આરબીઆઈનો મોનિટરી પોલિસીની બેઠકના પરિણામ જાહેર કરતાં આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેર કર્યું હતું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી અને તેને 5.5% પર યથાવત્ રાખવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ફેસ્ટિવલ સિઝનને ધ્યાનમાં રાખીને ઘણા લોકો રેપો રેટમાં આરબીઆઈ દ્વારા ઘટાડાની આશા રાખી રહ્યા હતા. જ્યારે મોદી સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડા બાદ વધુ એક મોટી જાહેરાત થવાની વાતો પણ થઇ રહી હતી. જોકે હવે તેના પર પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે અને આરબીઆઈએ રેપો રેટ યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે જેનાથી હવે લોકોના ઈએમઆઈમાં પણ કોઈ ફેરફાર નહીં થાય.
ઉલ્લેખનીય છે કે અગાઉ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ઓગસ્ટમાં મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આરબીઆઈએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીને ધ્યાનમાં લેતાં ગત વખતે પણ રેપો રેટ 5.5 ટકાના દરે યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો.
આ સાથે આરબીઆઈએ ભારતીય અર્થતંત્રનું જીડીપી ગ્રોથ અનુમાન વધારીને 6.8% કરી દીધું છે. આ સાથે રેપો રેટ ઉપરાંત કેન્દ્રીય બેન્કે એસડીએફ રેટ 5.25% અને એમએસએફ રેટ 5.75% પર યથાવત્ રાખ્યા હતા. તેમણે કહ્યું કે બેઠકમાં એમપીસીના તમામ છ સભ્યોએ રેપો રેટ યથાવત્ રાખવા અંગે સહમતિ આપી હતી.
વધુ એક મોટો નિર્ણય કરતાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી 1 ઓક્ટોબરથી વિદેશી ફાર્માસ્યુટિકલ્સ, કિચન કેબિનેટ, ફર્નિચર અને ભારે ટ્રક પર ભારેભરખમ ઈમ્પોર્ટ ડ્યુટી વસૂલવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે આ પગલું સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી લેવાયો છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે ફાર્માસ્યુટિકલ દવાઓ પર 100% ટેક્સ, કિચન કેબિનેટ અને બાથરૂમ વેનિટી પર 50% , અપહોલ્સ્ટર્ડ ફર્નિચર પર 30% અને ભારે ટ્રક પર 25% ટેક્સ લાદવામાં આવશે.
ટ્રમ્પે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, “1 ઓક્ટોબર, 2025 થી, અમે કોઈપણ બ્રાન્ડેડ અથવા પેટન્ટ કરાયેલ ફાર્માસ્યુટિકલ ઉત્પાદન પર 100% ટેરિફ લાદીશું. કરમાંથી મુક્તિ ફક્ત ત્યારે જ લાગુ થશે જો કંપનીઓ અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવશે. જો આ કંપનીઓ “બ્રેકિંગ ગ્રાઉન્ડ” અથવા “અંડર કન્સ્ટ્રક્શન” ની સ્થિતિમાં હશે તો તેમને કરમુક્તિ આપવામાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 21/9/25 વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. શક્તિની ઉપાસનાના તહેવાર નવરાત્રિની શરૂઆત પર તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવતાં તેમણે ટિપ્પણી કરી હતી કે નવરાત્રિના પહેલા દિવસથી જ દેશ આત્મનિર્ભર ભારત અભિયાનમાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભરી રહ્યો છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘બાવીસમી સપ્ટેમ્બર 22/9/25ના સૂર્યોદયથી દેશ આગામી પેઢીના GST સુધારાઓ લાગુ કરશે. આ સમગ્ર ભારતમાં GST બચત ઉત્સવની શરૂઆત છે. આ તહેવાર બચતમાં વધારો કરશે અને લોકોને તેમની પસંદગીની વસ્તુઓ ખરીદવાનું સરળ બનાવશે.
આ બચત ઉત્સવના લાભ ગરીબ, મધ્યમ વર્ગ, નવમધ્યમ વર્ગ, યુવાનો, ખેડૂતો, મહિલાઓ, દુકાનદારો, વેપારીઓ અને ઉદ્યોગ-સાહસિકો સુધી પહોંચશે. આ સુધારાઓ ભારતની વિકાસગાથાને વેગ આપશે, વ્યાવસાયિક કામગીરીને સરળ બનાવશે, રોકાણોને વધુ આકર્ષક બનાવશે અને ખાતરી કરશે કે દરેક રાજ્ય વિકાસની દોડમાં સમાન ભાગીદાર બને.’
ભારતે ૨૦૧૭માં GST સુધારા તરફ પ્રથમ પગલાં લીધાં હતાં જે એક જૂના પ્રકરણનો અંત અને દેશના આર્થિક ઇતિહાસમાં એક નવા પ્રકરણની શરૂઆત હતી એ યાદ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘દાયકાઓથી નાગરિકો અને વેપારીઓ કરવેરા – ઑક્ટ્રૉય, એન્ટ્રી-ટૅક્સ, સેલ્સ-ટૅક્સ, એક્સાઇઝ, વૅટ (VAT-વૅલ્યુ ઍડેડ ટૅક્સ) અને સર્વિસ ટૅક્સની જટિલ જાળમાં ફસાયેલા હતા જે દેશભરમાં ડઝનબંધ જેટલી વસૂલાત હતી. એક શહેરથી બીજા શહેરમાં માલ પરિવહન કરવા માટે અનેક ચેકપૉઇન્ટ પાર કરવા, અસંખ્ય ફૉર્મ ભરવા અને દરેક સ્થાન પર અલગ-અલગ કર-નિયમોના ચક્રવ્યૂહમાં નેવિગેટ કરવાની જરૂર હતી.’
નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારે વિદેશી અખબારમાં પ્રકાશિત એક ઉદાહરણનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘એ લેખમાં એક કંપની સામે કેટલા પડકારો હતા એનું વર્ણન કરવામાં આવેલું જેણે બૅન્ગલોરથી હૈદરાબાદ ફક્ત ૫૭૦ કિલોમીટરના અંતરે માલ મોકલવામાં એટલી મુશ્કેલી પડી કે એ બૅન્ગલોરથી યુરોપ અને પછી હૈદરાબાદ પાછો માલ મોકલવાનું પસંદ કરતી હતી.’
નવા GST દરો
નવા GST દરો લાગુ પડ્યા એ વિશે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘સુધારો એક સતત પ્રક્રિયા છે અને જેમ-જેમ સમય બદલાય છે અને રાષ્ટ્રીય જરૂરિયાતો બદલાય છે એમ-એમ આગામી પેઢીના સુધારા પણ એટલા જ આવશ્યક બની જાય છે. દેશની વર્તમાન જરૂરિયાતો અને ભવિષ્યની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને આ નવા GST સુધારાઓ લાગુ કરવામાં આવી રહ્યા છે. નવા માળખા હેઠળ ફક્ત પાંચ ટકા અને ૧૮ ટકાના ટૅક્સ સ્લૅબ મુખ્યત્વે રહેશે. આનો અર્થ એ છે કે મોટા ભાગની રોજિંદા ઉપયોગની વસ્તુઓ વધુ પોસાય એવી બનશે. ખાદ્ય પદાર્થો, દવાઓ, સાબુ, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, આરોગ્ય અને જીવન વીમો જેવી અનેક વસ્તુઓ કાં તો કરમુક્ત હશે અથવા ફક્ત પાંચ ટકા કર આકર્ષિત કરશે. અગાઉ ૧૨ ટકા કર લાગતી વસ્તુઓમાંથી ૯૯ ટકા – લગભગ બધી – હવે પાંચ ટકા કરના સ્લૅબ હેઠળ લાવવામાં આવી છે.
૨૫ કરોડ ભારતીયો
છેલ્લાં ૧૧ વર્ષમાં ૨૫ કરોડ ભારતીયો ગરીબીમાંથી બહાર આવ્યા છે અને દેશની પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા એક મહત્ત્વપૂર્ણ નવમધ્યમ વર્ગ તરીકે ઊભરી આવ્યા છે એમ જણાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આ નવમધ્યમ વર્ગની પોતાની આકાંક્ષાઓ અને સપનાં છે. આ વર્ષે સરકારે ૧૨ લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરીને કરરાહત આપી છે જેનાથી મધ્યમ વર્ગના જીવનમાં નોંધપાત્ર સરળતા અને સુવિધા આવી છે. હવે ગરીબો અને નવમધ્યમ વર્ગને લાભ લેવાનો વારો છે. તેમને બેવડો લાભ મળી રહ્યો છે – પહેલાં આવકવેરામાં રાહત દ્વારા અને હવે ઘટાડેલા GST દ્વારા. GST દરમાં ઘટાડો થવાથી નાગરિકો માટે વ્યક્તિગત સપનાં પૂરાં કરવાં સરળ બનશે – પછી ભલે એ ઘર બનાવવાનું હોય, ટીવી કે ફ્રિજ ખરીદવાનું હોય કે પછી સ્કૂટર, બાઇક કે કાર ખરીદવાનું હોય – હવે બધું જ સસ્તું થશે. મુસાફરી પણ વધુ સસ્તી બનશે, કારણ કે મોટા ભાગની હોટેલ-રૂમો પર GST ઘટાડવામાં આવ્યો છે. વેપારીઓ અને દુકાનદારો GSTના ઘટાડાના લાભો ગ્રાહકો સુધી પહોંચાડવા માટે સક્રિયપણે કામ કરી રહ્યા છે.’
આત્મનિર્ભરતા તરફ નક્કર કદમ
વિકસિત ભારતના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે આત્મનિર્ભરતાના માર્ગ પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતાની જરૂર છે એના પર ભાર મૂકતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ભારતને આત્મનિર્ભર બનાવવાની મુખ્ય જવાબદારી MSMEs એટલે કે ભારતના સૂક્ષ્મ, નાના અને કુટિર ઉદ્યોગોની છે. લોકોની જે પણ જરૂરિયાત છે એ દેશમાં જ ઉત્પાદિત કરી શકાય છે અને એ સ્થાનિક સ્તરે જ ઉત્પન્ન થવું જોઈએ. ભારતનું ઉત્પાદન અને ઉત્પાદન ગુણવત્તા એક સમયે વૈશ્વિક સ્તરે માન્યતાપ્રાપ્ત અને શ્રેષ્ઠ હતી. એ ગૌરવ પાછું મેળવવાની જરૂર છે. હું આશા રાખું છું કે નાના ઉદ્યોગો દ્વારા બનાવેલાં ઉત્પાદનો ઉચ્ચતમ વૈશ્વિક ધોરણોને પૂરાં કરે. ભારતનું ઉત્પાદન ગૌરવ અને શ્રેષ્ઠતા સાથે તમામ માપદંડોને વટાવી જવું જોઈએ અને ભારતીય ઉત્પાદનોની ગુણવત્તા દેશની વૈશ્વિક ઓળખ અને પ્રતિષ્ઠામાં વધારો કરશે. આ ધ્યેયને નજરમાં રાખીને આપણે કામ કરીએ.’
સ્વદેશી
જેમ સ્વદેશીના મંત્રે ભારતના સ્વતંત્રતા-સંગ્રામને સશક્ત બનાવ્યો એવી જ રીતે એ રાષ્ટ્રની સમૃદ્ધિ તરફની યાત્રાને પણ ઊર્જા આપશે એમ જણાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ઘણી વિદેશી વસ્તુઓ અજાણતાં આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગઈ છે અને નાગરિકોને ઘણી વાર ખ્યાલ પણ નથી હોતો કે તેમના ખિસ્સામાં રહેલો કાંસકો વિદેશી છે કે સ્વદેશી? આવી નિર્ભરતામાંથી મુક્ત થવાની જરૂર છે. આપણે દેશના યુવાનોની મહેનત અને પરસેવાથી બનેલાં મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો ખરીદો. દરેક ઘરને સ્વદેશીનું પ્રતીક બનાવો અને દરેક દુકાનને સ્વદેશી વસ્તુઓથી સુસજ્જ કરો. ગર્વથી કહો કે હું સ્વદેશી ખરીદું છું, હું સ્વદેશી વેચું છું. આ માનસિકતા દરેક ભારતીયની બનવી જોઈએ. આવા પરિવર્તનથી ભારતના વિકાસને વેગ મળશે. હું રાજ્ય સરકારોને આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અભિયાનોને સક્રિયપણે સમર્થન કરવાની અપીલ કરું છું જેથી તેમનાં રાજ્યોમાં સંપૂર્ણ ઊર્જા અને ઉત્સાહ સાથે ઉત્પાદનને વેગ આપી શકે અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ બનાવી શકાય. મને વિશ્વાસ છે કે જો કેન્દ્ર અને રાજ્યો સાથે મળીને આગળ વધશે તો આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર થશે, દરેક રાજ્યનો વિકાસ થશે અને ભારત એક વિકસિત રાષ્ટ્ર બનશે.’
નાગરિક દેવો ભવઃ
નેક્સ્ટ જનરેશન GST સુધારાઓમાં નાગરિક દેવો ભવઃનો મંત્ર પ્રતિબિંબિત થાય છે એમ જણાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આવકવેરાની રાહત અને GSTના ઘટાડાને જોડવામાં આવે છે ત્યારે છેલ્લા એક વર્ષમાં લેવામાં આવેલા નિર્ણયો ભારતના લોકો માટે ૨.૫ લાખ કરોડ રૂપિયાથી વધુની બચત કરશે. આ જ કારણ છે કે આને હું ‘બચત ઉત્સવ’ કહું છું.’
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયાએ રવિવારે મોડીરાત્રે સોશ્યલ મિડીયા પ્લેટ ફોર્મ એક્સ પર એક પોસ્ટ જારી કરીને સ્પષ્ટ જણાવી દીધું છે કે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ મુદત આવતીકાલ તા.15મી સપ્ટેમ્બર 2025ને રાત્રે 12 વાગ્યા સુધીની રહેશે. સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર ડ્યૂટ ડેટ લંબાવીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી હોવાનો વાઇરલ કરાયેલો મેસેજ ફેક છે.
A fake news is in circulation stating that the due of filing ITRs (originally due on 31.07.2025, and extended to 15.09.2025) has been further extended to 30.09.2025.
✅ The due date for filing ITRs remains 15.09.2025.
નાણાકીય વર્ષ 2024 25 ના ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ મુદત આજરોજ સોમવાર તારીખ 15મી સપ્ટેમ્બર રાત્રે 12 કલાક સુધીની છે, સામાન્ય રીતે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ મુદત 31 જુલાઈ હોય છે આ વર્ષે આ મુદત માં દોઢ મહિનો એક્સટેન્ડ કરવામાં આવ્યો છતાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટમાં ડેટા અપલોડ કરવાની મુશ્કેલીના કારણે આવતીકાલ અંતિમ મુદત પછી પણ સુરતના હજારો કરદાતાઓના ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાના બાકી રહી જાય તેવી સ્થિતિ છે.
Income Tax Department e-filing portal face glitches
શહેરના એક જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટે આપેલી માહિતી મુજબ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મુદત વધારવા માટે સુરત ગુજરાત અને નેશનલ લેવલે અનેક રજૂઆતો કરવામાં આવી છે. ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અવધીમાં દોઢ મહિનો વધાર્યા પછી પણ હજારો રિટર્ન ભરવાના બાકી રહી જાય તેમ છે. આ પરિસ્થિતિ માટે ટેક્સ કન્સલ્ટન્ટો કે ચાર્ટર્ડ એકાઉન્ટો કે કરદાતા કોઈનો વાંક નથી પરંતુ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની રિટર્ન ફાઇલ કરવાની વેબસાઈટ અત્યંત ધીમી ચાલી રહી હોવાના કારણે આ પરિસ્થિતિ પેદા થઈ છે. કર દાતાઓના ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે સ્થાનિક સ્તરેથી બધી જ તૈયારીઓ છે પરંતુ રિટર્ન ના ડેટા અપલોડ થઈ શકતા નથી.
આઈટી રિટર્ન ફાઈલ કરવાની અવધી લંબાવવા માટે ક્યારની રજૂઆતો કરી દેવામાં આવી છે પરંતુ હવે જ્યારે આખરી મુદત આડે ફક્ત 24 કલાક બાકી રહ્યા છે ત્યારે ફરી સરકારને અપીલ કરવામાં આવી છે કે વેબસાઈટમાં ધાંધિયાના કારણે સુરત સમય રાજ્યમાંથી હજારો એક્સપાયર ના રિટર્ન ફાઇલ કરવાના બાકી રહી જશે અને લેટ રિટર્ન ફાઇલિંગ પેટે ₹5,000 ની પેનલ્ટી લાગશે, કર દાતાઓને આ પ્રકારે ખોટી પેનલ્ટી કરી શકાય નહીં એ માટે તેમના રિટર્ન ફાઇલ કરવા માટે અવધી વધારે આપવા તેમજ it ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે છેલ્લી ઘડીની રજૂઆતો કરવામાં આવી રહી છે.
What is Penalty?
According to Income Tax rules, a penalty of up to Rs 5,000 can be imposed on belated ITR. If your taxable income is less than Rs 5 lakh, then the penalty will be Rs 1,000. Apart from this, you will also have to pay interest under section 234A, 234B and 234C on delay.
વરાછા કો-ઓપ. બેંક સુરતને દક્ષિણ ગુજરાતની વેરી લાર્જ કેટેગરીની બેંકોમાં કુલ ત્રણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન તેમજ પ્રોફેટેબિલિટી મેનેજમેન્ટ અને પબ્લિક રિલેશન એન્ડ સોશિયલ એક્ટિવિટી માટે કુલ મળીને ત્રણ કેટેગરીમાં શ્રેષ્ઠ બેંક તરીકે વરાછા બેંકને સ્કોબા પ્રાઈડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. તા. 06th સપ્ટેમ્બર, 2025 ના રોજ વેસ્ટ બંગાળ રાજ્યના ડાર્જિલિંગ શહેર ખાતે દક્ષિણ ગુજરાત અર્બન કો-ઓપ. બેંક એસોસિએશન લિ. (સ્કોબા) તરફથી સ્કોબા પ્રાઈડ એવોર્ડ અર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ગેંગટોક ના જનરલ મેનેજર રવિશંકર ગોડાની ઉપસ્થિતિમાં એવોર્ડ સમારોહ નું આયોજન થયું હતું. દક્ષિણ ગુજરાતની તમામ અર્બન કો-ઓપ. બેંકો વચ્ચે જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ સમારોહમાં રાજ્યની પાંચમા ક્રમની અર્બન કો-ઓપ. બેંક એવી વરાછા બેંકને ત્રણ ત્રણ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી છે. વરાછા બેંક 30 વર્ષમાં 28 શાખાઓ સાથે રૂ|. 6,000/- કરોડથી વધુનો બિઝનેસ ધરાવે છે. જે સહકારી ક્ષેત્ર માટે ગૌરવની વાત છે.
આ સમારોહમાં દક્ષિણ ગુજરાતના 200 થી વધુ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વરાછા બેંકના ચેરમેનશ્રી ભવનભાઈ નવાપરા તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન અને સહકારી ક્ષેત્રે “સહકારીતા બંધુ” તરીકે ખ્યાતનામ એવા શ્રી કાનજીભાઈ ભાલાળા ઉપસ્થિત રહી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ગેંગટોક નાં જનરલ મેનેજરશ્રી રવિશંકર ગોડા નાં વરદ હસ્તે એવોર્ડ સ્વીકાર્યા હતા.
આ પ્રસંગે સ્કોબાના વાઈસ પ્રેસિડેન્ટશ્રી કાનજીભાઈ ભાલાળાએ દક્ષિણ ગુજરાતની સહકારી બેંકોના વિકાસને બિરદાવ્યો હતો. આ સાથે સાયબર સિક્યુરિટી માટે તમામ બેંકો સકારાત્મક અભિગમ સાથે ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટે તાકીદ કરી હતી. સ્કોબાનાં પ્રેસિડેન્ટશ્રી ગૌતમભાઈ વ્યાસ, વાઈસ પ્રેસિડેન્ટશ્રી દેવાંગભાઈ ચોકસી અને પાસ્ટ પ્રેસિડેન્ટશ્રી મુકેશભાઈ ગજ્જર સહિતના હોદ્દેદારશ્રીઓએ વરાછા બેંકને શુભેચ્છા પાઠવી હતી.
મલ્ટી સ્ટેટ બેંકના દરજ્જા સાથે સતત પ્રગતિશીલ વરાછા બેંક સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં અગ્રેસર હોવાની સાથે સાથે સાયબર ક્રાઇમ અવેરનેસ અને બચત જાગૃતિ જેવા અભિયાન થકી લોક જાગૃતિ માટેના કાર્ય કરતી રહે છે. બેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા દ્વારા તમામ એવોર્ડ બેંકના ડિરેક્ટર્સશ્રીઓ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રીઓ તેમજ સ્ટાફને સમર્પિત કર્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે, આ એવોર્ડ વરાછા બેંક પરિવારના તમામ સભ્યોની મહેનત નું પરિણામ છે. બેંક હર હંમેશ ગ્રાહકોના હિતને કેન્દ્રમાં રાખી બેંકિંગ સેવા પૂરી પાડે છે. તહેવાર નિમિત્તે લોકોને સરળતાથી નાણાકીય સેવા મળી રહે તે માટે વિવિધ યોજનાઓ જેવી કે 8.21% વ્યાજદર ની સહકાર સમૃદ્ધિ બચત યોજના અને 8.25% થી શરૂ થતી ફેસ્ટિવલ કાર લોન અમલમાં મૂકી છે. બેંકના સભાસદો અને ગ્રાહકોનાં સાથ સહકાર થકી રૂ|. 6,000/- કરોડથી વધુ નો બિઝનેસ કરી ગૌરવંતી સિદ્ધિ હાંસિલ કરી છે, જે ખૂબ આનંદની વાત છે. આ હર્ષ અને ગૌરવની ક્ષણે તમામ ડિરેક્ટર્સશ્રીઓ, મેનેજમેન્ટ સભ્યશ્રીઓ, તમામ સ્ટાફ તેમજ સભાસદો અને ખાતેદારોને હૃદયથી અભિનંદન પાઠવ્યા હતા.
GST કાઉન્સિસની બેઠકમાં લક્ઝરી વસ્તુ પર 40 ટકાના નવા સ્લેબની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે બે ટેક્સ સ્લેબ 12 ટકા અને 28 ટકા સ્લેબ રિમુવ કરવામાં આવ્યા છે. એટલે કે સામાન્ય માણસની ખિસ્સા પરથી ભાર ઓછો કરવામાં આવ્યો છે. જેમાં નાની કાર અને દ્વિચક્રી વાહનો પર GST 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે, જ્યારે મધ્યમ અને મોટી કાર પર 40 ટકાનો નવો ટેક્સ સ્લેબ લાગુ થશે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર સમાચારો વહેતા થયા છે કે, લક્ઝરી કારનો 40 ટકાના સ્લેબમાં ઉમેરો કર્યા છતા સસ્તી થઈ છે. તો આપણે ઉદારહરણ સાથે જાણીએ કે કેવી રીતે આ કારની GST વધ્યા છતા કિંમતો ઘટી છે.
નવો ટેક્સ સ્લેબ
GST કાઉન્સિલે નક્કી કર્યું છે કે નાની કાર અને દ્વિચક્રી વાહનો પર ટેક્સ 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવે, જેનાથી આ વાહનોની કિંમતો નોંધપાત્ર રીતે ઘટશે. બીજી તરફ, મધ્યમ અને મોટી કાર, જેમાં 1200 સીસીથી વધુ પેટ્રોલ એન્જિન, 1500 સીસીથી વધુ ડીઝલ એન્જિન અથવા 4 મીટરથી લાંબી કારનો સમાવેશ થાય છે, તેના પર 40 ટકા GST લાગશે. આ નવા નિયમો 22 સપ્ટેમ્બર, 2025થી લાગુ થશે.
અગાઉ, 1200 સીસીથી વધુ પેટ્રોલ અથવા 1500 સીસીથી વધુ ડીઝલ એન્જિન અને 4 મીટરથી લાંબી કાર પર 28 ટકા GST ઉપરાંત 17-22 ટકા કમ્પેન્સેશન સેસ લાગતો હતો, જેનાથી કુલ ટેક્સ 45-50 ટકા સુધી પહોંચતો હતો. નવા નિયમો આવ્યા બાદ તેને સંપૂર્ણપણે હટાવી દેવાયો છે, અને હવે માત્ર 40 ટકા ફ્લેટ GST લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનાથી મોટી કાર, જેમ કે મર્સિડીઝ-બેન્ઝ, ઓડી, અને BMW જેવી લક્ઝરી કારની કિંમતો ઘટશે, જે ગ્રાહકો માટે લાભદાયી છે.
ઉદાહરણથી સમજો ભાવ ઘટાડો
જો કોઈ 15 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની મોટી પેટ્રોલ કે ડીઝલ કાર ખરીદે છે, તો નવા ટેક્સ નિયમોની અસર આ પ્રમાણે થશે:
જૂનો ટેક્સ પ્લસ સેસ 45 ટકા હોય તો: બેઝ પ્રાઇસ = 15,00,000 ÷ 1.45 = ₹10,34,483. નવો 40 ટકા ટેક્સ = 10,34,483 × 1.40 = ₹14,48,276. બંને કિમતોની સરખામણી કરીએ તો લગભગ ₹51,724ની બચત થાય છે.
જૂનો ટેક્સ 50 ટકા હોય તો: બેઝ પ્રાઇસ = 15,00,000 ÷ 1.50 = ₹10,00,000. નવો 40 ટકા ટેક્સ = 10,00,000 × 1.40 = ₹14,00,000. એટલે લગભગ ₹1,00,000ની બચત થશે.
આ રીતે, નવા નિયમો હેઠળ મોટી કારની કિંમતો ₹50,000થી ₹1 લાખ સુધી ઘટી શકે છે.
આ નવો ટેક્સ સ્લેબ ઓટોમોબાઇલ ઉદ્યોગ અને ગ્રાહકો માટે ફાયદાકારક સાબિત થશે. નાની કાર અને બાઇકની કિંમતો ઘટવાથી મધ્યમ વર્ગના લોકોને રાહત મળશે, જ્યારે મોટી અને લક્ઝરી કારની કિંમતોમાં ઘટાડો ઉચ્ચ વર્ગના ખરીદનારાઓને આકર્ષશે. સેસ હટાવવાથી ઓટોમોબાઇલ ક્ષેત્રમાં વેચાણ વધવાની આશા છે, જે આર્થિક વૃદ્ધિને વેગ આપશે. સોશિયલ મીડિયા પર ફેલાયેલા ભ્રમને દૂર કરીને, આ નિર્ણયથી તમામ પ્રકારની ગાડીઓના ખરીદનારાઓને લાભ થશે.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા(NPCI)એ UPI દ્વારા અમુક ખાસ પ્રકારના વ્યવહારો માટેની ટ્રાન્ઝેક્શન મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે. 15 સપ્ટેમ્બર-2025થી અમલમાં આવનારા નવા ફેરફાર મુજબ હવે ટેક્સ ભરવા, વીમા પ્રીમિયમ ચૂકવવા, લોનની EMI ભરવા અને શેરબજારમાં રોકાણ જેવા મોટા વ્યવહારો માટે દૈનિક 10 લાખ રૂપિયા સુધીની ચૂકવણી માત્ર 24 કલાકમાં કરી શકાશે.
અગાઉ એક લાખ સુધીની લિમિટ હતી
અગાઉ આવા ટ્રાન્ઝેક્શનો પર એક લાખ રૂપિયાની લિમિટ હતી, એટલે કે જો એક લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન હોય તો તે થઈ શકતું ન હતું, જોકે હવે નવા નિયમ મુજબ તેમાં વધારો કરાયો છે. હવે યુપીઆઇ દ્વારા ટેક્સ સંબંધિત ટ્રાન્ઝેક્શન કરવા માટેની લિમિટ પ્રતિ ટ્રાન્ઝેક્શન 5 લાખ રૂપિયા અને 24 કલાકમાં 10 લાખની લિમિટ કરવામાં આવી છે. આ નિર્ણય 15 સપ્ટેમ્બરની ટેક્સ ભરવાની અંતિમ તારીખને ધ્યાનમાં રાખીને લેવાયો છે.
નવો નિયમ માત્ર ‘પર્સન ટુ મર્ચન્ટ’ માટે લાગુ
આ ફેરફાર માત્ર વ્યક્તિ દ્વારા વેપારીને કરાતાં ટ્રાન્ઝેક્શન પર જ લાગુ પડશે. એટલે કે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ પર લાગુ નહીં પડે. વ્યક્તિ માત્ર સીધું જ વેરિફાઇડ બિઝનેસ એકાઉન્ટમાં જ ટ્રાન્ઝેક્શન કરી શકશે, જેમાં વીમા કંપનીઓ, બ્રોકરેજ ફર્મ, ટેક્સ પોર્ટલ અને બૅંકો જેવી સંસ્થાઓ સામેલ છે. યુપીઆઇ દ્વારા વ્યક્તિથી વ્યક્તિને કરાતી ટ્રાન્ઝેક્શન લિમિટ યથાવત્ એટલે કે એક લાખ રૂપિયા જ રહેશે.
નવા નિયમોની વધુ વિગતો
ટેક્સ ચૂકવણી, લોન ઈએમઆઇ અને બિઝનેસ ટુ બિઝનેસ કલેક્શન : હવે યુપીઆઇથી એક વખતમાં પાંચ લાખ રૂપિયાનું અને 24 કલાકની અંદર 10 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી શકાશે.
વીમા અને કેપિટલ માર્કેટ : અગાઉ બે લાખ રૂપિયાની લિમિટ હતી, જે વધારીને એક વખતના ટ્રાન્ઝેક્શનમાં પાંચ લાખ રૂપિયા અને 24 કલાકમાં 10 લાખ રૂપિયા લિમિટ કરવામાં આવી છે.
ક્રેડિટ કાર્ડ બિલ : અગાઉ યુપીઆઇ દ્વારા બે લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી શકાતું હતું, જોકે હવે તેમાં વધારો કરીને પ્રતિ ટ્રાન્ઝેક્શન પાંચ લાખ રૂપિયા અને 24 કલાકમાં 10 લાખ રૂપિયાની લિમિટ કરવામાં આવી છે.
વિદેશી મુદ્રા અને FD : હવે ફોરેક્સ ખરીદી-વેચાણ અને ડિજિટલ એકાઉન્ટ ખોલવા અને FD બનાવવા માટે પાંચ લાખ રૂપિયાની સુધીના ટ્રાન્ઝેક્શનની છૂટ મળશે.
15 સપ્ટેમ્બરથી લાગુ થશે નિયમ
NPCI એ તમામ બૅંકો, એપ્સ અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને આ નવા નિયમો લાગુ કરવા નિર્દેશ આપ્યા છે. જોકે, બૅંકોને તેમની પોલિસી મુજબ અમુક લિમિટ નક્કી કરવાની છૂટ આપવામાં આવી છે. તેથી એવી સંભાવના છે કે, કેટલાક કિસ્સાઓમાં આ નિયમો તાત્કાલિક લાગુ ન થાય, પરંતુ મોટાભાગની બૅંકો 15 સપ્ટેમ્બરથી આ ફેરફારને અમલમાં મૂકશે.
જીએસટી કાઉન્સિલે આજે (3 સપ્ટેમ્બર) યોજાયેલી બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. કાઉન્સિલે જીએસટી માટે બે સ્લેબ 5 ટકા અને 18 ટકા મંજૂર કર્યું છે. આ સાથે વર્તમાન 12 ટકા અને 28 ટકાના ટેક્સ સ્લેબ રદ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલી લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર હાઈ રેટ લગાવાયા છે. બેઠકમાં હાજર તમામ સભ્યો તમાકૂ ઉત્પાદનો પર 40 ટકા ટેક્સ લાદવા માટે સંમત થયા છે. તો જાણીએ કયા કયા ઉત્પાદનો પર 40 ટકા લાદવામાં આવ્યો.
આ પણ વાંચો : 5% અને 18%… હવે માત્ર 2 ટેક્સ સ્લેબ હશે, GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય
આ ચીજવસ્તુઓ પર 40 ટકા GST
સુપર લક્ઝરી ચીજવસ્તુઓ પાન મસાલા સિગારેટ ગુટખા ચાવવાની તમાકુ જરદા એડેડ શુગર, કાર્બોનેટેડ ડ્રિંક્સ વ્યક્તિગત ઉપયોગ માટે એરક્રાફ્ટ લક્ઝરી કાર ફાસ્ટ ફૂડ
આ ચીજવસ્તુઓ પર 40 ટકા ટેક્સ લાદવા ઉપરાંત અલગથી સેસ પણ લાગી શકે છે.
જીવન જરૂરિયાતની કઈ કઈ વસ્તુઓ થશે સસ્તી
હેયર ઓઇલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, સાબુ, ટૂથબ્રશ, શેવિંગ ક્રીમ 18% થી 5% માખણ, ઘી, ચીઝ અને અન્ય ડેરી ઉત્પાદનો 12% થી 5% પ્રી-પેકેજ્ડ નમકીન અને ચવાણું 12% થી 5% વાસણો 12% થી 5% ફીડિંગ બોટલ, બાળકોના નેપકિન્સ અને ડાયપર 12% થી 5% સીવણ મશીન અને તેના ભાગો 12% થી 5% આરોગ્ય ક્ષેત્રે રાહત
હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ 18% થી શૂન્ય થર્મોમીટર 18% થી 5% મેડિકલ ગ્રેડ ઓક્સિજન 12% થી 5% ગ્લુકોમીટર અને ટેસ્ટ સ્ટ્રીપ્સ 12% થી 5% ચશ્મા 12% થી 5% સ્ટેશનરી વસ્તુઓ ટેક્સ ફ્રી
નકશા, ચાર્ટ અને ગ્લોબ્સ 12% થી શૂન્ય પેન્સિલ, શાર્પનર્સ, ક્રેયોન્સ-પેસ્ટલ્સ કલર્સ 12% થી શૂન્ય પાઠ્ય પુસ્તકો અને નોટબુક્સ 12% થી શૂન્ય ઇરેઝર 5% થી શૂન્ય
ખેડૂતોને રાહત
ટ્રેક્ટર 12% થી 5% ટ્રેક્ટર ટાયર અને ભાગો 18% થી 5% જંતુનાશકો અને સૂક્ષ્મ પોષકતત્ત્વો 12% થી 5% જમીન ખેડવા, લણણી અને થ્રેશિંગ માટેના મશીનો 12% થી 5% વાહનો થશે સસ્તા
પેટ્રોલ, LPG અને CNG કાર (1200 CC અને 4000 MM સુધીના) 28% થી 18% ડીઝલ કાર (1500 CC અને 4000 MM સુધીના) 28% થી 18% થ્રી-વ્હીલર વાહનો 28% થી 18% 350 CC સુધીના બાઇક 28% થી 18% માલ પરિવહન માટેના વાહનો 28% થી 18% ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર ટેક્સ ઘટાડો
એર કંડિશનર 28% થી 18% 32 ઇંચથી મોટા ટીવી 28% થી 18% મોનિટર અને પ્રોજેક્ટર 28% થી 18% ડીશ વોશિંગ મશીન 28% થી 18%
મોટા મોટા ટ્રાન્ઝેક્શન માટે આજે પણ લોકો ચેકથી જ લેવડ-દેવડ કરવાનું પસંદ કરે છે, કારણ કે તે એક વિશ્વસનીય માધ્યમ છે. ઘણી વખત આપણામાંથી અનેક લોકો સાથે એવું બન્યું હશે કે એકાઉન્ટમાં બેલેન્સ ના હોવાને કારણે ચેક બાઉન્સ થયો હોય. આવી સ્થિતિમાં થોડું આર્થિક નુકસાન થાય છે અને એની સાથે ચેક આપનારની શાખ પર પણ તેની અસર જોવા મળે છે. પરંતુ હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા આને વધુ સુરક્ષિત બનાવવા માટે કેટલાક મહત્ત્વના નિયમ લાગુ કર્યા છે, જે જાણી લેવા તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે.
ચેક બાઉન્સિંગના પરિણામો
કોઈ પણ ઔપચારિક વ્યવહાર દરમિયાન ચેકનો ઉપયોગ આજે પણ મહત્ત્વનો માનવામાં આવે છે. જ્યારે ચેક પાસ નથી થતો ત્યારે આખી પ્રક્રિયા થંભી જાય છે અને માહોલ થોડો ગરમાઈ જાય છે. પહેલાંના સમયમાં તો બેંક દ્વારા તેની જાણ પણ મોડેથી થતી હતી, જેને કારણે મુશ્કેલીઓ વધી જતી હતી. પણ હવે એવું નથી.
24 કલાકની અંદર એલર્ટ આપવું જરૂરી
આરબીઆઈના નવા નિયમ અનુસાર જો હવે કોઈ ચેક બાઉન્સ થાય છે તો બેંકને 24 કલાકની અંદર જ એસએમએસ કે ઈમેલના માધ્યમથી ગ્રાહકને તેની જાણ કરવી ફરજિયાત છે. આને કારણે કસ્ટમર તરત જ ગ્રાહકની સ્થિતિને સમજીને યોગ્ય કાર્યવાહી કરી શકશે અને નુકસાન ખૂબ જ ઓછું થશે.
24 કલાકની અંદર કસ્ટમરને એલર્ટ આપવા સિવાય આરબીઆઈએ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે જો કોઈ વ્યક્તિ જાણી જોઈને ખોટો ચેક આપે છે તો તેના પર પહેલાંથી વધારે સખત કાર્યવાહી કરવામાં આવશે. પહેલાં આ માટે વધુમાં વધુ એક વર્ષની સજા કરવાની જોગવાઈ કરવામાં આવી હતી અને હવે તેને વધારીને 2 વર્ષ કરી દેવામાં આવી છે. આ સાથે સાથે ભારે દંડ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
જો કોઈ ખાતાધારક વારંવાર ચેક બાઉન્સ કરે છે તો બેંક તેની ચેકબુકની સુવિધા જ બંધ કરવામાં આવશે. આવા લોકો માત્ર ડિજિટલ કે ઓનલાઈન જ પેમેન્ટ કરી શકશે. આ નિયમ ઈમાનદાર ગ્રાહકોની સુરક્ષા અને લેવડ-દેવડને વધારવા માટે લાગુ કરવામાં આવ્યો છે.
જૂન જુલાઈ માસ દરમિયાન મુખ્ય પ્લેટફોર્મ પર ૨૧ IPO થકી રૂ. ૩૩,૮૧૩ કરોડ એકત્ર ઉભા કરાયા
માર્ચથી મે સુધીના સુસ્ત સમયગાળા પછી, નાના અને મધ્યમ ઉદ્યોગો (એસએમઈ)ના પ્રારંભિક જાહેર ઓફરમાં (આઈપીઓ) ઝડપી ઉછાળો આવ્યો છે. જૂનથી, ૬૮ એસએમઈએ રૂ. ૩,૧૩૧ કરોડ એકત્ર કર્યા છે. નિષ્ણાતો તેને મુખ્ય પ્લેટફોર્મના આઈપીઓમાં જોવાયેલ ધમધમાટ તરફ નિર્દેશ કરે છે.
જૂન અને જુલાઈમાં, મુખ્ય પ્લેટફોર્મ પર ૨૧ આઈપીઓ લિસ્ટ થયા હતા અને રૂ. ૩૩,૮૧૩ કરોડ એકત્ર કર્યા હતા જેનાથી વિવિધ ક્ષેત્રોમાં રોકાણકારોનો ઉત્સાહ વધ્યો હતો.
જ્યારે પણ મુખ્ય પ્લેટફોર્મ પર પ્રવૃત્તિઓ વધે છે, ત્યારે એસએમઈ ક્ષેત્ર પણ તે જ માર્ગને અનુસરે છે. ઉપલબ્ધ લિક્વિડિટીને કારણે મુખ્ય પ્લેટફોર્મના આઈપીઓ પર નજીવો ફાયદો પણ રોકાણકારોને આકર્ષે છે, જોકે, જોખમી એસએમઈ આઈપીઓમાં વધતી જતી રુચિને કારણે પ્રવેશ માપદંડો વધુ કડક બન્યા છે.
લઘુત્તમ અરજી રકમ રૂ. ૧ લાખથી બમણી થઈને રૂ. ૨ લાખ થઈ ગઈ છે. એપ્રિલ ૨૦૨૫માં, એનએસઈએ એસએમઈને મુખ્ય પ્લેટફોર્મ પર જવા માટે તેના પાત્રતા માપદંડોમાં સુધારો કર્યો. કંપનીઓએ હવે છેલ્લા ત્રણ વર્ષમાં ઓછામાં ઓછા બે વર્ષમાં ઓપરેટિંગ નફો દર્શાવવો પડશે, છેલ્લા વર્ષમાં રૂ. ૧૦૦ કરોડથી વધુની આવક નોંધાવવી પડશે અને અરજી સમયે ૨૦ ટકાથી વધુનો પ્રમોટર હિસ્સો રાખવો પડશે.
કેટલાક બજાર નિરીક્ષકો માને છે કે મોટા કદ અને કડક માપદંડો ફક્ત રોકાણકારોના જોખમને આંશિક રીતે સંબોધિત કરે છે. આ ક્ષેત્રમાં લિસ્ટેડ કંપનીઓ માટે કડક ડિસ્ક્લોઝર ધોરણોની જરૂર છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.