CIA ALERT

My World Archives - Page 2 of 31 - CIA Live

February 13, 2025
CP-at-Textile-Market-1280x853.jpeg
1min178

फोस्टा द्वारा सूरत कपड़ा मार्केट में हेलमेट वितरण कार्यक्रम

आज दिनांक 13/02/2025,गुरुवार सुबह 10.00am को फोस्टा कार्यालय, मिलेनियम टेक्सटाइल मार्केट, रिंगरोड पर माननीय गृहराज्यमंत्री श्री हर्षभाई संघवीजी की प्रेरणा एवं DGP श्री विकास जी सहाय के मार्गदर्शन एवं सूरत शहर पुलिस कमिश्नर श्री अनुपमसिंह जी गहलौत के निर्देशन से सूरत शहर में चल रहे ट्रेफिक जागरूकता अभियान के अंतर्गत , सूरत कपड़ा मार्केट के व्यापारियों एवं कर्मचारियों में सड़क सुरक्षा एवं ट्रैफिक नियमों के प्रति जागरूकता बढ़ाने हेतु आज फेडरेशन ऑफ सूरत ट्रेड एंड टेक्सटाइल एसोसिएशन (फोस्टा) एवं सूरत शहर ट्रैफिक पुलिस के संयुक्त प्रयास से ट्रैफिक अवेयरनेस प्रोग्राम एवं हेलमेट वितरण कार्यक्रम का आयोजन किया गया।

टेक्षटाइल मार्केट एरियामां करीब 50 हजार से ज्यादा व्यापारी एवं उनके स्टाफ को मिलाकर 2 लाख से ज्यादा लोगो में आज फोस्टा के कार्यक्रम से ये मेसेज पास हो गया है की दि.15 फरवरी से द्वी चक्री व्हीकल चलाने वाले एवं उनके पीछे बेठने वाले के लिए हेल्मेट पहनना आवश्यक है. समारोह के बाद हमारी टीमने टेक्षटाइल मार्केटोमां जाकर व्यापारीओ से पूछताछ की तब सभी के मूह से एक ही बात सूनने को मिली की फोस्टा ने बोला है तो हेल्मेट पहनना ही पडेगा. हम इस मुहिम में फोस्टा के साथ है.

कार्यक्रम के दौरान कपडा मार्केट के कुल 19 प्रतिष्ठित व्यापारिक संस्थानों के सहयोग से उपस्थित कर्मचारियों को लगभग 1350 हेलमेट वितरित किए गए। इस अवसर पर माननीय पुलिस कमिश्नर श्री अनुपमसिंह गहलौत साहेब विशेष रूप से उपस्थित रहे। साथ ही संयुक्त पुलिस आयुक्त (ट्रैफिक) श्री राघवेन्द्र वत्स साहेब, डीसीपी ट्रैफिक श्रीमती अनीता वानानी मेडम, डीसीपी जोन-2 श्री भागीरथ गढ़वी साहेब, एसीपी ट्रैफिक श्री वी.पी.गामित साहेब सहित अन्य पुलिस अधिकारी उपस्थित रही ।
पुलिस कमिश्नर श्री गहलौत साहेब ने सभी व्यापारियों और कर्मचारियों को हेलमेट पहनने और ट्रैफिक नियमों का पालन करने की अपील की। उन्होंने फोस्टा टीम एवं सहयोगी व्यापारियों द्वारा किए गए इस प्रयास की सराहना की और इस पहल को शहर में सड़क सुरक्षा को बढ़ावा देने का एक महत्वपूर्ण कदम बताया।

कार्यक्रम में भाग लेने वाले सभी व्यापारिक प्रतिष्ठानों एवं व्यापारियों को प्रशस्ति पत्र (सर्टिफिकेट) देकर सम्मानित किया गया।कार्यक्रम के पश्चात् साकेत संस्था द्वारा भोजन वितरित किया गया ।

फोस्टा द्वारा इस आयोजन का उद्देश्य सूरत शहर में ट्रैफिक नियमों के प्रति जागरूकता बढ़ाना और सड़क सुरक्षा को सुदृढ़ करना है। उम्मीद है कि यह प्रयास कपड़ा मार्केट के सभी व्यापारियों एवं कर्मचारियों के लिए ट्रैफिक सुरक्षा एवं नियमों के प्रति एक सकारात्मक संदेश देगा।

फोस्टा – आपके व्यवसाय और समाज की सुरक्षा के लिए प्रतिबद्ध

December 27, 2024
rotary1-1280x853.jpg
2min210

ઉમરગામ થી મહેમદાબાદ, સમગ્ર સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના અમુક ભાગોના બનેલ રોટરી ડિસ્ટ્રિકટ ૩૦૬૦ની ૧૦૫ કલબોના ૧૬૦૦ થી વધુ પ્રતિનિધિઓની હાજરીવાળી ડિસ્ટ્રિકટ કોન્ફરન્સ જોધપુર ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઇ.

રોટરી ડિસ્ટ્રિકટ ૩૦૬૦ના ડિસ્ટ્રિકટ ગવર્નર રોટેરિયન તુષાર શાહ અને ફર્સ્ટ લેડી નેહલબેન શાહના નેતૃત્વમાં આયોજિત થયેલી આ કોન્ફરન્સમાં રોટરી આંતરરાષ્ટ્રીય પ્રમુખના પ્રતિનિધિ તરીકે ભૂતપૂર્વ ડિસ્ટ્રિકટ ગવર્નર મેહુલભાઈ રાઠોડ (અમદાવાદ) ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત અન્ય મહાનુભાવોમાં ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ કલ્યાણ બેનરજી (વાપી), ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ડીરેકટર ડૉ. મનોજ દેસાઈ (બરોડા) ઉપરાંત ભૂતપૂર્વ ડિસ્ટ્રિકટ ગવર્નરશ્રીઓ નિહિર દવે (આણંદ), શ્રીકાંત ઇન્દાની (દોંડાઇચા), સંતોષ પ્રધાન (સુરત), પ્રશાંત જાની (સુરેન્દ્રનગર), અનિષ શાહ (વલસાડ), પિન્કીબેન પટેલ (બરોડા), રુચિર જાની (વાપી), હિતેશ જરીવાલા (સુરત), જતીન ભટ્ટ (બરોડા), પરાગ શેઠ (ભરૂચ), દેવાંગભાઈ ઠાકોર (ભરૂચ), સુરેન્દ્રસિંહ રાજપૂત (સરીગામ), આશિષ રૉય (વાપી), આશિષ અજમેરા (ધુલિયા), ડૉ. નિલાક્ષ મુફતી (વલસાડ), ડિસ્ટ્રિકટ ગવર્નર ઇલેકટ અમરદીપ બુનેટ (ભરૂચ), ડિસ્ટ્રિકટ ગવર્નર (૨૦૨૭-૨૮)-આશિષ પટવારી (ધુલિયા) ઉપરાંત જેમણે પોતાની સમગ્ર સંપત્તિ રોટરીવાદને સમર્પિત કરી દીધી છે તેવા મેક્સિકોના લેડી રોટેરિયન ડેલ (DALE) સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્દઘાટન સમારોહના ચીફ ગેસ્ટ દેવદત્ત પટનાયકે “માઈથોલોજી” વિષય પર મનનીય પ્રવચન પ્રસ્તુત કર્યું હતું.

ઇન્દોરના પ્રસિદ્ધ નાદયોગ ગુરુકુલના કલાકારોએ અદ્દભૂત સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો, જયારે દેશના ટોચના વાંસળીવાદક તેજસ અને તબલાવાદક મિતાલીજીના સાનિધ્યમાં પ્રસ્તુત થયેલ કાર્યક્રમે સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ઉદ્દઘાટન સમારોહ બાદ પર્વતારોહક અજીત બજાજે તેમના અદ્વિતિય સાહસોની સનસનાટીભરી સાહસ કથા પ્રસ્તુત કરી હતી.

ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ કલ્યાણ બેનરજીના જીવન અને કવન પર આધારિત વાતોને સૌ વધાવી લીધી હતી.

માનવતા માટે નાણાંનો અવિરત સ્ત્રોત વહેવડાવનાર રોટેરિયન મિત્રોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અધિવેશનના બીજા દિવસે લેફટનન્ટ કર્નલ કે. જે. એસ. ધિલ્લોને “કહાની : ઝમીર અને ઝનૂન કી” વિષય પર ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ડિરેકટર મનોજભાઈ દેસાઈની સાથે રહીને રસપ્રદ પ્રશ્નોત્તરીના સથવારે સૌને અત્યાર સુધી નહિ ખબર હોય તેવી અનેક વાતોને પ્રસ્તુત કરી હતી.

વંદે ભારત ટ્રેનના પ્રેરણાસ્ત્રોત સમા સુધાંશુ મણિએ ઝુમના માધ્યમ દ્વારા “લીડરશીપ અને ઇનોવેશન” વિષય પર અસરકારક વકતવ્ય પ્રસ્તુત કર્યું હતું.

આ અધિવેશનના મુખ્ય આકર્ષણ સમા કેરલના રાજ્યપાલ શ્રી આરિફ મહંમદ ખાને પોતાની વિધ્વત્તાભરી શૈલીમાં “જીવનના મૂલ્યો”ને સમજાવ્યા હતા અને દેશની નામાંકિત સંગીત કલાકાર સન્મુખા પ્રિયાએ અભૂતપૂર્વ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરીને સૌને ડોલાવી દીધા હતા.

અધિવેશનના ત્રીજા દિવસે જાણીતા ડાયેટિશિયન જીનલ શાહે “આદર્શ જીવનશૈલી” વિષય પર અર્થસભર વાતો પ્રસ્તુત કરી હતી. ખાસ કરીને માણસના આરોગ્યને તંદુરસ્ત રાખવા માટે કયા પ્રકારના ખોરાકો ખાવા જોઈએ અને કયા પ્રકારના ખોરાકો નહિ ખાવા જોઈએ તે વિષયે ઊંડાણથી સમજ આપી હતી.

હિંદી ફિલ્મ જગતના મહાન હાસ્ય કલાકાર રાકેશ બેદીએ “આપણા સૌના મૂળિયા” (Roots) વિષય પર સતત ૪૫ મિનિટ સુધી અકલ્પનિય પ્રવચન આપ્યું હતું.

રોટરીના મૂળભૂત સાત સિદ્ધાંતો અને તેના અસરકારક પાલનને કારણે સમાજને થઇ રહેલા ફાયદાઓ વિશે વિવિધ વિશેષજ્ઞોએ અર્થસભર વકતવ્યો પ્રસ્તુત કર્યા હતા. જેમાં ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ડિરેકટર કમલ સંઘવી સહિત અન્ય મહાનુભાવોનો સમાવેશ થયો હતો.

આ કોન્ફરન્સને સફળ બનાવવા માટે કોન્ફરન્સ ચેરમેન કેતન પટેલ (વાપી), કોન્ફરન્સ કો-ચેરમેનો શ્રીમતી રાનુબેન અજમેરા (ધુલિયા) અને ચિરાગ ગાંધી (સુરત), કોન્ફરન્સ સેક્રેટરી પંકજ શાહ (વડોદરા), રોટરી કલબ ઓફ સુરત તાપીના પ્રમુખ નિધી પચ્ચીગર (સુરત), ડિસ્ટ્રિકટ સેક્રેટરી રૂપલ દામાણી અને કોન્ફરન્સની સમગ્ર ટીમે નિષ્ઠાવાન પ્રયત્નો કરીને આ કોન્ફરન્સને સફળ બનાવી હતી.

November 13, 2024
જૈવલ.png
1min397

માત્ર 4 વર્ષની ઉંમર ધરાવતા નાનકડા ટાબરીયા જૈવલ વિપિન સોહલે એક અકલ્પ્ય રેકોર્ડ સ્થાપી દીધો છે. શહેરના કેનાલ રોડ પર આવેલી જી.ડી.ગોએન્કા સ્કુલમાં નર્સરીમાં અભ્યાસ કરતા જૈવલ વિપિન સોહલે 1 મિનિટને 34 સેકન્ડમાં 50 દેશોના નેશનલ ફ્લેગ (રાષ્ટ્રધ્વજ) ઓળખી બતાવતા આ પ્રતિયોગિતા નિહાળનારા તેમજ હવે આ સમાચાર જોઇ રહેલા, વાંચી રહેલા લાખો લોકો અચંબામાં પડી રહ્યા છે.

4 વર્ષની ઉંમરનું બાળક માંડ 1થી 20ના આંકડા કે આલ્ફાબેટની પાપા પગલી ભરી શકતા હોય એ ઉંમરે સામાન્ય માણસે નામ ન સાંભળ્યું હોય એવા દેશોના રાષ્ટ્રધ્વજને ઓળખી બતાવવા એ અદ્વિતીય અને વિરલ સિદ્ધી છે અને તેના માટે તેને રેકોર્ડ બુકમાં સ્થાન પણ મળ્યું છે.

જૈવલ વિપિન સોહલે 50 દેશોના રાષ્ટ્રધ્વજ ઓળખી બતાવવામાં માત્ર 94 સેકન્ડ એટલે કે એક રાષ્ટ્રધ્વજ ઓળખવામાં બે સેકન્ડથી પણ ઓછો સમય લીધો છે. આ એક અદ્વિતીય સિદ્ધિ છે

જૈવલના મધર જુહી અગ્રવાલે જણાવ્યું હતું કે તેમને માહિતી મળી હતી કે વર્લ્ડવાઇડ બુક ઓફ રેકોર્ડઝમાં જૈવલનો 50 દેશોના રાષ્ટ્રધ્વજને ઓળખી બતાવતો વિડીયો અપલોડ કરી શકાય. જેથી તેમણે જૈવલનો વિડીયો અપલોડ કર્યો હતો જેને એપ્રુવલ આપ્યા બાદ વર્લ્ડ વાઇડ બુક્સ ઓફ રેકોર્ડઝ તરફથી સર્ટિફિકેટ પણ મોકલવામાં આવ્યું છે.

November 8, 2024
sumullogo.jpg
1min218

સુરત સ્થિત સુમુલ ડેરી મેનેજમેન્ટ વતી તમામને દિવાળીની અનેક શુભકામનાઓ તેમજ ગુજરાતીઓને નવા વર્ષની અનેકાનેક શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

October 7, 2024
setu-foundation-1280x720.jpeg
1min321

સેતુ ફાઉન્ડેશન નું એક ડેલિગેશન ચેરમેન શ્રી હેતલ મેહતા ના નેજા હેઠળ યુરોપ ના ફ્રાન્સ અને સ્વિટ્ઝર્લૅન્ડ ખાતે ગયું હતું. જેમાં સેતુ ફોઉન્ડેશન ના ડિરેક્ટર શ્રી પંકજ ત્રિવેદી, એક્ઝીક્યુટીવ ડિરેક્ટર તેમજ સેતુ ના આઈ પી એફ સી ( મિનિસ્ટ્રી ઓફ એમ એસ એમ ઈ દ્વારા સ્થાપિત) ના હેડ શ્રીમતી વિજયા માહેશ્વરી તેમજ સી આઈ આઈ ના આઈ પી એફ સી ( મિનિસ્ટ્રી ઓફ એમ એસ એમ ઈ દ્વારા સ્થાપિત) ના હેડ અને ડિરેક્ટર શ્રી અનિલ પાંડે સામેલ હતા.

ફ્રાન્સ ખાતે ફ્રાન્સ ઇન્ડિયા બિઝનેસ ડે નીમ્મીતે ભારત-ફ્રાન્સ વેપાર સંવાદમાં સક્રિય ભાગીદારી કરી બંને દેશોના વચ્ચે વેપારિક સહકારને પ્રોત્સાહન આપી નવા રોકાણના અવસરો માટે વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી જેમાં ઘણા નવા વેપોરો ની શક્યતા ઉદ્ભવી હતી.

ત્યાર બાદ જીનીવા, સ્વિટ્ઝર્લેન્ડ ખાતે યુનાઇટેડ નેશનના વર્લ્ડ ઇન્ટેલેક્ટ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન (WIPO) દ્વારા આયોજિત ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ ૨૦૨૪ ના લોન્ચ પ્રોગ્રામ માં ભારત નું પ્રતિનિધિત્વ કર્યું હતું જ્યાં દુનિયા ભર ના વિવિધ ઇનોવેશન અને વૈજ્ઞાનિક સિદ્ધિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું તેમજ ભવિષ્ય ના સોશ્યિલ ઇનોવેશન એન્ટરપ્રિનીરશીપ ઈન્ડેક્સ પર વિવિધ દેશો દ્વારા ચર્ચા થઇ હતી જેમાં સેતુ ફોઉન્ડેશન ના ચેરમેન દ્વારા ભારત દેશ ના સોશ્યિલ ઇનોવેશન એન્ટરપ્રિનીરશીપ ઈન્ડેક્સ પર પ્રેઝન્ટેશન આપ્યું હતું અને કહ્યું હતું કે “આ ભારત માટે ગર્વનો ક્ષણ છે, ગ્લોબલ ઇનોવશન ઇન્ડેક્સમાં ભારતનું સામેલ થવું એ આપણા દેશના ઇનોવેશન અને ટેકનીકી ક્ષમતા વધારવાની શક્તિનું પુરાવો છે.

ત્યાર બાદ યુનિટેડ નેશન ના વર્લ્ડ ઇન્ટેલેક્ટ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન ના એકેડમિક વિભાગ જોડે સ્પેશ્યલ મિટિંગ કરી ભારત ખાતે નાના ઉદ્યોગકારો માટે ના લોકલ ભાષા માં સ્પેશ્યલ કોર્ષ ચાલુ કરવા માટે રજુઆત કરી હતી.

સેતુ ફાઉન્ડેશનની આ પહેલ માત્ર ભારતીય વેપારી સમુદાય માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ આ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ઓળખને પણ મજબૂત બનાવશે। ગયા કેટલાક વર્ષોમાં, ભારતે ઇનોવેશનના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે।

સેતુ ફાઉન્ડેશનનો આ પ્રવાસ ભારતના ઇનોવેશન ક્ષેત્રમાં એક માળખાકીય પાયે લક્ષ્ય બનશે અને આ વૈશ્વિક સ્તરે ભારતની ટેકનીકી ક્ષમતાને વધુ મજબૂત બનાવશે. 2024માં, ભારતની ઇનોવેશન ક્ષમતા ને વધુ ઊંચાઈઓ પર લઇ જવાનો લક્ષ્ય છે, અને આ સંકેત છે કે ભારત વૈશ્વિક ઇનોવેશન ના ફિલ્ડ માં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.

October 4, 2024
nirav-mandlewala.jpeg
1min234

શ્રી નિરવ માંડલેવાલાને FICCI CMSMEના સુરત ( ગુજરાત) ચેપ્ટરના કો–ચેરમેન તરીકે દક્ષિણ ગુજરાતના MSME ઉદ્યોગોના ઝડપી વિકાસની જવાબદારી સોંપાઇ

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI)ના વર્ષ ર૦ર૪–રપના માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલાની ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી FICCI CMSME (કોન્ફેડરેશન ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસ)ના સુરત (ગુજરાત) ચેપ્ટરના કો–ચેરમેન તરીકે વરણી કરાઇ છે. FICCI – CMSMEના સુરત (ગુજરાત) ચેપ્ટરના કો–ચેરમેન તરીકે શ્રી નિરવ માંડલેવાલાને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના એમએસએમઇ ઉદ્યોગોના ઝડપી વિકાસની જવાબદારી સોંપવામાં આવી છે.

ડિસેમ્બર ર૦૧૩માં સ્થપાયેલી કોન્ફેડરેશન ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસ (CMSME) એ ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ની એક સંલગ્ન સંસ્થા છે, જે ભારતના ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા તરીકે ઓળખાય છે. આ સંસ્થાનો હેતુ ભારતીય MSMEsને સક્ષમ બનાવવા અને તેમની સ્પર્ધાત્મકતા વિકસાવવા માટેનો છે.

આ સંસ્થા સુક્ષ્મ, નાના તથા મધ્યમ ઉદ્યોગોના સર્વાંગી વિકાસ કરવાના હેતુથી તેઓને મેન્ટર્સ, ઇન્કયુબેટર્સ અને એકસેલરેટર્સ સાથે જોડવાનું કામ કરે છે. એમએસએમઇઝને વિવિધ સરકારી યોજનાઓનો લાભ અપાવવા માટે મદદરૂપ થાય છે. આ ઉપરાંત એમએસએમઇ ક્ષેત્રની કાર્યક્ષમતા પર અસર કરે તેવી નીતિ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવે છે અને તેઓના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને તેમજ અન્ય સંબંધિત વિભાગો તથા બેંકોને રજૂઆતો કરવામાં આવે છે.

કોન્ફેડરેશન ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસ (CMSME) દ્વારા એમએસએમઇઝને સરકારી યોજનાઓથી તથા ગ્લોબલ ટ્રેન્ડથી માહિતગાર કરવા માટે વિવિધ વર્કશોપ્સ, મોટા ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે રાઉન્ડ ટેબલ મિટીંગો કરવામાં આવે છે. જેના ભાગ રૂપે આ સંસ્થા દ્વારા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે મળીને જાન્યુઆરી ર૦રપમાં ગુજરાત એમએસએમઇ સમિટ– ર૦રપનું સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લઘુ ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવામાં આવશે.

July 23, 2024
mitish-modi.jpeg
1min249

વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાની નેમ પણ અર્થવ્યવસ્થા માટે
મજબુત બજેટને બદલે મજબૂર બજેટ

“વિકસિત ભારત” ના સ્વપ્નને સાકાર કરવાની નેમ પણ અર્થવ્યવસ્થા માટે
“મજબુત બજેટ” ને બદલે ‘મજબૂર બજેટ” — સીએ. મીતિશ મોદી

૩.૦ મોદી સરકારમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીથારમને આજે સંસદમાં સતત સાતમી વખત કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરીને ઈતિહાસ સર્જ્યો છે. વચગાળાના બજેટ પછી લોકસભાની ચૂંટણી અને પરિણામો પછી આજે નાણામંત્રીશ્રીએ રોજગારી, સ્કીલીંગ, એમ.એસ.એમ.ઈ. એકમો અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રીશ્રીનું પાંચ વિવિધ સ્કીમોવાળું પેકેજને સમાવેશ કરતું સામાન્ય બજેટ મુક્યું. આવનારા પાંચ વર્ષોમાં ૨ લાખ કરોડનાં ખર્ચાને પરિણામે ૪.૧ કરોડ યુવા વર્ગને આ પાંચ વિવિધ સ્કીમોનો લાભ થશે, એવો આશાવાદ દર્શાવ્યો છે. સમગ્ર બજેટને જોતાં, નાણામંત્રીશ્રીએ નવ પાયાના સ્તંભોને અગ્રીમતા આપતું “વિકસિત ભારત”નું સ્વપ્ન સાકાર કરવાના પ્રયાસરૂપે વિવિધ જોગવાઈઓ અને દરખાસ્તો સાથે અંદાજપત્ર રજુ કર્યું છે.

છેલ્લાં ત્રણ મહિનામાં જ્યારે વ્યક્તિગત ઇન્કમટેક્ષ અને કોર્પોરેટ ટેક્ષનું કલેક્શન વિક્રમી દરે વધ્યું હોય અને પરિણામે રાજકોષિય ખાધ ઘટાડવામાં રાહત મળી હોય ત્યારે દેશનો મધ્યમ વર્ગનો સામાન્ય નાગરિક આ અંદાજપત્રમાં મોંઘવારી, રોજગારીની ઉમદા તકો, આરોગ્યની નિશુલ્ક સવલતો, રહેઠાણની સમસ્યાઓ વગેરે સળગતા પ્રશ્નો માટે ખુબ જ આશાવાદી હતો, પરંતુ અંતે નિરાશા સાંપડી છે.

ભારતમાં દેશની આર્થિક વ્યવસ્થાનો મુખ્ય આધાર ખેતીક્ષેત્ર રહ્યું છે. ખેતીક્ષેત્રના વિકાસને જેટલી અગ્રિમતા આપવામાં આવે તેટલી ઝડપથી અન્ય ક્ષેત્રો અને દેશની અર્થવ્યવસ્થા મજબુત બને. નાણામંત્રીશ્રીએ આજના બજેટમાં “કુદરતી ખેતી”ને ભાર મુકીને આવનાર બે વર્ષમાં એક કરોડ જેટલા ખેડૂતોને લાભ મળશે, એવી દરખાસ્ત મૂકી છે. તે ઉપરાંત, સહકારી સંસ્થાઓ અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપી ખેતપેદાશોનું એકત્રીકરણ, સ્ટોરેજ અને માર્કેટિંગને પ્રોત્સાહન આપી વેજીટેબલ ઉત્પાદન અને સપ્લાય ચેઈન વિકસાવવા જાહેર કર્યું છે. આ સાથે સહકારી ક્ષેત્રને વધુ મજબુત કરવા “રાષ્ટ્રીય સહકાર પોલીસી” અમલમાં લાવી ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબુત કરી રોજગારની તકો ઉભી કરવા ૧.૫૨ લાખ કરોડની ફાળવણી કરી છે. ખેતી ક્ષેત્રને વિકસાવવા રજુ કરેલી દરખાસ્તો આવકારદાયક છે, પરંતુ સંપુર્ણતઃ સંતોષકારક નથી. આજે રજુ કરેલા અંદાજપત્રમાં, ઓર્ગેનિક ઇન્સ્યુરેન્સ સબસીડીમાં વધારો, કોલ્ડ સ્ટોરેજ તેમજ ઉત્પાદન અને વિતરણ માટેની માળખાગત સુવિધાઓ માટે વધુ ફાળવણી ન કરતાં ખેતીક્ષેત્રે અને ખાસ કરીને, સહકારની ક્ષેત્રને અન્યાય થયેલો ફલિત થાય છે.
ખેતીક્ષેત્રને પ્રોત્સાહિત કરવા ટ્રેક્ટરો અને ખેતીના સાધનો પર હાલમાં ૧૨ ટકા જી.એસ.ટી. અને જંતુનાશક દવાઓ ઉપર ૧૮ ટકા જી.એસ.ટી. નાબૂદ કરી હોત તો જી.એસ.ટી. મુક્ત ખેતી વ્યવસ્થા કરી પ્રધાનમંત્રીના ખેડૂતોના આવકને બમણી કરવાના સ્વપ્નને સાકાર કરવા આ અંદાજપત્ર મારફતે સાનુકુળતા ઉભી થઇ શકી હોત. તે ઉપરાંત, વર્ષ ૨૦૦૬-૦૭ માં પાક લોન સ્કીમની મર્યાદામાં વધારો કરતી દરખાસ્ત ન દેખાતા પાક ધિરાણ પર વ્યાજનો બોજ એ સહન કરવાનો રેહશે. કોવીડ સમય દરમિયાન સ્મોલ સ્કેલ ઇન્ડ અને ફર્ટીલાઈઝર ઇન્ડસ્ટ્રી પર સબસીડી બંધ કરવામાં આવી હતી, જેને પરિણામે ખાદ્યની કિમતો આસમાન પર પહુંચી છે. આ બજેટમાં નાણામંત્રીશ્રીએ સબસીડી પુનઃ ચાલુ કરવાની કોઈ દરખાસ્ત ન મુકતા ખેતીક્ષેત્રનો વિકાસ રૂંધાશે.

નાણામંત્રીશ્રીએ પોતાની અંદાજપત્રની રજુઆતમાં બિહાર, અન્ધ્રાપ્રદેશ, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યો માટે ૨૬૦૦૦ કરોડ અને પાવર પ્લાન્ટ અર્થે ૨૧૪૦૦ કરોડની ફાળવણી કરતી જાહેરાત કરી છે. પ્રથમ દ્રષ્ટીએ જોતા ફલિત થાય છે કે ૩.૦ મોદી સરકારે અન્ય રાજકીય પક્ષો સાથે જોડાણ આવશ્યક બનતાં વિકાસશીલ અને ગતિશીલ અર્થવ્યવસ્થાની મજબૂતાઈને બાજુએ મુકીને “મજબૂર બજેટ” રજૂ કરવાની નોબત આવી છે. અલબત્ત, એમ્પ્લોયમેન્ટ બોન્ડ ઇન્સેન્ટીવને અગ્રિમતા ભવિષ્યમાં સાનુકુળ વિકાસ સર્જે એવી જણાય છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વધારાના ત્રણ કરોડ ઘરો આપવાની દરખાસ્ત ગમે એવી છે. પરંતુ, રીઅલ એસ્ટેટ ઇન્ડસ્ત્રીને ઉદ્યોગનો દરજ્જો આપતો કોઈ દરખાસ્ત આ બજેટમાં જણાતી નથી. સરકાર એકબાજુ સામાન્ય લોકોને આવાસ સસ્તાદરે મળે એવી વાતો કરે છે પરંતુ રીઅલ એસ્ટેટ સેકટરને ઉદ્યોગનો દરજ્જો ન મળતા જમીનો મોંઘી બને છે અને પરિણામે, સામાન્ય ગરીબ નાગરિકોને માટે મકાન લેવું કઠિન બન્યું છે. હાલમાં, હોઉંસિંગ લોન પર વ્યાજ ડીડકશન લીમીટ ૨ લાખ છે તે વધારીને ૫ લાખ સુધી કરી હોત તો રીઅલ એસ્ટેટ સેકટરને પ્રોત્સાહન મળ્યું હોત.
ઇન્કમટેક્ષ કાયદાને લગતી દરખાસ્તોને જોતાં અમુક રાહતો જેવી કે નવા કર માળખામાં સ્લેબમાં સાનુકૂળ ફેરફારો, પગારદાર અને પેન્શનરોને સ્ટાન્ડર્ડ ડીડકશનની મર્યાદા રૂ.૫૦૦૦૦/- થી વધારીને રૂ.૭૫૦૦૦/-, ફેમિલી પેન્શન ફંડફાળાની મર્યાદા રૂ. ૧૫૦૦૦/- થી વધારીને રૂ. ૨૫૦૦૦/-, ટી.ડી.એસ.ના વિવિધ દરોમાં ઘટાડો, દરોડાના આકારણી કેસોની મર્યાદા ઘટાડીને છ વર્ષની દરખાસ્ત, ભાગીદારોને ચુકવાતા પગારની મજરે મળવાપાત્ર રકમની મર્યાદામાં વધારો વગેરે નાના કરદાતાઓને “ફિલગુડ” ની લાગણી પ્રેરે છે.

પરંતુ ટેક્ષટાઈલ ગેઇન ટેક્ષનો બોજ વધારો ખાસ કરીને, શેર-સિક્યુરીટીઝ, અને ફંડોને રોકાણો અને તેનાં વેચાણના વ્યવહારો કરનારા કરદાતાઓ માટે અસહ્ય બનશે.

સુક્ષ્મ, નાના અને મધ્યમ કદના એકમોને લગતા ઘણાં સુધારાઓ આવકારદાયક છે. જેવી કે ક્રેડીટ ગેરંટી સ્કીમ હેઠળ અરજદાર એકમ દીઠ રૂ.૧૦૦ કરોડની ફાળવણી, ટર્ન ઓવર કે મિલ્કતોની મર્યાદા ધ્યાનમાં લીધા વગર સ્કીમ હેઠળ મળનારા લાભો, સીડબી (SIDBI) દ્વારા સીધો જ ક્રેડીટ લાભ વગેરે એમ.એસ.એમ.ઈ. એકમોના વિકાસમાં સહાયરૂપ રેહશે, એવું માની શકાય. પરંતુ ઇન્કમ ટેક્ષ કાયદાની કલમ ૪૩બી માં ગતવર્ષે આવેલા સુધારાને કારણે ટેક્ષટાઈલ ઉદ્યોગને ખુબ જ મોટી હાલાકી ભોગવવી પડેલ છે. વેપાર, ધંધા અને ઉદ્યોગને કારણે ઉભી થયેલી મુશ્કેલીઓ “ઈઝ ઓફ ડુઈંગ બિઝિનેસ્સ” ના ખ્યાલથી વિરુદ્ધ છે અને તેથી આવી આકરી જોગવાઈઓ નાબૂદ કરવા જોઈએ એવી રજુઆત અનેક સ્તરેથી કરવામાં આવી છે. કમનસીબે, આ બજેટમાં નાણામંત્રીશ્રીએ કોઈ સાનુકુળ સુધારો કરતી દરખાસ્ત મૂકી નથી. વૈકલ્પિક રીતે, નાણામંત્રીશ્રીએ એમ.એસ.એમ.ઈ. ડેવેલોપમેન્ટ એક્ટ, ૨૦૦૬ માં સુધારો કરી ૪૫ દિવસમાં ચુકવણી કરવાના નિયમને લગતા ઝઘડાઓ દૂર કરવા એક “ઓનલાઈન ડિસ્પુટ રેસોલ્યુશન સ્કીમ” શરુ કરતી દરખાસ્ત મુકવી જોઈતી હતી પરંતુ આ બાબતે ઉદ્યોગ જગતમાં ભારે નિરાશા સાંપડી છે. એમ.એસ.એમ.ઈ. એક્ટ અને ઇન્કમ ટેક્ષની આકરી જોગવાઈઓને લીધે વેપારી અને ઉદ્યોગકારોને આર.બી.આઈ.ના બેઝ દરના ત્રણ ગણા દરે મોડી કરેલી ચુકવણી પર વ્યાજ ભોગવવી પડે છે. એમ.એસ.એમ.ઈ.ને પ્રોત્સાહિત કરવા માટે દેશમાં “સેન્ટર્સ ઓફ એક્ષલેન્સ” ચાલુ કરવાની જોગવાઈ જો લાવી હોત તો એક્ષ્પોર્ટસને વધુ પ્રોત્સાહન મળી શકે તેમ છે.

પાછલા બજેટમાં ટેક્ષ સ્ટ્રકચરમાં વૈકલ્પિક બે કર માળખા દાખલ કરીને કોઈ ડીડકશન મળ્યા નથી. સામાન્ય કરદાતાને આવા કર માળખાને બદલે કરપાત્ર આવકમાંથી વધુ ડીડકશન મળે એવી દરખાસ્ત આવે તો વ્યક્તિગત કરબોજ ઓછો થાય. હાઉસિંગ રોકાણ બાબતે ટેક્ષમાંથી લાભ દરેક કરદાતા મેળવી શકતો નથી અને તેથી જ કરબોજ ઘટવાને બદલે પ્રમાણસર વધ્યો છે. તેથી આ બજેટમાં કરપાત્ર આવકમાંથી કરદાતાને વિવિધ ડીડકશન રીતે રાહત મળવાની દરખાસ્તો વધુ લાભકારક અને આવકારદાયક બન્યો હોત. ફેસલેસ એસેસમેન્ટ અને અપીલની નવી જોગવાઈઓ દાખલ કરી હોવા છતાં બિનજરૂરી હેરાનગતિરૂપ ટેક્ષ ડિમાન્ડ અને તેની રિકવરીનો ભોગ સામાન્ય કરદાતા બન્યો છે. આવા ટેક્ષ ટેરરિઝમમાંથી સામાન્ય કરદાતાને મુક્ત કરી “ઈઝ ઓફ ડુઈંગ બિઝિનેસ્સ” ના સરકારના ખ્યાલને ટેકો આપતી દરખાસ્ત ન આવતા વેપારીઓ ઉદ્યોગકારો અને સામાન્ય કરદાતા મુકપ્રેક્ષક બન્યો છે. — સીએ. મીતિશ મોદી

July 23, 2024
gjepc-logo.png
2min253
Budget 2024: GJEPC Hails Modi Government's Budget As Game Changer For Gems  and Jewellery Industry

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC), જેમ્સ એન્ડ જ્વેલરી માટે ભારતની સર્વોચ્ચ વેપાર સંસ્થા GJEPC એ નાણા પ્રધાન શ્રીમતી Nirmala Sitaraman દ્વારા રજૂ કરાયેલ વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 3.0 સરકારના પ્રથમ કેન્દ્રીય બજેટને આવકાર્યું હતું. નિર્મલા સીતારમણ સાતમી ઐતિહાસિક વખત રજૂ કરેલું બજેટ સ્વદેશી રત્ન અને ઝવેરાત ઉદ્યોગ માટે ગેમ ચેન્જર તરીકે પુરવાર થશે.

જીજેઇપીસીએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે નાણામંત્રીએ સ્વીકાર્યું કે ભારત હીરા કટીંગ અને પોલિશિંગ ઉત્પાદનમાં વિશ્વમાં અગ્રેસર છે, જે દસ લાખથી વધુ કુશળ કામદારોને રોજગારી આપે છે. GJEPCએ જણાવ્યું હતું કે રફ ડાયમંડ ટ્રેડિંગ પર ઇક્વલાઇઝેશન લેવી નાબૂદ અને સલામત હાર્બર ટેક્સની જાહેરાતથી ભારતનો વિકાસ સૌથી મોટા રફ ડાયમંડ ટ્રેડિંગ સેન્ટર તરીકે જોવા મળશે કારણ કે તમામ વિદેશી માઇનિંગ કંપનીઓ હવે ભારતમાં ડાયમંડ કટિંગ અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓને સીધા રફ ડાયમંડનું વેચાણ વેપાર કરશે. આમ નાના ઉત્પાદકોને હીરાની હરાજીમાં ભાગ લેવા માટે વિદેશ પ્રવાસની જરૂર વગર ડાયમંડ ખાણ કંપનીઓ પાસેથી સીધા ભારતમાં કાચા હીરાના જથ્થાની ખરીદીનો ઍક્સેસ મળશે.

GJEPC રફ હીરાના વેચાણ પર 2% ઇક્વલાઇઝેશન લેવી (EL)માંથી ડાયમંડ સેક્ટરને બાકાત રાખવાના નાણાંમત્રીના નિર્ણયને આવકારે છે. આ હીરા ઉદ્યોગમાં ભારતનું નેતૃત્વ જાળવી રાખવામાં અને ઓપરેશનલ ટકાઉપણું સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. સામાન અથવા સેવાઓના ઈ-કોમર્સ સપ્લાય માટે વિચારણાના 2 ટકાના દરે ઇક્વલાઇઝેશન લેવી હવે 1લી ઓગસ્ટ, 2024ના રોજ અથવા તે પછી લાગુ થશે નહીં.

વિદેશી ડાયમંડ માઇનિંગ કંપનીઓ દ્વારા સ્પેશિયલ નોટિફાઇડ ઝોન (SNZs)માં હીરાના વેચાણ પરના કર વેરા નિયમોને સરળ બનાવવાની GJEPCની લાંબા સમયથી ચાલતી ભલામણને નાણાં મંત્રી દ્વારા સ્વીકારવામાં આવી છે અને અમારા હીરા ઉત્પાદકો દ્વારા રફ હીરાની ઓનલાઈન બિડિંગ માટે સમાનતા વસૂલાત નાબૂદ કરવામાં આવે છે તે ગેમ ચેન્જર છે.

GJEPC દેશમાં રફ હીરાનું વેચાણ કરતી વિદેશી ખાણકામ કંપનીઓ માટે સલામત હાર્બર રેટ પ્રદાન કરવા અને સમાનીકરણ વસૂલાત નાબૂદ કરવાના સરકારના પ્રસ્તાવને આવકારે છે. આનાથી ભારત બેલ્જિયમ અને દુબઈ જેવા વૈશ્વિક વ્યાપારી કેન્દ્રો સાથે સમાન સ્તર પર આવશે. આ રત્ન અને ઝવેરાત ક્ષેત્રના વિકાસને વધુ પ્રોત્સાહન આપશે. સર્વોચ્ચ વેપાર સંસ્થા તરીકે, GJEPC તે જ માંગે છે અને આ બાબતે બજેટ પૂર્વે ઘણી ભલામણો કરી છે.

નાણાં મંત્રીએ બજેટમાં જાહેરાત કરી છે કે SEZs દ્વારા સંચાલન કરવા માટે હકદાર એન્ટિટીઝના વિસ્તારને વિસ્તૃત કરશે. SEZ ની સ્થાપના મુખ્ય ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી કે રફ હીરાની પ્રાપ્તિમાં કાર્યક્ષમતા ઊભી કરીને વિદેશી હીરાની ખાણકામ કરતી કંપનીઓને આવા SEZs દ્વારા ભારતીય ઉત્પાદકોને તેમની પેદાશો સીધા વેચવાની મંજૂરી આપીને રફ હીરાની સરળ ઉપલબ્ધતા મળી શકે. બેલ્જિયમ અને દુબઈ જેવા દેશોમાં વેચાણની મંજૂરી છે, જ્યારે દુબઈમાં પ્રદર્શિત રફ હીરાના વેચાણ પર કોઈ સીધો કર નથી અને બેલ્જિયમમાં વેચાણ પર 0.187% ટર્નઓવર ટેક્સ છે. GJPEC એ જયપુરમાં રફ રત્ન માટે SEZ ની સ્થાપનાની દરખાસ્ત કરી છે. મુંબઈ અને સુરતમાં આ SEZ સાથે, કાચા માલની ઉપલબ્ધતાના નિર્ણાયક મુદ્દામાં ઘણી રાહત થશે.

GJEPC એ દેશમાં સોના અને કિંમતી ધાતુના દાગીનામાં સ્થાનિક મૂલ્યવૃદ્ધિ વધારવા માટે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% અને પ્લેટિનમ પર 6.4% કરવાની નાણાં મંત્રીની દરખાસ્તને બિરદાવી છે. ભારતના હીરા અને ઝવેરાત ઉદ્યોગ સોના, હીરા, ચાંદી અને રંગીન રત્નો સહિત તેના કાચા માલ માટે આયાત પર ભારે આધાર રાખે છે. આ સામગ્રીને દેશમાં લાવવામાં આવે છે અને વિશ્વભરમાં નિકાસ કરવામાં આવે તે પહેલાં તેને કટીંગ અને પોલિશ કરવામાં આવે છે અથવા ફિનિશ્ડ જ્વેલરીમાં રૂપાંતરિત કરવામાં આવે છે. સર્વોચ્ચ સંસ્થા તરીકે, GJEPC નિકાસને વધારવા માટે તેની પ્રી-બજેટ ભલામણોમાં આ ઘટાડાની માંગ કરી રહી હતી. સોના, ચાંદી અને પ્લેટિનમની ડ્યુટીમાં ઘટાડો સુનિશ્ચિત કરશે કે લગભગ રૂ. 982.16 કરોડ રિલીઝ થઈ શકે છે જેના પરિણામે નિકાસકારોના હાથમાં વધુ કાર્યકારી મૂડી આવશે. આ સ્થાનિક સ્તરે જ્વેલરીની વધેલી માંગને કારણે ઉત્પાદનના વિકાસમાં મદદ કરશે અને વધુ કાર્યકારી મૂડી (2 વર્ષના મધ્યમ ગાળામાં US$11 બિલિયનમાંથી ઓછામાં ઓછા US$2 બિલિયન) સાથે સોનાના આભૂષણોની અણઉપયોગી નિકાસ સંભવિતતાનો અહેસાસ થશે.

એફએમએ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા, વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટે કર માળખાને તર્કસંગત બનાવવાના સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો. જન વિશ્વાસ બિલનું સંસ્કરણ 2.0 વ્યવસાય કરવાની સરળતાને વધારશે.

જેમ અને જ્વેલરી ઉદ્યોગમાં MSME અને કારીગરો/કારીગરો ઈ-કોમર્સ નિકાસ હબનો લાભ મેળવશે, જે એક છત નીચે વેપાર અને નિકાસ સંબંધિત સેવાઓની સુવિધા માટે જાહેર ખાનગી ભાગીદારીમાં સ્થાપિત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય બજારોમાં તેમના ઉત્પાદનોનું વેચાણ કરવા માટે, આ હબ, સીમલેસ રેગ્યુલેટરી અને લોજિસ્ટિક માળખા હેઠળ, એક છત હેઠળ વેપાર અને નિકાસ સંબંધિત સેવાઓને સુવિધા આપશે. કારીગરો અને કારીગરોને PM વિશ્વકર્મા, PM સ્વનિધિ, રાષ્ટ્રીય આજીવિકા મિશન અને સ્ટેન્ડ-અપ ઈન્ડિયા જેવી યોજનાઓને આગળ વધારવાનો લાભ મળશે.

રાજ્ય સરકાર સાથે મળીને ઔદ્યોગિક પાર્કની સ્થાપના કાઉન્સિલ દ્વારા નવી મુંબઈમાં વિકસાવવામાં આવી રહેલા પાર્ક ઉપરાંત દેશભરમાં જેમ એન્ડ જ્વેલરી પાર્કના વિકાસને પ્રોત્સાહન આપશે. ઔદ્યોગિક કામદારો માટે રહેઠાણ જેવા ડોર્મ સાથેના ભાડાના આવાસના સંદર્ભમાં એફએમની દરખાસ્ત PPP મોડમાં આવકાર્ય છે.

એફએમએ જણાવ્યું હતું કે વિદેશી પ્રત્યક્ષ રોકાણો (FDIs) માટે નિયમો અને માન્યતા તેમના પ્રવાહને સરળ બનાવવા માટે સરળ બનાવવામાં આવશે. આ પગલાનો હેતુ વિદેશી રોકાણ માટે રૂપિયાના ઉપયોગને પ્રાથમિકતા આપવા અને પ્રોત્સાહન આપવાનો છે. એફએમના કેન્દ્રીય બજેટે દર્શાવ્યું હતું કે સરકાર ભારતીય રૂપિયાને વિશ્વની વૈકલ્પિક અનામત ચલણ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.

MSMEs દ્વારા શ્રમ-સઘન ઉત્પાદન પર બજેટનો ભાર – જે રત્ન અને ઝવેરાત ઉદ્યોગનો 80% ભાગ ધરાવે છે – તેમને વૈશ્વિક સ્તરે વૃદ્ધિ અને સ્પર્ધા કરવામાં મદદ કરશે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ક્રેડિટ ગેરંટી સ્કીમ MSMEsને મશીનરી અને સાધનોના આધુનિકીકરણ માટે પ્રોત્સાહન આપશે.

સરકારે રોજગાર સાથે જોડાયેલ કૌશલ્ય પર મોટો દબાણ આપ્યું છે અને તેનાથી સ્વદેશી રત્ન અને ઝવેરાત ઉદ્યોગના 5 મિલિયનથી વધુ કર્મચારીઓને ફાયદો થશે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોજગાર સર્જનને પ્રથમ વખતના કર્મચારીઓની રોજગાર સાથે જોડાયેલી સ્કીમ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે. અમે આશા રાખીએ છીએ કે કર્મચારીઓમાં વધુ મહિલાઓ માટે સરકારનું પગલું અને મહિલા કામદારો માટે જાહેર કરાયેલ પહેલો વધુ મહિલાઓને જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં જોડાવા માટે પ્રેરણા આપશે.

ખાસ કરીને પૂર્વ ભારતમાં હાલના અને નવા ઔદ્યોગિક કોરિડોર પર સરકારનું ધ્યાન GJEPCને નિકાસ માટે નવા જેમ અને જ્વેલરી ક્લસ્ટરોને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.

રૂ.ની ફાળવણી 5 વર્ષના સમયગાળા માટે 4.1 કરોડ યુવાનો માટે રોજગાર અને કૌશલ્યની સુવિધા માટે 2 લાખ કરોડ રૂપિયા ભારતીય જેમ અને જ્વેલરી ઉદ્યોગના 5 મિલિયનથી વધુ શ્રમ દળમાં નવા કામદારોને લાભ થશે. નવા પ્રવેશકારો માટે ડાયરેક્ટ બેનિફિટ સ્કીમ વધુ યુવાનોને જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરશે.

નાણાપ્રધાનનું બજેટ મુખ્યત્વે ભૂમિ, શ્રમ, મૂડી અને ઉદ્યોગસાહસિકતા માટેના આર્થિક સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેથી રોજગારમાં વધારો થાય, ખાસ કરીને જેમ્સ અને જ્વેલરી જેવા ભારતમાં શ્રમ સઘન ક્ષેત્રો માટે. આ કામદારો અને કારીગરોના કૌશલ્ય વિકાસ માટે પ્રોત્સાહનો અને રોકાણ સાથે મળીને ખરેખર આપણા ક્ષેત્રને પુષ્કળ પ્રોત્સાહન આપશે.

ઉત્પાદન અને સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા સહિતની 9 પ્રાથમિકતાઓ મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતને મદદ કરશે.

July 23, 2024
vijay-mevawala.png
1min211

ભારતના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તા.૨૩ જુલાઈ ૨૦૨૪ના રોજ વર્ષ ૨૦૨૪નું વાર્ષિક બજેટની જાહેરાત કરી હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ બજેટને આવકારતા જણાવ્યું હતું કે, બજેટ સમાજલક્ષી છે તથા આત્મનિર્ભર ભારતની દિશામાં લઈ જવાની ઝુંબેશ તરફ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત ધંધા-ઉદ્યોગની સાથે જ હોર્ટિકલ્ચરનું પણ છે, ત્યારે સરકાર દ્વારા એગ્રીકલ્ચરનું ઉત્પાદન વધારવા માટે બાગાયતી ખેતીમાં ઉપયોગ થતાં ૧૦૯ હાયઈલ્ડીંગ વેરાયટી સીડ ખેડૂતોને આપવાની જાહેરાત કરી છે. તથા કઠોળ અને તેલબીજમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે વિશેષ સ્કીમ આપવામાં આવી છે.

દેશના વિવિધ શહેરોમાં ઈ-કોમર્સ એક્ષ્પોર્ટ હબ પીપીપીના ધોરણે શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ચેમ્બર દ્વારા અગાઉ નાના-શહેરોમાં પીપીપીના ધોરણે એક્ષ્પોર્ટ હબ બને તે માટે માંગણી કરવામાં આવી હતી, જે આ બજેટમાં પૂર્ણ થઈ છે તેમ જણાવ્યું હતું.

તેમણે સરકાર શ્રીએ પડકારજનક સ્થિતીમાં વર્ષ ૨૦૨૪-૨૫માં ફુગાવો દર ૪% થી ઓછો કરવાનો પ્રયત્ન આવકારદાયક ગણાવ્યો હતો. તેમણે નાણાકીય ખાદ્યને ૪.૯% સુધી રાખવાની અને વર્ષ ૨૦૨૬ સુધી ૪% થી ઓછો કરવાનો પ્રયત્નની પણ પ્રશંસા કરી હતી. MSME ઉદ્યોગકારો માટે કરવામાં આવેલ ક્રેડીટ ગેરેન્ટી સ્કીમ પ્લાન્ટ અને મશીનરી ખરીદી કરવા માટે રૂ. ૧૦૦ કરોડ સુધીનું ક્રેડીટ ગેરેન્ટી ફંડ શરૂ કરવાની જાહેરાત કરી હતી. હવે MSME ઉદ્યોગકારોને લોનનું ક્રેડિટ એસેસમેન્ટ એસેસ્ટ બેઝ્ડ નહીં પણ ડિજિટલ ફૂટપ્રિન્ટના એસેસમેન્ટ પર કરવામાં આવશે. માંદા પડેલ ઉદ્યોગોને પણ લોન મળી રહે તેવી જાહેરાત કરવામાં આવી છે.

આ બજેટમાં રોજગારલક્ષી ઘણી યોજનાઓની વાત કરવામાં આવી છે. કૌશલ્ય વિકાસ હેઠળ પણ અનેક જાહેરાતો કરવામાં આવી છે. પાંચ વર્ષમાં ૨૦ લાખ યુવાનોને કૌશલ્ય વિકાસ પ્રોજેક્ટમાં જોડવામાં આવશે. જેમ કે, ઉચ્ચ શિક્ષણ માટે રૂ. ૧૦ લાખ સુધીની લોન અને મોર્ડન શિક્ષણ માટે રૂ. ૭.૫ લાખ સુધીની લોન આપવાની અને ૩% વ્યાજ છૂટની પણ વાત કરવામાં આવી છે. જેથી ભારતની યુવા પેઢી જ્ઞાનની સાથે કૌશલ્યપૂર્ણ બને. ભારત વિવિધ ક્ષેત્રમાં મેન્યુફેક્ચરીંગ હબ બન્યું છે, દેશમાં અત્યાધુનિક મશીનરીઓનું નિર્માણ અને ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે ભારતીય યુવા પેઢી વધુ કૌશલ્યવાન બનશે તો ઉત્પાદનમાં વધુ વૃદ્ધિ થઈ શકશે.

દેશમાં નેશનલ ઈન્ડસ્ટ્રિયલ કોરીડોર હેઠળ ૧૨ ઈન્ડસ્ટ્રિયલ પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ડીએમઆઈસી સુરતમાંથી પસાર થાય છે, ત્યારે એક ઈન્ડસ્ટ્રિયલ પાર્ક સુરતને મળે અને તે  ઉપરાંત દેશની ૧૦૦ સિટીમાં ૧૦૦ ઈન્ડસ્ટ્રિયલ પાર્ક પ્લગ એન્ડ પ્લે હેઠળ લાવવામાં આવશે. તેમાંથી કેટલાક દક્ષિણ ગુજરાતને આપવામાં આવે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી.

બજેટમાં ક્રિટિકલ મિનરલ્સ મિશનની જાહેરાત કરવામાં આવી છે. જે હેઠળ કેટલાક મિનરલ્સ માટે ફરજિયાત રિસાયકલિંગ, રિયુઝની પોલિસી લાવવામાં આવશે. જેમ પ્લાસ્ટિકમાં EPR છે, તેમજ મિનરલમાં પણ EPR પ્રોવિઝન લાવવાની જાહેરાત કરાઈ છે. વિદેશોમાં પણ આવા ક્રિટિકલ મિનરલ્સની માઈન્સ હાંસલ કરવા માટે સરકાર સ્પેશિયલ ફંડ આપશે. આ પગલાંથી ક્રિટિકલ મિનરલ્સમાં આત્મનિર્ભરતા આવશે. સાથે જ આયાતમાં પણ ઘટાડો થવાની સંભાવના છે તેમ ચેમ્બર પ્રમુખે જણાવ્યું હતું.  

ભારતની એનર્જી સિક્યુરિટી માટે પ્લબ સ્ટોરેજ પ્રોજેક્ટની સ્પેશિયલ સ્કીમ લાવવામાં આવશે. જેથી સોલાર ઈન્ડસ્ટ્રીને લાભ મળશે. સ્મોલ મોડ્યુલર ન્યુક્લિયર રિએક્ટર્સ જે ભારત સરકાર પ્રાઈવેટ કંપનીઓ સાથે મળીને સંશોધન કરશે.

એનર્જી એફિસિન્સીના ટારગેટ પણ નવી પોલિસી દ્વારા નિર્ધારિત થશે તથા એ થકી ભારતમાં કાર્બન ટ્રેડિંગ માર્કેટ ઊભું કરવામાં આવશે. સરકાર દ્વારા માળખાગત સુવિધાઓ માટે ૧૧.૧૧ લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે. જેનાથી ભારતીય અર્થવ્યવસ્થાને મોટો બુસ્ટ મળવાની સંભાવના છે. તથા રાજ્ય સરકારોને ઈન્ફ્રા ડેવલપમેન્ટ માટે રૂ. ૧.૫૦ લાખ કરોડ સુધીની ઈન્ટરેસ્ટ ફ્રી લોન કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે, જેથી રાજ્યોના માળખાકીય સુવિધાઓમાં વધારો થશે તથા માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ હાથ ધરવા માટે પ્રાઈવેટ સેક્ટરની કંપનીઓને વાયબિલીટી ગેફ ફંડીંગ સરકાર દ્વારા આપવામાં આવશે. ગ્રામીણ વિસ્તારમાં આવેલી જમીનો માટે આધાર બેઝ્ડ રેકોર્ડ સિસ્ટમ બનાવવામાં આવશે તથા સમગ્ર દેશની જમીન માટે લેન્ડ રેજિસ્ટ્રી બનાવવામાં આવશે. બજેટમાં એક્વાટીક એનિમલ્સ માટેના ખાદ્યાન્ન પરની કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવામાં આવી છે. જેથી એક્વાટીક ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને લાભ મળશે.

ચેમ્બર પ્રમુખે જણાવ્યું કે, બજેટ પર્સનલ ઈનકમ ટેક્સમાં સ્ટાર્ડન્ડ ડિડક્શનની મર્યાદા રૂ. ૫૦ હજારથી રૂ. ૭૫ હજાર કરવામાં આવી, જે ઘણી ઓછી છે. જેના થકી પગારદાર વર્ગને વાર્ષિક ૧૭,૫૦૦નો ફાયદો થવાની સંભાવના છે. જેને ઓછામાં ઓછી રૂ.૧ લાખ કરવાની જરૂર હતી. શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ૧૫% થી વધારી ૨૦% કરાયું છે. લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ પણ ૧૦% થી વધારી ૧૨.૫% ટકા કરવામાં આવ્યું છે. તથા સિક્યુરિટી ટ્રાન્જેક્શન ટેક્સમાં પણ વધારો કરવામાં આવ્યો છે. એકંદરે બજેટ ખેડૂતલક્ષી, મહિલાલક્ષી લાગે છે પણ ટેક્ષ્ટાઈલ ઉદ્યોગકારો માટે કોઈ ખાસ જાહેરાત કરવામાં આવેલ નથી. પરંતુ આગામી સમયમાં ટેક્ષ્ટાઈલ સંબંધિત નવી પોલિસીઓની જાહેરાત થાય તેવા અમે આશાવાદી છીએ.

ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૪નું વાર્ષિક બજેટ સમતોલ અને તમામ વર્ગોને ધ્યાને રાખીને બનાવવામાં આવેલું દૂરંદેશી બજેટ. બજેટમાં સ્ત્રી સશક્તિકરણને ધ્યાનમાં રાખીને મહિલાઓ અને યુવતીઓ માટે ખાસ રૂ. ૩ લાખ કરોડની ફાળવણી વિવિધ યોજનાઓ માટે કરવામાં આવી છે. જેથી મહિલા આંત્રપ્રિન્યોર્સનો અને સમાજનો વિકાસ થશે તથા સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન મળશે. ૧૦૦ શહેરોમાં સ્ટ્રીટ માર્કેટ શરૂ કરવામાં આવશે. જેથી નવી રોજગારી નિર્માણ થશે. પીએમ સૂર્ય ઘર યોજનાને પ્રોત્સાહન આપવાની જોગવાઈ કરાઈ છે. જેથી સોલાર ઈન્ડસ્ટ્રીને લાભ થશે. ફિસ્કલ ડેફીસટ ઘટાડવાનો સંકલ્પ એટલે રાજકોષીય ખાદ્ય ઘટાડવાનો સંકલ્પ આવકારદાયક છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૧૦૦ શહેરોમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપનાની જોગવાઈના કારણે શહેરોની સફાઈ અને આરોગ્યમાં ખૂબ સુધારાઓ થશે. પીએમ આવાસ યોજનામાં ૩ કરોડ ઘરોની જોગવાઈના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોનું પોતાના ઘરનું સપનું સાકાર કરવામાં મદદરૂપ થશે. શિક્ષણ, રોજગાર અને સ્કીલ ડેવલપમેન્ટમાં રૂ. ૧.૪૮ લાખ કરોડની જોગવાઈ કરવામાં આવતાં દેશના રૂ. ૪ કરોડ ૧૦ લાખ યુવાનોને તેનો લાભ મળશે.  

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે એકંદરે બજેટની જોગવાઇઓ અત્યંત ફાયદાકારક છે. ભારતના ખેડૂતોથી લઇને યુવાઓ માટેની જોગવાઇ ન્યુ ઇન્ડિયાના ઘડતર માટે અત્યંત ઉપયોગી નિવડશે. હીરા ઝવેરાત ઉદ્યોગ માટે કેટલીક જોગવાઇઓ સારી કરવામાં આવી છે. હીરા ઉદ્યોગની ઇક્વિલાઇઝેશન લેવીની વર્ષો જૂની માગણી સંતોષાય છે જે આવકારદાયક છે. તેમણે કહ્યું કે ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે ચેમ્બર તરફથી જે રજૂઆતો થઇ છે તે સંતોષાઇ નથી પરંતુ, અમને આશા છે કે આગામી દિવસોમાં એ બાબતે પણ ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી પોલિસીની જોગવાઇ કરવામાં આવશે.