CIA ALERT

બિઝનેસ Archives - Page 14 of 85 - CIA Live

November 21, 2022
SGCCI.jpg
1min488

આગામી તા.16થી 19 ડિસેમ્બરના રોજ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ યોજાઇ રહેલા ઝવેરાત વેપારના સ્પાર્કલ એક્ષ્પોમાં સામાન્ય રૂ.10 હજારથી લઇને રૂ.1 કરોડથી વધુ રકમનો દાગીનો ડિસ્પ્લેમાં તો મૂકાશે જ પરંતુ, કોઇ ગ્રાહક ઇચ્છે તો તેને ઓન ધ સ્પોટ ખરીદ પણ કરી શકશે. જે પ્રકારે હાલમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા તેની સાથે સ્પાર્કલ એક્ઝિબિશનમાં સંકળાયેલી ઝવેરાતની સંસ્થાઓ દ્વારા સ્પાર્કલ 2022નું પ્રમોશન ચાલી રહ્યું છે એ જોતા આ વખતે સ્પાર્કલ અગાઉના તમામ રેકોર્ડ બ્રેક કરશે પછી એ એક્ઝિબિશનના હોય કે વેચાણના હોય.

સુરત શહેર અને આસપાસના અંદાજે 50 જેટલા જ્વેલર્સ ચાર દિવસ સુધી ઇન્ડોર સ્ટેડીયમમાં પોતાની ડિઝાઇન, પેટર્ન, મટિરિયલ, બ્રાન્ડ, કિંમત, ધાતુ વગેરેના અવનવા દાગીનાઓનું પ્રદર્શન અને વેચાણ કરશે.

સ્પાર્કલ એક્ષ્પોમાં એવા પરિવારોને તેડાવાયા છે જેમના પરિવારમાં આગામી મહિનાઓમાં લગ્ન લેવાના છે.

ચેમ્બર ઓફ કોમર્સના સાનિધ્ય યોજાનારા સ્પાર્કલ અંગે પ્રમુખ હિમાંશુ બોડાવાલા, ઉપપ્રમુખ રમેશ વઘાસીયા, સેક્રેટરી ભાવેશ ટેલર, બિજલ જરીવાલા સહિત અન્યોએ જણાવ્યું હતું કે, સ્પાર્કલ પ્રદર્શન ગુણવત્તામાં સર્વશ્રેષ્ઠ છે અને વ્યાપારિક સંબંધો વિકસાવવામાં મદદરૂપ થાય છે. આ પ્રદર્શનમાં જ્વેલરી મેન્યુફેકચરર્સ અને ડિઝાઈનર્સ પોતાના વિવિધ ઉત્પાદનો પ્રદર્શિત કરે છે. સુરતમાં ડાયમંડ ટ્રેડીંગ અને જ્વેલરી મેન્યુફેકચરીંગ મોટા પાયા ઉપર થઇ રહયું છે. આથી ડાયમંડ જ્વેલરી મેન્યુફેકચરીંગ હબ તરીકે સુરતમાં વેલ્યુ એડીશનનું કામ થઇ રહયું છે, ત્યારે સ્પાર્કલ પ્રદર્શનને કારણે હીરા ઉદ્યોગને નવી ઊંચાઇ અને એક નવો આયામ પ્રાપ્ત થશે.

સ્પાર્કલ ઇન્ટરનેશનલ પ્રદર્શનના ચેરમેન તુષાર ચોકસીએ જણાવ્યું હતું કે દેશના વિવિધ મેટ્રો શહેરોમાંથી રોજના પ૦થી પણ વધુ ગ્રાહકો સુરતની જ્વેલરી ખરીદવા માટે આવે છે, આથી સુરતના જ્વેલર્સને પ્લેટફોર્મ પૂરુ પાડવાના હેતુથી સ્પાર્કલ ઇન્ટરનેશનલ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને રાષ્ટ્રીય જ નહીં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઇ જવાનો ચેમ્બર ઓફ કોમર્સ પ્રયાસ કરી રહયું છે.

સ્પાર્કલ પ્રદર્શનના આયોજનમાં ચેમ્બરને

  • સુરત જ્વેલર્સ એસોસીએશન,
  • વરાછા – કતારગામ જ્વેલર્સ એસોસીએશન,
  • જ્વેલરી એસોસીએશન ઓફ અમદાવાદ,
  • વડોદરા જ્વેલર્સ એસોસીએશન,
  • નવસારી જ્વેલર્સ એસોસીએશન,
  • સુરત જ્વેલરી શો અને
  • ડાયમંડ ઇન્ડસ્ટ્રી કેરીયર ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ સ્પાર્કલનું પ્રમોશન કરી રહી છે.
November 5, 2022
Elon-Musk-Twitter.jpg
1min473

એલોન મસ્કે ટ્વીટરની કમાન સંભાળી ત્યારથી કંપનીમાં ઉથલપાથલ ચાલી રહી છે. ભારતમાં એલોન મસ્કે કંપનીના સમગ્ર સ્ટાફને હટાવી દીધો છે. લગભગ 250 લોકોને નોકરીમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં હવે એલોન મસ્કે આખી કંપનીના 50% લોકોને કાઢી નાખ્યા છે. જેના કારણે 7,500 લોકોએ નોકરી ગુમાવી છે. એલોન મસ્કે ટ્વિટર પર કબજો કર્યાના એક અઠવાડિયાની અંદર ઘણી મોટી કાર્યવાહી કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે 50% કર્મચારીઓની તાત્કાલિક અસરથી છટણી કરવામાં આવી છે. તેઓનો ઈમેલ અને કંપનીના કોમ્પ્યુટરનો એક્સેસ છીનવી લેવામાં આવ્યો છે.

વિશ્વની દિગ્ગજ સોશિયલ મીડિયા કંપની ટ્વિટર તરફથી આવી તાબડતોડ છટણીને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. કંપનીના કર્મચારીઓ દ્વારા પણ છટણીની પુષ્ટિ કરવામાં આવી છે. યુ.એસ. અને કેનેડામાં ટ્વિટરના પબ્લિક પોલિસી ડાયરેક્ટર મિશેલ ઓસ્ટિનએ ટ્વિટ કર્યું કે, આજનો દિવસ એ સમાચાર સાથે શરૂ થાય છે કે ટ્વિટરમાં મારી સફર પૂરી થઈ ગઈ છે. મારૂ દિલ તુટી ગયું. હું તેને સ્વીકાર નથી કરી શકતો. એલોન મસ્કે છટણી અંગે ટ્વીટ કર્યું કે, ટ્વિટરમાં છટણી વિશે ઘણી વાતો થઈ રહી છે. દુર્ભાગ્યની વાત એ છે કે, આ એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે કંપનીને દરરોજ 4 મિલિયન ડોલરનું નુકશાન થઈ રહ્યું છે તેથી બીજો કોઈ વિકલ્પ નહોતો.

આ મોટી છટણી પહેલા ટ્વીટરે કર્મચારીઓને ઓફિસ આવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેઓને તેમના ભવિષ્યની રાહ જોવા અને જે નિર્ણય લેવામાં આવશે તેના આધારે કાર્ય કરવાનું કહેવામાં આવ્યું હતું. સોમવાર સુધી કર્મચારીઓને ઓફિસ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જોકે, સોમવાર પહેલા જ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. બરતરફ કરાયેલા ટ્વિટરના ભૂતપૂર્વ કર્મચારીએ કહ્યું કે, ‘લોકોની સાથે જે રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે તે અત્યંત અમાનવીય છે.’ તે કોઈ પણ કિંમતે પૈસા બચાવવા માંગે છે. એલોન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું છે અને એવું માનવામાં આવે છે કે, તે બચતના માર્ગ પર છે અને નાણાંની ચૂકવણી કરવા માટે મોટા પાયે છટણી કરી રહ્યા છે.

October 28, 2022
gjepc_logo.jpg
1min408

જેમ્સ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલનો ઇન્ડીયા ઇન્ટરનેશનલ જ્વેલરી શૉ આગામી તા.5થી 9 જાન્યુઆરી 2023 દરમિયાન મુંબઇના બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટેના વિઝિટર રજિસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યા છે. અહીં નીચે વિઝિટર રજિસ્ટ્રેશન માટેની લિંક પણ આપવામાં આવી છે. વહેલા તે પહેલાના ધોરણે રજિસ્ટ્રેશન કરાવી શકાય છે.

October 7, 2022
trains.jpg
1min449

રેલવેએ દેશભરની 130 મેઈલ-એક્સપ્રેસ ટ્રેનને સુપરફાસ્ટનો દરજ્જો આપીને તમામ શ્રેણીઓના ભાડામાં વધારો કરી દીધો છે. જેમાં ટ્રેનની એસી-1 અને એક્ઝિક્યુટીવ શ્રેણીમાં 75 રૂપિયા પ્રતિ વ્યક્તિ, એસી-2,3, ચેર કારમાં 45 રૂપિયા અને સ્લીપર શ્રેણીમાં 30 રૂપિયા વધારી દેવામાં આવ્યા છે. આ પ્રકારે યાત્રીઓને એક પીએનઆર (છ યાત્રી)ના બુકિંગમાં એસી 1માં 450 રૂપિયા, એસી 2-3માં 270 રૂપિયા અને સ્લીપરમાં 180 રૂપિયા વધારે ચૂકવવા પડશે. આ વ્યવસ્થા પહેલી ઓક્ટોબરથી શરૂ કરી દેવામાં આવી છે.

જો કે આ તમામ ટ્રેનોમાં ભોજન, યાત્રી સુરક્ષા અથવા સુવિધામાં કોઈપણ પ્રકારની વૃદ્ધિ કરવામાં આવી નથી. રેલ નિયમ મુજબ 56 કિ.મી. પ્રતિ કલાકની સરેરાશ ઝડપથી દોડતી ટ્રેનોને ટાઈમ ટેબલમાં સુપરફાસ્ટ કહેવામાં આવે છે. વિશેષજ્ઞોના કહેવા પ્રમાણે ભારતીય રેલ 45 વર્ષથી ટ્રેનની સરેરાશ ઝડપ વધારવામાં નિષ્ફળ રહી છે. જેમાં ચાર દશકથી મેલ એક્સપ્રેસ ટ્રેનની સરેરાશ ઝડપ 50થી 58 કિ.મી. પ્રતિકલાક રહી છે. જ્યારે રેલવેની પ્રીમિયમ રાજધાની, શતાબ્દી, દુરંતો ટ્રેનની ઝડપ 70-85 કિ.મી. પ્રતિકલાકની છે. 15-20 ટ્રેનો ક્યારે નિર્ધારિત સમયે ગંતવ્ય સ્થાને પહોંચતી નથી.

60 ટકા ટ્રેન 15-20 મિનિટ વિલંબથી પહોંચે છે.’ રેલવેના નવા ટાઈમ ટેબલમાં 2022-23મા મોટી સંખ્યામાં પેસેન્જર ટ્રેનોને મેલ એક્સપ્રેસ ગણવામાં આવી છે. જેનો સીધો અર્થ એવો થાય છે કે દૈનિક યાત્રી આ ટ્રેનમાં સફર કરી શકશે નહીં કારણ કે તેનું ભાડું વધારે હોય છે.

October 2, 2022
tulsitanti.jpeg
1min387

દેશમાં સૌથી પહેલા પવન ઊર્જા માટે ચક્કી લાવી તે શરૂ કરનાર સુઝલોન એનર્જી લિમિટેડના ચેરમેન તુલસી તંતીનું શનિવારે સાંજે અવસાન થયું છે. 

આજથી 27 વર્ષ પહેલાં પોતાના ટેકસ્ટાઈલ પ્રોજેક્ટમાં વીજળીનો ખર્ચ સ્થિર થઈ જાય તેના માટે તેમણે પવન ચક્કી શરૂ કરી હતી. 

તેમણે સ્થાપેલી સુઝલોન એનર્જી દેશની સૌથી મોટી વિન્ડ એનર્જી કંપની છે. આ 27 વર્ષમાં કંપનીએ દેશ અને દુનિયાના 17 દેશોમાં 19 ગીગવોટ ક્ષમતાના વિન્ડ ફાર્મ ઊભા કર્યા છે.

શનિવારે તુલસી ભાઈ અમદાવાદ આવ્યા હતા અને અહીં તેમણે કંપનીના રૂ. 1,200 કરોડના રાઇટ્સ ઇસ્યુ માટે રોડ શો કર્યા હતા તેમજ પત્રકારો સાથે વાતચીત કરી હતી. 

કેન્દ્ર સરકારના રીન્યુએબ્લ એનર્જી ટાસ્ક ફોર્સના તેઓ અધ્યક્ષ હતા અને સરકારને આ ડિશમાં કામગીરી કરવા માટે સતત માર્ગદર્શન આપતા હતા.

મૂળ રાજકોટના તુલસીભાઇએ વ્યવસાય માટે અમદાવાદ પસંદ કર્યું હતું અને છેલ્લે 2004માં પુના સ્થાયી થયા હતા. તેમના પુત્ર અને પુત્રી અમેરિકામાં સ્થાયી થયા છે.

October 2, 2022
cng.png
1min405

કેન્દ્ર સરકારે એડમિનિસ્ટર્ડ પ્રાઈઝ મિકેનિઝમ હેઠળ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સને આપવામાં આવતા ગેસના ભાવમાં ૪૦ ટકાનો વધારો કર્યો છે, તેને પરિમાણે આજે સીએનજીના કિલોદીઠ ભાવમાં રૂ. ૩ અને રસોઈઘરમાં જતાં પીએનજીના સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ ભાવમાં રૂ.૩નો વધારો કરી દીધોે છે. જોકે, હોટેલ અને રેસ્ટોરાંમાં વપરાતા કોમશયલ એલપીજીના ભાવમાં સિલિન્ડરે રૂ. ૨૫.૫નો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે ઘરોમાં વપરાતા ૧૪.૫ કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. એ જ રીતે દેશમાં છેલ્લા છ મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે શુક્રવારે મોડી સાંજે વિવિધ ગેસના ભાવમાં ફેરફારની જાહેરાત કરી હતી. ઔદ્યોગિક વપરાશ માટે ઉપયોગમાં લેવાતા પીએનજીના ભાવ સીધા નહિ, પરંતુ આડકતરી રીતે વધારી દેવાયા છે, તેવી ઉદ્યોગોની રજૂઆત છે. એક અંદાજ મુજબ તેમને સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ રૂ. ૮નો વધારો ચૂકવવો પડી શકે છે. વાહનો દોડાવવા માટે વપરાતા સીએનજીનો કિલોદીઠ રૂ. ૮૩.૯૦ હતો તે વધારીને રૂ.૮૬.૯૦ કરી દેવાયો છે. 

ગુજરાતમાં મોટાભાગની ઓટોરિક્ષાઓ માત્ર સીએનજી પર જ દોડતી હોવાથી તેમના પર તેની મોટી અસર આવશે. તેઓ આ બોજ ગ્રાહકને માથે નાખી દેશે. તેથી છેવટે ઓટોરિક્ષમાં પ્રવાસ કરનાર ગ્રાહ દંડાશે. પરિણામે સીએનજીથી દોડતી ઓટોરિક્ષાઓ અને વાહન માલિકો પર ખર્ચ બોજ વધશે. તેની સાથે દરેક ઘરના રસોડામાં જતી રાંધણગેસ-પાઈપ્ડ નેચરલ ગેસની લાઈનો મારફતે આપવામાં આવતા ગેસનો સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ભાવ ૫૦.૯૦થી વારીને રૂ. ૫૩.૯૦ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે. તેથી ગૃહિણીઓનો ખર્ચ બોજ પણ વધી જશે. કારણ કે રસોડામાં આવતા પીએનજીના સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ ભાવ રૂ. ૫૦.૯૦ હતા તે વધારીને રૂ.૫૩.૯૦ કરવામાં આવ્યા છે. એકલા અમદાવાદમાં જ બે લાખથી વધુ પરિવારની ગૃહિણીઓના ઘરખર્ચમાં તેનાથી વધારો થશે. 

ઔદ્યોગિક એકમોએ જે પીએનજીનો સપ્લાય નિશ્ચિત કરાવેલો તેના ૭૫ ટકા પીએનજી જ વાપરવાની સૂચના આપી દેવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો ૧૦૦ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પીએનજીનો સપ્લાય બુક કરાવનારાઓએ ૭૫ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસ જ વાપરવાની સૂચના આપી છે. આ ૭૫ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર માટે અગાઉથી નક્કી કરેલા એટલે એસસીએમ દીઠ રૂ. ૭૭ના ભાવે બિલ વસૂલવામાં આવશે. ત્યારબાદ ૭૬થી ૧૦૦ની વચ્ચે જે યુનિટ વાપરે તેને માટે એસસીએમ દીઠ રૂ. ૯૬ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેને આધારે ત્રિરાશી માંડવામાં આવે તો એસસીએમ દીઠ રૂ. ૮નો અંદાજે વધારો ઔદ્યોગિક એકમોએ ભોગવવાનો આવી રહ્યો છે. કેમિકલ ઇન્ડસ્ટ્રી અને ફાર્મા ઇન્ડસ્ટ્રી પર તેનો ખાસ્સો બોજ આવવાની સંભાવના છે. મોરબીના વિટ્રીફાઈડ ટાઇલ્સ અને સિરામિક ઉદ્યોગને પણ આગામી દિવસમાં આ ભાવ વધારાનો બોજ ખમવાની નોબત આવશે.

આંતરરાષ્ટ્રીય બજારમાં એનર્જીના ભાવમાં ઘટાડો આવવા માંડયો હોવાથી સરકારે કોમશયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત છઠ્ઠીવાર ઘટાડો કર્યો છે. દિલ્હીમાં કોમશયલ ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. ૧૮૮૫થી ઘટીને રૂ. ૧૮૫૯.૫૦ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ રૃા. ૧૮૭૨.૫૦નો થયો છે. સતત છ વાર કરવામાં આવેલા ઘટાડાને પરિણામે કોમશયલ સિલિન્ડરના ભાવમાં કુલ રૂ.૪૯૪.૫૦નો ઘટાડો થયોછે. જૂન ૨૦૨૨ પછી આ છઠ્ઠીવાર ઘટાડો કરવામાં આવ્યો છે. કોમશયલ સિલિન્ડરના ભાવમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં થતી વધઘટ પ્રમાણે વધઘટ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. કોમશયલ એલપીજીના દરમાં મહિને એકવાર ફેરફાર કરવામાં આવે છે.

રહેઠાણમાં વપરાતા એલપીસીના સિલિન્ડરના ભાવમાં કોઈ જ ફેરફાર ન કરીને ૧૪.૨ કિલોના સિલિન્ડરનો ભાવ રૂ.૧૦૫૩ પર જાળવી રાખ્યો છે. અમદાવાદમાં તેનો ભાવ રૃા.૧૦૬૦નો થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેના ભાવ ઘટી જતાં હવે સરકારને તેમાં કોઈ નુકસાન ભોગવવાનું આવતું નથી. જોકે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા છ મહિનાથી ફેરફાર કરવામાં આવ્યો નથી. આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ વધારો ન કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

એટીએફનો ભાવ 4.5 ટકા ઘટાડી કિલોલીટરે રૂ. 1,15,520 કરાયો

જેટ એવિયેશન ટર્બાઈન ફ્યુઅલના ભાવમાં ૪.૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેના કિલોલિટરદીઠ ભાવ દિલ્હીમાં રૂ. ૧,૧૫,૫૨૦.૨૭ હતા. તેમાં ૪.૫ ટકાનો એટલે કે રૂ.૫૫૨૧.૧૭નો ઘટાડો કરવામાં આવ્યો છે. સ્થાનિક વેરાઓ લાગતા હોવાથી દરેક રાજ્યમાં તેના દર અલગ અલગ આવે છે. સ્થાનિક ટેક્સના તફાવત પ્રમાણે ભાવમાં તફાવત જોવા મળે છે. એવિયેશન ટર્બાઈન ફ્યુઅલના ભાવમાં દર પખવાડિયે ફેરફાર કરવામાં આવે છે. ૧૬મી સપ્ટેમ્બરે એવિયેશન ટર્બાઈન ફ્યુઅલના ભાવમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. તેની પહેલા એટલે કે ૩૧મી ઓગસ્ટે તેના ભાવમાં ૦.૭ ટકાનો નજીવો ઘટાડો કરવામાં આવ્યો હતો.

October 1, 2022
Cia_business_news-1280x936.jpg
1min756

સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગમાં પહેલીવાર એવું બન્યું કે મનસ્વી રીતે યાર્નના ભાવમાં વધઘટ કરતા સ્પીનર્સે વીવીંગ કારખાનેદારોની નીતિ સામે ઝૂકવું પડ્યું છે અને નાયલોન યાર્નના પ્રતિ કિલોના ભાવમાં એક જ ઝાટકે રૂ.30નો જંગી ઘટાડો કરવો પડ્યો છે. નાયલોન યાર્નનો સપ્લાય કરતા 19 પૈકી એક સ્પીનરે રાતોરાત ભાવ ઘટાડી દેતા હવે અન્ય કંપનીઓએ પણ ભાવ ઘટાડવાની ફરજ પડશે.

  • પાંડેસરા વિવર્સ સોસાયટીના સેક્રેટરી વિમલ બેકાવાલાએ કરી હતી અપીલ
  • નાયલોન વપરાશકારોએ પેનિક બાઇંગ કર્યું નહીં, મર્યાદિત ખરીદી કરી
  • નાયલોન યાર્નના ભાવમાં નફાનો ફુગાવો વસૂલ કરી રહ્યા હતા સ્પીનર્સ
  • એક સ્પીનરે યાર્નના ભાવ ઘટાડ્યા, હવે અન્યોને ફરજ પડશે
  • હજુ પણ નાયલોન યાર્ન વપરાશકારોએ જરૂર મુજબની ખરીદી કરવાની સલાહ

પાંડેસરા વીવર્સ સોસાયટીના સેક્રેટરી વિમલ બેકાવાલાએ જણાવ્યું હતું કે ગઇ તા.23મી સપ્ટેમ્બરના રોજ તેમણે દરેક વીવીંગ કારખાનેદારોને અપીલ કરી હતી કે આંતર રાષ્ટ્રીય બજારમાં નાયલોન યાર્નના મેન્યુફેક્ચરિંગમાં વપરાતા રો મટિરિયલના ભાવ ઘટ્યા છે અને તેને પગલે નાયલોન યાર્નના ભાવ ઘટવા જોઇએ પરંતુ, સ્પીનર્સે ભાવ ઘટાડવાની જગ્યાએ કોણીએ ગોળ વળગાડવાની નીતિ અપનાવતા સામી દિવાળીએ વીવીંગ કારખાનેદારોએ સપ્તાહમાં બે દિવસનો ઉત્પાદન કાપ મૂકવો પડ્યો હતો. જેને લઇને વીવીંગ કારખાનેદારોની યાર્નની ખરીદી ખપ પૂરતી  સિમીત બની ગઇ હતી.

એક જ સપ્તાહમાં નાયલોન યાર્ન સ્પીનર્સે ભાવ ઘટાડો કરવાની સ્થિતિમાં આવવું પડ્યું છે.વિમલ બેકાવાલાએ જણાવ્યું હતું કે નાયલોન યાર્નના ઉત્પાદકો પૈકી પ્રફુલ કંપનીએ આજે તા.1લી ઓક્ટોબરથી જ અમલમાં આવે તે રીતે નાયલોન યાર્નના પ્રતિ કિલોના રૂ.285ના ભાવમાં સીધો જ રૂ.30નો ઘટાડો કરીને નવો ભાવ રૂ.255 પાડ્યો છે. વીવીંગ કારખાનેદારો પેનિક બાઇંગથી દૂર રહ્યા અને ખપ પૂરતી જ યાર્નની ખરીદી કરી તેને કારણે યાર્નના ભાવ ઘટ્યા છે. વીવર્સે હજુ પણ ખરીદીમાં ઉતાળવ કર્યા વગર જરૂરીયાત પ્રમાણેની ખરીદી કરશે તો હજુ પણ યાર્નના ભાવમાં જે ફુગાવો થયો છે તેનો તોડી શકાશે.

સ્પીનર્સોમાં ભાવ ઘટાડવાના મુદ્દે પડી તકરાર

સુરતના વીવીંગ કારખાનેદારો પાસેથી વર્ષોથી મનસ્વી રીતે ભાવ વસૂલતા આવેલા નાયલોન યાર્ન સ્પીનર્સમાં યાર્નના ભાવ ઘટાડવાના મુદ્દે તકરાર પડી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્પીનર્સ વીવર્સની ધીરજ ખૂટાડવા માંગતા હતા. વીવર્સ થોડા દિવસમાં જ યાર્નના ભાવ વધશે તેવા ભયે પેનિક બાઇંગ કરીને યાર્ન ખરીદવા માંડશે એવી ગણતરી રાખીને બેઠેલા સ્પીનર્સની ધારણા ખોટી પડી અને સ્પીનર્સ પૈકીની જ એક કંપનીએ આજે નાયલોય યાર્નના ભાવ 15 ટકા જેટલા એક જ ઝાટકે ઓછા કરી દીધા છે. મળતી માહિતી મુજબ યાર્નના ભાવના ખેલમાં હવે વધુ સ્પીનર્સે ઘસડાવું પડશે નહીં તો તેમની પાસેથી મોંઘા ભાવનું યાર્ન કોઇ ખરીદશે નહીં.

September 30, 2022
rbi.jpeg
1min382

ભારત સહિત વિશ્વભરમાં મોંઘવારીને ડામવા માટે અમેરિકા બાદ હવે ભારતની સેન્ટ્રલ બેંક પણ આકરા પાણીએ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આજે જાહેર થયેલ મોનિટરી પોલિસીમાં વ્યાજદરમાં 50 bps (50 બેઝિસ પોઈન્ટ્સ)નો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ આરબીઆઈના બેન્ચમાર્ક વ્યાજ દર 5.9 ટકા થયા છે.

RBI MPCના 6 સભ્યોમાંથી 5 સભ્યોએ વ્યાજદરમાં 0.50 % વધારવાનો મત આપ્યો હતો. આ સાથે મોનિટરી પોલિસીનું સ્ટેન્ડ આરબીઆઈએ એકોમોડેશનથી પાછું ખેંચવાનું વલણ યથાવત રાખ્યું છે. SDF 5.65% અને MSF 6.15% કરવામાં આવે છે તેમ ગવર્નરે ઉમેર્યું હતું.

ડોલર સામે રૂપિયામાં સતત ઘટાડાના કારણે આયાતી ચીજોના વધી રહેલા ભાવથી સંભવિત મોંઘવારી, અમેરિકા અને ભારતના વ્યાજના દર વચ્ચે ઘટી રહેલા તફાવતથી ભારતમાં રોકાણ કરવું જોખમી બની રહ્યું હોવાથી પણ રિઝર્વ બેન્કને વ્યાજના દર વધારવા ફરજ પડી છે.

મે 2020થી મે 2022 વચ્ચે રિઝર્વ બેંકના રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. બેન્કો જ્યારે નાણાંની જરૂર પડે અને રિઝર્વ બેંક પાસેથી તે મેળવે ત્યારે જે વ્યાજ દર ચૂકવે તેને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટ આ બે વર્ષ 4 ટકા રહ્યો હતો.

જોકે, વધી રહેલા ફુગાવા અને વૈશ્વિક બેન્કોએ વ્યાજ દર વધારવાનું શરૂ કરતાં મે મહિનામાં આશ્ચર્યજનક રીતે મધ્યકાલીન સમીક્ષા પહેલા જ રિઝર્વ બેન્કે વ્યાજ દર વધારવા શરૂ કર્યા હતાં. આજની બેઠક પહેલા રેપો રેટ વધી 5.4 ટકા થઈ ગયો હતો.

રેપો રેટ વધતા બેન્કોની નાણાં મેળવવાની શકિત ઘટે છે અને નાણાં મોંઘા થાય છે. એની અસરથી ધિરાણ દરમાં વધારો થાય છે. સતત વધી રહેલા વ્યાજના દરથી હવે લોન ઉપર ગ્રાહકોએ વધારે વ્યાજ ચૂકવવું પડે છે. રિઝર્વ બેન્ક માટે હાલમાં સૌથી મોટી ચિંતા રૂપિયામાં થઈ રહેલો ઘસારો છે. રૂપિયામાં ઘસારાની સીધી અસર આયાત બિલ પર પડી રહી છે. ફોરેકસ રિઝર્વમાં ઘટાડાથી મની માર્કેટમાં દરમિયાનગિરી કરવાની રિઝર્વ બેન્કની ક્ષમતા ઓછી થઈ રહી છે, એમ એક બેન્કરે જણાવ્યું હતું.

ક્રુડ તેલના ભાવ જે જુનમાં પ્રતિ બેરલ 120 ડોલરથી વધુ હતા તે હાલમાં ઘટીને 80 ડોલરની અંદર ચાલી ગયા છે, જે આરબીઆઈ માટે રાહતની વાત છે.

ફોરેકસ રિઝર્વ તેની 642 અબજ ડોલરની ઓલટાઈમ હાઈ સપાટીએથી 100 અબજ ડોલર જેટલું ઘટી 545 અબજ ડોલર આવી ગયું છે. વર્તમાન વર્ષમાં રૂપિયો ડોલર સામે દસ ટકા જેટલો ઘટી ગયો છે.

September 26, 2022
dollarvsrupeee.jpg
1min398

મંદીના ભણકારા શેરબજારમાં વેચવાલી અને અન્ય કારણોસર વૈશ્વિક બજારમાં ડોલરમાં સતત ખરીદી જોવા મળી રહી છે. સોમવારે ભારતીય ચલણ રૂપિયો ડોલર સામે આજે પહેલા નોરતેં જ વધુ એક ઐતિહાસિક નીચી સપાટીએ ખુલ્યો હતો. શુક્રવારે 80.99 બંધ રહ્યા બાદ આજે રૂપિયો 81.52 ખુલ્યો હતો.

વૈશ્વિક બજારમાં પાઉન્ડ 1985 પછીની સૌથી નીચી સપાટીએ છે. એક પાઉન્ડ ડોલર સામે અત્યારે 1.03 ની સપાટીએ છે. 

વિશ્વના છ અન્ય ચલણ સામે ડોલરનું મૂલ્ય નક્કી કરતો ડોલર ઈન્ડેક્સ સોમવારે 113.75ની બે દાયકાની ઊંચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે.

September 22, 2022
Cia_business_news-1280x936.jpg
1min414

અમેરિકન ડોલર ઇન્ડેક્સ 112ની બે દાયકાની સૌથી ઊંચી સપાટીએ પહોંચતા, ફેડરલ રિઝર્વે વ્યાજના દર વધારતા આજે તા.22 સપ્ટેમ્બર 2022ના રોજ ડોલર સામે રૂપિયો 80.28ની સૌથી નીચી સપાટીએ ખુલ્યો હતો. આજે નાણાંકીય બજારો ખુલ્યા પછી ખુલ્યા ડોલર સામે રૂપિયો વધારે નબળો પડી 80.37ની સપાટીએ હતો જે આગલા બંધ કરતા 40 પૈસાનો ઘટાડો દર્શાવે છે. આજે સવારે વૈશ્વિક બજારમાં એક ડોલરની સામે રૂપિયાનો ભાવ 80.44 પર પહોંચી ગયો હતો. ડોલર સામે રૂપિયાના ધોવાણને પગલે અનેક બજારોમાં મોટી ઉથલપાથલ મચી જાય તેવી સંભાવના છે.

ભારતની ચાલુ ખાતાની ખાધ વધી રહી છે, દેશની વિદેશી હૂંડિયામણની અનામત ઘટી રહી છે તેની અસર પણ રૂપિયા ઉપર જોવા મળી રહી છે.

તા.21મી સપ્ટેમ્બરે અમેરીકાની ફેડરલ રિઝર્વે અમેરિકામાં ફેડ ફંડના દરમાં 0.75 ટકાના વધારાની જાહેરાત કરી હતી. આ સાથે વ્યાજનો દર હવે 3 થી 3.25 ટકા વધી ગયા છે. આ સાથે અમેરિકામાં આર્થિક વૃદ્ધિ દર ઘટાડી માત્ર 0.25 ટકા કરવામાં આવ્યો છે. આટલા ઉંચા વ્યાજના દર છેલ્લે 2008માં જોવા મળ્યા હતા. 

The Indian rupee is likely to fall further after hitting a record low to the dollar on Thursday as the U.S. Federal Reserve hinted at more aggressive rate hikes to tame inflation.

The rupee opened at a record low of 80.2850 per U.S. dollar, down from 79.9750 in the previous session.

The Fed raised rates by 75 basis points, in line with expectations. More importantly, it hinted that more hikes were coming and that rates would stay elevated until 2024. Asian currencies opened weaker, with the Chinese yuan slipping below 7.10 to the dollar.