CIA ALERT

ડેવલપમેન્ટ Archives - CIA Live

March 19, 2026
image-7.png
1min16
  • ડીજીસીએ દ્વારા એરલાઇન્સ માટે નવી માર્ગદર્શિકા
  • એરલાઇન્સે એક જ પીએનઆર ધરાવતાં પ્રવાસીઓને નજીક બેઠકો ફાળવવી પડશે

દેશમાં નાગરિક ઉડ્ડયન વિભાગમાં નિયામક ડાયરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન- ડીજીસીએ- દ્વારા એરલાઇન્સ માટે સૂચવવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર પ્રવાસીઓની સુવિધાઓને બહેતર બનાવવા માટે ફલાઇટમાં ઓછામાં ઓછી ૬૦ ટકા બેઠકો મુક્તપણે ફાળવવાની રહેશે. બીજા શબ્દોમાં કહીએ તો વેબ ચેક ઇન યા બેઠકની પસંદગી કરતી વખતે પ્રવાસીઓ પાસેથી પડાવવામાં આવતાં વધારાના દરો પર નિયંત્રણ આવશે. પ્રવાસીઓના અધિકારોને વધારે અસરકારક બનાવવા માટે પણ ડીજીસીએ દ્વારા વિવિધ નિર્દેશો આપવામાં આવ્યા છેે. ભારતનું નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર દુનિયાનું ત્રીજા ક્રમનું સૌથી મોટું માર્કેટ બની ચૂક્યુ છે અને દેશમાં એરપોર્ટ્સ પર રોજ પાંચ લાખ પ્રવાસીઓ આવનજાવન કરે છે.

ડીજીસીએના માર્ગદર્શક આદેશ અનુસાર વિમાનપ્રવાસને વધારે સરળ અને પારદર્શક બનાવવા માટે વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યાં છે. ઘણી એરલાઇન્સ ટિકિટ બુક કરાવ્યા પછી અથવા વેબ ચેક ઇન દરમ્યાન પસંદગીની બેઠકો ફાળવવા માટે વધારે ચાર્જ વસૂલ કરતી હતી. નવા નિર્દેશોનો હેતુ આ પ્રકારની પ્રવૃત્તિ પર લગામ તાણવાનો છે.

એરલાઇન્સને જણાવવામાં આવ્યું છે કે એક જ પીએનઆર પર પ્રવાસ કરનારા યાત્રીઓને સાથે પ્રવાસ કરવા મળે તે માટે તેમને નજીક નજીક બેઠકો ફાળવવામાં આવે. હાલ એકબીજાની પાસે બેસી પ્રવાસ કરવા માટે સીટ પસંદ કરો તો તેનો અલગ ચાર્જ ચૂકવવો પડે છે. આ ઉપરાંત એરલાઇન્સને રમતગમતના કે સંગીતના સાધનો લઇ જવાની સુવિધા બાબતે પણ પારદર્શી અભિગમ દર્શાવવાનો રહેશે. આ જ રીતે પાળેલાં જનાવરોના પ્રવાસ બાબતે પણ સ્પષ્ટ નિયમો નક્કી કરવા જણાવાયું છે.

સરકારે ફલાઇટ મોડી પડે, કેન્સલ થાય કે બોર્ડિંગ અટકાવવામાં આવે ત્યારે પ્રવાસીઓના અધિકારો શું છે તેની જાણ એરલાઇન્સે તેની વેબસાઇટ, મોબાઇલ એપ, બુકિંગ પ્લેટફોર્મ અને એરપોર્ટ્સ પરના કાઉન્ટર્સ પર સ્પષ્ટ દર્શાવવાના રહેશે. પ્રવાસીઓના અધિકારોને વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રકાશિત કરવાની સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત પ્રવાસીઓને કિફાયતી દરે ભોજનની સુવિધા આપવા માટે ઉડાન યાત્રી કેફે અને મફત પુસ્તકો વાંચવા માટે ફ્લાયબ્રેરી અને મફત વાઇફાઇની સુવિધા ઉપલબ્ધ કરી આપવાની પણ એરલાઇન્સને સૂચના અપાઇ છે.

February 28, 2026
image-35.png
1min33

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ટેન્શનની સ્થિતિ દેખાતી હતી. યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા ત્યારે ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ આપેલી માહિતી અનુસાર ઈરાનની રાજધાની તહેરાન સહિત અનેક વિસ્તારોમાં ઈઝરાયલી સેના દ્વારા મોટો હુમલો કરી દેવામાં આવ્યો છે. આ હુમલાને પગલે ભારત સહિતના સહિત વિશ્વના અનેક દેશોએ પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે. ભારતે ઈરાન, ઈરાક, ઇઝરાયલ, સાઉદી અરેબિયા અને UAE સહિતના યુદ્ધગ્રસ્ત દેશોમાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જાહેર કરી છે.

ભારતીયો માટે એડવાઈઝરી જાહેર

ઈરાન-ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ગલ્ફના દેશોમાં ફસાયેલા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી છે. આ સાથે ઈમરજન્સી નંબર પણ જાહેર કરાયા છે.

ઈઝરાયલમાં વર્તમાન સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ત્યાં રહેતા તમામ ભારતીય નાગરિકો માટે મહત્ત્વની એડવાઇઝરી જાહેર કરી છે. નાગરિકોને સાવધાની રાખવા, હંમેશા સતર્ક રહેવા અને સ્થાનિક સત્તાવાળાઓ તેમજ ‘હોમ ફ્રન્ટ કમાન્ડ’ દ્વારા આપવામાં આવતી સુરક્ષા માર્ગદર્શિકાનું કડક પાલન કરવા જણાવાયું છે.

આ ઉપરાંત ભારતીય નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નિયુક્ત આશ્રયસ્થાનોની નજીક રહેવા અને સ્થાનિક સમાચાર તથા કટોકટીની ચેતવણીઓ પર સતત નજર રાખવાનું જણાવાયું છે. કોઈપણ કટોકટીના સમયે મદદ માટે તેલ અવીવ સ્થિત ભારતીય દૂતાવાસનો 24×7 હેલ્પલાઇન નંબર +972-54-7520711 અથવા ઈ-મેલ cons1.telaviv@mea.gov.in દ્વારા સંપર્ક કરી શકાય છે.

ઇઝરાયલમાં રહેતા ભારતીય નાગરિકોને દૂતાવાસમાં નોંધણી કરાવવા અપીલ

ઇઝરાયલમાં રહેતા ભારતીય નાગરિકો કે જેમણે હજુ સુધી દૂતાવાસમાં નોંધણી કરાવી નથી, તેમને નીચેની લિંકનો ઉપયોગ કરીને નોંધણી કરાવવા વિનંતી છે:

https://indembassyisrael.gov.in/indian_national_reg

નોંધણી કરવાથી દૂતાવાસ તાત્કાલિક તમારો સંપર્ક કરી શકશે અને પરિસ્થિતિના વિકાસ દરમિયાન જરૂરી અપડેટ્સ અને સહાય પૂરી પાડી શકશે.

ભારત બાદ યુરોપિયન દેશોએ પણ જાહેર કરી એડવાઇઝરી

ભારત સરકારે અગાઉ જ સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતી વર્તવા જણાવ્યું હતું. હવે બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી અને જર્મની જેવા યુરોપિયન દેશોએ પણ પોતાના નાગરિકોને આ પ્રભાવિત વિસ્તારોની મુસાફરી ટાળવા અથવા ત્યાંથી તાત્કાલિક નીકળી જવા તાકીદ કરી છે. સરકારએ ચેતવણી આપી છે કે સ્થિતિ બગડતા ફ્લાઇટ કેન્સલ થઈ શકે છે અથવા એરસ્પેસ લાંબા સમય સુધી બંધ રહી શકે છે.

યુરોપિયન દેશોએ જાહેર કરી કડક સૂચનાઓ

બ્રિટિશ સરકારે ઈરાનમાંથી પોતાના સ્ટાફને કામચલાઉ ધોરણે પાછો બોલાવી લીધો છે અને દૂતાવાસ રિમોટલી કામ કરશે તેવી જાહેરાત કરી છે. ફ્રાન્સે પણ ઈઝરાયલ, જેરૂસલેમ અને વેસ્ટ બેંકની મુસાફરી ન કરવા સલાહ આપી છે. ઇટાલીએ પ્રવાસી તરીકે ઈરાન ગયેલા પોતાના નાગરિકોને પરત ફરવા વિનંતી કરી છે અને ઈરાક તથા લેબનોન જવાની પણ સખત મનાઈ કરી છે. પોલેન્ડ અને ડચ વિદેશ મંત્રાલયે પણ પશ્ચિમ એશિયામાં સુરક્ષાની અસ્થિર સ્થિતિને જોતાં ઈઝરાયલ, ગાઝા અને લેબનોન છોડવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત સ્વીડન, ફિનલૅન્ડ, સર્બિયા અને સાયપ્રસે પણ ઈરાન અને ઈઝરાયલ માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે.

વિસ્તારમાં તણાવ વધતા અમેરિકાએ પણ પોતાની સૈન્ય હાજરી મજબૂત કરી છે. અમેરિકાએ બે એરક્રાફ્ટ કેરિયર અને F-35 સ્ટીલ્થ ફાઇટર સહિત 150થી વધુ લડાકુ વિમાનો તૈનાત કર્યા છે. સુરક્ષાના કારણોસર અમેરિકાએ બેરૂત સ્થિત પોતાના દૂતાવાસમાંથી પોતાના કર્મચારીઓને પાછા બોલાવી લીધા છે. હાલમાં ડ્રોન અને મિસાઇલ હુમલાનો ખતરો સતત મંડરાઈ રહ્યો છે અને સ્થિતિ ગમે ત્યારે વધુ ખરાબ થઈ શકે છે તેવી આશંકા પણ છે.

February 26, 2026
cia_multi-1280x1045.jpg
1min94

આજે 26મી ફેબ્રુઆરી 2026ની સવારે સુરત નજીક હજીરા ખાતે વિશ્વની સૌથી મોટી સ્ટીલ કંપની આર્સેલર મિત્તર નિપ્પોન સ્ટીલના પરીસરમાં તોફાને ચઢેલા લાર્સન એન્ડ ટોબ્રો કંપનીના કામદારોએ જો ધાંધલ-ધમાલ અને તોડફોડ મચાવી તેના વિડીયો દાવાનળની જેમ સોશ્યલ મિડીયામાં વાઇરલ થયા હતા. દેશમાં જ નહીં પણ વિદેશોના સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર સુરત નજીક હજીરાની કંપનીમાં મચેલી આ તોડફોડના વિડીયો પોસ્ટ થયેલો જોવા મળ્યા હતા.

કામદારો દ્વારા તોડફોડ કરવામાં આવી એ સ્થળ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીના પ્લાન્ટનું છે, જ્યાં લાર્સન એન્ડ ટોબ્રો કંપનીના કામદારો જોબવર્ક કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ છેલ્લા બેથી ત્રણ દિવસથી કામદારો અને લાર્સન એન્ડ ટોબ્રો કંપનીના ઉચ્ચાધિકારીઓ વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી. કામદારોની માગણી હતી કે તેમને સરકારી ધારાધોરણો અનુસાર મહેનતાણું તેમજ અન્ય ભથ્થા તથા સવલતો આપવામાં આવતી નથી. મામલો ત્યાં સુધી પહોંચી ગયો હતો કે કામદારોએ હડતાળ પાડવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. જોકે, મળતી માહિતી મુજબ લાર્સન એન્ડ ટોબ્રો મેનેજમેન્ટે કામદારોની વાતને ગંભીરતાથી લીધી ન હતી. દરમિયાન આજે સવારે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીના પ્લાન્ટમાં કામ કરવા પહોંચેલા લાર્સન એન્ડ ટોબ્રો કંપનીના કામદારો તેમની કંપનીના મેનેજમેન્ટ તેમજ ઉચ્ચાધિકારીઓ પર રોષે ભરાયા હતા અને કંપની મેનેજમેન્ટ દ્વારા લાભો કાયમ માટે નહીં આપવામાં આવે તેવી દહેશતને પગલે ઉશ્કેરાયેલા કર્મચારીઓએ AMNS કંપનીના પ્લાન્ટમાં જ તોફાને ચઢ્યા હતા.

તોફાને ચઢેલા કામદારોની સમજાવટ થાય તે પહેલા તો મામલો એટલી હદે બિચક્યો હતો કે સેંકડો કામદારોએ તોડફોડ મચાવી મૂકી હતી. AMNS અને લાર્સન એન્ડ ટોબ્રો બન્ને કંપનીની સિક્યુરિટી ફોર્સ અને હજીરા પોલીસ પણ ગણતરીની મિનિટોમાં તોફાનના સ્થળે પહોંચી ચૂકી હતી. પરંતુ, તોફાને ચઢેલા કામદારો કોઇ વાત માનવા તૈયાર ન હતા. આવી સ્થિતિમાં હળવો બળ પ્રયોગ કરવામાં આવતા મામલો વધુ બગડ્યો હતો અને વિફરેલા કામદારોએ કંપનીની ઇમારતોને નુકસાન પહોંચાડવા ઉપરાંત પરીસરમાં પાર્ક કરાયેલી ગાડીઓની પણ ભારે તોડફોડ મચાવી મૂકી હતી. આ સમગ્ર ઘટનાના અનેક વિડીયો પણ કામદારોએ ઉતાર્યા હતા અને વ્હોટ્સએપ પર પોસ્ટ કર્યા હતા. જોતજોતામાં આ વિડીયો લોકલ સર્કલથી લઇને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર વાઇરલ થઇ ગયા હતા. વિદેશોમાં પણ સુરતની હજીરા સ્થિત AMNS કંપનીના પ્લાન્ટમાં કામદારોએ કરેલી તોડફોડના વિડીયોની ખાસ્સી ચર્ચા જાગી છે.

ઘટના કલાકો પછી સ્થિતિ સ્પષ્ટ થઇ હતી કે સુરત નજીક AMNSના પ્લાન્ટમાં તોડફોડ કરનારા કર્મચારીઓ લાર્સન એન્ડ ટોબ્રો કંપનીના હતા.

તોફાને ચઢેલા કામદારોનો રોષ ઠારવા L&T કંપનીએ લેબર કાયદાનો અમલ કરવાનું સ્ટેટમેન્ટ આપ્યું

હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં ભારે તોફાન મચાવનાર પોતાના કામદારોનો રોષ ઠારવા માટે આજે બપોર બાદ લાર્સન એન્ડ ટોબ્રો કંપનીએ એક ઓફિશ્યલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું. L&Tના ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ વિભાગના હેડ એમ સેન્થિલકુમારના સહી સિક્કા સાથે જાહેર કરાયેલા ઓફિશ્યલ સ્ટેટમેન્ટમાં જણાવાયું છે કે એવી જાહેરાત સાથે એ વાતને સમર્થન આપવામાં આવી રહ્યું છે કે જ્યારે પણ ગુજરાત સરકાર દ્વારા શ્રમ સંહિતા સંદર્ભે નવી અધિસૂચનાઓ લાગૂ કરવામાં આવશે, એ તમામ અધિસૂચનાના તમામ નિયમો અને વિનિયમોને તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવશે.

AMNSમાં તોફાન થયાની અફવા ફેલાતા કંપનીએ સ્પષ્ટીકરણ આપ્યું

આજે સુરત નજીક હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ AMNSના હજીરા પ્લાન્ટમાં કામદારોએ ભારે તોડફોડ કરી હોવાના વિડીયો વાઇરલ થતાં એકલા ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં AMNS કંપનીની ભારે બદનામી થઇ હતી. સમગ્ર ઘટના અંગે તાત્કાલિક પ્રતિક્રિયા આપતા AMNS હજીરાના ઓફિશ્યલ સ્ટેટમેન્ટમાં જણાવાયું હતું કે AMNS ઇન્ડીયાના હજીરા પ્લાન્ટ પ્રોજેક્ટ સાઇટ પર લાર્સન એન્ડ ટોબ્રો કંપની દ્વારા નિયુક્ત કરાયેલા કામદારોના એક જૂથે આજે તેમની સંસ્થા L&T સામે કેટલીક માગણીઓ રજૂ કરવા માટે મોટી સંખ્યામાં એકત્રિત થઇ દેખાવો કર્યા હતા. L&T મેનેજમેન્ટ કામદારો સાથે ચર્ચા કરીને પરિસ્થિતિ ઝડપથી સંભાળી રહ્યું છે. સ્થાનિક સત્તાવાળાઓ પણ સ્થળ પર પરિસ્થિતિનું સંચાલન કરવામાં જોડાયેલા છે.

February 25, 2026
image-29.png
1min37
  • ચૂંટણી રાજ્ય કેરળની ડાબેરી સરકારની ભલામણ કેન્દ્રએ સ્વીકારી
  • મલયાલમ ભાષામાં નારિયેળીને કેરા જ્યારે ભૂમિને અલમ કહેવાય જેને જોડીને ‘કેરલમ’ નામ અપાયું છે

દક્ષિણના રાજ્ય કેરળને કેરલમ (કેરળમ) નામ આપવાની રાજ્યની ડાબેરી પક્ષની સરકારની ભલામણોને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોઇ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર જ કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવતા હવે ઝડપથી તેનો અમલ કરી શકાશે.

કેરળમાં એપ્રીલ-મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે, આવા સમયે જ રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર પાસે રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. ચૂંટણી સમયે નામને લઇને કોઇ વિવાદ ના થાય તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા ઝડપથી તેને મંજૂરી આપી દેવામાં આવી હતી. કેરળ પોતાની ભાષા મલયાલમ અને સંસ્કૃતિને લઇને બહુ જ સંવેદનશીલ છે. જો કેન્દ્ર સરકાર આ પ્રસ્તાવને ટાળી દેત તો કોંગ્રેસ અને ડાબેરીઓ તેને ચૂંટણી મુદ્દો બનાવી શકે તેમ હતા.

નોંધનીય છે કે કેરળમાં મલયાલમ ભાષા બોલનારા લોકો હંમેશા પોતાના રાજ્યને કેરલમ જ કહેતા આવ્યા છે. આ કોઇ નવું નામ નથી પરંતુ તે કેરળની ધરતીનું મૂળ નામ છે. મલયાલમ ભાષામાં કેરાનો અર્થ નારિયેળનું વૃક્ષ એવો થાય છે જ્યારે અલમનો મતલબ ભૂમિ સાથે જોડાયેલો છે. કેરળમાં નારિયેળનું ઉત્પાદન બહુ થતું હોય છે, જેને કારણે રાજ્યના આ મહત્વને ધ્યાનમાં રાખીને તેને સ્થાનિક રાજ્ય સરકારે કેરલમ નામ આપવાનું નક્કી કર્યું છે. જ્યારે ભાષાઓના આધાર પર રાજ્યોનું ગઠન થઇ રહ્યું હતું ત્યારે મલયાલમ બોલનારાને માલાબાર, કોચીન અને ત્રાવણકોરને ભેળવીને એક નવુ રાજ્ય બનાવવામાં આવ્યું, તે સમયે જ અંગ્રેજી અનુવાદ કેરલા (કેરળ) કરી દેવાયો હતો. હવે આ કેરળમાંથી કેરલમ થઇ ગયું છે. હાલમાં રાજ્ય સરકારના આ પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી મળી ગઇ છે હવે કેરળ (નામ સંશોધન) બિલ ૨૦૨૬ને રાષ્ટ્રપતિ દ્વારા કેરળની વિધાનસભામાં રજુ કરવામાં આવશે અને પ્રતિભાવો લેવાશે બાદમાં સંસદમાં રજુ કરાશે. જોકે સંસદમાં રજુ કરવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી ગણાય છે.

February 25, 2026
image-28.png
1min75

MoodXVIP, Koyal PlayPro, Digi Movieplex, Feel,Jugnu OTT પ્લેટફોર્મ્સ રાતોરાત બ્લોક

કેન્દ્ર સરકારે અશ્લીલ અને વાંધાજનક સામગ્રી (કન્ટેન્ટ) પીરસતા ડિજિટલ પ્લેટફોર્મ્સ વિરુદ્ધ લાલ આંખ કરી છે. મંગળવારે એક મોટી કાર્યવાહી કરતા સરકારે પાંચ જાણીતા OTT પ્લેટફોર્મ્સને બ્લોક કરી દીધા છે.

કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયે અશ્લીલ અને અભદ્ર કન્ટેન્ટ પ્રસારિત કરવા બદલ પાંચ OTT પ્લેટફોર્મ્સને તાત્કાલિક અસરથી બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. આ કાર્યવાહી સૂચના ટેકનોલોજી (IT) અધિનિયમ, 2000 ની કલમ 69A હેઠળ કરવામાં આવી છે. આ કલમ સરકારને રાષ્ટ્રીય હિત અને જાહેર નૈતિકતાના આધારે ઓનલાઈન કન્ટેન્ટ બ્લોક કરવાની સત્તા આપે છે.

કયા પ્લેટફોર્મ્સ થયા બ્લોક?

સરકારે જે પાંચ OTT પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂક્યો છે તેમાં નીચે મુજબના નામો સામેલ છે:

  1. મૂડએક્સવીઆઈપી (MoodXVIP)
  2. કોયલ પ્લેપ્રો (Koyal PlayPro)
  3. ડીજી મૂવીપ્લેક્સ (Digi Movieplex)
  4. ફીલ (Feel)
  5. જુગનુ (Jugnu)

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્લેટફોર્મ્સ પર પીરસવામાં આવતું કન્ટેન્ટ જાહેર શાલીનતા અને નૈતિકતાના ધોરણોનું ઉલ્લંઘન કરતું હતું. સરકાર દ્વારા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ (ISPs) ને આ પ્લેટફોર્મ્સની એક્સેસ બંધ કરવા માટે નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. ડિજિટલ પ્લેટફોર્મ્સ પર નૈતિક પત્રકારત્વ અને સામાજિક મૂલ્યો જળવાઈ રહે તે હેતુથી આ કડક પગલું ભરવામાં આવ્યું છે.

February 23, 2026
image-27.png
1min32

ગુજરાત હાઈકોર્ટે એક પિતાની હિબસ-કૉર્પ્સ પિટિશન ડિસમિસ કરી હતી અને કહ્યું હતું કે તેમની 18 વર્ષીય દીકરીએ પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને કાયદાકીય દૃષ્ટિએ તેને પોતાનો જીવનસાથી પસંદ કરવાની છૂટ છે. 

પિતાએ અરજીમાં જણાવ્યું હતું કે તેમની દીકરીને એક પુરુષે ગેરકાયદે પોતાની સાથે રાખી છે. જોકે દીકરીએ પરિવારની સંમતિ વિના પોતાની મરજીના પુરુષ સાથે લગ્ન કર્યા હતા. કોર્ટે આ મામલે નોંધ્યું હતું કે અરજદારની દીકરીને પૂરતી સુરક્ષા સાથે કોર્ટમાં બોલાવવામા આવી હતી અને તેણે જણાવ્યું હતું કે તેણે પોતાની ઈચ્છાથી આ પુરુષ સાથે લગ્ન કર્યા છે. યુવતીએ કોઈપણ પ્રકારના દબાણનો ઈનકાર કર્યો હતો. આ સમયે તેનાં માતા-પિતા પણ હાજર હતા.

પિતાએ પણ લગ્નનો ઈનકાર કર્યો ન હતો અને તેણે પોતાની અરજી સાથે મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ જોડ્યું હતું. 
કોર્ટે એમ પણ નોંધ્યું કે અરજદાર પિતા તેમનાં પત્ની અને તેમની દીકરી સાથે વાતચીત કરી હતી, પરંતુ તેમની વચ્ચેનો મતભેદ ઉકેલી શકાયો ન હતો અને પિતા દીકરીને માફ કરવા તૈયાર ન હતા. દીકરીએ પણ સાફ કહ્યું હતું કે તે તેનાં પતિ સાથે જ રહેવા માગે છે. કોર્ટે પિતાની અરજીને ડિસમિસ કરી હતી અને 18 વર્ષની દીકરી 18 વર્ષની થઈ છે અને પોતાની મરજીથી પોતાનું લગ્નજીવન શરૂ કરી રહી છે.

February 23, 2026
image-26.png
1min44

ભારતીય વાયુસેનાનું ગૌરવ ગણાતું સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) ‘તેજસ’ તાજેતરમાં એક અકસ્માતનો ભોગ બન્યું છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં એક ફોર્વર્ડ એરબેઝ પર ટ્રેનિંગ ફ્લાઇટ પૂર્ણ કરીને પરત ફરી રહેલું તેજસ વિમાન લેન્ડિંગ સમયે રનવેથી આગળ નીકળી ગયું હતું. આ ઘટનામાં વિમાનના એરફ્રેમને નોંધપાત્ર નુકસાન થયું છે, જોકે રાહતની વાત એ છે કે પાયલોટે સમયસૂચકતા વાપરીને સુરક્ષિત રીતે ઇજેક્ટ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં બ્રેક ફેલ થવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે.

આ દુર્ઘટના બાદ ભારતીય વાયુસેનાએ સાવચેતીના પગલા રૂપે તેજસ વિમાનોના સમગ્ર કાફલા (Fleet) ના ઉડાન ભરવા પર કામચલાઉ રોક લગાવી દીધી છે. વાયુસેના પાસે હાલમાં લગભગ 30 જેટલા સિંગલ-સીટર તેજસ વિમાનો છે. આ તમામ જેટ્સની સંપૂર્ણ ટેકનિકલ તપાસ કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. તેજસ એક સિંગલ એન્જિન મલ્ટી-રોલ ફાઈટર એરક્રાફ્ટ છે જે અત્યંત જોખમી વિસ્તારોમાં પણ ચોકસાઈથી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ આ ટેકનિકલ ખામીએ વાયુસેનાની ચિંતામાં વધારો કર્યો છે.

આ અકસ્માત એવા સમયે થયો છે જ્યારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) તેજસ માર્ક 1A ની ડિલિવરીમાં પહેલેથી જ વિલંબ કરી રહ્યું છે. ફેબ્રુઆરી 2021માં 48,000 કરોડના ખર્ચે 83 જેટ્સ માટે થયેલા સોદાની ડેડલાઇન અનેકવાર ચૂકી જવામાં આવી છે. આ વિલંબ પાછળનું મુખ્ય કારણ અમેરિકી કંપની જીઈ એરોસ્પેસ (GE Aerospace) દ્વારા એન્જિનની સપ્લાયમાં થઈ રહેલો મોડું હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે સપ્ટેમ્બર 2025માં સરકારે વધુ 97 તેજસ વિમાનો માટે ₹62,370 કરોડનો નવો સોદો પણ કર્યો હતો.

છેલ્લા બે વર્ષમાં તેજસ વિમાન સાથે સંકળાયેલી આ ત્રીજી મોટી ઘટના છે. પ્રથમ અકસ્માત માર્ચ 2024માં જેસલમેર પાસે થયો હતો, જ્યારે બીજી ઘટના નવેમ્બર 2025માં દુબઈ એરશો દરમિયાન લાઈવ પ્રદર્શન વખતે બની હતી. આ વારંવાર બનતી ઘટનાઓ અને ટેકનિકલ ખામીઓને કારણે હવે સ્વદેશી લડાયક વિમાનોની ગુણવત્તા અને સુરક્ષા પાસાઓ પર સવાલો ઉઠી રહ્યા છે. વાયુસેનાની ટેકનિકલ ટીમ હવે આ ખામીઓના મૂળ સુધી પહોંચવા માટે ઊંડી તપાસ કરી રહી છે.

February 23, 2026
image-23.png
1min67

રાજકોટ મહાનગરપાલિકા (RMC) સોમવારે (23મી ફેબ્રુઆરી) શહેરના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન ઓપરેશન હાથ ધરવા જઈ રહી છે. જંગલેશ્વર અને આજી નદીના પટમાં દાયકાઓથી સરકારી અને મનપાની જમીન પર ખડકાયેલા 1489 મકાનો તોડી પાડવા માટે તંત્રએ આખરી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર રાજકોટમાં કડક પોલીસ બંદોબસ્ત અને કલમ-163 લાગુ કરી દેવામાં આવી છે.

મહાપાલિકા દ્વારા આ ઓપરેશન માટે વિશાળ કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. 1130થી વધુ મનપા કર્મચારીઓ (ખાસ એપ્રન અને હેલમેટ સાથે). 260થી વધુ વાહનો જેમાં જેસીબી, હિટાચી, બ્રેકર અને ડમ્પરનો સમાવેશ થાય છે. આજી નદી પટની 55,000 ચો.મી. અને ટી.પી. રોડની 32,000 ચો.મી. મળી કુલ 87,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાશે.

વિસ્તારની સંવેદનશીલતાને જોતા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી કડક નિયમો લાગુ કર્યા છે. 23મીથી 25મી ફેબ્રુઆરી સુધી સમગ્ર રાજકોટમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત 26મી ફેબ્રુઆરી સુધી શહેરમાં 4 થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર મનાઈ છે. 2500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત પહેરો ગોઠવી દેવાયો છે. કોઈપણ પ્રકારના કાંકરીચાળા કે વિરોધના કિસ્સામાં તુરંત ધરપકડના આદેશો અપાયા છે.

તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે અગાઉ આ વિસ્તારના અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ આપવામાં આવ્યા હતા, જેનો પુરાવો વીડિયો દ્વારા જારી કરાયો છે. આથી, આ વખતે કોઈ પણ નવું આવાસ કે વૈકલ્પિક જગ્યા આપવામાં આવશે નહીં. રવિવાર સાંજ સુધીમાં અંદાજે 225 પરિવારોએ સ્વૈચ્છિક રીતે પોતાના મકાનો ખાલી કરી દીધા હતા.

February 19, 2026
image-20.png
1min27

ગુજરાતના દેવામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ગૃહમાં સરકારે માહિતી આપી હતી કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યના દેવામાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2023-24થી વર્ષ 2028-29 સુધીના અંદાજો સરકારના બજેટના દસ્તાવેજોમાં દર્શાવાયા છે. તે જોતા કહી શકાય કે, રાજ્યના જાહેર દેવામાં સતત અને મજબૂત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2023-24માં ગુજરાત રાજ્યનું કુલ જાહેર દેવું રૂ. 3,52,717 કરોડ હતું. જે વર્ષ 2024-25ના સુધારેલા અંદાજ મુજબ વધીને રૂ. 4,30,320 કરોડ પર પહોંચ્યું હતું. આ માત્ર એક વર્ષના ગાળામાં આશરે ₹રૂ. 77,000 કરોડથી વધુનો ઉછાળો દર્શાવે છે.

નાણાં પ્રધાને ગુજરાત સરકારનું વર્ષ 2026-27 માટે જે બજેટ રજૂ કર્યું છે તેના દસ્તાવેજો મુજબ વર્ષ 2025-26માં 4,45,537 કરોડ અને વર્ષ 2026-27માં ગુજરાત સરકારનું કુલ દેવું વધીને 4,87,069 કરોડ થવાનો અંદાજ છે. જ્યારે, સરકારના દેવાનો આ આંકડો 2028-29 સુધીમાં વધીને રૂ. 5,66,845 કરોડ સુધી પહોંચે એવો અંદાજ મૂકાયો છે.

આગામી 5 વર્ષમાં રાજ્યનું જાહેર દેવું આશરે ₹2.24 લાખ કરોડ જેટલું વધી જશે એટલે કે 2023ની સરખામણીએ 2029માં સરકારનું જાહેર દેવું 65 ટકા જેટલું વધારે હશે. દર વર્ષે સરેરાશ ₹45,000 કરોડનું નવું દેવું ઉમેરાય તેવો અંદાજ છે. જોકે, સારી બાબત એ છે કે રાજ્યનું કુલ ઉત્પાદન પણ 68 ટકાના દરે વધવાની ધારણા છે. દેવું વધવા છતાં, GSDPના પ્રમાણમાં દેવાની ટકાવારી 14.38 ટકાથી ઘટીને 13.74 થશે. આનો અર્થ એ છે કે રાજ્યની આવક વધવાની ક્ષમતા દેવા કરતા સહેજ વધુ ઝડપી છે.

સૌથી વધુ ચોંકાવનારો આંકડો રાજકોષીય ખાધનો છે, જે 251 ટકાનો વધવાનો અંદાજ છે. વર્ષ 2023-24માં આ ખાધ માત્ર 23,463 કરોડ હતી. જે 2028-29માં વધીને 82,518 કરોડ થઈ શકે છે. આ ખાધ સૂચવે છે કે સરકાર ખર્ચને પહોંચી વળવા માટે ઉધાર લેવા પર વધુ નિર્ભર રહેશે. વર્ષ 2023-24માં સરકાર પાસે રૂ. 33,477 કરોડની મહેસૂલી પુરાંત હતી. જે 2028-29 સુધીમાં ઘટીને રૂ. 22,000 કરોડ થવાની શક્યતા છે. આ ઘટાડો સૂચવે છે કે વહીવટી ખર્ચ અથવા વ્યાજની ચુકવણીમાં મોટો હિસ્સો વપરાઈ જશે.

February 14, 2026
guj_gov_logo.png
14min40

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વહીવટી માળખામાં મોટો ફેરફાર કર્યો છે. સમગ્ર રાજ્યમાં 37 મામલતદારોની બદલીનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા 165 લોકોને મામલતદાર તરીકે બઢતી સાથે બદલી પણ આપી છે. આ અંગે ગાંધીનગરથી અધિકારીક આદેશ આપવામાં આવ્યો છે. બઢતી તથા બદલીના આદેશ કરવામાં આવ્યા છે. 

નાયબ મામલતદારમાંથી મામલતદારમાં બઢતી

ક્રમઅધિકારીનું નામહાલનો જિલ્લોનિમણૂંકની જગ્યા (મામલતદાર તરીકે)
1ડિમ્પલબેન પી. સાંગાણીયાવલસાડડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, પાટણ
2વિશાલ એચ. જેપીવાલાનવસારીચૂંટણી મામલતદાર, મોરબી
3પુલિન ટી. ઠાકરમહેસાણાકચ્છ
4વિશાલ ડી. ત્રિવેદીભાવનગરચૂંટણી મામલતદાર, અમરેલી
5જયેશકુમાર વી. ધોકિયાજૂનાગઢચૂંટણી મામલતદાર, ગીર સોમનાથ
6એચ. એમ. સોમાણીભાવનગરડેપ્યુટી રજીસ્ટ્રાર-GRT, અમદાવાદ
7કેતનભાઈ પી. ત્રિવેદીભાવનગરકલેક્ટર કચેરી, બોટાદ
8મહેન્દ્રસિંહ પી. ઝાલાભાવનગરચૂંટણી મામલતદાર, જૂનાગઢ
9મેહુલકુમાર એચ. રાવલસુરેન્દ્રનગરકોટડા-સાંગાણી, રાજકોટ
10હિતેન્દ્રસિંહ એન. ગોહિલસુરેન્દ્રનગરચીફ ઓફિસર, થાનગઢ (ડેપ્યુટેશન)
11ભગીરથસિંહ ડી. ચુડાસમાઅમદાવાદAUDA, આણંદ
12નિશા કે. લાખાણીરાજકોટમૂળી, સુરેન્દ્રનગર
13યતિનકુમાર પી. ભાડજાઆણંદજનસંપર્ક અધિકારી (PRO), ડાંગ
14જયદીપ એસ. પટેલઅમદાવાદઅધિક ચિટનીસ, ખેડા
15દીપમાલા જી. બચાણીઅમદાવાદડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગાંધીનગર
16પુષ્પરાજ જી. ઓલીક્ષ્ત્રિયાગાંધીનગરAUDA, અમદાવાદ
17પરેશ એ. દેસાઈઅમદાવાદજનસંપર્ક અધિકારી (PRO), ગાંધીનગર
18ચિરાગ એચ. પ્રજાપતિઅમદાવાદશામળાજી, અરવલ્લી
19હિતેશકુમાર જે. ચૌહાણગાંધીનગરSSRD-1, અમદાવાદ
20રણજિતસિંહ આઈ. રાઠોડઅમદાવાદફાગવેલ, ખેડા
21વનરાજસિંહ એચ. બારડઅરવલ્લીજનસંપર્ક અધિકારી (PRO), પંચમહાલ
22હરેશકુમાર બી. પટેલસાબરકાંઠાહડાદ, બનાસકાંઠા
23નિલેશ એ. રાઠોડઅમદાવાદડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગાંધીનગર
24વિશાલભાઈ એ. મકવાણાઅમદાવાદમહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી, ગાંધીનગર
25નરેન્દ્રસિંહ ડી. ચાવડાઅમદાવાદમાતર, ખેડા
26અલ્પેશ એન. રાવલબનાસકાંઠાએક્સ્ટ્રા ચિટનીસ, વડોદરા
27ચૈતન્ય બી. સંઘાણીઆણંદNRG ફાઉન્ડેશન, ગાંધીનગર
28કિરણસિંહ એ. વિહોલમહેસાણાપોશિના, સાબરકાંઠા
29ઉપેન્દ્રસિંહ કે. વાઘેલાઅમદાવાદચોટીલા, સુરેન્દ્રનગર
30મીનલબેન વી. પટેલસાબરકાંઠાકલેક્ટર કચેરી, અરવલ્લી
31રામદેવસિંહ જે. ઉમટઅમદાવાદચૂંટણી મામલતદાર, બોટાદ
32ચંદ્રેશ એન. પોરાધિયાપાટણસ્પીપા (SPIPA), અમદાવાદ
33ગૌતમકુમાર એસ. દરજીમહેસાણાકાંકરેજ, બનાસકાંઠા
34રામાજી વી. બારી (રાજપૂત)કચ્છધરણિધર, વાવ-થરાદ
35હરદેવસિંહ આર. પઢિયારસુરેન્દ્રનગરજનસંપર્ક અધિકારી (PRO), કચ્છ
36ભાવના એલ. રબારીઅમદાવાદનડિયાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી
37મુકેશભાઈ એમ. દેસાઈખેડાચિટનીસ, આણંદ
38કુલદીપસિંહ એ. મોડઅમદાવાદધોલેરા SIR ઓથોરિટી
39હરદીપસિંહ બી. સોલંકીસુરતચિટનીસ-TASP-રાજપીપળા, નર્મદા
40માનસી એન. પારેખસુરેન્દ્રનગરજનસંપર્ક અધિકારી (PRO), જૂનાગઢ
41યોગેશકુમાર એમ. પટેલસાબરકાંઠારાહ, વાવ-થરાદ
42કિરણકુમાર કે. ગોસ્વામીપાટણઓગડ, બનાસકાંઠા
43રાજેશકુમાર આર. દેસાઈઅમદાવાદસેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
44સમ્રાટ કે. બ્રહ્મભટ્ટઅમદાવાદઆણંદ શહેર
45કિરીટસિંહ આર. વાઘેલાગાંધીનગરસેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
46તકદીરકુમાર યુ. સોલંકીસાબરકાંઠાકલેક્ટર કચેરી, અરવલ્લી
47શૈલેષકુમાર બી. પ્રજાપતિખેડાગોવિંદ ગુરુ લીમડી, દાહોદ
48ભાવેશ એસ. ધાનાણીકચ્છમજુરા, સુરત શહેર
49આકાશકુમાર એમ. શ્રીમાળીમહેસાણાચૂંટણી મામલતદાર, બનાસકાંઠા
50નિલયકુમાર એચ. પટેલખેડાઘાટલોડિયા, અમદાવાદ
51સંકેતકુમાર એ. શાહસાબરકાંઠાવડગામ, બનાસકાંઠા
52પ્રિયંકકુમાર બી. પટેલસાબરકાંઠામહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
53શાહીના એમ. દિવાનઅમદાવાદવિજિલન્સ સેલ, આદિજાતિ વિકાસ
54નિકુંજ વી. સાવલાવડોદરાભરૂચ (શહેર)
55મોહમદજાબીર એસ. ઘોરીબનાસકાંઠામહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
56હિરેન બી. મકવાણારાજકોટડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગાંધીનગર
57અરવિંદ એ. રાઠોડજામનગરPSO-IORA કલેક્ટર કચેરી, રાજકોટ
58કલ્પેશકુમાર કે. દવેભાવનગરઅમરેલી (શહેર)
59સુનીલકુમાર જી. મહેતાઅમદાવાદસ્પીપા (SPIPA), અમદાવાદ
60નિકુલકુમાર એ. પટેલમહેસાણાPSO-IORA કલેક્ટર કચેરી, અમદાવાદ
61વૈભવ કે. વ્યાસકચ્છચીફ ઓફિસર, મુન્દ્રા (ડેપ્યુટેશન)
62આશિયાનાબાનુ એસ. શેખઅમદાવાદડેપ્યુટી મેનેજર (લેન્ડ), TCGL
63વનરાજસિંહ કે. રાજપૂતઅમદાવાદસાયલા, સુરેન્દ્રનગર
64રંજન વી. સોલંકીઆણંદચૂંટણી મામલતદાર, ખેડા
65પ્રકાશચંદ્ર એન. પટેલમહેસાણાહક્કપત્રક મામલતદાર, બનાસકાંઠા
66સંદીપ જી. રૈયાણીવડોદરાહાલોલ, પંચમહાલ
67અમિતા એન. ભાવસારવડોદરાડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, પંચમહાલ
68પ્રણવકુમાર એચ. આચાર્યરાજકોટજમીન સંપાદન અધિકારી કચેરી, રાજકોટ
69શ્વેતા ટી. પટેલસુરતભરૂચ-અંકલેશ્વર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી
70નિકી એચ. પ્રજાપતિખેડાચિટનીસ ટુ એડિશનલ કલેક્ટર, વડોદરા
71સવસીભાઈ આર. પટેલગાંધીનગરઇરીગેશન સેસ રિકવરી, ખેડા
72શૈલેષભાઈ ડી. બારૈયાભાવનગરબોટાદ (શહેર)
73સુવિધાબા જે. રાઠોડરાજકોટA.T.V.T. મહેસૂલ વિભાગ, ગાંધીનગર
74કિરણકુમાર આર. દેસાઈમહેસાણાલોથલ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી
75જૈમિનીબેન કે. ગોસ્વામીસાબરકાંઠાચિટનીસ ટુ કમિશનર, મધ્યાહન ભોજન
76કલ્પેશ એ. રાયકાઅમદાવાદજમીન સંપાદન અધિકારી કચેરી, સુરત
77પ્રણવ કે. પારેખભાવનગરબાબરા, અમરેલી
78રીતેષકુમાર ટી. શ્રોફઅમદાવાદએક્સ્ટ્રા ચિટનીસ, પંચમહાલ
79જલ્પા બી. બાલ્ધારાજકોટડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, જામનગર
80સ્નેહલ એમ. જાડેજાઅમદાવાદPSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
81અમરતભાઈ એમ. ચૌધરીમહેસાણાએસ્ટેટ ઓફિસર, અંબાજી મંદિર
82નીરવ વી. દવેભાવનગરવડિયા, અમરેલી
83અભિષેક એ. ગોહિલબનાસકાંઠાદિયોદર, વાવ-થરાદ
84કિંજલ કે. ભટ્ટઅમદાવાદPSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
85ધવલ એમ. બેંકરવડોદરાઅંબિકા, સુરત
86ચારુલાતાબેન એમ. પાનારાવડોદરામામલતદાર (પ્રોટોકોલ), નર્મદા
87હીર એ. વંજનીરાજકોટઅધિક ચિટનીસ, જૂનાગઢ
88જીગ્નેશકુમાર એચ. પટેલવડોદરાસંખેડા, છોટાઉદેપુર
89બીજલભાઈ એમ. ત્રામટાસુરેન્દ્રનગરઅમરેલી (ગ્રામ્ય)
90તેજલ પી. જોશીગીર સોમનાથચુડા, સુરેન્દ્રનગર
91અંકિત એન. પરમારદાહોદગોધર, મહીસાગર
92અશ્વિનકુમાર કે. ચાવડાઅમદાવાદGUDA, ગાંધીનગર
93નિધિ જી. જોશીપાટણRERA-1, ગાંધીનગર
94કવિતાબેન એન. પાટીલવલસાડઆસિ. પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, વાંસદા
95ધવલકુમાર કે. પરમારસાબરકાંઠાPSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
96તૃષા જે. સોનીવડોદરાચિટનીસ, દાહોદ
97જય એલ. રાજવઢારાજકોટચૂંટણી મામલતદાર, સુરેન્દ્રનગર
98વિશાલકુમાર એચ. શુક્લાજૂનાગઢચીફ ઓફિસર, સિહોર (ડેપ્યુટેશન)
99હર્ષદકુમાર એલ. મકવાણાપાટણPSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
100હિતેશ વી. દુધાતસુરતઉકાઈ, તાપી
101નિખિલ આર. જોશીમોરબીચિટનીસ, સુરેન્દ્રનગર
102જીગ્નેશકુમાર વી. જાનીમહેસાણાભાભર, વાવ-થરાદ
103હીના વી. શાહગાંધીનગરચૂંટણી મામલતદાર, અમદાવાદ
104રાજેન્દ્રસિંહ એ. રાવગાંધીનગરચૂંટણી મામલતદાર, આણંદ
105નિધિ પી. ચાવડાસુરેન્દ્રનગરહળવદ, મોરબી
106વિજયકુમાર એમ. મકવાણામહેસાણાજનસંપર્ક અધિકારી (PRO), અમદાવાદ
107જયેશ ડી. જકાસણિયાવડોદરાઅરેઠ, સુરત
108મિતેશ એસ. કનેજિયાખેડાકડવાલ, છોટાઉદેપુર
109વિરંગકુમાર બી. વ્યાસપંચમહાલડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, દેવભૂમિ દ્વારકા
110અજયસિંહ પી. રાણાભાવનગરડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગીર સોમનાથ
111મહેન્દ્ર ડી. ભાલોડીરાજકોટખાંભા, અમરેલી
112ભાવિકા કે. મોદીસાબરકાંઠાઆસિ. મેનેજર, હેન્ડલૂમ કોર્પોરેશન
113દીપકકુમાર જી. ગઢવીબનાસકાંઠાઊંઝા, મહેસાણા
114અનિરુદ્ધસિંહ બી. ઝાલાદેવભૂમિ દ્વારકાચીફ ઓફિસર, ભચાઉ (ડેપ્યુટેશન)
115સુરેન્દ્રસિંહ એમ. રાજપૂતબનાસકાંઠાધોલેરા SIR ઓથોરિટી
116જનાર્દન પી. દવેઅરવલ્લીPSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
117હિતેન્દ્રકુમાર એમ. ચૌધરીમહેસાણાઆસિ. પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ખેડબ્રહ્મા
118શિલ્પાકુમારી એલ. રાઠોડસુરેન્દ્રનગરચિટનીસ ટુ એડિશનલ કલેક્ટર, અમદાવાદ
119ધવલ એમ. પરમારપાટણસેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
120પ્રકાશકુમાર કે. ચૌધરીબનાસકાંઠાડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, કચ્છ
121જ્યોતિકાબેન કે. પરમારપાટણસ્પીપા (SPIPA), અમદાવાદ
122મમતા આર. ચૌહાણઅમદાવાદસેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
123અખિલભાઈ એ. દેસાઈઅમદાવાદકોઠંબા, મહીસાગર
124જોગીદાન બી. ગઢવીરાજકોટડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગાંધીનગર
125સંદીપકુમાર એ. ઝવેરીઅમદાવાદચીફ ઓફિસર, ચકલાસી (ડેપ્યુટેશન)
126કિશોરકુમાર બી. બારિયાસુરતજનસંપર્ક અધિકારી (PRO), તાપી
127સુહાગ કે. બારોટખેડાજમીન સંપાદન, ગાંધીનગર
128મંજુ કુમારી આર. ચૌધરીમહેસાણાPSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
129હર્ષદકુમાર વી. ચાવડાસાબરકાંઠાચિટનીસ ટુ એડિશનલ કલેક્ટર, ગાંધીનગર
130પ્રમિલા વી. ગજરેખેડાVUDA, વડોદરા
131કાર્તિકસિંહ એ. વિહોલમહેસાણાઇરીગેશન સેસ રિકવરી, આણંદ
132ગીતાબેન એમ. માલવીબનાસકાંઠાકલેક્ટર કચેરી, વાવ-થરાદ
133પ્રણવકુમાર બી. પુરોહિતગાંધીનગરજમીન સંપાદન અધિકારી કચેરી, અમદાવાદ
134મિહિર એ. શાહમહીસાગરજનસંપર્ક અધિકારી (PRO), દાહોદ
135જીજ્ઞા એચ. ત્રિવેદીઅમદાવાદઆસિ. ઇલેક્શન કમિશનર, SEC
136વિપુલકુમાર એન. સોલંકીઆણંદએક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ-કોર્ટ ૨, અમદાવાદ
137મેહુલકુમાર આઈ. પરમારઆણંદચીફ ઓફિસર, કપડવંજ (ડેપ્યુટેશન)
138તેજલ એન. માલવિયાવડોદરાસાપુતારા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી
139બિપિન એમ. શાહઆણંદકલેક્ટર કચેરી, મહીસાગર
140વીરેન્દ્રકુમાર એ. વામદેવમહેસાણાસમી, પાટણ
141પરિક્ષિત આર. પરમારજામનગરધારી, અમરેલી
142કિરણકુમાર કે. કરોલિયાવડોદરાસુખસર, દાહોદ
143ભાવેશકુમાર ડી. પટેલસાબરકાંઠાસાઠંબા, અરવલ્લી
144દિપેન કે. દેસાઈપાટણજનસંપર્ક અધિકારી (PRO), સુરેન્દ્રનગર
145મહેશકુમાર ડી. માળીબનાસકાંઠાહક્કપત્રક મામલતદાર, કચ્છ
146વિજયસિંહ પી. પરમારભરૂચચીકદા, નર્મદા
147દેવાંગ આર. મેવાણીઅમદાવાદવિજિલન્સ સેલ, વડોદરા
148જીજ્ઞાશાબેન કે. ભટ્ટપોરબંદરચીફ ઓફિસર, રાણાવાવ (ડેપ્યુટેશન)
149સોનલ યુ. સાંગાણીસુરતડેડિયાપાડા, નર્મદા
150શૈલેષકુમાર એચ. દેસાઈગાંધીનગરસેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
151અશ્વિનકુમાર કે. બારૈયાભાવનગરજૂનાગઢ (શહેર)
152આદિત્ય એસ. ત્રિવેદીઅમદાવાદખેડા
153હેમા એન. દેસાઈખેડાકલેક્ટર કચેરી, છોટાઉદેપુર
154અંકુર એમ. લાડાણીજૂનાગઢડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, પોરબંદર
155અર્જુનસિંહ જે. ચૌહાણવડોદરાવઘઈ, ડાંગ
156સંગીતાબેન એમ. દેસાઈઅમરેલીવિજયનગર, સાબરકાંઠા
157કામિની જી. રાઠોડબનાસકાંઠાચૂંટણી મામલતદાર, પાટણ
158પંકજકુમાર એસ. પરમારઅરવલ્લીડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, મહીસાગર
159નરેન્દ્રસિંહ એ. રાવગાંધીનગરભિલોડા, અરવલ્લી
160પ્રવિણભાઈ જી. સોલંકીકચ્છથાનગઢ, સુરેન્દ્રનગર
161રજનીભાઈ એમ. વૈષ્ણવસુરતઆહવા, ડાંગ
162મહેશ કે. બાલિયાબોટાદજસદણ, રાજકોટ
163વનરાજસિંહ ડી. બારિયાઅમદાવાદસેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
164હાર્દિકકુમાર એસ. જોશીદાહોદમોરવા હડફ, પંચમહાલ
165ભાવેશકુમાર પી. ઇટાલિયાસુરતવડોદરા શહેર-પૂર્વ