સુરતીઓની દુનિયા Archives - Page 9 of 73 - CIA Live

August 24, 2023
dc-patel.png
1min531

ન્યુ સિટીલાઇટ ભરથાણાના કોલેજ સંકુલની 5 કોલેજોની કુલ 172 ટીમો જેમાં 40 ટીમો યુવતિઓની પણ છે, આટલી મોટી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 5 દિવસમાં પૂર્ણ કરાશે

સુરત: સી.બી. પટેલ ક્રિકેટ અને ફૂટબોલ એકેડેમી દ્વારા 22 ઓગષ્ટથી ડીસી પટેલ એજ્યુકેશનલ કેમ્પસની જુદી જુદી પાંચ કોલેજોના વિદ્યાર્થીઓ માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પાંચ દિવસ સુધી ચાલનાર આ ટુર્નામેન્ટમાં રેકોર્ડ 172 ટીમો ભાગ લઈ રહી છે. સાથે ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે ખાસ મહેમાન તરીકે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ અને જતીન પરાંજપે ઉપસ્થિત રહેનાર છે.

ટુર્નામેન્ટ અંગે માહિતી આપતા સી.બી. પટેલ ક્રિકેટ અને ફૂટબોલ એકેડેમી ના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે બોક્સ ક્રિકેટ ઇન્ડોર ગેમ છે એટલે ચોમાસાની ઋતુમાં પણ રમી શકાય છે અને વિદ્યાર્થીઓમાં ખેલદિલી હંમેશા જાગૃત રહે તે બાબતને કેન્દ્રમાં રાખી સી.બી. પટેલ ક્રિકેટ અને ફૂટબોલ એકેડેમી દ્વારા ડી. સી. પટેલ એજ્યુકેશનલ કેમ્પસના સહયોગથી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

કાંઠા વિભાગ નવનિર્માણ મંડળના પ્રમુખ પંકજ પટેલના હસ્તે ટુર્નામેન્ટનો આરંભ

ટુર્નામેન્ટમાં ડી.સી. પટેલ એજયુકેશનલ કેમ્પસમાં આવેલી પાંચ કોલેજની 172 ટીમો ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન 22મી ઓગષ્ટના રોજ સવારે 9 કલાકે કાંઠા વિભાગ નવનિર્માણ મંડળ ના પ્રમુખ શ્રી પંકજભાઈ ગીજુભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડી. સી.પટેલ એજયુકેશનલ કેમ્પસના પ્રમુખ પંકજભાઈ ગીજુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તથા અન્ય સભ્યો એ પણ હાજરી આપી હતી. ટુર્નામેન્ટમાં વિશેષ અતિથિ તરીકે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ અને ઇન્ડિયન સિલેકશન પેનલ ના સભ્ય તેમજ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર જતીન પરાંજપે ઉપસ્થિત રહેશે. પાંચ દિવસ ચાલતી આ ટુર્નામેન્ટ માં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર શ્રી કિશોરસિંહ ચાવડા પણ ઉપસ્થિત રહેશે .

August 22, 2023
sgcci-sparkle-1280x419.png
1min313

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. રપ, ર૬ અને ર૭ ઓગષ્ટ, ર૦ર૩ શહેરના અઠવાલાઇન્સ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩નું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી સ્પાર્કલ એક્ષ્પો ડિસેમ્બર માસમાં યોજાતો હોય છે પરંતુ, આ વર્ષથી પરંપરા એટલા માટે બદલવામાં આવી છે કે દિવાળી પછી લગ્નસરાની સિઝન માટે ઝવેરાતની ખરીદી થઇ શકે અને તેને લઇને સમગ્ર ઇન્ડસ્ટ્રીઝને વેપાર મળશે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. રપ, ર૬ અને ર૭ ઓગષ્ટ, ર૦ર૩ દરમ્યાન સવારે ૧૧:૦૦ થી રાત્રે ૮:૦૦ કલાક સુધી પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’નું આયોજન

સ્પાર્કલ અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયા, વીપી વિજય મેવાવાલા, નિખિલ મદ્રાસી, હિમાંશુ બોડાવાલા, બિજલ જરીવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ બીટુસી ધોરણે સ્પાર્કલ એકઝીબીશન યોજાશે. જેમાં સુરત ઉપરાંત અમદાવાદ, મુંબઇ, જયપુર અને બિકાનેરના રપ જેટલા જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવતી અવનવી અલંકારિક ડિઝાઇનર જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવશે. સુરતની જ્વેલરીમાં શું વિશેષતા છે તેનો ખ્યાલ સ્પાર્કલના આયોજનથી આખી દુનિયાને આવશે.

વિશ્વમાં આગળ વધવા માટે આ સમય સારો છે. હવે સુરત ડાયમંડ બુર્સ બની ગયું છે, આથી આખા વિશ્વના ડાયમંડ સુરતથી હેન્ડલ થાય એવો સમય આવી ગયો છે.મહિલાઓ માટે વેડિંગમાં જ્વેલરી લુક સૌથી મહત્વનો ભાગ ભજવે છે. વેડિંગમાં આઉટફિટ સાથે જ્વેલરી સિલેકશન માટે મહિલાઓ ઘણું રિસર્ચ કરે છે, આથી મહિલાઓનું આ રિસર્ચ સ્પાર્કલ પ્રદર્શનમાં એક જ સ્થળે પૂરું થઇ જશે. કારણ કે, જ્વેલર્સ દ્વારા બ્રાન્ડેડ બ્રાઇડલ વેડિંગ કલેકશનનું અહીં પ્રદર્શન કરાશે.

સ્પાર્કલ એકઝીબીશનના ચેરમેન તુષાર ચોકસીએ જણાવ્યું હતું કે, ઓગષ્ટ મહિના પછી લગ્નસરા શરૂ થશે. લગ્ન પ્રસંગ હોવાથી લોકો તથા બિન નિવાસી ગુજરાતીઓ તેમજ બિન નિવાસી ભારતીયો એકજ સ્થળેથી જ્વેલરીની ખરીદી કરી શકે તે માટે ચેમ્બર દ્વારા જ્વેલર્સને આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત જેમના ત્યાં લગ્ન પ્રસંગ હોય તેઓ જ્વેલરી કયાંથી ખરીદવી તે બાબતે દુવિધામાં હોય છે. તદુપરાંત જ્વેલરીમાં કયો ટ્રેન્ડ ચાલી રહયો છે? તેનાથી પણ તેઓ વાકેફ હોતા નથી, આથી સ્પાર્કલ પ્રદર્શનમાં સમગ્ર દેશભરની જુદી–જુદી ડિઝાઇનની જ્વેલરીનું પ્રદર્શન થાય છે. જેથી કરીને લોકો એકજ સ્થળેથી દરેક પ્રકારની જ્વેલરી પસંદ કરી તેની ખરીદી કરી શકે છે.

સ્પાર્કલ એકઝીબીશનના કો–ચેરમેનો નિખિલ દેસાઇ, પ્રતાપ જીરાવાલા અને સલિમ દાગીનાવાલાએ આ પ્રદર્શનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી છે. તેઓએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં લગ્નસરાને ધ્યાનમાં લઇ સુરતના જ્વેલર્સ દ્વારા નેકલેસિસ ડેવલપ કરવામાં આવ્યા છે. જેમાં ટેકિનકલ વેરીયસ સાથે જુદા–જુદા ડિઝાઇન કોન્સેપ્ટ ડેવલપ કરાયા છે. વેડિંગ માટે ખાસ નવી રેન્જ ડેવલપ કરવામાં આવી છે અને એમાં કલાસિક લુકની સાથે સાથે ફયુજન લુક પણ જોવા મળશે. લગ્નસરામાં લોકોની ડિમાન્ડ મુજબ ડેવલપ કરાયેલા નેકલેસિસ પ્રદર્શનમાં જોવા મળશે.આ ઉપરાંત ગોલ્ડમાં પોલ્કી–હેરિટેજ જ્વેલરી અને ડાયમંડમાં એમ્રાલ્ડ–પર્લનું ફયુઝન બ્રાઇડલ જ્વેલરીને વધારે પસંદ કરવામાં આવે છે. આ બધી જ જ્વેલરીનું પ્રદર્શન સ્પાર્કલ એકઝીબીશનમાં કરવામાં આવશે. પોલ્કી–હેરિટેજ જ્વેલરી લોન્ગ લાસ્ટીંગ હોવાથી મહિલાઓ તેની ખરીદી વધારે કરે છે. આ પ્રદર્શનમાં ગ્રાહકોને વિશિષ્ટ શ્રેણીઓની જુદી–જુદી જ્વેલરી જોવા મળશે.

ચાંદીમાં રામમંદિરની થીમની કૃતિ આકર્ષણ જમાવશે

સ્પાર્કલમાં જ્વેલર્સ દ્વારા ચાંદીનું અદ્‌ભુત કલેકશન પ્રદર્શિત કરવામાં આવશે. જેમાં ભગવાન શ્રીરામ, સીતા માતા અને લક્ષ્મણજી અને હનુમાનજીની પ્રતિમા સાથેનું રામ દરબાર આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ ઉપરાંત ૪ ફૂટના શ્રીનાથજીની પ્રતિમા, શ્રીજીની પ્રતિમા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા પણ આકર્ષણ ઉભું કરશે. ચાંદીની પ્રતિમા ઉપરાંત આધુનિક ફર્નિચર, હોમ ડેકોરેશન અને ચાંદીની ગીફટીંગ પણ પ્રદર્શિત કરવામાં આવશે.

આગામી છ-આઠ માસમાં જેમના લગ્ન થવાના છે તેમને ખાસ આમંત્રણ અપાયા

ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, સુરત શહેરના ૬૦૦થી વધુ યુગલો તથા તેમના પરિવારજનોને સ્પાર્કલની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ યુગલો એવા છે કે જેઓના થોડા મહિના બાદ લગ્ન થવાના છે, જેથી તેઓને એકજ સ્થળેથી દરેક પ્રકારની જ્વેલરીનું કલેકશન મળી રહેશે. આ પ્રદર્શનમાં બિન નિવાસી ભારતીયો માટે લગ્નસરા તથા રક્ષાબંધન અને દિવાળી જેવા તહેવારો માટે ખાસ કલેકશન જોવા મળશે.

August 21, 2023
WhatsApp-Image-2023-08-20-at-20.30.50.jpeg
4min389

“વર્લ્ડ સીનીયર સીટીઝન ડે” ની પૂર્વ સંધ્યાએ કિરણ હોસ્પિટલ દ્વારા ભારત વડીલ વંદના કાર્યક્રમ

“કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન કેલ્થ કેર” યોજનામાં સુરતમાં રહેતા ૨૬ રાજયના ૧૫ હજાર થી વધારે સીનીયર સીટીઝનો મેમ્બર બન્યા

કિરણ હોસ્પિટલ દ્વારા “સીનીયર સીટીઝનો” માટે એક અનોખી યોજના બનાવવામાં આવી છે તે યોજના થકી સીનીયર સીટીઝનો ને હોસ્પિટલમાં તેમજ ઘર બેઠા આરોગ્ય સારવાર આપવા માટેની અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ યોજનાનો પ્રારંભ માનનીય આરોગ્યમંત્રીશ્રી રૂષિકેશભાઇ પટેલના વરદ હસ્તે રવિવાર તા.20મી ઓગસ્ટે સુરતના સરસાણા સ્થિત ઇન્ટરનેશનલ કન્વેન્સન સેન્ટર ખાતે ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજીને કરવામાં આવ્યો હતો.

“કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન કેલ્થ કેર” યોજનામાં સુરતમાં રહેતા ૨૬ રાજયના ૧૫ હજાર થી વધારે સીનીયર સીટીઝનો મેમ્બર બન્યા છે.

આરોગ્યમંત્રી રૂષિકેશભાઇ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો.

સુરતમાં રહેતા ૨૬ રાજયના સીનીયર સીટીઝન આ યોજનામાં જોડાયેલા હોવાથી આ કાર્યક્રમનું નામ “ભારત વડીલ વંદના” રાખવામાં હતુ. “વર્લ્ડ સીનીયર સીટીઝન ” ની સમગ્ર દુનિયામાં ઉજવણી થાય છે ત્યારે કિરણ હોસ્પિટલ દ્વારા ૨૦ ઓગષ્ટ ને રવિવાર ના રોજ સુરત ખાતે કંઇક અલગ પ્રકારે સીનીયર સીટીઝનોને મદદરૂપ થવાય તેવા ઉદેશ થી “કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થ કેર યોજના” લોન્ચ કરીને “વર્લ્ડ સીનીયર સીટીઝન ડે” ની ઉજવણી કરવામાં આવી.

આજના કાર્યક્રમના અધ્યક્ષ તરીકે માનનીય આરોગ્ય મંત્રીશ્રી રૂષિકેશભાઇ પટેલ, તેમજ મહેમાન તરીકે પદ્મશ્રી પઝદીભાઈ કરજીયા, સદભાવના ટ્રસ્ટના વિજયભાઇ ડોબરીયા, ઉપરાંત કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઇ સવાણી, શ્રી ગોવિંદભાઇ ધોળકિયા, શ્રી લાલજીભાઈ પટેલ, શ્રી રવજીભાઈ મોણપરા, શ્રી મનભાઇ લખાણી તેમજ કિરણ હોસ્પિટલના ટ્રસ્ટીદાતાશ્રીઓ, શહેરના મહાજનો અને યોજનામાં જોડાયેલા ૧૪ હજાર થી વધારે સીનીયર સીટીઝનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

આજના કાર્યક્રમમાં કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઇ સાવણી દ્વારા આ યોજનાની ઉડાણ પૂર્વક માહિતી આપી અને યોજનામાં સીનીયર સીટીઝનોને કેવી રીતે લાભ મળશે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અધ્યક્ષ માનનીય આરોગ્ય મંત્રીશ્રી રૂષિકેશભાઇ પટેલે કિરણ હોસ્પિટલ દ્વારા સીનીયર સીટીઝનો માટે આવી યોજના બનાવવા બદલ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઇ સવાણી તેમજ સૌ ટ્રસ્ટીદાતાશ્રીઓને આવા ઉમદા કાર્ય બદલ બિરદાવ્યા હતા.

કિરણ હોસ્પીટલ દ્વારા લાખો લોકોને ક્વોલીટી સેવા પૂરી પાડવામાં આવી છે, આપણે સૌ જાણીએ છીએ કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે આપણે દેશના મોટા મેટ્રો સીટીની હોસ્પિટલોમાં જવું પડતું હતું. તે બધાજ ટ્રાન્સપ્લાન્ટ ઘર બેઠા કિરણ હોસ્પિટલે સુરતમાં શરુ કર્યા અને બહુ મોટી સંખ્યામાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સર્જરીઓ પણ કરવામા આવી.

કિરણ હોસ્પિટલની વિવિધ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ડોક્ટર ટીમનું આરોગ્યમંત્રીશ્રી ના વરદ હસ્તે આપણે સન્માન કરવામાં આવ્યું હતું જેમ કે

૧- કિરણ હોસ્પીટલમાં ૩૩ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડોક્ટર ટીમ-  ડો. રવિ મોહ્ન્કા (લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન), ડો. ગૌરવ ચોબાલ (લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન), ડો. ધર્મેશ ધાનાણી (લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન), ડો. જયારામ કે (લીવર ટ્રાન્સપ્લાન્ટ તબીબ), ડો. સ્મિત વઘાસિયા (લીવર ટ્રાન્સપ્લાન્ટ તબીબ), ડો. ભાવિન લશ્કરી (ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટીસ્ટ),  ડો. આનંદ પ્રસ્તાગીયા (ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટીસ્ટ) અને ડો. દર્શન ત્રિવેદી (ટ્રાન્સપ્લાન્ટ ઇન્ટેનસીવીસ્ટ)

૨- કિરણ હોસ્પીટલમાં ૧૧૨ કીડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડોક્ટર ટીમ-  ડો. કલ્પેશ ગોહેલ (કીડની ટ્રાન્સપ્લાન્ટ તબીબ), ડો. પ્રમોદ પટેલ (કીડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન), ડો. મુકેશ આહીર (કીડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન), ડો. વિમલ કરગથરા (ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટીસ્ટ), ડો. કૃતિ પટેલ (ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટીસ્ટ), ડો. અપેક્ષા પારેખ (ટ્રાન્સપ્લાન્ટ ઇન્ટેનસીવીસ્ટ)

૩- કિરણ હોસ્પીટલમાં ૧૨૦ બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડોક્ટર ટીમ-  ડો. હસમુખ બલર  (બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટ તબીબ), ડો. ધર્મેશ વઘાસીયા (બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટ તબીબ), ડો. કપિલ દીવેકર (ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટીસ્ટ ), ડો. હિતેશ નાથાણી (ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટીસ્ટ ) અને ડો. રાહુલ સાવલિયા (પીડીયાટીક  ટ્રાન્સપ્લાન્ટ ઇન્ટેનસીવીસ્ટ)

૪-કિરણ હોસ્પીટલમાં ૩૫૦ કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરનાર  ડોક્ટર ટીમ-  ડો. સંકીત શાહ (કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ સર્જન), ડો. હર્ષ જોષી (ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટીસ્ટ) અને ડો. પરેશ પટેલ (ટ્રાન્સપ્લાન્ટ ઇન્ટેનસીવીસ્ટ)

૫- કિરણ હોસ્પીટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડોક્ટર ટીમ-  ડો. આલોક રંજન  (કાર્ડિયાક ટ્રાન્સપ્લાન્ટ તબીબ), ડો. વિશાલ વાનાણી (કાર્ડિયાક ટ્રાન્સપ્લાન્ટ તબીબ), ડો. નિકિતા ચતુર્વેદી (કાર્ડિયાક ટ્રાન્સપ્લાન્ટ તબીબ), ડો. માલ્કેશ તરસરિયા (કાર્ડિયાક ટ્રાન્સપ્લાન્ટ સર્જન) અને ડો. વિકેશ રેવડીવાલા (ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટીસ્ટ)

૬-કિરણ હોસ્પિટલમાં  હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડોક્ટર ટીમ-  ડો. અરવિંદ પટેલ (હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ સર્જન), ડો. આશુતોષ શાહ (હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ સર્જન), ડો. આશિષ ચૌધરી (હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ સર્જન) અને ડો. અંકિત વર્મા (હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ સર્જન)

૭-કિરણ હોસ્પીટલમાં  ઓર્ગન ડોનેશન અવેરનેશ કરનાર ડોક્ટર ટીમ-   ડો. ભૌમિક ઠાકોર (ન્યુરો સર્જન), ડો. હીના ફળદુ (ન્યુરો ફીઝીશ્યન) અને ડો. અલ્પા પટેલ ( ટ્રાન્સપ્લાન્ટ કો ઓર્ડીનેટર)

સદભાવના વૃધાશ્રમમાં ૬૦૦ થી વધારે સીનીયર સીટીઝનોની સેવા કરનાર એવાશ્રી વિજયભાઈ ડોબરીયા જેઓએ ૨૦ લાખથી વધારે વૃક્ષો ઉછેર્યા છે. સુરતના અનેક રસ્તો ઉપર સદભાવના ટ્રસ્ટ દ્વારા ૫૦ હજાર થી વધારે વૃક્ષો રોપી અને તેને ઉછેરવાનું કામ ચાલુ છે. નવા ૧૫ કરોડ વૃક્ષો ઉછેરવાના લક્ષ્ય સાથે કામ કરી રહ્યા છે, રાજકોટમાં ૩૦ એકરમાં ૨ હજાર નિરાધાર વડીલોને માન સન્માન સાથે રાખી શકાય તેવા કેમ્પસનું નિર્માણ કાર્ય ચાલુ છે. આવી અનોખી સેવા કરનાર એવા શ્રી વિજયભાઈ ડોબરીયા નું માનનીય આરોગ્યમંત્રી શ્રી  અને કિરણ હોસ્પિટલ દ્વારા  સન્માન કરવામાં આવ્યું હતું

August 10, 2023
spb-sahkar-panel.jpeg
4min311

અમિત ગજ્જરની આગેવાની હેઠળની સહકાર પેનલે કર્યો ઋણ સ્વીકાર

રિપોર્ટેડ ઓન 7 ઓગસ્ટ 2023

પીપલ્સ બેંકની ચૂંટણીમાં મુકેશ દલાલની વિકાસ પેનલનો સફાયો, સહકાર પેનલના દરેક ઉમેદવારો મોટા માર્જિનથી જીત્યા

રિપોર્ટેડ ઓન 7 ઓગસ્ટ 2023

11 હજાર કરોડનો વહીવટ ધરાવતી 102 વર્ષ જૂની સુરત પીપલ્સ મલ્ટીસ્ટેટ કો ઓપરેટીવ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે ગતરોજ રવિવારે યોજાયેલા મતદાન બાદ આજે સોમવારે યોજાયેલી મતગણતરીની પ્રક્રિયાને અંતે સત્તાધારી વિકાસ પેનલ કે જેમાં સુરત શહેર ભાજપાના મહામંત્રી મુકેશ દલાલની આગેવાની હેઠળ અનેક ભાજપી નેતાઓ ચૂંટણી લડી રહ્યા હતા, એ વિકાસ પેનલના દરેકે દરેક ઉમેદવારની કારમી હાર થઇ હતી. પીપલ્સ બેંકની ચૂંટણી લડી રહેલા સત્તાધારીઓની વિકાસ પેનલને ભાજપાએ સત્તાવાર રીતે કોઇ મેન્ડેટ આપ્યો ન હતો છતાં ભાજપાના નામે વિરોધી સહકારી પેનલનું કામ કરતા અનેક લોકોને દમ મારનાર સુરત શહેર ભાજપાના મહામંત્રી મુકેશ દલાલ, બે કોર્પોરેટરો ધર્મેશ વાણિયાવાલા, કેયુર ચપટવાલા, શહેર ભાજપાના ખજાનચી શૈલેષ જરીવાલા, શહેર ભાજપના પૂર્વ કોર્પોરેટર દિપક આફ્રિકાવાલા સહિત આખી પેનલની હાર એટલી ખરાબ રીતે થઇ હતી કે આ પેનલનો એકેય ઉમેદવાર પોતાની ડિપોઝીટ બચાવી શકે તેટલા મત પણ મેળવી શક્યા નથી.ગતરોજ રવિવારે યોજાયેલા મતદાનને અંતે કુલ 15180 સભાસદોએ મતદાન કર્યું હતું. આ મતોની ગણતરી આજે સવારે 10 કલાકે દયાળજી આશ્રમ, મજૂરાગેટ ખાતે શરૂ કરવામાં આવી હતી. પહેલા રાઉન્ડની પ્રક્રિયાથી જ સત્તાધારી વિકાસ પેનલના ઉમેદવારો પછડાય રહ્યા હતા. એક પછી એક પેનલ ટુ પેનલ બેલેટ નીકળી રહ્યા હતા અને પહેલા 5000 મતોની ગણતરીમાં જ 3500 જેટલા મતો પૂર્વ ડિરેક્ટરોની બનેલી સહકાર પેનલના ઉમેદવારોને મળ્યા હતા. જોતજોતામાં બીજા રાઉન્ડની ગણતરી પણ હાથ ધરાઇ હતી અને તેમાં સહકાર પેનલના ઉમેદવારોની લીડ એટલી મજબૂત બની ગઇ હતી કે સત્તાધારી વિકાસ પેનલના ઉમેદવારો હાર પામી ગયા હતા અને એક પછી એક મતગણતરીના સ્થળ છોડી ગયા હતા.

રિપોર્ટેડ ઓન 6 ઓગસ્ટ 2023

પીપલ્સ બેંકની ચૂંટણીમાં 17 ટકા મતદાન, સહકાર પેનલને જોરદાર રિસ્પોન્સ

પાવર પોલિટીક્સને કારણે અનેક વિવાદોને જન્મ આપનાર સુરતની સૌથી મોટી સહકારી બેંક, સુરત પીપલ્સ કો.ઓ. બેંકમાં આજે યોજાયેલી ચૂંટણીમાં ક્રોસ પેનલ વોટીંગની ભરમાર વચ્ચે ગઇ ચૂંટણી કરતા 5 ગણું મતદાન નોંધાયું છે. છેલ્લી ચૂંટણીમાં 80 હજાર શેરહોલ્ડર મતદારો પૈકી માંડ 3 હજારે મતદાન કર્યું હતું. જ્યારે આ વખતે 87237 રજિસ્ટર્ડ શેરહોલ્ડર મતદારો પૈકી 15500 શેરહોલ્ડર મતદારોએ આજે મતદાન કર્યું હતું. આવતીકાલે સવારે 10 કલાકથી મતગણતરીની પ્રક્રિયા દયાળજી આશ્રમ, મજૂરાગેટ ખાતે શરૂ થશે.

સહકાર પેનલને જોરદાર રિસ્પોન્સ મળ્યાના સંકેતો
સુરત પીપલ્સ કો.ઓ. બેંકની આજે યોજાયેલી ચૂંટણીમાં મતદાનની પેટર્ન તેમજ એક ચોક્કસ સમાજના મતદારોએ અપનાવેલા ક્રોસ પેનલ વોટીંગના રૂખને જોતા એવું જણાય આવે છે કે સહકાર પેનલ કે જે બેંકના પૂર્વ ડિરેક્ટરોએ બનાવેલી પેનલ છે તેના બહુમતિ સભ્યોની તરફેણમાં જબરદસ્ત વોટીંગ થયાનું જણાય રહ્યું છે. કુલ 13 ડિરેક્ટરોની બેઠક માટે યોજાઇ રહેલી ચૂંટણીમાં 10 સીટ સામાન્ય વર્ગના ઉમેદવારો, 2 મહિલા કેન્ડીડેટ અને 1 એસસીએસટી વર્ગ પૈકી 10 સામાન્ય વર્ગ માટેની બેઠક પર એક ચોક્કસ સમાજના મતદારોએ પોતાના સમાજના બન્ને પેનલના મતદારોને મત આપ્યો હોવાનું મતદાન કરીને બહાર આવેલા અનેક મતદારોએ એક્ઝિટ પોલમાં જણાવ્યું હતું. સહકાર પેનલને એટલે પણ સમર્થન મળી રહ્યું છે કેમકે વિકાસ પેનલના કેપ્ટન ખુદ મુકેશ દલાલ કે જેઓ બેંકના હાલના ચેરમેન પણ છે, તેમણે તેમની પેનલમાં કેટલાક રાજકારણીઓને સમાવતા બેંકમાં રાજકારણ નહીં ચલાવવા સંદર્ભે સહકાર પેનલે મતદારોમાં ભારે પ્રચાર પણ કર્યો હતો. આમ, આવતીકાલના પરીણામોમાં વિકાસ પેનલને એન્ટીઇન્કમબંસી ફેક્ટર અને રાજકારણમાં જોડાણ નડી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

આજે સવારે 9 કલાકથી શહેરના અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ સંકુલ ખાતે મતદાન શરૂ થયું હતું. પહેલા જ કલાકમાં 1500થી વધુ શેરહોલ્ડરો મતદાન માટે ઉમટી પડ્યા હતા. મતદાન મથકે મતદારોને રિઝવવા માટે ઉમેદવારોએ પોતાને જે ચૂંટણી ચિન્હો મળ્યા હતા એ પશુ પક્ષીઓના વસ્ત્ર પરિધાન કરેલા કેન્વાસરોને રોકીને છેલ્લી ઘડી સુધી મતદારો તેમનું નામ કે તેના ચિન્હને ન ભૂલે એ રીતે પ્રચાર કર્યો હતો.વનિતા વિશ્રામ સંકુલ ખાતે સવારે 9 કલાકથી શરૂ થયેલું મતદાન સાંજે 6 કલાકે પૂર્ણ થયું ત્યાં સુધી ઉમેદવારો અને તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી. મતદારોને તેમના ઘરેથી મતદાન મથક સુધી લાવવા તેમજ લઇ જવા માટે ટુ વ્હીલ, ફોરવ્હીલ, રીક્ષા સહિતના વાહનોની વ્યવસ્થા જે તે ઉમેદવારોએ સ્વખર્ચે કરી હતી અને એ મુજબ જ ઉમેદવારોના સમર્થકો શેરહોલ્ડરોને પોતાના ઘરેથી મતદાન મથક સુધી દોરી લાવતા જોવાયા હતા.આજે મતદાન દરમિયાન નોંધપાત્ર ઘટના એ પણ બની હતી કે ક્રોસ પેનલ વોટીંગ કરીને આવેલા મતદાર શેરહોલ્ડરોએ પોતાના માનિતા ઉમેદવારોને કોને મત આપ્યા તેના મોબાઇલ ફોન પર લીધેલા ફોટોગ્રાફ્સ પણ દેખાડતા નજરે પડ્યા હતા. મળતી માહિતી મુજબ ચોક્કસ સમાજના મતદારોએ બન્ને પેનલમાં રહેલા પોતાના સમાજના ઉમેદવારોને જ મત આપ્યા અને તે અંગેના ફોટોગ્રાફ પણ મોબાઇલમાં લીધા હતા એ સૂચવે છે કે પીપલ્સ કો.ઓ. બેંકની ચૂંટણીમાં ભારે ક્રોસ પેનલ વોટીંગ થયું હતું.સમગ્ર વોટીંગ સમયગાળા દરમિયાન વનિતા વિશ્રામ પર ઉમેદવારો અને તેમના ટેકેદારોની ભારે ભીડ જોવા મળી હતી. શહેરમાં આજે પીપલ્સ બેંકની ચૂંટણીને સમાંતર લિંબાયત વિધાનસભામાં આવતા વોર્ડ નં.21ની પેટા ચૂંટણી પણ યોજાઇ રહી હતી, એ ચૂંટણીમાં સાવ નિરસ માહોલ જોવા મળતો હતો જ્યારે વનિતા વિશ્રામ સંકુલમાં પીપલ્સ બેંકની ચૂંટણીને કારણે ભારે ભીડના દ્રશ્યો જોવા મળ્યા હતા.

જુદી જુદી સહકારી બેંકોએ સહકાર પેનલને સપોર્ટ જાહેર કર્યો

પીપલ્સ બેંકના શેરહોલ્ડરોને સહકાર પેનલની અપીલ

પીપલ્સ બેંકની ચૂંટણીમાં સહકાર પેનલ સામે વિકાસ પેનલનો સાવ ફિક્કો પ્રચાર

રિપોર્ટેડ ઓન 4 ઓગસ્ટ 2023

સુરત પીપલ્સ કો.ઓ. બેંકની આગામી તા.6 ઓગસ્ટે યોજાઇ રહેલી ચૂંટણીમાં સહકાર પેનલના જોરદાર પ્રચાર સામે ભાજપના મહામંત્રી મુકેશ દલાલની વિકાસ પેનલનો પ્રચાર સાવ ફિક્કો જણાય રહ્યો છે. મળતી માહિતી મુજબ શેરહોલ્ડરોનો રૂખ સહકાર પેનલ તરફ વોટિંગનો જણાય રહ્યો હોઇ, વિકાસ પેનલના ઉમેદવારો મોટા ભાગનો સમય પોતાના પ્રચાર કાર્યાલયમાં જ વિતાવી રહ્યા છે જ્યારે સહકાર પેનલનું કેમ્પેન દ્વીસ્તરીય રીતે ચાલી રહ્યું છે. સહકાર પેનલના ઉમેદવારો ડોર ટુ ડોર જઇને શેર હોલ્ડરોના ઘરે જઇને પોતાની આખી પેનલ માટે વોટ માગી રહ્યા છે જ્યારે બીજી તરફ બેક ઓફિસની ટીમ સોશ્યલ મિડીયા થકી અંદાજે 45 હજાર જેટલા મતદારો સુધી પહોંચી ચૂક્યા હોવાની માહિતી મળી છે.

ગુજરાત હાઇકોર્ટના રૂલિંગ પછી પીપલ્સ બેંકની ચૂંટણીમાં પેનલના સમીકરણો બદલાયા

ગુજરાત હાઇકોર્ટે સુરત જિલ્લા રજિસ્ટ્રાર અને સુરત પીપલ્સ કો.ઓ.બેંકના ચૂંટણી અધિકારી ધ્રુવિન પટેલની ઉમેદવારીપત્રો રદ કરવાની કાર્યવાહી સ્થગિત કરી દીધા પછી પીપલ્સ બેંકના પૂર્વ ડિરેક્ટરો ચૂંટણી લડી શકે તેમ હોઇ, હવે નીચે મુજબના ઉમેદવારો જુદી જુદી પેનલમાંથી ચૂંટણી લડશે.

  • અમિત ગજ્જર સહકાર પેનલ
  • મુકેશ દલાલ વિકાસ પેનલ

સુરત પીપલ્સ બેંકમાં રજિસ્ટ્રારે સત્તા બહાર ઉમેદવારીપત્રો રદ કર્યા

રિપોર્ટેડ ઓન 2 ઓગસ્ટ 2023 

સુરત પીપલ્સ બેંકની આગામી  રવિવારે યોજાનારી ચૂંટણીમાં આજે ગુજરાત હાઇકોર્ટની સૂચનાને પગલે જબરદસ્ત વળાંક આવ્યો છે. સુરત પીપલ્સ કો.ઓ. બેંકની ચૂંટણીના અધિકારી તરીકે સુરત જિલ્લા સહકારી રજિસ્ટ્રારે પોતાની સત્તા બહાર જઇને 5 સિનિયર ડિરેક્ટરોના ઉમેદવારીપત્રો રદ કર્યા હોવાનું નોંધીને ગુજરાત હાઇકોર્ટે પાંચેય ડિરેક્ટરોના ઉમેદવારીપત્રો ગ્રાહ્ય રાખીને તેમને ચૂંટણી લડતા રોકવા નહીં તેવી સ્પષ્ટ સૂચના વચગાળાના આદેશમાં આપી હોવાનું જાણવા મળ્યું છે.સુરત પીપલ્સ કો.ઓ. બેંકની ચૂંટણી કરાવવા માટે બેંક બોર્ડે સુરત જિલ્લા સહકારી રજિસ્ટ્રારની નિમણૂંક કરી હતી. હાલમાં સુરત જિલ્લા સહકારી રજિસ્ટ્રાર તરીકે ધ્રુવિન પટેલ નામના અધિકારી ફરજ બજાવી રહ્યા છે. પીપલ્સ બેંકની ચૂંટણીમાં ચેરમેન મુકેશ દલાલ, મુકેશ ગજ્જર, અમિત ગજ્જર, સંજીવ તમાકુવાલા અને સુનિલ મોદી એમ પાંચ ડિરેક્ટરોના ઉમેદવારીપત્રો ચૂંટણી અધિકારી ધ્રુવિન પટેલે રદ કર્યા હતા. ઉમેદવારી પત્રો રદ કરવા પાછળ એવું કારણ આપવામાં આવ્યું હતું કે રિઝર્વ બેંકના કાયદા અનુસાર કોઇપણ વ્યક્તિ બેંકના ડિરેક્ટર તરીકે 8 વર્ષથી વધુ સમય સુધી રહી શકે નહીં. ઉપરોક્ત પાંચેય સિનિયર ડિરેક્ટરો આઠથી વધુ વર્ષોથી ડિરેક્ટર પદે રહ્યા હોઇ, જિલ્લા રજિસ્ટ્રાર ધ્રુવિન પટેલે પાંચેયના ઉમેદવારીપત્રો રદ કરી દીધા હતા.આ મુદ્દાને બેંકના ડિરેક્ટરોએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેના અનુસંધાને આજે યોજાયેલા હિયરિંગ દરમિયાન ગુજરાત હાઇકોર્ટે એવી સ્પષ્ટ સૂચના આપી હતી કે જિલ્લા રજિસ્ટ્રારે પોતાની સત્તા બહાર જઇને આ ઉમેદવારીપત્રો રદ કર્યા છે. બેંકીંગ રેગ્યુલેશન્સમાં તેમણે ડખલગીરી કરવી જોઇએ નહીં એ સંદર્ભની ટીપ્પણી સાથે ગુજરાત હાઇકોર્ટે આ ડિરેક્ટરોના ઉમેદવારીપત્રો માન્ય રાખીને તેમને ચૂંટણી લડવા દેવા સંદર્ભની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું હતું.ગુજરાત હાઇકોર્ટના આ સંદર્ભની સૂચનાઓ બાદ આજે સાંજે 5 કલાકે તાબડતોડ તમામ ઉમેદવારોની મિટીંગ રજિસ્ટ્રાર કમ ચૂંટણી અધિકારી ધ્રુવિન પટેલે યોજી હતી. ઉમેદવારોની આ મિટીંગમાં જેમના ફોર્મ રદ કરાયા હતા એ તમામ ઉમેદવારોને પણ હાજર રખાયા હતા.

SPB Elections: સહકાર પેનલનો સોશ્યલ મિડીયા અને ડોર ટુ ડોર જોરદાર પ્રચાર શરૂ

રિપોર્ટેડ ઓન 27 જુલાઇ 2023

સુરત પીપલ્સ કો.ઓ. બેંકમાં ચૂંટણી નિશ્ચિત બની છે. બેંકના ચેરમેન અને સુરત ભાજપના મહામંત્રી મુકેશ દલાલ પ્રેરિત વિકાસ પેનલની સામે સહકાર પેનલે જોરદાર પ્રચાર શરી દીધો છે. મળતી માહિતી મુજબ સહકાર પેનલના ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર કરીને શેર હોલ્ડરોના પોકેટમાં વ્યક્તિગત પ્રચાર શરુ કર્યો છે જ્યારે તેમની બેક ઓફિસ દ્વારા સોશ્યલ મિડીયના માધ્યમથી ખાસ કરીને વ્હોટ્સએપ પર સહકાર પેનલને મતદાન કરવા માટે જબરદસ્ત કેમ્પેન શરૂ કર્યું છે.

SPB Elections: બેંકના ચેરમેને મુકેશ દલાલની પેનલને જોરદાર ટક્કર આપવા સહકાર પેનલનું નિર્માણ

સુરત પીપલ્સ કો.ઓ. બેંક લિ.ની ચૂંટણીમાં ઉમેદવારીપત્રક પરત ખેંચવાની અંતિમ મુદત સુધીમાં થયેલી સમાધાન માટેની દરેક મિટીંગો વિફળ રહ્યા બાદ હવે મુકેશ દલાલની પેનલને ટક્કર આપવા માટે બેંકના પૂર્વ ડિરેક્ટરોની સહકાર પેનલનું નિર્માણ થયું છે. ઉમેદવારીપત્રક પરત ખેંચાવાની મુદત બાદ હવે ઇલેક્શન નિશ્ચિત બન્યું છે. મુકેશ દલાલે પોતાની સત્તાધારી પેનલને વિકાસ પેનલનું નામ આપ્યું છે જ્યારે તેમની સામે બેંકના પૂર્વ ડિરેક્ટરો મુકેશ ગજ્જર, અમિત ગજ્જર, સંજીવ તમાકુવાલા, સુનિલ મોદીએ પોતાની પેનલનું નામ સહકાર પેનલ રાખ્યું છે. સહકાર પેનલ પીપલ્સ બેંકની ચૂંટણીમાં સત્તાધારી પેનલને જોરદાર ટક્કર આપશે એ વાત નિશ્ચિત મનાય રહી છે.

  • સહકાર પેનલના ઉમેદવારો
  • આયુષિ અમિત ગજ્જર
  • આશિષ નટવરલાલ તમાકુવાલા
  • બિપિન મનસુખલાલ સાવલિયા
  • કેતન પ્રવિણચંદ્ર મોદી
  • મહેક નરેન્દ્ર ગાંધી
  • નિમિષ મુકેશચંદ્ર ગજ્જર
  • રાજેન્દ્ર પૂનમચંદ લાલવાલા
  • રોહિત શશિકાંત મહેતા
  • સમિર કાંતિલાલ બોડાવાલા
  • યતિશ ચંદ્રકાંત પારેખ
  • અન્યુતા ગોવિંદ મોદી
  • જસ્મિન જગદીશચંદ્ર મહેતા
  • કૈલાશ મગનલાલ રાંદેરીયા

આ ડિરેક્ટરો સહકાર પેનલને ખુલ્લું સમર્થન કરી રહ્યા છે

  • મુકેશ નાનાલાલ ગજ્જર
  • સુનિલ કનૈયાલાલ મોદી
  • સંજીવ નટવરલાલ તમાકુવાલા
  • અમિત દિલિપભાઇ ગજ્જર

ભાજપના મહામંત્રી મુકેશ દલાલની વિકાસ પેનલના ઉમેદવારો

  • અનિલ દલાલ
  • ક્રિનલ જરીવાલા
  • દિવ્યા બોડાવાલા
  • રાજેશ દૂધવાલા
  • અશોક સોપારીવાલા
  • દિપક આફ્રિકાવાલા
  • ધર્મેશ વાણિયાવાલા
  • કેયુર ચપટવાલા
  • જયેશ દલાલ
  • શૈલેષ જરીવાલા
  • જે.સી. જરીવાલા
  • રાહુલ મારુ
  • મુકેશ દેસાઇ

પરાજયની બીકે પીપલ્સ બેંકની ચૂંટણીમાંથી પરેશ પટેલની પીછેહઠ

સુરતમાં હેડક્વાર્ટર ધરાવતી ગુજરાતની મોટામાં મોટી મલ્ટી સ્ટેટ કો.ઓ. બેંક, સુરત પીપલ્સ બેંકની ચૂંટણીમાં રાજકારણીઓની ઘૂસણખોરી પર બ્રેક લાગી ગઇ છે. સી.આર. પાટીલના ખાસમખાસ ગણાતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પરેશ પટેલે આજે પીપલ્સ બેંકની ચૂંટણીમાંથી ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. પરેશ પટેલ સાથે સુરત શહેર ભાજપના ઉપપ્રમુખ પંકજ દેસાઇએ પણ ઉમેદવારી પરત ખેંચી લેતા ચૂંટણી પહેલા જ ભાજપની પેનલ વેરવિખેર થઇ ગઇ છે. હવે પીપલ્સ બેંકની ચૂંટણીમાં મોઢ વણિક સમાજ કે ખત્રી સમાજ સાથે સંકળાયેલા રાજકારણીઓ જ મેદાનમાં રહ્યા છે.11 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતી સુરતની મોટામાં મોટી સહકારી ક્ષેત્રની બેંક સુરત પીપલ્સ કો.ઓ. બેંકમાં આગામી તા.6 ઓગસ્ટે યોજાનારી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણીમાં ઉમેવદવારી પરત ખેંચવાની આજે અંતિમ મુદત પહેલા 38માંથી 9 ઉમેદવારોએ ઉમેદવારીપત્રક પરત ખેંચી લીધા હતા. પીપલ્સ બેંકની ચૂંટણીમાંથી ઉમેદવારી પરત ખેંચનારામાં સૌથી વધુ ચર્ચાસ્પદ સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પરેશ પટેલ રહ્યા છે. પરેશ પટેલે આજે બપોરે બેંકમાં આવીને પોતાનું વિડ્રોલ ફોર્મ આપી નીકળી ગયા હતા. એ પછી તેમનો સંપર્ક કરી શકાયો ન હતો.

બેંક વર્તુળમાંથી મળતી માહિતી મુજબ પરેશ પટેલ સહિત ભાજપી ઉમેદવારો માટે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે જો તેઓ ચૂંટણી લડ્યા હોત તો તેમનો પરાજય નિશ્ચિત હતો અને તેમનો પરાજય એટલે ભાજપાનો પરાજય થાય. આવી સ્થિતિમાં પરાજયની બીકે તેમણે ઉમેદવારીપત્ર પરત ખેંચી લીધું હોવાનું મનાય રહ્યું છે. જોકે તેમણે ઉમેદવારી કરી શું કામ અને કરી તો પરત કેમ ખેંચી એ અંગે ખુદ ભાજપી કાર્યકર્તાઓમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે. કેમકે જો ચૂંટણી લડવાની હિંમત જ ના હોય તો પછી ઉમેદવારી કરવાનું નાટક શું કામ કર્યું, ઉમેદવારી પરત ખેંચી લેવાના કારણે પણ પીપલ્સ બેંકની ચૂંટણીમાં ભાજપ માટે નીચાજોણું થવા પામ્યું હોવાની લાગણી કાર્યકર્તાઓમાં ફરી વળી છે.પરેશ પટેલ ઉપરાંત સુરત શહેર ભાજપના ઉપપ્રમુખ પંકજ દેસાઇ, વર્તમાન ચેરમેન મુકેશ દલાલના પત્ની નીલાબેન મુકેશ દલાલ, જાણિતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મિતીશ મોદીના પત્ની દક્ષાબેન અને અરુણાબેન સોપારીવાલા એમ પાંચ એવા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે જે વર્તમાન ચેરમેન મુકેશ દલાલની પેનલના મનાય છે.આ ઉપરાંત પૂર્વ ડિરેક્ટરોની પેનલના રાહુલ ગજ્જર, રાધિકા જગદીશ મહેતા, હેમાંગીની તમાકુવાલા અને આનંદ ગાંધીએ પણ ઉમેદવારી પરત ખેંચી છે. સુરત પીપલ્સ બેંકની ચૂંટણીમાં હવે 13 બેઠક માટે 29 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

July 28, 2023
Cia_business_news-1280x936.jpg
1min381

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ભવ્ય મેગા સ્ટોરની શરૂઆત સાથે 9% થી 90% સુધીના ડિસ્કાઉન્ટ સાથે ગ્રાહકો માટે કરિયાણા, દૈનિક જરૂરિયાતો, વાસણો, પ્લાસ્ટિક, કાપડ, હોમ એપ્લાયન્સિસ, હોમ ડેકોર અને હોમ ફર્નિશિંગની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે

શુભારંભ મહોત્સવ ના પહેલા 2000 ગ્રાહકો ને 3 દિવસ આપશે આકર્ષક ગિફ્ટ

સુરત: ગુજરાત છત્તીસગઢ અને રાજસ્થાનની સૌથી મોટી હાઇપરમાર્કેટ રિટેલર “શુભમ કે માર્ટ” ગુજરાતમાં અને તે પણ સુરત શહેરમાં હવે ઉપલબ્ધ છે. જેનો મેગા સ્ટોર 28 જુલાઈ 2023 ના રોજ જહાંગીરપુરા વિસ્તારમાં ખુલવા જઈ રહ્યો છે. કરિયાણા, દૈનિક જરૂરિયાતો, વાસણો, પ્લાસ્ટિક, કાપડ, ગૃહ ઉપકરણો, હોમ ડેકોર અને હોમ ફર્નિશિંગની વિશાળ શ્રેણી પર “શુભમ કે માર્ટ” ખાતે ગ્રાહકો માટે ભારતની સૌથી મોટી ઓફર 9% થી 90% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું રહે છે.

શુભમ કે માર્ટ દૈનિક ડિસ્કાઉન્ટ ઓફર કરવા માટે જાણીતું છે. હવે દરરોજ ઓછામાં ઓછી 9 ટકા ઑફર્સ સાથે, રિટેલરે તેના વિવિધ ઉત્પાદનો પર 90 ટકા સુધીની છૂટ સાથે વધુ ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. રોજબરોજની ઘરગથ્થુ આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે ખાદ્યપદાર્થો, કરિયાણાથી લઈને હોમ ડેકો, સામાન્ય મર્ચેન્ડાઈઝ, કિચનવેર, હોમ એપ્લાયન્સીસ અને વુમનવેર અને મેન્સવેર જેવી અન્ય કેટેગરીમાં તમામ ગ્રાહકો માટે ઘણી બધી ઑફરો ઉપલબ્ધ છે.

ઑફર લોન્ચ કરવા સાથે જ “શુભમ કે માટૅ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન શ્રી વિજય કાંકરિયા, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી શુભમ કાંકરિયા એ જણાવ્યું હતું કે “અમે હંમેશા અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ ડીલ્સ દ્વારા શ્રેષ્ઠ શોપિંગ અનુભવ આપવાના માર્ગો અને માધ્યમો શોધતા રહીએ છીએ. આ સિઝનમાં અમારા ગ્રાહકોના ચહેરા પર સ્મિત લાવવાની અને તેમને આનંદથી ભરી દેવાની આશા છે.” કાંકરિયા પરિવાર 1984 થી સુમીત બજાર નામની છત્તીસગઢની સૌથી મોટી સંગઠિત મલ્ટિ- બ્રાન્ડ ફેમિલી ફેશન ચેઇનની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે.

23 સ્ટોર્સ સાથે, શુભમ કે માર્ટ હવે રાજસ્થાનની સાથે ગુજરાત જેવા પશ્ચિમી ભારતીય રાજ્યોમાં કામ કરવા માટે તૈયાર છે અને આગામી વર્ષમાં આ રાજ્યોમાં 14 સ્ટોર્સ શરૂ કરવાની યોજના ધરાવે છે.

July 19, 2023
Cia_business_news-1280x936.jpg
1min521

જયેશ બ્રહ્મભટ્ટ 9825344944

સુરત ડાયમંડ બુર્સને વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ તરીકે વિશ્વમાં પ્રસિદ્ધિ મળી રહી છે ત્યારે આ બિલ્ડીંગની કેટલીક અજાણી વાતો પર નજર કરીએ તો કુલ 3400 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ થયો છે સુરત હીરા બુર્સના નિર્માણ પાછળ પરંતુ, મેનેજમેન્ટ એ રીતે કરવામાં આવ્યું છે કે એક પણ રૂપિયાની લોન લેવી પડી નથી. વિશ્વમાં એવો પ્રાઇવેટ સેક્ટરનો, સહકારી સેક્ટરનો એવો કોઇ મોટો પ્રોજેક્ટ નથી સાકાર થયો કે જે લોન ધિરાણ વગર સાકાર થયો હોય. સહકારી ધોરણે તૈયાર થયેલું સુરત હિરા બુર્સ સમગ્ર વિશ્વના કો ઓપરેટીવ સેક્ટર માટે એક અજોડ મિશાલ છે. 4200થી વધુ લોકોને 8થી વધુ વર્ષો સુધી શિસ્તબદ્ધ રીતે પ્રોજેક્ટમાં જકડી રાખવા એ કોઇ ખાવાના ખેલ નથી. આમ છતાં ડાયમંડ બુર્સના મેનેજમેન્ટે પ્રોજેક્ટ સાકાર કરી દેખાડ્યો છે. સૌરાષ્ટ્રવાસીઓએ એટલું સામર્થ્ય ઉજાગર કરી દેખાડ્યું છે કે તેઓ રચનાત્મક બાબતમાં અકલ્પ્યને સાકાર કરી દેખાડી શકે.

આ સમગ્ર ફાઇનાન્સીયલ મેનેજમેન્ટ કેવી રીતે થયું એ જોઇએ તો 2014માં ડાયમંડ બુર્સ માટે ડીમાંડ સરવે હાથ ધરવામાં આવ્યો હતો. ડીમાંડ સરવેમાં 10 હજારથી વધુ લોકોએ ઓફિસ લેવાની ઇચ્છા દર્શાવી હતી. એ પછી પહેલો હપ્તો જમા કરાવવાની વાત આવી ત્યારે તેમાંથી અડધો અડધ લોકો ખસી ગયા હતા. રૂ.1200 પ્રતિ સ્કવેરફૂટ લેખે જ્યારે આયોજકોએ હપ્તાની રકમ જમા કરાવવા માટે કહ્યું ત્યારે 4200 જેટલા લોકો રહી ગયા હતા. એ પછી સમગ્ર પ્રોજેક્ટમાં જેમ જેમ ખર્ચ થતો ગયો તેમ તેમ ઓફિસ બુક કરાવનારા પાસેથી હપ્તા વસૂલાયા હતા. 

ન તો કેન્દ્ર સરકારનો એક રૂપિયો કે ન તો ગુજરાત સરકારની ગ્રાન્ટ

સુરત ડાયમંડ બુર્સનો પ્રોજેક્ટ એ સંપૂર્ણપણે સહકારી (કો-ઓપરેટીવ) ધોરણે હાથ ધરાયેલો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટમાં ન તો કેન્દ્ર સરકારની એક રૂપિયાની ગ્રાન્ટ મળી છે ન તો ગુજરાત સરકારની કોઇ રકમ મળી છે. તમામ રૂપિયા ઓફિસ ધારકોએ જ્યારે મગાયા ત્યારે આપ્યા છે. હા એ વાત ચોક્કસ છે કે ગુજરાત સરકારે કાયદાકીય પ્રક્રિયાઓમાં ગ્રીન ચેનલ સ્થાપી આપી છે. વિશ્વમાં સહકારી સેક્ટર માટે આ પ્રોજેક્ટ એક બેનમૂન ઉદાહરણ છે.

67 લાખ સ્કવેરફૂટનું બાંધકામમાં 131 લિફ્ટ છે

સુરત ડાયમંડ બુર્સમાં બાંધકામ એટલું વ્યાપક કરવામાં આવ્યું છે કે જ્યારે તેની ગણતરી માંડવામાં આવી ત્યારે 67 લાખ સ્કવેરફૂટ થયું છે. 4200 જેટલી નાની મોટી ઓફિસો ઉપરાંત રેસ્ટોરેન્ટથી લઇને બેઝિક એમિનીટીઝ તથા બુર્સ મેનેજમેન્ટ ઓફિસ કાર્યરત કરવામાં આવી રહી છે. સમગ્ર બુર્સ માટે એક અલાયદું જ કસ્ટમ હાઉસ પણ આકાર લઇ રહ્યું છે. આ સમગ્ર સંકુલમાં 131 લિફ્ટ ઇન્સ્ટોલ કરવામાં આવી છે જે એટલી હાઇટેક હશે કે મુલાકાતીઓએ ગંતવ્ય ફ્લોર પર પહોંચવા માટે પોતે એક પણ સ્વીચ દબાવવી નહીં પડે. પંચ તત્વની થીમ પર અઢી વીંઘા જગ્યામાં જુદા જુદા ગાર્ડન ડેવલપ કરવામાં આવ્યા છે.

350 કરોડથી વધુનો તો જીએસટી ભર્યો, એફએસઆઇમાં પણ કરોડો ચૂકવ્યા

સુરત ડાયમંડ બુર્સથી કેન્દ્ર અને રાજ્ય સરકારને જબ્બરદસ્ત આવક થઇ છે. એફએસઆઇ તરીકે કરોડો રૂપિયા રાજ્ય સરકારની તિજોરીમાં જમા થયા છે એટલું જ નહીં પણ રૂ.350 કરોડની જંગી રકમનો જીએસટી પણ ગુજરાત અને કેન્દ્ર સરકારની તિજોરીમાં ફક્ત બાંધકામ મટીરીયલ તેમજ બુકિંગમાંથી મળ્યા છે.

પીએમ મોદીએ કરેલી રીટ્વીટથી માહોલ બની ગયો

વિશ્વ પ્રસિદ્ધ મિડીયા હાઉસે સુરતના ડાયમંડ બુર્સના વિડીયો સાથે સોશ્યલ મિડીયા ટ્વીટર પર પોસ્ટ કર્યું હતું કે વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગનું બિરુદ અમેરીકનના આર્મી હેડક્વાર્ટર પેન્ટાગોન પાસે હતું, જે હવે સુરતમાં બનેલા સુરત ડાયમંડ બુર્સે હસ્તગત કરી લીધું છે. મિડીયા હાઉસે આ ટ્વીટ તા.18મી જુલાઇએ પોસ્ટ કરી હતી, આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એને રીટ્વીટ કરતા પોતાનું નિવેદન પોસ્ટ કર્યું હતું કે અનેક પરીમાણોમાં સુરતનું હિરા બુર્સ બેજોડ છે.નરેન્દ્ર મોદીએ આજે બપોરે વિશ્વપ્રસિદ્ધ મિડીયા હાઉસની ટ્વીટને રીટ્વીટ કરતા જણાવ્યું હતું કે, સુરત ડાયમંડ બોર્સ સુરતના હીરા ઉદ્યોગની ગતિશીલતા અને વૃદ્ધિ દર્શાવે છે. તે ભારતની ઉદ્યોગસાહસિક ભાવનાનો પણ પુરાવો છે. તે વેપાર, નવીનતા અને સહયોગ માટે એક હબ તરીકે સેવા આપશે, આપણી અર્થવ્યવસ્થાને વધુ વેગ આપશે અને રોજગારીની તકોનું સર્જન કરશે.નરેન્દ્ર મોદીએ આ ટ્વીટ કરતા જ સમગ્ર દેશમાં સુરતના હીરા ઉદ્યોગના આ બેનમૂન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પોસ્ટ ભારે વાઇરલ થઇ હતી. મુંબઇ, દિલ્હી, કોલકત્તા જેવા મેટ્રો સિટીના ગણ્યમાન્ય લોકોએ સુરતના હીરા બુર્સને લગતી પોસ્ટ સોશ્યલ મિડીયામાં મૂકવામાં માંડી હતી.સુરતના હીરા બજારમાં તો આજે આ પોસ્ટ એટલી વાઇરલ થઇ હતી કે મિનીબજારથી લઇને મહિધરપુરા હીરા બજાર સુધી સુરત ડાયમંડ બુર્સની જ ચર્ચા થતી સાંભળવા મળી હતી. સુરતના હીરા ઉદ્યોગકાર અને ડાયમંડ બુર્સ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે ગુજરાતીઓ હંમેશા માટે કંઇક નવું સર્જન કરવા, કંઇક નવું પ્રદાન કરવા માટે જાણિતા છે, સુરત ડાયમંડ બુર્સને આ જ કારણથી આકાર મળ્યો છે. હવે ટૂંક સમયમાં જ સુરતના હીરા બુર્સમાં એક જ સંકુલમાં સવા લાખ જેટલા લોકો હીરાનો વેપાર કરતા જોવા મળશે એ દ્રશ્ય પણ અદ્વિતીય બની રહેશે.

July 3, 2023
WhatsApp-Image-2023-07-02-at-19.58.05-1280x863.jpeg
2min1114

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનો ૮૩મો પદગ્રહણ સમારોહ રવિવાર, તા. ૦ર જુલાઇ ર૦ર૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયો હતો. જેમાં ચેમ્બરના વર્ષ ર૦ર૩–ર૪ના પ્રમુખ તરીકે રમેશ વઘાસિયા અને ઉપ પ્રમુખ તરીકે વિજય મેવાવાલાએ પદભાર સંભાળ્યો હતો. રમેશ વઘાસિયા ચેમ્બર ઓફ કોમર્સના ૭૭મા પ્રમુખ બન્યા છે.

SGCCIના ઓનરરી સેક્રેટરી તરીકે નિખિલ મદ્રાસી અને ઓનરરી ટ્રેઝરર તરીકે કિરણ ઠુમ્મરની વરણી

આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહયા હતા. ગુજરાતના ગૃહ મંત્રી (રાજ્ય કક્ષા) હર્ષભાઇ સંઘવી, શિક્ષણ મંત્રી (રાજ્ય કક્ષા) પ્રફૂલ પાનશેરીયા, સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ, યુકેના અમદાવાદ સ્થિત ડેપ્યુટી હાઇ કમિશનર સ્ટીવન હિકલીંગ, શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ્‌સ પ્રા.લિ.ના ફાઉન્ડર એન્ડ ચેરમેન ગોવિંદભાઇ ધોળકિયા અને સુરત ડાયમંડ બુર્સ એન્ડ કિરણ જેમ્સના ચેરમેન વલ્લભભાઇ પટેલ (લાખાણી) અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહયા હતા.

વિદેશી પ્રતિનિધિ મંડળોમાં પાંચ દેશોના એમ્બેસેડર અને કોન્સુલ જનરલ સમારોહમાં ખાસ ઉપસ્થિત રહયા હતા. જેમાં અમદાવાદ સ્થિત યુકેના ડેપ્યુટી હાઇ કમિશનર સ્ટીવન હિકલીંગ, નવી દિલ્હી સ્થિત ફેડરેલ ડેમોક્રેટીક રિપબ્લીક ઓફ ઇથોપિયાના ડેપ્યુટી હેડ ઓફ મીશન બિઝુનેશ મેસેરેટ, મુંબઇ સ્થિત મલેશિયાના કોન્સુલ જનરલ અહમદ ઝુવેરી યુસોફ, મુંબઇ સ્થિત રિપબ્લીક ઓફ ઇન્ડોનેશિયાના એકટીંગ કોન્સુલ જનરલ તોલ્લાહ ઉબૈદી અને નવી દિલ્હી સ્થિત એમ્બેસી ઓફ ધ રિપબ્લીક ઓફ વિયેતનામના ટ્રેડ કાઉન્સેલર બુઇ ટ્રન્ગ થોન્ગનો સમાવેશ થાય છે.

ચેમ્બરના વર્ષ ર૦રર–ર૩ ના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ પદગ્રહણ સમારોહમાં સર્વેને આવકાર્યા હતા અને પ્રારંભિક ઉદ્‌બોધન કર્યું હતું. તેમણે તેમના કાર્યકાળ દરમ્યાન ચેમ્બર દ્વારા કરવામાં આવેલી નોંધનીય કામગીરીનો અહેવાલ રજૂ કરી વર્ષ ર૦ર૩–ર૪ ના પ્રમુખ રમેશ વઘાસિયાનો પરિચય આપી તેમને પ્રમુખ તરીકેની બાગડૌર સંભાળવા અનુરોધ કર્યો હતો.

પદગ્રહણ સમારોહમાં સૌથી મહત્વની બાબત એટલે ચેમ્બરના વર્ષ ર૦ર૩–ર૪ના પ્રમુખ તરીકે રમેશ વઘાસિયા અને ઉપ પ્રમુખ તરીકે વિજય મેવાવાલાએ પદભાર સંભાળ્યો હતો. પ્રમુખ રમેશ વઘાસિયાએ તેમના કાર્યકાળ દરમ્યાન માનદ્‌ મંત્રી તરીકે નિખિલ મદ્રાસી અને માનદ્‌ ખજાનચી તરીકે કિરણ ઠુમ્મરની જાહેરાત કરી હતી. જ્યારે લેડીઝ વીંગના ચેરપર્સન તરીકે મનિષા હિમાંશુ બોડાવાલાની જાહેરાત કરી હતી.

રમેશ વઘાસિયાએ સર્વેનો આભાર વ્યકત કરી ચેમ્બરના પ્રમુખપદનો સ્વીકાર કરતા પોતાના ઉદ્‌બોધનમાં જણાવ્યું હતું કે, SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ના ભાગ રૂપે ચેમ્બર ઓફ કોમર્સ વિશ્વના ૮૪ દેશોની સાથે વ્યાપાર વધારવાની દિશામાં પ્રયાસ કરાશે.

SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત સુરત સહિત સમગ્ર ગુજરાતમાંથી એક્ષ્પોર્ટ વધારી શકાય તે માટેના પ્રયાસના ભાગ રૂપે ૮૪૦૦૦ જેટલા યુવા ટેલેન્ટેડ આંત્રપ્રિન્યોર્સને જોડવામાં આવશે અને વિશ્વના જુદા–જુદા ૮૪ દેશોમાં વસતા ભારતીય યુવા ઉદ્યોગ સાહસિકોને ઓનબોર્ડ કરાશે. આ ઉપરાંત ભારતની ૮૪ જેટલી ચેમ્બર ઓફ કોમર્સને તથા વિશ્વના ૮૪ દેશોની ચેમ્બર ઓફ કોમર્સને એક પ્લેટફોર્મ ઉપર લાવવામાં આવશે અને ઉદ્યોગકારોની સાથે સંવાદ યોજાશે. એવી જ રીતે ભારતના ૮૪ દેશોમાં કોન્સુલ જનરલને તેમજ ૮૪ દેશોના ભારત સ્થિત કોન્સુલ જનરલને જોડાશે અને તેઓના દેશો સાથે વ્યાપાર માટે જે કાયદા અને નિયમો છે તેના વિષે ઉદ્યોગકારોને માર્ગદર્શન આપી દિશા નિર્દેશ કરવામાં આવશે.

કયા દેશમાં કઇ પ્રોડકટની માંગ તથા જરૂરિયાતો છે તેના વિષે ખાસ ચર્ચા કરાશે અને તેની જાણકારી ઉદ્યોગકારોને આપવામાં આવશે, જેથી કરીને ભારતથી એક્ષ્પોર્ટ વધારી શકાશે. તદુપરાંત વર્લ્ડ બેંક, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, યુનો વગેરે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં કાર્યરત ભારતીય સ્કોલરને આમંત્રિત કરી ઉદ્યોગકારોને માર્ગદર્શન અપાશે.

તા. ર૧ ઓકટોબર ર૦ર૩ થી ચેમ્બર ઓફ કોમર્સનું ૮૪ મું વર્ષ શરૂ થશે. ચેમ્બરની સ્થાપના દિવસના ૮૪મા દિવસે એટલે તા. ૧૩ જાન્યુઆરી ર૦ર૪ ના રોજ રૂપિયા ૮૪ હજાર કરોડના બિઝનેસ કરવા માટે એમઓયુ કરાશે, જે અંતર્ગત ઇન્ટરનેશનલ ટ્રેડ માટે વધુ સારું પ્રોત્સાહન ઉદ્યોગકારોને પૂરું પાડવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, જેમાં ગુજરાત રિજનમાંથી રૂપિયા ૮૪૦૦૦ કરોડનો બિઝનેસ જીપીડીમાં આપવાનો સંકલ્પ કરી તે દિશામાં અથાગ પ્રયાસ કરાશે. વડાપ્રધાને, દેશના ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન ડોલરના એક્ષ્પોર્ટનો લક્ષ્યાંક આપ્યો છે, તેમાં વધુમાં વધુ એક્ષ્પોર્ટ ગુજરાત રિજનમાંથી થાય તે દિશામાં મકકમ પ્રયાસ કરાશે. એના માટે ચેમ્બર ઓફ કોમર્સ, તમામ ઔદ્યોગિક એસોસીએશનોને સાથે લઈને આગળ વધશે. જેથી કરીને ભારતને વિશ્વમાં સૌથી મોટી ત્રીજી ઇકોનોમી બનાવવાની દિશામાં યોગદાન આપી શકાય.

પ્રમુખ રમેશ વઘાસિયા દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો હતો કે તેમના કાર્યકાળ દરમ્યાન એક વર્ષમાં ચેમ્બરને નવા ૧૦૦૦ સભ્યો અને તેના દ્વારા રૂપિયા પાંચ કરોડની આવક કરી આપવામાં આવશે.

મુખ્ય મહેમાન કેન્દ્રિય મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪નું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હવે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી અને તેને લગતા એજ્યુકેશનના ભવિષ્ય ઉપર ચેમ્બર ઓફ કોમર્સે કામ કરવું પડશે. છેલ્લાં પાંચ વર્ષમાં સરકાર સાથે વાન્ીતના આધારે ઇન્ડસ્ટ્રીના પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા છે. હવે ભવિષ્યમાં નવા રોકાણ સાથે ઇન્ડસ્ટ્રીએ આગળ વધવું પડશે. ટ્રિપલ એન્જીનની સરકાર ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે ખૂબ જ સારું કામ કરી રહી છે. વધુમાં તેમણે કહયું હતું કે, એક ભારત શ્રેષ્ઠ ભારતની દિશામાં ચેમ્બરના પ્રમુખ રમેશ વઘાસિયા નવા ઊંચા સંકલ્પ સાથે આગળ વધશે અને તેના માટે તેમણે શુભેચ્છા આપી હતી.

ગુજરાતના ગૃહ તેમજ ઉદ્યોગ (રાજ્ય કક્ષા) મંત્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરતના બધા જ ઉદ્યોગોને દિશા આપવાનું કામ ચેમ્બર ઓફ કોમર્સ કરે છે. આખા દક્ષિણ ગુજરાતના વ્યાપાર – ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરનાર ચેમ્બર ઓફ કોમર્સ ઉદ્યોગોના હિત માટે માંગણી લઇને આવે અને એ અમે પૂર્ણ કરીશું. મોટી રોજગારીનું સર્જન થાય અને વેપારીઓને નવી દિશા મળી શકે તે માટે પીએમ મિત્રા પાર્ક સુરતને મળી ગયો છે. ૧૩મીએ પીએમ મિત્રા પાર્કનું એમઓયુ પણ થનાર છે. સુરત – નવસારી ખાતે પીએમ મિત્રા પાર્ક દેશમાં સૌથી પહેલા અને ઝડપથી બને તે માટે પ્રયાસ કરાઇ રહયા છે. સુરત ડાયમંડ બુર્સ વિશ્વમાં દેશનું સૌથી મોટું ડાયમંડ હબ બનશે. ગુજરાતને સૌથી સુરક્ષિત રાજ્ય બનાવ્યું છે અને વધુ સુરક્ષિત બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે.

ચેમ્બરના નવનિયુકત પ્રમુખ રમેશ વઘાસિયાએ ગુજરાતના ૮૪ હજાર યુવા ઉદ્યોગ સાહસિકોને જોડવાનો સંકલ્પ લીધો છે ત્યારે બ્રાન્ડ સુરત માટે કેવી રીતે સફળતા પ્રાપ્ત કરી શકાય છે તે દિશામાં પણ આગળ વધવું પડશે. નાના વેપારીઓની સબસિડી અટકેલી હોય તો તેઓને મળે તે માટેનું કામ ચેમ્બર ઓફ કોમર્સે કરવાનું છે.

વધુમાં તેમણે કહયું કે, ચેમ્બર ઓફ કોમર્સના સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરને વધુ વિકસાવવામાં આવશે તો મુંબઇ, બેંગ્લોરની જેમ આંતરરાષ્ટ્રીય કક્ષાના એકઝીબીશન કરી શકાશે. એના માટે ગુજરાત સરકારે રૂપિયા ર૪ કરોડ મંજૂર કરવા લીલી ઝંડી આપી દીધી છે.

અમદાવાદ સ્થિત યુકેના ડેપ્યુટી હાઇ કમિશનર સ્ટીવન હિકલીંગે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર વધારવાની દિશામાં ખૂબ જ સારું વાતાવરણ નિર્માણ થઇ ગયું છે. બંને દેશો ટ્રેડ, ફાયનાન્સ, ઇન્વેસ્ટમેન્ટ, ટ્રાન્સપોર્ટ, વેસ્ટ મેનેજમેન્ટ, એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વગેરે ક્ષેત્રે એકબીજાને સહયોગ આપવા માટે આગળ વધી રહયા છે.

ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ બી.એસ. અગ્રવાલે, પ્રમુખ તરીકે હિમાંશુ બોડાવાલાએ તેમના કાર્યકાળ દરમિયાન દક્ષિણ ગુજરાતના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ હેતુ જે કામગીરી કરી હતી તે અંગેના સન્માન પત્રનું વાંચન કર્યું હતું. ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ મહેન્દ્ર કાજીવાલાને ચેમ્બર દ્વારા લાઇફ ટાઇમ એચીવમેન્ટ સન્માન પત્ર આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેનું વાંચન ભૂતપૂર્વ પ્રમુખ પ્રફુલ શાહે કર્યું હતું. આ ઉપરાંત માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર, માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયા અને ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાને વર્ષ દરમ્યાન કરાયેલી કામગીરી માટે સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા, જેનું વાંચન અનુક્રમે ગૃપ ચેરમેન દીપક કુમાર શેઠવાલા, પરેશ લાઠીયા અને મૃણાલ શુકલ દ્વારા કરાયું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના સમૃદ્ધિ મેગેઝીનના વર્ષ ર૦રર – ર૩ ના એજીએમ ઇશ્યુનું વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે જ વર્ષ દરમ્યાન આયોજિત સાતથી આઠ એકઝીબીશનોની જાહેરાત કરવામાં આવી હતી.

પદગ્રહણ સમારોહમાં તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી તથા ધારાસભ્યો અરવિંદભાઇ રાણા અને કાંતિભાઇ બલર ઉપસ્થિત રહયા હતા. માસ્ટર ઓફ સેરેમની ચેમ્બરની મેનેજિંગ કમિટીના સભ્ય ડો. રિન્કલ જરીવાલા અને ચેમ્બરના સભ્ય ડો. સંજય પટેલ (ડુંગરાણી)એ કરી હતી.

પદગ્રહણ સમારોહને અંતે વર્ષ ર૦ર૩–ર૪ ના ઉપ પ્રમુખ તરીકે પદભાર સંભાળનાર વિજય મેવાવાલાએ સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ સમારોહનું સમાપન થયું હતું.

પાંચ દેશોના કોન્સુલ જનરલ અને સુરતના ઉદ્યોગકારો વચ્ચે સંવાદ યોજાયો

ચેમ્બર ઓફ કોમર્સના પદગ્રહણ સમારોહમાં પધારનાર ઇન્ડોનેશિયા, ઇથોપિયા, વિયેતનામ, યુકે સહિતના એશિયન રાષ્ટ્રોના એમ્બેસેડર તથા કોન્સુલ જનરલ સાથે ઉદ્યોગકારોનું ઇન્ટરેકટીવ સેશન યોજાયું હતું. પદગ્રહણ સમારોહ બાદ બપોરે રઃ૩૦ કલાકે યોજાયેલા આ સેશનમાં બે દેશોની ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી માટેની જરૂરિયાતો વિષે ચર્ચા કરવામાં આવી હતી.

અમદાવાદ સ્થિત યુકેના ડેપ્યુટી હાઇ કમિશનર સ્ટીવન હિકલીંગ, નવી દિલ્હી સ્થિત ફેડરેલ ડેમોક્રેટીક રિપબ્લીક ઓફ ઇથોપિયાના ડેપ્યુટી હેડ ઓફ મીશન બિઝુનેશ મેસેરેટ, મુંબઇ સ્થિત મલેશિયાના કોન્સુલ જનરલ અહમદ ઝુવેરી યુસોફ, મુંબઇ સ્થિત રિપબ્લીક ઓફ ઇન્ડોનેશિયાના એકટીંગ કોન્સુલ જનરલ તોલ્લાહ ઉબૈદી અને નવી દિલ્હી સ્થિત એમ્બેસી ઓફ ધ રિપબ્લીક ઓફ વિયેતનામના ટ્રેડ કાઉન્સેલર બુઇ ટ્રન્ગ થોન્ગ સાથે સુરતના ઉદ્યોગકારોએ વન ટુ વન મિટીંગો કરી હતી.

જેમાં સુરતના ઉદ્યોગકારો અન્ય દેશોમાં તેમજ અન્ય દેશોના ઉદ્યોગકારો ભારતમાં કયા કયા ઉદ્યોગોમાં તથા ક્ષેત્રોમાં રોકાણ કરી શકે તે માટે મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બે દેશો વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર વધારવા માટેની જરૂરિયાતો અને તકો સમજવા માટે ખાસ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

June 10, 2023
Cia_business_news-1280x936.jpg
1min479

સ્ટાર્ટઅપ સમિટમાં 10,000 થી વધુ સહભાગીઓ હશે, જેમાં 200+ સ્ટાર્ટઅપ સ્થાપકો, 500+ વીસી અને રોકાણકારો ઉપરાંત ટોચના ઉદ્યોગ વક્તાઓ અને સુરતને વૈશ્વિક રોકાણકારોના નકશા પર સ્થાન અપાશે

સુરત. સુરત સ્થિત અગ્રણી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સક્ષમ કરનાર IVY Growth એસોસિએટ્સ દ્વારા આગામી 16 થી 18 જૂન દરમિયાન ડાયમંડ સિટી સુરતના આંગણે તેની ફ્લેગશિપ ઇવેન્ટ ટ્વેન્ટીવન બાય સેવન્ટી ટુની બીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય સુરત સહિત ગુજરાતને વૈશ્વિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ મેપ પર મૂકવાનો છે. આ સ્ટાર્ટ અપ સમિટ માં 200+ સ્ટાર્ટઅપ સ્થાપકો, 500+ રોકાણકારો અને ઉદ્યોગ અગ્રણીઓ સહિત 10,000 થી વધુ લોકો જોડાશે અને આ પ્રકારની આ ભારતમાં સૌથી મોટી સ્ટાર્ટઅપ સમિટમાંની એક સમિટ બની રહશે. આ ઇવેન્ટ નેટવર્કિંગ, શીખવા અને સહયોગ માટે પ્લેટફોર્મ પુરૂ પાડશે. 50+ VCs, 15+ એન્જલ નેટવર્ક્સ અને 300+ એન્જલ રોકાણકારોની હાજરી સાથે ઇવેન્ટ સ્ટાર્ટઅપ્સને તેમની ઓફર પ્રદર્શિત કરવા અને દેશના ટોચના રોકાણકારો સમક્ષ તેમના વિચારો રજૂ કરવાની અનન્ય તક પૂરી પાડશે. આ ઇવેન્ટમાં આકર્ષક પેનલ ચર્ચાઓ, વિચાર પ્રેરક કીનોટ્સ અને ઇન્ટરેક્ટિવ વર્કશોપ, મૂલ્યવાન જ્ઞાન અને અર્થપૂર્ણ જોડાણો સાથે ઉદ્યોગ સાહસિકોને સશક્તિકરણ અને વિકાસની તકો પણ દર્શાવવામાં આવશે. આ સ્ટાર્ટઅપ સમિટમાં બોટ (BoAt) ના કો- ફાઉન્ડર અમન ગુપ્તા અને Mamaearth ના કો – ફાઉન્ડર ગઝલ અલઘ ખાસ ઉપસ્થિત રહેશે.

IVY Growth એસોસિએટ્સના સહ- સ્થાપક રચિત પોદ્દારે જણાવ્યું હતું કે “TwentyOne by Seventy Two ની પ્રથમ આવૃત્તિમાં 20 થી વધુ રાજ્યોમાંથી 5,000 લોકો જોડાયા હતા. 35 ભાગીદાર સ્ટાર્ટઅપ્સમાંથી 15-17 સ્ટાર્ટ અપમાં રોકાણકારોએ રસ દાખવ્યો હતો અને ટર્મ શીટ પ્રાપ્ત થઈ હતી. આગામી આવૃત્તિ સાથે વધુ મોટી અને સારી હશે. અર્થા વેન્ચર્સ, VCats અને બ્લુમ વેન્ચર્સ જેવા મોટા VCs અને સાર્થક આહુજા, અર્જુન વૈદ્ય, મહાવીર પ્રતાપ શર્મા અને 80 થી વધુ ઇન્ડસ્ટ્રીના વક્તાઓનું વિચારશીલ નેતૃત્વ હશે. જેઓ ટેક્નોલોજી, બિઝનેસ અને ઉદ્યોગસાહસિકતાના નવીનતમ વલણો પર તેમની કુશળતા અને આંતરદૃષ્ટિ શેર કરશે.

સમિટની મુખ્ય વિશેષતાઓમાંની એક ટ્રેલબ્લેઝર્સ માઇન હશે, જે સ્ટાર્ટઅપ્સ માટે લાઇવ શાર્ક ટેન્ક પિચિંગ અને ફંડ એકત્ર કરવાની ઇવેન્ટ હશે, જ્યાં 25 પસંદ કરેલા સ્ટાર્ટઅપ્સને તેમના વિચારો પ્રતિષ્ઠિત રોકાણકારોની પેનલ સમક્ષ રજૂ કરવાની તક મળશે. આ ઉપરાંત, 85 થી વધુ સ્ટાર્ટઅપ્સ તેમના નવીન ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરશે, જે સંભવિત રોકાણકારો અને ભાગીદારોને તેમની ઓફર પ્રદર્શિત કરવા માટે સ્ટાર્ટઅપ્સ માટે એક પ્લેટફોર્મ પુરૂ પાડશે.

IVY Growth એસોસિએટ્સ ભારત, UK, UAE, યુરોપ અને આફ્રિકાના રોકાણકારો સાથે સ્ટાર્ટઅપ્સને જોડીને વૈશ્વિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના નકશા પર સુરતને મૂકવાના મિશન પર છે. તે સાહસિકતા, અર્થતંત્ર અને રોજગારને વેગ આપવા માટે જે કલ્પના કરવામાં આવી હતી તેને મૂર્ત સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.

સમિટના આયોજકોએ જણાવ્યું હતું કે “અમે સુરતને વૈશ્વિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના નકશા પર મૂકવા માંગીએ છીએ, અને ટ્વેન્ટીવન બાય સેવન્ટી ટુ સાથે અમે ઉદ્યોગસાહસિકતાને વેગ આપવા, અર્થતંત્ર અને રોજગારને વેગ આપવા અને સમગ્ર ભારતમાં એન્જલ ઇન્વેસ્ટમેન્ટ ચલાવવા માટે એક પ્લેટફોર્મ બનાવી રહ્યા છીએ. અમે સમગ્ર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને જોડાવા આમંત્રણ આપીએ છીએ. અમે સુરત શહેરને ભારતનું આગામી સ્ટાર્ટઅપ હબ બનવા આગળ વધી રહ્યા છીએ. માત્ર દોઢ વર્ષમાં, IVY Growth તેના ફંડ અને સિન્ડિકેટ ફંડમાંથી કુલ $10 મિલિયન (રૂ. 82 કરોડ) તેના નેટવર્કમાંથી. કેટલાક સ્ટાર્ટઅપ્સમાં તેણે રોકાણ કર્યું છે જેમાં રૂપીક, રેશા મંડી, Zypp ઇલેક્ટ્રિક અને બ્લુસ્માર્ટનો સમાવેશ થાય છે.

IVY Growth ટાયર II અને III શહેરોની અપાર સંભાવનાઓમાં નિશ્ચિતપણે વિશ્વાસ રાખે છે અને આ પ્રદેશોમાં સ્ટાર્ટઅપને પોષીને અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપીને નોંધપાત્ર અસર ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છે. તેનો ઉદ્દેશ્ય આ શહેરોમાં અસ્તિત્વમાં રહેલી વણઉપયોગી પ્રતિભા અને તકોને અનલોક કરવાનો અને તેમની આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં યોગદાન આપવાનો છે. IVY Growth ટિયર II અને III શહેરોમાં સ્થિત 20 થી વધુ સ્ટાર્ટઅપ્સમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. આમાંના કેટલાક સ્ટાર્ટઅપ્સમાં Evify, Growit, હિડન ફ્લેવર્સ, વેલ્યુએશનરી, બોધિનો સમાવેશ થાય છે. Al, Adkrity, અને Bebeburp.”અમે જે સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું છે તે રિન્યુએબલ એનર્જી, પ્રોટેક્ટિવ ફાર્મિંગ, એડટેક, ડાયરેક્ટ- ટુ- કન્ઝ્યુમર બ્રાન્ડ્સ અને અન્ય સહિતના ક્ષેત્રોની વિવિધ શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે. અમે કોઈપણ સેક્ટરમાંથી સ્ટાર્ટઅપ્સને ભંડોળ પૂરું પાડવા માટે તૈયાર છીએ. હાલમાં અમારા ભંડોળના સંસાધનોને વૈવિધ્યીકરણ કરવા માટે એગ્રીટેક, ડી2સી, ક્લીનટેક, સાસ અને ઇવી જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ,”

IVY Growth મહત્વાકાંક્ષી વૃદ્ધિ યોજના ધરાવે છે. તેણે $15 મિલિયન (રૂ. 123 કરોડ) ના લક્ષ્ય કદ સાથે AIF CAT I – VC ફંડની સ્થાપના કરવા માટે અરજી કરી છે, જેનો ઉદ્દેશ્ય સ્ટાર્ટઅપ્સને મોટા ભંડોળ એકત્રીકરણ રાઉન્ડ સુધી પહોંચ આપવાનો છે. તેણે તાજેતરમાં માલિકીનું ટેક પ્લેટફોર્મ, www.angeltech.in પણ લોન્ચ કર્યું છે, જે સંભવિત રોકાણકારોને આશાસ્પદ સ્ટાર્ટઅપ સોદાઓનું પ્રદર્શન કરવા માટે એક વ્યાપક હબ તરીકે સેવા આપે છે. તેની વિસ્તરણ વ્યૂહરચનાના ભાગરૂપે, તે એક વૈશ્વિક કોરિડોરનું નિર્માણ કરી રહ્યું છે જે એન્જલ રોકાણકારો અને સ્ટાર્ટઅપ્સને જોડે છે, જેમાં મધ્ય પૂર્વ અને યુરોપ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

May 20, 2023
WhatsApp-Image-2023-05-19-at-21.10.02-1280x854.jpeg
1min368

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, નેચરલ ડાયમંડ કાઉન્સિલ ઓફ ધ વર્લ્ડના સંયુક્ત ઉપક્રમે શહેરની અગ્રણી ડાયમંડ કંપની SRK દ્વારા Dt.20/5/2023 શનિવાર તા.20મી મેએ સુરતમાં નેશનલ સસ્ટેનેબિલિટી વિષય પર નેશનલ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી 500થી વધુ ડેલિગેટ્સ આ કોન્કલેવમાં જોડાઇ રહ્યા છે, વૈશ્વિકસ્તરના એક્સપર્ટ નાનામાં નાના ધંધા, રોજગાર, ઉદ્યોગકારો કેવી રીતે સસ્ટેનેબિલિટી વિકસાવી શકે તે વિષય પર તેમને આખો દિવસની કોન્કલેવમાં માર્ગદર્શિત કરવામાં આવશે. ટૂંકમાં જે ઉધોગ, ધંધાર્થીઓ જ્યાં જેટલું જે પ્રકારનું પ્રદૂષણ ફેલાવે છે ત્યાં તેટલું જ ભરપાઇ કેવી રીતે કરી શકે એનું નામ સસ્ટેનેબિલિટી.

સુરતમાં યોજાઇ રહેલી નેશનલ કોન્કલેવ ઓન સસ્ટેનેબિલિટી અંગે માહિતી આપતા SGCCI પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાલા, એસ.આર.કે. SRKના જયંતિભાઇ નારોલા, શ્રેયાંશ ધોળકીયા, ગ્લોબલ નેટવર્ક ફોર નેટ ઝીરોને મહેશ રામાનૂજમ સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે પર્યાવરણા ભોગે ઉદ્યોગો વિકસી રહ્યા છે, હવે પુર્નવિચાર કરવાનો સમય પાકી ગયો છે. પર્યાવરણની જાળવણી માટે મનોમંથન નહીં પણ હવે યોગદાન આપવાનો સમય પાકી ગયો છે અને દરેક નાનામાં નાના ઉદ્યોગ, ધંધા, રોજગાર કે ઘરપરિવારના સભ્યો પર્યાવરણ જાળવણી માટે કેવી રીતે યોગદાન આપી શકે તે અંગેનું નોલેજ શેરીંગ જ સસ્ટેનેબિલિટી કોન્કલેવની મુખ્ય થીમ છે.

Dt.20/5/2023 શનિવારની આખો દિવસની કોન્કલેવમાં સમગ્ર ગુજરાતમાંથી 500થી વધુ ડેલિગેટ્સ જોડાય રહ્યા છે. જેમને સસ્ટેનેબિલિટી ગ્લોબલ નેટવર્ખ ફોર નેટ ઝીરોના મહેશ રામાનુજમ, યુરોપિયન યુનિયનના ડેલિગેશન ટુ ઇન્ડિયાના કાઉન્સિલર કમિલા ક્રિસ્ટેનસેન રાય રિસ્પોન્સિબલ જ્વેલરી કાઉન્સિલના મેલાની ગ્રાન્ટ, મહિન્દ્રા હોલિડેઝના અરુણ નંદા, એચરએ હોટેલ્સના લક્ષ્યરાજ સિંહ મેવાડ, પ્રો. રજત મૂના, ડાયરેક્ટર-IIT- ગાંધીનગર; કાર્તિકેય સારાભાઈ, સ્થાપક અને નિયામક- સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન (CEE); પ્રશાંત તિવારી, ચીફ સસ્ટેનેબિલિટી ઓફિસર- અમરા રાજા ગ્રુપ; અનિન્દ્ય ચૌધરી વગેરે અગ્રણીઓ પોતાની ટીપ્સ રજૂ કરશે.

April 14, 2023
env-1280x565.jpg
1min429

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની સાથે મળીને શનિવાર, તા. ૧પ એપ્રિલ, ર૦ર૩ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે પઃ૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આવેલા પ્લેટિનમ હોલમાં‘એન્વાયરમેન્ટ કોન્કલેવ’નું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં રાસાયણિક, દવાઓના મહાકાય કારખાનાઓ કે ઉદ્યોગો સ્થપાયેલા છે ત્યારે પર્યાવરણની જાળવણીની સાથે સાથે ઉદ્યોગોના વિકાસ માટે કયા – કયા પગલાઓ લઇ શકાય તેની સવિસ્તર ચર્ચા આ કોન્કલેવમાં કરવામાં આવશે. સરકાર અને ઉદ્યોગો સાથે મળીને આ દિશામાં આગળ વધે અને તેના માટે બંને પક્ષે કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે તે અંગે પણ ઉદ્યોગકારોને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને ગુજરાત સરકાર માત્ર વિકાસ જ નહીં પણ ટકાઉ–નિરંતર વિકાસની દિશામાં આગળ વધી રહી છે. વિકાસ અને વિકાસશિલ દેશની વૃદ્ધિને વધારવી, લોકોનું જીવનધોરણ ટકાઉ (કાયમી) બનાવવું, રાસાયણિક કચરાનું વ્યવસ્થાપન અને કુદરતી સંસાધનોના વ્યવસ્થિત ઉપયોગ માટે પ્રયાસ કરવામાં આવી રહયો છે. ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણને લગતી સમસ્યાને દૂર કરીને વિકાસની પ્રક્રિયાને આગળ વધારવા સરકાર અને ઉદ્યોગો સાથે મળીને પ્રયાસો કરી રહયાં છે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે જણાવ્યું હતું કે, આ કોન્કલેવમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના વન અને પર્યાવરણ તેમજ કલાઇમેટ ચેન્જ મંત્રી મુળુભાઇ બેરા ઉપસ્થિત રહેશે. જ્યારે ગુજરાતના વન અને પર્યાવરણ તેમજ કલાઇમેટ ચેન્જના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ, વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમાર (આઇ.એ.એસ.), સુરતના કલેકટર આયુષ ઓક (આઇ.એ.એસ.), આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડના એકઝીકયુટીવ ડિરેકટર સંતોષ મુંધડા આ કોન્કલેવમાં અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે અને ઉદ્યોગોને માર્ગદર્શન આપશે.

ચેમ્બરની એન્વાયરમેન્ટ/પોલ્યુશન કન્ટ્રોલ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ અને વોટર ટ્રિટમેન્ટ કમિટીના ચેરમેન કુન્હાલ શાહે જણાવ્યું હતું કે, કોન્કલેવમાં નિષ્ણાંતો તરીકે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના મેમ્બર સેક્રેટરી ડી.એમ. ઠાકર, કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના રિજીયોનલ ડિરેકટર પ્રસૂન ગાર્ગવા, આઇઆઇટી નવી દિલ્હીના પ્રોફેસર મુકેશ ખરે, એન્વાયરમેન્ટ એજ્યુકેશન સેન્ટરના ફાઉન્ડર અને ડિરેકટર કાર્તિકેય સારાભાઇ અને નવી દિલ્હી સ્થિત નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ભૂતપૂર્વ ટેકનિકલ એક્ષ્પર્ટ અજય દેશપાંડે ઉપસ્થિત રહેશે.

વિવિધ ટેકનિકલ નિષ્ણાતો અને સરકારના ઉચ્ચતમ અધિકારીઓની ઉપસ્થિતી હોવાને કારણે આવનારા સમયમાં ઉદ્યોગોનો પર્યાવરણ અંગેનો એકશન પ્લાન માટેની એક રૂપરેખા તૈયાર થશે. પર્યાવરણની જાળવણી હેતુ જ્યારે નિર્ણયો લેવાશે ત્યારે ઉદ્યોગો માટે કયા પ્રકારના પ્રશ્નો ઉદ્‌ભવી શકે તેના આગોતરા આયોજનની તૈયારીના ભાગ રૂપે આ કોન્કલેવનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બરની એન્વાયરમેન્ટ/પોલ્યુશન કન્ટ્રોલ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ અને વોટર ટ્રિટમેન્ટ કમિટીએ એન્વાયરમેન્ટ કોન્કલેવના આયોજન માટે મહત્વની ભૂમિકા ભજવી છે. આ કોન્કલેવના આયોજન માટે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે.