CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 24 of 53 - CIA Live

July 1, 2020
vnsgu.jpg
2min6910

કટઓફ મેરીટથી ખબર પડે કે કેટલા લાગવગીયા ઘૂસ્યા હતા : ABVP – NSUI બન્ને ચૂપ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ બી.એસસી., બી.સી.એ., એમ.એસસી.આઇ.ટી. વગેરે અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રવેશ કાર્યવાહીમાં પ્રવેશાર્થીઓને અત્યારથી જ અન્યાય કરવામાં આવી રહ્યો છે. નવા પ્રવેશાર્થીઓ સ્વાભાવિક છે કે કેટલીક બાબતોથી અજામ હોય અને વીર નર્મદ યુનિવર્સિટીના જાડી ચામડીના વહીવટકર્તાઓમાં એટલી નૈતિકતા નથી કે વિદ્યાર્થીઓને પ્રવેશ અગાઉ કેટલીક જરૂરી માહિતી પૂરી પાડે.

File Photo VNSGU Campus

2019ના કટઓફ મેરીટ અને 2020નું સીટ મેટ્રીક્સ

ગુજરાત કે ભારતમાં કોઇપણ અભ્યાસક્રમોમાં સેન્ટ્રલાઇઝ્ડ એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો પહેલા બે વિગતો વિદ્યાર્થીઓને એડવાન્સ્ડમાં આપી દેવામાં આવે છે. આ બે માહિતીના આધારે નવાંગતુક પ્રવેશાર્થીઓને અને તેમના પેરેન્ટ્સને ખ્યાલ આવી જાય છે કે તેમને પ્રવેશ મળશે કે કેમ, ક્યાં મળશે કેવી રીતે મળશે કઇ બેઠક પર મળશે.

  • 2019માં કઇ કોલેજમાં કેટલા મેરીટે પ્રવેશ અટક્યો, કેટેગરીવાઇઝ ક્લોઝર મેરીટ
  • 2020માં ટોટલ કેટલી બેઠકો, કોને મળશે કેવી રીતે પ્રવેશ ફાળવવામાં આવશે
  • મેરીટના નિયમો

ઉપરોક્ત ત્રણયે બાબતો મેડીકલ, પેરામેડીકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી કે અન્ય કોઇપણ અભ્યાસક્રમની સેન્ટ્રલાઇઝ્ડ એડમિશનની સાઇટ પર પ્રવેશ પ્રક્રિયા પહેલા જ મૂકી દેવામાં આવે છે. પરંતુ, વીર નર્મદ યુનિવર્સિટીના વર્તમાન વહીવટકર્તાઓ વિદ્યાર્થીઓને આ માહિતી છેલ્લા કેટલાય વર્ષોથી નથી આપી રહ્યા. આ વર્ષે પણ 2020-21ના શૈક્ષણિક વર્ષ માટે શરૂ થયેલી પ્રવેશ પ્રક્રિયામાં ક્યાંયે પણ વીર નર્મદ યુનિવર્સિટીએ ગત વર્ષનું કટઓફ મેરીટ, આ વર્ષ માટેનું ડિટેઇલ્ડ સીટ મેટ્રીક્સ કે મેરીટના નિયમોની કોઇ જ જાણકારી પ્રવેશાર્થીઓને આપી નથી કે પોતાના બ્રોશર કે કેટલૉગમાં પણ સમાવી નથી.

2019નું કટઓફ મેરીટ મેરીટ જાહેર થાય તો અનેક કોઠાકબાડાઓ બહાર આવે એમ છે

ગયા વર્ષ 2019માં કઇ કોલેજમાં કે કયા ડિપાર્ટમેન્ટમાં કેટલા ટકાએ અંતિમ પ્રવેશ ફાળવવામાં આવ્યો જો એની સાચી, ઓથેન્ટિક માહિતી રજૂ કરવામાં આવે તો આ વર્ષના પ્રવેશાર્થીઓને ખ્યાલ આવે કે તેમને કઇ કોલેજમાં કેટલા માર્કે પ્રવેશ મળી શકે. પરંતુ, વીર નર્મદ યુનિવર્સિટીના સત્તાધીશો આવું કરી શકે તેમ નથી કેમકે સાવ ધુપ્પલ જાહેર થયેલી વીર નર્મદ યુનિવર્સિટીની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાનો ગેરલાભ ઉઠાવીને અનેક કોલેજોએ મેરીટ વગર પ્રવેશ આપ્યા છે. હવે કટઓફ જાહેર કરે તો આ બધા કોઠા કબાડાઓ ફરી સપાટી પર આવે તેમ છે.

મેરીટના નિયમોથી વિદ્યાર્થીઓ સાવ અજાણ

વીર નર્મદ યુનિવર્સિટીએ જુદા જુદા કોર્સમાં પ્રવેશ માટેની લઘુત્તમ લાયકાત જાહેર કરી છે પરંતુ, મેરીટ કેલક્યુલેશન કેવી રીતે ગણાશે તેની કોઇ જ માહિતી પ્રવેશાર્થીઓને આપવામાં આવી નથી. એવા અનેક કોર્સ છે કે જેમાં સાયન્સ, કોમર્સ, આર્ટસ, વોકેશનલ પ્રવાહ તમામને એડમિશન આપવામાં આવે છે, તો તેમની સીટ કેલક્યુલેશન ઉપરાંત કયા માર્ક, કેટલાક વિષયના માર્કસના આધારે તેમનું મેરીટ બને છે એ અંગેની કોઇ જ માહિતી યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતી નથી.

ABVP કે NSUI ને આવા વિદ્યાર્થી હિતના પ્રશ્નો દેખાતા નથી

વીર નર્મદ યુનિવર્સિટીના સત્તાધીશો સામે છાશવારે બાંયો ચઢાવતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ કે નેશનલ સ્ટુડન્ટસ યુનિયન ઓફ ઇન્ડિયાના બની બેઠેલા નેતાઓ 5-10 વિદ્યાર્થીઓ નહીં હોય તેવા વિદ્યાર્થીનેતાઓને લઇને યુનિવર્સિટી ખાતે પોતાની ખીચડી પકવતા મુદ્દાઓ ચગાવીને આંદોલન છેડે છે પરંતુ, જે મુદ્દાઓ પર ખરેખર વિદ્યાર્થીઓ, પ્રવેશાર્થીઓને અન્યાય થઇ રહ્યો છે એવા મુદ્દાઓ પર લડત ઉપાડવામાં આવા નેતાઓને પેટમાં દુખે છે એટલે જ અત્યાર સુધીની કોઇપણ સેન્ટ્રલાઇજ્ડ પ્રવેશ પ્રક્રિયામાં યુનિવર્સિટીએ ક્યારેય કટઓફ મેરીટ, મેરીટના નિયમો અને નવા વર્ષ માટેના સીટ મેટ્રીક્સ જાહેર કર્યા નથી.

કટઓફ મેરીટ, મેરીટના નિયમો કે સીટ મેટ્રીક્સ જાહેર કર્યા વગર જ યુનિવર્સિટીએ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દીધી આમ છતાં એનએસયુઆઇ કે એબીવીપી ના એકેય નેતાએ એકેય હરફ ઉચ્ચાર્યો નહીં. ક્યાં તો આ બની બેઠેલા વિદ્યાર્થી નેતાઓને કશું ખબર નથી પડતી ક્યાં તો તેઓ વિદ્યાર્થીઓના આ પાયાના મુદ્દા પર બિલકુલ ઇરાદાપૂર્વક ચૂપકીદી સાધીને બેઠા છે.

Latest on this web

June 30, 2020
iit_madras.png
6min13630

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દેશની જાણીતા ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીના મદ્રાસ યુનિટે ભારતના યુવા યુવતિઓ માટે એક એક્સેલન્ટ કરીયર કોર્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ કોર્સ હાલમાં અને ભવિષ્યમાં અનેક તકો ધરાવતા ડેટા સાયન્સના અન્ડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ અને તે પણ ઘરે બેઠા ઓનલાઇન અભ્યાસ અંગેનો છે.

IIT એટલે સ્ટેટસ સિમ્બોલ ગણાય

ધો.10માં અંગ્રેજી અને ગણિત વિષય સાથે પાસ થયેલા હોય એવા ધો.12 પાસ વિદ્યાર્થીઓ આ કોર્સમાં પ્રવેશ માટે લાયક છે. એથી વિશેષ હાલમાં ગ્રેજ્યુએટ થઇ ચૂક્યા હોય એવા વિદ્યાર્થીઓ, અધવચ્ચેથી અભ્યાસ પડતો મૂકનાર વિદ્યાર્થીઓ પણ આ કોર્સમાં જોડાઇને અભ્યાસ કરી શકે છે.

કોર્સની ડિઝાઇન અફલાતૂન રીતે તૈયાર કરવામાં આવી છે. ઓનલાઇન એટલે કે ઘરે બેઠા બી.એસસી. ડેટા સાયન્સ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓએ દર મહિને નિર્ધારિત પરીક્ષા કેન્દ્ર પર જઇને પ્રત્યક્ષ રીતે પરીક્ષા આપવી પડશે. આઇ.આઇ.ટી. મદ્રાસ જોબ પ્લેશમેન્ટ પણ કરી આપશે.

નીચે દર્શાવેલી લિંક પર ક્લીક કરવાથી કોર્સની સત્તાવાર વેબસાઇટ ઓપન થશે

https://www.onlinedegree.iitm.ac.in/academics.html

IIT Madras ના ઓનલાઇન B.Sc. ડેટા સાયન્સ કોર્સના બ્રોશરને ડાઉનલોડ કરવા નીચેની લિંક ક્લીક કરો

https://onlinedegree.iitm.ac.in/assets/pdf/Brochure.pdf

અગત્યની તારીખો

Date to be announced shortlyApplications Open (Regular Entry)
15th September 2020 tentatively*Applications Close (Regular Entry)*
5th October 2020Weekly release of Term 1 Qualifier courses content starts
2nd November 2020Qualifier Exam Hall Ticket (only for those who get minimum required marks in Assignments)
20th / 21st / 22nd November, 2020**Qualifier Exam (only for those with Hall Ticket)**
7th December, 2020Qualifier Exam Results
11th December, 2020 to 3rd January 2021Registration for Term 1 (only for those who clear Qualifier Exam)
4th January, 2021Foundational Level Batch 1 starts

*We are limiting the maximum number of applications to 2,50,000. Hence, we will close receipt of applications on 15 September 2020 or once we receive 2,50,000 applications, whichever occurs first.

**Dates for in-person exams are subject to government restrictions prevalent at that time.

ટૂંકમાં વિગત

Indian Institute of Technology, Madras (IIT-Madras) has introduced an online BSc degree course in Programming and Data Science. The online BSc program by IIT Madras is for those who are interested in studying Programming and Data Science. The course has been made online so that anyone can study from anywhere in India.

Require qualification

The candidate must have cleared class 12 or equivalent and should also be currently enrolled in a Bachelor’s Degree Program or should have graduated with a Bachelor’s Degree (BA, BSc, BE, BTech, BCom, etc.).” Those who have dropped out of a Bachelor’s degree can also apply.

Though the new BSc degree offered by IIT Madras is designed for online study mode, but when it comes to quizzes and examinations, students will need to work hard and appear in-person to clear these tests.

The Institute will also provide placement support to top-performing students. Apart from this, the IIT-Madras will provide soft-skill training as well invite them to take part in internal projects of the Institute.

Whole course fees Rs. 3.55 lac

The students also have the flexibility to exit at any level with a certificate or diploma. To successfully complete the course with a BSc degree, it may cost around Rs 3.55 lakh for general category students while the foundation course costs around Rs 32,000. However, there are fee waivers for select categories of students.

Those interested are advised to visit the official website of IIT Madras – onlinedegree.iitm.ac.in — to check all the details about the course.

June 26, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5070

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

લૉકડાઉન પહેલાની ફી ચૂકવવામાં પણ વાલીઓ અખાડા કરી રહ્યા છે

સાંકેતિક તસ્વીર – ઓનલાઇન ટીચીંગ- ઓનલાઇન લર્નિંગ

કોવીડ-19નો વ્યાપ વિસ્તાર વધારવા માટે માર્ચ 2020ના છેલ્લા અઠવાડીયાથી ભારતમાં લૉકડાઉન શરૂ થયું, એ પછી ધંધા રોજગાર પડી ભાંગ્યા અને હવે ફરી શરૂ થયા છે. રાજ્ય સરકારે લૉકડાઉનના સમયની ફી નહીં ભરી શક્તા વાલીઓ માટે એવી જાહેરાત કરી કે દાબદબાણથી કોઇ શાળા ફી વસુલ કરે તો તેની સામે પગલાં ભરવામાં આવશે, પણ હવે પરિસ્થિતિ એ ઉભી થઇ છે કે જે વાલીઓની લૉકડાઉન પીરીયડ પહેલાની ફી બાકી છે, એ લોકો પણ સરકારની બીક બતાવીને ફી નથી ભરી રહ્યા. શાળાઓની હાલત એટલી કફોડી થઇ છે કે હવે તેઓ શિક્ષકોને પૂરો પગાર આપી શકતી નથી, પરીણામે મરો શિક્ષકોનો થઇ રહ્યો છે.

જે વાલીઓની આર્થિક સ્થિતિ વાસ્તવિક રીતે કફોડી થઇ છે એમને તો શાળાઓ દ્વારા રાહત, માફી વગેરેની જાહેરાત કરી દેવામાં આવી છે પણ કેટલાક વાલીઓએ તો ફી ભરી શકવા માટે સમર્થ હોવા છતાં વાલી મંડળોના બની બેઠેલા નેતાઓના નામે સ્કુલોના સંચાલકો, ટ્રસ્ટીઓ બાકી ફી માગીને જાણે દેશદ્રોહનો ગુનો કરી રહ્યા હોય તેવી કાગારોળ સોશ્યલ મિડીયામાં મચાવી રહ્યા છે.

સુરતમાં શરૂ થયો અલગ પગારનો ટ્રેન્ડ ઓનલાઇન ટીચીંગ પગાર અલગ અને ઓછો

સુરતમાં કેટલીક શાળાઓએ ફી નહીં મળતી હોઇ, નવો ટ્રેન્ડ સેટ કર્યો છે. આ ટ્રેન્ડ એવો છે જેમાં શિક્ષકોને ઓફલાઇન એટલે કે પ્રત્યક્ષ ભણાવવા માટે મળતો પગાર અલગ અને ઓનલાઇન ભણાવવાનો પગાર અલગ. હાલ કોવીડ-19ના વધતા વ્યાપ વિસ્તાર વચ્ચે અચોક્કસ મુદત માટે શાળાઓ બંધ રહેવાની હોઇ, આ પરિસ્થિતિમાં શાળાઓએ ઓનલાઇન ટીચીંગ કરાવ્યા વિના છુટકો નથી. ઓનલાઇન ટીંચીંગ નહીં કરાવતી શાળાઓની વિદ્યાર્થી સંખ્યા તૂટે તેવી પણ શક્યતા હોઇ, હવે સુરતમાં ઘણી બધી સ્કુલોએ પોતાના શિક્ષકોને ઓનલાઇન ટીચીંગનો અલગ પગાર આપવાનું શરુ કર્યું છે અને શિક્ષકોએ પણ જે મળ્યું એમાં રાજી રહીને ઓનલાઇન ક્લાસીસમાં ભણાવવાનું શરુ કર્યું છે. કેટલીક સ્કુલો પ્રતિ લેક્ચરના રૂ.100થી લઇને રૂ.300 સુધી ચૂકવી રહી છે. આ પગાર બિલકુલ હંગામી રીતે આપવામાં આવી રહ્યો છે.

ઓનલાઇન ટીચીંગ કરાવતા શિક્ષકોનો પગાર મૂળ ઓફલાઇન ટીંચીંગના પગાર કરતા ખૂબ ઓછો નિર્ધારિત કરવામાં આવ્યો છે. કેટલીક સ્કુલોએ પ્રતિ લેક્ચર તો કેટલીક સ્કુલોએ સિલેબસ અનુસાર પગાર ચૂકવવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળે છે.

ગ્રાન્ટેડ સ્કુલોના શિક્ષકોને સરકાર પગાર ચૂકવે છે એટલે કોઇ વાંધો નહીં આવે પણ ખાનગી શાળાના શિક્ષકો તકલીફમાં

રાજ્યની ગ્રાન્ટ ઇન એઇડ અને સરકારી શાળાના શિક્ષકોને ઓનલાઇન ટીંચીંગ હોય કે ઓફલાઇન ટીચીંગ હોય, પગારમાં કોઇ ફરક પડતો નથી અને પડશે પણ નહીં, કેમકે તેમનો પગાર સરકાર ચૂકવે છે. ઉલ્ટાનું સ્થિતિ એ છે કે સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં તો સરકારે ટેલિવિઝન પર જ ટીચીંગ સ્લોટ જાહેર કર્યા છે. સરકારી સ્કુલોમાં મોટા ભાગે ગરીબ વર્ગના અને ગ્રાન્ટ ઇન એઇડ સ્કુલમાં ઘણું ખરું લૉઅર મિડલ ક્લાસના પરીવારોના બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જેમના માટે સરકારે ટેલિવિઝન પર જ ટીચીંગની વ્યવસ્થા ગોઠવી છે. એટલે મોટા ભાગની ગ્રાન્ટેડ અને સરકારી સ્કુલોના શિક્ષકો તો ઓનલાઇન ક્લાસીસ પણ નથી લઇ રહ્યા, આમ છતાં એમને સરકાર તરફથી પૂરેપૂરો પગાર મળશે.

પરિસ્થિતિ ખાનગી શાળાઓના શિક્ષકોની બગડી રહી છે. તેમને હવે ઓફલાઇન ટીચીંગમાં જેટલો પગાર મળતો હતો તે હવે અનિશ્ચિત બન્યો છે. ધીરે ધીરે ખાનગી સ્કુલોના સંચાલકો પણ ઓનલાઇન ટીચીંગનો પગાર અલગ કરવાનું શરૂ કરી રહી છે.

આમેય સુરતથી શરૂ થતો ટ્રેન્ડ રાજ્ય-દેશમાં ફેલાય છે

સુરત શહેરમાં શરૂ થતા ટ્રેન્ડ તબક્કાવાર ગુજરાતના અન્ય શહેરો અને દેશમાં ફેલાતા જોવા મળે છે. હવે શિક્ષણ જગતમાં સુરતથી શરૂ થયેલો ઓફલાઇન ટીંચીંગનો અલગ પગારનો ટ્રેન્ડ ક્યાં ક્યાં પહોંચે છે એ જોવું રહ્યું

આ ન્યુઝ વેબ પર લેટેસ્ટ

June 16, 2020
gseb-1280x720.jpg
1min7690

ગુજરાતમાં ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૭૬.૨૯ ટકા જાહેર કરવામાં આવ્યું છે. કુલ ૩.૭૧ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૨.૮૩ લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું ૮૬.૬૭ ટકા આવ્યું હતું જ્યારે સૌથી ઓછું પરિણામ જૂનાગઢનું ૫૮.૨૬ ટકા આવ્યું છે. સુરત શહેરમાં એ-૧ ગ્રેડ ધરાવતા સૌથી વધુ વિદ્યાર્થીઓ છે. સુરતમાં ૧૮૬, જ્યારે રાજકોટમાં ૧૦૮ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્યો છે. અમદાવાદમાં માત્ર ૪૦ વિદ્યાર્થીઓ જ એ-૧ ગ્રેડમાં પાસ થયા છે.

તાજેતરમાં જાહેર થયેલા ધો. ૧૦ અને ધો. ૧૨ સાયન્સનું પરિણામ ગત વર્ષની સરખામણીએ ઘટ્યું હતું પણ આજે જાહેર થયેલું ધો.૧૨ કોમર્સનું પરિણામ ત્રણ ટકા વધ્યું છે. જ્યારે આ વર્ષે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થિનીઓ અગ્રેસર રહી છે. પરીક્ષામાં ૮૨.૨૦ ટકા વિદ્યાર્થિનીઓ અને ૭૦.૯૭ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ૨૦૧૯માં ૭૩.૨૭% પરિણામ આવ્યું હતું જ્યારે આ વર્ષે ૭૬.૨૯% પરિણામ જાહેર થયું છે. બીજી તરફ ત્રણેય રિઝલ્ટમાં સુરતના વિદ્યાર્થીઓ જ આખા રાજ્યમાં ટોપ પર રહ્યા છે. માર્ચ- ૨૦૨૦ની પરીક્ષા માટે રેગ્યુલર ૩.૭૪ લાખ વિદ્યાર્થીઓ રજિસ્ટર થયા હતા, જ્યારે કે ૭૯ હજાર વિદ્યાર્થીઓ રિપિટર તરીકે રજિસ્ટર્ડ થયા હતા.

June 14, 2020
online-class-2.jpg
1min6020

કોરોના લોકડાઉનને કારણે બાળકોને સ્કૂલ મોકલવા શક્ય નથી ત્યારે સરકાર તરફથી ઓનલાઇન શિક્ષણ આપવાની પહેલ કરવામાં આવી છે, પરંતુ અંદાજે ૫૬ ટકા બાળકો પાસે સ્માર્ટફોન જ ન હોવાનું જાણવા મળ્યું હતું. સર્વેક્ષણમાં વિવિધ સ્કૂલના ૪૨,૮૩૧ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો.

બાળકોના અધિકાર માટે કાર્યકરતી બિનસરકારી સંસ્થા સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા ‘સિનારિયો એમિડસ્ટ કોવિડ-૧૯-ઓનગ્રાઉન્ડ સિચ્યુએશન એન્ડ પોસિબલ સોલ્યુશન’ અભ્યાસ હાથ ધરાયો હતો. સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે ૪૩.૯૯ ટકા બાળકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને અન્ય ૪૩.૯૯ ટકા વિદ્યાર્થીઓને સ્માર્ટફોનનું બેઝિક જ્ઞાન છે, જ્યારે ૧૨.૦૨ ટકા બાળકો સ્માર્ટફોન વાપરી શકતા નથી. કુલ ૫૬ ટકા બાળકો પાસે સ્માર્ટફોન જ નથી. ‘ટેલિવિઝન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે ૬૮.૯૯ ટકા વિદ્યાર્થીઓને ટીવી જોવાનો શોખ છે, જ્યારે ૩૧.૦૧ ટકા બાળકોને આવો શોખ નથી. તેથી સ્માર્ટફોન દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવું એ એકમાત્ર ઉકેલ રહ્યો નથી’, એમ સર્વેક્ષણમાં જણાવાયું હતું. 

May 26, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5610

ગઇ તા.17મી મે 2020ના રોજ જાહેર થયેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધો.12 સાયન્સના પરીણામ બાદ અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓને તેમના પરીણામથી અસંતોષ હોવાની વિગતો સપાટી પર આવી છે.

પરીણામથી અસંતુષ્ઠ હોય તેવા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે ગુજરાત બોર્ડ દ્વારા ઉત્તરવહીઓનુ રી-ચેકિંગ તેમજ રિ-એસએસમેન્ટ (અવલોકન)ની કાર્યવાહી કરવામાં આવે છે. આ પ્રોસેસમાં વિદ્યાર્થી અને વાલીઓને તેમની ઉત્તરવહીનું પ્રત્યક્ષ અવલોકન પણ કરાવવામાં આવે છે.

આ પ્રોસેસ તા.26મી મે થી શરૂ થઇ છે. ઉત્તરવહીઓનું રિચેકિંગ કે રિએસએસમેન્ટ કરાવવા માટે ગુજરાત બોર્ડની વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ અંગેની સઘળી વિગતો માટે બોર્ડ દ્વારા નીચે મુજબની માહિતી રજૂ કરવામાં આવી છે.

May 23, 2020
CIA_Live_Logo_New2.jpg
4min43780

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરીણામ જાહેર થયાને તા.24મી મે એ એક અઠવાડીયું થઇ જશે. હવે વિદ્યાર્થીઓએ શું કરવું, પ્રવેશ કાર્યવાહી અંગે કોઇ જ ગાઇડન્સ આપવામાં આવ્યું નથી. હજુ તો નીટ, ગુજકેટ, જેઇઇ મેઇન્, એડવાન્સ્ડ, નાટા વગેરે પ્રવેશ પરીક્ષાઓ પણ બાકી છે. આવી સ્થિતિમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને પ્રવેશલક્ષી મૂંઝવણ થાય એ વાત સ્વાભાવિક છે.

ગુજરાત સરકાર દ્વારા કોઇ અભ્યાસક્રમમાં હજુ સુધી પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ નથી, નીચેની વેબસાઇટ જોતા રહેવું

આ માટેની સૌથી સાદી અને સરળ ભાષામાં સમજ શિક્ષણ સર્વદા પખવાડીક જ આપી શકે અને એ પ્રયાસ અમે અહીં કરી રહ્યા છીએ. આશા છે કે વિદ્યાર્થીઓની મૂંઝવણ અમે દૂર કરી શકીશું. અહીં એ માહિતી પ્રસ્તુત કરી રહ્યા છીએ કે ધો.12 બાયોલોજી વિષય ધરાવતા વિદ્યાર્થીઓએ હવે પછી કયા અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ક્યાં અને કઇ વેબસાઇટ પર પ્રવેશ રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

NEET ના સ્કોરના આધારે પ્રવેશ કાર્યવાહી (ગુજરાત રાજ્ય) માટે

ગુજરાત રાજ્યમાં આવેલી મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી અને નેચરોપેથી કોલેજના પહેલા વર્ષમાં પ્રવેશ માટેની સઘળી કાર્યવાહી ઓનલાઇન થાય છે અને તેના માટે નીચે દર્શાવેલી વેબસાઇટ સતત જોતા રહેવું. તા.23મી મે 2020 સુધી નીટ ના આધારે પ્રવેશ આપતા અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી અંગે કોઇ જ સત્તાવાર માહિતી પ્રકાશિત કરવામાં આવી નથી.

www.medadmgujarat.org/ug/home.aspx

ઉપરની લિંક ક્લીક કરવાથી નીટ બેઝ અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગેની સઘળી માહિતી ઉપલબ્ધ બનશે. આ ગુજરાત સરકારની પ્રવેશ સમિતિની સત્તાવાર વેબસાઇટ છે.

NEET ના સ્કોર વગર ફિઝિયોથેરાપી સમેતના કોર્સમાં પ્રવેશ કાર્યવાહી (ગુજરાત રાજ્ય) માટે

ગુજરાત રાજ્યમાં આવેલી ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી, નર્સિંગ, ઓર્થોટીક્સ, ઓડીયોલોજી વગેરે અભ્યાસક્રમોની કોલેજના પહેલા વર્ષમાં પ્રવેશ માટેની સઘળી કાર્યવાહી ઓનલાઇન થાય છે. આ કોર્સમાં નીટના સ્કોરની આવશ્યકતા નથી. આ માટે નીચે દર્શાવેલી વેબસાઇટ સતત જોતા રહેવું. તા.23મી મે 2020 સુધી નીટ ના આધારે પ્રવેશ આપતા અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી અંગે કોઇ જ સત્તાવાર માહિતી પ્રકાશિત કરવામાં આવી નથી.

http://www.medadmgujarat.org/ga/home.aspx

ઉપરની લિંક ક્લીક કરવાથી નીટ વગર ફક્ત ધો.12 પીસીબીના સ્કોરના આધારે પ્રવેશ મળે છે એ અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગેની સઘળી માહિતી ઉપલબ્ધ બનશે. આ ગુજરાત સરકારની પ્રવેશ સમિતિની સત્તાવાર વેબસાઇટ છે.

સમગ્ર દેશની સરકારી મેડીકલ ડેન્ટલ કોલેજની 15 ટકા નેશનલ ક્વોટાની બેઠકો પર પ્રવેશ કાર્યવાહી માટે

સમગ્ર દેશમાં આવેલી સરકારી મેડીકલ અને ડેન્ટલ કોલેજોના પહેલા વર્ષની 15 ટકા બેઠકો પર નેસનલ કાઉન્સેલિંગ કાર્યવાહી હાથ ધરીને પ્રવેશ આપવામાં આવે છે. આ તમામ બેઠકો પર મેરીટની ગણતરી ફક્ત નીટ ના માર્કસના આધારે જ કરવામાં આવે છે. આ કમિટીને મેડીકલ કાઉન્સેલિંગ કમિટી કહેવામાં આવે છે.

www.mcc.nic.in/

ઉપરની લિંક ક્લીક કરવાથી નીટ બેઝ મેડીકલ અને ડેન્ટલ કોલેજોની સમગ્ર દેશની 15 ટકા ક્વોટાની બેઠકો પર હાથ ધરવામાં આવતી પ્રવેશ અંગેની સઘળી માહિતી ઉપલબ્ધ બનશે. આ ગુજરાત સરકારની પ્રવેશ સમિતિની સત્તાવાર વેબસાઇટ છે.

બી.ફાર્મ. (ફાર્મસી) ગુજરાતની કોલેજોમાં પ્રવેશ માટે

ધો.12 બાયોલોજી વિષય સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે બેચલર ઓફ ફાર્મસી (બી.ફાર્મ.), ડોક્ટરેટ ઓફ ફાર્મસી (ફાર્મ.ડી. છ વર્ષનો કોર્સ) તેમજ ડી.ફાર્મ. ડિપ્લોમા ઇન ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મળી શકે છે. આ અભ્યાસક્રમોમાં પ્રવેશની રાજ્યસ્તરની કાર્યવાહી રાજ્ય સરકાર નિયુક્ત કમિટી દ્વારા હાથ ધરવામાં આવે છે. અહીં ધો.12 પીસીબીના 60 ટકા તેમજ ગુજકેટના 40 મળીને મેરીટ તૈયાર કરવામાં આવે છે.

www.gujacpc.nic.in

ઉપરોક્ત લિંક પર ક્લીક કરવાથી બી.ફાર્મ. કોર્સમાં પ્રવેશ માટેનું રજિસ્ટ્રેશન પેજ ઓપન થશે. એ પૂર્વે આ વેબસાઇટ પરથી પીન નંબર કેવી રીતે મેળવવો તે અંગેની માહિતી મેળવી લેવાની રહેશે.

એગ્રીકલ્ચર સાયન્સ, વેટરનરી વગેરેના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે

ધો.12 બાયોલોજી ગ્રુપ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓએ એગ્રિકલ્ચર સેક્ટરમાં વેટરનરી સાયન્સ, એગ્રિકલ્ચર સાયન્સ વગેરે અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકારની સત્તાવાર કમિટી દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવેશ કાર્યવાહીમાં રજિસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. ધો.12 પીસીબીના 60 ટકા અને ગુજકેટના 40 ટકા મળીને મેરીટ તૈયાર કરવામાં આવે છે. ફક્ત ગુજરાતમાં આવેલી એગ્રિકલ્ચર યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે

www.b.gsauca.in/

ઉપરની લિંક ક્લીક કરવાથી ગુજરાતમાં ધો.12 બાયોલોજી પાસ કર્યા પછી ચાલતા એગ્રિકલ્ચર અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગેની સઘળી માહિતી ઉપલબ્ધ બનશે. આ ગુજરાત સરકારની પ્રવેશ સમિતિની સત્તાવાર વેબસાઇટ છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત બી.એસસી. કોલેજોમાં પ્રવેશ માટે

દક્ષિણ ગુજરાતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સ્ટેટ યુનિવર્સિટી તરીકે કાર્યરત છે. આ યુનિર્વસિટી સંલગ્ન કોલેજોમાં ધો.12 બાયોલોજી ગ્રુપ પાસ કર્યા બાદ બી.એસસી. માઇક્રોબાયોલોજી, બી.એસસી. એન્વાયરન્મેન્ટલ સાયન્સ, બી.એસસી. બાયોટેક વગેરે અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી કેન્દ્રીયકૃત રીતે ઓનલાઇન હાથ ધરવામાં આવે છે.

http://www.vnsgu.ac.in/

ઉપરોક્ત લિંક વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ પર દોરી જશે. આ વેબસાઇટ પરથી ફર્સ્ટ ઇયર બી.એસસી. અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી અંગેની લિંક ઉપલબ્ધ થઇ શકશે. તા.23મી મે સુધી આ યુનિર્વસિટીએ બીએસસી પ્રવેશ કાર્યવાહી અંગે કોઇપણ પ્રકારની માહિતી જારી કરી નથી.

ઉકા તરસાડીયા યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગે

દક્ષિણ ગુજરાતમાં ધો.12 સાયન્સ પછી બી.એસસી. તેમજ અન્ય વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોનું સંચાલન સુરત જિલ્લામાં બારડોલી નજીક મહુવા રોડ પર આવેલા માલિબા સંકુલમાં કાર્યરત ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.

www.utu.ac.in/Admission.html

ઉપરોક્ત લિંક પર ક્લીક કરવાથી સીધા જ ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં ચાલતા જુદા જુદા અભ્યાસક્રમોમાં વર્ષ 2020માં પ્રવેશ કાર્યવાહીનું હોમ પેજ ઓપન થશે.

કોસંબા સ્થિત પી.પી. સવાણી યુનિવર્સટીમાં ચાલતા અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી અંગે

સૂરત જિલ્લામાં હાઇવે પર કોસંબા-અંકલેશ્વરની વચ્ચે પી.પી. સવાણી યુનિવર્સિટીનું સંકુલ આકાર પામ્યું છે. આ સંકુલમાં ધો.12 પછી અનેક અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. પીપી સવાણી યુનિવર્સિટીમાં વર્ષ 2020માં પ્રવેશ માટેની સઘળી કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.

www.ppsu.ac.in/

ઉપરોક્ત લિંક પર ક્લીક કરવાથી સીધા જ પીપી સવાણી યુનિવર્સિટીમાં ચાલતા જુદા જુદા અભ્યાસક્રમોમાં વર્ષ 2020માં પ્રવેશ કાર્યવાહીનું હોમ પેજ ઓપન થશે.

May 18, 2020
CIA_Live_Logo_New2.jpg
1min21280

ધો.12 સાયન્સનું પરીણામ જાહેર પણ હવે શું ? ગાઇડન્સ માટે જોતા રહો CIA Live news portal

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સમગ્ર દેશમાં ધો.12 સાયન્સનું સૌથી પહેલું પરીણામ જાહેર કરવાનું શ્રેય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના શિરે જાય છે. બોર્ડનું પરીણામ વહેલું જાહેર કર્યા પછી હવે શું એ અંગે કોઇ જ ગાઇડન્સ કે સત્તાવાર માહિતી સરકાર તરફથી કે વિવિધ પ્રવેશ સમિતિઓ તરફથી કરવામાં આવી નથી. પરીણામે વાલીઓ અને વિદ્યાર્થીઓ બન્ને મૂંઝવણભરી સ્થિતિમાં મૂકાય ગયા છે.

આવી સ્થિતિમાં શિક્ષણ સવર્દા, સૂરત જે કારકિર્દી ઘડતર ક્ષેત્રમાં છેલ્લા વીસ વર્ષથી સક્રીય છે એ અને સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ દ્વારા ગાઇડન્સ શ્રેણી શરૂ કરવામાં આવી છે. પરીણામ જાહેર થયા બાદ અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં અનેક સવાલો ઉપસ્થિત થઇ રહ્યા છે. જે અંગે સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબ પર તબક્કાવાર રીતે ગાઇડન્સ રજૂ કરવામાં આવશે.

અહીં ધો.12 સાયન્સ બાયોલોજી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેતી વગેરેમાં ધો.12 બોર્ડમાં કેટલા માર્કસ જોઇએ અને નીટમાં કેટલા માર્કસ જોઇએ તેની સઘળી વિગતો આપવામાં આવી છે.

મેડીકલ, ડેન્ટલ, પેરામેડિકલમાં લઘુત્તમ માર્કનું ધોરણ

નોંધ આ માહિતી 2019ના પ્રવેશ નિયમોને આધારીત છે. દર વર્ષે ગુજરાત સરકારની એડમિશન કમિટી નવું નોટીફિકેશન જારી કરે છે. જેમાં નીતિ નિયમો, ધારાધોરણોમાં ફેરબદલીને અવકાશ છે. અહીં માહિતી એક અછડતા ઉલ્લેખ માટે છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને રફ આઇડ્યા મળે તે માટે રજૂ કરવામાં આવી છે. સત્તાવાર માહિતી માટે વાલીઓ અને વિદ્યાર્થીઓએ એડમિશન કમિટીની વેબસાઇટ જોતા રહેવું.

ધો.12 મેથ્સ ગ્રુપ બાદ ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટેની લઘુત્તમ લાયકાત

May 16, 2020
neet.jpg
4min13130

સૂરતથી સૌરાષ્ટ્ર પહોંચેલા કે કોટાથી ગુજરાત પરત ફરેલા વિદ્યાર્થીઓ માટે આવકારદાયક સગવડ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોવીડ-19ના સંક્રમણને કારણે ભારતમાં ઉદભવેલી પરિસ્થિતિને પગલે દેશમાં શૈક્ષણિક શિડ્યુલ ખોરવાય ગયું છે. મેડીકલ અને એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષાઓ હવે જુલાઇમાં લેવામાં આવનાર છે. પરીક્ષા કેન્દ્રો પણ હોટસ્પોટ કે કન્ટેમેન્ટ ઝોનમાં આવે તેવી સ્થિતિ છે.

કોટા કે અન્ય વિસ્તારોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વતન પરત ફર્યા છે

મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ ધો.11-12 રાજસ્થાનના કોટા, મહારાષ્ટ્રના લોની કે અન્ય રેસિડેન્સીયલ સ્કુલોમાં અભ્યાસ કરવા પોતાના વતનથી દૂર, નિવાસસ્થાનથી બીજા શહેરોમાં અભ્યાસ કરે છે. અને આવા વિદ્યાર્થીઓએ નીટ રજિસ્ટ્રેશન વખતે એ જ વિસ્તારના પરીક્ષા કેન્દ્રને પસંદ કર્યા હતા. હવે કોવીડ-19 અને લૉકડાઉનની સ્થિતિ બાદ હજારો વિદ્યાર્થીઓ પોતાના વતન પહોંચી ગયા છે. અને જુલાઇ 26મી સુધીમાં દેશમાં આંતરીક પરીવહનને મંજૂરી મળે તેવી શક્યતા હાલ દેખાતી નથી. પરીણામે નીટ 2020ના પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર કરવાની છૂટ આપવામાં આવી છે.

નીટ 2020 માટે રજિસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓ તા.31મી મે 2020 સુધી પોતાના પરીક્ષા કેન્દ્ર એટલે કે શહેર, નગરને બદલી શકશે.

સૂરત અને સૌરાષ્ટ્રના પરીક્ષાર્થીઓ કેન્દ્રો બદલે તેવી શક્યતા

સૂરત શહેરમાંથી પણ હજારો પરીવારો વતન સૌરાષ્ટ્ર પહોંચ્યા છે. આ પરીવારો પણ દોઢ મહિના પહેલા સૂરત પરત ફરી શકે તેમ નથી. આવી સ્થિતિમાં અગાઉ સૂરત રહીને નીટનો અભ્યાસ કરનારા હજારો વિદ્યાર્થીઓ હવે સૌરાષ્ટ્ર વતનમાં પહોંચી ગયા હોઇ, તેઓ પણ નીટના પરીક્ષા શહેરમાં ફેરફાર કરી શકે તેમ છે.

https://ntaneet.nic.in/ntaneet/ShowPdf.aspx?Type=50C9E8D5FC98727B4BBC93CF5D64A68DB647F04F&ID=761F22B2C1593D0BB87E0B606F990BA4974706DE

NEET 2020 application form correction & exam city change date extended again

The National Testing Agency (NTA) has yet again extended tha last date to make corrections in their particulars and centre cities in the NEET UG online application forms. As per the official notice released by NTA, the facility for correction in the particulars including choice of centre cities in the online application form will be available up to May 31, 2020.

Applicants can visit the official website of NTA NEET — ntaneet.nic.in — to make corrections in their particulars.

It should be noted that the correction in the particulars in the NEET online application forms will be accepted up to 05.00 pm and submission of fee up to 11.50 pm on May 31, 2020.

Candidates can pay the requisite (additional) fee (if applicable), through Credit/ Debit Card/ Net Banking/ UPI and PAYTM. It is to be noted that in case, additional fee payment is required depending on the changes made in the form, the final updates will be reflected after the payment.

The notification also reads “NTA will make efforts to allot the city of examination to the candidates in order of choices now opted by them in their Application Form, subject to the availability of capacity in the desired city. However, due to administrative reasons, a different city may be allotted and the decision of the NTA regarding allotment of the centre will be final.”

May 12, 2020
CIA_Live_Logo_New2.jpg
1min6560

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ તા.11મી મે 2020ના રોજ એક જાહેર નોટિસ બહાર પાડીને આગામી તા.26મી જુલાઇના રોજ નીટ પરીક્ષા આપનારા દેશભરના તમામ પરીક્ષાર્થીઓને જણાવ્યું છે કે હાલમાં એવી વિગતો ધ્યાને આવી છે કે કેટલાક લેભાગુ અને બોગસ તત્વો દ્વારા નીટ પરીક્ષાર્થીઓ પાસેથી એપ્લિકેશન નંબર, એપ્લિકેશન ડિટેઇલ્સ તેમજ પર્સનલ ઇન્ફર્મેશન એન.ટી.એ. (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)ના નામે માગવામાં આવી રહી છે.

એન.ટી.એ. (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) એ સૂચિત કર્યું છે કે એન.ટી.એ. દ્વારા આ પ્રકારે કોઇપણ પરીક્ષાર્થી પાસે કોઇપણ પ્રકારની માહિતી ફોન કોલથી, ઇમેલથી કે મેસેજથી માગવામાં આવી નથી કે ભવિષ્યમાં પણ આવી માહિતી મગાશે નહીં. આ પ્રકારે નીટના પરીક્ષાર્થીઓ પાસેથી તેમની એપ્લિકેશન સંબંધિત માહિતી માગનારા તત્વો બોગસ અને અનધિકૃત છે. પરીક્ષાર્થીઓ આ પ્રકારે કોઇને પણ માહિતી આપે નહીં.

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ આ મુજબની સૂચના જારી કરી છે

ઉપરની ફાઇલ પીડીએફમાં ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લીક કરો

http://data.nta.ac.in/Download/Notice/Notice_20200511063520.pdf

એન.ટી.એ. આવી માહિતી માગનારા સામે કાર્યવાહી કરી રહી છે

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ જણાવ્યું છે કે નીટના પરીક્ષાર્થીઓ પાસેથી એનટીએના નામે બોગસ રીતે માહિતી માગનારા ફેક તત્વોની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે. જો વિદ્યાર્થીઓએ આ પ્રકારે કોઇપણ ફરીયાદ હોય તો તેમણે ઉપરોક્ત નોટીસમાં જણાવેલા સંપર્ક નંબરો પર કોલ કરીને જાણ કરવી.