CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 20 of 138 - CIA Live

April 22, 2022
tulsi.jpg
1min427

Film Star અક્ષય કુમારે હાલમાં બોલીવૂડ સ્ટાર અજય દેવગણ અને શાહરૂખ ખાનની સાથે Tulsi પાન મસાલાની બ્રાન્ડની જાહેરાત કરી હતી, જેને કારણે સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવ્યો.  ફેન્સે કાન આમળીને અક્કીને તેની ભૂલનું ભાન કરાવ્યું અને અક્કીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સની માફી માગી છે.

આ પોસ્ટમાં અક્કીએ કહ્યું છે કે હું મારા ફેન્સ અને શુભેચ્છકોની માફી માંગું છું. છેલ્લા કેટલાક દિવસથી તમારા તરફથી મળી રહેલી પ્રતિક્રિયાઓએ મને હચમચાવી મૂક્યો છે. રિયલ લાઈફમાં હું તમાકુનું સેવન કરતો નથી. તમે લોકોએ ટ્રોલ કરીને મને મારી ભૂલનું ભાન કરાવ્યું છે અને હું તમારી લાગણીનું સન્માન કરું છું. હું પૂરી વિનમ્રતાથી આમાંથી પાછળ હટું છું. મેં જાહેરાતમાંથી મળનારી તમામ રકમને ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. કાયદાને કારણે આ જાહેરાત ચોક્કસ સમયમર્યાદા સુધી પ્રસારિત કરવાનો કોન્ટ્રેક્ટ છે. જોકે ભવિષ્યમાં હું સાવચેત રહેવાનું વચન આપું છું.’ ઉલ્લેખનીય છે કે અક્કી આગળ ઘણી વખત એવું કહી ચૂક્યો છે કે ગુટકા કંપની દ્વારા મને જાહેરાત કરવા માટે કરોડો રૂપિયાની ઑફર આવે છે, પણ હું એ સ્વીકારતો નથી, કારણ કે તે મારી સિદ્ધાંતોની વિરુદ્ધ છે. જોકે અક્કી એકલો નથી કે જેણે ગુટકા, તમાકુ કે પાનમસાલાની જાહેરાત નહીં કરવાનો નિર્ણય લીધો હોય.

પુષ્પા રાજ ઉર્ફે અલ્લુ અર્જુને પણ તમાકુ કંપનીની કરોડો રૂપિયાની ઓફર્સ ઠુકરાવી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ પર વિશ્ર્વાસ કરીએ તો એક કંપનીએ અલ્લુને તમાકુની જાહેરાત માટે કરોડો રૂપિયાની ફી ઓફર કરી હતી પણ અલ્લુએ એવું કહીને એ ઓફર ઠુકરાવી દીધી હતી કે હું મારા ચાહકો સામે કોઈ પણ ખોટી વસ્તુને પ્રમોટ નથી કરવા માગતો. હું પોતે તમાકુ ખાતો નથી તો પછી હું શા માટે તમારૂ કંપનીની બ્રાન્ડને એન્ડોર્સ કરું?

April 18, 2022
modi.jpeg
1min344

Date 18/04/2022, સોમવારથી ફરી એકવાર વડા પ્રધાન PM Modi ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. નરેન્દ્ર  મોદી તા. ૧૮, ૧૯ અને ૨૦મી એપ્રિલે ગુજરાત પ્રવાસે છે. સોમવારે સાંજે  અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને સાંજે ૬ વાગ્યે ગાંધીનગરમાં શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ ક્ટ્રોલ સેન્ટરની મુલાકાત સાથે તેમના ત્રણ દિવસના કાર્યક્રમનો પ્રારંભ થશે.

નરેન્દ્ર મોદી ગુજરાતમાં અલગ અલગ વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં બનેલા બનાસ ડેરીના પ્લાન્ટનો શુભારંભ કરાવશે. આ કાર્યક્રમમાં પહેલી વખત મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહેશે જેમને વડા પ્રધાન સંબોધન કરશે. આ સિવાય દાહોદમાં એક હોસ્પિટલનું લોકાર્પણ કરશે. ૨૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલી ૭૫૦ પથારીની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની સાથે  મોદી નવી મેડિકલ કોલેજના સંકુલ તથા ૨૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા રહેણાંક આવાસનું પણ લોકાર્પણ કરશે. આ સિવાય હોસ્પિટલમાં બનેલા નવા ઓક્સિજન પ્લાન્ટને ખુલ્લો મુકશે. આ ઉપરાંત ગાંધીનગરમાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રમાં વધુ સુદ્રઢ બનાવી શકાય તે હેતુથી આ કંટ્રોલ સેન્ટર તૈયાર કરાયું છે.

મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસને લઈ રાજ્ય સરકારે ખાસ તૈયારીઓ કરી છે. વડા પ્રધાનના રૂટ અને કાર્યક્રમના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ૧૯મીએ દિયોદરમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને વડા પ્રધાન સીધા જામનગર જશે જ્યાં ડબલ્યુએચઓના સહયોગથી બનનાર ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે. આ પ્રસંગે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના ડિજી સહિત અધિકારીઓ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન પણ હાજર રહેશે. જામનગરથી ગાંધીનગર પરત ફરી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. ૨૦મી એપ્રિલે સવારે મહાત્મા મંદિરમાં પીએમ મોદી હાજરી આપશે. બપોર બાદ દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધન કરશે. દાહોદ અને પંચમહાલના વિવિધ પ્રોજેકટના ખાતમુહૂર્ત કરશે.

April 14, 2022
bmc.jpg
1min390

મુંબઈ મહાનગરપાલિકાએ બાકી રહેલો પ્રોપર્ટી ટૅક્સ વસૂલ કરવા માટે ડિફૉલ્ટર ખાનગી કંપનીના જપ્ત કરેલા હેલિકૉપ્ટરનું મૂલ્ય માત્ર ૪૫ લાખ રૂપિયા થઈ ગયું છે. તેથી પાલિકાનું મોટી રકમ વસૂલવાના સપના પર પાણી ફરી વળ્યું હોવાનું કહેવાય છે.

BMC seizes 2 choppers for unpaid property tax | Mumbai News - Times of India

કોરોના મહામારી પહેલાં પાલિકાએ ખાનગી કંપનીનાં બે હેલિકૉપ્ટર જપ્ત કર્યાં હતાં. પાલિકાએ આ કંપની પાસેથી ૧.૯૫ કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટૅક્સ વસૂલ કરવાનો હતો. જપ્ત કરેલાં હેલિકૉપ્ટર હાલ જુહૂમાં પાર્ક કરેલાં છે. આ હેલિકૉપ્ટરમાંથી પાલિકાને મોટી વસૂલી થવાની અપેક્ષા હતી, જોકે હેલિકૉપ્ટરના અમુક ભાગ ગાયબ થયા હોવાને કારણે તેનું મૂલ્ય હવે ફક્ત ૪૫ લાખ રૂપિયા થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.

પાલિકાના અસેસમેન્ટ ખાતાના અધિકારીના કહેવા મુજબ આ ખાનગી ઍરોસ્પેસ કંપનીની પ્રોપટી ટૅક્સની બાકી રહેલી રકમ ૨.૭૬ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. પરંતુ હવે જપ્ત કરેલા હેલિકૉપ્ટરના મહત્ત્વના ભાગ ચોરાઈ ગયા છેે. તેથી આ હેલિકૉપ્ટર હવે ફક્ત ભંગારમાં વેચાઈ શકે છે. તેથી બાકી રહેલી રકમ વસૂલવા માટે પાલિકાએ ઍરપોર્ટ ઑથોરિટીને પત્ર લખ્યો છે. આ ખાનગી કંપની પાસે માર્ચ, ૨૦૧૯ સુધી પાલિકાએ એક કરોડ ૬૫ લાખ રૂપિયા વસૂલવાના હતા. આ રકમ વસૂલવા માટે પાલિકાએ પહેલાં જ કંપનીના પાણી અને વીજળીનાં જોડાણ કાપી નાખ્યા હતા. ત્યાર બાદ પણ કર ભર્યો ન હોવાથી આ કંપનીને અનેક વખત પત્ર લખવામાં આવ્યા હતા. કંપનીએ સતત તેના તરફ દુર્લક્ષ કરતા સંબંધિત કંપનીનાં બે હેલિકૉપ્ટર જપ્ત કરવામાં આવ્યાં હતાં. છતાં કંપનીએ બાકી રહેલી રકમ નહીં ભરતા પાલિકાએ હેલિકૉપ્ટરની લિલામી કરીને પ્રોપર્ટી ટૅક્સના પૈસા વસૂલ કરવાનો નિર્ણય લીધો હતો.     

April 13, 2022
Cia_business_news-1280x936.jpg
1min588

ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને ભરેલા એક અભૂતપૂર્વ પગલામાં, સ્પાઇસજેટ એરલાઇન્સના 90 પાઇલોટ્સને બોઇંગ 737 MAX વિમાન  ઉડાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ 90 પાઇલોટ્સ જ્યાં સુધી ડીજીસીએના નિરીક્ષણ હેઠળ યોગ્ય તાલીમ ન લે ત્યાં સુધી તેઓ 737 મેક્સ બોઇંગ વિમાન નહીં ઉડાડી શકે. નોઇડામાં ઉપલબ્ધ સુવિધામાં આ 90 પાઇલટ્સે લીધેલી સિમ્યુલેટર તાલીમમાં વિસંગતતાઓ શોધી કાઢ્યા પછી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ આ પગલું લીધું હતું.

સ્પાઇસ જેટના 90 પાઇલોટ્સ પર મૂકાયેલા પ્રતિબંધને સમર્થન આપતા ભારતના ઉડ્ડયન નિયમનકાર અરુણ કુમારે મંગળવારે તા.12મી એપ્રિલ 2022ના રોજ જણાવ્યું હતું કે ટ્રેનિંગમાં રહી ગયેલી કથિત ક્ષતિને પગલે એરલાઇનની પાઇલટ તાલીમ પણ રેગ્યુલેટરના સ્કેનર હેઠળ છે. સ્પાઇસ જેટના (90) પાઈલોટ્સને બોઈંગ 737 MAX ઉડાવવા પર રોક લગાવવામાં આવી છે. તેઓએ DGCA ના સંતોષ માટે ફરીથી તાલીમ લેવી પડશે,

બીજી તરફ સ્પાઇસજેટ એરલાઇન્સના પ્રવક્તાએ કહ્યું: “DGCA એ 90 પાઇલોટ્સએ ભૂતકાળમાં અનુસરેલી તાલીમ પ્રોફાઇલનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમાં કેટલીક કચાશ રહી ગઇ હોવાથી DGCAની સૂચના મુજબ, સ્પાઈસજેટે 90 પાઈલટોને MAX એરક્રાફ્ટ ઉડાડવાથી હંગામી ધોરણે દૂર કર્યા છે. આ પાઇલોટ્સ ડીજીસીએના સંતોષ માટે ફરીથી તાલીમ લેશે.

સ્પાઇસ જેટ એરલાઇન્સ હાલમાં તેના કાફલામાં ઉપલબ્ધ બોઇંગ 737 MAX પ્રકારના 13  માંથી 11 વિમાનોનું સંચાલન કરે છે, આ 11 વિમાનો પર ભારતમાં 60 દૈનિક ફ્લાઇટ્સ ઉડી રહી છે, 90 પાઇલોટ્સ પર આ વિમાન ચલાવવા પર મૂકાયેલા પ્રતિબંધની અસર સ્પાઇસ જેટની દૈનિક ફ્લાઇટ પર નહીં પડે.

 “11 એરક્રાફ્ટ (MAX) નું સંચાલન કરવા માટે લગભગ 144 પાઇલોટ્સ જરૂરી છે. સ્પાઇસજેટ પાસે હાલમાં MAX પર 560 પ્રશિક્ષિત પાઇલોટ્સ છે. પ્રશિક્ષિત પાઇલટની સ્ટ્રેન્થ હોવાથી દૈનિક ઉડ્ડયનની સામાન્ય કામગીરી ચાલુ રાખવા માટે પર્યાપ્ત કરતાં વધુ છે,” એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું.

સૂત્રોનું કહેવું છે કે જ્યારે આ 90 પાઈલટ તેમની તાલીમ લઈ રહ્યા હતા ત્યારે નિર્ણાયક “મેન્યુવરિંગ લાક્ષણિકતાઓ વૃદ્ધિ પ્રણાલી” (MCAS) સિમ્યુલેટરમાં યોગ્ય રીતે કામ કરી રહી ન હતી. MAX માટે બોઇંગ દ્વારા વિકસાવવામાં આવેલ વિવાદાસ્પદ ફ્લાઇટ સ્ટેબિલાઇઝિંગ પ્રોગ્રામ MCAS, આખરે ઓક્ટોબર 2018 અને માર્ચ 2019માં Lion Air અને Ethiopian Airlines B737 MAX ક્રેશ માટે જવાબદાર હોવાનું જણાયું હતું, જેમાં 346 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

“આ સિસ્ટમનો એક ભાગ, ‘સ્ટીક શેકર’ જે કંટ્રોલ કોલમને વાઇબ્રેટ કરે છે અને જ્યારે જેટ લિફ્ટ ગુમાવવાનું જોખમ લે છે ત્યારે જોરથી અવાજ કરે છે, તે પણ આ પાઇલટ્સને તાલીમ આપતી વખતે સિમ્યુલેટરમાં યોગ્ય રીતે કામ કરતું ન હતું,” એક સ્ત્રોતે જણાવ્યું હતું.

લાયન એર અને ઇથોપિયન MAX બંને ક્રેશમાં, એરક્રાફ્ટ નોઝ નીચે ધકેલવામાં આવ્યું હતું કારણ કે ઘણા પરિબળોને કારણે પાછળથી ધ્યાન આપવામાં આવ્યું હતું જ્યારે MAX ને વૈશ્વિક ગ્રાઉન્ડિંગ પછી ફરીથી ઉડવાની મંજૂરી આપવામાં આવી હતી. MAX સિમ્યુલેટર પર MCAS માટે સાચી પાયલોટ તાલીમ આ પ્લેનને સુરક્ષિત રીતે ઉડાડવાની ચાવી છે.

સ્પાઇસજેટ હાલમાં એકમાત્ર ભારતીય એરલાઇન છે જે MAXનું સંચાલન કરે છે.

April 9, 2022
vaccination_gujarat.jpg
1min584

ચોથી લહેરની આશંકા વચ્ચે કોરોના સામેની લડાઈમાં એક મહત્ત્વના નિર્ણયમાં કેન્દ્ર સરકારે તા.10 એપ્રિલને રવિવારથી 18 વર્ષથી વધુ ઉંમરના દરેક લોકોને ત્રીજો પ્રિકોશન (બૂસ્ટર) ડોઝની મંજૂરી આપી છે. જે સાથે સરકારી આરોગ્ય કેન્દ્રો પર પહેલો અને બીજો ડોઝ નિ:શુલ્ક આપવાની સુવિધા યથાવત છે. ત્રીજા ડોઝ માટે ખાનગી કેન્દ્રો પર કેટલા રૂપિયા ચૂકવવા પડશે ? તે હજુ સ્પષ્ટ કરાયું નથી.

18 વર્ષથી વધુ ઉંમરના દરેક જે બીજો ડોઝ લીધાના 9 મહિના પૂરા કર્યા હોય તેઓ ખાનગી સેન્ટરો પરથી ત્રીજો ડોઝ મેળવી શકશે. કેન્દ્રએ જાહેર કરેલી માર્ગદર્શિકા અનુસાર, 18 પ્લસ એજ ગ્રુપના દરેક લોકો ખાનગી વેક્સિનેશન કેન્દ્ર પર જઈ ત્રીજો પ્રિકોશન ડોઝ મેળવી શકશે. અત્યાર સુધીમાં દેશમાં 1પ પ્લસ એજ ગ્રુપના 96 ટકા લોકોએ ઓછામાં ઓછો વેક્સિનનો એક ડોઝ લઈ લીધો છે. જ્યારે આ વયજૂથમાં 83 ટકાએ બન્ને ડોઝ લીધા છે. 1રથી 14 વર્ષની ઉંમરના જૂથમાં 4પ ટકાએ પહેલો ડોઝ લઈ લીધો છે. સરકારી આંકડા અનુસાર અત્યાર સુધીમાં ર.4 કરોડ લોકોને પ્રિકોશન ડોઝ અપાઈ ગયો છે. દેશમાં 6 માર્ચથી 1ર-14 વયજૂથના બાળકોનું વેક્સિનેશન ચાલુ છે.’

March 31, 2022
aadhaar-pan-link.jpg
1min641

પર્મેનેન્ટ એકાઉન્ટ નંબર (પેન) અને આધાર વચ્ચે ૩૧મી માર્ચ ૨૦૨૨ સુધીમાં લિન્ક કરવામાં નહીં આવે તો ૧૦૦૦ રૂપિયા દંડ થશે, તેવું આવકવેરા વિભાગે બુધવારે જણાવ્યું હતું. ધ સેન્ટ્રલ બોર્ડ ઑફ ડિરેક્ટ ટેક્સિસે (સીબીડીટી) પેન અને આધારને લિન્ક કરવા માટેની અંતિમ તારીખ ઘણીવાર લંબાવી છે.
જેમના પેન કાર્ડ આધાર સાથે લિન્ક કરવામાં આવ્યા ન હોય તેમના પેન કાર્ડ ૩૧મી માર્ચ ૨૦૨૩ પછી રદ થઇ જશે. પેન અને આધાર ૩૦ જૂન, ૨૦૨૨ સુધીમાં લિન્ક કરવામાં આવશે. તેમને ૫૦૦ રૂપિયાની લેટ ફી લાગશે અને તે પછી લિન્ક કરાવનારાઓ માટે ૧૦૦૦  રૂપિયા સુધીમો દંડ થશે. સીબીડીટીએ બુધવારે એક પરિપત્ર બહાર પાડી આ બાબતમાં જાણકારી આપી હતી. ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધી આધાર-પેન લિન્કીંગ ઓથોરિટી સમક્ષ કરદાતા આધારની માહિતી રજુ કરી શકશે. આવા કરદાતાઓએ લેટ ફી આપવાની રહેશે. સીબીડીટીએ વધુમાં કહ્યું હતું કે ‘૩૧મી માર્ચ, ૨૦૨૩ સુધી કરદાતાઓએ આધારની માહિતી રજુ ન કરી હોય તો ઇન્કમ ટેક્સ રિર્ટન ભરવા અથવા રિફંડ પ્રક્રિયા માટે જુનો પેનકાર્ડ કાર્યરત રહેશે. ૩૧મી માર્ચ, ૨૦૨૩ પછી આવા કરદાતાઓના પેન રદ થઇ જશે અને તેમણે પેન રજુ નહીં કરવાના કાયદા હેઠળ જે હોય તે પરિણામ ભોગવવા પડશે,’ તેવું સીબીડીટીએ કહ્યું હતું.

March 24, 2022
corona_restrictions.png
1min525

કોરોના ઇન્ફેક્શનના નવા દરદીઓની સંખ્યામાં નહીંવત્ સંખ્યા અને ઘટતા જતા કેસને ધ્યાનમાં રાખતાં કેન્દ્રના ગૃહ મંત્રાલયે કોવિડ નિયંત્રણ માટેના તમામ નિયમો અને નિયંત્રણો પર પૂર્ણવિરામ મૂક્યું છે. ફક્ત સાર્વજનિક સ્થળે ફેસ માસ્ક પહેરવાનું અને ફિઝિકલ ડિસ્ટન્સિંગ જાળવવાનું ચાલુ રાખવાનું રહેશે. વર્ષ ૨૦૨૦ના માર્ચ મહિનામાં રોગચાળો ફેલાતાં લૉકડાઉન અને કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયરના જે નિયમો તથા સાર્વજનિક નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા હતા, એ હટાવવામાં આવ્યા છે. આ બાબતનો પત્ર રાજ્યોના મુખ્ય સચિવોને મોકલવામાં આવ્યો છે. 

કોવિડ સંબંધી નિયંત્રણો રદ કરવાની જાહેરાત કરતા કેન્દ્ર સરકારના ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ મહિનામાં રોગચાળા પર નિયંત્રણ માટે નોંધપાત્ર પ્રમાણમાં ક્ષમતા કેળવી શકાઈ છે. ડાયાગ્નોસ્ટિક્સ, સર્વેલન્સ, કૉન્ટૅક્ટ ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ, વૅક્સિનેશન, 

હૉસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે બાબતોની સક્ષમતાને કારણે શક્તિ અને આક્રમકતાથી  રોગચાળાનો પ્રતિકાર કરી શકાયો હતો. હવે આ બીમારી વિશે લોકોમાં જાણકારી પણ વ્યાપક રીતે ફેલાઈ છે. રોગચાળા સંબંધી પરિસ્થિતિમાં એકંદરે સુધારો તેમજ રોગચાળાના પ્રતિકારની સરકારી તંત્રની સજ્જતા ધ્યાનમાં લેતાં નેશનલ ડિઝાસટર મૅનેજમેન્ટ ઑથોરિટીએ કોવિડ નિયંત્રણ માટે ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઍક્ટની જોગવાઈઓનો અમલ ૩૧ માર્ચથી અમલમાં આવે એ રીતે રદ કરવામાં આવ્યો છે. કોવિડ નિયંત્રણ બાબતે હવે ગૃહ મંત્રાલય નવો હુકમ બહાર નહીં પાડે.

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા વધુ ૧૭૭૮ કેસ નોંધાયા હતા. આ સાથે જ દેશમાં કોરોનાના કેસની સંખ્યાનો કુલ આંક વધીને ૪,૩૦,૧૨,૭૪૯ થઈ ગયો હતો.  ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને કારણે વધુ ૬૨ જણનાં મોત થયાં હતાં. આ સાથે જ દેશમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારાંઓનો આંક વધીને ૫,૧૬,૬૦૫ થઈ ગયો હતો. દેશમાં કોરોનાનો રિકવરી રેટ ૯૮.૭૫ રહ્યો હતો. સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને ૪,૨૪,૭૩,૦૭૫ થઈ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની વૅક્સિનના ૧૮૧.૮૯ કરોડ કરતા પણ વધુ ડૉઝ આપી દેવામાં આવ્યા હોવાનું બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

કેન્દ્રે 23/3/22 સ્પષ્ટતા કરી હતી કે કોવિડ-૧૯ના દરદીઓમાં ઘટાડો થઇ રહ્યો હોવા છતાં ફેસ માસ્ક પહેરવાનું અને અવારનવાર હાથ ધોવાનું ચાલુ રાખવું પડશે.

કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ફેસ માસ્ક પહેરવા અને હાથની સફાઇ રાખવા અગાઉ અપાયેલી સૂચનામાં કોઇ ફેરફાર નથી કરાયો. માસ્ક નહિ પહેરવાની છૂટ અપાઇ હોવાનું કહેતો મીડિયા અહેવાલ ખોટો છે.
કેન્દ્રના ગૃહ સચિવ અજય ભલ્લાએ બધા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં સંબંધિત જાણકારી આપી હતી.

March 24, 2022
kovind.jpg
1min367

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ  બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે ગુરુવાર, તા.24મી માર્ સવારે ૧૦ વાગ્યે ભારતીય વાયુસેનાના વિમાનમાં રાષ્ટ્રપતિ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમનું રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન  ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદના મેયર કિરીટ પરમારે સ્વાગત કર્યું હતું. ત્યાંથી તેઓ ગાંધીનગર ખાતે રાજભવન જવા રવાના થયા છે. તેઓ ૧૧ વાગ્યે વિધાનસભામાં બજેટસત્રની બેઠકમાં વિધાનસભ્યોને સંબોધન કરશે. આજે તા.24મી માર્ચ 2022ની રાત રાજભવનમાં રોકાયા બાદ આવતી કાલે તા.25મી માર્ચે સવારે જામનગર જવા રવાના થશે.

આવતી કાલે રાષ્ટ્રપતિ INS વાલસુરામાં આયોજિત નૌસેનાના કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યાં નૌસેનાના ૧૫૦ જવાનો ગાર્ડ ઑફ ઑનર આપશે. આ પ્રસંગે ચીફ ઑફ નેવલ સ્ટાફ એડમિરલ હરિકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.

March 22, 2022
boieng_737-1280x720.jpg
1min502

ચીનમાં થયેલી દુર્ઘટનાને  પગલે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશને ભારતીય વિમાની કંપનીઓનાં બોઇંગ ૭૩૭ વિમાનો પર ચાંપતી નજર રાખવા આદેશ આપ્યો છે. સ્પાઇસજેટ, વિસ્તારા અને ઍર ઇન્ડિયા એક્સપ્રેસ બોઇંગ ૭૩૭ વિમાનો ધરાવે છે. ડીજીસીએના વડા અરુણ કુમારે કહ્યું હતું કે વિમાનોની સુરક્ષા ગંભીર બાબત છે અને અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ચાઇના ઇસ્ટર્ન ઍરલાઇન્સ દ્વારા તમામ બોઇંગ ૭૩૭-૮૦૦ વિમાનોનું ઉડ્ડયન અટકાવી દીધું છે. બોઇંગ ૭૩૭ મેક્સ વિમાન બોઇંગ ૭૩૭-૮૦૦નું ઍડ્વાન્સ્ડ વર્ઝન છે અને બન્નેને ૭૩૭ સિરીઝમાં ગણવામાં આવે છે.

March 21, 2022
patidar.jpg
1min356

2015માં રાજ્યમાં થયેલા પાટીદાર અનામત આંદોલન વખતે અમદાવાદમાં પોલીસ દ્વારા નોંંધવામાં આવેલા 10 કેસ પરત ખેંચી લેવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં નોંધાયેલા 2 કેસ ઉપરાંત, નરોડા, રામોલ, બાપુનગર, સાબરમતી, નવરંગપુરા, શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 1-1 કેસ અને ક્રાઈમ બ્રાંચમાં નોંધાયેલો એક કેસ પરત ખેંચી લેવાનું રાજ્ય સરકારે જાહેર કર્યું છે. 

હાર્દિક પટેલ સામે નોંધાયેલા બે કેસ પણ પરત ખેંચવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિકે એક મહિના પહેલા ચેતવણી આપી હતી કે જો 23મી માર્ચ સુધીમાં સરકારે પાટીદારો સામેના કેસ પરત ના ખેંચ્યા તો આખા રાજ્યમાં આંદોલન શરુ કરવામાં આવશે.

હાર્દિક પટેલ સામે રાજદ્રોહ ઉપરાંત, જાહેરનામાનો ભંગ કરવા સહિતના કેસો નોંધાયેલા છે. વિસનગરમાં MLAની ઓફિસમાં તોડફોડ કરવાના કેસમાં નીચલી કોર્ટ તેમને સજા પણ ફટકારી ચૂકી છે, અને હાલ હાઈકોર્ટમાં આ મામલો પેન્ડિંગ છે. અમદાવાદના જે 10 કેસ પરત ખેંચવાની જાહેરાત કરાઈ છે, તેમાં આરોપીઓની સંખ્યા કેટલી છે તેની ચોક્કસ વિગતો બહાર નથી આવી શકી. આ કેસમાંથી સાત અમદાવાદની સેશન્સ કોર્ટમાં જ્યારે ત્રણ મેટ્રોપોલિટન કોર્ટમાં ચાલી રહ્યા હતા. રામોલ પોલીસ સ્ટેશનમાં હાર્દિક સામે નોંધાયેલા કેસને પાછો ખેંચવાનો હુકમ 15 એપ્રિલના રોજ કરવામાં આવશે.

પાટીદાર આંદોલન દરમિયાન અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં વ્યાપક ભાંગફોડ તેમજ આગજનીની ઘટનાઓ બની હતી. વસ્ત્રાલમાં ટોળું તોફાની બનતાં પોલીસે ફાયરિંગ પણ કર્યું હતું, જેમાં પિતા-પુત્રના મોત નીપજતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ ઉપરાંત, બાપુનગરમાં પણ થયેલી ધમાલ બાદ શ્વેતાંગ પટેલ નામના એક યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. રાજ્યના અલગ-અલગ હિસ્સામાં બનેલી ઘટનાઓમાં કુલ 14 પાટીદાર યુવકોના મોત થયા હતા. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસતા કેન્દ્રિય દળોને પણ બોલાવવા પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલે મોટી રેલીનું આયોજન કર્યું હતું, જેમાં લાખો પાટીદારો ઉમટી પડ્યા હતા. હાર્દિક પટેલે તે વખતે GMDC ગ્રાઉન્ડમાં જ ધરણા યોજવાની જાહેરાત કરતાં પોલીસે ટોળાંને વિખેરવા માટે જોરદાર લાઠીચાર્જ કર્યો હતો, અને હાર્દિકની અટકાયત કરી હતી. તે વખતે સમગ્ર રાજ્યમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. રાજ્યમાં શાંતિ બહાલ કરવા માટે ખુદ પીએમ મોદીએ તે વખતે અપીલ કરી હતી. પાટીદાર આંદોલનને કાબૂમાં લેવામાં નિષ્ફળ ગયેલા તત્કાલિન સીએમ આનંદીબેન પટેલે થોડા સમયમાં જ પોતાની ખુરશી પણ ગુમાવવી પડી હતી, અને 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું પર્ફોમન્સ સૌથી ખરાબ રહ્યું હતું.