CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 22 of 138 - CIA Live

January 1, 2022
vaccine-1.jpg
1min545

આજથી દેશભરમાં 15થી 18 વર્ષના બાળકોના વેક્સિનેશન માટે કોવિન પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. વેક્સીન માટે આજથી 15થી 18 વર્ષની વયના કિશોરો પણ એલિજિબલ ગણવાનું શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આ વયજૂથના બાળકોને કોવાક્સીન વેક્સીન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

15-18 વયજૂથના કોરોના રસીકરણની નોંધણી આજથી શરૂ, 3 જાન્યુઆરીથી ઉપલબ્ધ થશે રસી

સરકારની માર્ગદર્શિકા અનુસાર, આ વય જૂથના લોકો 1 જાન્યુઆરીથી તેમના ID કાર્ડનો ઉપયોગ કરીને CoWin એપ્લિકેશન પર સ્લોટ બુક કરી શકે છે. કોવિન પ્લેટફોર્મના વડા ડો. શર્માએ અગાઉ કહ્યું હતું કે આધાર અને અન્ય રાષ્ટ્રીય ઓળખ કાર્ડ સિવાય, બાળકો નોંધણી માટે તેમના ધોરણ 10ના આઈડી કાર્ડનો પણ ઉપયોગ કરી શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બર 2021ના રોજ તેમના સંબોધન દ્વારા જાહેરાત કરી હતી કે 3 જાન્યુઆરી, 2022થી 15 થી 18 વર્ષની વયજૂથના બાળકોને કોવિડ-19ની રસી આપવામાં આવશે.

January 1, 2022
vaishno-devi-golden-gate-in-darbar_1569770611.jpeg
1min514

દર વર્ષે નવા વર્ષ નિમિત્તે હજારોની સંખ્યામાં ભક્તો માતા વૈષ્ણો દેવીના મંદિરે પહોંચે છે. એ દરમિયાન શનિવારની વહેલી પરોઢીએ દર્શન માટે ઉમડેલી હજારો લોકોની ભીડમાં કોઇક અગમ્ય કારણોસર નાસભાગ મચી જવા પામી હતી.

જમ્મુ-કાશ્મીરમાં કટરા સ્થિત વૈષ્ણોદેવી મંદિરમાં મોડી રાતે લગભગ 2.45 વાગ્યે ભાગદોડ મચી હતી, જેમાં 12 લોકોનાં મોત થયાં છે અને 14થી વધારે લોકો ઘાયલ થયા છે, એમાં 3 લોકોની હાલત ગંભીર છે. તમામ ઘાયલોને સ્થાનિક નારાયણ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

વૈષ્ણોદેવી ભવનમાં થયેલી નાસભાગમાં અત્યાર સુધી 12 લોકોનાં મૃત્યુ થયા છે અને 13 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

હેલ્પ લાઇન નંબરો

સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. હેલ્પલાઇન નંબરો- 01991-234804, 01991-234804; PCR રિયાસી – 9622856295, DC ઓફિસ રિયાસી કંટ્રોલ રૂમ નંબર – 01991-245763, 9419839557 પર ફોન કરીને મૃતકો અને ઘાયલોની માહિતી મેળવી શકાશે.

December 25, 2021
vacrus.jpg
2min501

ગુજરાતમાં કોરોના ઇફેક્ટ

ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી કોરોના કેસમાં અસાધારાણ વધારો તેમ જ ઓમાઇક્રોનની અન્ટ્રીને પગલે હવે ધીરે ધીરે સરકારે પણ કોરોના ગાઇડ લાઇનમાં આપેલી કેટલીક છૂટ પણ પાછી ખેંચવાની શરૂઆત કરી છે. અમદાવાદ સહિતનાં આઠ મહાનગરોમાં યથાવત્ રખાયેલા રાત્રિ કરફ્યુમાં હવે આવતીકાલે ૨૫મી ડિસેમ્બરથી  બે કલાકનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે શુક્રવારે જાહેરનામું બહાર પાડીને આ નિર્ણયની જાહેરાત કરી છે.

ગુજરાતમાં કોરોનાને લીધે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ આઠ મહાનગરોમાં નાઇટ કરફ્યુ લાદ્યો હતો. કોરોના કેસ ઘટતા તેમાં ક્રમશ: ઘટાડો કરવામાં આવ્યો હતો. છેલ્લે આ આઠ મહાનગરોમાં રાતના એક વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધીનો કરફ્યુ અમલમાં મુકાયો હતો, પરંતુ શુક્રવારે સરકારે હવે રાતના ૧૧ વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધીનો કરફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે.

રાજ્યમાં આઠ મહાનગરોમાં આવતીકાલે ૨૫મી ડિસેમ્બર શનિવારથી રાત્રિ કરફ્યુના હાલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવું જાહેરનામું ૩૧મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. જોકે ૨૦મી ડિસેમ્બરે   રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યું હતું, તે મુજબ રાત્રિ કરફ્યુનો સમય રાતના એકથી સવારના ૫ વાગ્યા સુધી યથાવત રખાયો હતો. પરંતુ રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણના કારણે સરકારે ચાર  દિવસમાં નવું નોટિફિકેશન જાહેર કરવું પડ્યું હતું. જ્યારે રેસ્ટોરાંને રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન ૩૧મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

ઉત્તર પ્રદેશમાં આજ 25/12/21થી નાઈટ કરફ્યુ

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સંપૂર્ણ રાજ્યમાં શનિવારથી કડક નિયંત્રણો અને નાઈટ કરર્ફ્યુ લાદવાનો શુક્રવારે આદેશ આપ્યો હતો. 
સમગ્ર રાજ્યમાં રાત્રે ૧૧:૦૦ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી નાઈટ કરફ્યુ લાગુ રહેશે, એમ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધન કરતા મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે લગ્ન સમારોહ કે મેળાવડાઓમાં હાજર રહેનારાંઓની સંખ્યા મર્યાદિત કરીને ૨૦૦ કરવાની સૂચના આપી હતી. 

સમારોહ અને મેળાવડાઓમાં કોરોનાની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેની તકેદારી રાખવાનું પણ જણાવી દેવામાં આવ્યું છે. આયોજકોએ કાર્યક્રમ અંગે સ્થાનિક વહીવટકર્તાઓને આગોતરી જાણ કરવાની રહેશે, એમ અધિકારીઓએ કહ્યું હતું. 
તમામ વેપારીઓ તેમની દુકાન 

તેમ જ સંસ્થાનોમાં ‘નૉ માસ્ક, નૉ ગુડ્સ’ની નીતિ અપનાવે તેની ખાતરી કરવાનું પણ અધિકારીઓને જણાવી દેવામાં આવ્યું છે. 
રસ્તા અને બજારમાં નીકળનાર તમામ માટે માસ્ક ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. 
માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તે માટે પોલીસને સતત દેખરેખ રાખવાનું જણાવી દેવામાં આવ્યું છે. 
અન્ય રાજ્યમાંથી ઉત્તર પ્રદેશ આવતા લોકો શોધી કાઢી તેમનો કોરોના ટૅસ્ટ કરવામાં આવે તેની ખાતરી કરવાનો અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે. 

બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને ઍરપોર્ટ પર વિશેષ રીતે ચાંપતી નજર રાખવાનો પણ આદેશ આપી દેવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું. 
હાલને તબક્કે રાજ્યમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧.૯૧ લાખ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેમાંથી ૪૯ નમૂનાનો ટૅસ્ટ પૉઝિટીવ આવ્યો હતો.

આ જ સમયગાળામાં કોરોનાના ૧૨ દરીદી સાજા થઈ ગયા હતા. રાજ્યમાં કોરોનાના ૨૬૬ સક્રિય કેસ છે. રાજ્યના ૩૭ જિલ્લામાં કોરોનાનો એકપણ દરદી ન હોવાનું તેમણે કહ્યું હતું.

મહારાષ્ટ્રમાં નવેસરથી નિયંત્રણો

રાજ્યમાં વધી રહેલા કોરોનાના રોગચાળાને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે કોરોનાનો પ્રસાર રોકવા માટે કેટલાક નિયંત્રણો શુક્રવારે મધરાતથી લાગુ કરવામાં આવ્યા છે, જેમાંથી રાતે નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી રાજ્યમાં જમાવબંધી લાગુ કરવા ઉપરાંત અનેક પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યા છે. 

યુરોપ અને બ્રિટનમાં ઓમાઈક્રોન વેરિયેન્ટને કારણે દરદીની સંખ્યા બમણી ઝડપથી વધી રહી છે. વિશ્ર્વના ૧૧૦ દેશોમાં ઓમાઈક્રોનનો પ્રસાર થયો છે. આ વાઈરસનો પ્રસાર ઝડપથી થતો હોવાથી અત્યારે કેટલાક નિયંત્રણો લાદવા અને આગામી સમયમાં તેનો પ્રસાર જોઈને વધુ આકરા નિયંત્રણો લાદવામાં આવશે, એમ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે રાતે જણાવ્યું હતું. 

તેમણે એમ પણ જણાવ્યું હતું કે કેન્દ્રીય આરોગ્ય ખાતાએ પણ બધા જ રાજ્યોને રોગચાળો રોકવા માટે પૂરતા પગલાં લેવા માટે જણાવ્યું છે. અત્યારે આપણે લગાવી રહ્યા છીએ તે નિયંત્રણો પ્રાથમિક સ્વરૂપના છે અને અત્યારે તેને લાગુ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં આનાથી પણ કઠોર નિયંત્રણો લાદવા પડે એવી સ્થિતિ સર્જાવાની ભિતી છે, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. 

રાજ્યમાં છેલ્લા બે દિવસમાં એક હજારથી વધુ પોઝિટિવ દરદી મળી આવ્યા છે અને તેની વચ્ચે ક્રિસમસ, લગ્નો, નવા વર્ષનું સ્વાગત વગેરેને કારણે ગરદીમાં વધારો થઈને રોગચાળો ફેલાવાની શક્યતા રહેલી હોવાથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદો, ૨૦૦૫ લાગુ કરીને વધારાના નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. 

  • આખા રાજ્યમાં સાર્વજનિક સ્થળો પર પાંચથી વધુ લોકોને એકઠા થવા પર રાતે ૯ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી પ્રતિબંધ
    લગ્ન સમારંભ માટે બંધ હોલમાં એક સમયે ૧૦૦થી વધુ લોકો એકઠા થઈ શકશે નહીં, ખુલ્લા સ્થળોમાં વધુમાં ૨૫૦થી વધુ લોકો અથવા કુલ ક્ષમતાના ૨૫ ટકા લોકોને પરવાનગી આપવામાં આવશે
  • અન્ય સામાજિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમો માટે પણ હાજર લોકોની સંખ્યા ૧૦૦થી વધુ નહીં અને ખુલ્લા મેદાનમાં ૨૫૦થી વધુ અથવા ક્ષમતાના ૨૫ ટકાથી વધુ નહીં, જે ઓછી હશે તેની પરવાનગી આપવામાં આવશે
  • ઉપરોક્ત બંને બાદ કરતાં અન્ય કાર્યક્રમો માટે જ્યાં બેઠકોની સંખ્યા નિશ્ર્ચિત છે ત્યાં બેઠકોની ક્ષમતાના ૫૦ ટકા ક્ષમતા અને જ્યાં બેઠકોની સંખ્યા નિશ્ર્ચિત નથી ત્યાં ક્ષમતાના ૨૫ ટકા લોકોને પરવાનગી આપવામાં આવશે. 
  • રમત સ્પર્ધા, રમતોત્સવ વગેરે માટે કાર્યક્રમ સ્થળની ક્ષમતાના ૨૫ ટકા લોકોને પરવાનગી
  • ઉપરોક્ત કોઈપણ પ્રકારમાં ન આવતા કાર્યક્રમોમાં કેટલા લોકોને પરવાનગી આપવી તે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ નક્કી કરશે
  • હોટેલ, જિમ, સ્પા, થિયેટરો, સિનેમા હોલ વગેરે સ્થળે ક્ષમતાના ૫૦ ટકા લોકોને પ્રવેશ આપવામાં આવશે. આ બધાને તેમની પૂર્ણ સંખ્યા અને ૫૦ ટકા ક્ષમતા જાહેર કરવી પડશે.
  • આ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલને આવશ્યક જણાશે ત્યાં વધારાના નિયંત્રણો લાદી શકશે. 

December 23, 2021
farmers.jpg
1min661

આખા દેશમાં આજે 23/12/21 રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર દેશભરમાં ખેડૂતોના યોગદાનને લઈને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

23 ડિસેમ્બરે જ શા માટે ઉજવવામાં આવે છે?

હકીકતમાં ભારતના 5મા વડાપ્રધાન અને ખેડૂતોના મસીહા ચૌધરી ચરણ સિંહની જન્મ જયંતીના અવસર પર દર વર્ષે આ ખાસ દિવસ ઉજવવામાં આવે છે. ભારતીય ખેડૂતોની સ્થતિમાં સુધારો લાવવાનો શ્રેય ચૌધરી ચરણ સિંહને આપવામાં આવ્યો છે. તેઓ પોતે ખેડૂત પરિવારમાંથી હોવાના કારણે તેઓ ખેડૂતોની સમસ્યાઓ અને પરિસ્થિતિથી સારી રીતે વાકેફ હતા જેના કારણે તેમણે ખેડૂતો માટે અનેક સુધારાના કામો કર્યા છે.

ખેડૂતોનું દેશના વિકાસમાં મોટું યોગદાન હોય છે તેથી આપણે ખેડૂતોનું સન્માન કરવું જોઈએ. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે. આ ખાસ દિવસનો હેતુ ખેડૂતોના યોગદાનની પ્રશંસા કરવાનો જ છે. દેશમાં આ પ્રસંગે ખેડૂત જાગરૂકતાથી લઈને અનેક પ્રકારના કાર્યક્રમો થાય છે.

આ દિવસને ઉજવવા પાછળનો એક બીજો ઉદ્દેશ્ય એ છે કે, તે નવીનતમ શિક્ષણ સાથે સમાજના ખેડૂતોને સશક્ત બનવાનો વિચાર આપે છે. ખેડૂત દિવસની ઉજવણી લકોને ખેડૂતો સામે આવતા અલગ-અલગ મુદ્દાઓ વિશે શિક્ષિત કરવાનું કામ કરે છે.

December 21, 2021
harsh_shanghvi_CiA_live-1.jpg
1min491

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં હેડ ક્લાર્કની ખાલી પડેલી 186 જગ્યાઓ પર હાથ ધરાયેલી ભરતી પ્રક્રિયા અન્વયે યોજાયેલી લેખિત પરીક્ષાનું પેપર લીક થયું હતું.

ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ પરીક્ષા રદ ગણવાની જાહેરાત તા.21મી ડિસેમ્બર 2021ના રોજ બપોરે ગાંધીનગર ખાતે કરી છે.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પરીક્ષાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે આગામી માર્ચ મહિનામાં ફરીથી પરીક્ષા લેવાશે. જે ઉમેદવારોની નિર્ધારિત વય હવે પછી વધી ગઇ હશે તો પણ તેમને પરીક્ષા આપવા માટે લાયક ગણાવાશે. એટલું જ નહીં પણ જે ઉમેદવારોનું સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન થયું છે એ તમામ હવે પછીની પરીક્ષા માટે લાયક ગણાશે.

12 ડિસેમ્બરના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. ત્યાર બાદ ગૃહ રાજ્યમંત્રીએ પણ પેપરલીક થયું હોવાનો સ્વીકાર કર્યો હતો. આ મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, 14 આરોપીની ધરપકડ થઈ ગઈ છે. તેમજ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવે છે. આ પરીક્ષા માર્ચમાં ફરીથી લેવાશે. ગૌણ સેવા પસંદગી મંડળની ભૂલ હશે તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે. જો ગમે તે અધિકારીની ભૂલ સામે આવશે તો તેની સામે પગલાં લેવાશે.

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગૌણ સેવા પસંદગી મંડળ સાથે ચર્ચા કર્યા બાદ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી માર્ચ મહિનામાં ફરીવાર હેડક્લાર્કની પરીક્ષા લેવાશે. નવી પદ્ધતિથી પરીક્ષા લઈ શકાય તે માટે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરાઈ છે. 70 પરીક્ષાર્થીઓએ પેપર લીધા હતાં તેમને પણ છોડાશે નહીં. હવે એવી વ્યવસ્થા સાથે પરીક્ષા લેવાશે કે ગેરરીતિની કોઈ તક નહીં રહે. પેપર લેનારને એવી સજા કરાશે કે વર્ષો સુધી બહાર નહીં આવી શકે.

December 21, 2021
aishwarya.jpg
1min722

૨૦૧૬માં લિક થયેલા કરચોરી વિશેના વૈશ્ર્વિક ‘પનામા પૅપર કૌભાંડ’ મામલે ઐશ્ર્વર્યા રાય બચ્ચનની સોમવારે ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરૅટ (ઇડી) સમક્ષ હાજર થઇ હતી અને ઇડીના અધિકારીઓએ એની છ કલાક સુધી પૂછતાછ કરી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. 
ફેમા કાયદા હેઠળ ઐશ્ર્વર્યાની પૂછતાછ કરવામાં આવી હતી અને ઐશ્ર્વર્યાએ આપેલા જવાબો નોંધવામાં આવ્યા હતા. 

Aishwarya Rai leaves ED office after five hours of questioning in Panama  Papers leak case. Watch | Bollywood - Hindustan Times

ઇડીના અધિકારીઓ સમક્ષ ઐશ્ર્વર્યાએ કેટલાક દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા. નવી દિલ્હીના જામ નગર હાઉસ ખાતે આવેલા ઇડીના કાર્યાલયમાં ઐશ્ર્વર્યાની સાંજે ૭ વાગ્યા સુધી પૂછતાછ કરવામાં આવી હતી. 

વોશિંગ્ટનના ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટોના એક જૂથે ૨૦૧૬માં વિશ્ર્વના નેતાઓ અને ખ્યાતનામ વ્યક્તિઓ દ્વારા વિદેશની કંપનીઓ તથા સંપત્તિમાં કરેલા બેનામી રોકાણની માહિતી જાહેર કરી હતી અને એ ‘પનામા પૅપર કૌભાંડ’ના નામે ઓળખાય છે. એમાંથી કેટલીક વ્યક્તિઓનું રોકાણ કાયદેસરનું  પણ છે.


લિક કરાયેલી માહિતીમાં ભારત સાથે સંકળાયેલા ૪૨૬ કેસની વિગતો છે. ૨૦૧૬-૧૭થી ઇડી બચ્ચન કુટુંબની આ કેસમાં સંડોવણી વિશે તપાસ કરી રહી છે. આ અગાઉ અભિષેક બચ્ચનને પણ પૂછતાછ માટે બોલાવવામાં આવ્યો હતો.

December 19, 2021
election_voting.jpg
1min468

સમગ્ર રાજ્યની તમામ ગ્રામ પંચાયતો મળીને 8560 સરપંચ, 53 હજાર સભ્યો માટે આજે તા.19મી ઓક્ટોબર 2021ના રોજ સવારે 7 કલાકથી શરૂ થયું મતદાન

આજે રવિવાર તા.19મી ડિસેમ્બર 2021ની સવારે 7 કલાકે ગુજરાતમાં આવેલી 8684 ગ્રામ પંચાયતોમાં 8560 સરપંચ અને 53 હજાર સભ્યો માટે મતદાન શરૂ થયું છે. આજે યોજાઇ રહેલી ગ્રામ પંચાયતોની રાજ્યવ્યાપી ચૂંટણીઓમાં સરપંચ પદ માટે 27200 ઉમેદવારો અને 53,507 સભ્યોની બેઠક માટે 119998 ઉમેદવાર મેદાનમાં છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મતદાનમાં બેલેટ પેપરનો ઉપયોગ થઇ રહ્યો છે. આ અંગે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતો માટે તમામ જિલ્લાઓમાં 23097 મતદાન મથકોમાંથી 1.82 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે કોરોનાની ચૂસ્ત ગાઈડલાઈન અમલની તેમજ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવ્યો છે.

વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માટે સૌથી મહત્વની ગણાતી સ્થાનિક અને ગ્રામ્ય સ્તરની ચૂંટણી કોઈપણ રાજકીય પક્ષ પોતાની ચિહ્નનો ઉપયોગ કર્યા વગર પોતાના સમર્પિત ઉમેદવારોને જીતાડવા તમામ પ્રયાસ કર્ છે. આ ચૂંટણીમાં પહેલી વખત મોટી ચૂંટણીની જેમ અનેક ગામોમાં મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે ઉમેદવારોએ પરંપરાગત પ્રયોગો સાથે વિવિધ પ્રકારની ગિફ્ટની વહેંચણી કરીને સ્પર્ધાનું તત્વું ઉમેર્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના ચૂંટણી પંચે ગયા મહિને 10812 ગ્રામ પંચાયત, 10221 સરપંચ અને 89049 સભ્યો-વોર્ડ માટે 19 ડિસેમ્બરે ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. આ પૈકી 1197 ગ્રામ પંચાયત સંપૂર્ણ બિનહરિફ થઈ હતી જ્યારે 9669 સભ્ય પણ બિનહરિફ જાહેર થયા હતા. આ સિવાય 6446 ગ્રામ પંચાયત આંશિક બિનહરિફ થઈ હતી. એમાં 451 સરપંચ અને 26254 સભ્ય વોર્ડ પણ બિનહરિફ થયા હતા, જ્યારે 2651 ગ્રામ પંચાયત, 65 સરપંચ અને 3155 સભ્યની જગ્યા માટે રાજકીય પક્ષો વચ્ચે બળાબળનાં પારખાં થશે.

December 15, 2021
election_voting.jpg
1min552

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સમય બદલાતાં વાર નથી લાગતી. હજુ દોઢ બે વર્ષ પહેલા લોકડાઉન અને કોવીડ-19ની પહેલી, બીજી લહેર વખતે શહેરોમાં વસતા લોકો પરિવાર સમેત પોતાના વતન, ગામડાઓ તરફ હંગામી હિજરત કરી રહ્યા હતા કેમકે શહેરોમાં કોવીડના કેસો અતિશય વધી રહ્યા હતા. એ સમયે ગામડાઓમાં કેટલાક બની બેઠેલા નેતાઓએ આગેવાની લઇને શહેરોમાં વસતા પોતાના જ ગામવાસીઓને પ્રવેશ આપવાનો ઇન્કાર કરીને તાયફાઓ કર્યા હતા. શહેરોવાળા ગામડાઓમાં કોરોના ઘૂસાડશે એવી દહેશત વ્યક્ત કરીને ગામડાઓના બની બેઠેલા નેતાઓએ શહેરમાં વસતા પોતાન જ ગામવાળાઓને તેમના ઘરો સુધી જતા રોક્યા હતા.

સમય અને પરિસ્થિતિ એવી બદલાય છે કે લોકડાઉન અને બીજી લહેર વખતે જે લોકો ગામમાં નો એન્ટ્રી કરીને બેઠા હતા, શહેરોમાં વસતા પોતાના ગામવાસીઓને ઘૂસવા દેતા ન હતા એ જ લોકો આગામી રવિવારે યોજાઇ રહેલી ગ્રામપંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારી કરી હોઇ, શહેરોવાળાના વોટ લેવા માટે તેમના ઘરોએ આંટાફેરા કરી રહ્યા છે. શહેરોમાં વસતિ ગામવાળાઓના મોભીઓ રાત્રે 9 વાગ્યે ઘરે આવે તો કલાક પછી એટલે કે રાત્રે 10 વાગ્યે પણ મત માગવા માટે શહેરોવાળા ગામવાસીઓના ઘરોના બારણે ટકોરા મારી રહ્યા છે.

આ મુદ્દે હાલ સોશ્યલ મિડીયામાં પણ એટલી બધી પોસ્ટ વાઇરલ થઇ રહી છે કે ચૂંટણીમાં આ મુદ્દો ટર્નિંગ પોઇન્ટ સાબિત થાય તેમ છે.

Rural India vs. Urban India. India as a whole is quickly developing… | by  Asha Bhavan Centre | Medium
Symbolic Photo

ચૂંટણી ગામડાની છે પણ વોટબેંક શહેરી વિસ્તારોમાં છે

ગુજરાતની ગ્રામ પંચાયતોમાં યોજાઇ રહેલી ચૂંટણીની મોટી મતબેંકો શહેરી વિસ્તારોમાં છે. ખાસ કરીને શહેરોની ફરતે આવેલા ગામડાઓમાં તો એવી સ્થિતિ છે કે ગામના દરેક ઘરોમાંથી સિનિયર સિટીઝનોને બાદ કરતા બાકીના તમામ ઘરના સભ્યો શહેરોમાં વસાવેલા ઘરોમાં જ રહે છે. આથી હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું કેન્વાસિંગ શહેરી વિસ્તારોમાં જ વધારે જોવા મળે છે. શહેરોની સમીપ આવેલા ગામડાઓ અત્યંત સમૃદ્ધ એટલે પણ મનાય છે કે ત્યાં જમીનોના ભાવો સાતમે આસમાને આંબી રહ્યા છે અને તેમાં પણ સરપંચ જેવી પોસ્ટનું મહત્વ વધી ગયું છે આથી ગ્રામ પંચાયતોની ચૂંટણી કે જે કોઇપણ પ્રકારના રાજકીય સિમ્બોલ વગર લડાઇ રહી છે છતાં તેમાં પ્રચાર તો રાજકીય ચૂંટણીઓને ઝાંખો પાડે તેવો થઇ રહ્યો છે.

December 15, 2021
cia_multi-1280x1045.jpg
1min452

Jayesh Brahmbhatt 98253 44944

કોવીડ-19થી જેમના મૃત્યુ થયા છે તેમના પરિવારજનોને સત્વરે રૂ.50 હજારની રાહત ચૂકવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી ઝાટકણી બાદ ગુજરાત સરકારે તાબડતોબ આ કાર્યવાહી શરૂ કરી છે અને આ કાર્યવાહીમાં ગુજરાતમાં રૂપાણી સરકારે કોવીડથી થયેલા મૃત્યુની સાચી સંખ્યા છુપાવી હોવાની વાત ખુદ સરકારે રાહતની કરેલી ચૂકવણીના આંકડાઓ જ ચાડી ખાય રહ્યા છે.

વાસ્તવમાં રૂપાણી સરકાર વખતે કોવીડ-19થી ગુજરાતમાં થયેલા કુલ મૃત્યુની સંખ્યા 10 હજારની આસપાસ જણાવવામાં આવી હતી અને જાહેર પણ કરી દેવામાં આવી હતી. એ પછી સુપ્રીમ કોર્ટે કોવીડથી થયેલા મૃત્યુ બદલ પરિવારજનોને રૂ.50 હજારની સહાય ચૂકવવા માટે આદેશ આપતા ગુજરાત સરકારે રાહત ચૂકવણી માટે અરજીઓ મંગાવી જેમાં ગુજરાતભરમાંથી કુલ 38 હજાર જેટલી અરજીઓ આવી છે. અને અત્યાર સુધીમાં ગુજરાત સરકારે 22 હજારથી વધુ મૃતકોના પરિવારજનોને રૂ.50 હજારની રાહત ચૂકવી આપી છે.

રાજ્યના મહેસૂલ મંત્રી અને સરકારના પ્રવક્તા રાજેન્દ્ર ત્રિવેદીએ તા.14મી ડિસેમ્બર 2021ના રોજ મંગળવારે જણાવ્યું હતું કે, સરકારને અત્યાર સુધીમાં લગભગ 38,000 અરજીઓ મળી છે અને રાજ્ય સરકારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા 22,000 ખાતાઓમાં રૂ. 50-50 હજાર ટ્રાન્સફર કર્યા છે.

Centre orders ex-gratia of ₹50,000 to families of those who died of Covid-19

આ રીતે મામલો થાળે પાડવાનો પ્રયાસ

સત્તાવાર કોવિડ -19 મૃત્યુ અને વળતરના દાવાઓની સંખ્યા વચ્ચે મેળ ન હોવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે ત્રિવેદીએ કહ્યું કે, કોવિડ -19 મૃત્યુની ગણતરી માટે રાજ્ય સમિતિ દ્વારા નિર્ધારિત માપદંડોમાં તફાવત હોઈ શકે છે. જો કે, વળતર આપવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા પસાર કરવામાં આવેલ આદેશ મુજબ સહાય ચૂકવવામાં આવી છે.

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે કોવિડ મુત્યુની વ્યાખ્યામાં કરેલા ફેરફાર અન્વયે ગુજરાતમાં કોવિડ અને કોવિડ પોઝિટિવ આવ્યા બાદ 30 દિવસમાં હાર્ટએટેક કે અન્ય કોઇ કારણસર મૃત્યુ પામનાર લોકોને પણ કોવિડ મૃત્યુ ગણવા જેથી આવા લોકોને પણ સહાય આપવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયું છે. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ અન્વયે પહેલ કરીને અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી પહેલા 22 હજાર જેટલા લોકોના ખાતામાં સહાય જમા કરી છે.

December 11, 2021
mumbai-1.jpeg
1min595

ઓમિક્રોનના વધતા કેસને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે 11 અને 12 ડિસેમ્બરે કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લીધો, મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 17 કેસની પુષ્ટિ

દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધીમાં 32 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે 11 અને 12 ડિસેમ્બરે CRPCની કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન મહાનગરમાં રેલી, કૂચ અને તમામ પ્રકારના સરઘસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એકલા મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 17 કેસની પુષ્ટિ થઈ છે.

મુંબઈ પોલીસે Dt.10/12/21 શુક્રવારે કમિશનરેટ વિસ્તારમાં CrPC ની કલમ 144 લાગુ કરીને આગામી બે દિવસ માટે રેલીઓ અને પ્રદર્શનો પર પ્રતિબંધ મૂક્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઓપરેશન્સ) દ્વારા જારી કરવામાં આવેલ આદેશ શનિવાર અને રવિવારે 48 કલાક માટે અમલમાં રહેશે.

તેમણે કહ્યું કે, ‘કોવિડ-19ના નવા ઓમિક્રોન વેરિયન્ટને કારણે માનવ જીવનને જોખમ હોવાથી અમરાવતી, માલેગાંવ અને નાંદેડમાં ચાલી રહેલી હિંસાની પૃષ્ઠભૂમિમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ જારી કરવામાં આવ્યું છે.’ તેમણે આદેશમાં જણાવ્યું કે, ઉલ્લંઘન કરનારાઓને ભારતીય દંડ સંહિતાની કલમ 188 અને અન્ય કાયદાકીય જોગવાઈઓ હેઠળ સજા કરવામાં આવશે.