CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 10 of 46 - CIA Live

May 5, 2022
russia.jpg
1min560

દુનિયા આખીના અર્થતંત્રો પર અસર કરનારા અને આંતર રાષ્ટ્રીય રાજકારણમાં ધરખમ ફેરફાર લાવનારા રશિયા-યુક્રેન યુધ્ધને 70 દિવસ જેટલો સમય પસાર થયો છે. આ યુધ્ધ આટલું લાંબુ ચાલશે તેની કોઇએ કલ્પના કરી ન હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમેર પુતિને આને મિલિટરી ઓપરેશન ગણાવ્યું હતું જેનો હેતુ યુક્રેનમાં સત્તા પરીવર્તનનો હતો પરંતુ તેમાં હજુ સુધી સફળતા મળી નથી.

અમેરિકા અને નાટો દેશોને યુક્રેનનું સમર્થન હોવાથી રશિયા માટે યુધ્ધ લોઢાના ચણા ચાવવા જેવું બની ગયું છે. ન્યૂકલિયર અને ત્રીજા વિશ્વયુધ્ધનું નિમિત બની શકે તેવું આ યુધ્ધ કયારે પુરું થશે તે કોઇ કહી શકે તેમ નથી. છેલ્લા કેટલાક સમયથી 9 મે એ સસ્પેન્સ ઉભું કર્યુ છે. 9 મી મે રશિયાના ઇતિહાસમાં મહત્વની તારીખ છે. 1945માં નાઝી જર્મની પર સાથી દળોની જીતની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ અંગે બે અટકળો ચાલી રહી છે. 

એક તો આ દિવસે રશિયા યુક્રેન પરની કાર્યવાહીનો અંત આણી શકે છે. બીજી એક માહિતી મુજબ રશિયા યુક્રેન પરની કાર્યવાહીને આ દિવસે પૂર્ણ કક્ષાના યુધ્ધમાં ફેરવી શકે છે. જો કે રશિયાની નેવી ફોર્સની એકટિવિટી વધી રહી છે અને બ્રિટનને પણ ધમકી મળી રહી છે.

ફિનલેન્ડ અને સ્વીડન નાટોમાં જોડાવા ઉત્સૂક છે એવા સંજોગોમાં યુક્રેન કાર્યવાહીનો નિષ્ણાતોને તાત્કાલિક કોઇ અંત જણાતો નથી. યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોદિમેર ઝેંલેસ્કીએ અમેરિકા પાસે એફ -16 જેવા ઘાતક યુધ્ધ વિમાનોની માંગણી કરી છે તે જોતા યુક્રેન પણ યુધ્ધનો જલદી થાય તેમ માનતું નથી.યુ

ક્રેનના યુધ્ધ નિષ્ણાતોએ યુધ્ધ હજું કેટલું ચાલશે તેની જે આગાહી કરી છે તે ચોંકાવી નાખે તેવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે રશિયાનું આક્રમણ  હજુ 4 મહિના સુધી ચાલવાનું છે. જેને સ્પેશિયલ મિલિટરી ઓપરેશન માને છે તેનો સપ્ટેમ્બર મહિના પહેલા અંત આવે તેમ જણાતું નથી. રશિયા હજુ મારિયુપોલ અને ડોનબાસના વિસ્તારોને પણ એક બીજાથી જોડવા ઇચ્છે છે. રશિયાની યુક્રેનમાં આ ખૂબજ લાંબા ગાળાની યોજના છે. આમ રશિયા અને યુક્રેન યુદ્ધનો પ્રશ્ન યુક્રેનવાસીઓ અને દુનિયાને હજુ પણ લાંબા સમય સુધી પજવતો રહેશે. 

May 2, 2022
modi.jpg
1min482

યુક્રેન સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી Dt. 2/5/22, સોમવારથી યુરોપીય દેશોની ત્રણ દિવસની યાત્રાએ જઈ રહ્યા છે. 2022ના પ્રથમ વિદેશ પ્રવાસની પૂર્વ સંધ્યાએ મોદીએ કહ્યું હતું કે, વિવિધ પડકારોના સમયમાં આ પ્રવાસ મહત્ત્વનો બની રહેશે. દરમ્યાન, વડાપ્રધાનના આ પ્રવાસ પૂર્વે ભારતના નવનિયુક્ત વિદેશ સચિવ વિનય મોહન કવાત્રાએ કહ્યું હતું કે, યુક્રેન-રશિયા વચ્ચેની લોહિયાળ દુશ્મનાવટને અટકાવવા સૌ આગળ આવે, એ જરૂરી છે.

Pm Modi To Embark On Europe Tour Today To Convey India's Stand On Ukraine |  Mint

સંવાદથી શાંતિ સ્થપાય, તે દિશામાં પ્રયાસો માટે તેમણે વિશ્વભરના દેશોને આગળ આવવા અપીલ કરી હતી.’ વર્ષ-2022ના પ્રથમ દિવસે પ્રવાસની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મારી યુરોપયાત્રા એવા સમયે થઈ રહી છે, જ્યારે આ ક્ષેત્ર અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે.

ભારતમાં શાંતિ અને સમૃદ્ધિની શોધમાં યુરોપીય સહભાગીઓ મહત્ત્વપૂર્ણ સાથી છે તેવું યાત્રાના હેતુ સંદર્ભે વાત કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું.

મોદી Dated 2/5/22, સોમવારે જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સની ત્રણ દિવસની યાત્રા પર જઈ રહ્યા છે, આ દેશોમાં લગભગ 65 કલાક ગાળશે. તેમણે કહ્યું હતું કે, હું ડેન્માર્ક, આઈસલેન્ડ, ફિનલેન્ડ, સ્વિડન અને નોર્વેના વડાપ્રધાનો સાથે બીજા ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં પણ ભાગ લઈશ. શિખર સંમેલનમાં મહામારી બાદ આર્થિક સુધાર, જળવાયુ પરિવર્તન, વૈકલ્પિક ઊર્જા સહિતના વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરાશે.

April 26, 2022
Elon-Musk-Twitter.jpg
1min635

Elon Musk to acquire Twitter for $44 billion:

ટ્વિટરે શેરધારકોને ટ્રાન્ઝેક્શનની ભલામણ કરવા બોર્ડ મીટિંગ બાદ સોમવારે Dated 25th April 2022, મોડી રાત્રે $44 બિલિયનના સોદાની જાહેરાત કરી હતી. ઈલોન મસ્કે ગયા અઠવાડિયે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદવાની ઓફર કરી હતી. મસ્કએ કહ્યું કે તે ટ્વિટર ખરીદવા માંગે છે કારણ કે તેને નથી લાગતું કે તે મુક્ત અભિવ્યક્તિના પ્લેટફોર્મ તરીકે તેની સંભવિતતા અનુસાર આગળ વધી રહ્યું છે. ટ્વીટર ખરીદવાની ઓફર કરી ત્યારથી જ મસ્ક કંપની પર આ ડીલ માટે દબાણ કરી રહ્યા હતા. વોલ સ્ટ્રીટ જર્નલના સમાચાર અનુસાર, ડીલને લઈને મસ્ક અને ટ્વિટર વચ્ચે બેઠક થઈ હતી. ત્યારથી નક્કી કરવામાં આવ્યું હતું કે ટ્વિટરે મસ્કની ઓફર સ્વીકારવાનું મન બનાવી લીધું છે.

ઈલોન મસ્કે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘લોકશાહી સુદ્રઢ રીતે ચાલે તે માટે ફ્રી સ્પીચ એટલે કે વાણી સ્વાતંત્ર્યનું મહત્વ ખૂબ જ છે, અને ટ્વિટર તે ડિજિટલ ટાઉન સ્ક્વેર છે.’

ટ્વિટરને ખરીદવાની ડીલ ફાઈનલ થઈ રહી હોવાની અટકળો વચ્ચે ટેસ્લાના ચીફ ઈલોન મસ્કનું ટ્વિટ વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટ બાદ વિદેશી મીડિયામાં અહેવાલ આવ્યા છે કે ટ્વિટર ખરીદવા પર અંતિમ મહોર લાગી ગઈ છે. તો ટ્વિટરે પણ પોતાના નિવેદનમાં આ દાવાની પુષ્ટી કરી છે.

Twitter poised to agree $46.5bn takeover with Elon Musk, reports say |  Twitter | The Guardian

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક ટેસ્લાના માલિક ઈલોન મસ્કે આખરે ટ્વિટર ખરીદી લીધું છે. આ ડીલ અંગેની માહિતી કંપની દ્વારા આપવામાં આવી હતી. કંપનીએ કહ્યું કે આ ડીલ 44 બિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 3368 બિલિયન રુપિયામાં કરવામાં આવી છે. લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટરને ખરીદવા માટે ઈલોન મસ્ક સાથેના સોદા વચ્ચે ટ્વિટરે કહ્યું કે એકવાર એક્વિઝિશન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તે પછી તે ખાનગી માલિકીની કંપની બની જશે. આ દરમિયાન ટેસ્લા ચીફનું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટ પછી નિષ્ણાતો માની રહ્યા છે કે બંને કંપનીઓ વચ્ચે ડીલ પૂર્ણ પણે થઈ ગઈ છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક ઈલોન મસ્ક ટ્વિટર પર હવે કબ્જો ધરાવે છે.

April 26, 2022
Emmanuel-Macron-1280x854.jpg
1min355

કોરોના સામે જંગમાં અસરકારક કામગીરીએ વિજય અપાવતાં ઇમૈનુઅલ મેક્રોં બીજીવાર ફ્રાન્સના રાષ્ટ્રપતિ બન્યા છે. 2002 બાદ લગાતાર બીજીવાર સત્તા મેળવનારા મેક્રોં પ્રથમ નેતા બન્યા છે.

અંતિમ તબક્કાની ગણતરીમાં ઇમૈનુઅલને 58.2 ટકા અને નેશનલ રૈલી પાર્ટીના દક્ષિણપંથી ઉમેદવાર મરિન લે પેનને 41.8 ટકા મત મળતાં મેક્રોં વિજેતા થયા હતા.

જીત બાદ દુનિયાભરમાંથી વધામણીઓ મળવા માંડી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જોનસન, જર્મન ચાંસલર ઓલાફ સ્કોલ્ઝ, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ મેક્રોંને અભિનંદન આપ્યા હતા.
ખાસ ઉલ્લેખનીય છે કે ફ્રાન્સના ભારત સાથે ઘણા સારા સંબંધ છે. કોઇ પણ ફ્રેન્ચ સરકાર કદી પણ ભારત વિરોધી રહી નથી. ફ્રાન્સે હંમેશાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું છે.

April 19, 2022
indonesia.jpg
1min406

ઈન્ડોનેશિયામાં Date 19/4/21, મંગળવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઈન્ડોનેશિયાની ધરતી ભૂકંપથી હચમચી ગઈ હતી. ભૂકંપના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.0 નોંધાઈ હતી.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (NCS)ના જણાવ્યા પ્રમાણે ભૂકંપના આંચકા સવારે 6:53 વાગ્યે અનુભવાયા હતા. NCSએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર સુલાવેસીથી 779 કિમી દૂર હતું.

એજન્સીના જણાવ્યા અનુસાર ભૂકંપના કારણે કોઈપણ પ્રકારના નુકસાન અંગે કોઈ માહિતી સામે નથી આવી. વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો, લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા.

ગયા મહિને તાઈવાનની રાજધાની તાઈપેમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી પ્રમાણે રાજધાની તાઈપેથી લગભગ 182 કિલોમીટર દક્ષિણમાં ધરતી ધ્રૂજી ગઈ હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7 ટકા નોંધાઈ હતી.

April 13, 2022
coronaworld.jpg
1min342

કોરોના તેના નવા વેરિઅન્ટો સાથે ફરી સક્રિય થઈ રહ્યો છે ત્યારે દુનિયામાં કોરોના દર્દીઓનો આંકડો 50 કરોડને પાર થઈ ગયો છે. આ મહામારીના પહેલા કેસથી 50 કરોડ દર્દી થવામાં માત્ર 877 દિવસનો સમય લાગ્યો છે. જોકે રાહતની વાત એ પણ રહી છે કે, દુનિયાભરમાં 45 કરોડ 02 લાખથી વધુ લોકો સાજા પણ થઈ ચૂક્યા છે. સંક્રમણને કારણે દુનિયામાં અત્યાર સુધીમાં 62 લાખથી વધુ મૃત્યુ નોંધાયાં છે. દરમ્યાન, ભારતમાં કોરોના સતત નબળો પડી રહ્યો છે. વીતેલા ચોવીસ કલાકમાં 796 નવા કેસ નોંધાયા હતા અને 19 દર્દીઓએ મહામારી સામેની લડાઈમાં પોતાનો જીવ ખોયો હતો.

વિશ્વમાં અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાના સૌથી વધુ 8.20 કરોડ કેસ જોવા મળ્યા છે, જ્યારે ભારતનો ક્રમ બીજો છે. હાલમાં વિશ્વમાં 6થી 10 લાખ લોકોને આ સંક્રમણ થઈ રહ્યું છે.

ભારતમાં નવા કેસના ઉમેરા સાથે કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 4,30,36,828 પહોંચી હતી, જ્યારે 19 નવાં મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને 5,21,710 થયો હતો. નોંધાયેલાં 19માંથી 18 મોત એકલાં કેરળ રાજ્યનાં છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે સવારે જારી કરવામાં આવેલા અદ્યતન આંકડાઓ અનુસાર સક્રિય કેસોની સંખ્યા ઘટીને 10,889 થઈ હતી. એક્ટિવ કેસોની ટકાવારી કુલ કેસના 0.03 ટકા છે.

વીતેલા 24 કલાક દરમ્યાન કોવિડના કુલ કેસોમાંથી 169 કેસનો ઘટાડો થયો હતો. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,25,04,329 લોકો મહામારીને મ્હાત આપી ચૂક્યા છે. દેશમાં કોવિડ સામે જારી રસીકરણ અભિયાન તળે અત્યાર સુધીમાં 185.90 કરોડ ડોઝ અપાયા છે.

April 10, 2022
imran.jpg
1min545

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને તા.9મી એપ્રિલ, શનિવારે મધ્યરાત્રિએ ઉગ્ર વિવાદોના એક કલાક બાદ અવિશ્વાસ મતમાં સરકારમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. અવિશ્વાસના પ્રસ્તાવમાં 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં 174 મતો સાથે અવિશ્વાસનો પ્રસ્તાવ મંજૂર થયો હતો. આટલા મતો પાકિસ્તાન તહરીક-એ ઇન્સાફને પાણીચું આપવા માટે જરૂરી મતો કરતાં તેમાં બે મત વધુ હતા. ઇમરાનખાન સરકારનો કાર્યકાળ ચાર વર્ષનો છે.

સમગ્ર પાકિસ્તાન દેશમાં રાજકીય તંગદિલી અને ઉચ્ચ ડ્રામા વચ્ચે સ્પીકર અસદ કૈસર અને તેમના ડેપ્યુટી કાસિમ સુરીએ રાજીનામું આપ્યું તે પહેલાં સુપ્રીમ કોર્ટ દ્વારા ફરજિયાત અવિશ્વાસ મતની દરખાસ્ત પર વોટીંગ કરાવવામાં આવ્યું હતું. આમાં એટલી ધાંધલ ધમાલ થઇ હતી કે નેશનલ એસેમ્બલી ચાર વખત સ્થગિત કરવી પડી હતી. સરકારને હટાવવાના “વિદેશી કાવતરા” થઇ રહ્યું હોવાનો આક્ષેપ પણ ઇમરાનખાને કર્યો હતો પણ એ કારી પણ ચાલી શકી ન હતી.

આખરે ઇમરાન સરકાર વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્ત પસાર થઇ હતી અને તે પછી ઇમરાનખાનને પદભ્રષ્ટ કરી દેવામાં આવ્યા હતા.

April 9, 2022
willsmit.jpg
1min344

હોલિવુડના પોપ્યુલર એક્ટર વિલ સ્મિથ (Will Smith)ને એકેડમી મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સિઝે (Oscars 2022) 10 વર્ષ માટે પ્રતિબંધિત કર્યો છે. હવે વિલ સ્મિથ એકેડમીના કોઈપણ કાર્યક્રમમાં ભાગ નહીં લઈ(Will Smith Banned in Oscars) શકે. 28 માર્ચે યોજાયેલી ઓસ્કર અવોર્ડ દરમિયાન શોના હોસ્ટ ક્રિસ રોકે (Chris Rock) વિલની પત્ની જેડા પિંકેટ સ્મિથ (Jada Pinkett Smith)ની મજાક ઉડાવી હતી. જેનાથી ક્રોધે ભરાયેલા વિલે સ્ટેજ પર જઈને રોકને લાફો માર્યો હતો. ઘટનાના 11 દિવસ બાદ એકેડમીએ વિલ સામે એક્શન લીધી છે. વિલની મુશ્કેલી અહીં પૂરી નથી થતી કારણકે તેની ફિલ્મો પણ રદ્દ થઈ છે.

એકેડમીના પ્રેસિડેન્ટ ડેવિડ રૂબિન અને ચીફ એક્ઝિક્યુટિવ ડૉન હડસને કહ્યું, “94મો ઓસ્કર અમારી કમ્યુનિટીના કેટલાય લોકોને ઉજવવા માટે હતો. આ એ લોકો હતા જેમણે ગત વર્ષે શાનદાર કામ કર્યું હતું. જોકે, તે ક્ષણોને વિલ સ્મિથે તેના વર્તનથી બગાડી નાખી અને તેનું આવું વર્તન સ્વીકાર્ય નથી.” આ તરફ વિલ સ્મિથે એકેડમીએ આપેલી સજાને સ્વીકારી લીધી છે. તેણે કહ્યું, “હું આ વાત માન્ય રાખું છું અને એકેડમીના નિર્ણયનું સન્માન કરું છું.”

સમગ્ર ઘટના?

28 માર્ચે આખી દુનિયાની નજર ઓસ્કર અવોર્ડ પર હતી પરંતુ ત્યારે કંઈક એવું થયું જે કોઈએ વિચાર્યું નહોતું. સ્ટેજ પર ક્રિસ રોક હાજર હતો. તે કોમેડી કરીને સૌને હસાવી રહ્યો હતો. એ વખતે તેણે વિલ સ્મિથની પત્ની જેડાની બીમારીની મજાક બનાવી હતી. જેડા Alopecia (આ બીમારીમાં માથાના અમુક ભાગમાંથી આંશિક કે સંપૂર્ણપણે વાળ જતા રહે છે) નામની બીમારીથી પીડાય છે. આ જ અંગે ક્રિસે મજાક કરી હતી જે વિલને પસંદ ના આવી. તે ઊભો થયો અને સ્ટેજ પર જઈને ક્રિસને થપ્પડ મારી દીધી. આ જોઈને સૌ સ્તબ્ધ થઈ ગયા હતા.

Alopecia નામની બીમારીથી જેડા પિંકેટ સ્મિથ પીડાય છે અને આ વાતનો ખુલાસો તેણે થોડા વર્ષ પહેલા કર્યો હતો. આ બીમારીમાં માથાના વાળ અમુક ભાગમાંથી કે સંપૂર્ણ માથામાંથી ખરવા લાગે છે. ઈન્ફેક્શન ઝડપથી ફેલાતાં વાળ પણ ઝડપથી ખરવા લાગે છે. એક ઈન્ટરવ્યૂમાં આ વિશે વાત કરતાં જેડાએ કહ્યું હતું કે, એક દિવસ તેના હાથમાં વાળનો મોટો ગુચ્છો આવી ગયો જે બાદ તેણે વાળ કપાવી નાખ્યા હતા.

થપ્પડકાંડ બાદ વિલે માફી માગી હતી

થપ્પડકાંડ થયો તે પછી વિલને ફિલ્મ ‘કિંગ રિચર્ડ’ માટે બેસ્ટ એક્ટરનો ઓસ્કર અવોર્ડ મળ્યો હતો. વિલ અવોર્ડ લેવા સ્ટેજ પર પહોંચ્યો ત્યારે તેણે પોતાના વર્તન માટે માફી માગી હતી. ઘટનાના બીજા દિવસે તેણે સોશિયલ મીડિયા પર પણ આખી દુનિયા અને ક્રિસની માફી માગી હતી.

વિલ સ્મિથની ‘Deadshot’ મૂવી બંધ થઈ ગઈ છે. આ ફિલ્મને સત્તાવાર રીતે બંધ કરી દેવાઈ છે. જોકે, આ નિર્ણય પાછળ વિલનો થપ્પડકાંડ જવાબદાર નથી. ફિલ્મને બંધ કરવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી.

April 4, 2022
srilanka.jpg
1min411

શ્રીલંકામાં આર્થિક સંકટની(Srilanka crisis) વચ્ચે હવે રાજકારણ પણ ગરમાયું છે. શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષે સિવાય સરકારના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. તેમાં પીએમ મહિંદા રાજપક્ષેના દીકરા અને રમત ગમત મંત્રી નમલ રાજપક્ષે પણ સામેલ છે. પીએમ ઓફિસ તરફથી આ સમાચારની પૃષ્ટિ કરવામાં આવી છે. પરંતુ અત્યારે મહિંદા રાજપક્ષેએ રાજીનામું નથી આપ્યું.

મોડી રાત્રે થયેલી મીટિંગ પછી શ્રીલંકાના શિક્ષણ મંત્રી દિનેશ ગુણવર્ધને આ વાતની પૃષ્ટિ કરતાં જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ગોટબાયા રાજપક્ષે તેમજ વડાપ્રધાન મહિંદા રાજપક્ષે સિવાય તમામ 26 મંત્રીઓએ રાજીનામાં આપી દીધા છે. નમલ રાજપક્ષેએ રાજીનામાની જાહેરાત કરતાં જણાવ્યું કે, મેં પોતાના તમામ પોર્ટફોલિયો માટે તાત્કાલિક ધોરણે રાજીનામું સોંપી દીધું છે. મેં આ વાતની જાણકારી પણ આપી છે. હું દેશની જનતા, મતદારો અને પાર્ટી પ્રત્યે પ્રતિબદ્ધ રહીશ.

શ્રીલંકાની પીએમ ઓફિસ તરફથી રવિવારે સાંજે ચોખવટ કરવામાં આવી હતી કે મહિંદા રાજપક્ષેએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું નથી આપ્યું. ડેલી મિરરના રિપોર્ટ અનુસાર, સૂત્રોએ કહ્યું છે કે, એક નવા મંત્રીમંડળ દ્વારા શપથ લેવામાં આવશે, જેમાં વિપક્ષના સભ્યો હશે. રાજકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે એક નવી વચગાળાની સરકારની પસંદગી કરવામાં આવી શકે છે.

11 પાર્ટી ગઠબંધનના સભ્યો સાથેની બેઠક પછી સભ્યો દ્વારા એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો કે દેશમાં રાજકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે એક નવા વડાપ્રધાન સાથે તાત્કાલિક એક સર્વદળીય વચગાળાની સરકાર બનાવવી જોઈએ. નોંધનીય છે કે આર્થિક સંકટ અને ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે રાષ્ટ્રપ્રમુભ ગોટબાયા રાજપક્ષેના ઘરની બહાર હિંસક પ્રદર્શન થાય હતા જેના કારણે સોમવાર સુધી શ્રીલંકામાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ, યૂટ્યુબ, સ્નેપચેટ, ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ સહિત લગભગ બે ડઝન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પ્રભાવિત થયા છે. ડીઝલ-પેટ્રોલથી લઈને ખાણી-પીમીની વસ્તુઓનો અભાવ છે, જેના કારણે અરાજકતાની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે.

2.2 કરોડની વસ્તી ધરાવતા શ્રીલંકામાં હાલ આર્થિક સ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે દેશના અનેક ભાગોમાં રોજ 13 કલાક સુધીનો વીજળી કાપ જાહેર કરવામાં આવ્યો છે. અખબાર છાપવા માટેનો કાગળ આવતો બંધ થઈ જતાં દેશના ઘણા અખબારોએ પ્રકાશન પણ અટકાવી દીધું છે. સરકાર પોતાની પાસે જે કંઈ વિદેશી મુદ્રા ભંડાર વધ્યો છે તેને બચાવવા માટે મથી રહી છે, જેના પરિણામ સ્વરુપે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આયાત અટકાવી દેવાતા દેશમાં પેટ્રોલ-ડીઝલની જોરદાર તંગી સર્જાઈ છે. હાલ એવી સ્થિતિ છે કે શ્રીલંકામાં પેટ્રોલ ડીઝલની કિંમતો રેકોર્ડ સ્તરે તો છે જ, પરંતુ તેની સાથે તેમની તંગી પણ વર્તાઈ રહી છે. અનેક પેટ્રોલપંપો ખાલી થઈ ગયા છે, અને ઘણી જગ્યાએ લાંબી-લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે.

March 31, 2022
coronaworld.jpg
1min457

૨૧ માર્ચથી ૨૮ માર્ચ સપ્તાહ દરમિયાન અગાઉના સપ્તાહની સરખામણીમાં કોરોના વાઈરસના કેસની સંખ્યામાં ૧૪%નો ઘટાડો થયો છે. આજ સમયગાળામાં મૃત્યાંકનો આંકડો લગભગ ૪૩% જેટલો વધ્યો છે તેવું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (હૂ)એ બુધવારે જાહેર કરેલા સાપ્તાહિક રિપોર્ટમાં જણાવ્યું છે. સપ્તાહ દરમિયાન ૧૦ મિલિયન નવા કેસ નોંધાયા હતા જ્યારે ૪૫,૦૦૦થી વધુ દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં.

યુરોપ, યુએઅએ, કેનેડા સહિતના સંખ્યાબંધ દેશોમાં કોવિડ ૧૯નો ચેપ અટકાવવા મુકાયેલા નિયંત્રણો હટાવવામાં આવ્યા છે. ઓમાઈક્રોનનો સબવેરિયન્ટ બીએ-ટુના સંક્રમણથી કેસની સંખ્યા વધી રહી છે. બ્રિટનના સત્તાવાળાઓ કહે છે કે કેસની સંખ્યામાં વધારો થયો છે પણ દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરવું પડે તેટલા ગંભીર લક્ષણ દર્દીઓમાં જોવા મળતા નથી. વિશ્ર્વસ્તરે કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થયો ત્યારે ચીને શાંઘહાઈ શહેરમાં કડક લોકડાઉન લાદ્યું છે. અમેરિકામાં ૫૦ વર્ષની વય ધરાવતા લોકોને બીજો બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. નિયમિતપણે ફેકમાસ્ક પહેરવાનું, ભીડભાડથી દૂર રહેવાનું અને બિનજરૂરી પ્રવાસન કરવા જેવી તકેદારીઓ ૫૦%થીઓછા લોકો લઈ રહ્યા છે તેવું એપી-એનઓઆરસીની એક મોજણીમાં જાણવા મળ્યું છે.