2026નો આરંભ સુરતની એરકનેક્ટિવિટી માટે નકારાત્મક રહ્યો છે. તા.1લી જાન્યુઆરી 2026થી જ સુરતના ઉદ્યોગપતિઓએ શરૂ કરેલી પ્રાઇવેટ એરલાઇન્સ વેન્ચુરા એરકનેક્ટ કે જે ગુજરાત સરકારની રિજિયોનલ કનેક્ટિવિટી સર્વિસ (આર.સી.એસ.) અન્વયે કાર્યરત હતી તેની તમામ ફ્લાઇટ્સ અચોક્કસ મુદત માટે રદ કરી દેવામાં આવી છે. વેન્ચુરા એરકનેક્ટ સુરતથી અમદાવાદ, રાજકોટ, ભાવનગર, અમરેલી જેવા ગુજરાતના ડેસ્ટિનેશન્સ પર ટચૂકડા વિમાનો ઉડાડતી હતી.
મળતી માહિતી મુજબ ગુજરાત સરકારની રિજિયોનલ કનેક્ટિવિટી સ્કીમની અવધિ પૂર્ણ થઇ ચૂકી છે અને વેન્ચુરા એરકનેક્ટનું લાઇસન્સ રિન્યુ કરવામાં આવ્યું ન હોવાના કારણે સુરતના ઉદ્યોગપતિઓની પ્રાઇવેટ એરલાઇન્સ વેન્ચુરા એરકનેક્ટના ઓપરેશન્સને સ્થગિત કરી દેવામાં આવ્યા છે. એવી માન્યતા સેવાય રહી છે કે ગુજરાત સરકાર સંભવતઃ વેન્ચુરા એરકનેક્ટને મુદત વધારીને ઓપરેશન શરૂ કરવાની પરવાનગી આપી શકે છે અથવા તો નવેસરથી ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરી શકે છે. જોકે, આ અંગે ન તો ગુજરાત સરકાર તરફથી ન તો વેન્ચુરા એરકનેક્ટ એરલાઇન તરફથી સત્તાવાર રીતે કોઇપણ પ્રકારની માહિતી સાર્વજનિક કરવામાં આવી નથી.
વેન્ચુરા એરકનેક્ટના કસ્ટમર કેર પર પૂછપરછ કરવામાં આવી તો એવું કહેવામાં આવ્યું કે જાન્યુઆરી 2026ના મહિના માટે વેન્ચુરા એરકનેક્ટની કોઇ ફ્લાઇટ શિડ્યુલ કરવામાં આવી નથી એટલે જાન્યુઆરી 2026ની ફ્લાઇટ્સના બુકિંગ વેબસાઇટ પર બતાવવામાં આવતા નથી.
વેન્ચુરા એરકનેક્ટ પ્રાઇવેટ એરલાઇનના પ્રમોટર તરીકે સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા, સવજી ધોળકીયા અને લવજી બાદશાહ છે.
ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટયૂટ (IDI ) વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત અને છેલ્લા 48 વર્ષો થી જેમ્સ અને જ્વેલરી ટ્રેડ માટે તાલીમ આપતી ભારતની અગ્રગણી સંસ્થાછે ઉપરાંત સંસ્થાની IDI-GEM TESTING LABORATORY દ્વારા ડાયમંડ જ્વેલરી (નેચરલ અને લેબગ્રોન), લુઝ ડાયમંડ (નેચરલ અને લેબગ્રોન ) ટેસ્ટીંગ Certificate , કલર સ્ટોન ટેસ્ટીંગ Certificate અને મોઝેનાઇટ ટેસ્ટીંગ Certificate આપવામાં આવે છે.
ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના આધુનિકીકરણ અંતર્ગત નવિનીકરણ પામેલ જેમ ટેસ્ટીંગ લેબોરેટરી,ઓડિટોરિયમ તેમજ સુવિધાસંપન્ન વહીવટી ઓફિસ અને બોયસ હોસ્ટેલ , કેડ (CAD) જ્વેલરી ડિઝાઇન, જ્વેલરી ડિઝાઇન મેન્યુઅલ અને પોલિશ્ડ ડાયમંડ ગ્રેડિંગના ઉદ્ઘાટન સમારોહનું આયોજન તારીખ 30 ડિસેમ્બર, મંગળવારે સવારે 10: 30 કલાકે રાખવામાં આવ્યું હતુ. આ સમારોહમાં માનનીય સાંસદ(રાજ્યસભા)અને શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટના ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા મુખ્યમહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
સૌ પ્રથમ માનનીય સાંસદ(રાજ્યસભા), ભારતસરકાર તથા શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટના ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા નવિનીકરણ પામેલ સુવિધાઓની તકતીનું અનાવરણ કરી પ્રતિકાત્મક ઉદઘાટન કરવામાં આવ્યું હતુ.
કિરણ જેમ્સ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન શ્રી વલ્લભભાઈ લાખાણી દ્વારા નવનિર્મિત જેમલોજિકલ લેબોરેટરીનું રીબીન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું હતુ.
નવનિર્મિત કેડ(CAD) ડિપાર્ટમેન્ટ (જ્વેલરી) નું ઉદઘાટન શ્રી મુકેશભાઈ કારગર (SMD Rays ) દ્વારા કરવામાં આવ્યું હતુ. જ્વેલરી ડિઝાઇન (મેન્યુઅલ) ડિપાર્ટમેન્ટ નું ઉદઘાટન જેમ-જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ના રિજિયોનલ ચેરમેન શ્રી જયંતીભાઈ સાવલિયા અને ભૂતપૂર્વ રિજિયોનલ ચેરમેન શ્રી વિજયભાઈ માંગુકિયા દ્વારા કરવામાં આવ્યું હતુ.
ત્યારબાદ સંસ્થાના નવનિર્મિત પોલિશ્ડ ડાયમંડ ગ્રેડિંગ ડિપાર્ટમેન્ટ નું ઉદઘાટન ધર્મનંદન ડાયમંડ ના ચેરમેન શ્રી લાલજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ. સંસ્થાની બોયઝ હોસ્ટેલ નું ઉદઘાટન ડો. વજુભાઈ માવાણી, પ્રમુખશ્રી, શ્રી તાપીબ્રહ્મચર્યાશ્રમ સભા સુરત દ્વારા કરવામાં આવ્યું હતુ. સંસ્થાના ઓડિટોરિયમનું ઉદઘાટન શ્રી મુકેશભાઈ પટેલ, ગ્રીન લેબ દ્વારા કરવામાં આવ્યું હતુ.
કાર્યક્રમની શરુઆત સંસ્થાના ઓડિટોરિયમમાં પ્રાર્થનાથી થઇ હતી અને મુખ્યઅતિથિ અને અતિથિવિશેષશ્રીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતુ.
સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી સમીર જોશી દ્વારા સર્વ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સંસ્થાની શરૂઆત 13 મે 1978 થી કરવામાં આવી હતી અને એનો ઉદ્દેશ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કારીગરોને સ્કીલ ડેવલપમેન્ટ અને તાલીમ પૂરો પાડવાનો હતો અને 1992- 93 થી સંસ્થામાં જ્વેલરી નો કોર્સ ચાલુ કરવામાં આવ્યા હતા. આ રીતે સંસ્થા નિરંતર ડાયમંડ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રી ને માનવબળ પૂરું પાડવાનું કાર્ય કરી રહી છે.
દિનેશભાઈ નાવડિયા દ્વારા માનનીય સાંસદ(રાજ્યસભા)શ્રી ગોવિંદભાઈ ધોળકિયા નું સ્મૃતિચિન્હ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી સમીરભાઈ જોશી દ્વારા કિરણ જેમ્સ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન શ્રી વલ્લભભાઈ લાખાણી નું સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
IDI ના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી અનિમેષ શર્મા દ્વારા ગ્રીન લેબ ના ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલનું સ્મૃતિચિન્હ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
IDI ના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી સુભાષ પારિક દ્વારા ધર્મનંદન ડાયમંડ ના ચેરમેન શ્રી લાલજીભાઈ પટેલ નું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સંસ્થાના ટ્રેનિંગ કોઓર્ડીનેટર શ્રી જયેશભાઈ દ્વારા જેમ-જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ચેરમેન શ્રી જયંતીભાઈ સાવલિયા નું સ્મૃતિચિન્હ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
સંસ્થાના ચેરમેન શ્રી દિનેશભાઈ નાવડીયાએ અતિથિઓ તથા આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા ઇન્ડસ્ટ્રીના આગેવાનોને સીએસઆર ફંડ અંતર્ગત આઈડીઆઈને એના વિવિધ ડિપાર્ટમેન્ટ અને લેબોરેટરીના આધુનિકીકરણ માટે ફંડ માટે અપીલ કરવામાં આવી હતી દેશ અને વિદેશમાંથી વિદ્યાર્થીઓ જેમ્સ અને જ્વેલરી ટ્રેડમાં જ્ઞાન મેળવવા માટે આઈડીઆઈમાં આવે છે તો એમને સારી સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રકચર મળી રહે એવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આ માટે દાનની શરૂઆત શ્રી ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા કરવામાં આવી હતી.
આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીના આગેવાનો અને સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પણ દાન આપવામાં આવ્યું હતું. શ્રી દિનેશભાઈ દ્વારા સુરત જ્વેલરી એસોસિએશનના શ્રી અમિતભાઈ કોરાટ તથા GJEPC ના રિજિયોનલ ચેરમેન શ્રી જયંતીભાઈ સાવલિયા નો આભાર માનતા જણાવ્યું હતું કે એમના દ્વારા જે ROOTZ એક્ઝિબિશન આયોજિત કરવામાં આવ્યું હતું ત્યાં પણ IDI ના નેચરલ, લેબગ્રોન, જેમસ્ટોન વગેરે સર્ટિફિકેટ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
ગ્લોસ્ટાર ના ચેરમેન શ્રી કેશુભાઈ ગોટી એ સંસ્થાના ચેરમેન શ્રી દિનેશભાઈ અને એમની ટીમને અભિનંદન આપતા જણાવ્યું હતું કે આશરે ૩૫000થી વધુ વિદ્યાર્થીઓ સંસ્થામાંથી તાલીમ લઈ પગભર થયા છે. તેમણે જણાવ્યું હતું કે દિનેશભાઈ સંસ્થાનો જે વિકાસ કર્યો છે એ ખૂબ જ સરાહનીય છે પરંતુ હજુ વધુ વિકાસની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે સ્કિલ ડેવલપમેન્ટ સૌથી વધુ સૌથી મોટું કાર્ય છે કારણ કે કૌશલ્ય પ્રાપ્તિથી માણસ દ્વારા જ ઘર સમાજ કે દેશનો વિકાસ થઈ શકે છે.
માનનીય સાંસદ(રાજ્યસભા) શ્રી ગોવિંદભાઈ ધોળકિયા પોતાના ઉદબોધનમાં શ્રી દિનેશભાઈ નાવડીયા અને એની ટીમને અભિનંદન આપતા જણાવ્યું હતું કે IDI ને નવિનીકરણ કરી જૂનામાંથી એકદમ નવું બનાવી દીધું છે. એમણે જણાવ્યું હતું કે હાલમાં પાયાના પથ્થર તરીકે ફર્સ્ટ જનરેશન સેકન્ડ જનરેશન અને થર્ડ જનરેશન દરેક હાજર છે. જ્યારે આઈડીઆઈ 47 વર્ષ પહેલાં બન્યું ત્યારે પાયામાં જે લોકો સાક્ષી છે તેઓને ખૂબ જ વધારે આનંદ થયો છે જે રીતે નવિનીકરણ થયું છે અને નવી ટેકનોલોજી દ્વારા ભારતના ભાવિ ને વધુમાં વધુ ન્યાય મળે એવું સક્ષમ બને. દરેક વસ્તુ સિક્કાની બે બાજુ છે એમ પહેલા IDI ને નવિનીકરણ કરી સંપૂર્ણ આધુનિકીકરણ કરવું તો સારી સુવિધા મળવાથી વધુને વધુ વિદ્યાર્થીઓ એડમિશન લેશે અને સંસ્થા ઉત્તરો ઉત્તર ખૂબ જ પ્રગતિ કરશે અને જેમ્સ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીને પણ તેનો લાભ મળશે.
સંસ્થાની જેમ ટેસ્ટીંગ લેબોરેટરીના નવા ડિઝાઇન કરેલા નેચરલ ડાયમંડ જ્વેલરી, લેબગ્રોન ડાયમંડ જ્વેલરી, લુઝ ડાયમંડ (નેચરલ અને લેબગ્રોન ) ટેસ્ટીંગ Certificate તથા કલરસ્ટોન ટેસ્ટીંગ Certificate માટે ભારત સરકારના રાષ્ટ્રીય ચિન્હ “અશોક સ્તંભ”વાળા નવા સર્ટીફીકેટનું અનાવરણ મુખ્યઅતિથિ અને અતિથિવિશેષશ્રી દ્વારા કરવામાં આવ્યું હતુ. આ નવા લેબોરેટરી સર્ટિફિકેટ પ્રધાનમંત્રીશ્રી ના વિઝનને અનુલક્ષી“મેક ઇન ઇન્ડિયા” ને પ્રમોટ કરવા IDI દ્વારા આ પહેલ કરવામાં આવેલ છે. ભારત સરકારની “ટેસ્ટ ઇન ઇન્ડિયા”પહેલને પ્રોત્સાહન આપવા માટે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારત સરકારના માધ્યમથી ભારતનું રાષ્ટ્રીય ચિન્હ “અશોક સ્તંભ” સાથેનું લેબોરેટરી સર્ટિફિકેટ જેમ્સ અને જ્વેલરી સેક્ટરને IDI દ્વારા જારી કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ મુખ્યઅતિથિ અને અતિથિવિશેષશ્રીઓ દ્વારા માનવંતા તમામ દાતાશ્રીઓનું અભિવાદન કરી અને સ્મૃતિચિન્હ અર્પણ કરી આભાર માનવામાં આવ્યો હતો.
સમારંભના અંતમાં સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી સમીરકુમાર જોશી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વર્તમાન પ્રેસિડેન્ટ નિખીલ મદ્રાસીએ વિદેશોમાં સુરતના ઉદ્યોગપતિઓનું નેટવર્ક વિકસે એ માટે કરેલા પ્રયાસો ફળદાયી નિવડી રહ્યા છે. ગત નવેમ્બર 2025માં સુરતના દિગ્ગજ ઉદ્યોગકારોને લઇને બોત્સવાના ગયેલા નિખિલ મદ્રાસીએ ચિંન્ધેલા રસ્તે હવે સુરતના દિગ્ગજ ઉદ્યોગપતિ ફારૂખ પટેલ બોત્સવાનામાં સોલાર પાવર પ્લાન્ટ વિકસાવવા જઇ રહ્યા છે અને આ માટે જંગી રકમનું મૂડીરોકાણ આગામી પાંચ વર્ષમાં કરવામાં આવશે. આ અંગે બોત્સવાના મંત્રી અને ફારુખ પટેલની કંપની કે.પી. વચ્ચે એમ.ઓ.યુ. સાઇન થયા હોવાનું જાણવા મળે છે.
ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીની બોત્સવાનાની મુલાકાત દરમ્યાન ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નેજા હેઠળ સુરતના ઉદ્યોગકારોનું બિઝનેસ ડેલિગેશન પણ તા. 10-14 નવેમ્બર દરમ્યાન બોત્સ્વાનાની મુલાકાતે ગયું હતું. આ અત્યંત ફળદાયી મુલાકાત હવે ભારત-બોત્સવાના જ નહીં પણ ગુજરાત-બોત્સવાના વચ્ચે સહયોગની દિશામાં આગળ વધી રહી છે અને તેમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.
ચેમ્બર દ્વારા જાન્યુઆરી 2026માં ગ્લોબલ વિલેજની બીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ઉદ્ઘાટક અને મુખ્ય મહેમાન તરીકે બોત્સવાનાના રાષ્ટ્રપતિ માનનીય એડવોકેટ દુમા ગીડિયોન બોકો તેમનાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે તા. 22થી 25 જાન્યુઆરી 2026 દરમ્યાન સુરત પધારી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નવેમ્બરની મુલાકાત દરમ્યાન બોત્સવાના રાષ્ટ્રપતિના કાર્યાલય ખાતે ચેમ્બરના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી સહિતના પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજાઇ હતી, જેમાં રાષ્ટ્રપતિ એડવોકેટ દુમા ગીડિયોન બોકો તથા ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીના મંત્રી, પ્રિન્સિપાલ સેક્રેટરી ટુ ધ પ્રેસિડેન્ટ, બોત્સવાનાના ભારત સ્થિત હાઈ કમિશનર, BITC ના સીઇઓ ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બરના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ બોત્સવાના રાષ્ટ્રપતિ તથા મંત્રી મંડળને સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તા. 24થી 26 જાન્યુઆરી, 2026 દરમ્યાન યોજાનારા SGCCI ગ્લોબલ વિલેજ 2026 માટે આમંત્રણ આપ્યું હતું. જેનો તેમણે સહર્ષ સ્વીકાર કર્યો છે. તેમની સુરત મુલાકાતની પુષ્ટિ થઈ છે અને તેના અનુસંધાને બોત્સવાનાના ઊર્જા મંત્રી તેમજ ભારત સ્થિત બોત્સ્વાનાના રાજદૂત તથા ઉચ્ચ અધિકારી સાથે બુધવારે તા. 17 ડિસેમ્બરના રોજ ચેમ્બરના હોદ્દેદારો સાથે મીટિંગ કરીને રાષ્ટ્રપતિની સુરત મુલાકાતના કાર્યક્રમો અને એજન્ડાને આખરી ઓપ આપ્યો હતો.
બોત્સવાનાની મુલાકાત દરમ્યાન ચેમ્બરે ટ્વિન સિટીનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો જેમાં શહેરી વિકાસ, ટેકનોલોજી અને ટેલેન્ટ એકસચેન્જ, મેડિકલ ટુરિઝમ, શિક્ષણ અને વિદ્યાર્થીઓ માટે એકસચેન્જ કાર્યક્રમ અને બિઝનેસ પ્રતિનિધિમંડળોની નિયમિત આપલે તથા પ્રદર્શનો વિગેરે ક્ષેત્રોની ચર્ચા થઇ હતી. આ પ્રસ્તાવનો પણ સકારાત્મક પ્રતિસાદ આપતા બોત્સ્વાનાના રાષ્ટ્રપતિની સુરત મુલાકાત દરમ્યાન જ સુરત અને ગેબરોન ટ્વીન સિટી માટે સમજૂતી થવાની અપેક્ષા છે. આમ ગુજરાત અને બોત્સ્વાના વચ્ચે નવા આર્થિક સહયોગ અને વધુ ગાઢ સંબંધોનાં નિર્માણમાં ચેમ્બર અગ્ર સંસ્થા તરીકે ઊભરી રહી છે. થોડા સમય પહેલાં જ ચેમ્બરના નિમંત્રણને પગલે ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિ સુરતની મુલાકાતે આવ્યા હતા.
KP Group દ્વારા બોત્સ્વાનામાં ₹ 36,000 કરોડનું મેગા રોકાણ
5 ગિગાવોટ સોલાર પ્રોજેક્ટથી ઝીરો એમિશન તરફ મોટું પગલું
ચેમ્બરનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ નવેમ્બરમાં બોત્સ્વાનાની મુલાકાતે ગયું તેમાં સુરતના કેપી ગ્રુપના ડૉ. ફારૂક જી. પટેલનો પણ સમાવેશ થતો હતો. આ વિઝિટની પહેલી ફળશ્રુતિ લેખે પહેલું કહી શકાય તેવું વિન્ડ-સોલાર સહિત રિન્યુએબલ એનર્જી રોકાણ સુરતથી થયું છે. કેપી ગ્રુપ બોત્સ્વાનાની ઝીરો એમિશન પ્રતિબદ્ધતા પૂર્ણ કરવા માટે બોત્સવાનાના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાં રૂ. 36000 કરોડનું રોકાણ કરશે. કેપી ગ્રૂપે 4 બિલિયન યુએસડી (રૂ. 36000 કરોડ)નાં રોકાણ માટે બોત્સવાના સરકાર સાથે એમઓયુ કર્યા છે. બોત્સવાનાનાં ખનિજ અને ઊર્જા મંત્રી સુશ્રી બોકોલો જોય અને કેપી ગ્રુપ વચ્ચે થયેલા આ એમઓયુ મુજબ બોત્સવાનાનું ઊર્જા અને ખનિજ મંત્રાલય કેપી ગ્રુપ સાથે સંયુક્ત રીતે રિન્યુએબલ એનર્જી વિકસાવશે અને બોત્સવાનાની સ્વચ્છ ઊર્જાને 5 ગિગાવોટ સુધી લઈ જશે. આ પ્રોજેક્ટ 5 વર્ષમાં તબક્કાવાર હાથ ધરાશે જેમાં 2027માં 500 મેગાવોટ, 2028માં 2500 અને 2030 સુધીમાં 5 ગિગાવોટ પૂર્ણ થશે. આનાથી પ્રોજેક્ટ દરમ્યાન 7000 અને પ્રોજેક્ટ બાદ 1500થી વધુ લોકોને રોજગાર મળશે અને 1 લાખ ઘરોને સોલર વીજળી મળશે. આ માટે 25000 એકર જમીન બોત્સવાના સરકાર આપશે અને ભારત સરકાર રોકાણને સુરક્ષિત કરશે. સમજૂતીના ભાગરૂપે કેપી ગ્રુપ બોત્સવાનાના નાગરિકોને વર્ષે 30 સ્કોલરશિપ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે આપશે.
નવેમ્બર 2025માં GJEPCના ગુજરાત રિજિયનના ચેરમેન જયંતી સાવલિયા અને રજત વાણીની આફ્રિકન દેશ, બોત્સ્વાનાની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત-બોત્સ્વાના હીરા સહયોગને મજબૂત બનાવવા અંગે એક વ્યાપક શ્વેતપત્ર બોત્સ્વાનાના રાષ્ટ્રપતિને સુપરત કરવામાં આવ્યું હતું અને બોત્સ્વાનાના સ્થાનિક મીડિયામાં કવરેજ સહિત, તેની વ્યાપક પ્રશંસા મળી હતી.
ઉપરોક્ત મુલાકાતના અનુસંધાનમાં બોત્સ્વાનાના ખનિજ અને ઉર્જા મંત્રી, શ્રીમતી બોગોલો જોય કેનેવેન્ડોએ ભારતીય હીરા ઉદ્યોગ સાથે વિગતવાર ચર્ચા કરવા માટે GJEPC પ્રાદેશિક કાર્યાલય, સુરતની મુલાકાત લીધી હતી.
મંત્રી અને તેમના પ્રતિનિધિમંડળનું GJEPC – ગુજરાતના પ્રાદેશિક અધ્યક્ષ શ્રી જયંતિ સાવલિયા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમણે વૈશ્વિક હીરા મૂલ્ય શૃંખલામાં બોત્સ્વાના અને ભારત વચ્ચે વ્યૂહાત્મક પૂરકતા પર પ્રકાશ પાડીને બેઠકનો સૂર નક્કી કર્યો હતો. શ્રી સાવલિયાએ બોત્સ્વાનાથી ભારતના MSME ઉત્પાદકોને કાચા હીરાની સીધી પહોંચની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, ખાસ કરીને એવા સમયે જ્યારે વૈશ્વિક હીરા ઉદ્યોગ નોંધપાત્ર પડકારોનો સામનો કરી રહ્યો છે.
બેઠક દરમિયાન, સુરત ઇન્ટરનેશનલ ડાયમંડ સેન્ટર (SIDC) ખાતે સ્પેશિયલ નોટિફાઇડ ઝોન (SNZ) ના ડિરેક્ટર શ્રી હિતેશ શાહે પ્રતિનિધિમંડળને માઇનિંગ કંપનીઓ માટે SNZ મિકેનિઝમ કેવી રીતે પારદર્શક, સુસંગત અને સ્પર્ધાત્મક ભાવ શોધને સક્ષમ બનાવે છે તે અંગે માહિતી આપી. શ્રી સાવલિયા, જેઓ SIDCના ચેરમેન પણ છે, તેમણે પ્રતિનિધિમંડળને માહિતી આપી કે સુરત SNZ-SIDC પહેલાથી જ ગુજરાત હીરા બોર્સ સ્થિત SIDC ખાતે 25 થી વધુ રફ ડાયમંડ વ્યૂઇંગ ઇવેન્ટ્સનું આયોજન કરી ચૂક્યું છે.
બોત્સવાનાના મંત્રીએ સુરત ડાયમંડ બોર્સના વિશ્વ કક્ષાના માળખાગત સુવિધા માટે પ્રશંસા વ્યક્ત કરી અને સુરતમાં રફ હીરાના સીધા વેપાર માટે GJEPCના પ્રસ્તાવનો સકારાત્મક પ્રતિભાવ આપ્યો. તે જ સમયે, તેમણે નોંધ્યું કે વર્તમાન વૈશ્વિક બજારની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, આવી પહેલોને પરસ્પર લાભ સુનિશ્ચિત કરવા માટે કાળજીપૂર્વક માપાંકિત અને વ્યૂહાત્મક અભિગમની જરૂર પડશે. એકંદરે, બેઠક ખૂબ જ ઉત્પાદક અને ભવિષ્યલક્ષી રહી, જે માળખાગત અને ટકાઉ જોડાણ દ્વારા વૈશ્વિક હીરા ઇકોસિસ્ટમને સહયોગને વધુ ગાઢ બનાવવા અને મજબૂત કરવા માટે ભારત અને બોત્સ્વાનાની સહિયારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરે છે.
જો તમે ટેક્ષટાઇલ ઉદ્યોગની વેલ્યુ ચેઇનમાં મહત્વની કડી ગણાતા વીવીંગ (વણાટ) ઉદ્યોગમાં છો અને તમારી મશીનરીનું અપગ્રેડેશન કરવાનું આયોજન ધરાવો છો તો તમારા માટે તા.22 નવેમ્બર (આજથી) ત્રણ દિવસ સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટરમાં ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત સિટેક્ષ એક્ષ્પો નોલેજ ગેઇનિંગ એક્ઝિબિશન બની રહેશે. જ્યાં વણાટ ઉદ્યોગની નવીનત્તમ મશીનરીનો લાઇવ ડેમો ઉપરાંત અગાઉ ક્યારેય નહીં મળી હોય તેવી પ્રાઇસ ઓફર મળી શકે છે. સુરતના અનેક કારખાનેદારો આગામી દિવસોમાં એરજેટ મશીન વસાવવાનું આયોજન કરી રહ્યા છે આ તમામ લોકો માટે સિટેક્ષ એક્ષ્પો લાભદાયી પુરવાર થશે એમ માનવામાં આવી રહ્યું છે.
મહત્વની વાત એ છે કે ચેમ્બરના સિટેક્ષ એક્ષ્પોમાં એક એકથી ચઢીયાતા મશીનોના મેન્યુફેક્ચરર્સથી લઇને લોકલ ડિલર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ એક જ સ્થળે પોતાની મશીનરીનું વેચાણ તેમજ ડેમો આપી રહ્યા છે. અહીં જે ઓફર મળશે તે અગાઉ ક્યાંય અને કોઇએ આપી નહીં હોય તેવી ઓફર મળી શકે છે.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર અને સુરત ટેક્ષમેક ફેડરેશનના સંયુકત ઉપક્રમે આગામી તા. રર, ર૩ અને ર૪ નવેમ્બર, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–ર૦રપ’નું આયોજન કરાયું છે.
ચેમ્બરના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન ‘સીટેક્ષ’ શ્રેણીનું આ ૧રમું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકઝીબીશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મળે છે.
આ એકઝીબીશનમાં ઇન્ડસ્ટ્રીયલ ફેબ્રિકસ માટે ગ્લાસ ફાયબર મશીનને ભારતમાં પ્રથમ વખત લોન્ચ કરવામાં આવશે. આ મશીનરી ઇલેકટ્રીક સરકીટ, કાર, બિલ્ડીંગ કન્સ્ટ્રકશન માટે તેમજ રેલ્વે ટ્રેકમાં નીચે મૂકવામાં આવતું ફેબ્રિક બનાવે છે. ઇન્ડસ્ટ્રીમાં મલ્ટીપર્પઝ ઉપયોગમાં લેવાતું ફેબ્રિક આ મશીનરી બનાવે છે, જેનું ભારતમાં પ્રથમ વખત સીટેક્ષ એકઝીબીશનમાં લોન્ચીંગ કરવામાં આવશે.
સુરત ટેક્ષમેક ફેડરેશનના જોઇન્ટ સેક્રેટરી શ્રી ભાવેશ વઘાસિયા અને ટ્રેઝરર શ્રી મહેન્દ્ર કુકડીયાએ સંયુકતપણે જણાવ્યું હતું કે, ભારતમાં પ્રથમ વખત ચેમ્બરના સીટેક્ષ એકઝીબીશનમાં મોટરાઇઝ સાથેનું બાર ઓપરેટવાળું હાઈ સ્પીડ ક્રોકેટ નીટિંગ મશીનનું પ્રદર્શન કરવામાં આવશે. પ્રથમ વખત વેલ્વેટ સરકયુલર, હાઇ સ્પીડ વેલ્વેટ એરજેટ, હાઇ સ્પીડ વોર્પિંગ મશીન, હાઇ સ્પીડ સરકયુલર મશીન ચેમ્બરના એકઝીબીશનમાં પ્રદર્શિત કરવામાં આવશે. ટેક્ષ્ટાઇલ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડ થઇ રહી છે. સુરતમાં સીટેક્ષ પ્રદર્શનમાં હાઇ સ્પીડ રેપિયર લુમ, હાઇ સ્પીડ એરજેટ લુમ, હાઇ સ્પીડ વોટરજેટ લુમનું પ્રદર્શન કરવામાં આવશે.
ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ એકઝીબીશનમાં વેલ્વેટ એરજેટ મશીનરીનું પ્રદર્શન કરાશે. આ મશીનરી પર હાઈ કવોલિટી વેલ્વેટનું પ્રોડકશન લઇ શકાશે. આ ઉપરાંત સીટેક્ષ એકઝીબીશનમાં ઇન્ટરેકટીવ સોફટવેરની પણ વિઝીટર્સને માહિતી આપવામાં આવશે. રેપિયર જેકાર્ડ મશીન માટે આ સોફટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સોફટવેરની મદદથી મોબાઇલ, લેપટોપ તથા ઓન સ્ક્રીન પર પ્રોડકશનને લાઇવ જોઇ શકાય છે.
ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ પ્રદર્શનમાં ભારતમાં બનેલા એરજેટ, વોટરજેટ અને રેપિયરના લેટેસ્ટ મોડેલ મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે. મોટા ભાગે એરજેટ મશીન કોટન બેઇઝ હોય છે, પરંતુ આ એકઝીબીશનમાં વિસ્કોસ તેમજ પોલિએસ્ટરનું પ્રોડકશન કરનારા એરજેટ મશીનો પણ પ્રદર્શિત કરાશે. આ મશીનરી પર અલગ અલગ યાર્નનો પણ ઉપયોગ કરી શકાય છે, જે પ્રોડકશનમાં ૯પથી ૯૬ ટકા સુધીની એફિશીયન્સી આપે છે.
ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી બિજલ જરીવાલા અને માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, સુરત સહિત દક્ષિણ ગુજરાત ઉપરાંત આખા ભારતના વિવર્સ એસોસીએશનોને સીટેક્ષ એકઝીબીશનની મુલાકાત માટે આમંત્રણ પાઠવવામાં આવ્યા છે. ૧પ,૦૦૦થી વધુ વિઝીટર્સનું ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ આવી ગયું છે. ભારતભરમાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા રપ,૦૦૦થી વધુ લોકો ૧પ૦ કરતા પણ વધારે શહેરોમાંથી સીટેક્ષ એકઝીબીશનની વિઝીટ કરશે. સીટેક્ષ એકઝીબીશનની મુલાકાત માટે વિના મૂલ્યે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકાય છે.
ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમર અને કો–ચેરમેન શ્રી નિરવ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, સરસાણા સ્થિત એકઝીબીશન સેન્ટરમાં ટેક્ષ્ટાઇલ મશીનરી અને ટેકનિકલ ટેક્ષ્ટાઇલ સંબંધિત મશીનરીનું પ્રદર્શન થશે. તદુપરાંત, પ્લેટીનમ હોલમાં ટેક્ષ્ટાઇલ એસેસરીઝ અને એન્સીલરીનું પ્રદર્શન કરવામાં આવશે, આથી જ અમને ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના તમામ સેકટર્સના એકઝીબીટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.
સીટેક્ષ એક્ષ્પો–ર૦રપના ચેરમેન શ્રી સુરેશ પટેલે જણાવ્યું હતું કે, સીટેક્ષ એકઝીબીશનમાં સુરતના ૭૧ એકઝીબીટર્સે ભાગ લીધો છે. ટેક્ષ્ટાઇલ મશીનરી અને એસેસરીઝ મેન્યુફેકચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી મશીનરીનું પ્રદર્શન કરશે.
સીટેક્ષ એક્ષ્પો–ર૦રપના કો–ચેરમેનો શ્રી મયુર ગોળવાલા, શ્રી રિતેશ બોડાવાલા, વિપુલ સિંહ દેસાઇ તથા સુરત ટેક્ષમેક ફેડરેશનના ઉપ પ્રમુખ શ્રી પ્રણવ મહેતા, સેક્રેટરી શ્રી જિતેન્દ્ર મિસ્ત્રી, જોઇન્ટ સેક્રેટરી શ્રી ભાવેશ વઘાસિયા અને ટ્રેઝરર શ્રી મહેન્દ્ર કુકડીયાએ એકઝીબીશનના આયોજનમાં ભારે જહેમત ઉઠાવી હતી.
ટેક્ષ્ટાઇલ મશીનરી અને એન્સીલરીનું વિશાળ પ્રદર્શન હોવાથી આ એકઝીબીશનમાં ૧૬ વર્ષથી નાના બાળકોનો પ્રવેશ પ્રતિબંધિત છે, જેની નોંધ લેવા વિનંતી છે.
સુરતમાંથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી પદે પહેલી જ વખત કોઇ ધારાસભ્ય સ્વરૂપમાં મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીની થયેલી નિયુક્તિ બાદ પહેલી વખત સુરતમાં સરદાર પટેલ ગૌરવ સમિતિ નામની ખાનગી સંસ્થા દ્વારા આવતીકાલ તા.14મી નવેમ્બરને શુક્રવારે સાંજે લસકાણા સ્થિત જે.બી. ડાયમંડ અને કાર્પ વિદ્યાસંકુલ ખાતે જાહેર અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં હર્ષ સંઘવી ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય અને શિક્ષણ મંત્રાલયનો સ્વતંત્ર હવાલો સંભાળતા રાજ્યમંત્રી પ્રુફુલ પાનશેરિયાનું પણ જાહેર અભિવાદન કરવામાં આવશે.
આ સમારોહ અંગે વધુ વિગતો આપતા દિનેશ નાવડીયા અને એડવોકેટ પ્રફુલ ચોડવડીયાએ જણાવ્યું હતું કે સુરતના બન્ને યુવાન ધારાસભ્યોએ ભૂતકાળમાં કરેલી દર્શનીય કામગીરીને બિરદાવવા તેમજ તેમને મળેલી નવી જવાબદારી માટે તેમને શુભેચ્છા આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ સમારોહમાં અધ્યક્ષ પદે કેન્દ્રીય જળસંચય મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહેશે તેમજ શહેર મેયર દક્ષેશ માવાણી કે જેના કાર્યકાળ દરમિયાન સુરત મહાનગરપાલિકા અનેક એવોર્ડ હાંસલ કરી શકી છે તેમને પણ અભિવાદિત કરવામાં આવશે.
આ સમારોહમાં અંદાજે 25 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે એમ માનવામાં આવે છે. આ સમારોહમાં સરદાર પટેલ ગૌરવ સમિતિ ઉપરાંત શહેરની નામી અનામી 200થી વધુ સામાજિક, સ્વૈચ્છીક, વ્યાપારીક, ઔદ્યોગિક સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણરાજ્ય મંત્રીનું જાહેર અભિવાદન કરવામાં આવશે.
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944 નરેન્દ્ર મોદી સરકારે તા.12મી નવેમ્બર 2025ના રોજ એક અભૂતપૂર્વ પગલું ભરીને યાર્ન અને યાર્નના બેઝિક રો મટિરિયલ્સ પર પાછલા વર્ષોમાં લાદેલા QCO (ક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડર્સ) હટાવી દીધા છે. જેને કારણે યાર્નમાંથી ફેબ્રિક બનાવતા દેશના ટેક્ષટાઇલ્સ ક્લસ્ટર્સ જેમાં સુરત સૌથી મોટું ફેબ્રિક મેન્યુફેક્ચરિંગ હબ છે ત્યાંના વણાટ ઉદ્યોગના કારખાનેદારો માટે જાણે દિવાળી આવી ગઇ હોય તેવો માહોલ બુધવારની રાતથી સર્જાયો છે.
કેન્દ્ર સરકારે યાર્ન અને યાર્નના બેઝિક રો મટિરિયલ પરથી QCO હટાવવાનું નોટિફિકેશન જાહેર કરતાં જ પોલિએસ્ટર મધર યાર્નના ભાવેમાં 20થી 25 ટકા તૂટ્યા છે અને યાર્ન હવે સુરતના વીવીંગ કારખાનેદારોની માગણી મુજબ આંતર રાષ્ટ્રીય સ્તરના ભાવોને સમકક્ષ મળતું થઇ ગયું હતું. QCOને કારણે ઇમ્પોર્ટેડ યાર્ન એટલું મોંઘુ થઇ ગયું હતું અને તેની આયાત પણ લગભગ બંધ થઇ ગઇ હતી. પરંતુ, હવે QCO હટાવતા પોલિએસ્ટર યાર્ન કે જેની આયાત બિલકુલ બંધ થઇ જવા પામી હતી અને દેશના સ્પીનર્સ પાસેથી હલકી કક્ષાનું યાર્ન ઉંચી કિંમતે ખરીદવાની ફરજ પડતી હતી, એ સ્થિતિમાંથી સુરત સમેત દેશભરના વીવીંગ કારખાનેદારોને છુટકારો મળ્યો છે.
બુધવારે કેન્દ્ર સરકારે યાર્ન અને બેઝિક રો મટિરિયલ્સ પરથી ક્યુસીઓ હટાવવાની જાહેરાત કર્યા બાદ તુરત જ પોલિએસ્ટર મધર યાર્નના ભાવે કકડભૂસ થઇ ગયા હતા. સુરતના લોકલ યાર્ન ડિસ્ટ્રીબ્યુટર્સ અને ડિલર્સે મધરયાર્નના ઘટાડેલા ભાવોને મેસેજીસ વીવર્સ કારખાનેદારોને કર્યા હતા અને ભાવો જોઇને કારખાનેદારોની આંખમાં ચમક આવી જવા પામી હતી.
સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગના અભિન્ન અંગ વીવર્સને હવે યાર્ન સસ્તું મળશે અને સુરતનું કપડું હવે આંતર રાષ્ટ્રીય બજારમાં ટકી શકે તેવા ભાવે વેચાતું થઇ જશે. સુરતના વીવીંગ ઇન્ડસ્ટ્રીઝના આગેવાનો કેન્દ્ર સરકારના આ પગલાંને આજે દીવાળીની ગીફટની જેમ વધાવી રહ્યા છે.
બીજી તરફ નાયલોન યાર્ન પર પણ ક્યુસીઓ લાદવાની વાતો ચાલી રહી હતી તેનો પણ છેદ ઉડી જતાં સુરતના વીવીંગ ઉદ્યોગકારોને માટે સૌથી મોટી નિરાંત થવા પામી છે.
Rescission of Major QCOs – 12 November 2025
(Ministry of Chemicals & Fertilizers – Department of Chemicals & Petrochemicals) The Government of India has issued a significant series of notifications on 12 November 2025, rescinding multiple Quality Control Orders (QCOs) across key petrochemical and man-made fibre value chains. These decisions follow consultations with BIS and have been taken in public interest, with immediate effect, except for actions already undertaken under earlier notifications.
This development directly eases the compliance burden on industry and is expected to improve raw material availability, reduce input costs, and strengthen competitiveness—especially for textiles, plastics, and downstream MSME manufacturers.
Impact: Immediate relief for the polyester value chain. Lower raw material costs vs Vietnam, Bangladesh, China. Boosts domestic MMF-based exports at a critical time.
B. Plastics & Polymer QCOs Rescinded
Polyethylene (PE) – Moulding & Extrusion Grades
Polypropylene (PP) – Moulding & Extrusion Grade
Acrylonitrile Butadiene Styrene (ABS)
Polyvinyl Chloride (PVC) Homopolymers
Ethylene Vinyl Acetate (EVA) Copolymers
Polyurethanes
Polycarbonate Impact: Major compliance relaxation across plastics industry. Removes import bottlenecks and supports downstream MSMEs. Helps in price stability of key engineering polymers.
Overall Implication for Industry Broad-based cost reduction in MMF textiles and plastics. Strengthens export competitiveness during US tariff uncertainty Supports MSME manufacturing, which was most affected by QCO restrictions. Aligns input costs with regional competitors, improving India’s ability to retain global orders Helps maintain supply chains for sectors like textiles, automotive, electronics, packaging, and footwear.
ભારત અને મુખ્ય ભૂમિ ચીન વચ્ચે 5 વર્ષ પછી ગતરોજ તા.26મી ઓક્ટોબરને રવિવારે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ થઇ ચૂકી છે, ઇન્ડિગોની ફ્લાઇટ રવિવારે રાત્રે 10 વાગ્યે કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી ઉડાન ભરી હતી. કોવિડ-19 ને વૈશ્વિક રોગચાળો જાહેર કરવામાં આવ્યો તે પહેલાં, 2020ની શરૂઆતથી, ચીનના ખાસ વહીવટી ક્ષેત્ર હોંગકોંગ સિવાય, દેશો વચ્ચેની એરલાઇન સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.
Dated 26/10/2025 રવિવારે રાત્રે 10 કલાકે કોલકાતાથી ઉડાન ભરનારી ઈન્ડિગોની ફ્લાઇટ 6E 1703 એ તા.27મી ઓક્ટોબરને સોમવારે વહેલી સવારે દક્ષિણ ચીનના શહેર ગુઆંગઝુ શહેરના એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું, આ ફ્લાઇટમાં લગભગ 180 મુસાફરો ભારતથી ચીન પહોંચ્યા હતા.
સૌથી મોટો ફાયદો સુરતના હીરા અને ટેક્ષટાઇલ ઉદ્યોગકારોને
સુરતના ટેક્ષટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ચીનના વેપારીઓ, ઉત્પાદકો સાથે સીધો વેપાર ચાલી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ ન હોવાના કારણે સુરતના વેપારીઓએ વાયા હોંગકોંગ કે થાઇલેન્ડ કે સિંગાપોર થઇને ચીનના ગંતવ્ય સ્થાને પહોંચવું પડતું હતું. સુરતના ઉદ્યોગકારો માટે આ પ્રકારે વાયા ફ્લાઇટથી ચીન પહોંચવું ખર્ચાળ પણ હતું અને સમય વ્યય કરનારું પણ નિવડતું હતું. પરંતુ, હવે ભારતમાં કોલકાત્તા અને આગામી દિવસોમાં દિલ્હીથી ચીનની સીધી ફ્લાઇટ શરૂ થવાની હોઇ સુરતના ઉદ્યોગકારોને મોટો ફાયદો છે.
સુરતના અનેક વેપારીઓ ચીનના લેબગ્રોન ડાયમંડના ખરીદારો છે. એથી વિશેષ ટેક્ષટાઇલ ઉદ્યોગકારો એરજેટ, વોટરજેટ, રેપીયર જેકાર્ડ જેવી મશીનરી તેમજ સ્પેરપાર્ટસ માટે નિયમિત રીતે ચીનની મુલાકાતે જતા હોય છે. એવી જ રીતે જ્વેલરી વિક્રેતાઓ પણ નિયમિત રીતે ચીન અવરજવર કરતા હોય છે તેમના માટે ભારતથી ચીનની ડાયરેક્ટ ફ્લાઇટ અત્યંત ઉપયોગી બની રહેશે.
ટિકીટનો ભાવ રૂ.35 હજારની આસપાસ
ઇન્ડિગોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પીટર એલ્બર્સે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, “અમને ભારત અને મુખ્ય ભૂમિ ચીન વચ્ચે દૈનિક, નોન-સ્ટોપ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરતા આનંદ થાય છે. અમને ભારતના બે બિંદુઓથી ચીન સાથે સીધી કનેક્ટિવિટી ફરી શરૂ કરનારા પ્રથમ દેશોમાં સામેલ થવાનો ગર્વ છે. આનાથી ફરી એકવાર લોકો, માલસામાન અને વિચારોની અવરજવર સરળ બનશે, સાથે સાથે વિશ્વના બે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પણ મજબૂત બનશે. આ ખૂબ જ મહત્વપૂર્ણ પગલા સાથે, અમે ચીનમાં વધુ સીધી ફ્લાઇટ્સ શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ.”
ગુજરાતના નવા મંત્રીમંડળની રચના સાથે જ રાજ્યના રાજકીય ચિત્રમાં અનેક રસપ્રદ પાસાઓ ઉભરી આવ્યા છે. સરેરાશ 55 વર્ષની વય અને 11 કરોડની સરેરાશ સંપત્તિ ધરાવતું આ મંત્રીમંડળ અનુભવ અને સમૃદ્ધિનું પ્રતિક છે, પરંતુ તેની અંદર રહેલી વિવિધતા ગુજરાતના રાજકારણની જટિલતાને પણ દર્શાવે છે.
સૌથી સંપત્તિવાન મંત્રી કોણ?
સંપત્તિમાં જમીન-આસમાનનો તફાવત આ મંત્રીમંડળમાં એક તરફ કરોડોમાં આળોટતા મંત્રીઓ છે, તો બીજી તરફ સામાન્ય આર્થિક પૃષ્ઠભૂમિમાંથી આવતા ચહેરાઓ પણ છે. મંત્રીમંડળના સૌથી ધનિક સભ્ય તરીકે રીવાબા જાડેજા 97 કરોડથી વધુની સંપત્તિ સાથે ટોચ પર છે. ત્યારબાદ પરષોત્તમ સોલંકી 43.52 કરોડ) અને પ્રફુલ પાનસેરિયા (19.70 કરોડ) જેવા કરોડપતિ મંત્રીઓ છે.
જોકે, આ સિક્કાની બીજી બાજુ પણ છે. જયરામ ગામિત (47 લાખ) અને સ્વરૂપસિંહ ઠાકોર (91 લાખ) જેવા મંત્રીઓ પણ છે, જેમની સંપત્તિ એક કરોડથી પણ ઓછી છે. આ આંકડા દર્શાવે છે કે મંત્રીમંડળમાં આર્થિક રીતે ભયંકર અસમાનતા છે, જે ગુજરાતના રાજકારણમાં ધનબળના વધતા પ્રભાવ અને પાયાના કાર્યકરોની ભાગીદારી વચ્ચેના સંતુલનને રજૂ કરે છે.
સૌથી યુવા મંત્રી કોણ?
અનુભવ અને યુવા જોશનો સમન્વય મંત્રીમંડળની સરેરાશ ઉંમર 55 વર્ષ છે, જે દર્શાવે છે કે સરકાર ચલાવવામાં અનુભવી નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. 74 વર્ષીય કનુ દેસાઈ જેવા વરિષ્ઠ નેતાઓ સરકારને સ્થિરતા અને માર્ગદર્શન આપશે. તો બીજી તરફ, રીવાબા જાડેજા (35 વર્ષ) અને હર્ષ સંઘવી (37 વર્ષ) જેવા યુવા ચહેરાઓ નવી પેઢીની ઉર્જા અને દ્રષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કરે છે. આ મિશ્રણ સરકાર માટે એક જ સમયે અનુભવનો લાભ લેવા અને ભવિષ્ય માટે નવી નેતાગીરી તૈયાર કરવાની રણનીતિનો સંકેત આપે છે.
કોણ કેટલું ભણેલું
શિક્ષણનું વૈવિધ્યસભર ચિત્ર શૈક્ષણિક લાયકાતની દ્રષ્ટિએ પણ મંત્રીમંડળમાં વિવિધતા જોવા મળે છે. એક તરફ મનીષા વકીલ (PhD) અને પ્રદ્યુમન વાજા (MBBS) જેવા ઉચ્ચ શિક્ષિત મંત્રીઓ છે, તો બીજી તરફ નરેશ પટેલ અને સ્વરૂપસિંહ ઠાકોર જેવા 10 પાસ થયેલા મંત્રીઓ પણ છે. આ દર્શાવે છે કે રાજકારણમાં સફળ થવા માટે માત્ર શૈક્ષણિક ડિગ્રી જ નહીં, પરંતુ જનતા સાથેનું જોડાણ અને રાજકીય કુનેહ પણ એટલી જ મહત્વની છે.
આમ, ગુજરાતનું નવું મંત્રીમંડળ સંપત્તિ, વય અને શિક્ષણના મામલે એક અત્યંત વૈવિધ્યસભર જૂથ છે. આ ‘મિની ગુજરાત’ સરકાર સામે રાજ્યના વિકાસને આગળ ધપાવવાનો અને જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો મોટો પડકાર રહેશે. આગામી સમય જ બતાવશે કે આ વિવિધતા સરકાર માટે તાકાત બને છે કે નબળાઈ.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મંત્રીમંડળના વિસ્તરણની ચાલતી ચર્ચાઓ પર હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે. નક્કી થઇ ગયું છે કે શુક્રવારે (17મી ઓક્ટોબર) ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારના મંત્રીમંડળના વિસ્તરણનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ 11:30 વાગ્યે યોજાશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યના મંત્રીમંડળમાં સામેલ થનારા મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ અપાવશે.
મળતી માહિતી અનુસાર રાજ્યમાં યોજાનાર મંત્રીમંડળના વિસ્તરણમાં આજે સાંજે ગવર્નર આચાર્ય દેવદત્ત ગુજરાત પહોંચશે તે સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ રાત્રે ગુજરાત આવી પહોંચશે. આ ઉપરાંત આ દરમિયાન કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ પણ ગુજરાત મુલાકાત લે તેવી શક્યતા છે. હાલ મંત્રીમંડળના વિસ્તરણ અંગે કોણે મંત્રી બનાવશે કે કોને નહીં બનાવાય એ અંગે સરકાર દ્વારા સંપૂર્ણ ગોપનીયતા રાખવામાં આવી રહી છે જેથી કોઈ માહિતી લીક ના થાય.
ભાજપના ધારાસભ્યોને ગુરુવાર અને શુક્રવાર ગાંધીનગરમાં હાજર રહેવા દંડકે સૂચના આપી દીધી છે, જેના પગલે ધારાસભ્યો પાટનગર જવા રવાના થયાં છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતીમાં મંત્રીઓની યાદીને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. હવે માત્ર જાણ જ કરવાની બાકી છે. અત્યારે તો ભાજપના ધારાસભ્યોની નજર મોબાઈલ ફોન પર સતત મંડાયેલી છે કે ક્યાંક મંત્રીપદ માટે ફોન આવી શકે છે.
મંત્રીઓનો શપથગ્રહણને લઈને સ્વર્ણિમ સંકુલ 2 ખાતે મંત્રીઓની ઓફિસમાં સાફ સફાઈ કાર્ય શરૂ કરાઇ છે. આ વખતે મંત્રીમંડળનું કદ 20થી વઘુ મંત્રીઓનું હોઇ શકે છે જેના પગલે સ્વર્ણિમ સંકુલ-2ના બીજા અને ત્રીજા માળે પાંચ-છ ઓફિસોનુ સફાઇ શરૂ કરાઇ છે જેના કારણે સચિવાલયમાં મંત્રીમંડળના વિસ્તરણ વાત લગભગ સાચી ઠરશે.
ગુજરાતના નવા મંત્રીમંડળમાં 23 સભ્યોને સ્થાનની શક્યતા
નવા મંત્રીમંડળમાં કુલ 23 મંત્રીઓને સ્થાન મળી શકે છે. મુખ્યમંત્રી દ્વારા મંત્રીમંડળમાં અનુભવની સાથે યુવા અને મહિલા ધારાસભ્યોને વિશેષ મહત્ત્વ આપવામાં આવે તેવી સંભાવના છે. મંત્રીમંડળમાં તમામ જાતિઓ અને પ્રદેશોને સંતુલિત પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પાટીદાર સમાજમાં 4 લેઉવા પટેલ અને 2 કડવા પટેલ સહિત કુલ 6 પાટીદાર ચહેરાને સ્થાન મળી શકે છે. અન્ય પછાત વર્ગ (OBC) 4 ઠાકોર-કોળી સમાજના ધારાસભ્યોને મંત્રીપદ મળી શકે છે. 2 અનુસૂચિત જાતિ (SC) અને 2 અનુસૂચિત જનજાતિ (ST) ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવવામાં આવી શકે છે. 2 બ્રાહ્મણ અને 2 ક્ષત્રિય ચહેરાઓને પણ મંત્રી પદની તક મળી શકે છે. આ ઉપરાંત યુવા અને અનુભવી મહિલા ધારાસભ્યોને મહત્વ આપતાં 4 જેટલા મહિલા ધારાસભ્યો મંત્રી બની શકે છે.
પ્રાદેશિક સંતુલન પર ભાર
અમદાવાદ-ગાંધીનગરમાંથી નવા એક મંત્રી બની શકે, કચ્છ, સૌરાષ્ટ્રમાંથી 4 કેબિનેટ, 3 રાજ્યમંત્રી, મધ્ય ગુજરાતમાંથી 2 કેબિનટ, 2થી વધુ રાજ્યમંત્રી, દક્ષિણ ગુજરાતમાંથી 3 કેબિનેટ, 4 રાજ્યમંત્રી મળી શકે છે.
આવતીકાલે ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, ગાંધીનગરમાં મહાત્મા મંદિરે શપથ સમારોહ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મંત્રીમંડળના વિસ્તરણની ચાલતી ચર્ચાઓ પર હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે. નક્કી થઇ ગયું છે કે શુક્રવારે (17મી ઓક્ટોબર) ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારના મંત્રીમંડળના વિસ્તરણનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ 11:30 વાગ્યે યોજાશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યના મંત્રીમંડળમાં સામેલ થનારા મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ અપાવશે.
મળતી માહિતી અનુસાર રાજ્યમાં યોજાનાર મંત્રીમંડળના વિસ્તરણમાં આજે સાંજે ગવર્નર આચાર્ય દેવદત્ત ગુજરાત પહોંચશે તે સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ રાત્રે ગુજરાત આવી પહોંચશે. આ ઉપરાંત આ દરમિયાન કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ પણ ગુજરાત મુલાકાત લે તેવી શક્યતા છે. હાલ મંત્રીમંડળના વિસ્તરણ અંગે કોણે મંત્રી બનાવશે કે કોને નહીં બનાવાય એ અંગે સરકાર દ્વારા સંપૂર્ણ ગોપનીયતા રાખવામાં આવી રહી છે જેથી કોઈ માહિતી લીક ના થાય.
ભાજપના ધારાસભ્યોને ગુરુવાર અને શુક્રવાર ગાંધીનગરમાં હાજર રહેવા દંડકે સૂચના આપી દીધી છે, જેના પગલે ધારાસભ્યો પાટનગર જવા રવાના થયાં છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતીમાં મંત્રીઓની યાદીને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. હવે માત્ર જાણ જ કરવાની બાકી છે. અત્યારે તો ભાજપના ધારાસભ્યોની નજર મોબાઈલ ફોન પર સતત મંડાયેલી છે કે ક્યાંક મંત્રીપદ માટે ફોન આવી શકે છે.
મંત્રીઓનો શપથગ્રહણને લઈને સ્વર્ણિમ સંકુલ 2 ખાતે મંત્રીઓની ઓફિસમાં સાફ સફાઈ કાર્ય શરૂ કરાઇ છે. આ વખતે મંત્રીમંડળનું કદ 20થી વઘુ મંત્રીઓનું હોઇ શકે છે જેના પગલે સ્વર્ણિમ સંકુલ-2ના બીજા અને ત્રીજા માળે પાંચ-છ ઓફિસોનુ સફાઇ શરૂ કરાઇ છે જેના કારણે સચિવાલયમાં મંત્રીમંડળના વિસ્તરણ વાત લગભગ સાચી ઠરશે.
ગુજરાતના નવા મંત્રીમંડળમાં 23 સભ્યોને સ્થાનની શક્યતા
નવા મંત્રીમંડળમાં કુલ 23 મંત્રીઓને સ્થાન મળી શકે છે. મુખ્યમંત્રી દ્વારા મંત્રીમંડળમાં અનુભવની સાથે યુવા અને મહિલા ધારાસભ્યોને વિશેષ મહત્ત્વ આપવામાં આવે તેવી સંભાવના છે. મંત્રીમંડળમાં તમામ જાતિઓ અને પ્રદેશોને સંતુલિત પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પાટીદાર સમાજમાં 4 લેઉવા પટેલ અને 2 કડવા પટેલ સહિત કુલ 6 પાટીદાર ચહેરાને સ્થાન મળી શકે છે. અન્ય પછાત વર્ગ (OBC) 4 ઠાકોર-કોળી સમાજના ધારાસભ્યોને મંત્રીપદ મળી શકે છે. 2 અનુસૂચિત જાતિ (SC) અને 2 અનુસૂચિત જનજાતિ (ST) ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવવામાં આવી શકે છે. 2 બ્રાહ્મણ અને 2 ક્ષત્રિય ચહેરાઓને પણ મંત્રી પદની તક મળી શકે છે. આ ઉપરાંત યુવા અને અનુભવી મહિલા ધારાસભ્યોને મહત્વ આપતાં 4 જેટલા મહિલા ધારાસભ્યો મંત્રી બની શકે છે.
પ્રાદેશિક સંતુલન પર ભાર
અમદાવાદ-ગાંધીનગરમાંથી નવા એક મંત્રી બની શકે, કચ્છ, સૌરાષ્ટ્રમાંથી 4 કેબિનેટ, 3 રાજ્યમંત્રી, મધ્ય ગુજરાતમાંથી 2 કેબિનટ, 2થી વધુ રાજ્યમંત્રી, દક્ષિણ ગુજરાતમાંથી 3 કેબિનેટ, 4 રાજ્યમંત્રી મળી શકે છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.