સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના બે સુરતી ક્રિકેટરો, ચિરાગ ગાંઘી (મિડલ આેડૅર બેટ્સમેન), હાર્દિક પટેલ (લેફટ આમૅ સ્પિનર)ની ગુજરાત ક્રિકેટ ટીમમાં બી.સી.સી.આઈ. દ્રારા આયોજીત સૈયદ મુસ્તાક અલી ટી – ૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે પસંદગી પામ્યા છે. આ ટુર્નામેન્ટ તારીખ ૨૮ આેકટોબર, ૨૦૨૧ આેકટોબર દિલ્હી મુકામે રમાશે.
ચિરાગ ગાંઘી આ પહેલા ગુજરાત માટે ૨૬ રણજી ટ્રોફી, ૩૬ વન-ડે, ૫૫ ટી-૨૦ મેચોમાં તેમજ હાર્દિક પટેલ ૧૭ રણજી ટ્રોફી, ૩૦ વન-ડે, ૩૨ ટી-૨૦ મેચોમાં ગુજરાતની ટીમ વતી રમી ચુકયા છે. તેમજ આ બંને અનુભવી ખેલાડી ગુજરાત રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફીઅને સૈયદ મુસ્તાક અલી ટી – ૨૦ની વિજેતા ટીમમાં મહત્વની ભુમિકા અદા કરી હતી.
આ તમામ ખેલાડીઆે એસ.ડી.સી.એના ચીફ સિલેકટર મેહુલ પટેલ(સિનીયર), વિમલ પટેલ, હિરેન પટેલ, પ્રફુલ પટેલ તથા હેડ કોચ શ્રી પ્રતિક પટેલ અને કોચ શ્રી વિપુલ પટેલનાં દેખરેખ હેઠળ તાલીમ લે છે.
આ બંને ખેલાડીઆેને એસ.ડી.સી.એ.ના માનનીય પ્રમુખ હેમંતભાઇ કોન્ટ્રાકટર, મેન્ટર કનૈયાભાઇ કોન્ટ્રાકટર, ક્રિકેટ સેક્રેટરી ડો. નૈમેષભાઇ દેસાઇ તેમજ મેનેજીંગ કમિટી સભ્યો અને ક્રિકેટ કમિટી સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા.
સુરત નજીક પલસાણા પાસે આવેલી કડોદરા GIDCની એક પેકેજિંગ કંપનીમાં આજે તા.18મી ઓક્ટોબર 2021ની વહેલી સવારે ભયાનક રીતે ફાટી નીકળેલી આગ બેકાબૂ બનતા આ આગ હોનારતમાં કંપનીના બે કર્મચારીઓના મોત થયાના અહેવાલો મળ્યા છે. બનાવ બન્યો ત્યારે કંપનીમાં કામ કરી રહેલા અંદાજે 125 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.
ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે સવારે આશરે 4.30ની આસપાસ કંપનીમાં ભીષણ આગની ઘટના બની હતી. GIDCની વિવા પેકેજિંગ મિલમાં ભોયરામાં આગ લાગતાં બે કામદારના મોત થયા છે. જ્યારે ફાયર વિભાગે 100થી વધુ કામદારોનું રેસ્ક્યુ કર્યા છે. બેકાબૂ બની રહેલી આગથી બચવા માટે કેટલાક કર્મચારીઓએ જીવ બચાવવા માટે પાંચમાં માળેથી કુદકો પણ માર્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી છે.
ચાર્ટર્ડ અકાઉન્ટન્સી બાદ કંપની સેક્રેટરી સર્ટિફિકેશનમાં પણ સુરતના વિદ્યાર્થીઓ કાઠું કાઢી રહ્યા છે
સીએસ એક્ઝિક્યુટિવની પરીક્ષામાં નિકીતા ચંદવાણી અને ફાઉન્ડેશમાં અનિકેત પંચાલે દેશમાં 9મો નંબર હાંસલ કરીને સુરતનું નામ ગૂંજતુ કરી દીધું
રેગ્યુલર ડિગ્રી અભ્યાસક્રમની સાથે સી.એ., સી.એસ., સી.એમ.એ. જેવા સર્ટિફિકેશનમાં સુરતના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે કાઠું કાઢી રહ્યા છે. સી.એ.માં તો સુરતના વિદ્યાર્થીઓ દેશભરમાં લીડ કરી રહ્યા છે. પરંતુ, હવે કંપની સેક્રેટરી સર્ટિફિકેશનમાં પણ સુરતના વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા ટોપ ટેનમાં રેન્ક હાંસલ કરી રહ્યા છે.
ઇન્સ્ટીટ્યુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા દ્વારા આજે ફાઉન્ડેશન અને એક્ઝિક્યુટિવ સ્ટેજની પરીક્ષાના પરીણામો જાહેર કરવામાં આવ્યા હતા. સુરત ચેપ્ટર માટે આજે ખુશીનો દિવસ એટલા માટે રહ્યો હતો કે એક્ઝિક્યુટિવ અને ફાઉન્ડેશન બન્ને સ્ટેજમાં સુરત ચેપ્ટરમાંથી પરીક્ષા આપનારા બે વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા રેન્ક મળ્યા છે.
કંપની સેક્રેટરીના ફર્સ્ટ સ્ટેજ ગણાતા ફાઉન્ડેશનમાં સુરતનો વિદ્યાર્થી અનિકેત પંચાલ ઓલ ઇન્ડિયા સ્તરે નવમા રેન્ક સાથે દેશના ટોપ ટેનમાં રેન્ક મેળવીને સમગ્ર ભારતમાં સુરત ચેપ્ટરનું નામ ગૂંજતું કરી દીધું છે. એવી જ રીતે કંપની સેક્રેટરીના એક્ઝિક્યુટિવ સ્ટેજની પરીક્ષામાં સુરત ચેપ્ટરમાંથી પરીક્ષા આપનાર વિદ્યાર્થિની નિકીતા ચંદવાણીએ પણ ઓલ ઇન્ડિયા સ્તરે 9મો રેન્ક હાંસલ કરીને સુરતનું નામ રાષ્ટ્રીય સ્તરે ગૂંજતું કરી દીધું છે.
આજે તા.7મી ઓક્ટોબર 2021 માતાજીના આરાધ્ય પર્વ નવરાત્રીની પહેલી જ પ્રભાતે એવા સમાચાર આવ્યા કે જે સુરતવાસીઓ માટે જાણવા જરૂરી હતા. સુરત મહાનગરપાલિકાની અધિકૃત જાણકારી મુજબ તા.7મીએ સવારે 6 વાગ્યે સુરતના ઉપરવાસમાં આવેલા ઉકાઇ ડેમ ખાતે પાણીનું લેવલ 345 ફૂટ નોંધાયું હતું. ઉકાઇ ડેમની ભયજનક સપાટી પણ 345 ફૂટ છે. હાલ ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદની શક્યતા નથી પરીણામે ઉકાઇ ડેમ છલોછલ ભરાયો હોવા છતાં તાપી નદીમાં પાણી છોડવું પડે તેવી પણ કોઇ સ્થિતિ ન હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે છ વાગ્યે ઉકાઇ ડેમમાં વોટર લેવલ તેમજ અન્ય પેરામીટર્સ આ પ્રમાણે નોંધાયા હતા.
???????????????? ???????????? Date :07/10/2021 Time : 05:00 hrs Rule Level : 345.00 ft (7414.29) Level : 345.00 ft Gross Storage : 7414.29 MCM (100%) Live storage :6729.90 MCM ???????????????????????? : 46397 Cusecs Outflow : Canal: 1100 cusecs Hydro: 10374 cusecs Gate: 0 cusecs Total ???????????? ????????????????: 11474 Cusec????
ઉકાઇ ડેમમાં હાલ 14 હજાર ક્યુસેક્સ જેટલું પાણી આવી રહ્યું છે અને તેટલું જ પાણી રિલીઝ પણ કરી દેવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદની કોઇ શક્યતા નથી. જો હજુ પણ વરસાદની સંભાવના હશે તો હવે એવી સિસ્ટમ વિકસાવી દેવામાં આવી છે કે ડેમમાં કેટલો પાણીનો આવરો થઇ શકે તેની અંદાજિત ગણતરી એડવાન્સમાં થઇ શકે અને પાણી ડેમમાં આવે તેના કરતા પહેલા ડેમમાંથી રિલીઝ કરી દેવામાં આવે છે જેથી નવું પાણી ડેમમાં સમાઇ શકે. આ પ્રકારનું વોટર મેનેજમેન્ટ છેલ્લા ઘણાં વર્ષોથી કરવામાં આવી રહ્યું હોઇ, સુરતમાં કે તાપી નદીમાં પૂરની શક્યતાઓ નહીવત્ બની છે.
ચાલુ સપ્તાહે બીજી વખત ઉકાઇ ડેમમાં પાણીનો આવરો વધી જતા આજે તા.3 ઓક્ટોબર 2021ને રવિવારના રોજ ઉકાઇ ડેમમાં ઉપરવાસમાંથી જેટલું પાણી આવી રહ્યું હતું તેટલું જ પાણી તાપી નદીમાં છોડવાનું શરૂ કરાયું છે.
સાંજે 5 કલાકે સરકારી માહિતી ખાતાએ જારી કરેલા ઉકાઇ ડેમના બુલેટીનમાં જણાવવામાં આવ્યું હતું કે તા.3/10/21 @ 5pm ઉકાઇ ડેમમાં પાણીની સપાટી 344.04 ફૂટ છે. જે ભયજનક સપાટી 345 ફૂટથી એક ફૂટ ઓછું છે. એ સમયે ડેમમાં કુલ 1.44 લાખ ક્યુસેક્સ પાણીનો આવરો થઇ રહ્યો હતો. ડેમમાં હવે વધુ પાણીનો જથ્થો સ્ટોર કરવો હિતાવહ ન હોઇ, તંત્ર દ્વારા જેટલું પાણી આવી રહ્યું હતું તેટલું જ પાણી તાપી નદીમાં રિલીઝ કરવાનું શરૂ કરાયું છે.
માહિતી ખાતા તરફથી જારી કરવામાં આવેલી માહિતી
Ukai Dam Data : Dt. 03.10.2021 @ 17:00 Hrs. Rule Level : 345.00 ft. Present Level : 344.04 ft. Inflow : 144737.00 cusecs Outflow: 144737.00 cusecs Present Live Storage : 6558.97 MCM Present Capacity : 7243.36 MCM ( 97.69 %)
Kakrapar Weir Position @ 17:00 Hrs. on Date : 03.10.2021 Kakrapar Weir Level is…………………..166.80 feet Overflow Discharge in Cusecs is……. 117100.00 Cusecs Moticher Level is………………………….153.20 feet Moticher Discharge is…………………….445.00 Cusecs Total Discharge in River Tapi is……….117545.00 Cusecs
Date : 03.10.2021 Time : 17:00 Hrs. Singanpor Weir Cum Causeway level: 7.05 Mt
સુરત શહેરના બાળમંદિરોમાં 2022-23ના વર્ષ માટેના પૂર્વપ્રાથમિકમાં નર્સરી, જુનિયર કેજીમાં પ્રવેશ કામગીરી જુદી જુદી સ્કુલોએ શરૂ કરી દીધી છે.
સુરતના પાલ રોડ પર આવેલી ભૂલકાવિહાર શાળામાં ઇંગ્લીશ મિડીયમ અને ગુજરાતી મિડીયમમાં પ્રવેશ માટેના અરજી ફોર્મ ઓનલાઇન અને ઓફલાઇન તા.7 અને તા.8મી ઓક્ટોબરના રોજ ભરી શકાશે. ભૂલકા વિહારની ડિટેઇલ્સ માટે નીચેની જાહેરાત જુઓ.
શહેરના ઉમરા વિસ્તારમાં સેન્ટ્રલ બોર્ડનું એફિલિયેશન ધરાવતી અધતન શાળા, ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીમાં પ્રી પ્રાઇમરીમાં પ્રવેશ કામગીરી માટે તા.7થી 9 ઓક્ટોબર વચ્ચે ફોર્મ ભરી શકાશે. વધુ માહિતી માટે નીચેની જાહેરાત જુઓ
આ પ્રકારે આપની શાળાની પ્રવેશ કાર્યવાહીની એડર્વટાઇઝ વ્યાજબી દરે પ્રસિદ્ધ કરાવવા માટે સંપર્ક કરો 9825344944
સુરત શહેરમાં શાળાકીય શિક્ષણની ગતિવિધિ નોર્મલાઇઝેશન મોડમાં આવી ચૂકી છે અને બીજી તરફ ઓક્ટોબર મહિનાના આરંભ સાથે જ બાળમંદિરોમાં પ્રવેશ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ અને ગુજરાત બોર્ડની અનેક શાળાઓએ આગામી શૈક્ષણિક વર્ષ 2022-23ના વર્ષમાં નર્સરી અને જુનિયર કેજીમાં પ્રવેશ માટેની જાહેરાતો કરવા માંડતા 3 અને 4 વર્ષના બાળકોના માબાપ એલર્ટ જણાય રહ્યા છે. ગત વર્ષે કોવીડના કારણે પ્રવેશ કાર્યવાહી કોઇ ખાસ ધ્યાન ખેંચી શકી ન હતી પરંતુ, આ વખતે વાલીઓને આકર્ષવા માટે શાળા સંચાલકો નીત નવા ફંડા અપનાવી રહ્યા હોવાનું જણાય રહ્યું છે.શહેરમાં સેન્ટ્રલ બોર્ડ અને ગુજરાત બોર્ડની કેટલીક શાળાઓએ નર્સરી અને જુનિયર કેજીમાં પ્રવેશ માટેના અરજીપત્રકો ઓનલાઇન અને ઓફલાઇન ભરવા અંગેની જાહેરાત કરી છે. અઠવાલાઇન્સની જાણિતી સ્કુલના આચાર્ય કહે છે કે છેલ્લા ત્રણેક વર્ષથી બદલાયેલા ટ્રેન્ડમાં હવે સામાન્યમાં સામાન્ય પરિવાર પણ ક્યાં તો સેન્ટ્રલ બોર્ડ અગર તો તેમાં એડમિશન ન મળે તો ગુજરાત બોર્ડમાં કમસે કમ ઇંગ્લીશ મીડીયમમાં જ તેમના સંતાનોને પ્રવેશ મળે તેવું ઇચ્છી રહ્યા છે.આ વખતથી ગુજરાત બોર્ડે સુરતની શાળાઓએ શરૂ કરેલા દ્વિભાષી માધ્યમ (અગાઉના ગ્લોબલ ગુજરાતી માધ્યમ)ને પણ રાજ્યસ્તરે મંજૂરી આપી હોઇ હવે મોટા ભાગના પ્રવેશ ઇચ્છુક વાલીઓ તેમના પાલ્યો માટે આ પ્રકારની સ્કુલો જ શોધી રહ્યા છે.
કોવીડને કારણે ઓનલાઇન રજિસ્ટ્રેશન
ગત વર્ષથી જ કોવીડ-19ના નિયંત્રણોને કારણે સ્કુલોએ બાળમંદિરમાં પ્રવેશની કામગીરી માટે ઓનલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું શરૂ કરી દીધું હતું. આ વખતે મોટા ભાગની સ્કુલોમાં બાળમંદિરોના પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓના વાલીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન ફોર્મ તેમજ બાળકનો જન્મદાખલો તથા ફોટોગ્રાફ અપલોડ કરવાના રહે છે અને બાદમાં તેમનું પ્રવેશ યાદી, મેરીટ લિસ્ટ વગેરે પણ વાલીઓને વ્હોટ્સએપ અને ઇમેલના માધ્યમથી જ વાકેફ કરવામાં આવે છે.
છેલ્લા ત્રણેક વર્ષથી બાળમંદિરોમાં પ્રવેશની કાર્યવાહી જોતા એવું જણાય આવે છે કે પ્રવેશની ખેંચતાણ શહેરના દરેક વિસ્તારમાં આવેલી 4-5 બ્રાન્ડેડ સ્કુલોમાં જ જોવા મળે છે. શહેરમાં એવી ગણતરીની સ્કુલો છે કે જેમાં પ્રવેશ માટે ધસારો થાય છે. સુરતમાં હવે સ્કુલોની સંખ્યા જરૂરીયાત કરતા વધી ચૂકી હોઇ, મોટા ભાગની સ્કુલોમાં તો ઓનડિમાન્ડ એટલે કે બારેમાસ પ્રવેશ કામગીરી શરૂ રહે છે.
ચોમાસાના સંભવિત છેલ્લા સ્પેલમાં લગભગ પાંચ દિવસ સુધી દેમાર ઝીકાયેલા વરસાદને કારણે સુરત શહેરમાં લગભગ દરેક વિસ્તારોમાં રસ્તાઓ તૂટી ગયા હતા. નાના મોટા ખાડાઓ પડી ગયા હતા. રસ્તાઓ તૂટી જતાની સાથે જ અનેક લોકોએ બિસ્માર રસ્તાઓથી લઇને રોડ ટેન્ડરમાં ખાયકી સુધીની બૂમો શરૂ કરી દીધી હતી. શહેરભરમાંથી ટીકાઓનો વરસાદ જાણે શરૂ થયો હતો. પરંતુ, છેલ્લા બે દિવસ (તા.30મી સપ્ટેમ્બરથી) ઉઘાડ નીકળતા જ સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકોએ તાબડતોબ શહેરભરમાં તૂટી ગયેલા, બિસ્માર રસ્તાઓનું મરામતનું કામ શરૂ કરાવ્યું છે. છેલ્લા બે દિવસથી લગભગ દરેક વિસ્તારમાં રોડ મેઇન્ટેનન્સના કામો યુદ્ધના ધોરણે થતાં જોવા મળી રહ્યા છે. દરેકે દરેક વોર્ડમાં ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો રોડ મેઇન્ટેનન્સના સ્થળે પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને સમગ્ર કામગીરીની દેખરેખ રાખી રહ્યા છે.
ઉઘાડ નીકળતા જ તક મળી એટલે રસ્તા રિપેરિંગનું કામ શરૂ કરાવ્યું
નાનપુરા-અઠવા-ઉમરા-પોપલોદ વોર્ડ નં.21ના કોર્પોરેટર અશોકભાઇ રાંદેરીયાએ કહ્યું કે ટીકા કરનારાઓ તેમનું કામ કરે છે, અમારું કામ અમે કરીએ છીએ. ભાજપાની સરકાર, કામ કરતી સરકાર અને એટલે જ મતદારોની પસંદ છે. બધા જ જાણે છે ભારે વરસાદ પડ્યો અને રસ્તાઓ તૂટ્યા. તૂટેલા રસ્તાઓને મરામત કરાવવા માટે ઉઘાડ નીકળવો જરૂરી હતો. ઉઘાડ નીકળ્યો અને તરત જ અમારા વોર્ડમાં રસ્તા મરામતના કામો શરૂ કરાવવામાં આવ્યા છે.
ગુજરાત ગેસ સર્કલ પર રોડ મેઇન્ટેનન્સ
શહેરભરમાં તૂટેલા રસ્તાઓની યોગ્ય રીતે મરામતના કામો શરૂ કરાયા છે. આજરોજ તા.1લી ઓક્ટોબરે શહેરના અડાજણ ગુજરાત ગેસ સર્કલ પર પણ મેઇન્ટેનન્સનું કામ હાથ ધરાયું હતું. સ્થાનિક કોર્પોરેટર કેયુર ચપટવાળા તેમજ અન્ય આગેવાનો આ સમયે સ્થળ પર ઉપસ્થિત હતા.
કોર્પોરેટર દિપેશ પટેલ પોતાના વિસ્તારમાં રોડ મેઇન્ટેનન્સની કામગીરી કરી રહ્યા છે
એસડી જૈન સ્કુલ પાસેના રસ્તા પર મરામતનું કામ પૂરજોશમાં કરી દેવાયું
તસ્વીરો જ બોલે છે, પાલિકાના ભાજપ શાસકોએ પુરવાર કરવાની જરૂર નથી કે તેઓ કામ કરતી સરકાર છે
ઉકાઇ ડેમના ફ્લડ સેલના શીફ્ટ ઇન્ચાર્જ ડેપ્યુટી એક્ઝિક્યુટીવ ઇજનેર દ્વારા તા.27મી સપ્ટેમ્બર 2021ના રોજ બપોરે 3 કલાકે ઇશ્યુ કરવામાં આવેલા ફ્લડ રિલિઝ મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે હાલમાં ઉકાઇ ડેમમાં પાણીનું લેવલ 342.08 ફૂટ છે. ડેમમાંથી હાલમાં 1,49,867 ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાણી રિલિઝ કરવાનો આ જથ્થો સાંજે 4 કલાકે વધારીને 1,75,000 ક્યુસેક્સ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને જરૂરીયાત મુજબ તેમજ ડેમમાં પાણીના થઇ રહેલા આવરાને ગણતરીમાં લેતા એ વધારીને 1,95,000 ક્યુસેક્સ પણ કરવામાં આવી શકે છે.
ડેમમાં પાણીના થઇ રહેલા આવરાનું મેનેજમેન્ટ કરવા માટે આ પ્રકારે પાણી છોડાઇ રહ્યું છે.
દર વર્ષે વરસાદની સીઝનમાં ઉકાઇ ડેમમાં થતા પાણીના આવરાને કન્ટ્રોલ કરવા માટે આ પ્રકારે વોટર મેનેજમેન્ટ કરવામાં આવે છે.
UPSC દ્વારા આજે પરિણામની જાહેરાત કરી દેવામાં આવી છે. દેશભરમાંથી સિવિલ સર્વિસમાં 761 ઉમેદવારો પાસ થયા છે. જેમાંથી સુરતનો કાર્તિક જીવાણી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે અને દેશમાં ટોપ 8માં છે.
તા.24મી સપ્ટેમ્બર 2021ની સંધ્યાએ ભારતમાં યુપીએસસી દ્વારા સિવિલ સર્વિસ પરીક્ષા-2021નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. UPSCના પરિણામમાં કુલ 761 ઉમેદવારો પાસ થયા છે. જેમાં પ્રથમ ક્રમે શુભમ કુમાર આવ્યા છે.
ગુજરાતમાં પ્રથમ નંબરે કાર્તિક જીવાણી આવ્યા છે. તેઓએ સમગ્ર દેશમાં 8મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે તેઓએ અગાઉ સિવિલ સર્વિસની પરીક્ષામાં 84મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આમ અથાગ મહેનત થકી કાર્તિક જીવાણીએ પોતાના લક્ષ્યને હાંસલ કરી દીધો હતો અને હવે તે સુરતના પ્રથમ IAS ઓફિસર બનશે.
કાર્તિક જીવાણીએ 2017માં સિવિલ સર્વિસની પરીક્ષા આપી હતી. જો કે આ પરીક્ષામાં તેઓ નિષ્ફળ નીવડ્યા હતા. પણ તેઓએ હાર માની ન હતી. બે વર્ષ બાદ એટલે કે 2019માં તેઓએ ફરીથી યુપીએસસીની પરીક્ષા આપી હતી. અને 94મો ક્રમ હાંસલ કર્યો હતો. જો કે 2020માં તેઓએ 84મો ક્રમ હાંસલ કર્યો હતો આ વખતે તેઓને IPSમાં સ્થાન મળ્યું હતું. પણ કાર્તિકની ઈચ્છા IAS ઓફિસર બનવાની હતી. અન પોતાના લક્ષ્યને હાંસલ કરવા માટે તેઓએ કોરોના કાળમાં પણ અથાગ મહેનત કરી હતી. અને આજે તેમને સિદ્ધી હાંસલ કરતાં ન ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે. અને હવે તે સુરતથી IAS ઓફિસર બનનાર પ્રથમ ઓફિસર હશે.
કાર્તિકનો જન્મ 1994માં થયો છે. તેના પિતા ડો. નાગજીભાઈ જીવાણી વરાછામાં લેબોરેટરી ચલાવે છે. કાર્તિકે સુરતની પીપી સવાણી અને રાયન ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 12 સાયન્સ સુધીનો અભ્યાસ કર્યો હતો. કાર્તિકે પ્રાથમિક શિક્ષણ ગુજરાતી ભાષામાં મેળવ્યું હતું. જે બાદ તેઓએ મુંબઈની IITમાંથી બી.ટેક મિકેનિકલની ડિગ્રી હાંસલ કરી હતી. 1994માં કાર્તિકના જન્મ સમયે પ્લેગ ફાટી નીકળ્યો હતો અને તે સમયે પ્રસુતિ કરાવવા માટે કોઈ ડોક્ટર પણ મળ્યા ન હતા. પણ તે સમયે એસ.આર.રાવ નામના સુરત કમિશનરે સમગ્ર સુરતની સૂરત બદલી નાખી હતી. અને તેમના કિસ્સા સાંભળીને કાર્તિકને IAS બનવાની ઈચ્છા જાગી હતી.
મૂળ ભાવનગરના વતની અને હાલમાં કતારેશ્વર મહાદેવ શિવશક્તિ સોસાયટીમાં રહેતો યોગેશ ડાંગર અને જ્યોતી સુંદરલાલ દાસ પીપલોદમાં ઓલ વિમળહબના આઠમાં માળે સ્પા મસાજ સેન્ટર ચલાવતા હોઈ તેમાં થાઈલેન્ડની છ યુવતીઓને રાખી સ્પાના ઓઠા હેઠળ કુટણખાનું ચલાવવામાં આવતુ હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો.
પોલીસે સ્પા સંચાલક યોગેશ ડાંગર અને ગ્રાહક વેસ્મા કાલાગચ્છા ગામના ઈસ્માઈલ નસીમ નૈનાને ઝડપી લીધા હતા અને ચાર મોબાઈલ, નાની ડાયરી, રોકડ સહિત રૂ. 71,600ની મતા કબજે કરી હતી. જ્યારે સંચાલિકા જ્યોતી સુંદરલાલ દાસ ફરાર થઈ ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સ્પામાં ગ્રાહકો પાસેથી રૂ. 3 હજાર લેવામાં આવતા હતા અને યુવતીઓને રૂ. 1 હજાર આપવામાં આવતા હતા. પોલીસે થાઈલેન્ડની છ યુવતીઓને મુક્ત કરાવી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.