CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 16 of 138 - CIA Live

August 15, 2022
gujarat_rain_map.jpg
6min392

છેલ્લા ૮ વર્ષમાં સૌથી વધુ – ગત વર્ષે ૧૪ ઓગસ્ટ સુધી માત્ર ૩૭ ટકા વરસાદ હતો

-૪૧ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ વરસાદ : કપરાડામાં ૧૨૭, ધરમપુરમાં ૧૦૩ ઈંચ : કચ્છમાં સૌથી વધુ ૧૩૫ ટકા

અમદાવાદ, રવિવાર

ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને અત્યારસુધી સીઝનનો ૮૪.૨૬ ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. છેલ્લા ૮ વર્ષમાં રાજ્યમાં ૧૪ ઓગસ્ટ સુધી નોંધાયેલો આ સૌથી વધુ વરસાદ છે. ગત વર્ષે ૧૪ ઓગસ્ટ સુધી ં ૧૨.૧૮ ઈંચ સાથે રાજ્યમાં મોસમનો સરેરાશ માત્ર ૩૬.૮૪ ટકા વરસાદ નોંધાયો હતો. આમ, ગત વર્ષની સરખામણીએ આ વખતે વરસાદનું પ્રમાણ બમણાથી પણ વધુ છે. આ વખતે રાજ્યના ૪૧ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

ગુજરાતમાં આ વખતે સરેરાશની રીતે કચ્છમાં સૌથી વધુ ૧૩૫ ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં ગત વર્ષે ૧૪.૫૧ ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર ૩૨ ટકા વરસાદ નોંધાયો હતો. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ૫૫ ઈંચ સાથે મોસમનો ૯૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૨૧.૧૨ ઈંચ સાથે મોસમનો ૭૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૨૧.૧૫ ઈંચ સાથે મોસમનો ૭૫ ટકા જ્યારે  પૂર્વ મધ્ય ગુજરાતમાં ૨૩ ઈંચ સાથે મોસમનો ૭૩ ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડ ૯૧ ઈંચ સાથે મોખરે છે. આ સિવાય  ડાંગમાં ૭૭ ઈંચ, નવસારીમાં ૭૦ ઈંચ જ્યારે નર્મદામાં ૫૩ ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડા અને ધરમપુર એમ બે તાલુકામાં ૧૦૦ ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. જેમાં કપરાડામાં ૧૨૭ ઈંચ અને ધરમપુરમાં ૧૦૩ ઈંચ વરસાદનો સમાવેશ થાય છે.

કચ્છ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નર્મદા અને વલસાડ એમ ૬ જિલ્લામાં સીઝનનો વરસાદ સરેરાશ કરતાં ૧૦૦ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં ગીર સોમનાથમાં ૩૮.૭૪ ઈંચ સાથે ૧૦૧ ટકા, દેવભૂમિ  દ્વારકામાં ૨૮.૮૪ ઈંચ સાથે ૧૦૦ ટકા, પોરબંદરમાં ૩૩.૩૦ ઈંચ સાથે ૧૧૦ ટકા, નર્મદામાં ૫૩.૨૬ ઈંચ સાથે ૧૨૭ ટકા જ્યારે વલસાડમાં ૯૦.૯૪ ઈંચ સાથે ૧૦૧ ટકા વરસાદ નોધાઇ ચૂક્યો છે. ૪૩ તાલુકામાં સીઝનનો વરસાદ ૧૦૦ ટકાથી વધારે છે.

રાજ્યના જે જિલ્લામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે તેમાં દાહોદ મોખરે છે. દાહોદમાં ૧૩ ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર ૪૬ ટકા વરસાદ નોંધાયો છે. આ સિવાય સુરેન્દ્રનગરમાં માત્ર ૧૪ ઈંચ, ભાવનગરમાં ૧૫.૧૫ ઈંચ વરસાદ નોંધાઇ શક્યો છે. અમદાવાદ જિલ્લામાં ૧૫.૨૭ ઈંચ સાથે મોસમનો ૫૬ ટકા વરસાદ નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાંથી ૨૯.૩૭ ઈંચ સાથે સૌથી વધુ ૯૪ ટકા જ્યારે સાણંદમાં ૧૦.૦૭ ઈંચ સાથે મોસમનો સૌથી ઓછો ૩૨ ટકા વરસાદ નોંધાયેલો છે. ગુજરાતમાં જૂન મહિનામાં ૨.૫૨ ઈંચ, જુલાઇમાં ૨૦.૯૨ ઈંચ જ્યારે ૧૪ ઓગસ્ટ સુધી ૪.૭૪ ઈંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં વરસાદની સ્થિતિ

રીજિયન પ્રમાણે

રીજિયન        વરસાદ સરેરાશ

કચ્છ            ૨૪.૨૨ ૧૩૫%

દક્ષિણ           ૫૪.૫૨ ૯૪%

સૌરાષ્ટ્ર         ૨૧.૧૨ ૭૯%

ઉત્તર           ૨૧.૧૫ ૭૫%

પૂર્વ મધ્ય       ૨૩.૦૨ ૭૩%

સરેરાશ       ૨૮.૨૦ ૮૪.૨૬%

કયા તાલુકામાં સૌથી વધુ?

તાલુકો       વરસાદ       સરેરાશ

કપરાડા      ૧૨૭.૦૮       ૧૧૪%

ધરમપુર      ૧૦૩.૦૦       ૧૦૬%

વાપી           ૮૭.૩૬         ૯૯%

ખેરગામ        ૮૬.૬૫       ૧૧૫%

વાંસદા          ૮૭.૦૦       ૧૧૨%

કયા જિલ્લામાં સૌથી વધુ?

જિલ્લો        વરસાદ સરેરાશ

વલસાડ        ૯૦.૯૪ ૧૦૧%

ડાંગ            ૭૬.૬૯ ૯૪%

નવસારી        ૭૦.૩૧ ૯૭%

નર્મદા        ૫૩.૨૬ ૧૨૭%

સુરત        ૪૯.૦૦ ૮૫.૩૦%

કયા જિલ્લામાં સૌથી ઓછો?

જિલ્લો       વરસાદ સરેરાશ

દાહોદ       ૧૩.૦૭ ૪૫.૯૭%

સુરેન્દ્રનગર  ૧૪.૧૩ ૬૦.૫૩%

ભાવનગર   ૧૫.૧૫ ૬૩.૦૦%

અમદાવાદ   ૧૫.૨૭ ૫૬.૩૮%

મોરબી      ૧૫.૭૪ ૭૨.૩૯%      


છેલ્લા પાંચ વર્ષમાં ૧૪ ઓગસ્ટ સુધી વરસાદ

વર્ષ    વરસાદ સરેરાશ

૨૦૧૫ ૧૯.૯૩૬૩.૪૯%

૨૦૧૬ ૧૭.૭૪ ૫૬.૫૪%

૨૦૧૭ ૨૬.૬૩ ૮૩.૫૧%

૨૦૧૮ ૧૮.૨૭ ૫૫.૮૭%

૨૦૧૯ ૨૭.૦૧ ૮૪.૦૯%

૨૦૨૦ ૨૩.૦૦ ૭૦.૩૨%

૨૦૨૧ ૧૨.૧૮ ૩૬.૮૪%

૨૦૨૨ ૨૮.૨૦ ૮૪.૨૬%

(*વરસાદના આંકડા ઈંચમાં.)

July 31, 2022
birmingham_common_wealth.jpg
1min464

યુકેના બર્મિંગહામ ખાતે રમાઇ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના પણ અનેક ખેલાડીઓ તેમાં વિવિધ રમતોમાં ભાગ લઈ રહ્યા છે. કોમનવેલ્થ ગેમ્સના બીજા દિવસનો અંતે ભારતે સિલ્વર મેડલ સાથે કર્યો છે. અત્યાર સુધી ભારતને કુલ ચાર મેડલ મળ્યા છે જે તમામ વેઈટલિફ્ટિંગમાં જ છે. બિંદિયારાની દેવીએ મહિલાઓની 55 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર પોતાના નામે કર્યો છે. આ પહેલા મીરાબાઈ ચાનૂએ ગોલ્ડ, ગુરુરાજ પૂજારીએ બ્રોન્ઝ અને સંકેત સરગરે સિલ્વર મેડલ ભારતને અપાવ્યો હતો. આ રીતે ભારતના ખાતામાં અત્યાર સુધી ચાર મેડલ આવી ગયા છે.

બિંદિયારાની દેવીએ સ્નેચમાં 86 કિલો વજન ઉઠાવ્યુ હતું. સ્નેચ પછી તે ત્રીજા નંબર પર હતી, પરંતુ ક્લીન એન્ડ જર્કમાં તેણે કોમનવેલ્થ ગેમ્સનું રેકોર્ડ વજન ઉઠાવ્યું. તેણે 116 કિલોનો ભાર ઉપાડીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. કુલ મળીને તેણે 202 કિલો વજન ઉપાડ્યુ હતું. નાઈજીરિયાની અદિજત ઓલારિનોયે ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે કુલ 203 કિલો વજન ઉપાડીને આ પદક પોતાના નામે કર્યુ હતું. ઈંગ્લેન્ડની એથ્લીટને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

મીરાબાઈ ચાનૂની જેમ બિંદિયારાની પણ મણિપુરથી આવે છે. કોમનવેલ્થ ગેમ્સ 2021માં તેણે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. આ પહેલા 2019માં રાષ્ટ્રમંડળ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બિંદિયારાની એક ખેડૂતની દીકરી છે અને કિરાણાની દુકાન ચલાવે છે. હાઈટ ઓછી હોવાને કારણે બિંદિયારાનીએ વેઈટલિફ્ટિંગની શરુઆત કરી હતી. બિંદિયારાની જણાવે છે કે, હું 2008થી 2012 સુધી તાઈક્વાંડો રમતી હતી પણ પછી મેં વેઈટલિફ્ટિંગ કરવાનો નિર્ણય લીધો. મને હાઈટની સમસ્યા હતી, માટે મારે શિફ્ટ થવુ પડ્યું. તમામ લોકોએ કહ્યું કે, મારી હાઈટ વેઈટલિફ્ટિંગ માટે યોગ્ય છે.

શનિવારનો તા.30મી જુલાઇ 2022 કોમનવેલ્થમાં ભારત માટે શાનદાર દિવસ રહ્યો હતો. ગેમ્સના બીજા દિવસે ભારતે બિંદિયારાનીના મેડલ સિવાય પણ ત્રણ મેડલ જીત્યા હતા. જેમાં દેશની સ્ટાર મહિલા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. બર્મિંઘમમાં ભારતનો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. જ્યારે તે પહેલા યુવાન વેઈટલિફ્ટર સંકેત સરગરે ભારત માટે મેડલનું ખાતું ખોલાવતા સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે વેઈટલિફ્ટર ગુરૂરાજ પૂજારીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સંકેતનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું હતું પરંતુ ક્લીન એન્ડ જર્કમાં પોતાના બીજા પ્રયાસમાં તેને હાથમાં ઈજા થઈ હતી જેના કારણે તેને એક કિલો વજનથી ગોલ્ડ મેડલ ગુમાવવો પડ્યો હતો. જ્યારે મીરાબાઈએ તો સ્નેચમાં 88 કિલો વજન ઉચકીને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા ઉપરાંત નેશનલ રેકોર્ડ અને ગેમ્સ રેકોર્ડ તોડી નાંખ્યો હતો. તેણે કુલ 201 કિલો વજન સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જે કોમનવેલ્થ ગેમ્સમાં તેનો ત્રીજો મેડલ હતો.

July 28, 2022
harsh.jpg
1min489

ગુજરાત લઠ્ઠાકાંડમાં મોતનો બિનસત્તાવાર આંકડો 75થી વધુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે હવે આ મામલે ગૃહ વિભાગ એક્શનમાં આવ્યુ છે. ગૃહ વિભાગે SP કક્ષાના 2 અધિકારીઓની બદલી કરી છે તથા PSI સહિત 5 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બોટાદ SP કરન રાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્ય એસપી વીરેંદ્રસિંહ યાદવની બદલી કરવામાં આવી છે. બોટાદના DYSP એસ.કે.ત્રિવેદીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ધોળકાના DYSP એન.વી.પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બરવાળાના PSI ભગીરથ સિંહ વાળા અને કરાયારાણપુરના PSI શૈલેન્દ્ર સિંહ રાણાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

ધોળકા તથા બોટાદમાં DYSP એન.વી.પટેલ (ધોળકા) તથા DYSP એસ.કે.ત્રિવેદી (બોટાદ)ની ફરજ દરમિયાન આ વિસ્તારમાં ઝેરી કામિકલ યુક્ત દારૂનું મોટા પાયે બોટાદના બરવાળા, રાણપુર તાલુકો તથા અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વેચાણ થતાં ઝેરી કેમિકલ યુક્ત દારૂ પીવાના કારણે આશરે 42 (સત્તાવાર આંકડો) (બિનસત્તાવાર આંક 75) થી વધુ વ્યક્તિઓના મોત થયા છે. ગુજરાતમાં દારૂબંધીની નીતિ અમલમાં છે તેમ છતાં તેમના કાર્યવિસ્તારમાં મોટા પાયે ઝેરી કેમિકલ યુક્ત દારૂની હેરાફેરી રોકવામાં તેમજ તેનું વેચાણ અને સેવનને રોકવામાં નિષ્ફળ રહ્યા છે જે તેમની ફરજમાં ગંભીર નિષ્કાળજી તેમજ નિષ્ઠાનો અભાવ દર્શાવે છે તેથી બંને DYSP એન.વી.પટેલ (ધોળકા) તથા એસ.કે.ત્રિવેદી (બોટાદ)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ સસ્પેન્ડ કરાયેલ DYSP એસ.કે.ત્રિવેદી અને એન.વી.પટેલ ફરજ મોકૂફી દરમિયાન ગુજરાત રાજ્ય સેવા નિયમો 1971ના નિયમ-15ની જોગવાઈ પ્રમાણે તેઓ કોઈ સ્થળે નોકરી સ્વીકારી શકશે નહીં કે ધંધો રોજગાર કરી શકશે નહીં. અને જો તેઓ ધંધો કે, રોજગાર કરતા પકડાશે તો તેઓની આવી વર્તણૂક નિયમો પ્રમાણે ગેરવર્તણૂક ગણાશે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તથા તેઓ નિર્વાહભથ્થા અંગે દાવો કરી શકશે નહીં.

July 24, 2022
monkeypox-virus-1280x720.jpg
1min430

દિલ્હીમાં તા.24મી જુલાઇને રવિવારે મંકીપોક્સનો ભારતમાં નવો અને દિલ્હીમાં પહેલો કેસ નોંધાયો હતો. આ સાથે દેશમાં મંકીપોક્સ કેસનો ભાર વધીને ચાર થઈ ગયો છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, 34 વર્ષીય વ્યક્તિ કે મન્કી પોક્સ ટેસ્ટીંગ પરીક્ષણ પોઝીટીવ જાહેર થયું છે, તેનો વિદેશ પ્રવાસનો કોઈ ઇતિહાસ નથી. તેમણે તાજેતરમાં હિમાચલ પ્રદેશના મનાલીમાં એક સ્ટેગ પાર્ટીમાં હાજરી આપી હતી, એમ તેઓએ ઉમેર્યું હતું.

લગભગ ત્રણ દિવસ પહેલા તેમને મંકીપોક્સના લક્ષણો દેખાતા મૌલાના આઝાદ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેમના સેમ્પલ શનિવારે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) પુણેમાં મોકલવામાં આવ્યા હતા જે પોઝિટિવ આવ્યા હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું. “સંપર્ક ટ્રેસિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે,” તેઓએ ઉમેર્યું.

Explained: How fast does monkeypox spread and should India worry?

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ) એ મંકીપોક્સ બીમારીને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. મંકીપોક્સ અત્યાર સુધીમાં વિશ્વના 80 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને કુલ 16,886 કેસ સામે આવી ચૂક્યા છે. ભારતમાં આ બીમારીના અત્યાર સુધીમાં 3 કેસ જાહેર કરાયા છે.

WHOનું એલાન : ભારતમાં 3 સહિત 80 દેશમાં કુલ 16,886 કેસ

ડબલ્યુએચઓની એક વિસ્તૃત બેઠક બાદ મંકીપોક્સને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરાઈ હતી. અમેરિકા, યુરોપ સહિત દેશોમાં જે ઝડપથી કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક છે. અમેરિકામાં બાળકોમાં પણ આ કેસ મળ્યા છે. 8 વર્ષ સુધીના બાળકો પર મંકીપોક્સ સંક્રમણનું જોખમ હોવાનું જણાવાયું છે. સ્વાસ્થ્ય અધિકારીઓ અનુસાર અત્યાર સુધીમાં બે બાળકમાં મંકીપોક્સના કેસ મળ્યા છે. બન્ને બાળકની હાલત સ્થિર છે. આ બીમારીમાં એન્ટિવાયરલ ટેકોવિરિમૈટ અપાઈ રહી છે.
મંકીપોક્સના લક્ષણો સામાન્ય રીતે બેથી ચાર સપ્તાહ સુધી રહે છે અને તેમાં મુખ્યત્વે શરીર પર લાલ ફોડલા ઉપસી જવા, માથાનો દુ:ખાવો, તાવ, થાક, સાંધામાં દુ:ખાવો, ગળામાં સોજો, કંપારી થવી, પીઠ-કમરનો દુ:ખાવો મુખ્ય છે. મંકીપોક્સ વાનરમાંથી મનુષ્યોમાં ફેલાયેલું સંક્રમણ છે. મોટાભાગના દર્દીઓ યુવા છે.

મન્કીપોક્સ અંગે વધુ જાણકારી

મંકીપોક્સ વાયરસ ચેપગ્રસ્ત પ્રાણીઓમાંથી માણસોમાં પરોક્ષ અથવા સીધા સંપર્ક દ્વારા ફેલાય છે. માનવ-થી-માનવ ટ્રાન્સમિશન ચેપી ત્વચા અથવા જખમ સાથે સીધા સંપર્ક દ્વારા થઈ શકે છે, જેમાં ચહેરા-થી-ચહેરા, ત્વચા-થી-ત્વચા અને શ્વસન ટીપાંનો સમાવેશ થાય છે.

મંકીપોક્સનો ઇતિહાસ

શીતળા જેવું વાઇરલ ઇન્ફેક્શન અને 1970માં મનુષ્યમાં સૌપ્રથમવાર જોવા મળ્યું હતું, મંકીપોક્સ શીતળા કરતાં ઓછું ખતરનાક અને ચેપી છે, જેને 1980માં નાબૂદ કરવામાં આવ્યું હતું.

ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં પ્રકાશિત 16 દેશોમાં 528 લોકોના અભ્યાસ મુજબ, 95 ટકા કેસ જાતીય પ્રવૃત્તિ દ્વારા પ્રસારિત થયા છે – જે અત્યાર સુધીનું સૌથી મોટું સંશોધન છે. એકંદરે, 98% ચેપગ્રસ્ત લોકો ગે અથવા બાયસેક્સ્યુઅલ પુરુષો હતા, અને લગભગ ત્રીજા લોકોએ પાછલા મહિનાની અંદર સેક્સ-ઓન-સાઇટ સ્થળો જેમ કે સેક્સ પાર્ટી અથવા સૌનાની મુલાકાત લીધી હોવાનું જાણવા મળ્યું હતું.

July 21, 2022
5g.jpg
1min415

મોબાઈલ સેવાઓમાં સૌથી ઝડપી ડેટા ટ્રાન્સફર શકય હોય તેવી પાંચમી જનરેશન (5G) સેવાઓ દેશમાં ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતેથી પ્રારંભ થશે. આ સેવાઓ દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમર્પિત કરશે અને તા.15 ઓગસ્ટના રોજ દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે શરૂ થશે એવું જાણવા મળી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા ઉપર સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ ગુજરાત આવશે અને સેવાઓનો પ્રારંભ કરે તેવી શક્યતા છે.

દેશમાં 5G સેવાઓ માટે સ્પેક્ટ્રમની નિલામી આ સપ્તાહમાં શરૂ થવાની છે અને તેમાં રિલાયન્સ જીયો, વોડાફોન આઈડિયા અને એરટેલ ઉપરાંત અદાણી જૂથે પણ બિડિંગ કરવા માટે રસ દાખવ્યો છે. 

જોકે, અદાણીએ આ સ્પેક્ટ્રમ ખરીદી માત્ર એન્ટરપ્રાઇસ સેવાઓ આપવા માટે જ કરવાની જાહેરાત કરી છે એટલે ગ્રાહકોને તો માત્ર ત્રણ કંપનીઓ તરફથી જ સેવા મળશે.

લોંચ પહેલા ગુજરાતમાં 5G સેવાઓનું ટેસ્ટિંગ ગાંધીનગર, જામનગર અને વડોદરામાં થયું હતું. જામનગર ખાતે રિલાયન્સ જીયો અને ગાંધીનગર ખાતે વોડાફોન દ્વારા ટેસ્ટ થયા હતા.

વડાપ્રધાન મોદી આ સેવા શરૂ કરે એ પહેલા વોડાફોન અને જીયો યુદ્ધના ધોરણે તેના લોંચ માટે તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિરમાં આ સેવાઓ શરૂ કરવા માટે અત્યારે કામગીરી થઇ રહી છે. 

અત્યારે કોઈ કંપની પાસે 5Gની સેવા માટે સ્પેક્ટ્રમ ઉપલબ્ધ નથી. નિલામી પછી વિજેતા કંપનીઓને તાકીદે સ્પેક્ટ્રમ ફાળવવા માટે PMO અને ટેલિકોમ ડિપાર્ટમેન્ટ કામગીરી કરી રહ્યા છે જેથી તા.15 ઓગસ્ટના તેનું લોંચિંગ થઈ શકે.

July 20, 2022
go_first.jpg
1min534

નવી દિલ્હી, તા. 20 જુલાઇ 2022, બુધવાર 

ભારતમાં આકસ્મિક કહો કે કોઈ કોન્સપીરન્સી કહો, છેલ્લા બે મહિનામાં અને ખાસ કરીને છેલ્લા બે સપ્તાહમાં વિમાનોમાં ટેક્નિકલ ખામીઓની વણજાર થઈ રહી છે. સ્પાઈસજેટનો આ ઘટનાક્રમ અટક્યો તો બાદમાં ઈન્ડિગો, એર એશિયા અને એર ઈન્ડિયા સાથે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. 

હવે આજે મળતી માહિતી પ્રમાણે GO FIRSTની વધુ એક ફલાઇટને અકસ્માત નડ્યો છે. અહેવાલ અનુસાર દિલ્હી-ગુવાહાટી જઇ રહેલી ગો-એર ફ્લાઇટની વિન્ડશિલ્ડ વચ્ચે હવામાં તિરાડ પડી ગઇ હતી. ખરાબ હવામાનને કારણે એરક્રાફ્ટ દિલ્હી પરત ન ફર્યું અને જયપુરમાં સુરક્ષિત રીતે ડાયવર્ટ કરવામાં આવ્યુ હતુ. 

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૪ કલાકમાં જ આ જ ગો ફર્સ્ટ ની એરલાઇન્સ સાથે આ ત્રીજી ઘટના છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી વિમાનોમાં ઉડાન દરમિયાન અચાનક ટેકનિકલ ખામીઓ વધી ગઈ છે. સ્પાઈસજેટમાં એક મહિનામાં ઓછામાં ઓછી 8 આવી ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાક્રમને ધ્યાને રાખીને દેશના એવિએશન સેફ્ટી રેગ્યુલેટર DGCAએ સ્પોટ ચેકિંગ કર્યું અને ઘણી ખામીઓ જોવા મળી છે. 

DGCA એ એરલાઈન્સને નવી સૂચના જારી કરીને કહ્યું છે કે, દરેક ફ્લાઈટ પહેલા નક્કી કરેલા નિયમોનું પાલન કરવું પડશે. એરલાઈન્સને સમસ્યાને સુધારવા માટે 28 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે. 

July 20, 2022
cia_multi-1280x1045.jpg
1min543

બાંધકામ અંગે ગુજરાત સરકારે વખતો વખત બહાર પાડેલા નિયમોથી ગુજરાતભરના તબીબોમાં નારાજગી ફેલાયેલી છે. બાંધકામના કેટલાક નીતિ નિયમોને કારણે હોસ્પિટલથી લઇને આઇસીયુ સુધીની કામગીરી તબીબો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગુજરાત સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે આગામી તા.22મી જુલાઇ 2022ને શુક્રવારના રોજ સવારે 8 કલાકથી તા.23મી જુલાઇને શનિવારે સવારે 8 વાગ્યા સુધી સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતભરના તબીબો 24 કલાકની સંપૂર્ણ હડતાળ પાડશે.

ઇન્ડીયન મેડિકલ એસોસીએશનની સુરત બ્રાન્ચની સત્તાવાર અખબારી યાદીમાં કહેવાયું છે કે ગુજરાતના તમામ પ્રાઇવેટ ડોક્ટર્સ આ હડતાળમાં જોડાશે. ગુજરાતમાં પહેલી વખત પ્રાઇવેટ હોસ્પિટલોમાં તા.22મીએ તબીબોની હડતાળના દિવસે ઓપીડી, આઉટ ડોર પેશન્ટ માટે તબીબી સેવા સુવિધા તેમજ ઓપરેશન થિયેટરની કામગીરી પણ બંધ રહેશે.

ઇમરજન્સીમાં તબીબી સેવા સુવિધા જળવાય રહે તે માટે સરકારી તેમજ ટ્રસ્ટની હોસ્પિટલોમાં તબીબી સારવાર ઉપલબ્ધ બની શકશે.

July 14, 2022
setelite-image.jpg
1min496

હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં આજે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારી, વલસાડ, ડાંગ, સુરત અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે તેમજ 15 જુલાઇએ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 213 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં વાંસદા, કપરાડા અને ધરમપુરમાં મેઘતાંડવની સ્થિતિ છે. બીજી તરફ, આજે સવારે 6 વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં 80 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ધરમપુરમાં બે કલાકમાં 3 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતના કપરાડામાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજી બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારે છે. આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી આંકડા પ્રમાણે, રાજ્યનાં કુલ 164 તાલુકમાં વરસાદ વરસ્યો છે. આ સાથે વલસાડ કપરાડામાં 11 ઇંચ, ડાંગના સુબીરમાં 9.44 ઇંચ, પારડીમાં 9 ઇંચ, ધરમપુરમાં 8.52 ઇંચ, નવસારીમાં ખેરગામમાં 7.56, વડોદરાના ડભોઇમાં 8 ઇંચ, વાસંદામાં 6.88, વલસાડમાં વાપી 6.88 ઇંચ, નર્મદાના નાંદોદમાં 7 ઇંચ, ડાંગના આહવામાં 6.08 ઇંચ, ડાંગ વઘઇમાં 5.56 ઇંચ, કરજણમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે.

July 14, 2022
cia_multi-1280x1045.jpg
1min1042
Maharashtra: Portions of state, district highways closed due to rains
ફાઇલ ફોટો હાઇવે ટ્રાફિક

સમગ્ર ભારતમાં સૌથી બિઝી હાઇવે ગણાતા અમદાવાદ મુંબઇ નેશનલ હાઇવે પર ચીખલીથી વલસાડ વચ્ચે અનેક ઠેકાણે પાણી ભરાઇ જવાને કારણે આજે તા.14મી જુલાઇએ સવારે નવસારીના કલેક્ટરે જાહેરાત કરવી પડી હતી કે ટ્રાફિકની અવરજવર જોખમી હોવાથી અમદાવાદ મુંબઇ વચ્ચેનો નેશનલ હાઇવે બંધ કરવો પડ્યો છે. નવસારી કલેક્ટરે લોકોને અપીલ કરી છે કે હાઇવે અચોક્કસ મુદત માટે બંધ છે, આથી લોકોએ આ માર્ગ પરનો પ્રવાસ ટાળવો જોઇએ.

દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લામાં  અમદાવાદ મુંબઈ નૅશનલ હાઈ વે પર વરસાદી પાણી ભરાવાને કારણે નવસારી જિલ્લા કલેકટરે  નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ચીખલી આલીપોરથી વલસાડ સુધીનો હાઈ વે અવરજવર માટે બંધ કર્યો છે. નવસારીમાં 12,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદે તારાજી સર્જી છે. 15 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વોલમાર્ક લો પ્રેશર હોવાથી રાજ્યમાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે. 

નવસારી કલેક્ટરે તા.14મી જુલાઇએ કરેલું ટ્વીટ

July 13, 2022
Free-vaccinee-1280x720.jpg
1min484

કેન્દ્ર સરકારે 15 જુલાઈથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોરોનાનો બૂસ્ટર ડોઝ ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે તા.13મી જુલાઇ 2022ના રોજ દિલ્હી ખાતેથી એક પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું કે, ભારત આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આઝાદીના અમૃતકાળ પ્રસંગે સરકારે 15 જુલાઈ, 2022થી આગામી 75 દિવસ સુધી 18 કે તેનાથી વધુ ઉંમરના બધા લોકોને સરકારી કેન્દ્રો પર મફતમાં કોરોનાનો બૂસ્ટર ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે.

ફુલ્લી વેક્સીનેટેડ એટલે કે કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધાના 6 મહિના પછી જ શરીરમાં એન્ટીબોડીનું સ્તર ઓછું થવા લાગે છે. ફરીથી સંક્રમિત થવાનો ખતરો વધી ગયો ચે. જેથી બૂસ્ટર ડોઝ જરૂરી હોય છે. પરંતુ આ ખતરા છતાં લોકો બૂસ્ટર ડોઝ નહોંતા લઈ રહ્યા, જેનું મોટું કારણ કદાચ એ હતું કે, મોટાભાગના રાજ્યોમાં 60 વર્ષથી ઓછી ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ માટે રૂપિયા ખર્ચ કરવા પડી રહ્યા હતા. હવે સરકારે બૂસ્ટર ડોઝને મફત કરવા ઉપરાંત તેના માટે જાગૃતિ અભિયાન શરૂ કરવાનો પણ નિર્ણય કર્યો છે.

અહેવાલો મુજબ, હાલમાં 18થી 59 વર્ષના 77 કરોડ પાત્ર લોકોમાંથી એક ટકા કરતા પણ ઓછાને બૂસ્ટર ડોઝ અપાયો છે. જોકે, 60 વર્ષથી વધુ ઉંમરના લગભગ 16 કરોડ લોકો અને આરોગ્ય કર્મચારીઓ તેમજ પ્રથમ હરોળના કર્મીઓમાંથી લગભગ 26 ટકા લોકો બૂસ્ટર ડોઝ લઈ ચૂક્યા છે.

કેન્દ્ર સરકારે ગત સપ્તાહે બધા માટે કોરોનાની રસીના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝની વચ્ચેનું અંતર 9 મહિનાથી ઘટાડી 6 મહિના કરી દેવાયું હતું. રસીકરણ પર નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપની ભલામણ પછી આવું કરવામાં આવ્યું હતું.