
કાનપુરમાં આઠ પોલીસકર્મીઓની હત્ય કરનારા વિકાસ દુબને શુક્રવારે સવાલે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો છે. વિકાસ દુબેન ઉજ્જૈનથી કાનપુર લઈ જઈ રહેલી યુપી એસટીએફના કાફલાની ગાડી આજે સવારે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી.
દુર્ઘટના પછી વિકાસ પોલીસકર્મીઓની પિસ્તોલ છીવનીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જવાબી ફાયરિંગમાં વિકાસ ઈજાગ્રસ્ત થયો હતો અને તેને હોસ્પિટલમાં લઈ જવાનો આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમમાં ત્રણ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગુરુવારે સવારે જ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાંથી પોલીસ વિકાસની ધરપકડ કરી હતી. વિકાસ સાત દિવસથી ફરાર હતો. ત્યાબાદ મધ્ય પ્રદેશની પોલીસે વિકાસ દુબેને ઉજ્જૈનની કોર્ટમાં રજૂ કરીને સાંજે યુપી એસટીએફને સોંપી દીધો હતો.












