CIA ALERT

Slider Archives - Page 451 of 488 - CIA Live

August 31, 2018
crime.jpg
1min6610

રાજકોટના પડધરી પાસેની ગાર્ડી ઈન્ટરનેશનલ સ્કૂલની બે વિદ્યાર્થિનીને ભગાડી ગયા બાદ બે વર્ષે લંપટ પ્રોફેસર ધવલ ત્રિવેદી પોલીસના હાથમાં આવ્યો હતો અને જેલ હવાલે કરાયો હતો.
પડધરીમાં આવેલી ગાર્ડી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી જામનગર પંથકની બે સગીરાનું સ્કૂલના પ્રિન્સીપાલ તરીકે નોકરી કરતા મૂળ વડોદરાના ધવલ હેમેન્દ્ર ત્રિવેદી નામનો વિપ્ર પ્રૌઢ મોહજાળમાં ફસાવી અપહરણ કરી ગયો હતો. પંજાબ પંથકમાં બે વર્ષ સુધી રહ્યા બાદ સીઆઈડી ક્રાઈમે ઝડપી લીધો હતો અને જેલહવાલે કરી દીધો હતો. આ ગુનામાં ધવલ ત્રિવેદીને આજીવન કેદની સજા થઇ હતી.
બાદમાં બે વખત પેરોલ પર છૂટયો હતો.ત્રીજી વખત છૂટયા બાદ ચોટીલા પહોંચ્યો હતો અને કુંભારા ગામની કોલેજિયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી ગયો હતો. આ મામલે ચોટીલા પોલીસે ગુનો નોંધ્યો હતો. ચાર ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને લંપટ ધવલ ત્રિવેદી યુવતી સાથે દિલ્હી પહોંચ્યાના સગડ મળતા પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી હતી. દિલ્હીમાં નાણા ખૂટી જતા મોબાઈલ વેચી નાખ્યો હોય તે કબજે કરી ધવલ ત્રિવેદી’ અને યુવતીની શોધખોળ શરૂ કરી હતી.
August 31, 2018
Toy-babies-woman-gave-baby_01A.jpg
1min11830

ડૉક્ટરે કહેલું કે આ બહેન કદી મા નહીં બની શકે, ૫૪ લાખ રૂપિયાની ઢીંગલીઓ ખરીદ્યા પછી અચાનક ઘરે પારણું બંધાયું

baby doll

બ્રિટનમાં રહેતાં વિક્ટોરિયા એન્ડ્રૂઝ નામનાં બહેનને ડૉક્ટરે કહી દીધેલું કે તમે કદી મા નહીં બની શકો. પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમને કારણે તેનું વજન પણ વધી ગયેલું. વિક્ટોરિયા પોતે મા નહીં બની શકે એ વાત કોઈ કાળે પચાવી શકે એમ નહોતી એટલે તેણે નવજાત શિશુ જેવી જ ઢીંગલીઓ વસાવવાનું શરૂ કર્યું. ઇન્ટરનેટ પરથી રિયલ બાળક જેવો જ લુક ધરાવતી ઢીંગલીઓ તે ખરીદવા લાગી. આ ઢીંગલીઓને તે રોજ નવાં કપડાં પહેરાવીને સજાવતી. એને બહાર ફરવા લઈ જતી. આવી લગભગ ૪૦ ઢીંગલીઓ માટે તેણે અલગ રૂમ પણ તૈયાર કર્યો હતો, જ્યાં આ ઢીંગલીઓ રમી શકે એવાં રમકડાં પણ તેણે વસાવ્યા હતા. બાળક માટેનું વિક્ટોરિયાનું ઘેલપણ એટલી હદે હતું કે તેણે એમાં ૬૦,૦૦૦ પાઉન્ડ એટલે કે લગભગ ૫૪ લાખ રૂપિયાનું આંધણ કરી નાખ્યું. વિક્ટોરિયા આ ઢીંગલીઓમય થઈ જતાં આખરે તેનું બૉયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ગયું. જોકે બૉયફ્રેન્ડ તેનાથી જુદો થયો એ પછી તરત જ તેને પેટમાં દુખાવો ઉપડ્યો. ડૉક્ટર પાસે ગઈ તો ખબર પડી કે તે આઠ વીકની પ્રેગ્નન્ટ છે. તેને માન્યામાં નહોતું આવતું એટલે તેણે બીજા ક્લિનિકમાં તપાસ કરાવી. બાળક પોતાના હાથમાં આવી ન જાય ત્યાં સુધી તે આ હકીકતને સ્વીકારવા તૈયાર નહોતી. હવે તો વિક્ટોરિયાનો દીકરો ટૉબી આ દુનિયામાં આવી ગયો છે અને તેણે ટૉબી જેવો જ લુક ધરાવતો ઢીંગલો પણ વસાવી લીધો છે.

August 31, 2018
rahul.jpg
1min5520

કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાફેલ યુદ્ધ વિમાનોના સોદા અને નૉટબંધીને મુદ્દે આકરી ટીકા કરી હતી અને સવાલ કર્યો હતો કે રાફેલ લડાયક વિમાનના સોદામાં વિમાનની કિંમત અંદાજે રૂપિયા 520 કરોડથી વધીને રૂપિયા 1,600 કરોડ (લગભગ ત્રણ ગણી) કઇ રીતે થઇ ગઇ?

તેમણે જણાવ્યું હતું કે મોદીએ નૉટબંધીનું મોટું કૌભાંડ કર્યું હતું અને સામાન્ય માણસો પાસેથી નાણાં લઇને તે ‘મૂડીવાદી મિત્રો’ને અપાયા હતા. વડા પ્રધાને આ સંબંધમાં ખુલાસો કરવો જોઇએ.દરમિયાન, કૉંગ્રેસના પ્રવક્તા જયપાલ રેડ્ડીએ આક્ષેપ કર્યો હતો કે રાફેલ સોદાનો મુખ્ય હેતુ મોદીના મિત્ર અનિલ અંબાણીને મદદ કરવાનો હતો. અનિલ અંબાણીએ આ સોદાના 12 દિવસ પહેલાં જ એક નવી કંપની શરૂ કરી હતી.

દરમિયાન, રાફેલ સોદામાં અબજો ડૉલરના અયોગ્ય લાભના આક્ષેપનો સામનો કરી રહેલા અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના રિલાયન્સ જૂથે કૉંગ્રેસના અનેક નેતાને કાનૂની નૉટિસ મોકલી હતી.

કૉંગ્રેસે જણાવ્યું હતું કે અમે આવી નૉટિસથી નથી ડરતા અને તેનાથી અમને ચૂપ કરાવી નહિ શકાય. આ નૉટિસ જ ‘ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને કૉપૉર્રેટ વિશ્ર્વ વચ્ચેના સંબંધ’નો પુરાવો છે.

કૉંગ્રેસના પ્રમુખે રાફેલ સોદાની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ યોજવાની માગણી કરી હતી.

રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં સવાલ કર્યો હતો કે તમે રૂપિયા 520 કરોડનું વિમાન રૂપિયા 1,600 કરોડમાં શું કામ ખરીદો? તમે (મોદી) શું કામ (કોઇને) લાભ કરાવવા પ્રયાસ કરી રહ્યા છો?

રાહુલે જણાવ્યું હતું કે કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલી પણ આ સોદાની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ કરાવવા કંઇ નથી બોલતા.

ડેસ્સોલ્ટ એવિયેશન દ્વારા ફ્રાંસના બે એન્જિનવાળા અને બહોળી ભૂમિકા ભજવી શકતા રાફેલ યુદ્ધ વિમાનોની ડિઝાઇન તૈયાર કરાય છે અને તેઓનું નિર્માણ કરવામાં આવે છે.

કૉંગ્રેસના પ્રવક્તા જયપાલ રેડ્ડીએ આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાનના નેતૃત્વ હેઠળ એનડીએ સરકારે નવેસરથી કરેલા રાફેલ સોદામાં ભારતને રૂપિયા 41,000 કરોડનું નુકસાન થયું છે.

કૉંગ્રેસના પ્રમુખે નૉટબંધીને લગતા ભારતીય રિઝર્વ બૅન્કના અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે નૉટબંધી પછી પણ બેકારી અને ઓછું કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) જેવા મહત્ત્વના મુદ્દે વણઉકેલાયેલા છે. મોદીએ આ સંબંધમાં સ્પષ્ટતા કરવી જોઇએ અને દેશની જનતાને જવાબ આપવો જોઇએ.

રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે નૉટબંધી કોઇ ભૂલ નહોતી, પરંતુ તે જનતા પર ઇરાદાપૂર્વક કરાયેલો હુમલો હતો.

તેમણે જણાવ્યું હતું કે મને બદનક્ષીના કેસનો ડર નથી. નૉટબંધીએ દેશના અર્થતંત્રને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને તેનાથી બેકારી વધી છે. મોદીએ દેશના યુવાનોને તો તેઓના સવાલોના જવાબ આપવા જ જોઇએ.

કૉંગ્રેસ સવાલ કર્યો હતો કે રાફેલ સોદામાં સરકારી એરૉસ્પેસ કંપની એચએએલનો સમાવેશ શું કામ નહોતો કરાયો?

August 31, 2018
vehicle-insurance-800x445.jpg
1min5840

વીમાની નિયામક ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાએ સર્વોચ્ચ અદાલતના આદેશને પગલે વાહનોની લાંબાગાળાની થર્ડ પાર્ટી વીમા પૉલિસી ફરજિયાત બનાવતા શનિવારથી કાર અને બે પૈડાંવાળા વાહન ખરીદવા મોંઘાં થશે.

એન્જિનની ક્ષમતા 1,000 સીસીથી ઓછી હોય એવી કારના ત્રણ વર્ષના થર્ડ પાર્ટી વીમાનો ખર્ચ અંદાજે રૂપિયા 5,286 થશે, 1,000થી 1,500 સીસીની કારનો રૂપિયા 9,534 અને 1,500 સીસી કે તેથી વધુની ક્ષમતવાળી કારનો રૂપિયા 24,305 થશે.

બે પૈડાંવાળા વાહનોમાં 75 સીસીથી ઓછી ક્ષમતાવાળા એન્જિનના પાંચ વર્ષના થર્ડ પાર્ટી વીમાના અંદાજે રૂપિયા 1,045 થશે, 75થી 150 સીસીની બાઇકના રૂપિયા 3,285, જ્યારે 150થી 350 સીસીની બાઇકના રૂપિયા 5,453 અને 350 સીસીથી વધુની ક્ષમતાવાળું એન્જિન ધરાવતી બાઇકના રૂપિયા 13,034 થશે.

મોટર વાહન ધારા મુજબ થર્ડ પાર્ટી વીમો ફરજિયાત છે.

વાહનોની ચોરી અને નુકસાન સહિતની બાબતને આવરી લેતા કૉમ્પ્રિહેન્સિવ ઇન્સ્યુરન્સમાં કાર ખરીદનારી વ્યક્તિ માટે એક કે ત્રણ વર્ષનો અને બે પૈડાંવાળા વાહન માટે પાંચ વર્ષનો વિકલ્પ અપાય છે.

અદાલતના આદેશ મુજબ નવી કાર માટે બધી જનરલ ઇન્સ્યુરન્સ કંપનીએ ત્રણ વર્ષનો થર્ડ પાર્ટી વીમો આપવો ફરજિયાત રહેશે. બે પૈડાંવાળા નવા વાહન માટે પાંચ વર્ષનો થર્ડ પાર્ટી વીમો આપવાનો રહેશે.

ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાએ પહેલી સપ્ટેમ્બરથી આ નવા આદેશનો અમલ કરવાની સૂચના આપી છે.

August 30, 2018
hm.jpg
1min4810

અલ્તાફ કચરુ કુલગામ જિલ્લાના રેડવાનીનો રહેવાસી હતો અને તેના નામ પર ૧૫ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદીવિરોધી અભિયાન માટે તેનું એન્કાઉન્ટર મોટી સફળતા માનવામાં આવે છે.

બુરહાન વાનીનો ઉત્તરાધિકારી એવો અલ્તાફ કચરુ કાશ્મીરી યુવાનોનું બ્રેઇનવૉશ કરીને બનાવતો ટેરરિસ્ટ : તેના સાથીને પણ ઉડાવી દીધો

altaf

સુરક્ષા દળોએ તા.28મી ઓગસ્ટ 2018ના રોજ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ખાનાબલ વિસ્તારમાં આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના બે ટોચના આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ કામગીરીને સુરક્ષા દળોની મોટી કામયાબી તરીકે જોવામાં આવી રહી છે. આ આતંકવાદીઓની ઓળખ હિઝબુલ કમાન્ડર અલ્તાફ અહમદ ડાર ઉર્ફે અલ્તાફ કચરુ અને તેના સહયોગી ઉમર રાશિદ તરીકે કરવામાં આવી હતી. આ એન્કાઉન્ટર સમયે આ જિલ્લામાં ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી. બિનપોરા ગામના એક ઘરમાં આતંકવાદીઓ એક ઘરમાં ઘૂસી ગયા છે એવી જાણકારી મળ્યા બાદ આ ઑપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

અલ્તાફ કચરુને બુરહાન વાનીનો ઉત્તરાધિકારી પણ માનવામાં આવતો હતો. હિઝબુલ મુજાહિદ્દીનનો આ આતંકવાદી કુલગામ જિલ્લાના કમાન્ડર તરીકે કેટલાંય વર્ષોથી સુરક્ષા દળો પર હુમલાઓ કરી રહ્યો હતો. ૨૦૧૭માં તેને હિઝબુલના નવા ઑપરેશનલ કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો.

August 30, 2018
h1b-visa.jpg
1min5150

‘એચ-વનબી’ વીઝા માટેના પ્રીમિયમ પ્રોસેસિંગને કામચલાઉ ધોરણે સ્થગિત કર્યાને પાંચ માસ કરતા વધારે મુદત માટે અમેરિકાએ વિસ્તારીત કર્યા છે. ભારતના માહિતી તંત્રજ્ઞાન (આઈટી)ના વ્યવસાયિકોમાં આ ‘એચ-વનબી’ વીઝા અત્યંત લોકપ્રિય છે. વીઝા સંબંધિત દસ્તાવેજોના ઢગના ઢગ અને ભરાવાનો નિવેડો લાવવાના પ્રયાસરૂપે આરંભિક પ્રક્રિયા આગળ ધપાવવાનું થોડાક સમય માટે સ્થગિત કરાયું છે.

ઉક્ત ‘પ્રીમિયમ પ્રોસેસિંગ’ અંતર્ગત એચ-વનબી વીઝા અરજીની પ્રક્રીયા માટેનો હરહંમેશનો છ માસનો સમયગાળો ઓછો થઈને ૧૫ દિવસમાં કામ કરી શકાય છે. ૧,૨૨૫ ડૉલર (૮૬,૧૮૧ રૂપિયા)ની ફી પેટે સરેરાશ છ માસથી માંડીને ૧૫ કેલેન્ડર દિનની કરી આપે છે.

અમેરિકાના નાગરિકત્વ અને ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઇએસ) દ્વારા ૨૮મી ઑગસ્ટે સ્થગિત કરવાની ઘોષણા કરાઇ છે. આવતા વર્ષની ૧૯મી ફેબ્રુઆરી સુધી સ્થગિત કરાયેલું રહેશે. ૧૧મી સપ્ટેમ્બરથી આરંભાતી કામચલાઉ સ્થગિત કરવાની મુદતમાં ચોક્કસ વધારાની એચ-વનબી અરજીઓનો સમાવેશ થશે.

પ્રીમિયમ પ્રોસેસિંગ અંતર્ગત યુએસસીઆઈએસને મળેલી વીઝા અરજી માટે ૧૫ દિવસની અંદર જવાબ આપવો જ જોઈએ. યુએસસીઆઈએસે માર્ચમાં જાહેરાત કરી હતી કે અમે ૨૦૧૯ના નાણાકીય વર્ષ માટે પ્રીમિયમ પ્રોસેસિંગને કામચલાઉ ધોરણે સ્થગિત કરી દેશું. અમેરિકામાં માસ્ટર્સ ડિગ્રી કે ઉચ્ચ અભ્યાસનું પ્રમાણપત્ર હોય તેમ જ રાહત અને બાકાતી ઈચ્છનારાઓનો પણ આમાં સમાવેશ થાય છે.

August 29, 2018
nitin-gadkar.jpg
1min5130

નાગપુરની એક સરકારી એજન્સીએ ટૉયલેટના પાણીથી કરોડો રૂપિયા ઉભા કર્યા છે.

ટૉઈલેટ ફ્લશ કર્યા બાદ ગટરમાં વહી જતું કહેવાતું ગંદુ પાણી ઘણું અત્યંત ઉપયોગી છે. નાગપુરની એક સરકારી એજન્સીએ ટૉયલેટના પાણીથી બાયો સીએનજી ગેસ બનાવીને તેનાથી પરિવહન નિગમની બસ દોડાવીને કરોડો રૂપિયાની કમાણી કરી છે અને હવે દેશભરમાં સંડાસના ગંદા પાણીમાંથી ગેસ પેદા કરીને એ બળતણથી બસો દોડાવવાનો પ્રયોગ શરૂ કરાઇ રહ્યો હોવાનું રાષ્ટ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું.

Union Minister of Drinking water and Sanitation Nitin Gadkari addressing a press conference on the achievements of the NDA government during the last six months at YB Chavan on Thursday. Express Photo by Prashant Nadkar. 01.01.2015. Mumbai.

આપણે જેને ટૉયલેટનું ગંદુ પાણી સમજીને ગટરમાં વહાવી દેઇએ છીએ એ ગંદા ગટરના પાણીને નાગપુરની સરકારી એજન્સીએ 78 કરોડમાં વેચ્યુ છે. એટલું જ નહીં પણ નાગપુરની ગટરમાંથી વહેતા ગંદા પાણી માંથી ઉત્પન કરાયેલા ગેસમાંથી શહેરમાં 50 એસી બસ ચાલી રહી છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યુ કે નાગપુરમાં વૈકલ્પિક ઈંધણને લઈ પ્રયોગ કરાઈ રહ્યા છે. જેમાંથી એક છે ટૉઈલેટના પાણીથી બાયો સીએનજી કાઢીને બસ ચલાવવાની યોજના. આવી 50 બસ રોડ પર ચાલી રહી છે.

ગંગાની ગંદકીથી 26 શહેરમાં ચાલશે બસ

ગડકરીએ કહ્યું કે પેટ્રોલિયમ મંત્રાલય અંતર્ગત આવતી તેલ અને ગેસ કંપનીઓ સાથે થયેલા કરાર મુજબ ગંગા કિનારે વસેલા 26 શહેરોને લાભ મળશે. જે મુજબ પાણીમાંથી ગંદકી સાફ કરીને મિથેન ગેસ દ્વારા બાયો સીએનજી તૈયાર કરાશે. જેનાથી 26 શહેરોમાં સિટી બસ ચાલશે. આ કામથી 50 લાખ યુવાનોને રોજગારી મળશે. અને ગંગાની સફાઈ પણ થશે.

કોલસાથી સિટી બસ ચલાવવાની તૈયારી

ગડકરીએ ઉમેર્યું કે દેશમાં કોલસાની કમી નથી. કોલસામાંથી મિથેન બનાવીને મુંબઈ, પૂણે અને ગુવાહાટીમાં સિટી બસ ચલાવવાની તૈયારી શરૂ કરાઈ છે. ગડકરીના કહેવા મજુબ દેશમાં 62 રૂપિયા પ્રતિ લિટર ડીઝલની જેટલું જ કામ કરનાર મિથેનની કિંમત 16 રૂપિયા જેટલી પડે છે.

August 29, 2018
paytm_warren-buffet.gif
1min12480

અબજપતિ ઉદ્યોગપતિ વૉરન બફેટની બર્કશાયર હૅથવેે કંપનીએ પૅટીએમમાં હિસ્સો મેળવ્યો છે અને હવે તેને બૉર્ડમાં પણ સ્થાન મળશે, એમ ભારતમાં ડિજિટલ પૅમેન્ટની સૌથી મોટી કંપનીએ મંગળવારે કહ્યું હતું.

જોકે કંપનીએ અમેરિકાસ્થિત બર્કશાયરે પૅટીએમમાં કેટલું રોકાણ કર્યું છે અને કેટલો હિસ્સો હસ્તગત કર્યો છે એ સહિતની વિગતો આપવાનું ટાળ્યું હતું.

જોકે પૅટીઍમના સ્થાપક વિજય શંકરે જણાવ્યું હતું કે, આ હિસ્સો સૉફ્ટબૅંક કરતા ઘણો વધારે છે અને બર્કશાયર હૅથવેને બૉર્ડમાં સ્થાન મળશે.

સૂત્રોના જણાવ્યાનુસાર બર્કશાયરે ભારતસ્થિત આ કંપનીનું મૂલ્ય 10 અબજ ડૉલર કરતા પણ વધુ આંક્યું છે અને બર્કશાયરે પૅટીએમમાં રૂ.2500 કરોડનું રોકાણ કરશે.

આ સોદા સાથે જ બફેટની ઇન્વેસ્ટમેન્ટ કંપની ગયા વરસે પૅટીએમમાં 20 ટકા એટલે કે રૂ.9000 કરોડ કરતા પણ વધુનું રોકાણ કરનાર જાપાનની સૉફ્ટબૅંક સાથે જોડાઈ છે.

પૅટીએમની માલિક વન-97 કમ્યુનિકેશન, ઍન્ટ ફાઇનાન્શિયલ અને અલીબાબાને પૅટીએમના અન્ય ચાવીરૂપ રોકાણકાર ગણે છે.

બર્કશાયરના ઇન્વેસ્ટમેન્ટ મેનેજર ટૉડ કૉમ્બ્સ પૅટીએમના ડિરેક્ટર તરીકે જોડાયા હોવાનું કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

હું પૅટીએમથી પ્રભાવિત થયો છું અને તેની વિકાસયાત્રાનો હિસ્સો બનવા ખૂબ જ ઉત્સાહિત છું, એમ કૉમ્બ્સે કહ્યું હતું.

પૅટીએમના સ્થાપક વિજયશેખર શર્માએ કહ્યું હતું કે નાણાંકીય સેવા ક્ષેત્રે બર્કશાયરનો અનુભવ અને લાંબા સમયનું રોકાણ જોતા પચાસ કરોડ ભારતીયોને ડિજિટલ પૅમેન્ટના માધ્યમ થકી જોડવાના કંપનીના લક્ષ્યને પાર પાડવામાં તે ખૂબ જ લાભદાયી પુરવાર થશે.

August 29, 2018
Dirty-Politics.jpg
1min4320

અપરાધી નેતાઓને ચૂંટણી નહીં લડવા દેવાના અને બરતરફ કરવાના મામલે તા.28મી ઓગસ્ટ 2018ના રોજ કરેલી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો મુલતવી રાખ્યો હતો. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી ઉપસ્થિત એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે જણાવ્યું હતું કે કોર્ટનો ઇરાદો રાજનીતિને સ્વચ્છ કરવાનો છે પરંતુ કાયદાકીય દૃષ્ટિએ સુપ્રીમ કોર્ટને સંસદની રચનામાં દખલગીરીનો અધિકાર નથી.

ચૂંટણી ઉમેદવારોના ગુનાખોરીના ઈતિહાસ કે ભૂતકાળને જાણવાનો મતદારોને અધિકાર છે અને ચૂંટણી પંચને રાજકીય પક્ષોને એવો આદેશ આપવાનું કહી શકાય કે અપરાધીઓને તેમની ચૂંટણી ટિકિટ પર ચૂંટણી લડવા ન દેવાય, એમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.

પબ્લિક ઇન્ટરેસ્ટ ફાઉન્ડેશન તરફથી કરવામાં આવેલી પિટિશનમાં ક્રિમીનલ રેકોર્ડ ધરાવતા અપરાધીને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી છે, તદુપરાંત જેની પર રેપ, લાંચ-રુશ્ર્વત, ભ્રષ્ટાચાર તથા હત્યા અંગેના કેસ ચાલી રહ્યા હોય તેવા ધારાસભ્યને બરતરફ કરવાની માંગણી પણ કરવામાં આવી છે. જોકે જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાએ સુનાવણી દરમિયાન જૂઠી ફરિયાદો અને આરોપનો ઉલ્લેખ કર્યો હતો. એટર્ની જનરલે જણાવ્યું હતું કે મોટા ભાગના કેસમાં રાજકારણીઓ છૂટી જતા હોય છે. તેમણે ઉમેર્યું હતું કે આ નીતિ વિષયક છે જેમાં કોર્ટ દખલગીરી ન કરે.

ચીફ જસ્ટિસે કડક વલણ અપનાવી જણાવ્યું હતું કે કોર્ટ કાયદાની કે રાજકીય પક્ષની માન્યતાની વાત નથી કરી રહી.

અગાઉ કરવામાં આવેલી સુનાવણીમાં કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે જેની પર કોઈ પણ જાતના કેસ હોય તેવો રેકોર્ડ ધરાવનાર ઉમેદવારને ચૂંટણી નિશાન ન આપી શકાય એવી કોઈ સત્તા ચૂંટણી પંચને છે કે નહીં ?

જોકે સરકારે તેનો વિરોધ કર્યો હતો. સરકારે જણાવ્યું હતું કે ચૂંટાયેલા ઉમેદવાર જ એ અંગેનો નિર્ણય કરી શકે છે.

એટર્ની જનરલે વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી અપરાધ સાબિત ન થાય ત્યાં સુધી કોઈ પણ આરોપીને દોષી કહી શકાતો નથી. તેથી પણ કોર્ટે નિર્ણય કર્યા પહેલા વિચારવું જરૂરી છે. સુનાવણીની સામસામી દલીલો બાદ પાંચ જજની ખંડપીઠે સુનાવણી મુલતવી રાખી હતી.

August 28, 2018
hazareanna-1280x720.jpg
1min5560

અનેક રાજ્ય અને કેન્દ્ર સરકારોને પોતાના આંદોલનથી ધ્રુજાવી મૂકનાર અણ્ણા હજારે ફરીથી લાઇમલાઇટમાં આવ્યા છે. હવે તેમણે મોદી સરકાર સામે તા.2 ઓક્ટોબર 2018થી અહિંસક ચળવળ કરવાનું એલાન કર્યું છે અને તેમની યોજના મુજબ કોઇ એક સ્થળે નહીં પણ સમગ્ર દેશના ગામડાઓ અને શહેરોમાં આ ચળવળની અસર જોવા મળશે.

પ્રખર ગાંધીવાદી સમાજસેવક અણ્ણા હઝારે મોદી સરકાર વિરુદ્ધ આગામી ગાંધી જયંતી તા.2 ઓક્ટોબર 2018થી આંદોલન શરૂ કરશે. અણ્ણા હઝારેએ ઘોષણા કરી છે કે તેમનું આંદોલન તેમના ગામ રાળેગણ સિદ્ધિથી શરૂ થશે. તેમણે પોતાના સમર્થકોને કહ્યું હતું કે જે લોકો આ આંદોલનમાં જોડાવા માગતા હોય તેઓ રાળેગણ સિદ્ધિ ન આવે પરંતુ પોતાના ગામ, જિલ્લા, તહસીલના મુખ્યાલય પર કેન્દ્ર સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કરે.

અણ્ણાનું મોદી સરકાર વિરુદ્ધ આ આંદોલન સ્વામિનાથન આયોગની ભલામણો લાગુ કરવા, ખેડૂતોને તેમના ઉત્પાદનથી દોઢ ગણા બજારભાવ આપવા, વરિષ્ઠ ખેડૂતોને પેન્શન આપવા અને કેન્દ્રમાં લોકપાલ પર અને રાજ્યમાં લોકાયુક્ત નિયુક્ત કરવા અને ચૂંટણી પ્રક્રિયામાં સુધારા લાવવાની માગ સાથે શરૂ થવા જઇ રહ્યું છે. અણ્ણાએ કહ્યું હતું કે આ માગો અંગે તેઓ અનેક વખત વડા પ્રધાનને પત્ર લખી ચૂક્યા છે પણ તેમની માગોને લઇને મોદી સરકારનો રવૈયો સકારાત્મક નથી દેખાઇ રહ્યો, એટલે તેઓ સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કરવા જઇ રહ્યા છે.