C.A. ફાઉન્ડેશન, ઇન્ટરમિડીયેટ અને ફાઇનલ્સ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન શરૂ : જાણો કેવી રીતે રજિ. થાય ?
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા આગામી મે 2020માં લેવામાં આવનારી સી.એ. કોર્સની તમામ ત્રણેય સ્તરની પરીક્ષા માટેના ઓનલાઇન આવેદનપત્ર (રજિસ્ટ્રેશન પ્રક્રિયા)નો આરંભ કરી દીધો છે. જે વિદ્યાર્થીઓ મે 2020માં ફાઉન્ડેશન, ઇન્ટરમિડીએટ (જૂનો અને નવો કોર્સ) તેમજ ફાઇનલ્સ (જૂનો અને નવો કોર્સ)ની પરીક્ષા આપવા ઇચ્છતા હોય એવા ઉમેદવારોને તા.26મી ફેબ્રુઆરી 2020 સુધીમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવા માટે સૂચના આપવામાં આવી છે.
વધુ માહિતી માટે સંપૂર્ણ વિગત સાથેની ફાઇલ ડાઉનલોડ કરો
1) Open the official website of the ICAI – icaiexam.icai.org and click on Login/Register
Click here to register for ICAI CA May 2020 exam
2) Select your program, enter the seven digits of your registration number, date of birth, email ID, phone number and other details as asked in the form and click on Register
3) Fill the application form and select an exam centre
4) Upload all the documents as asked in the application process
5) Make application fee payment and download the PDF of registration form
6) Make sure your Photo is appearing on the PDF. If not, take a print out of PDF, paste a passport size photo and send it to ICAI. Also, keep a copy of the same with you for future reference
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હવે સેન્ટ્રલ બોર્ડની શાળાઓની માફક શાળાઓમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ તાકીદે શાળાઓ શરૂ કરી દેવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. ચાલુવર્ષ ૨૦૨૦-૨૧થી નવું શૈક્ષણિક વર્ષ તા.૨૦મી એપ્રિલથી શરૂ કરવામાં આવશે. જ્યારે ઉનાળુ વેકેશન તા.૪થી મેથી લઇને તા.૭મી જૂન સુધી યથાવત રાખવામાં આવશે. એટલે કે હવે એપ્રિલ માસના પ્રથમ સપ્તાહથી જ નવુ શૈક્ષણિક સત્ર શરૂ કરી દેવામાં આવશે.
બોર્ડ દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે ચાલુ વર્ષ અને હવે પછીના તમામ શૈક્ષણિક વર્ષોમાં એપ્રિલના પ્રથમ સપ્તાહથી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવાનુ રહેશે. મે માસના પ્રથમ સપ્તાહથી લઇને જૂન માસના પ્રથમ સપ્તાહના અંત સુધી એટલે કે પાંચ સપ્તાહનુ વેકેશન યથાવત રાખવાનુ રહેશે. આ પ્રમાણેના દિવસોને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓને વ્યવસ્થા કરવા સૂચના આપી દેવામાં આવી છે. પરીક્ષા પૂરી થયા બાદ એપ્રિલમાં શરૂ થનારુ શૈક્ષણિક સત્ર પછીના વર્ષમાં માર્ચ માસ સુધી રહે તે પ્રમાણે કામગીરી કરવાની રહેશે.
સૂરતની ભગવાન મહાવીર આર્કિ. કોલેજમાં 96 ટકા અને વિદ્યામંદિર વુમન કોલેજમાં 94 ટકા સીટો ખાલી
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
સમગ્ર દેશમાં આવેલી આર્કિટેક્ચર કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે આર્કિટેક્ચર કાઉન્સિલ દ્વારા લેવામાં આવતી પ્રવેશ પરીક્ષા નાટા (નેશનલ એપ્ટીટ્યુડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર) 2019થી વર્ષમાં બે વખત લેવામાં આવે છે.
2020 માટે નાટા-1 પરીક્ષા તા.19મી એપ્રિલ 2020ના રોજ લેવામાં આવશે જ્યારે નાટા-2 પરીક્ષા તા.31મી મે 2020ના રોજ લેવામાં આવશે.
ધો.12 મેથ્સ ગ્રુપના વિદ્યાર્થીઓ અને ડિપ્લોમા આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ જ લાયકાતપાત્ર
નાટા પ્રવેશ પરીક્ષા માટેના રજિસ્ટ્રેશન તા.1લી ફેબ્રુઆરી 2020થી શરૂ થઇ ચૂક્યા છે. નાટા-1 પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવવાની અંતિમ તારીખ 16મી માર્ચ 2020 છે. નાટા-2ના રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ 4 મે 2020 રાખવામાં આવી છે.
The Council of Architecture conducts NATA 2020 is conducted twice a year for admission to Architecture courses.
The last date to submit the application form for NATA 2020 examination is March 16, 2020.
How to apply for NATA 2020?
The aspirants can follow the step-by-step guide provided below to check and apply for the NATA 2020 examination:
1) Open the official website of NATA 2020 – nata.in
2) Click on the NATA 2020 Registration Link or click on the direct link provided below
3) Sign up to register for NATA
4) Fill the application form and submit the application fee online
ગુજરાતની આર્કિટેક્ચર કોલેજોમાં 2019માં 51 ટકા સીટો ખાલી રહી હતી
ગુજરાતમાં કુલ 35 આર્કિટેક્ચર કોલેજોમાં સ્ટેટ ક્વોટાની 1690 સીટોમાંથી 857 બેઠકો ખાલી હતી અને 833 ભરાઇ હતી
ભગવાન મહાવીર અને વિદ્યામંદિર વુમન આર્કિટેક્ચ કોલેજમાં કોઇ પ્રવેશ લેતું નથી
સૂરતની ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજ અને વેસુ ખાતે આવેલી વિદ્યામંદિર વુમન આર્કિટેક્ચર કોલેજમાં વિદ્યાર્થીઓ પ્રવેશ લેવાનું ટાળે છે. ભગવાન મહાવીર કોલેજ અપૂરતી સુવિધાઓ, અપર્યાપ્ત ઇન્ફ્ર્રાસ્ટ્રક્ચર, અપૂરતા સ્ટાફ માટે ભારે બદનામ છે. એવી જ રીતે વિદ્યામંદિર આર્કિટેક્ચર કોલેજના અધ્યાપકો વિદ્યાર્થિનીઓને એટલો માનસિક ત્રાસ આપતા હોવાની ફરીયાદો ભૂતકાળમાં ઉઠી ચૂકી છે. આવી સ્થિતિમાં આ બે કોલેજોમાં પ્રવેશાર્થીઓ પ્રવેશ લેવાનું ટાળી રહ્યા છે જેની પ્રતીતિ ઉપરોક્ત ટેબલ પરથી થઇ ને રહે છે. બે રાઉન્ડના અંતે પ્રવેશ સમિતિએ જાહેર કરેલી ખાલી બેઠકોની યાદીમાં સૂરતની ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજ અને વિદ્યામંદિર વુમન આર્કિટેક્ચર કોલેજોમાં અનુક્રમે 96 ટકા અને 94 ટકા બેઠકો ખાલી પડી રહી છે.
નિર્મલા સીતારામણે શિક્ષણ ક્ષેત્રને પ્રાધાન્ય આપવા માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. જેમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, મેડિકલ કોલેજ,ઓનલાઇન કોર્સ અને ઇન્ટર્નશિપ પર ભાર
શિક્ષણ ક્ષેત્રને મળ્યાં રૂ.99,300 કરોડ
બજેટ 2020માં નાણામંત્રી નિર્મલા સીતારામણે શિક્ષા ક્ષેત્ર માટે નાણાંકીય વર્ષ 2020-21 માટે રૂ.99,300 કરોડમની જાહેરાત કરી છે. આ રકમ ગત વર્ષ 2019-20થી આશરે પાંચ કરોડ વધુ છે. ગતવર્ષ 2019-20માં શિક્ષણ ક્ષેત્રને રૂ.94,853 કરોડ આપ્યા હતા. બજેટમાં કહેવામાં આવ્યું છે કે માર્ચ 2021 સુધી 150 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ શરુ કરવામાં આવે. આ સંસ્થાઓમાં સ્કિલ્ડ પ્રશિક્ષણ આપવામાં આવશે. પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે ક્વોલિટી એજ્યુકેશન માટે ડિગ્રી લેવલ ઓનલાઇન સ્કીમ શરુ થશે.
નેશનલ પોલીસ યુનિર્વસિટી ખુલશે
નાણામંત્રીએ પોતાનાં બજેટ ભાષણમાં નેશનલ પોલીસ યુનિર્વસિટી અને નેશનલ ફોરેન્સિક યુનિર્વસિટી બનાવવા અને તેના માટે ફંડ આપવાની જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે આ સંસ્થાનોમાં સાયબર ફોરેન્સિક ભણાવવામાં આવશે. નિર્મલા સીતારામણે જણાવ્યું હતું કે હવે ઓનલાઇન ડિગ્રી લેવલ પ્રોગ્રામ ચલાવવામાં આવશે. આ ઉપરાંત સરકાર એક પ્રોગ્રામ શરુ કરશે જેમાં શહેરી કારખાનાઓ નવા ઇજનેરોને એક વર્ષ માટે ઇન્ટર્નશિપની આપશે જેથી ઇન્ટર્ન પણ શીખી શકશે તેમજ કારખાનાઓના કામકાજમાં મદદ મળી રહે.
ઉચ્ચ શિક્ષણ વધારવા માટે દુનિયાભરના છાત્રોને ભારત તરફ આકર્ષવા સુવિધા દેવામાં આવશે,અને ભારતના છાત્રોને પણ એશિયા,આફ્રિકા અને અન્ય દેશોમાં મોકલવામાં આવશે.રાષ્ટ્રિય પુલિસ વિશ્વવિદ્યાલય,ન્યાયિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય બનાવાનો પ્રસ્તાવ રખાયો છે.ડોક્ટરો માટે બ્રિજ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે જેથી પ્રિક્ટીસ કરતા ડોક્ટોને પ્રોફેશનલ બાબતનોની જાણકારી મળે. નાણામંત્રીના જણાવ્યા અનુસાર જિલ્લા હોસ્પિટલોમાં મેડિકલ કોલેજો સ્થાપવાની પણ યોજના છે.
સ્ટડી ઇન ઇન્ડિયા કાર્યક્રમની ઘોષણા
નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીની જોગવાઇ
તમામ ઇન્ફ્રા એજન્સીઓ સ્ટાર્ટઅપમાં યુવાઓની ભાગીદારી સુનિશ્વિત કરશે.
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (એનબીઈ) દ્વારા પાચમી જાન્યુઆરીએ પીજી મેડિકલ નીટ ૨૦૨૦ પરીક્ષા લેવામા આવી હતી. જેમાં ગુજરાતમાંથી પીજી નીટ આપનારા ૭૦૯૭ વિદ્યાર્થીઓમાંથી ૪૩૨૪ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ક્વોલિફાય થયા છે. પરિણામ Date 30 Januarty 2020 ગુરુવારે સાંજે જાહેર કર્યુ છે.
ગુજરાતમાં આશરે ૨૧૦૦ જેટલી પીજી મેડિકલની બેઠકો છે. આ બેઠકો પર રાજ્યની એમબીબીએસ કોલેજોમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા ઈચ્છુક છે. એનબીઈએ પાચમી જાન્યુઆરીએ નીટની પરીક્ષા લીધી હતી જેમાં દેશભરમાંથી ૧,૬૦,૮૮૮ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેઠા હતા. અને ૮૯,૫૪૯ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ક્વોલિફાય થયા છે.
JEE Main કોચિંગવાળાઓની ભ્રામક જાહેરાતોથી વાલી વિદ્યાર્થીઓ ચેતે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જ્યારથી દેશમાં એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ જેઇઇ મેઇન પરીક્ષા લેવાનું શરૂ કર્યું છે ત્યારથી તેમણે પરીણામ માર્ક (સ્કોર)ની જગ્યાએ પર્સન્ટાઇલ રેન્કથી આપવાનો નિયમ બનાવ્યો છે. તાજેતરમાં જ એન.ટી.એ. દ્વારા જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020નું પરીણામ જાહેર કરવામાં આવ્યું. પરીણામ જાહેર થયા બાદ જેઇઇ મેઇન્સનું કોચિંગ આપતા પ્રાઇવેટ ટ્યુશનિયા સંચાલકો અને કેટલીક સ્કુલો દ્વારા 80થી વધુ પર્સન્ટાઇલ ધરાવતા હોય એવા વિદ્યાર્થીઓના ફોટા સાથે એવી તે જાહેરાતો કરવામાં આવી કે જાણે મોટો મીર માર્યો હોય.
વાલીઓ અને વિદ્યાર્થીઓએ સમજી લેવું જોઇએ
વાલીઓ અને વિદ્યાર્થીઓએ સમજી લેવું જોઇએ કે જેઇઇ મેઇન્સમાં કેટલા પર્સન્ટાઇલે નેશનલ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મળી શકે છે. હકીકત જોવા જઇએ તો ઓપન કેટેગરીમાં 92થી ઓછા પર્સન્ટાઇલ રેન્ક પર સારી ગણાતી નેશનલ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મળી શકતો નથી. સૌથી વધુ સ્પર્ધા ઓપન કેટેગરી, ઓપન ઇડબલ્યુએસ કેટેગી, ઓબીસી વગેરેમાંથી એન.આઇ.ટી.માં પ્રવેશ મેળવવા માટે હાયર મેરીટની આવશ્યકતા છે.
હાલમાં જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020ના પરીણામાં 80થી વધુ પી.આર. ધરાવતા વિદ્યાર્થીઓએ જાણે મોટી સિદ્ધી હાંસલ કરી લીધી હોય તે રીતે જાહેરાતો કરવામાં આવી રહી છે એ સાવ ભ્રામક છે. હાલમાં ધો.10માં અભ્યાસ કરતા અને ધો.11-12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં પ્રવેશ મેળવવાનું આયોજન ધરાવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આકર્ષવા માટે ગેરમાર્ગે દોરનારી જાહેરાતો કરવામાં આવી રહી છે.
જેઇઇ મેઇન્સમાં ઓપન કેટેગરીમાં 92 પર્સન્ટાઇલ જેટલો હાયર સ્કોર પણ કેમ બિનઉપયોગી થઇ પડે છે એ ગણતરી અહીં નિમ્નદર્શિત ચાર્ટ પરથી સમજીએ.
Percentile Score
Total Students/Rank
99 to 100
1 to 11500
95 to 99
11500 to 57000
90 to 95
57000 to 115000
IIT, NIT, IIIT ની બધુ મળીને 42000 બેઠકો છે, તેની સામે 95 પર્સન્ટાઇલ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા જ 1.15 લાખ છે
ઉપરોક્ત ડેટા ચકાસીએ તો ખ્યાલ આવશે કે 99થી 100 પર્સન્ટાઇલ વચ્ચે 11,500 સ્ટુડન્ટ છે. જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020 પરીક્ષા કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી 11,500 વિદ્યાર્થીઓએ 99થી 100 પર્સન્ટાઇળ મેળવ્યા છે. 99થી 95 પર્સન્ટાઇલ વચ્ચે કુલ 57000 વિદ્યાર્થીઓ (રેન્કસ) સમાવિષ્ટ થઇ જાય છે. આઇ.આઇ.ટી., એન.આઇ.ટી. અને ત્રિપલ આઇ.ટી. કોલેજોની આખા દેશમાં કુલ બેઠકો ફક્ત 42000 જેટલી છે. આ 42000 સીટમાં ઓપન કેટેગરી સમેત તમામ અનામત વર્ગની બેઠકો સામેલ છે. હવે તેની સરખામણીમાં ઉપરના ચાર્ટ અનુસાર પર્સન્ટાઇલ અને તેની સામે વિદ્યાર્થીની સંખ્યાને સરખાવી જુઓ 95 પર્સન્ટાઇલ સુધીના વિદ્યાર્થીઓની સંખ્યામાં જ આઇ.આઇ.ટી., એન.આઇ.ટી. ત્રિપલ આઇ.ટી. ની બધી સંસ્થાઓની બેઠકો ભરાઇ જશે.
આમ દેશી હિસાબ લગાડીએ તો પણ જેઇઇ મેઇન્સમાં ઓપન કેટેગરીમાં 92 પર્સન્ટાઇલ અને તેના પ્રપોર્સનેટમાં અન્ય અનામત વર્ગના વિદ્યાર્થીઓના પ્રવેશ માટે આટલા પર્સન્ટાઇલ પર્યાપ્ત નથી.
JEE MAIN ફક્ત 30 હજાર અને એડવાન્સ્ડ ફક્ત 12 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી શકે
હાલમાં ધો.12 મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા કે ભવિષ્યમાં મેથ્સ ગ્રુપમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ એ વાતને યોગ્ય રીતે સમજવાની જરૂર છે કે જેઇઇ મેઇન્સ અને એડવાન્સ આખા દેશના ફક્ત 42 હજાર જેટલા વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાવી શકે. જેની સામે ગુજરાતમાંથી જ જેઇઇ મેઇન્સ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા 1 લાખ 20 હજારથી વધુની છે. આવી સ્થિતિમાં જેઇઇ મેઇન્સનો સૌથી મજબૂત વિકલ્પ ગુજકેટની પરીક્ષા છે. ગુજકેટ પર પણ ધ્યાન આપવું જોઇએ જેથી કરીને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજોમાં સરળતાથી પ્રવેશ મળી શકે છે.
શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ના ૧૭.૫૩ લાખ વિદ્યાર્થીઓની ફોટાવાળી રસીદ શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર મુકાશે. શાળાઓએ ઈન્ડેક્ષ નંબરના આધારે વેબસાઇટ ઉપરથી રસીદ ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને આપવાની રહેશે. બોર્ડની પરીક્ષા ૫ માર્ચથી શરૂ થશે. શિક્ષણ બોર્ડે ટેકનોલોજીની મદદથી પરીક્ષાના ફોર્મ ઓનલાઇન ભરાવ્યા બાદ પરીક્ષા રસીદ પણ વિદ્યાર્થીઓને ઓનલાઇન મળી રહે તેવી વ્યવસ્થા ચાલુ વર્ષેથી કરશે.
વિદ્યાર્થીઓની પરીક્ષાની રસીદ ખોવાઈ જતા નવી રસીદ માટે બોર્ડમાં અરજી કરવી પડે છે આથી વિદ્યાર્થીઓથી રસીદ ખોવાઈ જાય તો પણ શાળાને જાણ કરીને બીજી કોપી બોર્ડની વેબસાઇટ ઉપરથી કાઢી શકે તે માટે પરીક્ષાની રસીદ શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર મૂકવાનો નિર્ણય શિક્ષણ બોર્ડે લીધો હોવાનું શિક્ષણ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું.
શિક્ષણ બોર્ડના સચિવ ડી. એસ. પટેલે જણાવ્યું હતું કે, ધો. ૧૦ના ૧૦.૮૦ લાખ, ધો. ૧૨ સા.પ્ર.ના ૫.૩૦ લાખ અને ધો. ૧૨ સાયન્સના ૧.૪૩ લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાનો ફોટાવાળી રસીદ બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. વેબસાઇટ ઉપર પરીક્ષાની રસીદ મૂકી દીધા બાદ શાળાઓને જાણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓની પરીક્ષાની રસીદ શાળાઓએ ડાઉનલોડ કર્યા બાદ તેમાં વિદ્યાર્થીના કે તેના પિતાના નામ તેમ જ અટક કે વિષયોમાં કોઇ જ પ્રકારની ભૂલ હોય તો તાકીદે શિક્ષણ બોર્ડની કચેરીને જાણ કરવા શાળાઓના સંચાલકોને શિક્ષણ બોર્ડે આદેશ કર્યો છે.
ISRO powered Young Scientist Program for Std. 9 Students : Registration from 3 Feb.
ઇન્ડીયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ચાલુ વર્ષે ધો.9માં અભ્યાસ કરી રહેલા અને સ્પેશ સાયન્સ, રોકેટ સાયન્સ, બ્રહ્માંડ વગેરે વિષયોમાં રૂચી ધરાવતા વિદ્યાર્થીઓ માટે યંગ સાયન્ટીસ્ટ પ્રોગ્રામ લોંચ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામમાં સમગ્ર ભારતમાંથી ધો.8ની વાર્ષિક પરીક્ષાનું પરીણામ અન્ય પ્રવૃતિઓના આધારે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે અને એ વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીનું ઘડતર સ્પેશ સાયન્સમાં થઇ શકે તે માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. આ માટેના રજિસ્ટ્રેશન ઇસરોની વેબસાઇટ પર તા.3 ફેબ્રુઆરી 2020થી શરૂ કરવામાં આવશે.
ઇસરોના યંગ સાયન્ટીસ્ટ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ અંગેની ડિટેઇલ્સ અહીં પ્રકાશિત કરવામાં આવી છે.
સારી રીતે સૂચનાઓ વાંચવા માટે મોબાઇલ ફોનની જગ્યાએ ડેસ્કટોપ કે લેપ્ટોપ પર આ સમાચાર ઓપન કરવા
Indian Space Research Organisation has launched a special programme for School Children called “Young Scientist Programme” “YUva VIgyani KAryakram” (युविका) from the year 2019. The second session of the programme is scheduled to be held during the month of May 2020.
The Program is primarily aimed at imparting basic knowledge on Space Technology, Space Science and Space Applications to the younger ones with the intent of arousing their interest in the emerging areas of Space activities. The program is thus aimed at creating awareness amongst the youngsters who are the future building blocks of our Nation. ISRO has chalked out this programme to “Catch them young”.
The programme will be of two weeks duration during summer holidays (May 11-22, 2020) and the schedule will include invited talks, experience sharing by the eminent scientists, facility and lab visits, exclusive sessions for discussions with experts, practical and feedback sessions.
3 students each from each State/ Union Territory will be selected to participate in this programme covering CBSE, ICSE and State syllabus. 5 additional seats are reserved for OCI candidates across the country.
The selection will be done through online registration. The online registration will be open from February 03 to 24, 2020. Those who have finished 8th standard and currently studying in 9th standard (in the academic year 2019-20) will be eligible for the programme. Students who are studying in India including OCI (Overseas Citizen of India) are eligible for the programme. The selection is based on the 8th Standard academic performance and extracurricular activities. The selection criteria is given below.
S.No
Description
Weightage
1
Performance in the 8th Std Examination
60%
2
Prize in school events conducted by the School or Education board from the year 2016 onwards (like Elocution, Debate, Essay Writing….) at District/State/National/ International Level (The higher level will be considered for weightage)
2/4/6/10%
3
Winners of District/State/National/International Level sports activities conducted by School or Education board from the year 2016 onwards (The higher level will be considered for weightage)
2/4/6/10%
4
Scouts and Guides/NCC/NSS Member – during the current academic year (2019-20)
5%
5
Studying in Rural School (Certificate of proof to this effect to be produced from the head of the school – Criteria: The school, where the candidate is studying should be located in Block/Village Panchayath Area)
15%
Total
100%
Students belong to the rural area have been given special weightage in the selection criteria. In case there is tie between the selected candidates, the younger candidates will be given priority.
રજિસ્ટ્રેશન ડિટેલ્સ
The interested students can register online through ISRO website www.isro.gov.in from February 03, 2020 (1700 hrs) to 24 February 2020 (1800 hrs). The exact link will be available on 03 February, 2020. The list of the provisionally selected candidates from each state will be announced on 02 March, 2020. The provisionally selected candidates will be requested to upload the attested copies of the relevant certificates on or before 23 March, 2020. After verifying the relevant certificates the final selection list will be published on 30 March, 2020.
It is proposed to conduct the residential programme during 11-22 May, 2020, at 4 centres of ISRO. The selected students will be requested to report to any one of the ISRO/DOS centres located at Ahmedabad, Bangalore, Shillong and Thiruvananthapuram. The selected students will be accommodated in ISRO guest houses/hostels. Expenditure towards the travel of student (II AC fare by train from nearest Rly Station to the reporting centre and back), course material, lodging and boarding etc., during the entire course will be borne by ISRO. II AC fare will also be provided to one guardian/parent for drop and pick up of student from the reporting centre.
For any further clarification, please contact yuvika2020@isro.gov.inPh.: YUVIKA Secretariat (Respond & AI) : 080 2217 2269.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજ શાસ્ત્રના પ્રોફેશર ડૉ. હરેશ ઝાલાની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી. આ ઓડિયો ક્લિપમાં એક યુવતીને પીએચડી કરાવવાની અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી શરીર સુખની માગ કરવામાં આવી હતી. તેમ જ પ્રોફેસર દારૂના નશામાં ધૂત થઈ બિભત્સ વાતો કરતો સાંભળવા મળે છે.
આ ઘટના બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર ઝાલા હાજર ન રહેતા ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. યુનિવર્સિટી દ્વારા પ્રોફેસર ઝાલાની ચેમ્બર સીલ કરવામાં આવી હતી. આ ઘટનામાં કુલપતિએ પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ પહેલા પ્રોફેસર ઝાલા યુનિવર્સિટીમાંથી બબ્બે વખત દારૂ પીતા ઝડપાયા હતા. છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
અગાઉ ડૉ. કનુભાઇ મવાણી કુલપતિ હતા ત્યારે ઝાલાના કબાટમાંથી દારૂ મળ્યો હતો ત્યારે ગુનો નોંધી સસ્પેન્ડ કર્યા હતા, પરંતુ કનુભાઇનો કાર્યકાળ પૂરો થતા ફરી તેને ફરજ પર લઇ લેવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાતીય સતામણી નિવારણ કમિટીની બેઠક મળી હતી જેમાં કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, બેઠકમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી ઓડિયોક્લિપ સાંભળવવામાં આવી છે. કમિટી દ્વારા હરેશ ઝાલાને રૂબરૂમાં બોલાવીને તેનું નિવેદન નોંધવામાં આવશે.
ઓડિયો ક્લિપમાં જે યુવતીનો અવાજ છે તે યુવતીએ હજુ સુધી યુનિવર્સિટીને લેખિત કે મૌખિક ફરિયાદ કરી નથી. અગાઉ યુનિવર્સિટીમાં જાતીય સતામણીના કિસ્સામાં બાયો સાયન્સ ભવનના પ્રોફેસર નિલેશ પંચાલને ડિસમીસ કરવામાં આવ્યા હતા. જ્યારે અર્થશાસ્ત્ર ભવનના એક પ્રોફેસર આવા જ પ્રકરણને કારણે તાજેતરમાં એફએસએલ વોઇસ ટેસ્ટીંગ માટે તે હાજર ન રહ્યા. જો કે આ મુદ્દે કુલપતિ નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, પ્રોફેસર જોશી સામે પણ હાજર ન રહ્યા તે મુદ્દે કાર્યવાહી થશે.
પરીક્ષાનો હાઉ દૂર કરવા સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરશે. આ કાર્યક્રમમાં પહેલીવાર ૫૦ દિવ્યાંગ વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા છે. સવારે ૧૧ વાગ્યાથી શરૂ થનારા આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી અંદાજે બે હજાર વિદ્યાર્થી અને શિક્ષકો ઉપસ્થિત રહેશે.
દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં વડાપ્રધાન દ્વારા સોમવારે પરીક્ષા પે ચર્ચા કરવામાં આવશે. જેમાં સમગ્ર દેશમાંથી બે હજાર વિદ્યાર્થી અને શિક્ષકો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની પસંદગી એક નિબંધ સ્પર્ધા દ્વારા કરવામાં આવી છે. જેના માટે વિદ્યાર્થીઓએ દોઢ હજાર શબ્દનો નિબંધ અને તેની સાથે વડાપ્રધાનને પુછવાના પ્રશ્નોની વિગત લખી મોકલી હતી. સમગ્ર દેશમાંથી ૨.૬ લાખ જેટલા નિબંધો મળ્યા હતા અને તેમાંથી ૧૦૫૦ જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી.
ગુજરાતમાંથી ૨૯૬૨૩ વિદ્યાર્થીઓએ નિબંધ લખીને મોકલ્યા હતા. જેમાંથી ૪૨ જેટલા વિદ્યાર્થીઓને પસંદ કરાયા છે અને તેઓ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચી ગયા હોવાનું પણ જાણવા મળે છે. ગુજરાતમાંથી જવાહર નવોદય વિદ્યાલય, કેન્દ્રીય વિદ્યાલય, સરકારી સ્કૂલો અને ગ્રાન્ટેડ સ્કૂલના ૪૨ વિદ્યાર્થીઓ સાથે પાંચ શિક્ષકો પણ દિલ્હી ગયા હોવાનું જાણવા મળે છે. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પરીક્ષાનો તણાવ દૂર કરવા સંવાદ કરશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.