CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 10 of 78 - CIA Live

September 8, 2024
પરીમલ-નથવાણી.jpeg
1min1545

દેશ નહીં પણ દુનિયાની દિગ્ગજ કંપની રિલાયન્સ લિમિટેડના ડાયરેક્ટર અને રાજ્યસભાના સ્વતંત્ર એમ.પી. પરીમલ નથવાણી આજે સુરતની મુલાકાતે હતા અને સૌના આશ્ચર્ય વચ્ચે તેઓ સુરતના કોટ વિસ્તારમાં આવેલી દાયકાઓ જૂની જોષી જેશંકર ધનજી ભજીયાવાળાની દુકાને પહોંચ્યા હતા. તેમણે સોશ્યલ મિડીયા હેન્ડલ પર લખ્યું કે તેઓ 20 વર્ષ પછી આ જગ્યાએ ફરી આવ્યા છે અને તેમણે સુરતની આ ફેમસ અને અસ્સલ સુરતી ફરસાણ માટે જાણિતી દુકાનમાં જઇને ગરમાગરમ રતાળુપૂરી, પૂરી ભાજી અને મિક્સ ભજીયા આરોગ્યા હતા.

તેઓ જ્યારે પહોંચ્યા ત્યારે ચૌટાબજારમાં સ્થિતિ સામાન્ય હતી. અનેક રાહદારીઓ અને વાહનચાલકોને ખબર સુધ્ધા ન હતી કે દેશના હાઇપ્રોફાઇલ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પૈકીના એક અને રિલાયન્સ જેવી દિગ્ગજ કંપનીના ડિરેક્ટર અને રાજ્યસભાના મેમ્બર ચૌટાબજારની દુકાન આગળ ઉભા રહીને નાસ્તો કરી રહ્યા છે.

તેમણે જ્યારે ફેસબુક અને ટ્વીટર જેવા પોતાના સોશ્યલ મિડીયા હેન્ડલ પર આ માહિતી શેર કરી ત્યારે અનેક સુરતીઓ આશ્ચર્ય પામ્યા હતા.

ચૌટાબજારની સુવિખ્યાત જોષી જેશંકર ધનજી ભજીયાવાળાની પેઢી સુરત ભાજપના પૂર્વ પ્રમુખ અને અસ્સલ સુરતી નીતિનભાઇ ભજીયાવાળાના પરીવારની છે. નીતિન ભજીયાવાળાએ પણ રિલાયન્સના ડિરેક્ટર પરીમલ નથવાણીની મુલાકાત બાદ તેમનો સોશ્યલ મિડીયા પર આભાર વ્યક્ત કરતી પોસ્ટ શેર કરી હતી.

September 2, 2024
gujarat_rain_map.jpg
1min277

રાજ્યમાં વહેલી સવારથી દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતનના વિસ્તારોમાં સારો એવો વરસાદી વરસી રહ્યો છે, ત્યારે સુરતથી લઈને અમદાવાદ સુધીમાં વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં મેઘરાજાએ ગુજરાતનાં 111 તાલુકા તરબોળ કરી દીધા છે. જ્યારે તાપીના સોનગઢ-વ્યારામાં આઠ ઈંચ, ડાંગના વઘઈમાં પોણા આઠ ઈંચ, તાપીના ઉચ્છલ અને ડોલવણમાં પોણા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે અમદાવાદના અનેક વિસ્તારોમાં દોઢ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા આગામી 7 સપ્ટેમ્બર સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય-ઉત્તરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તાપીના સોનગઢ-વ્યારામાં સૌથી વધુ આઠ ઈંચ વરસાદ

દક્ષિણ ગુજરાતના તાપી, સુરત, ડાંગ સહિતના વિસ્તારોમાં આજે (2 સપ્ટેમ્બર) ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેમાં તાપીના સોનગઢ-વ્યારામાં સૌથી વધુ આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે ડાંગના વઘઈમાં પોણા આઠ ઈંચ, તાપીના ઉચ્છલ અને ડોલવણમાં પોણા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત, 35થી વધુ તાલુકામાં બે ઈંચ અને 58 તાલુકામાં એક ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે.

રાજ્યમાં દક્ષિણ ગુજરાત સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ધોધમાર વરસાદને પગલે ચંદવાસા ગામમાં વરસાદી પાણી ફરી વળતા ગ્રામલોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે નદીનું ગામ અને રસ્તાઓ પર પાણી ભરાયા છે.

સુરતમાં ભારે વરસાદી માહોલ વચ્ચે પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન નદીનું પાણી મિયાપુર ગામ પાસેના સ્ટેટ હાઈવેમાં પાણી ફરી વળતા હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે પરિવહન કરતાં વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.

રાજ્યમાં અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ગાંધીનગરમાં એક કલાકમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ નરોડામાં અઢી ઇંચ અને ઓઢવમાં બે ઇંચ, વિરાટ નગર અને મણીનગરમાં દોઢ ઇંચ, વટવામાં સવા ઇંચ, નિકોલમાં એક ઇંચ, મેમ્કોમાં એક ઇંચ અને ચકુડીયામાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે.

August 17, 2024
ramesh-sanghvi.png
1min542
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન, ઘણા સમયથી હતા બીમાર 1 - image

ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી અને સુરત મજૂરાના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્રનું નિધન થયું છે. માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી તેમની તબીયત નાદુરસ્ત હતી. ત્રણ દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન આજે બપોરે રમેશચંદ્ર સંધવીનું નિધન થયું હતુ.

રમેશચંદ્રની તબીયત છેલ્લા કેટલાક મહિનાઓથી ખરાબ રહેતી હતી. તેમજ કોરોનાકાળ બાદ સારવાર માટે તેમને હૈદરાબાદ પણ ખસેડવામાં આવ્યા હતા. પિતાની તબીયત ખરાબ હોવાથી છેલ્લા ત્રણ દિવસથી હર્ષ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા. હાલમાં યુનિક હોસ્પિટલ ખાતે તેઓની સારવાર ચાલી રહી હતી.

હીરાના વ્યવસાય સાથે જોડાયેલા રમેશચંદ્ર સંઘવી આ સાથે બીજી અન્ય સેવાભાવી સંસ્થાઓ સાથે પણ સક્રિય હતા. આ સાથે જૈન સમાજમાં સેવાભાવી વ્યક્તિ તરીકે ઓળખ બનાવી હતી. આજે સાંજે 5 વાગ્યે ઉમરા ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સદગતનું બેસણું તા.18 ઓગસ્ટને રવિવારે બપોરે 3થી 5 દરમિયાન ઇન્ડોર સ્ટેડીયમ, ઘોડદોડ રોડ, સુરત ખાતે યોજવામાં આવ્યું છે.

August 17, 2024
bad_weather.jpg
1min259

રાજ્યમાં આગામી છ દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં 21-22 ઑગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં બે બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાંથી ચોમાસાએ હજુ વિદાય લીધી નથી. આગામી ત્રણ દિવસ પછી રાજ્યમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે. તેવામાં બે બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે અરબ સાગરમાં 20 ઑગસ્ટે સિસ્ટમ સક્રિય થતાં તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા કર્ણાટક સુધી વરસાદ લાવી શકે છે. બીજી તરફ, બંગાળના ઉપસાગરમાં 25થી 30 ઑગસ્ટ સુધીમાં સિસ્ટમ સક્રિય થવાથી તેની અસર ગુજરાતમાં જોવા મળશે.’

આ વિસ્તારમાં ખાબકી શકે છે ભારે વરસાદ

રાજ્યમાં બે બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે, ત્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, સિસ્ટમ સક્રિય થવાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળતા ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે ગાંધીનગર અને અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં સપ્ટેમ્બરની શરુઆતથી સારો એવો વરસાદ ખાબકી શકે છે.

18 ઑગસ્ટની આગાહી

18 ઑગસ્ટે રાજ્યના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

August 15, 2024
double-decker-train.jpg
1min244
Six coaches of Ahmedabad-Mumbai double-decker train derailed near Surat, leaving passengers stranded

દેશમાં એક પછી એક ટ્રેન અકસ્માતની ઘટનાઓ બની રહી છે. આજે આવી જ એક ઘટનામાં ગુજરાતમાં સુરત નજીક અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડતી ડબલ ડેકર ટ્રેનમાં છ ડબ્બા છુટી પડી જતાં મુસાફરો અટવાયા હતા. અમદાવાદ ડબલ ડેકર ટ્રેન મુસાફરોથી ભરેલી હતી તે દરમિયાન આ ઘટના બની હતી, ઘટનાની જાણ થતા રેલવેનો ટેકનિકલ સ્ટાફ તેમજ સ્ટેશન મેનેજર ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથધરી હતી. ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડતા મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા.

ટેકનિકલ ટીમે તપાસ હાથ ધરી

અમદાવાદથી ટ્રેન મુંબઇ તરફ જતી હતી ત્યારે ગોઠણ અને કુદસદ વચ્ચે ડબ્બા છૂટા પડયા છે. ડબલ ડેકર ટ્રેન સુરત પહોંચી તે વખતે અચાનક ટ્રેનના ડબ્બા છૂટા પડી જતા મુસાફરોમાં દોડધામ મચી હતી, જોકે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી, ટ્રેન પાટા પરથી નીચે ઉતરી ગઈ નથી, સાથે સાથે રેલવેની ટેકનિકલ ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી હતી, ટ્રેનના ડબ્બા કઈ રીતે છૂટા પડયા તે મામલે ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યુ છે.

રેલ વ્યવહારને અસર પડી

ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડતા રેલ વ્યવહારને અસર પડી રહી છે, અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ આવતી ટ્રેનો તેના સમય કરતા મોડી ચાલી રહી છે, ટ્રેનના ડબ્બાને જોડવામાં આવશે અને ત્યારબાદ ટ્રેન રવાના કરવામાં આવશે તેવુ રેલવે વિભાગ તરફથી માહિતી આપવામાં આવી રહી છે. ટ્રેન વ્યવહારને અસર થતા ટ્રેનો તેના સમય પ્રમાણે પહોંચી રહી નથી, જેને લીધે મુસાફરોએ હાલાકી ભોગવવી પડી છે.

August 1, 2024
WhatsApp-Image-2024-08-01-at-09.24.22-1280x960.jpeg
1min275

ઉપપ્રમુખ તરીકે ભીખુભાઈ ડી. નાકરાણી ખજાનચી તરીકે વસંતકુમાર એલ. લાખાણી


તા.1લી ઓગસ્ટે મળેલી સચીન ઇન્ડસ્ટીયલ કો.ઓ.સોસાયટી લી.ની કારોબારી સમિતિની બેઠકમાં સોસાયટીનાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. ચર્ચા વિચારણા બાદ સચિન ઇન્ડ. સોસાયટીના 2024-2025 વર્ષ માટેના નવા પ્રમુખ તરીકે નિલેશભાઈ એમ. ગામી, ઉપપ્રમુખ તરીકે ભીખુભાઈ ડી. નાકરાણી, સેક્રેટરી તરીકે મયુર જયવદન ગોળવાલા તથા ખજાનચી તરીકે વસંતકુમાર એલ. લાખાણીની બિનહરીફ વરણી કરવામાં આવી છે. મયુર જે. ગોળવાલા બીજી ટર્મ માટે સંસ્થાનાં સેક્રેટરી તરીકે ચુંટાઈ આવ્યા હતા.

સોસાયટીના કારોબારી સમિતિનાં ૧૭ સભ્યોની પાંચ વર્ષની મુદત માટેની ચૂંટણી ગત વર્ષે તા. ૨૨/૦૭/૨૩ નાં રોજ થયેલ હતી. જેમાં પરીવર્તન પેનલનાં ૧૬ સભ્યો જંગી બહુમતિથી ચુંટાઈ આવ્યા હતા. ચુંટણી દરમ્યાન ઉદ્યોગકારો વચ્ચે થયેલ ઘોષણા મુજબ ચુંટણીમાં વિજેતા થયેલ કારોબારી સમિતિનાં સભ્યોની પાંચ વર્ષની મુદત દરમ્યાન દર વર્ષે નવા હોદ્દેદારોની વરણી કરવાનું નકકી થયેલ. વળી જેના થકી દરેક સભ્યોને હોદ્દો મળ્યેથી પોતાનો અનુભવ અને વિચારો રજુ કરી કૂનેહપૂર્વક એસ્ટેટનાં વિકાસનાં કામ કરવાની આગવી તક તેઓને મળી રહે તે હકીકતે સોસાયટીનાં ઉપર જણાવેલ નવા હોદ્દેદારોની આજ રોજ બીન હરીફ વરણી કરવામાં આવેલ છે.

July 19, 2024
01-3.jpg
2min323

વિવર્સને ટેક્ષ્ટાઇલ મશીનરીના દેશ – વિદેશમાં યોજાતા એકઝીબીશનોની મુલાકાત લેવા અને મોડર્ન ટેકનોલોજી અપનાવવા અનુરોધ કરાયો

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના જીએફઆરઆરસી દ્વારા ગુરૂવાર, તા. ૧૮ જુલાઇ ર૦ર૪ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, SIECC, સરસાણા, સુરત ખાતે ‘વિવિંગ ટેકનોલોજીમાં તાજેતરના ડેવલપમેન્ટ’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફોગવાના પ્રમુખ શ્રી અશોક જીરાવાલા મહેમાન તરીકે ઉપસ્થિત રહયા હતા. આ સેમિનારમાં નિષ્ણાત વકતા તરીકે ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી અને પીકવેલ ટેક્ષ્ટાઇલ મશીનરીના ડિરેકટર શ્રી પરેશ ગોંડલીયાએ વિવિંગ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટમાં યાર્ન અને મશીનરીની ભૂમિકા વિશે ઉદ્યોગકારોને માર્ગદર્શન આપ્યું હતું.

SGCCIના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ સેમિનારમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ચાઇનામાં ૮ લાખ મોડર્ન લુમ છે, જ્યારે ભારતમાં દોઢ લાખ જ છે. દોઢ લાખમાંથી અડધા મોડર્ન લુમ તો સુરતમાં છે. વણાટ ઉદ્યોગમાં મોડર્ન લુમને કારણે પ્રોડકશન કવોલિટી ખૂબ જ સારી આવે છે અને પ્રોડકશનમાં પણ વધારો થાય છે, આથી વૈશ્વિક કક્ષાએ સ્પર્ધાત્મક બનવા માટે ઉદ્યોગકારોએ મોડર્ન લુમમાં જવું જ પડશે.

ફોગવાના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, કાપડના ઉત્પાદકો અત્યાર સુધી ડોમેસ્ટીક માર્કેટ પૂરતું જ કામ કરી રહયા છે પરંતુ હવે ગ્લોબલી માર્કેટમાં ઝંપલાવવાની જરૂર છે. એના માટે કાપડમાં રિસર્ચ કરવાની જરૂર છે. દેશ – વિદેશમાં યોજાતા વિવિધ એકઝીબીશનમાં ભાગ લેવાની જરૂર છે. પ્રોડકટને એક્ષ્પોર્ટ કરવા માટે તેમાં નવું કરવાની જરૂર છે.

ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ The way forward in Textile sector of World વિશે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સુરતમાં મેન મેઇડ ફેબ્રિકની આખી વેલ્યુ ચેઇન ઉપલબ્ધ છે. રો મટિરિયલ પણ સરળતાથી મળી જાય છે. ટેક્ષ્ટાઇલ મશીનરી, ટેકનોલોજી, સ્કીલ્ડ લેબર અને ટેક્ષ્ટાઇલ મેન્યુફેકચરીંગ માટે સુરતનું વાતાવરણ યોગ્ય છે. તેમણે ટેકનિકલ ટેક્ષ્ટાઇલમાં એગ્રીટેક, મેડીટેક, મોબીટેક, પેકટેક, સ્પોર્ટટેક, બિલ્ડટેક, કલોથટેક, હોમટેક, પ્રોટેક, જીઓટેક, ઇકોટેક અને ઇન્ડુટેક વિશે માહિતી આપી હતી.

શ્રી પરેશ ગોંડલિયાએ જણાવ્યું હતું કે, વિવિંગ ઇન્ડસ્ટ્રીમાં રેપિયર, વોટરજેટ અને એરજેટમાં હાઇસ્પીડ મશીનરી આવી છે. વર્ષ ર૦૧૦થી સુરતમાં વોટરજેટ આવ્યા છે. આ મશીનરી ઉપર કોઇપણ ફેબ્રિક સરળતાથી ચલાવી શકાય છે. એરજેટમાં વિવર્સ ભાઇઓ ડાયવર્ટ થઇ રહયા છે ત્યારે આગામી એક વર્ષમાં ફેબ્રિકની માંગ ખૂબ જ વધી જશે. સોલાર એનર્જીને કારણે પાવરની લિમિટેશન નીકળી જશે. સીમલેસ નીટીંગ દેખાશે અને નીટીંગને લગતા કપડા યુરોપમાં એક્ષ્પોર્ટ કરી શકાશે. યુરોપમાં કાપડનું મેન્યુફેકચરીંગ થતું નથી, આથી વૈશ્વિક માર્કેટમાં એક્ષ્પોર્ટ માટે ટેક્ષ્ટાઇલમાં અપડેટ થવું પડશે. તેમણે ટેક્ષ્ટાઇલ મશીનરીના દેશ – વિદેશમાં યોજાતા એકઝીબીશનોની મુલાકાત લેવા અને મોડર્ન ટેકનોલોજી અપનાવવા અનુરોધ કર્યો હતો.

જીએફઆરઆરસીના ચેરમેન શ્રી ગિરધરગોપાલ મુંદડાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. શ્રી અમરિષ ભટ્ટે સેમિનારનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, પૂર્વ પ્રમુખ શ્રી મહેન્દ્ર કાજીવાલા, શ્રી રશ્મી રંજન બિસ્વાલ, શ્રી મનિષ મુલે અને વિવર્સ ભાઇઓ સેમિનારમાં ઉપસ્થિત રહયા હતા. શ્રી ભગીરથ કળથિયાએ સેમિનારમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.

July 18, 2024
jatin-naik-spb.jpeg
1min430

ધી સૂરત પીપલ્સ કો ઓપ બેન્ક ના એમ. ડી. / સી. ઈ. ઓ. ડો. જતીન નાયક ની નિમણુંક દિલ્હી સ્થિત નેશનલ કાઉન્સિલ ઓફ કો ઓપરેટીવ ટ્રેનિંગ દ્વારા ચાલતા અભ્યાસક્રમ નક્કી કરવા માટેની કમિટીમાં કરવામાં આવી છે.

નેશનલ કાઉન્સિલ ફોર કોઓપરેટીવ ટ્રેનિંગના મુખ્ય સચિવ મોહનકુમાર મિશ્રાએ નિમણુંક અંગેનો પત્ર ડો. જતીન નાયકને પાઠવ્યો છે અને પહેલી મિટીંગ માટે નવી દિલ્હી તેડાવ્યા છે. ઊચ્ચ શૈક્ષણિક કારકિર્દી ધરાવતા સુરતની પીપલ્સ કો.ઓ. બેંકના એમડી અને ચીફ એક્ઝિક્યુટિવ ડો. જતીન નાયક હાલમાં ત્રણ યુનિવર્સીટીઓના બોર્ડ ઓફ સ્ટડીસના પણ મેમ્બર છે. સુરત પીપલ્સ બેન્કના બોર્ડ ઓફ ડિરેકટર્સ અને કર્મચારીઓએ એમની આ સિધ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. અને આવી દિર્ઘર્દષ્ટી તેમજ કર્તવ્યનિષ્ઠ વ્યકિત મેળવવા બદલ સંસ્થા ખૂબ જ ગર્વની લાગણી અનુભવે છે.

July 16, 2024
cia_windo-1-1280x793.jpg
1min284

મોહરમના તહેવાર નિમિતે સુરત શહેરમાં પારંપરિક રીતે તા 16/07/2024 ના મંગળવારે શહાદતની રાત્રે અને અને તા. 17/07/2024 બુધવારે યોવમે આસુરાના દિવસે તાજીયા જુલુસ શહેરના રાજમાર્ગ પર નીકળશે એવુ સુરત શહેર તાજીયા કમીટી પ્રમુખ અસદ કલ્યાણીએ જણાવ્યું હતું.

છેલ્લા 20 દિવસ થી સુરત શહેર તાજીયા કમીટીનું કાર્યાલય બેગમપુરા મુરગવાન ટેકરા ખાતે કાર્યરત હોઈ, સુરત શહેરના બેગમપુરા, સલાબતપુરા, નાનપુરા, સેયદપુરા, હરીપુરા, રામપુરા, ઇન્દરપુરા, ગધેવાન, ખાંડા કુવા, સેતરંજીવાડ, ઝાલાવાડ ટેકરા, ઝાંપાબઝાર, રાણીતળાવ, ગોપીતળાવ, રુસ્તમપુરા, સગરામપુરા, રૂદદરપુરા, લીંબાયત, રાંદેર, ઉધના, પાંડેસરા, ભેસ્તાન, ઉન વિસ્તારોમાં તાજીયાની સ્થાપના છેલ્લા નવ દિવસથી કરવામાં આવી છે અને તાજીયાઓ દર્શન માટે પડદાઓ ખોલવામાં આવ્યા હતા.

તાજીયા, સવારી, દુલ દુલ, અખાડા, પાણીના વાહનો, પાણીની પરબો, ઘોડા, પરીની મળીને 350થી વધુ પરમીટ ફોર્મ ભરવામાં આવ્યા છે, સહાદાતની રાત્રે (મંગળવારે) સુરત કોટ વિસ્તારના તાજીયાઓ ઝાંપાબાઝાર એકત્રિત થશે ત્યાં રાત્રે શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોત શ્રીફળ વધેરી તાજીયા જુલુસને આગળ વધારશે. આ જુલુસ મોતી સિનેમાથી મુંબઈવડ થઇ નવાબસાહેબના નવાબ મહેલે જઈ પરત પોત પોતાના સ્થાનક ઉપર થશે.

બુધવાર યોવમે આસુરા ના દિવસે તજીયા ઠંડા થવાના દિવસ લીંબાયત, સલાબતપુરા અને સુરત કોટ વિસ્તારના તાજીયા ભાગળ ચાર રસ્તે ભેગા થઈ રાજમાર્ગથી લાલગેટથી ગત વર્ષના રૂટ, ફાયદાબજારથી ક્રાઉન ડેરી, મુગલીસરા મહાનગર પાલીકાથી આઈપી મિશન સ્કુલ થઇ ચકલાબઝારથી હોડી બંગલા ખાતે તાજીયા ઠંડા કરવામાં આવશે.

ભાગળ ચાર રસ્તે કોમી એકતાનો મહાકાર્યક્રમમાં સાંજે 5.30 કલાકે યોજાશે. વહેલા તે પહેલા આવનારા 10 તાજીયાને સંત શ્રી અંબરીષાનંદ મહારાજ, મેયર દક્ષેશ માવાણી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સાંસદ મુકેશ દલાલ સહિતના મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવાનો કાર્યક્રમ રાખવામો આવ્યો છે. જુલુસ દરમિયાન તાજીયા કમીટીના 1500થી વધુ સ્વયંવસેવકો ખડેપગે સેવા આપશે.

July 15, 2024
surat-airport.png
1min313

ગત ડિસેમ્બર 2023માં સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ સપ્તાહમાં સાતેય દિવસ ચોવીસે કલાક ઓપરેશનલ એરપોર્ટ જાહેર કર્યા બાદ આ પ્રકારનું સ્ટેટસ ફક્ત નામ પૂરતું રહી ગયું છે. સુરતનું એરપોર્ટ અર્થપૂર્ણ રીતે ઇન્ટરનેશનલ એરપોર્ટ બને તે માટે 11 જેટલા ટોપ પ્રાયોરિટીના કામો તાત્કાલિક પૂર્ણ કરવા માટે વી વોન્ટ વર્કીંગ એરપોર્ટ એટ સુરત WWWAS ગ્રુપ દ્વારા કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય સુધી રજૂઆતોનો દૌર ચલાવવામાં આવી રહ્યો છે.

સુરત એરપોર્ટ માટે સતત સક્રીય WWWAS ગ્રુપના સંજય જૈને જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ પર જે પ્રકારે પેસેન્જર ટ્રાફિક મળી રહ્યો છે, એ પ્રકારની ફ્લાઇટ્સ નથી મળી રહી. તેનું મુખ્ય કારણ એ છે કે સુરત એરપોર્ટનો સમાવેશ કેન્દ્ર સરકારની બાયલેટરલ પોલિસીમાં નથી કરાય રહ્યો એ છે. આથી WWWASની માગણી છે કે સુરત એરપોર્ટને બાયલેટરલ કોન્ટ્રાક્ટ પોલિસીમાં સમાવિષ્ટ કરવામાં આવે જેથી કરીને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ મળી શકે અને પ્રાઇવેટ એરલાઇન્સ સાથે વૈશ્વિક ડેસ્ટીનેશનના જોડાણો સુરતને મળી શકે.

તેમણે કહ્યુંકે નવા ટર્મિનલ બિલ્ડીંગને મંજૂરી મળવી જોઇએ જેથી ચોવીસ કલાક અને સાતેય દિવસ ખરા અર્થમાં તેનો ઉપયોગ કરી શકાય. સાથોસાથ પેરેલલ ટેક્સી-વે કે જેનું કામ વર્ષોથી ખોરંભે પડ્યું છે તેને પણ ત્વરીત પૂર્ણ કરવામાં આવે. જૂનું ટર્મિનલ છે તેનો પણ વિસ્તાર કરવામાં આવે જેથી મુસાફરોની સુવિધા વધારવામાં એ ઉપયોગી નિવડી શકે. સુરતથી દેશના અન્ય ડેસ્ટીનેશન પર કાર્ગો સર્વિસ ઓપરેટ થઇ રહી છે, હવે કાર્ગો સેક્ટરમાં વન સ્ટેપ અહેડ જતા ઇન્ટરનેશનલ કાર્ગો ફેસેલિટી પણ સુરતથી શરૂ થાય તો હીરા અને ટેક્ષટાઇલ ઉદ્યોગને તેનો સીધો ફાયદો મળી શકે. આ સર્વિસથી અસરસપરસ બન્નેને લાભ થઇ શકે તેમ છે.

WWWASના સંજય જૈને કહ્યું કે હાલ શારજાહ અને દુબઇની ફ્લાઇટ ચાલી રહી છે, સુરત એરપોર્ટથી ડાયરેક્ટ ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી વિસ્તરે તે માટે બેંગકોક અને સિંગાપોરની ફ્લાઇટ શક્ય એટલી ઝડપથી થાય તેવા પ્રયાસો કરવા જોઇએ. તેમણે કહ્યું કે સુરતથી દોહા સુધીની કનેક્ટીવિટી જો સુરત એરપોર્ટને મળી શકે, કતાર એરવેઝ સાથે આ માટે જોડાણ થઇ શકે તો દોહાથી સમગ્ર વિશ્વ સાથે સુરત એરપોર્ટ જોડાઇ શકે અને સિંગલ પીએનઆરથી સુરતથી જ મુસાફરો ટ્રાવેલ કરી શકે તેમ છે. એવી જ રીતે ડોમેસ્ટીક કનેક્ટિવિટી વધારવા માટે સરકાર સુરત એરપોર્ટના મુસાફરોનાં આંકડાઓ ધ્યાનમાં લે. અંતમાં WWWAS સુરત એરપોર્ટ માટે એક કાયમી એરપોર્ટ ડાયરેક્ટરની ત્વરીત નિમણૂંક કરવામાં આવે એવી પણ માગણી કરી છે.