CIA ALERT

બોલીવુડ Archives - Page 2 of 13 - CIA Live

July 18, 2024
hardik-pandya-natasha.jpg
2min265

 ભારતીય ટીમના ક્રિકેટર હાર્દિક પંડ્યા અને બોલિવૂડની અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે. આ અંગે બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાહેરાત કરી છે અને નેગેટિવિટીથી બચવા માટે કોમેન્ટ સેક્શન પણ બંધ કરી દીધું છે. બંને વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી અણબનાવ ચાલી રહ્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. તાજેતરમાં જ નતાશા તેના પરિવારના ઘરે જતી રહી હતી. આ ઉપરાંત અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં પણ હાર્દિક એકલો મસ્તી કરતા જોવા મળ્યો હતો.

https://www.instagram.com/p/C9kcSrhTp5J/?utm_source=ig_embed&ig_rid=d4930b82-fb0d-4261-9415-ee9633bbd6b7

નતાશાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી સ્ટોરી

આ પહેલા નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, ‘હોમ સ્વીટ હોમ’. આ પોસ્ટમાં એક કાર દેખાઈ રહી છે અને આ ઘર વિદેશનું હોવાનું જણાઈ આવે છે. અર્થાત નતાશા તેના સર્બિયાના ઘરની વાત કરી રહી છે. તેની બીજી સ્ટોરીમાં તેનો અને હાર્દિક પંડ્યાનો પુત્ર અગત્સ્ય દેખાય છે. સાથે તેનું એક પેટ એટલે કે પાલતુ શ્વાન દેખાય છે. આ સ્ટોરીમાં તેણે માસા એવું લખીને સફેદ હાર્ટ રાખ્યું છે અને ત્રીજી સ્ટોરીમાં તેણે અગત્સ્યને ભેટીને હેપી બર્થ ડે વિશ કર્યું છે. જો કે અગત્સ્યનો જન્મદિવસ 30 જુલાય છે.

હવે પુત્રની દેખભાળ કોણ કરશે?

હાર્દિકે પુત્રની દેખભાળ અંગે લખ્યું છે કે, ‘અમે અમારા જીવનમાં પુત્ર અગસ્ત્યને મેળવીને ભાગ્યશાળી છીએ. અમારો પુત્ર અમારી જિંદગીનો હંમેશા આધાર રહેશે. અમે બંને તેની દેખભાળ કરીશું. પુત્રને દુનિયાની બધી જ ખુશીઓ મળે તેની ખાતરી કરવા અમે પૂરો પ્રયાસ કરીશું અને તેની ખુશી માટે અમે જે કંઈ કરી શકીએ તે કરીશું. અમે આશા રાખીએ છીએ કે, આ મુશ્કેલ સમયમાં તમારો સપોર્ટ મળશે અને અમારી પ્રાઈવસી સમજશો.’

હાર્દિક-નતાશાએ 2020માં કર્યા હતા લગ્ન

ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યાએ 2020માં દુબઈમાં નતાશાને પ્રપોઝ કર્યું હતું. બાદમાં 31 મે, 2020માં બંનેના લોકડાઉનમાં લગ્ન થયા હતા. બંનેએ હિન્દુ અને વેસ્ટર્ન બંને વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા. 30 જુલાઈના રોજ પુત્ર અગસ્ત્યનો જન્મ થયો હતો. જેનું નામ અગત્સ્ય રાખવામાં આવ્યું હતું.   

July 4, 2024
image-2.jpeg
1min234

પાન ઈન્ડિયા સ્ટાર પ્રભાસની ફિલ્મ ‘કલ્કી 2898 AD’ ગયા ગુરુવારે 27/06/2024 થિયેટરોમાં ધમાકેદાર રીતે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ માટે લોકોનો ક્રેઝ એવો હતો કે દેશભરમાં ઘણી જગ્યાએ આ ફિલ્મના મોર્નિંગ શૉ પેક થઇ ગયા હતા. ભારતીય પૌરાણિક કથાઓને વિજ્ઞાન સાથે જોડતી ગ્દર્શક નાગ અશ્વિનની આ ફિલ્મ પહેલા જ દિવસથી લોકોને પ્રભાવિત કરવા લાગી હતી. 

Kalki 2898 AD Grand Release on June 27, 2024 | Prabhas, Amitabh, Kamal  Haasan, Deepika

પ્રભાસના સ્ટારડમ અને અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, કમલ હાસન જેવા મેગા સ્ટાર્સની હાજરીને કારણે ‘કલ્કી 2898 AD’ માટે લોકોમાં શરૂમાં ઘણી ઉત્તેજના હતી. લોકો તરફથી મળેલી પ્રશંસા અને ફિલ્મની સકારાત્મક સમીક્ષાઓએ ફિલ્મને વધુ શક્તિશાળી બનાવી દીધી હતી. લોકોના પ્રેમે’કલ્કી 2898 AD’ને પહેલા દિવસથી જ જોરદાર કમાણી આપવાનું શરૂ કરી દીધું હતું. બુધવારે, ફિલ્મે સિનેમાઘરોમાં 7 દિવસ પૂરા કર્યા છે અને આ સમયમાં તેણે બોક્સ ઓફિસ પર તેની સ્થિતિ મજબૂત કરી લીધી છે.

આ ફિલ્મ ગુરુવારે રિલીઝ થઇ હતી, તેથી તેના પ્રથમ અઠવાડિયામાં ચાર દિવસ મળ્યા હતા. વીક એન્ડમાં તેણે 309 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. સોમવારે પણ આ ફિલ્મ કમાણીના આંકડામાં થોડા ઘટાડા સાથે 34.15 કરોડ રૂપિયાી કમાણી કરવામાં સફળ રહી હતી. ત્યાર બાદ મંગળવારે ફિલ્મની કમાણી ઘટીને 27 કરોડ રૂપિયા થઇ ગઇ. બુધવારે ફિલ્ની કમાણીનો આંકડો 23 કરોડ રૂપિયા પર અટકી ગયો. હવે ફિલ્મનું કુલ નેટ ઈન્ડિયા કલેક્શન 393 કરોડ રૂપિયાથી થોડું વધારે થઈ ગયું છે.

‘કલ્કી 2898 AD’ના હિંદી વર્ઝને મંગળવારે 13 કરોડ અને બુધવારે 11.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આમ આ ફિલ્મ હિન્દીમાં જબરદસ્ત કમાણી કરી રહી છે. પ્રભાસની ફિલ્મનું નેટ હિન્દી કલેક્શન 7 દિવસમાં 152 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે અને તેણે 2024માં હિન્દીનું પ્રથમ સપ્તાહનું સૌથી મોટું કલેક્શન કર્યું છે.

અન્ય કલાકારોની ફિલ્મોની વાત કરીએ તો રીતિક રોશનની ‘ફાઇટર’એ પ્રથમ સપ્તાહમાં લગભગ 140 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે અજય દેવગનની ‘શૈતાન’એ પ્રથમ સપ્તાહમાં 81.60 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘કલ્કી 2898 AD’એ તેમને મોટા માર્જિનથી પાછળ છોડી દીધા છે. આ વર્ષે હિન્દી ફિલ્મોમાં સૌથી વધુ બોક્સ ઓફિસ કલેક્શનનો રેકોર્ડ ‘ફાઇટર’ના નામે છે, જેનું જીવનકાળનું કલેક્શન 213 કરોડ રૂપિયા હતું. આ પછી રૂ. 149 કરોડના કલેક્શન સાથે અજય દેવગનની ‘શૈતાન’ બીજા સ્થાને હતી. પ્રભાસની ‘કલ્કી 2898 AD’એ માત્ર સાત દિવસમાં શૈતાન’ને પાછળ છોડી દીધી છે. એવું માનવામાં આવે છે કે ‘કલ્કી 2898 AD’બીજા સપ્તાહના અંતે સારો ઉછાળો મેળવશે. બીજા વીકેન્ડમાં પ્રભાસની ફિલ્મ ‘ફાઇટર’ના લાઇફટાઇમ કલેક્શનને પાર કરી શકે છે.

June 6, 2024
cia_multi-1280x1045.jpg
1min835

સુરતના રહેવાસી અને હાલમાં અમેરીકાની મુલાકાતે ગયેલા સુનિલ શાહ નામના યુવાને અમેરીકાના ન્યુયોર્ક ખાતે વિશ્વ પ્રસિદ્ધ ટુરીસ્ટ સ્પોટ ટાઇમ સ્ક્વેર પર જાયન્ટ એલ.ઇ.ડી. સ્ક્રીન, બિલબોર્ડસ પર ભારતના બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનની લાઇફ ઇવેન્ટને એક્ઝિબીટ કરતું ફોટો સોંગ પ્રસારિત કરાવ્યું હતું. આ ફોટો સોંગ એકલા અમેરીકામાં જ નહીં પણ ભારત સહિત અનેક દેશોમાં જ્યાં અમિતાભ બચ્ચનના ફેન્સ છે એ દરેકે દરેક દેશો અને શહેરોમાં ભારે વાઇરલ થયું છે.

જુઓ વિડીયો જેનાથી અમિતાભ બચ્ચન ભારે પ્રભાવિત થયા

https://x.com/SrBachchan/status/1798030748664135868 અમિતાભ બચ્ચનના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પર પણ પોસ્ટ કર્યું છે

ખુદ અમિતાભ બચ્ચને ફેસબુકની તેમની પોસ્ટમાં સુરતના સુનિલ શાહના નામોલ્લેખ સાથે આ પ્રકારના ગેસ્ચર માટે જાહેરમાં આભાર વ્યક્ત કર્યો હતો. અમિતાભ બચ્ચને સુરતના સુનિલ શાહને પોતાના ડેડીકેટેડ ફેન ગણાવ્યા હતા.

સુરતના સુનિલ શાહે ન્યુયોર્કના ટાઇમ સ્ક્વેર ખાતે પોતાની ટીમ સાથે અમિતાભ બચ્ચનના સેંકડો ટી-શર્ટસ પણ અમિતાભ બચ્ચનના ફેન્સમાં વહેંચ્યા હતા. અમિતાભ બચ્ચને આ માટે તેમના ડેડીકેટેડ ફેન સુરતના સુનિલ શાહનો આભાર માનતી પોસ્ટ પોતાના ઓફિશ્યલ એક્સ (ટ્વીટર) હેન્ડલ તેમજ ફેસબુક પેજ પર મૂકી છે.

https://www.facebook.com/amitabhbachchan/videos/505475138472929 અમિતાભ બચ્ચને પોતાના ફેસબુક ઓફિશ્યલ પેજ પર પણ આ પોસ્ટ કર્યું છે.

છેલ્લા 24 કલાકથી આ પોસ્ટ સમગ્ર વિશ્વમાં ભારે વાઇરલ થઇ છે. અમિતાભ બચ્ચને સુરતના યુવાન સુનિલ શાહને પોતાની પોસ્ટમાં સ્થાન આપતા સુરતના રહેવાસીઓમાં પણ અનેરા આનંદની લાગણી છવાય ગઇ છે.

August 23, 2023
WhatsApp-Image-2023-08-23-at-07.41.30.jpeg
1min608

હાલ સોની એન્ટરટેઇનમેન્ટ ટીવી પર ચાલી રહેલી કૌન બનેગા કરોડપતિ 2023ની સિરીઝમાં સુપરસ્ટાર હોસ્ટ અમિતાભ બચ્ચને એક પ્રતિસ્પર્ધીને એવો સવાલ પૂછ્યો કે જેને લઇને સુરતના ખજોદ ખાતે સાકાર પામેલું સુરત ડાયમંડ બુર્સ ફરીથી સમગ્ર વિશ્વમાં ચમકી ગયું છે. અમિતાભ બચ્ચને સુરત ડાયમંડ બુર્સને અનુલક્ષીને પ્રતિસ્પર્ધીને નીચે મુજબનો સવાલ પૂછ્યો હતો.

Which building record, that stood for 80 years, did the Surat Diamond Bourse break to become the largest office building in the world?

ઉદઘાટન પહેલા જ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ બની ચૂક્યું છે સુરતનું ડાયમંડ બુર્સ

સુરત ડાયમંડ બુર્સનો પ્રોજેક્ટ દુનિયાનું સૌથી મોટું ઓફિસ બિલ્ડીંગ તો છે જ પણ અનેક દ્રષ્ટીએ આ પ્રોજેક્ટ અનોખી ભાત પાડનારો અને અનોખી છાપ ઉભી કરનારો છે. દુનિયામાં સહકારી ક્ષેત્રે રૂ.3600 કરોડ જેટલી વિક્રમી ખર્ચ કરીને એકપણ રૂપિયાનું ધિરાણ લીધા વગર ઉભી થયેલી વિશ્વની સૌથી મોટી ઇમારત પણ સુરત ડાયમંડ બુર્સ છે.

સુરત ડાયમંડ બુર્સ સૌથી મોટું ઓફિસ બિલ્ડીંગ તો છે જ પણ સમગ્ર વિશ્વનું સૌથી મોટું હીરા બજાર પણ આ જ જગ્યાએ વિકાસ પામશે.

સુરત ડાયમંડ બુર્સ જ્યારે સંપૂર્ણ ક્ષમતા અનુસાર કાર્યરત બની જશે ત્યારે ભારતમાં સૌથી વધુ નિકાસ ધરાવતું શહેર સુરત હશે અને રાજ્ય ગુજરાત બની જશે.

November 7, 2022
alia.png
1min383

બોલીવૂડનાં સૌથી ક્યૂટ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હવે મમ્મી પપ્પા બની ગયાં છે. તેમને ત્યાં દીકરીનો જન્મ થતાં કપૂર ખાનદાન સહિત સમગ્ર બોલીવૂડમાં જશ્નનો માહોલ સર્જાયો છે. 

આજે બપોરે બરાબર ૧૨.૦૫ કલાકે એક ખાનગી હોસ્પિટલમાં આલિયાની ડિલિવરી થઈ હતી. સંયોગોવસાત આ એ જ હોસ્પિટલ છે જ્યાં ઋષિ કપૂરે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યાંથી જ કપૂર ખાનદાનમાં નવા પરિવારની પધરામણી થઈ હતી. 

અગાઉ સવારે ૭.૩૦ કલાકના અરસામાં રણબીર કપૂર આલિયાને લઈ હોસ્પિટલ પહોંચ્યો હતો. તે પછી ભટ્ટ અને  કપૂર ખાનદાનના પરિવારના એક પછી એક સભ્યો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.

આલિયાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી દ ીકરી જન્મની સત્તાવાર વધામણીમાં કહેવાયું હતું કે, ‘અમારી જિંદગીના સૌથી શ્રેષ્ઠ સમાચાર છે, અમારી બેબી અહીં આવી પહોંચી છે અને તે અદ્ભૂત મેજિકલ ગર્લ છે. અમે હવે ભરપૂર આશીર્વાદ અને પ્રેમથી ઘેરાયેલાં માતાપિતા બન્યાં છીએ.’

રણબીરની બહેન રિદ્ધિમાએ પણ ભત્રીજીનાં જન્મની વધામણી ખાતાં કહ્યું હતું કે સમગ્ર પરિવાર ભારે હર્ષ અને ગૌરવ અનુભવે છે. આ ભત્રીજીને ફઈ પહેલેથી જ બહુ પ્રેમ કરે છે. 

બોલીવૂડના તમામ ટોપના સ્ટાર્સ અને હિરોઈનોએ આલિયા તથા રણબીરને માતા-પિતા બનવા બદલ અભિનંદન પાઠવ્યું હતું. સોનમ કપૂર સહિતની હિરોઈનોએ જણાવ્યું હતું કે તેઓ આલિયાની બેબીને વહેલી તકે રમાડવા માટે ઉત્સુક છે. 

ઉલ્લેખનીય છે કે આલિયા અને રણબીરે ગયાં એપ્રિલ માસમાં લગ્ન કર્યાં હતાં. તેના ચાર મહિના પછી તેમણે આલિયા માતા બની રહી હોવાનું જાહેર કર્યું હતું. 

આલિયા બેબીનું નામ અલમા રાખશે કે નહીં 

એક ટીવી રિયાલિટી શોમાં આલિયાએ કહ્યું હતું કે તેને અલમા નામ પસંદ છે. પોતાને દીકરી જન્મશે તો તેનું નામ અલમા રાખશે. હવે આલિયા ટીવી શોમાં જાહેર કરેલી આ વાત નિભાવે છે કે કેમ તે જાણવા તેના ચાહકો આતુર છે. 

ભાવિ સુપરસ્ટારનો જન્મ 

આલિયા અને રણબીરની બેબીનાં ભવિષ્ય વિશે જાતભાતની અટકળો પણ શરુ થઈ ગઈ છે. બોલીવૂડના એક ન્યૂમરોલોજિસ્ટે કહ્યું હતું આ બેબી બુધ અને શુક્રનો શુભ યોગ લઈને આવી છે. તેનો ભાગ્યાંક ૫ છે. આલિયા માટે ૩૦મું વર્ષ શુકનવંતું છે અને તેમાં આ બેબી જન્મી છે. આ તારીખ પર શુક્રનો પ્રભાવ છે એટલે માની લો કે  ભવિષ્યના સુપરસ્ટારનો જન્મ થઈ ગયો છે.  જન્મકુંડળીમાં સૂર્યનાં સ્થાન પ્રમાણે તેની રાશિ વૃશ્ચિક આવી છે. તેની માસી શાહીન ભટ્ટની સૂર્યરશિ પણ વૃશ્ચિક છે. બોલીવૂડમાં ઐશ્વર્યા રાય અને શાહરુખ ખાન બંનેની સૂર્યરાશિ વૃશ્ચિક છે. 

September 28, 2022
Asha_Parekh.jpg
1min718

કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thackeray) Dated 27/9/22, મંગળવારે કહ્યું કે દિગ્ગજ અભિનેત્રી આશા પારેખને (Legendry Actress Asha Parekh) 2020ના દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી (Dadasaheb Falke Award) સન્માનિત કરવામાં આવશે. જણાવવાનું કે દાદા સાહેબ ફાળકે પુરસ્કારને (Dadasaheb Falke Award) ભારતીય સિનેમાના ક્ષેત્રમાં (Indian Cinema) સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે. ભારતીય સિનેમા જગત આજે જે મુકામ પર છે આને ત્યાં સુધી લઈ જવામાં આશા પારેખનું મોટું યોગદાન છે.

આશા પારેખ (ફાઈલ તસવીર)

79 વર્ષીય આશા પારેખે દિલ દેકે દેખો, કટી પતંગ, ત્રીજી મંજિલ અને કારવાં જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને હિન્દી સિનેમાની આઇકૉનિક એક્ટ્રેસ માનવામાં આવે છે. આ પહેલા 2019નો દાદા સાહેબ ફાળકે એવૉર્ડ સાઉથ સુપરસ્ટાર રજનીકાંતને આપવામાં આવ્યો હતો. પારેખે 1990ના દાયકાના અંતે પ્રશંસિત ટેલીવિઝન શૉ કોરા કાગજનું નિર્દેશન કર્યું હતું. એક નિર્માતા અને નિર્દેશક તરીકે પણ તેમનું કામ અભૂતપૂર્વ રહ્યું છે.

આશા પારેખે બાળ કલાકાર તરીકે પોતાના કરિઅરની શરૂઆત કરી હતી. ત્યારે ઇન્ડસ્ટ્રીમાં લોકો તેમને બેબી આશા પારેખના નામે ઓળખતા હતા. સિનેમા જગતમાં તેમનો પ્રવાસ ખાસ્સો લાંબો રહ્યો છે. આશાનું જીવન ત્યારે બદલાયું જ્યારે જાણીતા ફિલ્મ ડિરેક્ટર બિમલ રૉયે તેમને ઇવેન્ટમાં ડાન્સ કરતા જોયા અને તેમને પોતાની ફિલ્મમાં (1952) કામ આપ્યું. તે સમયે આશા માત્ર 10 વર્ષનાં હતાં.

ત્યાર બાદ બિમલે વર્ષ 1954માં આવેલી ફિલ્મ `બાપ બેટી`માં આશાને તક આપી અને ફિલ્મ હિટ ન થઈ તો તેઓ નિરાશ થઈ ગયા. આશાએ ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરવાની સાથે સાથે પોતાનું ભણવાનું પણ ચાલુ રાખ્યું અને સોળ વર્ષની ઉંમરમાં તેમણે લીડ એક્ટ્રેસ તરીકે શરૂઆત કરી છે. કહેવાય છે કે વિજય ભટ્ટની ફિલ્મ `ગૂંજ ઉઠી શહનાઈ`માં કરવામાં આવેલા કામ માટે તેમને કાઢી મૂકવામાં આવ્યાં હતાં.

September 21, 2022
1min417

‘સબકો હસાને વાલા રુલા ગયા’પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રાવાસ્તવનું અવસાન થઈ ગયું છે. દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમનાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેમના પરિવારે આ વાતની જાણકારી આપી છે. 10 ઓગ્ષ્ટના રોજ જીમમાં વર્કઆઉટ કરતી વખતે તેમની તબિયત લથડી હતી અને ત્યારબાદ તેમને એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતા. ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના પરિવાર અને સહકાર્યકરો તરફથી સતત અપડેટ્સ મળી રહ્યા હતા. 

સારવાર દરમિયાન તેમની તબિયતમાં સુધારાના સમાચાર પણ આવ્યા હતા પરંતુ હવે તેમના મૃત્યુના દુઃખદ સમાચારે બધાને મોટો આંચકો આપ્યો છે.

10 August 2022

રાજુ શ્રીવાસ્તવની ટીમ દ્વારા જણાવાયા અનુસાર તેઓ કોઈ કામસર દિલ્હી ગયા હતા ત્યારે જીમમાં ટ્રેડ મીલ પર વર્કઆઉટ કરી રહ્યા હતા. એ વખતે તેમને અચાનક છાતીમાં ભારે દુઃખાવો શરુ થયો હતો. 

તેમને તુરત જ દિલ્હી એઈમ્સમાં લઈ જવાયા હતા જ્યાં તેમને માઈલ્ડ હાર્ટ એટેક હોવાનું જણાતાં તરત જ સારવાર શરુ કરાઈ હતી. 

July 24, 2022
Shamshera.jpg
1min531

રણબીર કપૂર અને સંજય દત્તની બહુ ગાજેલી ફિલ્મ શમશેરાને પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ઠંડો પ્રતિસાદ મળ્યો છે.

મળતી વિગતો પ્રમાણે પહેલા દિવસે આ ફિલ્મે માત્ર 10.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. સવારે ફિલ્મના શોમાં થોડી ઘણી ગીરદી જોવા મળી હતી પણ સાંજ પડતા સુધીમાં  ફિલ્મની કમાણીમાં ઓટ આવી ગઈ હતી.

જાણકારોનુ માનવુ છે કે, શમશેરાએ નિરાશાજનક શરૂઆત કરી છે અને આ પ્રકારના ઓપનિંગ સાથે ફિલ્મની બમ્પર કમાણી મુશ્કેલ બનશે.

શમશેરા ફિલ્મ પર બોલીવૂડને ઘણી આશાઓ છે. કારણકે તેમાં રણબીર કપૂરની સાથે સંજય દત્ત પણ છે. કોરોના મહામારી બાદ બોક્સ ઓફિસ પર રિલિઝ થયેલી આ બીજી મોટી ફિલ્મ છે. આ ફિલ્મ ભારતમાં 4000 કરતા વધારે સ્ક્રીન પર રિલિઝ કરાઈ છે. તેના પહેલા કેજીએફ પાર્ટ ટુને જ વધારે સ્ક્રીન મળ્યા હતા.

મુંબઈ સરકીટમાં શમશેરાએ ખાસ બિઝનેસ કર્યો નથી. હવે શનિવાર અને રવિવારના વીકએન્ડમાં થનારી કમાણી ફિલ્મનુ ભવિષ્ય નક્કી કરશે.

June 9, 2022
prithvi.jpg
1min437

કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચારનું નિરૂપણ કરતી ફિલ્મ કાશ્મીર ફાઈલ્સને દેશભરમાં ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારોએ ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી હતી. હવે અક્ષય કુમારની આગામી ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ ઉપર ટેક્સ નહી લગાવવા માટે ગુજરાત સરકારે જાહેરાત કરી છે.

અહેવાલ અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતના ઈતિહાસને રજૂ કરતી આ મૂવી પર રાજ્યમાં કોઈ ટેક્સ નહિ વસૂલાય.

આ અગાઉ લોન્ચિંગ પૂર્વે જ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સરકારોએ મૂવીને ટેક્સ ફ્રી કરવાની ગત ગુરુવારે જાહેરાત કરી હતી. 

ચંદ્રપ્રકાશ દ્વિવેદી દિગ્દર્શિત આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે પૂર્વ મિસ વર્લ્ડ માંનુસી છીલ્લર પણ કામ કરી રહી છે. આ ઉપરાંત, ખાસ સ્ક્રીનીંગમાં હાજર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પોતાના રાજ્યમાં ફિલ્મ ઉપર કોઇપણ ટેક્સ લેવામાં નહી આવે એવી જાહેરાત કરી હતી. 

અઢી કલાક લાંબી આ ફિલ્મ માતૃભૂમિ માટેનો જંગ જ નહી પણ એ સમયની સંસ્કૃતિનું પણ નિરૂપણ કરે છે એમ જણાવતા અમિત શાહે સ્કીનિંગ વખતે કહ્યું હતું કે જે લોકો મહિલા સશક્તિકરણની અત્યારે વાત કરી રહ્યા છે તેમણે આ ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ. ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે 1191ના યુદ્દમાં પરાસ્ત કર્યો હતો પણ બીજા વર્ષે તે હારી ગયા હતા. 

વર્ષ 1025માં મોહમ્મદ ઘોરીના આક્રમણથી શરુ થયેલી આ લડાઈ ભારતની આઝાદી સાથે ખત્મ થઇ છે. અહી ઉલ્લેખનીય છે કે ઘોરીએ ગુજરાતના કાંઠે આવેલા સોમનાથ મંદિરને એક કરતા વધારે વખત તોડી પાડી લુંટ ચલાવી હતી.

Prithviraj Poster: Akshay Kumar, Manushi Chhillar set to present a tale of  valour as the emperor & his beloved | PINKVILLA
June 1, 2022
kk.jpg
1min438

કોલકાતા ખાતે એક કાર્યક્રમ દરમિયાન તબિયત ખરાબ થયા બાદ ગાયક કેકેનું મંગળવારના રોજ અવસાન થયું છે. 

ફેમસ સિંગર કેકે ઉર્ફે કૃષ્ણ કુમાર કુન્નથ માત્ર 53 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી ગયા છે. કોન્સર્ટ બાદ કેકેની તબિયત બગડી હતી અને હાર્ટ એટેકના કારણે તેમનું અવસાન થયું હોવાનું કહેવામાં આવ્યું હતું. 

ડોક્ટર્સના કહેવા પ્રમાણે પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે પરંતુ કેકેના મોઢા અને માથાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યા મુજબ કોલકાતાના ન્યૂ માર્કેટ પોલીસ સ્ટેશન ખાતે કેકેના અપ્રાકૃતિક મૃત્યુનો એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ કેકેના પરિવારની રાહ જોઈ રહી છે. પરિવારની મંજૂરી બાદ અને બોડીની ઓળખવિધિ બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. કેકેના પત્ની અને દીકરો કોલકાતા પહોંચી રહ્યા છે અને પોલીસ દ્વારા તેમનું નિવેદન પણ નોંધવામાં આવશે.તેઓ કોલકાતાના નજરૂલ મંચ પર ગુરૂદાસ કોલેજના ફેસ્ટિવલ દરમિયાન પ્રસ્તુતિ આપી રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. જાણવા મળ્યા મુજબ તેઓ જે હોટેલમાં રોકાયા હતા તેની સીડીઓ પરથી કથિત રીતે પડી ગયા હતા. હોસ્પિટલના પ્રવક્તાએ ગાયકને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેઓ મૃત હોવાની જાણકારી આપી હતી. 

કેકે તેમના ‘પલ’ અને ‘યારોં’ જેવા ગીતો માટે પ્રખ્યાત છે જે 1990ના દશકાના અંતમાં યુવાવર્ગમાં ખૂબ જ હિટ રહ્યા હતા. આ ગીતો મોટા ભાગે શાળા અને કોલેજીસના વિદાય અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોકપ્રિય છે. 

કેકેના 1999માં આવેલા પ્રથમ આલ્બમ ‘પલ’ની સંગીત સમીક્ષકોએ ખૂબ જ પ્રશંસા કરી હતી. 2000ના દશકની શરૂઆતથી તેમણે પાર્શ્વ ગાયનમાં પોતાની કરિયર બનાવી અને બોલિવુડની ફિલ્મો માટે પણ લોકપ્રિય ગીતોની એક વિસ્તૃત શૃંખલા રેકોર્ડ કરી. તેમણે હિંદી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી અને બંગાળી સહિત અન્ય કેટલીય ભાષાઓમાં ગીત રેકોર્ડ કર્યા હતા.