CIA ALERT

ગુજરાત Archives - Page 2 of 149 - CIA Live

June 23, 2025
image-14.png
4min70

પંજાબ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને કેરળની પાંચ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થવાનું શરૂ થઈ ગયું છે. મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થઈ ચૂકી છે. ગુરુવારે (19 જૂન) શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. ચૂંટણી પંચે આજે મતગણતરી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. ત્યારે કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણીના પરિણામ જાહેર થવાનું શરૂ થઇ ગયું છે. આ બંને બેઠકોનું પરિણામ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના નેતાઓની કારકિર્દી પણ નક્કી કરશે. રાજકીય પંડિતો અનુમાન લગાવી રહ્યાં છે કે, જો પરિણામ બદલાશે તો ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર અસર થઇ શકે છે. ભાજપ,કોંગ્રેસ અને આપે જીતના દાવા કર્યાં છે ત્યારે કડી કરતાં વિસાવદર બેઠક પર કોણ બાજી મારે છે તેના પર સૌની નજર મંડાઇ છે.

રાઉન્ડ 14: આપે જંગી લીડ મેળવી, ગોપાલ ઇટાલિયા 12000 વોટથી આગળ

વિસાદરમાં આપના ઉમેદવાર સતત આગળ ચાલી રહી છે. 12મા રાઉન્ડના અંતે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા 12000 મતોની જંગી લીડ મેળવી લીધી છે. આપે 50676 મત મેળવ્યા છે, જ્યારે ભાજપે 40042 અને કોંગ્રેસને 4133 વોટ મળ્યા છે. મત ગણતરી સ્થળ પર કાર્યકર્તાઓનો જમાવડો જામ્યો છે.

રાઉન્ડ 13: ગોપાલ ઇટાલિયા વિસાવદર ગઢ જીતશે, કડીમાં આપ નબળી પડી

13માં રાઉન્ડ પછી વિસાવદરમાં આમ આદમી પાર્ટીના કુલ વોટ 47095 થઈ ગયા છે જ્યારે ભાજપના 37417 છે. એટલે કે ગોપાલ ઈટાલિયા 9 હજાર જેટલા વોટની લીડ સાથે જીત તરફ આગળ વધી રહ્યા છે જેના કારણે ભાજપમાં ચિંતા ઊભી થઇ છે. જ્યારે કડીમાં 12મા રાઉન્ડના અંતે ભાજપ 27478 વોટ સાથે જીત તરફ છે.

રાઉન્ડ 12: કડીમાં આપે હાર સ્વીકારી, જાણો વિસાવદરની સ્થિતિ?

કડી-વિસાવદરની પેટા ચૂંટણીની મતગણતરીનો 12મો રાઉન્ડ પૂર્ણ થતાં કડીમાં આપના ઉમેદવાર જગદીશ ચાવડાએ હાર સ્વીકારી છે, જ્યારે ભાજપ 27478 વોટથી આગળ છે. તો બીજી તરફ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા 7232થી આગળ છે. વિસાવદરમાં આપને 42450 વોટ મળ્યા છે, જ્યારે ભાજપને 35218 અને કોંગ્રેસને 3855 મળ્યા છે.

રાઉન્ડ 10: કડીમાં ભાજપ આગળ, વિસાવદર આપ આગળ

દસમા રાઉન્ડની મતગણતરીના અંતે કડીમાં ભાજપ 15,790 મતોથી આગળ છે, જ્યારે વિસાવદરમાં આપ 4181 મતોથી આગળ ચાલે છે

વિસાવદરમાં આપને 34781, ભાજપને 30600 જ્યારે કોંગ્રેસને માત્ર 3458 વોટ મળ્યા છે. કડીમાં 10માં રાઉન્ડના અંતે ભાજપ 15,790 મતથી આગળ

રાઉન્ડ 9: વિસાદરમાં આપનો દબદબો યથાવત, ગોપાલ ઇટાલિયા આગળ

વિસાવદરમાં 9 રાઉન્ડની ગણતરી પૂર્ણ થઇ છે, છેલ્લા રાઉન્ડમાં આપ લીડ મેળવવામાં સફળતા મેળવી છે.

નવમા રાઉન્ડના અંતે ભાજપને 28310 વોટ, કોંગ્રેસને 3157 વોટ જ્યારે આપને 30788 મળ્યા છે.

નવમા રાઉન્ડના અંતે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા 2478 મતથી આગળ ચાલી રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં ધોધમાર વરસાદ, આજે આ જિલ્લામાં યેલો એલર્ટ

રાઉન્ડ 8: વિસાવદરમાં બાજી પલટાઇ

વિસાવદરમાં આઠમા રાઉન્ડના અંતે આપ માટે રાહતના સમાચાર મળ્યા છે, સતત આગળ ચાલી રહેલા ભાજપને માત આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ 702 મતોથીએ આગળ નીકળી ગયા છે.

રાઉન્ડ 7: જાણો કડી-વિસાવદરમાં ભાજપ-આપની સ્થિતિ?

સાતમા રાઉન્ડની મતગણતરીના અંતે કડીમાં ભાજપ 13194 મતોથી આગળ છે, જ્યારે વિસાવદરમાં આપ 985 મતોથી આગળ ચાલે છે

કડીમાં છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપે 29870, કોંગ્રેસ 16675 અને આપને 891 મત મળ્યા છે, જ્યારે વિસાવદરમાં આપને 22235, ભાજપને 23220 જ્યારે કોંગ્રેસને 2104 વોટ મળ્યા છે.

રાઉન્ડ 6: જાણો કડી-વિસાવદરની સ્થિતિ?

વિસાવદર-કડીમાં પેટા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. 6 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઇ ગઇ છે.

છઠ્ઠા રાઉન્ડની મતગણતરીના અંતે કડીમાં ભાજપ 12,000 મતોથી આગળ છે, જ્યારે વિસાવદરમાં આપ 462 મતોથી આગળ ચાલે છે

કડીમાં છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપે 26005, કોંગ્રેસ 14047 અને આપને 795 મત મળ્યા છે, જ્યારે વિસાવદરમાં આપને 19053, ભાજપને 19515 જ્યારે કોંગ્રેસને માત્ર 1800 વોટ મળ્યા છે.

રાઉન્ડ 5: વિસાવદરમાં સતત ઉથલ-પાથલ

વિસાવદરમાં પાંચમા રાઉન્ડના અંતે ભાજપ 980 મતોથી આગળ, જ્યારે કડીમાં પાંચમા રાઉન્ડના અંતે ભાજપે મજબૂત લીડ મેળવી છે.

વિસાવદરમાં પાંચમા રાઉન્ડમાં પાંચમા રાઉન્ડના અંતે ભાજપને 168881 વોટ મળ્યા, કડીમાં પાંચમા રાઉન્ડના અંતે રાજેન્દ્ર ચાવડા 10,447 વોટથી આગળ છે.

વિસાવદરમાં પાંચમા રાઉન્ડમાં પાંચમા રાઉન્ડના અંતે આપના ગોપાલ ઇટાલિયાને 15901 વોટ મળ્યા

રાઉન્ડ 4: કડી-વિસાવદરમાં શું છે સ્થિતિ?

કડીમાં ચોથા રાઉન્ડ બાદ પણ ભાજપને સતત લીડ, રાજેન્દ્ર ચાવડા 6811 વોટથી આગળ રહ્યા. જ્યારે વિસાવદરમાં પણ ભાજપે ચોથા રાઉન્ડમાં લીડ જાળવી રાખી.

રાઉન્ડ 3: કડી-વિસાવદરમાં ભાજપની મજબૂત સ્થિતિ

વિસાવદરમાં ત્રીજા રાઉન્ડના અંતે ભાજપને રાહત સમાચાર મળ્યા છે.

વિસાવદરમાં ત્રીજા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ 150 મતથી ગોપાલ ઇટાલિયાને માત આપી આગળ નીકળી ગયા છે.

ત્રીજા રાઉન્ડમાં આપના ગોપાલ ઇટાલિયાન 150 મત પાછળ છે. જ્યારે કડીમાં ત્રીજા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા 5752 વોટથી આગળ છે.

રાઉન્ડ 2: જાણો ભાજપ-આપ અને કોંગ્રેસની સ્થિતિ?

બીજા રાઉન્ડના અંતે વિસાવદરમાં ગોપાલ ઈટાલિયને 7719 વોટ સાથે લીડ

ભાજપના કિરીટ પટેલ 6788 વોટ સાથે બીજા ક્રમે

જ્યારે કડીમાં ભાજપના રાજેન્દ્ર કુમાર ચાવડા 8232 વોટ સાથે બીજા રાઉન્ડમાં આગળ, કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડા કરતા બમણી લીડ

પ્રથમ રાઉન્ડના અંતે શું છે સ્થિતિ?

પ્રથમ રાઉન્ડના અંતે કડીમાં ભાજપના રાજેન્દ્ર કુમાર 4233 વોટથી આગ, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડા 2691 વોટ સાથે બીજા ક્રમે. જ્યારે વિસાવદરમાં પ્રથમ રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા 4042 વોટ સાથે આગળ ચાલી રહ્યા છે. જ્યારે ભાજપના કિરીટ પટેલ 3097 વોટ સાથે બીજા ક્રમે છે. આ આંકડા ચૂંટણીપંચે જાહેર કર્યા હતા.

ગુજરાતની કડી વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણી માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. સૌ પ્રથમ, પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 19 જૂને ગુજરાતની વિસાવદર અને કડી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન યોજાયું હતું.

ગુજરાતની વિસાવદર અને કડી વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં અનુક્રમે 54.61 ટકા અને 54.49 ટકા મતદાન થયું હતું. આપના ભૂપેન્દ્ર ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા બાદ વિસાવદર બેઠક ખાલી પડી હતી. ભાજપે કિરીટ પટેલ, કોંગ્રેસના નીતિન રાણપરિયા અને આપના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. બીજી તરફ, કડી એ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે જે ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીના અવસાન બાદ ખાલી પડી હતી. ભાજપે રાજેન્દ્ર છાબડા, કોંગ્રેસે રમેશ છાબડા અને આપના જગદીશ છાબડાને ઉમેદવાર બનાવ્યા છે.

June 23, 2025
image-10.png
1min68

રાજ્યને ગ્લોબલ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું પાવર હાઉસ બનાવવાની નેમ

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી-૨૦૨૫
(જીઈસીએમએસ-2025) જાહેર કરી હતી. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતને વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું પાવર હાઉસ બનાવવાનો છે. આ પોલિસીને પગલે ગુજરાતમાં રૂ.35 હજાર કરોડનું નવું જંગી મૂડીરોકાણ થાય તેવી શક્યતાઓ જોવાય રહી છે. આ નીતિની મુખ્ય વિશેષતા એ છે કે કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા મંજૂર અને સહાય પ્રાપ્ત એકમોને ગુજરાતમાં પણ કેન્દ્રીય ધોરણે ૧૦૦ ટકા સહાય પ્રોત્સાહન મળશે. આનો અર્થ એ થાય કે ગુજરાતમાં સ્થપાનારા મેઈટીની મંજૂરી પ્રાપ્ત પ્રોજેક્ટ્સને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમ બંને તરફથી બેવડા પ્રોત્સાહનનો લાભ મળી શકશે.

કેન્દ્રની સહાય ચૂકવાયાના મહિનાની અંદર સહાય ચૂકવાશે

આ જીઈસીએમએસ-2025 પોલિસી કેન્દ્ર સરકારની ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ (ઈસીએમએસ) ને સંપૂર્ણપણે સુસંગત છે અને ૧૦૦ ટકા ટોપ-અપ અનુસરણ કરીને ઓછામાં ઓછા સમયમાં સહાય પ્રોત્સાહન ઉપલબ્ધ કરાવશે. એકવાર મેઈટી Ministry of Electronics and Information Technology (MeitY)જીઈસીએમએસ હેઠળ પ્રોજેક્ટ મંજૂર થયા પછી, રાજ્યમાં સ્થપાનારા પ્રોજેક્ટ્સ આપમેળે સમાન ગ્રાન્ટ-સહાયપાત્ર બનશે. કેન્દ્ર સરકાર દ્વારા સહાય ચૂકવાયાના ૩૦ દિવસની અંદર રાજ્ય સરકાર દ્વારા પણ પ્રોત્સાહન સહાય ચૂકવી દેવામાં આવશે.

ગુજરાત દેશના ઔદ્યોગિક વિકાસના લેન્ડસ્કેપમાં મેન્યુફેક્ચરિંગ હબ અને ઓટો હબ તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે. રાજ્યમાં ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ પણ કાર્યરત છે, ત્યારે આ નવી પોલિસી અપસ્ટ્રીમ ઉદ્યોગને પણ વેગ આપશે. આના પરિણામે આયાત પરની નિર્ભરતા ઘટશે અને ટેકનોલોજીકલ રેઝિલીયન્સમાં વધારો થશે. આ પોલિસી દ્વારા રાજ્યમાં ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ₹૩૫,૦૦૦ કરોડથી વધુના નવા રોકાણો આકર્ષિત કરવાનું અને વધુને વધુ ઉચ્ચ-કુશળ રોજગારનું સર્જન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી આ જીઈસીએમએસ પોલિસીના પરિણામે રાજ્યમાં મલ્ટી લેયર અને એચ.ડી.આઇ. પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, લિથિયમ આયન સેલ, એસ.એમ.ડી. પેસિવ કમ્પોનન્ટ્સ, ડિસ્પ્લે અને કેમેરા મોડ્યુલ્સ, ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ તેમજ તેના ઉત્પાદન માટે જરૂરી વિશેષ મશીનરી સહિતના આવશ્યક ઉદ્યોગો-એકમોને રાજ્યમાં રોકાણ માટે પ્રોત્સાહન મળશે.

આ પોલિસીમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપીને ટેલેન્ટ ગેપ દૂર કરવાના હેતુથી રાજ્યમાં રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ માટે પણ ઉદાર સહયોગ આપવાનું પ્રાવધાન રાખવામાં આવ્યું છે. તદ્અનુસાર, ગુજરાતમાં સ્થિત અને માન્ય હોય તેવી સંસ્થાઓને સેન્ટર ઓફ એક્સલન્સ, ફિનિશિંગ સ્કુલ્સ કે એપ્લાઇડ રિસર્ચ લેબની સ્થાપના માટે રાજ્ય સરકાર દ્વારા વધુમાં વધુ ₹૧૨.૫ કરોડ સુધીની મેચિંગ સહાય મળવાપાત્ર થશે. જીઈસીએમએસ અંતર્ગત ટર્નઓવર લિન્ક્ડ ઇન્સેન્ટિવ છ વર્ષના સમય સુધી પૂરું પાડવામાં આવશે.
પોલિસીના હેતુઓઓ પર એક નજર કરીએ તો તેનો સૌથી પહેલો હેતું તો ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ ઉત્પાદનથી વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇન્સમાં ગુજરાતનું મજબૂત સ્થાન પ્રસ્થાપિત કરવું. સ્થાનિક કમ્પોનન્ટ અને સબ-એસેમ્બલી ઉત્પાદનને પ્રોત્સાહન આપી ઇલેક્ટ્રોનિક્સ ગ્લોબલ વેલ્યુ ચેઇન્સમાં ઉત્પાદન મૂલ્ય વૃદ્ધિથી અગ્રેસર રહીને આયાત પર નિર્ભરતા ઘટાડવી અને નિકાસમાં વધારો કરવાનો છે.

આ પોલીસીનો લાભ લેવા માટે સરકારે પાત્રતા નક્કી કરી છે. ભારત સરકારની ગાઇડલાઇન મુજબ આ પોલિસીનો લાભ લેવા માટેની અરજી તા. ૩૧ જુલાઈ ૨૦૨૫ સુધીમાં કરવાની રહેશે. કેન્દ્ર સરકારના મેઈટી દ્વારા સહાય મંજૂર થઈ હોય અને ગુજરાતમાં કાર્યરત હોય તેવા તમામ પ્રોજેક્ટ્સને આપોઆપ આ પોલિસીનો લાભ મળશે. ગુજરાતમાં ઉત્પાદન યુનિટ સ્થાપિત કરવા ઈચ્છતા હોય અથવા પ્રગતિમાં હોય તેવા પ્રોજેક્ટ્સને પણ આનો લાભ મળશે.

સરકારે આ માટે ખાસ પ્રોત્સાહનો (ઇન્સેન્ટિવ્સ) જાહેર કર્યા હતા. ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ નીતિ ૨૦૨૨-૨૮ હેઠળ સહાય મેળવતા હોય તે સિવાયના એકમો આ નીતિ હેઠળ મળતા લાભો મેળવવા માટે માન્ય રહેશે.આ નવી નીતિ હેઠળ લાભ મેળવતા એકમોને ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ નીતિ ૨૦૨૨-૨૮નો લાભ મળશે નહીં. પ્રોત્સાહન ભારત સરકારની યોજનાની શરતો અને થ્રેશોલ્ડ મુજબ રહેશે. તે ઉપરાંત વધારાના પ્રોત્સાહનો (ઇન્સેન્ટિવ્સ) જેવા કે, કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ: ઇલેક્ટ્રોનિક્સ ક્લસ્ટરોમાં કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ અને વિકાસ માટે જરૂરિયાત આધારિત સહાય અપાશે.

ભારત સરકાર દ્વારા મંજૂર યોજનાઓ માટે સહાય ચૂકવાયા બાદ રાજ્ય સરકાર ૩૦ કાર્ય દિવસમાં સહાય ચૂકવશે. રાજ્યની આ નવી નીતિનો સમયગાળો ભારત સરકારની યોજના જેટલો જ રહેશે. ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી-૨૦૨૫નું અમલીકરણ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (જીએસઈએમ) દ્વારા કરવામાં આવશે.

June 19, 2025
SS_Logo_Red-1280x986.png
1min313

Admission Committee for Professional Undergraduate & Postgraduate Medical Educational Courses (ACPUGMEC & ACPPGMEC) દ્વારા ટૂંક સમયમાં ગુજરાતમાં મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એ પૂર્વે એડમિશન કમિટીએ મેડીકલ અને ડેન્ટલ કોલેજના પહેલા વર્ષમાં પ્રવેશ માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઇશે તેની વિગતો જાહેર કરી છે, જેની માહિતી નીચે મુજબની પીડીએફમાં છે. આ સત્તાવાર માહિતી છે.

વધુમાં ડોમીસાઇલ સર્ટિફિકેટ અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે ગેરસમજ પ્રવર્તે છે. ગુજરાતમાં જન્મ થયો હોય તેવા વિદ્યાર્થીઓ માટે ડોમિસાઇલ સર્ટિફિકેટની કોઇ જરુરીયાત નથી.

જેમને જન્મ ગુજરાત બહાર થયો હોય તેવા પ્રવેશાર્થીઓ માટે જ ડોમિસાઇલ સર્ટિફેક્ટ ફરજિયાત છે.

કયા ડોક્યુમેન્ટ જોઇશે આ પીડીએફ વાંચો

June 19, 2025
kadi-visavadar.png
1min90

19 જૂન આજે ગુરૂવારે વહેલી સવારથી રાજ્યની બે વિધાનસભા બેઠકો માટે યોજાઇ રહેલી પેટા ચૂંટણીનું મતદાન સવારે 7 વાગ્યાના ટકોરે શરૂ થઇ ચૂક્યું છે. આરંભના પ્રથમ કલાકમાં વરસાદી માહોલને કારણે મતદાન શુષ્ક રહ્યું હતું.

કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણી માટે મતદાન શરૂ થતાં જ ત્રણેય રાજકીય પાર્ટીઓના કાર્યકરોમાં ઉત્તેજના જોવા મળી હતી તેટલી ઉતેજના મતદારોમાં જોવા મળી નથી.

વિસાવદરની પેટાચૂંટણી માટે એક તરફ આમ આદમી પાર્ટી (AAP) એ બે મહિના અગાઉ જ ઉમેદવાર જાહેર કરીને પ્રચાર શરૂ કરી દીધો હતો. જ્યારે ભાજપ-કોંગ્રેસે છેલ્લી ઘડીએ ઉમેદવારો જાહેર કર્યા હતા. આ પેટાચૂંટણીમાં મુખ્યત્વે જંગ તો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે હોવાનું મનાઇ રહ્યું છે, પરંતુ કોંગ્રેસની ભૂમિકા પણ અતિમહત્ત્વની છે.

વિસાવદર બેઠક પર ભાજપના કિરીટભાઈ બાબભાઈ પટેલ, કોંગ્રેસના નિતિન રાણાપરિયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા ચૂંટણી મેદાનમાં છે. સૌરાષ્ટ્રમાં વિસાવદરની બેઠક ખુબ જ ચર્ચામાં છે. જ્યાં ત્રણેય પાર્ટીઓના પાટીદાર ઉમેદવારો વચ્ચે ત્રિકોણિય જંગ છે. પેટા ચૂંટણી માટે 19 જૂને વોટિંગ અને 23 જૂને મત ગણતરી થશે.

કડી અને વિસાવદર બેઠકો પર પેટા ચૂંટણી માટે રાજનૈતિક પાર્ટીઓના ઉમેદવારોએ નામાંકન દાખલ કરી દીધુ છે. ગાંધીનગર પાસે આવેલી કડી વિધાનસભા સીટ પર ભાજપના રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીથી જગદીશ ચાવડા ચૂંટણી મેદાનમાં છે. એસસી રિઝર્વ સીટ પર ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે. પેટા ચૂંટણી માટે 19 જૂને વોટિંગ અને 23 જૂને મત ગણતરી થશે.

તમને જણાવી દઈએ કે, ફેબ્રુઆરીમાં વર્તમાન ધારાસભ્ય કરસનભાઈ પૂંજાભાઈ સોલંકીના નિધનથી કડી બેઠક ખાલી થઈ, જ્યારે ભૂપેન્દ્રભાઈના રાજીનામા બાદ વિસાવદર બેઠક ખાલી થઈ હતી. ચૂંટણી આયોગે આ બંને સીટો પર પેટા ચૂંટણીની જાહેરાત કરી 2 જૂનના રોજ કરી હતી.

23 જૂને મતગણતરી થશે

19 જૂને સવારથી સાંજ સુધી મતદાન યોજાશે. આ દરમિયાન તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી મતદારો કોઈપણ મુશ્કેલી વિના મતદાન કરી શકે. મતદાન બાદ 23 જૂને મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીપંચે મતદારોને ઉત્સાહભેર મતદાન કરવાની અપીલ કરી છે.

June 14, 2025
SS_Logo_Red-1280x986.png
1min469

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ આજે જેના પરીણામોની દેશના 22 લાખ પરીવારો આતુરતાથી રાહ જોતા હતા એ નીટ અન્ડરગ્રેજ્યુએટ 2025 ટેસ્ટના પરીણામો ઘોષિત કર્યા હતા. ગઇ તા.7મી મે એ લેવાયેલી નીટ યુજીની પરીક્ષાના પ્રશ્નપત્રો કઠિન હોવાના રિવ્યુ બાદ એ વાત નિશ્ચિત હતી કે નીટ યુજીના પરીણામ પર કઠિન પ્રશ્નપત્રની અસર વર્તાવાની છે અને એ જ થયું. આજે જાહેર થયેલા નીટ યુજીના પરીણામોમાં માર્કસ ગયા વર્ષની તુલનામાં નીચા આવ્યા છે. ગયા વર્ષે હાઇએસ્ટ માર્કસ 720માંથી 720 આવ્યા હતા. જ્યારે આ વર્ષે 720માંથી 686 માર્કસ આવ્યા છે. એવી જ રીતે દરેક સ્તરે જોઇએ તો ગયા વર્ષની તુલનામાં 80થી 100 માર્કસ જુદી જુદી કેટેગરી અનુસાર ઓછા આવ્યા છે. જેને કારણે મેડીકલ કોલેજોમાં મેરીટ પણ ગયા વર્ષની સરખામણીમાં અત્યંત નીચે આવશે.
એવું પણ અનુમાન થઇ રહ્યું છે કે આ વખતે 550 માર્કસ લાવનાર વિદ્યાર્થીને સરકારી કોલેજમાં પણ નંબર લાગી શકે છે. એવી જ રીતે ગયા વર્ષે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પ્રવેશ જેટલા માર્કે મળ્યો હતો તેટલા માર્કે આ વખતે કદાચ સેમિ સરકારી કોલેજમાં પણ એડમિશન મળી શકે છે. અલબત્ત આ વખતે કેટલાક વિદ્યાર્થીઓ પ્રવેશ માટે એપ્લિકેશન કરે છે તેના આધારે મેરીટ રેન્ક મળશે એ પછી જ ચિત્ર ફાઇનલ થશે.

આજના નીટ યુજીના પરીણામમાં સુરતનો વિદ્યાર્થી જેનિલ વિનોદભાઇ ભાયાણી ગુજરાતમાં પ્રથમ આવ્યો છે જ્યારે દેશમાં તેણે 6ઠ્ઠો ક્રમ હાંસલ કર્યો છે. જેનિલ ભાયાણીએ 99.9999 પર્સન્ટાઇલ રેન્ક હાંસલ કર્યા છે.

June 13, 2025
image-4.png
1min71

ખૂબ જ ગંભીર અને કરૂણ કહી શકાય તેવી ઘટના અમદાવાદમાંમ બની છે. અહીં મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે, જેમાં 242 યાત્રી સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 242 યાત્રીઓ ઉપરાંત જે બિલ્ડીંગ પર પ્લેન તૂટી પડ્યું એ મેડીકલ કોલેજની હોસ્ટેલના ઇન્ટર્ન ડોક્ટર તેમજ અન્ય લોકો મળીને 13મી જૂન 2025ની સવારે મળેલી લેટેસ્ટ માહિતી અનુસાર 265 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાની વિગતો જાહેર કરવામાં આવી છે.

ગુજરાતના અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયાની પ્લેન ક્રેશની ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનમાં કુલ 242 મુસાફરો સવાર હતા. પ્લેન ટેકઓફ થયા પછી તરત જ ક્રેશ થયું હતું. વિમાન લંડન જઈ રહ્યું હતું. તેમાં મોટી સંખ્યામાં ભારતીય અને બ્રિટિશ નાગરિકો સવાર હતા. વિમાન દુર્ઘટનાને લઇને સમગ્ર વિશ્વના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

બ્રિટનના વડા પ્રધાન કિર સ્ટાર્મર, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ, મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ અને નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.

બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે ‘એક્સ’ પર શોક વ્યક્ત કરતાં લખ્યું હતું કે, “અમદાવાદમાં લંડન જતી એક ફ્લાઇટ દુર્ઘટના થઇ હોવાના સમાચાર અત્યંત હૃદયદ્રાવક છે. હું સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું. મુસાફરો અને તેમના પરિવારો સાથે મારી સંવેદના છે.”

યુરોપિયન કમિશનના પ્રમુખે લખ્યું હતું કે અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાથી હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. આ ભયંકર નુકસાનથી પીડિત પરિવારો અને પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના. અમે તમારા દુ:ખમાં સહભાગી છીએ. દુ:ખની આ ઘડીમાં યુરોપ તમારી અને ભારતના લોકો સાથે છે.

June 10, 2025
kanya.jpg
1min62

ગુજરાત બોર્ડ હેઠળની રાજ્યની તમામ સ્કૂલોમાં આજે 9મી જૂનથી નવું શૈક્ષણિક વર્ષ 2025-26ની શરુ થયું છે. જ્યારે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને જૂન 2025થી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC) આપતી વખતે હવેથી અટક પાછળ લખવા અંગે ગુજરાત શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે.

શિક્ષણ વિભાગે પરિપત્ર મુજબ, રાજ્યમાં શાળા બદલતી વખતે વિદ્યાર્થીઓને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) આપવામાં આવે છે. LCમાં વિદ્યાર્થીના નામ, પિતા, માતાનું નામ, અટક, જન્મ તારીખ સહિતની મહત્ત્વની માહિતી નોંધવામાં આવે છે. જ્યારે હાલ APAAR ID અને તેના અંતર્ગત આધારકાર્ડ સાથે બાળકોના નામ મેપિંગ કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે જૂન 2025થી LCમાં વિદ્યાર્થીઓનું આખું નામ લખવામાં નામના અંતે અટકનો ઉલ્લેખ કરવાને લઈને શિક્ષણ વિભાગે સૂચન કર્યું છે.

હાલમાં LCમાં વિદ્યાર્થીના નામ લખવાની પદ્ધતિમાં વિસંગતતા જોવા મળે છે, જેના કારણે વિદ્યાર્થીઓને પ્રવેશ, શિષ્યવૃત્તિ અને અન્ય શૈક્ષણિક પ્રક્રિયામાં મુશ્કેલી થાય છે. અપાર આઇ ડીની પ્રક્રિયા ચાલી રહી છે, જેના કારણે LCમાં નામની ચોકસાઈ જરૂરી છે.

ગુજરાત શિક્ષણ બોર્ડે આગામી શૈક્ષણિક સત્રથી LCમાં નામ લખવાની પદ્ધતિમાં સુધારો કરવાની સૂચના આપી છે. LCમાં સંપૂર્ણ નામ, પિતા-માતાનું નામ અને અટક સ્પષ્ટ લખવાનો અનુરોધ કરવામાં આવ્યો છે અને આમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972ને ટાંકીને રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓ માટે LCમાં નામ લખવાની નિયમિતતા જાળવવા માટે સૂચના આપવામાં આવી છે.

June 2, 2025
bjplogo.png
1min78

ગુજરાતમાં વિધાનસભા પેટા ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, ત્યારે લાંબા સસ્પેન્સ બાદ ભારતીય જનતા પાર્ટીએ કડી અને વિસાવદર વિધાનસભા બેઠક માટે પોતાના ઉમેદવારના નામ જાહેર કર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ વિસાવદર બેઠક પરથી કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કડી વિધાનસભા બેઠક પરથી રાજેન્દ્ર ચાવડા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

ઉલ્લેખનીય છે કે વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલીયાને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર પાટીદાર મતોનું પ્રભુત્વ હોઈ રાજકીય પાર્ટીઓ આ બેઠક પર પાટીદાર કાર્ડ ખેલવા જઈ રહી છે. પરંતુ આમ આદમી પાર્ટી સાથે પત્તુ ફાડીને ભાજપનો ખેસ ધારણ કરનારા ભુપત ભાયાણીને ટિકિટ આપવામાં ન આવતા રાજકીય અટકળોનું બજાર તેજ બન્યું છે. ભુપત ભાયાણી, હર્ષદ રીબડીયા સહિતના નેતાઓનું પત્તુ કપાયું છે.વિસાવદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના નામ પર સસ્પેન્સ યથાવત રહ્યું છે.

કડી વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે રમેશ ચાવડાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે હવે ભાજપે પસંદગીનો કળશ રાજેન્દ્ર ચાવડા પર ઢોળ્યો છે.

May 31, 2025
passport-police-verification.jpg
1min72

ભારત સરકાર દ્વારા હવે પાસપોર્ટ સિસ્ટમને વધુ આધુનિક બનાવવાની દિશામાં ઝડપથી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ માટે ઈ-પાસપોર્ટ, સિક્યોરિટી ફીચર્સ અને એપ્લિકેશન પ્રોસેસમાં બદલાવ જેવા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે અને આ જ અનુસંધાનમાં પાસપોર્ટમાં કેટલાક મહત્ત્વના ફેરફાર થવા જઈ રહ્યા છે.

ભારત સરકાર દ્વારા ઈ-પાસપોર્ટની શરૂઆત કરવામાં આવી છે, જેમાં આરએફઆઈડી ચિપ લગાવવામાં આવે છે. આને કારણે તમારો બાયોમેટ્રિક અને પર્સનલ ડેટા સુરક્ષિત રહે છે. ડિજિટલ ટેક્નિકથી આઈડેન્ટિટી ચોરી અને છેતરપિંડી થવાનું જોખમ પણ ઘટી જાય છે. આ ઈ-પાસપોર્ટની શરૂઆત ગોવા અને રાંચી જેવા શહેરોમાં તો આની શરૂઆત કરી દેવામાં આવી છે.

અત્યાર સુધી પાસપોર્ટ એડ્રેસ પ્રૂફ તરીકે પણ ચાલતું હતું, કારણ કે તેના પર તમારું રેસિડેન્શિયલ એડ્રેસ છાપવામાં આવતું હતું, પરંતુ હવે પાસપોર્ટમાંથી એડ્રેસ ગાયબ થશે અને તેની જગ્યાએ બારકોડ જોવા મળશે. બારકોડથી ઓફિશિયલ ઈમિગ્રેશન ઓફિસર તમારા એડ્રસની માહિતી જાણી શકશે. જેને કારણે પ્રાઈવસી અને ડેટા સિક્યોરિટીને પ્રોત્સાહન મળશે.

નવી સિસ્ટમ પ્રમાણે હવે પાસપોર્ટમાં માતા-પિતાના નામ નહીં જોવા મળે. આ બદલાવ એવા લોકો માટે ખૂબ જ કામનું સાબિત થશે, જેમની પારિવારિક સંરચના પારંપારિક નથી, જેમ કે સિંગલ પેરેન્ટ્સ, ડિવોર્સ કે બીજા કોઈ પરિસ્થિતિ. આ પગલું અરજી કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે લેવામાં આવ્યું છે.

ઓક્ટોબર, 2023 બાદ જન્મેલા લોકો માટે બર્થ સર્ટિફિકેટ ફરજિયાત
જી હા, પહેલી ઓક્ટોબર, 2023 બાદ જન્મેલા લોકો માટે પાસપોર્ટ એપ્લાય કરવા માટે બર્થ સર્ટિફિકેટ ફરજિયાત રહેશે. અધિકૃત રજિસ્ટ્રાર દ્વારા જારી કરવામાં આવેલું બર્થ સર્ટિફિકેટ વેલિડ ગણાશે. આ પહેલાં જન્મેલા લોકો માટે બીજા વૈકલ્પિક ડોક્યુમેન્ટ્સ જેવા કે આધાર, પેન અને સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ પણ માન્ય ગણાશે.

ભારત સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું છે કે 2030 સુધી દેશભરમાં પાસપોર્ટ સેવા કેન્દ્રની સંખ્યામાં વૃદ્ધિ કરવામાં આવશે. જેથી વધુમાં વધુ લોકોને નજીકના કેન્દ્રમાં પાસપોર્ટ સંબંધિત સુવિધાઓ મળી શકે. આ પગલું દેશભરમાં પાસપોર્ટ સુવિધાની પહોંચ અને દક્ષતાને વધારવાની દિશામાં લેવામાં આવ્યું છે.

May 29, 2025
election_voting.jpg
1min75

ગુજરાતની 8327 ગ્રામપંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ગ્રામપંચાયતની ચૂંટણી માટે 22 જૂને મતદાન યોજાશે અને 25 જૂને મતગણતરી હાથ ધરાશે. 2 જૂને ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડાશે. 9 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 10 જૂને ફોર્મની ચકાસણી કરાશે અને 11 જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. ગ્રામપંચાયતની ચૂંટણીમાં કુલ 1.30 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ગુજરાતની 8327 ગ્રામપંચાયતની ચૂંટણીની તારીખો જાહેર

  • 2 જૂને ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડાશે.
  • 9 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે.
  • 10 જૂને ફોર્મની ચકાસણી કરાશે
  • 11 જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે.
  • 22 જૂને મતદાન યોજાશે.
  • 25 જૂને મતગણતરી હાથ ધરાશે.

ગુજરાતમાં ગ્રામપંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત 10 ટકાથી વધારી 27 ટકા કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી. આ માટે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરીને વિધાનસભા ગૃહમાં કાયદો પસાર કર્યો હતો. આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહીં થતાં ગ્રામપંચાયતોની ચૂંટણી લંબાઈ હતી, પરંતુ હવે તમામ જિલ્લા કલેક્ટરોને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે. ગ્રામપંચાયતની ચૂંટણી યોજવા માટે સૂચના અપાયા બાદ 1 એપ્રિલ 2022 થી 30 જૂન 2025 સુધીમાં જે ગ્રામપંચાયતોની મુદત પૂર્ણ થતી હોય એની ચૂંટણી યોજાશે.

તમને જણાવી દઈએ કે, વર્ષ 2021માં ગુજરાત ગ્રામપંચાયતની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ચૂંટણી માટે અંતિમ મતદાન 78.30 ટકા હતું, જેમાં 1.81 કરોડ લાયક મતદારોમાંથી 1.42 કરોડથી વધુ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 47,000 થી વધુ પંચાયત વોર્ડમાં સરપંચ પદ માટે કુલ 27,200 ઉમેદવારો અને સભ્યો પદ માટે 1,19,998 ઉમેદવારો મેદાનમાં હતા.