CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 6 of 47 - CIA Live

August 16, 2024
thailand-pm.png
1min333
જાણો, થાઇલેન્ડમાં ૩૮ વર્ષની ઉંમરે  વડાપ્રધાન બનનારી મહિલા કોણ છે ? 1 - image

ભારતના દક્ષિણ ભાગમાં હિંદમહાસાગરમાં આવેલા ટાપુ દેશ થાઇલેન્ડની સંસદે ૩૮ વર્ષની પટોંગટાર્ન શિનાવાત્રાને વડાપ્રધાન પદ માટે પસંદગી કરી છે. આ સાથે જ શિનાવાત્રા નાની વયે પીએમ પદની મોટી જવાબદારી સંભાળનાર નેતા બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર તે થાઇલેન્ડના પૂર્વ વડાપ્રધાન થાકસિન શિનાવાત્રાની સૌથી નાની પુત્રી છે.

આ સાથે જતે શિનાવાત્રા પરિવારમાંથી થાઇલેન્ડની બાગડોર સંભાળનાર ૩ જી નેતા બની છે. અગાઉ પિતા થાકસિન અને ચાચી યિંગલૂક શિનાવાત્રા વડાપ્રધાન પદ સંભાળ્યું હતું. યિંગલૂક પછી પટોંગટાર્ન થાઇલેન્ડનું પીએમ પદ સંભાળનારી બીજી મહિલા છે. તે થાઇલેન્ડની સતારુઢ પાર્ટી ફેઉ થાઇની નેતા છે. જો કે તે સાંસદ તરીકે ચુંટાયેલી નથી પરંતુ થાઇલેન્ડના બંધારણ મુજબ સાંસદ હોવું જરુરી નથી.

સંસદમાં તેના સમર્થનમાં ૩૧૦ મત પડયા હતા જયારે ૧૪૫ સદસ્યોએ વિરુધમાં મત આપ્યા હતા. ૨૭ સાંસદોએ મતદાનમાં ભાગ લેવાનું ટાળ્યું હતું. ગત બુધવારે થાઇલેન્ડની સંવૈધાનિક અદાલતે પીએમ શ્રેથા થાવિસિનને કેબિનેટ સદસ્યોની નિમણુંકમાં નૈતિકતાનું પાલન નહી કરવા બદલ પદથી હટાવી દીધા હતા. આવી પરિસ્થિતિમાં ૩૮ વર્ષની પૈટોંગર્ટાન શિનાવાત્રા માટે વડાપ્રધાન બનવાનો માર્ગ મોકળો બન્યો હતો.

થાઇલેન્ડના જાણીતા એસેટ કોર્પોરેશનમાં સૌથી વધુ શેર ધરાવે છે.

સિનાવાત્રા થાઈ રાજકારણી અને ઉદ્યોગપતિ છે. તેનો જન્મ 21 ઓગસ્ટ 1986ના રોજ બેંગકોકમાં થયો હતો. તેણીએ સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલ અને હાઈ સ્કૂલ માટે મેટર દેઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 2008 માં ચૂલાલોંગકોર્ન યુનિવર્સિટીના રાજકીય વિજ્ઞાન ફેકલ્ટીમાંથી રાજકીય વિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.

યુનિવર્સિટી ઓફ સરેમાંથી ઇન્ટરનેશનલ હોટેલ મેનેજમેન્ટમાં એમએસસીની ડિગ્રી મેળવી હતી. વધુ અભ્યાસ માટે બ્રિટન પણ ગઇ હતી.20 માર્ચ 2022 ના રોજ ફેઉ થાઈ પાર્ટીની મીટિંગમાં, પટોંગટાર્નને “ફેઉ થાઈ પરિવારના વડા” તરીકે વરણી કરવામાં આવી હતી.

2023ની સામાન્ય ચુંટણી દરમિયાન થયેલા ઓપિનિયન પોલમાં વડાપ્રધાન પદ માટે સૌથી પસંદગીની ઉમેદવાર હતી. જો કે એપ્રિલ 2023માં ચુંટણી પછી શ્રીથા થવીસિનને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. થાઇલેન્ડના જાણીતા એસેટ કોર્પોરેશનમાં સૌથી વધુ શેર ધરાવે છે. તે થાઇકોમ ફાઉન્ડેશનની ડિરેકટર પણ છે. તે નાની મોટી 21 જેટલી કંપનીઓમાં મોટા હોદ્દા પર છે.

August 15, 2024
russian-fighter.jpg
1min168
The Russian aircraft carrying 224 people crashed Saturday in a remote mountainous region in the Sinai Peninsula about 20 minutes after taking off from the Egyptian Red Sea resort town of Sharm el-Sheikh.

છેલ્લા અઢી વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પ્રથમ વખત યુક્રેન રશિયાની જમીન પર કબજો કરવામાં સફળ રહ્યું છે. આ યુક્રેનની રશિયા વિરૂદ્ધના યુદ્ધમાં અત્યાર સુધીની સૌથી મોટી સફળતા માનવામાં આવે છે. હવે યુક્રેનની સેનાએ ગુરૂવારે (15 ઓગસ્ટ) દાવો કર્યો હતો કે તેની સેનાએ કુર્સ્ક વિસ્તારમાં રશિયાના સૌથી મોંઘા ફાઇટર પ્લેનમાંથી એકને તોડી પાડ્યું છે. યુક્રેનના જનરલ સ્ટાફે બુધવારે (15 ઓગસ્ટ) ટેલિગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે, “યુક્રેનના સુરક્ષા દળોએ દુશ્મન રશિયાના Su-34 બોમ્બર એરક્રાફ્ટને નષ્ટ કરી દીધું છે. વિમાનમાં લાગેલી આગ અને તેના કાટમાળ દર્શાવતી વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

શું છે રશિયાના ફાઈટર પ્લેનની ખાસિયત?

સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, Su-34 ફાઇટર પ્લેન જેને ફુલબેક તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ 36 મિલિયન ડોલર (3.02 અબજ રૂપિયા) છે. તેને રશિયાનું સર્વશ્રેષ્ઠ ફાઈટર બોમ્બર એરક્રાફ્ટ માનવામાં આવે છે. ફોર્બ્સ મેગેઝિનના અહેવાલ અનુસાર, આ વિમાનમાં સેન્સર, એવિઓનિક્સ અને સ્માર્ટ હથિયારો છે જે તેને તેના લક્ષ્યોને ઝડપથી ઓળખવાની તાકાત આપે છે.

10 દિવસમાં 10 ફાઈટર પ્લેન તોડ્યા હતાઃ યુક્રેનનો દાવો

યુક્રેનિયન આર્મીએ અગાઉ પણ રશિયાના Su-34 ફાઇટર પ્લેનને તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે. જ્યાં ગયા ફેબ્રુઆરીમાં તેણે એક સપ્તાહમાં ચાર Su-34 અને 10 દિવસમાં કુલ 10 રશિયન ફાઈટર પ્લેન તોડી પાડ્યા હતા. જો કે, આ ઘટના એવા સમયે બની છે જ્યારે યુક્રેને રશિયાના વિસ્તારોમાં ઘૂસણખોરી કરી છે. આર્મી કમાન્ડર ઇન ચીફ ઓલેક્ઝાન્ડર સિરસ્કીના જણાવ્યા અનુસાર, બુધવાર સુધીમાં 74 વસાહતો યુક્રેનની સેનાના નિયંત્રણમાં આવી ગઈ છે.

રશિયાના 300 કિલોમીટર અંદર યુક્રેનનો હુમલો

લગભગ અઢી વર્ષ પહેલા ફેબ્રુઆરી 2022માં જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારે તેને એકતરફી માનવામાં આવતું હતું. રશિયાએ યુદ્ધમાં અત્યાર સુધી પ્રભુત્વ જાળવ્યું હતું અને યુક્રેનના ઘણાં વિસ્તારો પર કબજો જમાવ્યો હતો. સૈન્ય અને શસ્ત્રોના સંદર્ભમાં યુક્રેન તેના કરતા ખૂબ પાછળ હતું, પરંતુ હવે યુક્રેન આ યુદ્ધમાં પ્રભુત્વ મેળવી રહ્યું હોય તેવું જણાય છે. એક રિપોર્ટ અનુસાર યુક્રેનની સેનાની સૌથી મોટી તાકાત તેના ડ્રોન છે. તાજેતરમાં, યુક્રેને ડ્રોનનો ઉપયોગ કરીને રશિયન સરહદની 300 કિલોમીટર અંદર ઘૂસીને લિપિયુસ્ક એરબેઝ પર હુમલો કર્યો હતો.

રશિયામાં 30 કિમી અંદર ઘૂસી યુક્રેની સેના

લંડનની રોયલ યુનાઇટેડ સર્વિસિઝ ઇન્સ્ટિટ્યુટ (RUSI)ના મિલિટ્રી સાઇન્સ ડાયરેક્ટરે જણાવ્યું કે, યુક્રેનની સેનાએ રશિયામાં 30 કિમી અંદર સુધી ઘૂસણખોરી કરી છે અને આશરે 400 કિમી વર્ગ જેટલી જમીન પર કબજો મેળવ્યો છે. જો કે, આ સ્પષ્ટ નથી કે કેટલું વિસ્તાર તેમના નિયંત્રણમાં છે. યુક્રેનની સેનાના ચાર બ્રિગેડના 10 હજાર સૈનિકો આ હુમલામાં સામેલ હતા અને તમામ સૈનિકો યુરોપિયન દેશો તરફથી મળેલા હથિયારોથી સજ્જ હતા. આ યુક્રેન તરફથી અત્યાર સુધીનો સૌથી મોટો અને સફળ હુમલો ગણવામાં આવી રહ્યો છે.

August 15, 2024
who-logo.png
1min286

કોરોના વાયરસને કારણે થયેલી વિપરીત અસરોમાંથી વિશ્વ ધીમે ધીમે ભાર આવી ગયું છે, એવામાં વધુ એક વાયરસને કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની ચિંતા વધી ગઈ છે. એક અહેવાલ મુજબ આફ્રિકન દેશોમાં મંકીપોક્સ (Monkey Pox) વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 500થી વધુ લોકોના મોત થયા છે. WHO એ તેને વિશ્વભરમાં સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી છે.

ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ એડહાનોમ ટેડ્રોસે જણાવ્યું હતું કે પૂર્વી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો(DRC)માં મંકી પોક્સના નવા ક્લેડ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જ્યાં પહેલા ક્યારેય આ રોગના દર્દીઓ મળ્યા ન હતા, એવા પડોશી દેશોમાં આ વાયરસ મળી આવતા સમગ્ર વિશ્વ માટે આ ચિંતાનો વિષય છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, આફ્રિકન દેશો કોંગો, બુરુન્ડી, કેન્યા, રવાન્ડા અને યુગાન્ડા સહિત અન્ય દેશોમાં તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. આફ્રિકાના અન્ય ભાગોમાં મંકીપોક્સના પ્રકોપને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે. WHOએ આ જાહેરાત કરી કારણ કે એક ડઝનથી વધુ દેશોમાં બાળકો અને પુખ્ત વયના લોકોમાં મંકીપોક્સના કેસની પુષ્ટિ થઈ છે, વાયરસનો એક નવો પ્રકાર ફેલાઈ રહ્યો છે અને સમગ્ર ખંડમાં રસીના ડોઝનો પુરવઠો ઓછો છે.

આ પહેલા જુલાઈ 2022માં મંકીપોક્સને વૈશ્વિક ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. તે સમયે, વિશ્વના 116 દેશોમાં એક લાખથી વધુ કેસ નોંધાયા હતા. ત્યારબાદ આ વાયરસને કારણે 200 થી વધુ લોકોના મોત થયા હતા. એકલા કોંગોમાં 14 હજારથી વધુ કેસ નોંધાયા છે. 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધુ જોખમમાં છે.

August 5, 2024
bangladesh.png
1min184

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં અનામત મુદ્દે ફાટી નીકળેલો અગનજ્વાળા ફરી સમગ્ર દેશને ભરડામાં લઈ રહી છે. બાંગ્લાદેશમાં શહીદોના વંશજોને અનામતનો મુદ્દો બેકાબૂ બનતાં દેશભરમાં અનિશ્ચિતકાળ માટે કર્ફ્યુ લાદવા સાથે ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ દરમિયાન બાંગ્લાદેશના સત્તાવાર પી.એમ હાઉસ પર પણ દેખાવકારોએ હુમલો કરી દીધો હતો. દેખાવકારોએ અહીં ઘૂસીને બંગબંધુની પ્રતિમા પર પણ કુહાડીઓ ઝીંકી હતી. આ સ્થિતિમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને ભારતમાં શરણ લઈ લીધી છે.

બાંગ્લાદેશમાં નોકરીમાં અનામતનો અંત લાવવા અને વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે શાસક પક્ષના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. આ લોહિયાળ વિરોધમાં અત્યાર સુધીમાં 14 પોલીસકર્મીઓ સહિત લગભગ 100 લોકોએ જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી પ્રમાણે શેખ હસીનાએ ભારે વિરોધ વચ્ચે સેનાના દબાણને વશ થઈને વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે.

બાંગ્લાદેશની સેનાએ વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડવા 45 મિનિટનો સમય આપ્યો હતો. આ દરમિયાન તેઓ બહેન શેખ રેહાના સાથે સ્પેશિયલ હેલિકૉપ્ટરમાં ભારત આવી ગયા હતા. હાલ તેમણે દિલ્હીમાં શરણ લઈ લીધી છે.

સ્ટુડન્ટ્સ અગેઇન્સ્ટ ડિસ્ક્રિમિનેશન નામના પ્લેટફૉર્મે આજથી સરકારના રાજીનામાની માગ સાથે અસહકાર ચળવળની શરુઆતની જાહેરાત કરી છે. આ દરમિયાન વડાપ્રધાન હસીનાએ જણાવ્યું છે કે, દેખાવકારો વિદ્યાર્થીઓ નથી પણ આતંકવાદીઓ છે અને લોકોએ તેમને સાથ ન આપવો જોઈએ. જો કે સ્થિતિ બેકાબૂ બનતાં તેમણે ત્યાગપત્ર આપીને ભારતમાં શરણ લેવાનો નિર્ધાર કર્યો હોવાનું મીડિયા અહેવાલમાં જણાઈ રહ્યું છે.

નોબેલ વિજેતાની ભારતને અપીલ

બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગે ઊભો થયેલો વિરોધ વંટોળ ભારત સુધી પહોંચ્યો છે અને ફરી ભારતની મદદ માંગવામાં આવી રહી છે. અહેવાલ પ્રમાણે શેખ હસીના ભારત આવી રહ્યા છે તો બીજી તરફ દેશની આવી સ્થિતિ જોઈને બાંગ્લાદેશના અર્થશાસ્ત્રી અને નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે ચિંતા વ્યક્ત કરી છે અને ભારતને મદદ માટે ટકોર કરી છે.

‘ભારત કહે છે કે આ ઘરેલુ મામલો છે ત્યારે મને દુઃખ થાય છે. જો તમારા ભાઈના ઘરમાં આગ લાગી હોય, તો તમે તેને ઘરેલુ બાબત કેવી રીતે કહી શકો? ઘણી વસ્તુઓ કૂટનીતિમાં આવે છે અને એમ ન કહી શકાય કે આ તેમનો ઘરેલુ મુદ્દો છે. 17 કરોડની વસ્તીવાળા બાંગ્લાદેશમાં લોકો સંઘર્ષનો સામનો કરી રહ્યા છે, સરકારી દળો દ્વારા યુવાનોની હત્યા થઈ રહી છે અને કાયદો અને વ્યવસ્થા બગડી રહી છે. બાંગ્લાદેશમાં ઉથલપાથલ માત્ર તેની સરહદો સુધી સીમિત નહીં રહે પરંતુ પાડોશી દેશોને પણ અસર કરશે.’ તેમ યુનુસે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.

કોણ છે નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ?

નોંધનીય છે કે, મોહમ્મદ યુનુસે 1983માં ગ્રામીણ બૅંકની સ્થાપના કરી હતી. જેમાં ગરીબોને પોતાનો નાના પાયાનો ઉદ્યોગો શરુ કરવા માટે લોન આપવામાં આવતી હતી. આ પગલાંને કારણે બાંગ્લાદેશના લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢી શકાયા હતા અને યુનુસના કામના કારણે તેમને 2006માં નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. સામે પક્ષે શેખ હસીનાએ મોહમ્મદ યુનુસ પર ગરીબોનું લોહી ચૂસવાનો આરોપ લગાવ્યો હતો. શેખ હસીનાનું કહેવું હતું કે યુનુસે શરુ કરેલી ગ્રામીણ બૅંકો ગરીબો પાસેથી વધુ પડતું વ્યાજ વસૂલે છે. હાલમાં જ યુનુસ સામે ભ્રષ્ટાચારનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો.

August 4, 2024
israel.png
1min224

લેબનના બૈરુતમાં હિઝબુલ્લાહ (Lebanon Hezbollah)સંગઠનના ટોચના કમાન્ડર હત્યા અને ઈરાનમાં હમાસના વડાની હત્યા બાદ મધ્યપૂર્વમાં યુદ્ધનો દાવાનળ (Tension in middle east)ફાટી નીકળવાની શકયતા છે. હિઝબુલ્લાહે ઇઝરાયલ પર રોકેટ મારો કર્યો છે. હિઝબુલ્લાહે જણાવ્યું હતું કે તેણે ઇઝરાયેલ પર ડઝનેક કટ્યુષા રોકેટ લોન્ચ કર્યા હતા. હિઝબુલ્લાહે જણાવ્યું હતું કે પેલેસ્ટિનિયન લોકોના સમર્થનમાં હુમલાઓની આ હુમલો કરવામાં આવ્યો છે.

ઈરાન સમર્થિત જૂથ હિઝબુલ્લાહ જણાવ્યું હતું કે ઉત્તર ઇઝરાયેલમાં બીટ હિલેલ પર તાજેતરનો આ હુમલો, , લેબનોનમાં કેફાર કેલા અને ડીર સિરિયાન પર ઇઝરાયેલના હુમલાના જવાબમાં કરવામાં હતો, જેમાં લેબનનના નાગરિકોને ઇજા પહોંચી હતી.

ઇઝરાયેલી આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમે લેબનનથી ફાયર થયેલા રોકેટને હવામાં જ તોડી પાડવા સામે ફાયરિંગ કર્યું હતું.

ઈરાને જણાવ્યું હતું કે તે અપેક્ષા રાખે છે કે લેબનોનનું તેહરાન સમર્થિત હિઝબુલ્લા જૂથ ઈઝરાયલની અંદર અટેક કરે અને ઈઝરાયેલે હિઝબોલ્લા લશ્કરી કમાન્ડરની હત્યા કર્યા પછી હુમલા હવે લશ્કરી લક્ષ્યો સુધી મર્યાદિત રહેશે નહીં.

હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર રોકેટ છોડવા અંગે નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું કે “ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયન લોકોના સમર્થનમાં અને તેમના બહાદુર અને સન્માનજનક પ્રતિકારના સમર્થનમાં, અને (લેબનનના) દક્ષિણી ગામો અને સલામત ઘરો પર ઇઝરાયેલી દુશ્મનના હુમલાના જવાબમાં, ખાસ કરીને કાફ્ર કિલાના ગામોને નિશાન બનાવનારા હુમલાઓના જવાબમાં, ઇસ્લામિક રેઝિસ્ટન્સે ઝનેક કટ્યુષા રોકેટ સાથે પ્રથમ વખત રોકેટકર્યો હતો. ”

July 16, 2024
Brown-bear-in-Romania.jpg
1min183

રોમાનિયાની સંસદ દ્વારા ચોંકાવનારો કાયદો પસાર કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ દેશમાં 400 રિંછને મારી નાખવાનો આદેશ અપાયો છે. વાસ્તવમાં આ દેશમાં રિંછે હુમલા કર્યા બાદ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું, જેના કારણે દેશના લોકોએ રોષે ભરાઈ સરકાર પર દબાણ કર્યું હતું. છેવટે લોકોના ગુસ્સાને શાંત પાડવા સરકારે રિંછોને મારવાનો આદેશ જાહેર કર્યો છે.

સરકારે કહ્યું કે, દેશમાં રિંછોની સંખ્યા વધુ છે, તેથી તેને મારી જનસંખ્યાને અંકુશમાં લાવી શકાશે. પર્યાવરણ મંત્રાલયના જણાવ્યા મુજબ રોમાનિયા બાદ રશિયામાં સૌથી વધુ 8000 રિંછો છે.

July 10, 2024
ostriya-pm-1280x1189.jpeg
1min187

રશિયાનો પ્રવાસ ખતમ કરીને યુરોપિયન દેશ ઓસ્ટ્રિયા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અહીં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યુરોપિયન દેશમાં વડાપ્રધાનનું રેડ કાર્પેટ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રિયાના વિદેશ પ્રધાન એલેક્ઝાંડર શૈલેનબર્ગ ખુદ પીએમ મોદીને રિસીવ કરવા એરપોર્ટ પહોંચ્યા હતા.

એરપોર્ટથી પીએમ મોદી સીધા ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં હોટેલ રિટ્ઝ-કાર્લટન પહોંચ્યા હતા. અહીં એનઆરઆઈઓએ તેમનું અભિવાદન કર્યું હતું. હોટેલ પહોંચતા જ ઓસ્ટ્રિયાના કલાકારોએ વંદે માતરમ સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. ચાન્સેલર કાર્લ નેહમરે ઓસ્ટ્રિયા પહોંચેલા પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી સાથે સેલ્ફી પોસ્ટ કરતા તેમણે કહ્યું હતું કે , ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિયેનામાં આપનું સ્વાગત છે. ઑસ્ટ્રિયામાં તમારું સ્વાગત કરવું એ આનંદ અને સન્માનની વાત છે.

ઓસ્ટ્રિયા અને ભારત મિત્રો અને ભાગીદાર છે. હું તમારી મુલાકાત દરમિયાન અમારી રાજકીય અને આર્થિક ચર્ચાઓ માટે આતુર છું!’ વિયેનામાં આપનું સ્વાગત છે, PM @narendramodi ! ઑસ્ટ્રિયામાં તમારું સ્વાગત કરવું એ આનંદ અને સન્માનની વાત છે. હું તમારી મુલાકાત દરમિયાન અમારી રાજકીય અને આર્થિક ચર્ચાઓ માટે આતુર છું!

Reported on 8 July 2024

ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચેના રાજદ્વારી સંબંધોને 75 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રીયાની મુલાકાતે પહોંચ્યા છે. 41 વર્ષ બાદ ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં 8/7/24 બે રાષ્ટ્ર મિત્રોની મુલાકાતથી નવો જ ઇતિહાસ રચાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિયેનામાં ઑસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહામર સાથે પ્રતિનિધિમંડળ સ્તરની મુલાકાત કરી હતી. છેલ્લે 1983માં ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ઑસ્ટ્રિયાની મુલાકાત કરી હતી. 8/7/24 નરેન્દ્ર મોદી વીયેનામાં ભારતીયો સાથે મુલાકાત કરવાના છે.

બંને નેતાઓની વચ્ચે 8/7/24 સત્તાવાર દ્વિપક્ષીય મંત્રણા થવાની છે, જેમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ભાગીદારીના વ્યાપક પરિમાણો પર ચર્ચા કરવામાં આવશે. નરેન્દ્ર મોદી 8 અને 9 જુલાઇના રોજ રશિયાની મુલાકાતે પહોંચ્યા બાદ તેઓ ઑસ્ટ્રિયાની મુલાકાતે છે. આ તેમની એક ઐતિહાસિક યાત્રા છે, કારણ કે તેમના 40 વર્ષ બાદ ભારતના કોઈ પ્રધાનમંત્રી ઑસ્ટ્રિયા પહોંચ્યા છે અને તો ત્રીજા કાર્યકાળમાં નરેન્દ્ર મોદી ઑસ્ટ્રિયાની મુલાકાતે પહોંચ્યા છે.

July 8, 2024
modi-in-russia.jpeg
2min237

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 અને 9 જુલાઈ એમ બે દિવસ માટે રશિયાની યાત્રા પર છે. 2014માં મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા ત્યારથી લઈને આજ સુધીમાં તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને 16 વખત મળ્યા છે. પણ એ તમામ મુલાકાત ફેબ્રુઆરી 2022 માં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું એ અગાઉ થઈ હતી. મોદી છેલ્લે સપ્ટેમ્બર 2019માં વ્લાદિવોસ્ટોકમાં ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમની બેઠક માટે રશિયા ગયા હતા, તો પુતિન છેલ્લે ડિસેમ્બર 2021માં વાર્ષિક દ્વિપક્ષીય સમિટ માટે ભારત આવ્યા હતા. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું એ પછી બંને નેતાઓ આ પહેલીવાર મળી રહ્યા છે. પશ્ચિમી દેશોએ રશિયા પર વ્યાપક પ્રતિબંધો લાદેલા હોવાથી ભારતની આ મુલાકાત પર આખી દુનિયા ડોળા જમાવીને બેઠી છે.

વડાપ્રધાન મોદીએ તોડી પરંપરા

ભારતના વડાપ્રધાનો એવી વણલખી પરંપરા પાળતા આવ્યા છે કે વડાપ્રધાન બન્યા બાદ સૌપ્રથમ પડોશી દેશની મુલાકાત લેવી. અગાઉ બે વખત સત્તારૂઢ થયા બાદ મોદીએ પણ એ પરંપરા જાળવી હતી. 2014 માં એમણે ભુતાન અને 2019 માં માલદીવ તથા શ્રીલંકાની મુલાકાત લીધી હતી. આ વર્ષે એમણે એ પરંપરા તોડી છે. વડાપ્રધાન પદની શપથ લીધા પછી પડોશી દેશની યાત્રાએ જવાને બદલે એમણે રશિયા પર પસંદગી ઉતારી છે, જે કેન્દ્ર સરકારની નીતિઓ બાબતે ઘણુંબધું કહી જાય છે. અલબત્ત, ગયા મહિને મોદીએ ઇટાલીનો પ્રવાસ કર્યો હતો, પરંતુ તે G7 નેતાઓની બહુપક્ષીય બેઠક માટે હતો. પહેલી દ્વિપક્ષીય યાત્રા તો આ રશિયાની મુલાકાત જ ગણાય.

પુતિન દ્વારા અપાયેલા આમંત્રણને સ્વીકારીને પીએમ મોદી રશિયા ગયા છે. બંને નેતા 22મા ‘ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન’માં સામેલ થશે, જે દરમિયાન બંને દેશોના હિત સંબંધે દ્વિપક્ષીય ચર્ચાઓ કરાશે. છેલ્લા ઘણાં દાયકાઓથી રશિયા ઘણાબધા મોરચે ભારતનું મહત્ત્વપૂર્ણ ભાગીદાર રહ્યું છે. એમાંય છેલ્લા દસ વર્ષમાં તો બંને દેશો વચ્ચે અભૂતપૂર્વ કહી શકાય એ હદે વ્યૂહાત્મક ભાગીદારીઓ નોંધાઈ છે. એક નજર નાંખીએ ચર્ચાના મુખ્ય મુદ્દાઓ પર.

1. બંને દેશો વચ્ચે મુખ્ય ચર્ચા વ્યાપારને વધારવા બાબતે થશે. રશિયા તેમજ અન્ય યુરોપિયન અને આરબ દેશો સાથેના વ્યાપારને ઓછો ખર્ચાળ કરવા માટે ભારતે નવો રુટ વિકસાવવો છે. એ રુટ ઈરાન સોંસરવો જતો હોવાથી ભારતે દસ વર્ષ માટે ઈરાનના ચાબહાર બંદરને ભાડાપટ્ટે લીધું છે. સમગ્ર રુટના ઝડપી વિકાસ બાબતે બંને નેતાઓ ચર્ચા કરી શકે છે.

2. ઊર્જા, સંરક્ષણ, વેપાર, રોકાણ, રેલવે, આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ, પર્યટન જેવા ઘણાં બધા ક્ષેત્રે બંને દેશો વચ્ચે આદાન-પ્રદાન થયું છે. આ તમામ ક્ષેત્રે ફરી એકવાર મોસ્કોમાં દ્વિપક્ષીય સહકાર સધાશે.  

3. એક સંવેદનશીલ મુદ્દો છે યુક્રેન યુદ્ધમાં લડવા માટે રશિયાની સેનામાં બળજબરીપૂર્વક ભરતી કરાયેલા ભારતીયોનો. ગેરમાર્ગે દોરાયેલા એ ભારતીયોને મુક્ત કરાવવાનો મુદ્દો પણ મોદી પુતિન સામે છેડશે, એવી આશા છે. 

સરંક્ષણ ક્ષેત્રે મહત્ત્વના સોદા

1. ભારતે 2018 માં રશિયા પાસેથી એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાનો સોદો કર્યો હતો, જે ભારતને 2023માં મળી જવાનો હતો. પણ, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે એ હથિયાર મેળવવામાં મોડું થયું છે. મોદી પુતિન સાથે આ મુદ્દે પણ ચર્ચા કરી શકે છે.

2. રશિયાની ડિફેન્સ કંપની રોસ્ટેક દ્વારા ભારતમાં મેંગો મિસાઇલના મેન્યુફેક્ચરિંગનું કામ શરૂ કરી દેવાયું છે. મેંગો મિસાઇલ એક પ્રકારના તોપગોળા છે જેને ટેન્કની મદદથી ફાયર કરવામાં આવે છે. આ ગોળા દુશ્મનની મજબૂતમાં મજબૂત ટેન્ક અને ભલભલાં બખ્તરબંધ સૈન્ય વાહનોના પડખા ચીરી નાંખવા સક્ષમ છે. આ મિસાઇલને લીધે ભારતની લશ્કરી શક્તિમાં ખૂબ વધારો થશે. રોસ્ટેક કંપની દ્વારા ભારતમાં અન્ય પ્રકારના દારૂગોળાના ઉત્પાદનની યોજના પણ છે. મોદી-પુતિન વચ્ચે એ મુદ્દે પણ સહમતી સધાય એવું બની શકે.

ભારત-રશિયા વ્યાપાર- કોનો કેટલો ફાયદો?

રશિયાના વિરોધમાં અમેરિકાએ આડકતરી રીતે જાણે કે કહી દીધું હતું કે, રશિયા સાથે હશે એ અમારા દુશ્મન! પણ એવી ધમકીને ગણકાર્યા વિના ભારતે યુદ્ધ પછી પણ રશિયા સાથેનો વ્યાપાર જારી રાખ્યો છે. રશિયા પાસેથી ભારત મબલખ માત્રામાં ખનીજ તેલ ખરીદે છે અને એ માટેની ચૂકવણી રશિયા રૂપિયામાં સ્વીકારે છે, એ ભારતનો મોટો ફાયદો. વર્ષ 2023-24માં બંને દેશો વચ્ચે 54 લાખ કરોડ રૂપિયાનો વેપાર થયો છે, પણ એમાંથી ભારતે રશિયામાં ફક્ત 3.3 લાખ કરોડની નિકાસ કરી છે. એટલે દેખીતું છે કે બંને વચ્ચેના વ્યાપારમાં રશિયાને બહુ મોટો ફાયદો થાય છે. ભારતનો ફાયદો વધે, એ બાબતની ચર્ચા પણ મોદી-પુતિન વચ્ચે થશે. 

ભારતની ચાણક્યનીતિ

યુક્રેન યુદ્ધને કારણે અમેરિકા અને યુરોપે રશિયા પર જાતભાતના આર્થિક પ્રતિબંધો ઠોકી બેસાડ્યા હતા. અમેરિકા ઈચ્છતું હતું કે દુનિયાના અન્ય અગ્રણી દેશો પણ એમના પક્ષે રહે અને રશિયાને એકલું પાડી દેવાય. ચીન અને ઉત્તર કોરિયા જેવા અમેરિકાના જાનીદુશ્મન દેશોએ તો ખુલ્લેઆમ રશિયા સાથે દોસ્તી જાળવી રાખી છે. ભારતે અંગત લાભને કેન્દ્રસ્થાને રાખીને આ મુદ્દે ચતુરાઈપૂર્વકનો પ્રતિભાવ દાખવ્યો છે. યુક્રેન પર હુમલો કરવાના રશિયાના પગલાને વખોડવાના બદલે ભારતે ‘બંને દેશોએ વાતચીત દ્વારા આ સંઘર્ષનો ઉકેલ લાવવો જોઈએ’ એવું નિવેદન આપીને ‘માસ્તર મારેય નહીં ને ભણાવેય નહીં’ પ્રકારની મુત્સદ્દીગીરી દર્શાવી છે, જે ભારતના હિતમાં છે. પારકા કંકાસમાં આપણે શું કામ આપણું નુકસાન કરવું?

અમેરિકાના પેટમાં રેડાયું તેલ

‘પહેલો સગો પડોશી’ એ ઉક્તિને ખોટી ઠેરવતા મોદીએ ગાદીધારણ કરતાં જ રશિયાની વાટ પકડી એનાથી સૌથી વધારે તકલીફ અમેરિકાને જ થશે. આમેય રશિયા પાસેથી ખનીજ તેલ ખરીદવાની ભારતની નીતિથી અમેરિકાના પેટમાં તેલ રેડાતું જ હતું, એમાં આ મુલાકાત બળતામાં ઘી ઉમેરવાનું કામ કરશે. રશિયાના પ્રતિનિધિએ તો બેધડક કહ્યું છે કે, પીએમ મોદીની મોસ્કો મુલાકાતને પશ્ચિમી દેશો ‘ઈર્ષ્યા’થી જોઈ રહ્યા છે.

ભારતનો દુનિયાને સંદેશ- રશિયા મિત્ર હતું, છે અને રહેશે

ભારત સરકારનો એજેન્ડા દેશના ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ કરીને પ્રગતિની ગાડી પાંચમા ગિયરમાં દોડાવવાનો છે. આ મુદ્દાને લક્ષ્યમાં લઈને ભારતે રશિયાને મહત્ત્વ આપીને દુનિયાને આડકતરો ઈશારો આપી દીધો છે કે કેન્દ્ર સરકારની નીતિ પારકી પંચાતમાં પડ્યા વિના અંગત લાભ પ્રત્યે વધુ રહેશે. રશિયા જેવો અન્યોને મતે યુદ્ધખોર દેશ પણ જો ભારત સાથે સારાસારી રાખશે તો ભારત એના તરફ ઢળશે. ભૂતકાળમાં અમેરિકાથી લઈને ચીન જેવા દેશો અંગત ફાયદા માટે આવું કરી ચૂક્યા હોવાથી ભારત આવું પગલું ભરે એમાં કશું ખોટું પણ નથી. ખનીજતેલની આયાત માટે ભારતે અન્ય દેશો પર નિર્ભર રહેવું પડતું હોવાથી અર્થવ્યવસ્થાને ચાલતી રાખવા માટે રશિયા સાથેની ભાઈબંધી જરૂરી પણ છે. પશ્ચિમના દબાણ સામે ન ઝૂકીને ભારતે ધરાર રશિયાનો હાથ ઝાલી રાખ્યો છે, એ બાબત સૂચક છે કે વૈશ્વિક સ્તરે ભારતનું વજન વધી રહ્યું છે.  

July 7, 2024
obama-care.jpeg
1min251

દુનિયાના સૌથી મોટા સાયબર એટેક થયો હોવાની જાણકારી સામે આવી છે. જેમાં હેકરોએ 995 કરોડ પાસવર્ડની ચોરી કરીને ઈન્ટરનેટની દુનિયામાં જાહેર કર્યા છે. તેવામાં દેશમાં સાયબર સુરક્ષા સામે અનેક સવાલો થઈ રહ્યાં છે. ફોબર્સના એક રિપોર્ટ પ્રમાણે, Obama Car હેકર ટીમે 995 કરોડ પાસવર્ડ લીક કર્યા છે. આ ડેટા લીકની જાણકારી Rockyou2024 નામના એક રિપોર્ટમાં સામે આવી હતી. લીક કરવામાં આવેલો ડેટા ઓનલાઈન સેવામાં ઉપયોગમાં લેવાતા પાસવર્ડ્સનું સૌથી મોટું ગ્રુપ છે.

રિપોર્ટમાં એવો પણ ખુલાસો થયો છે કે, લીક કરાયેલા ડેટામાં સેલિબ્રિટીઓની અંગત માહિતી પણ સામેલ છે. હેકર દ્વારા ગેરકાયદેસર રીતે અનેક ઓનલાઈન એકાઉન્ટ્સ એક્સેસ કરીને તેના પાસવર્ડ સહિત અન્ય અંગત માહિતીની ચોરી કરી હતી. આ સાથે લીક કરાયેલા ટેડામાં ઘણાં બધાં કર્મચારીઓની માહિતી પણ જાહેર કરવામાં આવી છે.

હેકરોએ પાસવર્ડ લીક કરવાની સાથે ડેટામાં અનેક લોકોના ઈ-મેઈલ આઈડી અને લોગિનની જાણકારી મેળવી લીધી હતી. હેકર દ્વારા ચોરી કરવામાં આવેલા આ ડેટાનો દુરુપયોગ પણ થઈ શકતો હોવાથી અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ડેટા લીકથી વ્યક્તિની પોતાના ઓળખ છતી થવાથી ઈન્ટરનેટની દુનિયામાં વ્યક્તિગત ડેટાને સુરક્ષિત રાખવો ખુબ મુશ્કેલ બન્યો છે. 

સાયબર એટેકથી બચવા શું કરવું

  • ટૂંકા અને સરળ પાસવર્ડને બદલે લાંબા અને જટિલ પાસવર્ડ બનાવવા જોઈએ.
  • અમુક સમયાંતરે રાખવામાં આવેલા પાસવર્ડમાં બદલવા જરૂરી છે.
  • આ સાથે સાયબર સંબંધિત અનેક જાણકારી રાખવી અને નવી અપડેટથી જાગૃત રહેવું.
July 4, 2024
barred-owl-Cia-Live.jpg
1min198

કેન્યાએ થોડા સમય પહેલા 10  લાખ કાગડાઓને મારી નાખવાના પ્લાનનો ખુલાસો કર્યો હતો. તો હવે અમેરિકાએ પણ આવો જ એક પ્લાન બનાવ્યો છે. પરંતુ તે કાગડાને નહીં પરંતુ ઘુવડને ખતમ કરવાનો પ્લાન બનાવ્યો છે. હકીકતમાં  ‘સ્પોટેડ ઓલ’ ની પ્રજાતિ લુપ્ત થવાના આરે છે. તેમને બચાવવા માટે અમેરિકન વન્યજીવન અધિકારીઓએ પશ્ચિમ કિનારાના ગાઢ જંગલોમાં પ્રશિક્ષિત શૂટર્સને તહેનાત કરવાનો નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ લગભગ પાંચ લાખ ‘બાર્ડ ઘુવડ’નો ખતમ કરવામાં આવશે. કારણ કે તે ‘સ્પોટેડ ઘુવડ’ માટે ખતરો બની ગયા છે. 

અમેરિકન માછલી અને વન્યજીવ સેવા (ફિશ એન્ડ વાઇલ્ડલાઇફ સર્વિસ ) વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય ઓરેગોન, વોશિંગ્ટન રાજ્ય અને કેલિફોર્નિયામાં સતત ઘટતી જતી ઘુવડની વસ્તીને વધારવાનો છે. રિપોર્ટ મુજબ આગામી ત્રણ દાયકામાં 4,50,000 બાર્ડ ઘુવડને ગોળી મારીને ઠાર કરવામાં આવશે. મૂળભૂત રીતે આ પક્ષીઓ પૂર્વ અમેરિકામાં રહે છે. પરંતુ તેઓએ પશ્ચિમ કિનારે આક્રમણ કર્યું છે. અને નાના સ્પોટેડ ઘુવડ આ આક્રમણકારો સામે લડવામાં અસમર્થ છે. બાર્ડ ઘુવડના ઈંડા મોટા હોય છે, અને તેમને માળો બાંધવા માટેની જગ્યા પણ બહુ ઓછી જરૂર પડે છે.

સ્પોટેડ ઘુવડની પ્રજાતિઓને લુપ્ત થવાના આરે છે. તેને બચાવવા માટે અમેરિકન વન્યજીવન અધિકારીઓ ઘુવડની અન્ય આક્રમક પ્રજાતિઓને મારી નાખવાની યોજના બનાવી રહ્યા છે.  સ્પોટેડ ઘુવડની સંખ્યામાં ઘટાડો થવાનું કારણ ઉત્તર અમેરિકામાં જોવા મળતા ઘુવડની પ્રજાતિ છે. જેને બાયર્ડ ઘુવડ કહેવામાં આવે છે. આ પ્રજાતિ ઘુવડની સૌથી મોટી પ્રજાતિઓમાંની એક ગણાય છે, અને આ પ્રજાતિ આક્રમક છે, જેની આક્રમકતાથી નાના સ્પોટેડ ઘુવડ લડી શકતા નથી, કારણકે તેમની ક્ષમતા ઘણી ઓછી છે. ત્યારે યુએસ ફિશ એન્ડ વાઇલ્ડલાઇફ સર્વિસે એક નવી વ્યૂહરચના બનાવી છે. આ વ્યૂહરચના ઘુવડની આક્રમક પ્રજાતિઓને મારી નાખવા માટેની છે.

લુપ્ત થતી ઘુવડની પ્રજાતિઓને બચાવવા માટે દાયકાઓથી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રયાસોમાં તે જંગલોના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. અને તેના કારણે જંગલોને કાપવા અંગે પણ વિવાદ ઉભા થયા છે. પરંતુ પક્ષીઓની ઘટતી સંખ્યાને લઈને આમ કરવું જરુરી છે. આ બાબતે અધિકારીઓનું કહેવું છે કે, ઘુવડનું કોઈ કાયમી વ્યવસ્થાપન નહીં કરવામાં આવે તો આટલા લાંબા સમયથી તમામ પ્રયાસો કરવા છતાં સ્પોટેડ ઘુવડની પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. આ વ્યૂહરચના ઘણા લોકો દ્વારા અનિચ્છાએ સ્વીકારવામાં આવી છે.

નિર્ણય પર લોકોનો અભિપ્રાય 

વન્યજીવના સમર્થકો અને સંરક્ષણવાદીઓ એક પક્ષીની પ્રજાતિને બચાવવા માટે બીજાને મારી નાખવાના નિર્ણયને લઈને વિવાદ ઉભો થયો છે. કેટલાક લોકોએ અનિચ્છાએ ઘુવડને મારવાના નિર્ણયને સ્વીકાર કર્યો છે. જ્યારે કેટલાક લોકોનું કહેવું કે, આ આવશ્યક વન સંરક્ષણથી લાપરવાહીપુર્વક ધ્યાન ભટકાવવાનું છે. “જેઓ વન્યજીવોના રક્ષક છે, તેઓ જ હવે  જુલમી બની રહ્યા છે,” તેમણે આગાહી કરી હતી કે, યોજના નિષ્ફળ જશે, કારણ કે  બાર્ડ  ઘુવડોને રોકી ન શકાય. જો કે, અધિકારીઓનું કહેવું છે કે, આગામી વસંતમાં ઘુવડને મારવાનું શરુ કરી દેવામાં આવશે. 

ઘુવડના રેકોર્ડિંગ અવાજથી ઘુવડોને બોલાવીને મારવામાં આવશે

માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે, આ આયોજન આવતા વર્ષે માર્ચ અથવા એપ્રિલ મહિનામાં ઘુવડોને મારવાનું શરુ કરી દેશે. તેના માટે મેગાફોન દ્વારા જંગલમાં ઘુવડના રેકોર્ડિંગ અવાજ વગાડીને બાકીના ઘુવડોને બોલાવવામાં આવશે અને ત્યારબાદ તેમને ગોળી મારીને તેમના મૃતદેહોને તે જ જગ્યાએ તરત જ દફનાવવામાં આવશે.