CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 22 of 41 - CIA Live

August 14, 2019
sunny.jpg
1min18390
ગુગલ એનાલિટીક્સએ જાહેર કરેલા આંકડાઓ મુજબ ભારતીયો ગુગલ સર્ચ એન્જિન પર સૌથી વધુ જો કોઇને સર્ચ કરતા હોય તો એ એક વખતની પોર્ન સ્ટાર અને બાદમાં બોલિવુડની એક્ટ્રેસ બનેલી સન્ની લિયોની છે. સન્ની લિયોનીએ ગુગલ સર્ચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સલમાન ખાનને પણ પાછળ પાડી દીધા છે.

ગુગલ એનાલિટીક્સએ જારી કરેલા રસપ્રદ આંકડાઓ મુજબ ગુગલ સર્ચ પર ભારતીયો જો સૌથી વધુ સર્ચ કોઇને કરતા હોય તો એ છેલ્લા એક વર્ષમાં સન્ની લિયોની છે. સન્ની લિયોની અને તેના વિડીયો માટે ભારતીયોએ કરોડો વખત ગુગલ સર્ચ કર્યું છે.

ગૂગલ ટ્રેડ એનાલિટિક્સ અનુસાર સન્ની સાથે જોડાયેલા મોટાભાગના સર્ચ વીડિયો સંબંધના છે. આ ઉપરાંત તેની બાયોપિક સિરિઝ પણ લોકો શોધી રહયા છે. સન્ની વિશે વધુ સર્ચ પૂર્વોત્તરના રાજય મણિપુર અને આસામમાંથી થાય છે. ટોચ પર બની રહેવા પર સન્ની લિયોનીએ કહયું હું આ સફળતાનો શ્રેય મારા ચાહકોને આપું છું. ગયા વર્ષ સૌથી વધુ સર્ચ થનારી હસ્તીઓની સૂચિમાં સન્ની લિયોની ન હતી. જયારે 2017માં મોસ્ટ સચર્ડ પર્સન હતી.

આશ્ચર્યની વાત એ છે કે ગુગલ સર્ચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બીજા નંબરે આવે છે અને સલમાન ખાન ત્રીજા નંબરે છે ભારતીયોના સર્ચ લિસ્ટ પર.

ઓગસ્ટ 2019માં પૂરા થતા ચાલુ કેલેન્ડર વર્ષના અત્યાર સુધીના સમયગાળામાં ઇન્ડીયન સર્ચમાં પ્રથમ પાંચમાં ત્રણ સ્થાનો પર બોલીવુડની એક્ટ્રેસ છે, ટોપ ફાઇવમાં બીજા ક્રમે નરેન્દ્ર મોદી અને ત્રીજા ક્રમે સલમાન ખાન છે.

ઇન્ડિયા ગૂગલ સર્ચમાં આ વર્ષે ઓગસ્ટના પહેલા સપ્તાહ સુધી સૌથી વધુ સર્ચ થનાર જાણીતી હસ્તીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાનને પાછળ રાખીને બોલ્ડ હિરોઇન સન્ની લિયોની ટોચ સ્થાને છે.

August 13, 2019
evehicle_charge.jpg
1min8190

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને ગતિ મળે તે માટે મહાવિતરણ, ટાટા પાવર જેવી કંપનીઓ મુંબઇ સહિત ચાર મહત્ત્વનાં શહેરોમાં ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે. પર્યાવરણને થતા નુકસાનમાં ઘટાડો થાય અને ઇંધણની પણ બચત થાય તે માટે ઇલેક્ટ્રિક વાહનોના વપરાશ માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોવાનું સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું. મહાવિતરણ ૫૦૦ અને ટાટા કંપની દ્વારા ૩૦૦ વેહિકલ ચાર્જિંગ સ્ટેશન બનાવશે. પર્યાવરણને હાનિ ન પહોંચે અને ઇંધણની પણ બચત થાય તે માટે ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં વધારો થાય તે માટે આ પગલું ઉઠાવવામાં આવી રહ્યું છે.

આવતા વર્ષના અંત સુધી વેગવાન ચાર્જિંગની સુવિધા આપનારા ૩૦૦ ચાર્જિંગ સ્ટેશન મુંબઇ સહિત પુણે, બૅંગ્લોર, દિલ્હી અને હૈદરાબાદ જેવાં પાંચ મહત્ત્વના શહેરોમાં ઊભાં કરાશે. પુણેમાં સાત સ્ટેશનો કાર્યરત કરવામાં આવ્યાં બાદ વધુ ૪૫ સ્ટેશનો બાંધવામાં આવશે. મુંબઇમાં હાલમાં ૪૨ ઇલેક્ટ્રિક વેહિકલ સુવિધાનાં કેન્દ્રો આવેલાં છે.

મહાવિતરણના ૫૦૦ સ્ટેશનના પ્રસ્તાવને મંજૂરી મળી હોવાથી મુંબઇમાં ચાર, થાણેમાં છ, નવી મુંબઇમાં ચાર, પનવેલમાં ચાર, મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવેમાં ૧૨ એમ અન્ય સેન્ટર માટેના ઓર્ડર કૉન્ટ્રાક્ટરને આપવામાં આવ્યા છે. મહાવિતરણ આ પ્રકલ્પ માટે ૨.૫૦ લાખ રૂપિયાનો ખર્ચ કરશે. ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જ કરવા માટે ૪૫ મિનિટથી એક કલાક જેટલો સમય લાગે છે.

ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશનના દર પ્રતિ યુનિટ છ રૂપિયાના ભાવે આકરવામાં આવે છે. તેમ જ રાત્રે ૧૦થી સવારે છ વાગ્યાના સમયગાળા દરમિયાન આ દરમાં એક રૂપિયા સુધીની વિશેષ છૂટ આપવામાં આવે છે.

August 13, 2019
gold2.jpg
1min5060

નાણાકીય વર્ષનાં પહેલા ત્રિમાસિકગાળામાં દેશની સોનાની આયાત ગત સાસના સમાનગાળાના ૮.૪૫ અબજ ડૉલર સામે ૩૫.૫ ટકાથી વધીને ૧૧.૪૫ અબજ ડૉલરની સપાટીએ રહી હોવાથી ચાલુ ખાતાની ખાધ પણ દબાણ હેઠળ રહી હોવાનું વાણિજ્ય મંત્રાલયે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. 

સમીક્ષા હેઠળના સમયગાળામાં ચાલુ ખાતાની ખાધ અર્થાત્ નિકાસ અને આયાત વચ્ચેનો તફાવત જીડીપીના ૨.૧ ટકા અથવા તો ૫૭.૨ અબજ ડૉલરના સ્તરે રહી હતી. જે ગત સાલના સમાનગાળામાં જીડીપીના ૧.૮ ટકા અથવા તો ૪૮.૭ અબજ ડૉલરના સ્તરે રહી હતી. સોનાની આયાતમાં વધારો થતાં આ સમય દરમિયાન દેશની વેપારી ખાધ ગત સાલના સમાનગાળાના ૪૪.૯૪ અબજ ડૉલર સામે વધીને ૪૫.૯૬ અબજ ડૉલરની સપાટીએ રહી હતી. ગત જાન્યુઆરીથી જૂન સુધીમાં એકમાત્ર ફેબ્રુઆરી મહિનામાં સોનાની આયાતમાં અંદાજે ૧૧ ટકાનો ઘટાડો થયો હતો, આ સિવાય આયાતમાં દ્વિઅંકી સંખ્યામાં જ વૃદ્ધિ જોવા મળી છે. દેશમાં જ્વેલરી ઉદ્યોગની માગ સંતોષવા માટે વર્ષે અંદાજે ૮૦૦થી ૯૦૦ ટન સોનાની આયાત થાય છે. સોનાની આયાતની વેપારી ખાધ તેમ જ ચાલુ ખાતાની ખાધ પર નકારાત્મક અસર પડતી હોવાથી સરકારે આયાત નિયંત્રણમાં રાખવા માટે આ વર્ષનાં અંદાજપત્રમાં સોના પરની આયાત જકાત જે ૧૦ ટકા હતી તે વધારીને ૧૨.૫૦ ટકા કરી હતી. ઉદ્યોગનાં નિષ્ણાતોના મતાનુસાર ઊંચી આયાત જકાતને કારણે આ ક્ષેત્રનાં વેપારીઓ તેનાં ઉત્પાદનના એકમો પાડોશી દેશોમાં ખસેડે તેવી શક્યતા પ્રબળ બની છે. જોકે, જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે પણ આયાત જકાતમાં થયેલા વધારા સામે નારાજગી વ્યક્ત કરી છે. ગત નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં દેશની સોનાની આયાત મૂલ્યની દૃષ્ટિએ ત્રણ ટકા ઘટીને ૩.૨૮ અબજ ડૉલરની સપાટીએ રહી હતી.

August 10, 2019
tapi6-1280x605.jpg
3min35540

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

Ukai Dam. Dt.10.08.19. @ 17.00 hrs.

  • Rule Level : 335.00 ft.
  • Present Water Level : 335.68 ft.
  • Inflow: 4,59,698 cusecs.
  • Outflow: 1,89,735 cusec
  • G.S. : 5824.91 MCM
  • Dam filled: 78.56 %
  • Increase in qty: 4951.17 MCM
  • (w.r.t to mini storage of this yr)
  • Hathnur Level:.209.54mt. 
  • Outflow : 95,368.16 cusecs

Ukai Dam. Dt.10.08.19. @ Hr: 12.00 hrs

  • R.L : 335.00 ft.
  • P.W.L: 334.73 ft.
  • Inflow: 533689 cusecs.
  • Outflow: 187406 cusec
  • G.S. : 5675.14 MCM
  • %age filling: 76.54 %
  • Increase in qty: 4801.41 MCM (w.r.t to mini storage of this yr)

ઉકાઇ ડેમમાંથી પોણા બે લાખથી વધુ ક્યુસેક્સ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સુરત મધ્યેથી પસાર થતી તાપી નદી હાલ બે કાંઠે છે, તાપી બે કાંઠે હોવાથી ફ્લેડ ગેટ્સ બંધ કરાયા છે અને તેના કારણે કારદશાની નાળ, અડાજણ મક્કાઇ પુલથી સ્વામીનારાયણ મંદિર રોડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં નદીના પાણી ફરીવળ્યા છે અગર તો ગટરના પાણી બેક મારી રહ્યા છે, આ સિવાય સુરત પર હાલ તુરત કોઇ જ જળ સંકટ કે પૂરનું સંકટ નથી.

જવલ્લેજ જોવા મળતો અદભૂત નજારો, શાસ્ત્રોએ જેને પૂણ્ય સલિલાનું ઉપનામ આપ્યું છે એ સૂર્યપૂત્રી તાપી નદી આજે બે કાંઠે વહેતી જોવા મળી હતી. ઇતિહાસમાં જે રીતે ઉલ્લેખ છે એ રીતે તાપી નદી આજે વહી રહી હતી. અદભૂત નજારો જોવા માટે સુરતીઓ શહેરના બ્રીજો પર ઉમટી પડ્યા હતા. ફોટો બાય સુનિલ પટેલ (ભરીમાતા)

સુરત શહેર પર પૂરનું સંકટ ન આવે એટલા માટે ઉકાઇ ડેમની સપાટી 330 ફૂટ જેટલી જાળવવામાં આવી રહી છે એમ સુરતના અધિકારીઓ જણાવી રહ્યા છે.

સુરત શહેર માટે સૌથી નસીબવંતી વાત એ પણ છે કે ઉકાઇ ડેમમાં જ્યાંથી પાણી આવી રહ્યું છે એ ઉપરવાસના કેચમેન્ટ એરિયામાં આજે સવારે 8 વાગ્યે પૂરા થયેલા વરસાદના આંકડાઓ જોતા ત્યાં વરસાદ સાવ સામાન્ય છે, એટલે આગામી 10-12 કલાકમાં ઉકાઇ ડેમમાં પાણીનો આવરો ઓછો થઇ જશે.

ઉપરવાસમાં વરસાદ સાવ સામાન્ય છે, શનિવારે રાત સુધીમાં ઉકાઇમાં પાણીનો ઇનફ્લો ઓછો થઇ જશે

સુરત શહેરના પાણીના મુખ્યસ્ત્રોત ઉકાઇ ડેમમાં જ્યાંથી પાણીનો આવરો થઇ રહ્યો છે એ કેચમેન્ટ એટલેકે ઉપરવાસના વિસ્તારોમાં આજે તા.10મી ઓગસ્ટ 2019ની સવારે 8 વાગ્યા સુધી નોંધાયેલો વરસાદ સાવ સામાન્ય છે, એટલે ડેમમાં પાણીનો આવરો તબક્કાવાર ઘટી જશે અને શનિવાર તા.10મી એ રાત સુધીમાં ડેમમાં પાણીનો આવરો ઓછો થઇ જશે. આમ છતાં ઉકાઇ ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવાનું જારી રાખવામાં આવશે. એવું જાણવા મળે છે કે ઉકાઇ ડેમની સપાટી હાલ 330 ફૂટની આસપાસ જાળવવામાં આવશે.

આમ છતાં ઉકાઇ ડેમમાં પાણીની સપાટી 330 ફૂટ સુધી જાળવી રાખવા માટે આ લેવલથી ઉપર જેટલું પાણી આવશે એટલું છોડી દેવાની નીતિ અખત્યાર કરવામાં આવી છે. એ ખાસ યાદ રાખવું જોઇએ કે 335 એ રૂલ લેવલ છે, અધિકારીઓએ અગાઉના પાણીના આવરાને ધ્યાને લઇને આ લેવલ બનાવ્યું છે. ઉકાઇ ડેમની પાણીની ભયજનક સપાટી 345 ફૂટ છે. હજુ એકાદ મહિના વરસાદ પડે અને એક સામટું પાણી આવે ત્યારે વિકટ પરિસ્થિતિ ન સર્જાય એ માટે હાલમાં બે લાખ ક્યુસેક્સ પાણી છોડવાામાં આવી રહ્યું છે.

દરમિયાન તા.9મી ઓગસ્ટને બપોરે 4 વાગ્યાથી ઉકાઇ ડેમમાંથી 75 હજાર ક્યુસેક્સ પાણી તાપી નદીમાં છોડવાનું શરૂ કરાયું હતું, જે આજરોજ તા.10મી ઓગસ્ટે સવારે 10 કલાકે વધારીને 1.84 લાખ ક્યુસેક્સ કરવામાં આવ્યું છે. ઉકાઇ ડેમમાંથી પાણી છોડવાને કારણે સ્વાભાવિક છે કે સુરત શહેરની વચ્ચેથી પસાર થતી તાપી નદીમાં પાણીનો આવરો થાય અને તાપી બે કાંઠે વહેતી જોવા મળે. આજે સવારથી જ તાપી નદીને બે કાંઠે જોવા માટે લોકોની ભીડ જામી હતી અને ત્યાંથી જ વાતો વહેતી થઇ કે સુરતમાં પૂર આવી રહ્યું છે.

તાપી નદી બે કાંઠે વહેતી હોઇ, સુરત શહેરની વરસાદી ગટર તથા ફ્લેડગેટ્સ બંધ કરાયા હોઇ નીચાણવાળા વિસ્તારોમાં ગટરીયા પાણી બેક થઇને પાણીનો ભરાવો શરૂ થયો હોવાની વિગતો જાણવા મળી છે.

અમારા એસોસીએટ સુનીલભાઇ પટેલ (ભરીમાતા)એ આજે સવારે બે કાંઠે વહેતી તાપી નદીના પીક્ચર્સ ક્લીક કર્યા હતા જે અહીં પ્રસ્તુત છે.

પૂણ્યસલિલા તાપી મૈયા આ સીઝનમાં બે કાંઠે જોવાનો અદભૂત નજારો , ફોટો સુનીલ પટેલ (ભરીમાતા)
ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે તાપી નદીના ઉપરવાસમાં ઘર કરી ગયેલી લીલ-વેલ, જળકુંભી જેવી વનસ્પતિઓ ફ્લશ આઉટ થઇને દરીયા ભેગી થઇ હતી. તાપી નદીનું પાણી શુધ્ધ થવા પામ્યું છે. ફોટો બાય સુનીલ પટેલ (ભરીમાતા)
તાપી નદીને બે કાંઠે વહેતી જોવાનો લ્હાવો સુરતીઓ છોડે ખરા..આજે સવારથી જ બે કાંઠે વહેતી સૂર્યપૂત્રી તાપી નદીને જોવા માટે લોકો બ્રીજ પર ઉમટ્યા હતા. ફોટો બાય સુનીલ પટેલ (ભરીમાતા)
August 7, 2019
nirbhayasuprem.png
1min4690

મધ્યસ્થતા કોઈ સ્પષ્ટ ઉકેલ લાવવામાં વિફળ રહ્યા બાદ આખરે આજથી સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદનાં વિવાદની સુનાવણી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં આજે સૌપ્રથમ નિર્મોહી અખાડાનાં વકીલે પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે, 100 વર્ષોથી આ વિવાદિત ભૂમિ ઉપર તેનો કબજો રહેલો છે. આ કેસ હવેથી અઠવાડિયામાં ત્રણ દિવસ- મંગળવાર, બુધવાર અને ગુરુવારે સાંભળવામાં આવશે તેવું અદાલતે ઠરાવ્યું છે. દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં વિચારક એન.ગોવિંદાચાર્યે આયોધ્યા કેસની સુનાવણીનું જીવંત પ્રસારણ કરવાની માગણી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. જેને અદાલતે ખારિજ કરી નાખી છે.

અયોધ્યા વિવાદ ઉકેલવા માટે મધ્યસ્થતા સમિતિને આપવામાં આવેલાં નિશ્ચિત સમયમાં તે કોઈ નિરાકરણ લાવી શકી નહોતી. જેને પગલે સર્વોચ્ચ અદાલતે આજથી આ મામલાની રોજિંદી સુનાવણી શરૂ કરી દીધી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સદસ્યોની બનેલી બંધારણીય ખંડપીઠ આ મામલો સાંભળે છે. આ બંધારણીય ખંડપીઠમાં જસ્ટિસ એસ.એ.બોબડે, ડી.વાય. ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસ.એ.નઝીર સામેલ છે.

નિર્મોહી અખાડાનાં ધારાશાત્રી સુશીલ કુમાર જૈને આજે પોતાનો પક્ષ રજૂ કરતાં દલીલ આપી હતી કે, આ જમીન ઉપર તેનો સેંકડો વર્ષોથી હક હતો. તેમણે નક્શો દેખાડતા જણાવ્યું હતું કે તેમનો દાવો વિવાદિત પરિસરનાં આંતરિક ભાગનો છે. આ જમીન ઉપર અખાડાનો જ કબજો હતો પણ પછી અન્યોએ બળપૂર્વક તેમાં અતિક્રમણ કર્યુ હતું. અખાડાની માગ માત્ર પરિસરનાં આંતરિક ભાગની છે. જેમાં સીતા રસોઈ અને ભંડાર ગૃહ સામેલ છે. ડિસેમ્બર 1992 બાદ ઉપદ્રવીઓએ નિર્મોહી અખાડાનું મંદિર પણ ધ્વસ્ત કરી દીધું હતું. જૂના ફેંસલાઓનો હવાલો આપતાં કહેવામાં આવ્યું હતું કે, તે મુજબ એવા સ્થાનને મસ્જિદ ગણાવી શકાય નહીં જ્યાં નમાઝ પઢાતી ન હોય. આ દરમિયાન સુન્ની વક્ફ બોર્ડનાં વકીલ રાજીવ ધવને હસ્તક્ષેપ કરતાં અદાલતે તેમને ઠપકો આપતાં કહ્યું હતું કે, તેનો પક્ષ પણ સમય આવ્યે સાંભળવામાં આવશે.

August 6, 2019
CIA_Live_Logo_New2.jpg
1min17960

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત શહેર જિલ્લા સમેત દક્ષિણ ગુજરાતમાં પાણીના મુખ્યસ્ત્રોત ગણાતા ઉકાઇ ડેમની વાત હાલ ચૌરેને ચૌટે ચર્ચાય રહી છે. નુક્કડ પરની ચર્ચામાં ઉકાઇ ડેમનો ઉલ્લેખ ન થાય તો એ ચોમાસું ન કહેવાય.

અહીં જે વિગતો રજૂ કરી રહ્યા છે એ વાંચ્યા પછી આપની ઉકાઇ ડેમ અને તેના ઉપરવાસમાં પડેલા વરસાદ અંગેની જાણકારી સચોટ બનશે.

આ વખતે વરસાદની પહેલી જ હેલીમાં ઉકાઇ ડેમની સપાટી સડસડાટ વધી ગઇ. ઉકાઇના કેચમેન્ટ એરિયામાં પડેલા વરસાદનું પાણી આવ્યું અને ઉકાઇ ડેમની સપાટી વધી, આ જાણકારી સહજ છે. પણ વધુ ઉંડાણથી જાણવું જોઇએ કે ઉકાઇ ડેમમાં જ્યાં વરસાદ પડવાથી પાણી આવે છે એ ઉપરવાસના કયા વિસ્તારમાં ચાલુ વરસાદી સીઝનમાં કેટલો વરસાદ પડી ચૂક્યો છે, આ માહિતી અહીં રજૂ કરવામાં આવી છે.

25.4 મી.મી. બરાબર 1 ઇંચ વરસાદ

ઉકાઇ ડેમના ઉપરવાસના વિસ્તારમાં ખુદ ઉકાઇ કેન્દ્રનો સમાવેશ થાય છે. ઉકાઇ વિસ્તારમાં જ ચાલુ સીઝનમાં કુલ 1501 મી.મી. વરસાદ પડી ચૂક્યો છે. મતલબ કે ઉકાઇ ડેમ જ્યાં છે એ ઉકાઇ વિસ્તારમાં કુલ 59 ઇંચ જેટલો વરસાદ પહેલી જ વરસાદી હેલીમાં પડી ચૂક્યો છે. એ સિવાય ઉકાઇ ડેમના ઉપરવાસમાં આવતા ચીખલધરામાં 1202.80 મી.મી., ચાંદપુરમાં 1160.80 મી.મી., નારણપુરમાં 1079 મી.મી., અકલકુવામાં 779 મી.મી. અને તલોદામાં 714 મી.મી વરસાદ પડ્યો છે જેનું પાણી ઉકાઇ ડેમમાં આવ્યું છે. આ આંકડા સત્તાવાર રીતે ઉકાઇ ડેમ સ્થિત કેન્ટ્રોલ રૂમ દ્વારા આપવામાં આવ્યા છે.

નીચેના કોષ્ટક પરથી જાણી શકાશે કે ઉકાઇ ડેમના ઉપરવાસ (કેચમેન્ટ એરીયા)માં કયા ક્ષેત્રો આવે છે અને તા.6 ઓગસ્ટ સવારે 8 વાગ્યા સુધીમાં ત્યાં કેટલો વરસાદ પડી ચૂક્યો છે

ઉકાઇ ડેમના કેચમેન્ટ એરીયામાં તા.6 ઓગસ્ટ 2019ની સવારે 8 વાગ્યા સુધીમાં પડેલા વરસાદના સત્તાવાર આંકડા
August 5, 2019
sensex.jpg
1min10580

સમીક્ષા હેઠળના પાછલા સપ્તાહ દરમિયાન બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૩૭,૮૮૨.૭૯ના બંધથી ૭૬૪.૫૭ (૨.૦૨ ટકા) પોઈન્ટ ઘટ્યો હતો. સેન્સેક્સ સોમવારે ૩૮,૦૪૩.૨૨ ખૂલી તેજ દિવસે ઊંચામાં ૩૮,૦૪૩.૨૨ સુધી અને ૨ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ નીચામાં ૩૬,૬૦૭.૪૧ સુધી જઈ છેવટે ૩૭,૧૧૮.૨૨ બંધ રહ્યો હતો.

આ સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ. ૧૩૯.૯૮ લાખ કરોડ રહ્યું છે, જે આગલા સપ્તાહના અંતે રૂ. ૧૪૮.૦૮ લાખ કરોડ હતું. મિડકેપ ઈન્ડેક્સ ૨.૨૩ ટકા, સ્મોલ કેપ ૪.૩૨ ટકા, બીએસઈ-૧૦૦ ઈન્ડેકસ ૨.૫૨ ટકા, બીએસઈ-૨૦૦ ૨.૫૩ ટકા અને બીએસઈ-૫૦૦ ૨.૬૭ ટકા ઘટ્યા હતા. બીએસઈ આઈપીઓ ૧.૭૭ ટકા અને એસએમઈ આઈપીઓ ૩.૭૪ ટકા ઘટ્યા હતા. બીએસઈ કાર્બોનેક્સ ૨.૬૧ ટકા અને એસએન્ડપી બીએસઈ ગ્રીનેક્સ ૨.૨૭ ટકા વધ્યા હતા.

સેકટરલ ઈન્ડેક્સમાં એકમાત્ર આઈટી ૦.૫૮ ટકા વધ્યો હતો, જ્યારે ટેક ૦.૨૭ ટકા, એફએમસીજી ૧.૨૦ ટકા, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૬૪ ટકા, પાવર ૨.૭૯ ટકા, કેપિટલ ગુડ્સ ૨.૮૪ ટકા, હેલ્થકેર ૩.૧૨ ટકા, ઓટો ૩.૪૦ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૩.૪૪ ટકા, બેન્કેક્સ ૩.૬૭ ટકા, રિયલ્ટી ૪.૦૪ ટકા, પીએસયુ ૫.૫૫ ટકા અને મેટલ ૮.૯૪ ટકા ઘટ્યા હતા.

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી અધિક વધેલા પાંચ શેરો હતા: ટીસીએસ ૪.૪૧ ટકા, ભારતી એરટેલ ૨.૫૨ ટકા, એશિયન પેઈન્ટ્સ ૧.૩૩ ટકા, એચસીએલ ટેક્નોલોજીસ ૦.૯૭ ટકા અને હિન્દુસ્તાન યુનિલિવર ૦.૪૦ ટકા.

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી અધિક ઘટેલા પાંચ શેરો હતા: વેદાંતા ૧૪.૬ ટકા, ટાટા મોટર્સ ડીવીઆર ૧૩.૭૨ ટકા, ટાટા મોટર્સ ૧૨.૭૧ ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૧૧.૦૧ ટકા અને ટાટા સ્ટીલ ૮.૮૫ ટકા. 

August 5, 2019
kashmir-news.jpg
1min12540

જમ્મુ અને કાશ્મીરમાં ઊભી થયેલી તંગદિલીને પગલે મહત્ત્વના અને સંવેદનશીલ સ્થળોએ સલામતી વ્યવસ્થા વધારી દેવાઇ છે.

અગાઉ, જમ્મુ અને કાશ્મીરના વહીવટીતંત્રે અમરનાથયાત્રામાં ભાગ લઇ રહેલા લોકોને તેઓની યાત્રા અટકાવીને પાછા ફરવાની સલાહ આપી હતી.

પર્યટકોને પણ સલામતી સામેના જોખમને ધ્યાનમાં રાખીને પાછા જતાં રહેવાની સલાહ અપાઇ હતી.

જમ્મુ એન્ડ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશને ભારતીય ટીમના ઓલ-રાઉન્ડર ઇરફાન પઠાણ સહિત અંદાજે ૧૦૦ ક્રિકેટરને કાશ્મીર છોડી જવાની સૂચના આપી હતી.

આ ઉપરાંત, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને હૉસ્ટેલમાંના વિદ્યાર્થીઓને પણ પરત જવાની સૂચના અપાઇ હતી.

કાશ્મીરના ખીણવિસ્તારમાં ગયા અઠવાડિયે આવી પહોંચેલા વધારાના લશ્કરી દળો ગોઠવાઇ ગયા છે.

ઉનાળા વખતના જમ્મુ અને કાશ્મીરના પાટનગર શ્રીનગરના સીમાડે અને અન્ય મહત્ત્વના રસ્તા પર બેરિકેડ્સ ઊભા કરાયા હતા. સુરક્ષા દળોએ રમખાણ રોકવા માટેના વાહનો પણ તૈયાર રાખ્યા છે.

કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રવિવારે બોલાવેલી બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ, કેન્દ્રના ગૃહસચિવ રાજીવ ગૌબા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ભારતીય લશ્કરે પાકિસ્તાનના સૈન્યના મારા ‘બેટ’ના સાત સૈનિકને શનિવારે હણી નાખ્યા હતા.

જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ એસ. પી. મલિકે જનતાને અફવા પર ધ્યાન નહિ આપવાની સલાહ આપી હતી.

જમ્મુ અને કાશ્મીરમાંથી પર્યટકો, અમરનાથયાત્રીઓ, અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને બીજા લોકો પાછા ફરી રહ્યા હોવાથી અનેક એરવેઝે ભાડાં વધારી દીધા હોવાનો આક્ષેપ કરાય છે. ટેક્સીવાળાઓ દ્વારા પણ પ્રવાસીઓ પાસેથી બેફામ ભાડાં લેવાતા હોવાનું કહેવાય છે.

નેશનલ કોન્ફરન્સની રાજકીય બાબતોને લગતી સમિતિએ રાજ્યમાંની પરિસ્થિતિ અંગે ચર્ચાવિચારણા કરી હતી.

August 2, 2019
IndiGo_logo.png
1min7900

ભારતમાં ઇકોનોમી રેન્જની એરલાઈન્સ ગણાતી IndiGo એ પોતાની 13મી વર્ષગાંઠ એક મોટી ઓફર મુસાફરોને આપી છે. સેલ ઓફરમાં ઈન્ડિગોએ પોતાના ગ્રાહકોને ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય વિમાનો પર ડિસ્કાઉન્ટ ઑફર ઘરેલૂ વિમાન માટે મિનિમમ ભાડું 999 રૂપિયા અને આંતરરાષ્ટ્રીય વિમાન માટે મિનિમમ ટિકિટ 3499 રૂપિયા કર્યું છે. ઇન્ડિગોની આ ઓફર તેના નીચે દર્શિત પોસ્ટર પરથી વધુ જાણી શકાશે.

ઇન્ડીગોની 13મી વર્ષગાંઠે મુસાફરો માટે ખાસ પેકેજ

ઈન્ડિગોએ 999 અને 3,499 રૂપિયાવાળા ઑફર માટે બુકિંગ આજે 31 જૂલાઈથી શરૂ થઈ રહી છે, જે 4 ઑગસ્ટ 2019 સુધી ચાલશે.

ઈન્ડિગોએ આ ઑફર વિશે ટ્વીટ કરી જણાવ્યું કે આ ઑફર 15 ઑગસ્ટ 2019થી 28 માર્ચ 2020ની વચ્ચે પ્રવાસીઓ માટે વેલિડ રહેશે.

ઈન્ડિગોએ જણાવ્યું કે આ ઑફરથી ઘરેલૂ વિમાનની બુકિંગ દરમિયાન બેન્ક ઑફ બરોડાના ડેબિટ કાર્ડનો યૂઝ કરવા પર કેશબેક ઑફર પણ ઉપલબ્ધ છે.


August 1, 2019
New-Traffic-Rules-Fine-Challan-Tariff.jpg
1min10170
  • હેલ્મેટ વિના વાહન ચલાવવામા 100 રૂપિયાને બદલે 1000 રૂપિયા દંડ થશે
  • લાયસન્સ વિના વાહન ચલાવતા પકડાયા તો 5000 રૂપિયા, જે દંડ અત્યારસુધી 500 રૂપિયા હતો
  • મોબાઈલ ઉપર વાત કરતા પકડાવાથી 1000 રૂપિયા દંડ થતો હતો જે હવે વધીને 5000 રૂપિયા થયો છે
  • દારૂ પીને વાહન ચલાવવાનાં ગુનામાં હવે 2 હજારને બદલે 10 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.
  • સીટ બેલ્ટ વિના વાહન ચલાવતા પકડાય તો 100નાં સ્થાને હવે 1000 રૂપિયાનો દંડ.
  • ટિકિટ વિના સરકારી બસોમાં મુસાફરી કરતાં કોઈ પકડાશે તો હવે 200નાં સ્થાને પ00 રૂપિયાનો દંડ લાગશે.
  • સગીર વાહન ચલાવતા પકડાય તો તેનાં વાલી અથવા તો વાહનનાં માલિકને દોષિત માનવામાં આવશે અને તેમાં 2પ હજારનાં દંડથી લઈને 3 વર્ષની કેદની સજા પણ થઈ શકશે.
  • અતિ ઝડપે વાહન હંકારવામાં હવે 100 રૂપિયાનાં બદલે 2000 રૂપિયાનો દંડ લાગશે.
  • ઓવરલોડિંગમાં અત્યાર સુધી 2000 રૂપિયા અને પ્રતિ ટન 1000 રૂપિયાનો દંડ લાગતો હતો જે હવે અનુક્રમે 20 હજાર અને 2000 રૂપિયા થશે.
  • એમ્બ્યુલન્સનો માર્ગ અવરોધવામાં 10 હજાર રૂપિયાનો દંડ થશે.
  • ટ્રાફિક વિભાગનાં આદેશનાં ઉલ્લંઘનમાં 2000 રૂપિયાનો દંડ લાગુ થશે.
  • ઈન્શ્યોરન્સ વિના વાહન ચલાવવામાં 1000ને સ્થાને હવે 2000 રૂપિયાનો દંડ.
  • હિટ એન્ડ રનમાં બે લાખ રૂપિયાથી વધુ સહાય મૃતકનાં પરિજનને મળશે.
  • ઓટો કંપનીઓ એન્જીનનાં માપદંડમાં કસૂર કરે તો પ00 કરોડ રૂપિયા સુધીનો દંડ
  • રજિસ્ટ્રેશન કરાવવા માટે વાહનને આરટીઓ લઈ જવું નહીં પડે, ઓનલાઈન પ્રક્રિયા થશે
  • લાયસન્સ વિના અનઅધિકૃત વાહન ચલાવવા બદલ 1000 રૂપિયા દંડ થતો હતો જે હવે 5000 રૂપિયા થયો છે,
  • લાયસન્સ વગર ઓવરસાઈઝ વાહન ચલાવવા બદલ 5000 રૂપિયા દંડની જોગવાઈ

ટ્રાફિક નિયમો ભંગમાં હવે 10 ગણો દંડ : લોકસભા બાદ રાજ્યસભામાં મોટર વ્હીકલ (સંશોધન) બિલ પસાર

મોટર વ્હીકલ (સંશોધન) બિલ 2019 લોકસભા બાદ બુધવારે રાજ્યસભામાં પણ પસાર થયો હતો. ખરડામાં ટ્રાફિકના નિયમો તોડનારા લોકો માટે આકરા પગલા લેવાની જોગવાઈ છે. તેમજ દંડની રકમ પણ 10 ગણી કરી દેવામાં આવી છે. એટલે કે હવે બેદરકારીમાં ટ્રાફિક નિયમનો ભંગ કર્યો તો મોટી રકમ ચૂકવવી પડશે. બિલ રજૂ કરી કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતું કે, સરકાર કોઈપણ ભોગે માર્ગ અકસ્માત ઉપર લગામ કસવા માગે છે. આંકડા બતાવે છે કે દેશમાં દર વર્ષે 1.50 લાખ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. ટ્રાફિક નિયમોનું લોકો પાલન કરતા નથી. રાજ્યસભામાં ધ્વનીમતથી પસાર થયેલા ખરડામાં હેલ્મેટ માટે 1000, યોગ્ય વિના ઓવરસાઈઝ વાહન ચલાવવા 5000 રૂપિયા અને લાયસન્સ વિના વાહન ચલાવવા બાદ 5000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.