CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - CIA Live

November 22, 2025
Cia_business_news-1280x936.jpg
1min52

જો તમે ટેક્ષટાઇલ ઉદ્યોગની વેલ્યુ ચેઇનમાં મહત્વની કડી ગણાતા વીવીંગ (વણાટ) ઉદ્યોગમાં છો અને તમારી મશીનરીનું અપગ્રેડેશન કરવાનું આયોજન ધરાવો છો તો તમારા માટે તા.22 નવેમ્બર (આજથી) ત્રણ દિવસ સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટરમાં ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત સિટેક્ષ એક્ષ્પો નોલેજ ગેઇનિંગ એક્ઝિબિશન બની રહેશે. જ્યાં વણાટ ઉદ્યોગની નવીનત્તમ મશીનરીનો લાઇવ ડેમો ઉપરાંત અગાઉ ક્યારેય નહીં મળી હોય તેવી પ્રાઇસ ઓફર મળી શકે છે. સુરતના અનેક કારખાનેદારો આગામી દિવસોમાં એરજેટ મશીન વસાવવાનું આયોજન કરી રહ્યા છે આ તમામ લોકો માટે સિટેક્ષ એક્ષ્પો લાભદાયી પુરવાર થશે એમ માનવામાં આવી રહ્યું છે.

મહત્વની વાત એ છે કે ચેમ્બરના સિટેક્ષ એક્ષ્પોમાં એક એકથી ચઢીયાતા મશીનોના મેન્યુફેક્ચરર્સથી લઇને લોકલ ડિલર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ એક જ સ્થળે પોતાની મશીનરીનું વેચાણ તેમજ ડેમો આપી રહ્યા છે. અહીં જે ઓફર મળશે તે અગાઉ ક્યાંય અને કોઇએ આપી નહીં હોય તેવી ઓફર મળી શકે છે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર અને સુરત ટેક્ષમેક ફેડરેશનના સંયુકત ઉપક્રમે આગામી તા. રર, ર૩ અને ર૪ નવેમ્બર, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–ર૦રપ’નું આયોજન કરાયું છે.

ચેમ્બરના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન ‘સીટેક્ષ’ શ્રેણીનું આ ૧રમું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકઝીબીશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મળે છે.

આ એકઝીબીશનમાં ઇન્ડસ્ટ્રીયલ ફેબ્રિકસ માટે ગ્લાસ ફાયબર મશીનને ભારતમાં પ્રથમ વખત લોન્ચ કરવામાં આવશે. આ મશીનરી ઇલેકટ્રીક સરકીટ, કાર, બિલ્ડીંગ કન્સ્ટ્રકશન માટે તેમજ રેલ્વે ટ્રેકમાં નીચે મૂકવામાં આવતું ફેબ્રિક બનાવે છે. ઇન્ડસ્ટ્રીમાં મલ્ટીપર્પઝ ઉપયોગમાં લેવાતું ફેબ્રિક આ મશીનરી બનાવે છે, જેનું ભારતમાં પ્રથમ વખત સીટેક્ષ એકઝીબીશનમાં લોન્ચીંગ કરવામાં આવશે.

સુરત ટેક્ષમેક ફેડરેશનના જોઇન્ટ સેક્રેટરી શ્રી ભાવેશ વઘાસિયા અને ટ્રેઝરર શ્રી મહેન્દ્ર કુકડીયાએ સંયુકતપણે જણાવ્યું હતું કે, ભારતમાં પ્રથમ વખત ચેમ્બરના સીટેક્ષ એકઝીબીશનમાં મોટરાઇઝ સાથેનું બાર ઓપરેટવાળું હાઈ સ્પીડ ક્રોકેટ નીટિંગ મશીનનું પ્રદર્શન કરવામાં આવશે. પ્રથમ વખત વેલ્વેટ સરકયુલર, હાઇ સ્પીડ વેલ્વેટ એરજેટ, હાઇ સ્પીડ વોર્પિંગ મશીન, હાઇ સ્પીડ સરકયુલર મશીન ચેમ્બરના એકઝીબીશનમાં પ્રદર્શિત કરવામાં આવશે. ટેક્ષ્ટાઇલ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડ થઇ રહી છે. સુરતમાં સીટેક્ષ પ્રદર્શનમાં હાઇ સ્પીડ રેપિયર લુમ, હાઇ સ્પીડ એરજેટ લુમ, હાઇ સ્પીડ વોટરજેટ લુમનું પ્રદર્શન કરવામાં આવશે.

ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ એકઝીબીશનમાં વેલ્વેટ એરજેટ મશીનરીનું પ્રદર્શન કરાશે. આ મશીનરી પર હાઈ કવોલિટી વેલ્વેટનું પ્રોડકશન લઇ શકાશે. આ ઉપરાંત સીટેક્ષ એકઝીબીશનમાં ઇન્ટરેકટીવ સોફટવેરની પણ વિઝીટર્સને માહિતી આપવામાં આવશે. રેપિયર જેકાર્ડ મશીન માટે આ સોફટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સોફટવેરની મદદથી મોબાઇલ, લેપટોપ તથા ઓન સ્ક્રીન પર પ્રોડકશનને લાઇવ જોઇ શકાય છે.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ પ્રદર્શનમાં ભારતમાં બનેલા એરજેટ, વોટરજેટ અને રેપિયરના લેટેસ્ટ મોડેલ મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે. મોટા ભાગે એરજેટ મશીન કોટન બેઇઝ હોય છે, પરંતુ આ એકઝીબીશનમાં વિસ્કોસ તેમજ પોલિએસ્ટરનું પ્રોડકશન કરનારા એરજેટ મશીનો પણ પ્રદર્શિત કરાશે. આ મશીનરી પર અલગ અલગ યાર્નનો પણ ઉપયોગ કરી શકાય છે, જે પ્રોડકશનમાં ૯પથી ૯૬ ટકા સુધીની એફિશીયન્સી આપે છે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી શ્રી બિજલ જરીવાલા અને માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, સુરત સહિત દક્ષિણ ગુજરાત ઉપરાંત આખા ભારતના વિવર્સ એસોસીએશનોને સીટેક્ષ એકઝીબીશનની મુલાકાત માટે આમંત્રણ પાઠવવામાં આવ્યા છે. ૧પ,૦૦૦થી વધુ વિઝીટર્સનું ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ આવી ગયું છે. ભારતભરમાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા રપ,૦૦૦થી વધુ લોકો ૧પ૦ કરતા પણ વધારે શહેરોમાંથી સીટેક્ષ એકઝીબીશનની વિઝીટ કરશે. સીટેક્ષ એકઝીબીશનની મુલાકાત માટે વિના મૂલ્યે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકાય છે.

ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમર અને કો–ચેરમેન શ્રી નિરવ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, સરસાણા સ્થિત એકઝીબીશન સેન્ટરમાં ટેક્ષ્ટાઇલ મશીનરી અને ટેકનિકલ ટેક્ષ્ટાઇલ સંબંધિત મશીનરીનું પ્રદર્શન થશે. તદુપરાંત, પ્લેટીનમ હોલમાં ટેક્ષ્ટાઇલ એસેસરીઝ અને એન્સીલરીનું પ્રદર્શન કરવામાં આવશે, આથી જ અમને ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના તમામ સેકટર્સના એકઝીબીટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.

સીટેક્ષ એક્ષ્પો–ર૦રપના ચેરમેન શ્રી સુરેશ પટેલે જણાવ્યું હતું કે, સીટેક્ષ એકઝીબીશનમાં સુરતના ૭૧ એકઝીબીટર્સે ભાગ લીધો છે. ટેક્ષ્ટાઇલ મશીનરી અને એસેસરીઝ મેન્યુફેકચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી મશીનરીનું પ્રદર્શન કરશે.

સીટેક્ષ એક્ષ્પો–ર૦રપના કો–ચેરમેનો શ્રી મયુર ગોળવાલા, શ્રી રિતેશ બોડાવાલા, વિપુલ સિંહ દેસાઇ તથા સુરત ટેક્ષમેક ફેડરેશનના ઉપ પ્રમુખ શ્રી પ્રણવ મહેતા, સેક્રેટરી શ્રી જિતેન્દ્ર મિસ્ત્રી, જોઇન્ટ સેક્રેટરી શ્રી ભાવેશ વઘાસિયા અને ટ્રેઝરર શ્રી મહેન્દ્ર કુકડીયાએ એકઝીબીશનના આયોજનમાં ભારે જહેમત ઉઠાવી હતી.

ટેક્ષ્ટાઇલ મશીનરી અને એન્સીલરીનું વિશાળ પ્રદર્શન હોવાથી આ એકઝીબીશનમાં ૧૬ વર્ષથી નાના બાળકોનો પ્રવેશ પ્રતિબંધિત છે, જેની નોંધ લેવા વિનંતી છે.

November 14, 2025
cia_multi-1280x1045.jpg
1min538

સુરતમાંથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી પદે પહેલી જ વખત કોઇ ધારાસભ્ય સ્વરૂપમાં મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીની થયેલી નિયુક્તિ બાદ પહેલી વખત સુરતમાં સરદાર પટેલ ગૌરવ સમિતિ નામની ખાનગી સંસ્થા દ્વારા આવતીકાલ તા.14મી નવેમ્બરને શુક્રવારે સાંજે લસકાણા સ્થિત જે.બી. ડાયમંડ અને કાર્પ વિદ્યાસંકુલ ખાતે જાહેર અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં હર્ષ સંઘવી ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય અને શિક્ષણ મંત્રાલયનો સ્વતંત્ર હવાલો સંભાળતા રાજ્યમંત્રી પ્રુફુલ પાનશેરિયાનું પણ જાહેર અભિવાદન કરવામાં આવશે.

આ સમારોહ અંગે વધુ વિગતો આપતા દિનેશ નાવડીયા અને એડવોકેટ પ્રફુલ ચોડવડીયાએ જણાવ્યું હતું કે સુરતના બન્ને યુવાન ધારાસભ્યોએ ભૂતકાળમાં કરેલી દર્શનીય કામગીરીને બિરદાવવા તેમજ તેમને મળેલી નવી જવાબદારી માટે તેમને શુભેચ્છા આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ સમારોહમાં અધ્યક્ષ પદે કેન્દ્રીય જળસંચય મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહેશે તેમજ શહેર મેયર દક્ષેશ માવાણી કે જેના કાર્યકાળ દરમિયાન સુરત મહાનગરપાલિકા અનેક એવોર્ડ હાંસલ કરી શકી છે તેમને પણ અભિવાદિત કરવામાં આવશે. 

આ સમારોહમાં અંદાજે 25 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે એમ માનવામાં આવે છે. આ સમારોહમાં સરદાર પટેલ ગૌરવ સમિતિ ઉપરાંત શહેરની નામી અનામી 200થી વધુ સામાજિક, સ્વૈચ્છીક, વ્યાપારીક, ઔદ્યોગિક સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણરાજ્ય મંત્રીનું જાહેર અભિવાદન કરવામાં આવશે.

November 13, 2025
breaking-1280x1035.jpg
5min462
  • મોદી સરકારનું અભૂતપૂર્વ પગલું
  • યાર્ન અને તેના બેઝિક રો મટિરિયલ પરથી QCO હટાવ્યા
  • સુરતના વીવર્સને મળશે ઇન્ટરનેશનલ દરે યાર્ન
  • મધરયાર્નના ભાવો રાતોરાત તૂટ્યા
  • દેશી નાયલોન યાર્ન કરતા ઇમ્પોર્ટેડ યાર્ન સસ્તું
  • વીવીંગ ઉદ્યોગમાં જાણે દીવાળીનો માહોલ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
નરેન્દ્ર મોદી સરકારે તા.12મી નવેમ્બર 2025ના રોજ એક અભૂતપૂર્વ પગલું ભરીને યાર્ન અને યાર્નના બેઝિક રો મટિરિયલ્સ પર પાછલા વર્ષોમાં લાદેલા QCO (ક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડર્સ) હટાવી દીધા છે. જેને કારણે યાર્નમાંથી ફેબ્રિક બનાવતા દેશના ટેક્ષટાઇલ્સ ક્લસ્ટર્સ જેમાં સુરત સૌથી મોટું ફેબ્રિક મેન્યુફેક્ચરિંગ હબ છે ત્યાંના વણાટ ઉદ્યોગના કારખાનેદારો માટે જાણે દિવાળી આવી ગઇ હોય તેવો માહોલ બુધવારની રાતથી સર્જાયો છે.

કેન્દ્ર સરકારે યાર્ન અને યાર્નના બેઝિક રો મટિરિયલ પરથી QCO હટાવવાનું નોટિફિકેશન જાહેર કરતાં જ પોલિએસ્ટર મધર યાર્નના ભાવેમાં 20થી 25 ટકા તૂટ્યા છે અને યાર્ન હવે સુરતના વીવીંગ કારખાનેદારોની માગણી મુજબ આંતર રાષ્ટ્રીય સ્તરના ભાવોને સમકક્ષ મળતું થઇ ગયું હતું. QCOને કારણે ઇમ્પોર્ટેડ યાર્ન એટલું મોંઘુ થઇ ગયું હતું અને તેની આયાત પણ લગભગ બંધ થઇ ગઇ હતી. પરંતુ, હવે QCO હટાવતા પોલિએસ્ટર યાર્ન કે જેની આયાત બિલકુલ બંધ થઇ જવા પામી હતી અને દેશના સ્પીનર્સ પાસેથી હલકી કક્ષાનું યાર્ન ઉંચી કિંમતે ખરીદવાની ફરજ પડતી હતી, એ સ્થિતિમાંથી સુરત સમેત દેશભરના વીવીંગ કારખાનેદારોને છુટકારો મળ્યો છે.

બુધવારે કેન્દ્ર સરકારે યાર્ન અને બેઝિક રો મટિરિયલ્સ પરથી ક્યુસીઓ હટાવવાની જાહેરાત કર્યા બાદ તુરત જ પોલિએસ્ટર મધર યાર્નના ભાવે કકડભૂસ થઇ ગયા હતા. સુરતના લોકલ યાર્ન ડિસ્ટ્રીબ્યુટર્સ અને ડિલર્સે મધરયાર્નના ઘટાડેલા ભાવોને મેસેજીસ વીવર્સ કારખાનેદારોને કર્યા હતા અને ભાવો જોઇને કારખાનેદારોની આંખમાં ચમક આવી જવા પામી હતી.

સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગના અભિન્ન અંગ વીવર્સને હવે યાર્ન સસ્તું મળશે અને સુરતનું કપડું હવે આંતર રાષ્ટ્રીય બજારમાં ટકી શકે તેવા ભાવે વેચાતું થઇ જશે. સુરતના વીવીંગ ઇન્ડસ્ટ્રીઝના આગેવાનો કેન્દ્ર સરકારના આ પગલાંને આજે દીવાળીની ગીફટની જેમ વધાવી રહ્યા છે.

બીજી તરફ નાયલોન યાર્ન પર પણ ક્યુસીઓ લાદવાની વાતો ચાલી રહી હતી તેનો પણ છેદ ઉડી જતાં સુરતના વીવીંગ ઉદ્યોગકારોને માટે સૌથી મોટી નિરાંત થવા પામી છે.

Rescission of Major QCOs – 12 November 2025

(Ministry of Chemicals & Fertilizers – Department of Chemicals & Petrochemicals)
The Government of India has issued a significant series of notifications on 12 November 2025, rescinding multiple Quality Control Orders (QCOs) across key petrochemical and man-made fibre value chains. These decisions follow consultations with BIS and have been taken in public interest, with immediate effect, except for actions already undertaken under earlier notifications.

This development directly eases the compliance burden on industry and is expected to improve raw material availability, reduce input costs, and strengthen competitiveness—especially for textiles, plastics, and downstream MSME manufacturers.

A. Man-Made Fibre (MMF) & Yarn QCOs Rescinded

  1. Terephthalic Acid (PTA)
  2. Ethylene Glycol (MEG)
  3. Polyester Staple Fibre (PSF)
  4. Polyester Industrial Yarn (IDY)
  5. Polyester Continuous Filament – Fully Drawn Yarn (FDY)
  6. Polyester Partially Oriented Yarn (POY)
  7. 100% Polyester Spun Yarn – Grey & White

Impact:
Immediate relief for the polyester value chain.
Lower raw material costs vs Vietnam, Bangladesh, China.
Boosts domestic MMF-based exports at a critical time.

B. Plastics & Polymer QCOs Rescinded

  1. Polyethylene (PE) – Moulding & Extrusion Grades
  2. Polypropylene (PP) – Moulding & Extrusion Grade
  3. Acrylonitrile Butadiene Styrene (ABS)
  4. Polyvinyl Chloride (PVC) Homopolymers
  5. Ethylene Vinyl Acetate (EVA) Copolymers
  6. Polyurethanes
  7. Polycarbonate
    Impact:
    Major compliance relaxation across plastics industry.
    Removes import bottlenecks and supports downstream MSMEs.
    Helps in price stability of key engineering polymers.

Overall Implication for Industry
Broad-based cost reduction in MMF textiles and plastics.
Strengthens export competitiveness during US tariff uncertainty
Supports MSME manufacturing, which was most affected by QCO restrictions.
Aligns input costs with regional competitors, improving India’s ability to retain global orders
Helps maintain supply chains for sectors like textiles, automotive, electronics, packaging, and footwear.

October 27, 2025
image-16-1280x720.png
1min320

ભારત અને મુખ્ય ભૂમિ ચીન વચ્ચે 5 વર્ષ પછી ગતરોજ તા.26મી ઓક્ટોબરને રવિવારે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ થઇ ચૂકી છે, ઇન્ડિગોની ફ્લાઇટ રવિવારે રાત્રે 10 વાગ્યે કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી ઉડાન ભરી હતી. કોવિડ-19 ને વૈશ્વિક રોગચાળો જાહેર કરવામાં આવ્યો તે પહેલાં, 2020ની શરૂઆતથી, ચીનના ખાસ વહીવટી ક્ષેત્ર હોંગકોંગ સિવાય, દેશો વચ્ચેની એરલાઇન સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.

Dated 26/10/2025 રવિવારે રાત્રે 10 કલાકે કોલકાતાથી ઉડાન ભરનારી ઈન્ડિગોની ફ્લાઇટ 6E 1703 એ તા.27મી ઓક્ટોબરને સોમવારે વહેલી સવારે દક્ષિણ ચીનના શહેર ગુઆંગઝુ શહેરના એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું, આ ફ્લાઇટમાં લગભગ 180 મુસાફરો ભારતથી ચીન પહોંચ્યા હતા.

સૌથી મોટો ફાયદો સુરતના હીરા અને ટેક્ષટાઇલ ઉદ્યોગકારોને

સુરતના ટેક્ષટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ચીનના વેપારીઓ, ઉત્પાદકો સાથે સીધો વેપાર ચાલી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ ન હોવાના કારણે સુરતના વેપારીઓએ વાયા હોંગકોંગ કે થાઇલેન્ડ કે સિંગાપોર થઇને ચીનના ગંતવ્ય સ્થાને પહોંચવું પડતું હતું. સુરતના ઉદ્યોગકારો માટે આ પ્રકારે વાયા ફ્લાઇટથી ચીન પહોંચવું ખર્ચાળ પણ હતું અને સમય વ્યય કરનારું પણ નિવડતું હતું. પરંતુ, હવે ભારતમાં કોલકાત્તા અને આગામી દિવસોમાં દિલ્હીથી ચીનની સીધી ફ્લાઇટ શરૂ થવાની હોઇ સુરતના ઉદ્યોગકારોને મોટો ફાયદો છે.

સુરતના અનેક વેપારીઓ ચીનના લેબગ્રોન ડાયમંડના ખરીદારો છે. એથી વિશેષ ટેક્ષટાઇલ ઉદ્યોગકારો એરજેટ, વોટરજેટ, રેપીયર જેકાર્ડ જેવી મશીનરી તેમજ સ્પેરપાર્ટસ માટે નિયમિત રીતે ચીનની મુલાકાતે જતા હોય છે. એવી જ રીતે જ્વેલરી વિક્રેતાઓ પણ નિયમિત રીતે ચીન અવરજવર કરતા હોય છે તેમના માટે ભારતથી ચીનની ડાયરેક્ટ ફ્લાઇટ અત્યંત ઉપયોગી બની રહેશે.

ટિકીટનો ભાવ રૂ.35 હજારની આસપાસ

ઇન્ડિગોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પીટર એલ્બર્સે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, “અમને ભારત અને મુખ્ય ભૂમિ ચીન વચ્ચે દૈનિક, નોન-સ્ટોપ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરતા આનંદ થાય છે. અમને ભારતના બે બિંદુઓથી ચીન સાથે સીધી કનેક્ટિવિટી ફરી શરૂ કરનારા પ્રથમ દેશોમાં સામેલ થવાનો ગર્વ છે. આનાથી ફરી એકવાર લોકો, માલસામાન અને વિચારોની અવરજવર સરળ બનશે, સાથે સાથે વિશ્વના બે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પણ મજબૂત બનશે. આ ખૂબ જ મહત્વપૂર્ણ પગલા સાથે, અમે ચીનમાં વધુ સીધી ફ્લાઇટ્સ શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ.”

ઇન્ડિગો વેબસાઇટ મુજબ, સોમવારે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ચીનના ગુઆંગઝુ શહેરની ફ્લાઇટ ટિકિટની કિંમત રૂ. 35,673 હશે. કિંમતમાં વધઘટ થવાની શક્યતા છે.

October 18, 2025
image-15.png
1min98

ગુજરાતના નવા મંત્રીમંડળની રચના સાથે જ રાજ્યના રાજકીય ચિત્રમાં અનેક રસપ્રદ પાસાઓ ઉભરી આવ્યા છે. સરેરાશ 55 વર્ષની વય અને 11 કરોડની સરેરાશ સંપત્તિ ધરાવતું આ મંત્રીમંડળ અનુભવ અને સમૃદ્ધિનું પ્રતિક છે, પરંતુ તેની અંદર રહેલી વિવિધતા ગુજરાતના રાજકારણની જટિલતાને પણ દર્શાવે છે.

સૌથી સંપત્તિવાન મંત્રી કોણ?

સંપત્તિમાં જમીન-આસમાનનો તફાવત આ મંત્રીમંડળમાં એક તરફ કરોડોમાં આળોટતા મંત્રીઓ છે, તો બીજી તરફ સામાન્ય આર્થિક પૃષ્ઠભૂમિમાંથી આવતા ચહેરાઓ પણ છે. મંત્રીમંડળના સૌથી ધનિક સભ્ય તરીકે રીવાબા જાડેજા 97 કરોડથી વધુની સંપત્તિ સાથે ટોચ પર છે. ત્યારબાદ પરષોત્તમ સોલંકી 43.52 કરોડ) અને પ્રફુલ પાનસેરિયા (19.70 કરોડ) જેવા કરોડપતિ મંત્રીઓ છે.

જોકે, આ સિક્કાની બીજી બાજુ પણ છે. જયરામ ગામિત (47 લાખ) અને સ્વરૂપસિંહ ઠાકોર (91 લાખ) જેવા મંત્રીઓ પણ છે, જેમની સંપત્તિ એક કરોડથી પણ ઓછી છે. આ આંકડા દર્શાવે છે કે મંત્રીમંડળમાં આર્થિક રીતે ભયંકર અસમાનતા છે, જે ગુજરાતના રાજકારણમાં ધનબળના વધતા પ્રભાવ અને પાયાના કાર્યકરોની ભાગીદારી વચ્ચેના સંતુલનને રજૂ કરે છે.

સૌથી યુવા મંત્રી કોણ?

અનુભવ અને યુવા જોશનો સમન્વય મંત્રીમંડળની સરેરાશ ઉંમર 55 વર્ષ છે, જે દર્શાવે છે કે સરકાર ચલાવવામાં અનુભવી નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. 74 વર્ષીય કનુ દેસાઈ જેવા વરિષ્ઠ નેતાઓ સરકારને સ્થિરતા અને માર્ગદર્શન આપશે. તો બીજી તરફ, રીવાબા જાડેજા (35 વર્ષ) અને હર્ષ સંઘવી (37 વર્ષ) જેવા યુવા ચહેરાઓ નવી પેઢીની ઉર્જા અને દ્રષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કરે છે. આ મિશ્રણ સરકાર માટે એક જ સમયે અનુભવનો લાભ લેવા અને ભવિષ્ય માટે નવી નેતાગીરી તૈયાર કરવાની રણનીતિનો સંકેત આપે છે.

કોણ કેટલું ભણેલું

શિક્ષણનું વૈવિધ્યસભર ચિત્ર શૈક્ષણિક લાયકાતની દ્રષ્ટિએ પણ મંત્રીમંડળમાં વિવિધતા જોવા મળે છે. એક તરફ મનીષા વકીલ (PhD) અને પ્રદ્યુમન વાજા (MBBS) જેવા ઉચ્ચ શિક્ષિત મંત્રીઓ છે, તો બીજી તરફ નરેશ પટેલ અને સ્વરૂપસિંહ ઠાકોર જેવા 10 પાસ થયેલા મંત્રીઓ પણ છે. આ દર્શાવે છે કે રાજકારણમાં સફળ થવા માટે માત્ર શૈક્ષણિક ડિગ્રી જ નહીં, પરંતુ જનતા સાથેનું જોડાણ અને રાજકીય કુનેહ પણ એટલી જ મહત્વની છે.

આમ, ગુજરાતનું નવું મંત્રીમંડળ સંપત્તિ, વય અને શિક્ષણના મામલે એક અત્યંત વૈવિધ્યસભર જૂથ છે. આ ‘મિની ગુજરાત’ સરકાર સામે રાજ્યના વિકાસને આગળ ધપાવવાનો અને જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો મોટો પડકાર રહેશે. આગામી સમય જ બતાવશે કે આ વિવિધતા સરકાર માટે તાકાત બને છે કે નબળાઈ.

October 16, 2025
BHUPENDRA.jpg
2min84

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મંત્રીમંડળના વિસ્તરણની ચાલતી ચર્ચાઓ પર હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે. નક્કી થઇ ગયું છે કે શુક્રવારે (17મી ઓક્ટોબર) ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારના મંત્રીમંડળના વિસ્તરણનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ 11:30 વાગ્યે યોજાશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યના મંત્રીમંડળમાં સામેલ થનારા મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ અપાવશે.

મળતી માહિતી અનુસાર રાજ્યમાં યોજાનાર મંત્રીમંડળના વિસ્તરણમાં આજે સાંજે ગવર્નર આચાર્ય દેવદત્ત ગુજરાત પહોંચશે તે સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ રાત્રે ગુજરાત આવી પહોંચશે. આ ઉપરાંત આ દરમિયાન કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ પણ ગુજરાત મુલાકાત લે તેવી શક્યતા છે. હાલ મંત્રીમંડળના વિસ્તરણ અંગે કોણે મંત્રી બનાવશે કે કોને નહીં બનાવાય એ અંગે સરકાર દ્વારા સંપૂર્ણ ગોપનીયતા રાખવામાં આવી રહી છે જેથી કોઈ માહિતી લીક ના થાય.

ભાજપના ધારાસભ્યોને ગુરુવાર અને શુક્રવાર ગાંધીનગરમાં હાજર રહેવા દંડકે સૂચના આપી દીધી છે, જેના પગલે ધારાસભ્યો પાટનગર જવા રવાના થયાં છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતીમાં મંત્રીઓની યાદીને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. હવે માત્ર જાણ જ કરવાની બાકી છે. અત્યારે તો ભાજપના ધારાસભ્યોની નજર મોબાઈલ ફોન પર સતત મંડાયેલી છે કે ક્યાંક મંત્રીપદ માટે ફોન આવી શકે છે.

મંત્રીઓનો શપથગ્રહણને લઈને સ્વર્ણિમ સંકુલ 2 ખાતે મંત્રીઓની ઓફિસમાં સાફ સફાઈ કાર્ય શરૂ કરાઇ છે. આ વખતે મંત્રીમંડળનું કદ 20થી વઘુ મંત્રીઓનું હોઇ શકે છે જેના પગલે સ્વર્ણિમ સંકુલ-2ના બીજા અને ત્રીજા માળે પાંચ-છ ઓફિસોનુ સફાઇ શરૂ કરાઇ છે જેના કારણે સચિવાલયમાં મંત્રીમંડળના વિસ્તરણ વાત લગભગ સાચી ઠરશે.

ગુજરાતના નવા મંત્રીમંડળમાં 23 સભ્યોને સ્થાનની શક્યતા

નવા મંત્રીમંડળમાં કુલ 23 મંત્રીઓને સ્થાન મળી શકે છે. મુખ્યમંત્રી દ્વારા મંત્રીમંડળમાં અનુભવની સાથે યુવા અને મહિલા ધારાસભ્યોને વિશેષ મહત્ત્વ આપવામાં આવે તેવી સંભાવના છે. મંત્રીમંડળમાં તમામ જાતિઓ અને પ્રદેશોને સંતુલિત પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પાટીદાર સમાજમાં 4 લેઉવા પટેલ અને 2 કડવા પટેલ સહિત કુલ 6 પાટીદાર ચહેરાને સ્થાન મળી શકે છે. અન્ય પછાત વર્ગ (OBC) 4 ઠાકોર-કોળી સમાજના ધારાસભ્યોને મંત્રીપદ મળી શકે છે. 2 અનુસૂચિત જાતિ (SC) અને 2 અનુસૂચિત જનજાતિ (ST) ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવવામાં આવી શકે છે. 2 બ્રાહ્મણ અને 2 ક્ષત્રિય ચહેરાઓને પણ મંત્રી પદની તક મળી શકે છે. આ ઉપરાંત યુવા અને અનુભવી મહિલા ધારાસભ્યોને મહત્વ આપતાં 4 જેટલા મહિલા ધારાસભ્યો મંત્રી બની શકે છે.

પ્રાદેશિક સંતુલન પર ભાર

અમદાવાદ-ગાંધીનગરમાંથી નવા એક મંત્રી બની શકે, કચ્છ, સૌરાષ્ટ્રમાંથી 4 કેબિનેટ, 3 રાજ્યમંત્રી, મધ્ય ગુજરાતમાંથી 2 કેબિનટ, 2થી વધુ રાજ્યમંત્રી, દક્ષિણ ગુજરાતમાંથી 3 કેબિનેટ, 4 રાજ્યમંત્રી મળી શકે છે.

આવતીકાલે ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, ગાંધીનગરમાં મહાત્મા મંદિરે શપથ સમારોહ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મંત્રીમંડળના વિસ્તરણની ચાલતી ચર્ચાઓ પર હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે. નક્કી થઇ ગયું છે કે શુક્રવારે (17મી ઓક્ટોબર) ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારના મંત્રીમંડળના વિસ્તરણનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ 11:30 વાગ્યે યોજાશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યના મંત્રીમંડળમાં સામેલ થનારા મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ અપાવશે.

મળતી માહિતી અનુસાર રાજ્યમાં યોજાનાર મંત્રીમંડળના વિસ્તરણમાં આજે સાંજે ગવર્નર આચાર્ય દેવદત્ત ગુજરાત પહોંચશે તે સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ રાત્રે ગુજરાત આવી પહોંચશે. આ ઉપરાંત આ દરમિયાન કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ પણ ગુજરાત મુલાકાત લે તેવી શક્યતા છે. હાલ મંત્રીમંડળના વિસ્તરણ અંગે કોણે મંત્રી બનાવશે કે કોને નહીં બનાવાય એ અંગે સરકાર દ્વારા સંપૂર્ણ ગોપનીયતા રાખવામાં આવી રહી છે જેથી કોઈ માહિતી લીક ના થાય.

ભાજપના ધારાસભ્યોને ગુરુવાર અને શુક્રવાર ગાંધીનગરમાં હાજર રહેવા દંડકે સૂચના આપી દીધી છે, જેના પગલે ધારાસભ્યો પાટનગર જવા રવાના થયાં છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતીમાં મંત્રીઓની યાદીને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. હવે માત્ર જાણ જ કરવાની બાકી છે. અત્યારે તો ભાજપના ધારાસભ્યોની નજર મોબાઈલ ફોન પર સતત મંડાયેલી છે કે ક્યાંક મંત્રીપદ માટે ફોન આવી શકે છે.

મંત્રીઓનો શપથગ્રહણને લઈને સ્વર્ણિમ સંકુલ 2 ખાતે મંત્રીઓની ઓફિસમાં સાફ સફાઈ કાર્ય શરૂ કરાઇ છે. આ વખતે મંત્રીમંડળનું કદ 20થી વઘુ મંત્રીઓનું હોઇ શકે છે જેના પગલે સ્વર્ણિમ સંકુલ-2ના બીજા અને ત્રીજા માળે પાંચ-છ ઓફિસોનુ સફાઇ શરૂ કરાઇ છે જેના કારણે સચિવાલયમાં મંત્રીમંડળના વિસ્તરણ વાત લગભગ સાચી ઠરશે.

ગુજરાતના નવા મંત્રીમંડળમાં 23 સભ્યોને સ્થાનની શક્યતા

નવા મંત્રીમંડળમાં કુલ 23 મંત્રીઓને સ્થાન મળી શકે છે. મુખ્યમંત્રી દ્વારા મંત્રીમંડળમાં અનુભવની સાથે યુવા અને મહિલા ધારાસભ્યોને વિશેષ મહત્ત્વ આપવામાં આવે તેવી સંભાવના છે. મંત્રીમંડળમાં તમામ જાતિઓ અને પ્રદેશોને સંતુલિત પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પાટીદાર સમાજમાં 4 લેઉવા પટેલ અને 2 કડવા પટેલ સહિત કુલ 6 પાટીદાર ચહેરાને સ્થાન મળી શકે છે. અન્ય પછાત વર્ગ (OBC) 4 ઠાકોર-કોળી સમાજના ધારાસભ્યોને મંત્રીપદ મળી શકે છે. 2 અનુસૂચિત જાતિ (SC) અને 2 અનુસૂચિત જનજાતિ (ST) ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવવામાં આવી શકે છે. 2 બ્રાહ્મણ અને 2 ક્ષત્રિય ચહેરાઓને પણ મંત્રી પદની તક મળી શકે છે. આ ઉપરાંત યુવા અને અનુભવી મહિલા ધારાસભ્યોને મહત્વ આપતાં 4 જેટલા મહિલા ધારાસભ્યો મંત્રી બની શકે છે.

પ્રાદેશિક સંતુલન પર ભાર

અમદાવાદ-ગાંધીનગરમાંથી નવા એક મંત્રી બની શકે, કચ્છ, સૌરાષ્ટ્રમાંથી 4 કેબિનેટ, 3 રાજ્યમંત્રી, મધ્ય ગુજરાતમાંથી 2 કેબિનટ, 2થી વધુ રાજ્યમંત્રી, દક્ષિણ ગુજરાતમાંથી 3 કેબિનેટ, 4 રાજ્યમંત્રી મળી શકે છે.

October 13, 2025
image-12-1280x816.png
1min88

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કર્યાના નવ વર્ષ બાદ સરકાર દ્વારા GST સ્લેબમાં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારાના કારણે લોકોની બચત થશે અને દિવાળી સુધરશે એવો સરકારે દાવો કર્યો હતો, પરંતુ જીએસટી સ્લેબમાં થયેલા સુધારાથી ફટાકડા વેચનારા લોકોની દિવાળી સુધરે એવું લાગતું નથી. દિવાળીને અઠવાડિયું બાકી હોવા છતાં પણ ફટાકડાના ઉદ્યોગોમાં હજુ લોકોમાં ઉત્સાહ જોવા મળતો નથી. જાણીએ શું છે માર્કેટનો હાલ.

22 સપ્ટેમ્બર 2025 પહેલા GSTના ચાર સ્લેબ અમલમાં હતા, જેમાં 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાનો સમાવેશ થતો હતો. પરંતુ 22 સપ્ટેમ્બર 2025થી માત્ર 5 ટકા અને 18 ટકા સ્લેબને અમલમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, GST સ્લેબમાં ફેરફારથી દિવાળીના ટાણે પણ ફટાકટા ઉદ્યોગમાં કોઈ બરકત થઈ નથી, એવું ફટાકડા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ જણાવ્યું હતું.

GST રિફોર્મમાં મોટાભાગના ઉત્પાદનોને 28 ટકા સ્લેબમાંથી 18 ટકા સુધી ખસેડવામાં આવ્યા છે. આ સુધારાથી ફટાકડા ઉદ્યોગમાં પણ 18 ટકાથી 5 ટકા સુધીનો ઘટાડો થાયની એવી વેપારીઓ આશા રાખી રહ્યા હતા, પરંતુ તેમની આ આશા પર પાણી ફરી વળ્યું છે. ફટાકડા હજી પણ 18 ટકાના ઊંચા ટેક્સ સ્લેબમાં છે, જેથી અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં આ દિવાળીએ ફટાકડાના ભાવોમાં 30 ટકાથી 50 ટકા જેટલો વધારો જોવા મળશે.

ફટાકડા ઉદ્યોગની હાલની પરિસ્થિતિને લઈને અમદાવાદમાં ફટાકડાની દુકાન ચલાવતા એક વેપારીના જણાવ્યાનુસાર, ભારે વરસાદ અને ઓછા પુરવઠાને કારણે ગત વર્ષની સરખામણીમાં આ દિવાળીએ ફટાકડા 50 ટકા મોંઘા થઈ ગયા છે. દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પૂરતું વેચાણ થશે કે નહીં, એને લઈને અમે ચિંતિત છીએ. જ્યારે ફટાકડાના અન્ય એક વેપારીના જણાવ્યાનુસાર આ વર્ષે ફટાકડાના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે. જોકે, હાલ ફટાકડાનો પૂરવઠો અને વેચાણ ખૂબ ઓછું છે. આગામી અઠવાડિયાથી ખરીદી વધે તેવી આશા છે.

ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ ચેમ્બર્સ (FAIVM)ના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું કે ટેક્સ સ્લેબ એકમાત્ર પડકાર નથી, પરંતુ ફટાકડા ઉદ્યોગ મોટે ભાગે અસંગઠિત રહે છે અને MRP પર કોઈ નિયંત્રણ નથી. પેકેટ પર છાપેલી કિંમત કરતાં ઉત્પાદનો ઘણા સસ્તા ભાવે વેચાય છે. MRP માત્ર એક નજીવી રકમ છે. ગ્રાહકો ભાવતાલ કરીને જ ફટાકડા ખરીદે છે.

ફટાકડા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓના મતાનુસાર મોટા ભાગના પરિવારો ફટાકડા માટે રૂ. 1,000થી રૂ. 3,000નું બજેટ ધરાવે છે. મલ્ટિકલર સ્કાયશોટ યુવાનોમાં વધુ લોકપ્રિય છે અને તે મોંઘા હોય છે. જોકે, સ્કાયશોટની કિંમતો 60 શોટ માટે રૂ. 1,150થી લઈને 1,000 શોટ માટે રૂ. 18,000 સુધીની હોય છે. અન્ય ફટાકડાની કિંમત રૂ. 50થી રૂ. 22,000 સુધીની હોય છે, જે તેના પ્રકાર અને બ્રાન્ડ પર આધાર રાખે છે. આ સિવાય સ્પાર્કલર્સ, પેન્સિલ ક્રેકર્સ અને ચકરી જેવા નાના ફટાકડા બાળકોમાં લોકપ્રિય છે.

October 8, 2025
cia_multi-1280x1045.jpg
1min90

ભારતના સ્ટાર ક્રિકેટર સચિન તેંદૂલકર જેનું આયોજન કરી રહ્યા છે એ ઇન્ડીયા સ્ટ્રીટ પ્રીમિયર લીગ ISPLની સીઝન 3ની ફાઇનલ સમેતની તમામ મેચો રમાડવા માટે સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમની પસંદગી કરવામાં આવી છે. ઇન્ડીયા સ્ટ્રીટ પ્રીમિયર લીગ ISPLનો આરંભ તા.9મી જાન્યુઆરી 2026થી થશે અને તા.6 ફેબ્રુઆરી 2026એ ફાઇનલ સાથે પૂર્ણાહૂતિ થશે. ઇન્ડીયા સ્ટ્રીટ પ્રીમિયર લીગ ISPLના મુખ્ય આયોજક સચિન તેદૂલકર છે જ્યારે રવિ શાસ્ત્રી ચીફ મેન્ટર છે.

પત્રકાર પરીષદને સંબોધતા એસડીસીએના ડો. નૈમિષ દેસાઇ, વાઇસ પ્રેસિડેન્ટ અમિત ગજ્જર, સેક્રેટરી હિતેશ પટેલ વગેરેએ જણાવ્યું હતું કે સચિન તેદૂલકર સમેતના આયોજકોની એક ટીમે તાજેતરમાં સુરતના લાલભાઇ સ્ટેડીયમની મુલાકાત લીધી હતી અને તમામ પ્રકારની સુવિધાઓ ચકાસી હતી. એ પછી જાહેરાત કરવામાં આવી છે કે સમગ્ર ટુર્નામેન્ટની સીઝન-3 સુરતમાં રમાડવામાં આવશે. ઇન્ડીયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ ISPL T-10 એવી ક્રિકેટ ટુર્નામેન્ટ છે જે ટેનિસ બોલથી રમાય છે અને તેમાં ભાગ લેતી ટીમોના માલિકોમાં બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન, સલમાન ખાન, હ્રિતીક રોશન, અજય દેવગન, અક્ષયકુમાર, કરીના કપૂર જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે. ઇન્ડીયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ ISPL T-10 સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમમાં રમાવાની હોઇ, સ્ટેડીયમ મેનેજમેન્ટ દ્વારા અત્યારથી જ તેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ઇન્ડીયા સ્ટ્રીટ પ્રીમિયર લીગ ISPL સીઝન થ્રીમાં કુલ આઠ ટીમો ભાગ લેશે અને તેમાં રમવા માટે દેશભરમાંથી કુલ 45 લાખ યુવાઓએ નોંધણી કરાવી છે અને તેમાંથી 350 ખેલાડીઓને સિલેક્ટ કરવા માટે ગઇ તા.6 ઓક્ટોબરથી સ્ક્રીનીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

October 7, 2025
SS_Logo_Red-1280x986.png
1min177

દક્ષિણ ગુજરાતની ફી રેગ્યુલેટરી કમિટી FRC સમક્ષ Self Finance શાળા સંચાલક મંડળે એવી માંગણી કરી છે કે હાલ દિવાળીનો મહિનો ચાલી રહ્યો હોય ફી વધારવા માટેની અરજી કરવાની અંતિમ મુદત વધારી આપવામાં આવે.

સુરતના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનું એક પ્રતિનિધિ મંડળ તા.6 ઓક્ટોબરના રોજ સાંજે દક્ષિણ ગુજરાતની ફી રેગ્યુલેટરી કમિટીની કચેરી પર પહોંચ્યું હતું. શાળા સંચાલકોના પ્રતિનિધિ મંડળે એવી માંગણી કરી હતી કે ફી વધારવા માટેની દરખાસ્ત કરવાની અંતિમ મુદત આગામી તારીખ 31મી ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે. પરંતુ મોટાભાગના સારા સંચાલક મંડળો આ તારીખ સુધીમાં ફી વધારાની દરખાસ્ત કરી શકે તેમ નથી. કારણ કે આગામી તારીખ 18મી ઓક્ટોબર થી દિવાળી વેકેશન શરૂ થઈ રહ્યું છે આવી સ્થિતિમાં શાળાઓ બંધ રહેશે અને સ્ટાફ પણ રજા પર હોય તે વધારાની દરખાસ્ત થઈ શકે તેમ નથી. હાથી ફી વધારાની દરખાસ્ત માટેની અંતિમ મુદત એક મહિનો વધારીને તારીખ 30 મી નવેમ્બર કરી આપવામાં આવે.

ફ્રી રેગ્યુલેટરી કમિટી રજૂઆતો સાંભળ્યા બાદ આ અંગે લેખિત પત્ર દ્વારા માંગણી રજૂ કરવા જણાવી પોતાનો નિર્ણય બાદમાં જણાવવામાં આવશે એમ સંચાલકોને જણાવ્યું હતું.

October 4, 2025
image-3-1280x853.png
1min83

આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી ઉત્પાદનોને ટેકો આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વોકલ ફોર લોકલ’ના વિઝન પર ભાર મૂક્યો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત આ વિઝનને સાર્થક કરવા માટે નોંધપાત્ર પગલાં લઈ રહ્યું છે.

આ પહેલના ભાગરૂપે, સુરતમાં ₹202 કરોડના ખર્ચે અત્યાધુનિક પીએમ એકતા મોલનું નિર્માણ થઈ રહ્યું છે. એકતા મોલનું નિર્માણ એ 2023-24ના કેન્દ્રીય બજેટમાં સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક કારીગરોને સશક્ત બનાવવા માટેના રાષ્ટ્રવ્યાપી અભિયાનનો ભાગ છે.

સુરત સ્થિત પીએમ એકતા મોલ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને નવી તકો પ્રદાન કરશે
વડા પ્રધાનેએ ‘વોકલ ફોર લોકલ’ની મુહિમને સતત આગળ ધપાવતાં નાગરિકોને ભારતીય બનાવટની ચીજવસ્તુઓ અને સેવાઓને સમર્થન આપવા માટે વિનંતી કરી છે. સુરતમાં નિર્માણાધીન એકતા મોલ આ ઝુંબેશને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ પહેલ ODOP (એક જિલ્લો, એક ઉત્પાદન), GI-ટૅગ કેટેગરીની વસ્તુઓ અને દેશના દરેક ખૂણામાંથી પરંપરાગત હસ્તકલાને પ્રદર્શિત કરવા માટે એક રાષ્ટ્રીય પ્લૅટફોર્મ પૂરું પાડશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પીએમ એકતા મોલના નિર્માણની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને નવી તકો પ્રદાન કરશે અને કારીગરોને વધુ સશક્ત બનાવશે.

દેશભરમાં પીએમ એકતા મોલ માટે ₹5000 કરોડની ફાળવણી
સુરતમાં નિર્માણાધીન પીએમ એકતા મોલ એ નાણાં મંત્રાલયના ‘મૂડી રોકાણ માટે રાજ્યોને ખાસ સહાય માટેની યોજના 2023-24’ હેઠળ એક મુખ્ય પ્રોજેક્ટ છે. દેશભરમાં આવા મોલ્સ માટે ₹5,000 કરોડ ફાળવવામાં આવ્યા છે. સુરત એક મુખ્ય નાણાંકીય અને પ્રવાસન શહેર છે અને એકતા મોલના નિર્માણ બાદ તે ઘણાં મુલાકાતીઓને આકર્ષે તેવી અપેક્ષા છે.

તેમાં દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ માટે વિશેષ શોરૂમ હશે, જ્યાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP) અને GI-ટૅગ કેટેગરીની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવશે. આ સાંસ્કૃતિક વિનિમય અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે. આ મોલ સ્થાનિક કારીગરોને ભારત અને વિશ્વભરના ખરીદદારો સાથે જોડશે, જેથી તેમના વેચાણમાં વધારો થશે અને ‘મેઇક ઇન ઇન્ડિયા’ મિશનને વેગ મળશે.

પીએમ એકતા મોલ એ માત્ર એક બજાર નથી, પણ ભારતના વૈવિધ્ય અને ઉદ્યોગસાહસિક ભાવનાનું પ્રતીક છે. તે સ્વદેશી ઉત્પાદનો અને નવીનતાને પ્રોત્સાહન આપીને વિકસિત ભારતના વિઝનમાં યોગદાન આપે છે.

‘વોકલ ફોર લોકલ’: ભારત બનશે એક મજબૂત, આત્મનિર્ભર અર્થતંત્ર
‘વોકલ ફોર લોકલ’ એ કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય ઝુંબેશ છે, જે લોકોને ભારતીય બનાવટની ચીજવસ્તુઓ અને સેવાઓને સમર્થન આપવા પર ભાર મૂકે છે. આત્મનિર્ભર ભારતના વિઝનને અનુરૂપ આ અભિયાનનો ઉદ્દેશ સ્થાનિક વ્યવસાયોને ટેકો આપવાનો, રોજગારીનું સર્જન કરવાનો અને ભારતના ઉત્પાદન ક્ષેત્રને મજબૂત બનાવવાનો છે. ‘વોકલ ફોર લોકલ’ની ઝુંબેશ સ્થાનિક ઉત્પાદનને વેગ આપશે, આયાતમાં ઘટાડો કરશે અને ભારતને એક મજબૂત, આત્મનિર્ભર અર્થતંત્ર બનવાની દિશામાં લઈ જશે.