CIA ALERT

Slider Archives - Page 2 of 475 - CIA Live

February 7, 2026
image-6.png
1min17

મુંબઈના ઑલરાઉન્ડર આયુષ મ્હાત્રેની કૅપ્ટન્સીમાં ભારતે અહીં શુક્રવારે ઇંગ્લૅન્ડને અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં 100 રનથી કચડીને વિક્રમજનક છઠ્ઠી વખત આ જુનિયર ફૉર્મેટનો તાજ જીતી લીધો હતો. બિહારનો વૈભવ સૂર્યવંશી (175 રન, 80 બૉલ, 15 સિક્સર, 15 ફોર) આ વિજયનો સુપરસ્ટાર હતો.

ભારતે 50 ઓવરમાં નવ વિકેટે 411 રન કર્યા બાદ બ્રિટિશ ટીમ 40.2 ઓવરમાં 311 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી અને એ સાથે ભારતના જુનિયર ક્રિકેટરોએ મેદાન પર જશન શરૂ કરી દીધું હતું. ખરેખર તો વૈભવ (VAIBHAV)ના 175 રનની ફટકાબાજી વખતે જ બ્રિટિશ ટીમ હિંમત હારી ગઈ હોય એવું લાગતું હતું. વૈભવે 32 બૉલમાં 50 રન, પંચાવન બૉલમાં 100 રન અને 71 બૉલમાં 150 રન પૂરા કર્યા હતા. આ દમામદાર વિજય સાથે ભારતે (INDIA) મેન્સ જુનિયર ક્રિકેટમાં વર્ચસ્વ વધુ મજબૂત કર્યું છે.

મોડાસાના ખિલન પટેલે ઝીલ્યો છેલ્લો કૅચ

મૂળ મોડાસાના સ્પિનર ખિલન પટેલે કનિષ્ક ચૌહાણના બૉલમાં બ્રિટિશ સેન્ચુરિયન કૅલેબ ફાલ્કનર (115 રન, 67 બૉલ, સાત સિક્સર, નવ ફોર)નો બૅકવર્ડ પૉઇન્ટ પર નીચો કૅચ ઝીલીને અફલાતૂન ફીલ્ડિંગની ઝલક આપી હતી અને એ સાથે જ ટાઇટલ ભારતના નામે લખાઈ ગયું હતું. ઇંગ્લૅન્ડ (ENGLAND)ની ટીમે 412 રનના લક્ષ્યાંક સામે જોરદાર લડત આપી હતી, પણ તેમના માટે શરૂઆતથી જ એ લક્ષ્યાંક મહાકાય હતો અને છેવટે તેઓ એ બોજ નીચે દબાઈ ગયા હતા અને હારી ગયા.

કૅલેબ ફાલ્કનર અને જેમ્સ મિન્ટો (41 બૉલમાં 28 રન) વચ્ચે આઠમી વિકેટ માટે 92 રનની ભાગીદારી થઈ હતી. એ પાર્ટનરશિપે ભારતીયોને ખૂબ હંફાવ્યા હતા અને વિજય માટે ભારતને રાહ જોવડાવી હતી. જોકે પેસ બોલર અંબરિશે મિન્ટોને આઉટ કરીને તોડી હતી. સબસ્ટિટ્યૂટ મોહમ્મદ એન્નાને તેનો કૅચ ઝીલ્યો હતો. ઇંગ્લૅન્ડે બાવીસ ઓવરમાં 175 રન કર્યા હતા, પરંતુ એમાં એણે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

એ પહેલાં, વૈભવ સૂર્યવંશીની (1983ના કપિલ દેવની ઝિમ્બાબ્વે સામેની અણનમ 175 રન જેવી) 175 રનની ધમાકેદાર બૅટિંગ પરથી પ્રેરણા લઈને ભારતીય બૅટ્સમેનોએ ઇંગ્લૅન્ડ સામે છેક છેલ્લા બૉલ સુધી ફટકાબાજી કરી હતી અને 50 ઓવરમાં નવ વિકેટે 411 રન બનાવીને બ્રિટિશ ટીમને 412 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. ભારતના 400-પ્લસ રન આ ટૂર્નામેન્ટનો તમામ ટીમોમાં હાઇએસ્ટ સ્કોર છે.

જો વૈભવ સૂર્યવંશી ક્રીઝ પર વધુ ટક્યો હોત તો ભારતે કદાચ 500 રન પણ બનાવી લીધા હોત. કૅપ્ટન આયુષ મ્હાત્રે (53 રન, 51 બૉલ, બે સિક્સર, સાત ફોર), અભિજ્ઞાન કુન્ડુએ (40 રન, 31 બૉલ, એક સિક્સર, છ ફોર), કનિષ્ક ચૌહાણ (અણનમ 37 રન, 20 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર), વેદાંત ત્રિવેદી (32 રન, 36 બૉલ, ત્રણ ફોર) અને વિહાન મલ્હોત્રા (30 રન, 36 બૉલ, બે ફોર)ના પણ ભારતના 9/411ના સ્કોરમાં મહત્ત્વના યોગદાન હતા.

February 5, 2026
image-5.png
1min15

ભારતીય અન્ડર-19 ક્રિકેટ ટીમનો વિજય ઉત્સવ અને સેન્ચુરી ફટકારનાર બેટ્સમેન આરોન જ્યોર્જ.
સેમિ ફાઇનલમાં કેરળના આરૉનની વિનિંગ સેન્ચુરી અને અમદાવાદના વેદાંત ત્રિવેદીનો વિનિંગ શૉટઃ શુક્રવારે ઇંગ્લૅન્ડ સામે ફાઇનલ

મેન્સ અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ (U-19 WORLD CUP)માં ભારતે જબરદસ્ત પર્ફોર્મ કરીને 10મી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારત (INDIA) પાંચ વખત ટાઇટલ જીત્યું છે અને ચાર વાર રનર-અપ રહ્યું છે.

ઝિમ્બાબ્વેના હરારેમાં ભારતે અફઘાનિસ્તાન સામે 311 રનનો લક્ષ્યાંક માત્ર 41.1 ઓવરમાં ત્રણ જ વિકેટના ભોગે (53 બૉલ અને સાત વિકેટ બાકી રાખીને) મેળવી લીધો હતો. અન્ડર-19 વર્લ્ડ કપના ઇતિહાસમાં 311 રનનો સૌથી મોટો ટાર્ગેટ સફળતાપૂર્વક મેળવીને ભારતે નવો ઇતિહાસ રચ્યો છે. અમદાવાદના વેદાંત ત્રિવેદી (પાંચ અણનમ)એ વિનિંગ રન બનાવ્યો હતો.

આપણ વાચો: અન્ડર-19 વર્લ્ડ કપમાં આજે ભારતની સેમિ ફાઈનલ, અફઘાનિસ્તાન સામે 10-2નો જીત-હારનો રેશિયો

ઓપનર આરોન જ્યોર્જ (115 રન, 104 બૉલ, બે સિક્સર, પંદર ફોર) આ જીતનો સુપરસ્ટાર હતો. તે 40મી ઓવરમાં ભારતને 300 રન સુધી પહોંચાડ્યા બાદ આઉટ થયો હતો. ભારતે આ સેમિ ફાઇનલ જીતી લીધી અને હવે શુક્રવારે, છઠ્ઠી ફેબ્રુઆરીએ (બપોરે 1.00 વાગ્યાથી) હરારેમાં જ ભારતનો ઇંગ્લૅન્ડ સામે ફાઇનલમાં મુકાબલો થશે.

વૈભવ સૂર્યવંશી (68 રન, 33 બૉલ, ચાર સિક્સર, નવ ફોર)ની વિકેટ ગુમાવ્યા પછી આરૉન જ્યોર્જ અને કૅપ્ટન આયુષ મ્હાત્રે (62 રન, 59 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 114 રનની મોટી ભાગીદારી થઈ હતી.

સૂર્યવંશીની જેમ મ્હાત્રેએ પણ વિકેટ ગુમાવતાં પહેલાં ભારતને વિજય માટે મજબૂત પાયો નાખી આપ્યો હતો. તેની વિકેટ બાદ ઓપનર જ્યોર્જ સાથે વિહાન મલ્હોત્રા (38 અણનમ, 47 બૉલ, ત્રણ ફોર) જોડાયો હતો અને છેલ્લે વિહાને વેદાંત સાથે મળીને 11 રનની મહત્ત્વપૂર્ણ અતૂટ ભાગીદારીથી ભારતની નૌકા પાર કરાવી હતી. અફઘાનિસ્તાનના નૂરીસ્તાની ઓમરઝાઇએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી.

એ પહેલાં, અફઘાનિસ્તાને બૅટિંગ લીધા બાદ 50 ઓવરમાં ચાર વિકેટે 310 રન કર્યા અને ભારતને 311 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો ત્યારે એવું લાગતું હતું કે ભારત માટે આ ટાર્ગેટ મુશ્કેલ બની શકે. જોકે હાર્ડ હિટર્સથી ભરેલી ભારતીય ટીમની બૅટિંગ લાઇન-અપ આ ટૂર્નામેન્ટમાં શરૂઆતથી જ ભરોસાપાત્ર રહી છે અને આ લાઇન-અપ છેક છઠ્ઠા-સાતમા નંબર સુધીની હોવાથી ભારતના વિજયની સંભાવના વધુ હતી અને ભારતે જીતીને બતાવ્યું.

અફઘાનિસ્તાન વતી ફૈસલ શિનોઝાદા (93 બૉલમાં 110 રન) અને ઉઝૈરુલ્લા નિયાઝાઇ (86 બૉલમાં અણનમ 101)ની સેન્ચુરીએ ભારત માટે જીતવું મુશ્કેલ કરી દીધું હતું, પરંતુ ભારતના ટૉપ-ઑર્ડરે અફઘાનિસ્તાનને પરાજય તરફ ધકેલી દીધું. ભારતના છ બોલર અફઘાની બૅટ્સમેનોને કાબૂમાં નહોતા રાખી શક્યા.

ફૈસલ-ઉઝૈરુલ્લા વચ્ચે ત્રીજી વિકેટ માટે 148 રનની ભાગીદારી થઈ હતી. દીપેશ દેવેન્દ્રન તથા કનિષ્ક ચૌહાણને બે-બે વિકેટ મળી હતી. હેનિલ પટેલ, ખિલન પટેલ, આર. એસ. અંબરિશ અને કૅપ્ટન આયુષ મ્હાત્રેને વિકેટ નહોતી મળી. ઉલ્લેખનીય છે કે ઇંગ્લૅન્ડની ટીમ મંગળવારની સેમિ ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું હતું.

February 5, 2026
CHAMBER-EPE-feb-2026-1280x853.jpg
2min77

સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે 6થી 8 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે ઇ.પી.ઇ. એક્ષ્પો

ઇન્ડસ્ટ્રીગવર્નમેન્ટ પાર્ટનરશિપ દ્વારા ગ્રીન એનર્જી અને પાવર સેકટરના ભવિષ્યને નવી દિશા આપવા ચેમ્બર ઓફ કોમર્સનો પ્રયાસ

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે તા. ૬, ૭ અને ૮ ફેબ્રુઆરી, ર૦ર૬ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સુરત ઇન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ‘એનર્જી–પાવર–ઇલેકિટ્રકલ એક્ષ્પો ર૦ર૬’નું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા ઊર્જા, પાવર અને ઇલેકિટ્રકલ ક્ષેત્રના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને ‘એનર્જી–પાવર–ઇલેકિટ્રકલ એક્ષ્પો ર૦ર૬’નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ષ્પો માત્ર એક એકિઝબિશન નથી, પરંતુ ઊર્જા ક્ષેત્રની અદ્યતન ટેકનોલોજી, નવીન ઉત્પાદનો અને સસ્ટેનેબલ સોલ્યુશન્સ માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે. સરકારની નીતિઓ, પીએસયુઝની ક્ષમતા અને ઔદ્યોગિક એકમોની નવીનતા – આ ત્રણેય વચ્ચે અસરકારક જોડાણ સ્થાપિત કરવાનો અમારો મુખ્ય હેતુ છે. ‘પાવરીંગ ધ ફયુચર – ટુડે’ના થીમ હેઠળ આ એકિઝબીશન દ્વારા ગ્રીન એનર્જી, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર અને આત્મનિર્ભર ભારતના વિઝનને મજબૂતી મળશે.

તા. ૬ ફેબ્રુઆરી, ર૦ર૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે એકિઝબિશન ડોમમાં ઉદ્‌ઘાટન સમારોહ યોજાશે, જેમાં ઉદ્‌ઘાટક તરીકે બિહારના માનનીય રાજ્યપાલ શ્રી આરીફ મોહમ્મદ ખાન પધારશે અને તેમના વરદ્‌ હસ્તે એકિઝબિશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. આ સમારોહમાં કે.પી. ગૃપના ડિરેકટર શ્રી અફાન ફારૂક પટેલ અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, સુરતના ર૯ તથા અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, પૂણે, મુંબઇ અને ગાઝિયાબાદના મળી કુલ ૬૦ એકિઝબિટર્સ દ્વારા એક્ષ્પોમાં ભાગ લેવામાં આવ્યો છે, જેમાં ૬પ ટકા મેન્યુફેકચરર્સ અને ૩પ ટકા ટ્રેડર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સનો સમાવેશ થાય છે. એકિઝબિટર્સ દ્વારા રિન્યુએબલ એન્ડ કિલન એનર્જી સેકટર, સપોર્ટીંગ સર્વિસિસ એન્ડ સોલ્યુશન્સ, ઇલેકિટ્રકલ ઇકિવપમેન્ટ અને કોમ્પોનન્ટસ અને સસ્ટેનેબિલિટી અને ગ્રીન ટેક સેગમેન્ટમાં વિવિધ પ્રોડકટનું પ્રદર્શન કરાશે. આ એક્ષ્પોમાં વિવિધ રાજ્યોના ગવર્નમેન્ટ વિભાગો, પીએસયુઝ (પબ્લિક સેકટર અન્ડરટેકિંગ્સ) તેમજ કોર્પોરેટ સેગમેન્ટ્‌સ ભાગ લેશે અને પોતાની નવીન યોજનાઓ, ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરશે.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત તમામ સેગમેન્ટ્‌સના એકિઝબિટર્સ આ એક્ષ્પોમાં ભાગ લેશે અને પોતાની અદ્યતન પ્રોડકટ્‌સ, ટેકનોલોજી તથા સેવાઓનું પ્રદર્શન કરશે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત આ એક્ષ્પો ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો, નીતિ નિર્માતાઓ, ટેકનોલોજી પ્રોવાઇડર્સ તેમજ વિદ્યાર્થીઓ માટે નેટવર્કિંગ, બિઝનેસની તકો અને જ્ઞાન વિનિમય માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડશે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી શ્રી બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, આ એક્ષ્પોનો હેતુ ઉદ્યોગ, સરકાર અને ટેકનોલોજી વચ્ચે મજબૂત સહયોગ સ્થાપિત કરવાનો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો, પીએસયુઝ, ઔદ્યોગિક એકમો, સ્ટાર્ટઅપ્સ અને રિસર્ચ સંસ્થાઓને એક જ પ્લેટફોર્મ પર લાવી નવીનતા અને રોકાણ વચ્ચેનું અંતર ઘટાડવાનો આ એક્ષ્પોનો મુખ્ય ઉદ્દેશ છે. ઊર્જા સુરક્ષા, સસ્ટેનેબલ વિકાસ અને ગ્રીન ટ્રાન્ઝિશનને પ્રોત્સાહન આપતા આ એક્ષ્પો દ્વારા નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગકારો વચ્ચે સીધો સંવાદ શકય બનશે.

ચેમ્બરના માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, રિન્યુએબલ એન્ડ કિલન એનર્જી સેકટરમાં સોલાર ફોટોવોલ્ટેઇક સિસ્ટમ્સ, (પીવી પેનલ્સ, ઇન્વર્ટર્સ, માઉન્ટિંગ સિસ્ટમ્સ), વિન્ડ એનર્જી સોલ્યુશન્સમાં બાયોમાસ અને બાયોએનર્જી ટેકનોલોજી, હાઇડ્રો પાવર સિસ્ટમ્સમાં એનર્જી સ્ટોરેજ (બેટરીઝ, સુપરકેપેસિટર્સ, બીએમએસ), ગ્રીન હાઇડ્રોજન અને ફ્‌યુઅલ સેલ ટેકનોલોજી, ન્યુક્લિયર પાવર સોલ્યુશન્સ અને ઇવી શીટ મેન્યુફેકચરર્સ દ્વારા તેઓની પ્રોડકટનું પ્રદર્શન કરવામાં આવશે.

ચેમ્બરના ઓલ એકિઝબિશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમરે જણાવ્યું હતું કે, સપોર્ટીંગ સર્વિસિસ એન્ડ સોલ્યુશન્સમાં ઇપીસી કોન્ટ્રાકટર્સ અને એન્જિનિયરિંગ સર્વિસિસ, રિન્યુએબલ એનર્જી ફાઇનાન્સ અને ઇન્શ્યોરન્સ, સર્ટિફિકેશન, કોમ્પ્લાયન્સ અને ટેસ્ટિંગ લેબ્સ, કન્સલ્ટિંગ અને પ્રોજેકટ ડેવલપમેન્ટ ફર્મ્સ, ગવર્નમેન્ટ અને પબ્લિક સેકટર, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ્સ, સર્ટિફિકેશન એજન્સીઝ, પી.એમ.સી. (પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી), એ.એમ.સી. (એન્યુઅલ મેઇન્ટેનન્સ કોન્ટ્રાકટ), સ્કેડયુલિંગ એન્ડ ફોરકાસ્ટીંગ એજન્સીઝ, સ્કાડા સિસ્ટમ પ્રોવાઇડર્સ તેઓની પ્રોડકટનું પ્રદર્શન કરશે.

ચેમ્બરના ઓલ એકિઝબિશન્સ કો–ચેરમેન શ્રી નિરવ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, ઇલેકિટ્રકલ ઇકિવપમેન્ટ અને કોમ્પોનન્ટસમાં કેબલ્સ અને કન્ડકટર્સ, સ્વિચેસ, સર્કિટ બ્રેકર્સ અને રિલેઝ, કેપેસિટર્સ, ઇન્ડકટર્સ અને રેસિસ્ટર્સ, ઇલેકિટ્રકલ એન્ક્લોઝર્સ અને કંટ્રોલ સિસ્ટમ્સ (વીસીબી પેનલ, એચ.ટી./એલ.ટી. પેનલ્સ), પાવર ટૂલ્સ અને ટેસ્ટ ઇકિવપમેન્ટ, ઇલેકિટ્રક મોટર્સ, ડ્રાઇવ્સ અને જનરેટર્સનું પ્રદર્શન કરાશે.

એનર્જી–પાવર–ઇલેકિટ્રકલ એક્ષ્પોના એડવાઇઝર શ્રી દીપક કુમાર શેઠવાલા અને ચેરમેન શ્રી ભાવેશ ટેલરે જણાવ્યું હતું કે, સસ્ટેનેબિલિટી અને ગ્રીન ટેક સેગમેન્ટમાં એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમ્સ (ઇ.એમ.એસ.), આઇ.ઓ.ટી. અને એ.આઇ. આધારિત એનર્જી મોનિટરિંગ, બિલ્ડિંગ એનર્જી એફિશિયન્સી સોલ્યુશન્સ, ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર, બેટરી રિસાયકલિંગ અને સકર્યુલર ટેકનોલોજી, પાવર જનરેશન અને ડિસ્ટ્રિબ્યુશન, પાવર પ્લાન્ટ્‌સ અને જનરેશન ઇકિ્‌વપમેન્ટ (કન્વેન્શનલ અને હાઇબ્રિડ), સ્માર્ટ ગ્રિડ્‌સ અને માઇક્રોગ્રિડ્‌સ, પાવર ટ્રાન્સફોર્મર્સ અને સબસ્ટેશન્સ, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન  ઇકિ્‌વપમેન્ટ, કંટ્રોલ પેનલ્સ અને સ્વિચગિયર, લોડ મેનેજમેન્ટ સિસ્ટમ્સ, હાઇ વોલ્ટેજ અને લો વોલ્ટેજ ઇકિવપમેન્ટ, એચ.ટી.એમ.સી., મીટર્સ, ડીજી સેટ્‌સનું પ્રદર્શન કરવામાં આવશે.

એકિઝબિશનની મુલાકાત માટે અહીં આપેલી ગુગલ લીન્ક expo.sgcci.in/epe26 પર વિના મૂલ્યે વિઝિટર રજિસ્ટ્રેશન કરી શકાશે.

February 3, 2026
image-3.png
1min30

ભારત યુએસ પાસેથી $500 બિલિયનની ખરીદી કરશે!

ભારત યુએસ પાસેથી $500 બિલિયનની ખરીદી કરશે! ભારત-યુએસ વેપાર કરારમાં શું નક્કી થયું

નવી દિલ્હી: લાંબી વાટાઘાટો બાદ ભારત અને યુએસ વચ્ચે વેપાર કરાર થયો છે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈ કાલે સોમવારે કરારની જાહેરાત કરી હતી. ભારતે પણ આ કરારની પુષ્ટિ કરી છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાહેર નિવેદનમાં આ પગલાનું સ્વાગત કર્યું છે.

કરાર મુજબ યુએસ ભારત લગાવેલો 25 ટકા રેસિપ્રોકલ ટેરીફ ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે, બદલમાં ભારતની બજારમાં યુએસની પહોંચને સરળ બનાવવામાં આવી છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ ભારત રશિયન પેટ્રોલીયમની ખરીદી બંધ કરવા તૈયાર થયું છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે ભારત યુએસના ઉત્પાદનોઓ પર ટેરિફ ઘટાડવા અને નોન-ટેરિફ અવરોધોને સપૂર્ણ પણે દુર કરવા તૈયાર છે.

સોશિયલ મીડિયા પોસ્ટમાં, વડા પ્રધાન મોદીએ કહ્યું કે ટ્રમ્પ સાથેની વાતચીત “અદ્ભુત” ગણાવી અને યુએસમાં આયાત થતા ભારતના ઉત્પાદનો રેસિપ્રોકલ ટેરિફ ઘટાડીને 18 ટકા કરવા બદલ તેમનો આભાર માન્યો. જોકે, ભારત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં રશિયન પેટ્રોલિયમની ખરીદી બંધ કરવા અંગે કોઈ ઉલ્લેખ નથી.

ભારત-અમેરિકા વેપાર કરારની સંપૂર્ણ માહિતીની રાહ જોવાઈ રહી છે, આ માહિતી મળ્યા બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.

વેપાર કરાર અંગે અત્યાર સુધી મળેલી માહિતી:

  1. યુએસમાં ભારતીય ઉત્પાદનો પર રેસિપ્રોકલ ટેરિફ 25% થી ઘટાડીને 18% થશે
  2. યુએસ-ભારત વેપાર કરાર તાત્કાલિક અમલમાં આવશે
  3. ભારત યુએસ $500 બિલિયનથી વધુનો માલ ખરીદશે
  4. ટ્રમ્પનાં દાવા મુજબ ભારત યુએસના ઉત્પાદનો પર ટેરિફ ઘટાડશે અને નોન-ટેરિફ અવરોધોને સંપૂર્ણ દુર કરશે
  5. ટ્રમ્પના દાવા મુજબ ભારત રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવાનું બંધ કરશે, ભારત યુએસ અને સંભવતઃ વેનેઝુએલા પાસેથી પેટ્રોલિયમ ખરીદશે.
February 3, 2026
image-2.png
2min47
  • નરેન્દ્ર મોદી સાથે વાતચીત પછી અમેરિકન પ્રમુખ ટ્રમ્પની જાહેરાત
  • નરેન્દ્ર મોદીની વિનંતીના પગલે ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરાયો : ભારતીય વડાપ્રધાને આનંદ વ્યકત કર્યો
  • ભારતે અમેરિકા પાસેથી ઉર્જા, ટેકનોલોજી, કૃષિ, કોલસા એમ 500 અબજ ડોલરની ખરીદીની ખાતરી આપી : ટ્રમ્પ
  • ટ્રેડ ડીલ હેઠળ અમેરિકાની દરેક પ્રોડક્ટ્સ પર ભારતમાં ઝીરો ટેક્સ, પણ યુએસમાં ભારતીય ઉત્પાદનો પર 18 ટકા ટેરિફ

Dated 02/02/2026
ભારતે યુરોપીયન યુનિયન પછી હવે અમેરિકા સાથે પણ ટ્રેડ ડીલ કરવામાં સફળતા મેળવી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય પીએમ મોદી સાથે વાતચીત કર હતી અને તેના તેના પછી યુએસ-ભારત ટ્રેડ ડીલની જાહેરાત કરી હતી. તેના કારણે ભારત પર લાદવામાં આવેલો રેસિપ્રોકલ ટેરિફ ૨૫ ટકાથી ઘટીને ૧૮ ટકા થઈ જશે, એમ તેમણે જણાવ્યું હતું. જ્યારે રશિયન ઓઇલ ખરીદી પરનો ૨૫ ટકા ટેરિફ સંપૂર્ણ નાબૂદ થશે. આમ કુલ ૫૦ ટકાના બદલે હવે ફક્ત ૧૮ ટકા જ ટેરિફ તાત્કાલિક અસરથી અમલમાં આવશે.

ભારત પર અમેરિકાએ કુલ ૫૦ ટકા ટેરિફ નાખ્યો હતો અને તેમા ૨૫ ટકા ટેરિફ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ નાખ્યો હતો. ટ્રમ્પે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશ્યલ પર આ ડીલની જાહેરાત કરી હતી. હવે ભારત રશિયાના બદલ અમેરિકા પાસેથી ઓઇલ ખરીદવાનું હોઈ તે ૨૫ ટકા ટેરિફ હટી ગયો છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારતીય વડાપ્રધાન પીએમ મોદી વેપાર અને રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા સહિત ઘણા બધા પાસા પર ચર્ચા કરી. તેઓ રશિયાનું ઓઇલ ખરીદવાનું બંધ કરવા સંમત થયા છે અને વધુને વધુ પ્રમાણમા ઁઅમેરિકા પાસેથી અને મુખ્યત્વે વેનેઝુએલાનું ઓઇલ ખરીદવા સંમત થયા છે. આના કારણે યુદ્ધનો અંત લાવવામાં મદદ મળશે. રશિયા-યુક્રેન યુદ્ધમાં હજારો લોકો દર સપ્તાહે મરી રહ્યા છે. તેમની જ વિનંતીના પગલે તેમને સન્માન આપતા અમે ભારત પરનો રેસિપ્રોકલ ટેરિફ ૨૫ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કર્યો છે. આ ટ્રેડ ડીલના લીધે અમેરિકાની ભારત સાથેના વેપારની ટેરિફ અને નોન-ટેરિફ બેરિયર લગભગ શૂન્ય થઈ જશે.

વડાપ્રધાને બાય અમેરિકન પ્રત્યે પ્રતિબદ્ધદા દાખવી છે. તે અમેરિકન એનર્જી, ટેકનોલોજી, કૃષિ, કોલસા અને બીજી ઘણી પ્રોડક્ટ્સના થઈને ૫૦૦ અબજ ડોલરની ખરીદી કરશે. આના કારણે બંને દેશોના વ્યાપારિક સંબંધ વધુને વધુ મજબૂત થશે. આ અગાઉ ભારત ખાતેના અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે ટ્વીટ કરી હતી કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન મોદી વચ્ચે વાતચીત ચાલી રહી છે, ગમે ત્યારે મોટી જાહેરાત આવી શકે છે. અમેરિકાનો દાવો છે કે તેના ટેરિફના દબાણના કારણે ભારતે રશિયાનું ક્રૂડ ખરીદવાનું બંધ કર્યુ છે અને તે અમારી પાસેથી ક્રૂડ ખરીદશે.

અમેરિકાએ ભારત પરનો ટેરિફ ૫૦ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરતાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને તેના કારણે અમેરિકન બજારમાં ભારતીય ઉત્પાદનો સ્પર્ધા કરી શકશે તેમ જણાવ્યું હતું.

વડાપ્રધાન ટ્રેડ ડીલને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે ભારત ૧.૪ અબજ લોકો વતી અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો આભાર માને છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્રો અને વિશ્વની બે સૌથી મોટી લોકશાહી સાથે મળીને કામ કરશે. તેના કારણે કરોડો લોકોને નોંધપાત્ર પ્રમાણમાં ફાયદો થશે.

તેમણે જણાવ્યું હતું કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પની નેતાગીરી વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે મહત્ત્વની છે. ભારત તેમના શાંતિ સ્થાપવાના પ્રયત્નોને સંપૂર્ણપણે સમર્થન આપે છે. અમેરિકા સાથેની ભાગીદારી નવી ઊંચાઈએ લઈ જવા પર અમે મીટ માંડી રહ્યા છીએ.

તેની સામે ભારતીય પક્ષે નિષ્ણાતોનું કહેવું છે કે ભારતે યુરોપીયન યુનિયનના સ્વરૂપમાં અમેરિકાનું વૈકલ્પિક ભાગીદાર શોધી લેતા અમેરિકા પોતે જ ડીલ કરવા સંમત થઈ ગયું છે. તેને લાગ્યું કે જો ઇયુ સાથે ભારતનું ટ્રેડ ડીલ ઝડપથી અમલી બન્યું તો અમેરિકન કંપનીઓ પાછળ રહી જશે અને યુરોપીયન યુનિયનની કંપનીઓ ભારતીય બજારમાં પ્રભુત્વ જમાવશે. જો કે આ ટ્રેડ ડીલની જાહેરાત છતાં અમેરિકાએ ભારત પરનો સંપૂર્ણ રેસિપ્રોકલ ટેરિફ નાબૂદ કર્યો નથી તે હકીકત છે.

  • વિદેશ મંત્રી એસ જયશંકર ત્રણ દિવસ માટે અમેરિકાના પ્રવાસે, દુર્લભ ખનીજની બેઠકમાં ભાગ લેશે

ભારત અને અમેરિકાના સંબંધો સુધરતા હોવાનો સંકેત આપતા ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથમાં પોસ્ટ મૂકી હતી. નવી દિલ્હીના આઈકોનિક ઈન્ડિયા ગેટની તસવીર મૂકીને ટ્રમ્પે કહ્યું હતું કે ભારતનું આ વિજયદ્વાર સુંદર છે. આપણું તો એનાથી પણ સુંદર હશે. અમેરિકામાં સ્વતંત્રતા ગેટ બનવાનો છે. તે સંદર્ભમાં આ પોસ્ટ મૂકાઈ હતી.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા-વેનેઝુએલા-ઈરાન જેવા દેશો પાસેથી ક્રૂડની ખરીદી મુદ્દે ભારતને ધમકી આપતા રહે છે. આ ઘટનાક્રમ વચ્ચે ભારત સ્થિત અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે પોસ્ટ મૂકીને કહ્યું હતું કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે વાતચીત થઈ.

એસ જયશંકર પાંચમી ફેબુ્રઆરી સુધી અમેરિકામાં છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે મુલાકાત કરશે. દુર્લભ ખનીજની બાબતમાં વિદેશ મંત્રીઓની એક મહત્ત્વની બેઠક યોજાઈ છે એમાં ભાગ લેવાના છે. જોકે, અહેવાલોમાં એવોય દાવો થઈ રહ્યો છે કે વિદેશમંત્રી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગુપ્ત બેઠક કરશે અને ભારત-અમેરિકા વચ્ચે વેપારની ડીલનું વાતાવરણ બને તેવા પ્રયાસો કરશે. ભારતની ચીજવસ્તુઓ પર ટેરિફ વધારીને ૫૦ ટકા કર્યા બાદ અને રશિયાના ક્રૂડ પર વધારાના ૨૫ ટકા ટેરિફ પછી થનારી આ મુલાકાત કેવી રહેશે તેના પર નજર રહેશે.

February 2, 2026
jan-26-expo-advt-sgcci.png
1min13

સ્પેનના કાર્લોસ અલ્કારાઝે અહીં રવિવારે પહેલી જ વખત ઑસ્ટ્રેલિયન ઓપન (AUSTRALIAN OPEN)નો સિંગલ્સનો તાજ જીતી લીધો હતો અને એ સાથે તેણે સૌથી નાની ઉંમરે સિંગલ્સના ચારેય ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતવાનો 88 વર્ષ જૂનો વિક્રમ તોડ્યો હતો. અલ્કરાઝે (ALCARAZ) ફાઇનલ મુકાબલામાં પીઢ ખેલાડી અને વિક્રમજનક 24 ગ્રૅન્ડ સ્લૅમ ટ્રોફી જીતી ચૂકેલા સર્બિયાના નોવાક જૉકોવિચને 2-6, 6-2, 6-3, 7-5થી પરાજિત કર્યો હતો.

જૉકેવિચ (DJOKOVIC) અગાઉ 10 વખત ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચ્યો હતો અને દસેય વખત વિજેતા થયો હતો, પરંતુ રવિવારે વર્લ્ડ નંબર-વન અલ્કરાઝે તેની એ અભૂતપૂર્વ અને વિક્રમજનક વિજયકૂચ થંભાવી દીધી હતી. બન્ને ખેલાડી શુક્રવારે પાંચ-પાંચ સેટવાળી સંઘર્ષપૂર્ણ સેમિ ફાઇનલ જીતીને ફાઇનલમાં સામસામે આવ્યા હતા અને એમાં અલ્કરાઝે સફળતા મેળવી હતી.

બાવીસ વર્ષ અને 272 દિવસની ઉંમરનો અલ્કરાઝ સિંગલ્સની ચારેય ગ્રૅન્ડ સ્લૅમ ટ્રોફી જીતનાર વિશ્વનો સૌથી નાની વયનો ટેનિસ ખેલાડી છે. તેણે અમેરિકાના ડૉન બજનો વિશ્વ વિક્રમ તોડ્યો હતો. 1938ની સાલમાં તેમણે ચારેય ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતવાની સિદ્ધિ મેળવી હતી ત્યારે તેમની ઉંમર બાવીસ વર્ષ અને 363 દિવસની હતી. ડૉન બજનું 2000ની સાલમાં 84 વર્ષની ઉંમરે અવસાન થયું હતું.

અલ્કરાઝ પાસે હવે કુલ સાત ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ છે જેમાં ઑસ્ટ્રેલિયન ઓપનના એક તેમ જ વિમ્બલ્ડન, ફ્રેન્ચ ઓપન તથા યુએસ ઓપનના બે-બે ટાઇટલનો સમાવેશ છે. મહિલાઓમાં શનિવારે ઑસ્ટ્રેલિયન ઓપનમાં સિંગલ્સનો તાજ રાયબાકિનાએ સબાલેન્કાને હરાવીને જીતી લીધો હતો.

February 2, 2026
budget-26.png
2min21
  • દેવું કરીને ઘી પીવો, યાવત્ જીવેત સુખમ જીવેત : રૂ. 35 લાખ કરોડની આવક, રૂ. 53.5 લાખ કરોડનો ખર્ચ
  • નાણાકીય શિસ્ત જાળવતા સરકારનો રૂપિયા સમજી-વિચારીને ખર્ચ કરવા, દેવું-ખાધ ઘટાડવાના સંકેત
  • ઉદ્યોગો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર મૂકાયો : બજેટમાં રૂ. 12.22 લાખ કરોડના વિક્રમી મૂડી ખર્ચની જાહેરાત
  • દેશમાં સાત શહેરોને જોડતા હાઈ-સ્પીડ રેલવે કોરિડોર્સની જાહેરાત, સુરત સહિત સાત શહેરોને સિટી ઈકોનોમિક રિજિયન તરીકે વિકસાવાશે
  • ઈન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફાર નહીં કરાતા ‘કોમન મેન’ નિરાશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત એટ 2047’ના વિઝનને આગળ વધારવા માટે નાણામંત્રી નિર્મલા સીતારામને રવિવારે લોકસભામાં વર્ષ 2026-27 માટે રૂ. 53.5 લાખ કરોડનું કેન્દ્રિય બજેટ રજૂ કર્યું હતું, જેમાં વિક્રમી રૂ. 12.22 લાખ કરોડના મૂડી ખર્ચનો સમાવેશ થાય છે. ટ્રમ્પના ટેરિફ વિરુદ્ધ ભારતીય નિકાસને મજબૂતી આપવા, અનેક દેશો સાથે થયેલા એફટીએની પૃષ્ઠભૂમિમાં સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન માટે આ બજેટમાં ટેક્નોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને ઉત્પાદનને પ્રોત્સાહન પર ભાર મૂકાયો છે. વિકસિત ભારત માટેની રિફોર્મ એક્સપ્રેસ સમાન આ બજેટમાં ઉદ્યોગો પર ધ્યાન આપવા જતા કેન્દ્ર સરકારે સામાન્ય માણસની અવગણના કરી છે. સરકારે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં કરાતા મધ્યમ વર્ગની કર રાહતોની આશા પર પાણી ફરી ગયું છે.

સીતારામને ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં સુધારા અને નવો ઈન્કમ ટેક્સ કાયદો લાગુ કરવા સહિત મહત્વની જાહેરાતો કરતા પગારદાર વર્ગને આંશિક રાહત મળી છે. આ સિવાય સરકારે સ્ટોક માર્કેટમાં વાયદા અને ઓપ્શન્સના ટ્રેડિંગ પર ટેક્સ વધારતા શેરબજારમાં કડાકો બોલાયો હતો અને રોકાણકારો પણ ભારે નિરાશ થયા હતા.

નાણામંત્રી નિર્મલા સીતારામને રવિવારે લોકસભામાં સતત નવમી વખત બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ મુખ્ય ત્રણ મુખ્ય કર્તવ્યો આર્થિક વિકાસને ઝડપી કરવો, લોકોની આકાંક્ષાઓ પૂરી કરવી અને તેમની ક્ષમતા વધારવી, સબકા સાથ સબકા વિકાસ સુનિશ્ચિત કરવાથી પ્રેરિત હોવાના સરકારે સંકેત આપ્યા હતા.

નાણામંત્રી સીતારામને રવિવારે રજૂ કરેલા બજેટમાં આગામી વર્ષ માટે નાણાકીય ખાધને જીડીપીના 4.3 ટકા પર રાખવાનું લક્ષ્ય રાખ્યું છે, જે ચાલુ વર્ષના 4.4 ટકાથી ઓછું છે. આ બાબત બજેટની સૌથી મોટી તાકાત નાણાકીય શિસ્ત હોવા પર ભાર મૂકે છે. આ સાથે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે હવે તે રૂપિયા સમજી વિચારીને ખર્ચ કરશે. દેવું અને ખાધ ધીમે ધીમે ઘટાડશે, પરંતુ સાથે માર્ગ, શહેરો, નાના ઉદ્યોગો, સ્વાસ્થ્ય અને રોજગાર પર ધ્યાન આપશે.

નિર્મલા સીતારામને બજેટમાં વૈશ્વિક ડેટા સેન્ટરો માટે 2047 સુધી કર પ્રોત્સાહનો અને કૃષિ તથા પ્રવાસન માટે સહાયની જાહેરાત કરી. સીતારામને લોકસભામાં કહ્યું કે સરકારે ‘વિકસિત ભારત’ માટે રોજગાર સર્જન, નવી ટેક્નોલોજી અને પરંપરાગત ઉદ્યોગોના સંયોજન પર આધારિત મહત્વની યોજનાઓ અમલમાં મૂકી છે.

નાણામંત્રી નિર્મલા સીતારામને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ભાર જાળવી રાખતાં બજેટમાં 7 હાઇ-સ્પીડ રેલ કોરિડોર બનાવવાની યોજના જાહેર કરી હતી જ્યારે સંરક્ષણ ખર્ચમાં વાષક લગભગ 20 ટકાનો વધારો કરી સંરક્ષણ ક્ષેત્રમાં કુલ રૂ. 7.85 લાખ કરોડની ફાળવણી કરાઈ છે. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી હોવા છતાં સરકારે બજેટમાં લોકલક્ષી પગલાં ટાળ્યા છે અને નાણાકીય સંયમ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ ચાલુ રાખવાનો સંકેત આપ્યો છે. પરંતુ ઇક્વિટી ડેરિવેટિવ્સ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી)માં વધારાની જાહેરાત બાદ શેરબજારમાં કડાકો બોલાયો હતો અને બજાર વધ્યા મથાળેથી 2800 પોઈન્ટ જેટલું તૂટયું હતું, પરંતુ પાછળથી બજારમાં તેજી આવવા છતાં દિવસના અંતે બજાર 1500થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

વૈશ્વિક ભૌગોલિક અને ટ્રમ્પના ટેરિફના જોખમોના પગલે નાણાકીય અનિશ્ચિતતાઓ વચ્ચે સરકારે ફાર્મા, સેમિકન્ડક્ટર્સ, રેર-અર્થ મેગ્નેટ્સ, કેમિકલ્સ, કેપિટલ ગુડ્સ, ટેક્સટાઇલ્સ અને સ્પોર્ટ્સ ગુડ્સ સહિત સાત પ્રાથમિક ક્ષેત્રોમાં ઉત્પાદન વધારવાની જાહેરાત કરી છે. ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટેનો ખર્ચ બમણો કરીને રૂ. 40,000 કરોડ કરવામાં આવ્યો છે, તેમજ સેમિકન્ડક્ટર મિશનની બીજી આવૃત્તિની પણ જાહેરાત કરવામાં આવી છે.

એકંદરે આ એક વૃદ્ધિલક્ષી પરંતુ નાણાકીય રીતે શિસ્તબદ્ધ બજેટ છે, જેમાં મોટી ભેટ-સોગાદો અથવા લોકપ્રિય જાહેરાતો ટાળવામાં આવી છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉત્પાદન, નોકરી, આત્મનિર્ભરતા અને યુવાન, મહિલા, ખેડૂતો પર ભાર મૂકવામાં આવ્યો છે.

  • અમેરિકા સાથેની તંગદિલી વચ્ચે ઇરાનના ચાબહાર પોર્ટ માટે ફાળવણી નહીં

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટમાં ક્યાંય પણ ચાબહાર પોર્ટ માટે ફાળવણીનો ઉલ્લેખ કર્યો નથી. ઇરાનના સમુદ્રી કાંઠે આવેલા આ પોર્ટના વિકાસ માટે ભારત દર વર્ષે 100 કરોડ રૂપિયા છેલ્લા પાંચ વર્ષથી ફાળવતુ આવ્યું છે. ગયા વર્ષે અમેરિકાએ ઇરાન પર અનેક પ્રતિબંધો મુક્યા હતા પરંતુ ભારતને ચાબહાર પોર્ટ મુદ્દે છ મહિનાની છૂટ આપી હતી. ગયા મહિને કેન્દ્રીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ચાબહાર પોર્ટ વિવાદ મુદ્દે ભારત અમેરિકાના સંપર્કમાં છે અને ઉકેલ લાવવા પ્રયાસ કરી રહ્યું છે. ઇરાન સાથે વેપાર કરનારા દેશો પર ટ્રમ્પે 25 ટકા ટેરિફ નાખવાની ધમકી આપી હતી. ભારત અને ઇરાન બન્ને સાથે મળીને ચાબહાર પોર્ટનો વિકાસ કરી રહ્યા છે.

  • રૂ. 12.2 લાખ કરોડ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર
  • રૂ. 1.70 લાખ કરોડ ખાતર માટે ખર્ચાશે
  • રૂ. 40,000 કરોડ ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન
  • રૂ. 10,000 કરોડ બાયોફાર્મા શક્તિ માટે
  • રૂ. 3610 કરોડ નક્સલ ક્ષેત્રોમાં સુરક્ષા
  • રૂ. 1000 કરોડ એઆઈ મિશનને ફાળવાયા

નાણામંત્રી નિર્મલા સિતારામને રજુ કરેલા બજેટના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વખાણ કર્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે આ બજેટ વિકસિત ભારત 2047ની આપણી ઉંચી ઉડાનનો મજબૂત આધાર છે. મહિલા નાણામંત્રી તરીકે નિર્મલાજીએ નવમી વખત દેશનું બજેટ રજુ કરીને એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ બજેટ દેશની નારી શક્તિનું સશક્ત પ્રતિબિંબ છે, અપાર અવસરોનો રાજમાર્ગ છે, જે વર્તમાન સપનાઓને સાકાર કરે છે અને ભારતના ઉજ્જ્વળ ભવિષ્યનો પાયો મજબૂત કરે છે. આ બજેટ 2047ના વિકસિત ભારતની ઉંચી ઉડાનનો મજબૂત આધાર છે. આજે ભારત જે રિફોર્મ એક્સપ્રેસ પર સવાર છે આ બજેટથી તેને નવી ઉર્જા અને ગતિ મળશે. આ બજેટ મોંઘવારીને કાબુ કરનારુ અને રાજકોષીય ખાધ ઘટાડનારું છે. સાથે જ એમએસએમઇને લોકલથી ગ્લોબલ બનાવવાની તાકાત આ બજેટમાં છે.

વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે વિશ્વમાં વિશ્વાસપાત્ર અને ક્વોલિટી સપ્લાયર તરીકે ભારતની ભૂમિકા વધી રહી છે. તાજેતરમાં જ ભારતે જ મોટી મોટી ટ્રેડ ડીલ કરી છે (મધર ઓફ ઓલ ડીલ) વગેરેનો સૌથી મોટો લાભ ભારતીય યુવાઓને મળશે. ભારતના લઘુ અને મધ્યમ ઉદ્યોગોને થશે. બજેટ ભારતની ગ્લોબલ ભૂમિકાને વધુ મજબુત બનાવે છે.

ભારતની 1.4 અબજ જનતા માત્ર ઝડપથી વીકસી રહેલી અર્થ વ્યવસ્થાથી સંતુષ્ટ નથી, તેઓ ભારતને ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનાવવા પણ ઇચ્છે છે જે લાખો દેશવાસીઓનો સંકલ્પ પણ છે. આ બજેટ ભારતની વૈશ્વિક ભૂમિકાને સશક્ત કરનારું છે.

February 2, 2026
image.png
1min23

T20 World Cup 2026 Pakistan Controversy : ભારતમાં યોજાનારા ICC T20 વર્લ્ડકપ 2026ને લઈને પાકિસ્તાને નવું નાટક શરૂ કરી દીધું છે. હંમેશા ભારતનો વિરોધ કરતી પાકિસ્તાન સરકારે તેમની ક્રિકેટ ટીમને ભારતમાં યોજાનારા વર્લ્ડકપમાં ભાગ લેવા માટે સત્તાવાર મંજૂરી આપી છે, પરંતુ આ સાથે એક એવી શરત મૂકી છે, જેનાથી ક્રિકેટ જગતમાં હોબાળો મચી ગયો છે.

પાકિસ્તાન સરકારના સત્તાવાર એક્સ એક્સ હેન્ડલ પરથી કરવામાં આવેલી જાહેરાત મુજબ, પાકિસ્તાની ટીમ ટુર્નામેન્ટમાં રમશે પરંતુ 15 ફેબ્રુઆરી 2026ના રોજ ભારત સામે યોજાનારી હાઈ-વોલ્ટેજ મેચમાં ભાગ લેશે નહીં. એટલે કે પાકિસ્તાન ટુર્નામેન્ટમાં ભાગ લેશે, પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચે યોજાનારી મેચો નહીં રમાય.

પાકિસ્તાને ટુર્નામેન્ટમાં ભાગ લેવાની તૈયારી બતાવી છે પણ ભારત સામે રમવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. આ સ્થિતિમાં આખા વર્લ્ડકપનું શેડ્યૂલ ખોરવાઈ શકે છે. આ મામલે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) શું સ્ટેન્ડ લે છે તેના પર સૌની નજર છે, જોકે અત્યાર સુધી BCCI કે ICC તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષાના કારણો આગળ ધરીને ભારતમાં રમવાનો ઈન્કાર કર્યો હતો, જેના કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે અને તેના બદલે સ્કોટલેન્ડને તક આપવામાં આવી છે. ત્યારબાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નક્વીએ વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. પાકિસ્તાન સતત બાંગ્લાદેશના સમર્થનમાં ટુર્નામેન્ટના બહિષ્કારનો ડ્રામા કરી રહ્યું હતું, પરંતુ હવે ટુર્નામેન્ટ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ નવું નાટક શરૂ કરી દીધું છે.

January 31, 2026
gold-dubai.png
1min16

31/01/2026

સોનાના બજારમાં અત્યારે જે થઈ રહ્યું છે તે ઈતિહાસમાં ક્યારેય નથી થયું. છેલ્લા 24 કલાકમાં સોનાના માર્કેટ કેપમાં જે ધોવાણ થયું છે, તેણે આખા વિશ્વના અર્થતંત્રમાં ફફડાટ ફેલાવી દીધો છે. ગઈકાલે જ સોનામાં એક જ દિવસમાં મોટી ઉથલ પાથલ વચ્ચે ભયાનક ક્રેશની સ્થિતિ પણ જોવા મળી. સોનું એક જ દિવસમાં લગભગ 33000 રૂપિયાથી વધુ તૂટીને 150000 પ્રતિ ગ્રામની આસપાસ આવી ગયું હતું.

તાજા અહેવાલો મુજબ, સોનાના બજારમાં છેલ્લા 24 કલાકમાં ઇતિહાસનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. સોનાએ તેના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાંથી અંદાજે $6.3 ટ્રિલિયન (₹525 લાખ કરોડથી વધુ) ગુમાવ્યા છે. આ ઘટાડો એટલો મોટો છે કે તેની સરખામણી વિશ્વના ઘણા મોટા દેશોની જીડીપી (GDP) સાથે પણ થઈ શકે તેમ નથી.

પ્રતિ કલાકનું નુકસાન અકલ્પનીય

જો આ નુકસાનની ગણતરી સમય મુજબ કરવામાં આવે તો આ આંકડા વધુ ભયાનક લાગે છે. છેલ્લા 24 કલાકમાં સતત:

દર કલાકે: 263 બિલિયન ડૉલરનું નુકસાન

દર મિનિટે: અંદાજે 4.38 બિલિયન ડૉલરનું નુકસાન

આ પ્રકારનો ‘ડ્રો-ડાઉન’ (Drawdown) સોનાના હજારો વર્ષના ઈતિહાસમાં ક્યારેય જોવા મળ્યો નથી. ગત અઠવાડિયે સોનામાં જે વોલેટિલિટી જોવા મળી હતી, આજના કડાકાએ તેના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

નિષ્ણાતોના મતે, આ માત્ર એક સામાન્ય ઘટાડો નથી પણ ‘હિસ્ટોરિક ટ્રેડિંગ કન્ડિશન’ છે. મોટા સંસ્થાકીય રોકાણકારો (Institutional Investors) દ્વારા એકસાથે કરવામાં આવેલી વેચવાલી અને આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાતા આર્થિક સમીકરણો આ માટે જવાબદાર હોઈ શકે છે.

January 30, 2026
SIR.png
1min29

ગુજરાતમાં ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR)ની કામગીરી વિવાદમાં રહી છે કેમકે, મતદારોના નામ રદ કરવા માટે લાખોની સંખ્યામાં વાંધા લેવાયાં છે. ચોંકાવે તેવી વાત એછેકે, ખોટા નામ, સહી હોવા છતાં ચકાસણી વિના ફોર્મ-7 સ્વિકારી લેવાયાં છે. એટલુ જ નહીં, ગુજરાતમાં 9.88 લાખ મતદારોના નામ રદ કરવાના ઇરાદે ફોર્મ-7 ભરાયાં છે. આ જોતાં કોંગ્રેસે રાજ્ય ચૂંટણીપંચ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી વિરોધ નોધાવ્યો છે. સાથે સાથે એવી માંગ કરવામાં આવી છેકે, ખોટા ફોર્મ-7 ભરનારાં સામે ફોજદારી રાહે ગુનો નોધવો જોઇએ.

રાજ્યમાં મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી રહી છે ત્યારે 70 લાખથી વઘુ મતદારોનું મેપિંગ થઇ શક્યુ નથી. ત્યાં મતદારોના નામ બારોબાર કરવાની પેરવી થઇ રહી છે, ત્યારે વિપક્ષોએ રાજ્ય ચૂંટણીપંચને નિશાન બનાવ્યુ છે કેમકે,ગુજરાતમાં એકે પણ વિધાનસભા બેઠક એવી નથી જ્યાં દસ હજારથી વઘુ ફોર્મ-7 ભરાયાં ન હોય. મહત્ત્વની વાત એછેકે, મતદારનું નામ રદ કરવા માટે ફોર્મ-7 ભરનારાં વ્યક્તિએ પુરાવા રજૂ કરવા ફરજિયાત છે છતાંય કોઈ ચોકસાઇ દાખવવામાં આવી નથી. એવો આક્ષેપ કરાયો છેકે, ખોટા નામ, ખોટી સહી હોવા છતાંય પણ ફોર્મ-7 સ્વિકારી લેવાયાં છે જે ગંભીર બેદરકારી છે. ગત વખત કરતાં આ વખતે લાખો વાંધા રજૂ થતાં શંકા જન્મી છે. આ ઉપરાંત બીએલઓ ના પાડી હોવા છતાંય અધિકારીઓએ ફોર્મ સ્વિકારી લીધા છે. 18મી જાન્યુઆરી અંતિમ તારીખ હોવાથી છેલ્લાં ત્રણેક દિવસમાં લાખો ફોર્મ-7 ભરાયાં છે જેના સીસીટીવી ફુટેજ જાહેર કરવા માંગ ઊઠી છે.

કેન્દ્રીય ચૂંટણી પંચનો નિયમ છેકે, એકથી વધુ સ્થળે મતદાર તરીકે નામ હોય, ખોટા ફોર્મ-7 ભરાય તો જેલ-દંડની જોગવાઇ છે. આમ છતાંય લાખો ફોર્મ ભરાયાં છે. કોંગ્રેસના પ્રતિનિધીમંડળે રાજ્ય ચૂંટણીપંચમાં રજૂઆત કરી કે, ખોટા ફોર્મ-7 ભરનારાની યાદી જાહેર કરો. એટલુ જ નહી, ખોટુ ફોર્મ-7 ભરાયુ હોય તો ફોજદારી રાહે પગલાં ભરો.

ઉલ્લેખનીય છેકે, મતદાર તરીકે નામ ઉમેરવા માટે 6.88 લાખ ફોર્મ-6 ભરાયાં છે. ટૂંકમાં નવા મતદારોના નામ ઉંમેરવા કરતાં મતદારોના નામ રદ કરવા માટે ફોર્મ વધુ ભરાયાં છે. જોકે, રાજ્ય ચૂંટણીપંચ ફોર્મ-7ને લઇને કોઈ ફોડ પાડવા તૈયાર નથી.

વાંધો ઉઠાવનાર અરજદાર પુરાવા રજૂ ન કરે તો, ફોર્મ-7 દફતરે થાય તેવી જોગવાઇ છે તેમ છતાંય રાજ્ય ચૂંટણીપંચ બીએલઓને ઘેર ઘેર મોકલી ચકાસણી કરાવે છે. પુરાવા વિનાના ફોર્મ-7 રદ કરવા માટે કાર્યવાહી થતી નથી. કોંગ્રેસનો આરોપ છેકે, રાજ્ય ચૂંટણીપેચનું કહેવુ છેકે,9 લાખથી વધુ ફોર્મ-7 મળ્યા છે ત્યારે દોઢ લાખ ફોર્મની એન્ટ્રી કરાઇ છે. તેનો અર્થ એકે, અન્ય લાખો ફોર્મ ખોટા છે.