CIA ALERT

બિઝનેસ Archives - Page 25 of 87 - CIA Live

October 26, 2021
piyushgoyal.jpg
1min390

ટૅક્સ્ટાઈલ એન્જિનિયરિંગ ઉદ્યોગ અને સરકારના સામૂહિક પ્રયાાસો થકી ટૅક્સ્ટાઈલ મશીનરી સેગ્મેન્ટની આયાતનિર્ભરતા દૂર કરવા દેશના ૧૦૦ ટૅક્સ્ટાઈલ મશિનરી ક્ષેત્રના માંધાતાઓને કેન્દ્રીય ટૅક્સ્ટાઈલ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલે આહ્વાન કર્યું છે. 

ટૅક્સ્ટાઈલ ક્ષેત્રને વાઈબ્રન્ટ બનાવવા માટે ગોયલે ગત રવિવારે Dt.24/10/21 વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ટૅક્સ્ટાઈલ મંત્રાલય, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ ટૅક્સ્ટાઈલ તેમ જ ટૅક્સ્ટાઈલ મશીનરી ઉત્પાદકો સાથે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં મશીનરી ઉત્પાદકોને આદેશ અને નિયંત્રણોની માનસિકતામાંથી બહાર આવીને પ્લગ ઍન્ડ પ્લે દ્વારા કામ કરવા જણાવ્યું હતું.  

ઉક્ત કોન્ફરન્સમાં ૧૫ વિદેશી ટૅક્સ્ટાઈલ મશીન ઉત્પાદકો, ૨૦ સ્થાનિક ઉત્પાદકો અને સાત ટૅક્સ્ટાઈલ મશીનરી અને સંલગ્નિત ઔદ્યોગિક સંગઠનોએ ભાગ લીધો હતો તેમ જ તેનાં મંતવ્યો આપ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ પરિસંવાદનો મુખ્ય આશય મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ ટૅક્સ્ટાઈલ એન્જિનિયરિંગ ઉદ્યોગની વૃદ્ધિ માટે અસરકારક ઈકોસિસ્ટમ વિકસાવવાનો અને વ્યૂહ ઘડવાનો હતો. 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં મૂડીગત્ માલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકારે નેશનલ કેપિટલ ગૂડ્સ પૉલિસી અમલી બનાવી છે. આ નીતિ હેઠળ દેશમાં મૂડીગત્ માલનું ઉત્પાદન જે વર્ષ ૨૦૧૪-૧૫માં ૩૧ અબજ ડૉલરનું હતું તે વર્ષ ૨૦૨૫ સુધીમાં વધારીને ૧૦૧ અબજ ડૉલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. 

October 23, 2021
paytm.jpeg
1min370

આઇપીઓ માર્કેટમાં ફરી ઇતિહાસ રચાવા જઇ રહ્યો છે. દેશમાં સૌથી મોટી રકમની પબ્લિક ઓફર લાવીને પેટીએમ આ ક્ષેત્રમાં ડંકો વગાડવાની છે. આ વર્ષે આઇપીઓ માર્કેટમાં ધૂમ તેજી છે. એમાં હવે પેટીએમના આઇઇપીઓથી રોનક છવાઇ જાય એમ છે કારણકે સેબીએ કંપનીના રૂ.16,600 કરોડના આઇપીઓને મંજૂરી આપી છે. અગાઉ 2010માં કોલ ઇન્ડિયાનો આઇપીઓ રૂ. 15,000 કરોડનો આવ્યો હતો.

કંપની નવેમ્બરના આરંભમાં આઇપીઓ બહાર પાડે તેવી શક્યતા છે. જોકે ઝડપથી લિસ્ટેડ થવા માટે કંપની શેર વેચાણની યોજના પ્રથમ બનાવી રહી છે.’

કંપની રૂ.1.47થી 1.78 લાખ કરોડનું મૂલ્યાંકન ઇચ્છી રહી છે. અમેરિકા સ્થિત વેલ્યૂએશન કંપનીએ એક શેરની કિંમતનું મૂલ્યાંકન રૂ. 2950 જેટલું કર્યું છે. એ રીતે આઇપીઓનો ભાવ ઘણો ઉંચો રાખવામાં આવે તેમ છે. આ આઇપીઓ સફળ રહે તો દેશનો સૌથી મોટો આઇપીઓ હશે.આઇપીઓનું સંચાલન મોર્ગન સ્ટેનલી, સિટીગ્રુપ ગ્લોબલ, જેપી મોર્ગન ચેઝ છે. મોર્ગન સ્ટેનલીની દાવેદારી મોટી છે.

પેટીએમના ફાઉન્ડર અને સીઇઓ વિજય શેખર શર્મા પાછલા એક વર્ષથી કંપનીની આવક વધારીને સેવાઓને મોનેટાઇઝ કરવામાં અત્યંત વ્યસ્ત છે. સ્ટાર્ટઅપે ડિજીટલ ઉપરાંત હવે બાંકિંગ, ક્રેડિટ કાર્ડ,ફાયનાન્સિયલ સર્વિસ, વેલ્થ મેનેજમેન્ટ અને ડિજીટલ વોલેટ જેવા ક્ષેત્રોમાં પણ કારોબાર ફેલાવી દીધો છે.

કંપનીએ હવે ફોન પે, ગુગલ પે, એમેઝોન પે અને વોટ્સ એપ પે તરફથી સર્જાયેલી હરિફાઇને પણ મજબૂતીથી સહન કરી લીધી છે. મર્ચન્ટ પેમેન્ટ ક્ષેત્રમાં પેટીએમનો બજાર હિસ્સો સૌથી વધારે છે. કંપનીના 2 કરોડથી વધારે મર્ચન્ટ પાર્ટનર છે અને તેના યુઝરો મહિને 1.4 અબજ જેટલા વ્યવહારો કરે છે. પેટીએમ માટે 2021ના નાણા વર્ષના પ્રથમ ત્રણ માસ ખૂબ સારાં રહ્યા છે. એ વખતે કોવિડની બીજી લહેરમાં ડિજીટલ વ્યવહારોમાં ખૂબ જ તેજી આવી હતી.’

October 20, 2021
Cia_business_news-1280x936.jpg
1min574

Jayesh Brahmbhatt 98253 44944

વિશ્વ પ્રસિદ્ધ ડાયમંડ પેઢી કિરણ જેમ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમાવજીભાઈ પટેલ, ડાયરેક્ટર શ્રી દિનેશ લાખાણી અને શ્રી રાજેશ લાખાણીએ સુરતના ખજોદ ખાતે નિર્માણાધીન સુરત ડાયમંડ બુર્સની સાઇટની ગઇ તા.16 ઓક્ટોબર 2021ના ​​રોજ શનિવારે રૂબરુ મુલાકાત લીધી હતી. કિરણ જેમ્સ ડાયમંડ કંપનીએ સુરત ડાયમંડ બુર્સમાં અંદાજે 1 લાખ ચો.ફૂટ જેટલી વિશાળ ઓફિસ સ્પેશ ખરીદી છે અને તેના ઇન્ટીરીયર ડેકોરેશન માટે કિરણ જેમ્સના ટોપ મેનેજમેન્ટ ઓફિશયલ્સે ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી. કંપનીનો પ્લાન છે કે ડાયમંડ બુર્સ ખાતે સાકાર થઇ રહેલી કિરણ જેમ્સની ઓફિસમાં વૈશ્વિક સ્તરની તમામ અત્યાધુનિક સુવિધાઓ હશે જ્યાં કર્મચારીઓને કામ કરવા માટેનું બળ મળે તેવું વાતાવરણ હશે.

કિરણ જેમ્સના સૂત્રોએ જણાવ્યુ હતું કે સુરત ડાયમંડ બુર્સના પ્રોજેક્ટમાં આકાર પામી રહેલી કિરણ જેમ્સની ઓફિસ અત્યાધુનિક સુવિધાઓ અને વેલ ઇકવીપ્ડ હશે. ઓફિસ સ્પેસની ડિઝાઇનનું કામ જાણીતા મનીષ ચોક્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે. કિરણ જેમ્સએ 15 માળની ઇમારતના ચાર માળમાં ફેલાયેલી 100,000 ચોરસ ફૂટથી વધુ ઓફિસ સ્પેસ કબજો મેળવીને ઇન્ટીરીયર ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરાવી દીધી છે.

કિરણ જેમ્સના મેનેજમેન્ટ દ્વારા જણાવાયા મુજબ સુરત ડાયમંડ બુર્સ જેવા મોટા સંકુલમાં જવા માટે કંપની ઉત્સાહિત છીએ. ડાયમંડ બુર્સ ખાતેની કિરણ જેમ્સની ઓફિસમાં 2000 થી વધુ હીરા સહાયકો અને 500 વેચાણ અને સહાયક ટીમને સમાવશે. કિરણ જેમ્સ સુરત ડાયમંડ બુર્સની નવીનત્તમ ઓફિસ ખાતે પોતાની વેચાણ ટીમ, ખાતાઓ, માનવ સંસાધન અને માર્કેટિંગ ટીમને સંપૂર્ણપણે શીફ્ટ કરવાની યોજના ધરાવે છે. કિરણ જેમ્સ પોતાના કર્મચારીઓએ શ્રેષ્ઠત્તમ માહોલમાં કાર્ય કરી શકે તેવું વાતાવરણ આપવા માટે કટિબદ્ધ છે. કિરણ પરિવારના દરેક સભ્યની સુખાકારીને ધ્યાનમાં રાખીને કાર્યસ્થળની રચના કરવામાં આવશે તેમ કિરણ જેમ્સના નિયામક માવજીભાઇ પટેલે જણાવ્યું હતું.

October 19, 2021
sensex_green.jpg
1min715

ભારતીય શેરબજારોએ આજે તા.19 ઓક્ટોબર 2021ને મંગળવારે માર્કેટ ખુલતાની સાથે જ નવો રેકોર્ડ બનાવ્યો છે. આજે મંગળવારે સવારે 9.26 કલાકે સેન્સેક્સ 348 અંક વધી 62113 પર કારોબાર કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 104 અંક વધી 18581 પર કારોબાર કરી રહી હતી.

શેર બજારમાં જાણે દિવાળી આવે એ પહેલા જ દિવાળી જેવી તેજીનો અનુભવ થઇ રહ્યો છે. પહેલીવાર સેન્સેક્સ 62100 અને નિફ્ટી 18600ને પાર પહોંચ્યો છે. શેર માર્કેટમાં આવેલી આ તેજીથી રોકાણકારોની તો દિવાળી પહેલા જ દિવાળી શરું થઈ ગઈ છે. કોરોના કાળમાં દરેક ધંધા-રોજગાર મંદ પડ્યા હતા પરંતુ જેમ જેમ કોરોના કેસ ઓછા થઈ રહ્યા છે તેમ તેમ માર્કેટ બમણી તેજીથી વધી રહ્યું છે.

IT, PSU, બેંક, ઓટો ક્ષેત્રમાં તેજી જોવા મળી રહી છે. 35 સત્રમાં બેંક નિફ્ટી 35,000થી 40,000નું સ્તર પાર કરી ગઈ છે. સેન્સેક્સ પર લાર્સન, બજાજ ફિનસર્વ, HCL ટેક, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. લાર્સન 3.22 ટકા વધી 1845.65 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ITC, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રીડ કોર્પ, ટાઈટન કંપની, નેસ્લે સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ITC 2.69 ટકા ઘટી 255.40 પર કારોબાર કરી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 0.77 ટકા ઘટી 7340.50 પર કારોબાર કરી રહ્યો છે.

BSE પર 2526 શેર્સમાં કારોબાર થયો. જેમાંથી 1713 શેર્સ વધારા સાથે અને 701 શેર્સ લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા. તેની સાથે જ BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પ્રથમ વખત 276 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આ પહેલા સોમવારે સેન્સેક્સ 460 પોઈન્ટ વધી 61765 અને નિફ્ટી 138 પોઈન્ટ વધી 18477ના સ્તરે બંધ થયો હતો.

October 19, 2021
rbi.jpg
1min430

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પર 1 કરોડ રૂપિયાનો મૌદ્રિક દંડ ફટકાર્યો છે. ભારતીય રિઝર્વ બેંક (ફ્રોડ્સ વર્ગીકરણ અને કોમર્શિયલ બેંક દ્વારા રિપોર્ટિંગ) 2016નામાં રહેલાં દિશાનિર્દેશોનું પાલન ન કરવા બદલ RBI દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પર આ દંડ લગાવવામાં આવ્યો છે.

એસબીઆઈ બેંક ઉપર આ દંડ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 47A (1) (c)ની સાથે 46(4)(i) અને 51(1)ની ધારાઓ હેઠળ લગાવવામાં આવ્યો છે. રેગ્યુલેટરી નિયમોનું પાલન ન કરવા પર અને બેંક દ્વારા ગ્રાહકો સાથે થયેલાં કોઈપણ ટ્રાન્જેક્શન અને કરારની માન્યતા સાથે સંબંધિત નથી.

આરબીઆઈએ જણાવ્યું કે, આરબીઆઈ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગ્રાહકોના એકાઉન્ટ અંગે સ્ક્રૂટિની કરવામાં આવી હતી. અને આ તપાસમાં સામે આવ્યું કે, બેંક દ્વારા આરબીઆઈના નિર્દેશોનું પાલન કરવામાં આવ્યું ન હતું. આરબીઆઈ દ્વારા ગ્રાહકોનાં એકાઉન્ટની સાથે તેનાથી સંબંધિત કોરસ્પોન્ડન્સ અને અન્ય બાબતોની પણ તપાસ કરવામાં આવી હતી. જે બાદ એકાઉન્ટમાં ધોખાધડીની સૂચના આરબીઆઈને આપવામાં આવી હતી.

જે બાદ આરબીઆઈ દ્વારા એસબીઆઈને આ મામલે નોટિસ પાઠવવામાં આવી હતી અને પુછવામાં આવ્યું હતું કે, નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેના પર કેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવે? જે બાદ એસબીઆઈ દ્વારા આ નોટિસનો જવાબ મોકલવામાં આવ્યો હતો. પણ જવાબથી અસંતુષ્ટ આરબીઆઈ દ્વારા દેશની સૌથી મોટી સરકારી બેંક પર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

SBI ઉપરાંત આરબીઆઈ દ્વારા પ્રાઈવેટ બેંક સ્ટાન્ડર્ટ ચાર્ટર્ડ ઉપર પણ 1.95 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક પર નક્કી સમયગાળાની અંદર સાયબર સુરક્ષા ઘટનાઓના રિપોર્ટ કરવામાં અસફળ સહિત અન્ય કારણોથી આ દંડ ફટકારવામાં આવ્યો છે.

October 18, 2021
e_shram.jpg
1min566

ઈ-શ્રમ પોર્ટલ ઉપર શ્રમિકોનું રજીસ્ટ્રેશન ચાર કરોડને પાર કરી ગયું છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે રવિવારે જાણકારી જારી કરી હતી. પોર્ટલ શરૂ થયાના બે મહિનાથી પણ ઓછા સમયમાં ચાર કરોડ લોકો પોર્ટલ સાથે જોડાયા છે. આ પોર્ટલ પ્રવાસી શ્રમિકો, નિર્માણ શ્રમિકો વગેરેનો પહેલો નેશનલ ડેટાબેઝ છે.

પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન મારફતે શ્રમિકો વિભિન્ન સામાજીક સુરક્ષા અને રોજગાર યોજનાઓનો લાભ ઉઠાવી શકે છે.’ શ્રમ મંત્રાલયે નિવેદનમાં કહ્યું છે કે, નિર્માણ, કપડા, મેન્યુફેક્ચરિંગ, મત્સ્ય પાલન, સડકો ઉપર રેકડી લગાડતા, ઘરનું કામકાજ કરતા, કૃષિ સંલગ્ન અને અન્ય ક્ષેત્રના શ્રમિકો પોર્ટલ ઉપર નોંધણી કરાવી રહ્યા છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઘણા ક્ષેત્રોના પ્રવાસી શ્રમિકોએ પણ પોર્ટલ ઉપર નોંધણીમાં ઉત્સાહ બતાવ્યો છે. નવા આંકડા પ્રમાણે 4.07′ કરોડ શ્રમિકોએ નોંધણી કરાવી છે. જેમાં 50.02 ટકા મહિલાઓ અને 49.98 ટકા પુરૂષ કામદાર છે. આંકડા અનુસાર ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, બિહાર અને મધ્યપ્રદેશ તરફથી સૌથી વધારે નોંધણી થઈ રહી છે. જો કે નાના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી રજીસ્ટ્રેશન ખૂબ ઓછું છે.

October 17, 2021
bitcoin_1.jpg
1min506

દુનિયાની’ સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની કિંમત શનિવારે 62,000 ડોલર સુધી પહોંચી ગઈ હતી. અંદાજિત 6 મહિનામાં પહેલી વખત કિંમત 62,000નાં સ્તરે પહોંચી છે.

માનવામાં આવે છે કે અમેરિકી નિયામક આગામી અમુક દિવસમાં દેશના પહેલા બિટકોઇન એક્સચેન્જ ટ્રેડેડ ફંડને મંજૂરી આપી શકે છે. આ આશાએ બિટકોઇનની કિંમતમાં સતત તેજી આવી રહી છે અને પોતાના રેકોર્ડ સ્તરે પહોંચી છે. એપ્રિલનાં મધ્યમાં બિટકોઇનની કિંમત 65,000 ડોલર પાસે પહોંચી હતી.

‘ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ વઝીરએક્સના કહેવા પ્રમાણે બપોર બાદ 3.67 ટકાનો ઉછાળો આવ્યો હતો અને બિટકોઇન ઉપર 61,720 ડોલર એટલે કે 47,90,152 રૂપિયા ઉપર ટ્રેડ થયો હતો. દુનિયાની બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી ઈથર પણ 0.24 ટકાની તેજી સાથે 3836 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહી હતી. આવી જ રીતે અન્ય ક્રિપ્ટોકરન્સીમાં પણ તેજી જોવા મળી હતી. ક્રિપ્ટોકરન્સીના રોકાણકારોને અમેરિકામાં પહેલા બિટકોઇન ઇટીએફની મંજૂરીની રાહ છે. જેને ડિજિટલ એસેટ્સના મેઇનસ્ટ્રીમ એડોપ્શનની દિશામાં આગળ વધારવામાં આવેલું પગલું ગણવામાં આવી રહ્યું છે.’

October 16, 2021
sumul.jpg
1min1010
Ghari

આ વખતે સુરતીઓ વિક્રમી ઘારી ઝાપટશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતીઓના પોતિકી તહેવાર ચંદની પડવા પર્વે આ વખતે સુરતીઓ ઘારી ખાવાના તમામ રેકોર્ડ તોડી નાંખશે. મળતી માહિતી મુજબ સુરતની સુમુલ ડેરી એકલા હાથે જ 100 ટન (અંદાજે 90 હજાર કિલો) જેટલી ઘારી બનાવીને સુરતીઓની ઘારીની ડિમાંડ પૂરી કરશે. આટલા મોટા જથ્થામાં સુમુલ ડેરીએ અગાઉ ક્યારેય કોઇ એક સિઝન માટે ઘારી બનાવી નથી. ગયા વર્ષ સુધી સુમુલડેરી દ્વારા 70થી 80 ટન જેટલી ઘારી બનાવવામાં આવતી હતી પરંતુ, આ વખતે સુમુલ ડેરીના સત્તાવાર સૂત્રો જણાવે છે કે 100 ટન ઘારી બનાવીને ચંદી પડવા પહેલા સુમુલ ડેરીએ પોતે જ વિકસાવેલી સપ્લાય ચેઇન દ્વારા સુરત શહેર, જિલ્લા ઉપરાંત તાપી જિલ્લામાં પણ સ્વાદના શોખીન લોકો સુધી પહોંચતી કરશે.

સુમુલ ડેરી સિવાય શહેરના મીઠાઇ વિક્રેતાઓ, સહકારી મંડળીઓ, સંગઠનો, સંસ્થાઓ પણ એડવાન્સ ઓર્ડર લઇને હજારો કિલો ઘારી તૈયાર કરી રહી છે

ચંદી પડવો તહેવાર ફક્ત સુરત કે દક્ષિણ ગુજરાતના કેલેન્ડરમાં જ જોવા મળે તેવો પર્વ છે. સમગ્ર ભારતમાં શરદ પૂર્ણિમાની ધૂમ હોય છે પરંતુ, સુરતમાં શરદપૂર્ણિમા પછીના દિવસે આવતા ચંદી પડવાની ધૂમ વધુ હોય છે.

ચંદી પડવાએ સુરતવાસીઓ ઘારી અને ભૂસું અને સાથે વેજ નોનવેજ પોતાની પસંદ અનુસાર જયાફત ઉડાવતા હોય છે.

મૂળ સુરતવાસીઓ ઉપરાંત સુરત આવીને વસેલા હિન્દીભાષીઓ, પરપ્રાંતીયો પણ ઘારીના શોખીન બની ગયા હોઇ, ચંદી પડવાએ દર વર્ષે સુરતની ઘારીની ડિમાંડ વધતી જ જાય છે. આ વખતે તો સુમુલ ડેરીના માર્કેટિંગ વિભાગના સૂત્રોએ આપેલી માહિતી મુજબ એકલી સુમુલ ડેરી જ એકલા હાથે 100 ટન જેટલી ઘારી બનાવીને બજારમાં મૂકવા જઇ રહી છે.

ઘારીના ભાવમાં પ્રતિ કિલોએ રૂ.40નો વધારો

સુમુલ ડેરીની ઘારીના ભાવમાં આ વખતે રૂ.40 પ્રતિ કિલોએ વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે સુમુલ ડેરીની ઘારીનો ભાવ રૂ.560 હતો જે આ વખતે રો મટિરિયલના ભાવ વધારાને ધ્યાને રાખીને રૂ.600 પ્રતિ કિલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ઓનલાઇન પણ મળશે સુમુલની ઘારી

આ વખતે સુરતીઓ ચંદી પડવાએ ઐતિહાસિક રીતે સૌથી વધુ ઘારી ઝાપટી જશે તેવી પ્રતીતિ જે રીતે સુરતમાં ઘારીનું પ્રોડકશન થઇ રહ્યું છે તેના પરથી થઇને રહે છે. કેમકે સુમુલ ડેરી એકલા હાથે 100 ટન ઘારી બનાવીને વેચશે. તદુપરાંત સુરતમાં મીઠાઇ વિક્રેતાઓ, જુદી જુદી સહકારી મંડળીઓ, સંસ્થાઓ, સંગઠનો વગેરે દ્વારા ઘારી બનાવવાની શરૂઆત થઇ ચૂકી છે અને બધુ મળીને બીજી 100 ટન ઘારી સુમુલ સિવાયના ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થાય તેવો અંદાજ છે. આમ, સુરતી આ વખતે વિક્રમસર્જક જથ્થામાં ચંદી પડવાએ ઘારી ઝાપટી જશે.

October 15, 2021
Cia_business_news-1280x936.jpg
1min428

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતના વીવીંગ કારખાનેદારો ક્વોલિટી ફેબ્રિકના ઉત્પાદન માટે જે યાર્નનો મહત્તમ વપરાશ કરી રહ્યા છે એ પોલીએસ્ટર સ્પન યાર્નના સ્પીનરોએ કરેલી અરજીના અનુસંધાને ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડી દ્વારા પોલીએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગૂ કરવાની સિફારિશ કરી દેવાતા હવે એ વાત નિશ્ચિત બની છે કે પોલીએસ્ટર સ્પન યાર્નની આયાત સુરતના વીવર્સને મોઘી પડવાની છે.

સુરતના વીવીંગ ઉદ્યોગના અગ્રણી મયુરભાઇ ગોળવાળા તથા અન્યોએ જણાવ્યું હતું કે આ બાબતનો ગેરફાયદો ઉઠાવતા સ્પન યાર્નના સ્થાનિક ઉત્પાદક સ્પીનર્સે સ્પન યાર્નના ભાવો વધારવા માંડ્યા છે અને એક સમયે બે મહિના અગાઉ રૂ.160 પ્રતિ કિલોએ મળતું સ્પન યાર્ન ઓક્ટોબરના નવા પડેલા ભાવ અનુસાર રૂ.198ના દરે વેચાવા માંડ્યું છે.

ઉપરોક્ત દરો પોલીએસ્ટર સ્પન ફાઇબર અને પોલીએસ્ટર સ્પન યાર્નના જુલાઇ માસથી ઓક્ટોબર માસના બિલના છે.

તાજેતરમાં જાહેર થયેલા ઓક્ટોબરના આંકડામાં એ વાત પુરવાર થઇ છે કે પોલીએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી નંખાવીને વિદેથી આયાત મોંઘી થતાં જ સ્થાનિક સ્પીનર્સે જુલાઇમાં પોલીએસ્ટર સ્પન યાર્નનો પ્રતિ કિલોનો રૂ.160નો ભાવ ઓક્ટોબરમાં 198 રૂ.પ્રતિ કિલોએ પહોંચાડી દીધો છે અને હજુ તો દિવાળી પહેલા ભાવ વધારો તોળાય રહ્યો હોવાની ચર્ચા બજારમાં ચાલી રહી છે.

મયુર ગોળવાલાનું કહેવું છે કે સુરતના વીવીંગ ઉદ્યોગના કારખાનેદારો સામી દિવાળીએ જબરદસ્ત ભીંસ અનુભવી રહ્યા છે. સુરતના કપડા ઉત્પાદક વીવીંગ કારખાનેદારો જેમાંથી ક્વોલિટી ફેબ્રિકનું ઉત્પાદન કરી રહ્યા છે એ પોલીએસ્ટર સ્પન યાર્નની આયાત પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાદવાની ભલામણ કરી દીધા બાદ હવે એ વાત નિશ્ચિત બની છે કે પોલીએસ્ટર સ્પન યાર્નની આયાત સ્થાનિક વીવર્સને મોંઘી પડવાની છે. સ્થાનિક પોલીએસ્ટર સ્પન યાર્નના ઉત્પાદકોએ આ યાર્નની આયાત મોંઘી પડવાની છે એ જાણતાની સાથે જ ભાવ વધારો કર્યો હતો, જે હવે બે જ મહિનાના સમયગાળામાં વીસ ટકા સુધી કરી દેવામાં આવ્યો છે.

ચાલુ ઓક્ટોબર માસમાં સ્થાનિક પોલીએસ્ટર સ્પન યાર્નના બિલો પ્રતિ કિલોના રૂ.198ના ઇશ્યુ થવા માંડતા વીવર્સો પણ અકળાયા છે કે આયાત મોંઘી થવાની છે એની આડમાં જ જે બે મહિનામાં વીસેક ટકાનો ભાવ વધારો કરી દેવાયો તો જ્યારથી એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગૂ થશે ત્યારથી શું પરિસ્થિતિ ઉદભવશે.

  • પીએસએફ એટલે પોલીએસ્ટર સ્પન ફાઇબર
  • પીએસવાય એટલે પોલીએસ્ટર સ્પન યાર્ન

કેન્દ્ર સરકારે હજુ સુધી એન્ટી ડમ્પિંગ ડ્યૂટી વસૂલ કરવા કે નહીં કરવા અંગેની કોઇ જ સ્પષ્ટતા કરી નથી. એક તરફ સ્પષ્ટતા નથીને બીજી તરફ સ્પન યાર્નની આયાત મોંઘી થવાની છે તેવી ધારણાએ પોલીએસ્ટર સ્પન યાર્નના સ્થાનિક ઉત્પાદકો ભાવ વધારો કરવા માંડ્યા હોઇ, સુરતના સ્પન યાર્નના વપરાશકાર કારખાનેદારો મોટી મુશ્કેલી અનુભવી રહ્યા છે. કેન્દ્રના ટેક્ષટાઇલ મંત્રી દર્શના જરદોષે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખને મૌખિક રીતે બાંયધરી આપી છે કે એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગૂ નહીં થાય પરંતુ, હજુ સુધી તે સંદર્ભનું કોઇ નોટિફિકેશન કે જાહેરાત કરવામાં આવી નથી.

October 13, 2021
flight-1.jpg
1min329

ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે મુસાફરોની સંખ્યા પરના નિયંત્રણો ૧૮મીથી હટાવી લેવામાં આવશે તેવું નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે જાહેર કર્યું હતું. ૧૮મી સપ્ટેમ્બરથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં ૮૫% પ્રવાસીઓને જ છૂટ આપવામાં આવી હતી.

પહેલી જૂન અને પાંચમી જુલાઈ વચ્ચે ૫૦ ટકા, પાંચ જુલાઈ અને ૧૨ ઑગસ્ટ વચ્ચે ૬૫ ટકા અને ૧૨ ઑગસ્ટથી ૧૮ સપ્ટેમ્બર વચ્ચે ૭૨.૫ ટકા ક્ષમતા ભરવાની છૂટ આપવામાં આવી હતી. વિમાની પ્રવાસ માટે પ્રવાસીઓની માગમાં વધારો થયો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું મંત્રાલયે બહાર પાડેલા ઓર્ડરમાં કહ્યું છે.

બે મહિનાના બ્રેક પછી ૨૫ મે ૨૦૨૦ના દિવસે સરકારે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પુન: શરૂ કરી હતી તે વખતે કુલ ક્ષમતાના ૩૩% જેટલા પ્રવાસીઓને લઈ જવાની છૂટ આપવામાં આવી હતી. ડિસેમ્બર ૨૦૨૦થી પહેલી જૂન ૨૦૨૧ સુધીમાં ૮૦ ટકા ક્ષમતા ભરવાની પરવાનગી આપવામાં આવી હતી.

કોવિડ-૧૯ના કેસ દેશભરમાં વધી જતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થતા પ્રવાસીઓની સંખ્યા પરના નિયંત્રણ ૮૦ ટકાથી ઘટાડી ૫૦ ટકા કરવામાં આવી હતી. જેનો અમલ પહેલી જૂન ૨૦૨૧થી શરૂ થયો હતો.