દીપાવલી એ હિન્દુ ધર્મનો મહત્ત્વપૂર્ણ તહેવાર છે. દિવાળીનો તહેવાર ‘પ્રકાશના પર્વ’ તરીકે જાણીતો છે ત્યારે તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે, ‘મનના પ્રકાશની જાગૃતિ’ સ્થૂળ શરીર અને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે અને તેને આત્મા કહેવાય છે તેવી વિચારધારા હિન્દુ તત્ત્વજ્ઞાનનું કેન્દ્ર છે. આપણે જેવી રીતે આપણા સ્થૂળ જન્મને ઉજવીએ છીએ તેવી રીતે દીપાવલી આંતરિક પ્રકાશનો તહેવાર છે, કે જેને જાણવાથી અંધકારે પ્રકાશમય બને છે. દિવાળી ફટાકડા, પ્રકાશ, ફૂલો, મીઠાઈઓ તથા ભક્તિ દ્વારા ઉજવવામાં આવે છે. પ્રદેશે-પ્રદેશે દિવાળીની કથા અલગ છે ત્યારે આ તમામનો સાર તો એકસરખો જ છે આંતરિક પ્રકાશનો આનંદ લેવો.
રાજ્યમાં દિવાળી પર્વ ઉજવવા માટે લોકોમાં ઉત્સાહ છવાઈ ગયો છે અને બજારોમાં રોનક જોવા મળી રહી છે. ઘરઆંગણે રંગોળી, દીવડા તથા રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે. આજે કાળી ચૌદશ નિમિત્તે શ્રી કાલભૈરવ ભગવાનની ઉપાસના કરવામાં આવી હતી. આજે દિવાળીના દિવસે રાત્રીના સમયે ફટાકડાની આતશબાજી સર્જાશે અને સૌ કોઈ અવનવા ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરશે જ્યારે સોમવારે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં બેસતું વર્ષ ઉજવાશે અને નવા વર્ષની શુભેચ્છાની આપ-લે થશે.
આઇઆઇટી-બૉમ્બેને ભારતની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાની યાદીમાં ટોચનું સ્થાન પ્રાપ્ત થયું હોવાની માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ હતી. ક્યુએસ (ક્વેક્વેરેલ સાયમન્ડસ) ઇન્ડિયા યુનિવર્સિટી રેન્કિંગની ૨૦૨૦ની યાદી મંગળવારે જાહેર કરવામાં આવી હતી, તેમાં આઇઆઇટી બૉમ્બે પહેલા ક્રમાંકે, આઇઆઇએસસી (ઇન્ડિયન ઇસ્ટિટ્યૂટ ઓફ સાયન્સ) બૅંગ્લોરબીજા અને આઇઆઇટી દિલ્હી ત્રીજા, આઇઆઇટી મદ્રાસ ચોથા, આઇઆઇટી ખડગપુર પાંચમા અને આઇઆઇટી કાનપુર છઠ્ઠા સ્થાને હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. તાજેતરમાં વિદ્યાર્થીઓને અપાતા રોજગારની દૃષ્ટિએ પણ આઇઆઇટી બૉમ્બેએ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ભારતીય સંસ્થાઓ માટે ક્યુએસ રૅન્કિંગની બીજી આવૃત્તિ મંગળવારે જાહેર કરવામાં આવી હતી.
ક્રિસ્ટીયાનો રોનાલ્ડો ફુટબોલ રમવા માટે જે કમાણી કરે છે તેના કરતા વધુ કમાણીએ મોબાઇલ ફોન પર ઇન્સ્ટાગ્રામની એક પોસ્ટથી કરી લે છે. ફુટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના પ્રશંસકો કરોડોની સંખ્યામાં છે. ઇન્સ્ટાગ્રામ પર રોનાલ્ડોના ફોલોઅર્સની સંખ્યા 150 મિલિયન કરતા પણ વધુ છે. અને એટલે જ એ વાતથી આશ્ચર્ય ના પામશો કે રોનાલ્ડો ઈન્સ્ટાગ્રામથી જે કમાણી કરે છે તે યુવેન્ટ્સ ક્લબથી થતી આવક કરતા પણ વધારે છે.
રોનાલ્ડોની દીવાનગી ફૂટબોલના મેદાન સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ ઉપર પણ જોવા મળે છે.
એક રિપોર્ટ મુજબ રોનાલ્ડોએ ઈન્સ્ટાગ્રામ ઉપર સ્પોન્સર્ડ પોસ્ટથી 47.8 મિલિયન એટલે કે 340 કરોડ ભારતીય રૂપિયાથી કમાણી કરી છે.
49 સ્પોન્સર્ડ પોસ્ટથી રોનાલ્ડોને આ કમાણી થઈ છે. 34 વર્ષીય રોનાલ્ડો ખેલ જગતમાં’ ઈન્સ્ટાગ્રામ ઉપર સૌથી વધુ કમાણી કરતો ખેલાડી છે. તેને પોસ્ટ માટે 9.75 લાખ અમેરિકી ડોલર મળે છે. એક અનુમાન પ્રમાણે યુવેન્ટ્સે રોનાલ્ડોને 2018ના વાર્ષિક 242 કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી.
આજે મુંબઈની ૩૬ બેઠક સહિત રાજ્યની ૨૮૮ બેઠક પર મતદાન થશે ત્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈ કોને મત આપશે તે મહત્ત્વનું બની રહે છે. ભૌગોલિક અને સામાજિક દૃષ્ટિએ મહારાષ્ટ્ર કરતાં અલગ તરી આવતા મુંબઈમાં રાજકારણ પણ અલગ રંગ બતાવે છે. અહીંનો શિક્ષિત અને વિચારશીલ મતદાર કયુ બટન દબાવશે તે કળી શકાય તેમ નથી. લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસકાર્યો અને વિઝનરી તરીકેની છબિને લીધે ભાજપનો સીધો ફાયદો થયો હતો, પરંતુ વિધાનસભાની ચૂંટણીના મુદ્દા અલગ હોય છે અને મતદારોનો મૂડ પણ અલગ હોય છે. મુંબઈમાં છેલ્લા ૨૫ વર્ષથી ભાજપ-શિવસેના મહાનગરપાલિકાનું સંચાલન કરે છે. લોકો સૌથી વધારે રસ્તા પરના ખાડાની સમસ્યાથી પરેશાન છે. આ સાથે પ્રદૂષણ, આડેધડ જોવા મળતું અતિક્રમણ, પાલિકાનો ભ્રષ્ટ અને નબળો કારભાર તેમ જ જૂની ઈમારતોના ડેવલપમેન્ટ સહિત ઘણા ગંભીર પ્રશ્ર્નો છે જે આ શહેરને કનડે છે અને પાંચ વર્ષની ભાજપ-શિવસેના સરકાર તેને ઉકેલવાની દિશા તરફ આગળ વધતી હોય તેમ જણાતું નથી. આ સાથે આર્થિક મંદી અને બેરોજગારી પણ મતદાન પર અસર કરશે. માત્ર માળખાકીય પ્રોજેક્ટ્સને બાદ કરતા હાલની સરકારે મુંબઈના જનજીવનમાં કોઈ ખાસ ફરક પાડ્યો નથી. બીજી બાજુ દેશ અને રાજ્યમાં નબળી પડી ગયેલી કૉંગ્રેસ મુંબઈમાં લગભગ સાફ થઈ ગઈ છે અને એનસીપીની અહિં કોઈ હાજરી જ નથી. આ સ્થિતિમાં મતદારો મૂંઝવણ અનુભવી રહ્યા છે.
ભાજપ-શિવસેનાના રાજ્ય સરકાર તરીકેના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ઘટેલી ઘટનાઓમાં એલ્ફિન્સ્ટન બ્રિજ પર ભાગદોડમાં ૨૩ જણના થયેલા મૃત્યુ, પરેલની હોટેલમાં આગને લીધે ૧૪ જણાના મૃત્યુ, હિમાલય બ્રીજ તૂટી પડવાથી પાંચ જણના મૃત્યુ, ઘાટકોપરની સાંઈ સિદ્ધિ ઈમારત, ભીંડી બજારની હુસૈની અને કેસરબાઈ ઈમારત પડી જવાથી થયેલા મૃત્યુ, પુણેની ભીમા કોરેગાંવ હિંસાની ઘટનાને લીધે મુંબઈમાં જોવા મળેલી સજ્જડ બંધ અને લોકએ ભોગવી પડેલી હાલાકી, દર વર્ષે ચોમાસાંમાં મુંબઈગરાઓએ ભોગવવી પડતી અપાર તકલીફો, તાજેતરમાં મેટ્રો થ્રી માટે આરે કોલોનીમાં અડધી રાત્રે કાપવામાં આવેલા વૃક્ષો અને આંદોલનકારીઓની થયેલી ધરપકડ, પંજાબ મહારાષ્ટ્ર બૅંક પર પ્રતિબંધ લાગવાથી થાપણદારોની હાલાકી વગેરે ઘટનાઓ બનતી રહી અને રાજ્ય સરકાર અને પાલિકાનો રેઢિયાળ કારભાર સામે આવતો રહ્યો. આની સામે વર્ષોથી લટકેલા મેટ્રોના તમામ પ્રોજેક્ટ, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક, બુલેટ ટ્રેન, કૉસ્ટલ રોડ જેવા પ્રોજેક્ટ્સ શરૂ થઈ ગયા અને ઝડપથી આગળ વધી રહ્યા છે. જોકે પાલિકા અને રાજ્ય સરકારની નિષ્ફળતાને જનતા સામે લાવવામાં કૉંગ્રેસ-એનસીપી તદ્ન નિષ્ફળ ગઈ છે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના તરફ પણ લોકોનો કોઈ ઝુકાવ જણાતો નથી. આ અંગે પૂછવામાં આવતા સામાજિક કાર્યકર જિતેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગીમાં કોઈ પરિવર્તન કર્યું નથી. લગભગ ૫૦ ટકા ઉમેદવારો અશિક્ષિત છે અને તેમની સામે ગંભીર ગુનાઓ છે. ભાજપ પાસેથી અપેક્ષા હતી કે તેઓ ઉમેદવારની પસંદગી કરવામાં શિક્ષણ અને શહેરી વિષયોના જ્ઞાનને પ્રાથમિકતા આપશે અને નવા ચહેરાઓ જનતા સામે લાવશે, પરંતુ તેમ ન થતાં એ લોકોને જ ટિકિટ આપી છે જેમણે અત્યાર સુધી કંઈ કર્યું નથી. તેમના કહેવા અનુસાર નૉટાના વિકલ્પમાં કોઈ તર્ક દેખાતો ન હોવાથી મુંબઈમાં મતદાન ઓછું થવાની સંભાવના છે. જોકે યોગ્ય પાત્રમે ચૂંટવા માટે લોકો મોટી ંસંખ્યામાં મતદાન કરે તેવી અપીલ ચૂંટણી પંચ અને રાજ્કીય પક્ષોએ કરી છે.
કઈ બેઠકો પર છે રસાકસી
મુંબઈમાં કૉંગ્રેસ અને એનસીપીનું ખાસ કંઈ જોર ન હોવાથી અને ભાજપ અને શિવસેના સાથે ચૂંટણી લડતા હોવાથી મુંબઈની અમુક બેઠકોને બાદ કરતા ખાસ કોઈ રસાકસી જોવા મળતી નથી. દક્ષિણ મુંબઈમાં જોઈએ તો મુંબાદેવી બેઠક પર બે ટર્મથી વિધાનસભ્ય રહી ચૂકેલા કૉંગ્રેસના નેતા અમિન પટેલ સામે શિવસેનાના વરિષ્ઠ કાર્યકર્તા પાંડુરંગ સકપાલ ઊભા છે. ગુજરાતી, મરાઠી અને મુસ્લિમ મત ધરાવતી આ બેઠક મહત્ત્વની છે. આ જ રીતે દક્ષિણ મુંબઈની બીજી બેઠક કોલાબામાં કૉંગ્રેસના અશોક (ભાઈ) જગતાપ અને ભાજપના રાહુલ નાર્વેકર વચ્ચે જંગ જામશે. ભાજપે રાજ પુરોહિતને બદલે આ બેઠક નાર્વેકરને આપી છે. દક્ષિણ મુંબઈની સૌથી રસાકસીવાળી બેઠક વરલીની માનવામાં આવે છે. અહીં શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે અને એનસીપીના સુરેશ માને વચ્ચે જંગ છે. આદિત્ય ઠાકરે પરિવારના પહેલા સભ્ય છે જે ચૂંટણી લડી રહ્યા છે. આદિત્ય માટે માત્ર જીત નહીં, પરંતુ વધારેમાં વધારે મતોથી જીત મહત્ત્વની છે. બાન્દ્રા પૂર્વમાં મેયર વિશ્ર્વનાથ મહાડેકર સામે શિવસેનાના બળવાખોર નેતા તૃપ્તી સાવંત અને કૉંગ્રેસના નેતા ઝીશાન સિદ્દીકી છે. ત્રણેય ઉમેદવારો સશક્ત છે. અહીં કૉંગે્રસને મુસ્લિમ મતોનો ફાયદો થઈ શકે તેમ છે. વર્સોવામાં ભાજપના ચિહ્ન પરથી શિવસંગ્રામ પક્ષની ઉમેદવાર ડૉ. ભારતી લવેકર લડી રહ્યા છે, જેમની સામે કૉંગ્રેસના બળદેવ ખોસલા અને શિવસેનાના બળવાખોર નેતા તેમ જ નગરસેવિકા રાજુલ પટેલ ઊભા છે. ચાંદીવલી વિધાનસભા પરથી ચાર વાર વિધાનસભ્ય રહી ચૂકેલા કૉંગ્રેસના નેતા નસીમ ખાન સામે શિવસેનાએ મજબૂત નેતા દિલીપ લાંડેને ઊભા કર્યા છે. આથી આ બેઠક મહત્ત્વની બની ગઈ છે. પશ્ર્ચિમ ઉપનગરમાં મલાડની બેઠક પર કૉંગ્રેસના વર્તમાન વિધાનસભ્ય અસલમ શેખ સામે ભાજપે ઉત્તર ભારતીય ઉમેદવાર રમેશ ઠાકુરને ટિકિટ આપી છે. મૂળ કાંદિવલીમાં સક્રિય ઠાકુરને છેલ્લી ઘડીએ ટિકિટ આપવામાં આવી હતી. અહીંના મુસ્લિમ મતો મહત્ત્વના સાબિત થઈ શકે તેમ છે.
મુંબઈ ઉપરાંત નાલાસોપારામાં ક્ષિતિજ ઠાકુર સામે પોલીસ અધિકારી પ્રદીપ શર્માની બેઠકના પરિણામ પર સૌની નજર રહેશે. આ ઉપરાંત નાગપુર દક્ષિણમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સામે કૉંગ્રેસના આશિષ દેશમુખ ટક્કર આપશે. આ ઉપરાંત કરાડમાંં કૉંગ્રેસના ઉમેદવાર અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ સામે ભાજપે આનંદરાવ પાટીલને ઉમેદવારી આપી છે, જે એક સમયે ચવ્હાણના નજીકના વ્યક્તિ માનવામાં આવતા હતા. કૉંગ્રેસના નેતા અશોક ચવ્હાણ (ભોકર), ચંદ્રકાન્તદાદા પાટીલ (કોથરૂડ), એનસીપીના નેતા અજિત પવાર (બારામતી), ભાજપના નેતા પંકજા મુંડે અને તેમની સામે એનસીપીના નેતા ધનંજય મુંડે (પરલી) વગેરેની બેઠકો પરના મતદાન અને પરિણામ પર સૌની નજર રહેશે.
રાજ્યના કુલ ૮,૮૯,૩૯,૬૦૦ કરોડ મતદાર આજે ૩૨૩૭ ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં સીલ કરશે. રાજ્યની ૨૮૮ બેઠકનું મતદાન એક જ તબક્કામાં પાર પડવાનું છે અને આ માટે ચૂંટણી પંચે ૬.૫ લાખ કર્મચારીને મતદાતાની સુવિધાઓ માટે તહેનાત રાખ્યા છે.
——-
પંકજા પર વિવાદાસ્પદ નિવેદન: ધનંજય મુંડે સામે ફરિયાદ
મુંબઈ: એકબીજા પરના ઉગ્ર શાબ્દિક આક્ષેપો અને પ્રત્યાક્ષેપોથી રંગાયેલા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો છેલ્લો દિવસ વિવાદાસ્પદ ઘટનાથી પૂરું થયો હતો. રાજ્યના કેબિનેટ પ્રધાન અને પરલીથી વિધાનસભાની ચૂંટણી લડી રહેલા પંકજા મુંડે શનિવારે પ્રચાર દરમિયાન સ્ટેજ પર પડી ગયાં હતાં અને થોડી વાર માટે બેહોશ થઈ ગયાં હતાં. આ ઘટના બાદ પરલીના એનસીપીના ઉમેદવાર અને વિરોધપક્ષના નેતા ધનંજય મુંડેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં ધનંજય મુંડેએ પંકજા મામલે અણછાજતી ટિપ્પણી કરી હતી. આ વીડિયોએ ભારે વિવાદ જગાડ્યો હતો અને પરલી ખાતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ સાથે મહારાષ્ટ્ર
મહિલા આયોગે પણ મુંડેને નોટિસ મોકલાવી હતી.
બીજી બાજુ ધનંજય મુંડેએ એક વીડિયો દ્વારા સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે અમુક દિવસ પહેલાના તેમના ભાષણને એડિટ કરી ઈરાદાપૂર્વક વાયરલ કરવામાં આવી રહ્યું છે. તેમણે રડતા સ્વરે જણાવ્યું હતું કે હું પણ ત્રણ દીકરીનો બાપ છું અને બહેન માટે આવી ટિપ્પણી હું ક્યારેય ન કરી શકું. તેમણે આ વીડિયોને ફોરેન્સિક લૅબમાં મોકલી તપાસવા જણાવ્યું હતું અને જો તેમના પરના આક્ષેપો સાબિત થશે તો જીવ દઈ દઈશ, તેમ વીડિયોમાં કહ્યું હતું. હાલમાં હું મરું કે જીવું તે સમજાતું નથી. બે ભાઈ-બહેન વચ્ચે નવો ભાઈ આવી ગયો હોવાનો ટોણો પણ તેમણે માર્યો હતો. તેમનો ઈશારો સદાભાઉ ખોત અને સુરેશ ધસ સામે હતો.
દરમિયાન ધનંજય સામે પરલી સહિત રાજ્યભરમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમનું પૂતળું પણ બાળવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત ઘણા નેતાઓએ પણ વિરોધ નોંધાવ્યો હતો
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના 36 કલાક અગાઉ તા.19મીની રાત્રે મુંબઇ ખાતે સલમાન ખાનના બોડીગાર્ડ શેરાએ શિવસેનામાં સત્તાવાર રીતે જોઇન થવાની વિધી પૂરી કરી હતી. શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરેએ ઔપચારિક રીતે શેરા ને શિવસેનામાં પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે શેરાને તલવાર અને ભગવા રંગની શાલ ઓઢાડીને શિવસેનામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
સલમાન ખાનનો બોડી ગાર્ડ હોવા છતાં શેરા એક સેલિબ્રીટી મનાય છે અને શેરાએ શિવસેના જોઇન કર્યાના સમાચારો વિશ્વભરમાં ચમક્યા હતા.
એક ફાઇલ તસ્વીરમાં શિવસેનાના સુપ્રીમો ઉધ્ધવ ઠાકરે સાથે શેરા દ્રશ્યમાન છે. અત્યાર સુધી શેરા શિવસેનાના શુભેચ્છક હતા હવે સત્તાવાર રીતે કાર્યકર અને નેતા બન્યા છે.
આ કાર્યક્રમમાં ખાસ મહેમાનોને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કે, ગાંધીના વિચાર સાદગીના પર્યાય છે. તેમના વિચાર વ્યાપક છે. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ ફિલ્મ જગતની હસ્તીઓને દાંડીમાં નિર્માણ પામેલા ગાંધી મ્યૂઝિયમની મૂલાકાત લેવા અપીલ કરી હતી. આ સાથે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે અપીલ કરી હતી. કાર્યક્રમ સાથે જોડાયેલી તમામ માહિતી પીએમઓના ટ્વિટર પર શેર કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે મહાત્મા ગાંધીના વિચારોનો પ્રચાર કરવા માટે ફિલ્મ અને ટેલિવિઝન જગતના તમામ શાનદાર કામ કરી રહ્યા છે.
ફિલ્મ એક્ટર આમિર ખાને જણાવ્યું કે બાપુના વિચોરોનો પ્રચાર કરવા માટે પીએમ મોદીના પ્રયત્નોની હું કદર કરું છું. ક્રિએટીવ લોકો તરીકે આપણ ઘણુ બધુ કરી શકીએ છીએ. હું પીએમ મોદીને ભરોસો અપાવું છું કે, અમે આ દિશામાં પ્રયત્ન કરીશું.
શાહરુખ ખાને આ ખાસ કાર્યક્રમ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, મહાત્મા ગાંધીના વિચારોને લઇને અમને બધાને એક મંચ પર લાવવા માટે પીએમ મોદીનો આભાર વ્યક્ત કરું છું. મારુ માનવું છે કે આપણે ગાંધીના વિચારોને ફરી એકવાર વિશ્વ અને દેશને પરિચિત કરાવવા જોઇએ.
આ સિવાય પીએમઓએ તેના ટ્વિટર એકાઉન્ટ પર બંને દિગ્ગજ અભિનેતાઓનો એક વિડીયો શેર કર્યો હતો જેમાં બંને અભિનેતાઓ પીએમ મોદીની પહેલની પ્રશંસા કરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં નાના પરદાની દિગ્ગજ હસ્તી એક્તા કપૂર અને અભિનેત્રી કંગના રનૌતે પણ વિડીયો દ્વારા પીએમ મોદીની પહેલની પ્રશંસા કરી હતી. કંગનાએ જણાવ્યું કે આવા પહેલા પીએમ છે, જેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આ પ્રકારનું મહત્વ આપ્યું છે.
આ કાર્યક્રમમાં દિગ્ગજ ડિરેક્ટર આનંદ એલ રાય, રાજકુમાર હિરાણી સહિત વિખ્યાત હસ્તીઓએ ભાગ લીધો હતો.
(ભારતમાં હવે જેની બૂમો ઉઠવાની છે એ વિશે જાણો) RCEP શું છે ? કેમ RCEPથી ભારતમાં ફફડાટ? વાંચો A to Z
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
(સૂરતના જાણીતા સી.એ. શ્રી મિતીશ મોદી સાથે થયેલી વાતચીત તેમજ અન્ય સમાચાર માધ્યમોના અભ્યાસ પરથી તૈયાર કરેલી વાંચન સામગ્રી)
ભારતમાં વિવિધ ચીજવસ્તુઓના ઉત્પાદકોથી લઇને વ્યાપારીઓને ખરી ચિંતા હાલના મંદીના માહોલ કરતા RCEP ની છે. સમગ્ર ભારતના ઉદ્યોગ, ધંધા, વ્યાપાર જગતમાં હાલ એક જ મુદ્દો ચર્ચાસ્પદ છે અને એ છે RCEP.
RCEP એટલે શું
અંગ્રેજીમાં RCEP નું ફુલફોર્મ થાય છે Regional Comprehensive Economic Partnership. Regional Comprehensive Economic Partnership એ પ્રપોઝ્ડ (સૂચિત) કરાર છે જે દુનિયાની અડધી વસતિ ધરાવતા 19 દેશો વચ્ચે થવા જઇ રહ્યો છે. Regional Comprehensive Economic Partnership એ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફ.ટી.એ.) છે. Regional Comprehensive Economic Partnership માં જોડાનારા દેશો વચ્ચે જો આ પાર્ટનરશીપ પર સહીસિક્કા થઇ જાય તો 19 દેશો વચ્ચે કોઇપણ પ્રકારની વ્યાપારીક સીમાઓ નહીં રહે. ગમે તે દેશ ગમે તે દેશમાં ગમે તેટલો માલ સપ્લાય કરી શકે, વ્યાપાર કરી શકે અને એ બિલકુલ ટેક્સ ફ્રી. Regional Comprehensive Economic Partnership અન્વયે કોઇપણ પ્રકારનો ટેક્સ કોઇપણ દેશ લાદી શકશે નહીં કે વસૂલ કરી શકે નહીં તેવી જોગવાઇ Regional Comprehensive Economic Partnership માં કરવામાં આવી છે.
RCEP માં કયા કયા દેશો જોડાઇ રહ્યા છે
RCEP માં દક્ષિણ પૂર્વી એશિયાને દેશો જેવા કે બ્રુનેઇ, કમ્બોડિયા, ઇન્ડોનેશીયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ અને વિએટનામ ઉપરાંત ચીન, જાપાન, ભારત, સાઉથ કોરીયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે. આ દેશો વચ્ચે સંભવત આગામી નવેમ્બર 2019માં સહીસિક્કા થાય તેવી સંભાવનાઓ જોતા ભારતમાં RCEP સામે મોટી જંગ છેડાઇ ચૂકી છે અને એ ત્યાં સુધી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ RCEP નો આખો મુદ્દો હાથ પર લેવો પડ્યો છે. ઉપરોક્ત દેશો વચ્ચે RCEP કરાર થઇ જાય તો ભારતના ઉત્પાદકો અને વ્યાપારીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે એમ છે કેમકે ભારતમાં ઉત્પાદિત ચીજવસ્તુઓની ગુણવત્તા, કિંમત, પડતર વગેરે બીજા દેશોને ટક્કર આપી શકે તેમ નથી. આમ, RCEP ભારતના સમગ્ર માર્કેટને ગળી જાય એવી દહેશત સેવાય રહી છે.
સૌથી મોટી દહેશત ભારતના બજારોમાં ચાઇનીઝ માલના ગંજ ખડકાય જશે
RCEP એગ્રીમેન્ટ થાય તો સૌથી મોટી દહેશત એ છે કે હાલમાં ચીનથી ઇમ્પોર્ટ થતાં માલસામાન પર થોડા ગણા નિયંત્રણો લદાયેલા છે પણ જો RCEP લાગૂ થાય તો પછી ચીનનો માલ ભારતમાં આવતા કોઇ રોકી શકશે નહીં કે તેના પર કોઇ ટેક્સ લાગૂ થશે નહીં. સૌથી મોટી અસર ટેક્સટાઇલ અને ડેરી ઉદ્યોગ પર પડે તેવી શક્યતા છે.
RCEPની વ્યાપક અસર સૂરત પર વર્તાશે
જાણકારો કહે છે કે RCEPની સૌથી મોટી અસર સૂરતના અર્થતંત્ર પર વર્તાવાની શક્યતા છે. હાલમાં આમેય ચાઇનીઝ બનાવટના કાપડ વાયા બાંગ્લાદેશ, શ્રીલંકા થઇને ઇન્ડિયામાં ડમ્પ થઇ રહ્યા છે પણ RCEPના આવ્યા બાદ તો ચાઇનાનો માલ ખુલ્લે આમ ભારતમાં ખડકાશે અને સૂરતમાં ઉત્પાદિત કાપડના વેચાણ સામે મોટું જોખમ ઉભું થાય તેમ છે. એવી જ રીતે ગુજરાતના મોટામાં મોટા ડેરી ઉદ્યોગમાં ગણના પામતી સૂરતની સુમુલ ડેરી પર પણ RCEP ના આગમન બાદ મોટી અસર થવાની શક્યતા છે. RCEPના પાર્ટનર કન્ટ્રીમાં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે આ બન્ને દેશો દૂધ અને દૂધની બનાવટો ભારતના બજારોમાં બેરોકટોક મોકલશે. સ્વાભાવિક છે કે ભારતની પ્રોડક્ટસ સામે ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયાની પ્રોડેક્ટસની ગુણવત્તા, કોસ્ટ બધી રીતે સારી હોઇ, સ્થાનિક ઉત્પાદકોને મોટી અસર પહોંચે તેવી શક્યતા છે.
ડેરી ઉદ્યોગ પર RCEPની મોટી અસર થશે એ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ પણ સારી રીતે જાણે છે અને છેલ્લા એક વર્ષથી એન.ડી.ડી.બી. RCEP સામે ઝુંબેશ ચલાવી રહી છે.
નવેમ્બર 2019માં RCEP એગ્રીમેન્ટ પર સહીસિક્કા કરવાની મુદત
આગામી નવેમ્બર 2019માં કહેવાય છે કે ભારતે RCEPમાં જોડાવું છે કે નહીં એ નક્કી કરી દેવું પડશે. RCEP 2012માં આકાર પામ્યો હતો એ પછી અનેક વાંધા, સૂચનો વગેરે વચ્ચે ભારત અત્યાર સુધી RCEPથી દૂર રહ્યું છે પરંતુ, હવે RCEP સાથે જોડાયેલા બાકી દેશો ભારત પર આ કરાર અંગે નિર્ણય લેવાનું દબાણ બનાવી રહ્યા છે. પરીણામ ભારતના વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદીએ RCEP સંબધિત તમામ મુદ્દાઓ હાથ પર લીધા છે.
ઇકોનોમિક ટાઇમ્સનો રિપોર્ટ, લિંક ક્લીક કરીને વાંચો મોદીએ કેમ હાથ પર લેવા પડ્યા આરસેપના મુદ્દાઓ
સૂરતમાં ચેમ્બર ઓફ કોમર્સે 16મી ઓક્ટોબર 2019ના રોજ મહત્વની મિટીંગ યોજી
સૂરતમાં RCEP અંગે ભવિષ્યની રણનીતિ શું, સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનું સ્ટેન્ડ કેવું રહેશે, કેવી રીતે સરકાર અને કેન્દ્રને સૂરતના ઉદ્યોગોને પડનારી RCEP ની અસરોથી માહિતગાર કરવામાં આવશે એ અંગે હાલમાં શહેરના જાણીતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ શ્રી મિતિશભાઇ મોદી RCEP ના તમામ પાસાઓની ચકાસણી કરી રહ્યા છે. આ અંગે એક અગત્યની બેઠક તા.16મી ઓક્ટોબર 2019ના રોજ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજવામાં આવી છે.
RCEP in Brief
The Regional Comprehensive Economic Partnership (RCEP) is a
proposed free trade agreement (FTA) between the ten member states of the
Association of Southeast Asian Nations (ASEAN) (Brunei, Cambodia, Indonesia,
Laos, Malaysia, Myanmar, the Philippines, Singapore, Thailand, Vietnam) and its
six FTA partners (China, Japan, India, South Korea, Australia and New Zealand).
RCEP negotiations were formally launched in November 2012 at the
ASEAN Summit in Cambodia
the proposed RCEP would cover almost every
aspect of economy such as goods, services, investment, economic and technical
cooperation, intellectual property rights (IPR), rules of origin, competition
and dispute settlement.
ટ્રેનના પ્રવાસીઓ માટે બાંદરા ટર્મિનસથી પાલીતાણા વચ્ચે ૧૬ ઑક્ટોબર, ૨૦૧૯થી જાન્યુઆરી ૨૦૨૦ સુધી સુપરફાસ્ટ વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય પશ્ચિમ રેલવેએ કર્યો છે. આ નિર્ણયના પગલે દિવાળીના સમય દરમ્યાન ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસીઓની સુવિધામાં વધારો થશે.
ટ્રેન-નં. ૦૯૦૨૭ બાંદરા ટર્મિનસ-પાલિતાણા સુપરફાસ્ટ ટ્રેન બાંદરા ટર્મિનસથી ૧૬ ઑક્ટોબરને બુધવારે ૧૫.૨૫ વાગ્યે ઊપડીને આગલા દિવસે ૫.૩૦ વાગ્યે પાલિતાણા પહોંચશે. આ ટ્રેન ૧૬ ઑક્ટોબર, ૨૦૧૯થી ૧ જાન્યુઆરી, ૨૦૨૦ સુધી ચાલશે.
ટ્રેન-નંબર ૦૯૦૨૮ પાલિતાણા-બાંદરા ટર્મિનસ સુપરફાસ્ટ વિશેષ ટ્રેન ૧૭ ઑક્ટોબરને ગુરુવારે પાલિતાણાથી સવારે ૭.૩૫ વાગ્યે ઊપડીને એ જ દિવસે ૨૧.૫૦ વાગ્યે બાંદરા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન ૧૭ ઑક્ટોબર, ૨૦૧૯થી બીજી જાન્યુઆરી, ૨૦૨૦ સુધી ચાલશે.
આ ટ્રેનમાં એસી ટૂ ટિયર, એસી થ્રી ટિયર, સ્લીપર તથા સેકન્ડ કલાસ, જનરલ કોચ રહેશે. આ ટ્રેન શિહોર, સોનગઢ, ધોળા જંક્શન, બોટાદ, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી તથા બોરીવલી સ્ટેશનો પર રોકાશે.
રિતિક રોશન અને ટાઇગર શ્રોફ અભિનિત ફિલ્મ વોર બોક્સ ઓફિસ પર નવા નવા રેકોર્ડ સર્જી રહી છે. ફિલ્મે દશેરાના દિવસે સફળતાના નવા રેકોર્ડ સર્જી દીધા હતા. આ ફિલ્મે દશેરાના દિવસે 27 કરોડની કમાણી કરી લીધી હતી. જો કે મંગળવારના દિવસે આટલી જંગી કમાણીનો આ એક રેકોર્ડ છે. દરેક દિવસની કમાણીના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો ફિલ્મે હજુ સુધી 20 કરોડની કમાણી કરી દીધી છે. જે પહેલા સોમવારના દિવસે પણ રહી હતી.
બોક્સ ઓફિસ પર રીપોર્ટની વાત કરવામાં આવે તો ફિલ્મે પ્રથમ મંગળવારના દિવસે આશરે 27 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે આ ફિલ્મની કમાણી 200 કરોડથી ઉપર પહોંચી ચૂકી છે. આવી રીતે ફિલ્મે પ્રથમ સપ્તાહમાં જ 206 કરોડ રૂપિયાની જંગી કમાણી કરી લીધી છે. આ રીતે પ્રથમ સપ્તાહમાં 200 કરોડથી વધુની કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં તે સૌથી ઉપર રહી છે. તે પહેલા બાહુબલી, સુલ્તાન ફિલ્મે 200 કરોડની કમાણી કરી હતી. એક સપ્તાહમાં 200 કરોડની કમાણી રણબીર કપૂરની સંજુ પણ કરી ગઈ હતી.
વર્ષ 2019માં સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મોની વાત કરવામાં આવે તો આ ફિલ્મ સૌથી વધારે કમાણી કરી ગઈ છે. વર્ષ 2019માં કબીર સિંહ અને ઉરી સૌથી મોટી હિટ ફિલ્મ તરીકે રહી છે. એવી આશા છે કે બાકીની ફિલ્મોના આંકડાને આ ફિલ્મ પાર કરીને તમામ રેકોર્ડ તોડી નાંખશે.
એક્શનથી ભરપૂર ફિલ્મની વાત કરવામાં આવે તો આ ફિલ્મ 200 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. ફિલ્મમાં રિતિક રોશન અને ટાઇગરે હજુ સુધીનો સૌથી જોરદાર દેખાવ એક્શનના મામલે કર્યો છે. વાર્તા એક સિક્રેટ સોલ્જરની છે. જે રિતિક રોશન છે. જે દેશભક્તિના માર્ગે ટાઇગર શ્રોફની મદદ કરે છે. એક્શન ફિલ્મોના રસિયા લોકો માટે આ એક ધમાકેદાર ફિલ્મ છે. ફિલ્મમાં વાણી કપૂર પણ કામ કરી રહી છે. ફિલ્મ રજૂ કરવામાં આવી ત્યારથી લઇને હજુ સુધી આ ફિલ્મને લઇને ભારે ચર્ચા છે, કારણ કે ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સર્જી નાંખશે તેમ તો પહેલાથી જ માનવામાં આવી રહ્યું હતું.
હજુ ફિલ્મની કમાણી 300 કરોડના આંકડાને પાર કરી શકે છે. રિતિક રોશનની હાલમાં એક પછી એક ફિલ્મ સફળતા હાંસલ કરી રહી છે. તે પહેલા તેની સુપર 30 પણ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઈ હતી. હવે વોર ફિલ્મ રેકોર્ડ સફળતા હાંસલ કરી રહી છે. રિતિક ફરી એકવાર એક્શન ફિલ્મના મામલે તમામને ચોંકાવે તેવી સ્થિતિમાં આવી ગયો છે. વિતેલાં વર્ષોમાં પણ તે સુપરહિટ’ ફિલ્મો આપતો રહ્યો છે. વોર ફિલ્મમાં ગ્લેમર સ્ટાર તરીકે વાણી કપૂરને લેવામાં આવી છે. તેમની કેમિસ્ટ્રી જોરદાર રીતે જોવા મળી રહી છે. રિતિક રોશન સુપરસ્ટાર પૈકી એક તરીકે છે. હાલમાં અક્ષય કુમાર અને અજય દેવગનને પણ મોટા સ્ટાર તરીકે એક્શનમાં ગણવામાં આવે છે.’
ભારતના વિશ્વ પ્રસિદ્ધ કોકિલકંઠી ગાયક ગણાતા લતા મંગેશકર સોશ્યલ મિડીયા પર છાશવારે ધૂમ મચાવે છે.
ટ્વીટર ઉપર લતા મંગેશકરના ટ્વીટ ગણતરીના સમયમાં લોકો માટે ચર્ચાનો વિષય બને છે. હવે લતા મંગેશકરે 90 વર્ષની ઉંમરે સોશ્યલ મિડીયામાં એક મહત્વના માધ્યમ ગણાતા ઈન્સ્ટાગ્રામ પર આગમન ( ડેબ્યૂ ) કર્યું છે.
લતા મંગેશકરે 28મી સપ્ટેમ્બરે 90મો જન્મદિવસ મનાવ્યો હતો. જન્મદિનના બે દિવસ બાદ હવે લતા મંગેશકર’ ઈન્સ્ટાગ્રામ ઉપર આવ્યા છે. આ સાથે ઈન્સ્ટાગ્રામ ઉપર લતા મંગેશકરે તસવીરો પણ પોસ્ટ કરી હતી.
તસવીરના કેપ્શનમાં લતા મંગેશકરે લખ્યું હતું કે નમસ્કાર, આજે પહેલી વખત લોકો સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે જોડાઈ છું. ઈન્સ્ટાગ્રામમાં લતા મંગેશકર જોડાયાના બે કલાકની અંદર 48 હજાર ચાહકો ફોલો કરી ચૂક્યા હતા. સોશિયલ મીડિયા ઉપર લતા મંગેશકરનું લોકોએ જોરદાર સ્વાગત કર્યું હતું અને શુભકામનાઓ પણ આપી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.