CIA ALERT

બિઝનેસ Archives - Page 42 of 87 - CIA Live

August 9, 2020
sandip_2.jpg
2min6490

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકમાં વાઇસ ચેરમેન સંદીપ દેસાઇ ડિસ્ટ્રીક્ટ બેંકની સિસ્ટમનો ઉપયોગ કરીને પોલિટીકલ પાર્ટી ભાજપાના કામો કરી રહ્યા છે. હજુ બે દિવસ પહેલા જ ખુદ સંદીપ દેસાઇએ ફેસબુક પર મૂકેલી પોસ્ટમાં તેમણે લખ્યું છે કે ભાજપાની ઓનલાઇન મિટીંગ એટેન્ડ કરી હતી. આ પોસ્ટના ફોટામાં સંદીપ દેસાઇ જે આલીશાન કેબિનમાં બેઠા છે એ સુરત જિલ્લાના ખાતેદારોના રૂપિયામાંથી બનેલી ડિસ્ટ્રીક્ટ બેંકની માલિકીની છે. નૈતિકતાની વાતો કરીને સહકારી ક્ષેત્રની સંસ્થાઓમાં ઘૂસી રહેલા સંદીપ દેસાઇ ની બેંકમાં બેસીને પોલિટીક્સ કરવાની પ્રવૃતિ સામે ડિસ્ટ્રીક્ટ બેંકના ખાતેદારો દ્વારા રિઝર્વ બેંકમાં ફરીયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

સુરત ડિસ્ટ્રીક્ટ બેંકમાં વાઇસ ચેરમેન તરીકે મળેલી ચેમ્બરમાં બેસીને બેંકના જ કમ્પ્યુટર પર ભાજપાની ઓનલાઇન મિટીંગ એટેન્ડ કરી

પ્રસિદ્ધીના ભૂખ્યા સંદીપ દેસાઇને એટલું ભાન ન રહ્યું કે તેમણે ફેસબુક પર જે ફોટાઓ અપલોડ કર્યા એ જ તેમની સામે પુરાવા બન્યા છે. ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકના વાઇસ ચેરમેન તરીકે આલીશાન ઓફીસમાં બેસીને બેંકના કમ્પ્યુટર, ઇન્ટરનેટ વગેરેનો ઉપયોગ કરીને તેઓ ભાજપાની મિટીંગ એટેન્ડ કરતા પોતાના જ ફોટા ફેસબુક પર અપલોડ કર્યા છે.

સુરત ડિસ્ટ્રીક્ટ બેંકમાં વાઇસ ચેરમેન પદે મળતી સત્તાઓનો બેફામ ઉપયોગ

સુરત ડિસ્ટ્રીક્ટ બેંક નાના ખાતેદારોથી ચાલતી બેંક છે. બેંકમાં ભાજપાના નેતાઓના આધારે ઘૂસી ગયેલા સંદીપ દેસાઇ હવે બેંકની મશીનરીનો ઉપયોગ બેફામ રીતે કરી રહ્યા છે. ડિસ્ટ્રીક્ટ બેંકના ખાતેદારોએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાની અમદાવાદ અને દિલ્હી કચેરીને કરવામાં આવી રહેલી ફરીયાદમાં આ બાબતનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે સંદીપ દેસાઇ સુરત જિલ્લા ભાજપાના મહામંત્રી છે અને તેઓ બેંકની મશીનરી, બેંકમાં તેમને વાઇસ ચેરમેન પદે મળતી સત્તાઓ વગેરેનો ઉપયોગ કરીને રાજકીય કામો બેરોકટોક કરી રહ્યા છે. બેંકના ચેરમેન નરેશ પટેલ તેમજ અન્ય ડિરેક્ટરો પણ તેમની આ પ્રવૃતિથી વાજ આવી ગયા છે છતાં તેમની સામે કોઇ પગલાં ભરતા નથી.

પોતાની આ પોસ્ટ કદાચ સંદીપ દેસાઇ ડિલીટ કરી દે તો નવાઇ નહીં

https://www.facebook.com/photo?fbid=3198262370294614&set=pcb.3198262450294606

August 8, 2020
IndustrialPolicy-2-8-19.jpg
1min5470

ગુજરાતનું મુખ્યમંત્રી તરીકે સૂકાન સંભાળ્યાના પાચમા વર્ષમાં પ્રવેશ નિમિત્તે શુક્રવારે વિજય રૂપાણીએ ‘આત્મનિર્ભર ગુજરાત’ને કેન્દ્ર સ્થાને રાખતી નવી ઔદ્યોગિક નીતિ ૨૦૨૦ની જાહેરાત કરી હતી. કોરોનાની વર્તમાન પરિસ્થિતિને દરકિનારે કરી રાજ્યના સર્વાંગી ઔદ્યોગિક વિકાસને આગળ વધારવા, નવી રોજગારીની તકોના સર્જનને લક્ષ્યમાં રાખી આધુનિક ગુજરાત થકી આધુનિક ભારતના નિર્માણનું વિઝન સાકાર થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ આ તકે વ્યક્ત કર્યો છે.

‘વન નેશન, વન ટેક્સ’ એટલે કે વેટ રિજીમ લાગુ થયા પછી જાહેર થયેલી વિલંબિત ઔદ્યોગિક નીતિમાં રાજ્ય સરકારે તમામ રોકડ લાભોને બંધ કરી દીધા છે અને એની સામે હવે એસજીએસટીના સાપેક્ષમાં લાભ આપવાનો મોર્ડન વિકલ્પ રજૂ કર્યો છે. આવું પગલું ભરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે તેમ કહી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ તેમજ અન્ય વરિષ્ઠ સનદી અધિકારીઓની ઉપસ્થિતિમાં પત્રકારોને માહિતી આપતા રૂપાણીએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં કોઇપણ કદનું એકમ સ્થાપનારને એના કેપિટલ ખર્ચના ૧૨ ટકાની મર્યાદામાં રોકડ વળતર ચૂકવાશે. આ સિવાયના એસજીએસટીના સાપેક્ષમાં અપાતા વળતરો ડિ લિન્ક કરી દેવાયા છે. આ લાભ રૂ.૪૦ કરોડની ટોચ મર્યાદામાં મહત્તમ ૧૦ વર્ષ સુધી ચુકવાશે. આમાં કોઇપણ ઔદ્યોગિક એકમને લાભ મળશે એ મેગા એકમ, મધ્ય કે સુક્ષ્મ હશે દરેકને એના કેપિટલ ખર્ચના લેખે લાભ મળશે. આ જ રીતે નવા ઉદ્યોગોને ઇલેક્ટ્રિસિટી ડ્યુટીની માફીને પાંચ વર્ષ સુધી લાભ મળશે.’

વિવિધ નવ ટાસ્ક ફોર્સની રચના કરી વિવિધ ક્ષેત્રના લોકો પાસેથી સૂચનો મેળવીને તૈયાર કરાયેલી આ નવી નીતિમાં નવી રોજગારીની તકો, વિવિધ ક્ષેત્રમાં વેલ્યુ એડિશન, આધુનિક ટેકનોલોજી અપનાવી ૪.૦ ઔદ્યોગિક ઉત્પાદક્તામાં વધારો, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર ભાર મુકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવા પર ભાર મુક્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યનો વિકાસ હાલની સ્થિતિ મુજબ યથાવત્ રહે તો નવી ઔદ્યોગિક નીતિમાં સરેરાશ રૂ.૮૦૦૦ કરોડનો આઉટ લે એટલે કે ખર્ચ થવાનો અંદાજ છે.

વૈશ્વિક રોકાણોના વલણો, સર્વાંગી મુલ્યવૃદ્ધિત ચેઇન્સને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત, નિકાસ, કેન્દ્ર સરકારની નીતિઓને ધ્યાને રાખી વિવિધ પંદર ક્ષેત્રને થ્રસ્ટ એરિયા તરીકે પસંદ કર્યા છે, તેમ કહી રૂપાણીએ ઉમેર્યું કે, આ પંદર થ્રસ્ટ એરિયાને કોર સેક્ટર અને સનરાઇઝ સેક્ટર્સ તરીકે બે ભાગમાં વિભાજિત કર્યા છે.

ગુજરાત મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું હબ છે એટલે એમાં આવતા ઇલેક્ટ્રિકલ અને ઇન્ડસ્ટ્રિયલ મશીનરી, ઓટોમોટિવ, એગ્રો પ્રોસેસિંગ, સિરામિક, ફાર્માસ્યુટિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, નિયત વિસ્તારમાં કેમિકલ્સ વગેરે ક્ષેત્રોને કોર  સેક્ટરમાં સમાવેશ કરાયો છે જ્યારે ટેકનોલોજીકલ પ્રગતિમાં નોંધપાત્ર ફાળો આપી શકે અને સાતત્યપૂર્ણ આર્થિક વિકાસમાં યોગદાન આપી શકે તેવા ક્ષેત્રોમાં ઇલેક્ટ્રિક વાહનો, વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ, ઇકો ફ્રેન્ડલી કોમ્પોસ્ટેબલ મટિરિયલ્સ, ઇન્ડસ્ટ્રી ૪.૦ ઇક્વિપમેન્ટ્સ, સોલાર, વિન્ડ ઇક્વિપમેન્ટ અને નિકાસ આધારિત એકમોને સનરાઇઝ સેક્ટરમાં સમાવિષ્ટ કર્યા છે. આ થ્રસ્ટ સેક્ટર્સને ઔદ્યોગિક નીતિના એક હિસ્સા તરીકે ઇન્ક્રિમેન્ટલ ઇન્સેન્ટીવ આપવામાં આવશે.

નવા એકમોને સરકારી જમીન નિયત સ્થળે ઉપલબ્ધતાના આધારે ફાળવશે. આ જમીન પચાસ વર્ષ માટે લીઝ ઉપર અપાશે અને એનું બજાર કિંમતના ૬ ટકા લેખે ઉદ્યોગકારે ભાડું ચુકવવાનું રહેશે. સરકાર આવા એકમોને બેંકમાંથી લોન લેવા માટે પણ મદદ કરશે, તેમ કહી મુખ્યમંત્રીએ કહ્યું કે, આ નીતિમાં લઘુ, મધ્ય અને સુક્ષ્મ, નાના એકમોને પણ વિશેષ લાભ થાય એમનો પણ પ્રોત્સાહન મળે એની કાળજી રાખવામાં આવી છે. આવા એકમોને ઇન્ટરેસ્ટ સબસિડી પણ ચૂકવાશે. એમને પેટન્ટ આધારિત ટેકનોલોજી મેળવવા માટે પહેલી વખત સરકાર આ નીતિ હેઠળ આર્થિક સહાય ચૂકવશે.

August 5, 2020
Gym_final_0.jpg
1min7200

કેન્દ્ર સરકારે કોરોના વાઇરસની મહામારી વચ્ચે ‘અનલોક-૩’ના ભાગરૂપે બુધવારથી દેશભરમાં યોગ ઇન્સ્ટિટ્યૂટ્સ તથા જિમ્નેશ્યમોને ફરી ખોલવાની છૂટ આપી છે તો એની સાથે નવી માર્ગદર્શિકાઓ પણ બહાર પાડવામાં આવી છે.

આ ગાઇડલાઇન્સમાં યોગ કેન્દ્રો તથા જિમમાં સ્ટાફ અને મુલાકાતીઓ વચ્ચેનો શારીરિક સંપર્ક બને એટલો ઓછો રાખવાની સૂચના અપાઈ છે, કારણકે કોવિડ-૧૯ની જીવલેણ બીમારી માણસ-માણસ વચ્ચેના નજીકના સંપર્કથી, કફ-શરદીને લીધે હવામાં ફેલાતા સૂક્ષ્મ ટીપાં અને બિંદુથી તેમ જ કોઈ સપાટી પરના સ્પર્શથી થતી હોય છે.

જોકે, ક્ધટેઇનમેન્ટ ઝોનમાંના યોગ કેન્દ્રો અને જિમ બંધ રહેશે. માત્ર ક્ધટેઇનમેન્ટ ઝોનની બહારના જ આ કેન્દ્રો ખોલવાની છૂટ અપાઈ રહી છે. સ્પા, સૉના, સ્ટીમ બાથ અને સ્વિમિંગ પૂલને તથા અન્ય સુવિધાઓને હજી પણ ફરી ખોલવાની મંજૂરી નથી અપાઈ.

* ૬૫ વર્ષથી મોટી વયની તથા અન્ય કોઈ મોટી બીમારી ધરાવતી વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ તથા ૧૦ વર્ષથી ઓછી વયના બાળકોને બંધબારણે ચાલુ રખાતા જિમથી દૂર રહેવાની સલાહ અપાઈ છે.

* તમામ પ્રકારની ઇમારતોમાં હરહંમેશ ફેસ કવર અથવા માસ્ક ફરજિયાત રહેશે. જોકે, કસરત દરમિયાન માસ્કથી શ્ર્વાસ લેવામાં તકલીફ થવાથી માત્ર વાઇઝરનો ઉપયોગ કરી શકાશે.

* કોવિડ-૧૯ ટ્રૅકર ઍપ ‘આરોગ્ય સેતુ’નો ઉપયોગ કરવાની સૂચના અપાઈ છે.

* યોગ કે જિમની ફરસ વ્યક્તિદીઠ ચાર મીટરની હોવી જોઈએ. સાધનોને એકમેકથી છ ફૂટના અંતરે રાખવા અને શક્ય હોય ત્યાં એ બહાર જ રાખવા.

* ઇમારતમાં પ્રવેશવા તથા બહાર જવા માટે ખાસ માર્ગ બનાવવો અને દીવાલ પર યોગ્ય સૂચના લખવી.

* ઍર-કન્ડિશનિંગ અને વેન્ટિલેશન માટે તાપમાનનું સેટિંગ ૨૪-૩૦ ડિગ્રી સેલ્સિયસનું હોવું જોઈએ અને શક્ય એટલી તાજી હવા માટેની જોગવાઈ હોવી જોઈએ.

* બે સેશન વચ્ચે ૧૫થી ૩૦ મિનિટનો બ્રેક હોવો જોઈએ કે જેથી ઇમારતમાં આવતા તથા જતા મેમ્બરોમાં કોઈ ભીડ ન જામે.

* ફિટનેસ ક્લાસમાં જૂથ દીઠ વ્યક્તિઓની સંખ્યા રૂમના કદ તથા પ્રવૃત્તિના પ્રકારને આધારે મર્યાદિત હોવી જોઈએ.

* ઇમારતના પ્રવેશદ્વાર પર સૅનિટાઇઝર છાંટતા મશીન તથા થર્મલ સ્ક્રીનિંગના સાધનો હોવા જોઈએ. માત્ર સ્ટાફ સહિતના અસિમ્પ્ટોમૅટિક લોકોને જ પ્રવેશવા દેવા જોઈએ.

* જો કોઈ વ્યક્તિને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાની શંકા જાગે તો એ વ્યક્તિને અલગ રૂમમાં રાખવી. એ રૂમ અન્યોથી અલગ હોય એવી આઇસોલેટેડ હોવી જોઈએ. સ્ટાફે તરત જ સૌથી નજીકની તબીબી સુવિધાના કેન્દ્રને કે રાજ્ય અથવા જિલ્લાની હેલ્પલાઇન ખાતે સંપર્ક કરવો.

August 4, 2020
sandip_desai-1.jpg
3min22160

આદીવાસીઓ – પશુપાલકોના હક હડપનારા સામે સરકારી તંત્રો આંખ મીચી જાય પણ કુદરત થોડી છોડશે

સુમુલ ડેરીના કરોડો રૂપિયાના વહીવટમાં અનેક ગેરરીતિઓ જેના શાસન કાળમાં થઇ છે, જેના શાસન કાળમાં સુમુલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર જેવી જગ્યાએ બોગસ ડિગ્રી ધારકને બેસાડી દેવાયા છે એ ફુલટાઇમ પોલિટીક્સ કરતા રાજુ ઉર્ફે રાજેશ કાંતિલાલ પાઠકના સભ્યપદ સામે જ ફરીયાદો ઉઠી છે. સ્થાનિક સ્તરે સિટી પ્રાંત, સુરત જિલ્લા કલેક્ટરેટ દ્વારા સભ્યપદ રદ કરવા સામેની અરજી પર ડિપ્લોમેટીક જવાબ અપાયા બાદ હવે રાજુ પાઠક સામેની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે.

પેટ્રોલ પંપ, સીએનજી જેવા ધંધા તેમજ રાજનીતિમાં રચ્યા પચ્યા રહેતા રાજુ પાઠક અને રાજનીતિમાં ગળાડુબ સંદીપ દેસાઇ સુમુલ ડેરીમાં ઘૂસવા માટે કાગજકીય પુરાવાઓ ઉભા કરીને સુમુલ ડેરીના ચોપડે પશુપાલક બની ગયા હોવાની ફરીયાદ છેક હાઇકોર્ટ સુધી કરવામાં આવી છે. હકીકતમાં આદીવાસીઓ અને પશુપાલકોના હિતમાં બનેલી સંસ્થામાં વીઆઇપીઓ જ પાછલે બારણે, કાયદાની છટકબારીઓનો લાભ લઇને પશુપાલકો બની ગયા છે અને સુમુલ ડેરીનો અબજો રૂપિયાનો કારોબાર મનસ્વી રીતે કરવા માટે ચૂંટણીમાં પેંતરાબાજી રમી રહ્યા હોવાની ફરીયાદો ઉઠી છે.

રાજુ પાઠક અને સંદીપ દેસાઇ ભાજપના હાઇકમાન્ડના ઇશારે સુમુલ ડેરીમાં આદીવાસીઓ અને પશુપાલકોના હક છીનવીને સુમુલ ડેરીના વહીવટ હસ્તગત કરવા હાલ યોજાઇ રહેલી ચૂંટણીમાં પેંતરાબાજી કરી રહ્યા હોવાનું પ્રતીત થઇ રહ્યું છે.

આદીવાસીઓ અને ગૌપાલકોના હક છીનવીને સુમુલ ડેરીનો વહીવટ હસ્તગત કરવાની આ પ્રવૃતિ સામે હવે સુમુલડેરીના મતદાતાઓમાં પણ અવેરનેસ આવી છે. સુમુલ ડેરીનો વહીવટ હસ્તગત કરવામાં નૈતિકતા કેટલી હદે નેવે મૂકી દેવામાં આવી છે અને મૂળ પશુપાલકો અને આદીવાસીઓના હિત માટે જેની રચના કરવામાં આવી છે એવી સંસ્થાની સત્તા હાંસલ કરવામાં કેવા કાવાદાવાઓ થયા છે એ જ્યારે સાંભળીએ ત્યારે એવું માની લઇએ કે નથીંગ ઇઝ ઇમ્પોસીબલ.

મહુવાના મીયાપુર ચોકડી ખાતે મહુવા આદીવાસી સંગઠન દ્વારા રાજુ પાઠક વિરુદ્ધ દેખાવો

સુમુલડેરીમાં કરોડો રૂપિયાના ગેરવહીવટ માટે જેને જવાબદાર માનવામાં આવે છે એ રાજુ પાઠકે નૈતિકતા નેવે મૂકીને દૂધમંડળીનું સભ્યપદ લીધું હોવાની ફરીયાદ ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. આ અંગે સ્થાનિક ચૂંટણી અધિકારી સિટી પ્રાંતે ભલે ડિપ્લોમેટીક જવાબ આપીને તેમને બચાવી લીધા હોય પરંતુ, હાઇકોર્ટમાં આ મુદ્દો પડકારવામાં આવ્યો છે.

રાજુ પાઠકના સભ્યપદની ધાંધલીમાં આ આરોપો છે

  • રાજુ પાઠકનું રહેઠાણ સુરત શહેરના વેસુમાં છે
  • મોસાલીમાં તેમનું રહેઠાણ નથી
  • મોસાલીમાંથી બનેલી સુમુલ ડેરીની મતદાર યાદીમાં નામ છે
  • એ મોસાલીના વતની નથી અને મોસાલીમાં તેમનો ભેંસનો તબેલો
  • માંગરોળની શાહ ગામની મંડળીમાંથી તેઓ 2006ની ચૂંટણી લડેલા અને ત્યાંથી જ પ્રતિનિધિ બન્યા હતા
  • શાહ મંડળીમાં આજની તારીખે તેમનું નામ બોલે છે

જ્યાંથી રાજુ પાઠકે સુમુલ ડેરીની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે એ મોસાલીનું સર્ટિફીકેટ શું કહે છે વાંચો અહીં

રાજુ પાઠક જ્યાંથી સુમુલ ડેરીના ચેરમેન બનવા માટે ચૂંટણી લડી રહ્યા છે એ માંગરોલ તાલુકાના મોસાલી ગામના તલાટી કમ મંત્રી એ સર્ટિફાય કરી આપ્યું છે કે ગ્રામ પંચાયતના દફતરે તેમના નામે ગાય, ભેંસનો તબેલો આવ્યો નથી. આ અંગેનો દાખલો પણ લખી આપવામાં આવ્યો છે.

સંગીન મુદ્દો એ છે કે શાહ મંડળીમાં તેમનું નામ ઠામ બોલે છે, ત્યાં દુધ ક્યારેય ભર્યું નથી અને હવે મોસાલીમાંથી તેમનું નામ રજૂ થયું છે

હકીકતમાં સુમુલ ડેરીના હાલના ચેરમેન અને રાજુ પાઠક શાહ મંડળીના સભ્ય છે, શાહ મંડળીના પ્રમુખ ઉમેશ મગન વસાવાએ ઉપરોક્ત સર્ટિફિકેટ આપીને તમામ હકીકતો સ્પષ્ટ કરી દીધી છે.

રાજુ પાઠકે જ્યાંથી ઉમેદવારી નોંધાવી છે એ મોસાલીના સરપંચ શું કહે છે જુઓ

માંગરોળ તાલુકાના મોસાલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ જણાવ્યું છે કે રાજેશ કાંતિલાલ પાઠકનું નામ મોસાલી ગ્રામ પંચાયતમાં નોંધાયેલું નથી

માંગરોળ ગ્રામ પંચાયતે સર્ટિફાય કર્યું છે કે રાજેશ કાંતિલાલ પાઠકનું નામ ત્યાંની મતદાર યાદીમાં સામેલ છે

માંગરોળ વિધાનસભાની મતદાર યાદીમાં રાજુ પાઠકનું નામ સામેલ છે

સંદીપ દેસાઇની ફેસબુક વોલ પરથી લેવાયેલી આ તસ્વીર. આવી તસ્વીરોથી ભરેલી છે તેમની ફેસબુક મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખથી લઇને વડાપ્રધાન સુધીની હસ્તીઓ સાથે ફોટા પડાવીને તેઓ એની ઇમેજ એન્કેશ કરી રહ્યાના આક્ષેપો ભાજપામાં થઇ રહ્યા છે

સંદીપ દેસાઇ સુમુલડેરીના ચોપડે પશુપાલક બની ગયા છે અને ચોર્યાસીની બેઠક પરથી ઉમેદવારી પણ નોંધાવી દીધી છે

સુરત જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે સંદીપ દેસાઇ ફુલટાઇમ રાજનીતિ કરી રહ્યા છે, એક સમયે સુરેશદાદા, માનસિંહ પટેલ વગેરેના ખાસમખાસ બનીને ફરતા સંદીપ દેસાઇ હવે સી.આર. પાટીલના બંગલે અને ઓફિસે જોવા મળી રહ્યા છે. સંદીપ દેસાઇ માટે કહેવાય છે કે ઉઠે ત્યારથી જ રાજનીતિમાં હોય છે, બાકીના સમયમાં ડિસ્ટ્રીક્ટ બેંક, એપીએમસી વગેરેના ખણખોદ કરતા હોય છે એ પછી પણ તેમની પાસે ટાઇમ હોય છે દૂધમંડળીમાં દૂધ ભરવાનો અને તેના આધારે તેઓ પોતાને પશુપાલક કહેવડાવે છે અને તેના આધારે ચોર્યાસીની સુમુલની સીટ પરથી હવે ઉમેદવારી પણ કરી લીધી છે. બીજાના નામે પોતાના ખાતે દૂધ ભરાવવાની પ્રવૃતિ હવે છાપરે ચઢીને પોકારી રહી છે.

દેખીતી રીતે જેણે એક લિટર દૂધ સુમુલમાં ભર્યું નથી, બીજાનું દૂધ પોતાના ખાતે ભરાવાની પેરવી કરનાર રાજુ પાઠક અને સંદીપ દેસાઇ સામે ભારે રોષ

સુમુલ ડેરીના વહીવટને હસ્તગત કરવા માટે નૈતિકતાના તમામ ધોરણો નેવે મૂકનાર સંદીપ દેસાઇ અને રાજુ પાઠક માટે કહેવાય છે કે દેખીતી રીતે પોતે સ્વયં એક લિટર દૂધ સુમુલ ડેરીમાં ભર્યું નથી, પણ બીજાનું દૂધ પોતાના ખાતે સુમુલમાં ભરાય તેની ખાસ તકેદારી રાખી કે જેથી સુમુલ દફતરે સક્રિય પશુપાલક હોવાનું દર્શાવી શકાય. હકીકત તો તેમની પાસે ગાય-ભેંસ કે દૂધાળા પશુઓના તબેલાનો ધંધો કરી રહ્યા આમ છતાં, દંભ કરીને કાગળ પર પશુપાલક બની બેઠા છે. ચૂંટણી અધિકારીએ પણ સત્તા સામે આંખો મીચી દીધી છે પણ સુમુલ ડેરીના મતદારો કહી રહ્યા છે બધેથી છટકી શકશે પણ કુદરત તેમને નહીં છોડે.

August 3, 2020
sumul_dairy.jpg
1min10880

સુમુલ ડેરીની ચૂંટણીનું ડર્ટી પોલિટીક્સ, સરકારના બબ્બે મંત્રીઓ ભાજપામાં જ લાચાર

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

અઠંગ રાજકારણીઓને પણ શરમાવે તેવી ચાલબાજી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી દૂધ ડેરી, સુમુલ ડેરીની આગામી તા.7મી ઓગસ્ટે યોજનારી ચૂંટણીને અનુલક્ષીને રમાઇ રહી છે. ભાજપના જ બે જૂથો વચ્ચેની આ લડાઈમાં પોલિટીક્સ રમવામાં વર્તમાન ચેરમેન રાજુ પાઠક એન્ડ કંપનીએ ભાજપના હાઇકમાન્ડના જોરે એવો દાવ રમ્યો છે કે તેમની સામે સહકાર પેનલના કેપ્ટન માનસિહ પટેલ જ મહુવા બેઠક પરથી ચૂંટણી જ ન જીતી ન શકે તેવી સ્થિતિ સર્જાવા તરફ છે.

ભાજપમાં બબ્બે મંત્રીઓ ગણપતસિંહ વસાવા અને ઇશ્વર પરમારની અવગણના

વિશ્વસનીય સૂત્રોએ આપેલી માહિતી મુજબ સુમુલ ડેરીમાં વિતેલા વર્ષોમાં થયેલો કરોડો રૂપિયાના ગેરવહીવટ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને મુખ્યમંત્રી વિજય રુપાણી સુધી રાજુ પાઠક સામે ફરીયાદો થઇ છે, આમ છતાં ભાજપ હાઇકમાન્ડનું એક જૂથ સુમુલ ડેરીની ચૂંટણીમાં રાજુ પાઠક અને સંદીપ દેસાઇ માટે સોફ્ટ કોર્નર ધરાવે છે અને એટલે જ સુમુલની ચૂંટણીમાં માનસિંહ પટેલની સહકાર પેનલની પડખે હોવા છતાં રાજ્ય સરકારના બબ્બે મંત્રીઓ ગણપતસિંહ વસાવા અને ઇશ્વર પરમારની હળાહળ અવમાનના થઇ રહી છે. સી.આર. પાટીલ બીજેપી પ્રેસિડેન્ટ બનવા પહેલા જીતુ વાઘાણીએ રાજુ પાઠક એન્ડ કંપનીની બ્રીફ પકડી હતી. પરંતુ, એ પછી તેઓ પ્રદેશ પ્રમુખ જ ન રહ્યા.

સમાધાન ફોર્મ્યુલાની પાછળ અદ્દલ રાજનીતિ

સુમુલની ચૂંટણી ભાજપના ઘરમાં ભડકો કરે એવી દહેશતને પગલે ભાજપ હાઇકમાન્ડે સમાધાનની ફોર્મ્યુલા ઘડી કાઢી હતી. રાજુ પાઠક જૂથ સમાધાન માટે પહેલેથી જ તત્પર છે, પણ માનસિંહ પટેલ જૂથ એના માટે બિલકુલ રાજી નથી.

  • સમાધાનમાં એવું નક્કી થયું કે સુમુલ ડેરીના ચેરમેન આદીવાસી સમૂહમાંથી જ હોય
  • સુમુલ ડેરીના ચેરમેન માનસિહ પટેલ બને
  • સુમુલડેરીના વાઇસ ચેરમેન રાજુ પાઠક બને
  • સુરત જિલ્લામાં આવતી બેઠકો પર સમાધાન થાય (મહુવા સિવાય)
  • સુરત જિલ્લા બહાર, વ્યારામાં આવતી બેઠકો પર કોંગ્રેસ પ્રેરીત કે અપક્ષો સામે લડી લેવાનો વ્યૂહ

હવે ઉપરોક્ત મુદ્દાઓમાં એક સંગીન રાજનીતિ સુરત જિલ્લામાં આવતી મહુવા બેઠક પર છે જ્યાં માનસિંહ પટેલ કે જેઓ સહકાર પેનલના કેપ્ટન છે, તેમની સામે બબ્બે અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. ભાજપમાં અંદારો અંદર થનારા સમાધાનમાં આ બેઠક પર તો માનસિંહે ચૂંટણી લડવાની થાય છે.

મહુવા બેઠક પર સુમુલ સહકાર પેનલના પ્રણેતા માનસિંહ પટેલ સામે અપક્ષ ઉમેદવાર જીગર નાયક (સિમ્બોલ ચા-કીટલી) અને અન્ય અપક્ષ ઉમેદવાર દિનેેશ પટેલ (સિમ્બોલ બેટ) સામે ત્રિપાંખીયો જંગ ખેલે અને અહીં ભાજપમાં માનસિંહ વિરોધીઓએ ગેમ બિછાવી છે કે માનસિંહને જ હરાવી દેવામાં આવે, જેથી તેઓ ચેરમેન પદના દાવેદાર જ ન રહે અને રાજુ પાઠક માટે ફરી ચેરમેન બનવાનો માર્ગ મોકળો થઇ જાય.

સૌથી સંગીન મામલો ફેક ડિગ્રી અંગેનો

સુમુલ ડેરીમાં રાજુ પાઠકના શાસન કાળ દરમિયાન થયેલી કરોડો રૂપિયાની ગેરરીતીઓની વિગતો જે વડાપ્રધાનથી લઇને ગૃહમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવી છે તેમાં એક મુદ્દો એક ઉચ્ચાધિકારીની ડિગ્રી ફેક હોવા અંગેનો પણ છે. કહેવાય છે કે આ ઉચ્ચાધિકારીએ રજૂ કરેલી ડિગ્રી બી.ટેક.ની છે અને એ પણ પાર્ટ ટાઇમ. મુદ્દો એ છેકે ભારતમાં એવા કોઈપણ કોર્સ પાર્ટ ટાઇમ ન થઇ શકે કે જેમાં પ્રેક્ટીકલ્સ અને લેબોરેટરીની જરૂર હોય. બી.ટેક. ટેકનિકલ કોર્સ છે અને એ પાર્ટ ટાઇમ ન થઇ શકે, આમ છતાં આ પ્રકારની ડિગ્રી રજૂ કરવામાં આવી છે. ઘણાં સભ્યોની માગણી છે કે આની તલસ્પર્શી તપાસ થાય અને સત્ય જે હોય તે ઉજાગર કરવામાં આવે.

સંદીપ દેસાઇ ભાજપ મહામંત્રી, સુ.ડી.બેંક, એ.પી.એમ.સી. અને હવે સુમુલમાં ઘૂસી ગયા

સુમુલ ડેરીની ચૂંટણીમાં સુરત જિલ્લા ભાજપનું નામ વટાવી ખાવામાં માહીર સંદીપ દેસાઇ પહેલા સુરત જિલ્લા ભાજપના મહામંત્રી બન્યા અને હવે તેમને આગામી વિધાનસભામાં ચોર્યાસી બેઠક પરથી ચૂંટણી લડીને ભાજપના નામે ધારાસભ્ય અને મિનિસ્ટર બનવું છે. સંદીપ દેસાઇ ભાજપના ગોડફાધરોના લોબિંગ થકી સુરત જિલ્લા ભાજપના મહામંત્રી, સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકના ડીરેક્ટર અને પછી વાઇસ ચેરમેન પદે એ પછી એ.પી.એમ.સી.માં વાઇસ ચેરમેન પદે અને હવે સુમુલ ડેરીમાં ઘૂસી ગયા છે. હોદ્દાઓ અને ખુરશીઓ પાછળની તેમની દોટ માત્રને માત્ર સુરત ચોર્યાસી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બનવા માટેની છે અને તેઓ અત્યાર સુધીની તેમની બાજીઓમાં સફળ પણ રહ્યા છે. હાલ સી.આર. પાટીલના જોર પર સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપના જ ગણપતસિંહ વસાવા અને ઇશ્વર પરમાર જેવા નેતાઓ સામે પડ્યા છે.

હવે પછી રાજુ પાઠકના સમયમાં સુમુલડેરીમાં થયેલા કરોડો રૂપિયાના ગેરવહીવટની મુદ્દાસર વિગતો પ્રકાશિત કરીશું

July 29, 2020
private_hospital.jpg
1min6030

રાજ્યની ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓને ફટકારવામાં આવી રહેલા તાતિંગ બિલ અંગે અનેક ફરિયાદો મળી રહી છે તેવા સંજોગોમાં મહામારી કોરોનાને લઈને રાજ્ય સરકારે વધુ એક નિર્ણય કર્યો છે. જેમાં સરકારે કોરોનાની સારવારના ભાવ નક્કી કર્યા છે. જેમાં આઇસીયુ(ઈન્ટેન્સિવ કેર યુનિટ) વગર વોર્ડ માટે પ્રતિદિન 5700 ભાવ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે એચડીયુ (હાઈ ડિપેન્ડન્સી યુનિટ) માટે 8075 ભાવ નક્કી કર્યો છે.

સરકારે જારી કરેલા એક પરિપત્રમાં વધુમાં જણાવ્યું હતું કે આઇસીયુ સાથેના વોર્ડના ભાવ રૂ.6000, એચડીયુના રૂ. 8500, આઇસોલેશન તેમજ આઇસીયુના ભાવ રૂ. 14,500 અને વેન્ટિલેટર, આઇસોલેશન અને આઇસીયુ વોર્ડના ભાવ રૂ. 19000 રહેશે.

નિર્ધારિત કરાયેલા ચાર્જમાં સમાવિષ્ટ અન્ય સુવિધાઓમાં બે ટાઈમનું ભોજન અને સવારનો નાસ્તો, સાંજની ચા અને નાસ્તો, ઙઙઊ કિટની કિંમત અને ગ-95 માસ્ક અને રૂટિન દવાઓ, રૂમ અને નર્સિંગ ચાર્જનો સમાવેશ થાય છે. જ્યારે ટોસિલિઝૂમેબ, રેમડેસિવિર ઇન્જેક્શનનો ખર્ચ તથા ફ્લાવિપિર ટેબ્લેટનો ખર્ચ, સેકન્ડરી ટ્રિટમેન્ટ માટે વાપરવામાં આવેલી એન્ટિ બાયોટિક્સનો ખર્ચ, સ્પેશિયલ ડોક્ટર વિઝિટ, લેબોરેટરી ચાર્જ, ડાયાલિસિસ રેટ્સ (ડાયાલિસિસ રેટ 1500 અને 3500 ઈંઈઞના ડાયાલિસિસ માટે)નો સમાવેશ કરાયો નથી.

ઠરાવમાં જોકે એમ પણ જણાવ્યું હતું કે આ ઠરાવની જોગવાઈ રાજ્યના જે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની ખાનગી હોસ્પિટલ સાથે સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશન/ જિલ્લા કલેક્ટર/ જિલ્લા વિકાસ અધિકારી/ જિલ્લા મુખ્ય તબીબી અધિકારી દ્વારા એમઓયુ કરી સારવારના ખર્ચને નિયત કરવામાં આવ્યો હશે તો તેને લાગું પડશે નહીં.

રાજ્યની લોકપ્રિય “મા’ અને “મા વાત્સલ્ય’ યોજના અંતર્ગત જે ખાનગી હોસ્પિટલ એમ્પેનલ્ડ (યોજના માટે નક્કી થયેલી હોસ્પિટલ) કરવામાં આવી છે તેવી હોસ્પિટલમાં યોજનના લાભાર્થી દર્દી તરીકે સારવાર મેળવશે તો તેને આ ઠરાવથી નિયત થયેલી કિંમતે નહીં, પરંતુ યોજના અનુસાર નક્કી થયેલી કિંમત લાગું પડશે. આ ઠરાવનો ચૂસ્ત અને અચૂક અમલ થાય તે જોવાની જવાબદારી સંબંધિત જિલ્લા/કોર્પોરેશનના કલેક્ટર/જિલ્લા વિકાસ અધિકારી/મ્યુનિસિપલ કમિશનર/મુખ્ય જિલ્લા તબીબી અધિકારીની રહેશે.

July 26, 2020
mobile-data-icon-2.png
1min5820

કોરોનાને કાબુમાં લેવા લાગેલા લોકડાઉનના કારણે ગુજરાતમાં મોબાઈલ ડેટાના વપરાશમાં ૨૧ ટકા વધારો થયો છે. દેશની અગ્રણી ટેલીકોમ કંપનીએ આપેલા ડેટા મુજબ માર્ચ મહિનામાં દૈનિક સરેરાશ ૧૯,૦૦૦ ટેરા બાઈટ (ટીબી) મોબાઈલ ફોર-જી ડેટાનો વપરાશ થતો હતો. લોકડાઉન બાદ એપ્રિલ મહિનામાં વપરાશનો આંકડો ૪૦૦૦ ટીબી વધીને ૨૩,૦૦૦ ટીબી (૨.૩૦ કરોડ જીબી) પર પહોચી ગયો હતો. આ એવરેજ મે અને જૂનમાં પણ જળવાઈ રહી હતી.

વોડાફોન આઈડિયાના ચીફ ટેકનોલોજી ઓફિસર વિશાંત વોરાએ જણાવ્યું હતું કે, મોબાઈલ ડેટાના વપરાશમાં આખા વર્ષમાં જેટલી વૃદ્ધિ થાય છે તેના કરતા પણ વધારે ગ્રોથ લોકડાઉન લાગ્યાના એક સપ્તાહમાં જોવા મળ્યો હતો.

વિશાંત વોરાએ જણાવ્યું હતું કે, અમે ગ્રામીણ ભારત સહિત દેશના દરેક ભાગમાંથી ઇન્ટરનેટ માંગમાં વધારો જોયો છે. અગાઉ દિવસ દરમિયાન કમર્શિયલ અથવા તો ઓફિસ વિસ્તારમાં ડેટા ક્ધઝમ્પશન વધારે રહેતું હતું, પરંતુ પરિસ્થિતિ બદલાતા રહેણાંકમાંથી ટ્રાફિક વધુ રહે છે, કારણ કે લોકો ઘરની અંદર રહે છે અને વધુ ડેટાનો ઉપયોગ કરે છે.

ટેલીકોમ ક્ષેત્રના જાણકારોના મતે, આ સમય દરમિયાન મોટાભાગના લોકો ઘરે હતા. વર્કિંગ ક્લાસ લોકો ઘરેથી કામ કરી રહ્યા હતા તેના કારણે મોબાઈલ ડેટાનો વપરાશ અચાનક વધી ગયો છે. ઓફિસનું કામ, મિટિંગ જેવી બાબતો આમાં મુખ્ય છે.

ટેલીકોમ એક્સપર્ટ જણાવે છે કે, ટીવીમાં મનોરંજન ચેનલોમાં સિરીયલો બંધ થઇ જવાથી ઘણી મહિલાઓ, મોટા ભાગે હાઉસ વાઈફ અને યુવાનો ઓવર ધી ટોપ પ્લેટફોર્મ તરફ વળ્યા છે જેના કારણે મોબાઈલ ડેટાનો વપરાશ એપ્રિલ-જુન દરમિયાન સરેરાશ રોજનો ૨૨,૮૦૦-૨૩,૦૦૦ ટીબી પર પહોચી ગયો હતો. પરિવાર સાથે જોડવા માટે વિડીયો કોલિંગનું પ્રમાણ પણ વધ્યું છે જેના કારણે ડેટાનો વપરાશ વધ્યો છે.

July 25, 2020
iphone11-1280x960.jpg
1min5570

કેન્દ્ર સરકારના મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ વિશ્વના લોકપ્રિય મોબાઇલ ફોન પૈકી એક Appleએ ચેન્નાઇ પાસે સ્થિત તેના પ્લાન્ટમાં ફ્લેગશિપ ફોન iPhone 11 બનાવવાનું શરુ કરુ દીધુ છે. Appleએ પહેલીવાર ભારતમાં ટોપ ઓફ ધ લાઇન મોડલ બનાવ્યુ છે. જેને ભારત માટે મેક ઇન ઇન્ડિયાની પહેલ હેઠળ મોટી સફળતા માનવામાં આવી રહી છે. 

જોકે તાજેતરમાં પડોસી દેશ ચીન સાથે વધેલા તણાવભર્યા સંબંધોમાં ભારતમાં ચાઇનીઝ પ્રોડક્ટનો બહિષ્કારની ઝુંબેશમાં ચીન માટે એપલના ટોપ મોડલનું ભારતમાં બનવુ અસહ્ય સાબિત થઇ શક છે. અહીં સુધી કે ભારતમાં બનેલા  iPhone 11 ને કંપની એક્સપોર્ટ કરવાનુ પણ વિચારી શકે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 

જોકે હાલમાં ભારતમાં ચીનમાં બનેલા iPhone 11 હેન્ડસેટ્સ વેચાઇ રહ્યા છે તેથી ભારતમાં iPhone 11  બનવા છતા તેના ભાવોમાં ખાસ ફરક પડશે નહીં, પરંતુ ભવિષ્યમાં તેના ભાવમાં ઘટાડો થવાની સંભાવના જરુર રહેલી છે. લોકલ પ્રોડક્સનથી Appleને 22 ટકા ઇમ્પોર્ટ ડ્યુટીનો ફાયદો થાય છે. બીજી તરફ કંપની બેંગ્લુરુ પાસે આવેલા Wistron પ્લાન્ટમાં નવા iPhone SEનું પ્રોડક્શન કરવા પર વિચારી રહી છે, આ પ્લાન્ટમાં iPhone SEના પહેલાના મોડલ બનતા આવ્યા છે. 

Appleના અન્ય એક કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચર Pegatronએ હાલમાં જ ભારતમાં એક સબ્સિડરી કંપનીની નોંધણી કરી છે. ભારતમાં મોંઘા ફોનમાં Appleના હેન્ડસેટ્સનો દબદબો રહ્યો છે. જોકે ઓલઓવર ઇન્ડિયાના સ્માર્ટફોન માર્કેટમાં ચીનની શાઓમીની ટક્કરમાં કોઇ કંપની આવી નથી. 

July 24, 2020
kavach_CR-1-1280x960.jpg
6min9050

રાજકીય રેલીની એસેસરીઝ બદલાઇ ખેસ અને ટોપીની જગ્યા માસ્ક એ લીધી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

અત્યાર સુધી રાજકીય નેતાઓ કે પાર્ટીઓની રેલીઓ યોજાઇ ત્યારે ત્યારે તેમના સિમ્બોલ ધરાવતા ખેસ કે ટોપીઓ જોવા મળતા, પણ હવે કોવીડ-19માં રાજકીય રેલીઓની એસેસરીઝમાં બદલાવ થયો છે.

આજે તા.24મી જુલાઇ એ દેશના કોરોના હોટસ્પોટ સિટી, કોરોનાગ્રસ્ત સુરત શહેરમાં કોરોના કાળ શરૂ થયા બાદ પહેલી જાહેર ઉજવણી થઇ રહી છે, અને આ જાહેર ઉજવણી ગુજરાત બીજેપી ચીફ બન્યા પછી પહેલી વખત સુરત આવી રહેલા સી.આર. પાટીલને સત્કારવા માટેની છે. ગુજરાત બીજેપી ચીફ બન્યા પછી સી.આર. પાટીલ હવે એક બ્રાન્ડ નેમ ફેમ બની ચૂક્યા છે.

તેમને સત્કારવા માટે કવચ હેલ્થકેર નામની કંપનીએ હાલ કોવીડ-19 પેન્ડેમિકમાં વિશ્વમાં જેનો સૌથી વધુ પ્રચાર થઇ રહ્યો છે એ ફેસ માસ્ક તૈયાર કયા છે.

કવચ હેલ્થકેર નામની કંપનીએ સી.આર. પાટીલના આગમન પૂર્વે ફેસમાસ્ક બજારમાં મૂક્યા

કવચ હેલ્થકેરના અમિત કનેરીયાએ કહ્યું

સુરતના કવચ હેલ્થકેર પ્રોડક્ટસના અમિત કનેરીયાની કંપની કવચ હેલ્થકેર પ્રોડ્ક્ટસએ ગુજરાત બીજેપી ચીફ બન્યા પછી પહેલી વખત સુરત આવી રહેલા સી.આર. પાટીલના આગમન રેલી માટે ખાસ ફેસમાસ્ક તૈયાર કર્યા

સુરતમાં કવચ હેલ્થકેર પ્રોડ્કટ્સના અમિત કનેરીયાએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું કે ગુજરાત ભાજપના પ્રમુખ પદે વરાયા પછી પહેલી વખત સી.આર. પાટીલ સુરત આવી રહ્યા છે અને તેના ઉપલક્ષમાં જ કંપનીને હાલ 300 જેટલા માસ્ક બનાવવાનો ઓર્ડર મળ્યો છે.

અમિત કનેરીયાએ કહ્યું કે આ ટુ લેયર કોટન બેઝ ફેબ્રિક માસ્ક છે. હાલમાં કોવીડ-19 પેન્ડેમિક સિચુએશનમાં માસ્ક પહેરવું અત્યંત જરૂરી છે ત્યારે કંપની દ્વારા કોરોના પ્રોટેકશન માટે આ પ્રકારના માર્ક સી.આર. પાટીલના પ્રદેશ પ્રમુખ બન્યા પછી પહેલી વખત આગમન રેલી માટે બનાવવામાં આવ્યા છે.

કંપનીઓ, સંસ્થાઓ પોતાની બ્રાન્ડ લોગો સાથે માસ્ક બનાવવા સંપર્ક કરે

કવચ હેલ્થકેર પ્રોડક્ટસના અમિત કનેરીયાએ જણાવ્યું કે તેઓ કોઇપણ સંસ્થા કે કંપની માટે તેમના નામ, લોગો, ડિઝાઇન અનુસાર ટુ લેયર, થ્રી લેયર ફેસ્કમાસ્ક તૈયાર કરી આપે છે. કોઇપણ સંસ્થા કે કંપની તેમનો સંપર્ક કરી શકે છે.

કવચ હેલ્થકેરની ફેસબુક પોસ્ટ

Our team prepared a Customized Mask for welcoming the New President of @bjp4gujarat, Shri C.R. Patil (@…

Kavach Healthcare Products यांनी वर पोस्ट केले गुरुवार, २३ जुलै, २०२०

કવચ હેલ્થકેરે ફેસબુક પોસ્ટમાં આ રીતે લખ્યું છે

Our team prepared a Customized Mask for welcoming the New President of @bjp4gujarat, Shri C.R. Patil (@crpaatil).

Welcome home sir!
We are proud of your achievements, keep making Surat proud with your incredible work.
#customizedmask#crpatil#bjp4gujarat#bjp4india#bjp#newpresident#surat#suratcity#suratlove#surti#kavachhealthcareproducts

July 23, 2020
mukesh_ambani.jpg
1min6180

વિશ્વસ્તરે ભારતીય બિઝનેસ મેન મુકેશ અંબાણી એક પછી એક સિદ્ધિઓ મેળવતા જાય છે. હાલમાં જ જૂલાઇના બીજા અઠવાડિયે એટલે 14 જૂલાઇના રોજ મુકેશ અંબાણી વિશ્વના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા, એ સમયે તેમની કુલ સંપત્તિ 72.4 અબજ ડોલર હતી. હવે 22 જૂલાઇએ એક ક્રમ આગળ આવીને તેઓ વિશ્વના પાંચમા સૌથી પૈસાદાર વ્યક્તિ બની ગયા છે. આઠ જ દિવસમાં તેમની સંપત્તિમાં 2.6 અબજ ડોલરનો વધારો થયો છે. 

ઉલ્લેખનીય છે કે, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાં 185.8 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે જેફ બેજોસ પહેલા સ્થાને, 113.1 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે બિલ ગેટ્સ બીજા સ્થાને, 112 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે બનોર્ડ અનોલ્ટ એન્ડ ફેમિલી ત્રીજા ક્રમે, 89 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે ફેસબુકના માર્ક ઝુકરબર્ગ ચોથા ક્રમે છે. 

મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ઝુકરબર્ગથી 14.4 અબજ ડોલર ઓછી છે. અંબાણી પછી 72.7 અબજ ડોલરની સંપત્તિ સાથે વોરન બફેટ છઠ્ઠા સ્થાને છે, એ પછી લૈરી એલિસિન સાતમા, એલન મસ્ક આઠમાં ક્રમે, સ્ટીવ બાલ્મર નવમા સ્થાને અને લૈરી પૈજ દસમા ક્રમે છે.