CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 27 of 49 - CIA Live

June 11, 2020
coronafeee-1280x720.jpg
1min5920

વાંચો કોરોનામુક્ત દેશની યાદી

ન્યૂ ઝીલેન્ડ, પાપુઆ ન્યૂ ગિનીએ, સેશેન્સ, ફિઝી, ત્રિનિદાદ અને ટોબૈગો, લાઓસ, વેટિકન સિટી, ગ્રીનલેન્ડ, મકાઓ, માન્ટેનિગ્રોએ, ઇરિટ્રિયા, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ, સેંટ પિયરે મિક્વેલોન, અંગ્વેલિયા, સેંટ બાર્થ, કૈરેબિયન નેધરલેન્ડ, મોન્ટસેરાટ, ટકર્સ એન્ડ સાઇકોઝ, સેન્ટ કિસ્ટ એન્ડ નેવિસ તિમોર લેસ્ટે, ફ્રેન્ચ પોલેનેશિયા, અરુબા, ફાઇરો આર્યલેન્ડ, આઇલે ઓફ મેન જેવા તમામ દેશોનો કોરોનામુક્ત દેશોમાં સમાવેશ થાય છે.

કોરોનાની મહામારી સામે અત્યારના સમયમાં મોટાભાગે દરેક દેશ લડી રહ્યા છે. ત્યારે કોરોનાના કહેરથી મહાસત્તા પણ બાકાત રહી નથી. અત્યારના સમયમાં કોરોનાના કારણે સ્થિતિ એટલી ખરાબ થઇ ગઇ છે. કે લોકોના કામ ધંધા બંધ છે. તેઓ ના તો ક્યાંય જઇ શકે છે. ના તો બાળકોને ક્યાંય લઇ જઇ શકે છે. તેમાં પણ મધ્યમ વર્ગના લોકોની હાલત પણ ખરાબ છે.

અત્યારે ઘણી કંપનીઓ પૂરતો પગાર પણ નથી આપી રહી તેવામાં લોકો બોળકોની સ્કૂલ ફી ભરે કે પછી લાઇટબિલ ભરે કે ઘરમાં રાશન ભરે, ત્યારે હાલના સમયમાં કોરોનાના કેસ વધતા હોવા છતાં પણ લોકો પોતાના નોકરી ધંધા કરવા નીકળી પડે છે. ત્યારે મજૂર વર્ગ કે જે પોતાના વતનથી દૂર બે પૈસા કમાવા માટે બીજા રાજ્યોમાં રહે છે. તેમની હાલત તો વધારે ખરાબ છે. તેમને અત્યારે ના તો રોજનું કામ મળે છે. ના તો તેમની પાસે એવી કોઇ બચત છે કે તેઓ છ મહિના સુધી બેસીને ખાઇશકે. ઘણા લોકો મદદ કરે છે પરંતુ જનસંખ્યા એટલી છે કે કોણ કોની અને કેટલી મદદ કરે.

દુનિયામાં કોરોનાના કારણે ચાર લાખ લોકોના મૃત્યુ થયા છે. તેમ જ ૭૩ લાખ જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. તેમ જ આ મહામારી સામે હજુ પણ કેટલાક દેશો લડત આપી રહ્યા છે. ત્યારે કેટલાક એવા પણ દેશો છે કે જેમને કોરોનાને હરાવ્યો છે. અને તે દેશોમાં કોરોનાનો હાલમાં એક પણ કેસ નથી. આવા દેશોના લિસ્ટમાં સૌપ્રથમ નામ ન્યૂ ઝીલેન્ડનો આવે છે. અહી ગત સોમવારે કોરોનાનો છેલ્લો દરદી સ્વસ્થ થઇને ઘરે પહોંચી ગયો છે.

કોરોનાના એક પણ કેસ ના હોય તેવા દેશ પણ નિયમોનું પાલન કરે છે:

હાલમાં દુનિયામાં ૨૫ એવા દેશ છે જ્યાં કોરોનાનો એક પણ કેસ નથી તેમ છતાં તે દેશમાં આ તમામ દેશો ચુસ્તપણે કેટલાક નિયમોનું પાલન કરી રહ્યા છે. જેમકે દરેક જગ્યાએ લોકોનું સ્કેનિંગ કરવું, હાથને વારે વારે ધોવા, જો ખરાબ તબિયત હોય તો અન્ય લોકોના સંપર્કમાં ના આવવું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, કોઇ જગ્યાએ ભીડમાં એકઠા ના થવું, તેમ જ કોઇ પણ પ્રકારના લક્ષણ જણાય તો તરત જ સરકારને જાણ કરવી, આવા ઘણા નિયમો કે જે હાલમાં દેશમાં કોરોનાના કેસ ના હોવા છતાં પણ સુરક્ષાના ભાગરૂપે આવા તમામ નિયમોનું દેશના તમામ નાગરિકોએ પાલન કરવાનું રહે છે. અને આવા નિયમોથી જ કેટલાક દેશો કોરોનામુક્ત બન્યા છે અને તે દેશો અત્યારે અન્ય દેશોને પ્રત્સાહિત કરી રહ્યા છે.

દેશમાં ખૂબજ ઝડપથી વધી રહ્યા છે કેસ

કોરોના વાઇરસના કેસ દેશમાં ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. કોરોના સંક્રમણના બાબતે દેશ ઇટલીથી પણ આગળ નીકળી ગયો છે. ભારતમાં અત્યાર સુધીમાં ૨૭૬૫૮૩ કેસ નોંધાયા છે. જેમાં ૭૭૪૫ લોકોના મૃત્યુ થયા છે. તેમ જ ૧૩૫૨૦૬ કેસ સારા પણ થઇ ગયા છે. બુધવારે સવાર સુધીમાં દુનિયામાં ૭૩૧૬૯૪૪ લોકો કોરોનાથી સંક્રમિત થયેલા છે. તેમ જ ૪૧૩૬૨૭ લોકોનો જાવ કોરોનાના કારણે ગયો છે. દુનિયાભરમાં કોરોના વાઇરસના કારણે ૩૬૦૨૫૦૨ દરદીઓ સારા થયા છે.

May 31, 2020
who_trump.jpg
1min4870

અમેરિકામાં કોરોનાના સૌથી વધારે કેસથી ખિન્ન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે અમેરિકાએ નાતો તોડવાની જાહેરાત કરતા ચીન પર પણ ઘણા પ્રતિબંધો મૂક્યા છે.

ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે તે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે સંબંધ ખતમ કરવાની સાથે સાથે કોરોના મહામારી અંગે દગો આપવા અને હૉંગકૉંગ મામલે ચીન વિરુદ્ધ પ્રતિબંધ મૂકી રહ્યા છે.

વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે સંવાદદાતાઓને કહ્યું કે તે અમેરિકામાં અધ્યયન કરતાં ચીનના સંશોધકો પર પણ પ્રતિબંધ મૂકવા જઈ રહ્યા છે. આ લોકો અમેરિકાની સુરક્ષા માટે ગંભીર જોખમ છે. તેની સાથે તે અમેરિકન સ્ટૉક એક્સચેન્જમાં પણ સૂચિબદ્ધ તે ચીની કંપનીઓ પર કાર્યવાહી કરવા જઈ રહ્યા છે જે અમેરિકન કાયદાનું પાલન નથી કરતી.

અમેરિકા આની સાથે જ વ્યાપાર અને પર્યટનના ક્ષેત્રમાં હૉંગકૉંગને મળેલા વિશેષ દરજ્જો પણ પાછો ખેંચવા જઈ રહ્યું છે. ટ્રમ્પે આની સાથે જ ચીનના અમેરિકન હિત સાથે રમવાની છૂટ આફવા માટે પોતાના પૂર્વવર્તી શાસકોની આલોચના પણ કરી છે. તેમણે કહ્યું કે વાતની છૂટ હું નહીં આપું.

જો કે, ટ્રમ્પ દ્વારા ચીન પર મૂકવામાં આવેલા પ્રતિબંધોને ડેમોક્રેટિક તેમજ રિપબ્લિકન પાર્ટીના નેતાઓને ખૂબ જ સામાન્ય જણાવ્યા છે. ટ્રમ્પે આ દરમિયાન ભારત-ચીન સીમા વિવાદ અંગે કંઇ જ કહ્યું નથી.

કોરોના મહામારીને લઈને ટ્રમ્પે આ પહેલા પણ ડબ્લ્યૂએચઓને ઘેરી ચૂક્યા છે. ટ્રમ્પે તાજેતરમાં જ કોરોના વાયરસ સંકટ પર ગેરજવાબદાર રીતે કામ કરવાનો આરોપ મૂકતાં WHOને આપવામાં આવતી આર્થિક સહાય પણ અટકાવી દીધી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે જ્યાં સુધી કોરોનાના પ્રસારને ઘટાડવાને લઈને WHOની ભૂમિકાની સમીક્ષા નહીં થાય, ત્યાં સુધી તેમના પર આ પ્રતિબંધ લાગેલું રહેશે. ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાના કરદાતા ડબ્લ્યૂએચઓને વાર્ષિક 40થી 50 કરોડ ડૉલર આપે છે. જ્યારે ચીન વાર્ષિક લગભગ 4 કરોડ ડૉલર કે તેનાથી પણ ઓછી રકમ આપે છે. ટ્રમ્પે WHO પર પ્રશ્નો ઉઠાવતાં કોરોનાના પ્રકોપમાં પોતાનું કર્તવ્ય નિભાવવામાં તે સંપૂર્ણપણે અસફળ રહ્યું છે.

May 24, 2020
itspeed.jpg
5min4750

વિશ્ર્વની સૌથી ઝડપી ઇન્ટરનેટ ડેટા સ્પીડ નોંધાવવાની સિદ્ધિ વિજ્ઞાનીઓએ મેળવી છે જેને કારણે સેકંડ કરતા પણ ઓછા સમયમાં ૧૦૦૦ જેટલા એચડી પિકચર ડાઉનલોડ કરી શકાશે.

સિંગલ ઓપ્ટિકલ ચિપની મદદથી આ શક્ય બન્યું છે જે વિશ્ર્વભરમાં નેટવર્ક કનેક્શનની ક્ષમતા વધારવામાં મદદ કરશે.

ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટીના બિલ કોર્કોરા ન સહિતના સંશોધકોએ સિંગલ લાઈટ સોર્સમાંથી પ્રતિ સેક્ધડ ૪૪.૨ ટેરા બાઈટ ( ટીબીપીએસ)ની ડેટા સ્પીડ નોંધાવી હતી.

બ્રોડબેન્ડ ઇન્ટરનેટ નેટવર્ક માટે વપરાતી ફાઈબર ઓપ્ટિક ટેકનોલોજી સાથે નવું ઉપકરણ જોડીને વિજ્ઞાનીઓએે આ સ્પીડ મેળવી હતી.

World’s fastest internet speed of 44.2 Terabits per second recorded by Aussie researchers

Researchers in Australia from various universities have managed hit world’s highest internet speed of 44.2Tb/ps. At this speed, it is claimed you can download 1000 high-definition movies in a split second. Also Read – Honor bets on the Internet of Things and presents 11 new products for the smart home

The test on the network was done by researchers from Monash, Swinburne and RMIT universities. This speed was achieved using a single optical chip. The study says during peak time, internet speed at this rate can be accessible for over 1.8 million houses in Melbourne. In addition to this, billions of people from across the world. Also Read – Rural India now has 227 million internet users, 22 million more than urban areas: Report

The research team led was by Dr Bill Corcoran (Monash), Professor Arnan Mitchell from RMIT and David Moss from Swinburne. The team believes their breakthrough in the internet speed can help with advancement of technology. Fast internet bandwidth could be the catalyst for development of effective self-driving car solutions, as well as build robust digital education network. Also Read – Internet speeds in India decline due to increased usage, reveals Ookla Speedtest

“We’re currently getting a sneak-peak of how the infrastructure for the internet will hold up in two to three years’ time, due to the unprecedented number of people using the internet for remote work, socialising and streaming, Dr Bill Corcoran, Lecturer – Electrical and Computer Systems Engineering, Monash University said in this release.

Tests of this magnitude is confined to laboratories but that’s the unique part about this achievement. “This test was done using the existing communication infrastructure. The researchers were able to load-test it on the network, the group said.

Behind the scenes

To achieve this feat, the researchers installed “76.6km of ‘dark’ optical fibres between RMIT’s Melbourne City Campus and Monash University’s Clayton Campus. The optical fibres were provided by Australia’s Academic Research Network,” it noted.

They further explained the test methodology. “The group used a new device that replaces 80 lasers with one single piece of equipment known as a micro-comb, which is smaller and lighter than existing telecommunications hardware. It was planted into and load-tested using existing infrastructure, which mirrors that used by the National Broadband Network (NBN).”

May 22, 2020
coronausa.jpg
1min5460

અમેરિકામાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં ગુરુવારે ફરી એકવાર ઉછાળો આવ્યો છે. ગુરુવારે 1255 કેસ નોંધાયા છે, અને બુધવારે લગભગ 1500 લોકોના મોત થઈ ગયા હતા, અમેરિકામાં વાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. પાછલા કેટલાક દિવસોમાં મૃત્યુઆંક ઘણો ઊંચો રહ્યો છે. પાછલા એક અઠવાડિયામાં કોરોના વાયરસના કારણે અહીં 1000 કરતા વધારે લોકોના મોત થઈ રહ્યા છે. જેમાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે.

આ સાથે અમેરિકામાં કોરોના વાયરસના કારણે મરનારા લોકોની કુલ સંખ્યા 96,354 થઈ ગઈ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 16.20 લાખ કરતા વધારે લોકો કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે, અહીં રોજ 20,000 કરતા વધારે નવા કેસ સામે આવી રહ્યા છે.

જો પાછલા 24 કલાકની વાત કરીએ તો દુનિયાભરમાં લગભગ 1 લાખ નવા કેસ નોંધાયા છે. જેમાં રશિયામાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 3.17 લાખ થઈ ગઈ છે. અહીં અત્યાર સુધીમાં 3,100 લોકોના મોત થઈ ગયા છે. તો બ્રાઝિલમાં 3.10 લાખ લોકો છે, જેમાં 20,000 કરતા વધારે લોકોનો જીવ ગયો છે. સ્પેનમાં કોરોના વાયરસના 2.80 લાખ કેસ છે, જ્યારે 28,000 લોકોના મોત થઈ ગયા છે.

May 13, 2020
coronaworld-1280x1023.jpg
1min8490

વિશ્ર્વભરમાં કોરોનાથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત અમેરિકામાં કોરોના વાઈરસને કારણે મૃત્યુ પામેલા લોકોનો આંક ૮૦,૦૦૦ને પાર કરી ગયો હોવા વચ્ચે અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે કોવિડ-૧૯ના પરીક્ષણની ક્ષમતા વધી ગઈ હોવાને કારણે દેશમાં આ અઠવાડિયે કોરોનાનાં પરીક્ષણનો આંક એક કરોડને વટાવી જશે.

અમેરિકામાં કોરોનાનું એપીસેન્ટર ગણાતા ન્યૂ યૉર્કમાં જૂન મહિના સુધી લૉક ડાઉન ચાલુ રહેશે એમ જણાવતાં મેયર બિલ ડૅ બ્લાસિયોએ કહ્યું હતું કે આમ છતાં ન્યૂ યૉર્કના ત્રણ વિસ્તાર ૧૫મી મેએ ફરી ખોલવામાં આવશે.

ચીનમાં ઉદ્ભવેલા કોરોના વાઈરસે અત્યાર સુધીમાં વિશ્ર્વભરમાં ૨,૮૫,૦૦૦ કરતા પણ વધુ લોકોનો ભોગ લીધો છે તો ૪૦ લાખ કરતા પણ વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.

અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાના ૧૩ લાખ કરતા પણ વધુ કેસ અને ૮૦,૦૦૦ કરતા પણ વધુનાં મોત થયા હોવાનું નોંધાયું છે, એમ જ્હૉન હૉપક્ધિસ યુનિવસટિી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ ૯૨ જાહેર આરોગ્ય સંસ્થાને કોરોનાના પરીક્ષણ માટે પરવાનગી આપી છે અને અત્યાર સુધીમાં અમેરિકામાં કોરોનાના ૯૦ લાખ કરતા પણ વધુ ટૅસ્ટ કરવામાં આવ્યા છે અને આ અઠવાડિયામાં આ આંક એક કરોડને વટાવે તેવી શક્યતા છે, એમ તેમણે કહ્યું હતું. ત્રણ અઠવાડિયા અગાઉ અમેરિકા કોરોનાના દૈનિક ૧.૫ લાખ પરીક્ષણ કરતું હતું જે આંક હવે વધીને ત્રણ લાખ પર પહોંચી ગયો હોવાનું તેમણે કહ્યું હતું.

May 9, 2020
vitminD.jpg
1min6040

વિટામિન ડીની ઊણપ હોવાથી ઈટલી અને સ્પેનમાં મૃત્યાંક વધુ હતો તેવું વૈજ્ઞાનિકોએ અહેવાલમાં જણાવ્યું છે. વિટામિન ડીના ઓછા સ્તર અને એકયુટ રેસ્પિટરેટરી ટ્રેકટ ઈન્ફેકશન (શ્ર્વસન તંત્રમાં ચેપ) વચ્ચે સંબંધ છે તેવું સંશોધનકારોએ દાવો કર્યો છે.

ઈટલી અને સ્પેનમાં મૃત્યાંક વધુ હતો અને યુરોપના મોટા ભાગના દેશોની સરખામણીમાં આ બંને દેશના લોકોમાં વિટામિન ડીનું પ્રમાણ ઓછું હોય છે. દક્ષિણ યુરોપમાં વૃદ્ધો તડકામાં જવાનું ટાળતા હોય છે. આથી વિટામિન ડીનું પ્રમાણ ઓછું હોય છે તેવું સંશોધનકારો કહે છે.

ઉત્તરી યુરોપના રહેવાસીઓમાં વિટામિન ડીનું પ્રમાણ વધુ હોય છે. તેઓ તડકામાં બહાર નીકળતા હોય છે તથા તેમના આહારમાં કોડલિવર ઓઈલનો સમાવેશ થતો હોય છે. તેઓ વિટામિન ડીના સપ્લીમેન્ટસ પણ લેતા હોય છે. હોસ્પિટલો, વૃદ્ધાશ્રમોમાં રહેતા લોકોમાંથી ૭૫ ટકામાં વિટામીન ડીની ઊણપ હોય છે તેવું લી સ્મિથ નામના સંશોધનકારે જણાવ્યું હતું. સ્કેન્ડિનેવિયાના રાષ્ટ્રોનો સૌથી ઓછો મૃત્યાંક નોંધાયો છે તેવું સંશોધનકારોએ કહ્યું હતું. 

April 19, 2020
unlogo.jpg
1min6100

કોરોના મહામારી વિરુદ્ધ વિશ્વવ્યાપી જંગમાં અગ્રણી ભૂમિકા ભજવવા બદલ સંયુક્ત રાષ્ટ્રએ ભારતની પ્રશંસા કરી છે. યૂએન ચીફે જણાવ્યુ કે, વૈશ્વિક સંકટના સમયે સક્ષમ દેશોએ અન્ય દેશોની મદદ કરવી જોઇએ. 

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે કોરોના વિરુદ્ધ લડાઇમાં અસરકારક દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીન(HCQ)ને ભારચ વિશ્વના 55 દેશોને આપવાની પ્રક્રિયા કરી રહ્યુ છે. HCQને અમેરિકાની એફડીએ, દવા નિયામક સંસ્થાએ કોવિડ-19ની સારવારમાં ઉપયોગી દવા તરીકે દર્શાવી છે. આ દવાનો ન્યૂયોર્કમાં 1500થી વધારે કોરોના દર્દીઓ પર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ભારતમાં આ દવાનો ઉપયોગ મલેરિયાની સારવારમાં કરવામાં આવે છે. 

આ સંકટની ઘડીમાં ભારત અમેરિકા સહિત અનેક દેશોને HCQ દવા પૂરી પાડી રહ્યો છે. વૈશ્વિક કોરોના મહામારીમાં ભારત દ્વારા અન્ય દેશોને મોકલવામાં આવી રહેલી દવાઓ અને અન્ય સામગ્રીઓ માટે પણ ગુટરેસે ભારતની પ્રશંસા કરી હતી.

દુનિયાભરમાં કોરોના વાયરસના ફેલાવા પછી આ દવાની માંગ વધી છે. આ પહેલા ભારત આ દવાની નિકાસ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય પર વિચાર કરી રહ્યુ હતું, પરંતુ વિશ્વસ્તરે કોરોના કેસો વધતા તેની વધતી જરુરિયાતને ધ્યાનમાં રાખી ભારતે પ્રતિબંધ હટાવી લીધો હતો.  

અમેરિકા, મોરેશીયસ, સેશેલ્સ જેવા દેશોને ભારત આ દવાનો પહેલો જથ્થો મોકલી ચૂક્યુ છે. જ્યારે અન્ય દેશો સુધી પણ આગામી દિવસોમાં દવા પહોંચી જશે. ભારત તેના પડોસી દેશો અફઘાન, ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, માલદીવ, શ્રીલંકા અને મ્યાનમાર જેવા દેશોને આ દવા મોકલવાની પ્રક્રિયા કરી રહ્યુ છે. 

April 19, 2020
whologo.jpg
2min4670

કોરોના મહામારીને લઇને પૂરી દુનિયામાં આતંક છવાયો છે. આવા સમયમાં ભય અને અફવાઓનું પ્રમાણ વધી જતું હોય છે. મને કોરોના હશે કે નહીં ત્યાંથી માંડીને જેમને કોરોના લાગુ પડ્યો છે તેમના નિકટના સ્વજનોને સતત એ વિચારો આવતા હોય છે કે અમારા સ્વજન સાજા થશે કે નહીં. જેની દવા હજું શોધાઇ નથી તે બીમારી ઘરના દ્વાર ખટખટાવી રહી હોય ત્યારે ભલભલા લોકો વહેમના વમળમાં ફસાઇ જતા હોય છે. આવા સમયમાં ભાતભાતના પ્રશ્ર્નો અને શંકા-કુશંકાઓ ઊઠે એ સ્વાભાવિક છે.

આવા સંજોગોમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ટ્વિટર મારફતે વિશ્ર્વના લાખો લોકોના પ્રશ્ર્નોનો અધિકૃત રીતે ઉત્તર આપે છે એ તમારે પણ જાણી લેવા જોઇએ. બની શકે કે નીચે આપેલ માહિતીમાં તમારા પણ કોઇ પ્રશ્ર્નનો ઉત્તર કે કોઇ શંકાનું સમાધાન મળી આવે.

  • તમારે અને તમારા કુટુંબે આ ચેપથી બચવું હોય તો સમાંતરે સાબુથી હાથ ધોતા રહેવું જોઇએ. બે વ્યક્તિ વચ્ચે કમસેકમ ૧ મીટર અર્થાત્ ૩ ફૂટનું અંતર હોવું જરૂરી છે. પણ અફસોસની વાત તો એ છે કે આજે પણ લોકો બેન્કમાં કે કરિયાણાની દુકાનમાં જાય છે ત્યારે આ નિયમોનો સરેઆમ ભંગ કરે છે.
  • ઘણા યુવાનોના મનમાં એવી વાત ઘૂસી ગઇ છે કે આ બીમારી તો ફક્ત વૃદ્ધોને જ લાગુ પડે છે, પણ એ સરાસર જૂઠ છે. કોરોના, વૃદ્ધો કે પછી જે લોકો હૃદયની બીમારી, ડાયાબિટીસ કે અસ્થમાના દર્દીઓ હોય તેમને લાગુ પડવાની શક્યતા વધુ છે, પણ એથી કંઇ યુવાનોને માથે આ બીમારીનું જોખમ જરાય ઓછું નથી થતું. ઘણા યુવાનો કંઇ અર્જન્ટ કામ ન હોય તો પણ સ્કૂટર લઇને રસ્તા પર નીકળી પડતા હોય છે તેમણે ચેતી જવાની જરૂર છે. આ રોગના ભરડામાં આબાલવૃદ્ધ સહુ કોઇ ફસાઇ ચૂક્યા છે.
  • ઘણા લોકોને ચેપ લાગુ પડે, પણ કોરોનાના કોઇ લક્ષણો જેમ કે સૂકી ઉધરસ, ગળામાં ખર્રાશ, તાવ કે પછી શ્ર્વાસ લેવામાં તકલીફ પડે- આમાનું કાંઇ થતું નથી. એક સારા સમાચાર એ છે કે મોટા ભાગના કેસમાં એટલે કે ૮૦ ટકા લોકોમાં ચેપ લાગવા છતાંય તેઓ સાજા નરવા રહે છે અથવા ઝડપથી સાજા થઇ જાય છે. બની શકે કે તેમના શરીરની પ્રતિકારશક્તિ આ કોવિડ-૧૯ નામના વિષાણુઓને મારી નાખતી હોય. એટલે મનમાં ભય લાવ્યા વિના શરીરની પ્રતિકારશક્તિ વધે એવા પ્રયત્નો કરવા જોઇએ.
  • અમારા દેશમાં બહોળી સંખ્યામાં ટેસ્ટિંગની કિટ નથી કે પૂરતી દવાઓ નથી એવો ભય ન રાખવો કે ખોટો ઊહાપોહ ન કરવો. આ ઓર્ગેનાઇઝેશન દરેક જોઇતી દવાઓ અને સાધનોનું ઉત્પાદન દુનિયાની વિવિધ કંપનીઓ પાસે કરાવે છે અને સઘળા દેશોમાં યોગ્ય વિતરણ થાય તેનું ધ્યાન રાખે છે.
  • ઘણા લોકો કસરત કરવા અંગે પ્રશ્ર્નો પૂછે છે. તેમને સંસ્થા કહે છે કે, અમે આવી પ્રવૃત્તિ માટે પુખ્ત વયના લોકોએ અડધો અને બાળકોએ એક કલાક ફાળવવો એવી ભલામણ કરીએ છીએ. જો બહાર નીકળવા મળતું હોય તો ચાલવા કે દોડવાની કસરત કરવી જોઇએ. અન્યથા ઘરની અંદર જ કસરત કે પછી નૃત્ય,યોગ કે પ્રાણાયામ જેવી પ્રવૃત્તિઓ કરી શકાય.
  • જીવનાવશ્યક ચીજોની કોઇ કમી નથી. એ મળતી જ રહેવાની છે એટલે ધીરજ રાખવી. ખોટી ઉતાવળ કરવી નહીં. ઘરમાં માલસામાનનો અતિ સંગ્રહ કરવો નહીં. અન્યની જરૂરતો પર પણ ધ્યાન આપવું.
  • ઘણા લોકો એમ વિચારે છે કે જેમ જેમ ગરમી વધતી જશે તેમ તેમ આ બીમારી ઘટતી જશે. જોકે, તેના કોઇ પુરાવા મળ્યા નથી. વધુ ગરમી હોય તેવા દેશોમાં પણ આ બીમારી ફેલાતી જાય છે.
  • આ વિષાણુઓથી મુક્તિ મેળવવા કપડાને કોઇ વિશેષ રીતે ધોવાની જરૂર છે કે સાધારણ ધોલાઇથી કામ ચાલી શકે એવા પ્રશ્ર્નો પણ ઘણા લોકોના મનમાં ઘૂંટાતો હોય છે. તેમને એટલું જ કહેવાનું કે ઘરના ડિટર્જન્ટ કે સાબુ કપડાંની ધુલાઇ માટે પૂરતા છે. હા પાણી ગરમ હોય તે લાભકારક છે.
  • ઘણા લોકોના મનમાં એવી માન્યતા હોય છે કે માસ્ક પહેરેલો હોય ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ કડકાઇથી ન પાળીએ તો ચાલે, પણ હૂ નામની સંસ્થા કહે છે કે માસ્ક પહેર્યો હોય છતાંય ઓછામાં ઓછું એક મીટરનું અંતર રાખવું ફરજિયાત છે. અને હા, વારંવાર સાબુથી હાથ ધોવાનું પણ ભૂલશો નહીં.
  • આ ચેપવિરોધી રસી ક્યારે પ્રાપ્ત થશે એવા પ્રશ્ર્નનો પણ ઉત્તર આપતા હૂ કહે છે કે કેટલાક વર્ષ લાગી શકે. હા, આ વાઇરસ દેખાયા તેના બે મહિનાની અંદર જ તેની રસી બનાવવાનું કામ શરૂ થઇ ગયું છે.
  • આવા સમયમાં માનસિક શાંતિ મળે તે માટે શું કરવું જોઇએ તે પ્રશ્ર્નનો ઉત્તર આપતા કહે છે કે સંગીત સાંભળવું કે પુસ્તકો વાંચવા જેવા રચનાત્મક કાર્યો કરવા. વારંવાર કોરોનો બીમારીને લગતા સમાચારો જોવા કે સાંભળવા નહીં.

આ મુદ્દો ખૂબ મહત્ત્વનો છે. નિરાશાજનક સમાચારો સાંભળીને આપણું મન ક્ષુબ્ધ બની જાય છે. ચિંતા કરવા માંડે છે. અંતરમાં ભય ઘૂસી જાય છે.

એક નિષ્ણાતે સાચું જ કહ્યું છે કે કોઇ બીમારી કરતાં એના ભયથી વધુ મોત થતાં હોય છે. માટે નિર્ભય બનો. સરકારી અને તબીબી માર્ગદર્શિકાનું પાલન કરો. સમયનો સદુપયોગ રચનાત્મક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં કરો.

April 19, 2020
lockdown-1.jpg
1min4680

કોરોના વાઇરસે સમગ્ર જગતમાં હાહાકાર મચાવ્યો છે અને ૨૦૦ જેટલા રાષ્ટ્રોમાં આ જીવલેણ વિષાણુએ માઝા મૂકી છે, પરંતુ વિશ્ર્વના અનેક દેશોની સરકારો પોતાને ત્યાંના લૉકડાઉનને ક્યારે અને કેવી રીતે હળવો કરી શકાય એના પર વિચાર કરવા લાગી છે.

કોવિડ-૧૯ મહામારીએ જાગતિક અર્થતંત્રને પાંગળુ કરી નાખ્યું છે અને આ અભૂતપૂર્વ પરિસ્થિતિમાં ઘણા દેશોમાં પ્રજાજનો દ્વારા નિયંત્રણોનો અંત લાવવાની હાકલ કરાઈ રહી છે.

વૈશ્ર્વિક સ્તરે એવા પુરાવા આપવામાં આવી રહ્યા છે કે સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે આ મહામારીને મંદ પાડવામાં સફળતા મળી રહી છે. આશરે ૪.૫ અબજ લોકો (પૃથ્વી પર વસતા લોકોમાંથી લગભગ અડધા ભાગની માનવજાત)એ ઘણા દિવસોથી પોતાના ઘરમાં ભરાઈ રહેવું પડ્યું છે. જોકે, લૉકડાઉનને ધીમે-ધીમે ઉઠાવવા તરફી જે અભિગમ વિશ્ર્વભરમાં જોવા મળી રહ્યા છે એના પરથી કહી શકાય કે આવનારા દિવસોમાં કોવિડ-૧૯ સામેની લડતમાં નવો વળાંક જોવા મળશે. વિશ્ર્વભરમાં બેરોજગારી વધી રહી છે અને ઘણા લોકો નોકરી-ધંધા ગુમાવ્યા પછીના પહેલા ભાડાના પેમેન્ટની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે અનેક દેશોની સરકારો લૉકડાઉનમાં રાહત મૂકવા વિચારી રહી છે. ૧૩ દેશો કોવિડ-૧૯ની મહામારીની આર્થિક અસર ઘટે એ સંબંધમાં જાગતિક-સ્તરિય સહકાર માટેનો અનુરોધ કરી રહ્યા છે. આ ૧૩ દેશોમાં કૅનેડા, બ્રાઝિલ, ઇટલી, જર્મની, બ્રિટન, ફ્રાન્સ, ઇન્ડોનેશિયા, મેક્સિકો, મોરોક્કો, પેરુ, સાઉથ કોરિયા, સિંગાપોર અને તુર્કીનો સમાવેશ છે.

આ રાષ્ટ્રો જાહેર આરોગ્ય, પ્રવાસ, વેપાર, આર્થિક અને નાણાકીય પગલાના મુદ્દે એકમેક સાથે સંકલન જાળવવા કટિબદ્ધ છે.

અમેરિકાના ત્રણ સ્ટેટમાં આ અઠવાડિયે દેખાવકારો જાહેરમાં ભેગા થયા હતા અને લૉકડાઉન સંબંધિત નિયંત્રણો પાછા ખેંચી લેવાનો અનુરોધ સરકારને કર્યો હતો. સૌથી મોટા દેખાવો મિશિગન સ્ટેટમાં થયા હતા જેમાં ૩,૦૦૦ લોકો એકત્રિત થયા હતા. એમાંથી અમુક લોકો શસ્ત્ર સાથે આવ્યા હતા. અમેરિકામાં કોરોનાનો ચેપ લાગ્યો હોય એવા ૭,૦૦,૦૦૦ કરતાં પણ વધુ કેસ નોંધાયા છે અને ૩૭,૦૦૦થી વધુ લોકોના મૃત્યુ થયા છે.

યુરોપમાં અમુક ભાગોમાં કોવિડ-૧૯ની મહામારીની તીવ્રતા ઘટી રહી હોવાના સંકેતો મળતાં સ્વિટ્ઝરલૅન્ડ, ડેન્માર્ક અને ફિનલૅન્ડમાં આ અઠવાડિયે દુકાનો અને સ્કૂલો ફરી ખોલવામાં આવી હતી. જર્મનીના આરોગ્ય પ્રધાને કહ્યું હતું કે ‘દેશમાં કોરોનાનો ચેપ લાગવાનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે.’ જર્મનીમાં કોરોનાને કારણે ૩,૪૦૦ લોકોના મૃત્યુ થયા છે, પરંતુ કોરોના બીજા રાઉન્ડમાં ન ત્રાટકે એની તકેદારી રાખીને અમુક નિયંત્રણો કેવી રીતે પાછા ખેંચી લેવા એનું ખૂબ નાજુક કામ જર્મન સરકાર હાથમાં લેવા જઈ રહી છે. જર્મનીમાં અમેરિકામાં કોરોનાનો ચેપ લાગ્યો હોય એવા ૧,૪૧,૦૦૦ કરતાં પણ વધુ કેસ નોંધાયા છે અને ૪,૩૫૦થી વધુ લોકોના મૃત્યુ થયા છે.

સોમવારે જર્મનીમાં અમુક પ્રકારની નાની દુકાનોને ફરી ખોલવામાં આવશે અને અમુક સ્તરના બાળકો ફરી સ્કૂલે જતા થઈ જશે.

ઇટલીમાં કોરોનાનો ચેપ લાગ્યો હોય એવા ૧,૭૨,૦૦૦ કરતાં પણ વધુ કેસ નોંધાયા છે અને ૨૨,૭૦૦થી વધુ લોકોના મૃત્યુ થયા છે. ઇટલીમાં અમુક ભાગો પણ લૉકડાઉનમાંથી બહાર આવી રહ્યા છે.

બીજી તરફ, જાપાન તેમ જ બ્રિટન અને મેક્સિકોમાં લૉકડાઉન લંબાવવામાં આવ્યું છે. ઘણા દેશોમાં કોરોનાની મહામારીથી અર્થતંત્રને ભારે નુકસાન થયું છે. ચીનમાં ઘણા દાયકાઓમાં પહેલી વાર જીડીપી (કુલ રાષ્ટ્રીય ઉત્પાદન)નો દર ઘટ્યો છે. 

April 18, 2020
coronaworld-1280x1023.jpg
7min10490

કોરોના મહાસંકટ વચ્ચે ઈટાલીથી 44 લાખ લોકો કામ પર પરત ફર્યા

યુરોપમાં કોરોના વાયરસનો ગઢ ઈટાલીમાંથી સારા સમાચાર સામે આવ્યા છે. ઈટાલીમાં કોરોના વાયરલ લોકડાઉનમાં આંશિક છૂટછાટ આપ્યા બાદ 44 લાખ લોકો કામ પર પરત ફર્યા છે. ઇટાલીની હવે મુસાફરો માટે કેટલાક એરપોર્ટ પણ ખોલવાની યોજના છે. ઈટાલીમાં મૃત્યની સંખ્યામાં નોધપાત્ર ઘટાડો થતા લોકડાઉનમાં રાહત આપવામાં આવી છે.

સ્પેનમાં હવે સલૂન જેવા નાના ઉદ્યોગો ખુલી રહ્યા છે. કોરોના વાયરસના પાયમાલથી ખૂબ પ્રભાવિત સ્પેનમાં મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સોમવારે સૌથી ઓછા 164 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ રોગચાળાથી સ્પેનમાં 25 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. જર્મનીમાં, વિસ્તૃત પરીક્ષણને કારણે કોરોના વાયરસ મોટા પ્રમાણમાં નિયંત્રણમાં રહે છે. જર્મનીમાં હવે કેટલીક શાળાઓ ખુલી છે.

Reported on 2 May

ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં મૃતકોની સંખ્યા ઘટી

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સોમવારના દિવસે કોરોના વાયરસના કારણે કુલ 337 લોકોના મોત થયા. કોરોના વાયરસના કારણે ન્યૂયોર્કમાં જે રીતે મોતની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો હતો તે પ્રમાણે સોમવારના દિવસે જે કેસ નોંધાયા તેની સંખ્યા ઓછી હતી. જ્યારે અમેરિકાના ન્યૂજર્સી શહેરમાં સોમવારના દિવસે કોરોના વાયરસના કારણે કુલ 106 લોકોના મોત થયા છે. આ બંને શહેરોના ગવર્નરે આ આંકડા જાહેર કર્યા છે.

અમેરિકામાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં કુલ 1,010,507 કેસ નોંધાયા છે અને કુલ 56,803 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. અહીં ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ન્યૂયોર્ક અને ન્યૂજર્સી શહેરમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે કે જ્યાં સૌથી વધારે પ્રમાણમાં ગુજરાતીઓ રહે છે. ન્યૂયોર્કમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 298,004 કેસ નોંધાયા છે અને 22,623 લોકોના મોત થયા છે. જ્યારે, ન્યૂજર્સીમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 111,188 કેસ નોંધાયા છે અને 6,044 લોકોના મોત થયા છે.

World મૃત્યુઆંક 1,66,000 : USA માં જ 41 હજારથી વધુ મોત 

વિશ્વસ્તરે કોરોના વાયરસ 1,66,794 લોકોનો ભોગ લઇ ચૂક્યો છે. આ આંકડો સોમવરા સાંજ સુધીનો છે. જ્યારે કુલ કેસોનો આંકડો  
24,32,092થી વધુ નોંધાયો છે. આ પૈકી 6,36,929 દર્દીઓ સારવાર દરમિયાન ઠીક થયા છે. 

જોકે આંકડાઓને લઇને માનવામાં આવી રહ્યુ છે કે રાષ્ટ્રીય એજન્સીઓ અને વિશ્વ સ્વાસ્થ સંગઠન તરફથી જાહેર કરાયેલા વાસ્તવિક આંકડાનો એક ભાગ છે, કારણ કે કેટલાક દેશો માત્ર ગંભીર કેસોની સારવાર કે તપાસ કરી રહ્યા છે.  

વિશ્વસ્તરે કોરોનાથી પ્રભાવિત દેશોમાં અમેરિકા સૌથી આગળ છે જ્યાં કોવિડ-19ને કારણે મરનારાની સંખ્યા 40 હજારને પાર થઇ ચૂકી છે. અહીં કુલ કેસોની સંખ્યા 7,60,570એ પહોંચી છે. જેમાં પ્રતિ દિવસ વધારો જોવા મળી રહ્યો છે. બીજા સ્થાને ઇટાલી છે જ્યાં મૃત્યુઆંક 23660 છે અને કુલ કેસો 178,000થી વધારે સામે આવ્યા ચૂક્યા છે. 

સ્પેનમાં પણ કુલ કેસોનો આંકડો 2 લાખને પાર નીકળી ગયો છે, જેમાંથી 20852 લોકોના મોત થયા છે. ફ્રાન્સમાં પણ 19744 લોકો જીવ ગુમાવી બેઠા છે અહીં કુલ 1,54,098 કેસ સામે આવી ચૂક્યા છે. બ્રિટનમાં અત્યાર સુધી 1,25,850 કેસ થયા છે જેમાંથી 16544 લોકોના મોત થયા છે. 

સમગ્ર યુરોપમાંથી કુલ 11,83,307 લોકો કોરોનાગ્રસ્ત છે જે પૈકી 1,04,028 લોકો દમ તોડી ચૂક્યા છે. અમેરિકા અને કેનેડામાં કોરોના કુલ 7,93,169કેસ સામે આવ્યા છે. ત્યાં મૃત્યુઆંક 42 હજારથી વધુ છે. પૂર્વ અને દક્ષિણ એશિયામાંથી કુલ 1,66,453કેસ સામે આવ્યા છે અહીં મૃત્યુઆંક 7 હજારથી વધુ છે. પશ્ચિમ એશિયામાંથી કુલ 1,26,793 કેસ સામે આવ્યા છે જેમાંથી 5664 લોકોના મોત થયા છે. આફ્રિકામાં પણ કોરોનાના કુલ 21 હજારથી વધુ કેસ સામે આવ્યા છે જે પૈકી 1124 લોકોના મોત થયા છે. 

World Nation wise data

OtherCasesDeaths
World2,250,790154,266
USA710,02137,158
Spain190,83920,002
Italy172,43422,745
France147,96918,681
Germany141,3974,352
UK108,69214,576
China82,7194,632
Iran79,4944,958
Turkey78,5461,769
Belgium36,1385,163
Brazil34,2212,171
Russia32,008273
Canada31,9271,310
Netherlands30,4493,459
Switzerland27,0781,327
Portugal19,022657
Austria14,595431
India14,352486
Ireland13,980530
Peru13,489300
Sweden13,2161,400
Israel12,982151
S. Korea10,653232
Japan9,787190
Chile9,252116
Ecuador8,450421
Poland8,379332
Romania8,067411
Saudi Arabia7,14287
Denmark7,073336
Pakistan7,025135

યુકેમાં માસ્ક ફરજિયાત બનાવો: લંડનના મેયર

બ્રિટનની રાજધાનીના મેયર સાદિક ખાને કોરોના વાઇરસ (કોવિડ-૧૯)નો રોગચાળો ફેલાતો અટકાવવા માટે ફેસ માસ્ક ફરજિયાત બનાવવાની યુકેની સરકારને શુક્રવારે વિનંતિ કરી હતી.

દરમિયાન, યુકેમાં કોવિડ-૧૯ના રોગચાળાને લીધે લદાયેલો લોકડાઉન વધુ ત્રણ અઠવાડિયાં એટલે કે ૭ મે સુધી લંબાવાયો છે.

લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના રોગચાળાને ફેલાતો અટકાવવાના પગલાંના ભાગરૂપે ન્યૂ યોર્ક સહિતના દુનિયાના અનેક શહેરમાં ફેસ માસ્ક પહેરવો ફરજિયાત બનાવાયો છે અને તે અસરકારક સાબિત થઇ રહ્યો હોવાથી આપણે ત્યાં પણ, ખાસ કરીને જાહેર પરિવહનમાં મુસાફરી કરનારા લોકો માટે ફેસ માસ્ક પહેરવો ફરજિયાત બનાવવો જોઇએ.

બ્રિટનના વિપક્ષ મજૂર પક્ષના નેતા સાદિક ખાને જણાવ્યું હતું કે મેડિકલ માસ્ક આરોગ્ય સેવા માટે કામ કરી રહેલા ડોક્ટરો, નર્સો સહિતના મેડિકલ સ્ટાફ માટે રાખવા જોઇએ, પરંતુ સામાન્ય જનતા જો ફરીથી વાપરી શકાય એવા ફેસ માસ્ક પહેરે તો તેનાથી કોવિડ-૧૯ના રોગચાળાને ફેલાતો રોકવામાં મદદ મળી શકે છે.

આમ છતાં, લંડનના મેયરની આગામી ચૂંટણીમાંના ખાનના હરીફ રૂઢિચુસ્ત પક્ષના નેતા શોન બેલીએ આક્ષેપ કર્યો હતો કે શહેરના મેયર દ્વારા ટ્રાન્સપોર્ટ ફોર

લંડનના કર્મચારીઓને ફેસ માસ્ક અને અન્ય પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પૂરા પાડવા માટે પૂરતા પગલાં નથી લેવાયા.

કોરોનાના વિષાણુ ચકાસવા સચોટ ટેસ્ટની શોધ

વિજ્ઞાનીઓએ એવા નવા પ્રકારના ટેસ્ટ (તબીબી પરીક્ષણ)ની શોધ કરી છે જેમાં શરીરમાં નોવેલ કોરોના વાઇરસ જો હશે તો એ વધુ ચોકસાઇપૂર્વક અને વધુ ઝડપથી શોધી શકાશે. હાલમાં કોવિડ-૧૯ની મહામારી સામેની લડતમાં પોલીમરેઝ ચેઇન રિએક્શન (પીસીઆર) આધારિત ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ નવા પ્રકારના ટેસ્ટની શોધ સાથે હવે વર્તમાન ટેસ્ટ પરનું દબાણ દૂર થશે. ૨૦૧૯ના ડિસેમ્બર મહિનામાં ચીનમાં કોરોના વાઇરસનો ‘આતંક’ શરૂ થયો ત્યાર પછી લાખો લોકોના ટેસ્ટ પીસીઆરની કિટને આધારે કરાયા હતા.

પીસીઆર સંવેદનશીલ પદ્ધતિ છે જેમાં સાર્સ-સીઓવી ટૂ આરએનએ પ્રકારના આ રોગમાં દર્દીના ગળામાંથી સ્ત્રાવનો નમૂનો લેવામાં આવે છે જેથી એમાં સૂક્ષ્મ વિષાણુ હોય તો એ શોધી શકાય. જોકે, કોવિડ-૧૯ મહામારી જેમ-જેમ આગળ વધતી જાય છે એમ લેબોરેટરીના સ્ટાફ પર નવી અને નક્કર શોધ કરવાનું દબાણ વધતું જાય છે. જોકે, સ્વિટ્ઝરલૅન્ડમાં ઝુરિક ખાતેની ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ, ઇટીએચ નામની સંસ્થાના સંશોધકોએ વધુ સચોટ કહી શકાય એવી ટેસ્ટની પદ્ધતિ શોધી છે. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો કહે છે કે નવી ટેસ્ટ કોવિડ-૧૯ને કાબૂમાં રાખવા માટે મહત્ત્વની પુરવાર થઈ શકશે. હાલમાં અમુક દેશોમાં કમ્પ્યૂટેડ ટોમોગ્રાફી (સીટી) સ્કેનિંગ તથા કલ્ચરિંગ નામની પદ્ધતિઓ પણ છે, પરંતુ એમાં પરિણામો વર્તમાન સંજોગો જોતાં ઝડપથી નથી મળી શક્તા.