ડેવલપમેન્ટ Archives - Page 73 of 139 - CIA Live

June 24, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5570

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આજરોજ તા.24મી જુન 2020ને બુધવારે ભારતના દિલ્હી શહેરમાં ડિઝલનો ભાવ પેટ્રોલના ભાવથી પણ ઉંચે ચઢ્યો. સવારે 11 વાગ્યે દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લિટરના રૂ.79,76ના દરે વેચાઇ રહ્યું હતું જ્યારે ડિઝલનો ભાવ પહેલી વાર ભારતમાં પેટ્રોલના ભાવ કરતા વધુ દરે એટલે કે રૂ.79.88ના દરે વેચાઇ રહ્યું હતું.

તા.24 જુને દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લિટરના રૂ.79.76 જ્યારે ડિઝલ પ્રતિ લિટર રૂ.79.88એ વેચાય રહ્યું હતું

ભારતમાં સતત 18મા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો નોંધાયો હતો. આજે તા.24મીએ ઐતિહાસિક રીતે ડિઝલનો ભાવ પેટ્રોલ કરતા વધ્યો ત્યારે પેટ્રોલિયમ એક્સપર્ટસનું કહેવું છેકે વિશ્વના 85 ટકા દેશોમાં પેટ્રોલના દરો ડિઝલના દર કરતા ઓછા છે, ભારત હવે વૈશ્વિક હરોળમાં આવ્યું છે. અત્યાર સુધી ભારતમાં ડિઝલને સસ્તું ઇંધણ માનવામાં આવતું હતું કેમકે તેના રેટ પેટ્રોલથી ખાસ્સા નીચા હતા. પણ હવે ચિત્ર બદલાયું છે અને જાણકારો કહે છેકે હવે ભારતમાં પેટ્રોલના ભાવ ડિઝલની સરખામણીએ ભવિષ્યમાં પણ નીચા જ રહેશે.

દરમિયાન સતત 18માં દિવસે પેટ્રોલ ડિઝલના દરમાં વધારાની સીધી અસર ભારતમાં ચીજવસ્તુઓના ફુગાવા પર પડી રહી છે. આગામી દિવસોમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારાની સીધી અસર મોંઘવારી પર જોવા મળશે.

ભારતમાં ડિઝલ સસ્તુ ઇંધણ હતું એટલે મોટરકાર વપરાશકર્તાઓમાં ડિઝલ કાર ખરીદવાનું ચલણ હતું હવે સિનારીયો બદલાશે

ભારતમાં અત્યાર સુધી ડિઝલને સસ્તું ઇંધણ માનવામાં આવી રહ્યું હતું. પરંતુ, હવે વૈશ્વિક કક્ષાની જેમ ભારતમાં પેટ્રોલ સસ્તુ અને ડિઝલ તેની સરખામણીમાં મોંઘુ થઇ રહ્યું હોઇ, હવે મોટરકાર વસાવવાનો ટ્રેન્ડ બદલાશે. અત્યાર સુધી લોકો પેટ્રોલ કારથી દૂર રહેતા હતા એટલે ડિઝલ કારની સરખામણીમાં પેટ્રોલ કારોના ભાવ ઓછા હતા. ડિઝલ કાર મોંઘી મળતી હતી પરંતુ, હવે જાણકારો કહે છે કે પરિસ્થિતિ બદલાશે અને ડિઝલ કાર લેનારા હવે પેટ્રોલ કાર તરફ વળશે.

ડિઝલના ભાવ વધારાને લઇને ટ્વીટર પર પણ જબરદસ્ત ટ્રેન્ડ શરૂ થયો છે

June 22, 2020
coronaupdate.jpg
1min4920

ભારતમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં એક જ દિવસનો સૌથી મોટો ઉછાળો 15,372 કેસના રૂપે તા.21મી જુનને રવિવારના રોજ નોંધાયો છે.

ભારતમાં હવે કોરોના પોઝીટીવ હોય એવા કુલ દર્દીઓની સંખ્યા 4,26,397 પર પહોંચી ચૂકી છે. દેશમાં પહેલીવાર એક જ દિવસમાં કોરોના વાયરસના કારણે મોતને ભેટેલા લોકોનો આંકડો 400ને પાર કરી ગયો છે.

મહારાષ્ટ્ર અને દિલ્હીના ગણતરીમાં લેવાના રહી ગયેલા કોરોના વાયરસના 2003 મૃત્યુના કેસ સામે આવ્યા હતા તે પછીનો આ 423નો મોટો આંકડો રવિવારે નોંધાયો છે. દેશમાં વાયરસના કારણે મોતને ભેટેલા લોકોનો આંકડો 13,695 થઈ ગયો છે.

પોઝિટિવ કેસ અને ડેથ કેસ બન્નેમાં મહારાષ્ટ્ર આગળ છે. મહારાષ્ટ્રમાં પોઝિટિવ કેસ 3,870 નોંધાયા છે, જેની સાથે કુલ કેસનો આંકડો 1,32,075 થયો છે, અને 186ના મોત થયા છે, જ્યારે 186ના મોત થયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે મોતને ભેટેલા લોકોનો કુલ આંકડો 6,000ને પાર કરીને 6,170 થયો છે. મુંબઈમાં વધુ 1,159 પોઝિટિવ કેસ સાથે 110નાં મોત થયા છે.

દિલ્હીમાં પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક બન્નેમાં ઘટાડો નોંધાયો છે. શનિવારે 3630 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે રવિવારે 3000 પોઝિટિવ કેસ નોંધાયા, શનિવારે 77નાં મોત નોંધાયા હતા જ્યારે રવિવારે 63નાં મોત નોંધાયા છે. રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકોડ 59,746 થયો છે, જ્યારે 2,175નાં મોત નોંધાયા છે.

ગુજરાતમાં અમદાવાદમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ છે. આ સાથે જ રાજ્યમાં નવા રેકોર્ડબ્રેક 580 કેસ સાથે કુલ 27,317 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,24,874 ટેસ્ટ કરવામાં આવ્યાં છે.



June 21, 2020
daman.jpg
1min5200

ખાણીપીણીના શોખીન સુરતીઓએ જેને મામાનું ઘર જેવું હુલામણું નામ કે કોડવર્ડ આપ્યો છે એ દમણની સરહદો ફરીથી સીલ કરવામાં આવી છે. દમણમાં વધી રહેલા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યાને પગલે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની સરહદો હવે અધિકૃત વ્યક્તિઓ સિવાય બહારના લોકો માટે બંધ કરવામાં આવી છે. દમણમાં છેલ્લા એક અઠવાડીયામાં 27 જેટલા કોરોના પોઝીટીવ દર્દીઓ મળી આવ્યા છે. દમણમાં મળેલા પોઝીટીવ દર્દીઓ પૈકી મોટા ભાગના દર્દીઓ દમણમાં નોકરી માટે આવતા શ્રમિકોના હોવાનું જણાય આવે છે. દમણ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા એકમોમાં મોટી સંખ્યામાં શ્રમિકો દમણ બહારથી આવતા હોવાથી આ પગલું ભરવામાં આવ્યું છે.

ગુજરાતને અડીને આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં કોરોના વાયરસના કેસ વધવાના કારણે સ્થાનિક તંત્ર દ્વારા ગુજરાત સાથેના જોડાયેલી બોર્ડર અચોક્કસ મુદત માટે સીલ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

June 20, 2020
corona-gujarat.jpg
1min4790

ગુજરાતમાં પણ 24 કલાકમાં 540 નવા કેસ સામે આવ્યા છે. જેથી હવે કોરોના સંક્રમણથી અસર પામનાર કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ 26198 થઈ છે.

કોરોના સંક્રમણને હરાવીને વધુ 340 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેમાં અમદાવાદમાં 206, ભરુચ અને પંચમહાલમાં 7-7, મહેસાણામાં 6, ગાંધીનગર અને ખેડામાં 5-5, સાબરકાંઠામાં 4, પાટણ અને રાજકોટમાં 3-3, ભાવનગર અને જામનગરમાં 2-2, અરવલ્લી અને કચ્છમાં 1-1, જુનાગઢમાં 2, મોરબી અને સુરેન્દ્રનગરમાં 1-1, સુરતમાં 55, વડોદરામાં 21 આણંદમાં 8 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જેથી રાજ્યમાં કોરોના સંક્રમણને હરાવીને કુલ સ્વસ્થ વ્યક્તિઓની સંખ્યા પણ 18167 થઈ છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 6412 થઈ છે. જેમાંથી 6345 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે જ્યારે 67 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,14,301 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 24 કલાકમાં અમદાવાદમાં 21, સુરતમાં 4, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં 1-1 વ્યક્તિઓના અવસાન થતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ હવે 1619 થયો છે. જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,17,590 દર્દીઓને ક્વોરન્ટિન કરવામાં આવ્યા છે. જેમાંથી 2,13,661 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે.

India Covid-19 update

June 19, 2020
narmada.jpg
1min6450

નર્મદા બંધની જળ સપાટી ૧૨૭.૪૬ મીટરની ઉપર પહોંચી ગઇ છે અને લાઇવ સ્ટોરેજ ૨૭૦૦ એમસીએમની આસપાસ છે. ગુજરાતના ભાગે જે હિસ્સો આવે એ હિસ્સા પ્રમાણે મધ્ય પ્રદેશ ડેમમાંથી અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે. જેનો સંગ્રહ સરદાર સરોવર ડેમમાં થઇ રહ્યો છે. તેની મુખ્ય નહેર દ્વારા લગભગ ૮,૬૦૦ ક્યુસેક પાણી ગુજરાતના અલગ અલગ પ્રદેશમાં પહોંચાડવામાં આવી રહ્યું છે.

સરદાર સરોવર નર્મદા નિગમના ડાયેરક્ટર પી.સી. વ્યાસે જણાવ્યું હતું કે, મુખ્ય નહેરમાંથી સૌરાષ્ટ્ર કેનાલ દ્વારા સૌરાષ્ટ્રની સૌની યોજના દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે તેમ જ નર્મદા મુખ્ય નહેરમાંથી ઉદવહન કરીને ઉત્તર ગુજરાતમાં આવેલા નાના નાના જળાશયો, તળાવો વગેરે ભરવામાં આવી રહ્યા છે.

સરદાર સરોવર નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેર અશોક ગજ્જરે જણાવ્યું હતું કે, નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલા ઇન્દિરા સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમના પાવર હાઉસમાથી હાલમાં પાણી આવી રહ્યું છે.

આ ઉપરાંત ચોમાસાની શરૂઆત થઈ ગયેલ હોઈ નર્મદા બેઝિનના કેચમેન્ટ એરીયામાં વરસાદ પડતો હોવાથી પાણીનો આવરો હાલમાં ૪૦ હજાર ક્યૂસેક જેટલો નોંધાઇ રહ્યો છે તેની સામે હાલમાં પાવર હાઉસમાં વીજળી ઉત્પન્ન કર્યા પછી ૩૩ હજાર ક્યૂસેક પાણીનો ફ્લો ભરુચ તરફ વહી રહ્યો છે.

નર્મદા ડેમમાં પાણીનો ગ્રોસ સ્ટોરેજ ૬,૩૫૦ મિલિયન ક્યૂબીક જેટલો નોધાયેલ છે.

સરદાર સરોવર ડેમની કુલ પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા ૯,૪૬૦ મિલિયન ક્યૂબીક મીટર છે.

June 18, 2020
mumbai-rains-3.jpg
1min4880

મુંબઇ શહેર, થાણે અને નવી મુંબઇમાં ગુરુવારે સવારથી જ ભારે વરસાદ શરૂ થયો હતો અને સાથે પવન પણ ફૂંકાયો અને વીજળી પણ થઇ હતી. જો કે ચોમાસું લગભગ આખા મહારાષ્ટ્ર અને મુંબઇ પર ફરી વળ્યું છે અને આસપાસનાં વિસ્તારોમાં પણ વરસાદ દેખાઇ રહ્યો છે.

Mumbai : A woman crosses the road during rains in Mumbai on Monday. PTI Photo (PTI7_17_2017_000340B)

IMDએ કરેલી આગાહી અનુસાર આગામી 24 કલાક વાતાવરણ વાદળીયું રહેશે અને હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. હવામાન ખાતાની સાન્તાક્રુઝ ઓબ્ઝર્વેટરી દ્વારા જણાવ્યા અનુસાર 32.6 ડિગ્રી  સેલ્સિયસ મહત્તમ તાપમાન અને 27 ડિગ્રી ન્યુનતમ તાપમાન રહેશે. કોલાબા ઓબ્ઝર્વેટરી દ્વારા નોંધાયેલા મહત્તમ તાપમાન 31.1 ડિગ્રી સેલ્સિયસ છે તથા 26.8 ડિગ્રી સેલ્સિયસ લધુત્તમ તાપમાન રહ્યું છે.

ગુરૂવારે પડેલો ધોધમાર વરસાદ એ શહેર અને આસપાસનાં વિસ્તારો માટે રાહત આપનારો રહ્યો છે. મુંબઇ અને આસપાસનાં વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે તેમ વેધર એજન્સી સ્કાયમેટે કહ્યું છે.

June 18, 2020
corona-gujarat.jpg
1min4530

ગુજરાતમાં કોરોના મહામારીના સાડા ત્રણ મહિને સંક્રમિત લોકોને શોધવા માટે થતાં આરટીપીસીઆર ટેસ્ટનો આંક વિતેલા ચોવીસ કલાકમાં ૫૮૦૧ ઉમેરાતાં ત્રણ લાખને પાર થઇ ૩,૦૩,૬૭૧ સુધી પહોંચી છે. એમાંથી ૩૪૮ દર્દીઓ કોરોનાને મ્હાત આપીને ડિસ્ચાર્જ થતાં કુલ ૧૭૪૩૮ દર્દીઓ અત્યાર સુધીમાં રિવકર થયાં છે. જેની સરેરાશ ૬૯ ટકા થાય છે. જોકે, ૧૫૬૧ દર્દીના સારવાર દરમિયાન મૃત્યું થયા છે.

છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૫૨૦ દર્દી સાથે કુલ એક્ટિવ કેસનો આંક વધીને ૬૧૪૯ થયો છે એમાં ૬૯ દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે અને ૬૦૮૦ સ્ટેબલ છે. રાજ્યમાં માર્ચ ૧૯મીએ પહેલી વખત કોરોનાના પોઝિટિવ દર્દી મળી આવ્યા હતા, એ પહેલાં ટેસ્ટ શરૂ કરાયા હતા. ૨૫ માર્ચે પહેલું મૃત્યું સુરતમાં નોંધાયું હતું.

બુધવારે સાંજે પાંચ વાગે પૂરાં થતાં ચોવીસ કલાકમાં અમદાવાદમાં વધુ ૩૩૦ કેસ ઉમેરાયા છે અને ૨૨ દર્દીઓના મૃત્યું થયા છે જેમાં ગ્રામ્ય વિસ્તારના ૨૫ કેસ અને ૨ દર્દીના મૃત્યુનો સમાવેશ થાય છે. આ જ રીતે સંક્રમિત દક્ષિણ ગુજરાતના સુરતમાં નવા ૬૫ કેસ નોંધાયા છે, પરંતુ મૃત્યુનો સીલસીલો આજે થંભ્યો છે બીજી તરફ વડોદરામાં ડેથ ઓડિટ બાદ બે દર્દીના કોરોનાથી મૃત્યુની જાહેરાત આરોગ્ય વિભાગે કરી છે. વડોદરા શહેર અને જિલ્લામાં મળીને નવા ૪૪ દર્દીઓ પોઝિટિવ મળ્યા છે.

એમાં પાદરાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. અમદાવાદમાં ધોળકા અને વડોદરામાં પાદરા હોટ સ્પોટ બની ચૂક્યા છે. સુરતમાં લિંબાયત સૌથી સંક્રમિત વિસ્તાર છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં સૌથી વધારે કેસ ગાંધીનગર મહાનગર અને જિલ્લામાંથી ૧૬ મળ્યા છે. ભરૂચમાં ફરીથી કેસનો સીલસીલો શરૂ થતાં નવા ૭ કેસ, જામનગરમાં ૬, જૂનાગઢમાં ૫, ભાવનગર, રાજકોટ અને આણંદમાં ૩-૩, બનાસકંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલીમાં ૨-૨, મહીસાગર, સાબરકાંઠા, બોટાદ, નવસારી, નર્મદા, મોરબીમાં ૧-૧ કેસ તેમજ અન્ય રાજ્યના એક સાથે ૪ કેસ નોંધાયા છે. આ જિલ્લાઓમાં કેસની સાથે આણંદ, ભરૂચ અને ગાંધીનગરમાં એક એક દર્દીના સારવાર દરમિયાન મૃત્યું થયા છે.

June 17, 2020
rain_forecast.png
1min4910

 રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૭ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં ૧૪ તાલુકામાં એક ઇંચથી લઈને સાડાત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં ધોધમાર બેથી પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. જળાશયોમાં ગયા વર્ષ કરતાં વીસ ટકા વધુ પાણીનો સંગ્રહ થયો છે. ત્યારે ૧૮-૧૯ જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદી આગાહી હવામાન વિભાગે કરી છે.

વલસાડના ધરમપુરમાં ૩.૩૨ ઇંચ, અમરેલીના લિલિયામાં ૩.૨૪ ઇંચ, અમરેલીમાં ૨.૫૬ ઇંચ, ગીરસોમનાથના કોડિનારમાં ૨.૧૨ ઇંચ, જૂનાગઢના ભેસાણમાં ૧.૪૪ ઇંચ, અમરેલીના ખાંભામાં ૧.૩૬ ઇંચ, સુરતના મહુવામાં ૧.૨૪ ઇંચ, રાજકોટના ધોરાજીમાં ૧.૧૬ ઇંચ, સુરતના માંગરોળમાં ૧.૧૨ ઇંચ, જૂનાગઢના માંગરોળ, અમરેલીના બગસરા અને ગીરસોમનાથના ઉનામાં ૧.૦૪ ઇંચ વરસાદ નોંધાયો હતો.

નવસારીના ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ડૅમના ૨૦ દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં શરૂ થયેલા વરસાદના કારણે ડૅમમાં નવા નીર આવતાં જૂના પાણીના સંગ્રહને નદીમાં છોડવામાં આવ્યો હતો. પ્રથમ ફેઝમાં ડૅમના ૪૦ દરવાજામાંથી ૨૦ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડૅમના દરવાજા ખોલાતાની સાથે જ નદીકિનારે આવેલાં ગામોને અલર્ટ કરી દેવામાં આવ્યાં છે. આવતા અઠવાડિયામાં ડૅમના અન્ય ૨૦ દરવાજાઓ ખોલવાનું આયોજન કરવામાં આવશે.

June 16, 2020
pangong.jpg
1min5660

છેલ્લા ચાળીસ વર્ષમાં બનેલી પહેલી ઘટનામાં તા.16મી જુન 2020ના રોજ ચીને ભારતની લદાખ્ સરહદે ડખો ઉભો કરતા થયેલી અથડામણમાં ભારતના એક સૈન્ય અધિકારી સમેત કુલ ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. ભારત ચીન સરહદે ઉભા થયેલા ટેન્શનને દૂર કરવા બન્ને પક્ષોએ તાબડતોબ વાટાઘાટો કરી હોવાનું જાણવા મળે છે.

તા.15મી જુનને સોમવારે રાતથી જ લદાખ ખાતે ચીની સૈનિકોએ ડખો ઉભો કરવાના પેંતરા શરૂ કરી દીધા હતા. ચીન તરફથી લદાખ બોર્ડર પર હિંસા ઉભી કરવામાં આવી હતી. જેના જવાબમાં ભારતે પ્રતિકાર કરવાની કોશિશ કરતા થયેલી અથડામણમાં ભારતીય સેનાના એક અધિકારી અને બે જવાનના મોત નિપજ્યા હોવાના અહેવાલોએ ભારતમાં રોષ વ્યાપ્ત કરી દીધો હતો.

LAC બોર્ડર પર છેલ્લે ફાયરિંગ 1967માં થયું હતું, જેમાં બંને દેશોને નુકસાન થયું હતું.

June 16, 2020
Panipuri-ban-1.jpg
1min5690

કોરોના કોણ કોણ ફેલાવી રહ્યું છે એ નામાવલિમાં હવે પાણીપુરીવાળા પણ આવી ગયા છે. અનલૉક-1ના અમલ સાથે જ ખાણીપીણી વેચતી સંસ્થાઓ ફરી શરૂ થતાં લોકો જીભના ચટાકા પુરા કરવા માટે બહારનું ખાતા થઇ ગયા છે. એમાં પણ પાણીપુરી કે ગોલગપ્પેના ચાહકો રીતસર તૂટી જ પડ્યા છે.

પણ પાણીપુરી ખાનારાઓ માટે સેડ ન્યુઝ એ છે કે હવે પાણીપુરીના વિક્રેતાઓ સોશ્યલ ડિસ્ટન્સિંગ નહીં જાળવતા હોઇ, તેઓ પણ સુપરસ્પ્રેડરની શ્રેણીમાં આવી ગયા છે અને કાનપુર પ્રશાસને તો પાણીપુરીની લારીઓ પર પ્રતિબંધ લગાડી દીધો છે.

કોરોના વાયરસ ફેલાવાના ભયથી ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશને કાનપુરમાં પાણીપુરીના વેચાણ બેન લગાડી દીધો છે.

દેશભરમાં પાણીપુરી એ ગોલગપ્પા, બતાશા અને પુચકા જેવા અલગ-અલગ નામની ઓળખાય છે. અનલોક-1 જાહેર થતા પાણીપુરીનું વેચાણ ફરીથી શરૂ થયું હતું. પરંતુ પાણીપુરીની લારી પર સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવને કારણે કોરોના ઝડપથી ફેલાઈ શકે છે તેવા ભયથી જિલ્લા પ્રશાસને મંગળવારે પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મૂકયો હતો.

ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ડૉ. બ્રહ્મદેવ રામ તિવારીએ જણાવ્યું કે, ‘એવા ઈનપુટ હતા કે અનલોક-1માં છૂટછાટ મળ્યા બાદ વિક્રેતાઓ દ્વારા સરકારની જાહેર ગાઈડલાઈન્સનું છડે ચોક ઉલ્લંઘન કરવામાં આવી રહ્યાનું જોયા બાદ અમારે તેના પર બેન લગાડી દેવો પડ્યો છે. ખાસ કરીને પાણીપુરીના સ્ટોલમાં ધારાધોરણોનું પાલન ન થતા હોવાનું પણ જણાય રહ્યું હતું.

પાણીપુરીના વેન્ડર્સે માસ્ક, ગ્લોવ્ઝ અને યોગ્ય સ્વચ્છતાનું પાલન કરવું જોઈતું હતું તેવું કઈંજ દેખાયું નહોતું. રાજ્યમાં પહેલાથી જ કેસો વધી રહ્યા હોવાથી સંક્રમણને વધુ ફેલાતા અટકાવવા માટે શહેરમાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.