CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 14 of 49 - CIA Live

April 13, 2022
coronaworld.jpg
1min399

કોરોના તેના નવા વેરિઅન્ટો સાથે ફરી સક્રિય થઈ રહ્યો છે ત્યારે દુનિયામાં કોરોના દર્દીઓનો આંકડો 50 કરોડને પાર થઈ ગયો છે. આ મહામારીના પહેલા કેસથી 50 કરોડ દર્દી થવામાં માત્ર 877 દિવસનો સમય લાગ્યો છે. જોકે રાહતની વાત એ પણ રહી છે કે, દુનિયાભરમાં 45 કરોડ 02 લાખથી વધુ લોકો સાજા પણ થઈ ચૂક્યા છે. સંક્રમણને કારણે દુનિયામાં અત્યાર સુધીમાં 62 લાખથી વધુ મૃત્યુ નોંધાયાં છે. દરમ્યાન, ભારતમાં કોરોના સતત નબળો પડી રહ્યો છે. વીતેલા ચોવીસ કલાકમાં 796 નવા કેસ નોંધાયા હતા અને 19 દર્દીઓએ મહામારી સામેની લડાઈમાં પોતાનો જીવ ખોયો હતો.

વિશ્વમાં અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાના સૌથી વધુ 8.20 કરોડ કેસ જોવા મળ્યા છે, જ્યારે ભારતનો ક્રમ બીજો છે. હાલમાં વિશ્વમાં 6થી 10 લાખ લોકોને આ સંક્રમણ થઈ રહ્યું છે.

ભારતમાં નવા કેસના ઉમેરા સાથે કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 4,30,36,828 પહોંચી હતી, જ્યારે 19 નવાં મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને 5,21,710 થયો હતો. નોંધાયેલાં 19માંથી 18 મોત એકલાં કેરળ રાજ્યનાં છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે સવારે જારી કરવામાં આવેલા અદ્યતન આંકડાઓ અનુસાર સક્રિય કેસોની સંખ્યા ઘટીને 10,889 થઈ હતી. એક્ટિવ કેસોની ટકાવારી કુલ કેસના 0.03 ટકા છે.

વીતેલા 24 કલાક દરમ્યાન કોવિડના કુલ કેસોમાંથી 169 કેસનો ઘટાડો થયો હતો. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,25,04,329 લોકો મહામારીને મ્હાત આપી ચૂક્યા છે. દેશમાં કોવિડ સામે જારી રસીકરણ અભિયાન તળે અત્યાર સુધીમાં 185.90 કરોડ ડોઝ અપાયા છે.

April 10, 2022
imran.jpg
1min637

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને તા.9મી એપ્રિલ, શનિવારે મધ્યરાત્રિએ ઉગ્ર વિવાદોના એક કલાક બાદ અવિશ્વાસ મતમાં સરકારમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. અવિશ્વાસના પ્રસ્તાવમાં 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં 174 મતો સાથે અવિશ્વાસનો પ્રસ્તાવ મંજૂર થયો હતો. આટલા મતો પાકિસ્તાન તહરીક-એ ઇન્સાફને પાણીચું આપવા માટે જરૂરી મતો કરતાં તેમાં બે મત વધુ હતા. ઇમરાનખાન સરકારનો કાર્યકાળ ચાર વર્ષનો છે.

સમગ્ર પાકિસ્તાન દેશમાં રાજકીય તંગદિલી અને ઉચ્ચ ડ્રામા વચ્ચે સ્પીકર અસદ કૈસર અને તેમના ડેપ્યુટી કાસિમ સુરીએ રાજીનામું આપ્યું તે પહેલાં સુપ્રીમ કોર્ટ દ્વારા ફરજિયાત અવિશ્વાસ મતની દરખાસ્ત પર વોટીંગ કરાવવામાં આવ્યું હતું. આમાં એટલી ધાંધલ ધમાલ થઇ હતી કે નેશનલ એસેમ્બલી ચાર વખત સ્થગિત કરવી પડી હતી. સરકારને હટાવવાના “વિદેશી કાવતરા” થઇ રહ્યું હોવાનો આક્ષેપ પણ ઇમરાનખાને કર્યો હતો પણ એ કારી પણ ચાલી શકી ન હતી.

આખરે ઇમરાન સરકાર વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્ત પસાર થઇ હતી અને તે પછી ઇમરાનખાનને પદભ્રષ્ટ કરી દેવામાં આવ્યા હતા.

April 9, 2022
willsmit.jpg
1min471

હોલિવુડના પોપ્યુલર એક્ટર વિલ સ્મિથ (Will Smith)ને એકેડમી મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સિઝે (Oscars 2022) 10 વર્ષ માટે પ્રતિબંધિત કર્યો છે. હવે વિલ સ્મિથ એકેડમીના કોઈપણ કાર્યક્રમમાં ભાગ નહીં લઈ(Will Smith Banned in Oscars) શકે. 28 માર્ચે યોજાયેલી ઓસ્કર અવોર્ડ દરમિયાન શોના હોસ્ટ ક્રિસ રોકે (Chris Rock) વિલની પત્ની જેડા પિંકેટ સ્મિથ (Jada Pinkett Smith)ની મજાક ઉડાવી હતી. જેનાથી ક્રોધે ભરાયેલા વિલે સ્ટેજ પર જઈને રોકને લાફો માર્યો હતો. ઘટનાના 11 દિવસ બાદ એકેડમીએ વિલ સામે એક્શન લીધી છે. વિલની મુશ્કેલી અહીં પૂરી નથી થતી કારણકે તેની ફિલ્મો પણ રદ્દ થઈ છે.

એકેડમીના પ્રેસિડેન્ટ ડેવિડ રૂબિન અને ચીફ એક્ઝિક્યુટિવ ડૉન હડસને કહ્યું, “94મો ઓસ્કર અમારી કમ્યુનિટીના કેટલાય લોકોને ઉજવવા માટે હતો. આ એ લોકો હતા જેમણે ગત વર્ષે શાનદાર કામ કર્યું હતું. જોકે, તે ક્ષણોને વિલ સ્મિથે તેના વર્તનથી બગાડી નાખી અને તેનું આવું વર્તન સ્વીકાર્ય નથી.” આ તરફ વિલ સ્મિથે એકેડમીએ આપેલી સજાને સ્વીકારી લીધી છે. તેણે કહ્યું, “હું આ વાત માન્ય રાખું છું અને એકેડમીના નિર્ણયનું સન્માન કરું છું.”

સમગ્ર ઘટના?

28 માર્ચે આખી દુનિયાની નજર ઓસ્કર અવોર્ડ પર હતી પરંતુ ત્યારે કંઈક એવું થયું જે કોઈએ વિચાર્યું નહોતું. સ્ટેજ પર ક્રિસ રોક હાજર હતો. તે કોમેડી કરીને સૌને હસાવી રહ્યો હતો. એ વખતે તેણે વિલ સ્મિથની પત્ની જેડાની બીમારીની મજાક બનાવી હતી. જેડા Alopecia (આ બીમારીમાં માથાના અમુક ભાગમાંથી આંશિક કે સંપૂર્ણપણે વાળ જતા રહે છે) નામની બીમારીથી પીડાય છે. આ જ અંગે ક્રિસે મજાક કરી હતી જે વિલને પસંદ ના આવી. તે ઊભો થયો અને સ્ટેજ પર જઈને ક્રિસને થપ્પડ મારી દીધી. આ જોઈને સૌ સ્તબ્ધ થઈ ગયા હતા.

Alopecia નામની બીમારીથી જેડા પિંકેટ સ્મિથ પીડાય છે અને આ વાતનો ખુલાસો તેણે થોડા વર્ષ પહેલા કર્યો હતો. આ બીમારીમાં માથાના વાળ અમુક ભાગમાંથી કે સંપૂર્ણ માથામાંથી ખરવા લાગે છે. ઈન્ફેક્શન ઝડપથી ફેલાતાં વાળ પણ ઝડપથી ખરવા લાગે છે. એક ઈન્ટરવ્યૂમાં આ વિશે વાત કરતાં જેડાએ કહ્યું હતું કે, એક દિવસ તેના હાથમાં વાળનો મોટો ગુચ્છો આવી ગયો જે બાદ તેણે વાળ કપાવી નાખ્યા હતા.

થપ્પડકાંડ બાદ વિલે માફી માગી હતી

થપ્પડકાંડ થયો તે પછી વિલને ફિલ્મ ‘કિંગ રિચર્ડ’ માટે બેસ્ટ એક્ટરનો ઓસ્કર અવોર્ડ મળ્યો હતો. વિલ અવોર્ડ લેવા સ્ટેજ પર પહોંચ્યો ત્યારે તેણે પોતાના વર્તન માટે માફી માગી હતી. ઘટનાના બીજા દિવસે તેણે સોશિયલ મીડિયા પર પણ આખી દુનિયા અને ક્રિસની માફી માગી હતી.

વિલ સ્મિથની ‘Deadshot’ મૂવી બંધ થઈ ગઈ છે. આ ફિલ્મને સત્તાવાર રીતે બંધ કરી દેવાઈ છે. જોકે, આ નિર્ણય પાછળ વિલનો થપ્પડકાંડ જવાબદાર નથી. ફિલ્મને બંધ કરવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી.

April 4, 2022
srilanka.jpg
1min473

શ્રીલંકામાં આર્થિક સંકટની(Srilanka crisis) વચ્ચે હવે રાજકારણ પણ ગરમાયું છે. શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષે સિવાય સરકારના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. તેમાં પીએમ મહિંદા રાજપક્ષેના દીકરા અને રમત ગમત મંત્રી નમલ રાજપક્ષે પણ સામેલ છે. પીએમ ઓફિસ તરફથી આ સમાચારની પૃષ્ટિ કરવામાં આવી છે. પરંતુ અત્યારે મહિંદા રાજપક્ષેએ રાજીનામું નથી આપ્યું.

મોડી રાત્રે થયેલી મીટિંગ પછી શ્રીલંકાના શિક્ષણ મંત્રી દિનેશ ગુણવર્ધને આ વાતની પૃષ્ટિ કરતાં જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ગોટબાયા રાજપક્ષે તેમજ વડાપ્રધાન મહિંદા રાજપક્ષે સિવાય તમામ 26 મંત્રીઓએ રાજીનામાં આપી દીધા છે. નમલ રાજપક્ષેએ રાજીનામાની જાહેરાત કરતાં જણાવ્યું કે, મેં પોતાના તમામ પોર્ટફોલિયો માટે તાત્કાલિક ધોરણે રાજીનામું સોંપી દીધું છે. મેં આ વાતની જાણકારી પણ આપી છે. હું દેશની જનતા, મતદારો અને પાર્ટી પ્રત્યે પ્રતિબદ્ધ રહીશ.

શ્રીલંકાની પીએમ ઓફિસ તરફથી રવિવારે સાંજે ચોખવટ કરવામાં આવી હતી કે મહિંદા રાજપક્ષેએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું નથી આપ્યું. ડેલી મિરરના રિપોર્ટ અનુસાર, સૂત્રોએ કહ્યું છે કે, એક નવા મંત્રીમંડળ દ્વારા શપથ લેવામાં આવશે, જેમાં વિપક્ષના સભ્યો હશે. રાજકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે એક નવી વચગાળાની સરકારની પસંદગી કરવામાં આવી શકે છે.

11 પાર્ટી ગઠબંધનના સભ્યો સાથેની બેઠક પછી સભ્યો દ્વારા એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો કે દેશમાં રાજકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે એક નવા વડાપ્રધાન સાથે તાત્કાલિક એક સર્વદળીય વચગાળાની સરકાર બનાવવી જોઈએ. નોંધનીય છે કે આર્થિક સંકટ અને ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે રાષ્ટ્રપ્રમુભ ગોટબાયા રાજપક્ષેના ઘરની બહાર હિંસક પ્રદર્શન થાય હતા જેના કારણે સોમવાર સુધી શ્રીલંકામાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ, યૂટ્યુબ, સ્નેપચેટ, ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ સહિત લગભગ બે ડઝન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પ્રભાવિત થયા છે. ડીઝલ-પેટ્રોલથી લઈને ખાણી-પીમીની વસ્તુઓનો અભાવ છે, જેના કારણે અરાજકતાની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે.

2.2 કરોડની વસ્તી ધરાવતા શ્રીલંકામાં હાલ આર્થિક સ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે દેશના અનેક ભાગોમાં રોજ 13 કલાક સુધીનો વીજળી કાપ જાહેર કરવામાં આવ્યો છે. અખબાર છાપવા માટેનો કાગળ આવતો બંધ થઈ જતાં દેશના ઘણા અખબારોએ પ્રકાશન પણ અટકાવી દીધું છે. સરકાર પોતાની પાસે જે કંઈ વિદેશી મુદ્રા ભંડાર વધ્યો છે તેને બચાવવા માટે મથી રહી છે, જેના પરિણામ સ્વરુપે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આયાત અટકાવી દેવાતા દેશમાં પેટ્રોલ-ડીઝલની જોરદાર તંગી સર્જાઈ છે. હાલ એવી સ્થિતિ છે કે શ્રીલંકામાં પેટ્રોલ ડીઝલની કિંમતો રેકોર્ડ સ્તરે તો છે જ, પરંતુ તેની સાથે તેમની તંગી પણ વર્તાઈ રહી છે. અનેક પેટ્રોલપંપો ખાલી થઈ ગયા છે, અને ઘણી જગ્યાએ લાંબી-લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે.

March 31, 2022
coronaworld.jpg
1min516

૨૧ માર્ચથી ૨૮ માર્ચ સપ્તાહ દરમિયાન અગાઉના સપ્તાહની સરખામણીમાં કોરોના વાઈરસના કેસની સંખ્યામાં ૧૪%નો ઘટાડો થયો છે. આજ સમયગાળામાં મૃત્યાંકનો આંકડો લગભગ ૪૩% જેટલો વધ્યો છે તેવું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (હૂ)એ બુધવારે જાહેર કરેલા સાપ્તાહિક રિપોર્ટમાં જણાવ્યું છે. સપ્તાહ દરમિયાન ૧૦ મિલિયન નવા કેસ નોંધાયા હતા જ્યારે ૪૫,૦૦૦થી વધુ દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં.

યુરોપ, યુએઅએ, કેનેડા સહિતના સંખ્યાબંધ દેશોમાં કોવિડ ૧૯નો ચેપ અટકાવવા મુકાયેલા નિયંત્રણો હટાવવામાં આવ્યા છે. ઓમાઈક્રોનનો સબવેરિયન્ટ બીએ-ટુના સંક્રમણથી કેસની સંખ્યા વધી રહી છે. બ્રિટનના સત્તાવાળાઓ કહે છે કે કેસની સંખ્યામાં વધારો થયો છે પણ દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરવું પડે તેટલા ગંભીર લક્ષણ દર્દીઓમાં જોવા મળતા નથી. વિશ્ર્વસ્તરે કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થયો ત્યારે ચીને શાંઘહાઈ શહેરમાં કડક લોકડાઉન લાદ્યું છે. અમેરિકામાં ૫૦ વર્ષની વય ધરાવતા લોકોને બીજો બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. નિયમિતપણે ફેકમાસ્ક પહેરવાનું, ભીડભાડથી દૂર રહેવાનું અને બિનજરૂરી પ્રવાસન કરવા જેવી તકેદારીઓ ૫૦%થીઓછા લોકો લઈ રહ્યા છે તેવું એપી-એનઓઆરસીની એક મોજણીમાં જાણવા મળ્યું છે.  

March 21, 2022
chinaplane-2.jpg
1min425

ચીનનું 133 લોકોને જઈ રહેલું ચાઈના ઈસ્ટર્ન પેસેન્જર જેટ ક્રેશ થયું છે. આ વિમાન દક્ષિણ-પૂર્વ ચીનમાં ક્રેશ થયું છે. જોકે, આ ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે તે અંગેનો આંકડો હજુ સુધી સામે આવ્યો નથી.

બોઈંગ 737 પ્લેન વુઝોઉ શહેર પાસે આવેલા ગ્રામ્ય વિસ્તાર ગુઆંગશીમાં તૂટી પડ્યું છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, ચીનનું વિશાળ બોઈંગ વિમાન ક્રેશ થયા બાદ પર્વત વિસ્તારમાં આગની જ્વાળાઓ અને ધૂમાડો જોવા મળ્યો હતો.

રિપોર્ટ્સમાં કહેવાઈ રહ્યું છે કે રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળ પર જવા માટે રવાના થઈ ગઈ છે. ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સ 133 લોકોને લઈને જઈ રહ્યું હતું ત્યારે વુઝોઉ પાસે તૂટી પડ્યું હતું.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ ચાઈના ઈસ્ટર્ન ફ્લાઈટ MU5735 નિર્ધારિત સમય પર ગંતવ્ય સ્થાન પર ના પહોંચ્યા બાદ તપાસ શરુ કરવામાં આવી હતી, જેમાં આ દુર્ઘટના વિશે જાણ થઈ હતી. આ વિમાન કુનુમિંગથી સ્થાનિક સમય પ્રમાણે સોમવારે બપોરે 1 વાગ્યે રવાના થયું હતું પરંતુ તે નિર્ધારિત સમયે ગુઆંગઝો નહોતું પહોંચ્યું.

હજુ સુધી આ દુર્ઘટના અંગે ચીન દ્વારા સત્તાવાર માહિતી પૂરી પાડવામાં આવી નથી.

March 20, 2022
kishida.jpg
1min383

જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા (Japanese Prime Minister Fumio Kishida) શનિવારે તા.19 માર્ચ 2022ના રોજ ભારતની સંક્ષિપ્ત યાત્રા પર પહોંચ્યા હતા. શનિવારે સાંજે તેમણે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની સાથે શિખર વાર્તા કરી હતી. ટૂંકી મુલાકાત બાદ આજરોજ તા.20 માર્ચને રવિવારે સવારે 8 વાગ્યે તેઓ રવાના પણ થઇ ચૂક્યા હતા. ભારત-જાપાનની વચ્ચે ગત વાર્ષિક શિખર બેઠક ઓક્ટોબર 2018માં ટોક્યોમાં થઈ હતી. ડિસેમ્બર 2019માં નાગરિકતા સંશોધન કાનૂનને લઈને થયેલ વિરોધ-પ્રદર્શનોને કારણે પીએમ મોદી અને તત્કાલીન જાપાની પીએમ શિંજો આબેની વચ્ચે શિખર વાર્તા રદ કરી દેવામાં આવી હતી. જ્યારે 2020 અને 2021માં કોરોના મહામારીને કારણે શિખર વાર્તા યોજાઈ ન હતી.

પીએમ નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ ફુમિયો કિશિદા વચ્ચેની બેઠક બાદ ભારત અને જાપાન વચ્ચે 6 ડીલ પર હસ્તાક્ષર થયા છે. જાપાને 2014માં કરેલ રોકાણ પ્રોત્સાહન પાર્ટનરશિપ હેઠળ ભારતમાં 3.2 લાખ કરોડ રૂપિયાના રોકાણ લક્ષ્યની જાહેરાત કરી છે. પીએેમ નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ કિશિદા વચ્ચે વાર્તા બાદ જાપાને પૂર્વોત્તર ક્ષેત્રના સતત વિકાસ અભિયાનની જાહેરાત કરી છે. ભારત અને જાપાનના પીએમ વચ્ચે વાર્તા બાદ સ્વસ્છ ઊર્જા પાર્ટનરશિપની પણ જાહેરાત કરાઈ હતી.

રશિયાના આક્રમણ અંગે જાપાનના પીએમ કિશિદાએ કહયું કે, બળપ્રયોગ કરીને યથાસ્થિતિને બદલવાની એકતરફી પ્રયત્નોની મંજૂરી આપવી જોઈએ નહીં. તેઓએ કહ્યું કે અમે યુક્રેનની સ્થિતિ પર ચર્ચા કરી, રશિયાનો હુમલો એક ગંભીર બાબત છે કેમ કે તેણે ઈન્ટરનેશનલ માપદંડોને હલાવી દીધા છે.

પીએમ મોદીએ બેઠક બાદ કહ્યું કે, કોરોના, આર્થિક રિકવરી અને જિયો પોલિટિકલ જેવા અનેક પડકારો વચ્ચે ભારત અને જાપાનની પાર્ટનરશિપને વધારે ઊંડી કરવી બંને દેશો માટે જ મહત્વપુર્ણ નથી પણ તેનાથી ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને સમગ્ર વિશ્વ સ્તર પર શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતાને પ્રોત્સાહન મળશે. ભારત અને જાપાન બંને જ સુરક્ષિત અને સ્થિર એનર્જી સપ્લાયના મહત્વને સમજે છે. આ સ્થિર ઈકોનોમીના ગ્રોથના લક્ષ્યને મેળવવા માટે અને ક્લાયમેન્ટ ચેન્જની સમસ્યાને ઉકેલવા માટે જરૂરી છે. ભારત આજે મેક ઈન ઈન્ડિયા ફોર વર્લ્ડની અપાર સંભાવનાઓ રજૂ કરે છે. ત્યારે જાપાની કંપનીઓ ઘણા સમયથી એક પ્રકારે અમારી બ્રાન્ડ એમ્બેસડર રહી છે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ જેવા અમારા ફ્લેગશિપ પ્રોજેક્ટ્સમાં જાપાનનો સહયોગ ઉલ્લેખનીય છે. અમે આ યોગદાન માટે આભારી છે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટમાં સારી પ્રગતિ થઈ રહી છે.

March 16, 2022
Ukraine-Russia.jpg
1min468

યુક્રેનમાં 20-20 દિવસથી ચાલી રહેલા રશિયાએ છેડેલા યુદ્ધમાં હજી સુધી શાંતિનાં કોઈ અણસાર મળી રહ્યા નથી. ઉલટાં રોજ રશિયાનાં હુમલા વધુ ઘાતક બનતા જાય છે અને સ્થિતિ વધુ દારુણ. રશિયાનાં વિદેશ મંત્રાલય દ્વારા આજે યુક્રેનનાં દોનેત્સકમાં કરવામાં આવેલા હુમલા વિશે નિવેદન જારી કરવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું છે કે, 14મી માર્ચે દોનેત્સકમાં યુક્રેનની સેનાએ રહેણાંક વિસ્તાર આસપાસ ટોચકા-યુ મિસાઈલથી હુમલો કર્યો હતો. તેમાં 20 લોકોનાં મોત અને 28 ઘાયલ થયા છે. ટૂંકમાં રશિયાએ યુક્રેન ઉપર પોતાની જ જનતા ઉપર હુમલો કરી નાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બીજીબાજુ યુદ્ધનાં અંતની ગુહાર લગાવતા યુક્રેને કરેલી અરજી ઉપર આંતરરાષ્ટ્રીય કોર્ટ આવતીકાલે પોતાનો આદેશ સંભળાવી શકે છે.

દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને એલાન કર્યું હતું કે, રશિયાની ખિલાફ લડવા માટે યુક્રેનને શત્રો અને માનવીય સહાય પહોંચાડવામાં આવશે. શરણાર્થીઓને પણ અમેરિકામાં પનાહ આપવામાં આવશે.
યુક્રેનનાં રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેંસ્કીએ સોમવારની મોડી રાતે સંસદમાં એક વિધેયક પેશ કર્યુ હતું. જેમાં 24 માર્ચથી આગામી 30 દિવસ માટે સૈન્ય કાનૂન લંબાવવાનો પ્રસ્તાવ હતો.

બ્રિટનનાં રક્ષા મંત્રાલય દ્વારા આજે એક ટ્વિટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રશિયા હવે યુક્રેનમાં રાસાયણિક કે જૈવિક શત્રોનો ઉપયોગ કરવાનો કારસો કરી શકે છે. અગાઉ અમેરિકી અધિકારીઓ તરફથી પણ આ મતલબનાં નિવેદન આપવામાં આવેલા. યુક્રેને પણ આવી ભીતિને પગલે રશિયાને ચેતવણી આપેલી છે કે, આવા કોઈ રાક્ષસી શત્રો વપરાશે તો રશિયાને વધુ કઠોર પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે.

રશિયા અને યુક્રેન વચ્ચે આંતરરાષ્ટ્રીય અદાલતમાં ચાલતા કેસ ઉપર પણ આવતીકાલે 16મીએ ફેંસલો આવી શકે છે. રશિયાએ યુક્રેન તરફથી મૂકવામાં આવેલા નરસંહારનાં આરોપોને ખોટા ગણાવ્યા છે. ઉલ્લેખનીય છે કે 24મી ફેબ્રુઆરીએ યુક્રેન ઉપર રશિયાનાં આક્રમણ બાદ તુરંત જ યુક્રેને ઈન્ટરનેશનલ કોર્ટમાં આ લડાઈનો અંત લાવવાની પોકાર કરવામાં આવી હતી.

March 8, 2022
russia-2.jpg
1min682

યુક્રેન સાથે જંગ છેડનાર રશિયાના નામે એક એવો રેકોર્ડ નોંધાઈ ગયો છે જે શરમજનક કહી શકાય.

રશિયા હવે દુનિયાનો એવો દેશ બની ગયો છે જેના પર સૌથી વધારે પ્રતિબંધો લાગુ થઈ ગયા છે.આ બાબતમાં રશિયાએ ઈરાન અને નોર્થ કોરિયાને પણ પાછળ રાખી દીધા છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે અમેરિકા અને યુરોપે રશિયા પર અત્યાર સુધીમાં 5530 પ્રતિંબંધો લગાવ્યા છે.

રશિયા પર આ પૈકીના 2754 પ્રતિબંધ તો 22 ફેબ્રુઆરીથી જ લાગેલા છે અને બીજા પ્રતિબંધો એ પછી લાગુ કરાયા છે.

ઈરાનની વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષમાં તેના પર 3616 પ્રતિંબધ લગાવ્યા છે.મોટાભાગના પ્રતિબંધ આતંકવાદ અને ન્યુક્લિયર પ્રોગ્રામના કારણે લગાવાયા છે.જ્યારે સીરિયા અને નોર્થ કોરિયા પર ક્રમશ 2608 અને 2077 પ્રતિબંધ લાગુ થયેલા છે.જ્યારે રશિયા પર માત્ર 10 દિવસમાં  5000 કરતા વધારે પ્રતિબંધ લગાવી દેવાયા છે.

રશિયા પર સૌથી વધારે 568 પ્રતિબંધ સ્વિત્ઝરલેન્ડ દ્વારા લગાવાયા છે.એ પછી યુરોપિયન યુનિયને 518 અને ફ્રાંસે 512 પ્રતિબંધ લગાવ્યા છે.અમેરિકાએ 243 પ્રતિબંધ મુક્યા છે.

March 7, 2022
zelensky.jpg
1min455

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે Dt.7/3/22 યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે વાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે ફોન પર લગભગ 35 મિનિટ સુધી વાત ચાલી હતી. પીએમએ ઝેલેન્સ્કી સાથે રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં યુક્રેન સરકાર દ્વારા આપવામાં આવેલી મદદ માટે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો આભાર માન્યો હતો. વડાપ્રધાને સુમીમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવાના ચાલી રહેલા પ્રયાસોમાં યુક્રેન સરકારના સમર્થનની પણ માંગ કરી હતી. સૂત્રો અનુસાર, વડાપ્રધાને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી સીધી વાતચીતની પ્રશંસા કરી હતી.

આ પહેલા 26 ફેબ્રુઆરીએ પણ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને પીએમ મોદી વચ્ચે યુદ્ધ સંકટને લઈને વાતચીત થઈ હતી. ઝેલેન્સ્કીએ આ દરમિયાન ભારતના રાજકીય સમર્થનની માંગ કરી હતી. તે સમયે યુક્રેનના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીને યુક્રેનમાં ચાલી રહેલી સંઘર્ષની સ્થિતિ વિશે વિગતવાર માહિતી આપી હતી.