CIA ALERT

ઇન્ડીયા Archives - Page 17 of 209 - CIA Live

December 30, 2024
spadex.png
15min1810

આ વર્ષમાં ISROનું આવતીકાલે રહેશે છેલ્લું ઐતિહાસિક મિશન, જાણો મિશનની વિશેષતા શું હશે?

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) આ વર્ષના અંતમાં આવતીકાલે વધુ એક એક ઐતિહાસિક મિશનને સાકાર કરવા જઈ રહ્યું છે. આ મિશનથી ઇસરો અવકાશમાં બે ઉપગ્રહને ડોક કરવાની અથવા મર્જ કરવાની દુર્લભ સિદ્ધિ હાંસલ કરશે. આ પ્રોજેક્ટને “સ્પેસ ડોકિંગ એક્સપેરીમેન્ટ” (SPADEX) નામ આપવામાં આવ્યું છે.

કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહે માહિતી આપતા કહ્યું હતું કે આગામી SPADEX મિશનનો ઉદ્દેશ્ય સંયુક્ત રીતે બે ઉપગ્રહોને અવકાશમાં મૂકવાનો છે, જે એક પડકારસમાન છે જેને માત્ર થોડા જ દેશો પૂર્ણ કરી શક્યા છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ (SPADEX) હેઠળ 30 ડિસેમ્બર, 2024ના રોજ અમલમાં મૂકવામાં આવશે અને આ મિશન માટે ઉપયોગમાં લેવાતી સ્વદેશી ટેક્નોલોજીને “ભારતીય ડૉકિંગ સિસ્ટમ” કહેવામાં આવી રહી છે.

ISRO અવકાશના નજીકના શૂન્યાવકાશમાં 28,800 કિમી/કલાકની ઝડપે પરિભ્રમણ કરતા બે ઉપગ્રહોને જોડવાનો પ્રયાસ કરશે. આ એક પડકારજનક કાર્ય છે, કારણ કે બંને ઉપગ્રહોને તેમના સંબંધિત વેગને માત્ર 0.036 કિમી/કલાક સુધી ઘટાડવા માટે કાળજીપૂર્વક કદમ ઉઠાવવમાં આવશે. ‘ચેઝર’ અને ‘ટાર્ગેટ’ નામના બે ઉપગ્રહો એકસાથે જોડાઈને અવકાશમાં એક એકમની રચના કરશે.

ISRO 30 ડિસેમ્બર 2024ના રોજ SPADEX લોન્ચ કરશે. આ મિશનમાં PSLV-C60નો ઉપયોગ કરવામાં આવશે, જે ભારતીય સમય અનુસાર 21:58 વાગ્યે શ્રીહરિકોટાથી ઉડાન ભરશે. Spacex એ એક સીમાચિહ્નરૂપ મિશન છે, જે અવકાશયાન ડોકિંગ ટેકનોલોજીમાં ભારતની કુશળતા દર્શાવે છે. Spadex બે સરખા ઉપગ્રહ SDX01 અને SDX02 સ્થાપિત કરશે. દરેક ઉપગ્રહનું વજન લગભગ 220 કિગ્રા છે અને તેઓ એકસાથે પૃથ્વીની ઉપર 470 કિમીની પરિક્રમા કરશે.

આખું ભારત આજે રાત્રે જોશે લાઇવ

SpaDeX mission is a cost-effective technology demonstrator mission for the demonstration of in-space docking using two small spacecraft launched by PSLV. This technology is essential for India’s space ambitions such as Indian on Moon, sample return from the Moon, the building and operation of Bharatiya Antariksh Station (BAS), etc. In-space docking technology is essential when multiple rocket launches are required to achieve common mission objectives. Through this mission, India is marching towards becoming the fourth country in the world to have space docking technology.

More DetailsSpaDeX MissionPOEM-4 PayloadBrochure pdf icon PDF – 8.4 MBLaunch StreamingVehicle movement from PIF to MST time lapse videoGallery

Objectives:

The primary objective of the SpaDeX mission is to develop and demonstrate the technology needed for rendezvous, docking, and undocking of two small spacecraft (SDX01, which is the Chaser, and SDX02, the Target, nominally) in a low-Earth circular orbit. Secondary objectives include:

  • Demonstration of the transfer of electric power between the docked spacecraft, which is essential for future applications such as in-space robotics,
  • Composite spacecraft control, and
  • Payload operations after undocking.

Mission Concept:

The SpaDeX mission consists of two small spacecraft (about 220 kg each) to be launched by PSLV-C60, independently and simultaneously, into a 470 km circular orbit at 55° inclination, with a local time cycle of about 66 days. The demonstrated precision of the PSLV vehicle will be utilized to give a small relative velocity between the Target and Chaser spacecraft at the time of separation from the launch vehicle. This incremental velocity will allow the Target spacecraft to build a 10-20 km inter-satellite separation with respect to the Chaser within a day. At this point, the relative velocity between the Target will be compensated using the propulsion system of the Target spacecraft.

At the end of this drift arrest maneuver, the Target and Chaser will be in the same orbit with identical velocity but separated by about 20 km, known as Far Rendezvous. With a similar strategy of introducing and then compensating for a small relative velocity between the two spacecraft, the Chaser will approach the Target with progressively reduced inter-satellite distances of 5 km, 1.5 km, 500 m, 225 m, 15 m, and 3 m, ultimately leading to the docking of the two spacecraft. After successful docking and rigidization, electrical power transfer between the two satellites will be demonstrated before undocking and separation of the two satellites to start the operation of their respective payloads for the expected mission life of up to two years.

New Technologies:

The indigenous technologies developed for enabling this docking mission are as follows:

  • Docking mechanism,
  • A suite of four rendezvous and docking sensors,
  • Power transfer technology,
  • Indigenous novel autonomous rendezvous and docking strategy,
  • Inter-satellite communication link (ISL) for autonomous communication between spacecraft, incorporated with inbuilt intelligence to know the states of the other spacecraft,
  • GNSS-based Novel Relative Orbit Determination and Propagation (RODP) processor to determine the relative position and velocity of the other spacecraft,
  • Simulation test beds for both hardware and software design validation and testing.

In addition, SpaDeX, because of its small size and mass, is even more challenging due to the finer precision required for the rendezvous and docking maneuvers compared to docking two large spacecraft. This mission will be a forerunner for autonomous docking needed for future lunar missions like Chandrayaan-4 without the support of GNSS from Earth.

Docking Mechanism:

The docking mechanism is a low-impact docking system (approach velocity is in the order of 10 mm/s), androgynous (docking systems are identical for both spacecraft, Chaser & Target), and is a peripheral docking system (concept similar to the International Docking System Standard used by other agencies for human missions). The mechanism is smaller (450 mm) with one degree of freedom for extension and uses two motors compared to the IDSS (800 mm) on a hexapod with 24 motors. Multiple test beds were established to test the hardware and software simulation of the docking kinematics to verify and finalise the docking approach parameters.

Sensor Suite:

The additional sensor suite in this mission includes Laser Range Finder (LRF) and Corner Cube Retro Reflectors to work for a range of 6000 to 200 m for determining range (R). The set of Rendezvous Sensors (RS) is used in the range of 2000 to 250 m and from 250-10 m. RS provides the relative position (x, y, z) while LRF determines both relative position and velocity independently.

Proximity and Docking Sensor (PDS) provides relative position and velocity over a range of 30 m to 0.4 m. Laser Diodes (LDs) are used as targets for RS & PDS. A video monitor is used in the 20 to 0.5 m range and it will capture the video of the docking event. A Mechanism Entry Sensor (MES) is used from 8 cm to 4 cm to detect chaser entry into the target spacecraft during docking. Multiple test beds were used to calibrate and validate these sensors before accepting them for the mission.

ISL-Enabled GNSS-Based RODP:

Like all ISRO satellites in low-Earth orbit, both the SpaDeX spacecraft carry a differential GNSS-based Satellite Positioning System (SPS), which provides PNT (Position, Navigation, and Timing) solutions for the satellites. In SpaDeX, a novel RODP processor is included in the SPS receiver, which allows accurate determination of the relative position and velocity of the Chaser and the Target. By subtracting the carrier phase measurements from the same GNSS satellites in both Chaser and Target SPS receivers, highly accurate relative states of the two satellites are determined. The VHF/UHF transceivers in both satellites aid this process by transferring the GNSS satellite measurements from one satellite to the other. Hardware and software test beds, including closed-loop verifications, were carried out to characterise the RODP performance.

Rendezvous and Docking Algorithms:

Up to an inter-satellite distance (ISD) of 5 km, standard orbit maintenance and attitude control algorithms employed in ISRO LEO spacecraft are used. As the spacecraft are in circular orbit, and any addition or reduction of velocity to the satellites will result in orbit change, the V-bar strategy using n-Pulse, Glideslope and PV guidance algorithms are employed to reduce the ISD between the satellites, hold at fixed ISDs to evaluate the sensors and software, and finally docking. These algorithms were converted into software for achieving the rendezvous and docking. These software solutions were tested and validated in multiple digital, hardware-in-loop, onboard-in-loop, software-in-loop, and robotic simulations.

Post-Docking Activities:

After the docking and undocking events, the spacecrafts will be separated and used for application missions.

  • A High-Resolution Camera (HRC) with a 4.5 m IGFOV and a swath of 9.2 x 9.2 km (snapshot mode) and 9.2 x 4.6 km (video mode) from a 450 km altitude is mounted in SDX01. This is a miniature version of the surveillance camera developed by SAC/ISRO.
  • A Miniature Multi-Spectral Payload (MMX) is mounted in SDX02, developed by SAC/ISRO. This has four VNIR bands (B1/B2/B3/B4) at 450 nm to 860 nm and a 25 m IGFOV with a swath of 100 km from a 450 km altitude. The imaging is useful for natural resource monitoring and vegetation studies.
  • A Radiation Monitor (RadMon) payload is mounted in SDX02, which will measure radiation dose encountered in space. This will help in generation of a radiation database for future Total Ionization Dosimeter (TID) and Single Event Upset (SEU) measurements for space science studies, with applications in human spaceflight.

Spacecraft Development:

The SpaDeX spacecraft were designed and realized by the UR Rao Satellite Centre (URSC) with the support of other ISRO centers (VSSC, LPSC, SAC, IISU, and LEOS). The spacecraft, in its orbital phase, will be controlled from ISTRAC using ISRO ground stations and other externally hired ground stations. The full integration and testing of the satellite were carried out at M/s Ananth Technologies, Bangalore, under the supervision of URSC. Presently, after completing all tests and clearances, the spacecraft has moved from URSC to SDSC and is undergoing preparations for launch.

December 27, 2024
rotary1-1280x853.jpg
2min229

ઉમરગામ થી મહેમદાબાદ, સમગ્ર સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના અમુક ભાગોના બનેલ રોટરી ડિસ્ટ્રિકટ ૩૦૬૦ની ૧૦૫ કલબોના ૧૬૦૦ થી વધુ પ્રતિનિધિઓની હાજરીવાળી ડિસ્ટ્રિકટ કોન્ફરન્સ જોધપુર ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઇ.

રોટરી ડિસ્ટ્રિકટ ૩૦૬૦ના ડિસ્ટ્રિકટ ગવર્નર રોટેરિયન તુષાર શાહ અને ફર્સ્ટ લેડી નેહલબેન શાહના નેતૃત્વમાં આયોજિત થયેલી આ કોન્ફરન્સમાં રોટરી આંતરરાષ્ટ્રીય પ્રમુખના પ્રતિનિધિ તરીકે ભૂતપૂર્વ ડિસ્ટ્રિકટ ગવર્નર મેહુલભાઈ રાઠોડ (અમદાવાદ) ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત અન્ય મહાનુભાવોમાં ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ કલ્યાણ બેનરજી (વાપી), ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ડીરેકટર ડૉ. મનોજ દેસાઈ (બરોડા) ઉપરાંત ભૂતપૂર્વ ડિસ્ટ્રિકટ ગવર્નરશ્રીઓ નિહિર દવે (આણંદ), શ્રીકાંત ઇન્દાની (દોંડાઇચા), સંતોષ પ્રધાન (સુરત), પ્રશાંત જાની (સુરેન્દ્રનગર), અનિષ શાહ (વલસાડ), પિન્કીબેન પટેલ (બરોડા), રુચિર જાની (વાપી), હિતેશ જરીવાલા (સુરત), જતીન ભટ્ટ (બરોડા), પરાગ શેઠ (ભરૂચ), દેવાંગભાઈ ઠાકોર (ભરૂચ), સુરેન્દ્રસિંહ રાજપૂત (સરીગામ), આશિષ રૉય (વાપી), આશિષ અજમેરા (ધુલિયા), ડૉ. નિલાક્ષ મુફતી (વલસાડ), ડિસ્ટ્રિકટ ગવર્નર ઇલેકટ અમરદીપ બુનેટ (ભરૂચ), ડિસ્ટ્રિકટ ગવર્નર (૨૦૨૭-૨૮)-આશિષ પટવારી (ધુલિયા) ઉપરાંત જેમણે પોતાની સમગ્ર સંપત્તિ રોટરીવાદને સમર્પિત કરી દીધી છે તેવા મેક્સિકોના લેડી રોટેરિયન ડેલ (DALE) સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્દઘાટન સમારોહના ચીફ ગેસ્ટ દેવદત્ત પટનાયકે “માઈથોલોજી” વિષય પર મનનીય પ્રવચન પ્રસ્તુત કર્યું હતું.

ઇન્દોરના પ્રસિદ્ધ નાદયોગ ગુરુકુલના કલાકારોએ અદ્દભૂત સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો, જયારે દેશના ટોચના વાંસળીવાદક તેજસ અને તબલાવાદક મિતાલીજીના સાનિધ્યમાં પ્રસ્તુત થયેલ કાર્યક્રમે સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ઉદ્દઘાટન સમારોહ બાદ પર્વતારોહક અજીત બજાજે તેમના અદ્વિતિય સાહસોની સનસનાટીભરી સાહસ કથા પ્રસ્તુત કરી હતી.

ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ કલ્યાણ બેનરજીના જીવન અને કવન પર આધારિત વાતોને સૌ વધાવી લીધી હતી.

માનવતા માટે નાણાંનો અવિરત સ્ત્રોત વહેવડાવનાર રોટેરિયન મિત્રોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અધિવેશનના બીજા દિવસે લેફટનન્ટ કર્નલ કે. જે. એસ. ધિલ્લોને “કહાની : ઝમીર અને ઝનૂન કી” વિષય પર ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ડિરેકટર મનોજભાઈ દેસાઈની સાથે રહીને રસપ્રદ પ્રશ્નોત્તરીના સથવારે સૌને અત્યાર સુધી નહિ ખબર હોય તેવી અનેક વાતોને પ્રસ્તુત કરી હતી.

વંદે ભારત ટ્રેનના પ્રેરણાસ્ત્રોત સમા સુધાંશુ મણિએ ઝુમના માધ્યમ દ્વારા “લીડરશીપ અને ઇનોવેશન” વિષય પર અસરકારક વકતવ્ય પ્રસ્તુત કર્યું હતું.

આ અધિવેશનના મુખ્ય આકર્ષણ સમા કેરલના રાજ્યપાલ શ્રી આરિફ મહંમદ ખાને પોતાની વિધ્વત્તાભરી શૈલીમાં “જીવનના મૂલ્યો”ને સમજાવ્યા હતા અને દેશની નામાંકિત સંગીત કલાકાર સન્મુખા પ્રિયાએ અભૂતપૂર્વ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરીને સૌને ડોલાવી દીધા હતા.

અધિવેશનના ત્રીજા દિવસે જાણીતા ડાયેટિશિયન જીનલ શાહે “આદર્શ જીવનશૈલી” વિષય પર અર્થસભર વાતો પ્રસ્તુત કરી હતી. ખાસ કરીને માણસના આરોગ્યને તંદુરસ્ત રાખવા માટે કયા પ્રકારના ખોરાકો ખાવા જોઈએ અને કયા પ્રકારના ખોરાકો નહિ ખાવા જોઈએ તે વિષયે ઊંડાણથી સમજ આપી હતી.

હિંદી ફિલ્મ જગતના મહાન હાસ્ય કલાકાર રાકેશ બેદીએ “આપણા સૌના મૂળિયા” (Roots) વિષય પર સતત ૪૫ મિનિટ સુધી અકલ્પનિય પ્રવચન આપ્યું હતું.

રોટરીના મૂળભૂત સાત સિદ્ધાંતો અને તેના અસરકારક પાલનને કારણે સમાજને થઇ રહેલા ફાયદાઓ વિશે વિવિધ વિશેષજ્ઞોએ અર્થસભર વકતવ્યો પ્રસ્તુત કર્યા હતા. જેમાં ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ડિરેકટર કમલ સંઘવી સહિત અન્ય મહાનુભાવોનો સમાવેશ થયો હતો.

આ કોન્ફરન્સને સફળ બનાવવા માટે કોન્ફરન્સ ચેરમેન કેતન પટેલ (વાપી), કોન્ફરન્સ કો-ચેરમેનો શ્રીમતી રાનુબેન અજમેરા (ધુલિયા) અને ચિરાગ ગાંધી (સુરત), કોન્ફરન્સ સેક્રેટરી પંકજ શાહ (વડોદરા), રોટરી કલબ ઓફ સુરત તાપીના પ્રમુખ નિધી પચ્ચીગર (સુરત), ડિસ્ટ્રિકટ સેક્રેટરી રૂપલ દામાણી અને કોન્ફરન્સની સમગ્ર ટીમે નિષ્ઠાવાન પ્રયત્નો કરીને આ કોન્ફરન્સને સફળ બનાવી હતી.

December 27, 2024
bjplogo.png
1min349

૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા ૨૦૧૮-૧૯માં ભાજપને રૃ. ૭૪૦ કરોડ અને કોંગ્રેસને રૃ. ૧૪૬ કરોડ નું દાન મળ્યું હતું
કોંગ્રેસને રૃ. ૨૮૧ કરોડનું દાન મળ્યું ઃ ચૂંટણી પંચ

દેશના શાસક પક્ષ ભાજપને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૨૬૦૪.૭૪ કરોડ રૃપિયાનું દાન પ્રાપ્ત થયું છે. જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસને ૨૮૧.૩૮ કરોડ રૃપિયા દાનમાં મળ્યા છે તેમ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.

ડોનેશનના આ આંકડા એક એપ્રિલ, ૨૦૨૩ થી ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધીના છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાના નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ભાજપને ૭૪૦ કરોડ રૃપિયા દાનમાં મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસને ૧૪૬ કરોડ રૃપિયાનું ડોનેશન મળ્યું હતું.

ભાજપ અને કોંગ્રેસ બંનેને સૌથી વધારે ડોનેશન પ્રૂડેંટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ પાસેથી મળ્યું છે. જેણે ભાજપને ૭૨૩ કરોડ રૃપિયા અને કોંગ્રેસને ૧૫૬ કરોડ રૃપિયા આપ્યા છે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો ૨૦૨૩-૨૪માં ભાજપને લગભગ ૩૩ ટકા અને કોંગ્રેસને ૫૦ ટકાથી વધુ દાનની રકમ પ્રૂડેંટ ઇલેક્ટોરલ ટ્રસ્ટે આપી હતી.

ભાજપ અને કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા દાનની રકમમાં ઇલેકટોરલ બોન્ડ દ્વારા આપવામાં આવેલા નાણાંનો સમાવેશ થતો નથી.

માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય પક્ષ આમ આદમી પાર્ટી (આપ)ને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૧.૦૬ કરોડ રૃપિયાનું દાન મળ્યું છે. અન્ય રાષ્ટ્રીય પક્ષ સીપીઆઇ-એમને ૭.૬૪ કરોડ રૃપિયાનું ડોનેશન મળ્યું હતું.

ઉત્તર પૂર્વના એક માત્ર માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય પક્ષ નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ને દાનમાં ૧૪.૮૫ લાખ રૃપિયા મળ્યા છે.

કોંગ્રેસને ૧.૩૮ લાખ રૃપિયાની એવી દાનની રકમ પ્રાપ્ત થઇ છે જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, કે સી વેણુગોપાલ અને દિગ્વિજય સિંહ સહિતના ટોચના નેતાઓ પાસેથી મળેલ દાન પણ સામેલ છે.

December 27, 2024
credit-cards.png
1min198
  • બેદરકાર ગ્રાહકો માટે ક્રેડિટ કાર્ડ મુસીબત બની શકે
  • એનસીડીઆરસીની 30 ટકાની ટોચમર્યાદાનો 16 વર્ષ જૂનો આદેશ સુપ્રીમ કોર્ટે ફગાવતા બેન્કોને રાહત મળી
    સુપ્રીમ કોર્ટે ક્રેડિટ કાર્ડ આપતી બેન્કો માટે અત્યંત મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદા મુજબ ક્રેડિટ કાર્ડ આપતી બેન્કો ગ્રાહકો પાસેથી ૩૦ ટકા કરતાં વધુ ચાર્જ વસૂલી શકે છે. આમ તેણે ૧૬ વર્ષ જૂનો નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશનનનો આદેશ રદ કર્યો છે, જેણે ક્રેડિટ કાર્ડ કંપનીઓ પર ૩૦ ટકાની ટોચમર્યાદા લાદી હતી. હવે બેન્કો કાર્ડના બાકી લેણા પર ૫૦ ટકા સુધીનું વ્યાજ વસૂલી શકે છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સીધો અર્થ એવો થાય કે જો તમે બિલ પેમેન્ટ કરો છો કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કોઈ ખરીદદારી કરો છો. તેમા જો તમે બિલ ભરવાનું ભૂલી ગયા તો બેન્ક પોતાની મનમરજી મુજબ આ ભૂલ માટે પેનલ્ટી લગાવી શકે છે.

ઉલ્લેખનીય છે કે એનસીઆરડીસીએ ૩૦ ટકાની ટોચમર્યાદા લગાવ્યા પછી બેન્કોએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. બેન્કોના તરફથી દલીલ કરવામાં આવી હતી કે ૩૦ ટકાની ટોચમર્યાદા નક્કી કરવામાં આવ્યા પછી તેઓ ક્રેડિટ કાર્ડ ડિફોલ્ટરને અસરકારક રીતે પહોંચી વળી શકતા નથી. કોર્ટ તરફથી બેન્કોની તરફેણમાં આવેલો આ ચુકાદો ક્રેડિટ કાર્ડધારકોની આંખ ખોલી નાખનારો ચુકાદો છે.

ન્યાયાધીશ બેલા એમ ત્રિવેદી અને સતીશ શર્માની બેન્ચે જણાવ્યું હતું કે એનસીડીઆરસીનું નિરીક્ષણ છે કે ૩૦ ટકાથી ઊંચો વ્યાજદર અયોગ્ય ધંધાકીય રીતરસમ છે તો તેને અયોગ્ય ઠેરવવી જોઈએ. આ સ્પષ્ટપણે રિઝર્વ બેન્કના આદેશનો રીતસરનો ભંગ છે. કોર્ટે જણાવ્યું હતું કે આ આદેશ બેન્કિંગ નિયંત્રણ ધારા ૧૯૪૯ના આદેશનો ભંગ છે.

કોર્ટે તો ત્યાં સુધી જણાવી દીધું હતું કે એનસીડીઆરસીને કોઈ અધિકાર જ નથી કે તે બેન્કો અને ગ્રાહક વચ્ચે થતાં કરારને લઈને કોઈ આદેશ આપે. આ તેના અધિકાર ક્ષેત્ર બહારની વાત છે. બેન્ચે તેના ૨૦મી ડિસેમ્બરના ચુકાદામાં જણાવ્યું હતું કે અમે અહીં રિઝર્વ બેન્કની તે રજૂઆત સાથે સંમત છીએ કે વર્તમાન કિસ્સામાં રિઝર્વ બેન્કને બેન્કો સામે, બેન્કને કે બેન્કિંગ સેક્ટર સામે કોઈપણ પ્રકારના પગલાં લેવાનો આદેશ આપવાની જરૂર અહીં વર્તાતી નથી.

December 27, 2024
manmohan-singh.png
2min257

પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. આજે (26 ડિસેમ્બર) તેમની તબીયત લથડી હતી, ત્યારબાદ તુરંત દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે. દિવંગત ડૉ. મનમોહન સિંહના પરિવારજનો હોસ્પિટલમાં હાજર છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટકના બેલગામથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ નેતા અને વાયનાડ બેઠક પરના સાંસદ પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ હોસ્પિટલ પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદી પણ એમ્સ જશે. તો કોંગ્રેસ, ભાજપ, આપના નેતાઓ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. દેશમાં શોકની લહેર પ્રસરી છે. કોંગ્રેસે આવતીકાલના તમામ કાર્યક્રમ રદ કર્યા. એઈમ્સની આસપાસની સુરક્ષામાં વધારો કરાયો.

કોંગ્રેસ, ભાજપ, આપના નેતાઓ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન મોદી, અમિત શાહ, જે.પી.નડ્ડા, મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, ચંદ્રાબાબુ નાયડૂ, કિરેન રિજીજૂ, મહેબૂબા મુફ્તિ, ભૂપિન્દર સિંહ હુડ્ડા, સલમાન ખુર્શીદ, મમતા બેનર્જી, આતિશી, કેજરીવાલ, રાજનાથ સિંહ, સી.આર. પાટીલ, ભુપેન્દ્ર પટેલ, અશ્વિની વૈષ્ણવ, માયાવતી, યોગી આદિત્યનાથ, હેમંત સોરેન, પિનારાઈ વિજયન, નવીન પટનાયક, અજિત પવાર, સ્મૃતિ ઈરાની, નીતિન ગડકરી, શરદ પવાર, સુખબીર બાદલ, જયરામ રમેશ, સચિન પાયલટ, પી ચિદંબરમ, તેજસ્વી યાદવ, નીતિશ કુમાર સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવીને દુઃખ વ્યક્ત કર્યું છે.

રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર, 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

સૂત્રોના જણાવ્યા અનુસાર, આવતીકાલે થનારા તમામ સરકારી કાર્યક્રમ રદ રહેશે. 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર. કાલે સવારે 11 વાગ્યે કેબિનેટની બેઠક યોજાશે. ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરાશે.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થયું છે. દિલ્હી AIIMS તરફથી એક સ્ટેટમેન્ટ જાહેર કરાયું છે. જેમાં કહેવાયું છે કે, અત્યંત દુઃખ સાથે અમે ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહના 92 વર્ષની ઉંમરે નિધનની માહિતી આપી રહ્યા છીએ. ઉંમર સંબંધિત બીમારીઓના કારણે તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ 26 ડિસેમ્બર 2024એ ઘર પર અચાનક બેભાન થઈ ગયા હતા. ઘર પર જ તેમણે હોશમાં લાવવાના પ્રયાસ કર્યા. તેમણે રાત્રે 8:06 વાગ્યે દિલ્હી AIIMSના મેડિકલ ઇમરજન્સીમાં લવાયા હતા. તમામ પ્રયાસો છતાં તેમને બચાવી ન શકાયા અને રાત્રે 9:51 વાગ્યે તેમનું નિધન થઈ ગયું.

રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું

મનમોહન સિંહજીએ અપાર વિદ્વતા અને અખંડિતતા સાથે ભારતનું નેતૃત્વ કર્યું. તેમની નમ્રતા અને અર્થશાસ્ત્રની ઊંડી સમજથી રાષ્ટ્રને પ્રેરણા મળી. શ્રીમતી કૌર અને પરિવાર પ્રત્યે મારી દિલથી સંવેદના. મેં એક માર્ગદર્શક ગુમાવ્યા છે. આપણામાંના લાખો લોકો જેમણે તેમની પ્રશંસા કરી છે તેઓ તેમને ખૂબ જ ગર્વ સાથે યાદ કરશે.

વડાપ્રધાન મોદીએ મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિ

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું કે, ‘ભારત પોતાના સૌથી પ્રતિષ્ઠિત નેતાઓમાંથી એક ડૉક્ટર મનમોહન સિંહજીના નિધન પર શોખમાં છે. સાધારણ પૃષ્ઠભૂમિથી ઉભરીને તેઓ એક પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી બન્યા. તેઓ નાણામંત્રી સહિત વિવિધ સરકારી હોદ્દા પર રહ્યા અને વર્ષો સુધી આપણી આર્થિક નીતિ પર ઊંડી છાપ છોડી. સંસદમાં તેમના હસ્તક્ષેપ પણ ખૂબ વ્યવહારુ હતા. આપણા વડાપ્રધાન તરીકે, તેમણે લોકોના જીવનને સુધારવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા.’

તેમની બુદ્ધિમતા અને વિનમ્રતા હંમેશા જોવા મળતી હતી: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘ડૉ. મનમોહન સિંહજી અને હું ત્યારે નિયમિત રીતે વાત કરતા હતા જ્યારે તેઓ વડાપ્રધાન હતા અને હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો. અમે શાસનને લગતા વિવિધ વિષયો પર ઊંડી ચર્ચા કરતા હતા. તેમની બુદ્ધિમત્તા અને નમ્રતા હંમેશા જોવા મળતી હતી. ડૉ. મનમોહન સિંહ જીના પરિવાર, તેમના અસંખ્ય ચાહકોની સાથે મારી સંવેદના છે. ઓમ શાંતિ.’

આર્થિક સુધારાનાં સૂત્રધાર માનવામાં આવતા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બરના રોજ 1932માં અવિભાજિત ભારતનાં પંજાબ પ્રાંતમાં થયો હતો. મનમોહન સિંહ વર્ષ 2004 થી 2014 સુધી ભારતનાં વડાપ્રધાન રહ્યા હતા. તેમના 10 વર્ષનાં કાર્યકાળ સુધી મૌન રહેવા તેમના પર ગણા સવાલ ઉઠ્યા હતા. જોકે તેમની આ સાદગી જ મોટી વિશેષતા રહી. મનમોહન સિંહ વર્ષ 1971માં વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર રૂપમાં ભારત સરકારમાં સામેલ થયા હતા. ત્યારબાદ 1972માં તેમને નાણા મંત્રાલયનાં આર્થિક સલાહકાર રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા. મનમોહન સિંહ પહેલીવાર 1991માં રાજ્યસભા માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓએ રાજ્યસભામાં પાંચ વાર અસમ અને 2019માં રાજસ્થાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મનમોહન સિંહ 1991થી 1996 વચ્ચે ભારતમાં નાણા મંત્રી પણ રહ્યાં. આર્થિક સુધારાની વ્યાપક નિતી શરૂ કરવામાં તેની ભૂમિકાને દુનિયાભરમાં સરાહના મળી. 1991માં જ્યારે ભારતને દુનિયાના બજાર તરીકે ખોલવામાં આવ્યુ ત્યારે મનમોહન સિંહ નાણામંત્રી હતા. મનમોહન સિંહ ભારતના વડાપ્રધાન હતા ત્યારે મનરેગા યોજનાની પણ શરૂઆત કરી હતી. જેને લઇ ગણા ગરીબ લોકોને રોજગાર મળ્યો હતો.

1998થી 2004 સુધી, જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં હતી, મનમોહન સિંહ રાજ્યસભામાં વિપક્ષ નેતા હતા.

1999માં, તેઓએ દક્ષિણ દિલ્હીથી લોકસભાની ચૂંટણી લડી પણ તેને જીત મળી નહીં. ડો. મનમોહન સિંહે 2004ની સામાન્ય ચૂંટણી પછી 22 મેના રોજ વડાપ્રધાન તરીકે શપથ લીધા અને 22 મે 2009માં બીજા કાર્યકાળ માટે શપથ ગ્રહણ કર્યાં. તે 2004 થી 2014 સુધી દેશના વડાપ્રધાન રહ્યાં.

મૃદુભાષી, વિદ્વાન અને વિનમ્ર મનમોહન સિંહે કોંગ્રેસના શાસન દરમિયાન ભારતના અર્થતંત્રમાં તેજીનો પવન ફૂંક્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક વિપક્ષી નેતાઓ પણ તેમના કામની પ્રશંસા કરતા રહ્યા છે. આ ઉપરાંત 1990ના દાયકાની શરૂઆતમાં પૂર્વ વડાપ્રધાન નરસિંહરાવ અને મનમોહન સિંહની જોડીએ આર્થિક ઉદારીકરણનાં પગલાં લઇને વિશ્વનું ધ્યાન ખેચ્યું હતું. સૌથી મહત્ત્વની વાત એ છે કે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જાહેરમાં કહ્યું હતું કે, મનમોહન સિંહ બોલે છે, ત્યારે વિશ્વ સાંભળે છે.

ઉલ્લેખનીય છે કે, ભારતના અર્થતંત્રમાં તેજીનો પવન ફૂંકનાર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ 33 વર્ષ સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. દેશના અર્થતંત્રના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેનારા મનમોહન સિંહ પ્રથમ વખત 1991માં રાજ્યસભાના સાંસદ બન્યા હતાં. તેઓ 1991થી 1996 સુધી દેશના નાણામંત્રી અને 2004થી 2014 સુધી દેશના વડાપ્રધાન રહ્યાં હતાં. 2019માં બે મહિનાના ગેપ સિવાય તેઓ સતત છ ટર્મ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. 1 ઓક્ટોબર 1991થી 14 જૂન 2019 સુધી સતત તેઓ આસામમાંથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. ત્યારબાદ બે મહિનાની ગેપ બાદ રાજસ્થાનથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. ત્રીજી એપ્રિલે તેમની રાજ્યસભાની ટર્મ પુરી થઇ હતી.

મૃદુભાષી, વિદ્વાન અને વિનમ્ર મનમોહન સિંહની પ્રશંસા તો વિરોધ પક્ષો પણ કરે છે. તેમને મૈાની બાબા કહીને વિપક્ષોએ મશ્કરી પણ ખૂબ કરી છે, પરંતુ ભારતમાં આર્થિક ઉદારીકરણ લાવનાર મનોમહન સિંહને જશ પણ ભરપૂર મળ્યો છે. ભારતમાં ઉદારીકરણ પવન ફૂંકાવો શરૂ થયો તત્કાલીન વડાપ્રધાન પી.વી. નરસિંહરાવના શાસનકાળમાં, કે જ્યારે મનમોહન સિંહ નાણાપ્રધાન હતા. 33 વર્ષની રાજકીય કારકિર્દી ધરાવનાર મનમોહન સિંહનું સૌથી મહત્ત્વનું યોગદાન દેશના આર્થિક તંત્રને વિકાસના ટ્રેક પર મુકવાનું હતું.

1990ના દાયકાની શરૂઆતમાં પીએમ નરસિંહરાવ અને એમએમ મનમોહન સિંહની જોડીએ આર્થિક ઉદારીકરણનાં પગલાં લઇને વિશ્વનું ધ્યાન ખેચ્યું હતું. ઓક્ટોબર 1991માં મનમોહન સિંહ પ્રથમ વાર રાજ્યસભાના સભ્ય બન્યા હતા. રાજ્યસભાના સભ્ય તરીકે છ ટર્મ સુધી રહેનાર મનોહન સિંહ 1999માં દક્ષિણ દિલ્હીની બેઠક પરથી લોકસભાનો જંગ લડયો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. ભાજપના વિજયકુમાર મલ્હોત્રાએ તેમને હરાવ્યા હતા. સોનિયા ગાંધીએ ‘આત્માના અવાજ’ને અનુસરીને વડાંપ્રધાન બનવાની ના પાડી એટલે 2004થી 2014 સુધી મનમોહન સિંહ દેશના વડાપ્રધાન તરીકે કાર્યરત રહ્યા. પોતાની નજર સામે ચાલતા ભ્રષ્ટાચારને તેઓ અટકાવી શક્યા નહોતા તે બાબતે તેમની ટીકા પણ થઈ છે.

કેરોસીનના દીવાના ઝાંખા પ્રકાશમાં ભણી ભણીને વડાપ્રધાનપદ સુધી પહોંચનાર મનમોહન સિંહમાં જોકે રાજકીય કુટિલતા નહોતી. એમની શૈક્ષણિક લાયકાત ખૂબ તેજસ્વી રહી છે. વિશ્વભરના આર્થિક નિષ્ણાતો તેમને માન આપતા હતા. અમેરિકાના ભતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ જાહેરમાં કહ્યું હતું કે, મનમોહન સિંહ બોલે છે, ત્યારે વિશ્વ સાંભળે છે. એ વાત અલગ છે કે ભારતના રાજકારણમાં તેમના ખુદના પક્ષના લોકો પણ તેમનું સાંભળતા નહોતા. ભાજપે તેમના મૌન રહેવાના સ્વભાવનો ભરપૂર લાભ ઉઠાવ્યો છે.

રાજ્યસભામાંથી નિવૃત્ત થતા સભ્યોને વિદાય આપતા કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ મનમોહન સિંહની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. મોદીએ કહ્યું હતું કે મનમોહનસિંહની કામગીરી ક્યારેય નહીં ભૂલાય. મોદીએ મતદાનના દિવસને યાદ કરતાં કહ્યું હતું કે મનમોહન સિંહે વ્હીલચેરમાં મતદાન કરવા આવીને લોકોને વોટિંગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ તેમની પત્ની સાથે મનમોહન સિંહના ઘેર જઇને મળ્યા, તેમની લાંબી રાજકીય કારકિર્દીની પ્રશંસા કરીને અભિનંદન આપ્યા હતા. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ મનોહનસિંહના ઘેર ગયા હતા અને તેમને મધ્યમવર્ગના હીરો કહીને પ્રશંસા કરી હતી.

આપણે ત્યાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટનો ભરપૂર ઉપયાગ થાય છે. આ કાયદો મનમોહન સિંહના શાસનકાળ દરમિયાન અસ્તિત્ત્વમાં આવ્યો હતો. એવી જ રીતે રાઇટ ટુ ફૂડ, રાઇટ ટુ એજ્યુકેશન પણ મનમોહન સિંહના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમ્યાન પસાર થયેલા કાયદા છે. ભારતના 14મા વડાપ્રધાન તરીકે એક દાયકા સુધી કાર્યરત રહેનાર મનમોહન સિંહ ભારતની વર્તમાન ગ્રોથ સ્ટોરીનાં મૂળિયાંમાં છે તે ભૂલવું ના જોઇએ.

December 25, 2024
merry-christmas.jpg
1min188

દેશભરમાં નાતાલની(Christmas 2025)ઉજવણી જોવા મળી હતી. જેમાં ક્રિસમસ નિમિત્તે અનેક સ્થળોએ રોશનીથી અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે અને તેના કારણે શહેરોની સુંદરતામાં પણ વધારો થયો છે. આ દરમિયાન વિવિધ સ્થળોએ ચર્ચ અને બજારો પણ શણગારેલા જોવા મળ્યા હતા અને તેના કારણે લોકોમાં નાતાલનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે ચર્ચમાં સમૂહ પ્રાર્થના સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

જેમાં રાંચીમાં પણ ચર્ચને ક્રિસમસના ખાસ અવસર પર રોશનીથી શણગારવામાં આવ્યું છે. તેમજ ક્રિસમસ પર આયોજિત સમૂહ સભા માટે આ ચર્ચને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું.

જ્યારે બીજી તરફ મુંબઈમાં પણ નાતાલના આગલા દિવસે કોલાબા સ્થિત એક ચર્ચમાં ક્રિસમસ માસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તસવીરમાં લોકો ચર્ચમાં મીણબત્તીઓ પ્રગટાવતા અને પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.

પુડુચેરીમાં પણ નાતાલના અવસર પર હાર્ટ બેસિલિકા ચર્ચમાં મધ્યરાત્રિની પ્રાર્થના માટે લોકો એકઠા થયા હતા.ઓડિશાના કટકમાં પણ નાતાલના અવસર પર અવર લેડી ઓફ મોસ્ટ હોલી રોઝરી કેથેડ્રલ ખાતે મધ્યરાત્રિના સમૂહ માટે લોકો પ્રાથર્ના માટે એકત્ર થયા હતા. જ્યારે મધ્યપ્રદેશના જબલપુરમાં સ્થિત હોલી ટ્રિનિટી ચર્ચને પણ નાતાલના આગલા દિવસે સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું.

December 16, 2024
Zakir-Hussain.jpg
1min339

જગપ્રસિદ્ધ તબલા વાદક ઝાકિર હુસૈનનું સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં અવસાન થયું છે, એમ તેમના પરિવારે 16/12/24 સોમવારે જણાવ્યું હતું. તેમના પરિવારના જણાવ્યા અનુસાર, હુસૈનનું મૃત્યુ આઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસથી ઉદ્ભવેલી જટિલતાઓને કારણે થયું હતું. તેઓ 73 વર્ષના હતા. તેઓ છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા. બાદમાં તેમની તબિયત બગડતાં તેમને આઈસીયુમાં લઈ જવામાં આવ્યા હતા.

હુસૈનને તેમની કારકિર્દીમાં ચાર ગ્રેમી એવોર્ડ મળ્યા છે, જેમાં આ વર્ષની શરૂઆતમાં 66મા ગ્રેમી એવોર્ડમાં જ તેમને ત્રણ ગ્રેમી એવોર્ડ્સનો સમાવેશ થાય છે. છ દાયકાની સુદીર્ઘ કારકિર્દીમાં, હુસૈને ઘણા પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય અને ભારતીય કલાકારો સાથે કામ કર્યું હતું, પરંતુ અંગ્રેજી ગિટારવાદક જ્હોન મેકલોફલિન, વાયોલિનવાદક એલ શંકર અને પર્ક્યુશનિસ્ટ ટી એચ ‘વિક્કુ’ વિનાયક્રમ સાથેના તેમના 1973ના મ્યુઝિકલ પ્રોજેક્ટમાં તેઓ ભારતીય શાસ્ત્રીય સંગીત અને સંગીતના ઘટકોને તેઓ સાથે લાવ્યા હતા.

ભારતના સૌથી પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતકારોમાંના એક તબલાવાદક હુસૈનને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાન તબલાવાદક અલ્લારખાના મોટા પુત્ર ઝાકિર હુસૈન તેમના પિતાના પગલે ચાલ્યા અને ભારત અને સમગ્ર વિશ્વમાં પોતાનું નામ બનાવ્યું હતું. હુસૈનને તેની કારકિર્દીમાં પાંચ ગ્રેમી એવોર્ડ મળ્યા છે, જેમાંથી ત્રણ આ વર્ષની શરૂઆતમાં 66મા ગ્રેમી એવોર્ડમાં આવ્યા હતા.

મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાક્રિષ્નને તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે દેશે તેની સૌથી પ્રિય સાંસ્કૃતિક ધરોહરમાંથી એક ગુમાવી છે. તેમના શોક સંદેશમાં, રાજ્યપાલે સંગીતકારને એક સમર્પિત શિષ્ય અને મહાન ઉસ્તાદ અલ્લારખાના પુત્ર તરીકે વર્ણવ્યા હતા, જેમણે તબલાને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ અપાવી હતી.

તેમના અસાધારણ પ્રદર્શને તેમને શાસ્ત્રીય સંગીતમાં અને પ્રેક્ષકોમાં લોકપ્રિય બનાવ્યા હતા. ગવર્નરે જણાવ્યું હતું કે, તેમણે તેમના રમતિયાળ અને મોહક પ્રદર્શનથી દરેકને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ઘર-ઘરનું નામ બની ગયા હતા.

હુસૈનના નિધન પર શોક વ્યક્ત કરતા એનસીપીના વડા શરદ પવારે તેમને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, “પ્રખ્યાત તબલા વાદક પદ્મભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધનના સમાચાર હૃદયદ્રાવક છે.” ઝાકિર હુસૈન ભારતના સૌથી પ્રખ્યાત તબલાવાદક હતા અને બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. પવારે કહ્યું હતું કે, તેમણે ભારતીય સંગીતના સાધન તબલાને વિશ્વ મંચ પર સ્થાપિત કર્યું… કલા જગતના એક મહાન વ્યક્તિનું આજે નિધન થયું છે.

December 14, 2024
1min291

એક રાત જેલમાં વિતાવ્યા બાદ આખરે તેલુગુ સુપરસ્ટાર અભિનેતા અલ્લુ અર્જુનને આજે વહેલી સવારે જેલમાંથી છોડવામાં આવ્યો છે. અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદ તથા સસરા કંચરલા ચંદ્રશેખર પણ વહેલી સવારે હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલ પહોંચી ગયા હતા. નોંધનીય છે કે 13મી ડિસેમ્બરે હૈદરાબાદ પોલીસે સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. જોકે બાદ હાઇકોર્ટે જામીન આપ્યા હતા.

અલ્લુ અર્જુનને ગઇકાલે સાંજે જ તેલંગાણા હાઇકોર્ટે જામીન આપી દીધા હતા. જોકે જામીનનો આદેશ ઓનલાઈન અપલોડ થઈ શક્યો નહીં જેના કારણે અભિનેતાએ એક રાત જેલમાં જ વિતાવવી પડી. અલ્લુ અર્જુનના વકીલોનું માનવું છે કે અલ્લુ અર્જુનને પરેશાન કરવા માટે જાણી જોઈને આવું કરવામાં આવ્યું છે.

આટલું જ નહીં અલ્લુ અર્જુનના ચાહકો પણ આ કારણે ગુસ્સે ભરાયા હતા અને ગઈ કાલે ચંચલગુડા સેન્ટ્રલ જેલ બહાર દેખાવો શરૂ થઈ ગયા હતા.

અલ્લુ અર્જુનની તેના ઘરેથી જ પોલીસે ધરપકડ કરી હતી. બાદમાં સાંજે ચાર વાગ્યે લોકલ કોર્ટ સામે હાજર કરવામાં આવ્યો, કોર્ટે અલ્લુ અર્જુનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. જોકે અભિનેતાએ હાઇકોર્ટમાં અપીલ કરતાં. સાંજે પાંચ વાગ્યે તેલંગાણા હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા હતા.

નોંધનીય છે કે ચોથી ડિસેમ્બરે હૈદરાબાદના સનધ્યા થિયેટરમાં મોટી સંખ્યામાં લોકો અલ્લુ અર્જુનની પુષ્પા 2 મૂવી જોવા ભેગા થયા હતા. એવામાં અલ્લુ અર્જુન પણ ચાહકોને મળવા ત્યાં પહોંચી ગયો. એવામાં નાસભાગ મચી જતાં એક મહિલાનું નિધન થયું હતું.

December 12, 2024
પીએ-એટીએમ.png
1min204

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના 7 કરોડ મેમ્બર્સ માટે સારા સમાચાર છે. શ્રમ સચિવ સુમિતા ડાવરાએ કરેલી જાહેરાત મુજબ, શ્રમ તથા રોજગાર મંત્રાલય વર્તમાનમાં ભારતના કાર્યબળને શ્રેષ્ઠ સેવા આપવા માટે આઈટી સિસ્ટમને શાનદાર બનાવવાની પ્રક્રિયામાં છે. ઈપીએફઓ મેમ્બર્સને 2025માં કેટલીક શાનદાર સુવિધા મળી શકે છે. તેઓ એટીએમ દ્વારા પૈસા ઉપાડી શકશે.

શ્રમ તથા રોજગાર મંત્રાલયના સચિવ સુમિત્રા ડાવરાએ કહ્યું, અમે પીએફની આઈટી સિસ્ટમને સુધારી રહ્યા છીએ. આ પહેલા પણ અમે અનેક સુધારા કર્યા હતા. જેનાથી ક્લેમમાં તેજી આવી છે અને સેલ્ફ ક્લેમમાં વધારો થયો છે. પીએફમાંથી બિનજરૂરી પ્રક્રિયાઓને હટાવી દેવામાં આવી છે. અમારી મહત્ત્વકાંક્ષા અમારા ઈપીએફઓના આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અમારા બેંકિંગ સિસ્ટમને સમાન સ્તર પર લાવવાની છે. જાન્યુઆરી 2025માં તમને મોટા સુધારા જોવા મળશે. જ્યારે અમારી પાસે ઈપીએફઓમાં આઈટી 2.1 એડિશન હશે ત્યારે દાવેદાર, લાભાર્થી સીધા એટીએમના માધ્યમથી દાવો કરી શકશે. સિસ્ટમ વધુ એડવાન્સ થવાથી તમે કેટલાક અન્ય સુધારા જોઈ શકશો.

જાણકારી મુજબ, ઈપીએફઓ પીએફના પૈસા ઉપાડવા માટે એક નવું કાર્ડ જાહેર કરશે. જેનાથી એટીએમના માધ્યમથી સરળતાથી પૈસા ઉપાડી શકાશે. જોકે કુલ જમા રકમના 50 ટકા રૂપિયા જ ઉપાડી શકાશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના સક્રિય સબ્સ્ક્રાઈબર્સની સંખ્યા 7 કરોડથી વધારે છે.

નોકરી દરમિયાન તમે પીએફ ફંડ આંશિક કે પૂર્ણ રીતે ઉપાડવાની મંજૂરી નથી. જો તમે ઓછામાં ઓછા એક મહિનાથી બેકાર હો તો તમે પીએફ બેલેન્સના 75 ટકા સુધીની રકમ ઉપાડી શકો છો. બે મહિનાની બેરોજગારી બાદ તમે પૂરી રકમ ઉપાડી શકો છો.

December 12, 2024
thailand-flag-1280x829.jpg
1min300
Thailand country profile -

નવી દિલ્હીમાં રોયલ થાઈ એમ્બેસીએ 11/12/24, બુધવારે જાહેરાત કરી છે કે ભારતના વિઝીટર્સ માટે થાઈલેન્ડના ઈ-વિઝા ભારતમાં 1 જાન્યુઆરી, 2025થી ઉપલબ્ધ કરાવવા આવશે. થાઇલેન્ડ દૂતાવાસે એ બાબતે પણ માર્ગદર્શિત કર્યા કે ભારતીય પાસપોર્ટ ધારકો ઈ-વિઝા લઈને થાઈલેન્ડમાં 60 દિવસ સુધી રોકાણ કરી શકશે.

થાઇ એમ્બેસીના જણાવ્યા મુજબ, બિન-થાઈ નાગરિકોએ તમામ પ્રકારના વિઝા માટે https://www.thaievisa.go.th વેબસાઇટ પર અરજી કરવાની રહેશે. અરજદાર પોતે અથવા અન્ય પ્રતિનિધિઓ દ્વારા અરજી કરી શકે છે. જો કે એક વાતનું ધ્યાન રાખવું કે જો કોઈ પ્રતિનિધિ દ્વારા સબમિટ કરવામાં આવેલી અરજી અધૂરી હશે તો તેના માટે એમ્બેસી અને કોન્સ્યુલેટ જનરલ જવાબદાર રહેશે નહીં. અરજી કઈ રીતે કરવી તેની પ્રક્રિયા ઉપરની વેબસાઇટ પર જોઈ શકાય છે.

એમ્બેસીની નવી માર્ગદર્શિકામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઑફલાઇન પેમેન્ટ વિકલ્પ દ્વારા અરજી કરનારાઓએ વિઝા ફી ચૂકવવી પડશે. આ માટે સંબંધિત એમ્બેસી અને કોન્સ્યુલેટ જનરલના ઓફલાઈન પેમેન્ટ ઓપ્શન પર વિગતો આપવાની રહેશે. જો કે એ બાબત સ્પષ્ટ છે કે વિઝા ફી કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં. વિઝા પ્રક્રિયામાં ફી મળ્યાની તારીખથી લગભગ 14 કાર્યકારી દિવસો લાગી શકે છે.

થાઈલેન્ડ ભારતીય પ્રવાસીઓ માટે ખૂબ આકર્ષણનું કેન્દ્ર છે. બેંગકોક, પટાયા, ફૂકેટ, ચિયાંગ માઈ અને કોહ સમુઈ સહિતના સ્થળોએ ભારતીય પ્રવાસીઓનો ઘસારો જોવા મળે છે. વર્ષ 2019માં 20 લાખથી વધુ ભારતીય પ્રવાસીઓએ થાઈલેન્ડની મુલાકાત લીધી હતી. માત્ર કોવિડ-19ના ગાળામાં જ પ્રવાસીઓનો ધસારો ઘટ્યો હતો. પરંતુ ત્યારબાદ ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો. જો કે તેનો સીધો ફાયદો થાઈલેન્ડને થાય છે.