ રીતે ફાસ્ટેગનો ઉપયોગ કરે અને ટોલ પ્લાઝા પર રોકડની લેવડદેવડ ઓછી થાય તે માટે ફાસ્ટેગ ધરાવાતા વાહનો માટે અલગ અને રોકડ ટોલ ટેક્સ ચુકવતા વાહનો માટે અલગ એમ બે પ્રકારને ટોલ ટેક્સની નીતિ લાવી શકે છે. મંત્રાલય આ રીતે તમામ નેશનલ હાઈવેને ‘લેસ કેશ’ બનાવવા માગે છે.
અધિકારીઓનું કહેવું છે કે ‘નવા પગલા એ બાબતને ધ્યાને રાખીને લેવામાં આવ્યા છે કે હાલ ટોલ પ્લાઝા પર થતા કુલ વ્યવહારમાં 20 ટકા વ્યવહાર જ ફાસ્ટેગ દ્વારા થાય છે. જેથી ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામની સમસ્યા દૂર થતી નથી. તેમજ ટોલ ઓપરેટર્સ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે તૈયાર નથી કેમ કે આમ કરવાથી તમામ ટેક્સ રેવન્યુનો પાક્કો હિસાબ રહે છે. તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને હાઈવે મિનિસ્ટ્રીને પણ અલગ અલગ ટોલ ટેક્સ પર આ ફાસ્ટેગની સિસ્ટમ કાર્યરત કરવા માટે ઘણા પ્રયાસ કરવા પડશે’

 

July 10, 2019
womenfifa-1280x640.jpg
1min13460

fifa womens lesbians માટે છબી પરિણામ

રનર-અપ નેધરલૅન્ડ્સની ટીમમાં પાંચ, આખા વર્લ્ડ કપમાં કુલ ૪૦ લેસ્બિયન ખેલાડીઓ રમી

ત્રણ દિવસ પહેલાં સતત બીજી વાર ફિફા મહિલા ફૂટબૉલ વર્લ્ડ કપનો તાજ જીતનારી અમેરિકાની ટીમની પાંચ ખેલાડીઓ અને કોચ સજાતીય સંબંધો ધરાવે છે એટલે એ સમુદાયના લોકો વિશ્ર્વ કપના આ વિજેતાપદને ‘ગે ક્યૂનિટી’ના મોટા વિજય તરીકે ઓળખાવી રહ્યા છે.

વર્લ્ડ ચૅમ્પિયન અમેરિકાની મહિલા ટીમની મુખ્ય ખેલાડી મેગન રૅપિનો અને ઍશ્લીન હૅરિસ તથા ઍલી ક્રિગર સહિત કુલ પાંચ પ્લેયરો તેમ જ કોચ જિલ એલિસ લેસ્બિયન છે. એમાંથી ઍશ્લીન અને ઍલીએ એકમેક સાથે સગાઈ કરી લીધી છે અને થોડા જ દિવસમાં લગ્ન કરી લેવાની છે.

અમેરિકાની મહિલા ફૂટબૉલ ટીમે રવિવારે ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં નેધરલૅન્ડ્સને ૨-૦થી પરાજિત કરી હતી. અમેરિકાની મુખ્ય પ્લેયર મેગને એ વિજય મળતાં જ ‘ગો ગેય્ઝ’ એવું મોટા અવાજે બોલીને જીત સેલિબ્રેટ કરી હતી. મેગનને ‘ગોલ્ડન બૂટ’ તથા ‘ગોલ્ડન બૉલ’ અવૉર્ડ આપવામાં આવ્યા હતા. ફાઇનલમાં બેમાંથી એક ગોલ મેગને કર્યો હતો.

મેગને ચૅમ્પિયનપદ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, ‘ટીમમાં ગે ખેલાડીઓ વગર કોઈ પણ ચૅમ્પિયનશિપ જીતી જ ન શકાય. અગાઉ પણ ક્યારેય ગે પ્લેયરો વિના ચૅમ્પિયનશિપ નહીં જીતી શકાઈ હોય. એ જ વિજ્ઞાન છે.’ વર્લ્ડ કપની રનર-અપ મહિલા ટીમ નેધરલૅન્ડ્સની ટીમમાં પણ પાંચ પ્લેયરો પણ લેસ્બિયન હતી.

એક જાણીતા સામયિકના અહેવાલ મુજબ આ વર્લ્ડ કપમાં રમનારી તમામ ખેલાડીઓમાં ૪૦ પ્લેયરો લેસ્બિયન હતી. તેઓ લેસ્બિયન, ગે, બાયસેક્સ્યૂઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વીયર (એલજીબીટીક્યૂ) સમુદાયની મેમ્બર છે.

પુરુષ ફૂટબૉલ ખેલાડીઓમાં પણ કેટલાક ગે (હોમોસેક્સ્યૂઅલ) છે અને ગયા વર્ષે ફિફા વર્લ્ડ કપમાં એમાંના કેટલાક પ્લેયરો રમ્યા હતા, પરંતુ તેમણે લેસ્બિયન ફૂટબૉલરોની જેમ જાહેરમાં એનો સ્વીકાર નહોતો કર્યો.

July 6, 2019
budget2019.jpg
1min10150

વર્ષ 2019-20ના કેન્દ્રીય બજેટમાં કેન્દ્રના ગૃહ ખાતા માટે રૂ. 1,19,025 કરોડ ફાળવવામાં આવ્યા છે જે ગયા વરસની સરખામણીએ રૂ. 5,858 કરોડ વધુ છે.

ગૃહ ખાતા માટે ફાળવવામાં આવેલા બજેટમાં મુખ્યત્વે પોલીસ, સરહદી વિસ્તારનું માળખું સુધારવા ઉપરાંત પોલીસ દળનું આધુનિકીકરણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

અમિત શાહ હાલ ગૃહ ખાતાનો હવાલો સંભાળી રહ્યા હોવા છતાં વર્ષ 2018-19ના સુધારેલા રૂ. 1,13,167 કરોડ કરતાં માત્ર 5.17 ટકા જ વધુ રકમ ગૃહ ખાતા માટે ફાળવવામાં આવી છે.

રાજધાની દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવતી દિલ્હી પોલીસ માટે રૂ. 7496.91 કરોડ ફાળવવામાં આવ્યા છે.

ભારત-પાક, ભારત-ચીન તેમ જ અન્ય આંતરરાષ્ટ્રીય સરહદ પર માળખાકીય સુવિધા સુધારવા રૂ. 2129 કરોડ ફાળવવાનો પ્રસ્તાવ છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદવિરોધી તેમ જ ઈશાન ભારતમાં નક્સલવાદવિરોધી કાર્યવાહીમાં રોકાયેલા તેમ જ ક્યારેક આંતરિક સુરક્ષા માટે ફરજ બજાવતા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફૉર્સ (સીઆરપીએફ) માટે રૂ. 23,963.66 કરોડ ફાળવવામાં આવ્યા છે જે વર્ષ 2018-19માં ફાળવવામાં આવેલા રૂ. 22,646.63 કરોડ કરતા વધુ છે.

ભારત-પાક અને ભારત-બાંગલાદેશ સરહદની સુરક્ષા કરતા બૉર્ડર સિક્યોરિટી ફૉર્સ-બીએસએફ માટે વર્ષ 2018-19માં ફાળવવામાં આવેલા રૂ. 18585.96 કરોડની સરખામણીએ વર્ષ 2019-20 માટે રૂ. 19,650.74 કરોડ ફાળવવામાં આવ્યા છે.

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફૉર્સ-સીઆરપીએફ, બૉર્ડર સિક્ટોરિટી ફૉર્સ-બીએસએફ, ઈન્ડો તિબેટન બૉર્ડર પોલીસ-આઈટીબીપી, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફૉર્સ-સીઆઈએસએફ, સશસ્ત્ર સીમા બલ-એસએસબી, આસામ રાઈફલ્સ-એઆર અને નેશનલ સિક્યોરિટી ગાર્ડ-એનએસજી સહિતના સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફૉર્સ માટે વર્ષ 2018-19માં ફાળવવામાં આવેલા રૂ. 67779.75 કરોડની સરખામણીએ વર્ષ 2019-20 માટે રૂ.કુલ મળીને રૂ. 71,713.9 કરોડ ફાળવવામાં આવ્યા છે.

આંતરિક જાસૂસી માટે જવાબદાર ઈન્ટેલિજન્સ બ્યૂરો-આઈબી માટે અગાઉના વર્ષના રૂ. 2056.05 કરોડને બદલે આ વરસે રૂ. 2384.1 કરોડ ફાળવવામાં આવ્યા છે.

વડા પ્રધાન, ભૂતપૂર્વ વડા પ્રધાન અને તેમના નિકટના પરિવારજનોની સુરક્ષા માટે જવાબદાર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ-એસપીજી માટે વર્ષ 2018-19માં ફાળવવામાં આવેલા રૂ. 411.68 કરોડની સરખામણીએ વર્ષ 2019-20 માટે રૂ. 535.45 કરોડ ફાળવવામાં આવ્યા છે.

બૅરેક, નિવાસસ્થાન, વાહનો, શસ્ત્રો અને દારૂગોળાની ખરીદી સહિત પોલીસ માળખામાં સુધારો કરવા રૂ. 4757 કરોડ ફાળવવામાં આવ્યા છે. પોલીસદળના અત્યાધુનિકીકરણ માટે વર્ષ 2018-19માં રૂ. 3462 કરોડ, સરહદી વિસ્તારમાં વિકાસના કાર્યક્રમ માટે રૂ. 825 કરોડ, જમ્મુ-કાશ્મીરમાંથી સ્થળાંતર કરી ગયેલા અને વતન પાછા ફરેલા લોકોનાં પુનર્વસન અને રાહત માટે રૂ. 842 કરોડ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના પેન્શન માટે રૂ. 953 કરોડ ફાળવવામાં આવ્યા છે.

મહિલાઓની સુરક્ષા માટેની ‘નિર્ભયા’ યોજના માટે રૂ. 50 કરોડ, નેશનલ સાયક્લોન રિસ્ક મિટીગેશન માટે રૂ. 296 કરોડ ફાળવવામાં આવ્યા છે.

વર્ષ 2021ની વસતિ ગણતરીને તૈયારી ચાલી રહી હોવા વચ્ચે એ માટે બજેટમાં રૂ. 621.33 કરોડ ફાળવવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં વિશેષ ઉદ્યોગ માટે રૂ. 50 કરોડ, હિન્દી ભાષાના પ્રસાર-પ્રચાર માટે રૂ. 78.09 કરોડ, રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોની સહાય માટે રૂ. 4,895.81 કરોડ ફાળવવામાં આવ્યા છે.

આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે રૂ. 4,817.48 કરોડ, ચંડીગઢ માટે રૂ. 4,291.70 કરોડ, દાદરા નગર હવેલી માટે રૂ. 1177.99 કરોડ, દીવ અને દમણ માટે રૂ. 821.4 કરોડ અને લક્ષદ્વીપ માટે રૂ. 1276.74 કરોડ ફાળવવામાં આવ્યા છે.

બજેટમાં દિલ્હી માટે રૂ. 1112 કરોડ અને પુડુચેરી માટે રૂ. 1601 કરોડ ફાળવવામાં આવ્યા છે.

July 4, 2019
rathyatra_2019.jpg
1min5080

જગતના નાથ એવા ભગવાન જગન્નાથ વર્ષમાં માત્ર એકવાર નગરચર્યાએ નીકળે છે અને આ વિશિષ્ટ પર્વ એટલે રથયાત્રા. આજે એટલે કે અષાઢી બીજનાં દિવસે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરની 142મી પૌરાણિક-પારંપરિક રથયાત્રા ભવ્યાતિભવ્ય રીતે નીકળી રહી છે.

ભગવાન જગન્નાથજી ગુરુવારે અત્યંત શુભ એવા ‘ગુરુપુષ્ય’ યોગમાં ભક્તોનાં ખબર-અંતર પૂછવા માટે નગરચર્યાએ રજવાડી શણગાર સજીને નીકળ્યા છે.

સવાર સવારમાં જ મંગળા આરતી દરમિયાન વરૂણદેવ પણ રાજી થયા હતા અને ભગવાનની રથયાત્રા પૂર્વે અમીછાંટણાથી ભક્તો ખુશખુશાલ થઈ ગયા હતા. રથાયાત્રા અગાઉ મેઘરાજાની હાજરીથી મનમોહક વાતાવરણ જોવા મળ્યું છે.

ભગવાન જગન્નાથ નંદિઘોષ રથમાં આરૂઢ છે જ્યારે બહેન સુભદ્રા કલ્પધ્વજ રથમાં વિદ્યમાન છે અને ભાઈ બલભદ્ર તાલધ્વજ રથમાં બિરાજમાન થયા છે. ભગવાનને નયનભરીને નિરખવા માટે ભક્તો તલપાપડ થઈ રહ્યા છે અને મંદિરની બહાર પણ વિશાળ જનમેદની ઉપસ્થિત છે. ભગવાનની રથયાત્રા જમાલપુરના નિજમંદિર બહાર પહોંચી છે અને ઠેર ઠેર ‘જય રણછોડ માખણચોર’ના નાદ ગૂંજી રહ્યા છે.

૧૪૨મી રથયાત્રાનો પ્રારંભ સવારે ૭.૦૦ વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સોનાની સાવરણીથી માર્ગ સ્વચ્છ કરીને ‘પહિંદ વિધિ’ કરાવીને રથ ખેંચીને કરાવ્યો હતો.

July 3, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5840

ગુરુવારે રથયાત્રા સાથે અખંડ ‘ગુરુપુષ્યામૃતસિદ્ધિ’ અને ‘લક્ષ્મી’યોગ, આ દિવસે કરેલું કાર્ય સિદ્ધિ-સફળતા અપાવશે

ગુરુવાર, તા.૪ જુલાઈ 2019 ના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નો દિવસ અત્યંત શુભ અને પવિત્ર માનવામાં આવે છે. ગુજરાતી વર્ષ પ્રમાણે અષાઢી બીજના આ ઉત્તમ દિવસે જ ‘ગુરુપુષ્યામૃતસિદ્ધિ યોગ’, ‘લક્ષ્મી યોગ’નો સમન્વય થઈ રહ્યો છે. જેથી આ દિવસે શુભ કાર્યો માટે અને કાર્યસિદ્ધિ માટે સર્વોત્તમ બની રહેશે. એટલા માટે જ ગુરુવાર આવી રહેલા આ યોગના અત્યંત શુભ માનવામાં આવે છે.

અષાઢ સુદ બીજ, તા.૪ જુલાઈ, ૨૦૧૯ના રોજ ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં વહેલી સવારે ૪.૪૦ મિનિટે આવે છે અને રાત્રિના ૨.૩૧ મિનિટ સુધી પુષ્ય નક્ષત્રમાં રહે છે. આ સમયગાળા દરમિયાન ચંદ્રની સાથે મંગળ પણ છે. એટલે ચંદ્ર-મંગળનો ‘લક્ષ્મી યોગ’ થાય છે.

બારમે સૂર્ય, શુક્ર અને રાહુ મિથુન રાશિના છે. ચંદ્રકુંડળી અનુસાર સૂર્ય ધન સ્થાનનો માલિક બને છે અને શુક્ર લાભ સ્થાનનો માલિક બને છે. આ બન્નેની યુતિ ધન-પ્રાપ્તિમાં સહાયક છે. તેની સાથે ઉચ્ચનો રાહુ છે. સામાન્ય રીતે રાહુ નકારાત્મક શક્તિનો દ્યોતક છે, પરંતુ મિથુન રાશિમાં રહેલો ઉચ્ચનો રાહુ હકારાત્મક બને છે. તેની સાથે છઠ્ઠા સ્થાનમાં ધન રાશિમાં રહેલો શનિ તે આ સ્થાનમાં શ્રેષ્ઠ ફળ
આપનાર છે.

વૃશ્ચિક રાશિનો ગુરુ પાંચમા સ્થાનમાં છે અને તે વક્રી હોવાથી ‘શુભા વક્રા અતિશુભા’ શુભ ગ્રહો વક્રી થાય તો વધુ શુભ ફળ આપે છે. એ મુજબ પાંચમા સ્થાનમાં રહેલો ગુરુ વધુ શુભ ફળ આપનારો છે અને તે નવમા ભાગ્ય સ્થાનનો માલિક છે અને તે સ્થાન પર ગુરુની દૃષ્ટિ હોવાથી ધાર્મિક કાર્યો સારા પ્રમાણમાં થશે. ગુરુની ચંદ્ર-મંગળ અને બુધ પર દૃષ્ટિ છે અને ગુરુની જે ગ્રહ પર દૃષ્ટિ થાય તે શુભ ફળ આપનાર બને છે. તેથી ચંદ્ર, મંગળ અને બુધ ત્રણેય શુભ ફળ આપનાર બની રહેશે. આ પ્રકારના અખંડ ગુરુ-પુષ્યામૃતસિદ્ધિ યોગમાં કરેલું કાર્ય સફળતા અપાવનાર બની રહે છે.

આ દિવસે ચંદ્ર-ગુરુનો નવપંચમ યોગ થઈ રહ્યો છે. માટે આ દિવસ કોઈપણ પ્રકારના કાર્યની સિદ્ધિ માટે તથા સરસ્વતી દેવીની આરાધના શ્રેષ્ઠ છે. નવા કાર્યોનો પ્રારંભ કરવા માટે પણ ઉત્તમ છે. બીજી તરફ તિથિ મુજબ પણ અષાઢી બીજ-રથયાત્રાનો સમન્વય થાય છે. જ્યારે ચાતુર્માસના પ્રવેશ માટે પણ ઉત્તમોત્તમ દિવસ છે.

July 3, 2019
world_cup_logo.png
1min11180

એક પણ વખત વર્લ્ડ કપ ન જીતનાર ઇંગ્લૅન્ડ અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે આજે અહીં વિશ્ર્વ કપ-૨૦૧૯ની તેમની આખરી લીગ મૅચ રમાશે. આજે જીતનારી ટીમ સેમી ફાઇનલમાં પહોંચી જશે અને પાકિસ્તાન માટે સેમીનો પ્રવેશ વધુ કઠિન થઈ જશે. એ જોતાં, આજના પરિણામમાં પાકિસ્તાનને વધુ રસ હશે. ભારત સામેના મુકાબલા સહિત કુલ ચાર મૅચ હારી જનાર પાકિસ્તાનની ટીમ પોતાના બળે આ સ્પર્ધામાં આગળ વધવાને બદલે બીજી મૅચોના રિઝલ્ટ પર વધુ મદાર રાખનારી ટીમ બની છે. આજે ઇંગ્લૅન્ડ અને ન્યૂ ઝીલૅન્ડમાંથી જે પણ ટીમ હારશે એ સ્પર્ધામાંથી આઉટ નહીં થાય. ઇંગ્લૅન્ડ હારશે તો પાકિસ્તાને બંગલાદેશ સામેની શુક્રવારની મૅચ કેમેય કરીને જીતવી પડશે.

July 3, 2019
mount-2.jpg
1min7530

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર ૧૫મી ઑગસ્ટથી પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવશે. સિરોહી જિલ્લા તંત્ર અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંગળવારે બેઠક મળી હતી જેમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. માઉન્ટ આબુના એસડીએમ ડૉ. રવીન્દ્ર ગોસ્વામીએ કહ્યું કે ‘ઝાડ, છોડવા, વનસ્પતિ અને પ્રાણીઓના હિતમાં માઉન્ટ આબુને પ્લાસ્ટિકથી મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્લાસ્ટિક પર્યાવરણ માટે હાનિકારક હોવાથી ૧૫મી ઑગસ્ટથી તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે.’

પ્લાસ્ટિકની થેલી, બોક્સ, થર્મોકોલ કપ, પ્લેટ, વોટર બોટલ વિગેરે પર પણ પ્રતિબંધ મુકાશે. પેપ જળ પૂરું પાડવા ઓટોમેટેડ વોટર ડિસ્પેન્સિંગ મશીનની સુવિધા પૂરી પાડવામાં આવશે. પ્રતિબંધોનો અમલ થઈ રહ્યો છે, તેની તકેદારી રાખવા ટીમની રચના કરવામાં આવશે. નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે યોગ્ય પગલાં ભરવામાં આવશે, તેવું એસડીએમએ કહ્યું હતું.

માઉન્ટ આબુને ‘ઈકોસેન્સિટિવ ઝોન’માં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. કાચની બિયર બોટલની ખપત ઘટાડી બિયર કેનના ઉપયોગને પ્રોત્સાહન આપવા જિલ્લા વહીવટીતંત્રે પહેલ શરૂ કરી છે. બિયર બોટલના કાચના ટુકડાથી જંગલી પ્રાણીઓેને જોખમ ઊભું થતું હોવાથી વહીવટીતંત્રે બિયરકેનને પ્રોત્સાહન આપવાની પહેલ શરૂ કરી છે.

એસડીએમ ગોસ્વામી અને ડેપ્યુટી ક્ધઝર્વેટર ઑફ ફોરેસ્ટસ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં વેપારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

June 28, 2019
trains.jpg
1min6590

27 ટ્રેનો તેના વર્તમાન સમયથી વહેલી ઉપડશે : 15 ટ્રેનો તેના હાલના નિર્ધારીત સમય કરતા મોડી ઉપડશે

અમદાવાદ વેસ્ટર્ન રેલવે ડિવિઝન પર પહેલી જુલાઇથી 42 જેટલી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છેજે અંતર્ગત 27 ટ્રેનો તેના વર્તમાન સમયથી વહેલી ઉપડશે જયારે 15 ટ્રેનો તેના હાલના નિર્ધારીત સમય કરતા મોડી ઉપડશે.

અમદાવાદથી ચેન્નાઇ એક્સપ્રેસ 15 મિનિટ અને કામખ્યા એક્સપ્રેસ 20 મિનિટ વહેલી રવાના થશે

અમદાવાદ-પટણા 10 મિનિટ અને અમદાવાદથી રવાના થતી પુણેવારાણસીસાબરમતિજનસાધારણકોલ્હાપુર સહિતની ટ્રેનો અમદાવાદથી પાંચ મિનિટ વહેલી રવાના થશે.

જયપુર-અમદાવાદ 1.15 કલાક વહેલી અમદાવાદ આવશે

ગોરખપુર-અમદાવાદ પાલનપુરમાં એક કલાક વહેલી પહોંચશે.

અમદાવાદ-ઇલાહાબાદ 55 મિનિટ

અમદાવાદ-નાગપુરસંપર્કક્રાંન્તિ એક્સપ્રેસ અમદાવાદથી 15 મિનિટ મોડી રવાના થશે

અમદાવાદ-ઓખા થી 10 મિનિટ મોડી ઉપડશે

અમદાવાદ ડિવિઝન પર દોડનારી 18 ટ્રેનોની ગતી વધારવામાં આવી છે જ્યારે 10 ટ્રેનોની ગતિ ધીમી થઇ છે.

નવા ટાઇમ મુજબ 16 ટ્રેનોમાં યાત્રા કરનાર પ્રવાસીઓની થી 1:15 કલાકની બચત થઇ છે.