શેરબજાર માટે 7/11/25 શુક્રવાર ફરી બ્લેક ફ્રાઇડ બની રહ્યો છે. એશિયન શેરબજારના નકારાત્મક સંકેત અને FIIની વેચવાલીથી શુક્રવારે સેન્સેક્સ 161 પોઇન્ટ ઘટી 83,150 ખુલ્યો હતો. શેરબજારમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ 600 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 82690 લેવલ નીચે ઉતરી ગયો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,509 લેવલથી નીચા ગેપમાં આજે 25433 ખુલ્યો હતો.
ડોલર સામે રૂપિયો ઘટાડે ખુલ્યો
શુક્રવારે યુએસ ડોલર સામે ભારતીયો રૂપિયો ઘટીને 88.66 ખુલ્યો હતો. ગુરુવારે રૂપિયાનો બંધ ભાવ 82.62 હતો.
ઈન્ફોસિસ શેર બાયબેક રેકોર્ડ ડેટ જાહેર
ઈન્ફોસિસ કંપનીએ તેના 18000 કરોડ રૂપિયાના શેર બાયબેક માટે રેકોર્ડ ડેટ 14 નવેમ્બર જાહેર કરી છે. આ તારીખ સુધી જે શેરધારકોના નામ શેરના લાભાર્થી માલિક તરીકે રજિસ્ટર ઓફ મેમ્બર ઓફ ધ કંપની કે ડિપોઝિટરીના રેકોર્ડમાં હશે, તે શેર બાયબેકમાં ભાગ લઇ શકશે. આ કંપનીનું અત્યાર સુધીનું સૌથી મોટું શેર બાયબેક છે. આજે બીએસઇ પર ઇન્ફોસિસનો શર પોણો ટકા ઘટી 1455 રૂપિયા બોલાતો હતો.
અન્ય રાજ્યોમાંથી પ્રવેશ કરતા વાહનો પર ઉત્તરાખંડ સરકારે ગ્રીન ટેક્સ નાખ્યો છે. નાના વાહનો પર ૮૦ રૂપિયા જ્યારે ટ્રક જેવા હેવી વાહનો પર ૭૦૦ રૂપિયા ગ્રીન ટેક્સ લાગશે. રાજ્યના સરહદી વિસ્તારોમાં આશરે ૩૭ જેટલા કેમેરા લગાવાયા છે. જે વાહનોની અવરજવર પર નજર રાખશે. કેમેરા દ્વારા મેળવાયેલા ડેટા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને પહોંચાડાશે. જે બાદ ઓટોમેટિક સિસ્ટમથી ટેક્સ વસુલી લેવાશે.
આ ડિસેમ્બર મહિનાથી ઉત્તરાખંડમાં પ્રવેશ કરનારા અન્ય રાજ્યના વાહનો પર ગ્રીન સેસ કે ટેક્સ લાગશે, પર્યાવરણને ધ્યાનમા ંરાખીને રાજ્ય સરકાર દ્વારા આ વસૂલાત કરવાનો નિર્ણય લેવાયો છે. ઉત્તરાખંડમાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે જ્યાં બહારથી હજારો વાહનો આવતા જતા હોય છે. જોકે હવે બહારના આ વાહનો પર રૂપિયા ૮૦થી ૭૦૦ સુધી ટેક્સ લાગશે. કાર જેવા નાના વાહનો પર ૮૦ રૂપિયા, નાના માલ વાહક વાહન પર ૨૫૦ રૂપિયા, બસો પર ૧૪૦ રૂપિયા અને ટ્રકો પર વજન મુજબ ૧૨૦થી ૭૦૦ રૂપિયા સુધીનો આ ગ્રીન સેસ લાગશે.
જે પણ વાહનો ઉત્તરાખંડ રાજ્યમાં જ નોંધાયેલા હશે તેમને ફિલ્ટર કરીને ગ્રીન ટેક્સમાંથી બાકાત કરી દેવાશે જ્યારે ઉત્તરાખંડ બહાર નોંધાયેલા વાહનોને કેમેરામાં કેદ કરીને સોફ્ટવેરની મદદથી એનપીસીઆઇ ડેટાબેઝમાં મોકલવામાં આવશે. જ્યાંથી આપમેળે જ ફાસ્ટેગથી ઓટોમેટિક આ ટેક્સ કપાઇ જશે. આશરે ૩૭ જેટલા સ્થળો પર ઓટોમેટેડ નંબર પ્લેટ રિકગ્નિશન (એએનપીઆર) કેમેરા લગાવવામાં આવ્યા છે. ઉત્તરાખંડ સરકારનું અનુમાન છે કે આ ગ્રીન સેસની મદદથી રાજ્ય સરકારને દર વર્ષે આશલે ૧૦૦થી ૧૫૦ કરોડ રૂપિયાની આવક થશે. ગ્રીન સેસની વસુલાત માટે એક ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જોકે ટુ વ્હીલર, ઇલેક્ટ્રિક વાહનો, સીએનજી વાહનો, સરકારી વાહનો, એમ્બ્યુલંસ, ફાયર બ્રિગેડ વગેરે વાહનોને આ ટેક્સમાંથી છૂટ આપવામાં આવી છે. જો કોઇ વાહન ૨૪ કલાકમાં બીજી વખત રાજ્યમાં પ્રવેશ કરશે તો તેને ફરી આ ગ્રીન સેસ નહીં આપવો પડે.
ભારત અને મુખ્ય ભૂમિ ચીન વચ્ચે 5 વર્ષ પછી ગતરોજ તા.26મી ઓક્ટોબરને રવિવારે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ થઇ ચૂકી છે, ઇન્ડિગોની ફ્લાઇટ રવિવારે રાત્રે 10 વાગ્યે કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી ઉડાન ભરી હતી. કોવિડ-19 ને વૈશ્વિક રોગચાળો જાહેર કરવામાં આવ્યો તે પહેલાં, 2020ની શરૂઆતથી, ચીનના ખાસ વહીવટી ક્ષેત્ર હોંગકોંગ સિવાય, દેશો વચ્ચેની એરલાઇન સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.
Dated 26/10/2025 રવિવારે રાત્રે 10 કલાકે કોલકાતાથી ઉડાન ભરનારી ઈન્ડિગોની ફ્લાઇટ 6E 1703 એ તા.27મી ઓક્ટોબરને સોમવારે વહેલી સવારે દક્ષિણ ચીનના શહેર ગુઆંગઝુ શહેરના એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું, આ ફ્લાઇટમાં લગભગ 180 મુસાફરો ભારતથી ચીન પહોંચ્યા હતા.
સૌથી મોટો ફાયદો સુરતના હીરા અને ટેક્ષટાઇલ ઉદ્યોગકારોને
સુરતના ટેક્ષટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ચીનના વેપારીઓ, ઉત્પાદકો સાથે સીધો વેપાર ચાલી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ ન હોવાના કારણે સુરતના વેપારીઓએ વાયા હોંગકોંગ કે થાઇલેન્ડ કે સિંગાપોર થઇને ચીનના ગંતવ્ય સ્થાને પહોંચવું પડતું હતું. સુરતના ઉદ્યોગકારો માટે આ પ્રકારે વાયા ફ્લાઇટથી ચીન પહોંચવું ખર્ચાળ પણ હતું અને સમય વ્યય કરનારું પણ નિવડતું હતું. પરંતુ, હવે ભારતમાં કોલકાત્તા અને આગામી દિવસોમાં દિલ્હીથી ચીનની સીધી ફ્લાઇટ શરૂ થવાની હોઇ સુરતના ઉદ્યોગકારોને મોટો ફાયદો છે.
સુરતના અનેક વેપારીઓ ચીનના લેબગ્રોન ડાયમંડના ખરીદારો છે. એથી વિશેષ ટેક્ષટાઇલ ઉદ્યોગકારો એરજેટ, વોટરજેટ, રેપીયર જેકાર્ડ જેવી મશીનરી તેમજ સ્પેરપાર્ટસ માટે નિયમિત રીતે ચીનની મુલાકાતે જતા હોય છે. એવી જ રીતે જ્વેલરી વિક્રેતાઓ પણ નિયમિત રીતે ચીન અવરજવર કરતા હોય છે તેમના માટે ભારતથી ચીનની ડાયરેક્ટ ફ્લાઇટ અત્યંત ઉપયોગી બની રહેશે.
ટિકીટનો ભાવ રૂ.35 હજારની આસપાસ
ઇન્ડિગોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પીટર એલ્બર્સે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, “અમને ભારત અને મુખ્ય ભૂમિ ચીન વચ્ચે દૈનિક, નોન-સ્ટોપ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરતા આનંદ થાય છે. અમને ભારતના બે બિંદુઓથી ચીન સાથે સીધી કનેક્ટિવિટી ફરી શરૂ કરનારા પ્રથમ દેશોમાં સામેલ થવાનો ગર્વ છે. આનાથી ફરી એકવાર લોકો, માલસામાન અને વિચારોની અવરજવર સરળ બનશે, સાથે સાથે વિશ્વના બે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પણ મજબૂત બનશે. આ ખૂબ જ મહત્વપૂર્ણ પગલા સાથે, અમે ચીનમાં વધુ સીધી ફ્લાઇટ્સ શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ.”
દુનિયાના અનેક દેશો પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જંગી ટેરિફના કારણે દરેક દેશોના અર્થતંત્ર ડામાડોળ થઈ ગયા છે. વધુમાં ટ્રમ્પે ગયા સપ્તાહે ચીન પર વધારે ૧૦૦ ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી છે, જેના પગલે સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાયેલો છે. આ સિવાય અમેરિકામાં ચાલુ રહેલા શટ ડાઉન, ફ્રાન્સમાં રાજકીય કટોકટી તથા ડોલરમાં નબળાઈને કારણે વૈશ્વિક સોના અને ચાંદીના ભાવમાં
સપ્તાહના પ્રારંભમાં જ સોમવારે જંગી ઉછાળો જોવા મળ્યો હતો. દિલ્હી બુલિયન બજારમાં સોમવારે ચાંદી રૂ. ૧,૭૯,૦૦૦ની ટોચે પહોંચી હતી. જ્યારે અમદાવાદ સોના- ચાંદી બજારમાં ચાંદી રૂ. ૧,૭૫,૦૦૦ પહોંચી હતી મુંબઈ બુલિયન માર્કેટમાં ચાંદી રૂ. ૧,૭૫,૩૨૫ રહી હતી. જે ૩ ટકા જીએસટી સાથે રૂ. ૧,૮૦,૫૮૪ની સપાટીએ પહોંચી હતી. વિશ્વબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે સોનામાં પ્રતિ ઔંસ ૬૫ ડોલર વધુ ઉછળીને ૪૦૮૦ ડોલર બોલાતુ હતું. આ અહેવાલોના પગલે ઘરઆંગણે પણ ધનતેરસ પહેલા જ બન્ને કિંમતી ધાતુના ભાવ નવી ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. બીજીબાજુ, ચાંદી ઔંસ દીઠ ૫૧.૬૭ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમમાં ૪૫ ડોલર વધી ૧૬૪૨ ડોલર જ્યારે પેલેડિયમ ૪૨ ડોલર વધી ઔંસ દીઠ ૧૪૪૮ ડોલર મુકાતુ હતું. દિવાળી પૂર્વે વિશ્વ બજારમાં ભાવ ઊંચા ટકી રહ્યાનું સ્થાનિક બજારના સુત્રોએ જણાવ્યું હતું. વિશ્વ બજાર પાછળ સ્થાનિકમાં ભાવને ટેકો મળી રહે છે.
અમદાવાદ સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૦૦૦ વધી ૧,૨૯,૦૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૨૮,૭૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૫૦૦૦ વધી ૧,૭૫,૦૦૦ મુકાતા હતા. કામકાજના છેલ્લા ત્રણ દિવસમાં ચાદીમાં રૂ. ૧૫,૦૦૦નો ઉછાળો નોંધાયો છે.
મુંબઈ ઝવેરી બજારમાં કિંમતી ધાતુ વધી રહી છે. ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના સત્તાવાર ભાવ જે શુક્રવારે રૂપિયા ૧,૨૧,૫૨૫ રહ્યા હતા તે સપ્તાહના પ્રથમ દિવસે રૂપિયા ૨૬૩૦ વધી રૂપિયા ૧,૨૪,૧૫૫ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૨૭,૮૭૮ બોલાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૨૩,૬૫૮ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. મુંબઈ ચાંદી જે શુક્રવારે જીએસટી વગર .૯૯૯ના પ્રતિ કિલો રૂપિયા ૧,૬૪,૫૦૦ હતા તે સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે રૂપિયા ૧૦૮૨૫ વધી રૂપિયા ૧,૭૫,૩૨૫ મુકાતા હતા. સોમવારે જીએસટી સાથે ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૮૦,૫૮૪ કવોટ થતા હતા.
દિલ્હી સોના-ચાંદી બજાર ખાતે આજે ચાંદી રૂ. ૭૫૦૦ ઉછળીને રૂ. ૧,૭૯,૦૦૦ મુકાતી હતી. જ્યારે સોનું રૂ. ૧૯૫૦ વધીને રૂ. ૧,૨૭,૩૫૦ મૂકાતું હતું.
હમાસ-ઈઝરાયલ યુદ્ધવિરામમાં આગળ વધતા ક્રુડ તેલમાં સ્થિરતા જોવા મળી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૫૯.૫૧ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૬૪ડોલરની અંદર ઊતરી પ્રતિ બેરલ ૬૩.૩૩ડોલર મુકાતું હતું. ગાઝા- ઈઝરાયલ યુદ્ધ વિરામથી મધ્ય પૂર્વના વિસ્તારો ખાતેથી ક્રુડ તેલનો પૂરવઠો વધશે તેવી ધારણાંએ ભાવમાં સ્થિરતા જળવાઈ રહી હતી.
અમેરીકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર લાદેલા ટેરિફ મુદ્દે હળવું વલણ અપનાવતા અમેરિકન શેરબજારમાં આજે કામકાજના પ્રારંભે તેજી જોવા મળી હતી. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પોસ્ટમાં લખ્યું હતું કે ચીન વિશે ચિંતા કરશો નહીં, બધું સારું થઈ જશે. યુએસએ ચીનને મદદ કરવા માંગે છે, તેને નુકસાન પહોંચાડવા નહીં. આ અહેવાલો પાછળ આજે અમેરિકન શેરબજારમાં કામકાજના પ્રારંભે ડાઉ જોન્સ ૫૯૨ પોઈન્ટ ઉછળીને ૪૬,૦૭૨ પહોંચ્યો હતો. જયારે નાસ્ડેક કમ્પોઝિટ ૪૭૩ પોઈન્ટ ઉછળીને ૨૨,૬૭૮ કાર્યરત હતો.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કર્યાના નવ વર્ષ બાદ સરકાર દ્વારા GST સ્લેબમાં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારાના કારણે લોકોની બચત થશે અને દિવાળી સુધરશે એવો સરકારે દાવો કર્યો હતો, પરંતુ જીએસટી સ્લેબમાં થયેલા સુધારાથી ફટાકડા વેચનારા લોકોની દિવાળી સુધરે એવું લાગતું નથી. દિવાળીને અઠવાડિયું બાકી હોવા છતાં પણ ફટાકડાના ઉદ્યોગોમાં હજુ લોકોમાં ઉત્સાહ જોવા મળતો નથી. જાણીએ શું છે માર્કેટનો હાલ.
22 સપ્ટેમ્બર 2025 પહેલા GSTના ચાર સ્લેબ અમલમાં હતા, જેમાં 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાનો સમાવેશ થતો હતો. પરંતુ 22 સપ્ટેમ્બર 2025થી માત્ર 5 ટકા અને 18 ટકા સ્લેબને અમલમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, GST સ્લેબમાં ફેરફારથી દિવાળીના ટાણે પણ ફટાકટા ઉદ્યોગમાં કોઈ બરકત થઈ નથી, એવું ફટાકડા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ જણાવ્યું હતું.
GST રિફોર્મમાં મોટાભાગના ઉત્પાદનોને 28 ટકા સ્લેબમાંથી 18 ટકા સુધી ખસેડવામાં આવ્યા છે. આ સુધારાથી ફટાકડા ઉદ્યોગમાં પણ 18 ટકાથી 5 ટકા સુધીનો ઘટાડો થાયની એવી વેપારીઓ આશા રાખી રહ્યા હતા, પરંતુ તેમની આ આશા પર પાણી ફરી વળ્યું છે. ફટાકડા હજી પણ 18 ટકાના ઊંચા ટેક્સ સ્લેબમાં છે, જેથી અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં આ દિવાળીએ ફટાકડાના ભાવોમાં 30 ટકાથી 50 ટકા જેટલો વધારો જોવા મળશે.
ફટાકડા ઉદ્યોગની હાલની પરિસ્થિતિને લઈને અમદાવાદમાં ફટાકડાની દુકાન ચલાવતા એક વેપારીના જણાવ્યાનુસાર, ભારે વરસાદ અને ઓછા પુરવઠાને કારણે ગત વર્ષની સરખામણીમાં આ દિવાળીએ ફટાકડા 50 ટકા મોંઘા થઈ ગયા છે. દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પૂરતું વેચાણ થશે કે નહીં, એને લઈને અમે ચિંતિત છીએ. જ્યારે ફટાકડાના અન્ય એક વેપારીના જણાવ્યાનુસાર આ વર્ષે ફટાકડાના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે. જોકે, હાલ ફટાકડાનો પૂરવઠો અને વેચાણ ખૂબ ઓછું છે. આગામી અઠવાડિયાથી ખરીદી વધે તેવી આશા છે.
ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ ચેમ્બર્સ (FAIVM)ના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું કે ટેક્સ સ્લેબ એકમાત્ર પડકાર નથી, પરંતુ ફટાકડા ઉદ્યોગ મોટે ભાગે અસંગઠિત રહે છે અને MRP પર કોઈ નિયંત્રણ નથી. પેકેટ પર છાપેલી કિંમત કરતાં ઉત્પાદનો ઘણા સસ્તા ભાવે વેચાય છે. MRP માત્ર એક નજીવી રકમ છે. ગ્રાહકો ભાવતાલ કરીને જ ફટાકડા ખરીદે છે.
ફટાકડા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓના મતાનુસાર મોટા ભાગના પરિવારો ફટાકડા માટે રૂ. 1,000થી રૂ. 3,000નું બજેટ ધરાવે છે. મલ્ટિકલર સ્કાયશોટ યુવાનોમાં વધુ લોકપ્રિય છે અને તે મોંઘા હોય છે. જોકે, સ્કાયશોટની કિંમતો 60 શોટ માટે રૂ. 1,150થી લઈને 1,000 શોટ માટે રૂ. 18,000 સુધીની હોય છે. અન્ય ફટાકડાની કિંમત રૂ. 50થી રૂ. 22,000 સુધીની હોય છે, જે તેના પ્રકાર અને બ્રાન્ડ પર આધાર રાખે છે. આ સિવાય સ્પાર્કલર્સ, પેન્સિલ ક્રેકર્સ અને ચકરી જેવા નાના ફટાકડા બાળકોમાં લોકપ્રિય છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવાર Dt 10/12/2025 ચીન પર વધારાના ૧૦૦ ટકા ટેરિફની ધમકી આપી છે, જેને પગલે યુએસ-ચીન વચ્ચે ફરી ટ્રેડ વોરની આશંકાથી અમેરિકન સ્ટોક માર્કેટમાં મોટો કડાકો બોલાયો હતો.
અમેરિકન શૅરબજાર એસએન્ડપી ૫૦૦માં ૨.૭૧ ટકા તૂટકા રોકાણકારોએ એક જ દિવસમાં ૧.૫૬ લાખ કરોડ ડોલર ગુમાવ્યા હતા. બીજીબાજુ જોખમી એસેટસ તરીકે ઓળખાતા મુખ્ય ક્રિપ્ટોના ભાવમાં એક જ દિવસમાં ૧૪,૦૦૦ ડોલરથી વધુનો કડાકો બોલાઈ ગયો હતો. બિટકોઈનના ભાવ ૧.૨૨ લાખથી ગગડીને ૧.૦૮ લાખની અંદર આવી ગયા હતા. શનિવારે મોડી સાંજે બિટકોઈનનો ભાવ વધીને ૧.૧૨ લાખ ડોલર થયો હતો.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ચીન પર હાલમાં લાગુ ૩૦ ટકા ટેરિફ ઉપરાંત ૧૦૦ ટકા ટેરિફ લગાવવા અને સોફ્ટવેરની ચીનમાં નિકાસ પર પ્રતિબંધની ધમકી આપતા અમેરિકાના સ્ટોક માર્કેટમાં ભૂકંપ આવ્યો હતો. ડાઉજોન્સ ૮૭૮ પોઈન્ટ એટલે કે ૧.૯ ટકા ગગડીને ૪૫,૪૭૯.૬૦, એસએન્ડપી ૫૦૦ ૨.૭૧ ટકા તૂટીને ૬,૫૫૨.૫૧ અને નાસ્ડેક ૩.૫૬ ટકા ગગડીને ૨૨,૨૦૪.૩૨ના સ્તરે પહોંચી ગયા હતા. અમેરિકન શૅરબજારમાં એપ્રિલ પછી એક જ દિવસમાં આ સૌથી મોટો કડાકો હતો.
ફેક્ટસેટના આંકડા મુજબ અમેરિકન બજારો તૂટતાં એકજ દિવસમાં ૧.૫૬ લાખ કરોડ ડોલરની વેલ્યુનું ધોવાણ થઈ ગયું હતું. ટ્રમ્પની જાહેરાતથી રોકાણકારોમાં અમેરિકા અને ચીન વચ્ચે ફરી એક વખત ટ્રેડ વોર શરૂ થવાનો ગભરાટ ફેલાયો છે. બંને દેશોની ટ્રેડ વોરથી અગાઉ પણ વૈશ્વિક અર્થતંત્ર હચમચી ઉઠયું છે.
ટ્રમ્પના ટેરિફની ધમકીથી ક્રિપ્ટો બજાર પણ તૂટયું હતું. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈનના ભાવ ૧,૨૨,૦૦૦ ડોલરની સપાટીએથી ગબડી ૧,૦૮,૨૦૦ ડોલરની અંદર આવી ગયો હતો. જોકે, શનિવારે મોડી સાંજે બિટકોઈનનો ભાવ ૧,૧૨,૦૦૦ ડોલર આસપાસ બોલાતો હતો. બિટકોઈનની પાછળ છેલ્લા ચોવીસ કલાકમાં અન્ય મોટી એથરમ પણ ૧૫ ટકાથી વધુ તૂટી ૩૮૦૦ ડોલરની નીચે જતો રહ્યો હતો.
જોકે, સમાપ્ત થયેલા સપ્તાહમાં બન્ને ક્રિપ્ટોએ તેમની ઓલટાઈમ હાઈ સપાટી દર્શાવી હતી. બિટકોઈને ૧,૨૬,૦૦૦ ડોલરથી વધુની ઓલ ટાઈમ હાઈ સપાટી દર્શાવી હતી જ્યારે એથરમ ૪૫૦૦ ડોલરથી ઉપર જોવા મળ્યો હતો. બિટકોઈનના આ કડાકાને લઈને ૧૬ લાખ જેટલા ટ્રેડરોએ એક જ દિવસમાં એકંદરે ૧૯ અબજ ડોલરનું નુકસાન કર્યું છે. ક્રિપ્ટોના ઈતિહાસમાં એક જ દિવસમાં આટલું જંગી ધોવાણ પહેલી જ વખત જોવા મળ્યું છે.
બજારમાં ભારે વેચવાલી આવશે તેવી ચિંતાએ આશરે ૩૦ અબજ ડોલરનું લેણ લિક્વિડેટ કરાયું હોવાની ધારણાં છે. કડાકાને પગલે ક્રિપ્ટોકરન્સીઝની માર્કેટ કેપ ૪.૩૦ ટ્રિલિયન ડોલરની રેકોર્ડ સપાટીએથી ગબડી ૩.૭૪ ટ્રિલિયન ડોલર પર આવી ગઈ હતી. ટ્રમ્પની ટીપ્પણીથી ક્રૂડ બજાર પણ હચમચી ઉઠયું હતું. અમેરિકન ક્રૂડ ઓઈલનો ભાવ ૪.૨ ટકા અને બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ ૩.૮ ટકા સુધી ઘટી ગયો હતો, જે મે મહિના પછી સૌથી નીચા સ્તરે છે.
આરબીઆઈનો મોનિટરી પોલિસીની બેઠકના પરિણામ જાહેર કરતાં આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેર કર્યું હતું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી અને તેને 5.5% પર યથાવત્ રાખવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ફેસ્ટિવલ સિઝનને ધ્યાનમાં રાખીને ઘણા લોકો રેપો રેટમાં આરબીઆઈ દ્વારા ઘટાડાની આશા રાખી રહ્યા હતા. જ્યારે મોદી સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડા બાદ વધુ એક મોટી જાહેરાત થવાની વાતો પણ થઇ રહી હતી. જોકે હવે તેના પર પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે અને આરબીઆઈએ રેપો રેટ યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે જેનાથી હવે લોકોના ઈએમઆઈમાં પણ કોઈ ફેરફાર નહીં થાય.
ઉલ્લેખનીય છે કે અગાઉ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ઓગસ્ટમાં મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આરબીઆઈએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીને ધ્યાનમાં લેતાં ગત વખતે પણ રેપો રેટ 5.5 ટકાના દરે યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો.
આ સાથે આરબીઆઈએ ભારતીય અર્થતંત્રનું જીડીપી ગ્રોથ અનુમાન વધારીને 6.8% કરી દીધું છે. આ સાથે રેપો રેટ ઉપરાંત કેન્દ્રીય બેન્કે એસડીએફ રેટ 5.25% અને એમએસએફ રેટ 5.75% પર યથાવત્ રાખ્યા હતા. તેમણે કહ્યું કે બેઠકમાં એમપીસીના તમામ છ સભ્યોએ રેપો રેટ યથાવત્ રાખવા અંગે સહમતિ આપી હતી.
વધુ એક મોટો નિર્ણય કરતાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી 1 ઓક્ટોબરથી વિદેશી ફાર્માસ્યુટિકલ્સ, કિચન કેબિનેટ, ફર્નિચર અને ભારે ટ્રક પર ભારેભરખમ ઈમ્પોર્ટ ડ્યુટી વસૂલવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે આ પગલું સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી લેવાયો છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે ફાર્માસ્યુટિકલ દવાઓ પર 100% ટેક્સ, કિચન કેબિનેટ અને બાથરૂમ વેનિટી પર 50% , અપહોલ્સ્ટર્ડ ફર્નિચર પર 30% અને ભારે ટ્રક પર 25% ટેક્સ લાદવામાં આવશે.
ટ્રમ્પે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, “1 ઓક્ટોબર, 2025 થી, અમે કોઈપણ બ્રાન્ડેડ અથવા પેટન્ટ કરાયેલ ફાર્માસ્યુટિકલ ઉત્પાદન પર 100% ટેરિફ લાદીશું. કરમાંથી મુક્તિ ફક્ત ત્યારે જ લાગુ થશે જો કંપનીઓ અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવશે. જો આ કંપનીઓ “બ્રેકિંગ ગ્રાઉન્ડ” અથવા “અંડર કન્સ્ટ્રક્શન” ની સ્થિતિમાં હશે તો તેમને કરમુક્તિ આપવામાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 21/9/25 વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. શક્તિની ઉપાસનાના તહેવાર નવરાત્રિની શરૂઆત પર તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવતાં તેમણે ટિપ્પણી કરી હતી કે નવરાત્રિના પહેલા દિવસથી જ દેશ આત્મનિર્ભર ભારત અભિયાનમાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભરી રહ્યો છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘બાવીસમી સપ્ટેમ્બર 22/9/25ના સૂર્યોદયથી દેશ આગામી પેઢીના GST સુધારાઓ લાગુ કરશે. આ સમગ્ર ભારતમાં GST બચત ઉત્સવની શરૂઆત છે. આ તહેવાર બચતમાં વધારો કરશે અને લોકોને તેમની પસંદગીની વસ્તુઓ ખરીદવાનું સરળ બનાવશે.
આ બચત ઉત્સવના લાભ ગરીબ, મધ્યમ વર્ગ, નવમધ્યમ વર્ગ, યુવાનો, ખેડૂતો, મહિલાઓ, દુકાનદારો, વેપારીઓ અને ઉદ્યોગ-સાહસિકો સુધી પહોંચશે. આ સુધારાઓ ભારતની વિકાસગાથાને વેગ આપશે, વ્યાવસાયિક કામગીરીને સરળ બનાવશે, રોકાણોને વધુ આકર્ષક બનાવશે અને ખાતરી કરશે કે દરેક રાજ્ય વિકાસની દોડમાં સમાન ભાગીદાર બને.’
ભારતે ૨૦૧૭માં GST સુધારા તરફ પ્રથમ પગલાં લીધાં હતાં જે એક જૂના પ્રકરણનો અંત અને દેશના આર્થિક ઇતિહાસમાં એક નવા પ્રકરણની શરૂઆત હતી એ યાદ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘દાયકાઓથી નાગરિકો અને વેપારીઓ કરવેરા – ઑક્ટ્રૉય, એન્ટ્રી-ટૅક્સ, સેલ્સ-ટૅક્સ, એક્સાઇઝ, વૅટ (VAT-વૅલ્યુ ઍડેડ ટૅક્સ) અને સર્વિસ ટૅક્સની જટિલ જાળમાં ફસાયેલા હતા જે દેશભરમાં ડઝનબંધ જેટલી વસૂલાત હતી. એક શહેરથી બીજા શહેરમાં માલ પરિવહન કરવા માટે અનેક ચેકપૉઇન્ટ પાર કરવા, અસંખ્ય ફૉર્મ ભરવા અને દરેક સ્થાન પર અલગ-અલગ કર-નિયમોના ચક્રવ્યૂહમાં નેવિગેટ કરવાની જરૂર હતી.’
નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારે વિદેશી અખબારમાં પ્રકાશિત એક ઉદાહરણનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘એ લેખમાં એક કંપની સામે કેટલા પડકારો હતા એનું વર્ણન કરવામાં આવેલું જેણે બૅન્ગલોરથી હૈદરાબાદ ફક્ત ૫૭૦ કિલોમીટરના અંતરે માલ મોકલવામાં એટલી મુશ્કેલી પડી કે એ બૅન્ગલોરથી યુરોપ અને પછી હૈદરાબાદ પાછો માલ મોકલવાનું પસંદ કરતી હતી.’
નવા GST દરો
નવા GST દરો લાગુ પડ્યા એ વિશે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘સુધારો એક સતત પ્રક્રિયા છે અને જેમ-જેમ સમય બદલાય છે અને રાષ્ટ્રીય જરૂરિયાતો બદલાય છે એમ-એમ આગામી પેઢીના સુધારા પણ એટલા જ આવશ્યક બની જાય છે. દેશની વર્તમાન જરૂરિયાતો અને ભવિષ્યની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને આ નવા GST સુધારાઓ લાગુ કરવામાં આવી રહ્યા છે. નવા માળખા હેઠળ ફક્ત પાંચ ટકા અને ૧૮ ટકાના ટૅક્સ સ્લૅબ મુખ્યત્વે રહેશે. આનો અર્થ એ છે કે મોટા ભાગની રોજિંદા ઉપયોગની વસ્તુઓ વધુ પોસાય એવી બનશે. ખાદ્ય પદાર્થો, દવાઓ, સાબુ, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, આરોગ્ય અને જીવન વીમો જેવી અનેક વસ્તુઓ કાં તો કરમુક્ત હશે અથવા ફક્ત પાંચ ટકા કર આકર્ષિત કરશે. અગાઉ ૧૨ ટકા કર લાગતી વસ્તુઓમાંથી ૯૯ ટકા – લગભગ બધી – હવે પાંચ ટકા કરના સ્લૅબ હેઠળ લાવવામાં આવી છે.
૨૫ કરોડ ભારતીયો
છેલ્લાં ૧૧ વર્ષમાં ૨૫ કરોડ ભારતીયો ગરીબીમાંથી બહાર આવ્યા છે અને દેશની પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા એક મહત્ત્વપૂર્ણ નવમધ્યમ વર્ગ તરીકે ઊભરી આવ્યા છે એમ જણાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આ નવમધ્યમ વર્ગની પોતાની આકાંક્ષાઓ અને સપનાં છે. આ વર્ષે સરકારે ૧૨ લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરીને કરરાહત આપી છે જેનાથી મધ્યમ વર્ગના જીવનમાં નોંધપાત્ર સરળતા અને સુવિધા આવી છે. હવે ગરીબો અને નવમધ્યમ વર્ગને લાભ લેવાનો વારો છે. તેમને બેવડો લાભ મળી રહ્યો છે – પહેલાં આવકવેરામાં રાહત દ્વારા અને હવે ઘટાડેલા GST દ્વારા. GST દરમાં ઘટાડો થવાથી નાગરિકો માટે વ્યક્તિગત સપનાં પૂરાં કરવાં સરળ બનશે – પછી ભલે એ ઘર બનાવવાનું હોય, ટીવી કે ફ્રિજ ખરીદવાનું હોય કે પછી સ્કૂટર, બાઇક કે કાર ખરીદવાનું હોય – હવે બધું જ સસ્તું થશે. મુસાફરી પણ વધુ સસ્તી બનશે, કારણ કે મોટા ભાગની હોટેલ-રૂમો પર GST ઘટાડવામાં આવ્યો છે. વેપારીઓ અને દુકાનદારો GSTના ઘટાડાના લાભો ગ્રાહકો સુધી પહોંચાડવા માટે સક્રિયપણે કામ કરી રહ્યા છે.’
આત્મનિર્ભરતા તરફ નક્કર કદમ
વિકસિત ભારતના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે આત્મનિર્ભરતાના માર્ગ પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતાની જરૂર છે એના પર ભાર મૂકતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ભારતને આત્મનિર્ભર બનાવવાની મુખ્ય જવાબદારી MSMEs એટલે કે ભારતના સૂક્ષ્મ, નાના અને કુટિર ઉદ્યોગોની છે. લોકોની જે પણ જરૂરિયાત છે એ દેશમાં જ ઉત્પાદિત કરી શકાય છે અને એ સ્થાનિક સ્તરે જ ઉત્પન્ન થવું જોઈએ. ભારતનું ઉત્પાદન અને ઉત્પાદન ગુણવત્તા એક સમયે વૈશ્વિક સ્તરે માન્યતાપ્રાપ્ત અને શ્રેષ્ઠ હતી. એ ગૌરવ પાછું મેળવવાની જરૂર છે. હું આશા રાખું છું કે નાના ઉદ્યોગો દ્વારા બનાવેલાં ઉત્પાદનો ઉચ્ચતમ વૈશ્વિક ધોરણોને પૂરાં કરે. ભારતનું ઉત્પાદન ગૌરવ અને શ્રેષ્ઠતા સાથે તમામ માપદંડોને વટાવી જવું જોઈએ અને ભારતીય ઉત્પાદનોની ગુણવત્તા દેશની વૈશ્વિક ઓળખ અને પ્રતિષ્ઠામાં વધારો કરશે. આ ધ્યેયને નજરમાં રાખીને આપણે કામ કરીએ.’
સ્વદેશી
જેમ સ્વદેશીના મંત્રે ભારતના સ્વતંત્રતા-સંગ્રામને સશક્ત બનાવ્યો એવી જ રીતે એ રાષ્ટ્રની સમૃદ્ધિ તરફની યાત્રાને પણ ઊર્જા આપશે એમ જણાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ઘણી વિદેશી વસ્તુઓ અજાણતાં આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગઈ છે અને નાગરિકોને ઘણી વાર ખ્યાલ પણ નથી હોતો કે તેમના ખિસ્સામાં રહેલો કાંસકો વિદેશી છે કે સ્વદેશી? આવી નિર્ભરતામાંથી મુક્ત થવાની જરૂર છે. આપણે દેશના યુવાનોની મહેનત અને પરસેવાથી બનેલાં મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો ખરીદો. દરેક ઘરને સ્વદેશીનું પ્રતીક બનાવો અને દરેક દુકાનને સ્વદેશી વસ્તુઓથી સુસજ્જ કરો. ગર્વથી કહો કે હું સ્વદેશી ખરીદું છું, હું સ્વદેશી વેચું છું. આ માનસિકતા દરેક ભારતીયની બનવી જોઈએ. આવા પરિવર્તનથી ભારતના વિકાસને વેગ મળશે. હું રાજ્ય સરકારોને આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અભિયાનોને સક્રિયપણે સમર્થન કરવાની અપીલ કરું છું જેથી તેમનાં રાજ્યોમાં સંપૂર્ણ ઊર્જા અને ઉત્સાહ સાથે ઉત્પાદનને વેગ આપી શકે અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ બનાવી શકાય. મને વિશ્વાસ છે કે જો કેન્દ્ર અને રાજ્યો સાથે મળીને આગળ વધશે તો આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર થશે, દરેક રાજ્યનો વિકાસ થશે અને ભારત એક વિકસિત રાષ્ટ્ર બનશે.’
નાગરિક દેવો ભવઃ
નેક્સ્ટ જનરેશન GST સુધારાઓમાં નાગરિક દેવો ભવઃનો મંત્ર પ્રતિબિંબિત થાય છે એમ જણાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આવકવેરાની રાહત અને GSTના ઘટાડાને જોડવામાં આવે છે ત્યારે છેલ્લા એક વર્ષમાં લેવામાં આવેલા નિર્ણયો ભારતના લોકો માટે ૨.૫ લાખ કરોડ રૂપિયાથી વધુની બચત કરશે. આ જ કારણ છે કે આને હું ‘બચત ઉત્સવ’ કહું છું.’
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયાએ રવિવારે મોડીરાત્રે સોશ્યલ મિડીયા પ્લેટ ફોર્મ એક્સ પર એક પોસ્ટ જારી કરીને સ્પષ્ટ જણાવી દીધું છે કે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ મુદત આવતીકાલ તા.15મી સપ્ટેમ્બર 2025ને રાત્રે 12 વાગ્યા સુધીની રહેશે. સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર ડ્યૂટ ડેટ લંબાવીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી હોવાનો વાઇરલ કરાયેલો મેસેજ ફેક છે.
A fake news is in circulation stating that the due of filing ITRs (originally due on 31.07.2025, and extended to 15.09.2025) has been further extended to 30.09.2025.
✅ The due date for filing ITRs remains 15.09.2025.
નાણાકીય વર્ષ 2024 25 ના ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ મુદત આજરોજ સોમવાર તારીખ 15મી સપ્ટેમ્બર રાત્રે 12 કલાક સુધીની છે, સામાન્ય રીતે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ મુદત 31 જુલાઈ હોય છે આ વર્ષે આ મુદત માં દોઢ મહિનો એક્સટેન્ડ કરવામાં આવ્યો છતાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટમાં ડેટા અપલોડ કરવાની મુશ્કેલીના કારણે આવતીકાલ અંતિમ મુદત પછી પણ સુરતના હજારો કરદાતાઓના ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાના બાકી રહી જાય તેવી સ્થિતિ છે.
Income Tax Department e-filing portal face glitches
શહેરના એક જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટે આપેલી માહિતી મુજબ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મુદત વધારવા માટે સુરત ગુજરાત અને નેશનલ લેવલે અનેક રજૂઆતો કરવામાં આવી છે. ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અવધીમાં દોઢ મહિનો વધાર્યા પછી પણ હજારો રિટર્ન ભરવાના બાકી રહી જાય તેમ છે. આ પરિસ્થિતિ માટે ટેક્સ કન્સલ્ટન્ટો કે ચાર્ટર્ડ એકાઉન્ટો કે કરદાતા કોઈનો વાંક નથી પરંતુ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની રિટર્ન ફાઇલ કરવાની વેબસાઈટ અત્યંત ધીમી ચાલી રહી હોવાના કારણે આ પરિસ્થિતિ પેદા થઈ છે. કર દાતાઓના ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે સ્થાનિક સ્તરેથી બધી જ તૈયારીઓ છે પરંતુ રિટર્ન ના ડેટા અપલોડ થઈ શકતા નથી.
આઈટી રિટર્ન ફાઈલ કરવાની અવધી લંબાવવા માટે ક્યારની રજૂઆતો કરી દેવામાં આવી છે પરંતુ હવે જ્યારે આખરી મુદત આડે ફક્ત 24 કલાક બાકી રહ્યા છે ત્યારે ફરી સરકારને અપીલ કરવામાં આવી છે કે વેબસાઈટમાં ધાંધિયાના કારણે સુરત સમય રાજ્યમાંથી હજારો એક્સપાયર ના રિટર્ન ફાઇલ કરવાના બાકી રહી જશે અને લેટ રિટર્ન ફાઇલિંગ પેટે ₹5,000 ની પેનલ્ટી લાગશે, કર દાતાઓને આ પ્રકારે ખોટી પેનલ્ટી કરી શકાય નહીં એ માટે તેમના રિટર્ન ફાઇલ કરવા માટે અવધી વધારે આપવા તેમજ it ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે છેલ્લી ઘડીની રજૂઆતો કરવામાં આવી રહી છે.
What is Penalty?
According to Income Tax rules, a penalty of up to Rs 5,000 can be imposed on belated ITR. If your taxable income is less than Rs 5 lakh, then the penalty will be Rs 1,000. Apart from this, you will also have to pay interest under section 234A, 234B and 234C on delay.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.