બિઝનેસ Archives - Page 38 of 87 - CIA Live

December 4, 2020
sugar.jpg
1min433

દેશમાં ખાંડનુ ઉત્પાદન એક ઓક્ટોબર ૨૦૧૯થી ૩૦ નવેમ્બર ૨૦૨૦ દરમિયાન ૪૨.૯૦ લાખ ટને પહોંચ્યુ છે, જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં ૨૦.૭૨ લાખ ટન ઉત્પાદન થયુ હતું. આ રીતે ખાંડ ઉત્પાદનમાં ૨૨.૧૮ લાખ ટનની વૃદ્ધિ થઇ છે. ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ઇસ્મા)નાં આંકડા અનુસાર સીઝન વર્ષ ૨૦૨૦-૨૧માં ૩૦ નવેમ્બર સુધી ૪૦૮ સુગર મિલો શેરડીનું પિલાણ કરી રહી હતી, જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળા સુધીમાં ૩૦૯ મિલો શેરડીનું પિલાણ કરી રહી હતી.

ઇસ્માના મતે ૨૦૨૦-૨૧ દરમિયાન હાલની સીઝનમાં ખાંડના ઉત્પાદનનું સ્થિતિ ઘણા હદ સુધી ૨૦૧૮-૧૯ સીઝનની સમકક્ષ છે, જ્યારે બે પ્રારંભિક મહિનામાં ૪૧૮ મિલોએ શેરડીના પિલાણથી ૪૦.૬૯ લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યુ હતુ.

ચાલુ વર્ષે સુગર મિલો દ્વારા શેરડીના રસ અને મોલાસીસનો વ્યાપક પ્રમાણમાં ઇથેનોલ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેના પરિણામ સ્વરૂપ ચાલુ વર્ષે ખાંડનું ઉત્પાદન ૨૦ લાખ ટન ઓછુ થવાની અપેક્ષા છે.

ઉત્તરપ્રદેશમાં ૩૦ નવેમ્બર ૨૦૨૦ સુધી ૧૨.૬૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં ઉત્પાદન ૧૧.૪૬ લાખ ટન હતુ. રાજ્યમાં ૧૧૧ સુગર મિલોમાં શેરડીનુંપિલાણ થઇ રહ્યુ છે. ઇસ્માના મતે મહારાષ્ટ્રમાં ચાલુસીઝનમાં ૧૫૮ સુગર મિલો કાર્યરત છે જ્યારે વિતેલી સીઝનમાં સમાન સમયગાળા સુધી ૭૧ સુગર મિલો ચાલી રહી હતી. રાજ્યમાં ચાલુ સીઝનમાં અત્યાર સુધી ૧૫.૭૨ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે. વિતેલ સીઝનમાં તેનું ઉત્પાદન અત્યાર સુધીમાં ૧.૩૮ લાખ ટન હતુ. કર્ણાટકમાં ૬૩ સુગર મિલો ચાલી રહી છે તેમજ ૧૧.૧૧ લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યુ છે.

રાજ્યમાં પાછલા વર્ષે સમાન સમયગાળામાં ઉત્પાદન ૫.૬૨ લાખ ટન કર્યુ હતુ અને ૬૦ સુગર મિલો ચાલુ હતી. તો ગુજરાતમાં ૩૦ નવેમ્બર સુધી કુલ ૧.૬૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં ૬૨ હજાર ટન ખાંડનું ઉત્પાદન થયુ હતુ. રાજ્યમાં ૧૫ સુગર મિલો ચાલી રહી છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં ૧૪ સુગર મિલો ચાલી રહી હતી. ઉત્તરાખંડ, બિહાર, હરિયાણા, મધ્યપ્રદેશ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં લગભગ ૬૧ સુગર મિલો શેરડીનું પિલાણ કરી રહી છે તેમજ ૧.૭૭ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે. પાછલા વર્ષે સમાન સમયગાળામાં તેનુ ઉત્પાદન ૧.૬૪ લાખ ટન હતુ તેમજ ૫૩ સુગર મિલો ચાલી રહી હતી. ઇસ્માના મતે પહેલી ઓક્ટોબરથી શરૂ થયેલી નવી માર્કેટિંગ સીઝનમાં ૧૦૬.૪ લાખ ટન ખાંડનો ઓપનિંગ સ્ટોક હતો. ચાલુ વર્ષે ૩૧૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાનો અંદાજ છે. આવી રીતે ચાલુ વર્ષ પણ ખાંડના મામલે સરપ્લસ રહેશે. ચાલુ વર્ષે ભારતમાંથી ૬૦-૭૦ લાખ ટન ખાંડની નિકાસ થવી જરૂરી છે.

December 4, 2020
gst.jpg
1min367

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની નવેમ્બરમાં રૂ. ૧.૦૪ લાખ કરોડની આવક થઇ હતી, જ્યારે તેના અગાઉના મહિને એટલે કે ઓક્ટોબરમાં જીએસટીની આવક રૂ. ૧.૦૫ લાખ કરોડ રહી હતી, એમ નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. ચાલુ નાણાકીય વર્ષના સતત બીજા મહિને રૂ. એક લાખ કરોડથી વધુની જીએસટી આવક થઇ છે.

નવેમ્બર, ૨૦૧૯ની સરખામણીમાં નવેમ્બર, ૨૦૨૦માં જીએસટીની આવકમાં ૧.૪ ટકાનો વધારો થયો છે. નવેમ્બર, ૨૦૨૦માં જીએસટીની આવકનો આંકડો રૂ. ૧,૦૪,૯૬૩ રહ્યો હતો, જ્યારે નવેમ્બર, ૨૦૧૯માં આ આંકડો રૂ. ૧,૦૩,૪૯૧ રહ્યો હતો.

આ સિવાય ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં આ વર્ષે નવેમ્બરમાં આયાત કરેલા માલ-સામાનથી ૪.૯ ટકા વધુ આવક અને ડોમેસ્ટિક ટ્રાન્ઝેકશન (ઇમ્પોર્ટ સર્વિસનો સમાવેશ) દ્વારા થતી આવક ૦.૫ ટકા વધુ થઇ હતી, એમ નિવેદનમાં વધુમાં જણાવાયું હતું.

નવેમ્બર, ૨૦૨૦માં ગ્રોસ જીએસટી રેવેન્યુ રૂ. ૧,૦૪,૯૬૩ કરોડ રહી હતી જેમાં સેન્ટ્રલ જીએસટી રૂ. ૧૯,૧૮૯ કરોડ, સ્ટેટ જીએસટી રૂ. ૨૫,૫૪૦ કરોડ અને આઇજીએસટી રૂ. ૫૧,૯૯૨ કરોડ અને સેસ રૂ. ૮૨૪૨ કરોડનો સમાવેશ થાય છે.

December 3, 2020
transporters-strike-072118.jpg
1min426

ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્રાન્સપોર્ટ યૂનિયન એ આગામી 8 ડિસેમ્બરથી દેશવ્યાપી હડતાળનું એલાન કર્યુ હતું. 

આશરે એક કરોડ માલવાહક ટ્રક ડ્રાઇવરોનું પ્રતિનિધિત્વ સંભાળી રહેલા સર્વોચ્ચ ટ્રાન્સપોર્ટ બોડી ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ-AIMTCએ ખેડૂતોના આંદોલનને સમર્થન જાહેર કર્યુ હતું અને ઉત્તર ભારતના રાજ્યો સહિત દેશભરમાં જરુરી વસ્તુઓની અવર-જવર પર રોક લગાવતી હડતાળનું એલાન કર્યુ હતું.  

AIMTCના અધ્યક્ષ કુલતારન સિંહ અટવાલનું કહેવુ હતું કે જો સરકાર આંદોલનકારી ખેડૂતોની માંગોને નહીં માને તો અમે સમગ્ર ભારતને ચક્કાજામ કરીશું. AIMTCનું કહેવુ હતું કે ખેડૂતો તેમના કાયદેસરના અધિકારો માટે લડી રહ્યા છે. ભારતના પરિવહન ક્ષેત્રની માફક, કૃષિ ક્ષેત્ર પણ દેશની જીવનદોરી છે. દેશના 70 ટકા ગામડાઓ ખેતી પર નિર્ભર છે. ખેડૂતોના આંદોલનથી સંપૂર્ણ ઉત્તર ભારત અને પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીરથી આવતા હજારો ટ્રકો પ્રભાવિત થયા છે અમે એમનુ સમર્થન કરીએ છીએ કારણ કે 65 ટકા ટ્રક ખેતી સાથે જોડાયેલી ચીજોના ટ્રાન્સપોર્ટમાં છે. 

December 1, 2020
bank_holidays.png
1min370

ડિસેમ્બરમાં કુલ ૧૪ દિવસ બેંકો બંધ રહેશે. ફક્ત અલગ અલગ રાજ્યમાં આ રજાઓ અલગ અલગ દિવસે હશે. સ્થાનિક તહેવારને આધારે બેંકોમાં રજા જાહેર કરવામાં આવશે.

બેંકોની રજા ત્રણ ડિસેમ્બરથી શરૂ થશે. ત્રીજી ડિસેમ્બરે કર્ણાટક રાજ્યમાં કનકદાસ જયંતી અને ફેસ્ટ ઓફ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરની રજા છે. ત્રીજી ડિસેમ્બર પછી છઠ્ઠી ડિસેમ્બરે રવિવાર હોવાથી સાપ્તાહિક રજા હશે. ત્યાર બાદ ૧૨મી ડિસેમ્બરે બીજા શનિવારની અને ૧૩મી ડિસેમ્બરે રવિવારની રજા હશે.

ગોવામાં ૧૭મી ડિસેમ્બરે લોસોંગ પર્વ, ૧૮મી ડિસેમ્બરે પુણ્યતિથિ યુ સો સો થમ અને ૧૯મીએ ગોવામુક્તિ દિનની રજા હશે. ત્યાર બાદ વીસ તારીખે રવિવારની રજા હશે.

ક્રિસમસને કારણે ૨૪મી અને ૨૫મી એ બેંકો બંધ રહેશે, જ્યારે ૨૬મીએ ચોથા શનિવારની અને ૨૭મીએ રવિવારની રજા આવશે. ૩૦મી ડિસેમ્બરે યુ કિઅંગ નંગબાહની અને ૩૧મી ડિસેમ્બરે થર્ટી ફર્સ્ટની કેટલાક રાજ્યમાં રજા રહેશે.

November 29, 2020
RTGS.jpg
1min476

આગામી મંગળવાર તા1લી ડિસેમ્બર 2020થી ભારતીય બેંકિંગ ક્ષેત્રમાં થઇ રહેલા એક નોંધપાત્ર સુધારામાં ભારતમાં ઇ-પેમેન્ટના સૌથી વધુ વ્યવહારો જેમાં થઇ રહ્યા છે એ RTGS (Real time gross settlement) 24 કલાક ઉપલબ્ધ બનશે.

રિઝર્વ બેંકેના સૂત્રોના જણાવ્યા અનુસાર RTGS (Real time gross settlement) આરટીજીએસ ટ્રાંઝેક્શન સુવિધા 1 ડિસેમ્બર 2020થી 24 કલાક માટે ઉપલબ્ધ રહેશે. કોરોના યુગમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં નોંધપાત્ર વધારો થયો છે. તેને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ બેંકે આ નિર્ણય લીધો છે. અગાઉ આરબીઆઈએ NEFTના નિયમોમાં પણ ફેરફાર કર્યા હતા. હાલના નિયમો મુજબ બીજા અને ચોથા શનિવાર સિવાય મહિનાના તમામ કામકાજના દિવસોમાં સવારે 7થી સાંજનાં 6 સુધી આરટીજીએસની સહાયથી ફંડ ટ્રાન્સફર કરી શકાય છે.

  • NEFT is used for fund transfers of up to ₹2 lakh.
  • NEFT and Immediate Payment Service (IMPS) are already available 24×7.
  • RTGS fund transfer happens on a real-time basis. Every transaction is settled individually in case of RTGS.
  • NEFT was made available 24×7 last year. But these fund transfer modes are generally used by individuals.
November 26, 2020
CIA_Live_Logo_New2.jpg
1min610

છેલ્લા ૯ મહિનાથી ચાલતા કરોના અને lockdown ના સંદર્ભમાં વેડિંગ, ઈવેન્ટ અને એક્ઝિબિશનના સેક્ટરમાં કામ કરતા હજારો લોકોની કફોડી હાલત કફોડી થઇ ગઇ છે. આર્થિક રીતે પાયમાલ થવા આવ્યા છે. અનેક પરિવારોને ઘર ચલાવવા માટે કામચલાઉ રીતે બીજા કામકાજ કરવા પડી રહ્યા છે. આવી સ્થિતિમાં સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા રાજ્ય સરકાર સુધી રજૂઆત પહોંચે એ માટે સુરત કલેકટરશ્રી ને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આજરોજ તા.26 નવેમ્બર 2020 ના ગુરૂવારના સાંજે ચાર વાગે કલેકટર ઓફિસ (સુરત) યોજવામાં આવ્યો છે. જેમાં ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા તમામ લોકો ઉપસ્થિત રહેશે.

આ માટે સાઉથ ગુજરાત સર્વિસ સેક્ટર ઇન્ડસ્ટ્રી (વેડિંગ, એક્ઝિબિશન અને ઇવેન્ટ) ના પ્રતિનિધિઓ સરકાર શ્રીને રજૂઆત કરવા માટેનું આવેદનપત્ર કલેકટરશ્રી ને આપશે.

November 26, 2020
laxmidbs.png
1min380

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લક્ષ્મી વિલાસ બેન્ક લિમિટેડ (એલવીબી)નાં ડીબીએસ બેન્ક ઈન્ડિયા લિમિટેડ(ડીબીઆઈએલ) સાથે એકીકરણની યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે.

થાપણદારોનાં હિતની રક્ષા અને આર્થિક અને નાણાકીય બેન્કિંગ સ્થિરતા માટે 17-11-2020નાં રોજ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની કલમ 4પ હેઠળ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની અરજી ઉપર એલવીબી 30 દિવસનાં મોરેટોરિયમ પીરિયડમાં હતી. આની સાથોસાથ સરકાર સાથે પરામર્શ કરીને આરબીઆઈએ એલવીબીનાં બોર્ડ ઓફ ડિરેક્ટરને પણ સુપરસીડ કરીને વહીવટદારની નિયુક્તિ કરી દીધી હતી.

હિસ્સેદારો અને જાહેર જનતાનાં સૂચનો અને વાંધાઓ મગાવ્યા બાદ આરબીઆઈએ બેન્કનાં એકીકરણ માટે સરકાર સમક્ષ યોજનાને મંજૂરી અર્થે રજૂ કરી હતી. આજે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, બેન્કનાં કોઈ કર્મચારીની છટણી નહીં થાય. આવી ઘટનાઓને ધ્યાને રાખીને રિઝર્વ બેન્કને પણ કહેવામાં આવ્યું છે કે દોષિતોને સજા થવી જોઈએ. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે ફરી આવી કોઈ ઘટના ન બને તે માટે ચાંપતી દેખરેખ રાખવી.

એલવીબીનાં ડીબીએસમાં વિલય ઉપરાંત એટીસી ટેલીકોમ ઈન્ફ્રામાં 2480 કરોડ રૂપિયાનાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ (એફડીઆઈ)ને પણ મંજૂરી આપવામાં આવી છે.

November 13, 2020
AffordableHousing.png
1min7760

કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને હાઉસિંગ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા મોટી રાહતની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, રોજગારી વધારવાના પગલાં અને કોરોનાની રસીના સંશોધન માટે રૂપિયા ૯૦૦ કરોડની ફાળવણીની પણ જાણકારી આપી હતી. ખેડૂતોને ખાતર સબસિડી પેટે રૂ. ૬૫,૦૦૦ કરોડ ફાળવાયા હતા. નિકાસને પ્રોત્સાહન આપવા રૂપિયા ૩૦૦૦ કરોડ ફાળવાશે.

રૂપિયા બે કરોડ સુધીના ઘર (પ્રાઇમરી રેસિડેન્શિયલ યુનિટ)ના સર્કલ રેટથી ઓછી કિંમતે વેચાણ માટે આવકવેરાના કાયદા હળવા બનાવાયા છે. અત્યાર સુધીમાં સર્કલ રેટ અને એગ્રીમેન્ટ વેલ્યુના માત્ર ૧૦ ટકા તફાવતની પરવાનગી હતી. હવે રૂપિયા બે કરોડ સુધીની કિંમતના રેસિડેન્શિયલ યુનિટ્સના પ્રાઇમરી સેલ માટે આ ગાળો ૨૦૨૧ની ૩૦મી જૂન સુધી વીસ ટકા કરાયો છે. સરકારના આ પગલાંથી ઘર ખરીદનારા લોકો અને ડેવલપર્સ, એમ બન્નેને લાભ થશે.

સરકારે નવી રોજગારી પૂરી પાડનારી કંપનીઓને સબસિડી આપવાનો નિર્ણય લીધો છે. આ સબસિડીમાં રિટાયરમેન્ટ ફંડમાંના ફાળાને બે વર્ષ માટે આવરી લેવાશે. નવા કર્મચારીને નોકરીમાં રાખનારી અને એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનમાં નોંધાયેલી કંપનીને આત્મનિર્ભર રોજગાર યોજના હેઠળ સબસિડી અપાશે.

નિકાસને પ્રોત્સાહન આપવા એક્ઝિમ બેંકને રૂપિયા ૩,૦૦૦ કરોડ ફાળવાશે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે દેશ હવે કોરોનાને કારણે આવેલી મંદીમાંથી બહાર આવી રહ્યો છે અને દેશની ઈકોનોમી રીકવર થઇ રહી છે. તેમણે કહ્યું હતું કે આંકડાઓ જોઈએ તો જીએસટી કલેક્શન ઓક્ટોબરમાં ગત વર્ષની સરખામણીએ ૧૦ ટકા વધીને રૂ. ૧.૦૫ લાખ કરોડ પર પહોચ્યું છે. આવી જ રીતે પીએમઆઇ ઇન્ડેક્સમાં પણ સુધારો થયો છે અને એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન ૩૫.૩૭ અબજ ડોલરનું વિદેશી રોકાણ દેશમાં આવ્યું છે. આ ઉપરાંત સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વધારે રૂ. ૧૮૦૦૦ કરોડ વાપરશે જેનાથી ૧૨ લાખ નવા ઘરો બનાવવામાં મદદ મળશે.

નાણાં પ્રધાને દેશમાં કોવિડ-૧૯ની રિકવરીને પહોંચી વળવા માટે મદદ કરવા નવી રાહત અને પ્રોત્સાહનોની જાહેરાત કરી હતી. મે, ૨૦૨૦થી કેન્દ્ર સરકાર દ્વારા જે પણ રાહત આપવામાં આવી છે, તે રાહતની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે.

સીતારામને કહ્યું હતું કે વિદેશી હુંડિયામણની અનામત ૫૬૦ અબજ ડોલર પર પહોંચી ગયું છે. તેમણે કહ્યું કે જીએસટી કલેક્શન ઓક્ટોબરમાં ૧.૦૫ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું હતું. એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન એફડીઆઇ ૩૫.૩૭ અબજ ડોલર રહ્યું હતું જે વાર્ષિક ૧૩ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

મુખ્ય અર્થશાસ્ત્રીઓએ સૂચવ્યું હતું કે રિકવરી માત્ર માંગથી જ નહીં, પણ મજબૂત આર્થિક વૃદ્ધિમાંથી પણ આવશે. તેમણે કહ્યું કે ઓક્ટોબરમાં પીએમઆઇ ૫૮.૯ ઉપર પહોંચી ગયો. જે સપ્ટેમ્બરમાં ૫૪.૬ ની સપાટીએ હતો.

વીજ વપરાશમાં વધારો અને બજારનું મજબૂત પ્રદર્શન સુધારણાના કેટલાક સંકેતો છે. છેલ્લા ૧૦-૧૫ દિવસથી આર્થિક સુધારા દેખાય છે.

સ્વનિર્ભર ભારત અભિયાન-૧ અંતર્ગત કેટલીક બાબતોમાં પર પ્રગતિ જોવા મળી રહી છે. વન નેશન વન રેશનકાર્ડ આમાં અગ્રણી છે. તેનો અમલ પહેલી સપ્ટેમ્બરથી કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં ૬૮.૬ કરોડ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે.

ઇન્ટ્રા સ્ટેટ પોર્ટેબિલીટી હેઠળ ૧.૫ કરોડ માસિક વ્યવહારો કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી શેરી વિક્રેતાઓ યોજના હેઠળ ૨૬.૬૨ લાખ લોનની અરજીઓ મળી છે. તેમાંથી ૧૩.૭૮ લાખ એપ્લિકેશન હેઠળ ૩૦ રાજ્યો અને છ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૧,૩૭૩.૨૨ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.

કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ અત્યાર સુધીમાં ૧૮૩ લાખ અરજીઓ આવી છે. બેંકોએ આ અંતર્ગત ૧૫૦ લાખ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ જારી કર્યા છે. બેંકે બે તબક્કામાં ૧,૪૩,૨૬૨ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત ૨૧ રાજ્યો દ્વારા કુલ ૧,૬૮૧.૩૨ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે નાબાર્ડ દ્વારા ૨૫ હજાર કરોડનું વધારાનું વિતરણ ખેડૂતોને કરવામાં આવ્યું છે. આ ઇમર્જન્સી વર્કિંગ કેપિટલ ફંડિંગ છે.

અહેવાલો અનુસાર સરકાર મુશ્કેલીમાં હોય તેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. આના માધ્યમથી તે અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવાનો પ્રયાસ કરશે. કેબિનેટે બુધવારે મળેલી બેઠકમાં ૧૦ સેક્ટરમાં પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ્સ (પીએલઆઇ)ના અમલીકરણને મંજૂરી આપી છે. પીએલઆઇ હેઠળ આવતા પાંચ વર્ષમાં ૧.૪૬ લાખ કરોડ રૂપિયા પૂરા પાડવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૫૭ હજાર કરોડની મહત્તમ પ્રોત્સાહન પ્રાપ્ત કરનારા ક્ષેત્રોમાં ઓટો અને ઓટોમોબાઈલ ક્ષેત્ર હોઈ શકે છે.

આ સિવાય જે ક્ષેત્રોને લાભ થશે તેમાં એડવાન્સ સેલ કેમિસ્ટ્રી, બેટરીઓ, ફાર્મા, ફૂડ પ્રોડકટ્સ અને વ્હાઇટ ગુડ્સ સામેલ છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર વધારાના ઉત્પાદન પર કંપનીઓને પ્રોત્સાહન આપશે અને તેમને નિકાસ પણ કરશે. ગયા મહિને, નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે જાહેરાત કરી હતી કે સરકાર ઘરેલું ઉત્પાદન ક્ષેત્રને ટેકો આપવા માટે ઉત્પાદન સાથે જોડાયેલા પ્રોત્સાહન લાવશે.

રાહત પેકેજ બે મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. પ્રથમ તે છે કે વધુને વધુ લોકોને રોજગારી કેવી રીતે પૂરી પાડવી તેના ઉપર રાહત પેકેજમાં મહત્ત્વની જાહેરાત હોઈ શકે છે. આ માટે સરકાર પ્રોવિડન્ટ ફંડમાં ૧૦ ટકા સબસિડીની જાહેરાત કરી શકે છે.

બીજા પગલાં તરીકે સરકાર કે.વી. કામત સમિતિ દ્વારા દબાણ અને મુશ્કેલી હેઠળ તમામ ૨૬ ક્ષેત્રો માટે ઇમર્જન્સી ક્રેડિટની વ્યવસ્થા કરી શકે છે. વિવિધ ક્ષેત્ર માટે વિવિધ રાહત આપી શકાય છે.

November 6, 2020
whasapppay.jpg
4min8100

નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ ગઇકાલ તા. 5 નવેમ્બર 2020ના રોજ ભારતમાં ફેસબુકને ઓનલાઇન મની ટ્રાન્સફરની સુવિધા શરૂ કરવા સંદર્ભે મંજૂરી આપી છે. ફેસબુકની માલિકીની એપ્લિકેશન WhatsAppPay ટૂંક સમયમાં યુઝર્સને નાણાંકીય લેવડદેવડની સુવિધા આપશે. નાણાંકીય લેવડ-દેવડ માટે Unified Payments Interface (UPI) methodનો ઉપયોગ કરવાનો રહેશે.

NPCI દ્વારા થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર્સ પર 30 ટકાની કેપ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ નિયમ 1 જાન્યુઆરીથી લાગુ થશે. જેનો અસરકારક અર્થ એ છે કે યુપીઆઈએ નવા ગ્રાહકોને સ્વીકારવાનું બંધ કરવું પડશે અને તે સરળતા રહેલ ટ્રાન્ઝેક્શનની સંખ્યાને પ્રતિબંધિત કરવી પડશે.

ફેસબુકની માલિકીના વ્હોટ્સએપ પે એપને નાણાંકીય લેવડદેવડની મંજૂરી મળતા જ પેટીએમ, ગૂગલ એપ, ફોન પે, જિયો એપ, એમેઝોન પે વગેરેમાં ફફડાટ મચી ગયો છે કેમકે હાલમાં વ્હોટ્સ એપ જેટલો વ્યાપ વિસ્તાર કોઇ અન્ય સોશ્યલ મેસેજિંગ સાઇટનો નથી. વ્હોટ્સએપનો વિશાળ યુઝર બેઝ જોતા તેની પેમેન્ટ એપને પણ જબરદસ્ત પ્રતિસાદ સાંપડે એમ છે.

જેમને હજુ સુધી UPI એટલે શું એ ખબર ન હોય તેમના માટે

National Payments Corporation of India NPCI

National Payments Corporation of India (NPCI), an initiative of the Reserve Bank of India (RBI) and Indian Banks‘ Association (IBA), is an umbrella organisation for operating retail payments and settlement systems in India.

How to Make a Payment Using WhatsApp In-Chat Payment?

To transfer funds using the WhatsApp In-Chat Payment system, click on the ‘Rupee’ symbol under the ‘Attachment’ option. After this step, money transfers can be made in a single step by entering the transaction amount and the UPI PIN. The main advantage of this type of payment system is that users will not have to navigate out of the chat window to make a payment.

Let us now understand the step-by-step process involved in making payments via Whatsapp (for Android users):

Step 1: Go to the chat window of the person to whom you want to make a payment and click on the attachment icon

Step 2: Proceed to click on the ‘Payment’ option in the chat window and accept terms and conditions

Step 3: Enter the amount you want to transfer, UPI PIN and send the money For those with iOS phones, click on the plus symbol in the chat window and follow the procedure from step 2.

Features and Benefits of WhatsApp In-Chat Payment

  • Make payment to anyone on WhatsApp contact list from anywhere and at anytime
  • User-friendly ‘pay’ feature that makes transferring funds as simple as sending a photo or a message
  • The payee/beneficiary will receive a payment notification on their chat window once the fund transfer has been made
  • There is no need to ask the payee for account details such as account number or IFSC Code. All you need is a virtual address to make payment
  • The WhatsApp In-Chat Payment application is a one-of-a-kind payment feature

November 4, 2020
banks-1280x592.jpg
2min601

98253 44944

વિદેશમાં ફરવા જનારાઓ, વિદેશમાં અભ્યાસાર્થે જનારાઓ, વિદેશમાં બિઝનેસ અર્થે જનારાઓની સંખ્યા વધતી જાય છે. વિદેશ જનારાઓએ એક વાતની ખાસ તકેદારી રાખવી પડે છે કે તેઓ જો રૂપિયાનું આયોજન નહીં કરે તો વિદેશમાં અટવાય શકે છે. એક સામટી કેશ લઇને વિદેશ જવામાં પણ જોખમ હોય છે. આવી સ્થિતિમાં જો ભારતીય બેંકો જ વિદેશમાં ઉપલબ્ધ બની શકે તો તેનાથી સારી સુવિધા શું હોઇ શકે.

અહીં ભારતીય બેંકોની વિદેશોમાં કયાં ક્યાં બ્રાન્ચીસ આવી છે તેની વિગતો રજૂ કરી છે. આ માહિતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે.