CIA ALERT

ઇન્ડીયા Archives - Page 16 of 209 - CIA Live

February 2, 2025
no-it-on-12-lac.png
1min205

નાણા પ્રધાન નિર્મલા સીતારામન 8મી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટમાં અત્યાર સુધીમાં અનેક મહત્ત્વની જાહેરાત કરી હતી. સૌથી મોટી જાહેરાત ઈન્કમ ટેક્સને લઈ કરી હતી. 12 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં લાગે. જો તેમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન ઉમેરવામાં આવે તો પગારદાર લોકો 12.80 લાખ રૂપિયાની આવક સુધી કોઈ ટેક્સ નહીં આપવો પડે.

નવા ટેક્સ સ્લેબની જાહેરાત કરતાં કહ્યું, આ પગલાંથી મધ્યમ વર્ગ દેશના અર્થતંત્રને મજબૂતી આપશે. અમે મધ્યમ વર્ગ પર ટેક્સ ઘટાડ્યો છે. ટીડીએસ મર્યાદામાં બદલાવ કરવામાં આવશે. સીનિયર સિટિઝનની ટીડીએસ છૂટ મર્યાદા 50 હજારથી વધારીને એક લાખ કરવામાં આવશે. ભાડાની આવક પર ટીડીએસ છૂટ મર્યાદા વધારીને છ લાખ કરવામાં આવશે.આ ઉપરાંત નોન પેન મામલે હાઈ ટીડીએસ લાગુ રહેશે. અપડેટેડ રિટર્ન દાખલ કરવાની મર્યાદા બે વર્ષથી વધારીને ચાર વર્ષ કરવામાં આવી છે.

February 1, 2025
image-1280x640.png
1min200

230 કરોડ રૂપિયાના નકલી ચાઇનીઝ લોન એપ કૌભાંડમાં EDએ ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આ બધા આરોપીઓની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના કોચી ઝોનલ ઓફિસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ચારેય આરોપીઓ અલગ અલગ કંપનીઓના ડિરેક્ટર છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર નકલી ચાઇનીઝ લોન એપ કૌભાંડના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને મોટી સફળતા મળી છે. લોન આપીને લોકોને બ્લેકમેઇલિંગના જાળમાં ફસાવનારા 230 કરોડ રૂપિયાના આ કૌભાંડમાં EDએ ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આ બધા આરોપીઓની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના કોચી ઝોનલ ઓફિસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ચારેય આરોપીઓ અલગ અલગ કંપનીઓના ડિરેક્ટર છે. ED એ ગુરુવારે આ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.

આ કેસની શરૂઆત કેરળ અને હરિયાણામાં નોંધાયેલ 11 એફઆઈઆરથી થઈ હતી. જેમાં લોકોએ ઊંચા વ્યાજ વસૂલવાના નામે ખંડણી અને બ્લેકમેઇલિંગની ફરિયાદ કરી હતી. ફેક લોન એપ ડાઉનલોડ કર્યા બાદ આરોપીઓએ લોકોના મોબાઇલ ડેટા હેક કર્યો. બાદમાં, તેમને બ્લેકમેઇલ કરવામાં આવ્યા અને તેમના બેંક ખાતાઓ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવા દબાણ કરવામાં આવ્યું. EDની તપાસમાં જાણવા મળ્યું છે કે લૂંટાયેલા પૈસા નકલી કંપનીઓના ખાતામાં મોકલીને વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ પૈસા સિંગાપોરની Nium Pte Ltdને મોકલવામાં આવ્યા હતા.

EDની તપાસમાં સામે આવ્યું છે કે સિંગાપોરના નાગરિકના આદેશ પર, આ આરોપીઓએ 400 થી વધુ નકલી ખાતાઓમાં 230.92 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા અને પછી તેને સિંગાપોરની કંપનીઓમાં ટ્રાન્સફર કર્યા હતા. આ કેસમાં, ફેબ્રુઆરી 2024માં, EDએ મુંબઈ, ચેન્નાઈ અને કોચી સહિત 10 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન EDએ મોબાઇલ ફોન, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા હતા. તે ઉપરાંત અનેક બેંક ખાતાઓમાં 123.58 કરોડ રૂપિયાની રકમ ફ્રીઝ કરવામાં આવી હતી.

February 1, 2025
gold-silver.jpeg
1min200
  • ચાંદી ઉછળીને રૂ.૯૩૦૦૦: લંડનની બેન્કમાં પડેલા સોનાની ડિલીવરી લેવા સેન્ટ્રલ બેન્કોનો ધસારો
  • વૈશ્વિક સોનું ઉછળી ૨૮૦૦ ડોલરની સપાટી પાર : આજના બજેટમાં ડયુટી વધવાની શક્યતા
    અમદાવાદ સોના-ચાદી બજારમાં આજે રેકોર્ડ તેજી વેગથી આગળ વધતાં સોનામાં નવી ઉંચી ટોચ દેખાઈ હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ વધુ ઉછળી ઔંશના ૨૮૦૦ ડોલરની ઉપર બોલાતાં તેની પાછળ ઘરઆંગણે પણ ઈમ્પોર્ટ કોસ્ટ વધુ ઉંચી ગઈ હતી અને તેના પગલે દેશના ઝવેરી બજારોમાં ભાવમાં આજે નવો ઉછાળો જોવા મળ્યો હતો. અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૦૦૦ વધી ૯૯.૫૦ના ભાવ રૂ.૮૪૮૦૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૮૫૦૦૦ની નવી ટોચને આંબી ગયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના આજે વધુ રૂ.૫૦૦ વધી રૂ.૯૩ હજાર બોલાતા થયા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૭૮૧થી ૨૭૮૨ ડોલરવાળા વધુ વધી ૨૮૦૦ ડોલરની સપાટી કુદાવી ઉંચામાં ભાવ ૨૮૦૬થી ૨૮૦૭ ડોલર સુધી પહોંચ્યાના સમાચાર મળ્યા હતા. અમેરિકાના નવા પ્રમુખ ટ્રમ્પની આક્રમક ટેરીફ નીતિના માહોલમાં વિશ્વ બજારમાં સોનામાં ફંડોની લેવાલી વધ્યાનું વિશ્વ બજારના સૂત્રોએ જણાવ્ય હતું.
સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પઁણ ઔંશના ૩૧.૧૨ વાળા ૩૧.૬૮ ડોલર રહ્યા હતા. દરમિયાન, ઘરઆંગણે કેન્દ્રના નાણાંપ્રધાને ગયા વર્ષે બજેટમાં સોનાની ઈમ્પોર્ટ ડયુટીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો જ્યારે શનિવારે (આજે) રજૂ થનારા બજેટમાં નાણાંપ્રધાન કદાચ સોનાની ઈંમ્પોર્ટ ડયુટી વધારશે એવી શકયતા આજે ઝવેરી બજારમાં ચર્ચાઈ રહી હતી.

દરમિયાન વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશના વધી ૯૮૩ ડોલર તથા પેલેડીયમના ભાવ વધી ૯૯૨ ડોલર રહ્યા હતા. જો કે વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૭૨ ટકા ઘટયા હતા વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. યુએસ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૭૩.૪૯ તથા નીચામાં ૭૨.૪૯ થઈ ૭૨.૬૩ ડોલર રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ ઉંચામાં ૭૭.૫૧ તથા નીચામાં ૭૬.૪૮ થઈ ૭૬.૬૫ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ વધી જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૮૧૭૫૭ જ્યારે ૯૯.૯૦ના રૂ.૮૨૦૮૬ રહ્યા હતા મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂ.૯૩૫૫૩ બોલાયા હતા.

દરમિયાન, અમેરિકામાં ટ્રમ્પ સરકારે ટેરીફ વૃદ્ધીના સંકેતો આપતાં બ્રિટનમાં બેન્ક ઓફ ઈંગ્લેન્ડમાં વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોનું જે સોનું પડયું છે એ સોનું બહાર લઈ જવાના પ્રયાસો શરૂ થયા છે તથા આ માટે વેઈટિગ પિરીયડ જે અગાઉ અમુક દિવસોનું જ રહેતું હતું તે હવે વધી ૪ સપ્તાહનું થઈ ગયાના સમાચાર મળ્યા હતા.

January 29, 2025
image.png
1min183

મહાકુંભ મેળામાં મૌની અમાસના સ્નાન પર્વ પર ભીડ વધવાથી નાસભાગ મચી ગઈ હતી. આ દુઃખદ ઘટનામાં 10થી વધુ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યાં હોવાની આશંકા છે. જ્યારે અન્ય ઘણાં ઘાયલ હોવાની જાણકારી મળી રહી છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. એટલે મૃતકાંક પણ વધવાની શક્યતા છે. માહિતી અનુસાર મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સેન્ટ્રલ મેડિકલ કોલેજ મહાકુંભમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોની ટીમ તેમની સારવારમાં લાગી હતી. ગંભીર રીતે ઘાયલ લોકોને વધુ સારવાર માટે હાયર સેન્ટરમાં પણ રેફર કરવામાં આવ્યા હતા.

મહાકુંભ મેળાના OSD આકાંક્ષા રાણાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે સંગમ પર ભીડનું દબાણ વધવાથી આ ઘટના બની હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. જો કે, ઘાયલોની સંખ્યા વધુ હોવાથી મૃતકાંક હજુ વધી શકે છે, જેના કારણે તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જાણકારી અનુસાર આ નાસભાગ એક અફવાને કારણે મચી હતી.

નાસભાગની ઘટના બાદ આજનો અમૃત સ્નાન રદ કરવામાં આવ્યો હતો. પરંતુ પછીથી અખાડા પરિષદના અધ્યક્ષ રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે અખાડાઓએ બેઠક સ્નાન ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. પરિસ્થિતિ સામાન્ય થયા બાદ અમૃત સ્નાન ફરી શરૂ કરવામાં આવ્યો. આ ઘટનાને પગલે મેળામાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે. ભીડને નિયંત્રિત કરવા માટે વધારાના પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે અને શ્રદ્ધાળુઓને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા નાસભાગની ઘટના બાદ વહીવટીતંત્રની વિનંતી પર તમામ 13 અખાડાઓએ આજે​ મૌની અમાસના અમૃત સ્નાનને રદ કરી દીધું હતું. અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે, સંગમ કિનારે ભારે ભીડને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પીએમ મોદીએ સીએમ યોગી સાથે ફોન પર વાત કરી. તેમણે ઘટના વિશે માહિતી મેળવી.

January 20, 2025
niraj-chopra.jpeg
1min372

ભારતના ગોલ્ડન બોય અને ટોક્યો ઓલંપિકમાં ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાએ (Neeraj Chopra) પ્રભુતામાં પગલાં પાડ્યાં છે. નીરજ ચોપડાએ ઇન્સ્ટાગ્રામ પર લગ્નની ત્રણ તસવીરો શેર કરી છે. આમાં તે તેમની પત્ની સાથે જોવા મળ્યા. નીરજે કેપ્શનમાં લખ્યું- મારા પરિવાર સાથે જીવનનો એક નવો અધ્યાય શરૂ કર્યો. નીરજે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, અમને આ ક્ષણ સુધી એકસાથે લાવનાર દરેક આશીર્વાદ માટે આભારી. પ્રેમથી બંધાયેલા અને હંમેશા માટે ખુશ.

નીરજ ચોપરા લગ્ન કરી લીધા છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. નીરજની પત્નીનું નામ હિમાની છે. નીરજે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની પત્ની હિમાની સાથે મંડપમાં બેઠેલી લગ્નની તસવીર શેર કરી. જેમાં પરિવારના થોડા જ સભ્યો જોવા મળ્યા હતા. તેમણે તેની માતા સાથેનો એક ફોટો પણ શેર કર્યો.

January 18, 2025
budget25.jpg
1min245

દેશમાં સંસદનું બજેટ સત્ર(Budget Session)31 જાન્યુઆરીથી પ્રારંભ થશે. બજેટ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિનું અભિભાષણ થશે અને 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ સત્ર હશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજો તબક્કો 10 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્ર દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું આઠમું બજેટ રજૂ કરશે. આ વખતે પણ નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે.

દેશની અઢારમી લોકસભાનું આ ચોથું સત્ર હશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. આ અગાઉ ગયા વર્ષે યોજાયેલા શિયાળુ સત્રમા હંગામો જોવા મળ્યો હતો. શિયાળુ સત્રના પહેલા ચાર દિવસ માટે ગૃહની કાર્યવાહી સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવી હતી.

આ સમયગાળા દરમિયાન, સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક પછી આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. બજેટ સત્રનો બીજો તબક્કો 10 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલશે. સત્ર દરમિયાન દિલ્હી ચૂંટણીના દિવસે 5 ફેબ્રુઆરીએ સંસદમાં કોઈ કાર્યવાહી થશે નહીં. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા 3 ફેબ્રુઆરીથી શરૂ થશે.

January 18, 2025
sanchar-saathi.jpg
1min216

ટેલિકોમ વિભાગે સાયબર ફ્રોડને રોકવા માટે નવી જ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશન મારફત મોબાઈલ પરથી ઓનલાઈન ફ્રોડ સંબંધિત છેતરપિંડીથી લઈને ફોન ગૂમ થવા મુદ્દે ફરિયાદ દાખલ કરી શકાશે, એમ સરકાર દ્વારા દાવો કરવામાં આવે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ નાણાકીય વ્યવહાર આખી દુનિયામાં સૌથી વધુ ક્યાંય થયો હોય તો તે આપણું ભારત છે, પરંતુ જેમ જેમ લોકો ડિજિટલ વ્યવહારો કરવા લાગ્યા છે તેમતેમ છેતરપિંડી પણ વધવા લાગી છે. મધ્યમવર્ગના માનવી તો આવી છેતરપિંડીમાં આખી જિંદગીની કમાણી ગુમાવી બેસે છે. આજકાલ ‘ડિજિટલ અરેસ્ટ’ અને તેના જેવા અનેક ‘સાયબર ફ્રોડ’ સોશિયલ મીડિયાના માધ્યમથી થતા હોવાની ફરિયાદો વધી જતાં સરકારે પણ તેના પર લગામ તાણવા માટે નક્કર તૈયારીઓ કરી છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ લોકોની સુવિધા માટે ‘સંચાર સાથી’ એપ લોન્ચ કરી છે. આ એપ દ્વારા ઓનલાઈન છેતરપિંડીથી લઈને ફોન ખોવાઈ જવા સુધીની ફરિયાદો મોબાઈલ પર જ નોંધાવી શકાય છે. આ એપ લોન્ચ થવાથી રિપોર્ટિંગની પ્રક્રિયા સરળ બની ગઈ છે.

તમને જણાવી દઈએ કે અગાઉ ફોન ચોરી અને નકલી કોલની ફરિયાદ કરવા માટે સંચાર સાથીની વેબસાઈટ પર જવું પડતું હતું. જો કે હવે મોબાઈલ ફોન દ્વારા પણ જાણ કરી શકાશે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સંચાર સાથી એપના લોન્ચ દરમિયાન કહ્યું કે આ એપ દ્વારા દેશના લોકો સુરક્ષિત રહેશે અને ગુપ્તતા જળવાઈ રહેશે.

અન્ય કોઈ પણ એપની જેમ સંચાર સાથી પણ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર જઈને ડાઉનલોડ કરી શકાય છે. આ એપ પર જઈને તમે જાણી શકો છો કે તમારા નામે કેટલા કનેક્શન ખોટી રીતે લેવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે તે કનેક્શન્સને બ્લોક પણ કરી શકાય છે. આ સિવાય એપ પર જઈને ફોન ખોવાઈ જવા કે ચોરાઈ જવાનો રિપોર્ટ નોંધાવી શકાય છે. આમાં ઉપકરણને ટ્રેક કરી શકાય છે તેમ જ ફેક મેસેજ અને કોલની ફરિયાદ પણ કરી શકાય છે.

તમને જણાવી દઈએ કે સંચાર સાથી પોર્ટલ બે વર્ષ પહેલા એટલે કે ૨૦૨૩માં લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે એપ રજૂ કરવામાં આવી છે. વધુને વધુ લોકો તેનો ઉપયોગ કરીને પોતાને સુરક્ષિત રાખી શકશે.

January 16, 2025
saif.png
1min261

Saif ali khan admit at leelawati Hospital | જાણીતા ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર ચપ્પાં વડે હુમલો કરી દેવાની ચકચારી ઘટના સામે આવી છે. આ હુમલામાં અભિનેતા સૈફ અલી ઇજાગ્રસ્ત થયો હતો. માહિતી અનુસાર સૈફના ઘરમાં મોડી રાતે ચોર ઘૂસી ગયો હતો. આ ચોરીની ઘટના બાંદ્રાવાળા બંગ્લોમાં બની હતી. જે દરમિયાન એક ચોરે સૈફ અલી ખાન પર હુમલો કરી દીધો હતો. જેમાં તે ઈજાગ્રસ્ત થયા. હાલમાં તેમની લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડૉક્ટરોએ કહ્યું કે તેને ગળાના ભાગે 10 સેમી.નો ઘા પડી ગયો છે. જોકે તે હજુ ખતરાથી બહાર છે. તેને પીઠ અને હાથ ઉપર પણ ઈજાઓ થઈ છે.

માહિતી અનુસાર આ ઘટના સવારે 3 વાગ્યે બની હતી. એક ચોર સૈફના ઘરમાં ઘૂસી આવ્યો હતો. આ દરમિયાન અમુક નોકર ઊંઘમાંથી ઊઠી એલર્ટ થઈ ગયા અને ચોર ચોરની બૂમ પાડવા લાગ્યા. તે સમયે સૈફ અલી પણ ઊંઘમાંથી જાગી ગયો અને ચોરને પકડવા દોડ્યો હતો. આ દરમિયાન ચોરે સૈફ પર ચપ્પાં વડે હુમલો કરી દીધો જેમાં સૈફ ઈજાગ્રસ્ત થયો હતો. સૈફ અલી ખાનની ટીમના જણાવ્યાનુસાર હાલમાં સૈફ અલી ખાનની સર્જરી ચાલી રહી છે. તેને બે ત્રણ ઈજાઓ થઈ છે જેમાંથી ગળાના ભાગે લાંબો ચીરો પડી ગયાની માહિતી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કાર્યવાહી કરતાં ઘરના અમુક કર્મચારીઓની અટકાયત કરી હતી અને તેમની પૂછપરછ શરૂ કરી હતી. મળતી માહિતી અનુસાર હજુ 3 લોકોની આ મામલે અટકાયત કરવામાં આવી છે. પોલીસ પૂછપરછ કરવા માટે આ લોકોને સાથે લઈ ગઈ છે.

જ્યારે આ ઘટના વિશે ઘરના નોકર અને સભ્યોને જાણકારી મળી તો તેઓ ડરી ગયા અને ઉતાવળે સૈફને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. તેમને લીલાવતી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. હાલ તેમને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. જોકે ઘટના બાદથી ચોર ફરાર થઇ ગયા હતા. મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમને ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને ચોરને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા હતા.

January 9, 2025
hmpv.jpg
5min290
  • 1. એચએમપી વાઇરસ એટલે?

એચએમપી વાઇરસ એટલે હ્યુમન મેટાન્યૂમો વાઇરસ. યુએસ સેન્ટર્સ ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન અનુસાર આ વાઇરસ શ્વસન સંવેદનાત્મક વાઇરસ (RSV) સાથે ન્યુમોવિરિડે પરિવારનો છે.

નિષ્ણાતોનું કહેવું છે કે આ વાઇરસ 200 થી 400 વર્ષ પહેલાં પક્ષીઓમાંથી પેદા થયો હતો. પરંતુ ત્યારથી આ વાઇરસ વારંવાર વિકસિત થઈ રહ્યો છે. હાલમાં પક્ષીઓ આ વાઇરસથી સંક્રમિત નથી.

  • 2. એચએમપી વાઇરસ શું છે?

હ્યુમન મેટાન્યૂમો વાઇરસ(એચએમપી વાઇરસ)ની પ્રથમ ઓળખ 2001માં નૅધરલૅન્ડ્સમાં થઈ હતી. જેના કારણે લોકોને તાવ, ઉધરસ, નાક બંધ થવું અને કેટલાકને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઇ હતી. જેમ આ વાઇરસની અસર વધે છે તેમ દર્દીઓમાં તે બ્રૉન્કાઇટિસ અથવા ન્યુમોનિયાનું કારણ બની શકે છે. નાનાં બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો આનાથી વધુ અસરગ્રસ્ત થઈ શકે છે.

  • 3. ભારતમાં કેટલા કેસ નોંધાયા છે?

ભારતમાં હ્યુમન મેટાન્યૂમો વાઇરસ(એચએમપીવી)ના અત્યાર સુધીમાં ત્રણ કેસ નોંધવામાં આવ્યા છે. બેંગલુરુમાં નિયમિત પરીક્ષણોમાં ICMRને બે કેસ મળી આવ્યા હતા. જ્યારે ગુજરાતનાં આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં બે મહિનાના બાળકમાં આ વાઇરસનાં લક્ષણો દેખાયાં છે.

  • 4. HMP વાઇરસનાં લક્ષણો શું છે?

તાવ
ખાંસી, બંધ નાક
ગળામાં તકલીફ
શ્વાસ લેવામાં તકલીફ
બ્રૉન્કાઇટિસ અથવા ન્યુમોનિયાનું જોખમ

  • 5. શું HMP વાઇરસ નવો છે?

દિલ્હીની શ્રી ગંગારામ હૉસ્પિટલના બાળરોગ વિભાગના ડૉ. સુરેશ ગુપ્તાએ પીટીઆઈને જણાવ્યું કે “HMP વાઇરસ નવો નથી. છેલ્લાં 20 વર્ષથી લોકો આ વાઇરસથી વાકેફ છે અને શિયાળા દરમિયાન આ ચેપના કેસ નોંધાય છે. આ ફ્લૂના વાઇરસ જેવો જ છે.”

  • 6. HMP વાઇરસની ઓળખ ક્યારે થઈ?

આ વાઇરસની માણસોમાં પ્રથમવાર ઓળખ 2001માં થઈ હતી
યુએસ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન(સીડીસી) એ જણાવ્યું કે “આ વાઇરસની માણસોમાં પ્રથમવાર ઓળખ 2001માં થઈ હતી.”

  • 7. શું HMP વાઇરસ કોરોના સમાન છે?

નિપાહ અને અન્ય ચેપી રોગ માટે બનેલા કેરળનાં વન હેલ્થ સેન્ટરના નોડલ ઑફિસર ડૉ. ટી.એસ. અનીશે જણાવ્યું હતું કે “એચએમપી વાઇરસ અને કોવિડ-19 બંને અલગ છે.”

“કોવિડ-19 એક નવો જ વાઇરસ હતો. આ કારણોસર કોઈપણ વ્યક્તિમાં તેનો સામનો કરવાની પ્રતિરોધ ક્ષમતા નહતી.

અહેવાલ પ્રમાણે તબીબી નિષ્ણાતો કહે છે કે એચએમપી વાઇરસ રોગચાળો ફાટી નીકળશે એવી ચિંતા કરવાની જરૂર નથી. એવું કહેવાય છે કે તે કોરોના જેવી નવી બીમારી નથી અને તે કોઈ અસાધ્ય રોગ પણ નથી.

જો કે માનવ મેટાન્યુમો વાઇરસ અને કોવિડ-19 બંને ચેપી છે અને શ્વસનતંત્રને અસર કરે છે. બંનેની વિશેષતાઓ સમાન છે. બંને વાઇરસ એક જ રીતે ફેલાઇ છે. કોવિડ-19થી વિપરીત એચએમપી વાઇરસની સારવાર માટે કોઈ ઍન્ટિવાયરલ થેરાપી અથવા રસીનું નિર્માણ નથી થયું.

કોવિડ-19થી વિપરીત એચએમપી વાઇરસ સિઝનમાં જ આવે છે. આ રોગનાં લક્ષણો શિયાળા અને વસંતમાં જોવાં મળે છે.

અભ્યાસોએ દર્શાવ્યું છે કે, કોવિડ-19 પછી કેટલાક દેશોમાં એચએમપી વાઇરસના કેસોમાં ત્રણ ગણો વધારો થયો છે. જ્યારે કોવિડ-19 નિવારણનાં પગલાં અમલમાં હતાં ત્યારે લોકો આ પ્રકારના શ્વસન રોગોથી પ્રભાવિત થતા નથી. પરંતુ આ પગલાં હળવા થયા પછી એચએમપીવી જેવા શ્વસન રોગો બહાર દેખાવા માંડ્યા.

ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજ, વેલ્લોરના ડૉ. ગગનદીપ કાંગે જણાવ્યું હતું, “પાંચ વર્ષની ઉંમર બાદ બાળકને આ વાઇરસ સામે સંપૂર્ણ રોગપ્રતિકારક શક્તિ મળે છે.”

‘ખેતરોમાં સાત ફૂટ પાણી ભરાઈ ગયું’ – રાજસ્થાનમાં જમીનમાંથી ખરેખર સરસ્વતી નદી નીકળી?

  • 8. શું HMP વાઇરસ જીવલેણ છે?

આ વાઇરસ વિશે જાતજાતની વાતો થાય છે. આની ઓળખ 15 થી 16 વર્ષ પહેલાં થઈ હતી. જાણીતા વાઇરોલૉજિસ્ટ ડૉ. વી. રવિએ જણાવ્યું હતું, “આ એક મોસમી ચેપ છે.” તેમણે કહ્યું,”તે ઇન્ફલ્યુએન્ઝાના કેસ સાથે પણ જોવા મળે છે. બાળકોને મોટે ભાગે આનો ચેપ લાગે છે.”

આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક અતુલ ગોયલે જણાવ્યું,” એચએમપી વાઇરસ એ એક સામાન્ય વાઇરસ છે જે ભારતમાં શરદી અને ફ્લૂ જેવાં લક્ષણોનું કારણ બને છે. આમાં ડરવાની કોઈ જરૂર નથી. આ એક સામાન્ય વાઇરસ છે જે શ્વસન સંબંધી સમસ્યાઓનું કારણ બને છે અને હળવા ગુણધર્મો ધરાવે છે. દેશની હૉસ્પિટલો મોસમી રોગોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.”

  • 9. એચએમપી વાઇરસ કેવી રીતે ફેલાય છે?

એચએમપી વાઇરસ એક ચેપી રોગ છે. તે ખાંસી અને છીંકથી મોંમાંથી નીકળતી લાળ દ્વારા ફેલાય છે.

તે હાથ મિલાવવાથી, આલિંગન અથવા તો એકબીજાને સ્પર્શ કરવાથી પણ ફેલાય છે.

આ વાઇરસ ચહેરા, નાક, આંખો અને મોંને સ્પર્શ કરેલા હાથ વડે પણ ફેલાય છે. જ્યારે ખાંસી અથવા વહેતા નાકને લીધે લાળ બહાર આવી જાય છે.

    1. એચએમપી વાઇરસ સાથેનો મૃત્યુદર શું છે?

CDC નોંધે છે કે જે લોકો પહેલાથી જ અન્ય રોગો ધરાવતા હોય તેમને એચએમપી વાઇરસ સાથે બીજા અન્ય વધારાના ચેપ મૃત્યુ તરફ દોરી જઇ શકે છે.

2021 માં લેન્સેટ ગ્લોબલ હેલ્થ જર્નલમાં પ્રકાશિત થયેલા એક લેખના ડેટા અનુસાર , પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં તીવ્ર શ્વસન ચેપથી થતાં મૃત્યુમાં એચએમપી વાઇરસનો હિસ્સો એક ટકા છે.

    1. એચએમપી વાઇરસ ચેપ સામે રોગપ્રતિકારકતા કેવી રીતે વધારવી?

સિંગાપોરમાં ચેપી રોગોના ચિકિત્સક સુ લી યાંગે જણાવ્યું હતું કે, એચએમપીવી કોઈ નવો વાઇરસ નથી અને તે દાયકાઓથી છે.

એવું બહાર આવ્યું છે કે ભૂતકાળમાં લેવામાં આવેલાં પગલાંને લીધે વિશ્વભરના તમામ લોકોમાં આ વાઇરસનો સામનો કરવા માટેની રોગપ્રતિકારક શક્તિ રહેલી જ છે.

    1. HMP વાઇરસનાં લક્ષણો કેટલા દિવસ દેખાય?

આ વાઇરસનો ઇન્ક્યુબેશન પિરિયડ સામાન્ય રીતે ત્રણથી છ દિવસનો હોય છે. બીમારી ટૂંકા ગાળાની અથવા લાંબા ગાળાની હોઈ શકે છે. તેનો આધાર ચેપની તીવ્રતા પર રહેલો છે.

  1. કઈ સાવચેતી રાખવી જોઈએ?

જાહેર અને ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરો
નિયમિતપણે હાથ ધોવા
જેઓ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે અને સરળતાથી બીમાર થઈ જાય છે તેઓએ વધારે બહાર ન ફરવું
ફ્લૂની રસી મેળવવી

  1. સાજા થવામાં કેટલા દિવસો લાગશે?

જો વાઇરસનાં લક્ષણો ગંભીર ન હોય તો એચએમપી વાઇરસ માંથી સ્વસ્થ થતા રીતે એક બે અઠવાડિયાનો સમય લાગે છે. જોકે, ખાંસી ઓછી થવામાં થોડો વધુ સમય લાગી શકે.

January 9, 2025
tirupati-stampede.png
1min280

આંધ્રપ્રદેશના સુવિખ્યાત તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર ટિકિટ કેન્દ્રો પાસે ધક્કામુક્કીમાં 6 શ્રદ્ધાળુઓના મોત થયા છે. ગઇકાલ સવારથી જ હજારો શ્રદ્ધાળુ વૈકુંઠ દ્વારા દર્શન માટે જુદાં-જુદાં ટિકિટ કેન્દ્રો પર લાઇનમાં ઊભા હતા. આ ઘટના તે સમયે બની જ્યારે શ્રદ્ધાળુઓને વૈરાગી પટ્ટીડા પાર્કમાં લાઇન લગાવવાની મંજૂરી આપવામાં આવી હતી. વૈકુંઠ દ્વારા દર્શન દસ દિવસ માટે ખોલવામાં આવ્યા છે. તેના લીધે ટોકન માટે લોકો હજારોની સંખ્યામાં લાઇન લગાવે છે.

મંદિરમાં ધક્કામુક્કીના લીધે અફડાતફડી મચી ગઈ, તેમા 6ના મોત થયા અને અનેક ઘાયલ થયા છે. તેમા મલ્લિકા નામની મહિલા પણ સામેલ છે. પરિસ્થિતિ બગડતી જોઈને પોલીસે મોરચો સંભાળ્યો અને પરિસ્થિતિ અંકુશમાં લાવી હોવાનું જણાવાયું છે. દર્શન માટેના ટોકનની લાઇનમાં લગભગ ચાર હજાર લોકો હતા. મંદિર સમિતિના ચેરમેન બીઆર નાયડુએ તાત્કાલિક બેઠક યોજી હતી. સીએમ ચંદ્રાબાબુ નાયડુએ આ ઘટનાને લઈને શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે મૃતકોના સંબંધીઓને દિલસોજી પાઠવી છે અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર પૂરી પાડવા આદેશ આપ્યા છે.
40થી વધુ ઈજાગ્રસ્ત થયા…

આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગને કારણે 6 લોકોના મોત થયા છે. નાસભાગને કારણે 40 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં 6ની હાલત ગંભીર જણાવાઈ રહી છે જેના લીધે મૃતકાંક વધી શકે છે. અકસ્માત પર દુઃખ વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે હું આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં બનેલી નાસભાગની ઘટનાથી દુખી છું. મારી સહાનુભૂતિએ લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. આંધ્રપ્રદેશ સરકાર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે.