CIA ALERT
29. November 2023

My World Archives - Page 2 of 28 - CIA Live

July 18, 2023
meeta_rathod.png
5min117

Mudita’s Reflection by Dr. Meeta Rathod Vansadia

Dr. Meeta Rathod Vansadia

Ph. D. in Library and Information Science

Email: [email protected] Co. No. 9725039802

Dt: 18th July, 2023

“Simalthu Gramya Pustakalay” 

(MANLIBNET Rural Library Project)

Rural Library, the “Gramya Pustakalay” is a new initiative by MANLIBNET (Management Libraries Network). The Inauguration of the first library is scheduled on 21st July, 2023 at 04.30 PM. 

The primary goal of this project is to provide Reading resources and Space to the village communities. However, the objectives of Rural Library project include the following:

  • Access to Information: One of the primary objectives of a rural library is to provide access to information and knowledge resources for individuals who may not have easy access to books, computers, or the internet. It seeks to reconcile the digital divide and ensure rural residents have equal access to education, learning, and personal development.
  • Promoting Literacy and Education: Rural libraries place an emphasis on promoting literacy and education in the community. They could provide reading programmes, workshops, and educational materials to help students improve their reading abilities, language competency, and academic performance.
  • Community Engagement: Rural libraries frequently serve as community centres, providing a space for people to congregate, communicate, and interact.  
  • Life Long Learning: Rural libraries strive to support lifelong learning by offering resources and programs for people of all ages. By facilitating opportunities for lifelong learning, rural libraries enable individuals to acquire new skills and knowledge throughout their lifetimes. 
  • Preserving Local History and Culture: Rural libraries play a crucial role in preserving the community’s history and culture. They may collect and maintain regionally-related archives, documents, photographs, and oral histories. By preserving and distributing these resources, rural libraries contribute to the community’s cultural identity and sense of pride.
  • Digital Inclusion: As technology becomes increasingly prevalent, rural libraries aim to bridge the digital divide by providing access to Computers, the internet and digital resources. 
  • Support for Small Business and Entrepreneurs: Rural libraries often serve as resources for small businesses and entrepreneurs within the community. By offering support and resources, rural libraries contribute to the economic development and sustainability of the local area. 

The above objectives highlight the multifaceted roles that rural libraries play in supporting education, community development, and access to information in the rural areas.

Management Libraries Network (MANLIBNET), was registered as a society under the Societies Registration Act, 1860 in the year 2002 with broad objectives of providing a common forum to the library professionals and to develop understanding and co-operation  particularly among business & management libraries and library professionals. MANLIBNET is engaged in promoting, nurturing and enhancing the profession of librarianship in the country through networking, conferences, workshops, seminars, research, consultancy, mentorship and publications.

July 17, 2023
WhatsApp-Image-2023-07-16-at-15.25.33.jpeg
1min109

તારીખ 16. 7. 2023 ને રવિવારના રોજ કતારગામ સ્થિત કિરણ હોસ્પિટલ ખાતે સુરત, બારડોલી, નવસારી ,વલસાડ, વાપીના રેડીયોલોજીસ્ટ ડોક્ટરો માટે કાયદાકીય વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગે વધુ માહિતી આપતા રેડિયોલોજીકલ એન્ડ ઇમેજિંગ એસોસિએશન સુરતના પ્રમુખ ડો.ઉદય સુરાનાએ જણાવ્યું હતું કે ડોક્ટરો અને હોસ્પિટલો ને લગતા ઘણા બધા કાયદાઓ હાલ અમલમાં છે, ત્યારે ડોક્ટરોને આ અંગે વિશેષ માહિતી મળે અને ડોક્ટરો તથા હોસ્પિટલો આ બાબતે જાગૃત થાય એ માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે મુંબઇના ખ્યાતનામ વકીલ ડો.હિતેશ ભટ્ટ દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને પીસી પીએનડીટી એક્ટ( ગર્ભ ના જાતિ પરીક્ષણ કાયદા) અંગે વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી. તદુપરાંત સોનોગ્રાફી કરતા ડોક્ટરો દ્વારા ફોર્મ ભરવામાં જે ખામીઓ રહી જાય છે તે અંગે અને આ કાયદા હેઠળ શું શું જોગવાઈઓ છે તે અંગે વિસ્તૃત માહિતીથી તબીબોને વાકેફ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ઇન્સ્યોરન્સ સેક્ટર અને નેગલીજન્સ અંગે પણ કાયદાકીય આંટી ઘૂંટીઓ અને તેના નિવારણ અને ચોકસાઈ અંગે માહિતી આપવામાં આવી હતી. સમગ્ર સેમિનારનું આયોજન એસોસિએશનના સેક્રેટરી ડો. પ્રજ્ઞેશ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ડો. ધારા શાહ અને ડો.હિતેશ લુખી દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ટેકનિકલ બાબત અને વ્યવસ્થા માટે ડો એન્ડ્રુ જોન્સ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સેમીનારમાં સીનીયર રેડીયોલોજીસ્ટ ડૉ ઉમેશ ઉદાપુડી, ડો.નવીન પટેલ, ડો કુમાર વકીલ, ડો. જગદીશ વઘાસિયા, તેમજ વાપી, વલસાડ, નવસારી અને બારડોલી ના સો કરતા વધારે રેડિયોલોજીસ્ટ ડોક્ટરો એ લાભ લીધો હતો.

March 21, 2023
societynews-1280x1040.jpg
2min469

શ્રી સુરતી મોઢ વણિક અઠવા પંચ યુવક મંડળ દ્વારા આયોજીત APL-3 2023 HEAVY TENNIS BALL CRICKET TOURNAMENT યોજાઈ હતી જે તા. ૧૨/૦૩/૨૦૨૩ અને ૧૯/૦૩/૨૦૨૩ ના બે રવિવારે ટુર્નામેન્ટ રમાઈ હતી અઠવા પંચ યુવક મંડળ ના આમંત્રણ ને માન આપી આવેલ મોઢ વણિક સમાજ નું ગૌરવ ગુજરાત રાજ્ય ના પૂર્વ કેબિનેટ મંત્રી હાલ ના ધારા સભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદી, ધી સુરત પીપલ્સ બેંક ના ચેરમેનશ્રી મુકેશભાઈ દલાલ અઠવા પંચ ના સ્થાપક પ્રમુખ અને ટેક્સટાઇલ જગત ના ભીસમહ પિતા કહેવાતા ભરતભાઇ ગાંધી તેમજ સુરતી મોઢ વણિક સમાજ ના પ્રમુખશ્રી શ્રીવાસભાઈ ઘીવાલા તત્કાલીન પ્રમુખશ્રી મનહરભાઈ લાપસીવાલા, માજી પ્રમુખશ્રી હસમુખભાઈ લાલવાલા સાથે ધર્મેશભાઈ તમાકુવાલા, સંજયભાઈ ગાંધી, જેન્તીભાઈ લાપસીવાલા, અનિલભાઈ દલાલ, મુકેશભાઈ વરિયાવા, અજયભાઈ મોદી તેમજ અઠવા પંચ ના પ્રમુખશ્રી નીતિનભાઈ ગાંધી તત્કાલિન પ્રમુખશ્રી ચેતનભાઈ કાપડિયા, યોગેશભાઈ પપૈયાવાળા, નાલિનભાઈ ગાંધી, દેવરાજભાઈ મોદી, તેજશભાઈ ગાંધી, મહિલા મંડળ ના પ્રમુખ શ્રીમતી અમિષાબેન ગાંધી તત્કાલિન પ્રમુખ શ્રીમતી અનુરાધાબેન જરીવાલા તેમની ટીમ અને વોર્ડ નં . ૨૧ ના નગર સેવક શ્રીમતી ડિમ્પલબેન ચેતનભાઈ કાપડિયા તેમજ પાંડેસરા વિવર્સ ના પ્રમુખશ્રી અને sgcci ના તત્કાલીન પ્રમુખશ્રી આશિષભાઈ ગુજરાતી પધાર્યા હતા

આ સર્વ મહેમાનો નો અઠવા પંચ યુવક મંડળ ના પ્રમુખશ્રી સંજયભાઈ અનાજ્વાળા સાથે યુવક મંડળ ની ટીમ ખૂબ ખૂબ આભાર માને છે કે તમે યુવક મંડળ ના આમંત્રને માન આપી પધારી આ ક્રિકેટ ટુર્નામેન્ટ ને ચાર ચાંદ લગાવી ટુર્નામેન્ટ સફર બનાવી સાથે આપના આશીર્વાદ અને આવનારા કાર્યક્રમ માં પણ આપનો સાથ સહકાર આવો જ મળતો રહે તેવી આશા સાથે ફરી એકવાર આપ સર્વે મોભીઓશ્રી, મહાનુભવોંશ્રી નો ખુબ ખુબ આભાર માણીયે છીએ..

આ સાથે જ અઠવાપંચ યુવક મંડળ જેના વગર આ ક્રિકેટ ટુર્નામેન્ટ APL-3 અધૂરી છે તેવા અમારા ક્રિકેટ ટીમ ના ઓનર્સ શ્રીઓ ભાવિનભાઈ બોઘાવાળા (MIVAAN 11) , સ્નેહલભાઈ મેહતા (SKYLINE SCORPION S), બંટીભાઈ સોપારીવાળા (JAY AMBEY 11), ભદ્રેશભાઈ કાપડિયા (DAY SEVEN 11) કુમારપાલ ગાંધી (GALAXY PANTHER) અજયભાઈ ચલિયાવાળા (TEAM AMBITION) પીયૂષભાઈ બેકાવાળા(KHUSHI FIGHTERS) વિરલભાઈ મોદી (MODI BAKERS) જીગર મોદી- યોગેશ ચરખાવાળા (YOGI-MODI WARRIOR’S) આ ૦૯ (નવ) ટીમ ઓનર્સ ટુર્નામેન્ટ ની આન-બાણ અને શાન છે જે આ ઓનર્સશ્રીઓ એ APL-3 AUCTION બાદ સમાજ ના ખેલાડીઓ સાથે મળી એક મહિનામાં જે મેહનત કરી તે આ ટુર્નામેન્ટ ના બે રવિવારે જોવા મળી છે અને સમાજ ના યુવા ખેલાડીઓ નો ઉત્સાહ વધાર્યો સાથે એક બીજા સાથે જોડાયા ને એ જોઈ અઠવાપંચ યુવક મંડળ ગર્વ અનુભવે છે

સમાજ ને એક સાથે મળી આ ક્રિકેટ ટુર્નામેન્ટ મ્યુઝિક મસ્તી હસી-ખુશી સાથે આનંદ માણ્યો તેમજ આ APL-3 ટુર્નામેન્ટ ના દાતાશ્રીઓ અઠવા પંચ યુવક મંડળ નો એક સ્થંપ છે કે જેના વગર આ ટુર્નામેન્ટ શક્યજ નથી એવા અમારા વડીલશ્રી મોઢ વણિક સમાજ ના જાણીતા માનીતા માર્ગ દર્શક શ્રી ભરતભાઈ ગાંધી (BATSONS)ગ્રુપ ના કરતા ધરતા સાથે ધી સુરત પીપલ્સ બેંક ચેરમેનશ્રી મુકેશભાઈ દલાલ, ટ્રોફી આપનાર જાણીતા શ્રી પ્રવીણભાઈ ગાંધી, મનીષભાઈ દૂધવાળા (VRUNDAVAN DAIRY), ડો. અંકુરભાઈ ગાંધી-ડો. સ્નેહા પટેલ ગાંધી (JAHAAN WOMEN’S HOSPITAL), (SAI SPORTS GYM & SPORTS WEAR), PANDESARA WEAVER’S CO-OP SOCIETY LTD., વિરેનભાઈ ચોકસી (D. KHUSHALBHAI JEWELLER’S), નરેન્દ્રભાઈ કાબરાવાળા (PURVI INVESTMENT), મોંતુભાઈ બેકાવાળા(REY FASHION) અને વિરલભાઈ મોદી (MODI BAKERS) કે જેઓએ ખેલાડીઓનો ઉત્સાહમાં વધારો કરતા આખી ટુર્નામેન્ટ ની દરેક મેચ માં જે ખેલાડી ઓએ વધારે સિક્સ માર્યા હોઈ, વધારે વિકેટ લીધી હોય,કે વધારે રન કર્યા હોય તે દરેક ખેલાડી ઓને રૂ.૫૦૦/- નું ગિફ્ટ વાઉચર આપી ખેલાડીઓનો ઉત્સાહ વધારીયો હતો.

સાથે જ અઠવાપંચ યુવક મંડળના કમિટી સભ્ય શ્રી રાહુલભાઈ ગાંધીએ ખુબજ સુંદર ફોટોગ્રાફીની સેવા આપી હતી ,અને સ્કોરર તરીકે શ્રી ચંદ્રેશભાઈ પાનવાલા અને પીનાકીનભાઈ ખાટીવાલાએ સેવા આપી હતી શ્રી સુરતી મોઢ વણિક અઠવા પંચ યુવક મંડળ આપ સર્વ મહાનુભવોશ્રી, દાતાશ્રી, ટીમ ઓનર્સશ્રી સાથે આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ભાગ લેનાર દરેક ખેલાડીઓ તેમજ APL-3 ટુર્નામેન્ટ ને સફર બનાવવા માટે યુવક મંડળ ના કમિટી સભ્યોશ્રીઓ નો પ્રમુખશ્રી સંજયભાઈ અનાજવાલા, તત્કાલીન પ્રમુખશ્રી મનીષભાઈ દૂધવાલા, ઉપપ્રમુખશ્રી વિમાલભાઈ બેકાવાલા, માનદ મંત્રીશ્રી આનંદભાઈ ગાંધી, સહ મંત્રીશ્રી રોમેશભાઈ પાનવાલા, ખજાનચી શ્રી વિપુલભાઈ ગાંધી, સહ ખજાનચી કેતનભાઈ પાનવાલા આપ સર્વ નો ખુબ ખુબ આભાર માણીયે છીએ…

તેમજ આ APL-3 ટુર્નામેન્ટ ટોટલ ૧૨ મેચ રમવાની હતી હેવી ટેનિસ બોલ દ્વારા જેમાં દરેક ટીમ એ ૦૨ લીગ મેચ રમી એવરેજ મુજબ સેમિફાઇનલ માં એન્ટ્રી લેવાણી હતી સેમિફાઇનલ માં ચાર ટીમ આવી હતી જેમાં પહેલી સેમીફાઇનાલ MIVAAN 11 V/S GALAXY PANTHER વચ્ચે થઈ હતી જેમાં MIVAAN 11 વિજેતા થઈ ફાઇનલ માં આવી હતી બીજી સેમી ફાઇનલ DAY SEVEN 11 V/S YOGI- MODI WARRIORS જેમાં DAY SEVEN ના કેપ્ટન ચીમ્પુ લાપસીવાલાએ સેન્ચુરી મારી નોટ આઉટ રહી પોતાની ટીમને વિજય અપાવી ફાઇનલમાં પ્રવેશ્યા હતા ને ફાઇનલ મેચ MIVAAN 11સામે હારી RUNNER’S UP થયા અને MIVAAN 11 APL-3 2023 ચેમ્પિયન ટીમ બની હતી.

March 20, 2023
srk-1280x853.jpg
1min185

ભગવાન શ્રીરામના પરમભક્ત ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયાએ ડાંગમાં 311 હનુમાન મંદિરનું નિર્માણ કરવાનો સંકલ્પ લીધો છે ગત રવિવાર તા.19મી માર્ચે ડાંગમાં 11 હનુમાનજીના મંદિરનું લોકાર્પણ કર્યું

ડાંગ પ્રયાગ હનુમાન યાગ – હનુમાન મંદિર નિર્માણ યજ્ઞ પાંચમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

વિશ્વવિખ્યાત ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા. લી.(SRK) ની CSR આર્મ SRK નોલેજ ફાઉન્ડેશન અને શ્રી રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટે ગુજરાતના ડાંગ જીલ્લામાં 311 હનુમાન મંદિરો બાંધવાના સંકલ્પ સાથે હનુમાનજી મંદિર નિર્માણ યજ્ઞનો પ્રારંભ કર્યો હતો. પાંચમા તબ્બક્કામાં સુસરદા, સાકરપાતળ, સાદડમાળ, ઘાંગડી , ચીંચોડ, ચિખલદા , કુમારબંધ, નાની દાબદર, મોટી દાબદર, વાઘમાળ અને કુન્દા ગામનાં 11 મંદિરોનો લોકાર્પણ સમારોહ 19 માર્ચ રવિવારે સવારે 10 થી 1 વાગ્યા દરમિયાન ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના કુમારબંધ ગામ ખાતે “જગદગુરુ નિમ્બાર્કાચાર્ય શ્રી શ્યામશરણ દેવાચાર્યશ્રી (નિમ્બાર્કતીર્થ – કિશનગઢ, અજમેર)” ના અધ્યક્ષ સ્થાને રાખવામા આવ્યો હતો.

આ સમારોહમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લાના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, ડાંગના કલેક્ટર માનનીય ર્ડો. વિપિન ગર્ગ (IAS), મહેશ્વરી ભવન સમિતિના સચિવ શ્રી સુરેશ આર. તોષનીવાલ, અગ્રવાલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ ના સંસ્થાપક ટ્રસ્ટી શ્રી સુરેશચંદ્ર એસ. અગ્રવાલ, વધઈ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ શકુંતલાબેન એ. પવાર, ગુજરાત પ્રાંતીય મહેશ્વરી સમિતિના ઉપાધ્યક્ષ શ્રી સુરેશ સી. કાબરા (CA), નિમ્બાર્કતીર્થના શ્રી નટવર ગોપાલ છાપરવાલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ડાંગ વિસ્તાર પ્રકૃતિની ગોદમાં પથરાયેલો છે જે જંગલ, ડુંગરા, ખીણ અને વિવિધ સાંસ્કૃતિક વારસાઓથી ભરપુર છે. ભગવાન શ્રી રામ અને શબરી માતાની ચરણરજથી પાવન થયેલી આ ભૂમિ દંડકારણ્ય તરીકે પણ જાણીતી છે. રામભક્ત હનુમાનજીને સમગ્ર ડાંગવાસીઓ ખૂબ જ મને છે. ડાંગમાં વસેલા આશરે સવા બે લાખ વનવાસીઓના જીવનની સામાજિક ચેતના માટે “ડાંગ પ્રયાગ હનુમાન યાગ” નામનો હનુમાન યગ્નપણ શરૂ કરવામાં આવ્યો છે. આ હનુમાનજી મંદિર બનાવવા પાછળની બીજી ભાવના એ પણ હતી કે આ મંદિર ભક્તિ, સેવા, સ્મરણ સાથે ગામજનોની એકતા, વ્યસનમુક્તિ અને સંસ્કારધામનું ત્રિવેણી તીર્થ બની રહેશે.

અત્યાર સુધી, ટોટલ 35 હનુમાન મંદિરોનું નિર્માણ 4 તબ્બક્કામાં સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. હજી બીજા 12 મંદિરો પણ પૂર્ણતાના અરે છે. એવું માનવમાં આવી રહ્યું છે કે, આવનારા 2 વર્ષમાં ઘણાખરા મંદિરોની પ્રતિષ્ઠા કરી દેવામાં આવશે.
ડાંગવાસીઓ ની એકતા જળવાઈ રહે અને આપણી સંસ્કૃતિનું જતન પેઢી દર પેઢી થતું રહે તે હેતુથી આ મંદિરો બાંધવાની પહેલ શરૂ કરવામાં આવી હતી. દાનમાં ફક્ત એક વ્યક્તિ જ નહીં પરંતુ દરેક ગ્રામજનો કઇંકને કઇંક યોગદાન આપવું જરૂરી છે. જેટલા વધારે લોકો આ પહેલ સાથે જોડાશે, તેટલા વધુ પરિવારો આવા પછાત ગામો સુધી ટ્રાવેલ કરશે અને આ ગામો હજી વધારે વિકસિત થશે.

આ મંદિર નિર્માણ કાર્યમાં રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટની સાથે જે સંસ્થા અથવા વ્યક્તિ હોય તે 50% દાન આપીને સહભાગી થાય તેના નામની તકતી પણ લગાવવામાં આવે છે. મંદિર બાંધવા માટેની મુખ્ય રકમ વહેંચવામાં આવે છે જ્યારે સમગ્ર પ્રોજેકટનઉ સંચાલન SRK ટિમ દ્વારા કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા પછી મંદિરનું સંપૂર્ણ સંચાલન ત્યાના ગામ લોકોને સોંપવામાં આવે છે.

રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટ દ્વારા છેલ્લા 28 વર્ષથી આદિવાસી એરિયામાં 100 જેટલા ડોક્ટર સાથે મેડિકલ કેમ્પ કરેલ છે. ડાંગ જિલ્લાના વિવિધ ગામોમાં મેડિકલ સેવા, વસ્ત્રદાન, શૈક્ષણિક કીટ, બાળકો અને દરેકને જરૂરિયાત મુજબની ચીજવસ્તુઓ પહોંચાડવાનું કામ તો થતું જ હોય છે પરંતુ તેની સાથે સાથે પેઢી દર પેઢી સુધી સંસ્કારો, ગામની એકતા અને આપણી સંસ્કૃતિ સચવાઈ રહે તે હેતુથી આ નિર્માણ યજ્ઞશરૂ કર્યો છે.

આ વિચારનું બીજ ક્યાથી આવ્યું?
ઓગસ્ટ 2017માં હું અને પી.પી. સ્વામીજી કારમાં એક ગામથી પસાર થતાં હતા ત્યાં હનુમાનજીની મુર્તિ ઉપર નજર પડી જે ખુલ્લા આકાશમાં ઝાડના ટેકે ઉભેલી હતી.
આં મુર્તિને જોઈ મે કહ્યું કે, “સ્વામીજી, આપણા ભગવાન આ રીતે દેખાય તે આપણી સંસ્કૃતિને યોગ્ય ગણાય…?”
આં સાંભળીને પી.પી. સ્વામીજીનું હ્રદય દ્રવી ઉઠ્યું અને તેમણે કહ્યું કે, “ગોવિંદભાઇ, આ પરિસ્થિતી લગભગ આખા ડાંગ જીલ્લામાં છે…! કરવાની જરૂર ઘણી બધી છે… કેટલું થઈ શકે…? અને કોણ કરે…?”
ત્યારે મે પૂજ્ય પી.પી.સ્વામીજીને નમ્ર ભાવે કહ્યું કે,”ભગવાને આપણને ઘણું બધુ આપ્યું છે, તો આપણાથી બની શકે તેટલી મદદ કરીને આ ડાંગ જીલ્લામાં મંદિર બનાવવા જોઇએ.” પી.પી. સ્વામીજી રાજી થઈ ગયા અને અમોએ ડાંગ જિલ્લાના આશરે 311 ગામમાં શક્ય હોય ત્યાં હનુમાનજીના મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો છે.
અમે વિચાર્યું કે, આપણે એકલા બાનવશું તો કદાચ અભિમાન આવી જવાની શક્યતા છે. એટલે 50% ખર્ચ પેટે આપે તેઓનું સહયોગી તરીકે નામ આપી શકાય, જેથી આપણે સૌએ સાથે રહીને આ મંદિરો બનાવ્યા છે એવો ભાવ ઉભો થાય. તેથી આ પ્રમાણે દાતાઓના સહયોગથી મંદિર બનાવી રહ્યા છે.
આ મંદિરો ઈશ્વરની યોજના મુજબ અને ઈશ્વર ઇચ્છાથી જ બની રહ્યા છે….

  • ગોવિંદભાઇ એલ. ધોળકિયા
March 11, 2023
PHOTO-2023-03-11-13-03-21-2-1280x853.jpg
2min232

425 કરોડના જંગી ખર્ચે નિર્માણ પામશે કિરણ હોસ્પિટલ-2

છેલ્લા દાયકામાં 15 લાખ લોકોને જુદા જુદા પ્રકારની તબીબી સેવાઓ પૂરી પાડવા ઉપરાંત દર્દીઓનો કમસે કમ રૂ.150 કરોડનો જંગી ખર્ચ બચાવનાર સુરતના વરાછા રોડની ડાયમંડ હોસ્પિટલનું મેનેજમેન્ટ, સુરત ડાયમંડ એસોસીએશન આરોગ્ય ટ્રસ્ટ દ્વારા મોટા વરાછા – ઉત્રાણ વિસ્તારમાં કિરણ હોસ્પિટલ-2 પ્રોજેક્ટ સાકાર કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.

SDA આરોગ્ય ટ્રસ્ટના પ્રમુખ શ્રી સી.પી.વાનાણી, ઉપપ્રમુખ કેશુભાઇ ગોટી અને મહામંત્રી દિનેશભાઇ નાવડીયાએ કિરણ હોસ્પિટલ-2 અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વિશ્વ વિખ્યાત હીરા ઉદ્યોગપતિ કિરણ જેમ્સના શ્રી વલ્લભભાઇ એસ. પટેલ દ્વારા સૂચિત કિરણ હોસ્પિટલ-2 ના નામકરણ માટે રૂ.25 કરોડનું માતબર દાનની જાહેરાત કરવામાં આવી છે.
મોટા વરાછા – ઉત્રાણ વિસ્તારમાં કુલ 450 બેડની સૂચિત કિરણ હોસ્પિટલ-2 અંદાજે રૂ.425 કરોડના જંગી ખર્ચે સાકાર કરવામાં આવશે. આગામી દશેરા પર્વે આ હોસ્પિટલનું ખાતમૂહૂર્ત અને એ પછી ત્રણ વર્ષમાં હોસ્પિટલને ધમધમતી કરી દેવામાં આવશે અને એ પછી તબક્કાવાર 100 બેઠકો ધરાવતી મેડીકલ કોલેજ ઉભી કરવાનું આયોજન છે.
કિરણ હોસ્પિટલ-2ની સૌથી મોટી લાક્ષણિકતા એ જ હશે કે ડાયમંડ હોસ્પિટલની જેમ કિરણ હોસ્પિટલ-2માં પણ રાહત દરે તબીબી સેવા સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. ડાયમંડ હોસ્પિટલમાં પ્રવર્તમાન બજારભાવે મળતી તબીબી સેવાઓ 50 ટકાના દરે પૂરી પાડવામાં આવે છે.

February 1, 2023
cia_society-1280x880.jpg
2min192

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત તરફથી આગામી પાંચમી ફેબ્રુઆરીએ યોજાનાર ૬૪માં સમુહ લગ્નોત્સવમાં ૮૭ યુગલો પ્રભુતામાં પગલાં પાડનાર છે. સામાજિક જાગૃતિ અને સમાજને નવો વિચાર આપવા સમૂહ લગ્નની પ્રવૃત્તિ એક માધ્યમ છે. ૪૦ વર્ષ પહેલા ૧૯૮૩થી શરૂ થયેલ આ પ્રવૃત્તિમાં અત્યાર સુધીમાં ૫૩૧૯ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા છે. મોટા વરાછા ગોપીનગામ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સમૂહ લગ્નોત્સવ યજમાન અગ્રણી શ્રી જયંતીભાઈ એકલારા વાળા પરિવાર છે. લવજીભાઈ બાદશાહ અધ્યક્ષ સ્થાને યોજાનારા સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો રાજ્સ્વી મહાનુભવો સહિત ૨0000 ની માનવમેદની હજાર રહેનાર છે.

લગ્ન વિધિ શરૂ કરતાં પહેલા રાષ્ટ્રગીતનું ગાન થશે

સમાજમાં રાષ્ટ્રચેતના પ્રગટે તે માટે લગ્નવિધિ શરૂ કરતાં પહેલાં રાષ્ટ્રગીતનું ગાન થશે, સાંજે ૪:૩૦ સુધી માં વર-કન્યા અને પક્ષકારો – મહેમાનો આવી જશે ૪:૫૫ કલાકે  સમારોહની અંદાજે ૨૦ હજાર જનમેદની એકસાથે રાષ્ટ્રગીતને માન અપાશે. જે સૈનિક યુગલના લગ્ન થવાના છે તે યુગલ રાષ્ટ્રધ્વજ સાથે સ્ટેજ ઉપર હશે.

ગંગા સ્વરૂપા બહેનોને હસ્તે  સમારોહનો શુભારંભ થશે

ગંગાસ્વરૂપ બહેનોને શુભ પ્રસંગે અવગણવામાં આવતા હોય છે. લોકોની આ માનસિકતા દૂર કરવા વર્ષોથી પટેલ સમાજના સમૂહ લગ્ન સમારોહ દીપ પ્રાગટ્ય વિધિ ગંગાસ્વરૂપ બહેનોના હસ્તે કરવામાં આવે છે. દરેક પ્રસંગે આવી માતાઓને માન આપવા અને આગળ રાખવા અનુરોધ થશે.જે સમાજની ખરી સામાજિક ક્રાંતિ છે.

             નવયુગલ માટે આશીર્વચન સમારોહમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર પાટીલ, કેન્દ્રીય મંત્રીશ્રી દર્શનાબેન જરદોશ, રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને મેયર શ્રીમતી હેમાલીબેન બોધાવાલા તથા પટેલ સમાજના આગેવાનો દાતાશ્રીઓ, વિવિધ સંસ્થાના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહેનાર છે.

             કોઈ નાત-જાતના ભેદભાવ વગર સારા રાષ્ટ્રના નિર્માણ માટે જેઓએ વિશેષ સેવા પ્રદાન કર્યું છે તેવા મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવશે. સુરતમાં ૫૦ હજારથી વધુ વૃક્ષો રોપી જતન કરી શહેરને હરીયાળુ કરવાનો ભગીરથ પ્રયાસ કરનાર જે. કે. સ્ટાર ના શ્રી શૈલેષભાઈ લુખીને પર્યાવરણ સેવા માટે સન્માનિત કરાશે. દેશભરમાં જરૂરિયાતવાળા પછાત વિસ્તારમાં ૩૦૯ શિક્ષણધામ બાંધી આપવાનો સંકલ્પ કરનાર અને તેમાંથી મોટાભાગની શાળાઓ બાંધવાના સફળ પ્રયાસ કરનાર પટેલ સમાજના આગેવાન કેશુભાઈ એચ. ગોટી ને શિક્ષણ સુવિધા-સેવા સન્માન અર્પણ કરાશે. અને જાગૃતિના અભાવે ઘણા લોકો અંધાપો ભોગવે છે તેના જીવનમાં રોશની માટે વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટના સ્થાપક ડૉ. ભાવિનભાઈ જે. પટેલ નું વિશેષ અભિવાદન કરવામાં આવશે.દેશમાટે પ્રાણનું બલિદાન આપનાર વીરજવાનોના પરિવારના ઘેર સોલાર રૂફ રોપ લગાવી અંજવાળું પ્રગટાવનાર એસ.આર.કે. ફાઉન્ડેશનના શ્રી જાય્ન્તીભાઈ નારોલા તથા શ્રી ઈશ્વરભાઈ ધોળકિયાનું અભિવાદન થશે. આ મોંધવારીના સમયમાં આરોગ્યની સામાન્ય સારવાર માટે પણ આર્થિક મુશ્કેલી પડે છે.

ત્યારે વડતાલ ધામ અને સુરત રૂસ્તમબાગ ખાતે વિનામૂલ્ય સ્વામીનારાયણ હોસ્પિટલ અને કલીનીક શરુ કરવામાં અગ્રેસર ભૂમિકા ભજવનાર સંસ્થાના પ્રમુખ ધનજીભાઈ રાખોલિયા, પિતા વિહોણી દીકરીઓના માત્ર લગ્ન કરાવવા એટલુજ નહી તે પરિવાર સાથે લાગણીના સબંધો જાળવવાનું વિશિષ્ઠ ઉદાહરણ પૂરુંપાડનાર શ્રી મહેશભાઈ સવાણીનું લાગણી સાથે સમાજ સેવા સન્માન થશે.                

ધંધા વ્યવસાયક્ષેત્રે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર અને યુવાનોને પ્રેરણા મળે તેવી પ્રગતિ કરનાર યુવા સાહસિકોને સિદ્ધિગૌરવ સન્માન અર્પણ કરવામાં આવનાર છે. ભારતપે ના  કો-ફાઉન્ડર શ્રી શાશ્વત નાકરાણી, અમી ઓર્ગેનિક ના શ્રી નરેશભાઈ પટેલ, અવધ ગ્રુપના શ્રી દીલીપભાઈ ઉંધાડ, એલ્યુમીનીયમ ઇન્ડસ્ટ્રીઝના આગેવાન વિપુલભાઈ ચલોડિયા તથા પ્રભુભાઈ સોજીત્રા, ડેઈલી દવા ડોટ કોમના શ્રી રજનીભાઈ મુંગરા, લેબગ્રોન ડાયમંડના યુવા સાહસિક રજની રાદડિયા તથા કેનેડામાં રોયલ બેંકના અધિકારી તરીકે સફળ કામગીરી કરતી સૌરાષ્ટ્ર ના ખેડૂતની દીકરી જીલ વિઠ્ઠલભાઈ ગોંડલિયાનું પણ અભિવાદન કરાશે. કોઈપણ ધંધા – વેપાર કે વ્યવસાયના સંગઠનોની ભૂમિકા ખુબ અગત્યની હોય છે. ત્યારે જે તે બિઝનેશમાં યોગ્ય નેતૃત્વ પૂરું પાડી ધંધા – વેપાર ને  નેતૃત્વ પૂરું પાડનાર યુવા અગ્રણીઓનું પણ અભિવાદન કરવામાં આવનાર છે.

                        સમૂહલગ્ન સમારોહમાં પરણનાર યુગલોમાં એક દંપતી લશ્કરમાં કમાન્ડો છે નયનાબેન ધાનાણી એન.એસ.જી કમાન્ડો છે જ્યારે તેની સાથે લગ્નગ્રંથિ થી જોડાનાર નિકુંજ અજુડિયા આર્મીમાં કમાન્ડો છે ખાસ ઓપરેશન ટીમમાં રાષ્ટ્રની સુરક્ષા માટે તૈનાત રહેનારા યુગલના પારિવારિક જીવનને અને આર્થિક સલામતીને માટે દાતાશ્રીઓના સહયોગથી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત આ કમાન્ડો યુગલ ને ૫ લાખની રકમ પુરસ્કાર તરીકે આપશે.

      મહિલા ખેલાડીઓનું સન્માન તથા ૧ લાખથી વધુનો પુરસ્કાર            

આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રતિભાશાળી મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે તેઓના અભિવાદન સાથે પુરસ્કાર આપવામાં આવશે. એથ્લેટિક્સ (દોડ)માં રાષ્ટ્રીય ચેમ્પિયન તથા આગામી ઓલમ્પિકસ ગેમ્સ ૨૦૨૪ માં આશાસ્પદ ખેલાડી કુ. શ્રદ્ધા રજનીકાંતભાઈ કથીરીયા જે સૌરાષ્ટ્રના ગામડાની ખેડૂત ની દીકરી છે. તેઓને તૈયારી અને પૌષ્ટિક આહાર માટે દાતાશ્રીઓ ના સહયોગથી રૂપિયા ૧૦ લાખ નો આર્થિક સહયોગ આપવામાં આવશે. ઉપરાંત લાંબીકુદમા જુનિયર રાષ્ટ્રીય એથ્લેટિક્સ ચેમ્પિયન કુ. કુમકુમ ભરતભાઈ રામાણી તથા ઇન્ટરનેશનલ પેરા બેડમિન્ટન ખિલાડી શ્રીમતી વૈશાલી નિલેશભાઈ પટેલને  ૫૧-૫૧ હજારના પુરસ્કાર સાથે સન્માનિત કરાશે. આ સાથે ભારતનું ગૌરવ કુ. ધ્રુવી કિશોરભાઈ જસાણી નાસામાં સ્પેસ આર્કિટેક્ટ તરીકે પસંદગી કરવામાં આવી છે તેઓનું પણ અભિવાદન કરી રાષ્ટ્રના યુવાધનને પ્રોત્સાહન આપવામાં આવશે.

       સંસ્થાની એક યાદીમાં જણાવવામાં આવે છે કે સમગ્ર સમારોહની વ્યવસ્થા માટે કુલ ૧૫૦ થી સંખ્યાઓના ૨૦૦૦ થી વધુ સ્વયંસેવક મિત્રો કામગીરી કરશે. સમૂહલાગ્નોત્સ્વમાં લગ્ન ઉપરાંત વ્યસનમુક્તિ, સારા પુસ્તકોનું વાંચન તથા નેત્ર જાગૃતિ, કેન્સર જાગૃતિ અને સુરતને સ્વચ્છ રાખવા માટે સુકો કચરો તથા ભીનો કચરો જુદા પાડવા ખાસ જાગૃતિ સ્ટોલ રાખી પ્રયાસ કરવામાં આવશે. લોકોને કોઈ અગવડતા નપડે તે માટે પૂરી કાળજી રાખવામાં આવશે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના ટ્રસ્ટીઓ, યુવાટીમના કાર્યકર્તાઓ, ટીમ – ૧૦૦ના સભ્યો તથા સૌરાષ્ટ્ર પટેલ મહિલા ટીમની બહેનો વ્યવસ્થા માટે તડામાર તૈયારી કરી રહ્યા છે. સમારોહમાં આપવા માટે પ્રવેશ પાસ જરૂરી છે. સમગ્ર કાર્યક્રમનું દુનિયાભરમા ચેનલ તથા સોશીયલ મીડિયામા પ્રસારિત થનાર છે.

       શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરતમાં નિર્માણ થનાર ડ્રીમ પ્રોજેક્ટ જમનાબાભવન તથા કિરણ મહિલાભવન અંગે સમાજઅગ્રણીઓ વિચાર ગોષ્ઠી કરશે. હોસ્ટેલ પ્રોજેક્ટ-૨ ઝડપથી સાકાર થાય તે માટે સમાજને સહયોગ માટે અનુરોધ કરવામાં આવશે. જમનાબા ૧૦૦૦ વિદ્યાર્થી ભાઈઓ માટે અને કિરણ મહિલા ભવનમા ૫૦૦ બહેનો માટે રહેવાની વ્યવસ્થા થશે. તે ઉપરાંત રાધાબેન ઘેલાણી અતિથીભવન તથા શૈલેશભાઈ લુખી પરિવાર તરફથી મહિલા રોજગાર તાલીમ કેન્દ્ર પણ શરુ થનાર છે. કિરણ મહિલાભવનનું આગામી ટૂંક સમયમાં ખાતમુહુર્ત થનાર છે.

January 26, 2023
cia_multi-1280x1045.jpg
1min180

સિવિલ ડિફેન્સ સુરત એકમના ચીફ વોર્ડન કાનજીભાઈ ભાલાળાની દીર્ઘકાલીન પ્રશંશનીય કામગીરી માટે રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી છે. ૭૪માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મુજી દ્વારા રાષ્ટ્રપતિ ચંદ્રક માટે સિવિલ ડિફેન્સ ગુજરાત રાજ્યમાંથી એક વ્યક્તિ શ્રી કાનજીભાઈ ભાલાળા ના નામની જાહેરાત કરવામાં આવી છે.

કોઈ દુર્ઘટના સામે તાલીમ અને રક્ષણ આપવાના હેતુથી સરકારશ્રીએ સિવિલ ડિફેન્સના સુરત એકમની સ્થાપના 1997થી થઈ છે. સુરત શહેર સિવિલ ડિફેન્સ દેશના સક્રિય યુનિટ પૈકી એક છે. ખૂબ મોટી સંખ્યામાં વોર્ડન્સ સ્વૈચ્છિક રીતે રાષ્ટ્રની સેવા માટે જોડાયેલા હોય છે. સુરત શહેરમાં પોલીસ સ્ટેશન પ્રમાણે કુલ 24 સિવિલ ડિફેન્સ ના ડિવિઝન હાલ કાર્યરત છે. તમામ ડિવિઝનના સંકલન અને વ્યવસ્થા માટે નાગરિક સંરક્ષણના નિયંત્રક તરીકે કલેક્ટરશ્રી હોય છે અને સિવિલ ડિફેન્સ સુરતના ચીફ વોર્ડન તરીકે કાનજીભાઈ ભાલાળા ૨૦૦૧ થી કાર્યરત છે. સુરતના અગ્રણી સામાજિક કાર્યકર તરીકે અનેકવિધ સંસ્થા સાથે તેઓ જોડાયેલા છે. દુર્ઘટના સમયે લોકસેવાના કાર્યમાં પણ અગ્રેસર રહ્યા છે. ૨૦૦૧ માં નાગરિક સંરક્ષણ યુનિટમાં જોડાયા ૨૦૦૬ થી ડેપ્યુટી ચીફ વોર્ડન તરીકે જવાબદારી સંભાળી હતી. ૨૦૨૦ માં સુરત શહેર સિવિલ ડિફેન્સના ચીફ વોર્ડન તરીકે નિયુક્તિ થઈ હતી. સિવિલ ડિફેન્સમાં હજારો વોર્ડન્સ સેવાભાવથી જોડાયેલા છે. સુરતમાં સક્રિય રીતે કામગીરી થાય છે. ૨૦૦૬ ના વિનાશક પુર સમયે નાગરિક સંરક્ષણ દળે બચાવ-રાહત-મેડિકલ-સફાઈ વગેરેની ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી…અનેક ઘટના સમયે પોલીસ તથા કલેકટર ઓફિસના અધિકારીશ્રીઓના માર્ગદર્શન નીચે કામગીરી કરવામાં આવતી હોય છે. સુરત યુનિટ પ્રશંસનીય કામગીરીમાં મુખ્ય માર્ગદર્શક તરીકે કાનજીભાઈએ કામગીરી કરી છે. ૨૦૦૧ થી ૨૦૨૨ સુધીની દીર્ઘકાલીન સેવાને ધ્યાનમાં રાખી રાષ્ટ્રપતિ ચંદ્રક માટે ભલામણ થઈ હતી અને આજે જાહેરાત થઈ છે.

સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજના એક કાર્યકર્તા તરીકે છેલ્લા ૪૦ વર્ષથી કાનજીભાઈ ભાલાળા નોંધનીય કામગીરી કરી રહ્યા છે. હાલ તેઓ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ છે. સૈનિકોના પરિવાર માટે કાર્ય કરતી સંસ્થા જય જવાન નાગરિક સમિતિ સુરતના તેઓ ૧૯૯૯ થી મુખ્ય ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત ૧૯૯૫ માં શરૂ થયેલ ગુજરાતની અગ્રણી સહકારી બેંક વરાછા કો-ઓપરેટીવ બેંકના તેઓ સ્થાપક ડિરેક્ટર છે અને એમ.ડી. તથા ચેરમેન તરીકે તેમને બેન્કિંગ સેક્ટરમાં મહત્વનું કાર્ય કર્યું છે.

કોરોના મહામારી અને લોકડાઉનના સમયે ગુજરાત સરકારશ્રીની આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને લાખો લોકોને સહકારી બેંકો અને ક્રેડિટ સોસાયટીઓમાંથી સરળતાથી ધિરાણ આપવામાં આવ્યું હતું. સિવિલ ડિફેન્સ સુરતના ડેપ્યુટી ચીફ વોર્ડન મોહમ્મદ નવેદ શેખ તથા મેહુલ સોરઠીયા અને વિજય શૈરાએ સિવિલ ડિફેન્સ એકમ વતી અભિનંદન પાઠવ્યા છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત, જય જવાન નાગરિક સમિતિ સુરત તથા વરાછા કો-ઓપ. બેન્ક સુરત વતી શ્રી કાનજીભાઈ આર. ભાલાળાની તેમની સેવા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી થવા બદલ અભિનંદન પાઠવવામાં આવે છે.

January 8, 2023
cia_multi-1280x1045.jpg
1min1369

સરકાર અને લોકોને સાથે રાખીને સામાજિક કાર્ય કેવી રીતે કરાય તેનું ઉત્તમ ઉદાહરણ.

લોક કલ્યાણ અભિયાનો કે સારથી – પદ્મશ્રી મથુરભાઈ સવાણી

  • સમૂહ લગ્નોત્સવના પ્રણેતા
  • જળસંચય અભિયાન
  • બેટી બચાવો મહાલાડુ ઝુંબેશ
  • ગઢપુર ટાઉનશીપના સ્વપ્ન દ્રષ્ટા
  • સમસ્ત પાટીદાર સમાજની સ્થાપનામાં અગ્રેસર ભૂમિકા
  • વિશ્વ પાટીદાર સમાજ સરદારધામના સ્વપ્નદ્રષ્ટા
  • કિરણ હોસ્પિટલના પાયાના પથ્થર
  • સુરત ડાયમંડ બુર્સના કુશળ સંચાલનકર્તા

1990થી ગુજરાતમાં લોક કાર્યોમાં સમગ્ર જીવન સમર્પિત કરી દેનાર મથુરભાઇ સવાણી એક એવું નામ છે જેને સ્વયંસિદ્ધ લોકનાયકનો દરજ્જો મળ્યો છે. કોઇ મેનેજમેન્ટ સ્કુલ કે આઇઆઇએમ જેવી સંસ્થાના ગ્રેજ્યુએટ્સ પણ નહીં કરી શકે તેવી સામાજિક ક્રાંતિ મથુરભાઇ સવાણીએ કરી દેખાડી છે. એક સમયે સૌરાષ્ટ્રમાં પાણીની તીવ્ર અછત હતી એવા કટોકટીના સમયે જળસંચયનું ભગીરથ અભિયાન હાથ ધર્યું અને તેના મીઠાં ફળ આજે આપણે સૌ જાણી માણી શકીએ છીએ. એવા અનેક લોક કાર્યોને કુશળ સંચાલન થકી તેમણે મેન ઓફ મેનેજમેન્ટનું બિરુદ હાંસલ કર્યુ છે.

સુરતની નવીનત્તમ વૈશ્વિક ઓળખ બની રહેલા બે મેગા પ્રોજેક્ટના કુશળ સંચાલન કર્તા

મથુરભાઇ સવાણીને મેન ઓફ મેનેજમેન્ટનું બિરુદ પણ એટલા માટે આપવામાં આવી રહ્યું છે કેમકે તેઓ હાલ જે સંસ્થાઓમાં સંચાલન કરી રહ્યા છે એમાં એક કિરણ હોસ્પિટલ જે હવે ગુજરાત કે ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં તેની સેવાઓ, સેવાઓની ગુણવત્તા અને આધુનિક સેવા પદ્ધતિ માટે જાણિતી બની છે. સમગ્ર દેશમાંથી કિરણ હોસ્પિટલમાં સારવાર અર્થે દર્દીઓ રિફર થઇ રહ્યા છે. એવી જ રીતે વિશ્વની સૌથી મોટી ઓફિસ પ્રિમાઇસીસ તરીકે ખ્યાતિપ્રાપ્ત સુરત ડાયમંડ બુર્સ કે જેને ઘણાં લોકો એવું કહેતા હતા કે આ પ્રોજેક્ટ ક્યારેય પૂરો નહીં થઇ શકે, તેને પણ સુપેરે પૂર્ણ કરી દેખાડ્યો છે મથુરભાઇ સવાણીએ.

December 26, 2022
cia_multi-1280x1045.jpg
1min1201

પીપી સવાણી ગ્રુપ અને જાનવી લેબગ્રો ગ્રુપ આયોજિત “દીકરી જગત જનની” ભવ્ય લગ્નોત્સવમાં શનિવારે 150 દીકરીઓના લગ્ન બાદ રવિવારે પણ 150 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. આ સાથે કુલ 300 યુગલની લગ્નવિધિ સંપન્ન થઇ હતી. આજે નવ દંપતીને આશીર્વાદ આપવા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, ડૉ. મહેન્દ્ર મુંજપરા સહિતના રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ, સમાજ અગ્રણીઓ, સંતો ઉપસ્થિત રહ્યા હતા. આજે સવાણી પરિવારના બે દીકરા મોનાર્ક અને સ્નેહ સવાણી પણ દીકરી જગત જનનીના આંગણે માંડવા રોપાયા હતા.

પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે રવિવારની સાંજે ફરી એકવાર શનિવારની માફક જ ઢોલ ઢબુક્યા અને લાઈવ સંગીત સાથે પ્રાચીન લગ્ન ગીતોનો સૂરીલો માહોલ સર્જાયો હતો. આજે વધુ 150 દીકરીઓ નવજીવનની કેડી કંડારવા નીકળી હતી. ઉપરાંત સવાણી પરિવારના બે દીકરા સ્નેહ રાજુભાઈ સવાણી અને મોનાર્ક રમેશભાઈ સવાણી પણ આ જ માંડવે લગ્નગ્રંથિથી જોડાયા હતા.

તમામ નવદંપતીને આશીર્વાદ આપવા માટે પધારેલા કેન્દ્રના મત્સ્ય અને પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ મંચ પરથી આશીર્વચન આપતા ડાયરાને રામ રામ કરીને જણાવ્યુ હતુ કે, “સવાણી પરિવારને આંગણે આ અતિ વિશિષ્ટ સમૂહલગ્નનું આયોજન છે. આ સમૂહ લગ્ન સુરતની ઓળખ અને પરંપરા બની ગયા છે. મહેશ ભાઈના આ ભગીરથ કાર્યને ભોળાનાથ ક્યારેય અટકવા નહિ દે એવી હું પ્રાર્થના કરૂ છુ. અને ભારત સરકાર વતી હું મહેશભાઈએ આ સુંદર સેવાકાર્ય બદલ અભિનંદન પાઠવું છું.” સમૂહલગ્નમાં અંગદાનની પ્રવૃત્તિને બિરદાવતા મંત્રીએ કહ્યુ કે, સમૂહલગ્ન સાથે અંગદાનની આ પ્રવૃત્તિ દેશને નવી દિશા આપશે. લોકોએ મહેશ ભાઇને એમની દરેક સેવાકીય પ્રવૃત્તિ માટે ખુબ સમર્થન આપ્યુ છે. ઘરના છોકરાઓને પણ સમૂહ લગ્નમાં જોડવા એ ખુબ અઘરૂ અને ક્રાંતિકારી કામ છે જે મહેશભાઈ કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે મહેશ ભાઇએ નાની ઉંમરમાં આ પ્રવૃત્તિ ઊભી કરી અને વિકસાવી એની પાછળ વલ્લભભાઈ સવાણીનો સહયોગ છે. વલ્લભભાઈનો સરળ પોષાક, સરળ સ્વભાવ એમને માર્ગદર્શન આપે છે.

કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યુ હતુ કે સર્વ ધર્મ અને સમાજની દીકરીઓના સમૂહ લગ્નનો અવસર નોંધનીય છે. એમણે દીકરીઓને સલાહ આપતા કહ્યું કે, સાસુ સસરાને જ તમારા માતા પિતા માનજો. ઉલ્લેખનીય છે કે આ વર્ષેનો સમગ્ર લગ્ન સમારોહ પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી પર્વને સાદર અર્પણ કરાયો છે. બે દિવસ ચાલેલા ભવ્ય લગ્ન સમારોહ દીકરી જગત જનનીમા સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી મહેમાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે બીજા દિવસે પૂજ્ય નૌતમ સ્વામી, પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામી, પૂજ્ય પીપી સ્વામી, સ્વરાજ આશ્રમના નિરંજના બા, પૂર્વ કુલપતિ ડૉ. દક્ષેશ ઠાકર,જેવા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સમૂહ લગ્નમાં સવાણી પરિવારના દીકરાના લગ્નની અનોખી પરંપરા

સવાણી પરિવાર ના કાર્ય અને કરણીમાં અંતર નથી. એ વાત દરેક સમૂહ લગ્નમાં સાબિત થાય છે. આ વખતે પણ પરિવારના બે દીકરાના લગ્ન દીકરી જગત જનની સમારોહમાં જ થયા છે. સંસ્કાર કહો કે પરંપરા પણ વલ્લભભાઈ સવાણીના તમામ દીકરા અને દીકરીઓના લગ્ન સમૂહલગ્નમાં જ થયા છે. એ જ રીતે હવે અગાઉ મહેશભાઈના દીકરા મિતુલ અને મોહિતણી જેમ જ રમેશભાઈનો દીકરો મોનાર્ક અને રાજુભાઈનો દીકરો સ્નેહ સવાણી આજે સમૂહલગ્નના મંડપમાં પરણ્યા હતા.

કન્યા વિદાય વખતે કરૂણતા વ્યાપી

આનંદ ઉલ્લાસના લગ્ન પ્રસંગમાં દીકરીની વિદાય વેળાનો પ્રસંગ હસતી આંખોને પળભરમાં આંસુથી છલકાવી દે છે. વિદાયની વસમી વેળા દીકરીના માતા – પિતા અને પરિવારનું હૈયુ હલાવી મૂકે છે. માંડવો જ નહિ આખો માહોલ હીબકે ચઢે છે. આવો જ માહોલ દીકરી જગત જનની લગ્નોત્સવમાં સર્જાયો હતો.. વિદાય ગીતો સાથે વિદાય પ્રસંગે દીકરીઓની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી હતી. પાલક પિતા મહેશ ભાઇને ભેટીને દીકરીઓ સાસર તરફ ડગ માંડી રહી હતી ત્યારે મહેશ ભાઈ પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા. ઉપરાંત પ્રસંગના સાક્ષી હરકોઈની આંખના ખૂણા પણ ભીના થઇ ગયા હતા…

December 23, 2022
dikri.png
1min228

મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે… , મહેંદી લીલીને રંગ રાતો.., મારી મહેંદીનો રંગ ઊડી જાય રે…. મહેંદી તો રંગ લાતી હૈ… મહેંદી લગા કે રખના… જેવા મહેંદી ના હિન્દી ગુજરાતી ગીતોથી ગુરુવારે સવારથી અબ્રામાગામ ગુંજી રહ્યું હતું: પ્રસંગ હતો, પીપી સવાણી ગ્રુપ આયોજિત લગ્નોત્સવની મહેંદી રસમનો.

આગામી તા – 24 અને 25 ડિસેમ્બરે પીપી સવાણી ગ્રુપ અને જાનવી ગ્રુપ આયોજિત દીકરી જગત જનની લગ્નોત્સવ અંતર્ગત તા- 22મી ડીસેમ્બર ગુરૂવારે મહેંદી રસમનો કાર્યક્રમ યોજાયો હતો. સવારે 9 કલાકે પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો આરંભ કરાયો હતો.

આ પ્રસંગે મહેશભાઈની દીકરી(પુત્રવધુ) આયુષી મોહિત સવાણી એ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

આમંત્રિત મહેમાનો, દીકરીઓના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ; સર્વ મહેમાનોનું પુસ્તક, બૂકે અને સ્મૃતિભેટ આપી સ્વાગત કર્યું હતું. દિવસ દરમિયાન લગભગ 5000 થી વધુ બહેનોના હાથમાં વિવિધ પ્રકારની ડિઝાઇનની મહેંદી મૂકાતા અબ્રામાં ગામ આખું મહેંદીની સુગંધથી પણ મઘમઘી ઉઠ્યું હતું. આ લગ્નોત્સવમાં લગ્ન કરનાર 300 દીકરીના પાલક પિતા મહેશ સવાણીએ પણ દીકરીઓના હાથમાં ભારે હેતથી મહેંદી મૂકી હતી.

મહેશભાઈ સવાણી એ પ્રભુતામાં પગલાં પાડનારી 300 દીકરી અને અન્ય બહેનો-દીકરીઓને પિતાની હુંફ સાથે જણાવ્યું હતું કે જેણે ભગવાનને પણ જન્મ આપ્યો એ દીકરી છે એટલે જ આ અવસરનું નામ “દીકરી જગત જનની” રાખવામાં આવ્યુ છે. દીકરીઓને આદર્શ જીવનનું ભાથુ બાંધી આપતા મહેશભાઈએ કહ્યુ કે, દીકરી સાસરિયાને સ્વર્ગ બનાવે અને ઘરના તમામ સભ્યોને સ્વીકારે એ જરૂરી છે. સાથે દીકરીએ સહનશક્તિ કેળવવી જરૂરી છે. સાસુ -સસરા, નણંદ, દેરાણી -જેઠાણીની ફરિયાદ ઘરે કરવી નહિ, દીકરી સાસરેથી પાછી આવે ત્યારે પરિવારને ઘણું સાંભળવું પડે છે તેથી પરિવારનો વિચાર કરીને સાસરિયામાં સેટ થઇ જવું ઉત્તમ છે. સાસરિયામાં દૂધમાં સાકર ભળે એમ ભળી જજો. શરૂઆતમાં સમય આપશો એટલે સફર આસાન થઈ જશે. કોઈ ફરિયાદ હોય તો બેસીને શાંતિથી વાત કરીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરશો તો ચોક્કસ સારૂ પરિણામ મળશે.

મહેમાનોની વિશેષ ઉપસ્થિતિ: શાલીની અગ્રવાલ(IAS) (મ્યુનિસિપલ કમિશ્નરશ્રી સુરત), બી.આર.પટેલ(IPS)(DCP,સુરત), દિવ્યાબેન શિરોયા (GST ઈન્સ્પેક્ટરશ્રી), ડો.સંધ્યાબેન છાસટીયા(ગાયનેકોલોજિસ્ટ), ડૉ.દક્ષાબેન ભાદિયાદરા (ઓપ્થાલમોલોજીસ્ટ), ડૉ.શીતલબેન સુહાગિયા(RMO), આદર્શગૃહિણીઓ : દિપ્તીબેન પંડ્યા, ભાવિકાબેન જોયસર, અસ્મિતાબેન રાબડીયા, હિરલબેન કાછડીયા, આશાબેન કોશિયા, ઉર્વશી બેન ધોરાજીયા, દિવ્યાબેન રૈયાણી, જલ્પાબેન રંઘોલિયા, ધિરલ બેન રાસડિયા વગેરે બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કોઈએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતુ.