CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - Page 35 of 59 - CIA Live

July 29, 2020
private_hospital.jpg
1min6010

રાજ્યની ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓને ફટકારવામાં આવી રહેલા તાતિંગ બિલ અંગે અનેક ફરિયાદો મળી રહી છે તેવા સંજોગોમાં મહામારી કોરોનાને લઈને રાજ્ય સરકારે વધુ એક નિર્ણય કર્યો છે. જેમાં સરકારે કોરોનાની સારવારના ભાવ નક્કી કર્યા છે. જેમાં આઇસીયુ(ઈન્ટેન્સિવ કેર યુનિટ) વગર વોર્ડ માટે પ્રતિદિન 5700 ભાવ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે એચડીયુ (હાઈ ડિપેન્ડન્સી યુનિટ) માટે 8075 ભાવ નક્કી કર્યો છે.

સરકારે જારી કરેલા એક પરિપત્રમાં વધુમાં જણાવ્યું હતું કે આઇસીયુ સાથેના વોર્ડના ભાવ રૂ.6000, એચડીયુના રૂ. 8500, આઇસોલેશન તેમજ આઇસીયુના ભાવ રૂ. 14,500 અને વેન્ટિલેટર, આઇસોલેશન અને આઇસીયુ વોર્ડના ભાવ રૂ. 19000 રહેશે.

નિર્ધારિત કરાયેલા ચાર્જમાં સમાવિષ્ટ અન્ય સુવિધાઓમાં બે ટાઈમનું ભોજન અને સવારનો નાસ્તો, સાંજની ચા અને નાસ્તો, ઙઙઊ કિટની કિંમત અને ગ-95 માસ્ક અને રૂટિન દવાઓ, રૂમ અને નર્સિંગ ચાર્જનો સમાવેશ થાય છે. જ્યારે ટોસિલિઝૂમેબ, રેમડેસિવિર ઇન્જેક્શનનો ખર્ચ તથા ફ્લાવિપિર ટેબ્લેટનો ખર્ચ, સેકન્ડરી ટ્રિટમેન્ટ માટે વાપરવામાં આવેલી એન્ટિ બાયોટિક્સનો ખર્ચ, સ્પેશિયલ ડોક્ટર વિઝિટ, લેબોરેટરી ચાર્જ, ડાયાલિસિસ રેટ્સ (ડાયાલિસિસ રેટ 1500 અને 3500 ઈંઈઞના ડાયાલિસિસ માટે)નો સમાવેશ કરાયો નથી.

ઠરાવમાં જોકે એમ પણ જણાવ્યું હતું કે આ ઠરાવની જોગવાઈ રાજ્યના જે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની ખાનગી હોસ્પિટલ સાથે સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશન/ જિલ્લા કલેક્ટર/ જિલ્લા વિકાસ અધિકારી/ જિલ્લા મુખ્ય તબીબી અધિકારી દ્વારા એમઓયુ કરી સારવારના ખર્ચને નિયત કરવામાં આવ્યો હશે તો તેને લાગું પડશે નહીં.

રાજ્યની લોકપ્રિય “મા’ અને “મા વાત્સલ્ય’ યોજના અંતર્ગત જે ખાનગી હોસ્પિટલ એમ્પેનલ્ડ (યોજના માટે નક્કી થયેલી હોસ્પિટલ) કરવામાં આવી છે તેવી હોસ્પિટલમાં યોજનના લાભાર્થી દર્દી તરીકે સારવાર મેળવશે તો તેને આ ઠરાવથી નિયત થયેલી કિંમતે નહીં, પરંતુ યોજના અનુસાર નક્કી થયેલી કિંમત લાગું પડશે. આ ઠરાવનો ચૂસ્ત અને અચૂક અમલ થાય તે જોવાની જવાબદારી સંબંધિત જિલ્લા/કોર્પોરેશનના કલેક્ટર/જિલ્લા વિકાસ અધિકારી/મ્યુનિસિપલ કમિશનર/મુખ્ય જિલ્લા તબીબી અધિકારીની રહેશે.

July 29, 2020
corona-gujarat.jpg
1min4390

ગુજરાત સહિત દેશભરમાં હવે અનલોક-૩ માટે તૈયારીઓ શરૂ થઇ રહી છે બીજી તરફ દેશભરમાં રોજેરોજ વધતાં જતાં સંક્રમણના પ્રભાવથી વધુને વધુ શહેરો, નગરોમાં સ્થાનિક સ્તરે લોકડાઉન જેવી સ્થિતિનો અમલ કરવામાં આવી રહ્યો છે એવા સમયે ગુજરાતમાં પણ અનેક નગરો, ગામોમાં વેપાર, ધંધા વ્યવસાયના કામકાજને નિયંત્રિત કરી દેવાયા છે છતાં રોજેરોજ કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૧૧૦૮ કેસ અને ૨૪ મૃત્યુ નોંધાયા છે આ કેસમાં બીજી વખત મહાનગરો કરતાં વધારે કેસ ગ્રામ્ય તથા નગરોમાંથી આવ્યા છે.

આઠ સંક્રમિત મહાનગરોમાંથી ૫૩૦ કેસ અને ગામોમાંથી ૫૭૮ કેસ નવા ઉમેરાયા છે. અલબત્ત, મૃત્યુની દ્રષ્ટીએ મહાનગરોમાંથી ૧૫ અને ગ્રામ્યના ૯ દર્દીનો સમાવેશ થાય છે. જોકે, આ પરિસ્થિતિ વચ્ચે સતત બીજા દિવસે એક હજારથી વધારે એટલે કે ૧૦૩૨ દર્દીઓ ડિસ્ચાર્જ થતાં કુલ આંક ૪૨૪૧૨ સુધી પહોંચ્યો છે તેના પગલે રિવકરી રેટ ૭૩.૧૫ થયો છે.

રાજ્યમાં સૌથી વધારે કેસ સુરત મહાનગરમાંથી ૧૯૯ તેમજ જિલ્લામાંથી ૯૪ કેસ આવ્યા છે જ્યારે અનુક્રમે ૭ અને ૫ દર્દીઓના મૃત્યુ પણ છેલ્લા ચોવીસ કલાકમાં થયા છે. અમદાવાદ મહાનગરમાંથી બીજા દિવસે પણ દોઢસોથી ઓછા કેસ એટલે કે ૧૪૭ કેસ નોંધાયા છે. દેત્રોજ, માંડલ, વીરમગામમાંથી નવ કેસ નોંધાયા છે. મહાનગરના ચાર દર્દીઓના કોવિડના સંક્રમણથી મૃત્યુ થયાનું જાહેર કરાયું છે.

વડોદરા શહેરમાંથી નવા ૭૫ કેસ નોંધાયા છે જ્યારે ગ્રામ્યમાંથી ૧૫ કેસ આવ્યા છે. શહેરના એક દર્દીનું મૃત્યુ કોરોનાથી થયું છે. આ જ રીતે રાજકોટ શહેરમાંથી ૪૯ કેસ અને જિલ્લામાંથી નવા ૩૦ કેસ મળી કુલ ૭૯ કેસ નોંધાયા છે. જિલ્લાના બે દર્દીના મૃત્યુ થયાનું સરકારે સ્વીકાર્યું છે. સૌરાષ્ટ્રના અન્ય સંક્રમિત મહાનગરમાં જામનગરમાંથી નવા ૨૨ કેસ તેમજ એક દર્દીના મૃત્યુની પુષ્ટી સરકારે કરી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી ચાર નવા કેસ આવ્યા છે. ભાવનગર શહેરમાંથી ૧૮ કેસ નવા નોંધાયા છે, પરંતુ બે દર્દીઓના મૃત્યુ પણ આ સાથે થયા છે. જિલ્લામાંથી ૨૦ કેસ ઉમેરાયા છે. જૂનાગઢમાં કુલ ૧૬ કેસ છે એમાં શહેરમાંથી ૧૧ કેસનો સમાવેશ થાય છે.

પાટનગર ગાંધીનગરમાંથી નવા નવ કેસ મળ્યા છે, પરંતુ ગાંધીનગર, માણસા, કલોલ અને દહેગામ તાલુકામાંથી એક સાથે નવા ૩૫ કેસ મળતાં આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. આ તાલુકાઓમાં હવે ગામડાઓમાં ચેપ પ્રસરી રહ્યો છે અને એના લીધે રોજેરોજ નવા કેસ મળી રહ્યા છે. ગાંધીનગર જિલ્લાના એક દર્દીનું મૃત્યુ પણ થયું છે.

દાહોદ નગર અને લીમખેડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હવે ચેપ મોટા પ્રમાણમાં પ્રસરી ગયો હોય તેમ રોજેરોજ નવા મહોલ્લાઓમાંથી કેસ આવી રહ્યા છે. દાહોદમાં એક જ દિવસમાં નવા ૩૮ દર્દીઓ સંક્રમિત સ્થિતિમાં મળ્યા છે. ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠાના દીયોદર, ધાનેરા, પાલનપુર, વાવ, લાખાણી, કાંકરેજ અને ડીસામાંથી નવા ૩૪ કેસ મળ્યા છે એની સાથે સુરેન્દ્રનગરના પાટડી, મુળી, થાનગઢ, ધ્રાંગધ્રા, વઢવાણમાંથી નવા ૩૨ કેસ નોંધાયા છે. અમરેલીમાં લાઠી લીલાયા, ધારી સહિતના વિસ્તારમાં હવે ચેપ પ્રસર્યો છે નવા ૨૬ કેસ નોંધાયા છે. નવસારીમાંથી ૨૧ કેસ મળ્યા છે.


July 27, 2020
corona-gujarat.jpg
1min4430

ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણે હવે મહાનગરોની સાથોસાથ ગામડાઓમાં વ્યાપક રીતે પગપેસારો કર્યો છે. ચાલુ માસના અંતમાં હવે બાકી રહેલા નિયંત્રણોમાં વધુ છુટછાટની તૈયારીઓ ચાલી રહી છે એવા સમયે નગરો, ગામડાઓમાં બેફામપણે વકરી રહેલા ચેપથી રાજ્યમાં આજે પહેલી વખત ૫૫ ટકા કેસ નોંધાયા છે જ્યારે મહાનગરોમાં ૪૫ ટકા કેસ નવા ઉમેરાયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં વિક્રમી ૧૧૧૦ કેસમાંથી ૫૩૩ કેસ આઠ મહાનગરોમાંથી તેમજ ૫૭૭ કેસ ગ્રામ્ય વિસ્તારોમાંથી નોંધાયા છે. અલબત્ત ૨૧ મૃત્યુમાંથી ૧૨ મૃત્યુ મહાનગરોમાંથી તેમજ નવ મૃત્યુ ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયા છે.

શનિવાર સાંજથી રવિવાર સાંજ સુધીમાં કોરોના સંક્રમિત લોકોને શોધવા માટે ૨૧૭૦૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આને પગલે ૧૧૧૦ કેસ મળી આવ્યા છે. છેલ્લા ૨૬ દિવસમાં ૨૨મી વખત નવા વિક્રમી કેસ ગુજરાતમાં ઉમેરાયા છે. એમાં સૌથી વધારે સુરત મહાનગરમાંથી ૨૦૧ કેસ ગ્રામ્યના ૯૮ કેસ મળી કુલ ૨૯૯ કેસનો સમાવેશ થાય છે. મહાનગરમાં ૭ અને ગ્રામ્યના ૫ મળી કુલ ૧૨ દર્દીઓના કોવિડ-૧૯ના લીધે મૃત્યુ થયાનું સરકારે જાહેર કર્યું છે. આ જ પ્રમાણે અમદાવાદ મહાનગરમાંથી ૧૫૨ કેસ અને ગ્રામ્યના ૧૧ મળી કુલ ૧૬૩ કેસ જાહેર થયા છે એમાં મહાનગરના ૩ દર્દીના મૃત્યુ થયા છે.

વડોદરામાં છેલ્લા એક મહિનાથી રોજેરોજ કેસ વધી રહ્યા છે. મહાનગરમાંથી નવા ૭૯ કેસ આવ્યા છે જ્યારે જિલ્લાના ૧૩ મળી ૯૨ કેસ તેમજ એક એક દર્દીના મૃત્યુ જાહેર કરાયા છે. અમદાવાદને અડીને આવેલા મહાનગર ગાંધીનગરમાંથી નવા ૬ કેસ તેમજ ગ્રામ્યમાંથી ૧૩ મળી કુલ ૧૯ કેસ પોઝિટિવ મળ્યા છે જ્યારે એક દર્દીનું મૃત્યુ થયું છે.

સૌરાષ્ટ્રના મહાનગરો-જિલ્લાની સ્થિતિ જોઇએ તો સૌથી વધારે સંક્રમિત રાજકોટ મહાનગરમાંથી ૫૨ નવા કેસ ઉમેરાયા છે જ્યારે ગોંડલ, ધોરાજી સહિતના ગ્રામ્ય વિસ્તારમાંથી ૨૦ કેસ આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારના એક દર્દીનું મૃત્યુ થયું છે. જૂનાગઢ મહાનગરમાંથી ૧૮ મળી કુલ વીસ કેસ, ભાવનગર શહેરમાંથી ૧૭ મળી કુલ ૩૧ કેસ, જામનગર મહાનગરમાંથી એક દર્દીનું મૃત્યુ સાથે નવા ૮ કેસ અને ગ્રામ્યના ૬ કેસ નોંધાયા છે.

જિલ્લાઓમાં સૌથી વધારે કેસ સુરતના ગ્રામ્ય વિસ્તાર પછી અમરેલીમાં એક સાથે ૩૯ કેસ નોંધાયા છે. અમરેલી શહેર ઉપરાંત લાઠી, લીલીયા, ધારી જેવા તાલુકાઓમાંથી એક સાથે કેસ મળતાં હાહાકાર મચી ગયો છે. આ જ રીતે બનાસકાંઠા જિલ્લાના દીયોદર, ડીસા, ધાનેરા, લાખેણી, વાવમાંથી કુલ ૩૫ કેસ નોંધાયા છે. નર્મદામાં રાજપીપળા, નાંદોદ, ડેડીયાપાડા, ગરુડેશ્વરમાંથી ૨૬ કેસ આવ્યા છે તો પડોશી દાહોદ જિલ્લાના લીમખેડા, દાહોદ નગરમાંથી ૩૦ કેસ નવા પોઝિટિવ મળ્યા છે.

સુરેન્દ્રનગરના પારડી, વઢવાણ, મુળીમાંથી ૨૪ કેસ, છોટાઉદેપુરમાંથી એક સાથે ૨૨ કેસ નોંધાયા છે. પાટણ નગર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાંથી ૨૨ કેસ, કચ્છમાંથી ૨૦ કેસ, ભરૂચ ૧૯ કેસ મળ્યા છે. મહેસાણા, ગીર સોમનાથ, નવસારીમાંથી ૧૮-૧૮ કેસ નોંધાયા છે. પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ૧૮ કેસ આવ્યા છે. વલસાડમાં પારડી, વાપી, ધરમપુરમાંથી નવા ૧૫ કેસ, સાબરકાંઠાના ઇતર, હિંમતનગર, પ્રાંતિજમાંથી ૧૪ કેસ, આણંદમાંથી ૧૧, મોરબીમાંથી ૧૦, ખેડા, તાપીમાંથી ૯-૯, ડાંગમાંથી એક સાથે ૬ કેસ, બોટાદમાંથી ૫, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, મહીસાગર ૩-૩ કેસ, પોરબંદરમાંથી ૨ કેસ નોંધાયા છે. મોરબીમાં એક દર્દીનું મૃત્યુ થયાનું જાહેર કરાયું છે.

રાજ્યમાં ૨૪ કલાકમાં ૨૧૭૦૮ ટેસ્ટ સાથે અત્યાર સુધીમાં ૬,૪૨,૩૭૦ જેટલા ટેસ્ટ કરાયા છે એમાંથી ૫૫૮૨૨ પોઝિટિવ દર્દી મળી આવ્યા હતા. આ પૈકી ૫૭૩ પાછલા ચોવીસ કલાકમાં ડિસ્ચાર્જ થતાં કુલ આંક ૪૦,૩૬૫ સુધી પહોંચ્યો છે જે કુલ કેસના ૭૨.૩૧ ટકા જેટલો થાય છે. આની સામે ૨૩૨૬ દર્દીઓના અત્યાર સુધી કોવિડ તથા કોવિડ સાથે અન્ય બિમારીને લીધે મૃત્યુ થયા છે. હાલ એક્ટિવ કેસ ૧૩૧૩૧ સુધી પહોંચ્યા છે એમાં ૮૫ દર્દીને વેન્ટીલેટર ઉપર મુકવા પડ્યા છે એ સિવાયના ૧૩૦૪૬ સ્ટેબલ છે.

ગુજરાતમાં દર 10 હજાર કેસની ગતિ

પહેલા 10 હજાર કેસ – 59 દિવસ

બીજા 10 હજાર કેસ – 22 દિવસ

ત્રીજા 10 હજાર કેસ – 19 દિવસ

ચોથા 10 હજાર કેસ – 14 દિવસ

પાંચમા 10 હજાર કેસ – 11 દિવસ

July 26, 2020
corona-gujarat.jpg
1min4370

ગુજરાતમાં કોરોના સંક્રમણથી ચેપગ્રસ્ત થયેલા નવા ૧૦૮૧ દર્દીઓ મળી આવ્યા છે. આની સાથોસાથ સારવાર હેઠળના વધુ ૨૨ દર્દીઓના મૃત્યું થયા છે એમાં સૌથી વધારે ચાર મહાનગરોમાંથી ૧૭ દર્દીઓનો સમાવેશ થાય છે આ સિવાય ચાર દર્દી ગ્રામ્ય વિસ્તારના છે. છેલ્લા ચોવીસ કલાકમાં સુરત શહેરમાંથી નવા ૧૮૧ કેસ મળી કુલ ૨૭૬ કેસ નોંધાયા છે જ્યારે મહાનગરના દસ દર્દી તેમજ જિલ્લામાંથી એક દર્દી મળી કુલ ૧૧ના મૃત્યું નોંધાયા છે. બીજી તરફ અમદાવાદમાંથી ૧૬૨ મળી કુલ ૧૮૦ કેસ નવા ઉમેરાયા છે જ્યારે મહાનગરના ૪ દર્દીઓના મૃત્યું થયા છે.

વડોદરા શહેરમાંથી એક સાથે નવા ૭૭ દર્દીઓ ઉમેરાયા છે, સુરત મહાનગરની જેમ અહીં નાગરવાડા સિવાયના તમામ વિસ્તારોમાંથી રોજેરોજ નવા કેસ આવી રહ્યા છે. જ્યારે જિલ્લામાં સંક્રમણની સ્થિતિ નિયંત્રિત હોય તેમ ૧૫ કેસ નવા ઉમેરાયા છે. અલબત્ત, મહાનગરના બે દર્દીના કોરોના સંક્રમણથી મૃત્યું થયાનું જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રના ચાર મહાનગરો-જિલ્લાની સ્થિતિ જોઇએ તો રાજકોટમાં નવા ૫૦ કેસ નોંધાયા છે તો જિલ્લામાંથી પંદર કેસ આવ્યા છે. જિલ્લામાંથી એક દર્દીના મૃત્યુની જાહેરાત કરાઇ છે. જૂનાગઢ શહેરમાંથી નવા ૩૦ મળી કુલ ૩૭ કેસ નોંધાયા છે. આ જ રીતે ભાવનગર શહેરમાંથી ૨૪ મળી કુલ ૪૧ કેસ જાહેર થયા છે. આ બન્ને જિલ્લામાંથી એક એક દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. જામનગર શહેરમાંથી નવા પંદર મળી કુલ ૨૩ કેસ નોંધાયા છે. પાટનગર ગાંધીનગરમાંથી નવા પાંચ કેસ ઉમેરાયા છે અને એક દર્દીનું મૃત્યું થયું છે જ્યારે કલોલ, માણસા, ગાંધીનગર અને દહેગામ તાલુકમાંથી નવા ૨૪ કેસ આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, ધાનેરા, કાંકરેજ સહિતના તાલુકાઓમાંથી ૩૪ નવા કેસ નોંધાયા છે. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર, વાગરા, જંબુસરમાંથી નવા ૨૫ કેસ આવ્યા છે. દાહોદ અને એની ફરતેના તમામ તાલુકાઓમાંથી મળી નવા ૨૫ કેસ, મહેસાણા શહેર ઉપરાંત ઊંઝા, વીસનગર, ખેરાલુ, કડીમાંથી પણ નવા ૨૫ કેસ ઉમેરાયા છે.

ગીર સોમનાથમાં વેરાવળ, ગીરગઢડામાંથી ૨૩ પોઝિટિવ કેસ મળ્યા છે. પાટણ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી ૨૧ કેસ મળ્યા છે તો કચ્છ જિલ્લામાંથી નવા ૧૯ કેસ સાથે એક દર્દીના મૃત્યુંની પણ જાહેરાત સરકારે કરી છે. વલસાડમાંથી નવા ૧૯ અને પંચમહાલમાંથી ૧૮ કેસ આવ્યા છે. નર્મદા અને નવસારીમાંથી ૧૨-૧૨ કેસ, ખેડામાંથી ૧૧, આણંદ, મહીસાગર, મોરબી, સાબરકાંઠામાંથી ૧૦-૧૦, તાપીમાં ૬, અમરેલી, અરવલ્લી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાંથી ૩-૩ કેસ, છોટાઉદેપુરમાંથી ૨ કેસ નવા ઉમેરાયા છે.

છેલ્લા ચોવીસ કલાકમાં ૧૩૪૯૯ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક વધીને ૬,૨૦,૬૬૨ થયો છે આ સાથે રાજ્યમાં પ્રતિ મિલિયન ટેસ્ટનો આંક ૨૧૪.૫૩ નો થયો છે. આની સામે કુલ પોઝિટિવ કેસનો આંક ૫૪૭૧૨ સુધી પહોંચી ગયો છે. નવા ૭૮૨ સાથે કુલ ૩૯૬૧૨ દર્દી ડિસ્ચાર્જ થયા છે જેથી રિવકવરી રેટ ૭૨.૪૦ ટકા જેટલો છે એવો દાવો સરકારે કર્યો છે. જોકે, મૃત્યું આંક વધીને ૨૩૦૫ થયો છે. હાલ રાજ્યમાં ૧૨૭૯૫ એક્ટિવ કેસ છે એમાંથી ૮૭ વેન્ટીલેટર ઉપર છે જ્યારે ૧૨૭૦૮ સ્ટેબલ છે.

રાજ્યમાં એક ડઝનથી વધુ ધારાસભ્યો સંક્રમિત

કોરોના સંક્રમણથી રોજેરોજ નવા નવા લોકો ચેપગ્રસ્ત થઇ રહ્યા છે એમાં સામાન્ય લોકોથી લઇને જનપ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. લોકો વચ્ચે રહીને કામ કરતાં રાજકીય પક્ષોના કાર્યકરો પણ કોરોનાથી સંક્રમિત થતાં રહ્યા છે. શનિવારે રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય રઘુભાઇ દેસાઇને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે એમને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની જાણકારી મળી છે. આ જ રીતે ગઇકાલે વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય રમણભાઇ પટેલનો કોરોના થતાં પોતાના ઘરે જ હોમ આઇસોલેશન થયા છે. અગાઉ ગેનીબેન ઠાકોર પણ સારવાર લઇ ડિસ્ચાર્જ થયા છે. વડોદરામાં કેતન ઇનામદાર અને એમના પરિવારના સભ્યોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હતા. આમ, અત્યાર સુધીમાં એક ડઝનથી વધારે ધારાસભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે. અમદાવાદમાં દોઢ ડઝનથી વધારે કોર્પોરેટરોને કોરોના થયો હતો.

July 25, 2020
corona-gujarat.jpg
1min4410

ગુજરાતમાં સતત ચોથા દિવસે કોરોનાથી સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યા એક હજારથી વધુ જળવાઇ રહી છે. ચોવીસ કલાકમાં વધુ ૧૦૬૮ દર્દીઓ ચેપગ્રસ્ત હોવાનું સરકારે જાહેર કર્યું છે અને સારવાર હેઠળના ૨૮ દર્દીઓના મૃત્યુ થયા છે એમાં સૌથી વધારે ૧૨ સુરત શહેર અને જિલ્લાના દર્દીઓનો સમાવેશ થાય છે. સુરતમાં સતત વધતાં મૃત્યુ સાથે ફરીથી સંક્રમિત દર્દીઓનો આંક ૩૦૦ને પાર થઇ ૩૦૯ થયો છે એમાં જિલ્લામાંથી વિક્રમી ૯૩ દર્દીઓનો સમાવેશ થાય છે. આ સમયગાળામાં કુલ ૨૨૭ દર્દીઓ ડિસ્ચાર્જ પણ થયા છે.

અમદાવાદ મહાનગરમાં નવા ૧૬૧ દર્દીઓનો ઉમેરો થયો છે તો ૩ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. જ્યારે ૧૯૧ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જિલ્લાના દસક્રોઇ, ધંધૂકા, ધોળકા, બાવળા, વિરમગામ અને સાણંદમાંથી નવા પંદર કેસ મળ્યા છે. જિલ્લાના સારવાર હેઠળના ૧૪ દર્દી ડિસ્ચાર્જ થયા છે.

વડોદરા હવે ધીમે ધીમે દૈનિક એકસો દર્દી તરફ ગતિ કરી રહ્યું હોય તેમ મહાનગરમાંથી વધુ ૭૦ મળી કુલ ૯૨ દર્દીઓ સંક્રમિત થયાનું જાહેર કરાયું છે અલબત્ત, સારવાર હેઠળના મહાનગરના ૩ દર્દીઓના મૃત્યુ પણ સરકારે જાહેર કર્યા છે. આ જ રીતે રાજકોટ મહાનગરમાંથી નવા ૪૬ કેસ નોંધાયા છે અને જિલ્લામાંથી ૧૩ કેસ તેમજ એક દર્દીના મૃત્યુ નોંધાયું છે. ભાવનગર મહાનગરામાંથી ૨૧ મળી કુલ ૩૯ કેસ નોંધાયા છે તો જૂનાગઢમાં મહાનગરમાંથી ૧૭ સાથે કુલ ૨૮ કેસ ઉમેરાયા છે. જામનગરમાં મહાનગરના ૭ મળી કુલ ૧૨ કેસ નોંધાયા છે જ્યારે મહાનગરમાંથી એક દર્દીના મૃત્યુની જાહેરાત કરાઇ છે.

રાજ્યમાં કચ્છમાં ૩, મહેસાણા અને તાપી જિલ્લામાં એક એક દર્દીના મૃત્યુ કોવિડના સંક્રમણથી થયાનું હેલ્થ બુલેટિનમાં જાહેર કરાયું છે.

આ ઉપરાંત ભરૂચ જિલ્લામાંથી નવા ૩૦ દર્દીઓ સંક્રમિત સ્થિતિમાં શોધાયા છે તો અમરેલીમાંથી વધુ ૨૬, સુરેન્દ્રનગરમાં મુળી, ધ્રાંગધ્રા, પાટડી, સાયલા, વઢવાણમાંથી નવા ૨૫ કેસ નોંધાયા છે. સરહદી જિલ્લા કચ્છમાંથી વધુ ૨૨, પાટણ જિલ્લામાંથી ૨૦, ગીર સોમનાથ તથા નવસારીમાંથી ૧૯-૧૯ કેસ, દાહોદ અને વલસાડમાંથી ૧૮-૧૮ કેસ, આણંદ તથા તાપીમાં ૧૦-૧૦, નર્મદા અને સાબરકાંઠામાંથી ૯-૯ કેસ, બોટાદ, ખેડા, પંચમહાલમાંથી ૮-૮ કેસ, અરવલ્લીમાંથી ૭, મોરબીમાંથી ૬, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, મહીસાગર તેમજ પોરબંદરમાંથી વધુ ૨-૨ કેસ ઉમેરાયા છે.

આમ, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫૩,૬૩૧ કેસ નોંધાયા છે પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૮૭૨ દર્દીઓ ડિસ્ચાર્જ થતાં કુલ ૩૮૮૩૦ દર્દી રિવકર્ડ થયાં છે આમ, કુલ રિવકરી રેટ ૭૨.૪૦ ટકા સુધી પહોંચ્યો છે. જોકે, રાજ્યમાં ૨૨૮૩ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસ ૧૨૫૧૮ છે જ્યારે ૮૩ વેન્ટીલેટર ઉપર છે અને એમાંથી ૧૨૪૩૫ સ્ટેબલ છે.

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંક ઝડપથી વધી રહ્યો છે એની પાછળ રોજેરોજ થતાં ટેસ્ટની સંખ્યા તબક્કાવાર રીતે વધારીને સરેરાશ દૈનિક ૧૪થી ૧૫ હજાર કરવામાં આવી છે. ચોવીસ કલાકમાં ૧૪૫૯૫ ટેસ્ટ કરાયા છે એ સાથે કુલ આંક છ લાખને પાર થઇ ૬,૦૬,૭૧૮ થયો છે. આમ, પ્રતિ મિલિયન ૨૨૪.૫૩ ટેસ્ટ દૈનિક થઇ રહ્યા છે, તેમ દાવો કરાયો છે. સરકારે આજે સૌથી વધારે સંક્રમિત દસ રાજ્યોના એક દિવસમાં નોંધાયેલા નવા કેસ, એક્ટિવ કેસ અને કુલ કેસના આંકડા જાહેર કરી દાવો કર્યો છે કે આ ત્રણેય ફેક્ટરમાં ગુજરાત સૌથી નીચે છે. પ્રથમ ક્રમે મહારાષ્ટ્રમાં શુક્રવારે ૯૮૯૫ કેસ નોંધાયા છે જ્યારે એક્ટિવ કેસ ૧,૪૦,૩૯૫ છે જ્યારે કુલ કેસ ૩,૪૭,૫૦૨ છે. આ પછી આંધ્રપ્રદેશ, તામીલનાડુ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, તેલંગણા, ઓરિસ્સા છે. આ ક્રમ એક જ દિવસમાં આવેલા કેસને ધ્યાને લઇ જાહેર કરાયો છે. આ પરિપ્રેક્ષ્યમાં ગુજરાત દસમા ક્રમે રહે છે.

July 24, 2020
2min5110

તા.23 જુલાઇના ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાંથી મળેલા કોરોના કેસોની સંખ્યા

  • રાજકોટ શહેરમાં 4પ,
  • સુરેન્દ્રનગરમાં 31,
  • ભાવનગરમાં 39,
  • બોટાદમાં 7,
  • જામનગરમાં 3ર,
  • દીવમાં 4,
  • જૂનાગઢમાં 43 સહિત
  • કુલ 249 કેસ સામે આવ્યા છે. રાજકોટમાં એક જ પરિવારના છ સભ્યો, પીડીયુ મેડિકલ કોલેજના ડોક્ટર પણ કોરોનાગ્રસ્ત જાહેર થયા છે. મોરબીમાં પોલીસ જવાન સહિત બેના મૃત્યુ થયા છે.

રાજકોટની સ્થિતિ

રાજકોટ શહેરમાં 6 માસના બાળકથી માંડી 89 વર્ષના વૃધ્ધ આજે કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. ભક્તિનગર પાર્ક રેલનગરમાં 6 માસનો બાળક અને કરણપાર્ક એસ્ટ્રોન સોસાયટીમાં 89 વર્ષના વડિલ મોહનભાઈ ભૂવા તેમજ તેમના પરિવારના પાંચ મળી કુલ છ સભ્યો કોરોનાગ્રસ્ત થયા છે. સરકારી હોસ્પિટલના ર7 વર્ષના ડોક્ટર નીતિન રામાવત પણ ચેપગ્રસ્ત થયા છે.’ શહેરમાં કોરોનાનો જ્યાંથી પગપેસારો થયો હતો તે જંગલેશ્વર, દૂધસાગર રોડ, રેલનગર, દોશી હોસ્પિટલ રોડ, બજરંગવાડી, રામાપીર ચોકડી, રૈયા રોડ, સંતકબીર રોડ એમ મોટાભાગના વિસ્તારોમાં આજે કોરોનાના કેસ નોંધાયા છે. શહેરના 4પ ઉપરાંત જિલ્લામાં 1પ મળી વધુ 60 કેસ થયા છે.
ધોરાજીમાં આજે જમનાવડ રોડ, સ્વામિનારાયણ મંદિર પાસે, બહારપુરા વિસ્તાર, જામકંડોરણા રોડ, માતાવાડી, રંગારી મહોલ્લા વગેરે વિસ્તારમાં એક સાથે 8 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. અહીંયા કુલ કેસ 118 થયા છે.

સુરેન્દ્રનગરની સ્થિતિ

સુરેન્દ્રનગર જિલ્લામાં નવા 31 સાથે કુલ 630 કેસ થયા છે. સુરેન્દ્રનગરના સાજા થયેલા દર્દીઓએ જણાવ્યું હતું કે અમારી સારવાર સરકારે મફત કરી છે. લોકો અમારી નજીક આવતા નથી. અમને સ્નેહની જરૂર છે. પાટડી પંથકમાં મુકબધિર દંપતી જયદીપભાઈ અને શીલ્પીબેન ગજ્જર રહે છે. આ સગર્ભા મહિલા અમદાવાદથી આવ્યા બાદ કોરોનાગ્રસ્ત થયા હતા. તેઓ સાજા થતાં તેમને રજા અપાઈ હતી.

ભાવનગરની સ્થિતિ

ભાવનગર શહેરમાં ર3 અને અધેવાડા, ગારિયાધાર, રાતોલ, ઘોઘાના વાળુકડ, વાઘનગર, મોટી વડાળ, મેઢા, ચોરવડલા, મેવાસા, નાના સુરકા, ઉમળાળા વગેરે ગામોમાં કુલ 16 મળી એક જ દિવસમાં નવા 39 કેસ થયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 1093 થઈ છે. આજે એક દર્દીનું’ મૃત્યુ થયું હતું.

મોરબીની સ્થિતિ

મોરબીમાં પંચાસર રોડ ઉમિયા સોસાયટી, સામાકાંઠે આનંદ નગર, મયુર નગર રોડ, કાયાજી પ્લોટ, ટંકારાના ગજડી ગામ મળી વધુ 6 કેસ થયા છે. જ્યારે મોરબીના પોલીસ લાઈનમાં રહેતા પોલીસ જવાન સલીમભાઈ મકરાણી અને પારેખ શેરીમાં મંજુલાબેન આડેસરા નામના વૃધ્ધાનું મૃત્યુ થયું હતું.

જામનગરની સ્થિતિ

જામનગરમાં રાફડો ફાટયો હોય તેમ શહેરમાં રર સહિત 3ર કેસ નોંધાયા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. શહેરમાં સાધના કોલોની, દિગ્વિજય પ્લોટ, હાપા વેલનાથ સોસાયટી, મહાવીર સોસાયટી, શરૂ સેક્શન, ગોકુલનગર, પંચવટી, નવાગામ ઘેડ, આરબ જમાતખાના પાસે, આર્યસમાજ પાસે, કાલાવડ જકાતનાકા બહાર વગેરે વિસ્તાર ઉપરાંત વાંસજાળિયા, નંદાણા, વસંતપુર, મોટી માટલી, ધ્રોલ, જોડિયાના માધાપર,’ સિક્કા વગેરે મળી 3ર કેસ થયા છે. જેમાં પ0 વર્ષથી ઓછી વયના 13 અને વધુ વયના 19 દર્દી છે. જ્યારે શંકરટેકરી નાગેશ્વર મંદિર પાસે 4પ વર્ષના દર્દીનું મૃત્યુ થયું હતું. જામકંડોરણાના કુંભારવાડામાં હાટકેશ્વર મંદિર પાસે 60 વર્ષના વૃધ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

પોરબંદરની સ્થિતિ

પોરબંદર જિલ્લામાં રામધુન મંદિર નજીક મહારાજ બાગમાં અને બિરલા રોડ પર સિગ્મા સ્કૂલ પાસે એમ બે કેસ નોંધાયા છે. કોરોના હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ અને કાપડના વેપારી પોઝિટિવ જાહેર થયા છે. વેપારીના ભત્રીજાને બે દિવસ પહેલાં કોરોના થયો છે. કોડિનારના ગ્રામ્ય વિસ્તાર ગીર દેવળી અને નવાગામ ખાતે કુલ બે પુરૂષ દર્દી કોરોનાગ્રસ્ત થયા છે. તળાજાના ત્રાપજ અને બેલા, બપાસરા, બોરલા, ઘાટરવાળા વગેરે ગામોમાં કુલ 8 કેસ થયા છે. ગામડામાં સંક્રમણ અટકાવવા પ્રયાસ થઈ રહ્યા છે. પીપરલા ગામના આગેવાનોએ દુકાનોની સમય મર્યાદા, મંદિરો બંધ, માસ્ક ફરજિયાત વગેરે નિયમો કર્યા છે. તળાજા ટીડીઓએ સરપંચનોને કોરોના સંદર્ભે પગલાં લેવા પત્રથી જાણ કરી છે.

બોટાદની સ્થિતિ

બોટાદમાં ભાભણ રોડ, યોગીનગર, ગોપીનાથ સોસાયટી, ગોપાલનગર, આનંદધામ સોસાયટી, સતવારા શેરી અને માંડવા ગઢડા ખાતે વધુ 7 કેસ થયા છે. તાલાલા પંથકમાં હડમતિયા, આંકોલવાડી, આંકોલવાડી ગીર, સુરવા ગીર, બોરવાવ ગીર વગેરે મળી વધુ 6 કેસ થયા છે. દીવમાં એક પોલીસ સહિત ત્રણ સરકારી કર્મચારી અને ઘોઘલાનો એક મળી કુલ ચાર નવા કેસ થયા છે.

જૂનાગઢની સ્થિતિ

જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલ સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા ર4 વર્ષ અને ર7 વર્ષના પુરૂષ સહિત વધુ 31 સંક્રમિત થયા છે.ઉપરાંત ભેસાણ, મેંદરડા, વિસાવદર, વંથલી, માણાવદર વગેરે મળી કુલ 43 કેસ થયા છે. આજે એક કોરોનાગ્રસ્ત વૃધ્ધનું મૃત્યુ થયું છે. અમરેલીમાં વૃંદાવન પાર્કમાં, લીલિયાના પાંચતલાવડા ગામે બે મળી વધુ 3 કેસ થયા છે.

ગીરસોમનાથની સ્થિતિ

ગીર સોમનાથમાં સરેરાશ કાયમી આવતા કેસોના અઢી ગણા, રેકર્ડ બ્રેક 49 કેસથી હાહાકાર મચી ગયો છે. જેમાં વેરાવળમાં 9, ઉના શહેરમાં 6, સુત્રાપાડા, તાલાલા પંથક, કોડિનાર પંથકના ગામોમાં વાયરસ પ્રસર્યો છે. જ્યારે ઉનાના દેલવાડાના 4પ વર્ષના પુરૂષનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આજે થાનગઢમાં કોવિડ 19ના 11 કેસ થયા છે જે પૈકી સાત નગરપાલિકાનાં કર્મચારી છે જેમાં મુખ્ય અધિકારી ચીફ ઓફીસર ચેતનભાઈ મનજીભાઈ જેપાલ, અન્સુમાનસિંહ ગોહિલ, વોટર વર્કસમાં ફરજ બજાવતા જીતેશ ગૌસ્વામી, પ્યુન શૈલેષ ઉર્ફે રાજુભાઈ ચૌહાણ, બે કોમ્પ્યુટર ઓપરેટર, વેરા વસુલાતની ફરજ બજાવનાર દિપેશ વ્યાસ તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં જવાહર સોસાયટીમાં જય અંબે સોસાયટી જુનાવાસ વગેરેમાં કોરોના કેસ થયા છે. ચોટીલામાં અલમદિના પાર્કમાં રહેતા પુરૂષને પોઝિટિવ આવતા ચોટીલા શહેરનો આંક પાંચ ઉપર પહોંચેલ છે.

July 24, 2020
corona-gujarat.jpg
1min5290

કોરોના વાયરસનું સંક્રમણ હવે દિનપ્રતિ દિન નવા વિક્રમો સાથે રાજ્ય આખાને ભરડામાં લેવા માટે મથી રહ્યું હોય તેમ દૈનિક ૧૧૦૦ની નવી સપાટી સર્જવા આગળ વધી રહ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૧૦૭૮ કેસ નોંધાયા છે, આની સાથે વધુ ૨૮ દર્દીઓના કોવિડ-૧૯ના લીધે મૃત્યુ થયું હોવાનું જાહેર કરાયું છે. સુરતમાં કોરોના વાયરસના ચેપને નાથવા માટે અમદાવાદ મોડેલ અપનાવાયું હોવાથી હવે ધીમે ધીમે નવા કેસનો આંક નિયંત્રણમાં આવી રહ્યો છે આને લીધે ૨૨ દિવસ બાદ અમદાવાદ ફરીથી ટોપ થઇ ગયું છે.

ચોવીસ કલાકમાં સુરત મહાનગરમાંથી નવા ૧૮૧ કેસ મળ્યા છે જ્યારે ૧૦ દર્દીના મૃત્યુ થયા હોવાનું સરકારે જાહેર કર્યું છે તો જિલ્લામાંથી નવા ૭૫ કેસ નોંધાયા છે અને ચાર દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. બીજી તરફ અમદાવાદમાં હવે સંક્રમણનો વ્યાપ વધ્યો હોય તેમ મહાનગરમાંથી નવા ૧૮૭ કેસ મળ્યા છે એની સાથોસાથ જિલ્લામાંથી એક સાથે ૨૩ નવા કેસ ઉમેરાયા છે. આ સમયગાળામાં મહાનગરમાં ચાર અને જિલ્લાના એક મળી કુલ પાંચ દર્દીઓના કોવિડથી મૃત્યુ થયાનું સરકારે જાહેર કર્યું છે.

અમદાવાદ અને સુરત પછી વડોદરા મહાનગરમાંથી ધીમે ધીમે નવા કેસ વધીને હવે ૭૧ સુધી પહોંચ્યા છે જ્યારે જિલ્લામાંથી નવા ૧૧ કેસ ઉમેરાયા છે. વડોદરા શહેરના ૨ દર્દીના મૃત્યુ કોરોનાથી થયાનું જાહેર કરાયું છે. ગાંધીનગર મહાનગરમાંથી નવા નવ કેસ અને જિલ્લામાંથી વધુ ૨૨ કેસ ઉમેરાયા છે.

સૌરાષ્ટ્રના ચાર મહાનગરોમાં રાજકોટમાંથી નવા ૪૪ કેસ મળ્યા છે તો જિલ્લાના વિવિધ તાલુકામાંથી ૧૫ કેસ નોંધાયા છે. જામનગર શહેરમાં સ્થિતિ હવે વધારે ગંભીર થઇ રહી છે અહીં ચોવીસ કલાકમાં નવા ૨૫ કેસ આવ્યા છે જ્યારે ગ્રામ્યમાંથી ૯ કેસ ઉમેરાયા છે. ભાવનગર મહાનગરમાંથી નવા ૨૩ કેસ અને એક દર્દીનું મૃત્યુ થયું છે અને જિલ્લામાંથી નવા ૧૬ કેસ ઉમેરાયા છે. જૂનાગઢમાં આ જ રીતે કેસ વધીને આજે નવા ૨૩ તેમજ જિલ્લના ૨૦ મળી કુલ ૪૩ કેસ નોંધાયા છે.

છોટાઉદેપુર, પંચમહાલથી છેક વલસાડ, તાપી સુધીના આદિવાસી પટ્ટામાંથી એક જ દિવસમાં સવાસોથી વધારે પોઝિટિવ કેસ મળી આવ્યા છે. નર્મદા જિલ્લામાં રાજપીપળામાંથી ૨૧ કેસ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૯ કેસ મળી એક સાથે ૪૦ કેસથી હાહાકાર મચી ગયો છે. આ જિલ્લામાં કેવડીયા કોલોની, ગળતેશ્વર આદિવાસી, ગ્રામીણ વિસ્તારોમાં કેસ નોંધાયા છે. દાહોદ શહેર અને આસપાસના ગામોમાંથી નવા ૩૧ દર્દી નોંધાયા છે.

July 23, 2020
real_cia-1-1280x1022.jpg
1min8110

તા.22મી જુલાઇ 2020ની રાત્રે 8 કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં કોરોનાના નવા 202 કેસો મળી આવ્યા હતા અને કુલ 13 દર્દીઓના મોત નિપજ્યા હતા.

રાજકોટની સ્થિતિ

બુધવાર તા.22મી જુલાઇએ નવા મળેલા કોરોના પોઝીટીવ કેસોમાં રાજકોટ શહેરમાં 43 અને તાલુકાઓમાં 12 મળીને જિલ્લામાં નવા 55 કેસ નોંધાયા હતા.

રાજકોટ શહેરના લક્ષ્મીવાડી, નાના મવા રોડ, કાલાવડ રોડ, એસ્ટ્રોન સોસાયટી, જંકશન પ્લોટ, એરપોર્ટ રોડ, જયરાજ પ્લોટ, યુનિવર્સિટી રોડ, મવડી પ્લોટ, રૈયા રોડ, પ્રહલાદ પ્લોટ, રેલનગર, પંચવટી રોડ, દાસી જીવણપરા, સોની બજાર, કોઠારિયા રોડ, ગાંધીગ્રામ, ન્યુ જાગનાથ સહિતના વિસ્તારમાંથી નવા 41 કેસ નોંધાયા હતા.

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની સ્થિતિ

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાંથી મળેલા કોરોનાના નવા કેસોમાં ભાવનગરમાં 38, જૂનાગઢમાં 31, જામનગર અને ગીર સોમનાથમાં 13-13, સુરેન્દ્રનગરમાં 22,’ અમરેલીમાં 16, બોટાદમાં 14, નવા કેસ નોંધાયા હતા. આ ઉપરાંત છેલ્લા ચોવિસ કલાકમાં રાજકોટમાં 6, જામનગરમાં 4 અને જૂનાગઢમાં 3 દરદીનો કોરોનાએ ભોગ લીધો હતો.

સૌરાષ્ટ્રમાં વિસ્તારવાઇઝ કેસોની નવા સંખ્યા

  • રાજકોટમાં 55 કેસ
  • જૂનાગઢમાં મહિલા કોર્પોરેટર સહિત 31 પોઝિટિવ
  • જામનગરમાં 13 કેસ
  • ભાવનગરમાં 38
  • સુરેન્દ્રનગરમાં 31
  • અમરેલીમાં 16
  • બોટાદમાં 14
  • ગીર સોમનાથમાં 13 નવા કેસ

અમરેલીની સ્થિતિ

અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકામાં 5, જાફરાબાદમાં 3, રાજુલામાં 3, લાઠી, દામનગર, ખાંભા, બગસરા અને અમરેલીમાં એક-એક કેસ નોંધાતા જિલ્લાનો કુલ આંક 259 થયો હતો.

July 23, 2020
real_cia-1280x1022.jpg
1min5310

ગુજરાતમાં ચોમાસાની મોસમનો કુલ સરેરાશ ૩૦૦.૭૮ મીમી વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જે છેલ્લાં ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ ૮૩૧ મિમીની સરખામણીએ ૩૬.૨% છે. જોકે વરસાદનું જોર નબળું પડ્યું હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે. બુધવારે સવારે પૂરા થતા છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં માત્ર ૩૩ તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના સરહદી તાલુકા વાવમાં નોંધાયો હતો. અહીં એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે રાજ્યના અન્ય તાલુકામાં સુરત શહેરમાં ૧૮ મિમી, વડોદરાના પાદરામાં ૧૭ અને કચ્છના નખત્રાણામાં ૧૪ મિમી વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજીત ૬૪.૨૮ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે.

આઇએમડી દ્વારા પી.પી.ટી રજૂ કરી આગામી સમયમાં તા.૨૧ થી ૨૩ જુલાઈ દરમ્યાન ગુજરાતમાં વરસાદ થવાની શકયતા નહિવત છે તેમ જણાવ્યું છે. તા.૨૪મી જુલાઈ-૨૦૨૦ના દિવસે સામાન્ય વરસાદ થઇ શકે છે. કોઇ ભારે વરસાદ થવાની શકયતા જણાતી નથી. તા.૨૫મી જુલાઈ-૨૦૨૦ના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલી વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શકયતા છે. તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શકયતા છે.

કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાલુ વર્ષે તા. ૨૦મી જુલાઈ-૨૦૨૦ સુધીમાં અંદાજીત ૬૪.૨૮ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૫૩.૧૩ લાખ હેક્ટર વાવેતર થયું હતું.

આ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૭૫.૭૨% વાવેતર થયું છે. જ્યારે રાજયનાં ૨૦૫ જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ ૨૭૦૬૨૮ એમ.સી.એફ.ટી છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૮.૬૦% છે. હાલમાં વરસાદ ન હોઇ જળાશયોમાં કોઇ નોંધનીય આવક નોંધાયેલ નથી અને હાલમાં કોઇ જળાશય એલર્ટ ૫ર નથી.

July 23, 2020
corona-gujarat.jpg
1min4190

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ મહાનગરોની સાથોસાથ હવે ગ્રામ્ય વિસ્તારોમાં અમર્યાદિત રીતે પ્રસરી રહ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૧૦૨૦ નવા પોઝિટિવ કેસ મળ્યા છે જ્યારે સારવાર હેઠળના ૨૮ દર્દીઓના કોવિડ-૧૯ સંક્રમણથી મૃત્યુ થયા હોવાનું સરકારે સત્તાવાર રીતે જાહેર કર્યું છે. આ કેસોમાં સૌથી વધારે આઠ મહનગરોના ૫૫૦ કેસ અને ૧૭ મૃત્યુ છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ૪૬૮ કેસ અને ૧૧ દર્દીના મૃત્યુ નોંધાયા છે.

કોરોનાથી સૌથી વધારે ચેપગ્રસ્ત થયેલા સુરત મહાનગરમાંથી નવા ૨૦૧ દર્દીઓ નોંધાયા છે. જ્યારે જિલ્લાઓના નગરો, ગામોમાંથી નવા ૫૫ દર્દી ઉમેરાયા છે. જોકે, છેલ્લા વીસ દિવસથી ગંભીર સ્થિતિનો સામનો કરતાં સુરત શહેરના જ વધુ ૧૨ દર્દી તેમજ જિલ્લાના ૭ મળી ૧૯ દર્દીઓના સંક્રમણના કારણે મૃત્યુ થયા છે. આ પછી અમદાવાદ મહાનગરમાં નવા ૧૮૧ કેસ મળ્યા છે જ્યારે જિલ્લામાંથી નવા ૧૫ કેસ ઉમેરાયા છે. મહાનગરના વધુ ૩ દર્દીના કોવિડથી મૃત્યુ થયાનું જાહેર કરાયું છે.

અમદાવાદની જેમ હવે વડોદરામાં સૌથી સંક્રમિત નાગરવાડામાંથી નવા કેસ ઉમેરાતા ઘટીને નહીવત થયા છે પરંતુ નવા વિસ્તારોમાંથી રોજેરોજ નવા કેસ મળી રહ્યા છે. મહાનગરમાંથી ૬૨ કેસ મળ્યા છે તો જિલ્લાના ૧૮ કેસ નવા આવ્યા છે. મહાનગરમાં એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયાનું જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રના ચાર મહાનગરોમાં જોઇએ તો રાજકોટમાંથી નવા ૪૮ કેસ નોંધાયા છે જ્યારે જિલ્લામાંથી ૧૨ કેસ આવ્યા છે. ભાવનગરમાં ૨૨ મળી કુલ ૩૮ કેસ નોંધાયા છે. જૂનાગઢ શહેરમાંથી ૨૦ નવા કેસ અને જિલ્લામાંથી ૧૦ કેસ નોંધાયા છે. શહેર અને જિલ્લામાં એક એક દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે. જામનગર શહેરમાંથી ૧૨ મળી કુલ પંદર કેસ નવા ઉમેરાયા છે.

અમદાવાદમાં કોટ વિસ્તારમાંથી કેસની સંખ્યા નહીવત થઇ ગઇ છે એ જ રીતે પૂર્વમાંથી ધીમે ધીમે કેસ ઘટી રહ્યા છે પરંતુ પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં રોજેરોજ કેસની સંખ્યા વધી રહી છે આને કારણે શહેરમાં છેલ્લા દસ દિવસ કરતાં વધુ સમયથી માઇક્રો કન્ટેન્ટમેન્ટ એરિયાની સંખ્યા બસ્સોની ઉપર જળવાઇ રહી છે. હવે મહાનગરમાં પોશ ગણાતા બોપલ, ઘુમા, આંબલીનો સમાવેશ થયો હોવાથી એના કેસ ગણાય છે. જ્યારે જિલ્લાના ધોળકા, બાવળા, સાણંદ, દસક્રોઇ, વિરમગામ જેવા તાલુકાના ગામડાઓમાંથી નવા પંદર કેસ ઉમેરાયા છે.

ભરૂચમાં અંકલેશ્વર, વાગરા, જંબુસર સહિતના તાલુકાઓમાંથી રોજેરોજ કેસ આવી રહ્યા છે નવા ૨૭ કેસ ઉમેરાયા છે. તો દાહોદ શહેર અને લીમખેડા સૌથી વધારે સંક્રમિત બન્યા છે. આને લીધે નવા ૨૭ કેસ નોંધાયા છે. મહેસાણામાં વિસનગર, ઊંઝા, બેચરાજી, કડી અને મહેસાણા નગરમાંથી નવા ૨૪ કેસ ઉમેરાયા છે. ગીર સોમનાથ, કચ્છમાંથી ૨૧-૨૧ કેસ નોંધાયા છે.