CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 34 of 49 - CIA Live

October 21, 2019
ronaldo_insta.jpg
1min6270

ક્લબ કરતા ઈન્સ્ટાગ્રામથી વધુ રૂપિયા રળી આપે છે

ક્રિસ્ટીયાનો રોનાલ્ડો ફુટબોલ રમવા માટે જે કમાણી કરે છે તેના કરતા વધુ કમાણીએ મોબાઇલ ફોન પર ઇન્સ્ટાગ્રામની એક પોસ્ટથી કરી લે છે. ફુટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના પ્રશંસકો કરોડોની સંખ્યામાં છે. ઇન્સ્ટાગ્રામ પર રોનાલ્ડોના ફોલોઅર્સની સંખ્યા 150 મિલિયન કરતા પણ વધુ છે. અને એટલે જ એ વાતથી આશ્ચર્ય ના પામશો કે રોનાલ્ડો ઈન્સ્ટાગ્રામથી જે કમાણી કરે છે તે યુવેન્ટ્સ ક્લબથી થતી આવક કરતા પણ વધારે છે.

રોનાલ્ડોની દીવાનગી ફૂટબોલના મેદાન સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ ઉપર પણ જોવા મળે છે.

એક રિપોર્ટ મુજબ રોનાલ્ડોએ ઈન્સ્ટાગ્રામ ઉપર સ્પોન્સર્ડ પોસ્ટથી 47.8 મિલિયન એટલે કે 340 કરોડ ભારતીય રૂપિયાથી કમાણી કરી છે.

49 સ્પોન્સર્ડ પોસ્ટથી રોનાલ્ડોને આ કમાણી થઈ છે. 34 વર્ષીય રોનાલ્ડો ખેલ જગતમાં’ ઈન્સ્ટાગ્રામ ઉપર સૌથી વધુ કમાણી કરતો ખેલાડી છે. તેને પોસ્ટ માટે 9.75 લાખ અમેરિકી ડોલર મળે છે. એક અનુમાન પ્રમાણે યુવેન્ટ્સે રોનાલ્ડોને 2018ના વાર્ષિક 242 કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી.

October 18, 2019
brexit_deal3.jpg
1min7100

લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે ઘડી છેવટ આવી પહોચી છે. દિવસો સુધી ચાલેલી કશ્મકશભરી વાટાઘાટ બાદ બ્રિટનની સરકાર અને યુરોપી સંઘ (ઈયુ) વચ્ચે બ્રેકિઝટ અંગે સમજુતી સધાઈ ગયાની ઘોષણા યુકેના પીએમ બોરિસ જહોનસને આજે કરી હતી. જો કે તેને હજી સંઘે વિધિસર બહાલ કરવાની બાકી છે અને યુરોપી તથા યુકેની સંસદોએ ય મંજૂર કરવી બાકી છે.

આ ગતિવિધિથી ખુશાલી અનુભવતા બોરિસે જણાવ્યુ હતું કે હવે બ્રિટનને આગળ વધવા તક મળશે અને અમે દુનિયાભરના દેશો સાથે વ્યાપારિક સંબંધો સ્થાપિત કરી શકશું. બેઉ બાજુઓએ ગ્રેટ ન્યુ ડીલ કરી લીધાનું ટવીટ કરવા સાથે તેમણે શનિવારે ગૃહના ખાસ સત્રમાં મંજૂરી આપવા સાંસદોને વિનંતી કરી હતી.

જુલાઈમાં પીએમ થયેલા બોરીસે સંકલ્પ કર્યો હતો કે કંઈ પણ થાય, 31 ઓકટો. સુધીમાં બ્રિટન, ઈયુથી છેડો ફાડશે, બ્રેકિઝટની તુલના મા.એવરેસ્ટ સર કરવા સાથે કરનાર બોરીસે ટવીટ કર્યુ હતું કે ‘ નવા ડીલ સાથે સુનિશ્ચિત થશે કે અમારા કાનૂન, સીમા, નાણાં, વ્યાપાર પર કોઈ બાધા વિના અમારું નિયંત્રણ હશે અને ઈયુ સાથે નવા પ્રકારની મૈત્રી સ્થાપિત થશે.

બીજી તરફ ઉત્તરીય આયરીશ””” સરકારે વિદ્યુત ત્વરાએ જણાવી દીધું હતું કે આયરીશ સીમા માટેની જોગવાઈના કારણે અમે આ આઉટલાઈન સમજુતીને ટેકો ન આપી શકીએ. બ્રેકિઝટ માટે સહમતી ઉભી કરવા સતત પ્રયત્નશીલ રહેલા જહોનસનને ખાસી ફાટફુટ ધરાવતી સંસદમાં સમજુતીને પસાર કરાવવામાં જોઈતો શકયતમ વધુ સપોર્ટની જરૂર પડશે. (આગલી સમજુતીને યુકેની સંસદ અગાઉ ત્રણ વાર નકારી ચૂકી છે) ઉત્તર આયરલેન્ડ અને આયરલેન્ડ વચ્ચેના વ્યાપાર કારોબાર કરવાના કસ્ટમ્સ અને વેચાણવેરા નિયમનો ફાઈનટયુન કરવા (મેળ પાડવા) તકનિકી વિષ્ટિકારોએ ઠીક લાંબો સમય સુધી મથામણ કરવી પડી હતી.

October 11, 2019
double_diamond.jpg
2min7730

રશીયાની ખાણમાંથી હીરા કાઢતી વખતે મળી આવ્યો વિશ્વનો પહેલો ડબલ ડાયમંડ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિશ્વના સૌથી મોટી ડાયમંડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા સૂરતના હીરા ઉદ્યોગકારો સમેત હીરાનું પ્રોસેસિંગ કરતા લાખો રત્ન કલાકારોને પણ અચરજ પમાડે એવો હીરો રશીયાની ખાણમાંથી મળી આવ્યો છે. રશીયાના (Yakutia, Russia) યકુશિયા સ્થિત હીરાની ખાણમાંથી એક એવો ડાયમંડ મળી આવ્યો છે જેને ડબલ ડાયમંડ કહેવામાં આવે છે. હીરાની અંદર હીરો હોય તેવી આ ઘટના બનતા સમગ્ર વિશ્વના હીરા ઝવેરાતની મોટી મોટી કંપનીઓની નજર પણ આ ઘટના પર ઠરી છે.

Thomas Stachel, a University of Alberta mineralogist, told National Geographic. “We have been looking for diamonds now for a long time, and that is a first.”

રશીયા (Yakutia, Russia) સ્થિત હીરાની ખાણમાંથી મળી આવેલા ડાયમંડનો સ્ક્રીન્ડ ફોટો, જેમાં ડાયમંડની અંદર ડાયમંડ સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. વિશ્વમાં ડબલ ડાયમંડ મળી આવવાની આ પ્રથમ ઘટના લેખાઇ રહી છે.

ન્યુયોર્ક પોસ્ટના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં પૃથ્વીના પેટાળમાંથી કરોડો કેરેટસ રફ ડાયમંડસ મળ્યા છે પરંતુ, ક્યારેય પણ ડબલ ડાયમંડ મળી આવ્યો નથી. ડાયમંડની અંદર ડાયમંડ હોવું એક કુદરતી ક્રિએશન છે પણ હવે આ પ્રકારનો પહેલો હીરો મળ્યો છે, જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યુ છે.

વિશ્વભરમાં કૌતુક જગાડ્યું છે ડબલ ડાયમંડે

(Yakutia, Russia) હીરાની ખાણમાંથી મળી આવેલા વિશ્વના પહેલા ડબલ ડાયમંડની નેચરલ તસ્વીર. નેચરલ તસ્વીરમાં પણ હીરાની અંદર હીરો હોવાનું નરી આંખે જોઇ શકાય છે.

એક ડાયમંડમાં બીજા ડાયમંડની તસ્વીરો હાલ સોશ્યલ મિડીયામાં ભારે વાઇરલ થઇ છે.

રશીયાની જે ખાણમાંથી ડબલ ડાયમંડ મળી આવ્યો છે એની માલિકી અલ રોઝા ડાયમંડ કંપની ધરાવે છે અને આ કંપનીએ નિર્ણય કર્યો છે કે ડબલ ડાયમંડને વધુ ચકાસણી માટે અમેરિકાની જેમોલોજિકલ ઇન્સ્ટીટ્યુટ ખાતે રિસર્ચ માટે મોકલવામાં આવશે. જ્યાં તેના પર વધુ રિસર્ચ કરવામાં આવશે.

Alrosa plans to send the mysterious stone to the Gemological Institute of America to be further analyzed, though there are a few possible explanations. A salty fluid may have once filled the rock but later dissolved or leaked out, leaving one piece of the diamond inside the cavity. Water may also have worked its way in and cleaned out or dissolved the inner material, with the tiny gem remaining behind.

લિંક ક્લીક કરો અને વાંચો ન્યુયોર્ક પોસ્ટના ડબલ ડાયમંડ અંગેના ન્યુઝ

https://nypost.com/2019/10/10/worlds-first-double-diamond-discovered-in-russian-mine/?utm_source=url_sitebuttons&utm_medium=site%20buttons&utm_campaign=site%20buttons

October 10, 2019
nobel.jpg
1min4820

લિથિયમ-આયન બેટરી તૈયાર કરીને સ્માર્ટફૉન્સ, લેપટોપ અને ઇલેક્ટ્રિક વાહનોની બેટરીના ઉત્પાદનમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા બદલ અમેરિકાના ૯૭ વર્ષીય વિજ્ઞાની જૉન ગુડઇનફ, બ્રિટનના સ્ટેન્લી વિટીંગહેમ અને જાપાનના અકિરા યોશીનોને રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક આપવાની જાહેરાત કરાઇ હતી.

નોબેલ પુરસ્કાર આપતી સંસ્થા રોયલ સ્વિડિશ એકેડેમી ઑફ સાયન્સીસે જણાવ્યું હતું કે આ ત્રણ વિજ્ઞાનીની વચ્ચે પુરસ્કારના ૯૦ લાખ સ્વિડિશ ક્રોનોર (અંદાજે ૯,૧૪,૦૦૦ અમેરિકી ડૉલર અથવા ૮,૩૩,૦૦૦ યુરો) વહેંચી દેવાશે. જ્યુરીએ જણાવ્યું હતું કે વજનમાં હલકી, ફરી ચાર્જ કરી શકાતી, શક્તિશાળી બેટરીઓ હવે મોબાઇલ ફૉન્સ, લેપટોપ્સ, ઇલેક્ટ્રિક વાહનો વગેરેમાં વપરાય છે અને તેની મદદથી સૌરઊર્જા તેમ જ પવનઊર્જાનો પણ સંગ્રહ કરી શકાય છે.

આ શોધને લીધે પ્રદૂષણ પેદા કરતા ઈંધણનો વિકલ્પ મળ્યો છે. તેણે જણાવ્યું હતું કે લિથિયમ બેટરીઓ ૧૯૯૧માં વેચાણ માટે બજારમાં આવી ત્યારથી આપણા જીવનમાં ક્રાંતિ આવી છે. લિથિયમ ઘણી હલકી ધાતુ હોવાથી પાણી પર તરે છે. ૧૯૭૦ના દાયકામાં ખનિજ તેલની કટોકટી ઊભી થઇ હતી ત્યારે ઊર્જાના વૈકલ્પિક સ્રોત તરીકે અમેરિકાના વિજ્ઞાની જૉન ગુડઇનફે લિથિયમ બેટરી તૈયાર કરી હતી.

October 10, 2019
imf_logo.jpg
1min5100

વૈશ્ર્વિક મંદીની અસર ભારત જેવા વિકાસશીલ દેશો પર વધુ થઈ રહી છે અને આ વર્ષે વિશ્ર્વના ૯૦ ટકા દેશોમાં આર્થિક મંદી હોવાથી વૃદ્ધિ દરમાં ઘટાડો થશે તેવું ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના નવા વડા ક્રિસ્ટલિના જ્યોર્જિવાએ મંગળવારે કહ્યું હતું. વૈશ્ર્વિક ક્ષેત્રે આ દશકનો સૌથી નીચો વૃદ્ધિ દર નોંધાશે તેવું આઈએમએફના મેનેજિંગ ડિરેકટરે કહ્યું હતું.

આઈએમએફ અને વર્લ્ડબૅંકની વાર્ષિક બેઠક આગામી સપ્તાહમાં મળશે અને વૈશ્ર્વિક મંદી બાબતમાં ‘વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક’ જાહેર કરાશે.

આઈએમએફના એમડી જ્યોર્જિવાએ કહ્યું કે ‘૨૦૧૯માં વિશ્ર્વના નેવું ટકા અર્થતંત્રોમાં વૃદ્ધિદર ધીમો રહેશે તેવું અમે માનીએ છે. વૈશ્ર્વિક અર્થતંત્રમાં એક સાથે મંદીનો દોર શરૂ થયો છે.’

તેમણે કહ્યું કે ‘ભારત અને બ્રાઝિલ જેવા વિશાળ વિકાસશીલ અર્થતંત્રોમાં જીડીપી વૃદ્ધિદર ઘટશે. વર્ષોથી ચીનનો વૃદ્ધિદર વધુ હતો તે હવે ક્રમશ: ધીમો પડી રહ્યો છે.’ વિશ્ર્વસ્તરે એકંદરે મંદીનાં વાદળો છવાયાં હોવા છતાં ૪૦ જેટલા વિકાસશીલ

દેશોના અર્થતંત્રનો જીડીપી વૃદ્ધિદર પાંચ ટકાથી વધુ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે તેવું જ્યોર્જિવાએ કહ્યું હતું. તેમણે કહ્યું કે ‘બજેટમાં અવકાશ હોય તેવા દેશોએ વ્યાજદર નીચા કરવાનો ઉપાય અજમાવવા જેવો છે.’

‘યોગ્ય ક્રમમાં યોગ્ય આર્થિક સુધારાઓ કરવાથી વિકસિત અર્થતંત્રોના જીવનધોરણ હાંસલ કરવાની વિકાસશીલ દેશોની ઝડપ બમણી થઈ શકે છે.’ તેવું આઈએમએફ વડાએ સૂચન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે વધુ સહકારની આવશ્યકતા વધી છે ત્યારે વેપાર વાટાઘાટ કરવાની ઈચ્છાશક્તિમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ‘વેપાર ક્ષેત્રે સહકાર જરૂરી છે. નાણાકીય નિયમનકારી માળખામાં સુધારાઓના એજન્ડાનું અમલીકરણ સંપૂર્ણ રીતે કરવું જોઈએ. મનિલોન્ડરિંગ પ્રવૃત્તિઓ અને ત્રાસવાદને નાણાં પૂરા પાડવા પર નિયંત્રણ મેળવવું જરૂરી છે.

આઈએમએફના એમડી બલ્ગેરિયાના અર્થશાસ્ત્રી છે અને પ્રથમવાર વિકાસશીલ દેશના કોઈ વ્યક્તિ આઈએમએફના એમડી બન્યા છે.

October 8, 2019
medical_noble.jpg
1min7800

સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં વર્ષ 2019 માટે નોબેલ પુરસ્કારોની ઘોષણા સોમવારથી શરૂ થઇ ગઇ છે. પ્રથમ નોબેલ સન્માન ચિકિત્સાનાં ક્ષેત્રમાં આપવાની ઘોષણા કરાઇ હતી.

અમેરિકાના વિલિયમ જી. કેલીન જૂનિયર અને બ્રિટનના સરપીટર જે. રેટફિલક તેમજ અમેરિકાના ગ્રેએલ સંમેન્જાને સંયુક્ત રીતે સન્માનિત કરાશે.

આ ત્રણેય વિજેતાને શરીરના કોષોમાં જીવન અને ઓકિસજન ગ્રહણ કરવાની ક્ષમતા અંગે કરેલી મહત્ત્વપૂર્ણ શોધ બદલ નોબેલથી નવાજાશે.

તબીબી ક્ષેત્રના નોબેલ પુરસ્કારો બાદ 14 ઓક્ટોબર સુધી છ અન્ય ભૌતિક રસાયણ, સાહિત્ય, શાંતિ સહિત ક્ષેત્રોમાં વિજેતાઓનું એલાન કરાશે. આ વખતે પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન માટે દુનિયાભરમાં ઓળખ ઊભી કરનારા ગ્રેટા થુન્બર્ગને શાંતિ નોબેલ પુરસ્કારના દાવેદાર મનાય છે.

વધુમાં, આ વરસે સાહિત્યના એક સાથે બે નોબેલ પુરસ્કાર અપાશે. ગત વર્ષે યૌન શોષણના આરોપો થકી પુરસ્કાર નહોતા અપાયા. ગત વર્ષે 70 વર્ષમાં પહેલીવાર સાહિત્ય માટે નોબલ પુરસ્કાર નહોતા અપાયા. યૌન શોષણના આરોપો બાદ અકાદમીના 7 સભ્યોએ રાજીનામું આપી દીધું છે.

October 6, 2019
Yala-court.jpg
1min4390

થાઇલેન્ડના એક ન્યાયાધીશે ખીચોખીચ ભરેલી અદાલતમાં ન્યાયતંત્રની ટીકા કરી, પોતાના ફૉનમાંના ફેસબુક દ્વારા તેનું સીધું પ્રસારણ કરીને છાતીમાં ગોળી મારી હતી. ન્યાયાધીશે પોતાને મરતાં પહેલાં રાજાશાહીની ન્યાય પદ્ધતિની આકરી ટીકા કરી હતી અને હત્યાના અનેક આરોપીને છોડી દીધા હતા. તેમણે આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલાંના પ્રવચનનું ફેસબુક પર સીધું પ્રસારણ પણ કર્યું હતું. ટીકાકારોએ જણાવ્યું હતું કે થાઇલેન્ડની અદાલતો શ્રીમંત અને શક્તિશાળી લોકોની તરફેણમાં વધુ ચુકાદા આપે છે, જ્યારે સામાન્ય નાના માણસોને હેરાન કરે છે. આમ છતાં, ન્યાયાધીશે ન્યાયતંત્રની આ રીતે જાહેરમાં ટીકા કરી હોવાનો કદાચ આ પ્રથમ બનાવ હતો.

યાલા શહેરની અદાલતના ન્યાયાધીશ કાનાકોમ પિંચાનાએ આત્મહત્યાની કોશિશ કરતા પહેલાં હત્યાના કેસના પાંચ આરોપીની દલીલની સુનાવણી કરી હતી. તેમણે આરોપીઓને છોડી દીધા હતા, ભ્રષ્ટાચારથી મુક્ત ન્યાયતંત્રની હિમાયત કરતું પ્રવચન આપ્યું હતું અને તે પછી બંદૂક કાઢીને પોતાની છાતીમાં ગોળી મારી હતી. ન્યાયાધીશે પોતાના ફૉન પરથી ફેસબુક પર કરેલા સીધા પ્રસારણમાં દેશની ન્યાય પ્રક્રિયાની જાહેરમાં ટીકા કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે કોઇને ગુનેગાર ઠેરવવા માટે વિશ્ર્વસનીય પુરાવાની જરૂર છે. હું એમ નથી કહેતો કે આરોપીઓ નિર્દોષ છે, પરંતુ ગુનો સાબિત કરવા માટે નક્કર પુરાવાની જરૂર હોય છે. ન્યાયની પ્રક્રિયા પારદર્શક હોવી જોઇએ અને કોઇને પણ બલિનો બકરો બનાવવો ન જોઇએ.

ન્યાય મંત્રાલયની કચેરીના પ્રવક્તા સૂર્યન હોંગવિલાઇએ જણાવ્યું હતું કે ડૉક્ટરોએ ઘાયલ ન્યાયાધીશની સારવાર કરી હતી અને હવે તેમની તબિયત સારી છે. આ ન્યાયાધીશે માનસિક તાણને લીધે પોતાને ગોળી મારી હતી. આમ છતાં, માનસિક તાણનું કારણ હજી સુધી જાણવા નથી મળ્યું.

October 2, 2019
moneco_gandhi.jpg
1min8740

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની બીજી ઓક્ટોબર, ૨૦૧૯ના ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે પશ્ર્ચિમ યુરોપમાં આવેલા ફ્રેન્ચ રિવિએરાનું નાનું રાજ્ય મોનેકોની સરકારે ગાંધીજીની સ્મૃતિમાં પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડવાની જાહેરાત કરી છે.

આ સ્ટેમ્પની કિંમત ૨.૧૦ યૂરો હશે. બીજી ઓક્ટોબરે ૪૦,૦૦૦ સ્ટેમ્પ વેચાણ માટે મૂકવામાં આવશે.

આ અગાઉ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીમાં ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીને ધ્યાનમાં રાખીને ત્યાંના કુંવર શેખ મોહમદ બિન ઝયૈદ અલ નાહયાનની હાજરીમાં પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી હતી.

September 24, 2019
q2.jpg
1min11600

પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં આજે બપોરે સાડાચાર વાગ્યાના અરસામાં પ્રચંડ ભૂકંપ આવ્યો હતો અને તેના કારણે ભારે તબાહી મચી હોવાના પ્રાથમિક અહેવાલો મળ્યા છે.

ભૂંકપને કારણે એક મહિલા સમેત કુલ 4 વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાના અહેવાલો સાંપડ્યા છે. ભૂકંપને કારણે એક મોટી નહેરમાં ભંગાણ સર્જાતા આસપાસના રહેવાસી વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.

September 23, 2019
thomas_cook-1280x800.jpeg
2min15210

178 વર્ષ જૂની વિશ્વની સૌથી જાણિતી ટ્રાવેલ કંપની થોમસ કૂકે રાતોરાત કામકાજ બંધ કર્યું, વિશ્વના લાખો લોકો અટવાયા

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિશ્વની સૌથી જૂની અને જાણીતી ટ્રાવેલ કંપની ગણાતી થોમસ કૂક રવિવાર તા.22મી સપ્ટેમ્બર 2019ની રાત્રે કાચી પડી હતી. કંપનીના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે અનેક પરિબળો નકારાત્મક હોઇ, અમારી પાસે લિકવીડેશન સિવાય બીજો કોઇ વિકલ્પ બાકી બચ્યો ન હતો.

થોમસ કૂક ટ્રાવેલ કંપનીએ રાતોરાત કામકાજ બંધ કરી દેતા લાખો મુસાફરો અને તેમણે કરાવેલા બુકિંગ કોલેપ્સ થઇ ગયા હતા. મુસાફરો તેમજ રજાઓ પ્લાન કરનારા લાખો લોકો રાતોરાત વગર નોટીસે મુશ્કેલીમાં મૂકાય જવા પામ્યા છે. સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જ્યારે કંપનીએ સદંતર કામકાજ બંધ કરી દેવાની ઘોષણા કરી ત્યારે કમસેકમ દસ લાખથી વધુ લોકોના બુકિંગ્સ, પ્લાનિંગ, ટિકીટ્સ વગેરેની કામગીરી ચાલી રહી હતી.

સમગ્ર વિશ્વમાં લોકો થોમસ કૂકને અચાનક નાદારી જાહેર કરવાની ઘટનાને ટ્વીટર પર ટ્રોલ કરી રહ્યા છે.

થોમસ કુક બ્રિટનની સૌથી જૂની ટ્રાવેલ કંપની એટલા માટે ગણવામાં આવે છે કેમકે તેની સ્થાપના આજથી 178 વર્ષ પહેલા કરવામાં આવી હતી.

થોમસ કુક કંપનીના સત્તાવાળાઓએ રવિવાર તા.22મી સપ્ટેમ્બરની રાત્રે આ મેસેજ સાથે કામકાજ બંધ કરી દીધું હતું.

બ્રિટનના ગેટવિક એરપોર્ટ પર તા.22મી સપ્ટેમ્બર 2019ની રાત્રે જ્યારે અચાનક થોમસ કુક કંપનીએ પોતાનું કામકાજ તાત્કાલિક અસરથી બંધ કરવાની ઘોષણા કરી હતી ત્યારે આ રીતે થોસમ કૂકની ફ્લાઇટ્સ, પ્લાન્સ, ટ્રાવેલ ડેસ્ક સાથે સંકળાયેલા મુસાફરો અટવાય જવા પામ્યા હતા.

The company said in a statement that its board “concluded that it had no choice but to take steps to enter into compulsory liquidation with immediate effect.”

વૈશ્વિક મિડીયા સીએનએન દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલની લિંક નીચે મુજબ છે.

https://edition.cnn.com/2019/09/22/business/thomas-cook-collapse/index.html?utm_term=link&utm_content=2019-09-23T02%3A25%3A05&utm_source=twCNNi&utm_medium=social