CIA ALERT

ક્રાઇમ Archives - Page 15 of 38 - CIA Live

August 26, 2020
jaminmapni.jpg
1min5610

વેસુની વિવાદીત જમીન ની માપણી કરવા માટે લાંચની રકમ એસીબી ઓફિસની સામે જ રોડ પર સ્વિકારવામાં આવી હતી

સુરત શેહરમાં વેસુ વિસ્તારમાં આવેલ વિવાદીત કોરોડો રુપિયાની જમીનની માપણી કરવા માટે રૂ. નવ લાંખની લાંચ લેતા એસીબીએ સુરતના જીલ્લા નિરીક્ષક જમીન દફતર અધિકારી રિતેશ રાજપરા, મહેસુલી નાયબ મામલતદાર જસ્મીન બોઘરા સહિત આજે ચારની ધરપકડ કરી હતી. આ ટોળકી દ્વારા જમીન માપણી માટે રૂ. 18 લાખની માંગણી કરવામાં આવી હતી. આ લાંચની રકમ એસીબીની કચેરીની સામે જ સ્વિકારવામાં આવી હતી.

સુરતના વેસુ વિસ્તારમાં આવેલ કરોડો રૂપિયાની જમીનના માલિકી હક્કને લઈન લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ જમીનને લઈને ઉમરા પોલીસ મથકમાં ફરીયાદ પણ નોંધાઈ ચુકી છે. તદ ઉપરાંત સુરત કલેક્ટર કચેરી અને મહેસુલ વિભાગમાં પણ માલિકી હક્કના કેસો ચાલી રહ્યા છે. આ કેસને લઈને જમીનની માપણી કરાવવી જરૂરી હતી.જેને લઈને જમીન માલિક દ્વારા જિલ્લા નિરીક્ષક જમીન દફતર (ડી.આઈ.એલ.આર.) માં અરજી કરી હતી. આ દરમિયાન જમીન માલિકની ઓળખાણ ડોલરભાઇ રવજીભાઇ ચકલાસીયા સાથે થઈ હતી. તેને આ જમીન માપણી કરાવી આપવા માટેની બાહેંધરી લીધી અને અધિકારી સાથે બેઠક કરીને રૂ. 18 લાખ ની રકમ નક્કી કરીને જમીન માપણી કરી આપવા માટેનુ નક્કી કર્યુ હતુ. 
    જમીન માપણી અધિકારીના કેસીયર રેવન્યુ નયાબ મામલતદાર જસ્મીનભાઇ અરવિંદભાઇ બોઘરા( જનસેવા કેન્દ્ર, પુણા ) એ આ કેસનો હવાલો લીઘો હતો. બીજી બેઠકમાં માપણી પહેલા રૂ. નવ લાખ અને ત્યાર બાદ બાકીના રૂપિયા જમીન માલિકે આપવાના નક્કી કરવામાં આવ્યા હતા. રૂપિયા  અધિકારીના માણસ રાજેશકુમાર ભનુભાઇ શેલડીયાને આપવા માટે નક્કી કરવામાં આવ્યુ હતુ. આ બેઠક બાદ જમીન માલિક સીધો એસીબીની કચેરી ખાતે ગયો હતો. અને ત્યાર બાદ એસીબીના મદદનીશ નિયામક નિરવ ગોહીલ દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યુ હતુ. તે મુજબ આજે બપોરે જમીન માલિક પાસેથી રૂ. નવ લાખની લાંચ લેવા માટે અધિકારી વતી રાજેશ તથા ડોલરભાઈ નાનપુરા ખાતે જજીસ કોલોનોની સામે આવ્યા હતા. જેવી લાંચની રકમ લીધી તેની સાથે જ પોલીસે તેઓને ડબોચી લીધા હતા.
    તો બીજી તરફ આ રેડ સફળ થતાની સાથે જ પોલીસની બીજી ટીમે કે જે ડી.આઇ.એલ.આર. કચેરીની બહાર જ ઉભી હતી તેઓએ ક્લાસ – 2 અધિકારી રિતેશ બાલુભાઈ રાજપરાની ધરપકડ કરી હતી. અને મોબાઈલ લોકોશનના આધારે નાયબ મામલતદાર જસ્મી અરવિંદભાઈ બોઘરની ધરપકડ કરી હતી. આ સફળ ઓપરેશન મદદનીશ નિયામક, એ.સી.બી. એન.પી.ગોહિલના સુપરવિઝનમાં પોલીસ ઈન્સપેક્ટર કે.જે. ચૌધરી અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યુ હતુ.

August 25, 2020
fraud.jpg
1min5330

ફેસબુક પર લોનની જાહેરાત મૂકીને ઠગાઇ કરનાર સુરતના ત્રણ શખસની પોલીસે ધરપકડ કરી હતી. ફેસબુક પર બજાજ ઇએમઆઇના કાર્ડ પર લોન આપવાની જાહેરાત કરીને ઠગાઇ કરવા અંગે સુરતના મહેશ વલ્લભભાઇ આસોદરિયા, બાબા હજાભાઇ ચૌધરી, દીપક ગોકુલભાઇ ડોબરિયાની ધરપકડ કરી હતી.

નાનામવા રોડ પરના મોકાજી સર્કલ પાસે સિલ્વર એપાર્ટમેન્ટમાં રહેતાં અને બીગબજાર સામે ઇમ્પિરીયલ હાઇટ્સમાં બી વિંગમાં બજાજ ફાયનાન્સની ઓફિસમાં રીસ્ક મેનેજર તરીકે નોકરી કરતાં ઘનશ્યામભાઇ જયંતીભાઇ શિંગાળાએ ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદ મુજબ બજાજ ફાયનાન્સ કંપનીના ઇએમઆઇ કાર્ડ ધરાવતાં પાંચ ગ્રાહકો પાસેથી એક સરખી ફરીયાદ મળી હતી કે તેમણે પોતે ખરીદી કરી ન હોવા છતાં તેના નામે લોન બજાજ કંપનીની લોન શરૂ થઇ ગઇ હોવાના મેસેજીસ આવ્યા છે.

પાંચ ગ્રાહકોની એક સરખી ફરીયાદ મળતા બજાજ ફાઇનાન્સના રિસ્ક મેનેજરે આ અંગે હેડઓફિસ પુના ખાતેની ઓફિસે તપાસ કરાવી હતી. કંપનીની પ્રાથમિક તપાસમાં એ ગ્રાહકોના નામે ઓનલાઇન અને ઓફલાઇન ખરીદી થઇ હોવાનું બહાર આવ્યું હતું. વધુ કડી મેળવતા એવી વિગત સપાટી પર આવી હતી કે સુરતના મહેશ આસોદરિયા, બાબા ચૌધરી અને દીપક ડોબરિયા એ આ કામને અંજામ આપ્યો છે, પરીણામે પોલીસ મથકમાં ત્રણેય સામે ઠગાઇ સહિતનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

આ ફરિયાદ અંગે રાજકોટ સાયબર ક્રાઇમના પીઆઇ ફર્નાડીઝ,  પી.એમ. કાતરિયા, એન.એન. ચુડાસમા, પીએસઆઇ જે.કે.ગઢવી અને તેમના મદદનીશો સંજય ઠાકર, દીપક પંડિત, યોગરાજસિંહ ગોહીલ, પ્રદીપસિંહભાટીએ તપાસ હાથ ધરીને સુરતના ત્રણ શખસની ઝડપી લીધા હતાં.

પોલીસની પુછપરછમાં આ શખસોએ એવી કબુલાત આપી હતી કે, તેઓ હીરા ઘસવાનું કામ કરતાં હતા પરંતુ લોકડાઉનના કારણે કામ બંધ થઇ જતાં ઠગાઇના રવાડે ચડી ગયા હતાં અને બજાજ ફાયનાન્સ કંપનીના ઇએમઆઇ કાર્ડ ધારકોના નંબર મેળવી તેની પાસેથી કાર્ડના નંબર, ઓટીપી મેળવીને એ કાર્ડધારકના નામે ઓનલાઇન ખરીદી કરતા હતાં અને ખરીદેલી વસ્તુઓ અન્ય લોકોને વેચી નાખતા હતાં.

August 25, 2020
1min6000

પાસોદરા વિસ્તારના બિલ્ડર રાજુભાઇ દેસાઇએ વ્યાજે લીધેલા નાણા કઢાવવા માટે બિટકોઇન કૌભાંડમાં પકડાયેલા શૈલેષ ભટ્ટે રીબડાના કુખ્યાત અનિરૂધ્ધસિંહ જાડેજા અને તેની ટોળકીને સોપારી આપી હોવાનું ખુલ્યું છે. તેના પગલે શૈલેષ ભટ્ટ, અનિરૂધ્ધસિંહ ઉર્ફે અનિરૂધ્ધસિંહ રીબડા મહિપતસિંહ જાડેજા સહિત 11 શખસ સામે ગુનો નોંધાયો છે.

બિલ્ડર રાજુભાઇ રવજીભાઇ દેસાઇની સરથાણા પાસેના લસકાણા ગામની સીમમાં સિધ્ધિવિનાયક ગ્રીન નામની 17 બિલ્ડીંગ સાઇટ પર પિસ્તોલ સહિત હથિયાર સાથે આવેલા ચાર શખસે કબજો જમાવી લીધો હતો. પોલીસે જૂનાગઢના સલીમ ઇબ્રાહીમભાઇ ઠેબા, હનીફ અલારખાભાઇ દરઝાદા, ઉંમર કાસભાઇ પટણી અને રાજકોટના જેતપુરના સાજીત સુલતાનભાઇ ઠેબાને ઝડપી લીધા હતાં.

આ શખસોની પુછપરછ અને બિલ્ડર રાજુભાઇ દેસાઇએ કરેલી રજૂઆતના અંતે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે,  પાંચ વર્ષ પહેલા 2015ની સાલમાં બિલ્ડર રાજુભાઇ દેસાઇને પૈસાની જરૂરિયાત ઉભી થતાં બિટકોઇન કૌભાંડમાં પકડાયેલા શૈલેષ ભટ્ટ અને વિજય શાંતિલાલ  ખોખરિયા પાસેથી રૂ. ચાર કરોડ માસિક દોઢ ટકાના વ્યાજે લીધા હતાં. તેની સામે રાજુભાઇ પાસેથી સીકયુરીટી પેટે કબજા વગરનું રજીસ્ટર સાટાખત કરાવી લેવામાં આવ્યું હતું. બાદમાં દોઢ ટકાના બદલે સાડા  ચાર ટકા લેખે વ્યાજ વસુલ કરવા માટે શૈલેષ ભટ્ટના ભાણેજ નિકુંજ ભટ્ટના નામે લખાણ કરાવી લીધું હતું. વ્યાજે લીધેલા રૂ. ચાર કરોડ સામે વ્યાજ સહિત રૂ. છ કરોડ ચુકવી દીધા હતાં. 

શૈલેષ ભટ્ટે રૂ. 25 કરોડ બળજબરીથી કઢાવવા માટે અનિરૂધ્ધસિંહ ઉર્ફે અનિરૂધ્ધસિંહ રીબડા મહિપતસિંહ જાડેજા અને તેની ટોળકીના  સભ્યોને સોપારી આપી હતી. તેના ભાગરૂપે એ ટોળકીના ચાર શખસ ચાર પિસ્તોલ સહિત હથિયાર સાથે આવીને બિલ્ડરની જમીન અને સાઇટ પર કબજો જમાવી દીધો હતો. ચાર દિવસ પહેલા તા. 20મીએ શબ્બીર નામના શખસે રિવોલ્વર બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપીને  બાર જેટલા માણસો સાથે સાઇટનો કબજો કરીને ફેન્સીંગ કરી લીધી હતી. આ અંગે સરથાણા પોલીસે  શૈલેષ બાબુલાલ ભટ્ટ, નિકુંજ ભટ્ટ, વિજય શાંતિલાલ ખોખરિયા, વકીલ ધર્મેશ પટેલ, રીબડાના અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા, શબ્બીર, સલીમ ઠેબા,જેતપુરના સાજીત ઠેબા, હનીફ દરઝાદા, ઉંમર પટણી સહિત 11 સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ફરિયાદની તપાસ સુરત ક્રાઇમ બ્રાંચને સુપ્રત કરવામાં આવી છે.

August 20, 2020
1597848724371-1280x640.jpg
1min7290

સુરતના પાલ ખાતે ગૌરવપથ રોડ પર આજે એક કોમ્પલેક્ષ માંથી ક્રાઈમ બ્રાંચે દરોડા પાડીને ઓનલાઈન ગેમ્બલીંગનો જુગાર રમાડતાં 13 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 1.83 લાખ અને 13 લેપટોપ સહિત કુલ્લે સાડા આઠ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે અમદાવાદના ભરત સહિત એક વિદેશી નાગરિકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેરના ગૌરવ પથ રોડ પર આવેલ મોનાર્ક આર્કેડમાં ઓનલાઈન જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચને મળી હતી. જે બાતમીના આધારે આજે ક્રાઈમ બ્રાંચની ટીમે મોનાર્ક આર્કેડમાં બીજા માળે આવેલ વિકટ આઈ.ટી. સોલ્યુશન નામનની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમ્યાન પોલીસે ઘટના સ્થળેથી જીગર, રાહુલ અને કાર્તિક સહિત 13 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપી જીગર – રાહુલ અને કાર્તિકે ઓફિસ ભાડે રાખીને ઓનલાઈન જુગાર રમવા તેમજ રમાડવા માટે અમદાવાદના ભરત નામના ઈસમ પાસેથી સર્વર ભાડે લીધું હતું. આ સર્વર યુ.કે. બેઈઝ્ડ હોવાને કારણે આરોપીઓએ તેમાં ફેક આઈ.ડી. બનાવીને અલગ – અલગ 30 ડોમેઈનમાં ઢગલાબંધ વેબસાઈટો બનાવી દીધી હતી. આ વેબસાઈટના માધ્યમથી આરોપીઓ ઓનલાઈન તીન પત્તીનો જુગાર, રૂલેટ, અંદર – બહારનો જુગાર, ડ્રેગન ટાઈગરનો જુગાર અને બકોરેટનો જુગાર સહિત ક્રિકેટ, ટેનિસ અને ફુટબોલની મેચો પર હાર – જીતનો જુગાર રમાડતા હતા. આ માટે આરોપીઓ દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ પણ ભાડેથી પુરૂં પાડી અલગ – અલગ ગ્રાહકો પાસેથી માસિક એક લાખથી બે લાખ રૂપિયા સુધીનું ભાડું વસુલ કરવામાં આવતું હતું. 

સુરત ક્રાઈમ બ્રાન્ચના દરોડામાં મુખ્ય સૂત્રધાર એવા જીગર દિપક ટોપીવાલા, રાહુલ પ્રહલાદ પ્રજાપતિ અને કાર્તિક રવજી હિસોરીયા સહિત કુલ 13 આરોપીઓની ધરપકડ કરી છે. આ સિવાય યુ.કે.નું સર્વર ભાડેથી આપનાર અમદાવાદના ભરત અને વેબસાઈટો પર જુગારની રમતનો લાઈવ વીડિયો મુકનાર અરમેનીયા દેશના નારીક નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઘટના સ્થળેથી ક્રાઈમ બ્રાંચે 4.15 લાખના 13 લેપટોપ, 1.50 લાખના આઠ મોબાઈલ અને રોકડા રૂપિયા 1.83 મળી કુલ્લે 8.63 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 

ઝડપાયેલા આરોપીઓની વિગત

(૧) જીગર ટોપીવાલા (રહે. પવિત્રા રો-હાઉસ, અડાજણ) (૨) રાહુલ પ્રજાપતિ (રહે. ભૂમિપૂજ્ય રેસીડેન્સી, પાલ) (૩) કાર્તિક હિસોરીયા (રહે. લક્ષ્મીધામ સોસાયટી, કતારગામ) (૪) હુસૈન કોકાવાલા (રહે. કોકાવાલા મેન્સન, ઝાંપા બજાર) (૫) ભાવિક શેઠ (રહે. શુભ રેસીડેન્સી, ઉધના) (૬) ફલક કાબરાવાલા (રહે. વેસ્ટર્ન સિટી, અડાજણ) (૭) જૈમેશ રાઠોડ (રહે. સાકાર પેલેસ, ડિંડોલી) (૮) અર્જુન કંસારા (રહે. દિવાળીબાગ ફ્લેટ, રાંદેર) (૯) કૃષાન કંસારા (શરણમ રેસિડેન્સી, જહાંગીરપુરા) (૧૦) રાજ આનંદ (રહે. શુભમ બંગ્લોઝ, વેસુ) (૧૧) ઈશીતા ગાંધી (એન.એસ.એસ. સ્પલેન્ડેડ, વેસુ) (૧૨) કૃપાબેન પેન્ટર (રહે. દયાળજી પાર્ક, અડાજણ) (૧૩) શશાંગ ટેલર (સુડા આવાસ, પાલ) 

હાઈટેક જુગારનું સર્વર ઈંગ્લેન્ડમાં

મોનાર્ક આર્કેડમાં વિકટર આઈ.ટી. સોલ્યુશનના નામે દુકાન ભાડે રાખીને જીગર, રાહુલ અને કાર્તિક નામના આરોપીઓએ અમદાવાદના ભરત નામના ઈસમ પાસેથી સર્વર ભાડે લીધું હતું. પોલીસ આરોપીઓ સુધી ન પહોચે તે માટે જે સર્વર ભાડે લેવામાં આવ્યું હતું તે ઈંગ્લેન્ડનું રાખવામાં આવ્યું હતું. આ સર્વરમાં પણ આરોપીઓએ ફેક આઈડી બનાવીને અલગ  અલગ વેબસાઈટો દ્વારા ઓનલાઈન જુગારનો ધીકતો ધંધો શરૂ કરવામાં આવ્યો હતો. આરોપીઓ જુગાર શોખિનોને પણ ઓનલાઈન પ્લેટફોર્મ પુરૂં પાડવાના નામે મહિના એકથી બે લાખ રૂપિયાનું ભાડું વસુલ કરી રહ્યા હતા. પોલીસે તમામને ધરપકડ કરી આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા અન્યોને પણ ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરી છે.

August 13, 2020
smcbuilding.jpg
1min10460

સુરતમાં ભેસ્તાન-જીઆવ રોડ પર સ્થાનિક કોર્પોરેટર સતીશ પટેલ વતી રૂપિયા ઉઘરાવતા પન્ટરને લાંચ લેવાના બદલામાં એન્ટીકરપ્શન બ્યુરો પોલીસે ધરપકડ કરી છે.

સુરત શહેર પોલીસ એન્ટીકરપ્શન બ્યુરોએ આપેલી માહિતી મુજબ ગઇ તા.12 ઑગસ્ટના રોજ સુરતના ભેસ્તાન-જીઆવ રોડ પર છટકું ગોઠવીને કોર્પોરેટર સતીશ પટેલના વચેટીયાનો ઝડપી લેવાયો હતો.

સુરતના ભેસ્તાન-જીઆવ રોડ પર કાસારામ સોસાયટીના ગેટની સામે બાંધકામ કરી રહેલા એક વ્યક્તિને કોર્પોરેટર સતીષ ચંપકભાઈ પટેલ (કોર્પોરેટર, વોર્ડ નં-38) અને અભિરાજ દેવરજન એજવાએ આવીને બાંધકામ ગેરકાયદેસર હોવાનું કહ્યું હતું. બાદમાં તેમણે તે વ્યક્તિને ધમકી આપી હતી કે જો તે 20 હજાર રૂપિયા નહીં આપે તો સુરત મહાનગર પાલિકા દ્વારા ડિમોલેશન કરાવી દેશે. આનાકાની બાદ તે વ્યક્તિએ આ બંને શખસને 15 હજાર રૂપિયા આપવા સહમતિ દર્શાવી હતી.

એ વ્યક્તિ પૈસા આપવા માગતી ન હોવાથી તેમણે સુરત શહેર ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. ત્યારબાદ ACBએ પોલીસ ઈન્સ્પેક્ટર કે જે ચૌધરીની આગેવાનીમાં ટીમે એક ટ્રેપ ગોઠવી હતી. જ્યાં અભિરાજને રંગેહાથે પકડી લેવામાં આવ્યો હતો. જોકે, કોર્પોરેટર સતીષ પટેલ આ ટ્રેપ દરમિયાન મળ્યા નથી અને તેમની તપાસ હાલ ચાલી રહી છે.


August 5, 2020
unmasking.jpeg
1min4960

ગુજરાતમાં કોરોના બેકાબૂ બન્યો છે. કોરોનાના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું છે. હાઈકોર્ટમાં કોરોના વાયરસ મુદ્દે કરવામાં આવેલી અરજી મુદ્દે કોર્ટે માસ્ક ન પહેરનારા લોકો ઉપર દંડની રકમ વધારવાની ટકોર’કરી છે.

હાઈકોર્ટે માસ્કના દંડ મામલે ટકોર કરી છે કે, 200 કે 500 રૂપિયા લોકોને બહુ નડશે નહીં. સરકાર કે કોર્પોરેશનને માસ્ક ન પહેરનારા લોકોને પ્રથમવાર 1000 રૂપિયા અને ત્યારબાદ તેમાં વધારો કરીને 5000 રૂપિયા સુધીનો દંડ વસુલવો જોઈએ.’હાઈકોર્ટ કહ્યું કે, કોરોનાને ફેલાતો રોકવાનું કામ કોઈ એક માણસનું નથી પણ આપણા તમામની ફરજ છે.

આ ઉપરાંત રાજસ્થાન હોસ્પિટલની બેદરકારીથી દર્દીના મોતના મામલે તંત્રની કામગીરીથી હાઈકોર્ટ અસંતુષ્ટ હોવાનું જણાવ્યું હતું. 77 લાખ રૂપિયાનો દંડ કર્યો પણ આજ સુધી રકમ કેમ રિકવર’ થઈ નથી તે અંગે પણ કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો. સરકાર આ અત્યંત કમનસીબ ઘટના અંગેની ગંભીરતાને ધ્યાને લઈને રિપોર્ટ આપે તેમ પણ કોર્ટે જણાવ્યું હતું.

July 26, 2020
isis.jpg
1min5500

આતંકવાદ પર સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલમાં ચેતવણી આપવામાં આવી હતી કે કેરળ અને કર્ણાટકમાં આઈએસ આઈએસ આતંકવાદીઓની ‘ઘણી સંખ્યા’ હોઈ શકે છે અને એ બાબતે પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું કે ભારતીય ઉપમહાદ્વીપમાં અલ-કાયદા આતંકવાદી સંગઠન હુમલાનું કાવતરું રચી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આ આતંકવાદી જૂથમાં ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ અને મ્યાંમારના 150થી 200 આતંકવાદી છે.

આઈએસઆઈએસ, અલ-કાયદા અને સંબદ્ધ વ્યક્તિઓ તથા સંસ્થાઓથી સંબંધિત વિશ્લેષણાત્મક સહાયતા અને પ્રતિબંધ નિરીક્ષણ દળના 26મા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતીય ઉપમહાદ્વીપમાં અલ-કાયદા (એક્યૂઆઈએસ) તાલિબાન હેઠળ અફઘાનિસ્તાનના નિમરુઝ, હેલમંદ અને કંધાર પ્રાન્તમાં કામ કરે છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સમાચારો અનુસાર સંગઠનમાં બાંગલાદેશ, ભારત, મ્યાંમાર અને પાકિસ્તાનના 150થી 200 વચ્ચે સભ્ય છે. એક્યૂઆઈએસનો વર્તમાન વડો ઓસામા મહેમૂદ છે જેણે માર્યા ગયેલા આસીમ ઉમરની જગ્યા લીધી છે. એવા પણ અહેવાલો છે કે સંગઠન પોતાના પૂર્વ આકાના મોતનો બદલો લેવા માટે ક્ષેત્રમાં જવાબી કાર્યવાહીનું ષડયંત્ર રચી રહ્યું છે.

July 25, 2020
ats_gujarat.png
1min6140

તાપી જિલ્લાના વ્યારા ખાતેથી ગુજરાત ATS(એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડ)ની ટીમે વોન્ટેડ ત્રણ નક્સલીઓની ધરપકડ કરી છે. તેમની સામે આરોપ છે કે તેઓ આદિવાસી વિસ્તારમાં પથ્થરલગડી વિચારધારાનો પ્રચાર કરી હિંસક વાતાવરણ ઊભું કરી સરકાર ઉથલાવવા હિંસક ઉપાયો કરવાનું કાવતરું રચ્યું હતું.

આ અંગે ATS દ્વારા આપેલી માહિતી મુજબ ગુપ્ત ઈનપુટના આધારે નક્સલી સામુ ઓરેયા, બિરસા ઓરિયા, બબીતા કછપની તેમના વ્યારા ખાતેના ઘરેથી ધરપકડ કરવામાં આવી. જેઓ મુળ ઝારખંડના રહેવાસી છે હાલ વ્યારામાં રહેતા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી પ્રતિબંધિત સંગઠન કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાને લગતી પત્રિકા અને અને મુદ્રિત સામગ્રી મળી આવી હતી. આ ઉપરાંત તેમના મોબાઈલ અને લેપટોપમાં પણ આ પ્રકારની સામગ્રી મળી આવી હતી.

બિસરા ઓરેયા અને સામુ ઓરેયા સહિતના આરોપીઓ દ્વારા ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં સ્થાનિક સતીપતી સંપ્રદાયના અનુયાયીઓમાં પથ્થરલગડી વિચારધારાનો પ્રચાર કરવા માટે નાણાં એકત્રિત કર્યા હતા. તેઓ સ્થાનિકોને હાલની સરકાર સામે તિરસ્કાર ઉત્પન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પથ્થરલગડી આંદોલનની પદ્ધતિદ્વારા સ્થાનિક આદિવાસીઓમાં સરકાર વિરોધી હિંસક બળવાનું વાતાવરણ ઊભું કરી સરકારને ઉથલાવવા માટેનું કાવતરું ઘડી રહ્યા હતા. આ ત્રણેય આરોપીની ધરપકડ કરી તેમની સામે ભારતીય દંડ સહિતાની કલમ 121 A, 124 A, 153 A, અને 120 B મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

પથ્થલગડી ચળવળ ઝારખંડના ખૂંટી જિલ્લાના ઘણા ગામોમાં વર્ષ 2016ના અંતમાં ખૂબ કાર્યરત બની હતી. ઐતિહાસિક રીતે ‘પથ્થલગડી’ શબ્દ કોઈ મૃત વ્યક્તિની સમાધિ પર પથ્થર મૂકવાના આદિવાસી રીવાજમાંથી આવ્યો છે. આ પ્રથાને ધ્યાનમાં રાખીને ઝારખંડમાં આદિવાસી સમુદાયો મોટા પથ્થરો પર સંદેશા પ્રદર્શિત કરે છે. જેને સ્થાનિક રીતે પથ્થલગડી તરીકે ઓળખવામાં આવે છે. જો, કે, તેઓ તેમના ઉદ્દેશો માટે હિંસક અને ગેરકાયદેસર રીતે આ પ્રથાનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે ઝારખંડમાં હિંસાની વિવિધ ઘટનાઓ બની ચૂકી છે.

July 10, 2020
vikas_Dubeyancounter.jpg
1min5030

કાનપુરમાં આઠ પોલીસકર્મીઓની હત્ય કરનારા વિકાસ દુબને શુક્રવારે સવાલે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો છે. વિકાસ દુબેન ઉજ્જૈનથી કાનપુર લઈ જઈ રહેલી યુપી એસટીએફના કાફલાની ગાડી આજે સવારે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. 

દુર્ઘટના પછી વિકાસ પોલીસકર્મીઓની પિસ્તોલ છીવનીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જવાબી ફાયરિંગમાં વિકાસ ઈજાગ્રસ્ત થયો હતો અને તેને હોસ્પિટલમાં લઈ જવાનો આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમમાં ત્રણ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

ગુરુવારે સવારે જ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાંથી પોલીસ વિકાસની ધરપકડ કરી હતી. વિકાસ સાત દિવસથી ફરાર હતો. ત્યાબાદ મધ્ય પ્રદેશની પોલીસે વિકાસ દુબેને ઉજ્જૈનની કોર્ટમાં રજૂ કરીને સાંજે યુપી એસટીએફને સોંપી દીધો હતો. 

July 9, 2020
vikas_Dubey.jpg
1min12350

મધ્ય પ્રદેશ પોલીસની ટીમે કાનપુરના 8 પોલીસમેનોની હત્યાકાંડના મુખ્ય આરોપી વિકાસ દુબેની ઉજ્જૈન મહાકાલી મંદિરમાંથી 8મી જુલાઇની મધરાતે ધરપકડ કરી લીધી છે. વિકાસ દુબે પર 8 પોલીસકર્મીઓનો હત્યાનો આરોપ છે. પોલીસે તેના પાંચ સાથીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે જ્યારે અન્ય કેટલાકની ધરપકડ કરી છે. 

અગાઉ વિકાસ દુબેના બે સાથી પ્રભાત મિશ્રા અને બદઆ દુબેને પોલીસે ઠાર માર્યા હતો. પોલીસે જણાવ્યું છે કે, કાનપુર ટીમ ફરીદાબાદમાંથી વિકાસ પ્રભાત મિશ્રાની ધરપકડ કરી હતી. કાનપુરત લાવતી વખતે તેણે પોલીસની પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો તે દરમિયાન તેણે પોલીસ પર ફાયરિંગ પણ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં પ્રભાને ગોળી વાગી ગઈ હતી, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યાંજ વિકાસન દુબેનો બીજો સાથી બદઆ દુબેને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. આ જાણકારી ઈટાવા એસએસપી આકાશ તોમરે આપી છે.