CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 15 of 51 - CIA Live

September 12, 2021
BHUPENDRA.jpg
1min437

છેલ્લા ચોવીસ કલાકથી ટીવી ચેનલોએ ગુજરાતના નવા મુખ્યમંત્રી અંગે ખોટોખોટી ચર્ચાઓ કરીને નીતીન પટેલ, સી.આર. પાટીલ, પુરુષોત્તમ રુપાલા, મનસુખ માંડવીયા અને ત્યાં સુધી કે પ્રફુલ પટેલના નામો પણ હવામાં ઉડાડ્યા. ગુજરાતની એકેય ટીવી ચેનલોએ ચોવીસ કલાક ચાલેલી ચર્ચામાં ક્યારેય ભૂપેન્દ્ર પટેલનું નામ કે ઘાટલોડીયા અમદાવાદના ધારાસભ્યનું નામ ચર્ચામાં સાંકળ્યું ન હતું. કેટલીક ચેનલોએ તો એવા પણ તુક્કા દોડાવ્યા કે મહિલા મુખ્યમંત્રી બનશે કેટલીક ચેનલોએ પ્રદિપસિંહ જાડેજાને પણ ચર્ચામાં ઘસડ્યા પરંતુ, તમામે તમામ રિજિનયોનલ ગુજરાતી ટીવી ચેનલ પરની ચર્ચા સાવ નિરર્થક અને પાયા વગરની નીકળી.

દરમિયાન આજે રવિવાર તા.12મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ, ભાજપાના મુખ્ય પ્રાદેશિક કાર્યાલય, કમલમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને તેના આધારે ગુજરાતમાં ભાજપાના ધારાસભ્યોની મળેલી મિટીંગમાં વિજય રૂપાણીએ ભૂપેન્દ્ર પટેલનું નામ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે દરખાસ્ત સ્વરૂપે રજૂ કર્યું હતું.

ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલનું મુખ્યમંત્રી તરીકેનું નામ જાહેર કરીને ભાજપ હાઈકમાન્ડે ફરી એકવાર બધાને ચોંકાવ્યા છે. ધારાસભ્ય દળની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલના નામની દરખાસ્ત કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલ એ જ બેઠક પરથી ધારાસભ્ય છે જે પહેલા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ધારાસભ્ય હતા. ભૂપેન્દ્ર પટેલને તેમની નજીક માનવામાં આવે છે. 

September 6, 2021
javed-akhtar.jpg
1min333

બૉલીવુડના લેખક-ગીતકાર જાવેદ અખ્તરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને તાલિબાન સાથે સરખાવતાં વિવાદનો વંટોળ ઊભો થયો છે. બીજેપીના ફાયરબ્રૅન્ડ નેતા રામ કદમે કહ્યું હતું કે જાવેદ અખ્તરે કરેલા એ સ્ટેટમેન્ટનો અમે વિરોધ કરીએ છીએ અને આ સંદર્ભે અમે પોલીસ-ફરિયાદ પણ કરીશું. 

જાણીતા લેખક-ગીતકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને તાલિબાન સાથે સરખાવતાં વિવાદનો વંટોળ ઊભો થયો છે

બીજેપીના પ્રવક્તા રામ કદમે કહ્યું હતું કે ‘જાવેદ અખ્તરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તુલના તાલિબાન સાથે કરી એ સંઘ, વિશ્વ હિન્દુ પરિષદના કરોડો કાર્યકરો અને તેમના સમર્થકોનું અપમાન છે. જ્યાં સુધી જાવેદ અખ્તર હાથ જોડીને આ માટે માફી માગતા નથી ત્યાં સુધી તેમની કે તેમના પરિવારની એક પણ ફિલ્મ રિલીઝ નહીં થવા દઈએ. કમેન્ટ કરતાં પહેલાં તેમણે વિચારવું જોઈતું હતું કે સમાન વિચારસરણી ધરાવતા લોકો હાલ રાજ કરી રહ્યા છે અને રાજધર્મનું અનુસરણ કરી રહ્યા છે.’ 

એક ઇન્ટરવ્યુમાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે ‘જે સંઘનું સમર્થન કરે છે તેમની માનસિકતા પણ તાલિબાન જેવી જ છે. સંઘનું સમર્થન કરનારાઓએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. તાલિબાન અને તમે જેમને સમર્થન આપો છો એમનામાં શું ફરક છે? તેમનું વલણ મજબૂત થઈ રહ્યું છે અને તેઓ તેમના લક્ષ્ય પ્રતિ આગળ વધી રહ્યા છે.’

September 4, 2021
modi_biden.jpg
1min349

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાલુ સપ્ટેમ્બરના ચોથા સપ્તાહમાં અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા હોવાની વિગતો સાંપડી છે. સૂત્રોએ આપેલી વિગતો મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસ માટેની તૈયારીઓ ચાલી રહી છે.

Modi-Biden Phone Call: What Was Unsaid is Perhaps More Important Than What  Was Said

વડાપ્રધાન મોદીની મુલાકાતની જાણકારી ધરાવતા એક સૂત્રએ જણાવ્યું હતું કે કાર્યક્રમ હજુ ફાઇનલ થવાનો બાકી છે. પ્રારંભિક યોજના અનુસાર, માનવામાં આવે છે કે વડાપ્રધાન મોદી 23-24 સપ્ટેમ્બરના રોજ અમેરિકાની મુલાકાત લઈ શકે છે.

PM મોદીની અમેરિકાની મુલાકાત એવા સમયે થવા જઈ રહી છે જ્યારે અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોની વાપસી બાદ તાલિબાન સાથેના સંબંધો અંગે અનિશ્ચિતતા બનેલી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે વડાપ્રધાન મોદીની આ પ્રથમ વ્યક્તિગત મુલાકાત હશે.

વોશિંગ્ટનની મુલાકાત લીધા બાદ વડાપ્રધાન મોદી ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના ઉચ્ચ સ્તરીય વાર્ષિક સત્રમાં હાજરી આપવાના છે. વડાપ્રધાન મોદી 25 સપ્ટેમ્બરે આ ઉચ્ચ સ્તરીય વાર્ષિક સત્રને સંબોધન કરી શકે છે. તાલિબાનના કબજા પછી રાજકીય સંકટનો સામનો કરી રહેલો અફઘાનિસ્તાન આ વખતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં મહત્ત્વનો મુદ્દો બની શકે છે.

August 25, 2021
rane.jpg
2min416

જોરદાર હંગામા વચ્ચે કેન્દ્રીય પ્રધાનની ધરપકડ કરવામાં આવી. શહેરમાં પણ ઠેર-ઠેર બીજેપી અને શિવસેનાના કાર્યકરો બાખડી પડ્યા

કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ સોમવારે બીજેપીની જન આશીર્વાદ યાત્રા દરમ્યાન મહાડમાં કહ્યું હતું કે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે આપણો દેશ ક્યારે સ્વતંત્ર થયો હતો એ વર્ષ ભૂલી ગયા હોવાથી પોતાના સહયોગીને પૂછ્યું હતું. આ બહુ શરમજનક છે કે મુખ્ય પ્રધાનને ખબર નથી કે આપણને સ્વતંત્ર થયાને કેટલા વર્ષ થયાં? પોતાના ભાષણ દરમ્યાન પાછળ જોઈને તેમણે સહયોગીને પૂછ્યું હતું. એ સમયે હું તેમની પાસે હોત તો તેમને કાન નીચે વગાડી દેત. નારાયણ રાણેના આ નિવેદનથી રાજ્યભરમાં ઘમસાણ મચી ગયું છે. નારાયણ રાણે સામે નાશિક, મહાડ, પુણે, થાણે સહિત એફઆઇઆર નોંધાયા બાદ ગઈ કાલે બપોર બાદ તેમની રત્નાગિરિના સંગમેશ્વરમાંથી પોલીસે ધરપકડ કરી હતી.

નારાયણ રાણેના વકીલોએ રત્નાગિરિની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી. તેમના વકીલોએ નાશિક સાઇબર પોલીસે નોંધેલી ફરિયાદમાં ધરપકડથી બચવા માટે કરેલી અરજી કોર્ટે માન્ય નહોતી રાખી. ત્યાર બાદ તેમના વકીલો મુંબઈ હાઈ કોર્ટમાં ગયા હતા જ્યાં તેમની અરજી ઉતાવળે સાંભળવાનો કોર્ટે ઇનકાર કરી દીધો હતો.

રત્નાગિરિમાં હાઈ-વૉલ્ટેજ ડ્રામા

નારાયણ રાણેએ પોતાની સામેની પોલીસ કાર્યવાહીનો વિરોધ કરતાં રત્નાગિરિના પોલીસવડાએ પાલક પ્રધાન અનિલ પરબનો સંપર્ક કરીને તેમને માહિતી આપી હતી. રાણેએ ધરપકડ કરતાં પહેલાં અરેસ્ટ વૉરન્ટની માગણી કરી હતી. જોકે સેશન્સ અને હાઈ કોર્ટ તરફથી રાહત મળી ન હોવાથી વૉરન્ટની જરૂર ન હોવાનું અનિલ પરબે કહેતાં બાદમાં તેમની ધરપકડ કરાઈ હતી. જોકે એ પહેલાં બીજેપીના સ્થાનિક નેતા પ્રમોદ જઠારે કેન્દ્રીય પ્રધાનની પોલીસ ધરપકડ ન કરી શકે એમ કહ્યું હતું. નારાયણ રાણેનું બ્લડ-પ્રેશર અને શુગર-લેવલ વધી ગયું હોવાથી તેમની ડૉક્ટરે તપાસ કરી હતી અને બાદમાં પોલીસ સાથે રવાના કરાયા હતા. આ સમયે રાણેના સમર્થકોએ જોરદાર વિરોધ કર્યો હતો. જોકે પોલીસે બધાને વિખેરી નાખ્યા હતા. કેટલાક સમર્થકોએ તો ખુરસીઓ ફેંકીને વિરોધ કર્યો હતો. એક સમર્થક તો રાણેની કારની સામે સૂઈ ગયો હતો. બીજેપીએ એવો આક્ષેપ કર્યો છે કે પોલીસે રાજકીય દબાવમાં આવીને નારાયણ રાણેને જમવા પણ નહોતા દીધા. તેઓ જમતા હતા ત્યારે જ લઈ જવામાં આવ્યા હતા.

રાણેની ખિલાફ ચાર એફઆઇઆર

રાણેના નિવેદનને લઈને નાશિકના શિવસેનાના પ્રમુખ સુધાકર બડગુજરે નાશિકના મહાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં સુધાકરે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન અને એક બંધારણીય પદ પર છે એટલે તેમના વિશે આપવામાં આવેલું નિવેદન આખા રાજ્ય માટે અપમાન છે. પોલીસે નારાયણ રાણેની વિરુદ્ધ ૫૦૦, ૫૦૨, ૫૦૫ (બી) અને ૧૫૩ (એ) અંતર્ગત કેસ નોંધ્યો હતો. ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે રાણેના નિવેદનથી સમાજમાં નફરત અને તિરાડ પેદા થઈ શકે છે તેમ જ કાયદો-વ્યવસ્થાની સમસ્યા પેદા થઈ શકે છે. એ પછી નાશિક પોલીસે રાણેની વિરુદ્ધ ધરપકડ વૉરન્ટ ઇશ્યુ કર્યું છે. એ પછી પુણેના ચતુઃશ્રૃંગી પોલીસ સ્ટેશનમાં યુવા સેનાના સચિવ રોહિત કદમે આઇપીસીની કલમ ૧૫૩, ૧૫૩ બી(૧)(સી), ૫૦૨ (૨) અંતર્ગત કેસ નોંધાવ્યો છે. આ રીતે કેસ રાયગડના મહાડમાં પણ નોંધવામાં આવ્યો છે.

‘મુરઘીચોર’નાં પોસ્ટર્સ લાગ્યાં

નારાયણ રાણેના નિવેદન પછી રાતોરાત મુંબઈના દાદર વિસ્તારમાં શિવસૈનિકોએ તેમની વિરુદ્ધ પોસ્ટર લગાવ્યાં હતા. એમાં નારાયણ રાણેના ફોટો સાથે ‘કોમ્બડી ચોર’ એટલે કે મરઘી ચોર લખ્યું હતું. આ સિવાય મોડી રાત્રે રાણેના નિવાસસ્થાન પર શિવસેનાના કાર્યકર્તાઓએ એકત્રિત થઈને દેખાવો પણ કર્યા હતા. બીજી બાજુ ગઈ કાલે દિવસ દરમ્યાન મુંબઈ સહિત આખા રાજ્યમાં બીજેપી-શિવસેનાના સમર્થકો સામસામે આવી ગયા હતા.

ગઈ કાલે બપોરે જુહુ વિસ્તારમાં આવેલા નારાયણ રાણેના બંગલા પાસે જોરદાર હંગામો થયો હતો. આ જ રીતે મુંબઈના જુદા-જુદા વિસ્તારો ઉપરાંત થાણે, નવી મુંબઈ, કલ્યાણ-ડોમ્બિવલી, ઉલ્હાસનગરમાં પણ બન્ને પાર્ટીના કાર્યકરો બાખડી પડ્યા  હતા. નારાયણ રાણેની ધરપકડ બાદ મુંબઈમાં ઠેર-ઠેર નાકાબંધી કરવામાં આવી હતી.

રાણેને પ્રધાનપદેથી દૂર કરો

શિવસેનાના નેતા અને સંસદસભ્ય વિનાયક રાઉતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને નારાયણ રાણેને પ્રધાનપદેથી દૂર કરવાની માગણી કરી હતી. વિનાયક રાઉતનો પત્ર મળ્યાની ગણતરીની મિનિટોમાં જ તેમને પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી ફોન આવ્યો હતો કે પ્રધાનમંત્રી વ્યસ્ત હોવાથી આ બાબતે તમે ગૃહપ્રધાનના સંપર્કમાં રહો, તમારો પત્ર તેમને મોકલી આપવામાં આવ્યો છે.

ઉદ્ધવ ઠાકરેને જે કરવું હોય એ કરવા દોમારે જે કરવું છે એ હું કરીશ,અમે પણ રાજકારણમાં છીએ : નારાયણ રાણે

પોલીસે ધરપકડ કર્યા બાદ નારાયણ રાણેએ એક પત્રકારે પૂછેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરેને જે કરવું હોય એ કરવા દો, મારે જે કરવું છે એ હું કરીશ. તે કાયમ થોડા મુખ્ય પ્રધાન રહેશે. આવી રીતે કાયદાનો દુરુપયોગ કરવાના હશે તો અમે પણ રાજકારણમાં છીએ.’

ઉદ્ધવ ઠાકરે વિશેના વિવાદાસ્પદ નિવેદન બાબતે હવે શું લાગે છે? આ સવાલના જવાબમાં નારાયણ રાણેએ કહ્યું હતું કે મેં થપ્પડ મારીશ એમ કહ્યું જ નથી. તેમણે ભાષણ આપતાં પહેલાં ઇતિહાસ વાંચી લેવાની જરૂર હતી એમ કહ્યું હતું. ત્યાર બાદ હું જો ત્યાં હોત તો તેમને થપ્પડ મારી હોત એમ કહ્યું હતું.

August 10, 2021
obc.jpg
1min375

અધર બૅકવર્ડ ક્લાસ (ઓબીસી)ની યાદી તૈયાર કરવાના રાજ્યના અધિકારને પુન:સ્થાપિત કરવા સરકારે સોમવારે લોકસભામાં કન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ડ ખરડો ૨૦૨૧ લોકસભામાં રજૂ કર્યો હતો.  

સામાજિક ન્યાય અને સશક્તિકરણ ખાતાના પ્રધાન વીરેન્દ્રકુમારે કન્સ્ટિટ્યુશન (૧૨૭મો સુધારા)ખરડો ૨૦૨૧ સોમવારે લોકસભામાં રજૂ કર્યો હતો.  આ ખરડામાં ઓબીસીની યાદી તૈયાર કરવાના રાજ્યના અધિકારને પુન:સ્થાપિત કરવાની માગણી કરવામાં આવી હતી.  
દેશનું સ્વાયત્ત માળખું જાળવી રાખવા તેમ જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (સોશિયલ ઍન્ડ ઈકોનોમિકલી બૅકવર્ડ ક્લાસ) એસઈબીસીની પોતાની યાદી જાતે તૈયાર કરી તેને જાળવી રાખી શકે  તે માટે બંધારણની કલમ ૩૪૨એ, ૩૩૮બી અને ૩૬૬માં સુધારો કરવાની જરૂર છે. 

વર્ષ ૨૦૧૮ના કન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ ઍક્ટમાં ઉમેરવામાં આવેલી કલમ ૩૩૮બી નેશનલ કમિશન ફૉર બૅકવર્ડ ક્લાસના માળખા, ફરજ અને સત્તા સાથે કામ પાર પાડે છે.  બંધારણની કલમ ૩૪૨એ ચોક્કસ કોમની એસઈબીસી તરીકે નોંધણી કરવાની રાષ્ટ્રપતિની સત્તા અને યાદીમાં ફેરફાર કરવાની સંસદની સત્તા સાથે કામ પાર પાડે છે. બંધારણની કલમ ૩૬૬ (૨૬સી) એસઈબીસીની વ્યાખ્યા કરે છે. 

૧૦૨ કન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટે નોકરી અને પ્રવેશમાં એસઈબીસીની નોંધણી કરવાની રાજ્યની સત્તા છીનવી લીધી હોવાનું જણાવતા પાંચમી મેએ આપવામાં આવેલા ચુકાદાની સમીક્ષા કરવાની માગણી કરતી કેન્દ્ર સરકારની અરજી સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી. 

ઓબીસીને ઓળખી કાઢી તેની યાદી તૈયાર કરવાના રાજ્યના અધિકાર અને સ્વાયત્ત માળખા પર કેન્દ્ર સરકાર હુમલો કરી રહી હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો. 

જોકે, કુમારે ગયા મહિને રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દે કાયદાકીય નિષ્ણાતો તેમ જ કાયદા ખાતા સાથે સલાહમસલત કરી રહી છે અને ઓબીસીની યાદી તૈયાર કરવાના રાજ્યના અધિકારનું રક્ષણ કરવાના વિકલ્પોની ચકાસણી કરી રહી છે. 

ન્યાયાધીશ અશોક ભૂષણના વડપણ હેઠળની પાંચ ન્યાયાધીશની બનેલી સુપ્રીમ કોર્ટની ખંડપીઠે પાંચમી મેએ મરાઠાઓને આરક્ષણ આપતા મહારાષ્ટ્ર લૉને સર્વાનુમતીથી બાજુએ મૂકી દીધો હતો અને અનામતમાં પચાસ ટકા ટોચમર્યાદા રાખવાના વર્ષ ૧૯૯૨ના મંડલના ચુકાદાને ધ્યાન પર  લેવાનું નકારી કાઢ્યું હતું. 

આ અગાઉ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા કરવામાં આવેલી ભારે ધાંધલધમાલ વચ્ચે લોકસભામાં સોમવારે ચર્ચા વિના જ ગણતરીની મિનિટોમાં મહત્ત્વના ત્રણ ખરડાને મંજૂરી આપી દેવામાં આવી હતી. 

ધ લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ (એમેન્ડમેન્ટ) ખરડા ૨૦૨૧ અને ધ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ ઍન્ડ ક્રૅડિટ ગૅરેન્ટી કોર્પોરેશન (એમેન્ડમેન્ટ) ખરડા ૨૦૨૧ અને ધ કન્સ્ટિટ્યુશન (શિડ્યુઅલ ટ્રાઈબ) ઑર્ડર (એમેન્ડમેન્ટ) ખરડા ૨૦૨૧ એમ ત્રણ મહત્ત્વના ખરડાને સોમવારે લોકસભામાં મંજૂરી આપી દેવામાં આવી હતી. 

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આ ખરડા મંજૂરી માટે રજૂ કર્યા હતા. લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ એમેન્ડમેન્ટ ખરડા ૨૦૨૧માં લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ ઍક્ટ ૨૦૦૮માં સુધારા કરવાની માગણી કરવામાં આવી હતી. 

આ ખરડાનો મુખ્ય આશય નાના અને મોટા ભાગીદારો વચ્ચે વેપાર કરવાનું સરળ બનાવવાનો છે, એમ તેમણે કહ્યું હતું. 

ડીઆઈસીજીસી એમેન્ડમેન્ટ ખરડા ૨૦૨૧ તરીકે પણ જાણીતા ધ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ ઍન્ડ ક્રૅડિટ ગૅરેન્ટી કોર્પોરેશન (એમેન્ડમેન્ટ) ૨૦૨૧ ખરડામાં ડિપોઝિટ ઈન્સ્યોરન્સની કામગીરીમાં સુધારો આવી શકે તે માટે ત્રણ મહત્ત્વના સુધારા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. 
દરમિયાન, પૅગાસસ જાસૂસી વિવાદ, નવા કૃષિ કાયદા અને અન્ય મુદ્દાઓ અંગે વિપક્ષે સોમવારે પણ ધાંધલધમાલ ચાલુ રાખતા રાજ્યસભાની કાર્યવાહી એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હતી. કૉંગ્રેસ, ટીએમસી અને દ્રમુકે વૉકઆઉટ કર્યો હતો.

July 26, 2021
Yediyurappa.jpg
1min610

કર્ણાટકમાં મુખ્યમંત્રીની બીજી ટર્મના બે વર્ષ પૂર્ણ થતાં જ આખરે યેદિયુરપ્પાએ રાજીનામું આપ્યાની જાહેરાત કરતાં જ ઘણા સમયથી ચાલી રહેલી તેમની વિદાયની અટકળો આખરે સાચી પડી છે. છેલ્લા બે દાયકાથી રાજ્યમાં ભાજપનો ચહેરો બની રહેલા યેદિયુરપ્પાને સ્થાને હવે કોને સીએમની ખુરશી સોંપવી તે ભાજપ માટે કોઈ ચેલેન્જથી કમ નહીં હોય. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ યેદિયુરપ્પાએ નવી દિલ્હીનો અચાનક પ્રવાસ કરીને પક્ષના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તે સાથે જ હવે તેમની વિદાયનો સમય આવી ગયો છે તેવી જોરદાર ચર્ચા શરુ થઈ હતી.

ભાજપ માટે બીએસ યેદિયુરપ્પાનો વિકલ્પ શોધવો મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે. યેદિયુરપ્પા પાસે 4 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળવાના અનુભવ સાથે પ્રભાવશાળી લિંગાયત સમુદાયનું સમર્થન પણ પ્રાપ્ત છે. એવામાં કર્ણાટકની કમાન કોને સોંપાશે તે અંગે અનેક અટકળો લગાવવામાં આવી રહ્યા છી. જે નામોની ચર્ચા ચાલી રહી છે તેને અફવા ગણાવવામાં આવી રહી છે. આમ છતાં કેટલાક નામો ચર્ચામાં તેના પર એક નજર કરી લઈએ..

કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી બીએસ યેદિયુરપ્પાએ રાજીનામું આપી દીધું છે. તેણે સરકારના બે વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આ જાહેરાત કરી છે. તેમણે રાજીનામું આપ્યા બાદ રાજ્યપાલ બનવાની ઈચ્છા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યું કે, “મારો રાજ્ય છોડવાનો કોઈ પ્રશ્ન જ નથી. હું કર્ણાટકના લોકોના કલ્યાણ માટે કામ કરતો રહીશ.” તેણે રાજ્યના મુખ્યમંત્રી તરીકે કામગીરી કરી તે અંગે આનંદ વ્યક્ત કરતા એક ટ્વિટ પણ કર્યું હતું. હવે તેમના પછી રાજ્યમાં મુખ્યમંત્રીની ખુરશી કોના હાથમાં આવશે તેને લઈને કેટલાક નામો ચર્ચામાં તેના પર એક નજર કરી લઈએ..

July 19, 2021
Modi-Parliament.jpg
1min438

ચોમાસુ સત્રના પહેલા જ દિવસે વિપક્ષી સાંસદોના વ્યવહારથી વડાપ્રધાન નરેન્દ્ર દુ:ખી થઈ ગયા છે. લોકસભામાં નવા સાંસદોના શપથગ્રહણ સાથે કાર્યવાહી શરુ થઈ હતી. ત્યારપછી વડાપ્રધાન મોદી ઉઠ્યા અને પોતાના મંત્રીઓનો પરિચય આપવાની શરુઆત કરી. આ દરમિયાન વિપક્ષ તરફથી હોબાળો શરુ કરવામાં આવ્યો. વડાપ્રધાને કહ્યું કે તે વિચારીને આવ્યા હતા કે સભામાં ઉત્સાહનું વાતાવરણ હશે, પરંતુ આવુ ના થયું. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ જણાવ્યું કે, તેમણે પાછલા 24 વર્ષમાં આવું નથી જોયું. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પણ વિપક્ષને ફટકાર લગાવી.

વિપક્ષના હોબાળા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મેં વિચાર્યુ હતું કે આજે સભામાં ઉત્સાહનું વાતાવરણ હશે, કારણકે મોટી સંખ્યામાં મહિલા સાંસદ, દલિત ભાઈ, આદિવાસી, ખેડૂત પરિવારના સાંસદોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. તેમનો પરિચય કરવાનો આનંદ હશે. પરંતુ કદાચ દેશના દલિત, મહિલા, ઓબીસી, ખેડૂતોના દીકરા મંત્રી બન્યા તે વાત અમુક લોકોને રાસ ના આવી. માટે તેમનો પરિચય પણ નથી આપવા દેતા.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ વિપક્ષને ફટકાર લગાવી. તેમણે જણાવ્યું કે, પાછલા 24 વર્ષના સંસદના ઈતિહાસમાં તેમણે આવુ ક્યારેય નથી જોયું. સંસદની પરંપરાઓ તૂટી રહી છે. સ્પીકર ઓમ બિરલાએ પણ વિપક્ષી સાંસદોની તેમના વ્યવહાર માટે ટીકા કરી. વિપક્ષના સાંસદોના સતત હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

July 19, 2021
parliament.jpg
1min418

સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું હોવા વચ્ચે સરકાર અનેક ખરડા રજૂ કરવાના એજન્ડા સાથે સજ્જ છે તો વિપક્ષ ઈંધણનાં વધતા જતા ભાવ અને કોવિડ મેનેજમેન્ટને મુદ્દે સરકારને ઘેરવા તૈયાર છે.  સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સરકાર ૧૭ જેટલા નવા ખરડા રજૂ કરશે. 

સરકાર આ સત્રમાં અનેક ખરડા (વિધેયક) પસાર કરાવવાની તૈયારીમાં છે તો વિપક્ષો કોરોના ગેરવ્યવસ્થા અને પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસના ઉંચા ભાવ, મોંઘવારી જેવા મુદ્દે સરકારને ઘેરવા સજ્જ છે. મોદી સરકારે ચોમાસું સત્રમાં કુલ 17 ખરડાને રજૂ કરવા માટે ક્રમબદ્ધ કર્યા છે. જેમાં ત્રણ તાજેતરમાં જારી કરાયેલા વટહુકમના સ્થાને લાવવામાં આવશે કારણ કે નિયમ છે કે સંસદ સત્ર શરૂ થયા બાદ વટહુકમના સ્થાને ખરડાને 4ર દિવસ અથવા 6 સપ્તાહમાં પસાર કરવો જરૂરી છે.

તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલા વટહુકમને રદ કરવાની ત્રણ ખરડામાં માગણી કરવામાં આવી છે. એક વખત સત્ર શરૂ થઈ ગયા બાદ વટહુકમને ૪૨ દિવસ કે છ અઠવાડિયામાં ખરડા તરીકે મંજૂર કરાવવા જરૂરી છે અન્યથા તે રદબાતલ થઈ જાય છે.

૩૦ જૂને બહાર પાડવામાં આવેલા એક વટહુકમમાં અતિઆવશ્યક સંરક્ષણ સેવા સાથે સંકળાયેલી  વ્યક્તિઓ દ્વારા આંદોલન કરવા પર અને હડતાળ પાડવા પર પ્રતિબંધ ફરમાવે છે. ઑર્ડિનન્સ ફેક્ટરી બૉર્ડ (ઓએફબી)નું કૉર્પોેરેટાઈઝન કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરવા જુલાઈના અંતમાં અચોક્કસ મુદતની હડતાળ પાડવાની ફેડરેશન ઑફ ઑર્ડિનન્સ ફેક્ટરી બૉર્ડ દ્વારા કરવામાં આવેલી જાહેરાતને પગલે ઍસૅન્શિયલ ડિફેન્સ સર્વિસિસ ઑર્ડિનન્સ ૨૦૨૧ લાવવામાં આવ્યો હતો.

કમિશન ફૉર ઍર ક્વૉલિટી મેનેજમેન્ટની નેશનલ કૅપિટલ દિલ્હી ઍન્ડ ઍડજેસન્ટ એરિયા બિલ ૨૦૨૧ એ અન્ય એક ખરડો છે જેમાં વટહુકમને બદલવાની માગણી કરવામાં આવી છે. સોમવારથી શરૂ થતું સંસદનું ચોમાસુ સત્ર તોફાની બની રહે તેવી પૂરી શક્યતા છે. કોરોનાની ખતરનાક બીજી લહેર, વૅક્સિન પૉલિસી, ખેડૂત આંદોલન, ઈંધણનાં ભાવમાં વધારો, ફુગાવો, ભારત-ચીન સંબંધ સહિતના મુદ્દે વિપક્ષ સરકારને ચારે તરફથી ઘેરવાનો પ્રયાસ કરશે.   

July 17, 2021
modipawar.jpg
1min383

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારની શનિવારના રોજ દિલ્હીમાં મુલાકાત થઈ. બન્ને નેતાઓ વચ્ચે લગભગ એક કલાક સુધી વાતચીત ચાલી. ચોમાસું સત્ર પહેલા શરદ પવાર સાથે થયેલી આ મુલાકાતને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. સોમવારથી ચોમાસુ સત્રની શરુઆત થવાની છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી એક સર્વદળીય બેઠક બોલાવવામાં આવી છે.

Sharad Pawar Raises Concerns Over New Cooperation Ministry In PM Meet

વિપક્ષ તરફથી સરકારને સંસદમાં ઘેરવાની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. આવતીકાલે કોંગ્રેસના લોકસભા સાંસદોની પણ બેઠક બોલાવવામાં આવી છે. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી બેઠકને સંબોધિત કરશે. મોનસૂન સેશન પહેલા અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવાની રણનીતિ કોંગ્રેસ તરફથી તૈયાર કરવામાં આવી રહી છે. સંસદમાં કેન્દ્ર સરકારને ઘેરવા માટે કોંગ્રેસ વિપક્ષી દળો સાથે પણ સંપર્ક સાધી રહી છે.

મહારાષ્ટ્રમાં અત્યારે ગઠબંધનની સરકાર છે, તે દરમિયાન વડાપ્રધાન અને એનસીપી ચીફ શરદ પવારની મુલાકાતથી રાજકારણના નિષ્ણાંતોમાં ચર્ચા શરુ થઈ છે. મહારાષ્ટ્રના રાજકીય ભવિષ્યને લઈને પણ અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ શરદ પવારને વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર બનાવવાની વાત સામે આવી હતી. પરંતુ શરદ પવારે કહ્યુ હતું કે આ ખોટી વાત છે. મને ખબર છે કે જે પાર્ટી પાસે 300થી વધારે સાંસદ હોય તે જોઈને પરિણામ શું આવશે.

July 14, 2021
rg_pk.jpg
1min377

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે બેઠક યોજીને રાજકીય વર્તુળોમાં નવી અટકળો શરૂ કરી દીધી છે. આ બેઠકમાં કોંગ્રેસના મહામંત્રી કે.સી.વેણુગોપાલ પણ હાજર હતા. પંજાબની ચૂંટણી માટે કોંગ્રેસની વ્યૂહરચનાની જવાબદારી પહેલાથી જ પ્રશાંત કિશોર પાસે છે અને હવે ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ સહિતનાં રાજ્યોની ચૂંટણીમાં પ્રશાંત કિશોરની ભૂમિકાના ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે.

13/7/21 રાજધાની દિલ્હીમાં રાહુલના નિવાસે જઈને પ્રશાંત કિશોરે મુલાકાત કરી હતી. આ પહેલા પ્રશાંત એનસીપીના વડા શરદ પવારને પણ મળ્યા હતા. જેને પગલે એવી ચર્ચા છેડાઈ છે કે રાષ્ટ્રીય સ્તરે ભાજપના વિકલ્પ માટે મોરચો તૈયાર કરવાના હેતુથી આજે મુલાકાત ગોઠવાઈ હતી.

બીજીબાજુ પંજાબ, રાજસ્થાન અને છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસમાં આંતરિક ખટરાગ વચ્ચે રાહુલ અને પ્રિયંકા સાથે પ્રશાંતની આજની બેઠકને મહત્ત્વની ગણાવવામાં આવે છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા, મણિપુર અને ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. પંજાબમાં તો કોંગ્રેસની સરકાર છે પણ અન્ય રાજ્યોમાં કોંગ્રેસ પોતે ગુમાવેલો આધાર પરત મેળવવા માટેના પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે બંગાળમાં મમતા બેનરજીની સત્તાવાપસીમાં પ્રશાંતની ભૂમિકા ચાવીરૂપ બની રહી હતી.

પ્રિયંકા ગાંધી લખનઉનાં પ્રવાસે જવાનાં હતાં પણ હવે એવી ચર્ચા થઈ રહી છે કે કદાચ પ્રશાંત કિશોર સાથેની આજની બેઠકનાં કારણે જ આ પ્રવાસ રદ કરવામાં આવ્યો હોઈ શકે છે. પ્રિયંકા હવે 14ના બદલે 16મી જુલાઈએ લખનઉ જવાનાં છે.