સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટેના જીએસટી રિટર્ન અને ઑડિટ રિપોર્ટની મુદત એક મહિનો લંબાવીને ૩૧ ઑક્ટોબર સુધીની કરવાની જાહેરાત કરી હોવાનું સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરેક્ટ ટૅક્સિસ-સીબીડીટી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતુું.
આચારસંહિતાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ
પાસે જરૂરી ક્લિયરન્સ મેળવ્યા બાદ સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટેના જીએસટીઆર-૯ અને જીએસટીઆર ૯સીની મુદત ૩૦-૦૯-૨૦૨૦થી લંબાવીને ૩૧-૧૦-૨૦૨૦ કરી છે, એમ સીબીડીટીએ જણાવ્યું હતું.
મે મહિનામાં સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટેના વાર્ષિક જીએસટી રિટર્ન ફાઈલ કરવાની મુદત ત્રણ મહિના લંબાવીને ૩૦-૦૯-૨૦૨૦ સુધીની કરી હતી.
જીએસટી હેઠળ નોંધાયેલા કરદાતાઓએ જ જીએસટીઆર-૯ વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાનું રહે છે.
માર્ચ 2020 કોવીડ-19 પેન્ડેમિક પછી ગુજરાતમાં સૌથી મોટો ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ સુરત નજીક તાપી જિલ્લાના સોનગઢ પાસે આવેલા ડોસવાડા ખાતે સ્થાપવા માટે દેશની જાણિતી કંપની વેદાંતા રિસોર્સિસએ ચક્રો ગતિમાન કરી દીધા છે. વેદાંતા રિસોર્સિસનો ગુજરાતમાં આ પહેલો પ્રોજેક્ટ હશે જે સુરત નજીક તાપી જિલ્લામાં સોનગઢ ખાતે આવી રહ્યો છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સોનગઢ ડોસવાડા ખાતે આવી રહેલા આ પ્રોજેક્ટને કારણે પ્રત્યક્ષ પરોક્ષ રીતે કુલ 5000થી વધુ લોકોને રોજગારી મળશે.
મળતી માહિતી મુજબ સોનગઢ નજીક ડોસવાડા ખાતે કુલ રૂ.4700 કરોડનો સ્મેલ્ટર પ્રોજેક્ટ અંગે ટૂંક સમયમાં વેદાંતા રિસોર્સિસના ઉચ્ચ અધિકારીઓ ગાંધીનગર આવી રહ્યા છે. વેદાંતા લિ.ની સબસિડ્યરી કંપની વેદાંતા રિસોર્સિસના નેજા હેઠળ આ પ્રપોઝ્ડ પ્રોજેક્ટ ઝીંક લેડ સિલ્વર સ્મેલ્ટર કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ હશે. કંપનીના ફાઉન્ડર ચેરમેન અનિલ અગ્રવાલ રાજ્ય સરકાર સાથે થોડા દિવસોમાં જ એમ.ઓ.યુ. સાઇન કરશે.
સોનગઢ નજીક ડોસવાડા ખાતે 415 એકરની જમીન પણ પ્રોજેક્ટ સાઇટ માટે ફાઇનલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વેદાંતા રિસોર્સસ સોનગઢ ડોસવાડા ખાતે 24 મહિનામાં જ પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું હોવાનું જાણવા મળે છે.
આગામી 48 કલાકમાં બેસતો મહિનો ઓક્ટોબર 2020 શરૂ થશે. હિન્દુ સંસ્કૃતિ મુજબ ઓક્ટોબર મહિનો એટલે તહેવારોના દિવસો. આ વખતે અધિક માસના કારણે ઓક્ટોબર માસમાં દિવાળી નૂતનવર્ષના તહેવારો નથી આવતા આમ છતાં બેંકોમાં અઢળક હોલીડેઝ ઓક્ટોબર મહિનામાં આવી રહ્યા છે. લૉકડાઉન પછી હજુ સુધી ધંધા રોજગારો પૂર્ણ ક્ષમતાએ શરૂ થઇ શક્યા નથી અને અધૂરામાં પૂરું નવરાત્રી, દશેરાના તહેવારો આવી રહ્યા છે ત્યારે વાચકોને અગાઉથી નાણાકીય વ્યવસ્થા કરી રાખવામાં સુગમતા પડે એ હેતુથી અહીં એડવાન્સમાં ઓક્ટોબર માસની બેંક હોલિડેઝની ડિટેઇલ રજૂ કરવામાં આવી છે.
નિમ્નદર્શિત બેંક હોલિડીઝ દેશના જુદા જુદા રાજ્યો અને અને તેમાં પ્રચિલત તહેવારો પર આધારિત છે. જે રાજ્યોમાં લોકલ હોલીડે હશે એ સિવાયના અન્ય રાજ્યોમાં બેન્કિંગ કામકાજ સામાન્ય રીતે રહેશે.
29 ઓક્ટોબર ગુરુવારે મિલાદ-એ-શેરીફ (પ્રોફેટ મોહમ્મદ) સ્થાનિક રજા
30 ઓક્ટોબર શુક્રવાર (ઈદ-એ-મિલાદ) ગેઝેટેડ રજા
31 ઓક્ટોબર શનિવાર, મહર્ષિ વાલ્મિકી અને સરદાર પટેલ / કુમાર પૂર્ણિમા સ્થાનિક રજાની જન્મજયંતિ
રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાની સત્તાવાર માહિતી મુજબ ઑક્ટોબર મહિનામાં દુર્ગા પુજા, મહાસપ્તમી, મહાનવમી, દશેરા, મિલાદ-એ-શરીફ, ઈદ-એ-મિલાદ-ઉલ-નબી બારાવફાત/ લક્ષ્મી પુજા, સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી, મહર્ષિ વાલ્મીકિ જયંતી/ કુમાર પૂર્ણિમાના અવસર પર અલગ અલગ રાજ્યોમાં બેન્કોને રજા રહેશે.
આવતા મહિને ગેઝેટ, સ્થાનિક અને બીજા-ચોથા શનિવાર અને રવિવાર મળીને બેન્કોમાં લગભગ 15 દિવસ રજાઓ રહેશે. જોકે લોકોની સુવિધા માટે એટીએમમાં પુરતા નાણાંની વ્યવસ્થા રહેશે અને ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગ પણ ચાલું રહેશે જેનાથી લોકોને વધારે મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. રજાઓની શરૂઆત આ વખતે 2 ઓક્ટોમ્બરે ગાંધી-શાસ્ત્રી જયંતીથી થશે જે આ વખતે શુક્રવારે છે.
અમદાવાદ પશ્ચિમ વિસ્તારના માત્ર કેટલાંક ખાણીપીણીના સ્થળો રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. કોઈપણ વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી હતી. મિડીયા હાઉસોએ અમદાવાદમાં રાત્રિ કરર્ફ્યુ અંગેના ખોટા સમાચારો વહેતા કર્યા હતા.
અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા તંત્રએ શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ કર્યો હતો. પણ હવે માત્ર આ વિસ્તારોમાં ખાણી-પીણીની દુકાનો જ બંધ રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે કે અમદાવાદ પશ્ચિમ વિસ્તારના માત્ર કેટલાંક ખાણીપીણીના સ્થળો રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. કોઈપણ વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો નથી.
આ 27 વિસ્તારોમાં દુકાનો રાત્રે 10 વાગ્યા બાદ બંધ રાખવા નિર્ણય
એક સમયે ભારત જ નહીં બલ્કે વિશ્વભરમાં વસેલા ભારતીયોમાં સુપરહિટ નિવડેલી અને ખાસ્સી ચર્ચાસ્પદ બનેલી ટીવી સિરીયલ બાલિકા વધુ, કુછ તો લોગ કહેંગે જેવી જાણીતી ટીવી સિરિયલના ડાયરેક્ટર રામવૃક્ષ ગૌડ પરિવારનું જતન કરવા માટે શાકભાજી વેચીને પેટીયું રળી રહ્યા છે. સમય અને કિસ્મત એ સૌથી અકળ છે, ક્યારે શું બને છે જીવનમાં એ ક્યારેય પામી શકાતું નથી.
રામવૃક્ષે કહ્યું કે, મુંબઈમાં તેનું પોતાનું મકાન છે, પરંતુ બે વર્ષ પહેલા બીમારીને કારણે તેમનો પરિવાર ઘરે આવી ગયો હતો. લોકડાઉન લાગ્યા બાદ તે મુંબઈ પરત ન ફરી શક્યા. કામ બંધ થવાને કારણે આર્થિક પરિસ્થિતિ કથળી ગઇ હતી. તેમણે ફિલ્મ પ્રોડ્યૂસર સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, પ્રોજેક્ટ પર એક દોઢ વર્ષ બાદ જ કામ શરૂ થઈ શકશે. બાદમાં તેમણે પિતાનો જ કારોબાર અપનાવવાનો નિર્ણય કર્યો અને આઝમગઢ શહેરના હરબંશપુરમાં ડીએમ આવાસની નજીક રસ્તા પર શાકભાજી વેચવા લાગ્યા. તેનાથી પરિવારનું ભરણપોષણ સરળતાથી થઈ જાય છે. બાળપણમાં પણ તે પોતાના પિતાની સાથે શાકભાજીના કારોબારમાં મદદ કરતા હતા, માટે આ કામ તેમને સારું લાગ્યું અને આ કામથી તેઓ સંતુષ્ટ છે.
વાત રામવૃક્ષ ગૌડની કરી રહ્યા છે. તેઓ હાલ આઝમગઢ જિલ્લાના નાઝામાબાદ વિસ્તારના ફરિહાબાદના રહેવાસી છે. રામવૃક્ષ 2002માં પોતાના મિત્ર સાહિત્યકાર શાહનવાઝ ખાનની મદદથી મુંબઈ પહોંચ્યા હતા. તેમણે ફિલ્મ ઉદ્યોગમાં ખુદને સ્થાપિત કરવા માટે ઘણી મેહનત કરી. પહેલા લાઈટ વિભાગમાં કામ કર્યું, ત્યાર બાદ ટીવી પ્રોડક્શનમાં નસીબ અજમાવ્યું અને ધીમે ધીમે અનુભવ વધ્યો તો ડાયરેક્શન કરવાની તક મળી. ડાયરેક્શનનું કામ રામવૃક્ષને પસંદ આવ્યું અને તેમણે આ જ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો હતો.
પહેલા અનેક સીરિયલના પ્રોડક્શનમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું બાદમાં એપિસોડ ડાયરેક્ટર, યૂનિટ ડાયરેક્ટરનું કામ કર્યું, ત્યાર બાદ તેમણે ક્યારેય પાછળ વળીને નથી જોયું. રામવૃક્ષ કહે છે કે, બાલિકા વધુમાં યૂનિટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું, ત્યાર બાદ ઈસ પ્યાર કો ક્યા નામ દું, કુછ તો લોગ કહેંગે, હમાર સૌતન હમાર સહેલી, ઝટપટ ચટપટ, સલામ જિંદગી, હમારી દેવરાની, થોડી ખુશી થોડા ગમ, પૂરબ પશ્ચિમ, જૂનિયર જી જેવી સીરિયલમાં પણ તેમને કામ કરવાની તક મળી.
ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટ વેક્સીન ઉત્પાદનના મામલે દુનિયાની સૌથી મોટી કંપની હોવાનો દાવો અગાઉ કરાઇ ચૂક્યો છે. બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીએ વિકસાવેલી કોરોના વેક્સીન પ્રોજેક્ટમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ અનેક ભાગીદારો પૈકીની એક સંસ્થા પણ છે
લાંબા સમયની ઇંતેજારી બાદ એવા સમાચાર આવ્યા છે કે સીરમ ઇન્સ્ટીટ્યુટ દ્વારા ભારતમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ વિકસાવેલી વેક્સિનનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે. ભારતની ફાર્મા કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓક્સફર્ડ યુનિવર્સિટીના કોરોના વેક્સીન પ્રોજેક્ટમાં પાર્ટનર છે અને ભારતમાં આ વેક્સીનનું ટ્રાયલ કરાવી રહી છે.
પુનાની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ પહેલા જ ઓક્સફર્ડના પ્રોજેક્ટમાં કોલેબરેશન કરેલું છે. જો ઓક્સફર્ડની વેક્સીન સફળ થશે તો ભારતમાં તેની ઉપલબ્ધતામાં કોઈ મુશ્કેલી નહીં આવે.
અગાઉ ગત જુલાઇમાં સીરમ ઇન્સ્ટીટ્યુટ દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સંખ્યાની દ્રષ્ટિએ દુનિયાની સૌથી મોટી વેક્સીન બનાવતી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ કોડાગેનિક્સના CDX-005ને વિકસિત કરશે, જેને ઈન્જેક્શનને બદલે આંતરિક રીતે આપવામાં આવશે.
સંસદના ઇતિહાસમાં સૌથી વધુ ખરડા પસાર થયા હોય એવા દિવસોમાંના એક એવા મંગળવારે રાજ્યસભામાં સાડા ત્રણ કલાકમાં મુખ્ય સાત ખરડા મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં કડધાન્ય, કઠોળ, કાંદા-બટાટાને જીવનાવશ્યક વસ્તુઓની યાદીમાંથી બાદબાકી કરતા ખરડાનો તથા કંપનીઓ દ્વારા કરાતા અમુક અપરાધો માટેના દંડને દૂર કરતા ખરડાનો સમાવેશ થાય છે. તેલ, કઠોળ, કાંદા અને બટાટાના સંગ્રહની મર્યાદા પણ હટાવાતા કાળાબજારિયાઓ અને સંગ્રહખોરોને લાભ થવાનો ભય વ્યક્ત કરાય છે.
આ સિવાય કોંગ્રેસ, ડાબેરી, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પક્ષ અને એનસીપી જેવા વિરોધ પક્ષોએ સસ્પેન્ડ કરાયેલા આઠ સાંસદોના વિરોધમાં ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો ત્યારે સત્તાધારી ભાજપ અને તેના સાથી પક્ષ જનતા દળ-યુ અને અણ્ણાદ્રમુક, ભારતીય જનતા દળ (બીજેડી), વાયએસઆર-કોંગ્રેસ અને ટીડીપી જેવા પક્ષોએ વિવિધ મુદ્દે મોદી સરકારને સમર્થન આપ્યું હતું અને ખરડા માટેની ચર્ચામાં ભાગ લીધો હતો.
મોટા ભાગના ખરડામાં સભ્યોની સહભાગી બહુ ઓછી હતી અને પ્રધાનોના જવાબ પણ ટૂંકા હતા. પ્રથમ પાંચ નવી બનાવવામાં આવેલી સંસ્થા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (આઇઆઇઆઇટી)ને રાષ્ટ્રની મહત્ત્વની સંસ્થા તરીકે જાહેર કરાતા ખરડાને મંજૂર કરાયો હતો. ત્યાર બાદ કડધાન્ય, કઠોળ, તેલિબીયા, ખાદ્ય તેલ, કાંદા-બટાટાને જીવનાવશ્યક વસ્તુઓની યાદીમાંથી બાદ કરતા તથા તેમનો સંગ્રહ કરવાની મર્યાદાને દૂર કરતા મહત્ત્વના એસેન્શિયલ કોમોડિટિસ (અમેન્ડમેન્ટ) બિલ મંજૂર કરવામાં આવ્યું હતું. કૃષિ આવક વધારવા માટે સરકાર દ્વારા મંજૂર કરાયેલા કૃષિ સુધારા ખરડાનો આ એક ભાગ છે.
રવિવારે મંજૂર કરાયેલા ખરડામાં ખેડૂતોને તેમના ઉત્પાદનો દેશમાં ક્યાંય પણ વેચવાની તથા કંપનીઓ સાથે કોન્ટ્રેક્ટ કરવાની છૂટ આપવામાં આવી હતી.
આ સિવાય રાજ્યસભામાં આરબીઆઇના નિરીક્ષણ હેઠળ કાર્ય કરતી કો-ઓપરેટિવ બેંકોના બેંક રેગ્યુલેશન એક્ટમાં કરાયેલા સુધારાને પણ ડિપોઝિટરોના હિત માટે મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ કંપનીઓ દ્વારા કરાતા અમુક અપરાધો માટેના દંડને દૂર કરતા કંપનીસ (અમેન્ડમેન્ટ) બિલ, ૨૦૨૦ને પણ મંજૂર કરવામાં આવ્યું હતું.
નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી બિલ, ૨૦૨૦ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બિલ, ૨૦૨૦ને પણ ઝડપથી મંજૂર કરી દેવાયા હતા.
આ સિવાય જીએસટીની ચુકવણી અને ફાઇલિંગ તથા અન્ય વેરાની ચુકવણીઓ માટે કંપનીઓને આપવામાં આવેલી સમયમર્યાદામાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને અમુક છૂટછાટ આપવા માટેના ટેક્સેશન એન્ડ અધર લોઝ (રિલેકશન એન્ડ અમેન્ડમેન્ટ ઓફ સર્ટન પ્રોવિઝન્સ) બિલ, ૨૦૨૦ને મંજૂર કરાયું હતું.
ખરડાઓ મંજૂર કરવા માટે રાજ્યસભાની કાર્યવાહી એક કલાક વધારવામાં આવી હતી. ગૃહની કાર્યવાહી સવારે ૧૦.૨૯ કલાકે શરૂ થઇ હતી અને બપોરે ૨.૦૩ કલાકે પૂરી થઇ હતી એટલે કે ૨૧૪ મિનિટ સુધીમાં તમામ ખરડાને મંજૂરી આપવામાં આવી હતી.
ભારતની સૌથી મોટી પેમેન્ટ એપ ગણાતી પેટીએમ (Paytm) ગૂગલ પ્લે સ્ટોર પર તા.18મીએ રિમુવ કરી દેવામાં આવી હતી. પરંતુ, એ બેન ફક્ત ચાર કલાકનો જ રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ગૂગલે તેની પોલિસીનું ઉલ્લંઘન કર્યું હોવાથી પેટીએમ પર કાર્યવાહી કરાઈ હતી. જોકે ચાર કલાક પછી એપ ફરી પ્લે સ્ટોરમાં દેખાવા લાગી છે. તા.18મી સપ્ટેમ્બરે સાંજે ફરીથી ગુગલ પ્લે સ્ટોર પર પેટીએમ ગોઠવાઇ ગઇ હતી.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એપને ગેમ્બલિંગ પોલિસીના ઉલ્લંઘનને લીધે રિમૂવ કરાઈ હતી. ગૂગલ ઈન્ડિયાએ આજે તેના બ્લોગ પોસ્ટમાં ગેમ્બલિંગ અર્થાત (ઓનલાઈન જુગાર)ની પોલિસીની વાત કરી હતી. બ્લોગમાં ક્યાંય પણ પેટીએમના નામનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. પરંતુ તે પેટીએમ પર ઈશારો કરે છે તેમ લાગી રહ્યું છે. કારણકે બ્લોગ પબ્લિશ થયાની ગણતરીની મિનિટોમાં એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી રિમૂવ થઈ હતી. પેટીએમે પેટીએમક્રિકેટલીગ શરૂ કરતાં જ કંપની ગૂગલની આંખે ચડી છે. ઓનલાઈન ગેમ્બલિંગને રોકવા માટે ગૂગલે આ નિર્ણય લીધો છે. કંપનીએ તેના બ્લોગમાં પોલિસીનું ઉલ્લંઘન કરતી એપને પ્લે સ્ટોર પરથી દૂર કરવાની પણ વાત કહી હતી, સાથે જ ગૂગલની શરતોનું પાલન થઈ ગયા બાદ એપને રિસ્ટોર કરી લેવાની વાત પણ કહેવામાં આવી હતી. જોકે આ મામલે પેટીએમે મૌન સાધ્યું હતું.
પેટીએમ એપ દેશનાં સૌથી મૂલ્યવાન સ્ટાર્ટ અપમાંથી એક છે. ગૂગલના પેમેન્ટ પ્લેટફોર્મ ગૂગલ-પે સાથે પેટીએમની ટક્કર છે. 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ 2019-20માં પેટીએમની રેવન્યૂ વધીને 3.629 કરોડ રૂપિયા પહોંચી હતી. તો નુક્સાનમાં 40%નો ઘટાડો નોંધાયો હતો. One97 કમ્યુનિકેશન લિમિટેડ કંપની પેટીએમની ઓનર છે. ટેક રિસર્ચ ફર્મ સેન્સર ટાવરના રિપોર્ટ અનુસાર, ઓગસ્ટ મહિનામાં પેટીએમ છઠ્ઠી સૌથી વધારે ડાઉનલોડ થનારી ફિનટેક એપ છે. એપ પેમેન્ટ ઓપ્શનથી શરૂ થઈ હતી. ત્યાર બાદ તે ઓનલાઈન શોપિંગ, ગેમિંગ અને બેકિંગ સર્વિસ ઓફર કરે છે.
આર્જેન્ટિના અને બાર્સિલોના કલબના સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસ્સીએ કમાણીના મામલે ફરી એકવાર તેના નજીકના હરીફ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પાછળ રાખી દીધો છે. ફોર્બ્સની 2020ની સૌથી વધુ કમાણી કરતા ફૂટબોલ ખેલાડીઓની સૂચિમાં મેસ્સી 126 મિલિયન ડોલર (927.પ કરોડ રૂપિયા) સાથે ટોચ પર છે. મેસ્સીએ પોર્ટૂગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને બ્રાઝિલના નેમાર સહિતના તમામ સ્ટાર ફૂટબોલરોને પાછળ રાખીને સતત બીજા વર્ષે ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. બાર્સિલોના કલબના કેપ્ટન લિયોનલ મેસ્સીએ 92 મિલિયન ડોલર (677 કરોડ)થી વધુની કમાણી સેલેરીથી કરી છે. જ્યારે 34 મિલિયન ડોલર (2પ0 કરોડથી વધુ) એન્ડોર્સમેન્ટથી મેળવ્યા છે. તે 2019માં સૌથી વધુ કમાણી કરનારો ફૂટબોલ ખેલાડી હતો. મેસ્સી બાદ બીજા નંબર પર પોર્ટૂગલ અને યુવેટન્સનો ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. તેની વર્ષ 2020ની કમાણી 117 મિલિયન ડોલર (861 કરોડ રૂપિયાથી વધુ) છે. જેમાં 70 મિલિયન ડોલર (પ1પ.3 કરોડ રૂપિયા) સેલેરીમાંથી મળ્યા છે. જ્યારે 47 મિલિયન ડોલર (34પ કરોડ) એન્ડોર્સમેન્ટના છે. ત્રીજા નંબર પર બ્રાઝિલ અને પેરિસ સેન્ટ જર્મન કલબનો ખેલાડી નેમાર છે. તેની કમાણી 96 મિલિયન ડોલર (706 કરોડ રૂપિયા) છે. જેમાં 78 મિલિયન ડોલર (પ74 કરોડ રૂપિયાથી વધુ) સેલેરીના છે. જ્યારે 18 મિલિયન ડોલર (132 કરોડ) એન્ડોર્સમેન્ટના છે. ફીફા વર્લ્ડ કપમાં ચમત્કારિક દેખાવ કરનાર ફ્રાંસનો ખેલાડી કિલિયન એમ્બાપે ફોર્બ્સની આ સૂચિમાં ચોથા સ્થાને છે. તેની 2020ની કમાણી 42 મિલિયન ડોલર(309 કરોડ રૂપિયા) આંકવામાં આવી છે. જેમાં 28 મિલિયન ડોલર (206 કરોડ) સેલેરીના છે અને 14 મિલિયન (103 કરોડ રૂપિયાથી વધુ) એન્ડોર્સમેન્ટના છે. ઇજીપ્તનો મોહમ્મદ સલાહ 37 મિલિયન ડોલર (272 કરોડ) સાથે પાંચમા નંબર પર છે. આ ઉપરાંત ટોપ ટેનમાં ફ્રાંસનો પોલ પોગ્બા છઠ્ઠા, બાર્સિલોનાનો એટોઇનો ગ્રીજમેન સાતમા, રિયાલ મેડ્રિડનો વાલે ગારેથ બેલ આઠમા, બાર્યન મ્યુનિચનો સ્ટ્રાઇકર રોબર્ટ લેવન્ડોસ્કી નવમા અને માંચેસ્ટર યૂનાઇટેડનો ડેવિડ ડિ ગિયા દસમા સ્થાને છે.
સરકાર દર વર્ષની માફક લાભપાંચમથી મગફળીની ટેકાના ભાવની ખરીદી કરશે તેવી જાહેરાત પછી વ્યાપક વિરોધ થતાં સરકારે એક મહિનો વહેલી 21 ઓક્ટોબરથી ખરીદીનો આરંભ કરવાની નવી જાહેરાત કરી છે. અગાઉ સરકારે લાભ પાંચમ અર્થાત્ 19 નવેમ્બરના રોજથી ખરીદી કરવા જાહેરાત કરી હતી. જોકે આ વર્ષે અધિક માસ છે એટલે આ દિવસ આડે સવા બે મહિના બાકી હતા. એ દરમિયાન હજારો ખેડૂતોની મગફળી સસ્તામાં વેચાઈ જવાનો ભય હતો. પરિણામે વેપારીઓ અને કિસાન સંઘ દ્વારા દ્વારા આકરી પ્રતિક્રિયા આપીને વહેલી ખરીદી માટે રજૂઆત કરવામાં આવી હતી. તે’ સફળ થઈ છે. કૃષિ મંત્રી આર સી ફળદુએ કરેલી જાહેરાત પ્રમાણે હવે 21 ઓક્ટોબરથી ખરીદીનો આરંભ થશે. એ માટે 1 ઓક્ટોબરથી ખેડૂતોનાં નામની નોંધણી કરવામાં આવશે. 20 દિવસ નામ નોંધ્યા પછી ખરીદી કરાશે. 90 દિવસ સુધી સરકાર ખેડૂતોની મગફળી ટેકાના ભાવથી ખરીદશે. નાફેડ દ્વારા પુરવઠા નિગમ મારફતે ખરીદી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ચાલુ વર્ષે વર્ષાઋતુમાં સારો વરસાદ થવાના પરિણામે રવી અને ઉનાળુ સીઝનમાં પણ ખેડૂતો વધુ વાવેતર કરી શકશે. રાજ્યમાં મગફળીની ખરીદી મણે રૂ. 1055ના ભાવે કરાશે. મગફળીની ખરીદી બાદ કઠોળ પાકોની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.