CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 60 of 139 - CIA Live

September 7, 2020
corona_india.jpg
1min4870

વૈશ્વિક મહામારી કોરોના વાયરસે ભારતમાં પોતાનો પ્રકોપ વધાર્યો હોય એમ દેશમાં એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 90,632 લોકો કોવિડ-19માં સપડાતાં કુલ કેસની સંખ્યા પણ 41 લાખને પાર ગઈ હતી. આ દરમ્યાન 1065 દર્દીનાં મોત સાથે મૃત્યુઆંક વધીને 70,626 થઈ હતી. જોકે કોવિડ-19 વેબસાઈટ અનુસાર ભારત 41.31 લાખ કેસ સાથે વિશ્વમાં બ્રાઝિલ (41,23,000 કેસ)ને પાછળ રાખીને બીજો સૌથી વધુ સંક્રમિત દેશ બન્યો છે. દરમ્યાન, એક દિવસમાં 73,642 દર્દી આ ખતરનાક વાયરસના સંક્રમણની બહાર આવી ચૂક્યા છે. આ એક દિવસમાં સાજા થયેલાઓની સૌથી વધુ સંખ્યા છે. આ સાથે જ રિકવરી રેટ વધીને 77.32 ટકા પહોંચ્યો હતો.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી આંકડાઓ અનુસાર દેશમાં કુલ સંક્રમિતોનો આંક 41 લાખના ચિંતાજનક આંકને પાર કરીને 4131811 પહોંચ્યો હતો. કોવિડ-19 વેબસાઈટના આંક અનુસાર ભારત 41,31,690 કેસ સાથે બ્રાઝિલને પાછળ રાખી વિશ્વનો બીજો સૌથી વધુ સંક્રમિત દેશ બની ચૂક્યો છે. અમેરિકા 64,32,290 કેસ સાથે પહેલા ક્રમે છે.

મંત્રાલય અનુસાર વીતેલા 24 કલાકમાં વિક્રમી 73,642 દર્દી કોરોનાને મહાત આપવામાં સફળ રહેતાં હજુ સુધી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધીને 32 લાખ નજીક પહોંચતાં રિકવરી રેટ 77.32 ટકાએ પહોંચ્યો હતો. દેશમાં હાલમાં 8,62,320 એક્ટિવ કેસ છે. છેલ્લા બે દિવસથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કુલ કેસના 20.96 ટકા દર્દી એક્ટિવ છે જ્યારે મૃત્યુદર પણ વિશ્વમાં સૌથી ઓછો 1.72 ટકા છે, જે રાહતના સમાચાર છે.

દેશમાં ઓગસ્ટ મહિનાથી મહામારીના સંક્રમણમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો હતો. દેશમાં સાતમી ઓગસ્ટે કોવિડ-19ના દર્દીઓનો આંક 20 લાખને પાર થયો હતો જ્યારે 23 ઓગસ્ટના આ આંક 30 લાખ અને પાંચમી સપ્ટેમ્બરે 40 લાખને પાર થઈ ગયો હતો.
આઈસીએમઆર અનુસાર પાંચમી સપ્ટેમ્બર સુધી દેશમાં કુલ 4,88,31,145 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જ્યારે ગઈકાલે 10,92,654 સેમ્પલ ટેસ્ટ થયા હતા.

રાજ્યમાં ક્વોરન્ટાઈન દરદીના આંકમાં 1 દી’માં અધધ 1.67 લાખનો વધારો

વિશ્વમાં કોવિડ પોઝિટિવ કેસમાં ભારત બીજા ક્રમાંકે પહોચ્યું છે. આવી જ વિકટ પરિસ્થિતિ ગુજરાતમાં પ્રવર્તી રહી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 7,35,952 વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે જે ગત રોજના ક્વોરન્ટાઈન દર્દીઓમાં સૌથી વધુ 1,67,952નો ઉછાળો આવ્યો છે. 7,35,952 વ્યક્તિઓના ક્વોરન્ટાઈનમાંથી 7,33,790 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન જ્યારે 2162 ફેસીલીટી ક્વોરોન્ટાઈન હેઠળ છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 1335 કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 1,04,331 પર પહોંચ્યો છે. બીજીબાજુ ગુજરાતમાં વધુ 14 કોરોના દર્દીના મૃત્યુ થતાં મૃત્યુઆંક 3100 વટાવીને 3108 થયો છે. બીજીબાજુ સૌથી વધુ સારી વાત એ છે કે, આજે ગુજરાતમાં 1212 દર્દીઓ કોરોનાને મહાત આપવામાં સફળ થતા ડિસ્ચાર્જ દર્દીનો આંક 84758 પર પહોંચ્યો છે. જેને લઈને ગુજરાતમાં સાજા થવાનો દર 81.23% પર પહોંચ્યો છે. ગુજરાતમાં ડાંગ જિલ્લા સિવાય 32 જિલ્લામાં નોંધાયેલા કુલ 1335 કેસમાં સૌથી વધુ સુરતમાં 295, અમદાવાદમાં 173, રાજકોટમાં 151, જામનગરમાં 114 જ્યારે અન્ય 28 જિલ્લામાં 50થી ઓછા કેસ નોંધાયા હતા.

જ્યારે સુરતમાં 5, અમદાવાદમાં 3, જ્યારે ગાંધીનગર, ગીર સોમનાથ, કચ્છ, મોરબી, રાજકોટ અને વડોદરામાં 1-1 મૃત્યુ નોંધાવા પામ્યા છે.’ગુજરાતમાં આજે 72,561 લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે જેને લઈને ગુજરાતમાં કુલ થયેલા લેબોરેટરી ટેસ્ટનો આંક 27,80,861 પર પહોંચ્યો છે. ગુજરાતમાં હાલ 16,475 એક્ટિવ કેસ છે. જેમાં 92 વેન્ટિલેટર પર અને 16383 સ્ટેબલ છે.

September 7, 2020
corona-gujarat.jpg
1min6400

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસનો ત્રણ દિવસમાં નવો વિક્રમ સર્જાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૧૩૩૫ કેસ નોંધાયા છે અને ૧૪ દર્દીઓના મૃત્યુ કોવિડ-૧૯થી થયાનું જાહેર કરાયું છે. સૌથી ગંભીર સ્થિતિનો સામનો કરતાં સુરતમાં હવે પ્રવાસી શ્રમિકોનું પુન: આગમન થતાં સંક્રમણ વધ્યું છે એની સાથોસાથ ટેક્સટાઇલ માર્કેટ અને ડાયમંડ ઉદ્યોગ ધમધમતાં થતાં ફરીથી સંક્રમણે માથુ ઊચક્યું છે. સુરત શહેરમાંથી નવા ૧૮૫ કેસ તેમજ ગ્રામ્યમાંથી ૧૧૦ કેસ મળ્યા છે સાથોસાથ અનુક્રમે ૩ અને ૨ દર્દીઓના મૃત્યુ થયા છે.

દરમિયાન, રવિવારે સાંજે પાંચ વાગે પૂરાં થતાં ચોવીસ કલાકમાં અમદાવાદામંથી નવા ૧૭૩ કેસ મળ્યા છે જેમાં શહેરના ૧૫૨ કેસ છે અને વધુ ત્રણ દર્દીના મૃત્યુ થયા છે. આ જ રીતે વડોદરા શહેરમાંથી નવા ૯૦ કેસ ઉમેરાયા છે અને જિલ્લામાંથી ૩૭ કેસ મળી કુલ ૧૨૭ કેસ નોંધાયા છે. શહેરમાંથી એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. ગાંધીનગરમાંથી કુલ ૪૧ કેસ નોંધાયા છે એમાં શહેરના ૨૦ કેસનો સમાવેશ થાય છે. એક મૃત્યુ પણ ગ્રામ્યમાં નોંધાયું છે.

સૌરાષ્ટ્રના હોટ સ્પોટ બનેલા રાજકોટમાંથી નવા ૧૦૧ કેસ તથા ગ્રામ્યમાંથી ૫૦ કેસ મળ્યા છે. અહીં સઘન રીતે ટેસ્ટીંગ અને કોન્ટેક્ટ ટ્રેકિંગ શરૂ કરાયું છે એના પગલે કેસ બહાર આવી રહ્યા છે. શહેરના એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. રાજકોટ પછી જામનગરમાંથી આજે પણ નવા ૯૭ કેસ આવ્યા છે જ્યારે ગ્રામ્યમાંથી ૯ મળી કુલ ૧૦૬ કેસ થાય છે. ભાવનગર શહેરમાંથી ૨૭ અને ગ્રામ્યના ૨૨ મળી ૪૯ નવા કેસ ઉમેરાયા છે. જૂનાગઢમાંથી કુલ ૨૯ કેસ મળ્યા છે એમાં ગ્રામ્યના ૧૭ કેસ છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં જોઇએ તો પંચમહાલમાંથી નવા ૩૧, કચ્છ અને મહેસાણામાંથી ૨૯-૨૯ કેસ, નર્મદા, અમરેલીમાંથી ૨૩-૨૩ કેસ નોંધાયા છે. જ્યારે ભરૂચમાંથી ૨૨ કેસ મળ્યા છે. મોરબી અને સુરેન્દ્રનગરમાંથી ૨૧-૨૧ કેસ, દાહોદમાં ૧૭ કેસ નોંધાયા છે. પાટણમાંથી ૧૬, ગીર સોમનાથમાંથી ૧૫ અને આણંદમાંથી ૧૪ કેસ નવા નોંધાયા છે. તાપીમાંથી નવા ૧૩, દેવભૂમિ દ્વારકા અને બનાસકાંઠામાંથી ૧૨-૧૨ કેસ ઉમેરાયા છે. આ સિવાય ખેડા અને નવસારીમાંથી નવા ૧૧-૧૧ કેસ, વલસાડમાંથી ૮, છોટાઉદેપુરથી ૬, મહીસાગરના ૫, અરવલ્લીમાંથી ૪ અને બોટાદ, પોરબંદરમાંથી ૩-૩ કેસ નવા ઉમેરાયા છે. કચ્છ, મોરબી અને ગીર સોમનાથમાંથી એક એક દર્દીના મૃત્યુ પણ નોંધાયા છે.

આમ, નવા ૭૨,૫૬૧ ટેસ્ટ કરાયા છે અને કુલ ટેસ્ટનો આંક ૨૭,૮૦,૬૮૧ સુધી પહોંચ્યો છે અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસ ૧,૦૪,૩૪૧ થયો છે જ્યારે નવા ૧૨૧૨ દર્દી સાજા થતાં કુલ ડિસ્ચાર્જ થનારનો આંક ૮૪,૭૫૮ થયો છે. અલબત્ત, મૃત્યુ આંક પણ વધીને ૩૧૦૮ થયો છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા ૧૬૪૭૫ થઇ છે એમાં ૯૨ દર્દી વેન્ટીલેટર ઉપર અને બાકીના ૧૬૩૮૩ સ્ટેબલ છે.

સંક્રમણને ખાળવા આવા પગલાં લેવા કેન્દ્રની સૂચના

રવિવારે કેન્દ્રીય આરોગ્ય સચિવે ગુજરાતના સુરત જિલ્લામાં વધતાં જતાં સંક્રમણને લઇને ચિંતા વ્યક્ત કરી હતી અને તેને નાથવા માટે નવા પગલાં લેવા સરકારને સૂચના આપી છે.

  •  ચેપનિયંત્રણના કડક પગલાંઓનો અમલ અને સામાજિક અંતરના પગલાંઓનું પાલન કરવું, ચુસ્ત પરિસીમા નિયંત્રણ અને ઘરે-ઘરે સક્રિયપણે કેસ તપાસ હાથ ધરીને ચેપના ફેલાવાને મર્યાદિત કરવો.
  •  RT-PCR ટેસ્ટિંગ ક્ષમતાનો વૈકલ્પિક ઉપયોગ કરીને સમગ્ર જિલ્લાઓમાં પરીક્ષણમાં વધારો કરીને વહેલાસર કેસની ઓળખ કરવી.
  •  ઘરે આઇસોલેશનમાં રહેલા કેસો ઉપર પ્રભાવશાળી દેખરેખ અને બિમારી વધવાના કિસ્સામાં વહેલાસર હોસ્પિટલમાં દાખલ કરવા.
  •  સરળતાથી હોસ્પિટલમાં ભરતી પ્રક્રિયા અને ખાસ કરીને સહબિમારી અને વૃદ્ધ વસ્તીના કિસ્સામાં તબીબી સહાયતાની જરૂરિયાત ધરાવતાં દર્દીઓને વહેલાસર દાખલ કરવા.
  •  આરોગ્યસંભાળ કાર્યકરોને ચેપના સંપર્કમાંથી સુરક્ષિત રાખવા માટે હોસ્પિટલમાં અસરકારક ચેપ નિયંત્રણ પગલાંઓ અનુસરવા.
  •  જિલ્લા કલેક્ટરો અને અન્ય કાર્યસત્તામંડળો અત્યાર જેટલી જ સખતાઇ રાખીને મહામારીને નિયંત્રિત કરવા પોતાના પ્રયત્નો ચાલુ રાખવા માટે જિલ્લા સંબંધિત આયોજનો તૈયાર કરવા અને અદ્યતન કરશે.
September 3, 2020
modigovt.jpg
1min5000

Tweeter એ સ્વીકારી પીએમ નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટના હેન્ડલને હેક થયાની વાત તપાસ ચાલી રહી છે

બુધવારે મોડી રાત્રે હેકરોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટના ટ્વીટર એકાઉન્ટને હેક કરી લીધું. આ દરમિયાન બિટકોઈનની માગ કરવામાં આવી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની પર્સનલ વેબસાઇટનું ટ્વીટર એકાઉન્ટ (@narendramodi_in)ને બુધવારે મોડી રાત્રે હેકરો દ્વારા હેક કરવામાં આવ્યું હતું. ત્યારબાદ થોડા સમયમાં તેમાં સુધાર પણ થઈ ગયો હતો. હવે આ મામલામાં ટ્વીટર પરફથી નિવેદન સામે આવ્યું છે, જેમાં હેકિંગની વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ હેકિંગ એજ પ્રકારની હતી જેમ થોડા દિવસ પહેલા બરાક ઓબામા, એલન મસ્ક જેવી હસ્તિઓના એકાઉન્ટ હેક કરીને બિટકોઇનની માગ કરવામાં આવી હતી. 

પીએમ નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટ narendramodi.in ના ટ્વીટર એકાઉન્ટ પર વેબસાઇટ સાથે જોડાયેલ અને NaMo App સાથે જોડાયેલ અપડેટ્સ શેર કરવામાં આવે છે. સમાચાર એજન્સી રોયટર્સને  આ મુદ્દે ટ્વીટરે જણાવ્યું કે, નરેન્દ્ર મોદીની વેબસાઇટના એકાઉન્ટ સાથે જે થયું છે, અમને તેની જાણકારી છે અને અમે તેને સુધારી રહ્યાં છીએ. 

બુધવારે મોડી રાત્રે આશરે 3 કલાકે @narendramodi_in એકાઉન્ટ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેમાં લખવામાં આવ્યું હતું કે, આ એકાઉન્ટ જોન વિક એ હેક કરી લીધુ છે. અડધી કલાકમાં એકાઉન્ટ યથાવત થઈ ગયું હતું. 

September 2, 2020
coronavirus.jpg
1min6860

19 માર્ચે ગુજરાતમાં પહેલો કેસ મળ્યો હતો, 2 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યે ગુજરાતમાં કોરોનાના એક્ટીવ કેસોની સંખ્યા 15948 થઈ હતી

ગુજરાતમાં કોરોના કેસોની કુલ સંખ્યા આવતીકાલ તા.3 સપ્ટેમ્બરે એક લાખની સંખ્યાને આંબી જશે. ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ તા.19મી સપ્ટેમ્બરે નોંધાયો હતો. એ પછી સતત કેસો વધી રહ્યા છે. આજરોજ તા.2 સપ્ટેમ્બરે રાત્રે 8 કલાકે રાજ્ય સરકારની સત્તાવાર માહિતી મુજબ ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 99,050 થયા હતા. હાલ છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં દૈનિક 1300 પ્લસ નવા કેસો મળી રહ્યા છે, એ પ્રોજેકશનના આધારે તા.3 સપ્ટેમ્બરને ગુરુવારે ગુજરાતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1 લાખને આંબી જશે. તા.2જી સપ્ટેમ્બરની સંખ્યામાં નવા 950 કેસો ઉમેરાશે એટલે ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા એક લાખની સંખ્યાને પાર કરી જશે.

ગુજરાતમાં કોરોના પીક પસાર થયો નથી. જોકે, ગુજરાતમાં કોરોના રીકવરી રેટ 80 ટકાની આસપાસ હોઇ, થોડી રાહત જણાય રહી છે. કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 3048 થઇ છે. જ્યારે તા.2 સપ્ટેમ્બરની રાત્રે જ ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટીવ કેસોની સંખ્યા 16000 થઇ હતી.

તા.2જી સપ્ટેમ્બરે રાત્રે 8 કલાકે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાં કોરોનાના કુલ 74,523 ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. આ સંખ્યા ઉમેરાત હવે ગુજરાતમાં કોરોના ટેસ્ટસની સંખ્યા 24,84,429 થઇ છે.

2જી સપ્ટેમ્બરના દિવસ દરમિયાન રાજ્યમાં 1305 નવા દર્દીઓ સામે 1141 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ 80,054 એ પહોંચ્યો છે. રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા દસ લાખની વસ્તી સામે પ્રતિ દિવસે 1146.50 ટેસ્ટ થાય છે.

તા.2 સપ્ટેમ્બરે રાત્રે 8 કલાકે દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

corona

September 2, 2020
24x7-1280x1281.jpg
1min10530

રાજ્ય સરકારે અનલોક-4ની ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. રાજ્યના ગૃહ વિભાગે સત્તાવાર જાહેરનામું બહાર પાડયું છે. આ જાહેરનામા મુજબ ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સ્થાનિક સ્તરે લોકડાઉન જાહેર કરી શકાશે નહીં. રાજ્યમાં આજથી હોટેલ અને રેસ્ટોરન્ટ 10 વાગ્યાના બદલે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. તેમજ હવે પબ્લિક ગાર્ડન પણ ખુલશે અને ધાર્મિક સ્થળો પણ સંપૂર્ણ ખુલ્લા રાખી શકાશે. આ સાથે જ 8 વાગ્યા સુધી ખુલ્લી રહેતી દુકાનો હવે 24 કલાક સુધી ખુલ્લી રાખી શકાશે. જોકે સ્કૂલ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.
આ ગાઈડલાઈન્સ મુજબ હવે લારી-ગલ્લા અને શેરી ફેરિયાઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. જ્યારે 60 ટકા કેપેસિટી સાથે લાઈબ્રેરીઓ પણ ખુલશે. જો કે’ સિનેમાગૃહો-મલ્ટિપ્લેક્સ હજી પણ બંધ રહેશે જ્યારે ઓપન એર થિએટર 21મીથી ખોલી શકાશે તથા ઓનલાઇન લર્નિંગ અને ડિસ્ટન્સ લર્નિંગ યથાવત રહેશે.

24 7 clock arrow icon, customer support, delivery and open symbol. Vector 24 7 round clock open supermarket or shop sign

મહત્ત્વનું છે કે, સ્કૂલો નહીં ખુલે પણ અન્ય શૈક્ષણિક કાર્યોમાં રાહત આપવામાં આવી છે. 21 સપ્ટેમ્બરથી શૈક્ષણિક સંસ્થાઓમાં 50 ટકા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને ઓનલાઈન શિક્ષણ-ટેલિ કાઉન્સાલિંગ માટે બોલાવી શકાશે. આ બાબતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી જઘઙનું પાલન કરવું પડશે.

21 સપ્ટેમ્બરથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી જઘઙ અનુસાર કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ધો.9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્વૈચ્છિ ધોરણે શિક્ષકોના માર્ગદર્શન અર્થે વાલીની લેખીતિપૂર્વ મંજૂરી મેળવી સ્કૂલે જઈ શકશે.
સ્કિલ ડેવલપમેન્ટ ટ્રાનિંગ ઈન્સ્ટિટયૂટ 21 સપ્ટેમ્બરથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી SOP અનુસાર શરૂ કરી શકશે.

ટેકનિકલ એન્ડ પ્રોફેશનલ પ્રોગ્રામ્સ ફોર PH.D અને અન્ય પોસ્ટ ગ્રેજ્યુએટ્સ કે જેમાં લેબ કે પ્રાયોગિક કાર્ય જરૂરી હોય તે અંગે ઉચ્ચ શૈક્ષણિક વિભાગ દ્વારા ગૃહમંત્રાલયના પરામર્શમાં નિર્ણય લેવામાં આવશે.

આ ઉપરાંત 100 લોકોની મર્યાદા સાથે ધાર્મિક-રાજકીય કાર્યક્રમોને છૂટ આપવામાં આવી છે. જે મુજબ, સામાજિક, શૈક્ષણિક, રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક-રાજકીય સમારોહ તથા અન્ય સમૂહમાં 21 સપ્ટેમ્બરથી 2020થી 100 વ્યક્તિની મર્યાદામાં એકઠા થવાની છૂટ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિગ. થર્મલ સ્કાનિંગ અને સેનેટાઈઝની સુવિધા સાથે આપવામાં આવશે. પરંતુ એક છત નીચે 100થી વધુ લોકોને મંજૂરી મળશે નહીં. જ્યારે’ લગ્ન સમારોહમાં 50 વ્યક્તિ જ્યારે અંતિમ ક્રિયા કે અંતિમવિધિ માટે 20 વ્યક્તિની મર્યાદા 20 સપ્ટેમ્બર સુધી યથાવત રહેશે.’ મેટ્રો શરૂ કરવાના રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. જો કે ગુજરાતમાં ક્યાંય પણ મેટ્રો નથી. માત્ર અમદાવાદમાં કહેવા પુરતા એક રૂટ પર મેટ્રોનું સંચાલન થાય છે.

September 1, 2020
corona-gujarat.jpg
1min4890

ગુજરાતમાં કોરોનાના સંક્રમણના નવા હોટ સ્પોટ તરીકે સુરત અને વડોદરા પછી સૌરાષ્ટ્રના રાજકોટ અને જામનગર શહેર-જિલ્લાએ આગેકૂચ આદરી છે. છેલ્લા એક મહિનાથી સૌરાષ્ટ્રમાં કોરોનાના સંક્રમિત કેસનો આંક એકસોથી વધુ કેસ સાથે આગળ રહેતા રાજકોટને પાછળ રાખી એક સપ્તાહથી જામનગરે આગેકૂચ જાળવી છે. સોમવારે સાંજે પૂરાં થતાં ચોવીસ કલાકમાં રાજ્યમાં નવા ૧૨૮૦ કેસ અને ૧૪ દર્દીના મૃત્યુ કોરોનાથી થયા છે એમાં જામનગર શહેરમાંથી ૯૧ કેસ અને જિલ્લાના ૨૩ મળી કુલ ૧૧૪ કેસ ઉમેરાયા છે જ્યારે એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. રાજકોટમાં નવા ૧૧૮ કેસ તથા વધુ ત્રણ દર્દીના મૃત્યુ નોંધાયા છે.

અમદાવાદ પછી સૌથી વધારે ગંભીર સ્થિતિનો સામનો કરતાં સુરતમાં નવા ૨૫૪ કેસ નોંધાયા છે એમાં શહેરના ૧૭૧ કેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વધુ ત્રણ દર્દીના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. સુરત પછી વડોદરામાં કુલ ૧૨૮ કેસ નોંધાયા છે એમાં શહેરમાંથી ૯૩ નવા કેસનો સમાવેશ થાય છે જ્યારે એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. ભાવનગર શહેરમાંથી નવા ૨૬ કેસ અને બે દર્દીના મૃત્યુ થયા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૪ કેસ નોંધાયા છે. જૂનાગઢ શહેરમાંથી ૧૮ કેસ અને ગ્રામ્યના ૧૭ મળી ૩૫ કેસ નવા નોંધાયા છે. જ્યારે પાટનગર ગાંધીનગરમાંથી નવા ૨૦ કેસ આવ્યા છે. એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૬ નવા કેસ ઉમેરાયા છે.

રાજ્યના અન્ય જિલ્લાઓની સ્થિતિ જોઇએ તો ચોમાસાના ભારેથી અતિભારે વરસાદ વચ્ચે પણ પંચમહાલ જિલ્લામાંથી નવા ૩૯ કેસ નોંધાયા છે. આ કેસ ગોધરા, હાલોલ, કાલોલ જેવા નગરો, ગ્રામ્ય વિસ્તારમાંથી ઉમેરાયા છે. આ જ રીતે અમરેલી જિલ્લામાં લાઠી લીલીયા, ધારી, સાવરકુંડલા જેવા વિસ્તારોમાંથી નવા ૩૦ કેસ નોંધાયા છે. મહેસાણાના કડી, ઊંઝા, બેચરાજી, વિજાપુર, વીસનગર જેવા વિસ્તારોમાંથી વધુ ૨૯ કેસ નોંધાયા છે.

મોરબી જિલ્લામંથી નવા ૨૮, પાટણ શહેર, સિદ્ધપુર, શંખેશ્વર સહિતના સંક્રમિત વિસ્તારોમાંથી નવા ૨૫ કેસ મળ્યા છે. સુરેન્દ્રનગરમાં મુળી, ધાંગધ્રા, વઢવાણમાંથી ૨૧ કેસ નોંધાયા છે. જ્યારે આણંદ, ભરૂચ અને કચ્છ જિલ્લામાંથી વધુ ૨૦-૨૦ કેસ ઉમેરાયા છે. સરહદી જિલ્લા બનાસકાંઠામાંથી નવા ૧૮ કેસ, ગીર સોમનાથમાંથી ૧૪ કેસ નોંધાયા છે. દાહોદ અને ખેડામાંથી ૧૩-૧૩ કેસ, દેવભૂમિ દ્વારકા અને નવસારીમાંથી ૧૨-૧૨ કેસ નવા નોંધાયા છે.

સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતિજ, ઇડરમાંથી ૧૧, છોટાઉદેપુર અને મહીસાગરમાંથી ૧૦-૧૦ કેસ, પોરબંદરમાંથી ૯, વલસાડમાંથી ૬, અરવલ્લી, બોટાદ, નર્મદામાંથી ૫-૫ તથા તાપીમાંથી ૪ નવા કેસ નોંધાયા છે

August 31, 2020
Narmada_dam_cialive2-1280x960.jpg
1min6000

નર્મદા નદી પરના તમામ મોટા ડેમ ભરાતા છોડાતા પાણીથી સરદાર સરોવરની સપાટી વધી છે. નર્મદા ડેમની સપાટી ૧૩૧.૧૩ મીટર થઈ હતી હાલ ડેમના ૨૩ ગેટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં અત્યારે ૧૦.૧૬ લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ૯.૨૨ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી લોકોનું સ્થળાંતર કરાયું છે. જ્યારે ભરૂચ ખાતે નર્મદા નદીની સપાટીમાં વધારો થતા પૂરનું સંકટ સર્જાયું છે. જ્યારે કડાણા ડેમમાંથી ૪.૨૦ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સતત બીજા વર્ષે નર્મદા નદીએ ૩૦ ફૂટથી વધુની સપાટીએ વહેવા લાગી છે તેમ જ પૂરને પગલે ભરૂચ, અને નર્મદા જિલ્લાના નદી કાંઠાના વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે.

નર્મદા નદીમાં પૂરની શરૂઆત થતાં જ ડભોઇ તાલુકાના ૩, શિનોર તાલુકાના ૧૧ અને કરજણ તાલુકાના ૧૧ ગામ મળી કુલ્લે ૨૫ ગામના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યાં હતાં. અને નદી કિનારાના લોકોને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ચાંદોદમાં મલ્હાર ઘાટ રાત્રે જ ડૂબી ગયો હતો. તે બાદ સવારે કરનાળી ગામમાં બસ સ્ટેન્ડ અને પોલીસ ચોકી સુધી પાણી આવી ગયાં હતાં. નદી કિનારાના ગામોમાં પાણી આવવાની શરૂઆત થતાં તંત્ર દ્વારા ચાંદોદમાં સાઇરન વગાડીને એલર્ટ કરવામાં આવ્યા હતા.

મધ્ય પ્રદેશના ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની આવક થતાં ૮.૧૩ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લા કલેક્ટર ડો. એમ.ડી. મોડિયાએ તાકીદની બેઠક બોલાવી નર્મદા કિનારાના ભરૂચના ૧૨, અંકલેશ્ર્વરના ૧૪ અને ઝઘડિયાના ૧૩ ગામોના ૧૩૮૭ લોકોનું તાકીદે સ્થળાંતર કરાવ્યું હતું. કલેક્ટરે અધિકારીઓને ગોલ્ડન બ્રિજની સપાટી પર ચાંપતી નજર રાખવા સૂચના આપી હતી. એનડીઆરએફની એક ટીમને પણ તહેનાત કરી દેવામાં આવી હતી. બીજી તરફ તવરા ગામના લોકોને એલર્ટ જાહેર કરતા સ્થાનિકો જ હોડીમાં લોકોને સ્થળાંતર કરી રહ્યા છે. ભરૂચ તાલુકા મામલતદાર પી.ડી પટેલે જણાવ્યું હતું કે, પશુપાલન અને માછીમારી માટે નદીની બીજે પાર વરસાદ તવરા, મંગલેશ્ર્વર, નિકોરા, શુક્લતીર્થ સહિતના ગામ લોકોને ગામમાં પરત લવાયા છે. વહીવટી તંત્રએ નદી કિનારાના ગામોને એલર્ટ કર્યા છે.

નર્મદા નદીમાં ડેમમાંથી પાણીની આવક થતા ગોલ્ડન બ્રિજ ખાતે સપાટી ૨૭ ફૂટે પહોંચી છે. ૮ લાખ ક્યૂસેક પાણી છોડાતું હોવાથી નદીની સપાટી ૩૦ ફૂટ સુધી પહોંચવાની સંભાવના છે. ભરૂચમાં સતત બીજા વર્ષે પણ નર્મદા નદી ભયજનક સપાટી વટાવી છે. નદીની ભયજનક સપાટી ૨૪ ફૂટની છે.

August 30, 2020
corona_india.jpg
1min6930

ભારતમાં કોરોનાને લઇને કેવા કેવા વિપરીત સંજોગો સર્જાય રહ્યા છે એ જાણીને સમગ્ર વિશ્વ અચંબિત થઇ રહ્યું છે. ભારતમાં જ્યારે 3 આંકડામાં કેસો હતા ત્યારે લૉકડાઉન કરાયું હતું હવે દૈનિક કેસોના દરરોજ નવા રેકોર્ડ થઇ રહ્યા છે ત્યારે ભારત અનલૉકનો વિસ્તાર કરી રહ્યું છે. શનિવાર તા.30મી ઓગસ્ટ 2020ના રોજ ભારતના નામે એક નવો રેકોર્ડ થયો છે અને એ ચોવીસ કલાકમાં વિશ્વમાં સૌથી વધુ કોરોનાના નવા કેસોનો રેકોર્ડ છે. શનિવારના 24 કલાકમાં ભારતમાં સૌથી વધુ કેસો 79000 પ્લસ એકલા ભારતમાં થયા છે અને અત્યાર સુધી વિશ્વમાં કોઇ દેશમાં આટલી મોટી સંખ્યામાં એક દિવસમાં કોરોનાના નવા કેસો નોંધાયા નથી.

વાયરસ મહામારી દિવસે દિવસે અત્યંત ગંભીર બની રહી છે. શનિવારે દેશમાં આશરે 79,000 નવા કેસ નોંધાયા છે. જે દુનિયામાં કોઈપણ દેશમાં અત્યાર સુધી એક જ દિવસમાં આવેલ સૌથી મોટો આંકડો છે. આ સાથે દેશમાં કોરોના પોઝિટિવ કેસ 35 લાખને પાર થઈ ગયા છે.

દેશમાં છેલ્લા 7 દિવસમાં 4,96,070 કેસ નોંધાયા છે. આ રીતે છેલ્લા 7 દિવસમાં સરેરાશ 70,867 કેસ નોંધાયા છે. સાત દિવસના સમયગાળા દરમિયાન વિશ્વમાં સૌથી વધુ આ સંખ્યા નોંધાઈ છે, જે જુલાઈના અંતમાં યુ.એસ.ના સૌથી ખરાબ સ્પાઇક્સ કરતાં વધારે છે. કોઈપણ એક રાજ્યની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં શનિવારે સૌથી વધુ 16,867 કેસ છે. જે 26 ઓગસ્ટના રોજ નોંધાયેલા રાજ્યના અગાઉના 14,888 કરતા વધારે છે.

અન્ય રાજ્યોમાં પણ એવું જ છે. આંધ્રપ્રદેશ (10,548, સતત ચોથા દિવસે 10 હજારથી વધુ), કર્ણાટક (8,324, છેલ્લા પાંચ દિવસમાં 8 હજારથી વધુ), તમિલનાડુ (6,352) અને ઉત્તર પ્રદેશ (5,684) માં સૌથી વધુ કેસ નોંધાયા છે. તમિલનાડુમાં, 29 જુલાઈ પછી પહેલીવાર, સકારાત્મક કેસો 6,000ને વટાવી ગયા. તાજેતરના સમયમાં, વધતા જતા કેસો સાથે, સક્રિય કેસના પૂલમાં તેજી જોવા મળી છે. છેલ્લા ચાર દિવસમાં લગભગ 49,000 સક્રિય કેસ નોંધાયા છે, જે કુલ 7,66,226 છે.

August 30, 2020
corona-gujarat.jpg
1min4900

30 August છેલ્લા ચોવીસ કલાકમાં નવા વિક્રમ સાથે ૧૨૮૨ કેસ મળ્યા છે એની સાથે વધુ ૧૩ દર્દીના કોવિડ-૧૯ને લીધે મૃત્યુ થયાનું સરકારે સ્વીકાર્યું છે. નવા ૭૪,૨૩૪ ટેસ્ટ કરવામાં આવતાં કુલ આંક ૨૧,૯૫,૯૮૫ સુધી પહોંચી ગયો છે. આ સમયમાં વધુ ૧૧૧૧ દર્દીને આઇસીએમઆરની ગાઇડલાઇન્સ મુજબ ડિસ્ચાર્જ કરતાં કુલ સંખ્યા ૭૫૬૬૨ સુધી પહોંચી છે. આમ, રાજ્યનો રિવકરી રેટ ૮૦.૯૫ સુધી પહોંચી ગયો છે. અલબત્ત, એક્ટિવ કેસ ૧૫,૨૩૦ સુધી પહોંચ્યા છે એમાંથી ૮૯ વેન્ટીલેટર કેર ઉપર છે અને ૧૫૧૪૧ સ્ટેબલ છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ ૨૭૩ કેસ સુરતના છે. શહેરમાંથી ૧૮૧ અને ગ્રામ્યના ૯૨ કેસનો સમાવેશ થાય છે શહેરના બે દર્દીના મૃત્યુ થયા છે.

અમદાવાદમાં નિયંત્રિત સ્થિતિમાં શહેરના દૈનિક કેસ ૧૪૩ અને ગ્રામ્યમાંથી નવા ૨૧ કેસ મળી ૧૬૪ કેસ ઉમેરાયા છે. વડોદરા શહેરમાંથી નવા ૮૯ કેસ તો જિલ્લામાંથી ૩૫ કેસ નવા મળ્યા છે. શહેરના એક દર્દીનું મૃત્યુ પણ થયું છે.

સૌરાષ્ટ્રમાં જામનગર શહેરમાંથી નવા ૮૮ કેસ અને એક દર્દીના મૃત્યુ નોંધાયા છે. ગ્રામ્યમાંથી ૧૪ નવા કેસ નોંધાયા છે. રાજકોટમાંથી નવા ૭૯ કેસ અને બે દર્દીના મૃત્યુની જાહેરાત કરાઇ છે. ગ્રામ્યમાંથી નવા ૩૬ કેસ નોંધાયા છે. ભાવનગરમાંથી ૩૬ અને ગ્રામ્યમાંથી ૨૫ કેસ ઉમેરાયા છે. જૂનાગઢમાંથી કુલ ૨૮ કેસમાં શહેરના ૧૫નો સમાવેશ થાય છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ જોઇએ તો અમરેલી, ગીર સોમનાથ, મહેસાણા અને મોરબીમાં એક એક દર્દીના મૃત્યુ નોંધાયા છે એની સાથોસાથ પંચમહાલમાં નવા ૩૪ કેસ, કચ્છ અને મોરબીમાંથી નવા ૨૮-૨૮ કેસ નોંધાયા છે. અમરેલીમાંથી નવા ૨૫, ગીર સોમનાથમાંથી ૨૨, ભરૂચ ૨૧, મહેસાણા ૨૦ કેસ નવા ઉમેરાયા છે. જ્યારે પાટણ જિલ્લામાંથી ૧૯, બનાસકાંઠા અને દાહોદમાંથી ૧૮-૧૮ કેસ, ખેડામાંથી ૧૬ નવા કેસ નોંધાયા છે.

સુરેન્દ્રનગર અને વલસાડ જિલ્લામાંથી ૧૩-૧૩ કેસ, અરવલ્લી અને નવસારીમાંથી ૧૧-૧૧ કેસ, આણંદ અને છોટાઉદેપુરમાંથી ૧૦-૧૦, દેવભૂમિ દ્વારકા, નર્મદામાંથી ૯-૯, મહીસાગરમાંથી ૮, બોટાદમાંથી ૭, પોરબંદર ૫, ડાંગમાંથી ૪ નવા કેસ ઉમેરાયા છે.

August 30, 2020
unlock-4.jpg
2min4470

કેન્દ્રસરકારે કોરોનાની ચેપને અટકાવવા માટે લાગૂ લોકડાઉનના નિયમોમાં વધુ રાહત આપીને અનલોક-૪ની જાહેરાત કરી દીધી છે. પહેલી સપ્ટેમ્બરથી અમલમાં આવનારા અનલોક-૪માં રમત-ગમત, મનોરંજન, ધાર્મિક, રાજકીય કાર્યક્રમને તબક્કાવાર મંજૂરી આપવામાં આ‌વી છે તો મેટ્રો ટ્રેન પણ સાત સપ્ટેમ્બરથી દોડવા લાગશે. જોકે સ્કૂલ, કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ ૩૦ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.

ગૃહ મંત્રાલય દ્વારા અનલોક-૪ માટે જારી કરવામાં આવેલા દિશાનિર્દેશ મુજબ, ૨૧ સપ્ટેમ્બરથી ૧૦૦ વ્યક્તિની મહત્તમ મર્યાદાની સાથે સામાજિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમને મંજૂરી અપાશે. આ કાર્યક્રમોમાં માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાનું રહેશે. થર્મલ સ્કેનિંગ, હેંડ‌વોશ અને સેનિટાઇઝરનો ઉપયોગ જરૂરી હશે.

૨૧ સપ્ટેમ્બરથી ઓપન એર થીયેટર પણ ખોલવાની મંજૂરી અપાઇ છે. સિનેમા હોલ, સ્વિમિંગ પુલ અને થીયેટર ૩૦ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. આંતરરાષ્ટ્રીય હવાઇ યાત્રા સ્થગિત રહેશે. જોકે સરકાર દ્વારા મંજૂર યાત્રા કરી શકાશે. પરંતુ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૫૦ ટકા સુધી શિક્ષણ, બિન-શૈક્ષણિક કર્મચારીઓને ઓનલાઇન શિક્ષણ, ટેલી-કાઉન્સેલિંગ સાથે સંબંધિત કામગીરી માટે સ્કૂલોમાં બોલાવી શકાય છે. 

કન્ટેન્મેન્ટ ઝોન્સથી બહાર સ્થિતિ સ્કૂલોમાં નવમાથી ૧૨માં ધોરણ સુધીના વિદ્યાર્થીઓને વાલીની લેખિત સંમતિથી જવાની મંજૂરી આપી શકાય છે. કન્ટેઇન્ટેન્ટ ઝોન્સમાં લોકડાઉન ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી વધારી દીધું છે. ઝોન્સની ઓળખ અગાઉની જેમ જિલ્લા વહીવટીતંત્રના હવાલે છે. આ ઝોન્સમાં આવશ્યક ચીજોને બાદ કરતાં આકરા પ્રતિબંધ મુકવાનો આદેશ અપાયો છે.

સાત સપ્ટેમ્બરથી તબક્કાવારરીતે મેટ્રો ચલાવવાની મંજૂરી અપાઇ છે. સરકારે જારી કરેલી માર્ગરેખામાં કહેવાયું છે કે ગૃહમંત્રાલયના સંકલન સાથે શહેરી વિકાસ મંત્રાલય/રેલવે મંત્રાલય દ્વારા મેટ્રો ટ્રેનોને સાત સપ્ટેમ્બરથી તબક્કાવારરીતે ચલાવવામાં ‌આવશે. કોરોના વાયરસના ચેપને અટકાવવા માટે અમલી લોકડાઉનને કારણે ૨૨ માર્ચથી જ દેશમાં મેટ્રોની કામગીરી બંધ છે. મેટ્રો સેવા શરૂ થવાથી ઓફિસ અને અન્ય સ્થળોએ જવા માટે મેટ્રોની મુસાફરી પસંદ કરતાં એનસીઆરના લોકોને મોટી રાહત મળશે. કોરોના કાળમાં મેટ્રોને સલામતરીતે ચલાવવાની ખાસ તૈયારી કરાઇ છે.

અધિકારીઓએ જણાવ્યું કે મેટ્રો સ્ટેશનો અને ટ્રેનોમાં માસ્ક અનિવાર્ય હશે અને માસ્ક વગરના લોકોને મેટ્રોની ઇમારતમાં ઘુસવા નહિ દેવાય. આની સાથે એકબીજાની વચ્ચે અંતરનું પાલન કરવામાં આ‌વશે. ટ્રેનો યાત્રીઓના ચઢવા અને ઉતરવા માટે નિયમિત દિવસોની સરખામણીએ વધુ સમય સુધી થોભશે, જેથી મુસાફરો એમ કરતાં એક બીજાથી અંતર રાખી શકે.

 ગૃહ મંત્રાલયે કહ્યું છે કે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો ૫૦ ટકા શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને ઓનલાઇન શિક્ષણ અને ટેલી કાઉન્સેલિંગ માટે સ્કૂલોમાં બોલાવી શકે છે. એડવાઇઝરીમાં એવું પણ કહેવાયું છે કે કોઇ પણ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ સ્થાનિક સ્તરે કોઇ લોકડાઉન અમલી નહિ કરે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે સરકારે કેન્દ્રસરકારે વાયરસને વધતો અટકાવવા માટે આ પ્રકારના મેળાવડાં પર પ્રતિબંધ મુકી દીધો હતો.

સરકારે જૂનમાં અનેક અગમચેતી સાથે પૂજાના સ્થળોને ફરી ખેલવાની મંજૂરી આપી હતી. જોકે ધાર્મિક પ્રસંગોને મંજૂરી અપાઇ નહતી. આ અઠવાડિયે જ સુપ્રીમ કોર્ટે મુહર્રમના જૂલુસ કાઢવાની મંજૂરી આપી નહતી. તેનું કહેવું હતું કે જો તેને મંજૂરી અપાશે તો ‘ગરબડ’ થશે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાના કેસોમાં સતત તીવ્ર વધારો થઇ રહ્યો છે. દરરોજ ચેપના આશરે ૭૦,૦૦૦ નવા કેસો નોંધાઇ રહ્યા છે. આની સાથે જ ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને ૩ લાખને પાર કરી ગઇ છે. દેશમાં અત્યારસુધી ૬૨,૦૦૦થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે.

આ બધું ખુલી જશે…

-સાત સપ્ટેમ્બરથી

 મેટ્રો સેવાઓને માર્ગરેખાઓની સાથે મંજૂરી

-૨૧ સપ્ટેમ્બરથી

– સામાજિક/શૈક્ષણિક/રમત-ગમત/મનોરંજન/સાંસ્કૃતિક/ધાર્મિક/રાજકીય કાર્યક્રમ ૧૦૦ લોકો સુધી સાથે કરાવી શકાશે. સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક હેંડવોશ, થર્મલ સ્કેનિંગ અનિવાર્ય.

– ઓપન એર થીયેટરને મંજૂરી

-ટીચર્સથી સલાહ લેવા માટે ૯મીથી ૧૨માં ધોરણ સુધી વિદ્યાર્થી સ્વૈચ્છિક ધોરણે સ્કૂલ જઇ શકશે. જોકે કન્ટેન્ટમેન્ટ ઝોનથી બહારના આ વિદ્યાર્થીઓને જ આ લાભ મળશે.

-શાળાઓનો 50 ટકા ટિચિંગ અને નોન ટિચિંગ સ્ટાફ શાળાએ ઓનલાઇન ક્લાસ તથા અન્ય કામગીરી માટે જઇ શકશે.

-૨૧ સપ્ટેમ્બરથી ટેકનીકલ અને પ્રોફેશનલ કાર્યક્રમો (જેમાં લેબ અથવા પ્રેક્ટિકલની જરૂર છે)વાળા પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ અને પીએચડીના વિદ્યાર્થીઓ માટે ટોચના શિક્ષણ સંસ્થાન ખોલી શકાશે.

આ વધુ બંધ રહેશે

  • -કન્ટેન્ટમેન્ટ ઝોન્સમાં ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી લોકડાઉનની મર્યાદામાં કોઇ પણ પ્રકારની રાહત નહિ અપાય.
  • -સિનેમા હોલ, એન્ટરટેઇન્મેન્ટ પાર્ક
  • -સ્વીમિંગ પુલ જેટલા સ્થળો.