CIA ALERT

Slider Archives - Page 451 of 491 - CIA Live

September 7, 2018
1min5260

એક પરણિત મહિલા દર્દી સાથે ટ્રીટમેન્ટની આડમાં દુષ્કર્મ ગુજારવાના કેસમાં પોલીસ ફરીયાદ બાદ પોલીસ કાર્યવાહીથી છેલ્લા ત્રણ દિવસથી ભાગતા ફરતા મી એન્ડ મમ્મીવાળા ડો. પ્રફુલ દોશીને અઠવાલાઇન્સ પોલીસ સેફ પેસેજ આપી રહી હોવાના મિડીયા રિપોર્ટ બાદ અઠવાલાઇન્સ પોલીસ હવે ખરેખર હરકતમાં આવી છે અને ડો. પ્રફુલ દોશીને શોધવા માટે ધમધમાટ શરૂ કર્યો છે.

ડો. પ્રફુલ દોશી સાથે સંબંધો ધરાવતા અન્ય એક તબીબની પણ ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું બિનસત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પોલીસને એવી પણ માહિતી મળી હતી કે ડો.પ્રફુલ દોશી કોઇક ફાર્મ હાઉસ પર સંતાયા છે અને આ સમગ્ર પ્રકરણમાં લિગલી કેવી રીતે બચી શકાય તે માટેનો તખ્તો ઘડી રહ્યા છે.

ડો.પ્રફુલ દોશીની હરકતોનો ભોગ બનેલી મહિલાએ અઠવા લાઇન્સ પોલીસની તપાસ સામે શંકા સેવતા લખેલા પત્ર બાદ અઠવાલાઇન્સ પોલીસ મથકના સ્ટાફને આ પ્રકરણમાં ગમે તે ભોગે ડો.પ્રફુલ દોશીને હાજર કરાવવા માટેની સૂચના અપાઇ હોવાનું જાણવા મળે છે.

તબીબોના બે ગ્રુપો વચ્ચે ડો.દોશીના મુદ્દે મતમતાંતર

બીજી તરફ શહેરમાં કેટલાક તબીબોએ ડો. પ્રફુલ દોશીને આ કેસમાં બચાવવાની બ્રીફ પકડી હોય તેવું જણાય આવે છે. હકીકતમાં ડો.પ્રફુલ દોશીની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવું પણ કેટલીક તબીબો ઇચ્છી રહ્યા છે. ડો. પ્રફુલ દોશી એવા તબીબ છે જેની સામે ભૂતકાળમાં પણ આંગળીઓ ઉઠી છે આવી સ્થિતિમાં હવે ડો. પ્રફુલ દોશીને મુદ્દે તબીબોના બે ગ્રુપ પડી રહ્યા છે. એક ગ્રુપ એવું માને છે કે ડો. પ્રફુલ દોશી જો ખરેખર કસૂરવાર હોય તો તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી થવી જ જોઇએ જેથી સમગ્ર તબીબ આલમ બદનામ થતી બંધ થાય. બીજી તરફ શહેરના કેટલાક તબીબો તેમને ગમે તે ભોગે આ કેસમાંથી બચાવી લેવા માટે સક્રિય હોવાનું જાણવા મળે છે.

September 7, 2018
rekhamodi.jpg
1min4120

બિહારના ઉપમુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદીના સંબંધીઓના ઘેર ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આઈટીની ટીમ ગુરુવારે રેખા મોદીના પટના સ્થિત ઘરમાં દરોડા પાડ્યા. જોકે, સુશીલ મોદીએ કહ્યું કે, રેખા મોદી મારી સગી બહેન નથી.

બીજી તરફ ઈન્ટકટેક્સ દ્વારા પાડવામાં આવેલા દરોડા સંદર્ભે કોઈ કશુંય બોલાવ તૈયાર નથી. મીડિયા અહેવાલ અનુસાર રેખા મોદીની અન્ય મિલકતો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. સ્થાનિક ચર્ચા અનુસાર ઈન્કમટેક્સ એ સૃજન ઘોટાલા મામલે કાર્યવાહી હાથ ધરી છે. રેખા મોદી પર આરોપ છે કે સૃજન સંસ્થાના સંચાલિક થકી આભૂષણોની ખરીદી કરી હતી.

બિહારના બહુચર્ચિત સૃજન ઘોટાળામાં ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીની બહેન રેખા મોદીનું નામ બહાર આવતાં ની સાથે રાજકીય હંગામો શરુ થઈ ગયો છે. સાથે વિપક્ષી પાર્ટીઓએ આરોપ લગાવ્યો કે સુશીલ મોદી પોતાના સંબંધીઓને બચાવવાની કોશિશ કરી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બિહારના ભાગલપુર જિલ્લામાં સૃજન નામની એનજીઓ મહિલાઓને રોજગાર આપવા શરુ કરાઈ હતી. જેમાં ૧૦ કરોડ રુપિયાના સરકારી ચેક બાઉન્સ થાય બાદ એનજીઓમાં ઘોટાળા થયો હોવાની ઘટના બહાર આવી હતી. તપાસમાં ખબર પડી કે ડીએમની બોગસ સહીથી બેંકમાંથી સરકાર પૈસાને એનજીઓના ખાતામાં ટ્રાન્સફર કરાયા હતા. આ ઘોટાળાની તપાસ હજુ ચાલું છે.

September 7, 2018
bitcoinamrely.jpeg
1min4920

બિટકોઇન પ્રકરણમાં પકડાયેલ અને છેલ્લા બે માસથી વધુ સમયથી જેલમાં રહેલા અમરેલી એલસીબીના પાંચ પોલીસમેનને જામીન પર છોડવા હાઇકોર્ટે આદેશ કર્યો હતો.

સુરતના બિલ્ડરને ફસાવી દેવાની ધમકી આપીને બિટકોઇન પડાવી લેવાના આરોપસરના ગુનામાં અમરેલીના એસપી જગદીશ પટેલ અને એલસીબીના પીઆઇ અનંત પટેલ અને નવ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં પકડાયેલા અને છેલ્લા બે માસથી જેલમાં રહેલા અમરેલી એલસીબીના પોલીસમેન સંજય પદમાણી, જગદીશ ઝનકાંત, પ્રતાપ ડેર, સુરેશ ખુમાણ અને મયુર માંગરોળિયાએ જામીન પર છોડવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટના ન્યાયમૂર્તિ ઢોલરિયાએ પાંચેયને જામીન પર છોડવા હુકમ કર્યો હતો. આ ગુનામાં ધારીના માજી ધારાસભ્ય નલિન કોટડિયા હજુ ફરાર છે.

September 7, 2018
kerala.jpg
1min4660

કેરળમાં ભારે પૂરના કારણે થયેલાં નુકસાન માટે વીમા કંપનીઓએ પ્રારંભિક સ્તરે ક્લેમના જે અંદાજ મુક્યા હતાં તેને હવે બમણાં કરીને ₹2500 કરોડ કર્યા છે કેમ કે વધુને વધુ લોકો રહેણાક તથા મોટર પોલિસી હેઠળના દાવા કરી રહ્યા છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય વીમામાં પણ કંપનીઓને ફટકો પડી શકે કેમ કે એકવાર પુરના પાણી ઓસરશે પછી પ્રદૂષિત પાણીને લગતો રોગચાળો ઊભો થઇ શકે છે.

એચડીએફસી અર્ગો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને હાલના તબક્કે ₹85 કરોડના દાવાઓ સામે આવ્યા છે એવી અપેક્ષા કે આ આંકડો વધીને ₹120 કરોડને સ્પર્શી શકે. એચડીએફસી અર્ગો જનરલ ઇન્સ્યોરન્સ ઉદ્યોગમાં આશરે પાંચ ટકા હિસ્સો ધરાવે છે ત્યારે સમગ્ર ઉદ્યોગ માટેનો રાજ્યમાં પુરના કારણે થયેલાં નુકસાનના દાવાનો આંક આશરે ₹2,000 કરોડથી લઇને ₹2,500 કરોડ સુધી પહોંચે તેવી ધારણા છે. આ પુર સદીનું સૌથી ભયાનક પુર હતું.

કેરેલામાં પૂર બાદ મોટર, હાઉસહોલ્ડ તથા કોર્પોરેટ હેઠળ દાવાઓ આવી રહ્યા છે. હેલ્થ ઈન્સ્યોર્નસ હેઠળના દાવા હવે પછી બહાર આવી શકે.

વીમા નિયમનકારે વીમા કંપનીઓને આદેશ કર્યો છે કે કેરળમાં દાવાની ઝડપી પતાવટ માટે તત્કાળ પગલાં ભરવામાં આવે. વીમા કંપનીઓએ પણ કોઈ પણ પ્રકારની અગવડ વગર દાવાની પતાવટ થાય તે માટે સમગ્ર પ્રક્રિયાને હળવી કરી છે.

ન્યુ ઈન્ડિયા ઈન્સ્યોરન્સના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “આંકડા અને જથ્થા એમ બન્ને સંદર્ભમાં દાવાઓમાં વધારો થયો છે. પુરના કિસ્સામાં તમે જંગી દાવાઓની અપેક્ષા રાખી શકો. તેની સાથોસાથ સેટલમેન્ટ પણ થતાં રહેતાં હોય છે. અમે એક ઓટો ડીલરને મોટા કોર્પોરેટ ક્લેમની ચુકવણી કરી છે.”

2015માં ચેન્નાઇમાં વિનાશક પુરના કારણે થયેલાં ક્લેમ પછીના આ બીજા ક્રમના ક્લેમ છે. આ ક્લેમ જમ્મુ અને કાશ્મીરમાં તથા ઉત્તરાંચલમાં પુર પછી કરવામાં આવેલા ક્લેમની સરખામણીએ મોટા હતાં જે આશરે ₹2,000 કરોડના હતાં.

સ્વીસ આરઈ રિપોર્ટ પ્રમાણે પ્રલયથી થતાં નુકસાનમાં વીમા કંપનીઓ દ્વારા પાછલા 10 વર્ષ દરમિયાન સરેરાશ ફક્ત 30 ટકાને જ આવરી લેવામાં આવે છે બાકીનો 70 ટકા પ્રલય નુકસાનનો હિસ્સો વ્યક્તિઓ, કંપનીઓ અને સરકાર ભોગવે છે.

September 7, 2018
np-1280x720.jpg
1min5190

હાર્દિક અને સરકાર વચ્ચે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની મધ્યસ્થી, આજે અમદાવાદમાં નરેશ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે મહત્વની મિટીંગ, સંભવતઃ આજે હાર્દિકના ઉપવાસ પૂરા થાય તેવી શક્યતાઓ

 

પાટીદાર આગેવાન મનાતા અને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેશ પટેલ અને ઉપવાસે ઉતરેલા હાર્દિક પટેલ વચ્ચે આજે અમદાવાદ ખાતે સમાધાનકારી બેઠક યોજાઇ રહી છે. રાજ્ય સરકાર અને હાર્દિક પટેલ બન્નેએ નરેશ પટેલની મધ્યસ્થીની વાત સ્વીકારી છે, પરીણામે આજે અમદાવાદ ખાતે હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે મિટીંગ યોજાઇ રહી છે. આ બેઠક બાદ સંભવતઃ હાર્દિક પટેલ પારણા કરે તેમ માનવામાં આવી રહ્યું છે.

છેલ્લા  14 દિવસથી ઉપવાસે ઉતરેલા પાસ નેતા હાર્દિક પટેલ આજે તા.7મી સપ્ટેમ્બર 2018ના રોજ પારણા કરી લે તેવી પ્રબળ શક્યતાઓ જોવાય રહી છે. ખોડલધામ ટ્રસ્ટના  ચેરમેન અને દિગ્ગજ પાટીદાર નેતા ગણાતા શ્રી નરેશ પટેલ મધ્યસ્થી બને તો હાર્દિક પટેલ ગ્રુપને કોઇ વાંધો ન હોવાનું મોડીરાત્રે સરકારને જણાવ્યા બાદ હવે સરકાર નરેશ પટેલને મધ્યસ્થી બનાવીને હાર્દિક સાથે વાટાઘાટ કરે તેવી સંભાવનાઓ જોવાય રહી છે. આજે શુક્રવારે બપોરે કે સાંજ સુધીમાં હાર્દિક પટેલ પારણા કરે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.

પાટીદાર સમાજને અનામત અને ખેડૂતોના દેવા માફ કરવાની માગણી સાથે હાર્દિક પટેલ છેલ્લા 13 દિવસથી ઉપવાસ પર ઊતર્યો છે. હાર્દિકને મનાવીને પારણાં કરાવવા સરકાર કોઈ રસ્તો શોધવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ મધ્યસ્થી બનાવવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે ગુરુવારે નરેશ પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકાર અને પાસ કહેશે તો સામાજિક શાંતિ અને હિત માટે હું મધ્યસ્થી બનવા તૈયાર છું. નરેશ પટેલના હકાર પછી સરકાર પણ તેમને મધ્યસ્થી તરીકે સ્વીકારવા તૈયાર હોવાનું લાગે છે. પાસે પણ ગુરુવારે મોડી રાત્રે નરેશ પટેલને મધ્યસ્થી બનાવવા સામે વાંધો ન હોવાનું કહ્યું હતું. આને પરિણામે શુક્રવારે નરેશ પટેલ હાર્દિકને મનાવવા પહોંચશે એવું માનવામાં આવે છે. સૂત્રોની વાત માનીએ તો હાર્દિક પટેલ આજે શુક્રવારે બપોરે પારણાં પણ કરી લે તો નવાઇ નહીં.

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ અને ખેડૂતાના પ્રશ્ર્ને લડી લેવાના મૂડમાં આવી ગયેલી કૉંગ્રેસે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળીને પાટીદાર આંદોલનકારીઓ તેમ જ ખેડૂત સમુદાય સાથે સીધો સંવાદ સ્થાપવાની હાકલ કરી હતી. વરિષ્ઠ કૉંગ્રેસી નેતાઓ અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ ઉપરાંત વિપક્ષના નેતા પરેશ ધાનાણી તથા ધારાસભ્યો સહિત કૉંગ્રેસના એક પ્રતિનિધિમંડળે ગુરુવારે સાંજે મુખ્ય પ્રધાનની ઑફિસમાં વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી અને ધરતીપુત્ર હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન મામલે તેની સાથે સીધો સંવાદ સાધવા, ખેડૂતોનું દેવું માફ કરવા અને અલ્પેશ કથિરિયા સહિતના પાટીદારો સામેના ખોટા કેસો પાછા ખેંચી લેવા રજૂઆત કરી હતી. આ મામલે રાજ્ય સરકાર 24 કલાકમાં પગલાં નહીં લે તો શુક્રવારે સવારે 11 વાગ્યાથી શનિવારે સવારે 11 વાગ્યા સુધી રાજ્યના તમામ જિલ્લામાં કૉંગ્રેસના કાર્યકરો ઉપવાસ આંદોલન કરશે અને વિરોધ વ્યક્ત કરશે એવી ચીમકી પણ આપી હતી.

હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન જ્યારે 13માં દિવસમાં પ્રવેશ્યું છે ત્યારે કૉંગ્રેસે હવે આ મામલે સીધો હસ્તક્ષેપ કર્યો છે. કૉંગ્રેસના પ્રતિનિધિમંડળે ગુરુવારે સીએમ રૂપાણીની મુલાકાત લઈને તેમને આ મામલે હાર્દિક સાથે સંવાદ સાધવા તેમ જ ખેડૂતોના હિતમાં પગલાં લેવા રજૂઆત કરી હતી. એટલું જ નહીં આ મામલે રાજ્ય સરકાર 24 કલાકમાં પગલાં નહીં લે તો શુક્રવારે સવારે 11 વાગ્યાથી શનિવારે સવારે 11 વાગ્યા સુધી રાજ્યના તમામ જિલ્લામાં કૉંગ્રેસના કાર્યકરો ઉપવાસ આંદોલન કરશે અને વિરોધ વ્યક્ત કરશે. પાટીદારો માટે ઉપવાસ કરશે

September 6, 2018
h5.jpg
1min7010

છેલ્લા 13 દિવસથી ખેડૂતોના પ્રશ્ને આમરણાંત ઉપવાસે ઉતરેલા પાટીદાર (પાસ) નેતા હાર્દિક પટેલના સમર્થનમાં આજે સુરતના યુવાનોએ દેખાવો કરીને વરાછા-કાપોદ્રાની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરાવી દીધી હતી. પાસના કાર્યકર્તાઓએ મિનીબજાર ખાતેની હીરાની ઓફીસો સામે પણ દેખાવો કરીને કામકાજ બંધ કરી દેવાની ફરજ પાડી હતી.

મીની બજારનું કામકાજ બંધ

આજે સવારે પાસના કાર્યકર્તાઓ વરાછા રોડના મીની હીરાબજાર ખાતે ગયા હતા અને ત્યાં જઇને સૂત્રોચ્ચાર સાથે હાર્દિક પટેલના સમર્થનમાં કામકાજ બંધ રાખવા માટે રજૂઆતો કરી હતી. મોટા ભાગના હીરા દલાલો તેમજ વેપારીઓ માર્કેટમાંથી નીકળી જતા આજે સવારે મીની બજાર ખાતે આ પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો.

ધારુકાવાળા શૈક્ષણિક સંકુલ પાસે વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા

(સ્કુલ યુનિફોર્મ અને માથે પાટીદાર ટોપી પહેરીને વિદ્યાર્થીઓએ સુરતના કાપોદ્રા વિસ્તારમાં દેખાવો યોજ્યા હતા)

 

 

કાપોદ્રા ધારુકાવાળા શૈક્ષણિક સંકુલમાં આવેલી કોલેજ અને સ્કુલના વિદ્યાર્થીઓ હાર્દિક પટેલના સમર્થનમાં રોડ પર આવી ગયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. એક તબક્કે સમગ્ર વિસ્તારમાં તનાવપૂર્ણ સ્થિતિ સર્જાય જવા પામી હતી. સ્કુલ યુનિફોર્મ સાથે માથે પીળા રંગની ટોપી પહેરીને સ્કુલના વિદ્યાર્થીઓએ હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયાના સમર્થનમાં દેખાવો કર્યા હતા. પાસ સમર્થક યુવાનોના દેખાવોને પગલે ધારુકાવાળા કેમ્પસમાં ચાલતી તમામ કોલેજો તેમજ એન.એન.જે. પટેલ સ્કુલના શૈક્ષણિક કાર્યને ઘેરી અસર પહોંચી હતી.

September 6, 2018
jandhan.jpg
1min5510

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા આ મુદ્દે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે

(Symbolic Photo Of Jandhan Account Holders)

નોટબંધીના સમયગાળા પછીની બેંક અકાઉન્ટસમાં જમા કરવામાં આવેલી રકમ કાળું નાણું હતું કે નહીં એ અંગે સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા તપાસનો દોર શરુ કરાયો છે. કેન્દ્ર સરકારને નોટબંધી બાદ જનધન ખાતાંમાં જમા થયેલી ૬૦ ટકા રકમ એટલે કે રૂ.400 અબજ જેટલી મસમોટી રકમ કાળુ નાણું હોય એવું લાગે છે. માલુતજારોએ જનધન અકાઉન્ટ હોલ્ડરને અમુક રકમ આપીને તેમના નાણા જનધન અકાઉન્ટસમાં ડિપોઝીટ કરાવ્યા હોવાનું જણાય આવે છે. સમગ્ર દેશમાં આ પ્રકારે કૌભાંડ આચરીને બ્લેક મની વ્હાઇટ કરી દેવાયા હોવાની શંકા કેન્દ્ર સરકારને છે.

મળતી માહિતી મુજબ  આશરે ૩.૭૦ કરોડ જેટલાં જનધન અકાઉન્ટ્સમાં આ રૂપિયા જમા થયા હોવાની શંકા છે. આવા ખાતાં ૬૦ ટકા જેટલાં છે જેમાં નોટબંધીના એક સપ્તાહ બાદ રકમ જમા થઈ હતી. ૩.૭ કરોડ જેટલાં બૅન્ક ખાતાંમાં ૨૦૧૬ની ૮ નવેમ્બરથી ૨૦૧૬ની ૩૦ ડિસેમ્બર દરમ્યાન ૪૨૨ અબજ રૂપિયા જમા થયા હતા. જાન્યુઆરી ૨૦૧૭ના સમયમાં જનધન ખાતાંમાંની રકમ ૭૦૦ અબજ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. આમાંથી ૬૦ ટકાથી વધુ રકમ સામે સંદેહની નજરે જોવાય છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસ (CBDT) પાસે આવેલા આંકડા મુજબ પ્રથમદર્શી રીતે આ વાતને સમર્થન મળે છે. આ આંકડા ૧૮૭ રિપોર્ટિંગ એજન્સી તરફથી મળેલા છે. આ બધાની પણ તપાસ ચાલુ છે જે સમય માગી લે છે.

આ જનધન યોજનાનાં અકાઉન્ટ્સની અને તેના ડિપોઝિટર્સના પ્રોફાઇલની ચકાસણી થઈ રહી છે. આ રકમ ખરેખર તેમની છે કે બીજાની એ વિશે બારીક તપાસ હજી ચાલુ છે. આ રૂપિયા ગેરકાનૂની છે કે કેમ એ તપાસ એજન્સીઓની તપાસને કોર્ટ વૅલિડ ગણે એ પછી નક્કી કરાશે.

September 6, 2018
homosexuality.jpg
1min5470

કલમ 377 અંગે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, બંધારણીય બેંચે કહ્યું- સમલૈંગિકતા હવે અપરાધ નહીં

કલમ 377 પર સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સંમતિથી બંધાયેલા સમલૈંગિક યૌનસંબંધોને ગુનાની શ્રેણીમાં મૂકતી કલમ 377ની માન્યતાને પડકારતી અરજીઓ પર ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સમલૈંગિકતા હવે અપરાધ નથી. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ રોહિંગ્ટન નરીમન, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાની બંધારણીય બેંચે આ ચુકાદો આપ્યો છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, તેઓ તપાસ કરશે કે શું જીવવાના મૌલિક અધિકારમાં ‘યૌન આઝાદીનો અધિકાર’ સામેલ છે કે નહીં.

શું કહ્યું ચીફ જસ્ટિસે ?

કલમ 377 બાબતે ચુકાદો આપતા ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું, “કોઇપણ પોતાના વ્યક્તિત્વથી બચી શકતું નથી. સમાજ હવે વ્યક્તિગતતા
માટે ઘણો સારો છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં આપણા વિચાર-વિમર્શ વિભિન્ન પાસાઓ દર્શાવે છે.”

– “હું જે છું એ છું. પરિણામે જેવો છું તે જ સ્વરૂપમાં મારો સ્વીકાર કરવામાં આવે. સમલૈંગિક લોકોને સન્માન સાથે જીવવાનો અધિકાર છે.”

કલમ 377 શું કહે છે

– બેંચે સ્વીકાર્યું કે સમલૈંગિકતા હવે અપરાધ નથી. લોકોએ પોતાના વિચારોમાં પરિવર્તન લાવવું પડશે. સીજેઆઇ દીપક મિશ્રા અને જસ્ટિસ એએમ ખાનવિલકરે કહ્યું કે સમાન જાતિવાળા લોકોની વચ્ચે સંબંધ બનાવવો હવે કલમ 377 હેઠળ નહીં આવે.

– જજોએ કહ્યું કે સમાજ પૂર્વગ્રહોથી મુક્ત હોવો જોઇએ. દરેક વાદળમાં ઇંદ્રધનુષ શોધવું જોઇએ. ઉલ્લેખનીય છે કે ઇંદ્રધનુષી ધ્વજ એલજીબીટી સમુદાયનું પ્રતીક છે. સુપ્રીમ કોર્ટે આઇપીસીની કલમ 377ને મનમાની કલમ ગણાવી.

September 6, 2018
prafuldoshi.jpg
1min6950

Contact to give more details   98253 44944

સ્ત્રી રોગ અને મેટરનિટી હોમ ક્ષેત્રમાં અગ્રણી નામ ધરાવતા ડો. પ્રફુલ દોશી સામે દુષ્કર્મની પોલીસ ફરીયાદ થતાં તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

સુરતના નાનપુરામાં મી એન્ડ મમ્મી નામે પ્રસૃતિ ગૃહ તેમજ આઇ.વી.એફ. તેમજ અન્ય સ્ત્રી રોગની સારવાર માટે હોસ્પિટલ ચલાવતા ડો. પ્રફુલ દોશી અને ડો.મિત્સુ દોશી પોલીસ કાર્યવાહીથી બચવા માટે લાપતા થઇ જતા તેમનો બહોળો પેશન્ટ વર્ગ મુશ્કેલીમાં મૂકાઇ ગયો છે. અનેક ગર્ભવતી મહિલાઓના રૂટિન ચેકઅપ ખોરવાય જવા પામ્યા છે. અનેક મહિલા પેશન્ટસની એપોઇન્ટમેન્ટ કેન્સલ થઇ જવા પામી છે.

તબીબને સામાન્ય માણસો ભગવાન ગણે છે અને જ્યારે તબીબ પાસે સારવાર-ચિકિત્સા ચાલતી હોય ત્યારે દર્દીઓને તેમના પર અથાગ શ્રદ્ધા હોય છે. આવી સ્થિતિમાં ડો. પ્રફુલ દોશી સામે દુષ્કર્મની ગંભીર ફરીયાદ સામે આવતા તેમના બહોળા પેશન્ટ વર્ગમાં દ્વિધાભરી સ્થિતિ સર્જાવા પામી છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ જ્યારથી ગર્ભ ધારણ કરે ત્યારથી બાળકના જન્મ સુધી એક જ તબીબની સારવાર લેતી હોય છે આવી સ્થિતિમાં ડો. પ્રફુલ દોશી સામે ફરીયાદ થતા અનેક મહિલા પેશન્ટસની શ્રદ્ધા ડો. પ્રફુલ દોશી પરથી ડગી ગઇ છે. ડો. પ્રફુલ દોશીની સાથે તેમના પત્ની ડો.મિત્સુ દોશી પણ ભૂગર્ભમાં ઉતરી જતા કશુંક રંધાય રહ્યાની અનુભૂતિ થાય એ સ્વાભાવિક છે.

હાલ તો મી એન્ડ મમ્મી હોસ્પિટલ ખાતે તેમના આસિસ્ટન્ટ ક્લાયન્ટ્સની દેખરેખ કરી રહ્યા છે પરંતુ, તેમના બહોળા પેશન્ટ વર્ગમાં દોશી દંપતિ પ્રત્યેની શ્રદ્ધા ડગી જવા પામી છે.

ડો. પ્રફુલ દોશી પર મંગળવાર તા.4 ઓગસ્ટ 2018ની મધરાતે એક પરણિતાએ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. એ પછી ગઇકાલ બુધવાર તા.5 અને આજે તા.6 સપ્ટેમ્બર 2018ના રોજ ડો. પ્રફુલ દોશી અને ડો. મિત્સુ દોશી દંપતિનો કોઇ અતોપતો ન હતો. તેમનો સ્ટાફ એવું જણાવી રહ્યો છે કે તેઓ બહારગામ ગયા છે પરંતુ, હકીકતમાં ડો. પ્રફુલ દોશી પોલિસ કાર્યવાહીથી બચવા માટે અને કાયદાકીય રીતે આગળ વધવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયેલા હોય એમ જણાય આવે છે.

September 6, 2018
lowestair.jpg
1min5580
  • એતિહાદ અને ઇન્ડીગો દ્વારા ઇન્ટરનેશનલ રુટ્સના ફ્લાઇટ રેટસનું સેલ શરૂ થઇ રહ્યું છે
  • જેટ એરવેઝ પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના ઘટાડેલા દરો જાહેર કરી દીધા છે

 

આંતર રાષ્ટ્રીય ફ્લાઇટ્સના દરો અત્યંત ઘટાડી દઇને હવે ભારતીય પ્રવાસીઓને આકર્ષવામાં આવી રહ્યા છે. જેટ એરવેઝ દ્વારા ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રિટર્ન ટિકીટના ભાવે અસામાન્ય રીતે ઘટાડાયા બાદ હવે એતિહાદ અને ઇન્ડીગો દ્વારા પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના દરો ઘટાડવાની ઘોષણા કરવામાં આવી છે અને આ બન્ને એરલાઇન્સની ટિકીટમાં સેલ આગામી બે દિવસમાં શરૂ થઇ રહ્યું છે. શરત ફક્ત એ છે કે ચેન્નઇથી ઉડવાનું રહેશે.

ઇન્ડીગો અને એતિહાદ દ્વારા મિડલ ઇસ્ટ કન્ટ્રીઝની ટિકીટમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે જ્યારે જેટ એરવેઝ દ્વારા ડાયરેક્ટ યુરોપીયન દેશોની ફ્લાઇટ્સના દરો ઘટાડી દેવાયા છે.

જેમકે આગામી મહિનાથી ચેન્નઇ થી દુબઇની રાઉન્ડ ટ્રીપના દરો રૂ.12 હજારથી રૂ.15 હજાર જેટલા ઘટી રહ્યા છે. એવી જ રીતે ચેન્નઇથી પેરીસની રાઉન્ડ ટ્રીપના દરો રૂ.45 હજાર જેટલા વધુ હતા તેમાં રૂ.32 હજાર જેટલો ઘટાડો થયો છે. હવે ચેન્નઇથી પેરીસની રાઉન્ડ ટ્રીપના દરો રૂ.59 હજારથી રૂ.62 હજાર છે જે પહેલા રૂ.65 હજારથી વધુ હતા.

ડેસ્ટીનેશન         નવા દરો                       જૂના દરો

ચિકાગો           57થી 67 હજાર                60થી 75 હજાર

પેરીસ              30થી 35 હજાર                 35થી 38 હજાર

ફ્રેન્કફર્ટ            41થી 46 હજાર                 45થી 50 હજાર

લંડન               37થી 44 હજાર                 40થી 49 હજાર

દુબઇ               11થી 15 હજાર                   13થી 16 હજાર

અબુ ધાબી      17,700થી 20 હજાર         18થી 25 હજાર

વધુમાં એતિહાદ દ્વારા એવી પણ ઘોષણા કરવામાં આવી છે કે કંપની દ્વારા એરલાઇન્સના નેટવર્ક વિસ્તારમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના દરજ્જાઓમાં ઇકોનોમી ક્લાસ અને બિઝનેસ ક્લાસમાં 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

ભારતના ટ્રાવેલ ઓપરેટર્સ પણ જણાવે છે કે ચેન્નઇથી ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન્સ પર ફરવા જવા માટેની આ સૌથી સસ્તી ઇન્ટરનેશનલ એરટિકીટ હશે.