CIA ALERT

ઇન્ડીયા Archives - Page 3 of 206 - CIA Live

September 15, 2025
image-22.png
1min43

એશિયા કપ 2025ની છઠ્ઠી મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને 7 વિકેટે હરાવીને શાનદાર જીત હાંસલ કરી છે. ભારતે આ મેચમાં શાનદાર બેટિંગ અને બોલિંગનું પ્રદર્શન કરીને પાકિસ્તાનને માત આપી.

આ જીત ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે દેશના સશસ્ત્ર દળોને સમર્પિત કરી, જેની સાથે તેણે પહેલગામના પીડિત પરિવારો પ્રત્યે એકતા દર્શાવી. આ મેચ ખાસ હતી કારણ કે તે સૂર્યકુમારના જન્મદિવસે રમાઈ, જેના કારણે આ જીત તેમના માટે વધુ ખાસ બની.

ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને પાકિસ્તાનની ટીમને માત્ર 127 રનમાં સમેટી દીધી. ભારતે આ લક્ષ્યને 25 બોલ બાકી હતા તે પહેલા હાંસલ કરી લીધું હતું, જેમાં સૂર્યકુમાર યાદવની શાનદાર બેટિંગનો મહત્વનો ફાળો રહ્યો.

તેણે મેચના અંત સુધી બેટિંગ કરીને પોતાનું લક્ષ્ય પૂરું કર્યું, જેની તેમણે હંમેશા ઈચ્છા રાખી હતી. પોસ્ટ-મેચ સેરેમનીમાં ચાહકોના ‘હેપ્પી બર્થડે’ના નારાઓએ માહોલને ઉત્સાહથી ભરી દીધો, અને સૂર્યાએ આ જીતને પોતાના જન્મદિવસની શ્રેષ્ઠ ભેટ ગણાવી હતી.

મેચ પછી સૂર્યકુમારે કહ્યું કે આ મેચ તેની ટીમ માટે એક સામાન્ય મેચ હતી, અને તેઓ દરેક વિરોધી ટીમ સામે સમાન તૈયારી સાથે રમે છે. તેણે સ્પિનરોની પ્રશંસા કરી, જેણે મિડલ ઓવર્સમાં મેચ પર નિયંત્રણ રાખ્યું.

આ સાથે, તેણે પહેલગામના આતંકી હુમલાના પીડિતો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી અને કહ્યું કે ટીમ હંમેશા તેના માટે મેદાન પર સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે. સૂર્યાએ આ જીતને સશસ્ત્ર દળોની હિંમત અને બલિદાનને સમર્પિત કરી.

ઉલ્લેખનીય છે કે, મેચના ટોસ દરમિયાન સૂર્યકુમારે પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો, જે ચર્ચાનો વિષય બન્યો હતો. ટોસ પહેલા તેણે ટીમ મેનેજમેન્ટને જાણ કરી હતી કે તેઓ હાથ મિલાવશે નહીં, અને આ નિર્ણય ખેલાડીઓ પર છોડી દીધો હતો.

આ નિર્ણય જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પડઘા તરીકે જોવામાં આવે છે, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. ભારતના સહાયક કોચ રાયન ટેન ડોશેટે પણ સ્વીકાર્યું હતું કે ટીમ જનતાની ભાવનાઓથી વાકેફ છે, અને આ મેચની તૈયારી તણાવપૂર્ણ માહોલમાં થઈ હતી.

આ મેચ પહેલા એશિયા કપના આ મુકાબલાનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી હતી, જે પહેલગામ હુમલાને કારણે વધુ તીવ્ર બની હતી. ભારતીય ટીમે મેદાન પર પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ચાહકોના દિલ જીતી લીધા.

સૂર્યકુમારે કહ્યું કે તેઓ આવનારી મેચોમાં પણ આવું જ પ્રદર્શન જાળવી રાખશે અને દેશવાસીઓને ગર્વની ક્ષણો આપવાનો પ્રયાસ કરશે. આ જીતે ભારતની ટીમનો આત્મવિશ્વાસ વધાર્યો છે, અને ચાહકો હવે એશિયા કપમાં વધુ શાનદાર પ્રદર્શનની આશા રાખે છે.

September 9, 2025
image-19.png
1min83

એશિયા કપ 2025 મંગળવારને 9 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાતમાં શરૂ થશે. આ એશિયા કપનું 17મી સિઝન છે. આગામી ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે મુકાબલો થશે.

એશિયા કપ 2025 મંગળવારને 9 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાતમાં શરૂ થશે. આ એશિયા કપનું 17મી સિઝન છે. આગામી ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે મુકાબલો થશે.

ભારત બુધવારે 10 સપ્ટેમ્બરે UAE સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત 14 સપ્ટેમ્બરે કટ્ટર હરીફ પાકિસ્તાનનો સામનો કરશે. ફાઇનલ 28 સપ્ટેમ્બરે યોજાશે.

તમે ભારતમાં સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર ટીવી પર એશિયા કપ 2025 મેચનો આનંદ માણી શકો છો. જ્યારે એશિયા કપ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ સોની લીવ એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.

ભારત : સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ.

શ્રીલંકા : ચરિથ અસલંકા (કેપ્ટન), પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ, કુસલ પરેરા, નુવાનીદુ ફર્નાન્ડો, કામિન્દુ મેન્ડિસ, કામિલ મિશારા, દાસુન શનાકા, વાનિન્દુ હસરંગા, ડુનિથ વેલલાગે, ચમિકા કરૂણારત્ને, મહેશ તિક્ષાના, દુશમથા ચમીરા, બિનુરો ફર્નાન્ડો, નુવાન તુષારા, મથીશા પથિરાના.

પાકિસ્તાન: સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, ફહીમ અશરફ, ફખર જમાન, હારિસ રઉફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલત, ખુશદિલ શાહ, મોહમ્મદ હરિસ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જૂનિયર, સાહિબજાદા ફરહાન, સઇમ અયુબ, સલમાન મિર્ઝા, શાહીન આફ્રિદી, સુફિયાન મોકીમ.

બાંગ્લાદેશ: લિટન દાસ (કેપ્ટન), તન્જીદ હસન, પરવેઝ હુસૈન ઈમોન, સૈફ હસન, તૌહીદ હૃદયોય, જેકર અલી અનિક, શમીમ હુસૈન, કાઝી નુરુલ હસન સોહન, શેક મહેદી હસન, રિશાદ હુસૈન, નસુમ અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, તન્ઝીમ હસન શાકિબ, તસ્કીન અહમદ, શૈફઉદ્દીન, શોરફુલ ઈસ્લામ.

અફઘાનિસ્તાન: રાશિદ ખાન (કેપ્ટન), રહેમાનુલ્લાહ ગુરબાઝ, ઈબ્રાહિમ ઝાદરાન, દરવિશ રસૂલી, સેદીકુલ્લાહ અટલ, અઝમતુલ્લા ઉમરજઈ, કરીમ જનત, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નાયબ, શરાફુદ્દીન અશરફ, મોહમ્મદ ઈશાક, મુજીબ ઉર રહેમાન, અલ્લાહ ગઝનફર, નૂર અહેમદ, ફરિદ મલિક, નવીન ઉલ હક, ફજલહક ફારુકી.

હોંગકોંગ: યાસીમ મુર્તજા (કેપ્ટન), બાબર હયાત, ઝીશાન અલી, નિયાઝકત ખાન મોહમ્મદ, નસરુલ્લા રાણા, માર્ટિન કોએત્ઝી, અંશુમન રથ, કલ્હણ માર્ક ચલ્લુ, આયુષ શુક્લા, મોહમ્મદ એઝાઝ ખાન, અતીક ઉલ રહેમાન ઇકબાલ, કિંચિત શાહ, અલી હસન, શાહિદ વાસિફ, ગઝનફર મોહમ્મદ, મોહમ્મદ વહીદ, એહસાન ખાન.

UAE : મુહમ્મદ વસીમ (કેપ્ટન), આલીશાન શરાફુ, અર્યાશ શર્મા, આસિફ ખાન, ધ્રુવ પરાશર, એથન ડિસુઝા, હૈદર અલી, હર્ષિત કૌશિક, જુનેદ સિદ્દીકી, મતિઉલ્લાહ ખાન, મુહમ્મદ ફારૂક, મુહમ્મદ જવાદુલ્લાહ, મુહમ્મદ જૌહૈબ, રાહુલ ચોપરા, રોહીદ ખાન, સિમરનજીત ખાન, સગીર ખાન.

ઓમાન: જતિન્દર સિંહ (કેપ્ટન), હમ્માદ મિર્ઝા, વિનાયક શુક્લા, સુફિયાન યુસુફ, આશિષ ઓડેદરા, આમિર કલીમ, મોહમ્મદ નદીમ, સુફિયાન મહમૂદ, આર્યન બિષ્ટ, કરણ સોનાવાલે, જિક્રિયા ઈસ્લામ, હસનૈન અલી શાહ, ફૈઝલ શાહ, મોહમ્મદ ઈમરાન, નદીમ ખાન, શકીલ અહેમદ, સમય શ્રીવાસ્તવ.

September 9, 2025
image-17.png
1min43

ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાશે. NDA તરફથી સી. પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી મેદાનમાં છે. આજની ચૂંટણીમાં બીજુ જનતા દળ અને ભારત રાષ્ટ્ર સમિતિ એમ બે પક્ષોએ મતદાન ન કરવાની જાહેરાત કરી છે. આ સિવાય શિરોમણી અકાલી દળ તરફથી પણ ચૂંટણીમાં સામેલ ન થવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે ચૂંટણી હવે રસપ્રદ બની ગઈ છે.

મતદાન 9 સપ્ટેમ્બર સવાર 10 વાગ્યે શરૂ થશે અને સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે

મતદાનના એક દિવસ પહેલા સંસદ ભવનમાં NDAના તમામ સાંસદોની બેઠક યોજાઈ જેમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થયા હતા. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કેવી રીતે કરવું તેની એક એક સાંસદને ટ્રેનિંગ આપવામાં આવી.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સદસ્યો મતદાન કરી શકે છે. સંસદના ઉપલા અને નીચલા ગૃહમાં હાલમાં કુલ 781 સાંસદ છે. જે જોતાં જીત માટે 392 સાંસદોના મતની જરૂર છે. નંબરગેમમાં NDAની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. લોકસભામાં NDA પાસે 293 જ્યારે રાજ્યસભામાં 132 સાંસદો છે. જેથી NDA પાસે કુલ 425 સાંસદોનું સમર્થન છે.

September 6, 2025
image-14.png
1min51

ભાદરવા સુદ ચોથ એટલે કે 27 ઓગસ્ટ, બુધવારના રોજ ગણેશ ચતુર્થીએ ગણેશોત્સવનો પ્રારંભ થયો હતો. દેશભરમાં ભક્તો પોતાના ઘરે અને પંડાલમાં ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરી દસ દિવસ સુધી તેમની પૂજા-અર્ચના કરી, અને આજે 6 સપ્ટેમ્બર, શનિવારના રોજ અનંત ચતુર્દશીએ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરી તેમને ભાવભરી વિદાય આપવામાં આવી રહી છે. વિસર્જન પહેલા કેવી રીતે ગણેશજીની પૂજા અર્ચના કરવી અને વિસર્જન માટેના ક્યા કયા કેટલાક મૂહુર્ત છે આવો તે જાણીએ.

ગણેશજી બુદ્ધિ, સમૃદ્ધિ અને વિવેકના દેવતા છે અને કોઈપણ શુભ કાર્ય કરતાં પહેલાં ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. એવું કહેવાય છે કે, ગણેશજીની પૂજા અર્ચના કરવાથી તમામ વિઘ્ન અને બાધાઓ દૂર થાય છે અને કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ મજબૂત થાય છે

ગણેશ વિસર્જનની વિધિ

અનંત ચતુર્દશીના દિવસે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે, જેનો અર્થ એ છે કે ગણેશજી હવે પાછા તેમના ધામમાં જઈ રહ્યા છે.

પૂજા અને આરતી: વિસર્જન પહેલાં ફરી એકવાર ગણેશજીની આરતી કરવી અને તેમને મોદકનો ભોગ ધરાવવો.

પ્રાર્થના: મૂર્તિને સન્માનપૂર્વક ઉઠાવતા પહેલાં ગણેશજીની ક્ષમા માંગવી અને તેમને પ્રાર્થના કરવી કે તેઓ આગલા વર્ષે ફરી પધારે.

વિસર્જન: ગણેશજીની મૂર્તિને પવિત્ર નદી, તળાવ અથવા પાણીના સ્ત્રોતમાં વિસર્જિત કરવી. પર્યાવરણને નુકસાન ન થાય તે માટે માટીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.

ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત (6 સપ્ટેમ્બર):

સવારે 07:58 થી 09:30

બપોરે 12:40 થી 05:15

સાંજે 06:55 થી 08:25

ગણેશોત્સવ એ ભક્તિ, આનંદ અને સકારાત્મકતાનો પર્વ છે, જે સમગ્ર સમાજમાં ઉત્સાહ ભરી દે છે.

September 5, 2025
image-12.png
1min70

ભારતમાં હાલમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. એટલી વધી ગઈ છે કે એ હવે રૅકોર્ડ બની ગયો છે. ભારતમાં ઇન્ટરનેટ સબ્સ્ક્રાઇબર્સનો ઓફિશિયલ આંકડો 100 કરોડ છે. આ આંકડો ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI) દ્વારા આપવામાં આવ્યો છે. તેમણે એપ્રિલ-જૂન 2025ના ઇન્ડિયન ટેલિકોમ સર્વિસ પર્ફોર્મન્સ ઇન્ડિકેટર રિપોર્ટમાં આ વિશે જણાવ્યું છે.

ટોટલ ઇન્ટરનેટ સબ્સ્ક્રાઇબર્સ : 100.28 કરોડ યુઝર્સ છે. માર્ચમાં 96.91 કરોડ હતાં. જાન્યુઆરીથી-માર્ચની સરખામણીમાં 3.48 ટકાનો વધારો થયો છે.

મોટાભાગના બ્રોડબેન્ડ યુઝર્સ : 100.28 કરોડ યુઝર્સમાંથી 97.97 કરોડ સબ્સ્ક્રાઇબર્સ બ્રોડબેન્ડનો ઉપયોગ કરે છે. ફક્ત 2.31 કરોડ યુઝર્સ નેરોબેન્ડનો ઉપયોગ કરે છે.

વાયરલેસ વર્સસ વાયર ઇન્ટરનેટ : 95.81 કરોડ યુઝર્સ ઇન્ટરનેટ માટે વાયરલેસ નેટવર્કનો ઉપયોગ કરે છે. બીજી તરફ ફક્ત 4.47 કરોડ યુઝર્સ વાયર કનેક્શનનો ઉપયોગ કરે છે.

અર્બન અને રુરલ : અર્બન યુઝર્સની સંખ્યા 57.94 કરોડ છે અને રુરલ યુઝર્સની સંખ્યા 42.33 કરોડ છે.

મહિનાનો એવરેજ ઉપયોગ : એક યુઝર દ્વારા એક મહિનામાં અંદાજે 24.01 GB ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાયરલેસ યુઝર્સ છે.

રેવેન્યુ : એક GBના અંદાજે 8.51 રૂપિયા છે. આથી મહિનાનો અંદાજિત ખર્ચ 186.62 રૂપિયા છે. TRAIના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દરેક ટેલિકોમ કંપનીએ તેમના ટેરિફ પહેલાં કરતાં વધારી દીધા છે. હવે મહિનાના ઓછામાં ઓછા 190 રૂપિયાની આસપાસ અંદાજિત આંકડો છે.

મોબાઇલ યુઝર્સમાં વધારો : વાયરલેસ સબ્સ્ક્રાઇબર્સનો ખૂબ જ વધારો જોવા મળ્યો છે. એમાં 5G સર્વિસનો પણ સમાવેશ થાય છે. આ યુઝર્સમાં 71.2 લાખ નવા યુઝર્સનો સમાવેશ થયો છે અને એથી આ આંકડો 117 કરોડને પાર પહોંચ્યો છે.

વાઇ-ફાઇ હોટસ્પોટ : અત્યારે ભારતમાં અંદાજિત 55,000 પબ્લિક હોટસ્પોટ કાર્યરત છે જે 13281 TB ડેટાને ટ્રાન્સફર કરી રહ્યા છે. આ હોટસ્પોટની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે.

5G યુઝર્સમાં વધારો : 78.50 લાખ નવા કસ્ટમર્સનો સમાવેશ થયો છે જેઓ ફક્ત 5G સર્વિસનો ઉપયોગ કરે છે. તેઓ હવે નેક્સ્ટ-જનરેશન કનેક્ટિવિટીનો ઉપયોગ કરી રહ્યા છે.

ઇન્ટરનેટ અને મોબાઇલ સર્વિસના ઉપયોગ કરતાં વધી રહ્યા હોવાથી હવે ડાયરેક્ટ-ટુ-હોમ સર્વિસનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે. 5,69,20,000 એક્ટિવ યુઝર્સમાંથી હવે 5,60,70,000 એક્ટિવ યુઝર્સ રહી ગયા છે. આ આંકડો ધીમે-ધીમે ઓછો થઈ રહ્યો છે.

મોબાઇલ યુઝર્સનો આંકડો વધવાની સાથે હવે લેન્ડલાઇન યુઝર્સની સંખ્યા પણ વધી રહી છે. માર્ચ 2025ની સરખામણીએ જૂન 2025માં 28.20 ટકા નવા યુઝર્સનો વધારો થયો છે. આથી હવે યુઝર્સ ટ્રેડિશનલ લેન્ડલાઇન તરફ પણ વળી રહ્યા છે.

September 5, 2025
image-10.png
1min39

GST કાઉન્સિસની બેઠકમાં લક્ઝરી વસ્તુ પર 40 ટકાના નવા સ્લેબની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે બે ટેક્સ સ્લેબ 12 ટકા અને 28 ટકા સ્લેબ રિમુવ કરવામાં આવ્યા છે. એટલે કે સામાન્ય માણસની ખિસ્સા પરથી ભાર ઓછો કરવામાં આવ્યો છે. જેમાં નાની કાર અને દ્વિચક્રી વાહનો પર GST 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે, જ્યારે મધ્યમ અને મોટી કાર પર 40 ટકાનો નવો ટેક્સ સ્લેબ લાગુ થશે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર સમાચારો વહેતા થયા છે કે, લક્ઝરી કારનો 40 ટકાના સ્લેબમાં ઉમેરો કર્યા છતા સસ્તી થઈ છે. તો આપણે ઉદારહરણ સાથે જાણીએ કે કેવી રીતે આ કારની GST વધ્યા છતા કિંમતો ઘટી છે.

નવો ટેક્સ સ્લેબ

GST કાઉન્સિલે નક્કી કર્યું છે કે નાની કાર અને દ્વિચક્રી વાહનો પર ટેક્સ 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવે, જેનાથી આ વાહનોની કિંમતો નોંધપાત્ર રીતે ઘટશે. બીજી તરફ, મધ્યમ અને મોટી કાર, જેમાં 1200 સીસીથી વધુ પેટ્રોલ એન્જિન, 1500 સીસીથી વધુ ડીઝલ એન્જિન અથવા 4 મીટરથી લાંબી કારનો સમાવેશ થાય છે, તેના પર 40 ટકા GST લાગશે. આ નવા નિયમો 22 સપ્ટેમ્બર, 2025થી લાગુ થશે.

અગાઉ, 1200 સીસીથી વધુ પેટ્રોલ અથવા 1500 સીસીથી વધુ ડીઝલ એન્જિન અને 4 મીટરથી લાંબી કાર પર 28 ટકા GST ઉપરાંત 17-22 ટકા કમ્પેન્સેશન સેસ લાગતો હતો, જેનાથી કુલ ટેક્સ 45-50 ટકા સુધી પહોંચતો હતો. નવા નિયમો આવ્યા બાદ તેને સંપૂર્ણપણે હટાવી દેવાયો છે, અને હવે માત્ર 40 ટકા ફ્લેટ GST લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનાથી મોટી કાર, જેમ કે મર્સિડીઝ-બેન્ઝ, ઓડી, અને BMW જેવી લક્ઝરી કારની કિંમતો ઘટશે, જે ગ્રાહકો માટે લાભદાયી છે.

ઉદાહરણથી સમજો ભાવ ઘટાડો

જો કોઈ 15 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની મોટી પેટ્રોલ કે ડીઝલ કાર ખરીદે છે, તો નવા ટેક્સ નિયમોની અસર આ પ્રમાણે થશે:

જૂનો ટેક્સ પ્લસ સેસ 45 ટકા હોય તો: બેઝ પ્રાઇસ = 15,00,000 ÷ 1.45 = ₹10,34,483.
નવો 40 ટકા ટેક્સ = 10,34,483 × 1.40 = ₹14,48,276.
બંને કિમતોની સરખામણી કરીએ તો લગભગ ₹51,724ની બચત થાય છે.

જૂનો ટેક્સ 50 ટકા હોય તો: બેઝ પ્રાઇસ = 15,00,000 ÷ 1.50 = ₹10,00,000.
નવો 40 ટકા ટેક્સ = 10,00,000 × 1.40 = ₹14,00,000.
એટલે લગભગ ₹1,00,000ની બચત થશે.

આ રીતે, નવા નિયમો હેઠળ મોટી કારની કિંમતો ₹50,000થી ₹1 લાખ સુધી ઘટી શકે છે.

આ નવો ટેક્સ સ્લેબ ઓટોમોબાઇલ ઉદ્યોગ અને ગ્રાહકો માટે ફાયદાકારક સાબિત થશે. નાની કાર અને બાઇકની કિંમતો ઘટવાથી મધ્યમ વર્ગના લોકોને રાહત મળશે, જ્યારે મોટી અને લક્ઝરી કારની કિંમતોમાં ઘટાડો ઉચ્ચ વર્ગના ખરીદનારાઓને આકર્ષશે. સેસ હટાવવાથી ઓટોમોબાઇલ ક્ષેત્રમાં વેચાણ વધવાની આશા છે, જે આર્થિક વૃદ્ધિને વેગ આપશે. સોશિયલ મીડિયા પર ફેલાયેલા ભ્રમને દૂર કરીને, આ નિર્ણયથી તમામ પ્રકારની ગાડીઓના ખરીદનારાઓને લાભ થશે.

September 5, 2025
image-9.png
2min50

  • કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ઉચ્ચ શિક્ષણની ટોચની સંસ્થાઓના રેન્કિંગસ જાહેર કર્યા
  • ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સ બેંગ્લુરુ બેસ્ટ યુનિવર્સિટી અને બેસ્ટ રિસર્ચ સંસ્થા
  • 10મા એનઆઇઆરએફ રેન્કિંગ્સ જાહેર, નવ શ્રેણી અને પાંચ પેરામીટર્સને આધારે પસંદગી

આઇઆઇએમ અમદાવાદ સળંગ છઠ્ઠા વર્ષે ટોચનું મેનેજમેન્ટ ઇન્સ્ટિયુશન બન્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા નેશનલ ઇન્સ્ટિટયુટશનલ રેન્કિંગ ફેમવર્ક (એનઆઇઆરએફ) ૨૦૨૫મા મેનેજમેન્ટ કેટેકટરીમાં આઇઆઇએમએ પ્રથમ આઇઆઇએમ- બેંગ્લોર બીજા અને આઇઆઇએમ- કોઝિકોડેએ ત્રીજુ સ્થાન મેળવ્યું છે. એનઆઇઆરએફ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓનો ૧૭ કેટેગરીમાં રેન્કિંગ જાહેર થયું છે.

સતત સાતમા વર્ષે ઓવરઓલ કેટેગરીમાં આઇઆઇટી, મદ્રાસે પ્રથમ સ્થાન મેળવ્યું છે. સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી તરીકે ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સ (આઇઆઇએસસી), બેંગ્લુરુ ને સતત દસમા વર્ષે પસંદ કરાયું છે.

ઓવરઓલ શ્રેણીમાં આઇઆઇટી, મદ્રાસ પછી આઇઆઇએસસી, બેંગ્લુરુને બીજો અને આઇઆઇટી બોમ્બેને ત્રીજો અને આઇઆઇટી દિલ્હીને ચોથો ક્રમ મળ્યો છે.

સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી તરીકે આઇઆઇએસસી, બેંગ્લુરુ પછી બીજા ક્રમે જેએનયુ, દિલ્હી, અને ત્રીજા ક્રમે મનિપાલ અકાડેમી ઓફ હાયર એજ્યુકેશનને ત્રીજુ સ્થાન મળ્યું છે. કર્ણાટકની આ યુનિવર્સિટી ટોપ થ્રી રેન્કિંગમાં પસંદ કરાયેલી પ્રથમ પ્રાઇવેટ યુનિવર્સિટી છે.

બેસ્ટ કોલેજ શ્રેણીમાં દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજને પ્રથમ અને મિરાન્ડા હાઉસને બીજો ક્રમ મળ્યો છે. ટોચની એન્જિનિયરિંગ કોલેજોની યાદીમાં નવ આઇઆઇટીને સ્થાન મળ્યું છે. જ્યારે તિરુચિરા પલ્લીની એનઆઇટી (નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી)ને નવમુ સ્થાન મળ્યું છે.

શ્રેષ્ઠ ફાર્મસી કોલેજોમાં નવી દિલ્હીની જામિયા હમદર્દને પ્રથમ પિલાનીના બિરલા ઇન્સ્ટિટયુટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ (બીઆઇટીએસને બીજુ અને ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીને ત્રીજું સ્થાન મળ્યું છે.

શ્રેષ્ઠ લો કોલેજોમાં બેંગ્લુરુની નેશનલ લો સ્કૂલને પ્રથમ, દિલ્હીની નેશનલ લો યુનિવર્સિટીને બીજુ અને હૈદ્રાબાદની નેશનલ અકાડેમી ઓફ લીગલ સ્ટડીઝ એન્જ રિસર્ચ (એનએએલએસએઆર)ને ત્રીજુ સ્થાન મળ્યું છે.

મેડિકલ કોલેજોમાં એઆઇઆઇએમએસ (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સિસ), નવી દિલ્હીને પ્રથમ, પીજીઆઇએમઇઆર ચંડીગઢને બીજુ અને સીએમસી વેલ્લોરને ત્રીજુ સ્થાન મળ્યું છે. ડેન્ટલ કોલોજેમાં એઇમ્સ દિલ્હી (એઆઇઆઇએમએસ)ને પ્રથમ, ચેન્નઇની સવિતા ઇન્સ્ટિટયુટ ઓફ મેડિકલ એન્ડ ટેક્નિકલ સાયન્સિસને બીજુ સ્થાન મળ્યું છે.

રિસર્ચ ક્ષેત્રે આઇઆઇએસસી, બેંગ્લુરુને પ્રથમ અને આઇઆઇટી મદ્રાસને બીજો ક્રમ મળ્યો છે. ઓપન યુનિવર્સિટીઓની શ્રેણીમાં ઇંદિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (આઇજીએમઓયુ)ને ટોચનું સ્થાન મળ્યું છે. જ્યારે કર્ણાટક સ્ટેટ ઓપન યુનિવર્સિટી, મૈસૂરુને બીજુ સ્થાન મળ્યું છે.

સ્ટેટ પબ્લિક યુનિવર્સિટીઓની (સરકારી યુનિવર્સિટી) શ્રેણીમાં પ. બંગાળની જાદવપુર યુનિવર્સિટીને પ્રથમ અને ચેન્નઇની અન્ના યુનિવર્સિટીને બીજુ અને પંજાબ યુનિવર્સિટીને ત્રીજુ સ્થાન મળ્યું છે. ઉચ્ચ શિક્ષણની સંસ્થાએને ઓવર ઓલ, યુનિવર્સિટીઓ, કોલેજો, રિસર્ચ સંસ્થાઓ, ઇનોવેશન, ઓપન યુનિવર્સિટી, સરકારી યુનિવર્સિટી, સ્કીલ યુનિવર્સિટી, અને સસ્ટેનેબલ ડેવેલોપમેન્ટ ગોલ્સ (એસડીજી) એમ નવ વહેંચીને પસંદ કરાયા છે.

વિષયને ધ્યાનમાં રાખીને રેન્કિંગસ એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, ફાર્મસી, લો, મેડિકલ, આર્કિટેક્ચર, પ્લાનિંગ, ડેન્ટલ, એગ્રીકલ્ચર એમ આઠ શ્રેણીમાં ગણાયું હતું.

ટીચીંગ લનિંગ એન્ડ રિસોર્સિસ (ટીએસઆર), રિસર્ચ એન્ડ પ્રોફેશનલ પ્રેક્ટિસ (આરપી), ગ્રેજ્યુએશન આઉટકમ (જીઓ), આઉટરીચ એન્ડ ઇન્ક્લુસિવિટી (ઓઆઇ) અને પર્સેપ્શન (પીઆર) એમ કુલ પાંચ પેરામીટર્સ (પરિણામો ધ્યાનમાં લેવાયા હતા અને તે પ્રમાણે મળેલા કુલ સ્કોટરના આધારે રેન્કિંગસ અપાયા હતા.

September 5, 2025
image-8.png
1min64

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા(NPCI)એ UPI દ્વારા અમુક ખાસ પ્રકારના વ્યવહારો માટેની ટ્રાન્ઝેક્શન મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે. 15 સપ્ટેમ્બર-2025થી અમલમાં આવનારા નવા ફેરફાર મુજબ હવે ટેક્સ ભરવા, વીમા પ્રીમિયમ ચૂકવવા, લોનની EMI ભરવા અને શેરબજારમાં રોકાણ જેવા મોટા વ્યવહારો માટે દૈનિક 10 લાખ રૂપિયા સુધીની ચૂકવણી માત્ર 24 કલાકમાં કરી શકાશે.

અગાઉ એક લાખ સુધીની લિમિટ હતી

અગાઉ આવા ટ્રાન્ઝેક્શનો પર એક લાખ રૂપિયાની લિમિટ હતી, એટલે કે જો એક લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન હોય તો તે થઈ શકતું ન હતું, જોકે હવે નવા નિયમ મુજબ તેમાં વધારો કરાયો છે. હવે યુપીઆઇ દ્વારા ટેક્સ સંબંધિત ટ્રાન્ઝેક્શન કરવા માટેની લિમિટ પ્રતિ ટ્રાન્ઝેક્શન 5 લાખ રૂપિયા અને 24 કલાકમાં 10 લાખની લિમિટ કરવામાં આવી છે. આ નિર્ણય 15 સપ્ટેમ્બરની ટેક્સ ભરવાની અંતિમ તારીખને ધ્યાનમાં રાખીને લેવાયો છે.

નવો નિયમ માત્ર ‘પર્સન ટુ મર્ચન્ટ’ માટે લાગુ

આ ફેરફાર માત્ર વ્યક્તિ દ્વારા વેપારીને કરાતાં ટ્રાન્ઝેક્શન પર જ લાગુ પડશે. એટલે કે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ પર લાગુ નહીં પડે. વ્યક્તિ માત્ર સીધું જ વેરિફાઇડ બિઝનેસ એકાઉન્ટમાં જ ટ્રાન્ઝેક્શન કરી શકશે, જેમાં વીમા કંપનીઓ, બ્રોકરેજ ફર્મ, ટેક્સ પોર્ટલ અને બૅંકો જેવી સંસ્થાઓ સામેલ છે. યુપીઆઇ દ્વારા વ્યક્તિથી વ્યક્તિને કરાતી ટ્રાન્ઝેક્શન લિમિટ યથાવત્ એટલે કે એક લાખ રૂપિયા જ રહેશે.

નવા નિયમોની વધુ વિગતો

ટેક્સ ચૂકવણી, લોન ઈએમઆઇ અને બિઝનેસ ટુ બિઝનેસ કલેક્શન : હવે યુપીઆઇથી એક વખતમાં પાંચ લાખ રૂપિયાનું અને 24 કલાકની અંદર 10 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી શકાશે.

વીમા અને કેપિટલ માર્કેટ : અગાઉ બે લાખ રૂપિયાની લિમિટ હતી, જે વધારીને એક વખતના ટ્રાન્ઝેક્શનમાં પાંચ લાખ રૂપિયા અને 24 કલાકમાં 10 લાખ રૂપિયા લિમિટ કરવામાં આવી છે.

ક્રેડિટ કાર્ડ બિલ : અગાઉ યુપીઆઇ દ્વારા બે લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી શકાતું હતું, જોકે હવે તેમાં વધારો કરીને પ્રતિ ટ્રાન્ઝેક્શન પાંચ લાખ રૂપિયા અને 24 કલાકમાં 10 લાખ રૂપિયાની લિમિટ કરવામાં આવી છે.

વિદેશી મુદ્રા અને FD : હવે ફોરેક્સ ખરીદી-વેચાણ અને ડિજિટલ એકાઉન્ટ ખોલવા અને FD બનાવવા માટે પાંચ લાખ રૂપિયાની સુધીના ટ્રાન્ઝેક્શનની છૂટ મળશે.

15 સપ્ટેમ્બરથી લાગુ થશે નિયમ

NPCI એ તમામ બૅંકો, એપ્સ અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને આ નવા નિયમો લાગુ કરવા નિર્દેશ આપ્યા છે. જોકે, બૅંકોને તેમની પોલિસી મુજબ અમુક લિમિટ નક્કી કરવાની છૂટ આપવામાં આવી છે. તેથી એવી સંભાવના છે કે, કેટલાક કિસ્સાઓમાં આ નિયમો તાત્કાલિક લાગુ ન થાય, પરંતુ મોટાભાગની બૅંકો 15 સપ્ટેમ્બરથી આ ફેરફારને અમલમાં મૂકશે.

September 5, 2025
image-7.png
2min75
પક્ષગંભીર ગુનાવાળા મંત્રીઓ
ભાજપ૮૮
કોંગ્રેસ૧૮
ડીએમકે૧૪
ટીએમસી૦૮
તેલુગુદેશમ૧૩
આમ આદમી૦૫
  • કેન્દ્રના 72માંથી 29 અને રાજ્ય સરકારોના 273 પ્રધાનો ‘ક્રિમિનલ’ : એડીઆર
  • કુલ 302 પ્રધાનોમાંથી 174 મંત્રી સામે ગંભીર ફોજદારી ગુનો ભાજપના 336માંથી 40 ટકા એટલે કે 136 મંત્રી ક્રિમિનલ
  • આંધ્રની તેલુગુદેશમના પાર્ટીના 96 ટકા મંત્રીઓ એટલે કે 23માંથી 22ની સામે ફોજદારી કેસ નોંધાયેલા છે

દેશના રાજકારણને અપરાધમુક્ત કરવાની વાતો ફક્ત વાતો જ લાગે છે, દેશનું રાજકારણ ગુનાખોરીથી મુક્ત થવાની સંભાવના સ્વપ્નવત લાગે તેવી વાત એડીઆર રિપોર્ટમાં આવી છે. એડીઆર રિપોર્ટ મુજબ દેશના કુલ ૪૭ ટકા પ્રધાનો એટલે કે લગભગ અડધો અડધ પ્રધાન સામે ફોજદારી કેસ ચાલી રહ્યા છે. આ સંજોગોમાં રાજકારણ ગુનામુક્ત તો ન થાય, પણ ગુનાયુક્ત થયું હોવાની જરૂર કહી શકાય.

એડીઆર (એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ) પણ ત્યારે આવ્યો છે જ્યારે સંસદમાં ત્રણ બિલ રજૂ કરવામાં આવ્યા છે જેમા વડાપ્રધાન, મુખ્યપ્રધાનો અને પ્રધાનોની ધરપકડ થાય કે પાંચ વર્ષ કે તેનાથી વધારે સમયની સજા માટેના ગંભીર ફોજદારી ગુના માટે સળંગ ૩૦ દિવસ સુધી અટકાયતમાં રાખવામાં આવે તો તેમણે હોદ્દા પરથી રાજીનામુ આપવું પડશે. એડીઆરે આ માટે દેશની કુલ ૨૭ વિધાનસભા, ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય કેબિનેટ પ્રધાનોના કુલ ૬૪૩ સોગંદનામાની ચકાસણી કરી હતી, તેમા તેણે જોયું કે કુલ ૩૦૨ પ્રધાનો એટલે કે અડધોઅડધ કહેવાય તેટલા પ્રધાનોની સામે ફોજદારી કેસો હોવાનું જણાઈ આવ્યું હતું. આ ૩૦૨ પ્રધાનોમાં ૬૦ ટકાથી પણ વધારે એટલે કે ૧૭૪ પ્રધાનોની સામે તો ગંભીર ફોજદારી કેસ છે, એમ રિપોર્ટે જણાવ્યું હતું.

એડીઆર વિશ્લેષણ મુજબ ભાજપના કુલ ૩૩૬ પ્રધાનમાં ૪૦ ટકા એટલે કે ૧૩૬ પ્રધાનાએ તો પોતે જ તેમની સામે ફોજદારી કેસ હોવાનું જાહેર કર્યુ છે. તેમા ૨૬ ટકા એટલે કે ૮૮ પ્રધાનોની સામે ગંભીર ગુના છે.

કોંગ્રેસ ચાર રાજ્યોમાં સત્તામાં છે. તેના ૭૪ ટકા એટલે કે ૪૫ પ્રધાનોની સામે ફોજદારી કેસ છે. તેમા ૩૦ ટકા એટલે કે ૧૮ની સામે ગંભીર ગુના નોંધાયેલા છે.

આ ઉપરાંત ડીએમકેના કુલ ૩૧ પ્રધાનોમાંથી ૨૭ એટલે કે ૮૭ ટકા સામે ફોજદારી કેસ છે. જ્યારે ૪૫ ટકા એટલે કે ૧૪ની સામે ગંભીર ફોજદારી ગુના નોંધાયેલા છે. તૃણમૂલ કોંગ્રેસના ૩૩ ટકા એટલે કે ૪૦માંથી ૧૩ની સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. તેમા ૨૦ ટકા એટલે કે ૮ની સામે ગંભીર ગુના છે.

તેલુગુદેશમ પાર્ટીમાં ગુનેગાર પ્રધાનોનું સૌથી ઊંચું પ્રમાણ છે. તેમા કુલ ૨૩ પ્રધાનોમાંથી ૨૨ પ્રધાનો સામે એટલે કે ૯૬ ટકા પ્રધાનો સામે ગુના નોંધાયેલા છે. તેમાથી ૫૭ ટકા એટલે કે ૧૩ પ્રધાનની સામે ગંભીર ગુના નોંધાયેલા છે. આમ આદમી પાર્ટી (આપ)ના પ્રધાનોમાં જોઈએ તો ૧૬માંથી ૧૧ એટલે કે ૬૯ ટકા પ્રધાનો સામે ફોજદારી કેસો છે. તેમાથી પાંચ એટલે કે ૩૧ ટકા સામે ગંભીર કેસો છે. હવે રાષ્ટ્રીય સ્તરે જોઈએ તો ૭૨ કેન્દ્રીય પ્રધાનોમાંથી ૪૦ ટકા એટલે કે ૨૯ પ્રધાનોએ તેમની સામે ફોજદારી કેસ હોવાનું સોગંદનામામાં જણાવ્યું છે.

રાજ્યોમાં જોઈએ તો કુલ ૧૧ વિધાનસભામાં આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, તેલંગણા, હિમાચલ પ્રદેશ અને પુડુચેરીના ૬૦ ટકાથી વધારે પ્રધાનોની સામે ફોજદારી કેસ છે. તેનાથી વિપરીત હરિયાણા, જમ્મુ-કાશ્મીર, નાગાલેન્ડ અને ઉત્તરાખંડના પ્રધાનોની સામે કોઈ ફોજદારી કેસ જ નોંધાયા નથી.

પ્રધાનો- ક્રિમિનલ કેસ

દેશના કુલ પ્રધાન ૬૪૩

ફોજદારી કેસ ૩૦૨

ભાજપના પ્રધાન ૧૩૬

કોંગ્રેસના પ્રધાન ૦૪૫

ડીએમકેના પ્રધાન ૦૩૧

ટીએમસીના મંત્રી ૦૧૩

તેલુગુદેશમ મંત્રી ૦૨૨

આપના પ્રધાન ૦૧૧

કેન્દ્રીય પ્રધાન ૦૨૯

September 4, 2025
kya-sasta-1.png
1min249

જીએસટી સેન્ટ્રલ કાઉન્સિલની તા.3 અને 4 સપ્ટેમ્બરના રોજ યોજાઇ રહેલી 56મી મિટીંગમાં જીએસટી સ્ટ્રક્ચરમાં મોટા ફેરફારોને મંજૂરી આપવામાં આવી છે. સૌથી મોટા ફેરફારો એ છે કે 12 ટકા અને 28 ટકાના સ્લેબને નાબૂદ કરીને 40 ટકાનો નવો સ્લેબ ઉમેરવામાં આવ્યો છે.

અહીં સીઆઇએ લાઇવ ન્યુઝ વેબ તરફથી અમારા વાચકો માટે ચીજવસ્તુઓ અનુસાર કેટલો જીએસટી હતો અને હવે કેટલો જીએસટી લાગૂ થશે તેની વિગતો આપવામાં આવી છે. જેના પર જીએસટી ઘટ્યો છે તે ચીજવસ્તુઓ ઉત્પાદકો અને વિક્રેતાઓ સસ્તી કરશે કે કેમ એ સવાલ છે.

આખું લિસ્ટ પીડીએફ ફોર્મેટમાં તમે ડાઉનલોડ પણ કરી શકો છો