CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 24 of 79 - CIA Live

December 6, 2021
Cia_business_news-1280x936.jpg
1min661

યાર્ન એક્ષ્પોમાં અવનવા યાર્ન આવ્યા છે, જેના વિવિંગ મશીનો ઉપર સીધો ઉપયોગ થવાથી પ્રોડકટ કોસ્ટમાં પણ ઘટાડો થશે, જેથી કરીને સુરતના વિવર્સ નવા ફેબ્રિકનો આવિષ્કાર કરી શકશે અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બની શકશે : આશીષ ગુજરાતી

યાર્ન એક્ષ્પોમાં કેળાના અને મકાઇના રેસામાંથી બનાવવામાં આવેલું ફાઇબર આકર્ષણનું કેન્દ્ર, પ્રથમ દિવસે દેશભરમાંથી બાયર્સ એક્ષ્પોની મુલાકાતે ઉમટી પડયા

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે તા. પ થી ૭ ડિસેમ્બર, ર૦ર૧ દરમ્યાન સવારે ૧૦ઃ૦૦થી સાંજે ૬ઃ૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૧’ યોજાયો છે. રવિવાર, તા. પ ડિસેમ્બર, ર૦ર૧ના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે ભારતના ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશના હસ્તે યાર્ન એક્ષ્પોનું ભવ્ય ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ટેકસટાઇલ કમિશનર રૂપ રાશી (આઇ.એ. એન્ડ એ.એસ.), સુરતના મેયર હેમાલી બોઘાવાલા અને સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે સમગ્ર ભારત, દેશની આઝાદીના ૭પ મા વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદીનું અમૃત મહોત્સવ ઉજવી રહયું છે. ચેમ્બરની સ્થાપનાને પણ ૮૧ વર્ષ પૂર્ણ થયા છે અને જોગાનુજોગ સિન્થેટિક યાર્નના ઉત્પાદનને પણ ૮૦ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સુરતનો વિકાસ સિન્થેટિક યાર્નને કારણે થયો છે તથા સિન્થેટિક યાર્નનો વિકાસ પણ સુરતની ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીને કારણે થયો છે. ભારતમાં કાપડનો વેપાર વિશ્વમાં બીજા ક્રમાંકે છે. જ્યારે સુરત, એમઇજીપીટીએથી લઇને ફેબ્રિકના ઉત્પાદનમાં ભારતમાં અગ્રેસર છે. ચીન પછી મોડર્ન વિવિંગના સૌથી વધુ એકમો સુરતમાં છે. ભારતમાં દર વર્ષે ૧૯ લાખ મેટ્રીક ટન પોલિએસ્ટર યાર્ન બને છે. એમાંથી પ૦ ટકાથી વધારેનો ઉપયોગ સુરતમાં થાય છે. નાયલોન અને વિસ્કોસ યાર્નનો ૯૦ ટકા જેટલો ઉપયોગ સુરતમાં થાય છે. ડેનીમ અને લિનન ફેબ્રિકના ઉત્પાદનમાં સુરત, ભારતમાં બીજા ક્રમાંકે આવી ગયું છે.

સુરત લગભગ દરેક પ્રકારના યાર્નના વપરાશમાં અગ્રેસર છે. સુરતમાં વિવિધ પ્રકારના યાર્નનો ઉપયોગ કરીને ફેબ્રિક તૈયાર કરવામાં આવે છે.  કેળાના અને મકાઇના રેસામાંથી ફાઇબર બનાવવામાં આવ્યું છે. આ રેસામાંથી યાર્ન બનાવવાની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે. બોટલમાંથી રિસાયકલ કરીને બનાવવામાં આવેલું યાર્ન પણ આ પ્રદર્શનમાં મુકાયેલું છે. સુરતના નીટર્સ અને વિવર્સને ઉત્પાદન માટે જરૂરી તમામ પ્રકારના યાર્ન પ્રદર્શનમાંથી મળી રહેશે. જેથી કરીને સુરતના વિવર્સ નવા ફેબ્રિકનો આવિષ્કાર કરી શકશે અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બની શકશે.

ભારતના ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ત્રણ જેટલી નીતિ જાહેર કરવામાં આવી છે અને તેમાં સૌથી વધુ લાભ સુરતના ઉદ્યોગકારોને જ થવાનો છે. ફાર્મ ટુ ફાઇબર, ફાઇબર ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફેશન અને ફેશન ટુ ફોરેન આ બધામાં ફાઇવ એફની ટેકનોલોજીમાં સુરત જ મદદરૂપ થવાનું છે. તેમણે પીએલઆઇ સ્કીમમાં સુરતના ઉદ્યોગકારોને જોડાવવા માટે અનુરોધ કર્યો હતો. બે વર્ષ દરમ્યાન સરકારની રોડટેપ અને આરઓટીસીએલ યોજનાનો લાભ લેવાના છે. ત્રીજા વર્ષથી સરકારની સબસિડી મળતી થશે. ટફની સ્કીમના સરવે કરી ડેટા બનાવ્યા છે. ત્યારબાદ સ્ટેક હોલ્ડરની સાથે મિટીંગ કરી હતી. જેમાં કેન્દ્રીય ટેકસટાઇલ મંત્રી પીયુષ ગોયલ પણ ઉપસ્થિત રહયા હતા. લાંબી ચર્ચા વિચારણાને અંતે લેવાયેલા નિર્ણય મુજબ ઉદ્યોગકારોના ટફની સબસિડી રિલીઝ થતી જશે.

ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં જીએસટી ટેકસ રેટમાં થયેલા ફેરફારને કારણે ઉભી થયેલી ઉદ્યોગકારોની સમસ્યાનું નિરાકરણ સરકાર દ્વારા જ લાવવામાં આવશે. ટેકસટાઇલ વેલ્યુ ચેઇનમાં કઈ રીતે આગળ વધવું તે અંગે મનોમંથન ચાલી રહયું છે. સરકાર કાયમ સુરતની ઇન્ડસ્ટ્રી સાથે રહી છે. હમેશા ઇન્ડસ્ટ્રીના ફેવરમાં જ કામ કર્યું છે અને ભવિષ્યમાં પણ કરતા રહીશું. સુરતમાં દરેક ઇન્ડસ્ટ્રી એકબીજા સાથે મળીને કામ કરી રહી છે ત્યારે ટેકસટાઇલ વેલ્યૂ ચેઇનમાં ઉદ્યોગકારોને એકબીજાને મદદરૂપ થવાની સલાહ તેમણે આપી હતી. તેમણે બુલેટ ટ્રેન, વંદે ભારત ટ્રેનો અને દેશમાં બની રહેલા નવા ૭પ રેલ્વે સ્ટેશનોની માહિતી આપી કહયું હતું કે, સુરત માટે ગોલ્ડન પિરીયડ છે અને સરકાર ઉદ્યોગકારોની સાથે છે.

દેશના ટેકસટાઇલ કમિશનર રૂપ રાશીએ જણાવ્યું હતું કે, યાર્ન એક્ષ્પોની મુલાકાત દરમ્યાન જુદા–જુદા પ્રકારના યાર્ન તથા તેની કવોલિટી વિશે જાણવા મળ્યું છે. આ યાર્નને લોકો સુધી પહોંચાડવાનું મહત્વનું કામ એક્ષ્પો દ્વારા કરવામાં આવી રહયું છે, જે ખૂબ સારી બાબત છે. તેમણે કહયું કે, ઇન્ડસ્ટ્રીને પડતી વિવિધ સમસ્યાના ઉકેલ માટે ડેટાની જરૂર પડે છે. આથી તેમણે ઉદ્યોગકારોને ઇન્ડસ્ટ્રીના ડેટા આપવા માટે અનુરોધ કર્યો હતો.

સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા બે વર્ષ પહેલા યોજાયેલી યાર્ન એક્ષ્પોની બીજી આવૃત્તિમાં નવું યાર્ન શોધાયું હતું. આ યાર્નનું નામ જ વિચિત્ર યાર્ન છે. આ યાર્ન છેલ્લા બે વર્ષથી ચાલે છે. છેલ્લા બે વર્ષથી રોજનું પ૦ લાખ મીટર કપડું આ યાર્નમાંથી બને છે. આ યાર્નમાંથી બનતા ફેબ્રિકની રૂપિયા ર૦ની કોસ્ટીંગ છે. એટલે કે રોજના ૧૦ કરોડ રૂપિયા. એક વર્ષની વાત કરીએ તો રૂપિયા ૭૩૦ કરોડ ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં લાવવા માટે ચેમ્બરનો યાર્ન એક્ષ્પો આભારી છે. અંતે તેમણે સુરત શહેરને વધુ યાર્ન આપવાની દિશામાં પ્રયાસ કરવા ઉદ્યોગકારોને સૂચન કર્યું હતું. કારણ કે યાર્નને કારણે જ વિવિંગ ઉદ્યોગનો વિકાસ વધુ ઝડપી ગતિએ થશે. તેમણે ઉદ્યોગકારોને ઇલેકટ્રીક વ્હીકલ ખરીદવા અનુરોધ કર્યો હતો.

December 3, 2021
Cia_business_news-1280x936.jpg
2min730

Jayesh Brahmbhatt 98253 44944

ટેક્ષટાઇલ સિટી સુરતમાં રવિવાર તા.5 ડિસેમ્બરથી ત્રણ દિવસ માટે યાર્ન એક્ષ્પો યોજાઇ રહ્યો છે. કપડું બનાવવા માટે સૌથી પાયાની જરૂરીયાત અને સૌથી પહેલું પગલું જ યાર્ન ટ્વીસ્ટ કરવાનું હોય છે. સુરતનો કપડા ઉદ્યોગ અને યાર્ન બન્ને એકબીજાના પર્યાય છે, આવી સ્થિતિમાં સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યોજાનાર યાર્ન એક્ષ્પોની આ ત્રીજી આવૃતિ છે અને જેમાં એક એકથી ચઢીયાતી વેરાઇટીના યાર્નની કુલ 150થી વધુ જાતોનું ડિસ્પ્લે કરવામાં આવશે.

સુરતના અંદાજે 25 હજાર જેટલા વીવીંગ કારખાનેદારો, યાર્નના વેપારીઓ, યાર્ન દલાલો વગેરે ત્રણ દિવસમાં એક્ષ્પોની મુલાકાત લે તેવા અંદાજ સાથે આયોજન કરવામાં આવ્યું છે.યાર્ન એક્ષ્પોમાં સૌથી વધુ આકર્ષણ 100 ટકા રિસાઇકલ યાર્ન બનશે એમ મનાય છે. પ્લાસ્ટીકની વપરાય ચૂકેલી બોટલોને રિસાઇકલ કરીને તેમાંથી યાર્ન તૈયાર કરવામાં આવે છે અને એ યાર્નમાંથી જુદી જુદી જાતના ફેબ્રિક તૈયાર કરવામાં આવે છે. આ યાર્નને પહેલી વખત સુરતમાં ડિસ્પ્લે થવા જઇ રહ્યું છે.

Welcome to Yarn Expo 2021 - An International Trade Show - Organized By  SGCCI - 05 to 07 December, 2021

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે દર વર્ષે યોજાતા જુદા જુદા એક્ષ્પોની શ્રેણી અંતર્ગત ચાલુ વર્ષના બીજા પ્રદર્શન તરીકે ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૧’નું આયોજન રવિવાર તા.પથી ૭ ડિસેમ્બર દરમિયાન સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે કરવામાં આવ્યું છે.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે પ્રદર્શનમાં દેશભરના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે અને તેને કારણે દરેક વેરાયટીના યાર્ન જેવા કે પોલિએસ્ટર, નાયલોન, વિસ્કોસ, કોટન અને કેટોનિક વિગેરેનું એકજ સ્થળે પ્રદર્શન કરાશે.

ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, યાર્ન પ્રદર્શનમાં બનાના ફાયબર તથા તેમાંથી બનેલા વિવિધ કાપડ તથા અન્ય પ્રોડકટનું પ્રદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત રિસાયકલીંગ યાર્નના મેન્યુફેકચરર્સ પણ યાર્ન પ્રદર્શનમાં તેમની પ્રોડકટનું પ્રદર્શન કરશે.

યાર્ન એક્ષ્પો– ર૦ર૧ના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન અંદાજે ૧૦,પ૦૦ ચો.મી. વિસ્તારમાં યોજાનાર છે અને એમાં ૭પથી વધુ એકઝીબીટર્સ ભાગ લઈ રહયા છે. સુરત ઉપરાંત મુંબઇ, અમદાવાદ, દાદરાનગર હવેલી, નવસારી, કોઇમ્બતુર, ફરીદાબાદ, તામિલનાડુના પોલાચી અને ઇરોડે, સિકંદરાબાદ, ચેન્નાઇ અને પાણીપતના એકઝીબીટર્સોએ પ્રદર્શનમાં ભાગ લીધો છે. આશરે ૧પ હજારથી વધુ બાયર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા છે.

આ પ્રકારના યાર્ન આકર્ષણનું કેન્દ્ર બનશે

  • 1. ટેનસેલ લકસ યાર્ન (અહિંસક સિલ્ક, વિગન સિલ્ક)
  • 2. બનાના યાર્ન (કેળાનો કાંતો)
  • 3. બામ્બુ યાર્ન (વાંસનો કાંતો)
  • 4. પ્લાસ્ટીકની બોટલમાંથી બનાવવામાં આવેલું ૧૦૦ ટકા રિસાયકલ પોલિએસ્ટર યાર્ન
  • 5. એન્ટીમાઇક્રોબિઅલ યાર્ન – મેડીકલ ઉપયોગ માટે
  • 6. વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન (ડાઇડ યાર્ન)
  • 7. નાયલોન રિસાયકલ યાર્ન (જીઆરએસ પ્રમાણિત ૧૦૦ ટકા રિસાયકલ યાર્ન)
  • 8. વિસ્કોસ સ્પન યાર્ન
  • 9. પોલિએસ્ટર સ્પન યાર્ન
  • 10. નાયલોન એન્ડ પોલિએસ્ટર હાઇટેનાસિટી યાર્ન – ઔદ્યોગિક ઉપયોગ માટે
  • 11. ડાઇડ યાર્ન, ફેન્સી યાર્ન
  • 12. કોટન તથા અન્ય નેચરલ યાર્ન

ફેબ્રિક મેન્યુફેક્ચરર્સ માટે અત્યંત ઉપયોગી બની રહેશે

યાર્ન એક્ષ્પોમાં એકઝીબીટર્સ દ્વારા નેચરલ અને મેનમેડ ફેબ્રિકસમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલીસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ વગેરે ઉત્પાદનો પ્રદર્શિત કરનાર છે. એ ઉપરાંત ઈલાસ્ટીક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, ડોપ ડાઈડ સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલેન્જ જેવા વિવિધ સ્પેશિયાલિટી ફાઈબર પણ જોવા મળશે.

નવસારી કૃષિ યુનિવર્સિટીને યાર્ન સંશોધન માટે ખાસ સ્ટોલ ફાળવાયો

નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થકી કેળા અને મકાઇના ફાયબરમાંથી બનાવવામાં આવેલા યાર્નને પણ આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવનાર છે, ખાસ કરીને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની પ્રવૃત્તિને વેગ આપવા માટે આ પ્રોડકટને પ્રદર્શિત કરવા માટે  ચેમ્બર દ્વારા સ્ટોલ બિલકુલ વિનામૂલ્યે ફાળવવામાં આવ્યો છે. 

December 3, 2021
income-tax-raid.jpg
1min530

સુરતમાં લાંબા અરસા બાદ ઇન્કમ ટેક્સ વિભાગે આજે જાણિતા બિલ્ડર વેલજી શેટાની બિલ્ડીંગ કન્સ્ટ્રકશન કંપની તેમજ કેટલાક જ્વેલર્સને ત્યાં દરોડા પાડવાની કાર્યવાહી આજે તા.3 ડિસેમ્બરે વહેલી સવારથી હાથ ધરી હતી. ઇન્કમ ટેક્સ વિભાગની અમદાવાદ અને સુરતની ટીમ દ્વારા આજે સંયુક્ત રીતે આ તપાસ હાથ ધરવામાં આવી છે. આઇ.ટી. દરોડાની કાર્યવાહી શહેરના જાણિતા બિલ્ડીંગ ગ્રુપ, સંગીની ગ્રુપ, અરિહંત ગ્રુપ, અશેષ દોષી, મહેન્દ્ર ચંપક ગ્રુપ ખાતે ઈન્કમ ટેક્સ ડીડીઆઈ વિંગના દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બધુ મળીને સુરત શહેર સહિત અંદાજે 30 સ્થળો પર ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.

વેલજી શેટા શહેરના બિલ્ડર્સમાં સૌથી મોટું માથું ગણાય છે અને તેમનું ગ્રુપ પણ મોટું છે. શહેરમાં મોટા ગજાના લગભગ દરેક બિલ્ડર્સ સાથે તેમના વ્યવહારો હોઇ શકે. તદુપરાંત તાજેતરમાં જ તેઓ ક્રેડાઇ સુરત બ્રાન્ચના પ્રમુખ પદેથી નિવૃત થયા છે. તેમને ત્યાં ઇન્કમટેક્સના દરોડાની વાત સાંભળીને શહેરના અનેક નાના મોટા બિલ્ડર્સ તથા દલાલાઓ આજે તેમની ઓફિસો બંધ રાખવાનું મુનાસિબ માન્યું હતું.

November 27, 2021
fires.jpg
1min510
Gujarat: Fire Breaks Out At Rani Sati Dyeing Mill in Surat (Watch Video) |  ???? LatestLY

સુરતના ઇન્ડસ્ટ્રીટલ એરીયા, પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી રાણી સતી ટેક્ષટાઇલ મિલમાં આજે તા.27મી નવેમ્બર 2021ની સવારે 10 વાગ્યાના સુમારે ભીષણ આંગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં હોહા મચી ગઇ હતી. આગને જોતા તેને મેજર કોલ તરીકે ગણીને ફાયર બ્રિગેડની 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગના ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા બે કિલોમીટર સુધી જોઇ શકાતા હતા. ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો ચલાવી 2 કલાકેની જહેમતે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી. મળતી પ્રાથમિક માહિતી મુજબ આજે સવારે રાની સતિ મિલમાં રાબેતા મુજબ બોઇલર પાસે રૂટીન કામ ચાલતું હતું. એ દરમિયાન ઓઈલ લીકેજ થવાથી કેમિકલમાં સ્પાર્ક થતાં જ જોતજોતાંમાં ભીષણ આગ ફાટી નીકળી હોઇ શકે.

પાંડેસરા જીઆઇડીસીની રાણી સતી ડાઇંગ મિલમાં આગ લાગતાં ફાયર વિભાગને પાંચ ગેટની બહારથી 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો શરૂ કર્યો હતો અને આગને કાબૂમાં લેતા બે કલાક થયા હતા. ડાઇંગ પ્રિન્ટિંગની અંદર જે કેમિકલ અને યાર્નનો ઉપયોગ થાય છે એ પેટ્રોલિયમ પદાર્થોથી તૈયાર થતો હોય છે અને એને કારણે એ ખૂબ જ્વલનશીલ હોય છે. આ પદાર્થ પર સાદા પાણીથી કંટ્રોલ કરવો ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે, તેથી ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો કર્યો હતો.

સુરતના મેયર હેમાલી બોઘાવાલા ઘટના સ્થળ પર પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે જણાવ્યું કે, આગ કાબૂમાં આવી ગઈ છે અને કૂલિંગનું કામ ચાલી રહ્યો છે. સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગ લાગે ત્યારે ફાયર વિભાગના જવાનો આવે એ પહેલાં મિલના કેટલાક કર્મચારીઓ દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. શહેરની મોટા ભાગની ફાયર વિભાગની ટીમોએ પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

હાલમાં જ ત્રણ દિવસ બંધ રહ્યા બાદ આજે મિલ ચાલુ કરવા સમયે ઘટના બની હોવાનું બહાર આવ્યું છે. રાની સતિ મિલનું સ્ટ્રક્ચર અંદાજે 30 વર્ષ કરતાં પણ જૂની હોવાથી નબળું પડી ગયુ હોવાને કારણે ફાયરબ્રિગેડે સિફતપૂર્વક ઓગ ઓલવવાનું મુશ્કેલ બની રહ્યું હતું.

November 26, 2021
sumullogo.jpg
1min477

ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ વર્ગીસ કુરિયનની આજે તા.26મી નવેમ્બર 2021ના રોજ 100મી જન્મ જયંતિના ઉપલક્ષમાં સુરતમાં સુમુલડેરી દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. વર્ગીસ કુરિયને દુધ ક્રાંતિ કરવા માટે આપેલું યોગદાન અને ભારતને વિશ્વમાં સૌથી મોટા દુધ ઉત્પાદક બનાવવા પાછળ રહેલી તેમની દીર્ઘદ્રષ્ટી અંગે સુરતના લોકો વાકેફ થાય તેમને જાણકારી મળે તે માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુમુલ ડેરીના ચેરમેન માનસિંગભાઇના હસ્તે રેલીને ફ્લેગ ઓફ

સુમુલ ડેરી અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સયુંક્ત ઉપક્રમે રેલી યોજાઈ. - Divya Bhaskar

સમગ્ર દેશમાં દર વર્ષે આજનો દિવસ તા.26મી નવેમ્બર ડો. વર્ગીસ કુરીયનના જન્મદિનને નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવાય છે. આ પ્રસંગે આજે સુમુલ ડેરીના મુખ્ય દરવાજેથી ચેરમેન શ્રી માનસિંગભાઇએ 100 બાઈકની રેલીને પ્રસ્તાન કરાવ્યું હતું. આ પ્રસંગે નિયામક મંડળ તથા ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને સુમુલ ડેરીના સયુંકત ઉપક્રમે યોજાયેલી આ રેલી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી હતી.

સાત વિસ્તારમાં ફરી રેલીનું સમાપન થશે.

સવારે 8 કલાકે પ્રસ્થાન પામેલી સુમુલ ડેરીની બાઇક રેલી સુમુલડેરીએથી નીકળીને કિરણ હોસ્પિટલ થઇને ચંદ્રશેખર આઝાદ પુલ પરથી નવયુગ કોલેજ રાંદેર રોડ પર આગળ વધી હતી. માર્ગમાં ઠેરઠેર રાહદારીઓ, વાહનચાલકોએ સુમુલ ડેરીની બાઇક રેલી તથા તેને યોજવાના કારણ અંગે પૂચ્છા કરતા ડો.વર્ગીસ કુરીયનની યાદો તાજી થઇ હતી. નવયુગ કોલેજ પાસે રેલીએ થોડા વિરામ ત્યાંથી આનંદ મહલ રોડ, પ્રાઇમ આર્ખેડ થઇને હની પાર્ક રોડથી વાયા એલપી. સવાણી રોડ ટીજીબી સર્કલ પાસે પહોંચી હતી. માર્ગમાં ઠેરઠેર લોકોને સુમુલ ડેરીની આ બાઇક રેલી અંગે કૂતુહલ સર્જાયું હતું.

એલપી સવાણી રોડ ટીજીબી સર્કલથી રેલી પાલ આરટીઓ, ઉમરા પુલ પર થઇને એસવીએનઆઇટી સુધી પહોંચી હતી. એસવીએનઆઇટીથી પારલે પોઇન્ટ થઇને સાયન્સ સેન્ટર પહોંચી હતી. જ્યાં પાંચ મિનિટના વિરામ બાદ સાયન્સ સેન્ટરથી સિટીલાઇટ, કેનાલ રોડ, જોગર્સ પાર્ક થઇને વાયા ઘોડદોડ રોડ, મજૂરાગેટ થઇને પરત સ્ટેશન, સુમુલ ડેરી પર વિરામ પામી હતી.

ડો.વર્ગીસ કુરીયન

ડો. વર્ગીસ કુરિયનની દીર્ઘદ્રષ્ટિના કારણે શ્વેતક્રાંતિનુ સર્જન થયું હતું. આજે વિશ્વભરમાં અમુલ પ્રોડક્ટનું એક ડેરી ઉદ્યોગમાં અલગ જ સ્થાન છે. ડેરી પ્રોડક્ટ આજે વિશ્વની સમકક્ષ આપણે આવીને ઊભા છીએ. શ્વેતક્રાંતિના કારણે દેશભરમાં કરોડોની સંખ્યામાં લોકોને રોજગારી ઊભી થઈ છે. પશુપાલકને એક ઉદ્યોગ તરીકે સ્થાપિત કરવામાં તેમણે સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. નાના નાના ગામોમાં પણ આજે આધુનિક રીતે પશુપાલકો અને અમૂલ ડેરીના સંચાલકો સંકલન કરીને વધુમાં વધુ ગુણવત્તા સભર દૂધ મળી રહે તેવા પ્રયાસો કરી રહ્યા છે.

November 25, 2021
Cia_business_news-1280x936.jpg
1min588

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના લિડરશીપમાં સુરતના વીવીંગ ઉદ્યોગકારોના જુદા જુદા સંગઠનો દ્વારા છેલ્લા બે મહિનાથી ચલાવવામાં આવેલી પોલીએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગૂ નહીં કરવા સંદર્ભની લડત રંગ લાવી છે અને હવે એ વાત નિશ્ચિત બની ચૂકી છે કે આખા ભારતના વીવીંગ ઉદ્યોગકારો પૈકી સુરતના વીવર્સ જેનો સૌથી વધુ ઉપયોગ કરે છે એ પોલિએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડવાની કેન્દ્ર સરકારની કોઇ યોજના નથી.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની રજૂઆત તથા ટેકસટાઇલ મંત્રી પીયુષ ગોયલ અને ટેકસટાઇલ રાજ્ય મંત્રી દર્શના જરદોશના અથાગ પ્રયત્નને કારણે પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગતા વિવિંગ – નિટીંગ ઇન્ડસ્ટ્રીને મોટી રાહત

ભારતમાં ચાઇના, ઇન્ડોનેશિયા અને વિયેતનામથી આયાત થતા પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવા માટે ડીજીટીઆર દ્વારા ભલામણ થઇ હતી. ૧૮ નવેમ્બર, ર૦ર૧ના રોજ પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવાની ડેડલાઇન પૂરી થઇ, નાણાં મંત્રાલય તરફથી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નહીં

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતી જણાવે છે કે, ડીજીટીઆર દ્વારા તા. ૧૯ ઓગષ્ટ, ર૦ર૧ના રોજ ભારતમાં ચાઇના, ઇન્ડોનેશિયા અને વિયેતનામથી આયાત થતા પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવા માટે ભલામણ કરવામાં આવી હતી. જેના વિરોધમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ફિઆસ્વી દ્વારા ભારત સરકારના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ટેકસટાઇલ્સ, કન્ઝયુમર અફેર્સ અને ફૂડ એન્ડ પબ્લીક ડિસ્ટ્રીબ્યુશન મંત્રી પીયુષ ગોયલ, દેશના ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ, ટેકસટાઇલ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદ સિંગ અને ટેકસટાઇલ કમિશનર રૂપ રાશીને પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી, વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાલા, ફિયાસ્વીના ચેરમેન ભરત ગાંધી, અગ્રણી મયુર ગોળવાલા વગેરેએ કેન્દ્ર સરકાર સમક્ષ અસરકારક રીતે રજૂઆતો કરીને પોલીએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગૂ કરવાની ભલામણનો પૂરજોશથી વિરોધ કર્યો હતો

દરમ્યાન તા. ૮ નવેમ્બર, ર૦ર૧ના રોજ નવી દિલ્હી ખાતે ટેકસટાઇલ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદ સિંગ દ્વારા એક ખાસ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતી અને પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટી તરફથી મયુર ગોળવાલા તથા ડીજીટીઆરમાં આ અંગે અરજી કરનારા આઠ મેન્યુફેકચરર્સ પણ ઉપસ્થિત રહયા હતા. ચેમ્બર દ્વારા પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે તે સંદર્ભે તમામ પાસાઓ રજૂ કરવામાં આવ્યા હતા.

મિટીંગના અંતે ચેમ્બરે, અધિકારીઓ અને એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવા માટે અરજી કરનારાઓને પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે તે માટે સહમત કર્યા હતા. તા. ૧૮ નવેમ્બર, ર૦ર૧ના રોજ પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવાની ડેડલાઇન પૂરી થતી હતી. કસ્ટમના નિયમ અનુસાર ડીજીટીઆરનું ફાઇનલ ફાઇન્ડીંગ રજૂ થયાના ત્રણ મહિનાની અંદર નાણાં મંત્રાલય દ્વારા કાર્યવાહી કરી નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે. પરંતુ આ સંદર્ભે ત્રણ મહિના વિતિ ગયા બાદ પણ નાણાં મંત્રાલય દ્વારા કોઇ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી. એનો સીધો મતલબ એ થાય છે કે પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવામાં આવી નથી.

ચેમ્બર તથા ફિઆસ્વીની સતત રજૂઆતો તથા મંત્રી દર્શના જરદોશના અથાગ પ્રયાસોને કારણે પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગતા વિવિંગ અને નિટીંગ ઉદ્યોગને ઘણી મોટી રાહત થઇ છે. આથી ચેમ્બરના સૂચનોને ધ્યાનમાં લેવા માટે ચેમ્બર દ્વારા કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ, રાજ્ય મંત્રી દર્શના જરદોશ, ટેકસટાઇલ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદ સિંગ અને ટેકસટાઇલ કમિશનર રૂપ રાશીનો આભાર માનવામાં આવ્યો હતો.

November 23, 2021
cia_multi-1280x1045.jpg
1min629

સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના મેનેજમેન્ટના ભાગરૂપે ઉદ્યોગપતિ મહેન્દ્ર રામોલિયા અને તેમની ટીમે આજે સચિન હજીરા હાઇવેથી સુરત અવરજવર કરતા લોકોને કનડતા ટ્રાફિકના પ્રશ્નમાંથી છુટકારો મળે તેવું ભગીરથ કાર્ય કરી દેખાડ્યું છે. સચિન હજીરા હાઇવે પર ટ્રાફિક જામનું કારણ બનેલા ગભેણી ચોકડી સ્થિત સ્પીડ બ્રેકરને મહેન્દ્ર રામોલિયા અને તેમની ટીમે હાઇવે ઓથોરિટી, ટ્રાફિક પોલીસ, ગ્રામજનો વગેરેનું સંકલન સાધીને આજે તા.23મી નવેમ્બરે દૂર કરાવ્યા હતા. જેને લઇને ટ્રાફિક જામમાં દરરોજ ફસાતા હજારો વાહનચાલકોને આજથી મોટી રાહત મળશે.

છેલ્લા એકાદ મહિનાથી સચિન હજીરા રોડ પર થઇ થઇ રહેલા ભારે ટ્રાફિક જામ માટે કારણભૂત બનેલા ગણેભી ચોકડી સ્થિત સ્પીડ બ્રેકરને આખરે આજે દૂર કરવામાં આવ્યા હતા. સચિન જીઆઇડીસી સ્થિત સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી મેનેજમેન્ટે નેશનલ હાઇવે ઓથોરિટી, સુરત ટ્રાફિક પોલીસ, ગામજનો વગેરેનું સંકલન કરીને આખરે અશક્ય લાગતું કામ કરી દેખાડ્યું હતું.

સચિનથી હજીરા જતા સ્ટેટ હાઇવે પર છેલ્લા એકાદ મહિનાથી સવારે અને સાંજના પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિક જામ થતો હતો. કલાકો ફોરવ્હીલ વાહનચાલકો ટ્રાફિક જામમાં સપડાતા હતા અને ટ્રાફિક પોલીસથી લઇને નેશનલ હાઇવે ઓથોરિટી સુધી ફરીયાદો ઉઠી હતી. અધૂરામાં પૂરું સચિન જીઆઇડીસીમાં જવા આવવા માટેના બે મુખ્ય ગેટ પૈકી એક ગેટ વિકાસ કામોને કારણે હંગામી ધોરણે બંધ હોઇ, સચિનથી સુરત આવતા હજારો વાહનોનો વધારાનો ટ્રાફિક પણ જામનું કારણ બન્યો હતો.

તપાસમાં એ પણ બહાર આવ્યું કે ગભેણી ચોકડી ખાતે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલા એક સાથે 12 નાનાનાના સ્પીડ બ્રેકરને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાયેલી જોવા મળતી હતી. સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના મહેન્દ્રભાઇ પટેલ, સેક્રેટરી નિલેશ કોરાટ વગેરેએ આગેવાની લઇને નેશનલ હાઇવે ઓથોરિટી, ટ્રાફિક પોલીસ તેમજ ગામજનોનો સંપર્ક સાધીને ટ્રાફિક જામના નિવારણ માટે ગભેણી સ્થિત સ્પીડ બ્રેકર દૂર કરવા માટેનું કામ ઉપાડ્યું હતું. જેમાં સમજાવટથી તમામ પક્ષો માની જતા આજે આખરે ગભેણી ખાતેના નેશનલ હાઇવેના સ્પીડ બ્રેકરને તોડવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.

November 23, 2021
cia_multi-1280x1045.jpg
1min421

સરીન આંતર રાષ્ટ્રીયસ્તરની કંપની છે, તેણે બનાવેલા સોફ્ટવેરથી હીરા કટ-પોલિશનું કામ આસાનીથી થઇ શકે છે, રૂદ્ર ડાયમે પાઇરેડેટ વર્ઝનનો વપરાશ શરૂ કરી દીધો હતો

Jayesh Brahmbhatt (cialive@yahoo.com)

હીરા ઉદ્યોગમાં હાલ એવા અનેક પાયરેટેડ સોફ્ટવેરનો ઉપયોગ બેફામ થઇ રહ્યો છે જેનાથી હીરા કટ એન્ડ પોલીશનું કામ બિલકુલ સરળતાથી થઇ શકે છે. આવો જ એક વૈશ્વિક સ્વીકૃતિ પામેલો સોફ્ટવેર ઇઝરાયેલ બેઝ કંપની સરીન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, સરીનના ડાયમંડ સોફ્ટવેરનું પાઇરેટેડ વર્ઝનનો ઉપયોગ સુરતમાં થઇ રહ્યો છે તેવી માહિતી મળતા સરીન કંપનીએ ચલાવેલી તપાસમાં સુરતની હીરા પેઢી રૂદ્ર ડાયમ દ્વારા ગેરકાનૂની રીતે સરીન ડાયમંડ સોફ્ટવેયરનો ઉપયોગ કરાતો હતો, જેની સામે કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. આ કેસના હિયરિંગમાં કોર્ટે રૂદ્ર ડાયમ પર સરીનના સોફ્ટવેરના વપરાશ પર પ્રતિબંધ લાદ્યો છે.

સુરતમાં જેટલો હીરા ઉદ્યોગનો વિકાસ થયો છે તેટલો વિશ્વમાં ક્યાંય નથી પામ્યો. હીરા ઉદ્યોગમાં વિકાસની સાથે નેચરલ ડાયમંડની આડમાં સિન્થેટિક ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ અગાઉ પધરાવી દેવાના પણ બનાવો બન્યા અને હવે ડાયમંડ કટ એન્ડ પોલીસિંગના કામમાં અત્યંત ઉપયોગી એવા કમ્પ્યુટરના સોફ્ટવેરની પણ પાઇરેસી માટે સુરત બદનામ થઇ રહ્યું છે. હીરા ઉદ્યોગમાં ઇઝરાયેલ બેઝ કંપની સરીન દ્વારા કેટલાક સોફ્ટવેયર તૈયાર કરવામાં આવ્યા છે જેનાથી હીરામાં કટ તથા પોલીશ કરવાનું કામ અત્યંત સરળ રીતે, સંપૂર્ણ રીતે અને ઓછી નુકસાનીથી થાય છે.

સરીન કંપનીને જાણમાં આવ્યું હતું કે સુરતમાં કેટલીક હીરા પેઢીઓમાં તેમના સોફ્ટવેરનો ગેરકાનૂની રીતે પાઇરેટેડ વર્ઝનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કંપનીએ કરેલી પ્રાથમિક તપાસમાં સુરતની હીરા પેઢી રૂદ્ર ડાયમ દ્વારા સરીનના પાઇરેટેડ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાતા સરીન કંપનીએ સુરતની કોર્ટમાં કેસ કર્યો હતો. જેના હિયરીંગમાં કોર્ટ દ્વારા રૂદ્ર ડાયમ કંપની પર એવો કાયમી પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે કે તેઓ સીધી કે આડકતરી રીતે સરીનના કોઇપણ સોફ્ટવેરનો કોઇપણ રીતે ઉપયોગ કરી શકશે નહીં.

કંપનીએ આ પ્રકારે પાઇરેટેડ સોફ્ટવેરનો વપરાશ કરતા અન્ય લોકોને પણ ચેતવણી આપી છે.

November 20, 2021
surat_loksabha.png
1min425

દેશના સૌથી સ્વચ્છ શહેરોની જાહેરાત આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવી છે.જેમાં મધ્યપ્રદેશનુ ઈન્દોર શહેર સતત પાંચમા વર્ષે પહેલા ક્રમે રહ્યુ છે.

જ્યારે ગુજરાતનુ સુરત બીજા ક્રમે અને આંધ્રપ્રદેશનુ વિજયવાડા દેશમાં ત્રીજા ક્રમે રહ્યુ છે.મળતી જાણકારી પ્રમાણે સ્વચ્છતા સર્વેક્ષણમાં આ વખતે 4320 શહેરોને સામેલ કરવામાં આવ્યા હતા.સૌથી પહેલા 2016માં થયેલા સર્વેમાં 73 શહેરો સામેલ હતા.આ વખતે સર્વેક્ષણનો વ્યાપ વધારવામાં આવ્યો છે.આ વર્ષના સર્વેક્ષણમાં નાગરિકોના ફીડબેકને ગણતરીમાં લેવામાં આવ્યા છે.આ વખતે પાંચ કરોડ નાગરિકોએ આ માટે અભિપ્રાય આપ્યા છે.

સાથે સાથે આ વખતે 342 શહેરોને સ્ટાર રેટિંગ સર્ટિફિકેશન સાથે સન્માનિત કરવામાં આવ્યા છે.2018માં આવા માત્ર 56 શહેરો હતા.

શહેરોને ત્રણ કેટેગરીમાં સ્ટાર અપાયા છે.જેમાં ફાઈવ સ્ટાર, થ્રી સ્ટાર અને વન સ્ટાર શહેરોનો સમાવેશ થાય છે.નવ શહેરોને ફાઈવ સ્ટાર, 166ને થ્રી સ્ટાર અને 167 શહેરોને વન સ્ટાર અપાયા છે.

November 14, 2021
nirbhayasuprem.png
1min412

સુરત અને ફરીદાબાદમાં રેલવેની જમીન પર દબાણ મામલે સુપ્રીમ કોર્ટની મહત્ત્વની ટિપ્પણી

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રેલવેની જમીન પર જો સ્થાનિક મ્યુનિસિપલ અધિકારીઓએ દબાણની અનુમતિ આપી હોય તો પુનર્વાસની જવાબદારી પણ તેણે જ ઉઠાવવી પડશે. સુરત અને ફરીદાબાદમાં રેલવેની જમીન પર દબાણના મામલે પુનર્વાસની જવાબદારી કોની થાય તે મામલાની સુનાવણી દરમ્યાન સર્વોચ્ચ અદાલતે આ ટિપ્પણી કરી હતી. આ મામલાની વધુ સુનાવણી 15 નવેમ્બરે કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એએમ ખાનવિલકરની આગેવાની ધરાવતી બેન્ચે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલને જણાવ્યું હતું કે, પહેલાં તો તમે દબાણ થવા દો છો અને પછી કહો છો કે આ માટે રાજ્ય જવાબદાર છે.

કોર્ટે કહ્યું હતું કે, રેલવેની જમીન જરૂર છે પરંતુ વહીવટ તમારા હાથમાં છે અને તમારે એ સુનિશ્ચિત કરવાનું રહે કે કોઈ ગેરકાયદે કબ્જો અથવા દબાણ થાય નહીં.

અદાલતે મૌખિક ટિપ્પણીમાં કહ્યું કે, સ્થાનિક વહીવટી તંત્રે જો દબાણની મંજૂરી આપી છે તો પુનર્વાસની જવાબદારી રાજ્યની કઈ રીતે થાય. આ જવાબદારી પણ મ્યુનિસિપલ કોર્પોરેશને લેવી પડશે.