CIA ALERT

બિઝનેસ Archives - Page 28 of 87 - CIA Live

August 16, 2021
Cia_business_news-1280x936.jpg
1min446

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ વેસ્ટર્ન રિજિયન એટલે કે સુરત ઓફિસ દ્વારા તૈયાર કરવામાં આવેલા ભારતના સૌથી પહેલા ડાયમંડ ઓક્શન હાઉસનું ઉદ્ઘાટન આજરોજ જીજેઇપીસી સેન્ટ્રલ કાઉન્સિલના ચેરમેન કોલિન શાહે કર્યું હતું. આ પ્રસંગે જીજેપીસી મુંબઇ સમેત સમગ્ર ભારતના હીરા ઉદ્યોગકારો આજે સુરત આવ્યા હતા.

સુરત ડાયમંડ બુર્સ શરુ થતાની સાથે સુરતમાં માઈનીંગ કંપનીઓ દ્વારા કાચા હીરાનું વેચાણ થાય તે માટે સ્થાનિક હીરા ઉદ્યોગકારો અને આગેવાની સંસ્થાઓ છેલ્લાં દોઢ વર્ષથી પ્રયત્ન કરી રહ્યા છે. સુરતના હીરા ઉદ્યોગકારોએ રફ ડાયમંડ માટે વિશ્વના દેશોમાં ન જવું પડે અને કંપનીઓ, સંસ્થાઓ જ સ્વયં જ સુરતમાં આવીને કાચા હીરા, તૈયાર હીરા, સ્ટોન વગેરેનું જાહેર હરાજીથી વેચાણ કરી શકે તે માટે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા ટાઇટેનિયમ બિઝનેસ હબ ખાતે 2200 સ્કવેયર ફૂટના વિસ્તારમાં 16 કેબિનો ધરાવતું એક ઓકશન હાઉસ ઉભું કર્યું છે. સ્ટોરેજ ફેસેલિટી, સિક્યુરિટી સમેત ડાયમંડ ઓકશન માટેની તમામ માળખાગત સુવિધાઓ ધરાવતું ઓકશન હાઉસ તૈયાર થતાં આજરોજ જીજેઇપીસી સેન્ટ્રલ કાઉન્સિલના ચેરમેન કોલિન શાહના હસ્તે તેને હીરા ઉદ્યોગને સમર્પિત કરવામાં આવ્યું હતું.

પહેલું ઓક્શન 18થી 21 ઓગસ્ટ દરમિયાન

સુરતના અલથામ ખાતે આજે ઉદઘાટિત કરાયેલા ભારતના પહેલા ડાયમંડ ઓકશન હાઉસમાં પહેલું ડાયમંડ ઓક્શન આગામી તા.18થી 21 ઓગસ્ટ દરમિયાન યોજાશે. વક્રડીમા કંપની દ્વારા આયોજિત સિન્થેટિંક ડાયમંડનું આ ઓકશન હશે. ત્રણ દિવસ લેબગ્રોન ડાયમંડ ખરીદવા ઇચ્છતા લોકો ત્રણ દિવસ દરમિયાન હીરાનો જથ્થો જોઇ શકશે અને પછી તેમણે તેમની ઓફર ઓનલાઇન આપવાની રહેશે.

કાચા હીરા માટે ઉદ્યોગપતિઓએ વિદેશના ધક્કા ખાવા નહીં પડે

દિનેશ નાવડિયા  જીજેઈપીસી ગુજરાત રિજિયન ચેરમેન

અત્યાર સુધી કાચા હીરા કે અન્ય મટિરિયલ્સ માટે સુરતના હીરા ઉદ્યોગકારોએ વિદેશોમાં ફરવું પડતું હતું. કેટલીક વખત હરાજીમાં અનૂકુળ કિંમતે માલ ન મળે તો ધક્કો પણ પડતો, પણ હવે વિદેશોમાં જે રીતે હીરાની હરાજી થાય તેવું જ ભારતનું પહેલું ડાયમંડ ઓક્શન હાઉસ સુરતમાં 22 કરોડના ખર્ચે તૈયાર થયું છે. જ્યાં રફ કે પોલિશ્ડ ડાયમંડની સાથો સાથ ડાયમંડ-ગોલ્ડ જ્વેલરી, ગોલ્ડ-સિલ્વરનું સુરતની કે દેશની કંપનીઓ સહિત ઈન્ટરનેશનલ કંપનીઓ પણ સરળતાથી ઓક્શન કરીને તેનું ખરીદ-વેચાણ કરી શકશે.

August 14, 2021
Scrapping-India.jpg
1min361

ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં યોજાયેલી પહેલી સ્ટેટ ઇન્વેસ્ટર સમિટમાં ભારતના અર્થતંત્રને વેગ આપનારી નવી ઓટોમોબાઇલ ક્રેપ નીતિની સત્તાવાર જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કરી હતી. તેમણે આ તકે કહ્યું કે, પહેલી ઓક્ટોબરથી નવી નીતિ લાગુ થશે. નીતિ દેશમા રૂ. 10,000 કરોડનુ નવું રોકાણ લાવશે અને અસંખ્ય રોજગારીનું નિર્માણ કરશે. આ યોજનાને સરકારે કચરામાંથી કંચન ગણાવી હતી. આ નીતિના પગલે અલંગ અને કચ્છમાં ક્રેપ યાર્ડ શરૂ થઈ શકે છે.

તેમણે જણાવ્યું હતુ કે આ નીતિમાં સામાન્ય પરિવારોને દરેક રીતે ફાયદો થશે. ગાડીને ક્રેપ કરવા પર એક સર્ટિફિકેટ મળશે. આ સર્ટિફિકેટ જેની પાસે હશે તેણે નવી ગાડીની ખરીદી પર રજિસ્ટ્રેશન માટે કોઇ પૈસા આપવા નહી પડે. તેની સાથે જ રોડ ટેક્સમાં પણ છૂટ આપવામાં આવશે. બીજો લાભ એ થશે કે જૂની ગાડીનો નિભાવ ખર્ચ, મરામત ખર્ચ, ઇંધણ કાર્યક્ષમતામાં પણ બચત થશે. ત્રીજો લાભ કે જે જીવનસાથે સંકળાયેલો છે તે એ છે કે જૂની ગાડી, જૂની ટેકનોલોજીને કારણે માર્ગ અકસ્માતનો પણ ખતરો વધુ રહે છે, જેમાંથી મુક્તિ મળશે.’

આ કાર્યક્રમમાં કેન્દ્રિય પરિવહન પ્રધાન નીતિન ગડકરી અને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. નીતિન ગડકરીએ આપેલા પ્રવચનમાં ભાવનગરના અલંગ ખાતે દેશનો પ્રથમ ક્રેપ પ્લાન્ટ શરુ થઇ શકે તેમ જણાવ્યું હતુ. એ ઉપરાંત કચ્છમાં પણ જૂના વાહનો ક્રેપ કરવા માટે પાર્ક સ્થાપવાની વાત થઇ હતી.

વડાપ્રધાને પ્રવચનમાં જણાવ્યું હતુ કે ફોર્મલ ક્રેપીંગનો શું લાભ છે તેનો ગુજરાતે સાક્ષાત્કાર કર્યો છે. ગુજરાતના અલંગને શિપ રિસાયક્લીંગ હબ તરીકે ઓળખવામાં આવે છે. અલંગ દુનિયાની શિપ રિસાકક્લીયંગ ઉદ્યોગમાં પોતાની હિસ્સેદારી ઝડપથી વધારી રહ્યુ છે. શિપ રિસાયક્લીંગના આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે નવી રોજગારીની તકો વિકસાવી છે. આ સમગ્ર બાબતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્કીલ્ડ મેનપાવર પણ છે. આમ અલંગ ખાતે જહાજો બાદ ગાડીઓનું ક્રેપીંગનું પણ મોટુ હબ બની શકે છે.

ભારતની આઝાદીનું 75મુ વર્ષ આવી રહ્યુ છે ત્યારે આ નીતિ નવા ભારતની મોબિલિટી, ઓટો ક્ષેત્રને એક નવી ઓળખ આપશે. મોબિલીટીમાં આવેલી આધુનિકતા, ટ્રાવેલ અને

વાહનવ્યવહારનો બોજ તો ઘટાડે જ છે પરંતુ આર્થિક વિકાસ માટે પણ મદદ સાબિત થાય છે. 21મી સદીનું ભારતે ચોખ્ખુ, ટ્રાફિક મુક્ત અને સાનુકૂળ મોબિલીટીનું લક્ષ્ય લઇને ચાલવુ જોઇએ, તે આજે સમયની માગ છે.’

કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન’ નીતિન ગડકરીએ જણાવ્યું કે, દેશમાં સૌથી વધુ રોજગારી અને’ ટેક્સ આપતું ક્ષેત્ર ઓટોમોબાઇલનું છે, જે હવે વેગ પકડશે. પ્રદુષણની સાથે સાથે વાહનોની ફિટનેસ અને રોડ સેફ્ટી પર અમે વિશેષ ભાર મૂક્યો છે. ભારતમાં અંદાજે એક કરોડ ગાડીઓ ફિટનેસ વગર ચાલતી હતી જે પ્રદૂષણની સાથો સાથ અને સેફ્ટીની બાબતમાં પણ નુકશાનકારક છે અને આ જ બાબત ક્રેપેજ પૉલિસી તૈયાર થવા બાબતનું મુખ્ય પરિબળ હતું. જૂના વાહનો ક્રેપ થતા 10 થી 12 ટકા પ્રદૂષણ ઘટશે.

ગડકરીએ કહ્યું કે, ઉત્પાદન વધતા સરકારને જીએસટીમાં 30થી 40 હજાર કરોડનો ફાયદો થશે. નવા વાહનોની ખરીદીમાં પાંચ ટકાની છૂટ મળશે. જિલ્લામાં જ’ ક્રેપિંગ સેન્ટર અને ફિટનેસ સેન્ટર નિર્માણ પામશે પરિણામે માલીકોએ વ્હિકલ ક્રેપ કરવા વધુ દૂર નહીં જવું પડે. આ પૉલિસીથી અલંગ ખાતે ઈન્ટિગ્રેટેડ રિસાયક્લિગ હબ બનશે.’

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યુ કે, ગુજરાત ભારતનું સૌથી મોટું ઓટોમોબાઈલ હબ છે જેના પરિણામે ટાટા, ફોર્ડ, હોન્ડા, સુઝુકી જેવી ઘણી મોટી કંપનીઓ અને બીજી ઘણી મોટી ઉત્પાદન કંપનીઓ છે. વિકાસના પરિણામે મોટા ઓટોમોટિવ ઉત્પાદકોની હાજરી તેમજ રાજ્યમાં નોંધાયેલા વાહનોની સંખ્યામાં ભારે વધારો થયો છે.પર્યાવરણના જતન માટે જૂના વાહનોને ક્રેપ કરવાનું જરૂરી બની ગયું છે અને તેના માટે સુવિધાઓ વિકસાવવી એ માટે આપણે પ્રયાસો કરવા પડશે.

એશિયાના દેશો ક્રેપિંગ માટે ગુજરાતમાં ક્રેપ મોકલશે, જે કંડલાના માધ્યમથી ગુજરાતમાં આવશે. જૂનાં વાહનોનો નિકાલ કરવા માટે ગુજરાતમાં ચારથી પાંચ સ્થળે ભંગારવાડા બનાવવામાં આવશે.’

આ પોલિસી લાગુ થતાં જ જૂનાં વાહનો ક્રેપમાં જશે. ગુજરાતમાં કુલ મળીને 16,43,218 વાહન ભંગારવાડે જાય તેવો અંદાજ છે. કેન્દ્ર સરકારે પોલિસી જાહેર કરશે ત્યાર બાદ ગુજરાત સરકાર એમાં આંશિક ફેરફાર કરે એવી પણ શક્યતા છે.’

August 14, 2021
air-india.jpg
1min494

દેશની અંદર એક સ્થળેથી બીજા સ્થળે થતી હવાઇ મુસાફરી હવે મોંઘી થશે તેવું નાગરિક ઉડ્ડયન મંત્રાલયે Dt.13/08/2021 શુક્રવારે જણાવ્યું હતું.

ભાડાં પરની સૌથી વધુ અને સૌથી ઓછી ટોચમર્યાદા ૯.૮૩ ટકાથી વધારીને ૧૨.૮૨ ટકા કરવામાં આવી છે. માર્ચ ૨૦૨૦માં લાદવામાં આવેલા બે મહિનાના લૉકડાઉન પછી ૨૫ મે, ૨૦૨૦ના દિને હવાઇ સેવા ફરી શરૂ કરવામાં આવી હતી ત્યારે મહત્તમ અને લઘુતમ ભાડાની ટોચમર્યાદા જાહેર કરવામાં આવી હતી.

વિમાની કંપનીઓને નુકસાન ન જાય તે માટે લઘુતમ ભાડાની અને માગ વધુ હોય ત્યારે મુસાફરો પર વધુ બોજ ન આવે તે માટે આ બંને ટોચમર્યાદા લાદવામાં આવી હતી. સરકારે લાદેલી ભાડાં પરની ટોચમર્યાદામાં પેસેન્જર સિક્યોરિટી ફી, એરપોર્ટની યૂઝર ડેવલપમેન્ટ ફી અને જીએસટીનો સમાવેશ કરવામાં આવતો નથી. પ્રવાસી જ્યારે ટિકિટ બુક કરે ત્યારે વિવિધ ચાર્જ ઉમેરવામાં આવે છે. 

August 11, 2021
mansukh-mandaviya.jpg
1min470
Useless statements': States knew about vaccine availability in advance,  says Mansukh Mandaviya on shortage - Coronavirus Outbreak News

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન મનસુખ માંડવિયાએ મંગળવારે 10/8/21 ટવીટરના મધ્યમે જાહેરાત કરી છે કે ગુજરાતના અંકલેશ્વરમાં ભારતબાયોટેકની કોવેક્સિનની ઉત્પાદન સુવિધાને સરકારની મંજૂરી આપી છે.

માંડવિયાએ 6 ઓગસ્ટના રોજ રાજ્યસભાને માહિતી આપી હતી કે ભારત બાયોટેક અને ત્રણ જાહેર ક્ષેત્રની કંપનીઓ હાફકીન બાયોફાર્માસ્યુટિકલ કોર્પોરેશન લિમિટેડ, ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ લિમિટેડ (IIL) અને ભારત ઇમ્યુનોલોજિકલ બાયોલોજિકલ કોર્પોરેશન લિમિટેડ હાલ કોવેક્સિનનું ઉત્પાદન કરી રહી છે અને ઉત્પાદન વધારવા માટે સુવિધા વધારવામાં આવી રહી છે.

અહેવાલો અનુસાર અંકલેશ્વર સ્થિત કંપનીની સબસિડરી Chiron Behring Vaccinesમાં કોવેક્સિનના ઉત્પાદનને મંજૂરી આપવામાં આવી છે. અંકલેશ્વરમાં ટૂંક સમયમાં કોરોનાની રસી બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે. આ સુવિધામાં વાર્ષિક 20 કરોડ ડોઝનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. ભારત બાયોટેક કેન્દ્ર સરકારને પોતાની રસીના 50 કરોડ ડોઝ આપવા માટે પ્રતિબદ્ધ છે. હાલમાં ભારત બાયોટેકની રસીનું ઉત્પાદન હૈદરાબાદ, બેંગલુરૂ, પુણે અને અંકલેશ્વર થઈ રહ્યું છે.  

ઉલ્લેખનીય છે કે ભારત બાયોટેકે ગુજરાતના અંકલેશ્વરમાં કોવેક્સિન માટે ઉત્પાદન ક્ષમતાઓને વધારવાની જાહેરાત કરી છે. ભારત બાયોટેક તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કંપની પોતાના ગુજરાત પ્લાન્ટમાં ૧ વર્ષમાં કોવેક્સિનના 20 કરોડ ડોઝ બનાવશે.

અગાઉ નીતિ આયોગના સભ્ય ડૉ. વી કે પોલે 3 ઓગસ્ટના રોજ પત્રકારોને જણાવ્યું હતું કે IILએ ગુજરાતના અંકલેશ્વર ખાતે વધારાની સુવિધા શરૂ કરી છે જ્યાં રસીના 60 લાખ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે.

August 8, 2021
Cia_business_news-1280x936.jpg
1min345

Jayesh Brahmbhatt 98253 44944

સુરતમાં વિકસી રહેલા ટેક્ષટાઇલ ઉદ્યોગમાં કાપડ ઉત્પાદનની સૌથી પહેલી કડી વીવીંગ કારખાનેદારો દ્વારા જેનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યા છે એ વિસ્કોસ ફિલામેન્ટ રેયોન યાર્ન (60 ડેનિયર) પર એન્ટી સબસિડી ડ્યૂટી લાદવા માટે અધિરી બનેલી કેન્દ્ર સરકારની સંસ્થા ડીજીટીઆર (ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડી) ને આજે ફિયાસ્વીના પ્રમુખ અને કેન્દ્રની ટેક્ષટાઇલ કમિટીમાં સભ્ય સુરતના ભરત ગાંધીએ કચકચાવીને પત્ર લખ્યો છે, તેમણે કહ્યું કે સુરતના વીવીંગ કારખાનેદારો જ ભારતમાં વપરાશમાં લેવામાં આવતા ઇમ્પોર્ટેડ વિસ્કોસ ફિલામેન્ટ યાર્નના 95 ટકા જથ્થાના વપરાશ કર્તા છે, સુરતના વીવીંગ ઉદ્યોગ માટે ઇમ્પોર્ટેડ વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન (60 ડેનિયર) કી રૉ મટિરિયલ છે, આવું જાણવા છતા પણ જો આ યાર્ન પર એન્ટી સબસિડી ડ્યૂટી લાગૂ પાડવામાં આવશે તો સુરતમાં 3.50 લાખ જેટલા લૂમ્સ બંધ થઇ જશે અને લાખો લોકો બેરોજગાર બનશે.

ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડી (ડીજીટીઆર)ને કચકચાવીને લખેલા પત્રમાં ફિયાસ્વી (ફેડરેશન ઓફ ઇન્ડીયન આર્ટ સિલ્ક વીવીંગ ઇન્ડસ્ટ્રીઝ)ના પ્રેસિડેન્ટ ભરત ગાંધીએ જણાવ્યું છે કે ટેક્ષટાઇલ મંત્રાલયએ સ્પષ્ટ કર્યુ છે કે કાપડ ઉત્પાદનમાં જે ચીજવસ્તુઓ કી રૉ મટિરિયલ તરીકે વપરાશમાં લેવાતી હોય તેના પર એન્ટી સબસિડી ડ્યૂટી લાગૂ કરવી નહીં આમ છતાં ડીજીટીઆર કયા કારણોથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર ડ્યૂટી લગાડવા માટે અંતિમ તબક્કામાં પહોંચી છે એ બાબત જ શંકાપ્રેરક છે. ડીજીટીઆર ખુદ જાણે છે કે વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન સુરતના વીવીંગ કારખાનેદારો માટે કી રો મટિરિયલ છે, સૌથી વધુ ઇમ્પોર્ટેડ વિસ્કોસ ફિલામેન્ટ યાર્નનો ઉપયોગ જ સુરતના વીવીંગ કારખાનેદારો કરી રહ્યા છે, એવું પણ નથી કે મર્યાદિત કારખાનેદારો આનો ઉપયોગ કરે છે, સુરતમાં હજારો વીવીંગ કારખાનેદારો પોતાના લૂમ્સ મશીનો પર કાપડનું ઉત્પાદન કરવા માટે વિસ્કોસ ફિલામેન્ટ યાર્નનો ઉપયોગ કરે છે અને સુરતના વપરાશની માગને દેશી યાર્ન ઉત્પાદકો પહોંચી વળી શક્તા નથી અને તે જ કારણે આ યાર્ન ઇમ્પોર્ટ કરવું પડે છે. દેશી યાર્ન ઉત્પાદકો દ્વારા ઉત્પાદીત કરવામાં આવતા યાર્નની ક્વોલિટી સુરતના હાઇસ્પીડ મશીન્સ પર ટકી શકે તેવી પણ નથી.

ફિયાસ્વીએ સ્પષ્ટ કર્યું કે ડીજીટીઆરએ કુદરતી ન્યાયની કોઇ પ્રક્રિયા પૂરી કરી નથી. સુરતના વીવીંગ વપરાશકારોને તેમણે રૂબરૂમાં સાભળવા જોઇએ તે પણ કર્યું નથી અને તેની જગ્યાએ હવે વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટી સબસિડી ઠોકી બેસાડવાની પ્રક્રિયાને અંતિમ તબક્કામાં લઇ આવ્યા છે. તેમણે કહ્યું કે જો વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર ડ્યૂટી નાંખવામાં આવશે તો સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગને મોટું નુકસાન થશે. હાલમાં 6 લાખ લૂમ્સ સુરતમાં કાર્યરત તે પૈકીના 3.50 લાખ લૂમ્સ મશીનો બંધ થઇ જશે અને એ બંધ થતાં લાખો લોકો રોજગારી ગુમાવશે.

ડોમેસ્ટીક યાર્ન ઉત્પાદક ગ્રાસીમને જંગી દંડ થઇ ચૂક્યો છે

ઇમ્પોર્ટેડ વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટી સબસિડી ડયૂટી લાગૂ નહીં કરવા સંદર્ભે ફિયાસ્વીએ કેન્દ્રને લખેલા પત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે ભારતમાં વિસ્કોસ ફિલામેન્ટ યાર્નના મુખ્ય ઉત્પાદક ગ્રાસીમ-બિરલા ગ્રુપને કેન્દ્ર સરકારની જ સંસ્થા કોમ્પીટીશન કમિશન ઓફ ઇન્ડીયાએ ગઇ તા.16મી માર્ચ 2020ના રોજ રૂ.302 કરોડની જંગી રકમની પેનલ્ટી ફટકારી છે. આ પેનલ્ટી એટલા માટે ફટકારવામાં આવી છે કે ગ્રાસીમ-બિરલા ગ્રુપે તેમને મળેલી ઇજારાશાહીનો દૂરુપયોગ કરીને ચોક્કસ કંપનીઓને જ યાર્ન સપ્લાય કર્યું અને અનેક યાર્નના દરોમાં મનસ્વી રીતે વધારા કર્યા હતા.

કેન્દ્ર સરકારની ટેક્ષટાઇલ કમિટીના સભ્ય સુરતના ભરત ગાંધીએ ડીજીટીઆરને કરેલી રજૂઆતમાં સુપ્રીમ કોર્ટનો એક ચૂકાદો પણ ટાંક્યો છે કે જેમાં ઉત્પાદન માટે જરૂરી મટિરીયલ યાર્ન પર કોઇપણ પ્રકારની વધારાની ડ્યૂટી લાદી શકાય નહીં તેવો સંદર્ભ પણ છે.
પત્રમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો ડ્યૂટી લાગૂ કરવામાં આવશે તો ભારતમાં વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન (60 ડેનિયર)ના ઉત્પાદક બિરલા ગ્રુપ પોતાને મળેલી ઇજારાશાહીને બેફામ ઉપયોગ કરે તે સંભવ છે.

August 7, 2021
cottonseed_oil.jpg
1min416

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દોઢ વર્ષ પહેલા ભારતમાં પહેલી વખત એવું બન્યું હતું કે પેટ્રોલ કરતા ડીઝલનો ભાવ વધી ગયો હતો. આવું ઇતિહાસમાં પહેલી વખત બનતા તમામને નવાઇ લાગી હતી કેમકે ડિઝલ પેટ્રોલથી સસ્તું મળી રહ્યું હતું. એવું જ કંઇક ખાદ્યતેલોના ભાવમાં બન્યું છે. લોકોએ સ્વપનેય વિચાર્યું ન હતું કે કપાસીયા તેલનો ભાવ સિંગતેલ કરતા વધી જશે અને એવું જ બન્યું છે. સિંગતેલ કરતા કપાસીયા તેલનો ભાવ વધી જતા લોકોમાં ભારે અચરજ ફેલાયું છે. કપાસીયા તેલ સિંગતેલથી બહું જ સસ્તુ મળી રહ્યું હતું.

ઇતિહાસમાં પહેલીવાર કપાસિયા તેલના ભાવે સિંગતેલના ભાવને ટપી ગયા છે અને રાજકોટમાં સિંગતેલના ડબ્બે રુ.10 ઉંચા ભાવે સોદા થયા હતા. અત્યાર સુધી એવું જ જોવા મળ્યું છે કે સિંગતેલના ભાવ ઉંચા હોય કરકસર માટે લોકો કપાસિયા તેલ તરફ વળ્યા હતા પરંતુ, પ્રથમવાર બજારમાં ઉલ્ટુ ચિત્ર સર્જાતા ભારે અચરજ ફેલાયું છે.

રાજકોટમાં તા.4 ઓગસ્ટ 2021ના રોજ જથ્થાબજારમાં 15 કિલો સિંગતેલ નવા ડબ્બાના સોદા રુ.2435થી મહત્તમ રુ. 2485ના ભાવે પડ્યા હતા. તા.5 ઓગસ્ટે પણ તેના ભાવ આટલા જ રહ્યા હતા. જ્યારે તા.4 ઓગસ્ટે રુ. 2435થી 2465 વચ્ચે વેચાયેલ કપાસિયા તેલમાં તા.5મી ઓગસ્ટે રુ.10નો વધારો થતાં તા.5મી ઓગસ્ટે કપાસિયા તેલના ડબ્બાના રુ. 2455-2485ના ભાવે સોદા થયા હતા.

ગુજરાત એડીબલ ઓઈલ એન્ડ ઓઈલ સીડ્ઝ એસો. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં કપાસિયા તેલના ભાવમાં આવી ઉથલપાથલ થઈ નથી. તેમણે આ સાથે ઉમેર્યું કે એવું લાગી રહ્યું છે કે સિંગતેલના ભાવ માંગ અને પૂરવઠા મૂજબ છે ત્યારે કપાસિયા તેલમાં સટ્ટાખોરીથી ભાવ વધ્યા છે.

પામોલીન તેલમાં સરકારે આયાત માટે છૂટછાટ આપી છે, 30 સપ્ટેમ્બર સુધી ડયુટીમાં પણ ઘટાડો કર્યો છે છતાં પામોલીન તેલના ભાવ ઘટવાને બદલે વધી રહ્યા છે.

રાજકોટ માર્કેટયાર્ડમાં તા.6 ઓગસ્ટે કપાસિયાનો સૌથી ઉંચો રુ. 1790 સુધીના ભાવ મળ્યા હતા. યાર્ડમાં 250 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. માત્ર એક સપ્તાહમાં જ કપાસના પ્રતિ મણ દીઠ ભાવમાં રુ.57નો વધારો થયો છે. આ ઉપરાંત સોયાબીન, સન ફ્લાવર અને પામોલિન સહિતના તેલો કરતાં કપાસિયા તેલ સસ્તુ હોવાથી તેનો વધુ વપરાશ અને સામી બાજુ કપાસિયા તેલની શોર્ટેજ આ કારણો પણ ભાવ વધારા માટે જવાબદાર છે.

August 7, 2021
Export-from-India.jpg
1min347

નિકાસને પ્રોત્સાહન આપવા માટે યોજાયેલી પરિષદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હાલ આપણે જીડીપીની ૨૦ ટકા જેટલી નિકાસ કરીએ છીએ અને કોવિડ બાદના વિશ્ર્વમાં નિકાસ ૪૦૦ અબજ ડોલર સુધી વધારવાની મબલક તક પડી છે. 

એમણે ઉદ્યોગપતિઓ અને નિકાસકારોને આ તકનો લાભ લેવાની હાકલ કરી હતી. ભારતીય દૂતાવાસો અને એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલને સંબોધતા એમણે જણાવ્યું હતું કે આપણે દરેક ક્ષેત્રે વૈશ્ર્વિક ઉસ્તાદો પેદા કરવા પડશે. ઉત્પાદનને આધારે પ્રોત્સાહન આપવાની યોજના સરકારની ‘ઇમરજન્સી ક્રૅડિટ લાઇન ગૅરન્ટી સ્કીમ’ ઉદ્યોગજગતને સ્થાનિક ઉત્પાદન વધારવામાં મદદ કરશે.  સ્થાનિક મોબાઇલ ફોન ઉત્પાદનના 

ક્ષેત્રે આયાત આઠ અબજ ડોલરથી ઘટીને બે અબજ ડોલર થઇ છે અને નિકાસ જે અગાઉ ૦.૩ અબજ ડોલર હતુ, એ વધીને ૩ અબજ ડોલર થયુ હોવાની વાત પણ એમણે જણાવી હતી. 
એમણે વધુમાં જણાવ્યું હતું કે પાછલી અસરથી કરો નાબૂદ કરવાના નિર્ણય અમારી કટિબદ્ધતા અને નીતિમાં સમતોલપણું જાળવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય વસ્તુઓની નિકાસ માટે નવા ઠેકાણાં શોધવાની વાત પર જોર આપતા જણાવ્યું હતું કે ભારતના વિદેશમાં રહેલા દૂતાવાસોએ ભારતીય વસ્તુઓના વેચાણ માટે નવા ઠેકાણાં શોધવા જોઇએ.

August 5, 2021
kumar-mangalam-birla.jpg
1min332

કુમાર મંગલમ બિરલાએ વોડાફોન આઈડિયાના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે.

વોડાફોન આઈડિયાના બોર્ડે તેમનું રાજીનામું મંજૂરી કરી લીધું છે. કંપનીએ આ અંગે બીએસઈને જાણકારી આપી છે. કંપનીએ કહ્યું છે કે, બિરલાના રાજીનામા બાદ હિમાંશુ કપાણિયાને એકમતે નવા નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવાયા છે.

હિમાંશુ કમાણિયા હાલમાં વોડાફોન આઈડિયાના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે. કપાણિયા વોડાફોન આઈડિયાના બોર્ડમાં આદિત્ય બિરલા ગ્રુપના નોમિની છે. તેમને ટેલિકોમ ઈન્ડસ્ટ્રીનો 25 વર્ષનો અનુભવ છે. તેમને દુનિયાની દિગ્ગજ ટેલિકોમ કંપનીઓના બોર્ડનો પણ અનુભવ છે. ત ગ્લોબલ જીએસએમએના બોર્ડમાં પણ બે વર્ષ સુધી રહ્યા છે. તેઓ બે વર્ષ માટે સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (સીઓએએલ)ના ચેરમેન પણ રહી ચૂક્યા છે.

કમાણિયા હાલમાં ટેલિકોમ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ડિજિટલ ઈકોનોમી પર ફિક્કીની કાઉન્સિલના ચેરમેન છે. કંપનીએ કહ્યું કે, નોમિનેશન એન્ડ રેમ્યુનરેશન કમિટીની ભલામણ પર બોર્ડે સુશીલ અગ્રવાલને આદિત્ય બિરલા ગ્રુપના નોમિનીના રૂપમાં એડિશનલ ડાયરેક્ટર નિયુક્ત કરાયા છે.

વોડાફોન આઈડિયા ગંભીર નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. ફંડ મેળવવાના તેના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. તેના ગ્રાહકોની સંખ્યા સતત ઘટી રહ્યા છે. કામકાજ ચાલુ રાખવા માટે પણ તેની પાસ પૂરતા રૂપિયા નથી. તેણે સરકારને એજીઆરની મોટી રકમ ચૂકવવાની છે. 31 ઓગસ્ટ, 2018માં વોડાફોન આઈડિયા અને આઈડિયા સેલ્યુલરનું વિલનીકરણ થયું હતું. ત્યારથી આ કંપની સતત ખોટમાં છે. તેના પર 1.8 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.

August 3, 2021
stock.jpg
1min444

વૈશ્વિકના શેર બજારોની સાથે તેજીનું સંતુલન જાળવતા ભારતીય શેરબજારોમાં આજે આગઝરતી તેજી જોવા મળી હતી. આજે તા.3 ઓગસ્ટે બપોરે બપોરે 1 વાગ્યાની સ્થિતિએ નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્ષમાં ઐતિહાસિક 16000ની સપાટી વટાવી દીધી હતી. સેન્સેક્સમાં પણ 525 પોઈન્ટ્સના ઉછાળા સાથે 53,475ની સપાટી નોંધાઇ હતી.

Day trading guide for Wednesday: The chart pattern of daily and weekly signal a possibility of an upside bounce in the market from the lows of around 15,650 to 15,680 levels in the next 1-2 sessions, say experts.

આજે વધનારા શેર્સમાં મોટાભાગે બેન્કિંગ, આઈટી, ફાર્મા અને FMCG શેર્સનો સમાવેશ થાય છે. આઈટી ઈન્ડેક્સની વાત કરીએ તો એમ્ફેસિસ 3.21 ટકા અને ટાટા એલેક્સી 2.78 ટકાના ઉછાળા સાથે ટોપ પર રહ્યા છે. આ સિવાય ટીસીએસ, ઈન્ફોસિસ પણ આજની તેજીમાં દોડી રહ્યા છે. રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં પણ ખરીદી યથાવત જોવા મળી રહી છે.

ટાઈટન 3.89 ટકાના ઉછાળા સાથે 1839ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે HDFC 3.24 ટકાના ઉછાળા સાથે બીજા નંબરે હતો. આ સિવાય સન ફાર્મા, ભારતી એરટેલ, ઈન્ડસિન્ડ બેન્ક, ટીસીએસ, એશિયન પેઈન્ટ્સ, એસબીઆઈ, HUL, એક્સિસ જેવા શેર્સ પણ ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. ઈન્ફોસિસનો શેર પણ આજે પોતાની ઓલટાઈમ હાઈ સપાટીને સ્પર્શી જતાં તેનું માર્કેટ કેપ 7 લાખ કરોડના સ્તરને વટાવી ગયું હતું.

August 2, 2021
erupi.jpg
1min446

વડા પ્રધાન નરેન્દ્ર મોદી dt 2/8/2021, સોમવારે સાંજે ડિજિટલ પૅમેન્ટ સૉલ્યુશન ઇ-રૂપી લૉન્ચ કરશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડા પ્રધાન સાંજે ૪.૩૦ વાગ્યે ઇ-રૂપીને લૉન્ચ કરશે. 

વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે સરકાર અને લાભાર્થી વચ્ચે મર્યાદિત સંપર્ક સહિત ચોક્કસ રીતે અને લીક પ્રૂફ રીતે ચોક્કસ લાભાર્થીને લાભ મળી શકે એ માટે સરકાર ઘણા વર્ષોથી પ્રયત્ન કરી રહી છે. 

ઇ-રૂપી ચૂકવણી માટે કેશલેસ અને કૉન્ટેક્ટલેશ સાધન છે.  આ ક્યુઆર કૉડ અથવા એસએમએસ સ્ટ્રીંગ આધારિત ઇ-વાઉચર છે અને એને લાભાર્થીના મોબાઇલ પર મોકલવામાં આવશે. આ ઇ-રૂપી મેળવનાર લાભાર્થી ચોક્કસ કેન્દ્રો પર જઇને ઇ-રૂપી વાઉચરને કોઇપણ કાર્ડ, ઇન્ટરનેટ બૅન્કિંગ અથવા કોઇપણ જાતની ઍપની વગર વટાવી શકશે. 

નૅશનલ પેમેંટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાએ પોતાના યુપીઆઇ પ્લેટફૉર્મ પર વિત્તિય સેવા વિભાગ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણના સહયોગથી ઇ-રૂપી બનાવવામાં આવી છે. 

સેવાઓના સ્પોન્સર્સને ઇ-રૂપી કોઇપણ જાતના શારીરિક સંપર્ક વગર લાભાર્થીઓને અને સેવા પ્રદાતાને જોડશે. 

ઇ-રૂપી  ઉપયોગ માતૃ એવં બાળ કલ્યાણ યોજનાઓ હેઠળ દવાઓ અને પોષણ સંબંધી સહાયતા, ટીબી ઉન્મૂલન કાર્યક્રમો, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેવી યોજનાઓ હેઠળ દવાઓ, ઉપચાર, સબ્સિડી વગેરે આપવાની યોજનાઓ હેઠળની સેવાઓ મેળવવા માટે કરી શકાશે. 

ખાનગી ક્ષેત્ર પણ પોતાના કર્મચારીઓને કલ્યાણ યોજનાઓ અને સામાજિક જવાબદારી સંબંધી યોજનાઓ માટેના વળતર આપવા ઇ-રૂપીનો ઉપયોગ કરી શકશે.