CIA ALERT

ડેવલપમેન્ટ Archives - CIA Live

February 23, 2026
image-27.png
1min14

ગુજરાત હાઈકોર્ટે એક પિતાની હિબસ-કૉર્પ્સ પિટિશન ડિસમિસ કરી હતી અને કહ્યું હતું કે તેમની 18 વર્ષીય દીકરીએ પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને કાયદાકીય દૃષ્ટિએ તેને પોતાનો જીવનસાથી પસંદ કરવાની છૂટ છે. 

પિતાએ અરજીમાં જણાવ્યું હતું કે તેમની દીકરીને એક પુરુષે ગેરકાયદે પોતાની સાથે રાખી છે. જોકે દીકરીએ પરિવારની સંમતિ વિના પોતાની મરજીના પુરુષ સાથે લગ્ન કર્યા હતા. કોર્ટે આ મામલે નોંધ્યું હતું કે અરજદારની દીકરીને પૂરતી સુરક્ષા સાથે કોર્ટમાં બોલાવવામા આવી હતી અને તેણે જણાવ્યું હતું કે તેણે પોતાની ઈચ્છાથી આ પુરુષ સાથે લગ્ન કર્યા છે. યુવતીએ કોઈપણ પ્રકારના દબાણનો ઈનકાર કર્યો હતો. આ સમયે તેનાં માતા-પિતા પણ હાજર હતા.

પિતાએ પણ લગ્નનો ઈનકાર કર્યો ન હતો અને તેણે પોતાની અરજી સાથે મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ જોડ્યું હતું. 
કોર્ટે એમ પણ નોંધ્યું કે અરજદાર પિતા તેમનાં પત્ની અને તેમની દીકરી સાથે વાતચીત કરી હતી, પરંતુ તેમની વચ્ચેનો મતભેદ ઉકેલી શકાયો ન હતો અને પિતા દીકરીને માફ કરવા તૈયાર ન હતા. દીકરીએ પણ સાફ કહ્યું હતું કે તે તેનાં પતિ સાથે જ રહેવા માગે છે. કોર્ટે પિતાની અરજીને ડિસમિસ કરી હતી અને 18 વર્ષની દીકરી 18 વર્ષની થઈ છે અને પોતાની મરજીથી પોતાનું લગ્નજીવન શરૂ કરી રહી છે.

February 23, 2026
image-26.png
1min16

ભારતીય વાયુસેનાનું ગૌરવ ગણાતું સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) ‘તેજસ’ તાજેતરમાં એક અકસ્માતનો ભોગ બન્યું છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં એક ફોર્વર્ડ એરબેઝ પર ટ્રેનિંગ ફ્લાઇટ પૂર્ણ કરીને પરત ફરી રહેલું તેજસ વિમાન લેન્ડિંગ સમયે રનવેથી આગળ નીકળી ગયું હતું. આ ઘટનામાં વિમાનના એરફ્રેમને નોંધપાત્ર નુકસાન થયું છે, જોકે રાહતની વાત એ છે કે પાયલોટે સમયસૂચકતા વાપરીને સુરક્ષિત રીતે ઇજેક્ટ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં બ્રેક ફેલ થવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે.

આ દુર્ઘટના બાદ ભારતીય વાયુસેનાએ સાવચેતીના પગલા રૂપે તેજસ વિમાનોના સમગ્ર કાફલા (Fleet) ના ઉડાન ભરવા પર કામચલાઉ રોક લગાવી દીધી છે. વાયુસેના પાસે હાલમાં લગભગ 30 જેટલા સિંગલ-સીટર તેજસ વિમાનો છે. આ તમામ જેટ્સની સંપૂર્ણ ટેકનિકલ તપાસ કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. તેજસ એક સિંગલ એન્જિન મલ્ટી-રોલ ફાઈટર એરક્રાફ્ટ છે જે અત્યંત જોખમી વિસ્તારોમાં પણ ચોકસાઈથી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ આ ટેકનિકલ ખામીએ વાયુસેનાની ચિંતામાં વધારો કર્યો છે.

આ અકસ્માત એવા સમયે થયો છે જ્યારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) તેજસ માર્ક 1A ની ડિલિવરીમાં પહેલેથી જ વિલંબ કરી રહ્યું છે. ફેબ્રુઆરી 2021માં 48,000 કરોડના ખર્ચે 83 જેટ્સ માટે થયેલા સોદાની ડેડલાઇન અનેકવાર ચૂકી જવામાં આવી છે. આ વિલંબ પાછળનું મુખ્ય કારણ અમેરિકી કંપની જીઈ એરોસ્પેસ (GE Aerospace) દ્વારા એન્જિનની સપ્લાયમાં થઈ રહેલો મોડું હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે સપ્ટેમ્બર 2025માં સરકારે વધુ 97 તેજસ વિમાનો માટે ₹62,370 કરોડનો નવો સોદો પણ કર્યો હતો.

છેલ્લા બે વર્ષમાં તેજસ વિમાન સાથે સંકળાયેલી આ ત્રીજી મોટી ઘટના છે. પ્રથમ અકસ્માત માર્ચ 2024માં જેસલમેર પાસે થયો હતો, જ્યારે બીજી ઘટના નવેમ્બર 2025માં દુબઈ એરશો દરમિયાન લાઈવ પ્રદર્શન વખતે બની હતી. આ વારંવાર બનતી ઘટનાઓ અને ટેકનિકલ ખામીઓને કારણે હવે સ્વદેશી લડાયક વિમાનોની ગુણવત્તા અને સુરક્ષા પાસાઓ પર સવાલો ઉઠી રહ્યા છે. વાયુસેનાની ટેકનિકલ ટીમ હવે આ ખામીઓના મૂળ સુધી પહોંચવા માટે ઊંડી તપાસ કરી રહી છે.

February 23, 2026
image-23.png
1min37

રાજકોટ મહાનગરપાલિકા (RMC) સોમવારે (23મી ફેબ્રુઆરી) શહેરના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન ઓપરેશન હાથ ધરવા જઈ રહી છે. જંગલેશ્વર અને આજી નદીના પટમાં દાયકાઓથી સરકારી અને મનપાની જમીન પર ખડકાયેલા 1489 મકાનો તોડી પાડવા માટે તંત્રએ આખરી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર રાજકોટમાં કડક પોલીસ બંદોબસ્ત અને કલમ-163 લાગુ કરી દેવામાં આવી છે.

મહાપાલિકા દ્વારા આ ઓપરેશન માટે વિશાળ કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. 1130થી વધુ મનપા કર્મચારીઓ (ખાસ એપ્રન અને હેલમેટ સાથે). 260થી વધુ વાહનો જેમાં જેસીબી, હિટાચી, બ્રેકર અને ડમ્પરનો સમાવેશ થાય છે. આજી નદી પટની 55,000 ચો.મી. અને ટી.પી. રોડની 32,000 ચો.મી. મળી કુલ 87,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાશે.

વિસ્તારની સંવેદનશીલતાને જોતા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી કડક નિયમો લાગુ કર્યા છે. 23મીથી 25મી ફેબ્રુઆરી સુધી સમગ્ર રાજકોટમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત 26મી ફેબ્રુઆરી સુધી શહેરમાં 4 થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર મનાઈ છે. 2500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત પહેરો ગોઠવી દેવાયો છે. કોઈપણ પ્રકારના કાંકરીચાળા કે વિરોધના કિસ્સામાં તુરંત ધરપકડના આદેશો અપાયા છે.

તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે અગાઉ આ વિસ્તારના અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ આપવામાં આવ્યા હતા, જેનો પુરાવો વીડિયો દ્વારા જારી કરાયો છે. આથી, આ વખતે કોઈ પણ નવું આવાસ કે વૈકલ્પિક જગ્યા આપવામાં આવશે નહીં. રવિવાર સાંજ સુધીમાં અંદાજે 225 પરિવારોએ સ્વૈચ્છિક રીતે પોતાના મકાનો ખાલી કરી દીધા હતા.

February 19, 2026
image-20.png
1min15

ગુજરાતના દેવામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ગૃહમાં સરકારે માહિતી આપી હતી કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યના દેવામાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2023-24થી વર્ષ 2028-29 સુધીના અંદાજો સરકારના બજેટના દસ્તાવેજોમાં દર્શાવાયા છે. તે જોતા કહી શકાય કે, રાજ્યના જાહેર દેવામાં સતત અને મજબૂત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2023-24માં ગુજરાત રાજ્યનું કુલ જાહેર દેવું રૂ. 3,52,717 કરોડ હતું. જે વર્ષ 2024-25ના સુધારેલા અંદાજ મુજબ વધીને રૂ. 4,30,320 કરોડ પર પહોંચ્યું હતું. આ માત્ર એક વર્ષના ગાળામાં આશરે ₹રૂ. 77,000 કરોડથી વધુનો ઉછાળો દર્શાવે છે.

નાણાં પ્રધાને ગુજરાત સરકારનું વર્ષ 2026-27 માટે જે બજેટ રજૂ કર્યું છે તેના દસ્તાવેજો મુજબ વર્ષ 2025-26માં 4,45,537 કરોડ અને વર્ષ 2026-27માં ગુજરાત સરકારનું કુલ દેવું વધીને 4,87,069 કરોડ થવાનો અંદાજ છે. જ્યારે, સરકારના દેવાનો આ આંકડો 2028-29 સુધીમાં વધીને રૂ. 5,66,845 કરોડ સુધી પહોંચે એવો અંદાજ મૂકાયો છે.

આગામી 5 વર્ષમાં રાજ્યનું જાહેર દેવું આશરે ₹2.24 લાખ કરોડ જેટલું વધી જશે એટલે કે 2023ની સરખામણીએ 2029માં સરકારનું જાહેર દેવું 65 ટકા જેટલું વધારે હશે. દર વર્ષે સરેરાશ ₹45,000 કરોડનું નવું દેવું ઉમેરાય તેવો અંદાજ છે. જોકે, સારી બાબત એ છે કે રાજ્યનું કુલ ઉત્પાદન પણ 68 ટકાના દરે વધવાની ધારણા છે. દેવું વધવા છતાં, GSDPના પ્રમાણમાં દેવાની ટકાવારી 14.38 ટકાથી ઘટીને 13.74 થશે. આનો અર્થ એ છે કે રાજ્યની આવક વધવાની ક્ષમતા દેવા કરતા સહેજ વધુ ઝડપી છે.

સૌથી વધુ ચોંકાવનારો આંકડો રાજકોષીય ખાધનો છે, જે 251 ટકાનો વધવાનો અંદાજ છે. વર્ષ 2023-24માં આ ખાધ માત્ર 23,463 કરોડ હતી. જે 2028-29માં વધીને 82,518 કરોડ થઈ શકે છે. આ ખાધ સૂચવે છે કે સરકાર ખર્ચને પહોંચી વળવા માટે ઉધાર લેવા પર વધુ નિર્ભર રહેશે. વર્ષ 2023-24માં સરકાર પાસે રૂ. 33,477 કરોડની મહેસૂલી પુરાંત હતી. જે 2028-29 સુધીમાં ઘટીને રૂ. 22,000 કરોડ થવાની શક્યતા છે. આ ઘટાડો સૂચવે છે કે વહીવટી ખર્ચ અથવા વ્યાજની ચુકવણીમાં મોટો હિસ્સો વપરાઈ જશે.

February 14, 2026
guj_gov_logo.png
14min25

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વહીવટી માળખામાં મોટો ફેરફાર કર્યો છે. સમગ્ર રાજ્યમાં 37 મામલતદારોની બદલીનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા 165 લોકોને મામલતદાર તરીકે બઢતી સાથે બદલી પણ આપી છે. આ અંગે ગાંધીનગરથી અધિકારીક આદેશ આપવામાં આવ્યો છે. બઢતી તથા બદલીના આદેશ કરવામાં આવ્યા છે. 

નાયબ મામલતદારમાંથી મામલતદારમાં બઢતી

ક્રમઅધિકારીનું નામહાલનો જિલ્લોનિમણૂંકની જગ્યા (મામલતદાર તરીકે)
1ડિમ્પલબેન પી. સાંગાણીયાવલસાડડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, પાટણ
2વિશાલ એચ. જેપીવાલાનવસારીચૂંટણી મામલતદાર, મોરબી
3પુલિન ટી. ઠાકરમહેસાણાકચ્છ
4વિશાલ ડી. ત્રિવેદીભાવનગરચૂંટણી મામલતદાર, અમરેલી
5જયેશકુમાર વી. ધોકિયાજૂનાગઢચૂંટણી મામલતદાર, ગીર સોમનાથ
6એચ. એમ. સોમાણીભાવનગરડેપ્યુટી રજીસ્ટ્રાર-GRT, અમદાવાદ
7કેતનભાઈ પી. ત્રિવેદીભાવનગરકલેક્ટર કચેરી, બોટાદ
8મહેન્દ્રસિંહ પી. ઝાલાભાવનગરચૂંટણી મામલતદાર, જૂનાગઢ
9મેહુલકુમાર એચ. રાવલસુરેન્દ્રનગરકોટડા-સાંગાણી, રાજકોટ
10હિતેન્દ્રસિંહ એન. ગોહિલસુરેન્દ્રનગરચીફ ઓફિસર, થાનગઢ (ડેપ્યુટેશન)
11ભગીરથસિંહ ડી. ચુડાસમાઅમદાવાદAUDA, આણંદ
12નિશા કે. લાખાણીરાજકોટમૂળી, સુરેન્દ્રનગર
13યતિનકુમાર પી. ભાડજાઆણંદજનસંપર્ક અધિકારી (PRO), ડાંગ
14જયદીપ એસ. પટેલઅમદાવાદઅધિક ચિટનીસ, ખેડા
15દીપમાલા જી. બચાણીઅમદાવાદડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગાંધીનગર
16પુષ્પરાજ જી. ઓલીક્ષ્ત્રિયાગાંધીનગરAUDA, અમદાવાદ
17પરેશ એ. દેસાઈઅમદાવાદજનસંપર્ક અધિકારી (PRO), ગાંધીનગર
18ચિરાગ એચ. પ્રજાપતિઅમદાવાદશામળાજી, અરવલ્લી
19હિતેશકુમાર જે. ચૌહાણગાંધીનગરSSRD-1, અમદાવાદ
20રણજિતસિંહ આઈ. રાઠોડઅમદાવાદફાગવેલ, ખેડા
21વનરાજસિંહ એચ. બારડઅરવલ્લીજનસંપર્ક અધિકારી (PRO), પંચમહાલ
22હરેશકુમાર બી. પટેલસાબરકાંઠાહડાદ, બનાસકાંઠા
23નિલેશ એ. રાઠોડઅમદાવાદડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગાંધીનગર
24વિશાલભાઈ એ. મકવાણાઅમદાવાદમહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી, ગાંધીનગર
25નરેન્દ્રસિંહ ડી. ચાવડાઅમદાવાદમાતર, ખેડા
26અલ્પેશ એન. રાવલબનાસકાંઠાએક્સ્ટ્રા ચિટનીસ, વડોદરા
27ચૈતન્ય બી. સંઘાણીઆણંદNRG ફાઉન્ડેશન, ગાંધીનગર
28કિરણસિંહ એ. વિહોલમહેસાણાપોશિના, સાબરકાંઠા
29ઉપેન્દ્રસિંહ કે. વાઘેલાઅમદાવાદચોટીલા, સુરેન્દ્રનગર
30મીનલબેન વી. પટેલસાબરકાંઠાકલેક્ટર કચેરી, અરવલ્લી
31રામદેવસિંહ જે. ઉમટઅમદાવાદચૂંટણી મામલતદાર, બોટાદ
32ચંદ્રેશ એન. પોરાધિયાપાટણસ્પીપા (SPIPA), અમદાવાદ
33ગૌતમકુમાર એસ. દરજીમહેસાણાકાંકરેજ, બનાસકાંઠા
34રામાજી વી. બારી (રાજપૂત)કચ્છધરણિધર, વાવ-થરાદ
35હરદેવસિંહ આર. પઢિયારસુરેન્દ્રનગરજનસંપર્ક અધિકારી (PRO), કચ્છ
36ભાવના એલ. રબારીઅમદાવાદનડિયાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી
37મુકેશભાઈ એમ. દેસાઈખેડાચિટનીસ, આણંદ
38કુલદીપસિંહ એ. મોડઅમદાવાદધોલેરા SIR ઓથોરિટી
39હરદીપસિંહ બી. સોલંકીસુરતચિટનીસ-TASP-રાજપીપળા, નર્મદા
40માનસી એન. પારેખસુરેન્દ્રનગરજનસંપર્ક અધિકારી (PRO), જૂનાગઢ
41યોગેશકુમાર એમ. પટેલસાબરકાંઠારાહ, વાવ-થરાદ
42કિરણકુમાર કે. ગોસ્વામીપાટણઓગડ, બનાસકાંઠા
43રાજેશકુમાર આર. દેસાઈઅમદાવાદસેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
44સમ્રાટ કે. બ્રહ્મભટ્ટઅમદાવાદઆણંદ શહેર
45કિરીટસિંહ આર. વાઘેલાગાંધીનગરસેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
46તકદીરકુમાર યુ. સોલંકીસાબરકાંઠાકલેક્ટર કચેરી, અરવલ્લી
47શૈલેષકુમાર બી. પ્રજાપતિખેડાગોવિંદ ગુરુ લીમડી, દાહોદ
48ભાવેશ એસ. ધાનાણીકચ્છમજુરા, સુરત શહેર
49આકાશકુમાર એમ. શ્રીમાળીમહેસાણાચૂંટણી મામલતદાર, બનાસકાંઠા
50નિલયકુમાર એચ. પટેલખેડાઘાટલોડિયા, અમદાવાદ
51સંકેતકુમાર એ. શાહસાબરકાંઠાવડગામ, બનાસકાંઠા
52પ્રિયંકકુમાર બી. પટેલસાબરકાંઠામહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
53શાહીના એમ. દિવાનઅમદાવાદવિજિલન્સ સેલ, આદિજાતિ વિકાસ
54નિકુંજ વી. સાવલાવડોદરાભરૂચ (શહેર)
55મોહમદજાબીર એસ. ઘોરીબનાસકાંઠામહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
56હિરેન બી. મકવાણારાજકોટડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગાંધીનગર
57અરવિંદ એ. રાઠોડજામનગરPSO-IORA કલેક્ટર કચેરી, રાજકોટ
58કલ્પેશકુમાર કે. દવેભાવનગરઅમરેલી (શહેર)
59સુનીલકુમાર જી. મહેતાઅમદાવાદસ્પીપા (SPIPA), અમદાવાદ
60નિકુલકુમાર એ. પટેલમહેસાણાPSO-IORA કલેક્ટર કચેરી, અમદાવાદ
61વૈભવ કે. વ્યાસકચ્છચીફ ઓફિસર, મુન્દ્રા (ડેપ્યુટેશન)
62આશિયાનાબાનુ એસ. શેખઅમદાવાદડેપ્યુટી મેનેજર (લેન્ડ), TCGL
63વનરાજસિંહ કે. રાજપૂતઅમદાવાદસાયલા, સુરેન્દ્રનગર
64રંજન વી. સોલંકીઆણંદચૂંટણી મામલતદાર, ખેડા
65પ્રકાશચંદ્ર એન. પટેલમહેસાણાહક્કપત્રક મામલતદાર, બનાસકાંઠા
66સંદીપ જી. રૈયાણીવડોદરાહાલોલ, પંચમહાલ
67અમિતા એન. ભાવસારવડોદરાડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, પંચમહાલ
68પ્રણવકુમાર એચ. આચાર્યરાજકોટજમીન સંપાદન અધિકારી કચેરી, રાજકોટ
69શ્વેતા ટી. પટેલસુરતભરૂચ-અંકલેશ્વર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી
70નિકી એચ. પ્રજાપતિખેડાચિટનીસ ટુ એડિશનલ કલેક્ટર, વડોદરા
71સવસીભાઈ આર. પટેલગાંધીનગરઇરીગેશન સેસ રિકવરી, ખેડા
72શૈલેષભાઈ ડી. બારૈયાભાવનગરબોટાદ (શહેર)
73સુવિધાબા જે. રાઠોડરાજકોટA.T.V.T. મહેસૂલ વિભાગ, ગાંધીનગર
74કિરણકુમાર આર. દેસાઈમહેસાણાલોથલ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી
75જૈમિનીબેન કે. ગોસ્વામીસાબરકાંઠાચિટનીસ ટુ કમિશનર, મધ્યાહન ભોજન
76કલ્પેશ એ. રાયકાઅમદાવાદજમીન સંપાદન અધિકારી કચેરી, સુરત
77પ્રણવ કે. પારેખભાવનગરબાબરા, અમરેલી
78રીતેષકુમાર ટી. શ્રોફઅમદાવાદએક્સ્ટ્રા ચિટનીસ, પંચમહાલ
79જલ્પા બી. બાલ્ધારાજકોટડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, જામનગર
80સ્નેહલ એમ. જાડેજાઅમદાવાદPSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
81અમરતભાઈ એમ. ચૌધરીમહેસાણાએસ્ટેટ ઓફિસર, અંબાજી મંદિર
82નીરવ વી. દવેભાવનગરવડિયા, અમરેલી
83અભિષેક એ. ગોહિલબનાસકાંઠાદિયોદર, વાવ-થરાદ
84કિંજલ કે. ભટ્ટઅમદાવાદPSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
85ધવલ એમ. બેંકરવડોદરાઅંબિકા, સુરત
86ચારુલાતાબેન એમ. પાનારાવડોદરામામલતદાર (પ્રોટોકોલ), નર્મદા
87હીર એ. વંજનીરાજકોટઅધિક ચિટનીસ, જૂનાગઢ
88જીગ્નેશકુમાર એચ. પટેલવડોદરાસંખેડા, છોટાઉદેપુર
89બીજલભાઈ એમ. ત્રામટાસુરેન્દ્રનગરઅમરેલી (ગ્રામ્ય)
90તેજલ પી. જોશીગીર સોમનાથચુડા, સુરેન્દ્રનગર
91અંકિત એન. પરમારદાહોદગોધર, મહીસાગર
92અશ્વિનકુમાર કે. ચાવડાઅમદાવાદGUDA, ગાંધીનગર
93નિધિ જી. જોશીપાટણRERA-1, ગાંધીનગર
94કવિતાબેન એન. પાટીલવલસાડઆસિ. પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, વાંસદા
95ધવલકુમાર કે. પરમારસાબરકાંઠાPSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
96તૃષા જે. સોનીવડોદરાચિટનીસ, દાહોદ
97જય એલ. રાજવઢારાજકોટચૂંટણી મામલતદાર, સુરેન્દ્રનગર
98વિશાલકુમાર એચ. શુક્લાજૂનાગઢચીફ ઓફિસર, સિહોર (ડેપ્યુટેશન)
99હર્ષદકુમાર એલ. મકવાણાપાટણPSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
100હિતેશ વી. દુધાતસુરતઉકાઈ, તાપી
101નિખિલ આર. જોશીમોરબીચિટનીસ, સુરેન્દ્રનગર
102જીગ્નેશકુમાર વી. જાનીમહેસાણાભાભર, વાવ-થરાદ
103હીના વી. શાહગાંધીનગરચૂંટણી મામલતદાર, અમદાવાદ
104રાજેન્દ્રસિંહ એ. રાવગાંધીનગરચૂંટણી મામલતદાર, આણંદ
105નિધિ પી. ચાવડાસુરેન્દ્રનગરહળવદ, મોરબી
106વિજયકુમાર એમ. મકવાણામહેસાણાજનસંપર્ક અધિકારી (PRO), અમદાવાદ
107જયેશ ડી. જકાસણિયાવડોદરાઅરેઠ, સુરત
108મિતેશ એસ. કનેજિયાખેડાકડવાલ, છોટાઉદેપુર
109વિરંગકુમાર બી. વ્યાસપંચમહાલડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, દેવભૂમિ દ્વારકા
110અજયસિંહ પી. રાણાભાવનગરડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગીર સોમનાથ
111મહેન્દ્ર ડી. ભાલોડીરાજકોટખાંભા, અમરેલી
112ભાવિકા કે. મોદીસાબરકાંઠાઆસિ. મેનેજર, હેન્ડલૂમ કોર્પોરેશન
113દીપકકુમાર જી. ગઢવીબનાસકાંઠાઊંઝા, મહેસાણા
114અનિરુદ્ધસિંહ બી. ઝાલાદેવભૂમિ દ્વારકાચીફ ઓફિસર, ભચાઉ (ડેપ્યુટેશન)
115સુરેન્દ્રસિંહ એમ. રાજપૂતબનાસકાંઠાધોલેરા SIR ઓથોરિટી
116જનાર્દન પી. દવેઅરવલ્લીPSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
117હિતેન્દ્રકુમાર એમ. ચૌધરીમહેસાણાઆસિ. પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ખેડબ્રહ્મા
118શિલ્પાકુમારી એલ. રાઠોડસુરેન્દ્રનગરચિટનીસ ટુ એડિશનલ કલેક્ટર, અમદાવાદ
119ધવલ એમ. પરમારપાટણસેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
120પ્રકાશકુમાર કે. ચૌધરીબનાસકાંઠાડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, કચ્છ
121જ્યોતિકાબેન કે. પરમારપાટણસ્પીપા (SPIPA), અમદાવાદ
122મમતા આર. ચૌહાણઅમદાવાદસેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
123અખિલભાઈ એ. દેસાઈઅમદાવાદકોઠંબા, મહીસાગર
124જોગીદાન બી. ગઢવીરાજકોટડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગાંધીનગર
125સંદીપકુમાર એ. ઝવેરીઅમદાવાદચીફ ઓફિસર, ચકલાસી (ડેપ્યુટેશન)
126કિશોરકુમાર બી. બારિયાસુરતજનસંપર્ક અધિકારી (PRO), તાપી
127સુહાગ કે. બારોટખેડાજમીન સંપાદન, ગાંધીનગર
128મંજુ કુમારી આર. ચૌધરીમહેસાણાPSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
129હર્ષદકુમાર વી. ચાવડાસાબરકાંઠાચિટનીસ ટુ એડિશનલ કલેક્ટર, ગાંધીનગર
130પ્રમિલા વી. ગજરેખેડાVUDA, વડોદરા
131કાર્તિકસિંહ એ. વિહોલમહેસાણાઇરીગેશન સેસ રિકવરી, આણંદ
132ગીતાબેન એમ. માલવીબનાસકાંઠાકલેક્ટર કચેરી, વાવ-થરાદ
133પ્રણવકુમાર બી. પુરોહિતગાંધીનગરજમીન સંપાદન અધિકારી કચેરી, અમદાવાદ
134મિહિર એ. શાહમહીસાગરજનસંપર્ક અધિકારી (PRO), દાહોદ
135જીજ્ઞા એચ. ત્રિવેદીઅમદાવાદઆસિ. ઇલેક્શન કમિશનર, SEC
136વિપુલકુમાર એન. સોલંકીઆણંદએક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ-કોર્ટ ૨, અમદાવાદ
137મેહુલકુમાર આઈ. પરમારઆણંદચીફ ઓફિસર, કપડવંજ (ડેપ્યુટેશન)
138તેજલ એન. માલવિયાવડોદરાસાપુતારા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી
139બિપિન એમ. શાહઆણંદકલેક્ટર કચેરી, મહીસાગર
140વીરેન્દ્રકુમાર એ. વામદેવમહેસાણાસમી, પાટણ
141પરિક્ષિત આર. પરમારજામનગરધારી, અમરેલી
142કિરણકુમાર કે. કરોલિયાવડોદરાસુખસર, દાહોદ
143ભાવેશકુમાર ડી. પટેલસાબરકાંઠાસાઠંબા, અરવલ્લી
144દિપેન કે. દેસાઈપાટણજનસંપર્ક અધિકારી (PRO), સુરેન્દ્રનગર
145મહેશકુમાર ડી. માળીબનાસકાંઠાહક્કપત્રક મામલતદાર, કચ્છ
146વિજયસિંહ પી. પરમારભરૂચચીકદા, નર્મદા
147દેવાંગ આર. મેવાણીઅમદાવાદવિજિલન્સ સેલ, વડોદરા
148જીજ્ઞાશાબેન કે. ભટ્ટપોરબંદરચીફ ઓફિસર, રાણાવાવ (ડેપ્યુટેશન)
149સોનલ યુ. સાંગાણીસુરતડેડિયાપાડા, નર્મદા
150શૈલેષકુમાર એચ. દેસાઈગાંધીનગરસેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
151અશ્વિનકુમાર કે. બારૈયાભાવનગરજૂનાગઢ (શહેર)
152આદિત્ય એસ. ત્રિવેદીઅમદાવાદખેડા
153હેમા એન. દેસાઈખેડાકલેક્ટર કચેરી, છોટાઉદેપુર
154અંકુર એમ. લાડાણીજૂનાગઢડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, પોરબંદર
155અર્જુનસિંહ જે. ચૌહાણવડોદરાવઘઈ, ડાંગ
156સંગીતાબેન એમ. દેસાઈઅમરેલીવિજયનગર, સાબરકાંઠા
157કામિની જી. રાઠોડબનાસકાંઠાચૂંટણી મામલતદાર, પાટણ
158પંકજકુમાર એસ. પરમારઅરવલ્લીડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, મહીસાગર
159નરેન્દ્રસિંહ એ. રાવગાંધીનગરભિલોડા, અરવલ્લી
160પ્રવિણભાઈ જી. સોલંકીકચ્છથાનગઢ, સુરેન્દ્રનગર
161રજનીભાઈ એમ. વૈષ્ણવસુરતઆહવા, ડાંગ
162મહેશ કે. બાલિયાબોટાદજસદણ, રાજકોટ
163વનરાજસિંહ ડી. બારિયાઅમદાવાદસેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
164હાર્દિકકુમાર એસ. જોશીદાહોદમોરવા હડફ, પંચમહાલ
165ભાવેશકુમાર પી. ઇટાલિયાસુરતવડોદરા શહેર-પૂર્વ
February 12, 2026
image-17.png
1min20

  • ત્રણ મિનિટ અને 10 સેકન્ડના છ છંદોવાળા વંદે માતરમનો દેશભરમાં અમલ
  • જ્યારે જન ગણ મન અને વંદે માતરમ સાથે ગાવાના થાય ત્યારે વંદે માતરમને પ્રાથમિકતા આપવાના આદેશથી વિવાદની શક્યતા
  • સ્કૂલ-કોલેજોમાં પણ સંપૂર્ણ વંદે માતરમ ફરજિયાત, થીયેટરોને છૂટછાટ : ગ્રહ મંત્રાલયે ગાઇડલાઇન જાહેર કરી

હવેથી દેશભરમાં રાષ્ટ્રગાન વંદે માતરમ સંપૂર્ણ ગવાશે, એટલુ જ નહીં હવેથી રાષ્ટ્રગીત જન ગણ મન અને રાષ્ટ્રગાન વંદેમાતરમ બન્ને સાથે ગાવાના થાય કે વગાડવામાં આવે તો તેવી સ્થિતિમાં વંદે માતરમને પ્રાથમિકતા આપવાની રહેશે, એટલે કે પહેલા રાષ્ટ્રગાન વંદે માતરમ ગવાશે કે વગાડાશે પછી રાષ્ટ્રગીત જન ગણ મન ગવાશે. વંદે માતરમ રાષ્ટ્રગાનનું અખંડ એટલે કે પૂર્ણ વર્ઝન ત્રણ મિનિટ અને ૧૦ સેકન્ડનું માનવામાં આવે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક આદેશ જારી કરીને કહ્યું છે કે રાષ્ટ્રગાન વંદે માતરમના તમામ છ છંદો ગાવા કે વગાડવા ફરજિયાત રહેશે, અધુરુ વંદે માતરમ વગાડવું કે ગાવું નહીં. આ દરમિયાન તમામ નાગરિકોએ વંદે માતરમના સન્માનમાં ઉભા રહેવાનુ રહેશે, જોકે જ્યારે કોઇ ફિલ્મમાં ગાવામાં આવે કે સમાવેશ કરવામાં આવે ત્યારે દર્શકો પાસેથી ઉભા થવાની અપેક્ષા ના રાખી શકાય.

વંદે માતરમના ૧૫૦ વર્ષની દેશભરમાં ઉજવણી ચાલી રહી છે. સાથે જ સ્કૂલ પ્રશાસનને તિરંગો, રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત પ્રત્યે વિદ્યાર્થીઓમાં જાગૃકતા આવે તેવા પ્રયાસો કરવા પણ કહ્યું છે. આ તમામ નવા આદેશો સાથે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. વંદે માતરમની રચના બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા કરવામાં આવી હતી, પ્રથમ વખત ૧૮૯૬માં કલકત્તામાં કોંગ્રેસના અધિવેશનમાં રવીન્દ્રનાથ ટાગોરે વંદે માતરમ ગાયું હતું, જે બાદમાં દેશની સ્વતંત્રતાનો એક હિસ્સો બની ગયું અને સ્વતંત્રતા સેનાનીઓ, ક્રાતિકારીઓએ પણ તેને આઝાદીની ચળવળમાં અપનાવ્યું. અત્યાર સુધી રાષ્ટ્રગીત જન ગણ મન અને પછી રાષ્ટ્રગાન વંદે માતરમ એવો ક્રમ ચાલતો આવ્યો છે પરંતુ હવે કેન્દ્ર સરકારે રાષ્ટ્રગાન વંદે માતરમને રાષ્ટ્રગીત જન ગણ મન પહેલા પ્રાથમિકતા આપી છે. જેને કારણે રાજકીય વિવાદ છેડાય તેવી પણ શક્યતાઓ છે.

વંદે માતરમ અંગે કેન્દ્રની ગાઇડલાઇન

  • તમામ સરકારી કાર્યક્રમો, સ્કૂલોમાં સંપૂર્ણ વંદે માતરમ ગાવા કે વગાડવામાં આવશે.
  • જ્યારે પણ વંદે માતરમ ગાવા કે વગાડવામાં આવે ત્યારે તમામ લોકોએ ઉભા થવાનું રહેશે.
  • પદ્મ એવોર્ડ કાર્યક્રમોમાં પણ હવેથી વંદે માતરમ ફરજિયાત ગાવાનું રહેશે.
  • રાષ્ટ્રપતિ જે પણ કાર્યક્રમમાં હાજર રહે ત્યાં વંદે માતરમ ફરજિયાત કરવામાં આવ્યું છે.
  • થીયેટરોમાં વંદે માતરમ ફરજિયાત વગાડવાનું રહેશે પરંતુ ઉભા થવું ફરજિયાત નહીં રહે.
February 9, 2026
image-14-1280x768.png
1min30

દેશમાં સતત વધી રહેલા ડિજિટલ ફ્રોડના કિસ્સાઓ પર સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. અદાલતે આ પ્રકારની છેતરપિંડીને લૂંટ ગણાવતા અત્યંત ગંભીર ટિપ્પણી કરી છે. ખાસ કરીને ગુજરાત અને દિલ્હી સરકારને આદેશ આપ્યો છે કે, ડિજિટલ અરેસ્ટ જેવા ગંભીર ગુનાઓની તપાસ માટે જરૂરી મંજૂરીઓ (સેન્ક્શન) આપવામાં સહેજ પણ વિલંબ ન કરવામાં આવે, જેથી તપાસ પ્રક્રિયા ઝડપી બની શકે.

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું કે, અત્યાર સુધીમાં સાયબર ઠગ ટોળકી દ્વારા અંદાજે રૂ. 54,000 કરોડથી વધુની રકમ પડાવી લેવામાં આવી છે. આ સ્થિતિને કાબૂમાં લેવા માટે કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા (RBI) દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર'(SOP)ને સમગ્ર દેશમાં સત્તાવાર રીતે લાગુ કરવામાં આવે.

અદાલતે સ્પષ્ટ કહ્યું છે કે, આવા કિસ્સાઓમાં બૅંકોની બેદરકારી અથવા અધિકારીઓની મિલીભગતની શક્યતાને નકારી શકાય નહીં. RBIની SOP મુજબ, જો કોઈ શંકાસ્પદ વ્યવહાર જણાય તો તાત્કાલિક ડેબિટ કાર્ડ હોલ્ડ પર રાખવા જેવી ત્વરિત કાર્યવાહી થવી જોઈએ, જેથી સામાન્ય નાગરિકના નાણાં બચાવી શકાય.

સુપ્રીમ કોર્ટે આ મામલે CBIને દેશભરમાં નોંધાયેલા ડિજિટલ અરેસ્ટના કેસોની ઓળખ કરી તેની વિસ્તૃત તપાસ કરવા સૂચના આપી છે. આ ઉપરાંત ટેલિકોમ વિભાગ (DoT), RBI અને અન્ય એજન્સીઓને ચાર અઠવાડિયામાં સંયુક્ત બેઠક યોજીને એક ડ્રાફ્ટ તૈયાર કરવા જણાવાયું છે. આ સમન્વયનો મુખ્ય હેતુ એજન્સીઓ વચ્ચે માહિતીની આપ-લે અને છેતરપિંડી રોકવાનો છે.

કોર્ટે માનવીય અભિગમ અપનાવતા કહ્યું કે, ડિજિટલ અરેસ્ટનો શિકાર બનેલા લોકો ઘણીવાર માનસિક અને આર્થિક રીતે તૂટી જતાં હોય છે. આવા પીડિતોને વળતર આપવા માટે એક અસરકારક માળખું તૈયાર કરવું જરૂરી છે. વળતરની પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણોમાં ફસાવાને બદલે વ્યવહારિક અભિગમ રાખવો જોઈએ, જેથી પીડિતોને રાહત મળી શકે.

February 7, 2026
image-8.png
1min30

હોળીના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત, મુંબઈ અને દિલ્હી જેવા દેશના વિવિધ ભાગોમાં રહેતા લોકો માટે ભારતીય રેલવેએ ખુશીના સમાચાર આપ્યા છે. તહેવાર નિમિત્તે વતન જનારા મુસાફરોની ભારે ભીડને પહોંચી વળવા માટે રેલવે તંત્ર દ્વારા વિવિધ રૂટ પર કુલ 94 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.

રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, હોળી દરમિયાન મુસાફરોને ટિકિટ માટે પડતી મુશ્કેલીઓ નિવારવા પૂર્વ રેલવે દ્વારા આ વિશેષ ટ્રેનોનું આયોજન કરવામાં આવ્યું છે. રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે મુસાફરોની માગને ધ્યાનમાં રાખીને આ સ્પેશિયલ સર્વિસ શરૂ કરવામાં આવી રહી છે અને જો જરૂર પડશે તો આગામી દિવસોમાં ચોક્કસ રૂટ પર વધુ ટ્રેનો પણ દોડાવવામાં આવશે.

કયા રૂટ પર કેટલી ટ્રેનો દોડશે?

ગુજરાત-મુંબઈ કનેક્ટિવિટી: માલદા ટાઉન અને ઉધના (સુરત, ગુજરાત) વચ્ચે 8 ટ્રેનો તેમજ માલદા અને મુંબઈ વચ્ચે કિઉલ-પટના થઈને 8 સ્પેશિયલ ટ્રેનો દોડશે.

ઉત્તર પ્રદેશ-બિહાર રૂટ: કોલકાતા અને રક્સૌલ વચ્ચે 10 ટ્રેનો, કોલકાતા અને મધુબની વચ્ચે 8 ટ્રેનો તેમજ કોલકાતા અને ગોરખપુર વચ્ચે પટના થઈને સૌથી વધુ 20 ટ્રેનો ચલાવાશે.

દિલ્હી અને પશ્ચિમ બંગાળ: હાવડા અને આનંદ વિહાર વચ્ચે 8 ટ્રેનો તથા માલદા ટાઉન અને આનંદ વિહાર વચ્ચે 8 ટ્રેનો ઝાઝા-ગયા થઈને દોડશે.

અન્ય રૂટ: હાવડા અને ખાતીપુરા વચ્ચે 8, સિયાલદહ અને પુરી વચ્ચે 8, આસનસોલ અને ગોરખપુર વચ્ચે 6 તેમજ કોલકાતા અને ન્યૂ જલપાઈગુડી વચ્ચે 2 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું આયોજન છે.

રેલવેની આ વિશેષ સેવાથી હોળીના તહેવારમાં વતન જતા લાખો મુસાફરોને મોટી રાહત મળશે. ખાસ કરીને કન્ફર્મ ટિકિટ ન મળવાની સમસ્યા હળવી થશે અને મુસાફરો સુવિધાજનક રીતે મુસાફરી કરી શકશે. તહેવારના સમયે ખાનગી ટ્રાવેલ્સ દ્વારા વસૂલવામાં આવતા મસમોટા ભાડામાંથી પણ મુસાફરોને મુક્તિ મળશે અને શ્રદ્ધાળુઓ તેમજ પ્રવાસીઓ શાંતિથી પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી શકશે.

February 3, 2026
image-2.png
2min54
  • નરેન્દ્ર મોદી સાથે વાતચીત પછી અમેરિકન પ્રમુખ ટ્રમ્પની જાહેરાત
  • નરેન્દ્ર મોદીની વિનંતીના પગલે ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરાયો : ભારતીય વડાપ્રધાને આનંદ વ્યકત કર્યો
  • ભારતે અમેરિકા પાસેથી ઉર્જા, ટેકનોલોજી, કૃષિ, કોલસા એમ 500 અબજ ડોલરની ખરીદીની ખાતરી આપી : ટ્રમ્પ
  • ટ્રેડ ડીલ હેઠળ અમેરિકાની દરેક પ્રોડક્ટ્સ પર ભારતમાં ઝીરો ટેક્સ, પણ યુએસમાં ભારતીય ઉત્પાદનો પર 18 ટકા ટેરિફ

Dated 02/02/2026
ભારતે યુરોપીયન યુનિયન પછી હવે અમેરિકા સાથે પણ ટ્રેડ ડીલ કરવામાં સફળતા મેળવી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય પીએમ મોદી સાથે વાતચીત કર હતી અને તેના તેના પછી યુએસ-ભારત ટ્રેડ ડીલની જાહેરાત કરી હતી. તેના કારણે ભારત પર લાદવામાં આવેલો રેસિપ્રોકલ ટેરિફ ૨૫ ટકાથી ઘટીને ૧૮ ટકા થઈ જશે, એમ તેમણે જણાવ્યું હતું. જ્યારે રશિયન ઓઇલ ખરીદી પરનો ૨૫ ટકા ટેરિફ સંપૂર્ણ નાબૂદ થશે. આમ કુલ ૫૦ ટકાના બદલે હવે ફક્ત ૧૮ ટકા જ ટેરિફ તાત્કાલિક અસરથી અમલમાં આવશે.

ભારત પર અમેરિકાએ કુલ ૫૦ ટકા ટેરિફ નાખ્યો હતો અને તેમા ૨૫ ટકા ટેરિફ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ નાખ્યો હતો. ટ્રમ્પે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશ્યલ પર આ ડીલની જાહેરાત કરી હતી. હવે ભારત રશિયાના બદલ અમેરિકા પાસેથી ઓઇલ ખરીદવાનું હોઈ તે ૨૫ ટકા ટેરિફ હટી ગયો છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારતીય વડાપ્રધાન પીએમ મોદી વેપાર અને રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા સહિત ઘણા બધા પાસા પર ચર્ચા કરી. તેઓ રશિયાનું ઓઇલ ખરીદવાનું બંધ કરવા સંમત થયા છે અને વધુને વધુ પ્રમાણમા ઁઅમેરિકા પાસેથી અને મુખ્યત્વે વેનેઝુએલાનું ઓઇલ ખરીદવા સંમત થયા છે. આના કારણે યુદ્ધનો અંત લાવવામાં મદદ મળશે. રશિયા-યુક્રેન યુદ્ધમાં હજારો લોકો દર સપ્તાહે મરી રહ્યા છે. તેમની જ વિનંતીના પગલે તેમને સન્માન આપતા અમે ભારત પરનો રેસિપ્રોકલ ટેરિફ ૨૫ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કર્યો છે. આ ટ્રેડ ડીલના લીધે અમેરિકાની ભારત સાથેના વેપારની ટેરિફ અને નોન-ટેરિફ બેરિયર લગભગ શૂન્ય થઈ જશે.

વડાપ્રધાને બાય અમેરિકન પ્રત્યે પ્રતિબદ્ધદા દાખવી છે. તે અમેરિકન એનર્જી, ટેકનોલોજી, કૃષિ, કોલસા અને બીજી ઘણી પ્રોડક્ટ્સના થઈને ૫૦૦ અબજ ડોલરની ખરીદી કરશે. આના કારણે બંને દેશોના વ્યાપારિક સંબંધ વધુને વધુ મજબૂત થશે. આ અગાઉ ભારત ખાતેના અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે ટ્વીટ કરી હતી કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન મોદી વચ્ચે વાતચીત ચાલી રહી છે, ગમે ત્યારે મોટી જાહેરાત આવી શકે છે. અમેરિકાનો દાવો છે કે તેના ટેરિફના દબાણના કારણે ભારતે રશિયાનું ક્રૂડ ખરીદવાનું બંધ કર્યુ છે અને તે અમારી પાસેથી ક્રૂડ ખરીદશે.

અમેરિકાએ ભારત પરનો ટેરિફ ૫૦ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરતાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને તેના કારણે અમેરિકન બજારમાં ભારતીય ઉત્પાદનો સ્પર્ધા કરી શકશે તેમ જણાવ્યું હતું.

વડાપ્રધાન ટ્રેડ ડીલને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે ભારત ૧.૪ અબજ લોકો વતી અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો આભાર માને છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્રો અને વિશ્વની બે સૌથી મોટી લોકશાહી સાથે મળીને કામ કરશે. તેના કારણે કરોડો લોકોને નોંધપાત્ર પ્રમાણમાં ફાયદો થશે.

તેમણે જણાવ્યું હતું કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પની નેતાગીરી વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે મહત્ત્વની છે. ભારત તેમના શાંતિ સ્થાપવાના પ્રયત્નોને સંપૂર્ણપણે સમર્થન આપે છે. અમેરિકા સાથેની ભાગીદારી નવી ઊંચાઈએ લઈ જવા પર અમે મીટ માંડી રહ્યા છીએ.

તેની સામે ભારતીય પક્ષે નિષ્ણાતોનું કહેવું છે કે ભારતે યુરોપીયન યુનિયનના સ્વરૂપમાં અમેરિકાનું વૈકલ્પિક ભાગીદાર શોધી લેતા અમેરિકા પોતે જ ડીલ કરવા સંમત થઈ ગયું છે. તેને લાગ્યું કે જો ઇયુ સાથે ભારતનું ટ્રેડ ડીલ ઝડપથી અમલી બન્યું તો અમેરિકન કંપનીઓ પાછળ રહી જશે અને યુરોપીયન યુનિયનની કંપનીઓ ભારતીય બજારમાં પ્રભુત્વ જમાવશે. જો કે આ ટ્રેડ ડીલની જાહેરાત છતાં અમેરિકાએ ભારત પરનો સંપૂર્ણ રેસિપ્રોકલ ટેરિફ નાબૂદ કર્યો નથી તે હકીકત છે.

  • વિદેશ મંત્રી એસ જયશંકર ત્રણ દિવસ માટે અમેરિકાના પ્રવાસે, દુર્લભ ખનીજની બેઠકમાં ભાગ લેશે

ભારત અને અમેરિકાના સંબંધો સુધરતા હોવાનો સંકેત આપતા ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથમાં પોસ્ટ મૂકી હતી. નવી દિલ્હીના આઈકોનિક ઈન્ડિયા ગેટની તસવીર મૂકીને ટ્રમ્પે કહ્યું હતું કે ભારતનું આ વિજયદ્વાર સુંદર છે. આપણું તો એનાથી પણ સુંદર હશે. અમેરિકામાં સ્વતંત્રતા ગેટ બનવાનો છે. તે સંદર્ભમાં આ પોસ્ટ મૂકાઈ હતી.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા-વેનેઝુએલા-ઈરાન જેવા દેશો પાસેથી ક્રૂડની ખરીદી મુદ્દે ભારતને ધમકી આપતા રહે છે. આ ઘટનાક્રમ વચ્ચે ભારત સ્થિત અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે પોસ્ટ મૂકીને કહ્યું હતું કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે વાતચીત થઈ.

એસ જયશંકર પાંચમી ફેબુ્રઆરી સુધી અમેરિકામાં છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે મુલાકાત કરશે. દુર્લભ ખનીજની બાબતમાં વિદેશ મંત્રીઓની એક મહત્ત્વની બેઠક યોજાઈ છે એમાં ભાગ લેવાના છે. જોકે, અહેવાલોમાં એવોય દાવો થઈ રહ્યો છે કે વિદેશમંત્રી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગુપ્ત બેઠક કરશે અને ભારત-અમેરિકા વચ્ચે વેપારની ડીલનું વાતાવરણ બને તેવા પ્રયાસો કરશે. ભારતની ચીજવસ્તુઓ પર ટેરિફ વધારીને ૫૦ ટકા કર્યા બાદ અને રશિયાના ક્રૂડ પર વધારાના ૨૫ ટકા ટેરિફ પછી થનારી આ મુલાકાત કેવી રહેશે તેના પર નજર રહેશે.

February 2, 2026
stt-on-fo.png
2min19

નાણા પ્રધાન નિર્મલા સીતારામન જાણે કે શેર બજારના વર્ગથી નારાજ હોય એમ દરેક સમયે શેર બજારના ટ્રેડરો, ઈન્વેસ્ટરોને નારાજ કરતા રહી આ વખતે પણ દુ:ખદ આશ્ચર્ય સર્જયું છે. યુવા વર્ગને બરબાદીના માર્ગ પર લઈ જતાં અટકાવવાના એકમાત્ર સંભવિત શુભઈરાદાથી ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ ( એફ એન્ડ ઓ)માં સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ (એસટીટી)માં કરાયેલા તીવ્ર વધારો એફ એન્ડ ઓ ટ્રેડરો માટે ઓવરડોઝ સાબીત થવાના પ્રત્યાઘાતે આજે શેર બજારની તબિયત લથડી ગઈ હતી.

નાણા વર્ષ ૨૦૨૬-૨૭ માટેના કેન્દ્રિય બજેટમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામને એફ એન્ડ ઓ સોદા પરના એસટીટીમાં એકઝાટડે ૧૦૦થી ૧૫૦ ટકાનો વધારો ઝીંક્યો છે. ફયુચર્સ સોદા પરનો એસટીટી ૦.૦૨ ટકાથી વધારીને ૦.૦૫ ટકા કર્યો છે. જ્યારે ઓપ્શન્સ પ્રીમિયમ અને ઓપ્શન એક્સરસાઈઝ પરના એસટીટી દરને વધારીને ૦.૧૫ ટકા કરવાની જોગવાઈ કરી છે. અત્યારે પ્રીમિયમ પર એસટીટી ૦.૧૦ ટકા અને ઓપ્શન એક્સરસાઈઝ પર ૦.૧૨૫ ટકા એસટીટી લાગુ છે.

કેન્દ્ર સરકારને એક તરફ નાણા વર્ષ ૨૦૨૫-૨૬માં સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ (એસટીટી) થકી રૂ.૭૮,૦૦૦ કરોડ એકત્ર થવાનો અંદાજ હતો, જો કે બજારની ડામાડોળ સ્થિતિના કારણે વાસ્તવિક એક્ત્રિકરણનો અંદાજ ઘટીને હવે રૂ.૫૭,૦૦૦ કરોડ જેટલો મૂકાઈ રહ્યો છે. સમીક્ષકોના મતે એસટીટીમાં વધારાથી કેન્દ્ર સરકારને આવક વધવાને બદલે ઘટવાની શકયતા હવે જોવાઈ રહી છે.

એસટીટીમાં વધારાના પરિણામે એક તરફ સ્ટોક એક્સચેન્જો બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) તેમ જ કોમોડિટી એક્સચેન્જ મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર થતાં ટ્રેડિંગ વોલ્યુમમાં મોટો ઘટાડો થવાનો અને એના પરિણામે એક્સચેન્જોની આવક ઘટવાનો અંદાજ છે. જ્યારે બીજી બાજુ ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ)માં જંગી ટ્રેડિંગ વોલ્યુમ ધરાવતા બ્રોકિંગ હાઉસો એન્જલ વન, ગ્રો, ઝેરોધા, મોતીલાલ ઓસ્વાલ, કોટક સિક્યુરિટીઝ સહિતની આવકને ફટકો પડવાના નેગેટીવ પરિબળે આજે આકરાં પ્રત્યાઘાત બજારમાં પડયા હતા.

ઉલ્લેખનીય છે કે, સેબીના જાન્યુઆરી ૨૦૨૬ના બુલેટીન મુજબ ઈક્વિટી ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ડિસેમ્બર ૨૦૨૫માં માસિક ધોરણે ઈક્વિટી ફયુચર્સ અને ઓપ્શન્સ પ્રીમિયમના સરેરાશ દૈનિક ટર્નઓવર (એડીટી)માં એનએસઈ પર ૧૧ ટકાનો ઘટાડો અને બીએસઈ પર ૮ ટકાનો ઘટાડો નોંધાયો છે.

જો કે, વાર્ષિક તુલના ડિસેમ્બર ૨૦૨૪ની સરખામણીએ ઓપ્શન્સ પ્રીમિયમ માટે એડીટીમાં ૧૧ ટકાનો વધારો અને ઈક્વિટી ફયુચર્સ માટે એડીટીમાં પાંચ ટકાનો વધારો નોંધાયો છે. સરેરાશ દૈનિક ટર્નઓવર પણ ડેરિવેટીવ્ઝ સેગ્મેન્ટમાં ઘટીને રૂ.૨૮૦ લાખ કરોડનું નોંધાયું હતું, જે જૂન ૨૦૨૩ના ૪૪૨ લાખ કરોડની તુલના સૌથી નીચું નોંધાયું હતું. માસિક ધોરણે ડિસેમ્બર ૨૦૨૫ મહિનામાં નવેમ્બરની તુલનાએ ટ્રેડિંગ વોલ્યુમમાં ૩૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

બજારના નિષ્ણાંતોના મતે એક તરફ ટ્રેડિંગ વોલ્યુમમાં ઘટાડો થઈ રહ્યો છે, એવામાં નાણા મંત્રીએ ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ)માં સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ (એસટીટી)માં તીવ્ર વધારો કર્યો છે, જે બજારના સેન્ટીમેન્ટને વધુ ખરાબ કરશે અને શેર બજારોમાં ઈક્વિટીમાં ટ્રેડિંગ વોલ્યુમમાં આગામી દિવસોમાં વધુ ઘટાડો થવાની અને એના પરિણામે સરકારની એસટીટીની આવકમાં પણ ઘટાડો થવાની પૂરી શકયતા રહેશે.

છેલ્લા આઠ નાણા વર્ષમાં એસટીટીની આવક

નાણા વર્ષએક્ત્રિકરણ
(રૃ.કરોડમાં)
૨૦૧૮-૧૯રૃ.૧૧,૫૨૮
૨૦૧૯-૨૦રૃ.૧૨,૩૭૪
૨૦૨૦-૨૧રૃ.૧૬,૯૨૭
૨૦૨૧-૨૨રૃ.૨૩,૧૯૧
૨૦૨૨-૨૩રૃ.૨૪,૯૬૦
૨૦૨૩-૨૪રૃ.૩૩,૭૭૮
૨૦૨૪-૨૫રૃ.૫૫,૦૦૦
*૨૦૨૫-૨૬રૃ.૭૮,૦૦૦